Book Title: Rushabhnath Charitra
Author(s): Vijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
Publisher: Vijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
View full book text
________________
૧૨
શ્રી ષષનાથ ચરિત્ર
પામેલા સાથેના મુસાફરે દરેક વૃક્ષ આગળ બેસતા, દરેક પરબમાં પ્રવેશ કરતા, પાણું પી–પીને આળોટતા હતા, સૂર્યનાં તપાવેલ લેહ સરખાં પ્રચંડ કિરણો વડે મીણના પીંડની જેમ શરીરે પણ ઓગળી જતાં હતાં. આવા પ્રકારના ગ્રીષ્મકાળમાં સાર્થના લેકે પલાશ, તાલ, હિંતાલ, કમલિની અને કેળના પાંદડાં વડે પંખાઓ કરીને ઘામથી ઉત્પન્ન થયેલ શ્રમને દૂર કરતા હતા. તે પછી ગ્રીષ્મકાળના સ્થિતિ છેદને કરતો અને પ્રવાસીઓના ગતિવિચ્છેદને કરતે મેઘાચ્છાદિત વર્ષાકાળ આગે.
ક્ષણવારમાં મેઘ પણ ધારાવૃષ્ટિ કરતો, રાક્ષસની માફક ત્રાસ ઉત્પન્ન કરતે સાર્થના મુસાફરો વડે જોવા. તે મેઘ ઉંબાડિયાની જેમ વારંવાર વીજળીને ભમાવત, બાળક જેવા મુસાફરોને ત્રાસ પમાડતે, મુશળ પ્રમાણ જળધારા વડે વરસવા લાગે. પાણીના પ્રવાહે પૃથ્વીમાં સર્વ ઊંચ-નીચને સરખું કરી દીધું. ઘણે કાદવ થવાથી માગ પણ દુર્ગમ થશે. એક ગાઉ સે જન જે થશે. પ્રવાસીલેક ઢીંચણ સુધી ન કાદવ લાગવાથી ધીમે ધીમે ચાલવા લાગ્યા. ગાડાંઓ પણ કાદવમાં ખેંચવા લાગ્યાં. ઊંટ પણ પગમાં ખલના પામીને પગલે પગલે પડવા લાગ્યા, તે વખતે ધન સાર્થવાહ માર્ગોનું દુર્ગમપણું જોઈને તે મહાટવીની મધ્યે પડાવ કરીને રહ્યો.
અટવીમાં નિવાસ સાધુઓ સાથે આચાર્ય ભગવંતે પણ માણિભદ્રે