________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૫૭
વર્તે છે તોપણ સદાગમના વચનના બળથી થયેલા નિર્મલમતિજ્ઞાનને કારણે તે વિકારને ક્ષીણ કરવા પણ તેઓ યત્ન કરે છે તેવા જીવો મનીષી કહેવાય છે અને પ્રસ્તુત સ્પર્શનના કથનમાં પ્રસંગમાં બાલ અને મનીષી તે બંનેએ સ્પર્શેન્દ્રિયને મરતાં જીવાડ્યો તોપણ મનીષીને તે સ્પર્શ વિશ્વાસપાત્ર જણાતો નથી. બાલને તે અત્યંત વિશ્વસનીય મિત્ર જણાય છે તેથી ભવજંતુથી તરછોડાયેલ તે સ્પર્શેન્દ્રિયને બાલ જીવે આશ્રય રૂપે સ્વીકારી લીધો અને જેમ તે ભવજંતુને સદાગમની પ્રાપ્તિ પૂર્વે સ્પર્શેન્દ્રિય સાથે ગાઢમૈત્રી હતી તેમ બાળ જીવને ગાઢ મૈત્રી થાય છે. તેથી ભવજંતુનું સદાગમની પ્રાપ્તિ પૂર્વેનું જે સ્થાન સ્પર્શેન્દ્રિયનું હતું તે સ્થાન બાળ જીવે સ્વીકારી લીધુ. તેથી એ ફલિત થાય કે જેમ તે ભવજંતુ મોક્ષની પ્રાપ્તિ પૂર્વે સંસારમાં સ્પર્શન સાથે ગાઢમૈત્રીવાળો હતો તેમ બાળ જીવો સ્પર્શન સાથે ગાઢમૈત્રીવાળા છે, તેના બળથી આ સ્પર્શનનો પરિણામ જીવે છે. વળી મનીષીની જેમ જ્યારે તે જીવો સદાગમના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરીને સ્પર્શનરૂપ પાપમિત્રનો ત્યાગ કરે ત્યારે સ્પર્શનકૃત અનર્થોથી સુરક્ષિત બને છે અને અંતે ભવજંતુની જેમ સ્પર્શનનો ત્યાગ કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે.
मनीषिणा चिन्तितं न खलु सहजोऽनुरक्तो वयस्यः केनचित्प्रेक्षापूर्वकारिणा पुरुषेण निर्दोषस्त्यज्यते, न च सदागमो निर्दोषं कदाचित्त्याजयति, स हि गाढं पर्यालोचितकारीति श्रुतमस्माभिः, तदत्र कारणेन भवितव्यं, न सुन्दरः खल्वेष स्पर्शनः प्रायेण, तदनेन सह मैत्रीं कुर्वता विरूपमाचरितं बालेन । एवं चिन्तयन्नेव मनीषी संभाषितः स्पर्शनेन कृतं मनीषिणाऽपि लोकयात्रानुरोधेन संभाषणम्, संजाता तेनापि सह बहिश्छायया मैत्री स्पर्शनस्य ।
મનીષી વડે વિચારાયું=સ્પર્શને પોતાના આપઘાતનું સર્વકથન કર્યું તે સાંભળીને મનીષી વડે વિચારાયું, ખરેખર નિર્દોષ સહજ અનુરક્ત એવો મિત્ર કોઈ વિચારપૂર્વક કરનારા પુરુષ વડે ત્યાગ કરાતો નથી. અને સદાગમ ક્યારેય નિર્દોષનો ત્યાગ કરાવે નહીં. =િજે કારણથી, તે=સદાગમ ગાઢ પર્યાલોચનને કરનાર છે=અત્યંત વિચારીને ઉચિતકૃત્ય કરનાર છે, એ પ્રમાણે અમારા વડે સંભળાયું છે, તે કારણથી=ર 1=સદાગમના વચનથી ભવજંતુએ સ્પર્શનનો ત્યાગ કર્યો છે તે કારણથી, આમાં=ભવજંતુના સ્પર્શનના ત્યાગના વિષયમાં, કારણ હોવું જોઈએ. પ્રાયઃ ખરેખર આ સ્પર્શન સુંદર નથી. તે કારણથી સ્પર્શનની સાથે મૈત્રીને કરતા એવા બાલ વડે વિરૂપ આચરણ કરાયું છે=કુત્સિત આચરણ કરાયું છે. આ પ્રમાણે વિચાર કરતો જ મનીષી સ્પર્શન વડે બોલાવાયો, મનીષી વડે પણ લોકયાત્રાના અનુરોધથી સંભાષણ કરાયું=શિષ્ટ લોકોનો આચાર છે કે કોઈક પોતાને બોલાવે તો તેની સાથે ઉચિત સંભાષણ કરે એ પ્રકારના લોકયાત્રાના અનુરોધથી મનીષી વડે પણ સંભાષણ કરાયું. તેની સાથે પણ=મનીષી સાથે પણ બાહ્યછાયાથી સ્પર્શનની મૈત્રી થઈ.
कर्मविलासाऽकुशलमालयोरभिप्रायः
प्रविष्टाः सर्वेऽपि नगरे, संप्राप्ता राजभवनं, दृष्टो दत्तास्थानः कर्म्मविलासः सह महादेवीभ्यां,