________________
૩૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શૌચ, આદિ અન્ય ગુણો પણ કષાયના ઉપશમના બળથી જ જીવે છે તેથી જેઓમાં ક્ષમા નથી તેઓમાં સત્યાદિ ગુણો પરમાર્થથી પણ નથી. માટે ક્ષમા સર્વગુણોનો આધાર છે; કેમ કે જીવ પ્રદેશની જેમ ક્ષમા સાથે સર્વ ગુણો પ્રતિબદ્ધ છે. અને જેઓમાં ક્ષમા નથી તેઓ સ્થૂલથી દાનાદિ કરતા હોય તોપણ તે ગુણો પોતાનું કાર્ય કરનારા નહીં હોવાથી શોભતા નથી. આ રીતે બતાવ્યા પછી ક્ષમા જ મોક્ષના કારણભૂત સર્વ ગુણો સ્વરૂપ છે. એમ બતાવીને ક્ષમા જ જગતના જીવો માટે વન્ધ છે. જગતના જીવોનું હિત છે. કલ્યાણને દેનાર છે. જીવોનું પરમ મંગલભૂત છે. અને સર્વભાવ ૨ોગને દૂર કરવા માટે ઔષધ છે. આથી જેઓ ક્ષમામાં યત્ન કરનારા છે તેઓમાં સર્વગુણો પ્રતિષ્ઠિત થાય છે. આથી જ મોક્ષના અર્થી એવા મુનિઓનું ચિત્ત તે ક્ષમા ગુણમાં જ સદા આવર્જિત છે અને જેઓમાં ક્ષમાગુણ પ્રગટ થયો છે તેઓને સર્વ પ્રકારના ગુણોની પ્રાપ્તિ થાય છે, માટે કલ્યાણના અર્થી જીવો સર્વ કામનાને દેનારી એવી ક્ષમામાં જ સદાકાળ યત્ન કરે છે.
શ્લોક ઃ
एवञ्च स्थिते
सा गुणोत्कर्षयोगेन, कन्या सर्वाङ्गसुन्दरा ।
અસ્ય વૈશ્વાનરોયૈઃ, પ્રતિપક્ષતા સ્થિતા ।।રર્।।
શ્લોકાર્થ :
આ પ્રમાણે હોતે છતે=સિદ્ધપુત્રે વૈશ્વાનરના નિવારણ ઉપાયરૂપ જે ચિત્તસૌંદર્ય આદિ નગરનું વર્ણન કર્યું અને તેમાં શુભપરિણામ રાજા અને નિષ્પકંપતા દેવીની પુત્રી ક્ષાંતિ છે એમ અત્યાર સુધી બતાવ્યું. હવે તે સિદ્ધપુત્ર રાજાને કહે છે એ પ્રમાણે હોતે છતે, ગુણના ઉત્કર્ષના યોગથી સર્વાંગસુંદર તે ક્ષાંતિ કન્યા આ વૈશ્વાનરની અત્યંત પ્રતિપક્ષપણાથી રહેલી છે. II૨૨।।
શ્લોક ઃ
तस्या दर्शनमात्रेण, भीतभीतः सुविह्वलः । एष वैश्वानरो मन्ये, दूरतः प्रपलायते ।। २३ ।।
શ્લોકાર્થ ઃ
તેના દર્શન માત્રથી=ક્ષાંતિ રૂપ કન્યાના દર્શન માત્રથી, ભય પામેલો, સુવિહ્વલ થયેલો આ વૈશ્વાનર હું માનું છું દૂરથી પલાયન થાય છે. II૨૩II
શ્લોક ઃ
निःशेषदोषपुञ्जोऽयं, सा कन्या गुणमन्दिरम् । साक्षादग्निरयं पापः, सा पुनर्हिमशीतला ।। २४ ।