________________
૧૨૮]
[ કુમી અને આત્મહિતની તાલાવેલી હોય તે બને ? કઠિન લાગે છે ને આ? વિષયાસક્તિના જેરમાં કઠિન જ લાગે. વિચારવા જેવું છે કે,
પશુહદય કરતાં આજનું માનવહદય વિશિષ્ટ છે કે ઉતરતું? આહાર-વિષય-પરિગ્રહ-આરામી અને ક્રોધ-માનાદિ કષાયેની લત તો પશુ- હૃદયમાં ય ભરી પડી હોય છે, પણ માનવ-દિલમાં એને કેમ મહલાવાય? વિશેષ ઊંડા ઊતરી જોતાં દેખાશે કે આજની આંધીમાં તણાઈને જે કરાઈ રહ્યું છે તે કદાચ પશુહુદયથી પણ ઊતરતી કક્ષાનું હશે. દા. ત. પશુહુદયમાં દુનિયાભરના વિલાસની ભેગ-ભાવના નથી. આજ માણસને રેડિયો દ્વારા દેશ-પરદેશને ગીત સાંભળવા મન રહે છે. પશુને પરિગ્રહને ભાવ કેટલે? ત્યારે મનુષ્યને? એ પરિગ્રહ પણ મેળવવા-સાચવવા પશુને કેટલા પ્રપંચ કરવાને ભાવ? તે આજના માણસને કેટલા? એવા આજના વિજ્ઞાને ઊભી કરેલી સગવડે અને આજની રીતિઓ કેવા કેવા રાગ-રતિ આદિના ભાવ મનુષ્ય હૃદયમાં તગતગાવે છે?
અહીં જે આટલે ખ્યાલ કરાય કે
અરે! આ હું પશુહદયને પણ શરમાવે એવા કેવા કનિષ્ઠ ભાવ મારા હૃદયમાં ઘાલી રહ્યો છું ! બળિયાથી તે ઊંચે સુંદર સુઘડ શુભ કિયાયેગ્ય માનવદેહે આવે, પરંતુ હૃદયથી કેવા અધમ પશુહુદય કે એથી પણ નીચા હૃદયને ધારી રહ્યો છું ! ઈર્ષા, કપટ, મદ, માન, સ્વાર્થોધતા, હરામી વૃત્તિ વગેરે પશુહૃદયમાં સ્કુરે એના કરતાં ય કેટલાં જઘન્ય કેટિના આ ઊંચા માનવહૃદયમાં જળહળાવી રહ્યો છું! કેમ? કઈ વિચાર નથી કે