________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૪૫
બંધાય છે. વિપાકમાં આવે છે અને જીવની કાલપરિણતિ જે પ્રકારની હોય તે પ્રકારે જ ત્યારે ત્યારે તે કર્મો વિપાકમાં આવે છે. વળી, જીવના સ્વભાવને અનુરૂપ જ તે તે કર્મો બંધાય છે તે તે અધ્યવસાયો થાય છે. વળી, જીવની જે પ્રકારની ભવિતવ્યતા હોય તે પ્રકારે જ જીવને સદ્ગદ્ધિ કે દુર્બુદ્ધિ કર્મો આપે છે. તેથી કર્મને પરતંત્ર થયેલા જીવો આગળ કોઈનું કાંઈ ચાલતું નથી. ફક્ત જીવની ઉચિત પ્રવૃત્તિથી તે કર્મો ગભરાય છે. તેથી જ્યારે જીવમાં વિવેકદૃષ્ટિ પ્રગટે છે ત્યારે સર્વકર્મો તે જીવને ક્યારેય પ્રતિકૂળ વર્તતા નથી. પરંતુ સર્વ પ્રકારની અનુકૂળ પરંપરા પ્રાપ્ત થાય છે. વળી, નંદિવર્ઝનના વિષયમાં અત્યારે કોઈ પ્રયત્ન થાય તેમ નથી તેમ બતાવીને સિદ્ધપુત્રે કહ્યું કે હે મહારાજા ! વિષાદ છોડી દો. શક્ય વસ્તુમાં યત્ન ન કરવામાં જ પ્રમાદી મનુષ્યો ઉપાલંભનું ભાજન થાય છે. અશક્ય વસ્તુના વિષયમાં પુરુષ પ્રયત્ન ન કરે તો તે પુરુષનો અપરાધ નથી. તેથી વિવેકી જીવોએ પોતાના હિતાહિતના વિચારો કરીને પોતાના પ્રયત્નથી જે શક્ય હોય તેના વિષયમાં જ યત્ન કરવો જોઈએ. વળી, પોતાનું કે પારકાનું હિત કરવાનો પ્રયત્ન શક્ય હોય ત્યાં જ કરવો જોઈએ. અશક્યમાં પ્રયત્ન કરવાથી પ્રયત્ન નિષ્ફળ જાય છે. અનર્થો પ્રાપ્ત થાય છે. માટે વિવેકીએ નિપુણતાપૂર્વક જે કંઈ કરવું હોય ત્યાં પોતાનું અને પરનું બલોબલ વિચારીને જે શક્ય હોય તેમાં જ યત્ન કરવો જોઈએ. વળી, રાજાને આશ્વાસન રૂપે સિદ્ધપુત્ર કહે છે કે નંદિવર્ધ્વનના પાપમિત્ર સાથેનો ત્યાગ અશક્ય છે છતા જ્યાં સુધી તેના પુણ્યના ઉદયનો સહકાર છે ત્યાં સુધી પાપત્રિકૃત સર્વ અનર્થો પણ તેના હિતનું જ કારણ બનશે, તેથી એ પ્રાપ્ત થાય કે પાપમિત્રને કારણે નંદિવર્ધ્વન પુણ્યપ્રકૃતિને ક્ષીણ કરે છે, ભવિષ્યમાં અનર્થોની પરંપરાને પ્રાપ્ત કરે તેવું પાપબાંધે છે છતાં પણ પૂર્વમાં બંધાયેલા તીવ્ર પુણ્યોદયનો સહકાર છે ત્યાં સુધી સ્થૂલથી તેનાં બાહ્યકાર્યોની સિદ્ધિ તે પુણ્યના બળથી થાય છે.
મારામપ્રયજ્ઞાનાર્થ પ્રયાસ: तातेनाभिहितं-अये! मध्याह्नसमयो वर्त्तते, ततः समुत्थातव्यमिदानीमितिकृत्वा विसर्जितो राजलोकः, पूजितौ कलाचार्यनैमित्तिको, प्रस्थापितौ सबहुमानं, ततो नैमित्तिकवचनादशक्यानुष्ठानमेतदिति जातनिर्णयेनापि तातेन मोहहेतुतयाऽपत्यस्नेहस्य समादिष्टो विदुरः, यदुत-परीक्षितव्यो भवता कुमाराभिप्रायः, किं शक्यतेऽस्मात्पापमित्राद्वियोजयितुं कुमारो न वेति? विदुरेणाभिहितं-यदाज्ञापयति देवः । ततः समुत्थितस्तातः कृतं दिवसोचितं कर्त्तव्यं, द्वितीयदिने समागतो मम समीपे विदुरो, विहितप्रणामो निषण्णो मदन्तिके, पृष्टो मया-भद्र! ह्यः किनागतोऽसि? विदुरेण चिन्तितं-अये! समादिष्टस्तावदहं देवेन, यथा लक्षयितव्यो भवता कुमाराभिप्रायः, ततोऽहमस्मै यत् तस्मात्साधोः सकाशादाकर्णितमासीन्मया दुर्जनसंसर्गदोषप्रतिपादकमुदाहरणं तत्कथयामि, ततो विज्ञास्यते खल्वेतदीयोऽभिसन्धिः, इत्येवं विचिन्त्य विदुरेणाभिहितं-कुमार! किञ्चिदाक्षण्यमभूत्, मयाऽभिहितं-कीदृशम्? विदुरेणाभिहितं-कथानकमाकर्णितम् । मयाऽभिहितं-वर्णय कीदृशं तत्कथानकम् ? विदुरेणाभिहितंवर्णयामि, केवलमवहितेन श्रोतव्यं कुमारेण । मयाऽभिहितं एष दत्तावधानोऽस्मि ।