________________
પ૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મુકાયેલો પાષાણ પણ પ્રલીન થાય છે=વિનાશ પામે છે અર્થાત્ ખાણમાંથી નીકળેલો સુવર્ણનો પત્થર જ્યારે શોધનની પ્રક્રિયામાં લેવામાં આવે છે ત્યારે સુવર્ણથી છૂટા પડેલા પત્થરના કણો પણ અગ્નિમાં બળીને ભસ્મ થાય છે. તેમ ક્ષમાશીલ જીવોનો પણ સહજ કોઈ પરાભવ કરે તો તે સહન કરવો દુષ્કર છે. ૧ બ્લોક :
मानिनां मित्रविरहे, जीवितुं नैव युज्यते ।
इदं हि नश्यता तूर्णं, वासरेण निवेदितम् ।।२।। શ્લોકાર્ચ -
માનીઓને મિત્રના વિરહમાં જીવવું યોગ્ય નથી જ, આ નાશ પામતા દિવસ વડે શીધ્ર નિવેદન કરાયું તે વખતે સૂર્યાસ્ત થાય છે તે જાણે નિવેદન કરે છે કે માની જીવોએ મિત્રના વિરહમાં જીવવું જોઈએ નહીં. જેમ સૂર્યાસ્ત થવાથી દિવસ મૃત્યુને પામે છે. રા __ अहो ते मित्रवत्सलता, अहो ते स्थिरानुरागः, अहो कृतज्ञता, अहो साहसं, अहो निर्मिथ्यभावतेति । भवजन्तोः पुनरहो क्षणरक्तविरक्तता, अहो कृतघ्नता, अहो अलौकिकत्वं, अहो मूढता, अहो खरहृदयत्वं, अहो अनार्यानुष्ठानप्रवृत्तिरिति । केवलमेवमपि स्थिते ब्रवीम्यहमत्र किञ्चित्तदाकर्णयतु भद्रः । स्पर्शनेनाभिहितं-वदतु निर्विकल्पमार्यः, बालेनाभिहितम्
અહો તારી મિત્રવત્સલતા, અહો તારો સ્થિર અનુરાગ, અહો તારી કૃતજ્ઞતા, અહો તારું સાહસ, અહો તારી નિર્મિધ્યભાવતા=દઢ નિશ્ચલતા, આ પ્રકારે બાલ સ્પર્શનના આપઘાતના પ્રયાસની પ્રશંસા કરે છે અને કહે છે કે વળી, ભવજંતુની અહો ક્ષણભર રક્તવિરક્તતા અર્થાત્ સ્વાર્થ મિત્રાચારિતા, અહો કૃતઘ્નતા=ભવજંતુનું તારા ઉપકારને ભૂલી જઈને અનુચિત વર્તન કરવા રૂપ કૃતઘ્નતા, અહો અલૌકિકપણું=ભવજંતુનું આવા સુંદરમિત્રને આ રીતે તરછોડીને કાઢી મૂક્યો તે તેનું અલોકિકપણું છે, અહો મૂઢતા=ભવજંતુની મિત્ર સાથેનું આવું વર્તન મૂઢતાવાળું છે. અહો કઠોર હૃદયપણું અતિપ્રિયમિત્ર પ્રત્યે ભવજંતુનું આ પ્રકારનું કઠોર હૃદયપણું છે. અહો અનાર્ય અનુષ્ઠાનની પ્રવૃત્તિ=ભવજંતુની અત્યંત અનુચિત પ્રવૃત્તિ, આ પ્રમાણે બાલ જીવે સ્પર્શનની પ્રશંસા કરી અને ભવજંતુની નિંદા કરી, હવે, કહે છે કે આમ હોતે છતે પણ હું કેવલ અહીં કંઈક કહું છું તેને ભદ્ર સાંભળો, સ્પર્શ વડે કહેવાયું – હે આર્ય ! નિર્વિકલ્પ કહો=ક્ષોભ રહિત કહો, બાલ વડે કહેવાયું, શું કહેવાયું ? તે બતાવે છે –
શ્લોક :
अलब्धप्रतीकाराणामभिमानावलम्बिनाम् । स्नेहैकबद्धकक्षाणां, युक्तमेतद्भवादृशाम् ।।१।।