________________
-[૪૧
પ્રકરણ ૩] કેવા પાપાચરણ અને દુર્ણને વિસ્તાર? અરે! બહુ દુર્લભ મનુષ્ય ભવ પણ મળી જાય તે ય શું? તું જુએ છે ને કે દુનિયામાં કઈ માનવે પણ દુર્ગુણ-દુષ્કૃત્યમાં ફસેલા છે? - એમાંય જે જઈ પડયા, તે ત્યાં પણ આ જ કે પાપ નિવારણુંના ઉપાયે અને સામર્થ્યથી વંચિત જ થઈ જવાનું બને. ત્યાં ઉપાયે નહિ, ને સૂઝ પણ નહિ, પછી શી રીતે પાપના -ભાર હેઠા ઊતરવાના? -
- “હે પ્રજ્ઞાસંપન્ન ! તારા માટે આ જ શ્રેયસ્કર છે, કે આ જીવનમાં સુલભ એવા ઉત્તમ ઉપાય યોજી લે, એમાં જીવનને ઓતપ્રેત કરી દે. ઉપાય આ છે કે
(૧) તું જે, પાંચસે ગામની આવક તારે આધીન સમજ, તું એમાંથી યથેચ્છ દાન કરતી રહેવાનું કર. દુનિયામાં કેઈ બિચારા આંખના અંધ છે, પગે લંગડા છે, અપંગ છે; એ ઉદરનિર્વાહને શે પુરુષાર્થ કરી શકે? એ પુરુષાર્થ-શક્તિ હોવા છતાં અંગે પાંગની સામગ્રીના અભાવે બિચારા લાચાર બને છે. હે વત્સા ! આ પરથી અહીં સામગ્રી મળ્યાની જાગતી પુણ્યાઈની કિંમત કરજે. અનુકુળ સામગ્રીનું મૂલ્યાંકન કરીશ તો પુણ્યાઈના સદુપયાગને પુરુષાર્થ કરવામાં કચાશ રાખવી નહિ એ નિર્ધાર થશે. કેમકે પુણ્યાધીન સામગ્રીના કાળમાં જ પુરુષાર્થ શકય છે. તું એવા અંધ, અપંગ, લૂલા, વગેરેને દાન દે. વળી જે, કે જગતમાં કેટલાય બિચારા અનાથ હોય છે. કેઈ એમના નિર્વાહની ચિંતા કરનાર
*
1