Page #1
--------------------------------------------------------------------------
________________
શિ8િ
0 8.
22 STD,
0 8.9 ) $
કી
ન
AAA
WANAMMAMMAMMAMMMMMMMMAMAMARAAAAAAAAAAA
હરની શાળાનું Udo ઉજાળા
$
S0
0
0'
/
,
* લેખક ૨૯ પ્રભાવક પ્રવચનકાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ
. % છે! C # $
# છે. C# C ) દ્ધ 0 5
- MMMMMMMMMMMMMS
Page #2
--------------------------------------------------------------------------
________________
:
MS :
»
અને
09 Nows
રુમી રાજાનું પતન અને ઉત્થાન
-
t.
ભાગ-૧
• પ્રવચનકાર : સિદ્ધાન્ત મહેધિ પ. પૂ. સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય. પ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન તપેનિષિ, પ્રભાવક પ્રવચનકાર પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્
વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ ANNNNNNNNNNNNN
.
છે
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિ | વિ. સં. ૨૦૨૯ કિંમત રૂપિયા ત્રણ
*.
છે
પ્રકાશક : ચતુરદાસ ચીમનલાલ દિવ્યદર્શન કાર્યાલય કાળુ0ની પર અમારીવોને
પ્રાપ્તિસ્થાન દિવ્યદર્શન કાર્યાલય કાળુશીની પળ-કાળુપુર
અમદાવાદ–૧
TIL. 7
દિવ્યદર્શન શાસ્ત્રસંગ્રહ
પંકુબાઈ જ્ઞાનમંદિર - બેડાવાલા વાસ શિવગંજ (રાજસ્થાન)
જેઠાલાલ ચુનીલાલ ઘીવાળ ૩૫, કાલબાદેવી,
મુંબઈ ૨
': મુદ્રક : કાન્તિલાલ ડાહ્યાભાઈ પટેલ
મંગલમુદ્રણાલય રતનપળ અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશન અંગે બે બોલ ગુજરાતથી પંદર માઈલ દૂર, પૂર્વ દેશના પશ્ચિમ બંગાના પાટનગર કલકત્તામાં પૂજ્ય મુનિ મહારાજે ગ જરાક મળે છે. આમ છતાં અમારા શ્રી સંઘના પ્રબળ પુરો શાસનશિરતાજ સુવિશાળ ગચ્છાધિપતિ કર્મશાસનિષ્ણુત સિદ્ધાંત મહેદધિ સ્વ. પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજના વિદ્વાન શિષ્યરત્ન, પ્રભાવક પ્રવચનકાર, નિષિ પૂજય પંન્યાસ પ્રવર શ્રી ભાનુવિજયજી ગણિવર(હાલ આચાર્ય વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ)ને આગ્રહ પૂર્વક - અરોના નવનિતિ મય જિનપ્રાસાદની પ્રતિષ્ઠા એઓશ્રીની વિશ્રામાં ઉજવાય એ માટે ખૂબ આગ્રહપૂર્વક વિનંતિ કી જાજતે ગાજતે તેમની પધરામણી અને વિ. સં. ૨૦૨૪માં કરવામાં આવી. પૂર્વ દેશમાં સંમેતશિખર, પાવાપુરી, રાજગૃહી, ગુણિયા, ક્ષત્રિય ચંપાપુરી, બનારસ વગેરે કમાણક ભૂમિઓ અને અન્ય મહાન તીર્થોનું મહત્વ ઘણું છે. સાથે સાથે કલકત્તામાં શીતલવાડીu અબુ બદ્રીપ્રસાદજીના અતિ પ્રખ્યાત મંદિર હોવા ઉપરાંત આ વસતા ગુજરાતી જનોના લત્તામાં એક રમણીય વીર વિરોધ પ્રસાદ ૯૬, કેનીગ સ્ટ્રીટમાં આવે છે.
- * ભવાનીપુર લત્તામાં પણ જેનોને વસવાટ વધતાં સૌને આશાધના-દર્શન-પૂજનને લાભ મળે એ હેતુથી અત્રે ભવાનીપુર૧૧એ હશામ રોડ ઉપર લગભગ સાડાતેર હજાર સ્કવેરફુટન સુંદર પ્લેટ ખરીદી તે ઉપર શ્રી સંઘના સહકારથી અતિભવ્ય શિખરબંધી દહેરાસરનું તથા ઉપાશ્રયનું નવ નિર્માણ કરવામાં આવ્યું. પૂજય પંન્યાસ પ્રવર શ્રી ભાનુવિજયજી ગણિવરની પરમ પાવની નિશ્રામાં
Page #5
--------------------------------------------------------------------------
________________
તેને પ્રતિષ્ઠા મહોત્સવ ભારે ઉલ્લાસપૂર્વક ધામધુમથી ઉજવવામાં આપે તે પછી પJષણ પ્રસંગે પૂજ્ય પં.શ્રી ભાનવિજયજી ગણિવરના વિનેય પ્રશિષ્ય તપસ્વી મુનિ મહારાજશ્રી જયસેમવિજયજીએ ૩૮ ઉપવાસની મહાન તપશ્ચર્યા અપ્રમત્તપણે પરિ
- પૂ. મુનિરાજ શ્રી જયસેમવિજયજી મ. એ પૂ. પંન્યાસજી મહારાજના શિષ્યરન પૂ. મુનિરાજશ્રી ધર્મઘોષવિજયજી મ. ના વિદ્વાન શિષ્યરત્ન પૂ. મુનિશ્રી જયશેષવિજયજી મહારાજના શિષ્યરત્ન છે. એમને ચારિત્ર લઈને નિત્ય એકાસણને તે સામાન્ય તપ બાકી વર્ધમાન આયંબિલ તપની ૬૫ ઉપર એળીઓ થઈ, એમાં જયપુરથી કલકત્તા લગભગ ૧૦૦૦ માઈલના વિહારમાં ૫૭-૫૮– ૫૯ મી એળીઓ એક સાથે કરી છે. પણ નિર્દોષ સાધુચય માધુકરી ભિક્ષાથી, એટલે બિહાર બંગાળના પ્રદેશમાં તે કેટલીયવાર ભિક્ષામાં પ્રાપ્ત માત્ર સકત (સાથવા) પર આયંબિલ થતાં જીવનમાં ત્રણ લોર ૧૬-૧૬ ઉપવાસ અને લગભગ ૧૨ અઈઓ કરેલી. એક અતિ મહાન સાધના એમણે, સ્વ પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પાછલા વર્ષોમાં ચોવીસે કલાક ખડેપગે એઓશ્રીની પાસે ને પાસે રહ્યા, એઓશ્રીની અખંડ સેવા ઊઠાવવાની કરેલી. શ્રીમદુના સ્વર્ગવાસ બાદ ખંભાતમાં એમણે સળંગ ૪૦ ઉપવાસની કઠોર તપસ્યા અપ્રમત્તપણે જ્ઞાન ધ્યાન સાધતાં કરેલી. એમ કલકત્તામાં પણ આ દિવસ બેઠા બેઠા સ્વાધ્યાય-જાપ આદિ સાથે સળંગ ૩૮ ઉપવાસ કર્યો. આવા ભીષ્મ તપ સાથે ભારે અપ્રમાદ જોઈ લેક ચકિત થઈ ગયા. બહેને રોજ સવાહિયાં ગાતાં. તપ પૂર્ણ થતાં, ભવાનીપુરમાં વર્ષોથી
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્વેતા મૈવીરચંદ પાનાચંદ ॰ વાળા શ્રી વ્રજલાલ લક્ષ્મીચંદ શાહના ભાભી શ્રી શાંતાબેન રાયચંદ શાહે ઘણાજ હૃદયાલ્લાસ પૂર્ણાંક રૂા. ૩૦૫૧ થી તપસ્વીના તપનુ' સ્મારક કરવાના સ્વીકાર કરવા પુર્વક પેાતાના આંગણે શ્રી ચતુર્વિધ સ`ઘના પૂજનના લહાવા લેવા શ્રી સંઘને આદેશ લીધેા. શ્રી વ્રજલાલભાઇના માતુશ્રી હેમકુવરબેન તથા ભાભીશ્રી શાંતાબેન અનેએ સિધ્ધાચળની નવાણું યાત્રા તથા ચાતુર્માસ, ઊપધાન, વરસીતપ તથા વીસ સ્થાનકની આળી વિગેરે નાની માટી તપશ્ચર્યાએ સાથે સ્વગૃહે પશુ ધાર્મિક ભાવના જાગૃત રાખી ઘરના સઘળા સભ્યાને ધમ માગમાં જોડવાની અને સ્થિર રાખવાની પ્રવૃત્તિ એકધારી રાખી છે. ભવાનીપુર દહેરાસરની પ્રતિષ્ઠામાં પણ સારી રકમ વાપરી લાભ લીધા હતા. શ્રી શાંતાબેને સ્વગૃહે શિષ્ય-પ્રશિષ્ચાથી પરિવતિ પૂ. પન્યાસજી મહારાજના સકળસંઘ સાથે વાજતે ગાજતે પાવન પગલાં કરાવી ગુરુપુજન-સધપુજન વગેરેના અનુપમ લાભ ઉઠાવી તપના અનુમેદનરૂપે ભભ્ય ઉત્સવ ઉજન્મ્યા હતા. આવા તપનાં એક સભારા નિમિત્તે એમના સહારાથી ભવાનીપુર મૂર્તિપૂજક જૈન શ્વેતાંબર સધના મંદિર-ઉપાશ્રયના માનદ ટ્રસ્ટીઓ આ સવેગ વૈરાગ્યરસ—ઝરતાં પુસ્તકને આજે પ્રસિદ્ધ થવામાં પ્રેરક બની રહ્યા છે. એથી સભ્યગૂ-જ્ઞાનના પ્રચાર સુલભ અને છે. વાંચક વૃંતુ આ લઘુ પુસ્તક વાંચે, વિચારે, અને મનન કરી જીવનમાં તેવા ભાવ ઉતારવાનું વિચારશે એવી આશા રાખવામાં આવે છે; જેથી ગ્રંથ લેખન અને ગ્રંથ પ્રકાશનની મહેનત ચેાડા અંશે પણ સફળ થયેલી ગણાય.
શ્રી ભવાનીપુર. મૂતિ પુજક જન વે॰ સઘમાં હાલ દેશ ટ્રસ્ટીઓ વહીવટ સભાળે છે. તદુપરાંત તેમણે સંધમાંથી નિયુક્ત
Page #7
--------------------------------------------------------------------------
________________
કરેલ વ્યવસ્થાપક સમિતિ-આઠ સભ્ય પણ ઘણે ભેગ આપી વહીવટી બાબતેને મહદ્ અંશે ભાર ઉપાડે છે. ભવાનીપુર મધ્યે સકલ સંઘના અદ્વિતીય સાથ તથા સહકારથી (૧) નૂતન ભવ્ય શિખરબધી મનમેહન-પાર્શ્વનાથ જિનાલય(૨) ધર્મશીલ શ્રીમતી સૌભાગ્યબેન સામાયિક શાળા (૩) શેઠશ્રી નરભેરામ પાનાચંદ મહેતા–ઉપાશ્રય હેલ (૪) શ્રી મણલાલ વનમાળી શેઠ બી. એ. જૈન ધર્મશાળા (૫) શ્રીમતી રતનબાઈ ચૌધરી જૈન પાઠશાળા (૬) ધર્મશીલ રાણી ધન્નાકુમારી દુગ્ગડ આયંબિલશાળા વિગેરેનું નું આયેાજન થતાં દરેક ખાતાની સુંદર વ્યવસ્થા ચાલી રહી છે,
પૂજય મુનિરાજેના ચાતુમાંસ જી તેમના વંદન-પ્રવચનને લાભ, પ્રયુષણ પર્વની અનુપમ ઉજવણી, અર્ધ મહોત્સ, મોટી યા, સિદ્ધચક્રપૂજન, એાળી, તપશ્ચર્યા અંગેના ઊત્સ વગેરે અનુષ્ઠાનેનું સુંદર આયોજન વારંવાર કરવામાં આવે છે. મેટા શહેરમાં ઘડીભર પણ ફુરસદ ન મેળવનાર વર્ગ પણ સમજણપૂર્વક જર્મઅનુષ્ઠાનેને લાભ લે છે. આબાલવૃદ્ધ સૌ કોઈપણું ધાર્મિક ભાવનાની જાગૃતિ રાખે છે. દહેરાસરના વહીવટ સાથે એક સુંદર પુસ્તકાલય રાખવામાં આવેલ છે.
પૂલ્ય પંન્યાસશ્રી ભાનુવિજયજી ગણિવરના પ્રવચનરૂપે ‘દિવ્યદર્શન' સાપ્તાહિકમાં આ બૈરાગ્યપ્રેક ચરિત્ર પ્રગટ થયેલ.તે. હવે એઓશ્રીના શિષ્ય મુનિરાજશ્રી પદ્યસેનવિજયજી મહારાજની મહેનતથી અને દિવ્યદર્શન–કાર્યાલયના પ્રયત્નથી આ
તકરૂપે પ્રગટ થાય છે. શ્રીસંઘ એ સૌને આણી છે. ૧૧ A દેશામક |
ભવાનીપુર લિ. શ્રી ભવાનીપુર મતિપૂજક જન સંધ કલકત્તા૮-૧ર૭૧ |
Page #8
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
અનુક્રમણિકા પ્રકરણ
વિષય [૧] કમી કોણ ?.........................
અપુનબંધક અવસ્થા એટલે ? (૨)
પરણવું એટલે પ્રભુતામાં પગલાં? (૭) - ઈર્ષ્યા ભયાનક રુમીને કેમ મરવું છે?
ધર્મ સાધનામાં સાવધાની (૯)
શુભભાવમાં કેમ ચડાય (૧૧) દુષ્કર શું ? દુષ્કર દુષ્કર શું ? (સિંહગુફાવાસી મુનિ) (૧)
શીલવત જગમાં દીવે,મેરે પ્યારે. (૧૬) સ્વાદુવાદ લગાવનારને દુઃખ નહિ, (૨) દુઃખનું કારણ તપાસવાને માગ (૨૦) ધર્મવિશ્વાસને ભંગ ભયંકર (૨૮) ડાહ્યા માણસનું કર્તવ્ય (૩૦) ઈષ્ય મહાવિટંબણા (૩૨)
કિંમતી મનને ન બગાડે (૩૬) [રા પિતાને ભવ્ય ઉપદેશ..................
શાતાના પુણ્યથી તૃપ્તિ અને પાપનિવારણ (૪) સામાયિક-પષધના લાભ (૪૪)
પષધમાં સંપૂર્ણ બ્રહ્મચર્ય (૪૬) [] ચિત્ત–સ્થિરતા સ્વભાવનું આલંબન ...
વિકલ્પ બેટી આદત પમાનસિક સ્થિરતાના આ ઉપાય (૫૩).
Page #9
--------------------------------------------------------------------------
________________
ચિત્ત સ્થિરતાથે સ્વભાવાલંબન (૫૫) આપત્તિમાં અધિકધર્મ-જેનશાસનમાંદાખલા(૫૭) કુહાડી અને માખણનાં દૃષ્ટાંત (૬૪)
જીવનમાં કરવાની ખાસ વસ્તુ (૬૭). [૫] કુવિકપ રોકવા શું કરવું ?..
(૬૮) - જીવનું બગાડનાર મલિન ભાવ અને મલિન વિકલ્પ (૭૦)
ચિત્તની સ્થિરતા માટે–શેઠને પ્રસંગ (૭૦)
ટી-જિજ્ઞાસા રેકવાને ઉયાય (૭૮). [6] વિકારે રેવા તપ અને દયા.
- બાહા તપના લાભ (૮૨)
મહાત્માને કેમ વિકાર નહિ? (૮૩) વૈરાગ્યના મૂળમાં શું ? (૮૭). ઉન્નતિનું પ્રથમ પગથિયું-જીવો પ્રત્યે દયા (૮૮)
દયા આત્મદર્શનની આંખ (૯૪) [9] ફમીને હદય પલટો - "
ધર્મરંગના ઉપાય-પ્રભાવ-દાખલા. (૭) આત્માપર ધર્મરંગ ચડાવવા માટે વિચારણા(૧૦૩) આધ્યાત્મિક સાધનાનું બળ (૧૦૬). વ્રતધારીના પ્રભાવના દાખલા (૧૧૦)
બૈરાગ્ય કેમ કનિ? (૧૧૫) [૮] કમી રાજા: તત્વરસ-ધર્મરુચિ ( ૧૧૮
રુમી રાજા બને છે (૧૧૦). મહાનગુણ તવ જિજ્ઞાસા (૧૨૧)
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જડથી છૂટવા સુંદર વિચારણા (૧૨૪) . ધર્મરુચિ માટે વિચારણા (૧૨૫)
માનવહૃદય–ઉચ્ચ ભાજન (૧૨૯) ]િ ફમીની રાજસભામાં રાજકુમારશાલિભદ્રના દાનની સમીક્ષા૧૩૩
શાલિભદ્રને દાનગુણ–તેનું ફળ (૧૩) [૧૦] ફમી ભૂલે છે, નિમિત્તની અસર
પુદ્ગલ ભાવને વિચાર (૧૪ર). બ્રહ્મચારીએ રાખવાની સાવધાની (૧૪૫ વિકારથી બચવા માટે (૧૪૭
! થવા માટે (૧૪૭ [૧૧] રાજકુમારને અસર :
દષ્ટિદેષના ભયંકર નુકસાન-પરિણામ (૧૪૮)
રાજકુમારની ભાવિતતત્વતા (૧૫૩ [૧૨] રાજકુમારની ભવ્ય વિચારણા...,
૧૫૫ મહાપુરુષોના વારસાની કદર (૧૫૬) અહં મારે છે (૧૬૦) રાજકુમારને ભાવી કાર્યક્રમ (૧૨) જીવન શા માટે (૧૬૪) ઈન્દ્રિયની બાલિશ ગુલામી (૧૭૧) શત્રિ જોજન કેમ ભયંકર ? (૧૭૩) જીવો પર ભાવ દયા (૧૭૬) સારા રહેવા નરસાં નિમિત્ત છેડો (૧૭૭) નિમિત્તથી કમ જાગે (
૧૯) [૧૩] રાજકુમાર સંન્યાસી વેશે અહિતની અચિંત્ય શક્તિ૧૮
Page #11
--------------------------------------------------------------------------
________________
- ' અમેરિકાની પ્રાર્થના પ્રભાવ (૧૮૫)
વિચિત્ર પ્રાર્થના (૧૮૭) [૧૪] બીજાનું જ જોવામાં જાતનું ક્યારે જોવાનું? ૧૯૩
પર સામે જેએ શું વળે? (૧૯૪)
- કથા પ્રસંગ જાતમાં ધરાવવાના ઉપાય (૧૬) [૧૫] ગુરુની દુર્લભતા ધર્મમાં કક્ષાએ
૧૯૯ પ્રભુ પાસે બેધ્યાને શિર પર ભાર? (૨૦૦).
અભિમાન કેમ તુટે? ૨૦૨ . [૧૬] રાજકુમાર રાજાના આશ્રયે ધર્મરસ . ૨૦૭
ધર્મરસ વિના દુર્ગતિ (૧૦) આલેક-પરલેકમાં તફાવત (૨૧૨)
ધર્મરસ તોડી નાખતાં થતી દુર્દશા (ર૧૪) [૧૭] રાજ સભામાં આધ્યાત્મિક ઉપાય પર શ્રદ્ધા. ૨૧૯
આધ્યાત્મિક ઉપાય પર શ્રદ્ધા છે? ૨૨૦
ધર્મ પુરુષાર્થ મુખ્ય કેમ ? (રરર) [૧૮] ચક્ષુકુશીલ: છતા પુણ્યની બેપરવાઈ, અછતાનાં રોદણાં ર૨૩
નામાભિધાનની શક્તિને અખતરે (૨૨૫)
સદુભાવમુખી દૃષ્ટિના લાભ (૨૨૭) - સંસાર વિચિત્ર ને વિટંબણામય (૨૨૯)
પ્રભાતે ઉઠી શું વિચારવું ? (૨૩૧) [૧૯] રુકમીના નામે ઉકાપાત મૃત્યુની નિર્ભયતા.......... ૨૩૩ મકરણને ભય જીતવા ભાવના
૨૩૫ રિ૦ જાતનાના (૨૮) .
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૧
કાચાપર રત્નવણિકની ઝુંપડીનું દૃષ્ટાંત (૨૩૯) તે બ્યમાર્ગ (૨૪૧) કૃતજ્ઞતા–ર્હિંતનુ આપણા માથે ઋણ(૨૪૯) શ્રવણ-વાંચનમાં ફેર (૨૪૯)
[૨૧] ભાવનાને પ્રભાવ.
૨૫૧
પાંચવરસના પ્રમુખપદમાં શું કરવાનું? (૨૫૪)
[૨૨] ધમ દ્રવ્યમાંથી નફા ? વચન ચેાગના પ્રભાવ ૨૫૬ જેને આપવાનુ અનુ લેવાનુ ? (૨૫૭) પાપમાં પિઠ્ઠાઈ ભયંકર (૨૫૮) વચન યેાગમાં એ ખાસિયત (૨૬૧) જન્મ એ મહાન ચુના. (૨૬૪)
[૨૩] રાજકુમાર વિમાસણમાં: મૈત્રી ને યા.
દયાભાવ કેમ દુર્લભ બન્યા છે?(૨૬૮) કારી રિયાદ નકામી (૨૭૨)
ક્ષમાપના (૨૭૩)
બૌદ્ધમાં મૈત્રીભાવ સાથે ભરપુર હિંસા કેમ?(૨૭૯)
........૨૮૧
[૨૪] અનશનનું મહત્વ............
૨૬૭
ખાવાની લત કેમ ભયંકર ?
[૨૫] રાજકુમારની શીલ પરીક્ષા : કુશીલ કેટલા ? ......૨૮૫ કાયાથી કુશીલ નહિ એટલે ? (૨૮૬) લક્ષ્મણજીના વ્યવહાર (૨૮૮) કુશીલતા ચેપી રોગ જેવી (૨૯૫)
[૨૬] માનવની વિશિષ્ટ મુધ્ધિની વિશિષ્ટતા શી? ૨૮૯
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૧
વચનની કશીલતા દેવા માટે વિચારણા (૨૯)
આત્માને બચાવ શાથી? (૩૦૧) - [૨૭] અગમલાલનું દ્રષ્ટાંત : ધર્મમફતિયે
૨
૩ ૦૨ ભગવાનના કેવા સેવક ? (૩૦) સારા વ્યાખ્યાનની શી કદર કરે ? (૩૦૭)
નરકના કારમા દુખ (૩૧૨) ૨િ૮] રાજકુમારને અવધિજ્ઞાન.........................
૩૧૫ ખરી ગરીબી કઈ (૩૧૫) સહજ સૂઝ ના દાખલા
(૩૨૬) જીવન કર્તવ્ય (૩૨૭)
Page #14
--------------------------------------------------------------------------
________________
રુક્મી રાજાનું પતન અને ઉત્થાન
48291-2 : muruyfm: fans-yfada 1 ağul Buy? અચિત્ય અન’ત-પ્રભાવસંપન્ન ત્રિલેાકનાથ શ્રી તી કર ભગવાન ભવભ્રમણુથી થાકેલાં ભવ્યાત્માઓને અપાર સસાર પારાવારની જન્મ-મરણ-રાગ-શાક ત્રાસ-પીડા પરાભવ વગેરે ભરપુર વિડંબણાના કાયમી અંત આવે એવી સ્થિતિ ઊભી કરવા અનેકાનેક સાધનાઓના સાર રૂપે આ વાત ફરમાવે છે કે
कषायमुक्तिः किल मुक्तिरेव ।
–ષાયાથી મુક્તિ એજ ખરેખર મુક્તિ છે.
સસારથી છૂટવું છે ને ? કે હજી પણ સઔંસારમાં વિવિધ ભવાની ઘુમરડીમાં જનમ--મરણુ, જનમ-મરણ કરતા રહેવાય તા વાંધા નથી ?
વાંધા માટો છે. શેા વાંધા
Page #15
--------------------------------------------------------------------------
________________
[ રુકમી એ જ, કે નથી કે આપણે બેલ-ગદ્ધા, મરઘા-માછલા કે એવું કંઈક થયા, તે ત્યાં એવા જીવ કેવા ભયંકર ત્રાસ વેઠે છે એ નજરે દેખાય છે, એ આપણાથી શે વેિઠયા જાય? પાછી એમાં ય આત્માની દશા કેવી? પાપવિચારેભરી ! એટલે અનહદ દુઃખ વેઠવા છતાં ય પરિણામ આત્મરક્ષાનું નહિ, આત્માનું ઉત્થાન કરવાનું કે ભાવી ભ્રમણ અટકાવવાનું નહિ, પણ પાપ દશાથી ભમ્યા કરવાનું થાય, આ મેટો વધે છે જનમ-મરણ ચાલુ રહેવામાં.
બસ ત્યારે, જે સંસારથી છૂટવું છે, તે એટલું જરૂર સમજી રાખે કે સંસારને અંત કર્મના અંતથી જ થવાને, અને કર્મને અંત કષાયના અંત ઉપર જ જશે. આત્માને કેવળજ્ઞાન અને મોક્ષ સુધી પહોંચાડનાર સિદ્ધ ગુણસ્થાનકની ઉત્તરોત્તર વ્યવસ્થિત ચડતી પાયરીઓ
પણ આ બતાવી રહી છે કે કમાણી જેમ જેમ સુત થતા અવાય તેમ તેમ ઉપર ઉપરના ગુણસ્થાનકે ચડાય અને કર્મનું જોર ઓછું થતું આવે
કષાય હ્રાસને ક્રમ –
પહેલે મિથ્યાત્વનામના ગુણસ્થાનકે પણ અનંતાનુબંધી કષાયને અથાત્ નિભક રીતે સેવાતા ક્રોધ-માન-માયા લભ-રાગ-દ્વેષને મેળા પાડે તે જ ત્યાં અપુનબંધક અવસ્થા પર ચડાય.
પ્ર–અપુનધિક અવસ્થા એટલે?
ઉ૦-એ એક એવી અવસ્થા છે. કે શાસ્ત્ર એનાં ત્રણ લક્ષણ કહે છે,
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧]
'पावं न तिव्वभावा कुम न बहुमन्मह भने घेारं ।
उचिठि च सेवइ
एस अपुणबंधगा जीवा ॥ ' ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજ આને ગુજરાતી ભાષામાં આ રીતે મૂકે છે,—
પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેને નિવ ભવરાગ રે, ઉચિત સ્થિતિ જેહ સેવે સદા તેડુ અનુમાનવા લાગ ૨, ચેતન જ્ઞાન અજવાળીએ ” ભવસ્થિતિ પકવવા માટેના વારવાર સેવવા ચેાગ્ય ત્રણ
મહા સાધન
૧. અરિહંતાદિ ચારનાં શરણના સ્વીકાર,
૨. દુષ્કૃતની ગાઁ-નિદ્વા
૩. સુકૃતાની અનુમઢના
[૩
ા ત્રણ પૈકી છેલ્લા સાધનમાં અરિહંતનાં સુકૃત, સિદ્ધનાં સુકૃત, આચાયનાં સુકૃત...એમ ઊતરતાં ઊતરતાં સમ્યગ્દષ્ટિ પછી અપુન ધકનાં સુકૃતની અનુમાનાં કરવા માટે ઉપાધ્યાયજી મહારાજે આ ગાથા મૂકી છે. માટે કહ્યુ કે અપુનમ ધકના આ ત્રણ ગુણની અનુમાદના કરવા લાગી જા. એથી શો લાભ ? આ
**
ઉત્તમના ગુણ ગાવતાં ગુણ ગાવે નિજ ગ
Page #17
--------------------------------------------------------------------------
________________
૪]
[રુમી
—ગુણની સાચી અનુમાદનાં કરતાં કરતાં આત્મખેતરમાં ગુણના બીજનુ વાવેતર થાય છે. પછી એના પર ગુણા મેળવવાની ઉત્કટ અભિલાષા, એ અંગે સમ્યક્ શ્રવણ, ગુણુપ્રાપક પ્રવૃત્તિએામાં પુરુષા, વગેરે થાય, એ અંકુર-નાળ–કાંડ–પત્ર-પુષ્પ વગેરે અવસ્થાઓમાં આગળ વધતાં, ફળરૂપે ગુણની પ્રાપ્તિ થાય છે. તે એના પાયામાં શુદ્ધ અનુમાદના આવી. અનુમેાદનાના આ મહાલાલ કે જેની સાચી અનુમેદના તેનુ નકૂકર ખીજ વવાય.
આમ અપુનખ ધક મહાત્માના ગુણાની પણુ અનુમાદના એ ગુણા પામવાના ઉદ્યમના પહેલા તમો છે. એટલી અનુમાદના પશુ, અનંતાનુબંધી કષાય કઈક મંદ પડે, તે જ આવે. એટલે આપણું દિલ કહેતુ હાય કે આપણને એવી શુદ્ધ અનુમાદના સ્ફુરે છે, તેા એ પરથી વિશ્વાસ રાખી શકીએ કે આપણા અનંતાનુબ"ધી ક્યાય મેાળા પડયા છે, અને તેથી ગુણસ્થાનકમાં વિકાસ થયે છે. આંક તરીકે ભલે પહેલું જ ગુણસ્થાનક ગણાય, કિંતુ એમાં કષાય અને મિથ્યાત્વની ચડતી ઊતરતી માત્રાના હિંસાએ અનેક પેટાભેઢું પડે. એની કેવી કેવી માત્રા છે એવુ માપ માહ્ય લક્ષણની તીવ્રતા--મંદતા પરથી નીકળે.
:
અપુનમ ધક અવસ્થાના ગુણ્ણાની અનુમાન્નનાથી આગળ વધતાં ખાસ આ ગુણ્ણા પ્રાપ્ત થાય, અર્થાત્ (૧) પાપ તીવ્ર ભાવે ન કરાતું હાય, યાને સાંસારિક પાપકા માં હૃદય અત્યન્ત આસક્ત અને રાચતું--માચતું ન હેાય, (૨)
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧] ઘર સંસાર પર બહુમાન ન હોય, તથા (૩) સર્વત્ર ઉચિત મર્યાદાનું પાલન જળવાતું હોય. આ આત્મદશા શી રીતે આવે ? મૂળ, અનંતાનુબંધી કષાય બહુ મંદ પડે ત્યારે જ તે. જેમ જેમ કષાય છે તેમ તેમ ગુણસ્થાનક વધે.
હવે અનંતાનુબંધી કષાયના અનુભવને તદ્દન અટકાવી દેવામાં આવે એટલે સાથે મિથ્યાત્વ–મેહનીય કર્મ પણું દબાય, અને બંનેના વિપાકેદય સ્થગિત થતાં ચતુર્થ ગુણસ્થાનક અવિરત સમ્યદષિનું પ્રાપ્ત થાય, એટલે કે સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય. - -
આગળ અપ્રત્યાખ્યાનીય વગેરે કષાય દબાવતાં દેશવિરતિ આદિ ગુણસ્થાનક પ્રાપ્ત થતાં આવે છે. દશમે ગુણસ્થાનકે અંતે સર્વથા કષાય નાશ કરી દેતાં ક્ષીણુમેહ વીતરાગ અવસ્થા પ્રાપ્ત થાય છે. બસ પત્યું, આટલું થતાં તે બારમે ગુણસ્થાનકે અંતર્મુહૂર્તમાં અંતે સમસ્ત જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયકર્મને નાશ થતાં તેરમાં ગુણસ્થાનકના પ્રથમ સમયે કેવળજ્ઞાન-કેવળદર્શને પ્રગટ થાય છે. તે એ વિના તે મોક્ષ છે જ ક્યાં?
એટલે વાત આ જ આવીને ઊભી રહે છે કે સંસારથી મુક્તિ જોઈતી હોય તે કષાયને ઓછા કરતા આવે, કષાયથી મુક્ત બનતા ચાલે. બેલે, “કષાયમુક્તિ કિલ મુક્તિરેવ.” કષાયથી છૂટકારો એજ મેક્ષ. મેક્ષ માર્ગની વિવિધ સાધના કરે; પણ આ લક્ષ રાખવું જોઈશે કે એથી આપણુ કષાય ઓછા થતા આવે છે ને? તે જ ઉપરના ગુણુસ્થાનકે ચઢાય, ;
Page #19
--------------------------------------------------------------------------
________________
[ મ
કાય મદ રહેવાનું માત્ર શી રીતે કાઢવું માર કાઢવા માટે એક રસ્તો આ છે કે આપણા સલ્ફ વિકલ્પ અને વિચારણા કેવા અને કેટલા એમાં ચાલે છે એ તપાસવું. આનું કારણ એ છે કે આપણા આંતરિક ક્રોધ-લાલ-અહુ ત્યાદિ કષાયાના બળ પર મગજમાં 'વિકા તે રીતે સળવળતા રહે છે. આપણા આંતર પ્રદેશે આ સત્ર-વિદ્વપ વિચારાતુ. એક માટુ આંતર જગત છે. એની ધાંધલ ભારે ખરી છે, એના પર વિસ્તારથી વિચારવું છે અને તે શાસ્ત્રમાં આવતી રમી રાજાની કથા ઉપર વિચારણા કરીશું.
E]
રુમી કાણુ ?
પ્રસ`ગ એ છે કે એક ગાવિંદ નામના બ્રાહ્મણુ અન પત્ની બ્રાહ્મણીના અશુચિ ત્યા વૈરાગ્ય—પ્રસંગમાં એના સચાટ ઉપદેશથી બૈરાગ્ય પામી, બંને જણા ચારિત્ર લઈને તેજ ભવમાં માક્ષ પામે છે. એવી સુલભખાષિતા એ બ્રાહ્મણીને શી રીતે પ્રાપ્ત થઈ? અને સુલભખેાધિતા સાથે સ્ત્રીપણુ" કેમ મળ્યું ? એના પ્રશ્ન ગણધર ગૌતમસ્વામીજી મહાશજ દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુજીને પૂછે
ભગવાન એના ઉત્તર કરતાં એ બ્રાહ્મણીને દૂર પૂર્વ ના લવ વિસ્તારથી આવે છે.
એ ભવમાં હકીકત આ છે કે એ બ્રાહ્મણી બહુ પૂર્વભવે એક રાજાની પુત્રી છે. એનુ નામ રુક્મી, રુસીને ઉમરલાયક થતાં એક રાજપુત્ર સાથે પરણાવવામાં આવે છે.
'
Page #20
--------------------------------------------------------------------------
________________
પરંતુ કર્મગ વિચિત્ર, તે વાત પણ નહિ થાય સમય એ પતિ રાજપુત થi કમી વિધવા બને છે.
પરણવું એટલે પ્રભુતામાં પગલાંt:
બસ, આટલા પ્રસંગમાં કાંઈ બહુ નવાઈ જેવું નથી. જગતમાં બનતું આવ્યું છે કે ઉંમર થાય એટલે લગ્નબંધને બંધાય. આજના યુગવાદી તે એને પ્રભુતામાં પગલાં માંડવાનું કહે છે ને ? પ્રભુતા એટલે પ્રભુત્વ, સ્વામિત્વ. કાના શાના પર પ્રભુતા? પત્ની પર તે પછી પત્નીએ પણ લગ્ન તે કર્યું એલૈ પ્રભુતામાં પગલા માંડયા તે એને શુ પતિ પર પ્રભુત્વ? વાતમાં કોઈ માલ નથી. પ્રભુતા તે હજી પોતાની ઈન્દ્રિય પર મેળવી હેય, પિતાના તીખા સ્વભાવ ઉપર, પિતાના મનની વૃત્તિઓ અને સ્વાત્માના વલણ પર પ્રાપ્ત કરી હોય, તે એ કલ્યાણ પ્રભુતા ગણાય. ખેર. - કમીને લગ્ન પછી તરત જ હૌધ આવે છે એ પણ જગતમાં કેટલીય વાર બનતી ઘટનાઓમાંની એક ઘટના, છે, એટલે એમાંય નવાઈ જેવું નથી. જીવ જેવા કાર્યનાં પાટલાં ઉપાડીને આ સંસાર નગરમાં પ્રવાસ કર્યા કરે છે, એ પ્રમાણે વસ્તુ બન્યા કરે છે, પછી ચાહ્ય પોતાની ધારણા હોય કે ન હોય. ચમરબંધી સમ્રાટ કે આજના વૈજ્ઞાનિક પણ કર્મના અકાઢ્ય હલ્લા સામે હાથ ખંખેરી નાખે છે. ત્યારે એવી અણધારી રાત ટના પર પેક મૂકવાની ચીજ નવી નથી. પણ હવે અહીં નવી જ વાત બની આવે છે એ વિચારણીય છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
4]
[ રુમી
વિધવા રુક્મીની માગણી.
વાત એ બને છે કે વિધવા બનેલી રાજપુત્રી રુમી શાકના ભારે સ્વરે પેાતાના પિતાને કહે છે,
‘ બાપુ ! મને તમને બહુ કહેતાં નથી આવડતું. તમે જલ્દી માણસા મેાલીને કાષ્ઠની માટી ચિતા તૈયાર કરાવી ધગધગાવવા કહેા, એમાં હું મારી જાતે પડી આપઘાત કરીશ.’
મળીને
·
ખાપ રાજા તા આ સાંભળીને કંપી ઊઠે છે! કહે છે, ‘બચ્ચી ! આ તું શું લે છે! હું જાણુ છું કે તું કેવા મહા દુઃખમાં મૂકાઈ ગઈ છે. પણ એ દુઃખથી છૂટવાના આ રસ્તા નથી. માટે શાકવશ એવા વિચાર કરવા રહેવા કે, હું તને બીજો માર્ગ બતાવું.'
ત્યાં રુમી કહે છે, ‘પિતાજી! હું એટલા માટે આપઘાત નથી કરતી કે મારૂં' સંસારસુખ હણાઈ ગયુ, હવે જીવીને શું કામ છે? ના, એની હવે હું પરવા નથી કરતી. મારા આપઘાતનુ કારણ જુદુ છે, અનેલી ઘટના પર શેક એ આપઘાતનું કારણ નથી.
Page #22
--------------------------------------------------------------------------
________________
૨. ઇર્ષ્યા ભયાનક અને કેમ મરવું છે?
ફમી તત્વની સારી કેળવણી પામેલી છે, એટલે પતિના એકાએક મૃત્યુ પર મન તો એણે જાતે જ વાળી લીધું છે. આગળ પર પણ આત્માને હવે કેમ ઊંચે લાવ એ ઇચ્છનારી છે. માત્ર આત્મન્નિતિની આડે વિદ્ધ ન આવે, કામક્રેધાદિ કષાયો જેર ન મારી જાય, એની ભારે ચિંતા એને ઊભી થઈ છે. એને એમ લાગે છે કે “ ખીલતી સુવાની અને રાજશાહી સગવડો વચ્ચે રહેતાં કષાય-વાસના કેમ જેર ન મારી જાય? અને તેમ કદાચ થાય તે કેવું કુળકલક! કેવું આત્માનું અધઃપતન!”
ધર્મ-સાધનામાં સાવધાની - - ધર્મસાધના જરૂર કરવાની, પણ સાથે કષાય ચાર -એકને પણ મહાલવા દેવાને નહિ. ક્રોધાદિ ચારમાંથી એક પણ જે મજબૂત પાયે જાગે, તે ગુણસ્થાનકે આગળ નહિ વધાય. ધમ પિોલિસ છે, કષાય ચાર છે. ચારના • પર અંકુશ મૂકે એવી ધર્મ–પોલિસ જોઈએ.
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૦]
[કમી - ધમની પોલિસ સાથે રાખી હોય, પરંતુ જે કષાય
ચાર એક પણ જોરદાર સાથે સાથે રાખે, તો એ પેલી પિલિસને મહાત કરી નાખે છે !
પ્ર-તે શું ધર્મનું કાંઈ ન ચાલે?
ઉ–ચાલી તે બધું ય શકે, પરંતુ આપણે એના પક્ષમાં ઊભા રહીએ તે ને? ધરમના જ પક્ષકાર બની કષાયના. કચ્ચરઘાણ કાઢવાની તાલાવેલીવાળા હેઈએ, તે તે ધરમની છેલલા થઈ જાય ! પછી તે ત્યાં બધા તે નહિ પણ અમુક કષાય વધુ નડી જતા હોય છતાં એના ટાંચા ઢીલા રહે. અર્થાત એની પાછળ ભારે પસ્તા વગેરે રહ્યા કરતા હેય, આંધળા કષાયાવેશ નહિ.
- હવે જાતમાં તપાસ અહેવ નડે છે. અક્ષયા-ષ્યિ વડે છે, પણ એને ભારે પસ્તા જાય છે ને? કે “ના, એવું કાંઇ નહિ. માટે ધર્મ કરીએ એટલે અહંવ તે રહે. તપાસે,
- આહંત વેરાહાર રહે છે? નિભક સેવાય છે? નસ-નસમાં વ્યાપી ગયું છે? રોમેરેામમાંથી જેમ ભેગીઓને શ્કારને, તેમ હુંકા
હસકેરાં ફૂલી જાય છે?
છાતી અ8, વાણ, અકી, માથું પકડ, વાતવાતમાં જાતનું ઊંધું દેખાડવાનું આવું બધું અહેવાનું નાટક ચાલે છે?
Page #24
--------------------------------------------------------------------------
________________
ચરમમાં મે પસા આચી આવે, એ કામ કરી આજે, શેડા ગત-નિયમ કરી લે, તપશ્ચર્યા કરતા રહે...પણ અહa જે પાકું સાચવવાની તકેદારી હોય, તે ખબર છે ખરી કે એ આત્મામાં પ@િામ કેવા નીચેના ગુણસ્થાનકના રખાવશે? એમ ઈષ્ય-અસહિષ્ણુતામાં કેવી સ્થિતિ ?
શુભ ભાયા કેસ મહાર?
પીઠ –મહામે એક વાર જ ઈમાયા આવી ગઈ તે આવી ગઈ; પણ જિદગીભર એ રાખ્યા કરી કરી એમ નહિ. તો જ અનુત્તર વિમાનમાં જઈ શકે એવી ઊંચી શુભ લેશ્યા અને ઊંચા શુભ અવ્યવસાયમાં ઝીલી શકયા.
માટે જ જે ઉંચે ચડાવનાર શુભ અધ્યવસાયમાં સદા આવવું હોય, તે જીવનભર એકાઇ પણ કષાયને હલાવવા જે નથી, એને ચડસ રાખવા સરખે નહિ.
એકાદ પણ કષાયને રાજ સંકર પાથને ખેંચે ઈષ્યમાં વધતાં અનાયાર? - - આ એક બીજી પણ વસ્તુ ધ્યાનમાં લેવા જેવી છે કે એકાદ પણ કષાયને ચડસ કયારેક અણુચિંત્યા ખતરનાક પાપને ખેંચી લાવનાર બને છે!' .
બોલે, ઈર્ષાના ચડસમાં અનાચારના પાપમાં પડવું પડે ખરૂં? દુસથારની બુદ્ધિ જામે આમ નેતા ઇષ્ય અને દુરાચારને કઈ મેળ નહિ લાગે. પણું જુએ, સિંહગુફાવાસી મુમિન શા હાલ થયા? શથી થયા ? Aણ્યા સાથે દુશચાર એ અને એ માટે એને બાથમકરબ સુધી પહોંચી
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨]
[ સમી ગયા ને? એનું મૂળ છુષ્યને ચડસ. ઈર્ષ્યા અને સાધુનું ગુણસ્થાન, બેની કડી મળે એવી દેખાય છે? ના, છતાં કડી મળી ! કારણ આ જ કે ઈષ્યની પાછળ એવી જાતની પરંપરા ગોઠવાઈ જાય છે. અહીં જરા મૂળથી જુઓ, કડી કેમ ગોઠવાઈ ગઈ?
શ્રુતકેવળી શ્રી સંતિવિજ્ય આચાર્યના ચાર શિષ્ય જુદા જુદા સ્થળે ચોમાસું ગાળવા આજ્ઞા માગીને ગયાએક સિંહની ગુફા પાસે, એક સર્પના બીલ પાસે, એકકૂવાના ભારવટિયા પર, અને શ્રી સ્થૂલભદ્રજી પરિચિત પ્રેમાળ કેશા વેશ્યાને ત્યાં. પહેલા ત્રણ કાઉસ્સગ્નધ્યાને રહેતા. માસું પૂર્ણ કરીને આવ્યા; ગુરુએ એમને દુષ્કરકારક શબ્દથી વધાવ્યા. સ્થૂલભદ્રજી આવ્યા, તે એમનું “દુષ્કર દુષ્કારકારક શબ્દથી અભિનંદન કર્યું. ,
દુષ્કર શું? દુષ્કર દુષ્કર શું? (સિંહગુફાવાસી સુનિ)
વિચારો જરા, દુષ્કર શું? દુષ્કર દુષ્કર શું? સિંહની ગુફા પાસે રહેવું ત્યાંથી રોજ સિંહ આવ જા કરે, માને કે બહારથી આવે ત્યારે ખાઈને આવે ત્યાં તે હજીય ગભરામણ થાય, પણ બહાર નીકળે ત્યારે તે ભૂખે નીકળે ને? મુનિએ ત્યાં રહેવાનું અને તે લાંબા કાઉસ્સગ્ગ ધ્યાને! મેટા સિંહને જોઈ ફડફડાટ ન થાય? કદાચ ૧-૨-૪ દિ સિંહ એમજ ચાલ્યા ગયે તે ય શું ? જાત કોની? કુર ઘાતકી જંગલી પશુની! સિંહની ! ગભરાટ ન રહે? પરંતુ નકકી કરી રાખ્યું છે કે શરીરનું ગમે તે થાઓ, સિંહના
Page #26
--------------------------------------------------------------------------
________________
[૧૩,
પ્રકરણ ૨]. રાક્ષસી જડબા વચ્ચે આ દેહ ભલે જામફળની જેમ ચવાઈ જાઓ, તે પણ પરવા નથી. એમ થશે તે એમાં થનારૂં સમાધિ અને શુભ ધ્યાન સાથેનું મૃત્યુ અનંતા કમસ્કા ના ભુક્કા કરશે ! વાહ વાહ ! કેવી એ ધન્ય ઘડી કે અતિ અલ્પ કાળના સહનમાં અસંખ્ય જનમનાં પાપ કર્મોના ઢેરના હેર ખત્મ થઈ જાય !” ક્યાં મનમાં આ નક્કી કરી રાખ્યું હોય ત્યાં સિંહથી ગભરાટ છે. ચાર મહિના સુધી આમ ખડા છે!
આડાઅવળા ફાંફા માં મારો? અહ-ભક્તિ અને ત૫ સે.
પંચમ કાળની વાત છે આ, હાં? એક રાત નહિ, એક અઠવાડિયું, એક પક્ષ નહિ, એક મહિને નહિ, ચાર મહિના ! આપણને અડધો કલાક કાઉસ્સગ્નમાં ઊભા રહેતાં વિચાર થાય. બસ ! પ્રતિક્રમણમાં જ કાઉસ્સગ્ન કરવા બંધાયેલ નેપછી શી જરૂર? બાકીના ટાઈમે બિનજરૂરી કેમ લાગ્યું? કાઉસ્સગ શી ચીજ એની ખબર કયાં છે? પ્રતિક્રમણ સિવાય પણ કાઉસ્સગ માણસો જ કરતા એમ નહિ; મોટા મોટા રાજા મહારાજાઓ પણ કાઉસ્સગ્ન કરતા! અમસ્તા નહોતા કરતા! મહા લાભ જે હશે ને? રાતમાં જાગી પડયા, તે “કર કાઉસગ્ગ, ઉપદ્રવ આવ્યો તો કર કાઉસ્સગ', રાત્રિ-પૌષધ છે તે રહેવા દે કાઉસ્સગ્ય ધ્યાનમાં. આ ઉદ્યમ હતા. આપત્તિ આવે, કઠિનાઈ આવે, ત્યાં આડાઅવળી ફાંફા મારે છે,
Page #27
--------------------------------------------------------------------------
________________
ઉપયન કુકિત કરે છે, અને પાપ-પાપમાં વચન-કાયાને
ડધામ કરાવો છેપણ એ સૂઝતું નથી કે અંતરાય તૂટ્યા વિના કાંઈ વળશે નહિ, અને અંતરાય તેડવાની તાકાત અહંદુભક્તિ અને તપમાં છે. તેમાંય શ્રેષ્ઠ કાઉસ્સગ.” અંતરાયફર્મ નિવાસણાર્થ ૧૦-૨-૪૦ લેગસ્સના કાઉરસ કસ્તાં આવડે ને ? એમ સમાધિ લાભાર્થે કાઉસ્સગ્ય. કાઉસગ એ શ્રેષ્ઠ કૅટિને તપ: એમાં વાસ એટલે?
કાઉસ્સગ્યમાં ધ્યાન સારૂં સધાય; કેમકે એમાં કાયા વોસિરાવાય, વચન સિરાવાય, અમુક ધ્યાન સિવાય મનને સિરાવાય, પછી એમાં ધ્યાનનું તાન એવું હોય કે હડફેટે જેટલા કર ચલે ના હુકકા ! બાહ્ય કરતાં જયંતર તપ એન્ડ! એમાં કાઉસ્સામાં એક * “પાયછિત્ત વિશે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સઝાય, ધ્યાન, છેલછે. કાઉસ્સગ કાઉસ્સગ એ શ્રેષ્ઠ કેટિને તપ છેકાઉસ્સગ્નના શ્વાસે શ્વાસે બે લાખ પત્યેપમાં ઉપરનું સ્વર્ગનું પુણ્ય બધાય. “અમુક શ્વાસ પ્રમાણ કાઉસ્સગ, એમાં “શ્વાસ એ સાંકેતિક શબ્દ છે.
પયામા લાસા ક્ષેકને ચોથો ભાગ એ એકપાદ, પાદસમાન શ્વાચ્છવાસએ સાવચન છે. નવકારનાં આઠ, પા, હેમરસમાં સગર્સ ઉત્તર અમર પાછું પાદ, ધમ્મુલિત્યારે જિણે બીજી પાદ, “ચંદેરુ નિમ્મલયારા સુધી ૨મ પાર ર. શ્વાસેવાસ.
Page #28
--------------------------------------------------------------------------
________________
ગકરણ ૨] - આ તે પિષધ છે “અપર કામ નહિ, ચાહો સાઈ જઈએ.' આવું જ્ઞાન કેમ? ખબર નથી કાઉન્સગ્રતા ફળની, નહિતર કાઉસ્સગ્ગ ધ્યાને રહેવાય. આ મહાપુરુષ સિંહગુફાવાસી મુનિએ અર મહિનાના કાઉસ્સગ્નમાં શું જોયું હશે ? સ્વાધ્યાય ખરે, પણ એ તે બેઠે બેઠેય થાય; એમાં ધ્યાન ખરું પણ સુસ્તી આવે, કાઉસ્સગ્નમાં સુસ્તી ન આવે, શરીર ટટાર રહે, દષ્ટિ એક સરખી નાસિકા પર અભાવે કૅન્દ્રિત કરાય; નાસિકા જેવા માટે નહિ, પણ ત્યાં દષ્ટિ કરી રહે. કઠિન છે? ના, બે આંખની કીકી પહેલાં નાક પરના મેં પૂણે ફેંકી દઈએ, પછી સહેજ નીચે ઉતારતાં દષ્ટિ નાસિકા પર આવે. મુનિ સિંહની ગુફા પાસે કાઉસગ્યસ્થાનમાં રહેતા. એ ચોમાસું પૂર્ણ કરી ગુરુ પાસે આવ્યા.
મહાજ્ઞાની ગુરુનું વચન વધાવી લોડ્યું જેમિકછે ગુરુશ્રી સંરતિવિજયજી સાચા માસને પ્રશંસા તે ત્રણેયની કરી પણ ચાચા-ભૂલભાઇની આયિક કરી દુષ્કર ફુકરકારક કહ્યું. પેલા ત્રણ માટે પુરા કહ્યું હતું. શું સિંહની ગુફા પાસે કાઉસગ્ન-ધ્યાને ચાર મહિના રહેવું સહેલું છે? એ દુષ્કરકારક, અને વેશ્યાને ત્યાં માથું રહી આવનાર દુબકર દુકરકારક? ભેદ સમજાય છે? અહબત, શરીર ચવાઈ અથ એ ખુશીથી સહન કરવાનું મને બળ અદ્ભુત છે. પરંતુ વર્ષોના સરવાળા ને પ્રીતિવાળી વેશ્યાના માદક ખામાન, ચિત્રામણશાળા અને એના હાવભાવ ચેનચાળા એહક વયન વોની સતામા રહીને
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
[રુક્મી
લેશ પણ મનના 4 વિકાર વિનાનું નિર્મળ અખ’ડ બ્રહ્મચર્ય પાળવાનુ મનેાખળ અતિ અતિ અદ્ભુત અને દુષ્કર દુષ્કર છે.
એ વ્રત જગમાં દીવા, મેરે પ્યારે......... વ્રત જગતમાં દ્વીત્રા એટલે જગતમાં પ્રકાશ કરનાર ! એના વિના અધારૂં.
સાધુ અને શ્રાવક તણાં, વ્રત છે સુખદાયી રે શીલ વિના વ્રત જાણો, કુસકા સમ ભાઈ રે.'
શ્રાવકમાં ત્યાગ છે, તપસ્યા છે, વ્રત-નિયમ છે. પણ એ બધું જો શીલ નથી તેા ડાંગરના ફોતરાં ! કુલટા નારીના ઉપવાસની કાડીની ક"મત ! સાધુને મહાનતા છે, પણ પાકુ ભ્રજ્ઞાચ-પાલન નથી તેા એ બાકીના મહાનતા કિમત વિનાના.
પ્રશીલનું આટલું બધું મહત્વ શાથી ?
ઉ-એટલા જ માટે કે જેનામાં શીળ–સદાચાર નથી એની ઇન્દ્રિયા તા પરનાં રૂપ-સ્પર્શે આદિમાં ચાલુ ભટતી રહે છે. ઇન્દ્રિયામાં અણુઅણુાટી-વિકાર-ઉન્માદ એવા તગતગતા રહે છે કે ખીજે ચિત્ત જ ન લાગે, યુ' જામે જનહિ ! માટા પરમાત્મામાં ય ભળી શકે નહિ ! સદાચારી પણ અતિ વિષયાંધાની ય એવી દશા હેાય છે.
રૂપ-કુશીલ, સ્પશ–કુશીલ,શબ્દ કુશીલના મરો છે. લાખા-ક્રોડાથી કિંમત ન અકાય એવા ધર્મીમાં મન ભળે જ નહિ; માટે પહેલી જરૂર શીલની છે. એમાં પૂર્ણ
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨]
. [૧૭ બ્રહ્મચર્ય એ માનવ ભવનું ઊંચું સત્ત્વ છે. પ્રભક સાથે વચ્ચે વળી એનું પાલન એ અલૌકિક પરાક્રમ છે. સ્કૂલભદ્રજીને એટલા જ માટે દુષ્કર દુષ્કરકારક કહ્યા.
છતાં સિંહની ગુફા પાસે મહિનાના મહિના કાઉસ્સગધ્યાને રહેવાનું પરાક્રમ પણ જેવું તેવું નથી. પરંતુ ઈષ્ય કેવી ભયંકર મુનિએ સિંહની ગુફા પાસે ચાર માસ કાઉસ્સગ્નધ્યાને રહેવું સહેલું બનાવ્યું, પણ ઈષ્યાવશ એમને સ્થૂલભદ્રજીની પ્રશંસા સહવી મુશ્કેલ બની! ઈર્ષાઆટલી ઊંચી સાધના કરનારને ય પટકે, તે જેના જીવનમાં સાધનાના રંગઢંગ નથી ને ઈષ્યની પકડ છે, એના હાલ કેવા? - સ્થૂલભદ્ર એક સારા સાધુ હતા, સિંહગુફાવાસી મુનિને માટે સાધમિક હતા, પ્રશંસા ગુરુએ કરી હતી, ત્યાં વાંધો છે હતે? પ્રશંસા તે ગુરુએ જ કરી હતી, ને એમને પોતે જ ખેળીને ગુરુ કર્યા હતા ને? શેાધીને સારા ગુરુ કર્યા પછી, એ કેઈનું ગાય એમાં ઈષ્ય? | ગુરુ ખેળીને થાય, બાપ નહિ. બાપ કર્મ ભટકાડે એટલે શું થાય ? અયોગ્ય બાપ લમણે લાગે છે. પરંતુ ગુરુ તે શેલીને પારખીને કરાય છે. તે એમ પારખ કરીને સારા હિતકારી ગુરુ ખેળી માથે ધરી લીધા, હવે એમને લાગ્યું અને કેઈની પ્રશંસા કરી, તે. આપણે ગુરુને આપણું જાત સમર્પિત કરી દીધા પછી શું બીજે વિચાર કરવાને હેાય? વધાવી જ લેવાનું છે.
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮]
[ રુમી વળી પ્રશંસા કાની કરી કાઈ નાલાયકની ? ના, સારા સાધમિક સ્થૂલભદ્રજીની, એ દૃષ્ટિએ પણ પ્રશ*સાને વધાવી લેવી જોઈ એ. સાધમિત્તુ મારા મિબંધુ છે' એમ સમજી સહન કરી લેવામાં સમ્યગ્દર્શન નિળ બને છે.
પર’તુ સિ’હગુઢ્ઢાવાસી મુનિને આ કશું જોવું નથી ‘ગુરુ ક્રાણુ ક્યા છે ? સામિક કેવા છે ?' આના કશા વિચાર વો નથી. એ પણુ નવુ નથી કે ‘અરે ! સિહુના રાજના માટો ભય જીતી શકાયા, તે પછી આટલી નાની ઈર્ષ્યા
લી ન શકાય ? આમાં શું મોટું કરવું છે ? જરાક મનને પ્રેમભાવ તરફ વાળી દઈએ, ‘હશે વધુ પ્રશંસા કરી તે મારા સાધર્મિક ભાઈની કરી છે ને? ગુરુ મહારાજે શ્રી છે ને ? સરસ ! એમ મનને સમજાવી દઈએ તે ઈર્ષ્યા શાની આવે? ‘ભય જીતુ ને ઈર્ષ્યા ન જીતુ ?”—આ જે ધ્યાન પર લેવુ' નથી તે ખચાવ શી રીતે મળે ? કેટલુ· · સરસ આલખન છે, ‘ભય જીતુ ને ઈર્ષ્યા ન જીતુ ?”
આપણા કેટલાક ગુણુ પર આપણે ગૌરવ લઈ એ છીએ, એના પ્રતિપક્ષી દ્વેષ જીત્યા પર મુસ્તાક બનીએ છીએ, પરંતુ જે દોષ જીત્યા નથી એની શરમ લાગે છે ? એના માટે શુ' એ વિચાર આવે છે ખરી કે ‘અમુક દોષ છતી શકાયા ને આ ન જીતી શકું ?” આ વિચાર આવે, દિલની ચાંટ સાથે આવે તે એ જીતવાના પુરુષાર્થ થવા લાગે. ગુણુના ગૌરવ કરતાં ઢોષની શરમ લાગે તે દોષ જીતવા વિચાર અને પુરુષાર્થ થાય.
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨]
સુખી થવું હોય તે આ જ ખો રસ્તો છે કે અંતરના દેષરૂપી શત્રુઓને જીતવા માંડે.
આપણને દુ:ખી આપણું અંતરના શત્રભુત દોષો જ કરે છે, બીજું કઈ નહિ.
સર્પના બીલ અને કુવાના ભારવટ પર ચાર મહિના ગાળનાર મુનિઓએ ઈષ્ય-દેષને જીતી લીધે, એને ઊઠવા જ ન દીધે, તે એના એજ સગમાં સુખી સ્વસ્થ હતા અને અનુમંદતા કે “સ્થૂલભદ્રજી અહોઈ પરિચિત અને પ્રેમાળ વેશ્યાનાકાતિલ સંગમાં અણુશુદ્ધ બ્રહ્મચર્યસાચવીને આવ્યા? વાહ ! ધન્ય જીવન ! ધન્ય પરાક્રમ !” એમ અમેદનના મહાન લાભને પણ પામવાની સ્થિતિમાં રહી શક્યા. ઈર્ષ્યાદષના ગુલામ બનનારને શાને આ પણ લાભ? એમને તે દુઃખ, કલેશ, સંતાપ, અને ઉપરાંત ગુરુ-અવજ્ઞા વગેરે બીજા અનેક ભારી પાપની હારમાળા ઊભી થાય એ જુદું!
સુખ-દુ:ખ અંતરના દેષજયદેષગુલામી પર નિર્ભર છે. માટે જ્યારે જ્યારે દુખ લાગે ત્યારે
આ વિચારો કે “મારા ક્યા દોષને લીધે આ આ દુખ લાગી રહ્યું છે ?
ઘરે ગયા, સમયસર રસેઈ તૈયાર નથી, દુખ લાગ્યું, શાથી દુઃખ? શું સમયસર રસોઈ તૈયાર નથી એથી? ના, ત્યાં જે એમ સામેથી ખુલાસે મળે કે “આજે તમારા પિલા સારા આડતિયા આવેલા; એમની સરભરામાં મેડું તે થયું પણ એ બહુ ખુશ થઈને ગયા અને મને તે વખતે
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૦]
[ મી લાગતું હોય કે “એ સારૂં ખટાવે એમ છે, હવે એ સારી ખરીદીને ઓર્ડર આપશે, તે રસેઈ સમયસર તૈયાર નહિ એનું જરાય દુઃખ નહિ લાગે. ઉલટું એમ થશે કે “સારું થયું સારું...” તે દુખ એનું નથી. દુઃખ છે આ નુકસાનીની કલ્પનાનું. “રસોઈ મેડી એમાં નુકસાન” એવી કલ્પનાના પિતાના જ દેષ પર દુઃખ લાગે છે. * સ્યાદવાદ લગાવનારને દુખ નહિ -
સ્યાદ્દવાદના સિદ્ધાન્તીને શું એ જોતાં ન આવડે કે એકાન્ત શા માટે કે એકલી નુકસાની જ છે? શું બીજી કેઈ દષ્ટિએ લાભ જ નથી? છે, સહવાનું આત્મસત્વ ખીલે એ લાભ જરૂર છે. બધું જ અનુકૂળ થતું હોય તે એમાં તે સુંવાળા થવાનું મળે, સાત્વિક નહિ. સત્વ તે, હેશથી ઘસારે વેઠીએ, ખુશીથી કષ્ટ સહીએ, ચાહીને લેગ આપીએ, એમાં ખીલે. તે “આવવા દો, જીવનમાં આવી અગવડ પણ આવવા દે, એમાં સત્વ કેવળવવાને લાભ છે. આમ સ્વાદુવાદસિદ્ધાન્ત મુજબ નુકસાન સાથે લાભ પણ વિચારાય, તે એકલી નુકસાનીની કલ્પનાને દેષ ગયે, ને સાથે દુઃખ ગયું.
દુઃખનું કારણ તપાસવાને માર્ગ –
અરે ! તમે સહેજ પૂછ્યું કે કેમ આજ રસેઈનું મડું” ને સામેથી જવાબ મિજાજને જ મળે, તે ત્યાંય - દુઃખ લગાડતા પહેલાં આ જ વિચારવાનું કે
દુખ મારા કયા દેશને લીધે લાગે છે?
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨]
[૨૧
‘સામાના ખરામ સ્વભાવથી પેાતાને દુઃખ’ એમ વિચા રવા કરવા કરતાં, પાતે જે એમ માની બેઠા છે કે મારે અધા મારા અનુકૂળ, વશવી, આજ્ઞાંકિત જ નહાવા જોઈએ એવા ધેારણથી જ દુઃખ છે,' એમ વિચારવું સારૂ છે. પુણ્ય એટલું પહાંચતું નથી માટે તેા આ સામેથી ખડફા ઠાકનાર મળે છે એ હકીકત છે. નાણાં ન પહેાંચતા હાય અને સારા માલ લેવાના હુક રાખવા એ દોષરૂપ છે.-આ દોષ જો કાઢી નખાય, વિચારાય કે—
આ સામેથી ઉદ્ધૃત જવાબ એ આપણા પુણ્યની કમી સૂચવે છે.
પુણ્યની આછાશ પણ પૂર્વે ધોરાધનાની યા બીજાએ સાથે નમ્ર માયાળુ વ્યવ્રહારની ખામી રાખ્યાનુ સૂચવે છે. તેા હવે એ ખામી જ ટાળું.
સામાને સ્વભાવ એમના બિચારાના તેવા ક્રમના બળાત્કારને લીધે છે. મારે એની દયા જ ચિતવવી રહી. સારૂ' થયુ' દયા ચિ'તવવાના સારા માટે મળ્યા. મારે જીવનમાં મુખ્ય કામ ધમ-આરાધના અને નમ્રસૌમ્ય-માયાળુ વ્યવહાર. એ વધારુ,' આમ વિચારણા રખાય તે દુ:ખ લગાડવાની કાઈ વાત નહિ રહે.
ખાટી ગણતરી રૂપી દોષ કાઢ્યા કે દુઃખ ગયુ સમજે. દુ:ખ કાઢવાના રસ્તા આ, -આપણા પેાતાના દોષને શેાધી કાઢી એની ગુલામી ખંધ કરવાના પુરુષાર્થ કરવા. પેાતાના જ દોષથી દુઃખ છે,' એના બદલે ‘બહારના
2
Page #35
--------------------------------------------------------------------------
________________
[૨મી નિમિત્તે દુઃખ છેઆવી પાર્ટી ગણતરી ઈર્ષ્યાદિ દૈષ ઊભા કરે છે, વધારે છે, અને એથી દુખ એર વધે છે.
મુનિ પણ કેમ ભૂલે –
સિંહગુફાવાસી પરાક્રમી મુનિ પણ ભૂલે છે ! એમાં પિતાના મનની બેટી ગણતરી કારણભૂત છે, એ જેવું નથી, ને બહાર ફાંફા મારવા છે, તેથી ગુરુએ કરેલી પ્રશંસા પર દુખ કરે છે, ઈષ્યની આગ પ્રજવલિત રાખે છે. કેવું આશ્ચર્ય! સિંહને ભય જીતવાનું સહેલું બન્યું, ઈર્ષો જીતવાનું મુશ્કેલ બની ગયું છે. જેના પર ઈર્ષ્યા થાય છે તેની સાથે આમ તે પ્રેમને વ્યવહાર પણ કર્યો હશે, પરંતુ પ્રેમની પરીક્ષા અવસરે થાય છે. આમાં, - “જેમની સાથે પ્રેમ છે એમને સારામાં સારો
સ્વાર્થ સધાય એમાં આપણે રાજી એ હિંસાબ રાખ્યો હોય તે પ્રેમની પરીક્ષામાં પાસ થવાય, એના પર ઈષ્યો ન આવે.
પણ ના, જે પોતાના સ્વાર્થની જ મુખ્ય ગણતરી છે, તે ઈર્ષ્યા આવતા વાર નહિ લાગે. ત્યાં પછી પ્રેમ હૂલ! પછી તે એમ થાય કે, હું ! મને નહિ ને એને અધિક મળે ? એનું વધારે સન્માન?શું હું કમ છું?
- પ્રેમ કેટલાયની સાથે કરીએ છીએ, પ્રેમને દા રાખીએ છીએ કે “અમને તમારા પર પ્રેમ છે, પણ સ્વાર્થ સાથે ત્યાં સુધી પ્રેમ, એ સ્થિતિ છે. એટલે સ્વાર્થ ઘવાતાં ઊંચાનીચા થવાય છે. જાણે શુષ્ક હદય ! એમાંય આપણા
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રાણ ૨] કરતાં બીજાનું વધારે સારૂ રહેવાની તાકાત નથી, એટલે ઝટ ઈષ્ય ઊઠી આવે છે,
ગુણ કો? પ્રેમ કે ઈષ્ય ? મઝા શામાં ? સામાનું સારૂં સહી લઈએ, એથી ખુશી થઈએ, એમાં કે ઈર્ષ્યાથી બળીએ એમાં મઝા? સામાનું સારું સહી લઈએ એમાં તત્વથી આપણને નુકસાન શું ?
એને સારું મળ્યું તે એના પુણ્યથી કે પુરુષાર્થથી મળ્યું, એમાં આપણે બળવાની જરૂર શી? ઉર્દુ, બળ વામાં તે બીજા કેટલાય ભારે અનર્થ—અને મનને બિગાડે આપણી જાતમાં જ અને તે આપણે જાતે જ ઊભા કરવા જેવું થાય છે. જે સિંહગુફાવાસી મુનિ એક ઈષ્યના માયા કેટકેટલા અનર્થમાં પટકાય છે!
રુફમીને શા માટે મરવું છે? રાજપુત્રી ફમી પિતાના પિતાને કહે છે,
“હે પિતાજી!મારે આપણાતને વિચાર સુખમય જીવન નના કંઢાળાને લીધે નગ્ધ કે અરે! પરણીને તરત મારા પતિ ગુજરી ગયા! તે હાય! હવે મારું સંસાર-સુખ નષ્ટ થઈ ગયું, એટલે હવે દુખમાં જીવીને શું કામ છે ? જવામાં શી મજા? સુખ વિના દહાડા કેમ જાય? નાઆ જીવાળા પર મને કઈ કંટાળો નથી. પરંતુ મને મેટો ડર છે કે મારી સુવાની હવે શરૂ થાય છે, અને જુવાની દિવાની ! જીવને દિવાને બનાવે છે. એમાં હજી લગ્નજના કઈક કુશ મુકે છે, જેથી જયાં ત્યાં જ એ નહિ . મારે કમ,
Page #37
--------------------------------------------------------------------------
________________
( [ રુકમી
સંગે અંકુશ બહારની સ્થિતિ ઊભી થઈ છે. એટલે મને ભય છે કે આ ઉન્મત્ત યુવાનીમાં કયારેક નથી ને કાંઈ અજુગતું આચરાઈ ગયું તે હું આપણા નિર્મળ કુળને કેવી કલંક લગાડનારી થાઉં? જીવીને એવું કલંક લગાડવું એના કસ્તાં મરવું સારું. માટે મરવા ઈચ્છું છું.' - જુઓ અહીં બાળ વિધવા બનેલી રુકમીની વિચારણું
ક્યાં જઈ રહી છે ! એને સુખના અભખરા નથી રહ્યા, પરંતુ કુળને કલંક લગાડનારૂં કેઈ અધમ કૃત્ય પોતાના હાથે ન થઈ જાય એની ભારે ચીવટ છે. - "
કુળની ખાનદાની અને પ્રતિષ્ઠાને ભાર જીવને પાપનો ને અકાર્યને ભય ઊભું કરે છે. ૨એને પાપ થઈ જાય તે? એ ભય સ્વછંદ વર્તન પર અંકુશ
ખાવે છે. પૂર્વે એનાં મૂલ્ય અંકાતા એટલે પ્રસંગે કોઈને કહેવાતું કે-“તારે જે કુળવાન, ને આ વિચાર કરે? આ એલ બેલે? આવું વર્તે? પિતાને પણ જાગૃતિ રહેતી કે “મારા ઊંચા કુળના હિસાબે મારે અધમ બોલચાલ કરાય નહિ, બલકે ઉત્તમ દયા પપકારનાં વચન-વર્તાવ રાખવા.” કુળને ભાર તે દાક્ષિણ્ય, ગાંભીર્ય, શિસ્ત, વિનયાદિ કેટલાય પુણે સહેજે જીવંત રાખો.
આજે કયાં આ કુળ-પ્રતિષ્ઠાને ભાર છે? આજ તે સબ સરખા કરવા છે. હલકાને ઉત્તમ નથી બનાવવા, પણ ઉત્તમને નીચે ઊતારવા છે. આ પ્ર–એમ કેમ? હરિજનને ઊંચે લાવે છે ને?
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨]
ઉ-ઊંચે લાવવાનું શાને કહેવાતું હશે? છે બિલકુલ આત્મસન્મુખ ન હોય એ કાંઈક પણ આત્મસન્મુખ અને ગુણસંપન્ન થતા આવે એનું નામ ઊંચે આવવાનું કહેવાય? કે ભૌતિક સુખ-સમૃદ્ધિમાં વધારે આસક્ત, એની અધિક લાલચવાળા અને આત્મદષ્ટિ ગુમાવનાર બને એ ઊર્ધ્વીકરણ કહેવાય? બેમાંથી વાસ્તવિક ઊર્ધ્વીકરણ કર્યું? આજે સામ્યવાદી પ્રજાની દશા જુએ. તિબેટ, કેરિયા, વિયેટનામ, પૂર્વ જર્મની વગેરેમાં એ લેકેએ કેટલા ભયંકર હત્યાકાંડ મચાવ્યા છે? ભૌતિક દષ્ટિ વિકસાવી એટલે ઊર્ધ્વગમન નહિ પણ અધઃપતન થયું ! કેમકે એમાં માનવહત્યાઓ પણ હેશે ક્રૂરતાથી કરવા શીખ્યા. ત્યારે અહીં ભારતમાં પણ શું છે? આની છાયા પથરાવા લાગી છે. જોકેમાં દયા-અહિંસા વધી? સત્યભાષિતા વધી? નીતિ-પ્રામાણિકતા વિકસી ? સદાચારનું પ્રમાણ વધ્યું? ત્યાગ, સંતેષ વિકસ્યા? –આવું બધું કયાં છે? એ નહિ, તે ઊર્ધ્વીકરણ શાના ઉપર કહેવાય છે? તાત્પર્ય, ઊંચ-નીચ કુળના ભેદ મિટાવી “સબ સરખા” કરવાની આજની રીતરસમમાં ઉત્તમ કુળના ખ્યાલ ઉપર જે ઉત્તમ વિચાર આવતા તે વસ્તુ ન રહી.
' રુકમી આ કહી રહી છે,–“પિતાજી ! હું આપના વિશુદ્ધ કુળને કદાચ કલંક ન લગાડી દઉં ! એના કરતાં આપઘાત કરી લેવો સારો.”
અહીં એક પ્રશ્ન થાય, . ' પ્ર-જે આપઘાત કરવાની અત્યારે તૈયારી છે, તો તે કમી એમજ કાં ન વિચારે કે જ્યારે એવું કલંક્તિ આચ
Page #39
--------------------------------------------------------------------------
________________
રણ કરવાને પ્રસંગ ઊથાય ત્યારે જ તેવું કરતાં પહેલાં આપઘાત કરીશ? આપઘાત તે ત્યારેય, થઈ શકે ને?
ઉ—આને જવાબ રુકમી જે કારણ બતાવે છે. એમાં રહે છે. એ પિતાને કહે છે, “બાપુ! કર્મના ઉદય વિચિત્ર. હોય છે. શી ખબર ક્યારે કેવા મેહનીય કર્મને વિપાક ફૂટી નીકળે? એમાં વળી મારે પાપી સ્ત્રી અવતાર! સ્ત્રીપણું એટલે પાપપ્રકૃતિ, ભારે ચપળ ચંચળ સ્વભાવ! તે નથી ને. કેરેક તેવા કોઈ કર્મને વિચિત્ર વિપાક જાગી જાય અને તેમાં કાંઈ અજુગતું આચરવાની દુબુદ્ધિ થઈ તે સ્ત્રી સુલભ ચોલ સ્વભાવે દુઃસાહસ કરી નાખતાં વાર નહિ !. એથી આપના વિશ્વ-વિખ્યાત કુળને ભયંકર કલક લગા. ડનારી બનું! એના કરતાં પહેલેથી જ મરવું સારું.'
અર્થાત, અશુભ કર્મોની શિરરી એવી છે કે અસત સમય-સગાએ એ અશુભ કર્મને ભભુકી ઊઠવાને અવસર મળ્યા પછી જીવને એ તરત મલિન ભાવમાં ઘસડે છે! એમાં ય. પુરુષ હેય તે કદાચ પિતાના સત્ત્વથી એના પર અંકુશ મૂકી અનર્થ કરૌં બચી જાય. પરંતુ માણસને ચંચળતાને. લીધે ઝટ દુષ્કૃત્યમાં પડવાને માટે સંભવ! પછી ત્યાં “આપઘાત કરું પણ હું વ્રતભંગ ન કરું એવો શુભ ભાવ જાગી. પાછા વળવા જેટલે અવસર ક્યાં? રુકૃમી પોતાની જાત માટે આ સમજે છે, તેથી તેવા ભાવી પ્રસંગની રાહ ન. જેલાં અત્યારે વિધવા છતાં, એ ભવિષ્યના સંભવિત અક્રાર્યથી. બાલાર માત કરવા ઈચ્છે છે..
.
,
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨].
રિક વાજાની કદરદાની :
વિચારવા જેવું છે કે પ્રસંગ ઘણે ગંભીર બન્યા છે. એવા અવસરે હાય! મારૂ સંસારસુખ લૂંટાઈ ગયું, તેથી આપઘાત કરું, એમ ચિંતવવાને બદલે મારા હાથે કુળને મલિનતા ન લાગે, માટે આપઘાત કરૂંએ વિચાર આવે છે. રાજા એ જણીને ચક્તિ થઈ જાય છે. એના મનને એમ થાય છે કે “અહા! આ કેટલે અદ્દભુત બાળકોને વિવેક કે એ સમજે છે કે કુળને કલંક લગાડવા કરતાં આવું સારું! કેવી સરસ જાગૃતિ કે યુવાનના પાશાળી ઉમાદને ઠીક જ કળી જાય છે! મારાં અહેભાગ્ય છે કે મારે પુત્ર નહિ છતાં આવી પુત્રી મળી ! શું આની બુદ્ધિ! કેવી સરસ પ્રજ્ઞા કે રાજ! અહો ! આ પુત્રી ક્ષણે ક્ષણે વંદનીય છે કે જેનો આજે છે ગુણ છે. તે આ જ્યાં સુધી મારા ઘરે વસે છે. ત્યાં સુધી મારું અતિશય મોટું શ્રેમ છે ખરો આને જોતાં, યાર કરતાં, ને આની સાથે વાતચીત કરતાં પણ પાપ ધોવાય છે, માટે અપત્રિયા એવા મારે આજ પુત્રતુલ્ય છે.”
રાજા દીકરી રુક્ષ્મીને શુભ આશયની કદર કરી રહ્યો છે, એને ભારે મહત્વ આપી હ્યો છે કેમ વારૂ? કારણ આ છે; કે
જીવ જયારે ભવ–આકાળમાંથી ઊંચે આવે છે, ત્યારે જ એને આ વિચાર આવે છે કે “મારા કુળને કલંકિત કરનારી ચેષ્ટા કરૂં, એવી વાણી પણ ન બોલું. એમ મારા ધર્મને કે મારા ગુરુને કલકલામે એના વેણ કે વર્તાવ
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૮]
[કમી
ન આચરુ પછી ત્યાં સહવું પડે એની ચિંતા નહિ; ભેગા દેવો પડે તે દેપણ કુળને, ધર્મને કે ગુરુને કલંક ન લાગવા દેવું. '
મલિકસૂરિજી મહારાજે શાસન પર કલંક ન ચઢે માટે આત્મહત્યા કરી લીધી. રાજા ઉદાયીને એ પિષધ અને ધર્મશ્રવણું કરાવવા માટે એક રાત પૂરતું એના મહેલમાં ગયેલા. રાજા ઉપાશ્રયે ન આવે? આવે, પણ અહીં રાજ્ય ખટપટો ભારે હતી, દુશમન રાજાના ડર હતા, “નથી ને ધર્મવિશ્વાસનો ઘાત કરનાર કેઈ ગુપ્ત ભેદી માણસ ભેટી જાય તે પરંતુ નસીબ બે ડગલાં આગળ ! તે,રાજા ઉદાયીને મારવા માટે દુશમન રાજાને ચંડપ્રદ્યોતને માણસ બાર વરસથી દીક્ષા લઈ આચાર્ય મહારાજને ભારે વિનયી શિષ્ય બની ગયેલે! બસ ધર્મવિશ્વાસમાં એને કાલિકસૂરિજી મહારાજે સાથે લીધે, તે રાતના ધર્મકથા બાદ સૂરિજી અને રાજા નિદ્રાધીન બન્યા ત્યારે ઊઠીને રાજાનું ગળું કાપી રવાના થઈ ગયે.
ધર્મવિશ્વાસને ભંગ ભયંકર :કેટલે અધમાધમ વિશ્વાસભંગ !” દુશ્મન પણ એને ન આવકારે. માટે તે જ્યારે એણે જઈને ચડપ્રદ્યોત રાજાને વાત કહી ત્યારે રાજા કેમકમી ઊઠ! કહે છે, “હરામી! - આવું નીચ કૃત્ય કર્યું? નીકળ અહીંથી મારા રાજ્યમાંથી.” દેશનિકાલ કર્યો. દુશમનાવટમાં પણ ધર્મવિશ્વાસના ભંગનું આવું અતિ હીચકારૂં કૃત્ય એને પસંદ નહેતું.
માણસની ધર્મવિશ્વાસભંગની ચેષ્ટા એ અતિ
Page #42
--------------------------------------------------------------------------
________________
[૨૯
પ્રકરણ ૨] નીચ કક્ષા અને ભાવી દીઘતિદીઘ કાળ હર્ગતિભ્રમણની આગાહી સૂચવે છે,
માટે આ સાવધાની રાખવાની છે કે ધર્મવિશ્વાસની છાયા હેઠળ કેઈને ય દ્રહ ન કરીએ.
અહીં તે રાજાનું ગળું કપાયાથી લેહી ધડ ધડ વહેતું ચાયું. રેલ કાલિકસૂરિજી મહારાજના સંથારે પહોંચ્યું ! તરત આચાર્ય મહારાજ જાગ્યા અને જુએ છે તે રાજાનું , ગળું કપાઈ ગયું છે ! અને બહુ વિનયી માનેલે શિષ્ય ત્યાં છે નહિ. વસ્તુસ્થિતિ કળી ગયા કે “આ કેઈ ભેદી દુશ્મનને દગો થયે ! પરંતુ હવે શું કરવું?
આચાર્ય મહારાજ આપઘાત કરે ?
કાલિકસૂરિજી મહારાજે તરત માપી લીધું કે જે હવે હું જીવતે રહું તે એમ જ મનાય કે રાજાનું ખૂન કરાવવા માટે જ જૈનાચાર્યને પેંતરે હતો! બસ, જૈનધર્મમાં આવા ને આવા નીચ કારસ્તાન જ રચાય છે. આમ જોનશાસનને બટ્ટો લાગે. લેક જૈન સાધુને વિશ્વાસ કરે નહિ, એ સ્થિતિ ટાળવા માટે પણ જાતે ગળું કાપી મર્યોજ છૂટકે, જેથી પછી એટલું જ જાહેર થાય કે “કેઈ દ્રોહી માણસ આવી રાજા અને આચાર્યનું ખૂન કરી ગયો.”
શાસનહીલના સર્વોપરિ નુકસાન –
આટલી જ વાર; આચાર્ય મહારાજે તરત જ છરી પિતાના ગળા પર કડક હાથે ફેરવી દીધી ને પછી એને દૂર નાખી દીધી. સવારે એમની ધામુત્રમાણે જ જાહેર થયું,
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦]
[ રુકમી શાસન અને સાધુ વર કલંક લાગતું અટકી ગયું. અલબત સંઘમાં હાહાકાર મચી ગયો! સંઘને જબરદસ્ત ખેટ પડી ! શું આચાર્ય મહારાજને એ ધ્યાનમાં નહોતું? હતું, પરંતુ એના કરતાંય શાસનની હીલના અને સાધુમાત્ર પર લેકને અવિશ્વાસ એ મહાભયંકર નુકસાન છે, એમ સમજતા હતા.
બહુ સમજવા જેવું છે. રાભસવૃત્તિથી કે લેભથી કયારેક એવું કાંક બોલી ચાલી નાખીએ કે જેથી જૈનધર્મ પ્રત્યે લોકને સૂગ થાય, એ મામુલી દુષ્કૃત્ય નથી એમાં તે એ લેકેને ભાવમાં પણ જેનધર્મ પામવાનું દૂર હડસેલાઈ જાય ! ઉટાં ધર્મવિરુદ્ધ પ્રવર્તવાનું કરનારા બને! અહીંની સૂગ કે પ્રેમ એ ભાવી તેવી સૂગ કે પ્રેમનું બીજ છે.
માટે જ ડાહ્યા માણસનું કર્તવ્ય છે કે –
(૧) દેવ-ગુરુ, ધર્મના દાનાદિ પ્રકારે, ધર્મસ્થાને, ધર્મશાસ્ત્રો,વિનયાદિ ગુણે, અને ધર્માત્મા પ્રત્યે જેટલે અને તેટલે આદરભાવ અને ભક્તિભાવ, જીવ પ્રત્યે પ્રેમભાવ, તથા દુઃખી અને પાપી પ્રત્યે દયાભાવ ભાગ્યે જ જઈએ, ભાગ્યે જ જઈએ. જેથી ભાવી તેવા ઉચ્ચ ભાવનાં અહીં આજ પડી જાય.
(૨) તેમજ એથી ઉલટું, દ્વેષભાવ, ઈર્ષાભાવ, વિરભાવ, વગેરેને સરાસર સિરાવતાં જઈએ, જેથી એનાં બીજ મળી જાય તે ભવિષ્યમાં વેઠવું ન પડે. એ ભાવે હટાવવા એને લાગતા વળગતા દોષ દૂર કરવા પડે.
જીએ ભવાભિનંદીના દાણદગુણમાં વિચાર્યું છે કે
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨] ઈષ્ય કેટકેટલી ખતરનાક પરિસ્થિતિ સરજે છે. એ સજવાનું કારણ એક તે એના મૂળ ઘણાં ઊંડા ઉતરી ગયા હેય છેઅને બીજું એ કે એના પિષક દેશે આત્મામાં એકરસ થઈ ગયા હોય છે.
ઈષ્યના મૂળમાં અભિમાન છે, દ્વેષ છે, અસહિષ્ણુતા છે. (૧) અસહિષ્ણુતાથી બીજાની અધિક પ્રશંસા સહાતી નથી. એટલે પછી ગમે તેવું અકાર્ય કરવા ખૂનસ ચડે છે, શ્રેષના લીધે સામાની પાયરી યાને પ્રશસિત સ્થાનની કક્ષા નીચે ઉતારવાનું અધમાધમ મન થાય છે.
(૨) અભિમાનના લીધે હવે પગલું ભરવું છે. તેની ચેગ્યતા કે ગળું પિતાનામાં છે કે નહિ, એને વિચાર કરવાનું માંડી વળાવે છે. અહંત્વના લીધે પાપથી પાછું ન વળવાની જીદ-દુરાગ્રહ ઊ થાય છે. | (૩) શ્રેષની લીધે વેશ્યા બગાડે છે, સામા પર જાણે વરની ગાંઠ ન હોય એમ એની પૂંઠ પકડાય છે. પછી એને ગમે તેવાં નુકસાન કરવામાં દિલ અચકાતું નથી. એમાં જરૂર પડયે કૃષ્ણ લેશ્યા અને રૌદ્રધ્યાનમાં ચડી જવાનું બને છે. ઈર્ષ્યાથી હેષિલા બનેલા માણસનું ખૂનસ વધતાં વધતાં કદાચ સામાનું મૃત્યુ થવા સુધીની કે આગળ વધીને એને મારી નાખવા સુધીની ભયંકર દુષ્ટ બુદ્ધિ ઊભી થાય છે.
બે વિદ્યાથીની વાત -
એક ઉપાધ્યાય પાસે બે વિદ્યાર્થી ભણે છે. બેમાં એક વિદ્યાથી સારે સુશીલ, વિનથી અમે પંકિમી છે,
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૨ ]
[રુફી
ખીને એથી ઉલ્ટા છે, દુર્ગુણી અને પ્રમાદી. ગુરુ તા સરખી રીતે ભણાવે, પણ એને જાણે પરિશ્રમની ખાધા ! એટલે ઠાઠ જેવા રહે. પહેલે પરિશ્રમ કરનારા, તે પણ ગુરુસેવા–વિનયમાં ઉજમાળ રહીને; એટલે સારા સુયુદ્ધ અન્યા. ગુરુ સહેજે બુદ્ધિ સતેજ છે....’ એમ અનુમાદના કરે એ પેલા ઠોઠ દુગુ ણી વિદ્યાથી ને સહન નથી થતું. ‘ખસ ! આ કેમ આગળ વધી જાય ? માળા ઢોંગી છે....' એમ ઈર્ષ્યાથી સળગી રહ્યો છે.
ઈર્ષ્યાળુની અધમ ચેષ્ટા —.
એક વાર એવુ′ અન્યું કે ઉપાધ્યાયએ બંનેને કાષ્ઠ લઈ આવવા મેલ્યા. પેલા ગુણિયલ વિદ્યાથી તા જંગલમાં સૂકાં લાકડાની શોધ કરતા રહ્યો. પણુ છત હતી નહિ એટલે લાકડાં ભેગાં કરતાં વાર લાગી. ત્યાં આ ઈર્ષ્યાળુ ભાઈસાખ પહેલાં તે નટ્ટીએ લહેર કરવા ચાલી ગયા. પછીથી એક કાશીને કાષ્ઠ માથે લઈ જતી જોઈ એટલે ઝટપટ ઢાડી એને ગળું દાખી મારી નાખીને એનાં લાકડાં ઉપાડી ગુરુ પાસે આવી ગયા !
એના દિલમાં ઈર્ષ્યાના અગ્નિ ભડભડ સળગી રહ્યો છે, એટલે એક તા ઝટપટ ગુરુ પાસે આવી શાખાશી લેવાને માટે ડોશીને બિચારીને મારી નાખી ! અને હવે પેલાને હલકા પાડવા એના પર ખાટુ કલ'ક ચડાવેછે. ગુરુને કહે છે.
જુએ ગુરુજી જુલ્મ ! આપ જેને સારી માને છે એનુ કૃત્ય કેટલું અધુ ભયંકર ? આપે તેા લાકડાં લઈ
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨] આવવા કહ્યું પણ પેલા ભાઈસાબ નિરાંતે ફરતા રહ્યા, અને હવે સમય થઈ ગયો એટલે લાકડાં લઈ આવતાં કેટલું ભયંકર કૃત્ય કરીને આવે છે ?
ગુરુ પૂછે છે, કેમ શું થયું ? • ચેલે કહે છે, “આ હું લાકડાં લઈને આવી રહ્યો હતે એમાં પાછળ મેં ચીસ સાંભળી. દૂર જોઉં છું તે ભયંકર દશ્ય ! પેલે વિદ્યાથી એક ડોશીને મારીને એનાં લાકડાં ઝુટવી લાવવાની પેરવીમાં હતા
ગુરુ કહે છે “હે? આવું? આવવા દે એને ઉપાધ્યાય ખેટા ચડાવ્યા ચયા, સુશીલ વિદ્યાથી પર ગુસ્સે થઈ ગયા. આવતાવેંત પેલાને કહે છે -- કેમ મેડે?? .
એણે તે બિચારાએ કહ્યું કે “આજે લાકડાં એટલા ઝટ મળ્યાં નહિ તેથી ભેગાં કરતાં મોડું થયું !', ' ' '
ગુરુ કહે છે, “જુઠ્ઠા! હરામી! આવા કૃત્ય કરે છે? ચાલ્યો જા અહીંથી. મને તારૂં મેટું ન બતાવીશ.” કાઢી મૂકી એને. પણ એ ખાનદાન છે, તેથી જુદું જ પરિણામ આવે છે.
--- જુઓ, આમાં ઈર્ષો પેલા વિદ્યાર્થીને કયાં સુધી લઈ ગઈ છે એને વિચાર કમકમી ઉપજાવે એવે છે. પારકે માલ ઉપાડો એટલું જ નહિ, કિન્તુ માલની નિર્દોષ માલિકણ ડોશીને મારી નાખી ! હવે એ પાપનું આળ સારા વિદ્યાર્થી પર ચઢાવ્યું છે ઈર્ષ્યા જાતને માયામૃતઘર પાપમાં અને પિયાને કાઢી મૂકવાના ભારે દુઃખમાં ઉતારે છે આગળ પર નાલેશી આવશે, પાપનાં ભયંકર ફળ ભેગવવા પડશે, પાછી એમાં પૂર્વના ઈર્ષ્યાદિ-પાના કુસંસ્કાર હોવાથી
Page #47
--------------------------------------------------------------------------
________________
કહેવાય છે “ગરિ વામને અલ્લિ અહિ પરંતુ વાલ ઈર્ષ્યાદિ ખતરનાક દેવળાબે અકલ કેટલી “એક ઈષ્યના ભાવમાં ભણુએ તે જ જેતાની કેવી દુખ-દુષ્કાળી ખાઈ વાદી રહ્યો છે ! એ કણો કે પૂરખ ? બાઇકલનું દેવાળું કહે છે કે હાલીને પાને ઓધી રહ્યો છે? ઈર્ષ્યાદિ અનેક દેશે અને પાપમાં શમિશાલ રહી અધપતનમાં
રનમ્ને અકલવા કેણ કહે? 'સિહસવાસી સુનિ ઈધ્યા માર્યા, દેલવા જેવું છે કે, કેટલી હદે કેવાં અશિ દુર પાપબુદ્ધિ સુધી પહોંચી જાય છે.
ઈષ્યમાં સુમિની ચિટાણું
સિહ@ફાધારી મુનિ માંસુ આવતાં સુધી પીંગળ માગણી કરે છે કે “હું કે જ્યારે રાણું કરું?
મક શિક પહિનાથી અંતરં ઈરાનું શા રાખી કર્યું છે એવા આ નિ સેક જીવોથલે શી શી તહત્તિ કરી શકે રી-એ લે ઈનાવિકપ જ ચાર કે બસ
8 મહિનેવા માંશુલી અને ભારે સરળ ભાષામાં હાફિઝાકારને જશ આલિ, હવે એ જરા એ
ભાજપે ! લોકો માટે સહાયમીમહી મિકામાં આવી કે પાળા કે સીપી
Page #48
--------------------------------------------------------------------------
________________
અણુ ૨]
સુપ
કલ્પના
છે વિકલ્પને ઈ માએ માગ કાળા કાર આ પાત્રશિાસનના ગાર, વેખાને બપમાંથી ઊ'ચકનાર, અનેક ભવ્યાત્માઓના તારક, મહાપુર પર સનક, મહાજ્ઞાની શ્રુતકેવળી આચાય ભગવાન શ્રી આય સભૂતિવિજય માટે આ વિકલ્પ કે એ તા મંત્રીની ગાર મમાં પડયા. ીજો કે ત્યાધુ મ ંત્રીત્ર જેવા જશ ન લઈ જાય માટે પહેલેથી જવાની જ ના પાડનારા એટલે ? સરુ ઇર્ષ્યાળુ !' છે કલ્પનાની દ? વા માટે? પેાતાને લપમાંથી ઉતાર, સહા મશ્રિત, મહા જ્ઞાની ગુરુ માટે ? પણુ,
1.
પાપી ઈર્ષ્યાના જાલિમ કેમાં કાંઇ નાઈ કે છેકે નથી કે મનથી કેટલી કુપના સાય, દાનથી. કેવાં ભારે વેણુ એલાય, અને વાથી ક્યા ધમ દુષ્કૃત થાય. આની કાઈ નવાઈ નહિ, સાઈન હ
માટે જ ભવાશિન દીપણું વન પાપિષ્ઠ ોિ માસય અસૂયા અાહિતા વગેરે મળી બહુ સાવધ રહેવા જેવુ છે. કટાય એ સ એ પરિ સ્થિતિવશ આચરણમાં તેવા કાયિક ભય ક્મ કૃષ્ય સહિ કરાવે, તે પણ માનસિક-વાચિક ગેાઞણી વિચારણા-વાણીમાં તાણી જશે. એટલે જ રખેને હું ઈર્ષ્યાભ્રંશ તદક્ષિણ મચ્છ જેવી નરકદાયી કાળી વેશ્યા અને લયર ણામાં ર તા.! માટે મૂળ પાયો
+
ન
આ ભાવના વારવાર સેવી વસરે પૃથ્વીથી બચવા જેવું છે, અને મારી
Page #49
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
[ રુમી
વારવારની આ શુભ ભાવના કર્યા વિના નહિ મચાય. ઈર્ષ્યાદિ પાપાને રોકવા માટે આત્મસાખે આ વિચારવું, –
સામાને સારૂ મળ્યું તે એના પુણ્યે મળ્યુ છે. પુણ્ય એણે ઉપાજ્યું છે. પુણ્યાપાર્જનમાં પ્રધાન નિમિત્ત દેવગુરુ ધમ અનેલ છે. અત્યારે એને ભાગવટા એ પુણ્યવાનને વરેલા છે. લાગવાઈને પુણ્ય ખત્મ એનુ થવાનુ છે.-આ મધામાં કયાંય કઈ જગાએ તારા સબંધ જ છે ? તેા શા સાર્ એમાં માથું ઘાલે ? કેમે મન બગાડે? એના પર નજર પણ શા માટે નાખવી જોઈએ ? અને કદાચ નજર પડી તા મળે છે શું કામ ? ખુશી થા ને; સામાને દેવગુરુના પ્રસાવે મન્યુ એના પર ખુશી માનવામાં દેવ ગુરુ પર ખુશી છે. એમાં શુ ખાટુ? બળે શુ? કામ ? કર્મીની વિચિત્રતા જો; ર વિપાક ક્રમ ના વિચાર, એથી દુર્ધ્યાનના પાપમાં નિહ પડે. બાકી અળવામાં તે દુર્ધ્યાન થશે, તારો જ આત્મા કુસંસ્કાર અને પામ થી ખરડાશે. કાંઈ ને સારૂ થાય, અને આપણે એના પર આપણા જ આત્મામાં મગાડૅ ઘાલીએ, એ કેટલી બધી મૂર્ખાઈ?
.
કિમતી મનને ન બગાડો.
આ મહત્ત્વના વિચાર છે કે ખીજાના સારા કે ભૂરા ઉપર આપણા આત્મામાં ખગાડા ધાલીએ. ખીજાતુ સારું દેખીને ઈર્ષ્યા થાય એ મનને ભગાડવાનાં પધા એ. ખીરની ભૂલ-ખેડ-ખાંપણ પર દ્વેષ આવે, નદાની
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨]
[૩૭. વૃત્તિ થાય એ પણ મનને બગસ છે. મનના અગાડાથી આત્મા બગડે છે. કેઈના કર્માનુસાર થતા બનાવ ઉપર, આપણું મન કલુષિત કરવાનું આ કેવું મૂર્ખાઈભર્યું કામ ! શું એટલું ન વિચારી શકાય કે, ' બીજાની સારી-નરસી, વાત-વસ્તુ કે જે કર્મની વિચિત્રતાને આધીન છે, એના પર આપણું મન ડોળીને શું ફાયદો ? * કર્મ. આગળ જીવ નગણ્ય - * ધ્યાનમાં રાખવા જેવું છે કે સામાને એનાં કર્મ પિતાનું ફળ દેખાડે એમાં કેટલીય વાર એ જીવ અને આપણે નગણ્ય હોઈએ છીએ. કર્મ નથી એને ગણકારતા ને નથી આપણને ગણકારતા. કર્મ તે જીવની શરમ કે દયા વિના, કે જીવનું ગમે તેવું ઊંચું સ્થાન પણ ગણકાર્યા વિના, પિતાનું કામ બજાવ્યે જ જાય છે, પછી ભલે આપણે નાદાનપણે મનમાં ગમે તેવા-લેચા વાળીએ, પણ કર્મને એની ગણના નથી. તે પછી શી જરૂર ચા વાળવાની? લેચા વાળીને શા સારૂ આપણું કિંમતી મન બગાડવું કે જયાં આપણે નગણ્ય છીએ?
આપણા મનની કિંમત આંકવા જેવી છે. જે આપણે એને એક મહાન કેહિનૂર હીરા જેવું મૂલ્યવાન સમજીએ, એ બહુ કિંમતી, એવી ભાવના ક્ય કરીએ, તે હીરાની જેમ એની રક્ષા કરવાની ને એને મેલ ન લાગવા દેવાની ભારે કાળજી અને ચીવટ રહે. કેવળજ્ઞાન પમાડનારા
૨
{ '
.
*
Page #51
--------------------------------------------------------------------------
________________
{
આયાત અને જમણી અપાવનાર ણા મનની કિ ંમત બે જો એને મેલ કરીએ તે ઠેઠ સાતમી નરકે લઈ જાય એવા સનની નાવતા અને મહત્ત્વ કેટલું અધુ એ. વિચારો
મન લઈ જાવે મેક્ષમાં ૐ, મન હી ય તરફ મેર.
આવા મહા કિ ંમતી મનની પવિત્રતા અને શુભ ભાવમાં ને તત્ત્વમાં જ મનની લયલીનતા અતિશય આવશ્યક છે. દ્વેષ, દંશ, માયા, મૂર્છા, અહંકાર વગેરે તો એને અડવાય ન ઇ એ.. એ કચરાથી મન બગાડવા જતાં મહારમાં કાંઇ દરક પડતા ની; ને કચરાથી દૂર રહીએ તા મનથી મસ્ત પાદશાહ અન્યા રહીએ છીએ, તે નવાં કર્મના કચરાથી ખચીએ એ "રા !..
રાજ્યની ક્ષ્મી પ્રયર બની છે. ભવિષ્યમાં કુળકલાક લાગવાનું ન અને એ માટે આપઘાત કરવાનું મન કરે છે. અલબત્, કલંક ન લગાડવા માટે મક્કમતા રાખવી, કલંક લાગે એવુ અકાર્ય ન કરવું, એ મનનેા શુભ ભાવ છે; પરંતુ એ માટે ચેગ્ય પુરુષાના રાહે ચાલવાને બદલે જીવનને આરાધના વિનાન' બાળ-મરણ જ પમાડી દેવુ' એ કણસ્તાના અને અવિવેકના અશુભ ભાવ છે. રુમીને પિતાએ સમજે છે એટલે એના પાષયની કુલ કાચની વિના કરી, મોના અપક્ષ થત મિટાવવા હનુમા હેલો મ
Page #52
--------------------------------------------------------------------------
________________
૩. પિત્રો ભરવા મા
આપઘાત અટકાવવા ઉપદેશ - બાય ત્યાં કહે છે, ફમીયા- આપઘાતને વિચાર ન કર. તું જે, કે આપણાં કુળમાં એ અજ્ઞાન પદ્ધતિ છે નહિ તું સેક્સ રામજી રામાએ આ માનવ જીવનમાં લઇને સુકૃત સાવા અને સામસાત કલા, આ માટે સેનેરી તક છે. એથી જ. આપણા પૂર્વ કાયરતા કરીષ શામતા તે પાપ ક્ષય માટેના આ ખાસ વિતી જીવતા કામ કરી નહિ. ગમે તેવા કષ્ટ વેઠવા તૈયાર પણ જીવનને અકાળે અંત લાવી ભવ્ય સાધનામાંથી રદ, બાતલ થઈ જવા તૈયાર નહિ. એમ આ જ જીવનદ્વારા પાપને અટકાવવા માટે ભગીરથ ઉપાયો જવાનું એમનામાં ડહાપણ હતું, પણ એવા ઉપાયોને જવા માટે ચાત્યંત ચેમ્સ એવા એક માત્ર આ કિમતી વખતે એક જ ખાઈ નાખના રોમી હિસારી નહતી
છે સુશીશ ! આ બને વાતનું કારણ એ છે કે
•
•
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૦ ]
[ મી જીવન કેવું આવશે ત્યાં કષ્ટ નહિ જ આવે, ને ત્યાં પાપનહિ જ પકડે, એનીય કઈ ખાતરી નથી. ઉલટું, આત્મહત્યા અને અસમાધિવાળા મનને લીધે સાચે જ અહીં કરતાં વધુ કષ્ટ અને પાપકૃત્યવાળું જીવન મળે એ બહુ સંભવિત છે. પછી તુંજ કહે, અહીં કષ્ટને કંટાળે કે પાપકૃત્યની ભાવી આગાહી કરીને એનાથી છૂટવા મરી ગયા, પણ તેથી શું? આગળ પર કષ્ટ કે પાપકૃત્યથી બચી જ જવાનું થોડું જ નક્કી છે?
- “માટે હે ભાગ્યવતી ! વિવેકને વિચાર કર. અવિવેકના ઘરની ગણતરી મનમાં ય લાવીશ ના. . ..
આના પછીના ભવ તે અનિશ્ચિત છે કે કેવાં ય. ભરચક કચ્છ અને દુલ્યવાળા મળે. ત્યારે અહીં તે નિશ્ચિત સારી અને સમર્થ ભવહાથમાં છે. કુળને, અહીં તને જે ડર છે એવા, કલંક લાગે એવા પાપાચરણથી બચવાની મજબૂત ભૂમિકા ઊભી કરી શકીએ છીએ. એના ઉપાય છે. એ માટે જ્ઞાની ભગવંતેએ બતાવેલા સચોટ ઉત્તમ ઉપાયે આદરવાની અહીં મહાન શક્યતા છે. તે આ શક્ય અને હાથવેંતની વસ્તુ ગુમાવી સંદેહવાળા પરલોકના અંધકારમાં શા માટે ભૂસકે માર?
“હે વિવંતી! આ વિષમ જગતમાં જે ને કે જીવને કષ્ટ પણ કેટકેટલાં છે? ને દુર્ગુણ-દુષ્કૃત્યે પણ કેટલાં પારાવાર છે ત્યારે આપઘાત પછી એવા હલકા કીડા-પશુના જીવનમાં ઝડપાઈ ગયા તે કઈ દશારી કેટકેટલાં દુખ ! કેવાં
Page #54
--------------------------------------------------------------------------
________________
-[૪૧
પ્રકરણ ૩] કેવા પાપાચરણ અને દુર્ણને વિસ્તાર? અરે! બહુ દુર્લભ મનુષ્ય ભવ પણ મળી જાય તે ય શું? તું જુએ છે ને કે દુનિયામાં કઈ માનવે પણ દુર્ગુણ-દુષ્કૃત્યમાં ફસેલા છે? - એમાંય જે જઈ પડયા, તે ત્યાં પણ આ જ કે પાપ નિવારણુંના ઉપાયે અને સામર્થ્યથી વંચિત જ થઈ જવાનું બને. ત્યાં ઉપાયે નહિ, ને સૂઝ પણ નહિ, પછી શી રીતે પાપના -ભાર હેઠા ઊતરવાના? -
- “હે પ્રજ્ઞાસંપન્ન ! તારા માટે આ જ શ્રેયસ્કર છે, કે આ જીવનમાં સુલભ એવા ઉત્તમ ઉપાય યોજી લે, એમાં જીવનને ઓતપ્રેત કરી દે. ઉપાય આ છે કે
(૧) તું જે, પાંચસે ગામની આવક તારે આધીન સમજ, તું એમાંથી યથેચ્છ દાન કરતી રહેવાનું કર. દુનિયામાં કેઈ બિચારા આંખના અંધ છે, પગે લંગડા છે, અપંગ છે; એ ઉદરનિર્વાહને શે પુરુષાર્થ કરી શકે? એ પુરુષાર્થ-શક્તિ હોવા છતાં અંગે પાંગની સામગ્રીના અભાવે બિચારા લાચાર બને છે. હે વત્સા ! આ પરથી અહીં સામગ્રી મળ્યાની જાગતી પુણ્યાઈની કિંમત કરજે. અનુકુળ સામગ્રીનું મૂલ્યાંકન કરીશ તો પુણ્યાઈના સદુપયાગને પુરુષાર્થ કરવામાં કચાશ રાખવી નહિ એ નિર્ધાર થશે. કેમકે પુણ્યાધીન સામગ્રીના કાળમાં જ પુરુષાર્થ શકય છે. તું એવા અંધ, અપંગ, લૂલા, વગેરેને દાન દે. વળી જે, કે જગતમાં કેટલાય બિચારા અનાથ હોય છે. કેઈ એમના નિર્વાહની ચિંતા કરનાર
*
1
Page #55
--------------------------------------------------------------------------
________________
[ સકર્મી નાનિ જા અશક્ત છે એટલે. પુરના શકિત જ ક્ષીણ તે કહતે ઉમે કરી શકે? ત્યારે કેટલ્સા પરાધીન, લીન હ, ઐી, રિધ હેય છે. વળી. કેઈ જવે રશિષ્ટ હેમ છે, કારએ બ્રાષિએથી પટકાય છેઆવાને સહાયની ઘણી અપેક્ષા રહે છે. તે તું સકે સાચા વિના દાન. દેસી રહેજેથી એ એને રાહત મળી - શાતાના પુણ્યથી તૃપ્તિ અને પાપ નિવારણ - “હે સુબુદ્ધિ! તને કદાચ લાગશે કે આવા દુઃખી
ને દાન દેવાને વળી મારે ભવિષ્યમાં કુળíકનું કૃત્ય ન થવા સાથે શું સંબંધ રાખીને દાન દેવાથી એ શી રીતે ? પરંતુ, જો કે ભાણક્તનાપા-રેસ-કન હેગાદિથી પીવાતા જીવને દાન દઈએ, એની પીડા ટાળીને, તેઓને બલે કદmત આણને એવી.. નિરવ શાતાથી આપે છે કે જેવા હતી કે વૃદ્ધિ થવાથી જીવને બહુ પાપ ન કરવા પડે. ને અશાની અને ઈન્દ્રિય ખણુની વિવલતા રહે નહિ, તેરી દુરાચારાદિના વિચાર જ ઊઠવા પામે નહિ. પછી કાઉક્તિ કૃત્ય કરવાની વાત કયાં બને?
, “પ્રાણ પુત્રી ! અજ્ઞાન દુખી જ આ સમજતા ન કે અહીં શાતાનીય પુણયકર્મ પુષ્ટ કર્યા વિના ભાષ્યિમાં સુખ નહિ મટે. એ પુચપુષ્ટિ, જે બીજાને શાવાનાં દાન નથી કરવા અને ઉહહું આભાસ્ય જહાણ તથા જણાવાય. આ -જયાત અને મેં જ છે તે
*
* *:
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩]
વિષ્ણુદ્ધ ભાવે દાન દુઃખીના દુઃખ મા હોય, ને એના લને તા આપી હાય ના સોની સ્વછ શાતા મળે કે જેનાથી ખાટા વિકારની ગાતા નુ પગે, તે કાખ પણ નહિ અને વ ત્યના વિકારો ય નહિ,
“ આ સમજના અભાવે અનાી જીવે ઊધી ગણુતરીમાં ઊધા વેતરણ કરી ચાધિક અધિકત્વ અને ત્યાને આમત્રણ આપે છે, પણ તે પ્રજ્ઞાવાળી છે, આ સમજી શકે છે. માટે તારી ચિતાના નિકરણ માટે સાચા ઉપાય છે. પાકી આમવાત એ કેઈ ઉપાય જ નથી. એ સમજી રાખજે.
“વળી હૈ ક વ્ય-પરાયણુ ! એક અદ્ભુત ઉપાય આ છે કે તું (૧) સામાયિક-પાષધાદિ ધર્માનુષ્ઠાન અને (૨) ઉપવાસાદિ તપસ્યા કરવા લાગ. આ બે મહાન સાધન છે; કેમકે જીવ એથી પેાતાના આત્માની અંદર પ્રવેશ કરે છે એટલે બાહ્ય આકષ ણા ખેંચાણાથી ઊઠતા રાગાદિ વિકારીને જાગવા અવકાશ ઓછા મળે છે.
-
“તું જો, કે મન કેમ અનુચિત માગે દોડવા જાય છે ? અ ંતરના દુષ્ટ રાગાદિ વિકારોના સળવળાટને લીધેસ્તા, અને એ વિકારાનુ ઉત્થાન થવાનું કારણ જીવની માન વાળમાં થાય છે. જેટલુ મનને એ મહારમાં પ્રેમસૂચ દેહ ધરાવાય છે મહારી પ્રવૃત્તિમાં મગૂલ સંખ્યા કરાય છે. એટલારા વિચારગમાંગવા ગણાવાત
Page #57
--------------------------------------------------------------------------
________________
dia..
-
"
૪૪],
[ રુક્ષ્મી મળે છે. પછી એ પુષ્ટ પ્રબળ થતાં, મનને અનુચિત માર્ગે દોડવાનું અને એમાં નવાઈ નહિ... મનમાં કામ-ક્રોધાદિ વિકારે પહેલાં જેર કરે છે, પછી મન એના જેરે અગ્ય આચરણમાં જીવને ઘસડે છે. માટે એ પાપાચરણપ્રેરક વિકારેને જ શાંત કરવા જોઈએ.
. “પણ હે વત્સ! બાહ્ય પાપ-પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેવામાં વિકારે શાંત થાય નહિ. માટે તું અતરાત્મામાંના વિકારે ઠારનારી સામાયિક–પષધાદિ ધર્મ પ્રવૃત્તિઓમાં તત્પર રહે. એને સીધા આત્મા સાથે સંબંધ છે. એ આત્મામાં સમભાવ, અનાહારી ભાવ, શરીરે-મૂચ્છત્યાગ, બ્રહ્મચર્ય, અને સાંસારિક પ્રવૃત્તિત્યાગ લાવે છે. તે આ રીતે,
સામાયિક-પષધના લાભ –' સામાયિકથી સમભાવ આવે ન રાગ, દ્વેષ પર વસ્તુ માત્ર ઉપર લેશ પણ આકર્ષવાનું નહિ, કે ઘણા અરુચિ કરવાની નહિ; માત્ર શુદ્ધ વસ્તુદર્શન કરવાનું. જાણે આપણું આત્માને એ કેઈની સાથે કશી લેવા દેવા નથી. એ આપણને નથી સુખકારક કે નથી દુઃખકારક. . સુખ દુખ તો (૧) આપણું કલપનાના છે, (૨) આપણુ કર્મોદયના છે, (૩) આપણું રાગદ્વેષના હિસાબે જ છે.એટલે બાહ્ય તે આપણાથી તદ્દન નિરાળું અને માત્ર રેય છે. સામાયિકમાં બે ઘડી માટે આ શુદ્ધ જ્ઞાતૃત્વભાવ રહે ને રાગ કે દ્વેષ કર્યાય કરીએ નહિ, એ સમસ્રાવે.
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩]
: ૪૫ (૧) પોષધમાં આહારાષધથી એટલા પ્રમાણમાં તારક અનાહારીપણાની સગવડ સંય છે. માટે એના પર ભારે ખૂશ રહેવાનું. કેમ જાણે, આજે રાક્ષસી આહાર સંજ્ઞા પર વિજય મેળવ્યું! ખુશખુશાલ રહેવાનું કે “એ દુષ્ટ બલા આજે, ઠીક થયું, હેઠી પડી છે.” આજ ઉપવાસના દિવસે એનું મહત્ત્વ ઉડાવવાથી તત્ત્વ અને આત્મગુણનું મહત્ત્વ ઊભું થશે, અને એના પર વિચાર ભરપૂર થશે. આ - પિષધમાં,-શરીરસાર-પષધથી શરીરને નવરાવવું, ધવરાવવું તેમજ એને સારાં સારાં પડાં અલકારથી ઠઠારવું, તેલ–પટિયાં-પાલિસ-માલિસ સેવવું, વગેરે. બંધ થવાથી શરીરના વિચાર છેડી હવે આત્માના વિચારને મોકળાશ મળશે. શરીરને બે બદામનું ગણવાથી આત્માને ખરે કિંમતી અને કાળજી લેવા લાયક લેખવાની સગવડથઈ અને રુક્મી! શરીરને, એક્ષ-માર્ગની સાધના, તપ, સંયમ, સ્વાધ્યાય, વૈયાવચ્ચ તથા પરીસહ-ઉપસર્ગસહન સિવાય બીજે ઉપગ, બીજી કિમત, કે મહત્વ પણું શું છે? એશઆરામી, સુખચેન, રંગરાગ, ભેગવિલાસ વગેરેને તે એને સરાસર દુરુપયોગ લેખીએ. માટે જ એવું એનું કશું મહત્વ ન આંકીએ તો જ મોક્ષમાર્ગની સાધના સારા. ઉજમાળ બનીને થાય ને?
પષધમાં, અધ્યાપાર-પષયથી. સાંસારિક સમસ્ત પ્રવૃત્તિઓ બંધ કરી દીધાથી પૂર્વે કહેલી સંયમ, સમિતિ, શાસ્વાધ્યાય વગેરે. ધમપ્રવૃત્તિને સારી જગા મળે છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
RTE ]
..
સંસાજિ હાથમાં એ પ્રત્યાખ્યાની પરીસથાય? (ર) ત્યારે સાંસારિક લેાથમાં ભાલ વધુ છે? નાટકમાં પરિમિત સમયના ખેલથી વધીએ ઈવનના પરિમિત સમયગા સાંસારિક · મેલમાં 'શુ' વિશેષ છે ? નાટકની પૂર્ણાહુતિની મ નમની પ્રીતિ થતાં જીતને માટે અનુંશું ઊભું રહે છે પાછી એકલી ચાની મા પાપુના જ નથી, કિન્તુ (૩) વિશેષ દુઃખદ તા એ છે કે વિશ્વર સાંસાજિ પ્રવૃત્તિના ચાયો અવિનાશી આત્માને રાગ દ્વેષ ક્રોધાદિ કષાયે, અને ઇન્દ્રિયવિષયાની આસક્તિના ભય ંકર રાગમાં સપડાવું પડે છે, ને તેથી દીર્ઘ-અતિદીધ કાળની કમપીઠાએના ભાગ મનવું પડે છે. તે આવા રુણ અંજામવાળી સાંસારિક લેાથમાં શે। માલ ગણાય? (૪) એને એક દિવસ -પણ પાષધથી બંધ કરવાનું' થાય એ પારાવાર લાભ આપનારૂ અને, એમાં જીવે રાહુ અને અજ્ઞાન ઉપર પડકાર ગણુાય, એના ટાંટિયા ઢીલા પાડવાનુ થાય ! સાંથે.(૫) જગતના કરુણાપાત્ર જીવાની ભારે ખેંયા થાય, એને અભયદાન દેવાનું અને. (૬) ઉપરાંત પેલી સંચસ-સ્વાધ્યાયની ભરચક પ્રવૃત્તિથી આત્માની નિમળતા, વિકારનાશ, ઓજસવૃદ્ધિ, પુણ્યપુષ્ટિ માચ વગેરે મહાન લાભ જ્યા તે તે જુદા.
(૪) પાષધમાં સપૂર્ણ બ્રહ્મચય છે.એથી પાષા પાપ અગ્રતા બંધ થાય છે. પાંડ્યા માં ધાયની ઉપર ચાલે જાવા ચાત અભ્યાસ છે.
સારા સંસારનું થી બસમાં મિયાનક થય કર છે. જીવન માં અનતા
Page #60
--------------------------------------------------------------------------
________________
અહીં પણ એ બ્રણ પાપાર અને સરકાર માંડયા પછી તે એ કે કયા કૃત્ય જાથી હિ? મિએદમાંથી છૂદી અહીં ઠેઠ માનવ વધ પી લેવી પાંચધમાં શુગના શુભ લીયાને એને વિચાર મુખ્ય છે? વિચાર રહે છે “ચાહીથી ઉતારી પાછી હલકી ધીમેએમાં ટકી રહેવા આ ચાર પાંચ આને એના પામે પાથ સંસાર એ માથે ધાહારે ક્ષણિક અને અતિ આધારિત હોય એવા કૃત્રિમ સુખ ખાતર કેવી બૂઢ કચ્છ ? અચપિષધથી એ પાર પર વ પડે છે, એટલે ઉપરના કિઈ પાપ પણ અટકી જાય છે. વિશ્વમાં અમારા ગિરિ અમે વિવેકી સ્વરૂપ લરફ દૃષ્ટિ જવાને અવકાશ મળે છે. મહિતર તે એ પાપની અસર થી અઆખામામાં મનની એવી ચાલીનતા કયાંથી લાવી ? આક્ષેપ વિષયથી મનગરાન-પાએ અલ્લાર્ચમાં આવી છે બલમાં એટલે કે એક્લા ચણાદાયી વિચારની અનુકૂળતા થઈ જાય છે.*
“હે નિર્દોષ બાળા! દિલથી વિચાર કે પારા વ્રતમાં કેટકેટલા ભરચક ભારે લા સહેલા છે? તું ચારઘાતને અભાએ દરે છે, પણ માનવજીવાવમાં જ લાલ એવા આ અલ લાલે, આપઘાતથી છલા ટૂંકા નાખે, કયાં વળે? અને એના અદલે જીવવા મારી આ પોષધ-અનુષ્પમનું વારંવાર હદયથી મારોયને અતિ પછી તારે જે કુળકલંક લાગવાને ઉભા છે આજ
Page #61
--------------------------------------------------------------------------
________________
[ રુકમી શાને મળે? શા માટે આટલી બધી ગભરાય શા સારૂ સાચા ઉપાયને મૂકી છેટા સાહસમાં મન ઘાલે?
“હે સાહસિક દીકરી સાહસ કરવાં હોય તો આ કર કે “જીવન પિષધથી ભર્યું ભર્યું બનાવી આહાર-શરીરભૂષા. -સંસારવ્યાપાર અને અબ્રહ્મરાગની સામે ખૂનખાર જંગ મચાવીશ!” માણસની મૂર્ખાઈ છે કે એ જિનેશ્વર ભગવંતના શાસનની આ કબંધ લાભવાળી મહાન પિષધ બક્ષીસને પર્વ દિવસે પણ ન અપનાવી, તુચ્છ અતિ તુચ્છ સંસાર-પ્રવૃત્તિમાં એક કીડાની જેમ રા–માચે છેએમાં ને એમાં મહિનાના ત્રીસે દિવસ ગુમાવતાં અમૂલ્ય માનવભવ પૂરે કરી નાખ્યા પછી ભવ્ય પોષધ-અનુષ્ઠાન આરાધવાનું ક્યાં મળે ? તું તો આપણે ત્યાં સારું કરવા સંપૂર્ણ સ્વતંત્ર છે, તે ખુશીથી મહિનાના બારે ય પર્વ પૈષધ ધર્મને આરાધ. એથી કુળને કલંક લાગે એવું કાર્ય કરવાને તને વિચાર નહિ ઉદ્ભવે.” : 'રાજાને બાળવિધવા બનેલી પુત્રી રુમીને અપાતે ઉપદેશ ખૂબ ધ્યાનમાં લેવા જેવું છે. કલંક્તિ અપકૃત્યના ભયથી ચિતામાં જીવતી બળી મરવાના ભારે નિર્ણય પર આવેલી કમીને કેટલું સચોટ માર્ગદર્શન કરે છે! આપઘાતની સામે આ જીવનમાં મહાલાની સુંદર શક્યતા એનું, અને ભાવી પાપની શકયતાઓને તેડી નાખે એવા કેટલા સરસ ઉપાનું રોમાંચક વર્ણન કરે છે! હજી પણ બીજા ઉપાય છે. જીવનમાં પાપના સાચા ભયવાળાને શક્ય એવી ચોક્કસ પ્રકારની સક્રિય સાધનાનું આમાં દિગ્દર્શન મળી રહે છે.. . . - ::: * *
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩]
જીવનમાં ભયંકર પાપે ન ઘુસી જાઓ, મધ્યમ પાપોનાં પણ ઉત્થાન ન છે, એવું તમે ઈચછા છે? જે હા, તે આ દાન અને સામાયિક પિષધનું વારંવાર આલ, બન કરે. દાનની કેટલી સુંદર વાત કહી? ભલે બધા પાસે રાજા જેવી દાન દેવા માટે સમૃદ્ધિ ન હોય, પરંતુ જીવે પોતાના જીવન-નિવહિના ખર્ચ ટૂંકામાં ટૂંકા કરી નાખી, બાકીમાંથી પહોંચ પ્રમાણે દાન કર્યું જવાનું, અને અંધ, પાંગળા, લૂલા, રેગી, દુખી, વગેરેનાં દુખ ટાળે જવાનું, એના પેટ ઠારવાનું, તેમજ સંત સાધુનાં સન્માન કર્યો જવાનું એક વ્યસન બનાવી દે, તે મન કેટકેટલું ચકખું થતું આવે ? એમ સામાયિક પિષધની મહાન સાધના કર્યું જાય, એથી પણ કેવી ભવ્ય ચિત્તવિશુદ્ધિ બનતી આવે? વિશુદ્ધ બનેલા ચિત્તમાં પછી પાપને વિચાર પણ શાને ઊઠે? આવી શુભ પ્રવૃત્તિ ભરચક કરવી નથી, અને મારું મન કેમ મેલું રહે છે? કેમ બીજા ત્રીજા વિચારે આવે છે કેમ સંકલ્પ વિકલ્પ થાય છે? એ ફરિયાદ કરવી નકામી છે. '
.
'
Page #63
--------------------------------------------------------------------------
________________
કચિત્ત-અસ્થિરતા સ્વભાવનું આલંબન
કે
- એ શુભ પ્રવૃત્તિને ચેક નથી, તે જીવ એવા સંકલ્પ વિકલ્પના રોગમાં સડે છે કે વિકલ્પમાં ચડ્યા પછી માણસ ભાત ભૂલે છે, તે કેવું વિચારાય, કેટલી હદ સુધીનું વિચારાય એ જોતું નથી. “એ કે ઈ મહાહિંસા વગેરેની વિચારણા બનશે તે એ કેટલું ખરાબ” આવું કાંઈ જોવા બેસને ૭ી. બસ, વિકાર્યમાં જાય છે. એમાં nળી છું, અસહિષ્ણુતાના મૂળ પર વિકો ઊભા કર્યા એટલે એણી કેસ અટકે? વિકલ્પો ચાલ્યા એટલે ચિત્તની સ્થિરતામિડીને અસ્થિર ચિત્તમાં વિકલ્પની હારમાળા. - એક વિકલ્પ ઊભું કરી પછી “આમ કેમ? આમ કેમ?”.. એ ચાલ્યું સમજે એ વિકલ્પ પાછા કાળા ધૂમાડાના ગોટા જેવા. મન નેટહુ ચસ્થિર કે કાબૂ બહાર, તેથી પેલા વિકલ્પના પણ નાખા મગજમાં પ્રસરી બજઈને એને ધુંધવાયું છે. જો દે છે. જુઓ મહેપાથાય શી થશોવિજ્યજી મહારાજ સાનસાર શાસ્ત્રમાં કહે છે. मत्स। िचंचलस्वान्ता प्रान्त्वा भ्रान्त्वा विषीदसि । निषि स्वसन्निधावेव स्थिरता दर्शयिष्यति ॥
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪]
- અર્થાત્ હે બાળ ! મન ચંચંળ કરીને બહાર ક્યાં
ને ત્યાં ભમી ભમી અંતે ખિન્ન થવાને ધંધો શા સારૂ કરે? સ્થિરતા રાખ, સ્થિરતા તારી પાસે જ ખજાનાને દેખાડશે !” . બહારના પદાર્થોના વિકલ્પ મનને અસ્થિર કરે છે. - અહારમાં ભમાવે છે. મનમાં ભલે વિકલ્પ એક નાની વસ્તુને - ઊઠયો, પણ પછી એને વિસ્તાર લાંબો-પહોળો એવો ફેલાય છે કે જેનું માપ નહિ. ધૂમાડે એક નાની સળેકડીમાંથી ઊઠવા છતાં એના ગેટેટા ફેલાઈ જાય છે ને? એવું વિકલ્પરૂપી ધૂમાડાનું છે. આખું મગજ કાળું કરે છે. એક સાવરણી કેઈએ જરા લીધી. માલિકને ખબર પડી બસ “મારી ચીજ કેમ ઉપાડી ગયે? શું સમજે છે એ?” વિકલ્પ ઊડ્યો. હવે એ ચાલવાને આગળ કઈ વિકલ્પોની હારમાળા ચાલશે! જેમકે “આ એ જ છે. પિતાનું વસાવવું નથી; લે બાપાને માલ, તે બીજાનું ઊપાડી ચાલ્યા. મફતિયાં ! મફતખાઉ ! હરામખેરી જે - આવડે ! આવાઓને તે સાફ સુણાવી જ દેવું જોઈએ.” - ચાલ્યું. અડધે ક્લાક પીંજણ!
.. વિકલ્પ કેને થાય? સ્થિરતા ન હોય એને, સમજી રાખવું જોઈએ કે,
વિકમાં ભટકવામાં અને થાકવાનું છે, ને હાથમાં કહ્યું આવવાનું નથી, ઉ.એક આજી આર્તધ્યાન-અસમાધિ-ઉદ્વેગથી કુસ સ્કરણ અને કમબાપનું નુકશાન, અને બીજી બાજુ એટલે સમય જે સદવિચારણ્યા આજ ભાવના તે સારૂ તાલિ માતા નો સુહાન
Page #65
--------------------------------------------------------------------------
________________
પ૨].
" [ફમી લાભ ઉઠાવી શકત, તે લાભ ગુમા! શે સાર કાઢયે? ''. મનની મહાન મૂડીવાળું જીવન તપાસે કિંમતી મનથી કે વેપલે ચાલી રહ્યો છે? કીડા-કડીને નથી મળ્યું એવું ખૂબ ચિંતન-વિચાર કરી શકનારૂં મન ' મળ્યું છે ને ? એના પર કેવા કેવા વેપાર ચાલી રહ્યા છે? 'અનાદિના કુસંસ્કાર-કુવાસનાના દઢીકરણના? કે નવા નવા સુસંસ્કારના ઘડતરના? માનવમન પર આ સંસ્કાર ઘડતરનું જબરદસ્ત કાર્ય થાય છે. સારા ઘડતર માટે લક્ષ નહિ રાખ્યું, તે નરસાનું કારખાનું ધામધેકાર ચાલવાનું છે એ સમજી જ રાખે.
વિકની ખોટી આદત એ એવું ભયંકર કારખાનું છે કે એનું કામ જે અતિશય જેરમાં ચાલ્યું તે એક બાજુ નરકનાં ભાતાં ભેગા થાય છે, ને બીજી આજુ કદાચ અહીં જ માણસ પાગલ પણ થઈ જાય છે. બાકી ય વિકલ કર્યા કરવામાં એને છેડો નથી આવતે અને તામસભાવને ધૂમાડે પેદા થયે જ જાય છે. એને
અટકાવવા માટે સ્થિરતા કેળવવાની જરૂર છે. શાસ્ત્ર કહે છે – ( શૈર્યવાહી સંવેપી ... तद् विकल्पैरलं धूमैरलं धूमाश्रवैस्तथा ॥ ' જે સ્થિરતા રૂપી રન-દીપક સતેજ હેય
તે ઉગ સંકલપિ રૂપી દીવામાંથી પ્રગટતા વિકલ્પરૂપી | "ધૂમાડા બંધ ! અને તેથી જ પાપાશવસ્વરૂપ ધૂમાડા પણ છે. એપીએસપત્ય, વિકલપો અને કષાય- કાગને દેશવટો દેવાઈ જાય પછી તેઓ શું સ્થિરતાને રત્નદીવડે, રત્નદીપક,
.
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪] એટલે રત્નરૂપી દ. એ દી કદી એકલવાય નહિ, એને જવાળા-ધૂમાડા હેય નહિ. એ દી તેલ અને વાટ વિના જ એનું કામ કરે છે. તેથી કદી નાશ પામવાને નહિ. રત્ન છે ને? બસ, એવીસે કલાક હૃદયગુફામાં ઝગમગ પ્રકાણ્યા કરવાને. સંકલ્પ-વિકપનું કારખાનું બંધ. ને એ જે બંધ, તે એનાં ઉત્પાદન રૂપે પાપાશ્ર યાને ક્રોધાદિ કષાયે અને હિંસાદિ કુયોગે બંધ. એ માટે એક જ વાત છેસ્થિર થાઓ, માનસિક ચળવિચળતા છે. * સ્થિરતાના બે ઉપાયઃ
સ્થિરતા લાવવા માટે સ્વભાવનું આલંબન કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે. એને સહકારી છે શમ, પ્રશમ, ઉપશમ. શમસહિત સ્વભાવાલંબન એ ચમત્કારિક પરિણામ સજે છે. શમ એટલે કષાયેની શાતિ.
(૧) સ્વભાવાલંબન – ચિત્તને સ્થિર રાખવા માટે 4) સ્વાત્માન અને (ii) પરવસ્તુના સ્વભાવ પર દષ્ટિ કેન્દ્રિત કરાય તે સ્વભાવનું આલંબન કર્યુ” ગણાય.
માણસ ખુશી થાય છે અગર નારાજ બને છે એ કઈ વસ્તુના આંતરિક વિચાર પર, વિકલ્પ પર. એમાં જે વાત-વસ્તુ ઉપર મુખ્ય મદાર બાંધી એના ઉપર હર્ષ–એનું સંવેદન કરે છે, યાને ખુશ નાખુશ થાય છે, એ આલંબન છે. હવે આલંબનમાં જે સ્વભાવને ધરાય તે ક્ષણિક તુચ્છ. હર્ષ–ખેદ અને તેને લાવનાર સંકલ્પ-વિકલ્પ નળા પડી જાય.
Page #67
--------------------------------------------------------------------------
________________
છે . પહેલું, આત્માના સ્વભાવ પર દષ્ટિ કેન્દ્રિત કરવાની, એટલે કે પોતાને મૂળ સ્વભાવ કે, ને કર્મ આદિ ઉપાધિથી વિકૃત પટાતે સ્વભાવ કે, એ વિચારવાનું. એમાં સહેજે, .
' .: (૧) મૂળવભાવ તરીકે સ્વચ્છ. અનંત જ્ઞાન વીતરાગ ભાવ, નિલેપ નિર્વિકાર દશા, અશરીરી અરૂપી અવસ્થા વગેરે મળવાનાં. આ પિતાનું સાચું મૂળસ્વરૂપ.
(૨) ઔપાધિક સ્વરૂપમાં કમસંબંધ, મનુષ્યપણું, આદિ, રાગ-દ્વેષાદિ, શાતા–આશાતાદિ, રંકતવંગર, સબલ દુર્બળ વગેરે વગેરે સ્વરૂપ મળે. એ પરિવર્તનશીલ છે. ત્યારે મૂળ સહજ સ્વરૂપ શાસ્થત રહેવાવાળું છે, એકવાર સંપૂર્ણ પ્રગટ કર્યું પછી કદી નહિ દબાનારૂં. એટલે એજ અંતિમ સાધ્ય છે. જ્યારે જે વાત-વસ્તુ આપણી સામે આવવા પર વિકલ્પ થાય છે, અને રાજી કે નારાજ થવાય છે, એ બધું જ ચંચળ છે, પરાવર્તન પામી જાય છે. તે પછી અંતિમ સાધ્ય મૂળ શુદ્ધ સ્વરૂપને વિસારી આ ચંચળ અસ્થિર ભાવમાં શું અટકી પડવું-તું ? એમ મનને સમજાવવાનું. | નોકરીમાં સાધ્યનાં આલંબનને દાખલ – - એક દાખલા તરીકે જુઓ કે શેઠની નેકરી કરનાર
માણસ, એની દષ્ટિ નેકરીના ટકા પર અને અંતે પગાર - મળવા ઉપર હોય છે, તે વચમાં ઉભી થતી શેઠની ગાળઅાકષકા એ કાંઈ વડું ખેદ કરવા પર દષ્ટિ નથી
_* *
*
*
*
Page #68
--------------------------------------------------------------------------
________________
*
:
જતાં, કે એને સામને કરી છે. વા વાર લાગી જતી. એને એ બહુ લેખામાં કમાણી કરી 1. ! અલબત શેઠને ગુસ્સે કપકે ઓછ એ અવિ એ માટે પ્રયત્નમાં રહે છે, પરંતુ તે તે પેલું નેકરી ટકાવી રાખવાનું કે પગાર કપાવાનું અતિએ લક્ષ્ય સાચવવા માટે જ દષ્ટિ એ એ પરદષ્ટિનું આલેખન એ છે એ જે સચવાતું હોય, તે પછી સમરજી મૂકે છે કે સાડ પકે-ગોળ વગેરે વારવાર કરવાને જિંવભાવ બની ગયો છે, અને સ્વભાવે દુરતિક્રમ -સ્વભવ કરવા ગ્રુકેલ છે. એટલે આપણે કાંઈ એ બહુ મન પર લેવાનું મોહિં, ગર એમના શેઠાઈને ઘમંડમાં એ કહી રહ્યા છે તે મને કહે. પુણ્ય છે એટલે કેણ રેકે એમને ? આપણે પરસાઈ કામ છે, અને તે મળે છે, પછી આ બધું લક્ષમાં લેવાની જરૂર નથી.” - આ શું કર્યું? પગારની ઉપર મુખ્ય ષ્ટિએ પગારનું આલંબન કર્યું. એમ વેપારી ધરાકનું સાંભળી લે છે તે એની પાસેથી થવાની કમાઈના આલબં- પર..
‘ચિત્તસ્થિરતાથે સ્વભાવાલબનું, . બસ, આ રીતે આપણું આત્માને શાય છેમુખ્ય અનંત જ્ઞાન વીતરાગતાદિ, સ્વચ્છ સ્વાવ, એના પર, દક્તિ રાખીએ તે બહારના આગતુક પ્રતિકુળ અસંગ, અગવડતા અનિષ્ટ વસ્તુ વગેરેને ખેદ શા માટે કરો આ ઉ૮.
બિઝાર તો એ છે કે આપણા શs કર્યા કરીશ તે પગાર કપાશે, અથવા જાતિય
Page #69
--------------------------------------------------------------------------
________________
૫]
[ રુમી
અનત જ્ઞાનાદિ સ્વરૂપને સુલભ કરનારા વતમાન વૈરાગ્ય, ઉપશમ અને તત્ત્વષ્ટિ-અમૂઢતા પર કાપ પડશે. એમ, જેવી રીતે ત્યાં નાકર શેઠના ગુસ્સા ઠપકાના બહુ સામને કરવા જાય, તા શેઠ એને નાકરીમાંથી હેઠા ઉતારી નાખે, તેમ અહીં પણ અગવડ–પ્રતિકૂળ-અનિષ્ટને સામને જ કર્યાં. કરવામાં અંતિમ લક્ષ્ય અનંત જ્ઞાન અને વીતરાગના માગ માંથી રુખસદ મળશે.
કેમ જાણે કહેશે ‘જાએ ઘેર બેસા, તમારા માટે તા સંસારનુ ઘર જ ખરાખર છે. સવેગ–વૈરાગ્યાદિની આત્મપરિણતિના માક્ષમાગ નહિ.' માટે,
‘મારે કાંઈ બહુ ખેદ, વ્યાકુળતા કે અનિષ્ટના સામના કરવાના મેાખ નથી, મારા નિર્મળ આત્મસ્વભાવના માગે ખરાખર લાગેલા છું અને એ અંતિમ સાધ્ય નજીક થતું આવે છે, તે વિચિત્ર જગત અને એના સચાગેા સાથે સારે બહુ નિસ્બત નથી. ચાલવા દો, જગતનું તા એમ
જ ચાલવાનું. આપણે માત્ર એ જોયા કરવાનું કે હું અંતરથી મેાક્ષમાગની આત્મપરિણતિમાં છું ને ? વૈરાગ્યભાવ, તત્ત્વદૃષ્ટિ, કષાય-નિગ્રહ, ઈન્દ્રિય–સયમ, ધમ ધગશ વગેરે મારા બરાખર કામ કરી રહ્યા છે ને ?
પ્ર—પણુ ખાવા પીવામાં જ વાંધા પડતા હોય, આજીવિકા તૂટતી હોય કે આબરૂ જવાના સવાલ ઢાય, ત્યાં મા વિચારણા શી રીતે ઉત્યારે શુ એના ખેદ, એના અને એના દર્શન કરવાથી એવાંધા ફોગટ કાંકા શું મારા
રહે ?
સંકલ્પ વિકલ્પ, મટી જાય છે?
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪]
પરિણતિ ધમમય વિશેષ કરીઃ
પહેલું તે। આ સમજી રાખો કે ખાવા પીવામાં તંગી પડચે પણુ, આખરૂ લૂંટાઈ ગયે પણ, શરીર ખગઢી ગયે પણ, અને પરિવાર વિપરીત થઈ બેઠે પણુ, અંતરની આત્મપરિણતિને ચાલુ જ ધર્મોંમય શુ, કિન્તુ અધિક ધમ મય કરી શકાય છે, કર્યાંના રકમમ ધ દાખલા આ જૈન શાસનમાં મળે છે.
મંદિર બધાવનાર શેઠને છોકરા અને પત્ની ઉલ્ટા થઈ બેઠા અને પેાતાને અલગ રહી મશાલાના થેલા ફેરવી અતિ કપરી જીવન--નિર્વાહ કરવાના અવસર આવ્યા, છતાં તેમાં ધમમસ્તી અનેરી વધારી !
સનત કુમાર ચક્રવતી ના જીવ શ્રાવકને ધ્રુવ ભવે પેાતાની પીઠ પર રાજાના આગ્રહે તાપસ ખાતર પતરાળી મૂકાવી એમાં તાપસને ગરમાગરમ લેાજનનું પારણુ કરાવવુ પડતુ, અને એમાં પીઠ પાઠાથી કૂદી ઊઠી ! છતાં એ શ્રાવકે આત્મસ્વભાવનું આલખન કરી એવા શરીરે જંગલમાં કાઉસ્સગ્ગ ધ્યાને રહેવાની મહાન આત્મહિતકર સાધના કરી ! કપરા સંગમાં પણુ સ્વભાવના આલખન પર કઠોર આરાધન થઈ શકે છે.
શ્રીપાલના કાકા અજિતસેન રાજા શ્રીપાલના હાથે યુદ્ધમાં હાર્યાં, આમરૂના કાંકરા થયા; પરંતુ એવા સચેગમાં પશુ ધમ પરિણતિ એટલી બધી વધારી મૂકી કે ત્યાંને ત્યાં સચમ--માગ અપનાવ્યે! અને સયમ પણ એવુ' ખીલછ્યું કે એના પર આગળ જતાં એ અવધિજ્ઞાની મહષિ અન્યા !: દખદ સંચાગામાં પણ આત્મહિતને પ્રતિબંધ નથી
Page #71
--------------------------------------------------------------------------
________________
'
[ મી રાજા કુમારપાળને મને મન અજયપાલના કાવત્રાથી ઝેરના ભાગ બનવું પડયું છતાં એમાં એમણે સમતા-સમાધિની લેફ્યા વિકસાવી દીધી અને મરીને વ્ય તર નિકાયમાં દેવ થયા. ત્યાંથી મરી આગામી પ્રથમ તીથ કરના ગણધર થઈ એજ ભવે મેક્ષ પામશે. આત્મહિતની તેમના જોઈએ એ ડાય પછી ગમે તેવા સચાગ-પરિસ્થિ ઝિમાં એ ન ચૂક્તમ સચાગને આગળ કરી રાદણાં ન રાવાય. . મહાસતી સીતાજી ખેતાના પતિ રામચંદ્રજી અયેાધ્યાના રાજા થવાની અને પેાતે પટ્ટરાણી મનવાની રતૈયારી હતી. એ બધુ પલ્ટાઈ વનવાસ સેવવાના : અવસર આવ્યા તેથી એ શું. ખેદ-ઉદ્વેગકલ્પાંતમાં ચઢથા ? ના, જરાય નલૢિ વસ્તુ સ્વભાવનું માલ બન કરી પ્રસન્ન ચિત્તે એવા મા કપરા સમય પણ પસાર કરે છે. વનવાસ પછી હવે મ અધ્યાના રાજપદે,ને સીતા મહારાણી-પદે આવી ગયા, પરંતુ હવે પૂર્વે કરતાં ય વધુ ભયંકર આપત્તિમાં મૂકાવુ પડયુ ગર્ભિણી અવસ્થામાં એકલા અટુલા ભેજન શા-નાકર વગેરે કાંઈ પણ સાધન વિના, અને તે પણ જાણે ગુનેગાર તરીકે ભયાનક જંગલમાં અસહાય-નિરાધારરૂપે સૂકાઈ જવાનું આવ્યું. ત્યારે શુ રાઈ રાઈમે કલ્પાંત કર્યાં ? શું. આવી સ્થિતિમાં વગર ગુનાએ કાઢી મૂકનાર પતિ સમદ્રજી પર રાષ ઠાલવ્યો પેટ ભરીને ગાળો દીધી ?
ના,
તુ જ નહિ. સ્વભાવના આલમને નક્કી કર્યું ક્રમ કરે તે નવાનું. સવાનું શાનું નરસું બન્યુ એમાં રામના દોષ નહિ, કોલ પાતાની કર્મના ા તેના ઉપર ય એક કલ્પાંત ને
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪]
[ ૫૯
હાયહાય કરવાની જરૂર નહિ. જિનેશ્વર ભગવાનનું અનુપમ શાસન મળ્યું છે, એ ચેાક્કસ પ્રકારના કારણેા ઉપર તે જાતના અવશ્યંભાવી કાર્યના સિદ્ધાન્ત મંતાવે છે. વિશ્વમાં ચાલી રહેલ આ સનાતન-સિદ્ધાન્તથી સિદ્ધ ઘટનાઓ પર હ–ખેદ શા કરવા? આપણે પણ તેમાં એક અ`કાડા છીએ, તેા ઘટનામાં સમતાલ ચિત્તે પસાર થવાનું'.' સીતાજી ભયંકર દુઃખદ પરિસ્થિતિમાં પણ આત્મ-વિચાર મૂકતા નથી. શય કાં ન કરવું ? -
::
કપરા સંચાગમાં પણ આ ધ્યાનમાં રહે કે મનવચન-કાયાના સત્પુરુષાર્થનુ એક એવું જબરદસ્ત તત્ત્વ આપણી પાસે છે, કે જેને અજમાવીને તે આપણા જીવને અને ખીજા કેટલાય આત્માને અર્હિંતાદિચતુ શરણુ–સ્વીકાર, દુષ્કૃતગાઁ, વૈરાગ્યવૃદ્ધિ, ક્ષમાદિ વગેરે સારી કાર્ય – પરંપરા ચાલુ કરાવી શકાય. એ કરવાનું આપણા હસ્તગત છે. તે એ કરવાને બદલે ઊંધી રમતમાં કાણું પડે? પુરુષાર્થ તો કરવા જ છે. કાંઈ ને કાંઈ કાયિક પ્રવૃત્તિ, તે નહિ તે વાચિક, અને તે પણ કદાચ નહિ તે માનસિક વિચારણાને પુરુષાથ તેા કર્યે જ જઈએ છીએ. એમાં અસને બદલે સત્ પુરુષાર્થનું આલેખન કાં ન લેવુ ં ? નરસી વિચારણામાં શુ કશુ સુધરી જાય છે? ઉર્દુ, સારી વિચારણા કરતાં કમમાં કમ આપણાં ચિત્તને શાંતિ-સ્વસ્થતા-આહ્વાદ મળે છે, અનાદિની કઢ`ગી કુવિચારણા કરવાની કુટેવને પેાષવાનુ અટકે છે. તેા સુંદર શાંતિસ્કૃતિ અને સ્વસ્થતા-આલ્હાદ આપનારી સારી વિચારસરણી માં ન રાખની
Page #73
--------------------------------------------------------------------------
________________
[ રુકુમી સારી વિચાર્યું શી રીતે આવે? પિતાના આત્મસ્વભાવનું આલંબન કરવાથી, એના પર દષ્ટિ કેન્દ્રિત કરી એને વળગીને વિચારસરણું રાખવાથી આવે. દા.ત. સીતાજી જે જંગલમાં તગેડાઈ જવાને પ્રસંગ આવ્યું હોય, તે આ રીતે સ્વભાવ અંગે વિચારણને ઝેક રહે -
એકાએક આ શું થયું? પતિ કહે છે કે હું તે તમને પવિત્ર મહાસતી માનું છું પરંતુ આ લેક કહે છે -રાવણને ત્યાં રહી આવ્યા એ શાના પવિત્ર હોય? એમને હવે રાણી પદે કેમ રખાય? બસ, આટલા માટે મને દેશવટો તે પણ એકલા અટુલા ! અને તે ય કઈ પણ સાધન સામગ્રી વિના જ ! ફિકર નહિ. મારા આત્મા પરના પૂર્વના કર્મગ પાકવાના હિસાબે સ્વાભાવિક છે કે આત્મા આ જાતની અવસ્થામાં મૂકાય. આ વસ્તુસ્વભાવ છે, આત્માને ઔપાધિક સ્વભાવ છે. ઉપાધિ ટળી જતાં આત્માને આ કશું નથી રહેવાનું. એ એના મૂળ સ્વભાવમાં રહેવાનો.” છે શરીરને દાખલે લે. શરીર સહેજે ગમે તેવું સશક્ત નિરોગી તાંબા જેવું હોય, છતાં શરદી-સળેખમને પ્રકેપ થયે તે ત્રણ દિવસ આગંતુક નબળાઈ, હાડમાં તાવ, શિવેદના વગેરે આવે એ વસ્તુસ્વભાવ. પરંતુ તેથી શરીરના આંતરિક આરોગ્યને, લષ્ટપુષ્ટતાને કઈ વાંધે નથી. ત્રણ દિવસ એ શરદી–સળેખમને પિષક ખાન-પાન દેવાનું બંધ રાખી ઉપવાસ જ ખેંચી કાઢયા, પછી પારણે તદ્દન હલકું સાદું અને ઓછામાં ઓછી વિગઈ એવાળું લેવાનું રાખ્યું તે સ્કુતિ આવવા લાગી,પૂર્વવત્ સ્વસ્થ બનવા
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪]
[ ૬૧.
લાગી. એટલે પત્યુ, પાછા એજ પેાલાદી સશક્તતામાં દાખલ.
ખસ, આત્મામાં ગુ આવું જ છે. આગ તુક કાગ પાકવાના હિસાબે બાહ્ય આ બધી આપત્તિએ ખડી થઈ છે, પરંતુ આત્માના મૂળ આરેાગ્ય અનંત જ્ઞાન-દન વીતરાગ અક્ષય સ્થિતિને કશી આંચ નથી આવી. વમાનમાં જે ઉલ્ટુ* દેખાય છે તે તેા કમ શરદી-સળેખમના પ્રકેાપમાત્ર છે, કાયમી નહિ, પણ વિનશ્વર છે. શરીરની શરદીમાં ત્રણ ઉપવાસ વગેરેની જેમ અહીં પણ રસ--ઋદ્ધિશાતા એ ત્રણ ગારવની ભ્રમણા બંધ કરી દેવાની. તા પટ્ટરાણી, મારે તે આવા આવા જ ખાન-પાન હાય, આવા આવા જ ઠઠારા-માન–મ હાવા જોઈએ, એ ઊંચી વૈભવી સગવડો સુખશીલતા આરામી જ હાય,—આ ભ્રમણા કાઢી નાખવાની. એ ગારવ છે. ‘મારે અમુક જ પરિસ્થિતિ હાવી જોઈએ, ’–એવી ભ્રાન્ત ગૌરવબુદ્ધિ પણ કરાગના ઘરની છે.
હું
•
વિરાટ વિશ્વમાં રખડતા-આખડતા, તે પણ નિરાધાર-દીન હીન પરાધીન દુર્દશામાં, એવા મારે શા અર્હત્ત્વ ધરાય કે મારે તે આવું જ જોઈએ ને તેવુ' જ જોઈ એ ? અ-સ્વાધીન બાહ્ય આગંતુક ચીજ-વસ્તુ–પરિસ્થિતિની શી મમતા ધરાય ? કશું નહિ. આ ગારવગૌરવભુદ્ધિ અધ !
..
વળી જેવી રીતે શરીર-શરદીમાં પડ્યા રહી ઊંઘમાં ઘેારવાનું નહિ, કેમકે એમાં તે શરીરની અંદરની ગરમી ઓછી થવાથી મહારની ઠંડી હવા અસર કરી જાય કાયમાં ગૂંથાયેલા રહેવાથી એ નવી શરદી પેસતા નથી.
છે.
-
:
Page #75
--------------------------------------------------------------------------
________________
[કુમી એવી રીતે અહીં પણ આ કર્મરેગના પ્રકપમાં ન કર્મ રેગ પેસે નહિ, એ માટે શુભ કાર્ય-પ્રવૃત્તિમાં ગૂંથાયા રહેવાનું.
શુભ કાર્ય પ્રવૃત્તિ કઈ કઈ?–
(૧) તત્વની વિચારણ, ચિત્તસમાધિ-સ્વસ્થતાનું સંરક્ષણ, હર્ષ-ખેદ વગેરેની અટકાયત, જે થયા કરે એ જરાય વિઠ્ઠલ થયા વિના જાણે આપણને કશું અડતું-આભડતું નથી એવા તટસ્થ ઉદાસીન ભાવે જેયા કરવાનું.
. (૨) જગતના વિચિત્ર ભાવ, મહાપુરુષના ભવ્ય ગુણસાધન-ધર્મ સાધના–નિર્મળ પરાક્રમ વગેરે વિચાર્યા કરવાનું. મૈત્રી પ્રમોદ કારુણ્ય ઉપેક્ષા ભાવના ભાવ્યા કરવાની.
(૩) તીર્થો, જિનબિંબે, સદ્ગુરુઓ, શાસ્ત્ર, નમસ્કારમંત્ર અને પવિત્ર ધર્માનુષ્ઠાને ના મળેલા ભવ્યાતિભવ્ય આલંબન પર વિચારણું રાખવાની. શકય પ્રવૃત્તિ કરતા રહેવાનું.
(૪) જિનભક્તિ-સાધુસેવા-વત-નિયમ-સંયમ–દાન તપસ્યા-આત્મધ્યાન વગેરે. ' “આ આપત્તિ આ કમરેગ તે આમ પતી જવાને છે, અને મૂળ આરોગ્ય જે કાયમ જ છે, તે પ્રગટ થઈ જવાનું છે. બસ, મારે તે એના જ સાથે સંબંધ છે. અંતે એ મૂળ સ્વભાવ જ મારી ચીજ છે. એ પ્રગટ કરવાના રસ્તા પર જે હું છું, તે જેમ પગાર લાવી આપનારી નોકરીના માગે રહેલા નોકરને શેઠના આગંતુક ગુસ્સાગાળ-ઠપકાની બહુ ગણતરી નથી. એમ મારે આત્મસમૃદ્ધિ લાવી આપનારા મોં રહા, આ કર્મજન્ય આપત્તિ-ઉપાધિની
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪]
[૩ ઝાઝી ગણતરી નથી. પેલાને મુખ્ય સંબધ' પગાર સાથે, એમ મારે પણ મુખ્ય સંબંધ આત્માના મૂળ અનંત જ્ઞાનસુખાદિ સમૃદ્ધિમય સ્વભાવ સાથે.” - આ શું કર્યું? આત્માના સ્વભાવનું આલંબન.
૨, વસ્તુ–સ્વભાવનું આલંબન :– - હવે સામી વસ્તુના પણ ઊંડા સ્વભાવનું આલંબન કરીએ તે કેવી વિચારણા એ જુઓ.
આ જ સીતાજીના દાખલામાં સામે ૩ વસ્તુ છે. ' (૧) સામે જંગલમાં મૂકી દેનાર સેનાપતિ છે,
(૨) મૂકવાની આજ્ઞા કરનાર રામચંદ્રજી. છે; ને . (૩) મૂક્વામાં નિમિત્તભૂત લેકનિંદા છે.
એ દરેકના ઊંડા સ્વભાવ, ઊંડા સ્વરૂપ જુએ.
“ચાલ શિખરજી યાત્રા કરવા. સ્વામીને આદેશ છે, એમ કહીને સેનાપતિ રથમાં સીતાજીને વનમાં લાવીને 'ઉતારી મૂકે છે, અને કહે છે, ધિક્કાર પડે મારા પાપી પેટને, જેની ખાતર સ્વામીની આવી નેકરી બજાવવી પડે છે, કે જેમાં એમના હુકમથી આપને અહી જ છેડીને માર જવાનું છે !”
: , . . . મહાસતીજી અહીં એનું અંદરનું સ્વરૂપ જોઈને કહે છે કે તારે ખેદ કરવાની જરૂર નથી. સ્વામીને આદેશ તું બજાવે અને હું પણ પાળું, એ આપણું કર્તવ્ય છે.” બસ જોયું કે સેનાપતિ પરાધીન છે. એ પરની આઝાવશ અમે તે પણ પિતાના પતિની જ આશાને આધીન રહી મા દાર્થ કરે એમાં એના પર ગુસ્સો કેમ કરાય હુ એનાકર
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૪ ]
[ રુકમી વાતા ને દુઃખિત થતા દિલને આશ્વાસન આપવું કે “તું જરાય ખેદ ન કર, હિંમત રાખ, તું તે ચિઠ્ઠિને ચાકરી, અને સીતાજીએ એને ખરેખર હિંમત આપી. આ સાચી વસ્તુને સ્વભાવ વિચારી મન સ્વસ્થ અને સ્વચ્છ રાખ્યું.
પ્ર-ઠીક છે, ત્યારે રામચંદ્રજી પર તે ગુસ્સો આવે ને ? મૂળ હુકમ કરનાર એ છે.
આ ઉ૦-ના, ન આવે. અહીં પણ રામચંદ્રજીનું સ્વરૂપ જરા ઊંડા ઉતરીને જુઓ.
રામ સીતાજી ઉપર અથાગ પ્રેમ અને વિશ્વાસવાળા છે, કઈ દિવસે આ શું પણ મામુલી દંડ જે ય હુકમ નથી કાઢયો, તે આજે આટલે ભયંકર દેશવટાને હુકમ કેમ કાઢે છે? શું સીતાના પિતાના તેવા કેઈ અશુભ કર્મના ઉદય વિના? ના, એ કર્મ તે પ્રધાન કારણ છે. સમજી રાખે, લખી રાખે,–
આપણું પિતાના અશુભેદય વિના આપણું કઈ જ બગાડી શકે જ નહિ.
મૂળ બગાડનાર આપણું કર્મ જ છે, બીજા તે માત્ર એમાં કુહાડીના હાથા થાય એટલું જ.
કુહાડી અને માખણનાં દૃષ્ટાંત
કાપનારી તે કુહાડી અને સુથાર કઠિયારે જ; હાથે તે એમાં નિમિત્તમાત્ર. એમ અહી બગાડનાર તો આપણું કર્મ અને એ કર્મ ઊભા કરનાર આપણે, અર્થાત્ આપણું રાગદ્વેષાદિ. પરિણામ. બાકી બહારના તે એમાં હાથા જેવા નિમિત્ત માત્ર આપણું કર્મ એને પ્રેરે છે, એવું કરવા ઘસડે છે.
-
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪].
માખણ શેમાંથી નીકળે? દહીંમાંથી. પણ દહીંનું વલેણું કરવા એમાં પાછું ઉમેરાય છે, એ પાણી તો નિમિત્ત માત્ર છે, મુખ્ય કારણ નહિ. તેથી જ પાણીમાંથી માખણ નીકળ્યું એમ નથી કહેવાતું. માખણ પાણીએ દીધું એવું ન બેલાય. એ વ્યાજબી પણ છે; કેમકે પાણીની તરતમતા પર માખણનાં સત્ત્વ અને પ્રમાણના ટકા નથી પડતા. એ તે દહીંની તરતમતા પર જ પડે. સત્ત ને પ્રમાણ એટલે કે મૂળમાં દહીં જેવું ઘટ્ટ અને સ્નિગ્ધતાવાળું તથા જેટલા જથ્થામાં, એટલા પ્રમાણમાં માખણ સત્વવાળું અને ભરચક નીકળવાનું. માટે જ માખણ દેનાર તે દહીં જ, પાણું નહિ. એમ અહીં આપણને દુઃખ કષ્ટ દેનારાં તે આપણું કર્મ જ, બહારનું કઈ માણસ નહિ.
મહાસતી સીતાજી આ વસ્તુસ્વરૂપ વસ્તુસ્વભાવ જોઈ રહ્યા છે, તેથી સેનાપતિને કહે છે,–“આમાં સ્વામીને પણદોષ નથી. દેષ મારા પિતાનાં પૂર્વ કર્મને જ છે. કર્મ જેમ કરે તેમ થાય. માટે સ્વામીનું તે ભલું થાઓ” સીતાના આ બેલ પર પ્રકન થાય,
પ્રવે-પરંતુ રામચંદ્રજી લક-ર્નિદાથી દોરવાઈ ગયા એ તો એમની ભૂલ ખરી ને ?
ઉ૦–તેથી શું એ ભૂલ પર એમના પ્રત્યે ગુસ્સો કરે ? ખરી રીતે બીજાની ભૂલ જોવા જઈએ છીએ તે આપણી અંતરની વિહ્વળતા અને કદાચ રેષ ઉપર સ્વભાવાલંબન કરવું હોય તે અંદરને સ્વભાવ જે જોઈએ કે સામાએ કયા સ્વભાવે ભૂલ કરી? ત્યાં દેખાશે કે “એનાં તેવા મેહનીય કે જ્ઞાનાવરણ થા મારા નવાં અંતરાય કમને ઉદય થવાથી ભૂલને પ્રસંગ આવ્યો.” એટલે એક તે બિચારાને પૂર્વ કર્મ ભૂલમાં ઘસડી રહ્યા છે, અને
Page #79
--------------------------------------------------------------------------
________________
[ફમી પાછા એને ભૂલ કરવા દ્વારા નવા અશુભ કર્મનું સર્જન કરાવી રહ્યા છે, જે ભવિષ્યમાં દુખ અને ભૂલ બને આપશે, એમ ડેબલ માર પડે છે. એવાં જીવની તે દયા ખાવાની હોય.
સીતાજીને અમર સંદેશ –
સીતાજીનું આ સ્વભાવલંબન છે, વસ્તુ-સ્વરૂપનું દર્શન છે, માટે તે સેનાપતિના સંદેશે માગવા પર એ કહે છે, “કહેજો. એમને કે આપે લેકનાં મારી વિરુદ્ધ વચન સાંભળી મને છોડી તે ભલે, પણ લેકનાં જૈનધર્મ-વિરુદ્ધ વચન સાંભળી જૈનધર્મને છોડતા નહિ. કેમકે મને છેડવામાં તે આપને બીજી મારાથી સારી ય પત્ની નહિ મળે એમ નહિ, અને તેથી કાંઈ તમારે મોક્ષ અટકી જ જશે એવું ય નહિ. પરંતુ જે જૈન ધર્મ છોડે છે તે સમજી રાખજો કે એના કરતાં સારે તે શું, પણ એની હરોળને ય કઈ ધર્મ બીજે નહિ મળે, અને તેથી આપને મેક્ષ અચૂક અટકી જશે.”
લાખમાં એક મરદ પણ સીતાને આંબે?
સીતાજીને આ અમર સંદેશ હદયમાં કતરી રાખવા જે છે. રામ સીતાને અત્યારે ભયંકર સ્થિતિમાં મૂકનાર છતાં સીતાજીનાં સ્વચ્છ હદયમાં રામચંદ્રજી પ્રત્યે દ્વેષના ઊભરા નહિ, પણ ઉલટું કેટલી બધી ભાવદયાને ઊછાળે આવ્યું હશે, ત્યારે આ દિવ્ય સંદેશ મોકલે છે? સીતા સ્ત્રી અબળા છતાં લાખ મરદને આબે, ઊભા રાખે, એટલી બધી ઉચ્ચ આત્મપરિણતિને ધરનારી છે. મરમાં લાખમાં પાંચ વા જડે? અરે એકાદ પણું મળે? આપણું બિન-અપકારી બિનગુનેગાર પર પણ જે ભાવદયા મુશ્કેલ બને છે, તે આપણા અપકારી-અપરાધી પુર
1
: '
?',
- ,
,
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪]
[ ૬૭
પૂછવું જ શું ? સગા દીકરા પણ ભૂલ કરી નાખે તેય એના પર દ્વેષ ઊઠે છે, ત્યાં ખીજા પરાયા ઉપરનુ' તેા પૂછવું જ શું ? ત્યારે અહી' અપકારી બનેલ રામચંદ્રજી ઉપર સીતાજી દ્વેષના છાંટા ચ નહિ, કિન્તુ દયાના ધેાધ વહેવડાવે છે. તે પણ રામચંદ્રજી જ દ્વારા વનવગડામાં શિકારી પશુ-લૂંટારાના ભય વચ્ચે મૂકાઈ ગયેલી સ્થિતિમાં !! સીતાની કેટલી બધી ઊંચી ચિત્તપરિણતિ
1
જીવનમાં ફરવાની ખાસ વસ્તુઃ
મગજમાં ઊતરે છે કે જીવ આત્મપરિણતિને શુદ્ધ શુદ્ધતર કરવા ધારે તેા કેટલી હદ સુધી કરી શકે ? શું તમે મનમાં રાખ્યું છે કે ‘આ જીવનમાં મુખ્ય કાર્ય મારે આજ કર્યા કરવું કે મારી મેલી આત્મપરિણતિને દબાવી દબાવી વિશુદ્ધિના માગે અને વિકસિત વિકસિત કર્યે જ જવી ?” એને સ્વચ્છ જ કરતા ચાલવુ’ જોજો એમાં બહારની વાત-વસ્તુને કાંઈ વાંધા નુકશાન થતુ નથી. સીતાએ અંતરાત્માની પરિણતિમાં ભાવયા છલકાતી રાખી એમાં અહારના સંચાગ કયા વધારે બગડી ગયા? કે સુધરતા કયા અટકી ગયા ? ત્યારે મેલી આત્મપરિણતિ રાખવામાં અહારનુ` કાંઈ સુધરી જાય છે એવુ' ય નથી. તે પછી ચાખી નિમ ળ સ્વચ્છ આંતર-પરિણતિ કેમ ન રાખવી?
પશુ
પ્ર૦-પણ એવા પ્રસંગે મન રહેતું નથી તેનું શું કરવું ? ઉ-રહેતુ' નથી કે રાખવું નથી ? મનુષ્ય થાય એટલે તે કરતાં વિશેષમાં વિવેકશક્તિ મળી. સાર-અસાર, સારાનરસા ને હિંત-અહિતને વિચાર કરવાની શક્તિ મળી, એના ઉપયેગશે? જો એના દ્વારા આટલુંય નથી વિચારવું કે ‘ભલા માણસ ! હૈયુ' બગાડીને શું કરવાના હતા ? તારૂ` શુ` સુધરી જવાનુ
* !
-
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૮]
[ફમી હતું ? “તારા અકાય ક્રમને કાંઈ નુકશાન કરવું હશે તો એને તું શું અટકાવી શકવાનો હતો? માટે ના, મારે એ હૈયું બગાડવાને મેખ નથી,' એમ મન પર લઈ લે, પછી મન ક્યાં વાંકુ જવાનું ? મનને જન્મ જ આપણાથી થાય છે, પછી સારૂં વિવેક પ્રકાશવાળું જ મન કાં ન ઊભું કરીએ?
૫ કુવિક૯પ રેકવા શું કરવું?
જગતની વસ્તુના સ્વભાવનું આલંબન કરવાની બલિહારી છે. દિલમાં કેઈપણ પ્રકારના ઉકળાટ કે ઉન્માદને વિકલ્પ અર્થાત
ખેદ-દ્વેષ-શેક-ઈર્ષાને કે હર્ષ–ગારવ–રાગ-મદ–અહંકારને વિકલ્પ "ઊઠવા જાય ત્યાં, જેના અંગે એ થવા જાય છે એના અને એને
સંલગ્ન વસ્તુના સ્વભાવ પર દષ્ટિ નાખવાથી એ ઉકળાટ-ઉન્માદના વિકલ્પને અટકાવી શકાય છે, કેમકે ત્યાં મનને એમ થાય કે
“આ વસ્તુને સ્વભાવ-સ્વરૂપ જ એવું છે કે, આમ જ થાય. ', પછી એમાં આપણે કરમાવાનું કે ખીલવાનું શું? દૂધમાં મીઠું પડે તે ફાટી જાય એ એને સ્વભાવ છે, તે એના પર “હાય” શું કરવું અને ખાંડથી “હાશ” શું ? ગળ્યું થાય પછી પણ વખત જતાં કે પેટમાં પડતાં ફેરફાર થવાનેજ છે, ત્યાં આપણા રાજીપો કેટલે ઊભે રહ્યો? કે કામ લાગે? મીઠાથી ફાટી ગયે પણ એના પરથી બીજી વાત-વસ્તુમાં આપણું મન જતાં એ ભુલાઈ જવાનું છે, ત્યાં એની નારાજી કેટલી ઉભી રહી? ઉપયોગી થઈ? મેલી
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫] લાગણના આભ્યન્તર સંગે પણ અનિત્ય છે, એમાં શું ઊભા રહેવું ?”
વેશ્યા પાછળ સમ્રાટુ ભૂલે એમબહારમાંય જડ પુગલના સારાં-નરસાં પરિવર્તન થયા કરવાને સ્વભાવ જ છે, એમાં આપણે ઉન્માદ–ઉકળાટના ભાવમાં ફર્યા કરવું એ તો મોટા સમ્રાટ રાજાએ ગંભીર રાજ્યાદિકાર્ય મૂકી આ દિવસ વેશ્યા પાછળ નાચ્ચા કરવા જેવું બાલિશ, મૂર્ખ, અતિમૂઢ કાર્ય છે.
શું આપણુ પાસે સારૂં ગંભીર મન-વચન-કાયાનું કાર્ય નથી કે મૂઢતાનાં કામ પાછળ દિવાન થવાનું ? એમ કરવામાં જેવી રીતે સમ્રાટ રાજા વેશ્યાની પાછળ પિતાના વિશાળ રાજ્યની સુવ્યવસ્થિતતા અને આબાદી ઉન્નતિની-ચિંતા ચૂકે છે, એમ અહીં પુદ્ગલ-સ્વભાવની પાછળ હર્ષ ખેદના નાચ કરવાની પાગલગીરી પાછળ આત્મા પિતાના આંતરિક ગુણસામ્રાજ્ય-ધર્મસામ્રાજ્યની સુવ્યવસ્થિતતા તથા આબાદી-ઉન્નતિના મહાન ગંભીરકાર્યની ચિંતા ચૂકે છે.
(૧) પિતાનામાં ક્યા ગુણ પોષાય છે ? કે કેવા દેષનું પોષણ થાય છે ?
(૨) ધર્મની સાધના થાય છે કે પાપની ?”
(૩) પિતે આત્મિક દૃષ્ટિએ કેવા લાભ-નુકશાનમાં વતી રહ્યો છે?
એને વિચાર જ નથી આવત! જડની પલવણમાં પડે ત્યાં સ્વાત્માને વિચાર શેને આવે? વેશ્યા પાછળ દીવાના બનનારને
Page #83
--------------------------------------------------------------------------
________________
અને એની જ ખુશી-નાખુશ જોનારાને ઘરે રહેલી સતી સ્ત્રીની ચિંતા શાની હોય?
જીવ જડની પાછળ જ મરે છે. અહીં જડની ઊજળામણ કે મલિનતા પાછળ પિતાના દિલમાં કલુષિત કલુષિત ભા ઊભા કર્યા કરે છે, એથી જાતે મલિન બને છે, અને અહિં જરાય સ્થિરતાને અનુભવ કરવા પામતે નથી. ચળવિચળતા, અસ્વસ્થતા, અશાંતિ, ચિંતા-સંતાપ કે મૂઢ મૂચ્છમાં તણાયે જાય છે.
ત્યારે પરલોકની દૃષ્ટિએ પણ અહીંથી ભારખાનું ભરી જવાનુંય એ કચરાપટ્ટી ભાવના કુસંસ્કારનું! જે પછી એવાને એવા હૈયાબળ ભાવમાં જ એને ડૂબાડી રાખે છે, તેમજ અને કાનેક પ્રકારની પાપ કારવાઈમાં ફો-ફસાયે રાખે છે. પાપિષ્ટતા એટલું જ નહિ પણ અહીંની ચળવિચળતા મલિન રાગાદિ ભાવે, કુવિક, દુર્ગાન વગેરેથી ઉપજેલા ધૂમ પાના દારુણ વિપાકરૂપે પરલેકમાં દુઃખ-દૌર્ભાગ્ય, રેગ-શેક, દીનતા-દરિદ્રતા, પ્રહાર-પરવશતા વગેરેના ત્રાસ વેઠવા પડે છે.
જીવનું મુખ્ય બગાડનાર મલિન ભાવે અને મલિન વિક છે.
જુઓ તંદલિયે મચ્છ શું કરીને શું પામે છે? આ જ ને કે મેટા મત્સ્યની પાંપણ પર રહ્યો રહ્યો એના ખુલ્લા મુખમાં નાનાનાના કેઈ માછલા પેસતા-નીકળતા જોઈ બળ્યા કરવાનું, “આની જગ્યાએ હું હોઉં તે આ એક ન છોડું,-” આવા કૂર વિકલ્પમાં તણુયા રહેવાનું, અને એના પરિણામે નરકમાં ફેંકાઈ જવાનું જ ને? આ બધુય મલિન ભાવના પ્રતાપે.
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રકરણે ૫]
સુભમ અને બ્રહ્મઈ ચકંવતને શી ખેટ હતી? પણ જડના નાચે નાચ્યા, હૈયે મલિન ભાવ ચકીવ્યા, મેલા વિકલ્પમાં ચડ્યા, તો અંતે સાતમી નરક જોવાની આવી:
કંડરીક કેમ સાતમીએ ગયો? આ જ મેલા ભાવ અને કુવિકલ્પોના કારણે. એમાં જ બિચારાએ એક હજાર વર્ષનું ચારિત્ર પાલન રદ્દી કરી નાખ્યું ! ત્યારે એના જ ભાઈ પુંડરીકે શુભ ભાવ શુભ વિકલ્પમાં રહી અનુત્તર વિમાનની ગતિ પકડી.
આત્મસ્વભાવ કે વસ્તુસ્વભાવનું આલેબન નથી પકડવું, તે મલિન ભાવે અને પાપવિક લમણે લખાયેલા છે. ચામજીની જેમ એ આત્મા સાથું જકડાય રહ્યા સમજો. ભળતા દર્શને પાવિક ન આવે તે બીજુ શું આવે?
કુડાં કામ, કૂડી વાણું, કૂડી વેશ્યા કેણ કરાવે છે ? આ મલિન ભાવ જ એને પોષનાર પણ એ જ. દે-દુષ્કૃત્યો-દુર્ગનું ઉત્થાન કરનાર પણ મલિન ભાવ જ. અને પછી એનાથી મલિન ભાવ પોતે પુષ્ટ થઈ ફેર વિશેષ દોષ-દુષ્કાને પોષનાર પણ એ મલિન ભાવ પિતે જ. આમ આનું ઝેરી વતું ચાલ્યા કરે છે. હૈયાના મેલા ભાવથી દુર્ગુણ-દુકૃત્યનાં ઉત્થાન, અને દુર્ગુણ-દુષ્કૃત્યનાં સેવનથી મેલા ભાવનું પાષણ. એ પાછા પેલાને પુષ્ટ કરે..... એમ ચાલે છે. એ બંનેના ઉરોજકે છે વિકલ્પો.
અહીં જે વસ્તુસ્વભાવનું આલંબન પકડાય તે કવિક્રત્યે અને મલિન ભાવ પર ઘા પડે.
કુવિકપોથી હૈયાની મલિનતાનું જોર વધે છે, ને દેશ-દુર્ગદુષ્કમાં પણ વેગ આવે છે. વિકલ્પમાં ચૂંઢતાં ચઢતાં કષાય વધે છે, પછી જે વિકલ્પ તે કૌધ, યા અભિમાન, કે માય અથવા સેંભ વધવાનો.
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૨ ] "
[ રુકમી સ્વભાવાલંબનમાં શું કરવાનું ? –
ભૂલતા નહિ, વસ્તુસ્વભાવનું આમ આલંબન પકડવાનું કે એને સ્વભાવ છે કે અમુક અમુક સંગમાં યા અમુક અમુક સમયમાં એનું એમ જ થાય, તે પછી એમ થવા દે.” એમ કરી મન શાંત-પ્રશાંત રાખવાનું. એવા પ્રશાંત મનના વિચાર પૂર્વક પિતાની જાતને જે રાગ-દ્વેષ, હર્ષ–ખેર, આસક્તિ-અરુચિ વગેરેના સંલેશથી યાને મલિન ભાવથી બચાવી લેવાનું નથી, ખોટા વિકલ્પ કરી જે ચળવિચળ થયા કરવાનું છે, પ્રજ્ઞાબુદ્ધિ સ્થિત, સ્થિર, અર્થાત્ સ્થિતપ્રજ્ઞતા રાખવાની નથી, તે પછી પિતાના ગુણસામ્રાજ્ય અને ધર્મસામ્રાજ્યની સામે જોવાનું નહિ બને. પછી એ સર કરવાના આંતરિક પુરુષાર્થની વાતે ય કયાં? ' હૈયાના મેલા ભાવે અને પાપવિકલ્પને એ ખતરનાક પ્રભાવ છે કે જીવને દોષ–દુષ્કૃત્યમાં દટાયેલે રાખે! એને સ્થિરતા –સ્થિતપ્રજ્ઞતા-ગુણસામ્રાજ્ય-અનાસક્તભાવ વગેરેની આવશ્યક્તા ભાસવા જ નહિ દે, પછી આચરણા-અભ્યાસની તે વાતે ય શી? એને સારા વિચાર, સારા ભાવ, સારા વચન વ્યાપાર, સારી પ્રવૃત્તિ કશાની ય ફુરસદ નહિ હોય, કદાચ વળી બળાત્કારે કે ગમે તે રીતે સારી ધર્મપ્રવૃત્તિ-ધર્મવચચ્ચારણમાં ઘલાયે હશે તે ય કુવિકલ્પોથી એને ખરાબખાસ્ત કરી મૂકશે ! | માટે ચિત્તની સ્થિરતા જોઈતી હોય, તો કુવિકલ્પને અટકાવ્યે જ છૂટકેઃ એ અટકાવવા જ જોઈએ અને એને અટકાવવા માટે હૈયાને મલિન ભાવને રેકી આત્માના ગુણસામ્રાજ્ય –ધર્મસામ્રાજ્ય વિકસાવવાની ભારે તમન્ના ઊભી કરવી જોઈએ. આ માટે જે નહિ થાય તે સમજી રાખજે કે જીવનમાં શ્વાસ
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫]
૭૩ માટે જેટલી હવા સુલભ અને એને ઉપગ બહોળો, એના કરતાં વિકલ્પ વધારે સુલભ ને એનું સેવન અત્યધિક બહેળું ચાલ્યા કરવાનું. જુઓ સહેજ સહેજ વાત–વસ્તુમાં કુવિકલ્પને અવકાશ મળે છે, અને જીવ એમાં તણાય જાય છે. આમે ય જે વેગ હવાને નથી એટલા જબરદસ્ત વેગથી કુવિકલ્પમાં મન દેડે છે. હમણું અહીંની કઈ વસ્તુના વિકલ્પ કરતા હશે તે વળી બીજી જ સેકન્ડે મન કયાંય દૂર અમેરિકા જેવામાં પહોંચી એના વિકલ્પ કરવા માંડશે ! આ વિકલ્પોની કુટેવમાં–કુછંદમાં એ પણ વિચાર નથી રહેતું કે “આ હું ધર્મકિયામાં બેઠે છું, મંદિરમાં વીતરાગ ભગવાન આગળ ઊભું છું, તે આવા કુવિકલ્પ ન કરાય? ના, એને કઈ વિચાર નથી.
પેલા શેઠને પ્રસંગ આવે છે ને?
શેઠજી સામાયિકમાં બેઠા હતા, પણ કુવિકલ્પમાં ચડ્યા હતા. બહાર દુકાન પર કેઈ આવીને પૂછે છે, “શેઠ કયાં ગયા છે? શેઠને જોઈ લઈ છોકરાની વહુ કહે છે, “ઢેડવાડે ગયા છે.”
શેઠે અંદર બેઠા આ જવાબ સાંભળે. સાંભળીને ખીજાયા, “અરે ! હું અહીં ઘરમાં જ છું ને આ વહુ કેવું જૂઠું બેલી, રહી છે? જરા ચાબલી લાગે છે. હમણાં ઊઠીને પૂછું છું.” - શેઠનું બિચારાનું મન એર ચગડોળે ચઢ્યું. હવે સીધું સામાયિક થાય? ના, જેમ તેફાની છેકરા કેઈ ગાંડા માણસને કે કૂતરા ગધેડાને આમ તેમ દેડાવીને હેરાન હેરાન કરી નાખે છે, એમ સંકલ્પ-વિકલ્પ મૂર્ખ બનેલા જીવને ભમાવી-ભમાવીને હેરાન-હેરાન કરી મૂકે છે. ત્યાં ચગડોળે ચડેલા એ
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૪] શેઠને એટલાં ય વિચાર નથી કે હું ધર્મક્રિયામાં બેઠે છું જપીને બેસું !
પછી તે સામાયિક પૂરું કરી ને ઊઠીને વહુને કહે “કેમ વહુભા ? આ પેલાને શું જવાબ આપ્ય? શું ઢેડવાડે ગયે તે ? કેમ બહુ બેલતાં આવડે છે ?”
વહુ કહે “બાપુજી માફ કરજે, આપની દષ્ટિ ફાટેલા જોડા પર હતી એટલે ચોકકસ આપ વિચારતા હશે કે હું એને સંધાવવા મેચીવાડે જઈશ. મચી વધુ પૈસા માગશે, પણ હું મૂર્ખ નથી કે આમ પૈસા ફેંકી દઉં. હું બીજા મેચી પાસે જઈશ, એાછા પૈસામાં કામ કરાવીશ” આમ મનથી આપ મેચીવાડે હશે, તેથી મેં પેલાને એમ કહ્યું.” શેઠ ભૂલ સમજ્યો.
માટે ખેટા વિકલ્પમાં ચડતાં પહેલાં પણ કઈ પણ પ્રસંગે આમ વિચારવું કેવિચારણને ઢંગ -
શા સારૂ હું વિકલ્પમાં ચંદ્ર છું? બનવાનું એ એનાં કારણેએ બન્યું જાય છે, અર્થાત્ કાળ, સ્વભાવ નિયતિ, કર્મ, અને પુરુષાર્થ એ પાંચ કારણ સમવાય જેવો આવી મળે તેવું કાર્ય થાય એ સ્વાભાવિક છે. તે મારે એમાં મને બગાડે વાની કે ઊંચાનીચા થવાની શી જરૂર છે? અનંતાનંત કાળથી ચાલી આવતા આ સંસારમાં અનંતાનંત ઘટનાઓ એમજ પાંચ કારણ સમવાયના આધાર પર બનતી આવી છે, આજે પણ બની રહી છે, અને ભવિષ્યમાં ય બનશે. ત્યાં “આ આમ કેમ થયું? ને પેલું એમ કેમ બન્યું? જે મેં આટલું સાચવ્યું હોત, અગર પેલાએ આમ ભાન રાખ્યું હતું, તો આવું ન બનત. પણ શું
*
-
*
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫]. થાય માણસ જ વિચિત્ર!” આવા વિકલ્પ સેવવાંમાં ઘસડાવાની શી જરૂર? વસ્તુ સ્વભાવને જ ન્યાય આપી દેવાને કે –
કારણ સામગ્રી જેવી મળે તેવું કાર્ય કે ઘટના બનતી આવે એ સહજ છે. ચાલવા દે.
(૧) કાળ કાળનું કામ કરે છે.
(૨) વસ્તુને સ્વભાવ અન્યથા થાય નહિ, નહિતર એ વસ્તુસ્વભાવ શાને ? ત્યારે,
(૩) ભવિતવ્યતા વળી એનો જ તાનમાં ચાલે છે.
(૪) તે, જીવનમાં અને આપણું પિતાનાં પૂર્વઉપાર્જિત. અકાય કમ એ કાંઈ તેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આવી. મળતાં પિતાને ભાવ ભજવ્યા વિના રહે?
(૫) ત્યારે ઘટેનામાં જીવને પુરુષાર્થ–ઉધમ પણ પિતાને ફાળે નેંધાવી જાય છે. પુરુષાર્થ જે કર્યો, બાકીના ચાર કાર ણના સહકાર સાથે એ તેવું કાર્ય કરે, એમાં નવાઈ નથી.
મૂર્ખ અબુઝ જીવ નવાઈ પામે છે કે “મેં પૈસા કમાવવાને પુરુષાર્થ કર્યો હતો ને ઉલટું કેમ પૈસા ખોઈ નાખવાનું બન્યું?
પુરુષાર્થ ખોટને કેમ? ' અરે મૂર્ખ ! બીજાં ચાર કારણેને સહકાર જ એ હતું કે એથી તારે પુરુષાર્થ કમાવવાને નહિ, પણ એવા જ ગણાય. તારા જ પુરુષાર્થને વસ્તુસ્થિતિના અજ્ઞાનથી તું એાળખી ન શકે, અને સાથેની તારી ઈચ્છાના આધારે માપવા જાય કે “મેં કમાવવાની ઈચ્છાથી જ પુરુષાર્થ કરેલે, માટે પુરુષાર્થ કમાણને જ હત' એ શા કામનું ? એમ તે ઊધઈ સમજે, ઊંધી રીત
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૬ ]
[ રુમી
અને વિરુદ્ધ ઉપાયે લઈ સાદ કરે ને પૈસા સહેજે ગુમાવે તે શું એણે કમાણીના પુરુષાર્થ કર્યાં ગણાય ? કે
ખેાટના ? જો કમાણીના કહા, તેા પછી શું એવા ને એવા પુરુષાર્થ ફી ફરી ચાલવા દે ને ? ના, ત્યાં તે ઝટ કહેા છે કે એવા ઊંધા વેપલા અવળા પુરુષાથ કેમ ચલાવવા દેવાય ? ખસ ત્યારે અજ્ઞાન ઉદ્યમને સીધે। ઉદ્યમ ન કહેવાય.
ઉદ્દેશમાત્રથી પુરુષાથ અનેા નહિ.
કમાણીના ઉદ્દેશથી ઉદ્યમ એક વસ્તુ છે, અને કમાણીના ઉદ્યમ બીજી વસ્તુ છે. જુગારના નાદે ચડેલા માણસ પૈસા કમા’ વવાના ઉદ્દેશ–પ્રયેાજનથી જુગારને ઉદ્યમ કરી રહ્યો છે, પરંતુ કાઈ ડાહ્યો માણસ જુગારના ઉઘમને કમાણીના ઉદ્યમ નહિ કહે; કેમકે એમાં કમાણીની શંકા છે. ઉલ્ટુ એને પાયમાલીના પુરુષાથ કહે છે. ઉદ્દેશ અમુક હાવા માત્રથી પ્રયત્ન એના જ હાય એવા નિયમ નથી, કેમકે એમાં ભ્રમ થવાના સંભવ છે. માટે, ઉદ્દેશ ઉપરાંત એ જોવું પડે કે જે ઉપાય અજમાવી રહ્યો છે તે સાચા ઉપાય છે ? એ ઉદ્દેશને સિદ્ધ કરી આપે જ એ હકીકત છે ? જો હા, તે ત્યાં પ્રયત્નને એના પુરુષાર્થ કહી શકાય. જો મેાટી શંકા યા ઉલ્ટુ ઊંધું પડવાના જ મેટા સ’ભવ, તે એ પ્રયત્નને સફળ પ્રયત્ન, ફળવાળા પ્રયત્ન, એ ફળના જ યત્ ન કહેવાય. માટે જ જુગાર, સટ્ટો, ચારી વગેરે, એ અર્થાપાનના સાચા વ્યવસાય નથી ગણાતા. કમાણીના પુરુષાર્થ તરીકે નાકરી, અલ્પ પાપના ધધા, દલાલી વગેરેના પુરુષાર્થ ગણાય છે.
સ્વભાવના વિચાર :—
હવે આવા પુરુષા માં પણ માને કે અપવાદરૂપે કયારેક પૈસા
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫]
७७
ગુમાવવાનું થયું; ત્યાં મનને વિકલ્પ ન થાય ? ના, અહી સ્વભાવનું આલેખન. ઉપયેગી મને છે. સ્વભાવને વિચાર આ રાખવાને કે ભલે પુરુષાર્થ સીધા અને સચાટ કર્યાં, પરંતુ ફળ તે, એા સહકારમાં કાળ, સ્વભાવ, ભવિતવ્યતા અને ભાગ્ય, જેવા સ્વરૂપના આવી મળ્યા, તેવું જ નીપજે, એ સ્વાભાવિક છે. પ્રસ્તુતમાં એમાંના કોઈ ભાગ્ય વગેરે પ્રતિકૂળ હશે માટે ધાર્યુ* કમાણીનું ફળ ન થયું. એ તેા એમજ અને. ત્યાં સ`કલ્પ-વિકલ્પ કરવાની શી જરૂર છે? જે બન્યું તે સ્વાભાવિક જ બન્યુ છે.
સ્વાભાવિક એટલે કુદરતી, અર્થાત્ સમગ્ર હકીકતા પર નિર્માણ થતી વસ્તુ-સ્થિતિ.
અહી' સમગ્ર અને વસ્તુસ્થિતિ પર ધ્યાન દેવા જેવું છે. આપણે ભૂલા પડીએ છીએ ત્યારે કોઇ એક કે અમુક જ હકીકતની કડી મૂળ સાથે જોડવા મથીએ છીએ, સમગ્રની કડી નહિ. આ ખાટું છે. આથી જ વિકલ્પો ઊઠે છે, કષાય ભભૂકે છે, આર્ત્ત ધ્યાન થાય છે. જો સમગ્ર હકીકતાને ધ્યાનમાં લઈએ . તે થાય કે કુદરતી એનું પરિણામ આ જ આવે. આવા પ્રકારના સમગ્ર કારણેાથી કાર્ય ની ઉત્પત્તિ થાય એ વસ્તુસ્થિતિ કહેવાય. સ્વભાવનુ આલંબન કરવાનું એટલે સમગ્ર હકીકતને યાને સંપૂર્ણ વસ્તુસ્થિતિને ધ્યાનમાં લેવાની, એના શ્રદ્ધાળુ બનવાનુ. અર્થાત્ એવા વિશ્વાસ હાય કે અમુક પ્રકારની સમગ્ર હકીકતામાં તેવા રૂપનુ જ કાર્યો થાય એ વસ્તુસ્થિતિ છે. કુદરતી અને કાય કારણ-ભાવના નિયમસરની વસ્તુસ્થિતિ પર ખેત-ઉદ્વેગ, શાક, વિકલ્પ કરવા નકામા છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૮]
[ રુકમી - વિકટ કેમ ઊઠે છે?----
ચંચળ મનને સ્થિર કરવાની વાત ચાલી હતી. સ્થિર કરવા માટે વિકલ્પ ઓછા કરવા જોઈએ. એ વિકલ્પ ચિત્તના રાગાદિ દેના કારણે અથવા બેટી જિજ્ઞાસા આતુરતાને લીધે ઊઠે છે.
એ ટાળવા માટે એક સુંદર ઉપાય સ્વભાવાલંબનની વાત થઈ. આત્માને સ્વભાવ અને વસ્તુસ્વભાવ ધ્યાન પર લેવાથી રાગ-દ્વેષ, હર્ષ–શક વગેરે દબાય છે, તેથી વિકલ્પનું જોર કપાય છે.
બેટી જિજ્ઞાસા રોકવાને ઉપાય –
બીજી વાત, બેટી જિજ્ઞાસા–આતુરતા વિકલ્પ કરાવે છે. “એ શું? પેલું શું શું થયું? કેણ આવ્યું? કેણ ગયું ?” શું પડયું ?...” આ બધી ખેટી જિજ્ઞાસાઓ ફજુલ વિચારેને મહેકાવે છે. તે એ જિજ્ઞાસાને દાબવા માટે એક ઉપાય આ છે કે તૃપ્તિને અનુભવ કરે. તૃપ્તિની ભાવના કરવી. આંખ મીંચીને જાણે એમ માની લેવું કે જે જાણવા માગું છું તે મેં જાણું લીધું. માન ને કે ચાલુ કામમાંથી ડફેળિયું મારીને જેવા જઈશ, અને એમાં અમુક જણ દેખાયું, પછી એનું આગળ શું કરવું છે? કશું નહિ. તે જોયા વિના જ માની લે ને કે અમુક દેખાઈ ગયું. ચાલ, હવે જવા દે એની વાત, તારા જ કામમાં આગળ વધ.
માનસિક અપૂર્વ કલ્પના :
અરે! જોવા લાયક પણ કઈ ચીજ હોય, તે ય તે વગર જયે ચિત્તમાં જ જોઈ લીધી કલપી લે, ને આગળ ચાલ.
કદાચ બહારની ચીજ કરતાં વધુ સારી અંદરમાં જોવી હશે તે જોઈ શકીશ. આબૂ પર ગયા, મંદિરના દર્શન તે કર્યા પણ મને થયું કે ચાલે નખી તળાવ અને સનસેટ પોઈંટ જેવા. ત્યાં
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫]
[છ૯ મનને કહેવું અરે ! એ બહારની ચીજ કરતાં મનમાં કલ્પેલી એથી ય સુંદર જોઈ શકીશ. બહાર તે કદાચ બે માઈલનું અને સાદું તળાવ દેખાશે, પણ અંદરમાં પાંચ માઈલનું અને એમાં રાજહંસ, ચક્રવાક પક્ષીઓ, સુંદર નાવડીઓ, કિનારા પર મજેના વૃક્ષો, હરિયાળી વગેરે જેટલું કલ્પવું હશે એટલું કલ્પીને જોઈ શકશે, એમ કલ્પનાના ભવ્ય સનસેટ પિઈટને જોઈ શકશે. તે પછી બહારમાં ખેટી જિજ્ઞાસાએ કરી શું ભટકવું'તું ?
ખરી વાત એ છે કે જગતનું ન જોયામાં નવ ગુણ કેમકે જેવાથી રાગ-દ્વેષ ઊઠે છે, મેહ જાગે છે, વાસના સળવળે છે, વિકલ્પ જન્મે છે, ચાલુ શુભ પ્રવૃત્તિની શુભ વિચારધારા તૂટે છે, શુભ ભાવ ખોટકાય છે, બહારના રસથી આધ્યાત્મિક રસ ઓછો થઈ જાય છે....વગેરે વગેરે કેટલા ય નુકસાન છે.
જીવ બહારને પરિચય બહુ રાખે છે, તેથી જ એને રસ એના વિચારે વધે છે, અને એટલે જ ધર્મક્રિયા, તત્વચિંતન, શાસ્ત્રસ્વાધ્યાય વગેરેમાં ચિત્ત સ્થિર રહેતું નથી, નવકારવાળી સીધી તન્મય ચિત્તથી ચાલતી નથી. દેવના દર્શન પૂજન વગેરે બધું રખડતા ચિત્તે ! આ દુર્દશા સુધારવી હોય તે બહારને પરિચય બહુ ઓછો કરી નાખો, બાહા રસ મંદ કરી દેવો.
પ્રજગતની વચ્ચે બેઠી બહારની વસ્તુને પરિચય શે ઓછો થાય ?
ઉ –એમાં શું? જગતમાં બેઠા એટલે શું કાંઈ એવી એવી એને ગુલામી લખી આપી છે કે “તારૂં બધું જોયા કરીશ, સાંભળ્યા કરીશ, વિચાર્યા કરીશ ? ના, મનને નક્કી કરે કે
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૦ ]
[ રુકમી મારે જેવું ખાસ જરૂરી હોય એટલું જ જોઈશ, સાંભળવું અત્યંત જરૂરનું હોય એટલું જ સાંભળવાને વિચારવું જરૂરી હોય તે જ વિચારવાને.” આ નકકી કરે, તે પ્રમાણે પ્રયત્ન ચીવટ રાખે, પછી જુઓ કેટલે બધે ફેર પડી જાય છે. આ જગતનું જ જોયા કરશે તે પછી પોતાના આત્માનું કયારે જેવાના? “
જીવનની કિંમતી ઘડીઓ ચાલી જાય છે, તે અહીં જ શક્ય એવું આ મહાન કામ,-પિતાના આત્માનું જોવાનું,-એ રહી જાય છે. જગતનું તે અનંત કાળથી જોતા આવ્યા ને હજી જેવું હોય તે મળશે, પણ એમાં શે દી વળશે?
Page #94
--------------------------------------------------------------------------
________________
૬. વિકારે રોકવા તપ ને દયા
આપણે વધુ દૂર નીકળી ગયા. હવે પેલી બાલવિધવા રાજપુત્રી રુમીને પ્રસંગ જોઈએ.
રુકૂમીને રાજાના ઉપદેશનો સાર –
વિધવા બનેલી રાજપુત્રી રુમી ભવિષ્યમાં કુળને કલંક લગાડનાર કેઈ ઘટનામાં ન ફસાવું પડે એ માટે આપઘાત કરવાના નિર્ણય પર આવેલી; એને એના પિતા કેટલું સુંદર માર્ગદર્શન આપે છે એને કેટલેક વિચાર પૂર્વે આવી ગયે.
“માનવજીવન ગુમાવ્યા પછીના ભવમાં દુર્લભ સાધનાઓ મળવાને કોઈ વિશ્વાસ નિર્ણય નહિ, તે આત્માનું ઉત્થાન કરવાની તક શી? જ્યારે અહીં પૂરે અવકાશ છે, તક છે, તેમજ એવી અદ્ભુત સાધનાઓ થઈ શકે એવી છે કે જેના બળ ઉપર કલંકિત અપકૃત્ય વગેરેને અવસર જ ઊડી જાય છે ઉપરાંત આત્મામાં અજબ ગજબના પરિવર્તન થાય છે.”
એવી પ્રાથમિક ભૂમિકા સમજાવ્યા બાદ રાજાએ એ સાધનામાં પહેલી સાધના અંધ-અપગ-રેગિષ્ઠ-દરિદ્ર વગેરેનાં દુઃખનિવારક દાન તથા સંત–સાધુને દાનની બતાવી. એ કેવી
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૨]
[ રુકમી રીતે કલંકિત કૃત્યને સંભવ નિવારી શકે એનો સંબંધ બતાવ્યું. • બીજી સાધનામાં સામાયિક અને પૌષધનાં ભવ્ય અનુષ્ઠાન અને એનાં અદ્દભુત મહત્વ બતાવ્યાં. હવે આગળ શું બતાવે છે એ એના જ શબ્દમાં જોઈએ.
આગળ ૨કમીને રાજા કહે છે “હે કુંવરી ! વળી તું એ છે કે તારે ભાવી કેઈ અનિષ્ટ પ્રસંગની સંભાવના કરવાની જરૂર જ શી છે? દાન અને પૌષધ–સામાયિક ઉપરાંત ઉપવાસ વગેરે તપસ્યાઓ તું આચર. એ એવી બળવાન છે કે એ દુષ્કૃત્યને જીવનમાં પેસવા ન દે. એનું કારણ એ છે કે –
જૈન શાસનમાં તપનું મહત્વ બાહ્ય તપના લાભ -
હે સૂભળે ! (૧) તપ એ તે અનેકાનેક બાહ્ય આભ્યન્તર રેગોને નિવારનાર એક જબરદસ્ત રસાયણ છે. (૨) એનાથી ચિકણાં પણ કર્મ નાશ પામે છે. (૩) એટલે દુર્બુદ્ધિ જાગે જ શાની? જે તપ વીતરાગ થવા સુધીને સમસ્ત મેહનીય કર્મને ભુક્કો કરી નાખે, એને એથી નીચેના મેહનીય કર્મ નાશ કરવામાં શી વાર? જેને દુર્મતિ, પાપલેશ્યા, ખરાબ વગેરે ખરેખર નથી ગમતા, એણે તપને તે બરાબર પકડી લેવો જોઈએ. દુષ્ટ મતિને ખરેખર ભય છે, તે તપને તે ભારે રાગ જોઈએ, ને એનું નક્કર સેવન જોઈએ. કારણ, તપ શરીર અને મનને કસે છે.
રસકસની ખરાબ અસર –
“હે તેજસ્વિની! (૪) બીજી એ પણ વાત ખાસ ધ્યાનમાં લેજે કે આત્મામાં કામના વિકારે રસકસવાળા ખાનપાન ઉપર મહાલે છે, કેમકે એનાથી શરીરની ધાતુઓ પુષ્ટ બને, ઉત્તેજિત બને,
Page #96
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬]
[ ૮૩ એટલે એ ધાતુઓની સાથે એકમેક બનેલા આત્મપ્રદેશ પર એની અસર કેમ ન પહોંચે ? ઉત્તેજિત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અસર કર્મના ઉદય પર પહોંચે છે, કર્મને ય ઉદીરે છે. ઉદીરાયેલું મેહનીય કર્મ વાસના-વિકારને ભભુકાવે એમાં નવાઈ નથી. હા, મેહનીયને નાશ કરી નાખ્યું હોય તે પછી ચિંતા નહિ. પણ
જ્યાં સુધી તપનું આચરણ કર્યું નથી ત્યાં સુધી એ તૂટે શાના? માટે મેહનીય કર્મ છે ત્યાં સુધી રસમય ભેજનથી ડરવું જ રહ્યું.”
મહાત્માને કેમ વિકાર નહિ?
પ્ર-તો પછી ભગવાન તીર્થ કરને કેવળજ્ઞાન થયા પહેલાં ખીર વહેરાવ્યાનું આવે છે. એમ બીજા મહાત્માઓને લાડુ વહેરાવ્યાનું આવે છે. તે એમને કેમ વિકારે નથી જાગતા?
ઉ૦-એમની બીજી સાધનાઓ કેટલી ગજબનાક હોય છે એ ખબર છે? એવા પારણા ઉપર એમની ઘેર તપસ્યા દિવસરાત લગભગ ખડા ખડા કાઉસગ્ગ, એમાં પણ જબરદસ્ત એકાગ્ર થપગ-ધર્મધ્યાન,ઉગ્ર પરીસહસહન,ઘર ઉપસર્ગસહન, આ બધી સાધનાઓ એવી પ્રબળ દાવાનળ જેવી છે કે ખાધેલા ઘી દૂધને ય ૩૪ ફૂટ ફૂટ સ્વાહા કરી નાખે. ઉપરાંત એ કાન્સÍદિ મહાતપ હેવાથી મેહનીય કર્મનાં પણ જોર એવા તેડી નાખે કે જે વાસના-વિકાર જગાડવા સમર્થ જ ન હોય. એટલા બધા બિચારા એ મુડલાદ બની જાય છે. [ રાજા વિધવા દીકરીને કહે છે, “વિચાર કર રુકમી ! કે તપને તે તું આશરો લે પછી કર્મ રાંકડા શું કરી શકવાના? અને ધાતુઓની પુષ્ટતાના અભાવે આત્મપ્રદેશમાં વિકારે શી રીતે
દિ મહાસા -
બની
વિચાર
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૪ ]
[ રુક્મી
સળવળવાના ? તે તારે કલકિત અપકૃત્યના ભય જ શાને રાખવાનેા હાય ? ભૂલીશ ના કે આ બધું અહીં જીવીને જ થઈ શકે, આપઘાત કરવાથી તે અહીં પણ આની તક ગઈ, અને પરલેાકમાં તેા કાણુ જાણે ભવ કેવા ય મળે ? ત્યાં શી તક ?
અના
અહાં જે સારુ સાધ્ય છે એને જ આપઘાતથી અસાધ્ય દેવાનું વિચારમાં પણ કેમ લવાય ? તપ એ ભાવમ’ગળ:
“ હે કલ્યાણી ! તપના મહિમા તે અવનીય છે. માત્ર વિકારશાંતિ તા શુ, પણ તપ એ ભાવમંગળ હેાવાથી જ્ઞાનાવરણુ અને અંતરાય કતા પણ ધરખમ નાશ કરે છે. તું કહીશ,— પ્ર-ભાવમાંગળ તે શુભ અધ્યત્રસાય; તપ શી રીતે ? ઉ-નિરાશ ́સ ભાવે સહુ સેવાતા તપમાં શુભ અય્વસાયેાની છેળે ઊછળે છે, એટલે કારણમાં કાય ના ઉપચાર કરીને તપને પણ ભાવમંગળ કહી શકાય (૫) એનાથી એ ઘાતિયા કના નાશ થતાં થતાં અચિંત્ય સિદ્ધિઓ, અચિંત્ય લબ્ધિ, અકલ્પ્ય લાભ, યાવત કેવળજ્ઞાન પણ પ્રગટ થાય છે. મહાત્માએ ઉપયાગ ન કરે એ જુદી વાત, પણ તપથી એમને અચિંત્ય ચમત્કારિક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હાય છે. પછી એમાં કેણુ સુજ્ઞ ઉદ્યમ ન કરે ? આહારમ’જ્ઞાનું કલ"કઃ
ન્હેં સૌમ્યતિ તુ એકલા કોઇક કલંકિત દુરાચારનાં કૃત્યને જ !' એ ? પહેલી તેાવની પૂઠે પડેલી આહારસ જ્ઞા અને સુખશીલતા જ જીવને માટે ભારે કલંકરૂપ છે.
જીવના સ્વચ્છ સ્વભાવ તા અનાડુારપણાને, ઘન સ્થિરતાના અને જડ પુદૂગલની લેશ પણ ગુલામી વિનાના છે, એને આહાર પુદ્ગલના લેાચા લેવા-ઊંચકવા પડે, ઉપરાંત એની સંજ્ઞા બની
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬]
* [ ૮૫ રહે, તેમજ માટે જ આરામની સંજ્ઞા સતાવ્યા કરે, એ કલંક નહિ તે બીજુ શું છે? પરંતુ (૬) આ કલંકને ય મિટાવનાર તપ છે. તપથી આહાર સંજ્ઞા મુડદાલ બનવા માંડે છે, આત્માને અનાહારિપણાને શુદ્ધ સ્વભાવ પ્રગટે સરળ બને છે. ( અલબત, આત્માના શુદ્ધ સ્વભાવ રૂપે તપનું સેવન કરવાની ધગશ જોઈએ. મનને એમ થવું જોઈએ કે હું ઉપવાસાદિ એટલા માટે કરું છું કે મારે શુદ્ધ આત્મસ્વભાવ અના હારિપણને છે, અને એ સ્વભાવને યત્કિંચિત્ પણ સેવવાને મને રસ છે. એવા અહેભાગ્ય કયાંથી કે હું બહારમાંથી નીકળી મારા સ્વભાવઘરમાં આવું ! બ્રહ્મચર્ય, ક્ષમાદિ બધું જ આત્મસ્વભાવરૂપ; અને એ સ્વભાવમાં રમતા રહેવાય એ મારે જીવનની ભારે મેટી સફળતા !”
તપ મળ્યો તે શું ન મળ્યું ?:- “બાકી તે હે પુણ્યવતી ! (૭) તપ અને રસત્યાગાદિ આ રીતે શુદ્ધ ભાવે આત્મસ્વભાવસેવનની હોંશથી સેવ્યા હોય તે એવા ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યના શેક કમાવી આપે છે કે જેના કેટલીક વાર તે અહીં જ ઊંચા એવા અચિંત્યા ફળ મળે છે, અને પરલોકમાં તો અવશ્ય એવા કે એથી ય ઊંચા લાભ પ્રાપ્ત થાય છે, મેટી ચક્રવતી પણાની કે ઇંદ્રાદિની પદવી આવીને ઊભી રહે છે; પગલે નિધાન જડે છે; દેવતાઓ સેવામાં આવી લાગે છે, (૮) તપથી આમ દુકાળ વગેરે મોટા મેટા ઉપદ્રવ ટળે છે. સંસારના ઉત્કૃષ્ટ વૈભવ પૂંઠે લાગે છે, યાવત્ (૯) તીર્થંકરપ્રણાનું ઉત્કૃષ્ટ સ્થાન પણ ઊભું થાય છે. તપ એ તે તપ જ છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
તપની બલિહારી છે ! ફમી! તપ મળે તે શું ન મળ્યું? તપ સેવ્યા તે શું બાકી રહે?
મોટા તીર્થંકરદે પણ પિતાને એ જ ભવમાં મેસે જવાનું નકકી જાણવા છતાં ખાનપાન-સુખશીલતામાં મહાલવાને બદલે ઘેર તપનું આચરણ કરે છે, તે તું પણ એ સેવીને આ દુલભ જીવનને સારું સાર્થક કરી લે.
હે નારીરત્ન ! ભૂલી પડજે ના, અહીં આપણને અનંત પુણ્યરાશિ કિંમતરૂપે ચુકવીને અદ્દભુત વિશિષ્ટ કોટિની મન. વચન-કાયાની પુણ્યશક્તિ મળેલી છે. એ અતિશય દુર્લભ છે, એવું જ આ માનવ કાળ એટલે શું સમજે છે?
“માનવજીવન એ ધર્મ–આરાધનાનો, અન્યત્ર અલભ્ય એ, મહાન પુરુષાર્થ –કાળ છે. એ પણ અતિ દુર્લભ છે. શું તારે આ અતિ દુર્લભ પુણ્યશક્તિ અને પુરુષાર્થ કાળને આપઘાતથી એકાએક અંત લાવે છે? ઘેલી રે ઘેલી! જગતમાં બધું મળશે પણ આ અતિદુર્લભ પુણ્ય શક્તિ, પુરુષાર્થ કાળ અને તીર્થકર ભગવાનનું શાસન, એ ત્રિવેણી સંગમ કયાં રસ્તામાં રેઢો પડે છે તે મળી જવાને? આ ઉચ્ચ પ્રાપ્તિની કદર કર, મહાન કદર કર, મુખ્ય કદર કર, અને એનાં બહુ ઊંચાં મૂલ્ય સમજી એને સદુપયોગ કરવા દાન, પૌષધ, તપ વગેરેમાં લાગી જા. ધ્યાન રાખ, પુણ્ય છે ત્યાં સુધી જ પુરુષાર્થને અવકાશ છે, પુણ્ય ખુયે પુરુષાર્થ માગવા છતાં નહિ મળે. મૃત્યુ પુણ્ય ખૂટાડી દે છે. એટલે તે શુભ ભાવનામાં ચડેલા પણ જે ઠેઠ કેવળજ્ઞાન લઈ શકવાની તાકાતવાળા હતા, એ ય એકાએક મૃત્યુ થતાં માનવ-આયુષ્યનું પુણ્ય ખૂટી જવાથી પુરુષાર્થ ગુમાવતાં
Page #100
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬ ]
સ્વર્ગમાં જઈ અટકે છે. માટે અતિ દુર્લભ પુણ્યશક્તિ અને સપુરુષાર્થ –કાળને દાન, પૌષધ, શીલ અને તપમાં લેખે લગાડી દે. એમાં ખરેખર બુદ્ધિમત્તા છે.”
પ્ર–દાન, શીલ, તપ બતાવ્યા, તે ભાવધર્મ કેમ ન બતાવ્યો ?
ઉવ-ઉતાવળા ન થાઓ. હજી રાજાનું વક્તવ્ય ચાલુ છે. એ ભાવ પણ કહે છે. પરંતુ ભાવધર્મમાં તમે કયે ભાવ પ્રથમ મહત્વને સમજે છે?
વૈરાગ્યના મૂળમાં શું ? - પ્ર–વૈરાગ્યને ભાવ પ્રથમ ખરે ને?
ઉ–ખરે, પણ એ ય કયા ભાવ પર મજબૂતપણે ઊભો થાય એ વિચારે.
પ્ર-સંસાર બેટો છે, અનાદેય છે, એ ભાવ ઉપર. - ઉ૦-એ તે વૈરાગ્યનું રૂપાંતર બેલ્યા. સંસાર ખેટ શા માટે ?
પ્ર-દુઃખમય છે માટે. ઉ૦-દુઃખ શાથી? પ્ર-પાપ કરાય છે માટે.
ઉ૦-મેટું પાપ કયું? એ વિચારે એટલે મૂળ ભાવ હાથ લાગશે કે જેથી આ પાપ-ભર્યો સંસાર છે, તેથી એ અસાર, નિર્ગુણ છે, ત્યાજ્ય છે, એવે વૈરાગ્યને ભાવ જાગશે, તે બેલે એ મહાપાપ કયું?
પ્ર.-આપ જ કહો. ઉ–જુઓ આ રાજાના આગળના કથનમાંથી જ જડે છે. =
Page #101
--------------------------------------------------------------------------
________________
૨૮]
[ રુકમ તે રાજાને આગળ ભવ્ય ઉપદેશ. ' રાજા રુમીને કહે છે –
હે પવિત્ર પુત્રી ! હજી પણ એક સરસ સાધના છે, તે પણ તું જરૂર સાધ, અને તેથી પછી તારે કુળકલંક લાગે એવું અપકૃત્ય આવવાને ભય નહિ રહે. એ ગુણ-કમાઈની સાધના છે, શુભ ભાવની સાધના છે, અને એના પર બીજા ભરપૂર શુભ ભાવ દોડી આવે છે. જે જે હાં, આ ભાવ પણ ઉત્કૃષ્ટ કેટિને મનુષ્ય ભવમાં જ લાભે છે. ભવ ગુમાવ્યું બીજે કયાં એ મળવાને? આપઘાતને વિચાર સરાસર કાઢી નાખી આ સાધવાનું જ કર.
જ પ્રત્યે દયા :- “આ શુભ ભાવ જીવ–દયાને સાધવાને છે. વિશ્વના જીવમાત્ર પ્રત્યે દયા એ તે ધર્મનું મૂળ છે. ગુણેને કંદ છે. ઉન્નતિનું પહેલું પગથિયું છે, “વ્રતને આધાર છે, એક્ષમાર્ગને દરવાજો છે, આત્મદર્શન–પરમાત્મ દર્શનની આંખ છે. જેના દિલમાં દયા નથી, એને ધર્મવૃક્ષના અંકુર શા? ગુણોને સંચય કયાં? આત્માની ઉન્નતિની માંડણી શી? તેનું અસ્તિત્વ શાનું? મેક્ષ માર્ગમાં પ્રવેશ શાને? આત્મદર્શન પરમાત્મા–દર્શન થઈ જ શી રીતે શકે? If : (૧) ધર્મવૃક્ષના અંકુર માટે દયા મૂળ:
“જેને,દેવ-ગુરુભક્તિ, તપસ્યા, વગેરે ધર્મ તો સાચા સ્વરૂપમાં કૂણા પાપભીરુ દિલમાં જ ઊગી શકે. પણ ત્યાં જે જે પ્રત્યે દયા નથી, કઠોરતા-નિષ્ફરતા છે, તે કૃણાશ જ નહિ, પછી ઉપર પત્થરિયા ભૂમિમાં એ ધર્મ ઊગવાની વાત શી? માટે ધર્મવૃક્ષનાં અંકુર ઊછાડવા કયામૂળ પહેલું જોઈએ.. .
Page #102
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬]
[ ze
(૨) વૈરાગ્યાદિ-ગુણને મૂળમાં યાની શી જરૂર? એમ, વિનય, બૈરાગ્યાદિ ગુણ પણ કૂણા પાપભીરુ દિલ વિના કયાં રહી શકે ? સ્વા માયાના વિનય એ વિનય નથી. કપટીના ક્ષમાગુણુની કેઇ કિંમત નથી. બૈરાગ્ય એટલે ઇન્દ્રિયાના વિષયસુખેા પ્રત્યે નત, અનાસ્થા, ભય; સંસાર પ્રત્યે અરુચિ. સુખાની નફરત અને સસારની અરુચિ શા માટે ? એટલા જ માટે કે જેમ સુખ આપણે ચાહીએ છીએ, એમ જગતના જીવમાત્ર ચાહે છે. પરંતુ સ'સારના સુખ એમ કયાં મળે છે ? આપણી સુખ લેવાની લાલસામાં બીજા પૃથ્વીકાયાદિ જીવાનેા કચ્ચરઘાણ કાઢી એ ખિચારાના જીવનસુખ લૂટી લેતાં આંચકા આવતા નથી, વિચારસરખા નથી કે મને તે ક્ષણિક અલ્પ સુખ, જ્યારે આ બિચારા અસ ંખ્ય—અનંત જીવાને ક્રૂર માતની ભયંકર પીડા ! શું એ જીવાને સુખે જીવવાના અધિકાર નથી ? ને મને જ સુખને અધિકાર છે? એ જીવામાંના કોઇ પેાતાના સુખ માટે શુ' મને એમ કચરી ઘાલી, ફૂટી-પીટી- ખાળીને મારી નાખે, તે હુએ વ્યાજબી ગણું ? ના, તેા પછી મારે અસભ્ય પૃથ્વીકાય જીવા, અસંખ્ય અપકાય જીવા, અસંખ્ય-અસખ્ય વાયુકાય અગ્નિકાય જીવા, અનંતા વનસ્પતિકાય જીવા અને સૂક્ષ્મપ્સ્યૂલ અનેક પ્રકારના સંખ્યાબંધ ત્રસકાય જીવાને કચરવા-કૂટવા-પીટવા-ખાળવાનુ કેમ જ વ્યાજખી ગણાય ?’ વિષયસુખા લૂટવાની લાલસા પાછળ કરાતા આરંભ સમારંભમાં ચલાવાતી અસંખ્ય અનંત જીવાના પ્રાણની લૂટમાં આ વિચાર જ ક્યાં છે?
“ ત્યારે હું કુલિન ખાળા ! સંસારમાં આ જીવહિં'સા વિના સુખ કયાં છે? માટે જ,
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૦]
[ રુકમી
જે આ સંસારમાં બીજાના પ્રિય પ્રાણ લૂંટી ઘોર અશાતા આપીને સુખ મળે છે, એ આંચકેલ સંસાર-સુખના દારુણ વિપાકમાં જીવને પછી આ સંસારની દુર્ગતિઓમાં ભયંકર દુઃખ–કલેશ-ત્રાસમાં સહેજે દીર્ઘકાળ રીબાયા કરવું પડે એ આ સંસાર ગોઝારે છે. માટે એના પર વૈરાગ્ય જ હોય. સંસારનું મોટું પાપ આ જીવહિંસા છે, હૈયે પ્રત્યે દયાભાવ નથી એટલે સંસારના સુખની લાલસા બની રહે છે; નિર્ભિકપણે સુખે લેવા દોડાય છે. હૃદયમાં જીની દયા ન સ્કુરે, પછી સંસાર સુખે પ્રત્યે ઘણું, જુગુપ્સા, બૈરાગ્ય કયાંથી આવે? હાય ! મારે વિષય સુખ લેવા જતાં આ બિચારા ને સંહાર સર્જાય છે તો એવા સંહારજન્ય સુખનું મારે શું મહત્ત્વ માંડવું? ધિક્કાર છે આ સુખના રાગને! સુખની લાલસાને! ધિક્કાર હો આ સુખને ને સુખના વિષયને!” આ વરાગ્યભાવ જી પ્રત્યે દિલમાં દયાભાવ આવે તે જાગે ને?
“માટે હે વિવેકવતી ! વિનય-વૈરાગ્યાદિ ગુણોને સંચય તે પહેલી દયા હોય તે થાય. તેથી દયા એ તે ગુણોને કંદ છે.
(૩) એમ, દયા એ આત્માની ઉન્નતિનું પહેલું પગથિયું છે. કેમકે આત્માની ઉન્નતિ જીવન અનાદિ સહજ (સ્વાભાવિક ) રાગ-દ્વેષાદિરૂપ મળના હાસથી–એાછાશથી શરૂ થાય છે. પછી એના પર અપુનબંધક માર્ગાનુસારી, માર્ગ પતિત સમ્યગદષ્ટિ વગેરે અવસ્થા સર્જાય છે. આ સહજ મળને હાસ થવાના લક્ષણમાં પહેલું દુઃખિતેવુ દયા દુઃખપીડિત જીવ પર દયા છે. એને અર્થ આ, કે જે દયા નથી પ્રગટી તે સહજ મળ ઓછા થયાની કે થવાની વાત શી? આત્માનું ઉત્થાન કેવું ? ચૌદ ગુણસ્થાનકના ઉન્નતિક્રમમાં પણ પહેલા ગુણસ્થાનમાં ય નીચેથી ઊંચેની કક્ષાએ ચડવા
Page #104
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬]
[૧
માટે દયાની પહેલી જરૂર છે. કેમકે કક્ષા વધારવા ભવાઢ ગયાને સ'સાર પર ખેદ ઊભા કરવા પડે; અને તે, સ`સારની જીવિહ સામયતા જોઈ જીવદયાના પરિણામથી એવા ઘેાર સ`સાર ઉપરથી મહુમાન ઊઠી ગયે ઊભા થાય. તાપ, આત્માની ઉન્નતિનુ' પહેલું પગથિયું યા છે.
?
(૪, હું સગુણા ! ત્રાના પણ એક ઉદ્દેશ યા છે. પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ મહાવ્રતામાં પહેલુ. મહાવ્રત અહિંસા, એની રક્ષા અર્થે ખાકીના ચાર મહાવ્રત છે. પહેલુ હોય તે જ ખાકીના ચાર રહે. જો એના બદલે જીવહિંસામાં જ મઙ્ગલતા છે,હિંસાના અરેકારા નથી, તેા બીજા’ વ્રત શાના ? સત્ય ખેલે છે પણ એથી જો એ જીવહિંસાના પ્રેરક અને છે તે તે સત્ય સત્ય નથી. આમ અર્હિંસા સા મુખ્ય બની. હવે આ અહિંસા લાવવા માટે એ જીવેા પર કરુણાભાવ-આર્દ્રતા જોઈ એ જીવાને દુઃખ પડે એ જોઈ હૃદય પીગળતું નહાય છતાં અહિંસા પાળતા ઢાય પરંતુ તે ‘એમની હિંસાથી મને પાપ લાગે ને દુઃખ આવે ! માટે Rsિ'સા ન કરૂ',' એમ કરી અહિંસા પાળતા હાય; એ અહી' નિષ્પ્રાણ અહિંસા થાય. એથી શું?
અહિ’સા તે વેાના પ્રાણનું સન્માન,પ્રાણની કદર,પ્રાણની વિશેષ પસંદગીમાંથી ઊઠવી જોઇએ. જીવમાત્રની મૂળભૂત સુખેચ્છા અને દુઃખ-દ્વેષને લક્ષમાં રાખીને એ પાળવી જોઇએ. જીવાને દુઃખ બિલકુલ ગમતું નથી એ મૂળ વસ્તુ લક્ષમાં આવે તેા સહેજે દુઃખથી પીડાતા જીવો પર દયા ઊભરાય, એને દુઃખ દેવાનુ ગમે નહિ, પેાતાનુ' ચાલે તે એમને પેાતાના નિમિત્તે લેશ પણ દુઃખ ન થાય એવુ મહા અહિંસક
Page #105
--------------------------------------------------------------------------
________________
[ રુકમી જીવન જીવે. પછી એ માટે અસત્ય-ત્યાગ વગેરે મહાવતે પણ પાળે. . (૫) દયામાંથી બ્રહ્મચર્યની–મક્કમતા :
હે આયુષ્યમતી ! દયામય જીવનની બલિહારી છે. આ દયાને હૃદયમાં જે તું બરાબર ભાવે, વારંવાર એની ભાવના કરે, દિલને દયાથી ભારે ભાવિત કરે, તો એ માટે બ્રહ્મચર્યનું પાલન પણ તને ખૂબ જ ગમી જશે. એને પાકે નિર્ધાર રહેશે. કેમકે અબ્રહ્મસેવનમાં બેથી નવ લાખ માનવ જીવેને નાશ છે. માટે બ્રહ્મચર્યને નિર્ધાર થયા પછી કલંકિત અપકૃત્ય સ્વને પણ શાનું સ્કુરે? તું દયારૂપી ખેતરના રક્ષણ માટે વાડભૂત બ્રહ્મચર્યને અતિ દઢપણે પકડી રાખશે. નિરાશંસ નિઃસ્વાર્થભાવે જીવો પ્રત્યે સહજ દયા ઊભી થઈ ગઈ તે તેનું પાલન સરળ બની જાય છે. દયા એ વ્રતની વાડ છે.
(૬) વળી હે ધમપ્રિય બાળા! એ દયા મેક્ષમાગે પ્રવાસનું બળ છે. હૈયામાં જે દયા ભાવ, દયાપરિણામ, દયામય પરિણતિ જાગ્રતુ છે, તે સમ્યગ્ગદર્શનાદિ મોક્ષમાર્ગની આરાધના માટે હૃદય સારૂં બળવાન સશક્ત રહે છે. જે પ્રત્યે જે નિર્ધણિતા આવી તો હૈયું માર્ગની આરાધના માટે દુબળું અશક્ત બની જાય છે.
પ્રવ-શું સમ્યગ્દર્શનવાળે લડાઈ નહિ જ લડે? લડાઈમાં નિર્દયપણે શત્રુને નહિ મારે?
ઉ– માત્ર બહારની જ ક્રિયા ન જુએ, અંતરનાપરિણામ નિર. સમ્યગ્દર્શન જ શું પણ એથી ય નીચે અપુનબંધક અવસ્થાવાળે જીવ પણ કોઈ પણ પાપ તીવ્ર ભાવે
Page #106
--------------------------------------------------------------------------
________________
' ૯૩
પ્રકરણ ૬] નહિ કરે. મિથ્યાત્વની જાહેજલાલીમાં જે ઉગ્ર ભાવથી પાપાચરણ હતું તે હવે અહીં નહિ.
પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવરાગ રે !
–એ એનું લક્ષણ છે. એટલે યુદ્ધની હિંસાનું પાપ પણ તેવા ઉગ્રભાવથી તેવી નિર્ઘણુતાથી નહિ કરે. આ તે લડાઈ વખતે સમ્યગ્દર્શનના અસ્તિત્વનું શું, એ અપેક્ષાએ વાત થઈ. પરંતુ સમ્યગ્દર્શનની જ્યારે આરાધના જ કરવી હોય ત્યારે તે હૃદય નિણ નિર્દય રાખે ન ચાલે, દયામય લાગણી જોઈ એ. દયા તે બળ છે, સમ્યગ્દર્શનમાં ચાલવા માટે. દયાના બળ પર સમ્યગ્દર્શનની આરાધના થાય. પ્ર-ઠીક છે,જ્ઞાનની આરાધનામાં દયાના બળની કયાં જરૂર?
ઉ– જ્ઞાન પણ સમ્યજ્ઞાન જ મોક્ષમાર્ગ છે. એટલે એ સમ્યગ્દર્શનપૂર્વક જ હોય, એની આરાધનામાં દયામય હદય વિના કેમ ચાલે? વીતરાગ સર્વજ્ઞ તીર્થકર ભગવાનનાં શાસ્ત્રનું અધ્યયન-પારાયણ કરવું છે, એ નિઈણ હૃદયમાં હજુ આવે ખરું પણ પરિણત થાય નહિ. જેને જીવો પ્રત્યે સાપેક્ષભાવ નથી, જીનાં દુઃખના આર્તનાદની પરવા જ નથી “જી ભલે મરે મારે શું? એવી નિષ્ફરતા છે, એને સમ્યજ્ઞાન સાથે સગાઈ જ શાની થાય? ભલે કદાચ લોક–વાહવાહ વગેરે ઉદ્દેશથી શાસ્ત્રો ભણે ગયો હોય, પણ જેને મેક્ષાનુકૂળ સમ્યજ્ઞાનને આત્મપરિણામ કહેવાય, એ હૃદયમાં શાનો જાગે?
દા. ત. આજના સાક્ષર કહે છે ને “રાત્રિભેજનના ત્યાગને આગ્રહ આજે ન રખાય. કેમ ભાઈ? શું આજે રાત્રિ
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૪]
[ રુફમી ભજનમાં હિંસા ઊડી ગઈ? જિનાજ્ઞાનિષેધ મટી ગયે? અતિ ઝીણું કાળી જીવાત જે મેશની સૂક્ષ્મ પૂમ જેવી લાગે છે, એ રાતના ભેજન પર ઊડતી આવી બેઠી હોય, અગર રાત્રે જ ફરનારી જીવાત ભેજન ઉપર જામી પડી હોય તે શું રાત્રિભેજન કરતાં સીધી મેંમાં પધરાવવાનું નહિ બને? જીવતી ને જીવતી નહિ ચવાઈ જાય ? જેને આ હિંસાની પરવા નથી, એ જ પ્રત્યે નિર્દયતા છે, એ જ એમ બેલે કે “આજે રાત્રિ ભેજન અનિવાર્ય છે, રાત્રિભેજનના ત્યાગને આગ્રહ ન રખાય, એને કોઈ મોટું પાપ ન કહેવાય....” વગેરે, આવું ને આવું એનું જ્ઞાન સમ્યજ્ઞાન જ નથી. ભગવાને પાપકૃત્ય-ધર્મકૃત્યના વિભાગ કેઈ અમુક કાળ માટે નહિ, પણ સર્વ કાળને માટેના બતાવ્યા છે. અહંદ-વચન સનાતન સત્ય છે, ત્રિકાળાબાધ્ય છે. એને એ રીતે માનીને એનું જ્ઞાન ધરાવે એ સમ્યજ્ઞાન. એ જ્ઞાન આરાધે એ સમ્યમ્ આરાધના. પછી થોડું ન માને અને બાકીનું માને એનું બાકીનું જ્ઞાન પણ સમ્યજ્ઞાન-પરિણામ નથી. સર્વ
જી પ્રત્યે દયાભાવ લુપ્ત થવાથી આ થોડા પણ સર્વજ્ઞ વચનમાં અશ્રદ્ધા–અજ્ઞાન ઊભુ થાય છે. માટે દયા તે સમ્યગ્દર્શન -જ્ઞાન–ચારિત્ર એ ત્રણેયરૂપી મોક્ષમાર્ગ આરાધવાનું મેક્ષમાર્ગના પ્રવાસનું બળ છે, શક્તિ છે.
વ્યા આત્મદર્શનની આંખ:
રુમીને બાપ રાજા કહે છે, “હે વિનીતા! દયા એ તે આત્મદર્શન, પરમાત્મદર્શનની આંખ છે. આંખ વિના દર્શન કેવું? આંખ હોય તે જ જોઈ શકાય, દર્શન થાય. દયા
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬]
[૯૫ હોય તે જ આત્માનું અને પરમાત્માનું દર્શન થાય. દયા વિના શી રીતે બને.”
કારણ આ છે.
આત્માનું દર્શન કરવું છે એટલે કે આત્માને એના સ્વરૂપમાં જેવો છે, એળખ છે. એના શુદ્ધ સ્વરૂપમાં વિશુદ્ધ જ્ઞાન (ચૈતન્ય) છે, સુખાદિમયતા છે અને અશુદ્ધ સ્વરૂપ સુખરાગ, દુઃખદ્વેષ, કર્મબદ્ધતા વગેરે છે. જેવું આપણું જીવનું સ્વરૂપ, એવું બીજા નું. આ સ્વરૂપ જડ કાયાથી તદ્ન નિરાળું છે. હવે વાત એ છે કે કાયા સાફ નજર સામે દેખાય છે, એની અનુકૂળતા, સુખ-આરામી વગેરે ઝટ અનુભવમાં આવે છે. ને એના પર અથાગ રાગ પણ છે; એટલે બે કે ત્યાં પોતાના જીવના હિતની પરવા નથી, એટલે બીજા જીની શી પરવા કરે ? આમ એ પરવા નહિ, એટલે દયા નથી પ્રગટતી. દયાના અભાવે જીવતત્વને મહત્વ જ ન આપ્યું, જડ કાયાને મહત્વ આપ્યું. આમે ય આંખેથી કાયા જેટલી પ્રત્યક્ષ છે, દશ્ય છે, એટલે દશ્ય જીવ નથી. એમાં પાછું જીવને મહત્વ નથી આપવું, પછી આ ત્મદર્શન શી રીતે થાય? કેવળજ્ઞાનરૂપી ચક્ષુથી આત્માનું બરાબર સર્વાંશે હુબહુ પ્રત્યક્ષદર્શન કરતાં પહેલાં નીચેની કક્ષામાં રહ્યા થકા એની હૃદયથી શ્રદ્ધા-સહણ કરવી પડે, એ કરવામાં જડ કાયા કરતાં જીવનું મનોમન દર્શન કરી એનું મહત્ત્વ આગળ કરવું પડે. દયાના અભાવમાં એ કયાંથી આગળ થવાનું હતું ? - હે ગંભીરમતિ ! ઇંદ્રિયના રાગને નશો એવી ખતરનાક વસ્તુ છે કે ત્યાં બીજા છાની પરવા જ નથી રહેતી, દયા જ
Page #109
--------------------------------------------------------------------------
________________
૬]
નથી ઊઠતી; એટલે આત્માના નિરાળા સ્વરૂપની શ્રદ્ધા-સહણ -દર્શન શાનું હોય ?. -
ત્યારે દયા વિના પરમાત્મદર્શન પણ અશક્ય છે, કેમકે એમાં ભગવાનની મૂર્તિ જોઈ, પણ મૂર્તિ જેની છે એનું સ્વરૂપ ન જાણ્યું, એ કાંઈ પરમાત્મ-દર્શન નથી. પરમાત્માનું સ્વરૂપ જાણવું પડે. એ સ્વરૂપમાં પરમાત્માએ સ્વયં કરેલી અનત જીવ પર દયા અને જગતને ઉપદેશેલી દયા પણ આવે. એની શ્રદ્ધા કરીએ એમાં સહેજે દયા તત્વ આગળ થાય. હવે જે દયાની શ્રદ્ધા ધરી નથી, તે દયાના શ્રેષ્ઠ પેગંબર પરમાત્મા પર શ્રદ્ધા શી રહી ?
વળી એ પણ વસ્તુ છે કે દયાની આંખ ન લેવામાં જીવનું કાર હૃદય અને અહંવ જેર કરતાં હોય છે. એ એક મહાન અંધાપે છે. પછી ત્યાં આત્મ-દર્શન પરમાત્મ-દર્શન શાનું થાય ? એ માટે તો હૃદય મુલાયમ, દયાદ્ર, અને નમ્ર જોઈએ. નહિતર તો “શાસ્ત્રના અક્ષરો વાંચી આત્માને ઓળખી લીધે' એવી એક ભ્રમણામાત્રમાં તણાવાનું થાય. દુઃખિત જો માટે જે કમળતા નથી તો જીવતનું દર્શન કેવું ? - રુકમીને રાજા કહે છે, “હે કુળદીવી! જરા ય મુંઝાઈશ નહિ. દાન, પૌષધ, તપસ્યા કરતી રહે, અને સૂક્ષ્મ પણ પર ખૂબ દયાભાવ કેળવતી–વધારતી જા. એમાં વળી શાસ્ત્ર-સ્વાધ્યાયને બહુ અવકાશ મળશે. એથી ચિત્તમાં સર્વપ્રકાશ અને ધર્મબળ વધતું જશે. પછી તારે જીવનમાં કોઈ અપકૃત્યની શંકા જ રાખવાની નહિ રહે. મન સહજ ભાવે એના તરફ ઘણાવાળું બનશે. સત્કાર્યનો જ એક સ્વભાવ બની જશે. જીવન ખૂબ જ ઉનત બનતું જશે. એમાંનું કશું આપઘાતમાં નહિ મળે. માટે એને વિચાર સ્વને પણ લાવીશ મા.”
Page #110
--------------------------------------------------------------------------
________________
૭. રુક્મીના હૃદયપલ્ટો
ધમરાંગના ઉપાય-પ્રભાવ-દાખલા
રાજાની ભવ્ય વાણી સાંભળી રુ¥મીનુ હૃદય ફારૂં ફૂલ થઈ ગયું. પિતાના પગમાં પડી કહે છે.
‘ખસ ખાપુ ! આજે તમે મને દિવ્ય પ્રકાશ આધ્યેા ! મારે અજ્ઞાનમય અંધકાર નષ્ટ થઈ ગયા. તમારા કેટલા ઉપકાર માનું ! તમે તે માનવ જીવનમાં સુલભ મહાન સાધનાએ દેખાડી દીધી. અહા એથી કેવી સુંદર સદ્ગતિની પરંપરા ઊભી થઈ શકે! ખસ, મારે હવે કેાઈ આપઘાત કરવા નથી. આપે ફરમાવ્યા પ્રમાણે કર્યે જઈશ. ફરી ફ્રી આપને આભાર માનુ છુ.
આશ્વાસન નિટના માણસનું ભારે –
રુક્મીને વાત ગળે ઊતરી ગઈ. દુઃખના પ્રસ`ગમાં નિકટનું માણસ આશ્વાસન આપે છે, સમજણ આપે છે, તેા એની અસર પડે છે. માટે તે બિમાર બચ્ચાને માતાના એ મીઠા ખેલ કે વહાલસેાયા હાથનુ પ ંપાળવું રાહત આપે છે. ખિમારની પાસે કુટુબી એસી હુફાળા બેલ કહે, સેવા કરે, એ પેલા
19
Page #111
--------------------------------------------------------------------------
________________
[ફમી
૯૮] ને જે આશ્વાસન આપે છે તે બીજાથી નહિ મળે. આજે તે નર્સને જમાને આ ! વિદેશનું આંધળું અનુકરણ! પરસ્પરના શુદ્ધ વાત્સલ્યને નાશ ! નવા જમાનાએ આ જ આપ્યું ને?
રાજાને રુકમીના શબ્દથી આનંદ થયે. પછી એને અંત - પુરમાં સેંપી. ત્યાં રુકમીએ પણ પિતાની સલાહ મુજબ જીવન જીવવા માંડયું. દીન-અનાથ, અંધ-પાંગળા, રેગી–દરિદ્ર વગેરેને દાન દે છે, પર્વ તિથિએ પૌષધ કરે છે, સામાયિક શાસ્ત્રાધ્યયન કરે છે, દયા ભાવ ખીલવવા જીવજતના વિશેષ પ્રકારે સાચવે છે, હૃદયમાં દયાનું ચિંતન ખૂબ કરે છે.
આનું પહેલું સુંદર પરિણામ તે એ આવ્યું કે રાજકુળમાં વસવા છતાં એનું બ્રહ્મચર્ય—પાલન અદ્ભુત થવા માંડ્યું ભરચક ધર્મપ્રવૃત્તિ અને શાસ્ત્રની નવ-નવી વાતમાં રમણતાએ ચિત્તને અધિકાધિક વિષયપરા મુખ કરવા માડયું. બહાર વિલાસી વાતાવરણ છે, પણ એના મનને એની કશી કિંમત જ નથી, કશી અસર નથી. વળી પુરુષો સાથે ભળવાની વાત જ નહીં; એટલે પણ બ્રહ્મચર્ય દઢ બનવા માંડયું.
સદાચારીએ સ્ત્રી સાથે લપડાવેડા ન કરાય –
આ બહુ ધ્યાનમાં રાખવાનું છે કે વિજાતીય સાથે અર્થાત્ સ્ત્રીએ પુરુષ સાથે પુરુષ સ્ત્રી સાથે લપડાવેડા કરવાથી બ્રહ્મચર્ય યા સદાચારને મોટો ધક્કો પહોંચે છે, મન રાગવિહ્વળ બને છે, ચામડાના રૂપરંગનાં આકર્ષણ વધે છે. કદાચ કાયાથી બીજી કુચેષ્ટા થતાં વાર લાગે, તો ય દૃષ્ટિના દુરાચાર શરૂ થઈ જાય છે, વિજાતીયના અંગોપાંગ પર દૃષ્ટિ દોડી જાય છે, આત્મા ચક્ષુકુશીલ બને છે. પછી અવસર મળતાં સ્પર્શ-કુશીલ બનતાં શી વાર? માટે
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭] બ્રહ્મચર્ય કે સદાચારના ખપીએ વિજાતીયના પરિચય જ નહિ રાખવા જોઈએ, પછી એની સાથે બોલચાલના લપડાવેડાની વાતે ય શી? તે જ મન સ્વચ્છ નિર્મળ પવિત્ર રહી શકે. નહિતર જો એ પાપ મનમાં પેઠું, તે ધર્મ–ભાવનાનું આવી બન્યું ! વિષય–સંકલિષ્ટ મનમાં ધમની ભાવના, ધાર્મિક ભાવ ચાલો મુશ્કેલ. કદાચ ચલાવવા માંડે તો ય તરત વચમાં પેલે દુષ્ટ ભાવ દુષ્ટ વિચાર કુરી આવવાને. તે ય એ લાંબો ચાલશે કે ધર્મભાવને ત્યાં ઝગમગવું ભારે કઠિન !
ત્યારે વિષયલંપટ જીવનાં ઓજસ પણ હણાઈ જાય છે; એમ, ધારણાઓ નિષ્ફળ થાય છે. યવિજયજી મહારાજ કહે છે, “અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદીય સફળ ન થાય, પાપસ્થાનક ચેાથું વરજીએ.” વિજાતીયની પાછળ દિવાને બનેલે માણસ શરીરના રાજા વીર્યને નષ્ટ કરે છે, આ બધા ઉપરાંત જીવનને અંતકાળ અતિશય દુઃખદ અને પરલોક ભયંકર સર્જાય છે. '
રુકમી બ્રહ્મચર્યમાં પકવ બનતી જાય છે, ને એની છાયા બીજાઓ ઉપર ઘેરી પડે છે. મોટા દિવાને-મંત્રીએ પણ એને બહુ સન્માનની દષ્ટિએ જુએ છે. - રાજાના મૃત્યુ બાદ -
આનું પરિણામ એ આવ્યું કે જ્યારે રાજાનું આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ થયું, ત્યારે એને પુત્ર તે હતું નહિ, એટલે મંત્રીઓ વિચાર કરવા લાગ્યા કે રાજગાદી કેને સેંપવી ? વિચારણાના અંતે એમણે નકકી કર્યું કે રુમીને જ રાજ્યા. ભિષેક કરવો.
મંત્રીઓ ફમીને કહે છે,
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૦]
“ભગવતી ! જુઓ પિતાજીનું અવસાન થયું છે, અને આપને ભાઈ કઈ છે નહિ, માટે રાજ્યગાદી આપે સ્વીકારવી પડશે.”
રુકમી રાજા થવા ના પાડે છે – - રુકમી કહે, “મારે? શી વાત કરે છે? રાજા તરીકે તે કઈ પુરુષને સ્થાપ. હું સ્ત્રી જાત, મારી પાસેથી પરાક્રમની શી આશા રાખે? રાજ્ય તે પરાક્રમી ચલાવી શકે.”
મંત્રીઓ કહે છે, “માફ કરજે, આપનામાં જે પરાક્રમ અમે જોઈએ છીએ એવું આજે કઈ મરદમાં નથી દેખાતું.”
“મારામાં પરાક્રમ? શું પરાક્રમ જુઓ છે ?
આપનામાં પરાક્રમ બ્રહ્મચર્યનું અજોડ છે. આવા રાજશાહી વાતાવરણમાં રહેવા છતાં આપ મને વિશુદ્ધ બ્રહ્મચર્યની નિર્મળતા જે ઝગમગાવી રહ્યા છે એ અદ્ભુત છે. એ પરાક્રમ હજારો શત્રુઓને યુદ્ધભૂમિ પર મહાત્ કરનારા પરાક્રમ કરતાં કેઈ ગુણું ઊંચું છે.”
કુમી કહે છે, પણ એ રાજ્ય ચલાવવામાં શું કામ લાગશે? દુશ્મન રાજાને હલે આવે તે શું ઉપયોગ થવાને?
અહીં મંત્રીઓ જે જવાબ દે છે એ જોતાં પહેલાં ધર્મ રંગ શું ચીજ છે જુએ. એ વિચાર બહ તત્વ-ભર્યો છે, ઘણું ઘણી રીતે એ જીવનને પ્રેરણા આપે એ, માર્ગદર્શન કરે એવો છે. રુકમી પોતાના ધર્મમાર્ગમાં એવી લીન બનેલી છે કે એને મેટા રાજા બનવાને ય કોઈ રસ નથી. એટલે મંત્રીઓ વિનવે છે આગ્રહ કરે છે છતાં એ ટાળવા મથી રહી છે. માત્ર શબ્દને સવાસલે નથી હો, દિલની જ રાજા બનવા પ્રત્યે અરુચિ છે, એટલે છૂટવાને માટે ખેંચી રહી છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭]
[ ૧૦૧ ધર્મરંગનું લક્ષણ–પ્રભાવ:
વિચારવા જેવું છે કે મોટું રાજ્ય સામે આવે છે, છતાં ધર્મને રંગ કેક લગા હશે કે એનો કઈ રસ-ઉમળકે જાગતે નથી? તમને ધર્મરંગ તે લાગે છે ને ? લાગે તે હશે જ. તે વિના ધર્મ પ્રવૃત્તિ ડી જ કરતા હૈ? ત્યારે ધર્મરંગ પર હૈયું એમ કબૂલ કરે છે ખરું કે હવે એવા દુન્યવી પ્રભને દિલને ખેંચતા નથી?
કરે, આ કરે. ભૂલતા નહિ વીતરાગ તીર્થકર ભગવાનને ધર્મ આરાધી રહ્યા છે. એ મુડદાલ રાખનાર ન હય, સાત્વિક બનાવનારો હોય. હૈયે ગૌરવ લાવ કે “કેવા અહોભાગ્ય મારાં કે હું વીતરાગ પરમાત્માને ધર્મ પાળી રહ્યો છું. કેટલે બધો ઊંચે કેવો વિશ્વશ્રેષ્ઠ આ ધર્મ ” આવા ગૌરવ સાથે ધર્મ આરાધતાં આરાધતાં, સત્ત્વ એ કેળવે કે જીવની જડની લલચામણુ ઘણી ઘણી ઓછી થઈ જાય. દેવલોકમાં બેઠેલા ઝળહળતા સમ્યક્ત્વવાળા દેવતાઓને રીઝવવા દેવીઓને મનામણાં કરવા પડે છે. સમ્યફત્વ ધર્મને રંગ એ કે ઈન્દ્રિયના વિષયોને એ તુચ્છ દેખે, વિષયે પ્રત્યે એવી લંપટતા નહિ, ઝટ લલચાઈ-ભાઈ વિષયેને પગે પડી જવાની કાયરતા નહિ. એ સર્વ ધર્મરંગને વરેલું હાય. મિથ્યાદષ્ટિને બિચારાને મરે ! વિષયે ને વિષયપાત્રને કરગરી પડે! મોટા દેવતા પણ દેવીઓને મનાવવા મથે ! બ્રહ્મા-વિષ્ણુ-મહેશનાં ચરિત્ર કેવા સાંભળવા મળે છે? લેક એમને પરમાત્મા માને છે. ત્યારે એની સામે એક સમ્યગ્દષ્ટિ આત્મા વિષયેની લંપટતાને મહાત કરવાનું સત્વ ધરાવે છે. આ સત્ત્વ એ વીતરાગ તીર્થકર ભગવાનના ધર્મના રંગને પ્રભાવ છે..- *
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૨]
[રુકૂમ
તમે શ્રાવક તેા, વીતરાગના ધર્મ પાળે છે; તે આવે નક્કર ધરગ જમાવેા કે જડ વિષયાનાં પ્રલેાલન ઘણા ઘણા કચરી નાખ્યા હેાય. આ કરશે તેા જ જીવન જીતી જશેા. નહિતર સમજી રાખો કે ‘હું ધર્મપ્રવૃત્તિ કરૂ છુ, મને ધ ગમે છે, એટલે પરલેાક સારા મળશે,’— એવા વિશ્વાસમાં ઢગાશેા, ધરંગ નહિ એટલે વિષયગુલામી વિષયલ પટતા પાકી ! એ ભવાંતરે જપવા નિહ દે. મનુષ્ય જીવનમાં એ કેળવ્યાના પાયા બહુ ઊંડા જાય છે, સંસ્કાર ગાઢ પડે છે. એ સ્થિતિ ન થવા દેવી હાય તે ધમ રંગ ઊભા કરે, દૃઢ કરેા.
ધરંગ ઊભા કર્યાંનું પ્રતિક આ કે વિષયેાતી લપતા અને જડનાં આકષણ મેાળાં પડે,
પ્ર૦-ધમરગને એની સાથે શા સબધ?
ઉ—સંબંધ આ, કે સાચા ધમર્ગ જ તે છે કે જેમાં ભવાભિન’દીપણું પુદ્દગલાન દ્વીપણુ' ન હેાય; એમાં તે સહજ –સ્વાભાવિક ભવેદ્વેગ હેાય; ભવ પ્રત્યે, સંસારના વિષયસુખા પ્રત્યે અતરની અરુચિ હાય; એને નિર્ગુણ, નિસ્સાર, વિટંબણારૂપ દેખે, આ હાય તા જ ધરગ જીવંત કહેવાય. વિષયા ગમે છે, મહુ અને ધર્મ પણ ગમે છે, ધર્મના રગ છે,-એ એ વાત ખનવાજોગ નથી.
રાજ ‘ભવનિક્વેઆ' પહેલુ કેમ માગવાનું?
આટલા જ માટે, કે ભવનિવેદ યાને સંસાર ખેદ હાય તા જ આત્મા પર ધર્મના રંગ ચડે. વિષયાના રંગ આદેશ થયા વિના ધર્મના રંગ ચડવાની વાત શી ? ધર’ગ છે તે વિષયાની એવી તીવ્ર લલચામણુ ગઈ.
Page #116
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ ]
[ ૧૦૩
રુકૂમી, મંત્રીએ રાજ્ય ધરે છે, આગ્રહ કરે છે, છતાં લલચાતી નથી દીઘ કાળ, રઆદર સાથે અને વિધિસર એવું જૈન ધર્મનુ પાલન કર્યું છે કે એમાંથી જામેલા ધર ગ
૧
આગળ એને રાજ્યસ ́પત્તિ તુચ્છ લાગે છે.
આત્મા પર ધર્ગ ચડાવવા માટે
આ જરૂરી છે કેઃ— (૧) ધર્મનું દીકાળ સેવન કરતા રહેવુ' જોઇએ. અલ્પ કાળ સેવન કરીએ અને આપણે માનીએ કે ધર્મના ર’ગ ચડી જાય'-એ ભરેાસેા રાખવા ખાટા છે. એનુ કારણ એ છે કે આત્મ પર પાપસ્થાનકાના રગ અસ્થિમજ્જાને લાગ્યા છે. રગરગ અને રામરામમાં લાગી ગયા છે. દા. જરાક-શે સ્વા સાધવામાં આરંભ સમારંભથી સૂક્ષ્મ જીવાની હિંસા થશે' એના વિચારે ય નથી આવતા; પછી અરેકારે તેા શાના હાય ? એવા હિંસા-પાપસ્થાનકના રસ રંગ આત્મામાં પાકા લાગી ગયા છે. એવુ' બીજા પાપસ્થાનકે અંગે. આ હિ'સાદિ–ક્રોધાદિ-રાગાિ પાપસ્થાનકના રંગ ઉતારી અહિંસાદિ, ક્ષમાદિ અને વિરાગાદિ ધર્મના જો રંગ ચડાવત્રા હાય, તેા કેટલાય લાંખા કાળ સુધી એ અહિંસાદ્ઘિની પ્રવૃત્તિઓ કરતા રહેવુ પડે. ત્યારે એ અહિં સાહિની સાથે કઈંક સગાઈ થાય, હૈયે એના રંગ ચડે, પછી એને કઈક સહજ જાગવાનુ... અને. વિદ્યાભ્યાસમાં શુ થાય છે? લાંબો ટાઈમ એની પ્રવૃત્તિ કરતાં કરતાં વિદ્યાના રંગ ચડે છે, કળા-કસબના ઉદ્યોગ લાંખો સમય કરવાથી એના રસ જાગે છે. ઉદ્યોગથી રસ વધે. એવું ધ રંગ ચડાવવામાં,
(૨) એ પણ ધ પ્રવૃત્તિએ ખૂબ-આદર-સત્કાર-બહુમાન સાથે સેવાય, ત્યારે ધર્મના રંગ ચડે. નહિંતર તા દીર્ઘ કાળ
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૪]
' [ રુકૂમી શું, આખી જિંદગી અને દર સાથે કે આદર વિના તેવા ઉત્કટ પ્રેમ-બહુમાન વિના રાબેતા મુજબ, શૂન્ય મગજે, અથવા બીજા કઈ મલિન ઉદેશ ઉપરના આદરથી કરાય, તે ય તે ધર્મરંગ ન ચડે. (i) પૂજારી જિંદગીભર ભગવાનની પૂજા કરે છે, છતાં પણ એને ક્યાં દિલમાં અહંદુભક્તિને રંગ જામે છે? કેમ નહિ? કહે એ આદરથી નથી કરતે. (ii) બાઈ એરમાન છોકરાનું કાર્ય વર્ષોના વર્ષે કરે છે છતાં ઓરમાન છોકરા પ્રત્યે હૈયામાં રંગ નથી લાગતું; કેમકે દ્વેષ છે. (i) બાળકને શાળાએ જતાં પહેલાં અલબત્ આદર નથી, પરંતુ તે તે નાદાન છે અણસમજણું છે ત્યાંસુધી. જરા સમજતું થાય એથી આદરથી જતું થઈ જાય છે, તે પછી એને નિશાળ-ભણવાને રંગ લાગે છે. એકેએક ધર્મ પ્રવૃત્તિ આદર-પ્રેમ-બહુમાનથી થવી જોઈએ, તે જ ધર્મને રંગ લાગે.
(૩) ધર્મને રંગ ચડાવવા વિધિની પણ જરૂર છે. ધર્મ દીર્ધકાળ આદરથી સેન્ચે જવાય તે પણ જે વિધિપૂર્વક, તે સાચો ધર્મપર રંગ લાગે. ચૈત્યવંદન જે મુદ્રાએ કરવાનું કહ્યું, તે મુદ્રાથી કરવાની ચીવટ રખાય તે જ તે વાસ્તવિક વંદનાને રંગ લાગે. ગમે તેમ ડીંડવાણું ચલાવ્યે જવામાં એ ન બને. જ્ઞાનીઓએ મુદ્રાની વિધિમાં મહાન તત્વ જોયું હશે માટે જ એના પર ભાર મૂક હશે ને? એને આવશ્યક કહ્યું હશે ને? દાન સુબ્રમપૂર્વક દેવાય, દેવાધિદેવનાં દર્શન વંદન-સંભ્રમ-રોમાં– ચપૂર્વક “અહો કલ્પવૃક્ષને ટપી જાય એવા અચિંત્ય ફળને આપવાવાળું આ ભગવદ્ –દર્શન-વંદન મને મળ્યું ! એવા ભાલ્લાસ પૂર્વક કરાય ત્યારે એને રંગ લાગે છે. એક માનવરાજાની
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ ]
[ ૧૦૫
કે સ્વર્ગના દેવની ઉપાસના પણ વિધિપૂર્વક કરાય તેા જ ફળે છે, તા દેવાધિદેવનાં દર્શન-વંદનાદિ વિધિની પરવા કર્યાં વિના કરવાથી ક્ળે ? ધર્મના રગ લાવવા વિધિના પણ ખપ કરવા જોઈ એ, મનમાં વિધિના આગ્રહ જોઈએ.
રાજપુત્રી રુક્મી આ રીતે દાન–પૌષધાદિ ધર્મપ્રવૃત્તિ કરે છે, તેથી એને ધર્મના સારા રગ લાગી ગયા છે. એના પ્રભાવે મંત્રીએ એને રાજ્યગાદી લેવાનું કહે છે છતાં એને એની લલચામણુ નથી. એટલે જ જ્યારે એણે એમને કહ્યું કે ‘રાજ્ય ચલાવવું એ તેા પરાક્રમી મરદનું કામ; મારા જેવી સ્ત્રી શુ કરી શકે ?” ત્યારે મંત્રીએ કહે છે કે આપનામાં ધર’ગ અને બ્રહ્મચર્યંનું તેજ જે છે, એ સૌથી મેટું પરાક્રમ છે, માટે રાજ્યગાદી સ્વીકારી લે.’
હજી પણ ધર્મના સાચા રંગને લીધે મેાટી રાય–સપત્તિ ઠકુરાઇને ય તુચ્છ ગણનારી રુક્મી કહે છે કે ‘શું બ્રહ્મચર્ય એ રાજ્ય ચલાવવા ચાગ્ય · પરાક્રમ ? એ દુશ્મન રાજાના હલ્લાને હટાવી શકે ?’
બ્રહ્મથર્ય એ પરાક્રમ ?
મત્રીઓ કહે છે, ‘હા, એજ પ્રથમ નંખરનુ` પરાક્રમ છે કેમકે શારીરિક બળ કે મગજના રક્ જે પરાક્રમી કાર્યાં નથી કરી શકતા, એ ધર્મના રગ અને બ્રહ્મચર્ય લાવી શકે છે. કુદરતના કાપ સામે ટક્કર ઝીલવાની અને એના અનર્થા ટાળવાની તાકાત કાઇનામાં હાય તે તે આ દયા-તપસ્યાદિ ધમ અને બ્રહ્મચય માં છે. જબરદસ્ત ખળવાન રાજા તેા શુ, પણ દિવ્ય શક્તિવાળા દેવતા પણ આનાથી અાઈ જાય છે, અને કશુ
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ]
[ રુમી
અનિષ્ટ કરી શકતા નથી. એ ગનુ જડ કાયાના મળમાં, જડ સાધનાની વિપુલતામાં નથી. આપનુ' બ્રહ્મચર્ય-પરાક્રમ એટલી અદ્ભુત તાકાતવાળું છે કે એના પ્રભાવે રાજ્યમાં ભારે સલામતી અને આમાદી રહેશે. એ અદૃશ્ય મળ અદ્ભુત કામ કરશે. દુશ્મન રાજાએ પણ પ્રભાવિત થઈ ઉલ્ટાં મિત્ર બની જશે. માટે રાજ્યગાદી સ્વીકારી લેવાની કૃપા કરે.’
આધ્યાત્મિક સાધનાનું બળ :
મત્રીઓએ આ કથનમાં એક મહાન તત્ત્વ મૂકી દીધુ... ! લેખાજ છે હાં, ભૂખ નથી. સમજીને જ ધરગની અને ખાસ કરીને બ્રહ્મચર્યની અનન્ય અદ્ભુત તાકાત માને છે. ભૌતિક સાધના જે કામ ન કરે તે આધ્યાત્મિક સાધનાઓ કરી શકે છે.
-
જડ સામગ્રી દુશ્મનને કે વિઘ્નને ઊઠવા જ ન દે એવું નથી હાતુ; જ્યારે આ પ્રખર ધર્માંર્ગ અને બ્રહ્મચર્ય અને ઊઠવાજ નથી દેતા, એવુ' અને છે; અને કદાચ ઊઠે તેા જડ સામગ્રીથી એ રેાકાય કે ન ય કાય; પરંતુ આ આધ્યાત્મિક સપત્તિથી એ અટકી જાય છે, હુટી જાય છે.
અરે! સામાન્ય રોગની ખામતમાં જીએ,-પ્રબળ બ્રહ્મચર્યવાળાને રાગ પ્રાયઃ ઊડશે જ નહિ. ત્યારે દવાદારૂની બહુ સામગ્રી પાસે છે એ કાઈ રાગને ઊઠવા જ નથી દેતી એવું નથી. વળી ઊઠેલા રાગને નિવારવાનું' મહાન સામર્થ્ય પ્રાચય માં છે. પેથડશાહે બત્રીસ વર્ષની ઉમરે બ્રહ્મચય ઉચ્ચરેલુ, એમની શરીરે એઢેલી કાંખળીની એ તાકાત હતી કે એને આઢવાથી રાણીના ને રાજાને તાવ ઊતરી ગયા ! વિચારવા જેવુ' છે કે
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭]
[ ૧૦ વૈજ્ઞાનિક સાધન પર આજે શ્રદ્ધા બેસી જાય છે, અને આધ્યાત્મિક સાધન પર નથી બેસતી! પરંતુ એ અજ્ઞાન દશા છે. આજની છેલ્લી શેની દવા-ઇંજેકશનથી રોગ જવાની શ્રદ્ધા ઝટ થાય છે. પરંતુ અરિહંતના નામ-પ્રણામથી રેગ જાય એ ક્યાં મનમાં રમે છે? તે પછી શું –
તુજઝ પણ વિ બહુફલે હાઈ પાવંતિ ન દુખ-દોગચં;
પ્રભુ ! તને પ્રણામ કરવાથી દુઃખ-દુર્ગતિ ન આવે,આ લખ્યું છે તે અમસ્તુ? ખોટું? શું એમ નથી બની શકતું ને લખી નાખ્યું છે ! કે આપણી શ્રદ્ધા નથી ? શાસ્ત્રવચન પર શ્રદ્ધા ન હોય તે સમ્યકત્વ રહે?
આજના કાળે તે વિશેષ કરીને “આધ્યાત્મિક-ધાર્મિક સાધનાની અચિંત્ય શક્તિ છે_એવી શ્રદ્ધા ઝગમગાવવાને કાળ આવી લાગે છે, જેથી આ કાળના નવા નવા ફતવામાં મન લુબ્ધ ન બને, ડહોળાઈ ન જાય. અટલ શ્રદ્ધા કેળવવાની અને એ માટે વારંવાર ભાવના ભાવ્યા કરવાની કે “મારા અરિહંતમાં અને એમની ઉપાસનામાં તેમજ ત્યાગ-તપસ્યા અને કાર્યોત્સર્ગ બ્રહ્મચર્યાદિમાં જબરદસ્ત તાકાત છે અચિંત્ય શક્તિ છે કે જે સર્વ વિપત્તિ ટાળી દે અને પરમ સંપત્તિ પમાડી દે.” ધમપ્રભાવના દાખલા :
આ ભાવવા સાથે અવારનવાર એના દાખલા ય યાદ કરવાજેમકે –
શ્રીમતી નવકાર ગણીને અંધારામાં રહેલા ઘડામાંથી પતિની આજ્ઞાનુસાર ફૂલની માળા કાઢવા જાય છે. અંદરમાં
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૮]
[ રુક્મી
ખરેખર તેા સાપ મૂકેલા છે; પણ હાથમાં ફૂલહાર જ બહાર આવે છે! શ્રીપાલ–મયણાને અરિહંતનાં અત્ય`ત ભાવભર્યાં દશ નચૈત્યવંદને પ્રભુના અંગ પરથી હાર અને શ્રીફળ હાથમાં આવી પડે છે !
દમયંતીને જગલમાં નળરાજા છેડી ગયા પછી અજગર, ચાર વગેરેના ભય આવે છે, પણ નવકારના સ્મરણે એ આપત્તિ ટળી જાય છે. સાત વરસ ગુફામાં એણે શાંતિનાથ પ્રભુની ભક્તિ કરી ત્યાં પ્રસંગ આવતાં અદ્-ભક્તિના પ્રભાવે એ મૂશળધાર વરસાદને અમુક કુંડાળા પર પડતા અટકાવી તાપસાનું રક્ષણ કરે છે.
કચ્છી શ્રાવકના શુદ્ધ નવસ્મરણના પાઠે સમુદ્રનુ તાફાન મિઢાવ્યુ અને સ્ટીમર સ્વસ્થ થઈ !
એમ ત્યાગ વગેરેમાં જુઓ,—
‘શ્રાદ્ધવિધિ’માં આવે છે કે ભિખારીને રાજ એક જ ધાન્ય એક જ શાક, એક જ વિગઈ, ઉપરાંતના બાકીના ત્યાગના પ્રભાવે રાગ નષ્ટ, દરિદ્રતા નષ્ટ, મહા શ્રીમંતાઈ અને પરભ ખાર વરસની દુકાળીના ગ્રહાને ફેડી નાખવાનું અને છે ! શ્રીપાત્ર આંબેલના પ્રભાવે કાઢ ફાગ મટી જાય છે ! અને સ'પત્તિ આવી મળે છે.
દ્વારિકામાં બાર વરસ તપસ્યાદિ ચાલ્યું, તેા દ્વૈપાયન તાપસદેત્ર દ્વારિકાને આંટા મારતા રહ્યો પણ ખાળી શકયા નહિ. પછી લેાક ભુલાવામાં પડયું કે હવે તેા દેવ જતા રહ્યો લાગે છે, એમ કરીને રંગરાગમાં લાકા પડયા તા દેવતાએ આગ લગાવી.
Page #122
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ ]
[૧**
સુદત્ત મુનિવર ઉદ્યાનમાં ધ્યાનમાં હતા. ત્યાં શિકારે નીકળતા રાજાએ મુંડિત મસ્તકવાળાનું દર્શન અપમ ́ગળ થયું માની એમના પર શિકારી કૂતરા છેાડયા, પરંતુ મુનિના તપસયમના તેજથી, ધસમસતા આવેલા કૂતરા પણ શાંત થઈ ગયા ! અને રાજા ખસિયાણા પડી ગયા !
સુદર્શન શેઠને શૂળીએ ચડાવવા લઈ જાય છે, એ સાંભળી એમની પત્ની મનેારમા કાઉસગ્ગ-યાનમાં રહી, ને શાસન દેવતા હાજર થઈ પૂછે છે, ‘શુ છે?’
•
મનેારમા કહે છે, જૈન ધર્મની આ હીલના ? પવિત્ર પતિ પર આ આપત્તિ ’
તરત દેવતાની શક્તિથી શૂળીનું સિંહાસન થઇ જાય છે. કૃષ્ણ વાસુદેવ જરાસંઘ સાથેના યુદ્ધ વખતે દુશ્મનની જરા વિદ્યાથી કૃષ્ણનું લશ્કર મૂતિ થઈ જતાં અઠ્ઠમ અને પાર્શ્વપ્રભુના ખળે પાતાળમાંથી શંખેશ્વર પ્રભુની પ્રતિમા મેળવે છે! ને એમના સ્નાત્રજળથી જરાવિદ્યાને હટાવી મૂકે છે ! વ્રતધારીના પ્રભાવના દાખલા
―――
ત્યારે બ્રહ્મચર્યના પ્રભાવમાં અહીં રુમી રાજાના પ્રસંગમાં આવશે કે રાજકુમારના બ્રહ્મચર્યના પ્રભાવે કેવી મહાન આપત્તિ ચમત્કારિક રીતે દૂર થઇ જાય છે!
મનારમાને શાસનદેવતા તુષ્ટમાન થયાનું આવ્યું તેમાં ય મૂળ પ્રભાવ સુદર્શન શેઠના બ્રહ્મચર્યના તેા ખરા જ. કલાવતીને સતીત્વના પ્રભાવે, કપાયેલા કાંડા પણુ પાછા આવ્યા ! એમ,
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૦]
[ રુકૂમી રતિસુંદરીએ દુષ્ટ દમન રાજાને મેહ ઉતારવા કટારીથી પિતાની આંખના ગેળા કાઢી આપ્યા, કહ્યું “લ્યા આ આખે, તમને ગમે છે ને?” ત્યાં રાજાને મદનાવેગ ઉતરી ગયે અને હવે કલ્પાંત કરે છે કે “હાય? મેં આ સતીને કેવું નુકશાન પહોંડયું?” ત્યાં શાસનદેવતા સતીના સતીત્વપ્રભાવે આકર્ષાઈ એની આંખે સાજી કરી દે છે!
અનાથી મુનિના વ્રતના તેજ અને આત્મકથાથી રાજા શ્રેણિક અંજાઈ ગયો. જૈનધર્મ પામી ગયો!
નાગકેતુના સમ્યકત્વ તથા તેને જિતેન્દ્રિયતાના પ્રભાવે દુષ્ટ દેવતાએ નગરને નાશ કરવા વિકૃલી મોટી શિલા એને સંહરી લેવી પડી અને નાગકેતુના ચરણે આવી પડે!
બાર વતની કથાઓમાં આવે છે કે દિશાપરિમાણ જીવનભર માટે જેણે ૧૦૦ એજનનું રાખ્યું છે એવો શ્રાવક પિતાના પુત્રને સર્પઝેર ઊતારનારી ૧૧૦ ચેજને રહેલી ઔષધિ, પાસે ગગનગામિની વિદ્યા છતાં, વ્રત સાચવવાની ટેકમાં લેવા નથી જતે; એને બાપ મુંઝાય છે. ત્યાં વ્રતના પ્રભાવે શાસનદેવી હાજર થાય છે.
' બાપને કહે છે, “ફાંફા શું મારે? વ્રત ભંગાવવાથી સારૂં થવાનું હતું? તમારા સુપુત્ર તે કુળદીપક છે, મહાપ્રભાવી છે. એના હાથનું પાણુ જ છેટાને? એના વ્રતના પ્રભાવે પિતનું ઝેર ઉતરી જશે !”
બસ, તેમ કર્યું અને ઝેર નષ્ટ થઈ ગયું ! સતી સુભદ્રાના નિર્મળ શીલના પ્રભાવે કૂવામાંથી કાચા
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ ]
[ ૧૧૧
સૂતરે ખાંધેલી ચાળણીએ પાણી કાઢ્યું; નગરના બંધ દરવાજા પર એ છાંટતાં દરવાજા ખૂલી ગયા!
આવા તે અણુનેાંધ્યા પણ દાખલા જગતમાં પાર વિનાના અને છે, જેમાં અદ્ભક્તિ-નવકારમંત્ર-નવસ્મરણાદિ સ્તત્ર યા ત્યાગ-તપ, કાર્યાત્સગ -બ્રહ્મચર્ય વગેરે આધ્યાત્મિક સાધનાથી ભય'. કર પણ કષ્ટ ટળે છે, આપત્તિ અટકે છે, ને મહાસ`પત્તિ મળે છે! એની શ્રદ્ધા–આદર છેાડી કેવળ જડ ભૌતિક અને માંત્રિક સાધનામાં જ અટવાયા રહેવું, એમાં ધશ્રદ્ધા પણ ગુમાવવા જેવું થાય છે, અને જિંદગીભર હેરાનગતિ તથા પરલાકે દુગતિ –સર્જન થાય એ જુદુ !
પ્ર૦—આધ્યાત્મિક ઉપાયાતુ આજે ફળ કેમ નથી દેખાતું? ઉ૦-એમ લાલસા–આશંસાથી એ સેવાય એનુ' તેવુ ફળ ન આવે. આ તે બધી શુદ્ધ દિલની નિરાશસ ભાવે સેવેલી અહં ભક્તિ-તપ આદિની સાધનાની સફળતાની વાત છે. માત્ર ગરજ પડી ત્યારે એ સ્વાથે લઈ બેઠા સાધના; એનુ એવુ મળ નહિ.
(i) એ તેા સાધનાના જીવન-વ્યવસાય મનાવી દીધા હોય, (ii) તે પણ નિષ્કામ વૃત્તિએ આત્માનું પવિત્ર કન્ય
માનીને
-
(iii) કેવળ શુદ્ધ આત્મકલ્યાણના ઉદ્દેશથી,— (iv) અથાગ શ્રદ્ધા ભક્તિ સાથે,
(V) આત્માના કમ રાગ અને વાસના રોગ નિવારવા માટે જ, એ સાધનાઓ આરાધાતી હાય,
ત્યારે અવસર આવ્યે એ ચમત્કારિક પણ લાભ અતાવે
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૧૨]
[ રુકમી છે. માટે એ રીતે સાધના મા.
મંત્રીઓ રાજપુત્રી રુકુમીને બ્રહ્મચર્યાદિમાં આ જોઈ રહ્યા છે, એટલે એ કહે છે “આપના બ્રહ્મચર્ય પરાક્રમે રાજ્ય સુત્રવસ્થિત ચાલશે. માટે જરૂર રાજયગાદી સ્વકારી લે. એવી અમારી નમ્ર આગ્રહભરી વિનંતિ છે.'
કમીની તાત્ત્વિક વિચારસરણી -
રુમી જુએ છે કે “મારે મારી ધર્મ-સાધનાઓમાં આ રાજાપણાની જવાબદારી અને મહામૈભવ સત્તાસન્માન એ દખલરૂપ છે,
આ ઠકુરાઈ તે માત્ર એક ભવની લીલા; પણ પછી આગળ પદ્ભવે ઘેર અધારું !
ત્યારે સ્વસ્થ ચિત્તની નિષ્કામ ધર્મસાધના તે અહીં પણ બાદશાહી આંતરિક સુખ દેખાડે અને ભવભવને ઉજાળનારી થાય.
જીવને ખાવું પીવું પરિમિત, બાકી મોટા સત્તાવૈભવ તે કેવળ માનસિક અહંકારને પોષનારા જ બને છે કે હું રાજા! હું મેટો શ્રીમંત : રાત ને દિવસ ચિંતામાં બળવાનું. એનાથી ભવ-ભવના મુસાફર જીવને શું વિશેષ? શા સારૂ મારે આ આપદા વહેરવી ?
જુઓ એની તાત્ત્વિક વિચારસરણી.
મહાન આત્માઓ પ્રલોભનને અવસર આવ્યે સજાગ થઈ જાય છે, ને તત્ત્વદષ્ટિથી વિચાર કરે છે.'
સ્થલભદ્રજીને કેશા વેશ્યાને ત્યાંથી તેડાવી રાજા નંદ મંત્રીમદ્રા ધરે છે, કહે છે “ આ મારી ગંભીર ભૂલ કે મેં
Page #126
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭]
[૧૧૩. તમારા પિતાજીને બેઈ નાખ્યા! હવે એમના સ્થાને તમે મંત્રી થાઓ. તમને મંત્રી કરું એ મારું પ્રાયશ્ચિત્ત. સ્થૂલભદ્રજીની તત્વવિચારણા :
સ્થૂલભદ્રજી કહે છે, “આલેચી આવું.' વિચાર કરવા માટે પાછળ વાડીમાં જાય છે, વિચારે છે, “શું કરવું ? (૧) મોટા મંત્રી પ્રધાન બનવામાં સત્તા-સન્માન-વૈભવ તે મળે; પરંતુ જોખમ કેટલું બધું ? રાજા–વાજાં ને વાંદરા, કયારે ફરી બેસે એને ભરેસે નહિ, (૨) વળી રાજ્ય ખટપટની ચિંતા ભારે ! માથે લટકતી તલવાર લઈ જીવવાનું. (૩) એમાં પહેલું આ કેશ સાથે નિશ્ચિત્ત મનથી આનંદ લૂંટવાનું જ ફૂલ! (૪) વળી વિશેષ તે અનેક પ્રકારના પાપ-પ્રપંચમાં ચડવાનું મન થાય. (૫) પલેક સુધારવાને બદલે કાળે અંધકારમય કરવાનું બને. (૬) તે આવા માત્ર અહંભાવ પિષવાના સુખ-વૈભવથી શું? અહંન્દુ ને સુખલંપટતાથી માનવ જીવનમાંની સ્વાત્માની ઉન્નતિ કરવાની તક બરબાદ થઈ જાય. ત્યારે આ કેશાના સંગમાં પડી રહેવામાં પણ શું છે? એ જ અંધકાર ! માટે હવે તે હું પરલેક-હિતસાધક ચારિત્ર જીવન જ સ્વીકારું.”
બસ, સ્થૂલભદ્રજીએ ત્યાં જ કેશને લેચ કરી નાખી સાધુવેશ સજી લીધે ને આવ્યા રાજા પાસે,
રાજા સ્તબ્ધ થઈ જાય છે કે આ શું? આ તે મંત્રી પણાને બદલે સાધુપણું લીધું દેખાય છે! પૂછે છે,
કેમ આલેચી આવ્યા ? મસ્તકે હાથ બતાવી સ્થૂલદ્રભજી કહે છે, “હા જુઓ આ
Page #127
--------------------------------------------------------------------------
________________
[ રમી
૧૧૪]. લેચી આવ્યા. મંત્રીપણાની ઠકુરાઈ પર વિચાર કરતાં એથી ય કંઈ ગુણી ઊંચી ચારિત્ર-જીવનની ઠકુરાઈ પર મન બેઠું. બસ, ધર્મલાભ” કહી ચાલી નીકળ્યા. શ્રુત કેવળી ભગવાન સંભૂતિવિજય આચાર્ય મહારાજ પાસે જઈ ચારિત્ર સ્વીકારી લીધું. આ શાનું પરિણામ ? તત્ત્વદષ્ટિની આલેચના વિચારણાનું. લક્ષ્મણનું મૃત્યુ : રામ પાગલઃ લવણ-અંકુશ વિરાણી –
દેવતાની રામચંદ્રજી મરી ગયાને દેખાવ કરવાની મશ્કરીથી એ સાચું માની લક્ષમણજીને આઘાત લાગે! ને ત્યાં ને ત્યાં જ એ મૃત્યુ પામી ગયા ! હવે રામચંદ્રજી ભાઈના અતિશય ગાઢ રાગને લીધે એમ મરેલા માનવા તૈયાર નથી, એટલે પાગલની જેમ લક્ષ્મણના મડદાને બોલાવવા મથે છે. ખવરાવવા-પીવરાવવા મથે છે ! કંઈ વાત તો કર. કેમ રીસાઈ ગયે છે? મારી સાથે કદી નહિ ને આજે રીસ?” એમ કહે છે! મંત્રીઓ અને બધા ગભરાઈ ગયા. હાહાકાર મચી ગયો ! રામ નથી તે લક્ષમણને મડદાને જીવંત માની કેઈને અડવા દેતા, કે નથી હવે કાંઈ રાજય વહીવટ સંભાળતા. બસ એક જ કામ, પ્રાણપ્યારા ભાઈ લક્ષ્મણને મનાવવાનું !
ત્યાં રામના પુત્રે લવણ અંકુશ (લવ-કુશ) આવીને મંત્રીઓને કહે છે, “અમે જઈએ છીએ ચારિત્ર-દીક્ષા લેવા.”
મંત્રીઓ ચંકી ઊઠયા ! સમજે છે કે “આમના જેવા રાજયધુરાને વહન કરવા મહા સમર્થ બીજા કેણ છે ? અને આ સંસાર છેડી દીક્ષા લઈ લે તે પ્રજાની કેવી કરુણ સ્થિતિ થાય ?” એ વિચાર પર ગળગળા થઈ ગયા, આમે ય લક્ષ્મણજીના મૃત્યુ અને
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭]
| [ ૧૧૫ રામચંદ્રજીની પાગલ જેવી અવસ્થા પર આંખ ભીની તે થઈ જ હતી, એમાં આ લવણ-અંકુશ જતા રહેવાનું કહે છે. એથી મંત્રીઓનું હૈયું ભરાઈ આવ્યું, આંખમાંથી દડદડ પાણી વહે છે, રોતાં રોતાં કહે છે.
ભાઈ સાહેબ! આ શી વાત કરે છે ? કાકા ગુજરી ગયા છે, બાપાજી રાગમૂઢ બન્યા છે. એવા અવસરે તે રાજ્યનું સુકાન તમારા માથે છે, ત્યાં કયાં આ છેડવાની વાત કરે ? તમારા જેવું કેણ સમર્થ છે આવું મોટું રાજ્ય સંભાળવા માફ કરે, રહેવા દ્યો હમણાં આ ચારિત્રની વાત. દયા કરે સૌના ઉપર. પગે પડી વિનવીએ છીએ તમને..
વૈરાગ્ય કેમ કઠિન :કાળો કપાત છે ચારે કેર! મેટું કુટુંબ રેઈ રહ્યું છે! પ્રજા ઈ રહી છે! આખું મંત્રીમંડળ રેતાં આજીજી કરી રહ્યું છે! એમાં ભલભલાના છક્કા છૂટી જાય. વૈરાગ્ય બૈરાગ્ય કયાંય ઓગળી -પીગળી બાફવરાળ થઈને ઊડી જાય ! “હશે ત્યારે આ બધા રેઈ રહ્યા છે, ને આપણા પર જ આધાર રાખી રહ્યા છે, તે મૂકે હમણું આ દીક્ષાની વાત. આવા કલ્પાંત કરતા હજારે માણસે અને પ્રેમાળ કુટુંબીઓને કેમ એકદમ તરછોડાય ? આટલા અધાના હૈયાના કલેશ પર લીધેલા ચારિત્રમાં સ્વાદે ય શું આવે? શી શાંતિ રહે?” આમ દયા ઊભરાઈ, સંસારમાં ફસી રહેવાનું મન થાય.
બીજી બાજુ પ્રલેભન મેટું છે. આ સ્થિતિમાં આવવા મેટા રાજયનું હવે રાજાપણું મળે છે, બહુ આગ્રહથી સત્તાધીશ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૬]
[ રુકમી સમ્રાટ થવાનું આવે છે. મહામંત્રીઓના માથે અધિપતિપણું પ્રાપ્ત થાય છે. આવી રાજયસંપત્તિ, વૈભવ-સત્તા-સન્માન તાબેદારીભર્યું કુટુંબ વગેરેની લીલા મળે છે. એથી પણ મનડું લેભાઈ જાય, વૈરાગ્ય ઓગળવાની વાત શી, પહેલાં તો વૈરાગ્ય ઊઠવાના જ ફાંફા હેય.
લવણ-અંકુશની સામે આ જબરદસ્ત પ્રલેભન ઊભા થયાં છે, છતાં લલચાવાની વાત નથી. તેમ બધાના કલ્પાંત પર ખોટા પીગળી જવાની વાત નથી. એ તે તત્ત્વદષ્ટિથી જુએ છે. વસ્તુતત્વને ઊંડાણથી વિચાર કરે છે. મંત્રીઓને કહે છે – | લવણ-અંકુશની વિરાગ વાણી –
“જુઓ, પ્રજાની અને બધાની વાત કરે છે, પણ પહેલાં અમારા આત્માની સલામતીનું શું ? સ્વપ્ન પણ કલ્પના નહોતી ને આ કાકાને જમરાજ ઉપાડી ગયા! તેમ મહાવિવેકી પિતાજીમાં તદ્દન અસંભવિત ગણાય એવી મડદાને જીવંત માનવાની આ પાગલ જેવી દશા એકાએક થઈ છે. આ સ્થિતિમાં અમારા પણ આત્માનો શે ભોસ કે એને કઈ એવી મૃત્યુ કે પાગલતા જેવી પીડા-આપદા ન આવે ? આત્મા પર ચૅટેલા અસંખ્ય જનમનાં છપાં કર્મના રાશિમાં શી ખબર કે કેવાં વિચિત્ર કર્મ ભરાયા પડયાં છે અને કે ઉદય અણધાર્યો દેખાડશે ?
આ જગત અને એના સંયોગો તે માયાજાળ છે. જીવન પાણીનાં પરપોટા જેવું નાજુક છે. આયુષ્યની દોરી તૂટીની બૂટી નથી. વીતરાગ ભગવાનના શાસનની આરાધનાને મળેલ મહા દુર્લભ પુરુષાર્થ કાળ એમ જ વેડફાઈ રહ્યો છે. જે બંધને. તેડવાની અનુપમ જીવન તક અહીં મળી છે એ કરવાનું રહી જાય,
Page #130
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૭ ]
[૧૧૭ જિંદગી પૂરી થઈ જાય, પછી તક ગયે એમાંનું શું થઈ શકે? જગતમાં બંધનેના ગંજના ગંજ વધારવાના ભવ લાખ ક્રોડે ! પણ બંધન સમૂળગા તોડી નાખવાને ભવ આ એક મનુષ્ય ભવ. માટે અમારે તે એજ કર્તવ્ય છે. એ માટે ચારિત્ર લેશું. રાજય તે પ્રજાનાં પુણ્ય પ્રમાણે ચલાવનાર ગમે તે કઈ સંભાળી લેશે.”
લવણ અને અંકુશ કટોકટીના પ્રસંગે સજાગ બની તત્ત્વદષ્ટિથી નિહાળે એટલે નેહીઓનાં રુદન કે રાજ્યના લેભથી લહેવાઈ લલચાઈ જતા નથી, ને ચારિત્રમાર્ગે જવા બધું છોડી ચાલી નીકળે છે.
HU
Page #131
--------------------------------------------------------------------------
________________
૮. રુમી રાજા : તત્ત્વરસ-ધર્મરુચિ
સફમીની સામે પણ પ્રલોભન આવ્યું છે. મંત્રીએ રાજ્યગાદી સ્વીકારવા કહી રહ્યા છે, ત્યાં ફમી સજાગ છે, તત્ત્વદષ્ટિથી જુએ છે “આ ભાર ઉપાડવામાં ધર્મસાધના ઘવાય. તેમ સત્તા–વૈભવમાં અહંકારના સુખ વિના બીજું છે પણ શું?” કહે છે, “આ મારું કામ નહિ, તમે કેઈ સુયોગ્ય પુરુષને રાજ્ય સેપે. મારે મારી સાધના જ બરાબર છે. મંત્રીઓ કહે છે, “આપને તે એ બરાબર છે. પરંતુ એ સમર્થ સુયોગ્ય કઈ દેખાતે નથી જેને રાજ્ય-માલિકી સેંપાય. આપનામાં એ પુણય છે, આપના નિર્મળ બ્રહ્મચર્યતેજમાં એ સામર્થ્ય છે; માટે આપે જ રાજ્ય સ્વીકારવું પડશે. નહિતર તે અમને રાજ્ય તથા પ્રજા પર મોટું જોખમ જણાય છે.” | કમી હવે કેમ રાજય સેવા તૈયાર? - - હવે રુફમી વિચાર કરે છે કે હજી મારે હમણું ને હમણું ચારિત્ર લેવાને વીલાસ નથી. એટલે સંસારમાં તે રહેવું જ પડે એમ છે. અલબત એમાં ય ધર્માનુષ્ઠાનમય જીવન જીવવા રાજ્ય-ખટપટ નકામી છે; છતાં આ લેકે પ્રજાના સંરક્ષણને સવાલ કહે છે એ વિચારણીય છે. તે હમણું તે રાજ્યધુરા
Page #132
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮]
1 ૧૧૨ સંભાળું, તે દરમિયાન એવું બળ કેળવતી જાઉં કે અવસરે સંસાર ત્યાગ કરી ચારિત્ર જીવન સ્વીકારી લઉં.”
આ વિચારમાં રુકમીને ધર્મની ધગશ તો છે જ. મારા મંત્રીઓના આગ્રહ પર રાજ્યગાદી સ્વીકારવાનું વિચારે છે. એ કેઈ સત્તા–વૈભવ ભેળવી લેવા માટે નહિ, એટલી સાવધાની છે. ધર્મરંગને એ પ્રભાવ છે. છતાં એને ભાવ ભૂલાવે છે એ આગળ દેખાશે.
તે શું પતે આ યોગ્ય પુરુષાર્થ વિચારી રહી છે?
ના, મંત્રીઓના આગ્રહ આગળ અને દાક્ષિણ્યને લીધે એટલું મન નબળું પડયું છે. નહિતર પિતાના ધર્મ પ્રવૃત્તિમય જીવનના નિર્ણય અને રસને એમ વિચારી વળગી રહેવું જોઈતું હતું કે હું ગમે તેમ તે ય વિધવા છું. રાજાપણાને હો મારા માટે મહા જોખમી છે. ધર્મ અને બ્રહ્મચર્ય ને સ્ત્રીપણું અને તે પણ વિધવા સ્ત્રીપણું, એને સામાન્ય સત્તા–વૈભવ પણ ટક્કર લગાડી જાય ! તે આ તે મેટુંરાજાપણું એમાં ટક્કર ન લાગે એવા વિશ્વાસે કેમ ચલાય ? જે મારે રાજ્યગાદી નથી લેવી, તે આ લકે તે ગમે તે સમર્થને રાજા તરીકે શોધી કાઢશે. દુનિયા કયાં રસાતળ ગઈ છે ? બહુ રત્ના વસુંધરા.” આ કઈ વિચાર કર જોઈતો હતે. પરંતુ
જીવની અનાદિ કાળથી આ સ્થિતિ છે કે જે એને ઈટ વસ્તુ આગ્રહ-કાલાવાલા સાથે કેઈ આગળ ધરે, તે કેટલીયવાર એ મનામણાંય વિચારને શિથિલ કરાવવાનું એક નિમિત્ત બની જાય છે. મનગમતું સત્કાર સાથે સામે આવ્યું કે મન ઢીલું પડ્યું.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૦]
[ રુક્મી
“સત્કારમાં ઢીલા પડવાના અનાદિના રાહુ પલટવા હિત અને કર્તવ્યને જ શ્રેષ્ઠ મનગમતું બનાવવાની જરૂર છે, એટલે સુધી કે એની સામે પછી એની ખાધક ગમે તેવી વસ્તુ ગાવે છતાં લલચાવાનું નહિ.અહિ રુક્મી એક વિધવા યુવતી છે,એની ક્ષાના હિસાબે રાજ્યગાદી એના હિંત-કન્યને પ્રતિકૂળ ગણાય. તા મત્રીઓ ગમે તેટલા આગ્રડ કરે છતાં એ ન સ્વીકારવાના વિચાર શા માટે ઢીલા પાડવા ?
આપણે હિત અને કર્તવ્યને પ્રતિકૂળ વસ્તુમાં ન પડવાના વિચાર આમ જ ઢીલા પાડીને ભાવી અનને નેતરૂ આપીએ છીએ,ભવિષ્યમાં ખતરામાં પડવાની શકયતા ઊભી કરીએ છીએ. રુક્મી અજાણ્યે આ કરી રહી છે. એણે મંત્રીઓનું કહેવુ' માન્યુ અને રાજ્યગાદી પર એના અભિષેક થયા.
રુક્મી હવે રાજા છે, એનું પુણ્ય એવું છે કે જેથી રાજ્યવ્યવસ્થા સારી ચાલે છે. રાજસભા ભરાય છે એમાં આને યમના રસ છે એટલે શાસ્ત્રોની વાતા ચાલે છે. એ સાંભળવા કેઈ બ્રાહ્મણા, જોગી, ખાવા, વગેરે પણ આવે છે.
પૂના કાળ શાસ્ત્રચર્ચાએ સાંભળવાના રસવાળા. એનુ એક ખાસ કારણ આ હતુ` કે ઈન્દ્રિયાના વિષયસુખા અને એનાં સાધનામાં એકાંગી લંપટતા અને આંધળે! રસ નહાતા, ગળાબૂડ ખૂંચામણુ નહાતી. નહિતર એ લ'પટતા, એ રસ અને એ ખૂંચા મણમાં તે ધર્મશાસ્ત્રાની વાતા જીવને બિચારાને નીરસ-ફીક્કી લાગે. પછી ફુરસદ હાય તા પણ એના તરફ શાના ખેંચાય ? આજે આ સ્થિતિ દેખાય છે, એમાં વળી આજનાં છાપાં, રેડિયા,
Page #134
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮]
[૧૨૧ સિનેમા, નેવેલે, કલબ-કેન્સર્ટી વગેરે સાધનોએ દાટ વાળ્યો છે! પ્રજાના માનસ પર એ કેફ ચડાવ્યું છે કે રાત ને દિવસ જડચિંતા જ ઘર કરી ગઈ છે. ચેતન આત્માની વાતને, પરમાત્માની વાતને, શાસ્ત્ર-તની વાતને કઈ રસ નહિ. એટલે મૂળ જિજ્ઞાસા જ એની નહિ.
ગદષ્ટિ – પણ જાણે છે ખરા કે તત્વજિજ્ઞાસા એ તે આત્મપ્રગતિને પાયે છે? શાસ્ત્રકારો આત્માની પ્રગતિની આઠ યોગદષ્ટિ બતાવે છે.ગદષ્ટિ એટલે મોક્ષની સાથે યોગ કરાવી આપે એવા ઉત્તરોત્તર વિકાસવાળું મનનું વલણ, આત્મ-પરિણતિ, આંતરપ્રકાશ. મેક્ષેપગી ધર્મ સાધનાઓમાં યોગદષ્ટિનું આ આત્મવલણ જરૂરી છે, નહિતર એ સાધના શુષ્ક કેરી દ્રવ્યક્રિયારૂપ થાય, ઘાંચીના બેલની ભ્રમણકિયા જેવી થાય. એમાં જાતને છે ત્યાંને ત્યાં રાખવા સિવાય બીજું પરિણામ નહિ. સાધના કરવા છતાં જીવ જડના ઘેરાવામાં જ ગૂંથાયેલે! માટે ધર્મ સાધના–ધર્મકિયાની સાથે અંતરમાં ધર્મ વલણ-ધર્મપ્રકાશ–ધર્મદષ્ટિની જરૂર છે, વલણના ચડ-ઊતર અનેક પ્રકાર છે. એને ગદષ્ટિઓ કહે છે. મહાન ગુણ તત્ત્વજિજ્ઞાસા :
ગદષ્ટિના પાયામાં પહેલી દષ્ટિમાં તત્ત્વને અષ, અને બીજીમાં તત્ત્વજિજ્ઞાસામાં છે. જીવ અનાદિની પશુસંજ્ઞારૂપ ઘદષ્ટિમાંથી ઊંચો આવી ગદષ્ટિમાં પ્રવેશે ત્યાં એને ધર્મની -આત્માની યેગની-તત્ત્વની વાતની અરુચિ મટે છે, ને પછી એની જિજ્ઞાસા જાગે છે, પશુસંજ્ઞામાં તે જડની જ હવા મગ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૨]
[કૃમી, જમાં પ્રાપ્ત રહે એટલે આ જિજ્ઞાસાની વાત કેવી? એને કઈ રસ જ નહિ.
વિચારે આજની દશા. ધર્મતત્વનું પુસ્તક વાંચતાં, વ્યાખ્યાન સાંભળતા, કે શાસ્ત્ર–વાચના લેતાં વચમાં કાં આવે છે? એમાં જ પાછી જે કઈ સંસારની વાત નીકળે તે પાછા ટટાર થવાય . કાં કેણ લાવે છે? કહે છે,
પ્ર-દશનાવરણ કર્મના ઉદયથી જ ઊંઘ આવે ને ?
ઉ – અરે સાંસારિક વાતે, વેપારની વાતે, ને લાડવાની વાતે વખતે એ ઉદય કયાં ભાગી જાય છે ? સિનેમામાં એક ઝોકું નથી આવતું. રાતના ત્રણ કલાક ગપ્પા મારતાં કઈ જ કાને અનુભવ નથી. શું કારણ ? ત્યાં રસ છે, ધર્મ–તત્ત્વની વાતમાં રસ નથી, જિજ્ઞાસા જ નથી. ઉપર ઉપરથી લાગે કે “ના, રસ તે ઘણે ય છે પણ કોણ જાણે કેમ કાં આવે છે ?” કિન્તુ અંદરથી તપાસો કે ખરેખર શુદ્ધ ધર્મ-તત્વની જિજ્ઞાસા ઝળહળે છે?
તત્ત્વજિજ્ઞાસા તે જ ઝળહળે કે દુનિયાદારીની વાતને રસ છે થાય છે અને એ માટે એમાં બહુ ગૂંથામણ કામની નહિ. એમાં ને એમાં જ રચ્યા પચ્યા રહેવું હશે, વાતે તે એની જ, પ્રવૃત્તિ તે એની, જનાઓતે એની જ, વિચારણામાં તે એનું એ જ, બસ જીવન જ એનું તે પછી રસ એ દુનિયા દારીને જ પોષાવાને, એ અર્થ-કામને જ રહ્યા કરવાને. ત્યાં ધર્મ-તત્ત્વના રસને જાગવા, જાગતે રહેવા, જગ જ ન મળે.
મગજ પર અર્થ-કામની વાતોને જ ભાર મગજને ધર્મતવથી વેગળું રાખે છે, એનો રસ જાગવા જ ન દે. અંતરમાં
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ ].
[૧૧૨૩ જિજ્ઞાસાઓ, ઈછાઓ, કેડ, વિચારે તો ઘણય ઊસ્તા હોય પરંતુ બધા જ અર્થ કામની બાબતેના! સાંસારિક બાબતના ! કાયા અને કાયાના સંબંધી પરિવાર પસા-ઘર-દુકાન–વેપાર-વિષયેના. તપાસી જુઓ જીવનમાં, આ સિવાય બીજું કાંઈ છે? આજે તે આની મફતિયા બિનજરૂરી પ્રવૃત્તિ કેટલી બધી વધી ગઈ છે?
ડી, ફુરસદ હોય તે ય મન પર એ બાહ્ય પ્રવૃત્તિને કેટલો ય. ભાર રહે છે તેથી વિચાર એના ચાલે છે. પછી ત્યાં તત્વજિજ્ઞાસાને સ્થાન જ શાનું મળે? સમજી રાખે –
જ્યાં સુધી દુન્યવી વાતના ભાર ઓછા નહિ કરે ત્યાં સુધી ધર્મતત્તવને રસ જાગશે નહિ.
દુનિયાદારીની જ ગડમથલ કર્યા કરવી હશે તે પછી ભલેને કદાચ જૈન કુળમાં જન્મી ગયા તેટલા માત્રથી દહેરે ઉપાશ્રયે જશે ખરા પણ હિંયામાં એને રસ નહિ છલકાય. પેલાને મગજ પર ભાર છે એટલે વિચારે એના જ આવ્યા કરશે. ખુદ ભગવાનની પાસે પણ ભગવાનના નહિ, કિન્તુ કાયા-માયાના જ વિચાર આવ્યા કરશે. “મારું શરીર બરાબર નહિ, વજન ઘટી ગયું છે. ખેરાક બરાબર લેવાતો નથી, છોકરે માંદે રહે છે, આજ બજારમાં વહેલા જવાનું છે, મેંઘવારી અને માલની અછત ઘણી ! ...” આવા કંઈક ને કંઈક લેચા વળતા રહેશે. બે મિનિટનાં પ્રભુદર્શન કે બે મિનિટની નવકારવાળી પણ સીધી નહિ ચાલે. તે શું એમ માને છે કે આમ આત્માને ઉદ્ધાર થશે?
આત્માનો ઉદ્ધાર કરે હશે તે દુન્યવી વાતનાં ખેંચાણ અને ગડમથલ ઓછી કયે જ છુટકે છે.
મન એના ને એના વિચારોમાં તણાયું જવું જોઈએ.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૪]
[ રુમી નહિતર સ્વપ્નામાં પણ એ જ ચમક્યા કરશે. ત્યાં સ્વપ્ન પણ તત્વને રસ-જિજ્ઞાસા નહિ જાગે, ધર્મ પ્રવૃત્તિ સ્થિર-શાંત-પ્રફુલિત ચિત્તે ન થાય તે એ વિના ત્યારે આત્માને ઉદ્ધાર શાને? મટેડીના ઘરની ગડમથલ તો એક કીડે પણ કર્યા કરે છે. માણસ જે માણસ પણ એટલું જ કરે ?
જડથી છૂટવા સુંદર વિચારણા
ધર્મતત્ત્વને રસ જગાડે, જિજ્ઞાસા ઊભી કરે, પછી એની પાછળ પેલે ભાર ઓછો કરવાનું થશે. મનને એમ થશે કે “શા સારૂ આ જડમાં ને જડમાં મરી રહ્યો છું? તેની ચિંતા કેની વેઠ કરી રહ્યો છું? જે ચંચળ છે, વિનશ્વર છે, એક ભવનું જ છે, જે મૂકીને જ મરવાનું ચાલ્યા જવાનું છે! એની આટલી બધી ચિંતા-ગડમથલ? આત્માથી જે તદ્દન પર છે, જેને મારા આત્માના હિતની જરાય પડી નથી, કશી લેવાદેવા નથી, એની ને એની ચિંતામાં રાત ને દિવસ? જીવનને સમગ્ર કાળ કાઢવાને? જીવન જીવતાં જે આનું આજ કર્યા કરીશ. તે પછી આનું અભ્યાસી મન જીવનના પાછલા ભાગમાં અને અંતકાળે બીજું કયાંથી વિચારી શકવાનું હતું? જીવનભર મનથી જે ઘુંટ ઘુંટ કર્યું એ જ અંતકાળે અને પછીને ભમાં આવડવાનું. ત્યારે એ કાયામાયાની–ચિંતા–વિચારોને અંતકાળ કેટલે બધે કરુણ બને? પરલોકના ભય કેવા દારુણ આવીને ઉભા રહે ? શું હું ત્યારે સમજી બુઝીને મારી જાતે જ કરુણ અંતકાળ અને દારુણ પરલેકની તૈયારી કરૂં? મૂક માથાફેડ, જડને એ હું વેચાણ નથી, ગુલામ નથી, કે રાત ને દિ એની જ ચિંતા કર્યા કરૂં. કાયા -માયાને ચાલવું છે કર્મના હુકમ મુજબ,મારી ચિંતા મુજબ નહિ.
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮]
[ ૧૨૫
પાછળ તૂટી મરૂ
પછી નાહક શા સારૂ એની કાયા–માયાની ચિ'તા શિરપાવમાં કરુણ અંતકાળ અને દારુણ પરલાક આપે છે, તે શા માટે એવી ચિંતા કર્યાં કરવાની મૂર્ખાઇ કરૂ ?’
આવું કાંઈક મનને સમજાવાય, સજાગ કરાય, વારવાર આ ભાવના કરાય, તેા પછી એની એ લત ઓછી થાય, પરની ચિંતા રોકી રોકીને ધર્મ-તત્ત્વની તરફ દૃષ્ટિ લઈ જવાનુ` કરાય. જિજ્ઞાસા વધે, ‘લાવ, ધર્મ જાણું, તત્ત્વ સમજી. ધર્મ શું છે ? તત્ત્વ શું છે? એનાં ખાદ્ય અને આભ્યન્તર સ્વરૂપ કયાં?’ આની પશુ. - વારંવાર ભાવના થાય એટલે એ સાંભળવાની તાલાવેલી લાગે, ધ રુચિ માટે વિચારણા :
મનને એમ થાય છે કે,-‘જે જગપૂજ્ય અને સુરાસુરેન્દ્રથી સેન્ય વીતરાગ સજ્ઞ તીર્થંકર ભગવાને પેાતાના જીવનમાં ધ આચર્યાં, ને તત્ત્વનાં ધ્યાનમાં વર્ષોં સુધી ખડે પગે રાત્રિ દિવસે કાઢયા, તે ઠેઠ સર્વજ્ઞ બનવા સુધી એમાં ને એમાં જ મચ્ચા રહ્યા, પાછું સજ્ઞ થયા પછી જિ ંદગી સુધી એના જ ઉપદેશ કર્યા; અને તે મેટ મેટા શેઠ શાહુકાર અને રાજા મહારાજાઓએ પણ ઝીલ્યેા, જીવનમાં ઉતાર્યાં, એ ધનુ... અને તત્ત્વજ્ઞાનનુ મહત્ત્વ કેટલું બધું ? આવા રુડા માનવ અવતાર અને ટંકશાળી ધર્મ-તત્ત્વમય જિનશાસન મળ્યા પછી એ ધર્મ-તત્ત્વને જાણવા આદરવા સિવાય બીજું કયુ કામ મહત્ત્વનું હાય ? -છતી માનવભવની વિશિષ્ટ બુદ્ધિ-શક્તિએ ધર્મ-તત્ત્વ જાણવા સમજવાની તાલાવેલી ન હેાય એ તે કોઈ જીવન છે? એ સમજ વિના જીવ, લેાકની જેમ, કેવાં અજ્ઞાન ધેારણ, મિથ્યા હિસાખ-લેખાં, અને કાળી લેશ્યામાં નિરંતર રમ્યા રહે છે! એથી કેવા પાપના
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૬ ]
[રુકુમી
ચૈાક,અશુભ અનુખ ધ અને કુસ સ્કારાની જંગી વૃદ્ધિ ઊભી થાય છે ! માટે લાવ, ધર્મ-તત્ત્વને જોઉં, જાણુ, ગુરુપાસે જઈ,એ સાંભળુ, સમજી,-‘તત્ત્વની અરુચિ મૂકીને આવી જિજ્ઞાસા-શુશ્રુષા જગાવીએ ત્યારે યાગની પહેલી—ખીજી—ત્રીજી—દૃષ્ટિમાં અવાય. ત્યાં ધર્મીના પગથિયાં ચઢયા ગણાય, નહિતર તે આંગણામાં ય કયાં ? વિચારી જુઓ.
પૈસાની ભૂખ છે, ખાવાની ભૂખ છે, રંગરાગ ભોગવવાની ભૂખ છે, માન-આબરૂ આરામી અને આ બધા અંગે કેટલ' ય જાણવાની ભૂખ છે, પરંતુ ધર્મ તત્ત્વ જાણવાની ભૂખ કેટલી?
દીકરા દેશાવર ગયા છે એના સમાચાર રાજ જાણવાની ભૂખ છે, પરંતુ રાજ ભગવાનના ધર્મ-તત્ત્વ જાણવા સાંભળવાની ભૂખ નથી, ગજમ છે ને?
દુનિયાની રજ રજ વાત જાણવાના અભખરેશ છે, એનું એ રાજ ને રાજ સાંભળવાના રસ છે, નથી અલખરા કે રસ ધમ તત્ત્વ જાણવા—સાંભળવાના ! ધમ તત્ત્વ અંગે ગાંડિયા મનને એમ થાય છે કે ‘રાજ એનુ એ શુ' સાંભળવું હતું ? એ જાણીને શે વિશેષ?” જે ધમ સાધવેા છે, જે તત્ત્વ સમજ્યા-વાગાળ્યા પછી જ પાપ ધ્યાનથી છૂટી ધધ્યાનમાં અવાય એમ છે,એ જાણવાની ને રાજ સાંભળવાની મનને ભૂખ, રસ, અલખ નહિ ! ને ઉપરથી એને નિરુપયેાગી લેખે છે! એમ મન ગાંડિયું ઘેલું મૂઢ નહિ તે નું શું ?
દેવદર્શન-પૂજા, તપ-જપ,-વ્રત-નિયમ બધું કરો જાએ, પણ ધમ તત્ત્વની જિજ્ઞાસા જ નહિ, ઉલ્ટું અરુચિ, તા યોગની પ્રારભિક દષ્ટિમાં પણ ક્યાંથી અવાશે ?
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮]
[ ૧૨૭ મન પરનાં કાયા માયાથી ચિંતા વિચારણાના ભાર અને ખેંચાણ કયાંથી એાછા થવાના હતા? બંને જરૂરી છે, આનાં ખેંચાણ આની ગડમથલ ઓછી કરે અને ધર્મતત્ત્વની જિજ્ઞાસા ખૂબ ખૂબ જગાવે.
કાળબળ ઓળખે. આજને કાળ કાયા-માયાની ધૂમ વાતથી સળગી ઉઠે છે. એમાં આ સાવધાની-જાગૃતિ ન ઉભી કરી તે એ વાતમાં બળી સાફ થઈ જવાશે !
કુમીની રાજ સભામાં શાસ્ત્રની વાત -
પૂર્વના કાળે આટલી બધી જડની વાતે નહોતી, તેથી રાજસભાઓમાં પણ શાસ્ત્રોની વાત ચાલતી, તત્ત્વની વિચારણાઓ થતી. રાજા રુકમીની સભા પણ એમાં ઝીલી રહે છે. એ સાંભળવા દેશ દેશાવરથી માણસે આવે છે. જેગી, તપસી, સંન્યાસીઓ આવે છે. શાસ્ત્ર-ચર્ચાઓ સાંભળવા સાથે રમીના બ્રહ્મચર્ય અને ધર્મરંગની સુવાસ લઈ જાય છે. એથી દેશદેશાવરમાં એની ખ્યાતિ પ્રસરતી જાય છે. લેકે વાત કરે છે, “રાજા રુમીને હામ-દામ-ઠામ બધું છતાં, સંપત્તિ-સત્તા-સન્માન બધું છતાં, કેવું એનું નિર્મળ બ્રહ્મચર્ય! કેટલી પવિત્ર બાઈ? ભાઈ ! એને જ પ્રભાવ છે કે આજે એના રાજ્યની જાહોજલાલી છે, પ્રજા સર્વ વાતે સુખી છે, દુશ્મન રાજા કોઈ રહ્યા નથી...” વગેરે વગેરે.
લોકોની વાત શી ખેટી છે? ઊંચી સત્તા, ઊંચા સન્માન અને ભર્યા શૈભવ પાસે છતાં વ્રત-તપસ્યા, અને ધર્મસાધના ઉપરાંત બ્રહ્મચર્યનું પાલન કરવા એ કેટલી બધી જાગૃતિ, સમજ
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૮]
[ કુમી અને આત્મહિતની તાલાવેલી હોય તે બને ? કઠિન લાગે છે ને આ? વિષયાસક્તિના જેરમાં કઠિન જ લાગે. વિચારવા જેવું છે કે,
પશુહદય કરતાં આજનું માનવહદય વિશિષ્ટ છે કે ઉતરતું? આહાર-વિષય-પરિગ્રહ-આરામી અને ક્રોધ-માનાદિ કષાયેની લત તો પશુ- હૃદયમાં ય ભરી પડી હોય છે, પણ માનવ-દિલમાં એને કેમ મહલાવાય? વિશેષ ઊંડા ઊતરી જોતાં દેખાશે કે આજની આંધીમાં તણાઈને જે કરાઈ રહ્યું છે તે કદાચ પશુહુદયથી પણ ઊતરતી કક્ષાનું હશે. દા. ત. પશુહુદયમાં દુનિયાભરના વિલાસની ભેગ-ભાવના નથી. આજ માણસને રેડિયો દ્વારા દેશ-પરદેશને ગીત સાંભળવા મન રહે છે. પશુને પરિગ્રહને ભાવ કેટલે? ત્યારે મનુષ્યને? એ પરિગ્રહ પણ મેળવવા-સાચવવા પશુને કેટલા પ્રપંચ કરવાને ભાવ? તે આજના માણસને કેટલા? એવા આજના વિજ્ઞાને ઊભી કરેલી સગવડે અને આજની રીતિઓ કેવા કેવા રાગ-રતિ આદિના ભાવ મનુષ્ય હૃદયમાં તગતગાવે છે?
અહીં જે આટલે ખ્યાલ કરાય કે
અરે! આ હું પશુહદયને પણ શરમાવે એવા કેવા કનિષ્ઠ ભાવ મારા હૃદયમાં ઘાલી રહ્યો છું ! બળિયાથી તે ઊંચે સુંદર સુઘડ શુભ કિયાયેગ્ય માનવદેહે આવે, પરંતુ હૃદયથી કેવા અધમ પશુહુદય કે એથી પણ નીચા હૃદયને ધારી રહ્યો છું ! ઈર્ષા, કપટ, મદ, માન, સ્વાર્થોધતા, હરામી વૃત્તિ વગેરે પશુહૃદયમાં સ્કુરે એના કરતાં ય કેટલાં જઘન્ય કેટિના આ ઊંચા માનવહૃદયમાં જળહળાવી રહ્યો છું! કેમ? કઈ વિચાર નથી કે
Page #142
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮ ]
[ ૧૨:
માનવહૃદય તે ઉચ્ચ શાજન છે. ઉચ્ચ એટલા માટે છે કે એમાં બીજા ભવેાના હૃદયે ન થઈ શકે એવા અવલ કાટિના ચૈત્રના ભાવ, પ્રમાદ, ક્ષમા, નમ્રતા, નિખાલસતા—નિસ્પૃહતાનાં ભાવ કેળવી શકાય છે! ને સદા રમતા કરી શકાય છે! એમ પરમાત્માની પિછાણુ, અને એમના પર સથી અધિક અથાગ પ્રેમ-મમત્ત્વ, તથા શ્રદ્ધા-બહુમાનના ભાવ જાગ્રુત્ કરી શકાય છે! આવા દેવાધિદેવને બિરાજમાન થવાના સુ ંદર મહેલતુલ્ય અને મૈત્રી-ક્ષમાહિરૂપી સુંદર વૃક્ષાને લચમચવા ઉદ્યાનતુલ્ય આ માનવ હૃદયને હું મેહુાંધાને રમવાના રાત-દિવસના વેશ્યાખાન તુલ્ય કાં બનાવી રહ્યો છું ? કામ-ક્રોધ-લાભ-ઈર્ષ્યા-મદ વગેરે કચરાને રહેવાના ઉકરડા તુલ્ય કાં કરી રહ્યો છું ?
માનવ-હૃદય જેવુ ઊંચુ' સાધન મેળળ્યા પછી પણું જો આ નહિ કરું, તેા એ ગુમાવ્યા બાદ કયાં કરી શકવાને જે સુવણ રસથી જ સાનું બનાવી શકાય, એનાથી જો કાદવખરડયા પગ ધોવાના ધંધા કરી કરી એને પૂરો કરી નખાય,તા પછી બીજા કયા રસથી સુવર્ણ' અનાવી શકાવાનું ? માણસ પાસે સુવર્ણ રસ હાય એટલે તેા એને એ ખ્યાલ રહે છે કે ‘આ તેા કિંમતી સાનુ' બનાવવાનુ જ સાધન છે. એના બીજો ઉપયાગ કરાય નહિ. એ ચેારાઈ-કરાઈ જાય એ પહેલાં ઢગલેા સેાનુ' બનાવી લઉં !' આટલું તેા સામાન્ય અક્કલવાળાને ય મનમાં થાય; ત્યારે વિશેષ બુદ્ધિમાન હાવાના દાવે રાખનારો હું મળેલા માનવ હૃદયની કિંમત નથી પિછાણુતા ? એનુ મહત્ત્વ નથી સમજતા ? સુવર્ણ રસની જેમ એના માટે કેમ અનિશ ખ્યાલ ન રહે કે આના કામક્રોધાદિ મલિન ભાવે,
૯
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ]
- [ રુમી મેલા વિચારે, કાળી વેશ્યા, મલિન મને રથ અને હલકાં છે
માં જરાય ઉપગ ન થવા દઉં. તેમ જ આ હાથમાંથી જતાં પહેલાં એમાંથી સુવર્ણતુલ્ય એ મૈત્રી-ક્ષમાદિ ભાવે અને અહં. દૂભક્તિ મમત્વ-શ્રદ્ધા જોરદાર બનાવી લઉં.”
જે આ ખ્યાલ વારંવાર કરવામાં આવે તે જીવનના ઘણું પ્રસંગમાં બૂરાઈથી બચી જવાય. ધ્યાન રાખજો એકલી એક વારની આટલી સમજ માત્રથી કાર્યસિદ્ધિ નહિ થાય. એમાં તે ફરિયાદ જ ઊભી રહેવાની કે “અમે સમજીએ તે છીએ પરંતુ માળું અવસરે કેમ ભૂલી જવાય છે? ને કેમ બુરાઈમાં પડી જવાય છે?
વ્યાખ્યાને સારાં સાંભળવા છતાં આ ફરિયાદ કરે જ છે ને? પરંતુ દર્દ કયાં છે, કયું છે, એને વિચાર કરે છે? ના, નહિતર તે ક્યારનું ય એ શોધી કાઢી એને દૂર કરવાનું મન કર્યું હોત.
જે દર્દની પીડા-નુકશાનીને હેયે કકળાટ નહિ, એ શેધવા–મિટાવવાના ભગીરથ પ્રયત્ન શાના થાય ? “મને જાણેલી સારી વસ્તુ અવસરે કેમ ઉપગમાં નથી આવતી ? ને નથી આવતી બૂરા-મેલા ગંદા ભાવે કેવી ભની પરંપરા બગાડી નાખે? દુર્ગતિના કેવા દારુણ ભવમાં ગબડયા કરવાનું ઊભું કરી દે ? એવા બૂરા–મેલા-ગંદા ભાવ હૈયે કેમ ઊડ્યા કરે છે? આને ફડફડાટ નથી, કાળે કકળાટ નથી, પછી દર્દી શધવાનો અને મિટાવવાનું ભગીરથ પ્રયત્ન શાને થાય ? ત્યારે શું એમ માને છે કે જીવને માટે કામ-ક્રોધ, મદ-ઈષ્ય, વગેરે બૂરા ભાવથી કાંઈ ભવાની પરંપરા નથી બગડતી? દુર્ગતિનું
Page #144
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૧
પ્રકરણ ૮] ચક નથી ચાલું થતું? અથવા શું આ બૂરા ભા કરી કરી માનવ-હૃદયને સુશોભિત કરી રહ્યા છે? જીવનના ઠેઠ છેડા સુધીની શાંતિ–નિશ્ચિતતા સજી રહ્યા છે?
બૂરા ભાવોથી શોભા-સુખ-શાંતિ થતી હે તે દુર્ગતિએ ખાલી પડી જાત.
પડતા નહિ, આમાંનું કશું ઊપજે એવું નથી. એમ જે બૂરા ભાવથી થતું હેત તે દુર્ગતિઓ ઉભરાઈ જવાને બદલે ખાલી પડી હોત, ને જગતના જીવ ખૂબ સુખ-શાંતિ -નચિંતતા અનુભવતા હતા. પરંતુ આવું નથી એ હકીકત છે; ને એનું કારણ એ જ બૂરા ભાવે છે. એ જગતના જીવને દુઃખી કરવામાંથી ન છોડે તે મને તમને છેડશે? બૂરા ભાવના કારણે અહીં જ ચિંતા-અશાંતિ–ઉગ કે અજપ-વિહવળતાઆકુળ વ્યાકુળતા વગેરે કેટલું ય અનુભવી તે રહ્યા છે, લાંબે કયાં જેવા જવું છે? હાથ-કંકણ ને આરસી. અહીંનાં પ્રત્યક્ષ દુઃખદ અનુભવ પરથી દીર્ઘ ભવિષ્ય કાળના એંધાણ પરખી શકાય છે. કેમકે આના પડેલા સંસ્કાર એને ભાવ ભજવ્યા વિના નહિ રહે.
એટલે હવે, જ્ઞાનીઓને “ઉપદેશ સાંભળવા છતાં અને વસ્તુસ્થિતિ સમજી જવા છતાં સાંભળીને સમજેલા હિતના ઉપાય કેમ કામ નથી લાગતા? દર્દ કયાં છે? તે શોધી કાઢે.
સમજેલું છતાં કામ ન આવે એનું કારણ આ છે કે (૧) એક તો સમજેલી ચીજની પછી વારંવાર ભાવના કરવી જોઈએ, અને (૨) બીજું, મનને પાકે નિર્ધાર વારે વારે થે જોઈએ કે “મારે એને કામે લગાડવી જ છે” એ વસ્તુ, એ ભાવના, અને નિર્ધાર વારંવાર નથી કરતા. ઉલટું એની સામેના બૂરા ભાવની વારંવાર ભાવના કરાય છે, દુન્યવી વાત-વસ્તુ મગજમાં વારંવાર મમરાવાય છે. પછી એના મહા પ્રખર તાપમાં
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૨ ]
“પેલી શીતળ ઉપદેશની સમજ શે ઊભી રહે? હૃદ આ છે, એને મિટાવવા;
(૧) બહારના કચરા-ભૂંસાને અર્થાત્ દુન્યવી વાતવસ્તુને હવે પલાટાવ્યા કરવાનું રહેવા દો.
[ રુક્મી
(૨) હિતની વાતેાની વારંવાર ભાવના કરે.
બુરાઇએ અટકાવવાના અને સુધારો કરવાના નિર્ધાર કરી એ નિર્ધાર વારંવાર તાજો કરા અમલી કરે.
ખસ, ‘માનવહૃદય જેવા સુવણરસ મન્યેા છે તે એનાથી ઉત્તમ પ્રશસ્ય ભાવા રૂપી સેાનું અને તેટલું ઉત્પન્ન કરી દેવું છે,' આા નિર્ધાર કરો.
‘આવા માનવમનના ઉચ્ચ સાધનથી ગરિયા માલ નથી ખનાવવા,’ એના પાકા નિણ ય કરેા. પછી હિતાપદેશની અને શુભ ભાવોની વારંવાર ભાવના કરે, એને મગજમાં ખૂબ ખૂબ મમરાવ્યા કરે. એ ભાળ્યા કરશે! એટલે કુદરતી રીતે દુનિયાના કચરા-ભૂંસા
મગજમાં સતત ઘાલ્યા કરવાનુ એછુ થશે, ને ચીવટ રાખીને આછું કરવાનું પણ ખરૂ'. એ મનમાં ઊઠે કે એને રાકી રેકી પેલી શુભ ભાવનાના વિચાર શરૂ કરી દેવાને.
એક છ મહિના આટલું કરો ને, પછી જુએ કે જીવન આખું કેવુ' પલ્ટાઇ ગયુ હશે ! કેટલું ગજબ આત્મ-પરિવતન થયુ હશે ! બાકી આ જે કરવું નથી, તે તમારી ફરિયાદ ઠેઠ તમે જિંદગીના છેડા સુધી કર્યાં કરશેા, પણ કાંઈ ઠેકાણુ નહિ પડે, ને એવા ને એવા રહેશે.
રુમીની રાજસભામાં શાસ્ત્રની વાતેાની રસરેલ ચાલતી, તેથી દેશ પરદેશના માણસે આવી એ સાંભળતા, ને રુક્મીની ખ્યાતિ લઈ જઈ પ્રચારતા. એથી વળી બીજા કેટલાય નવા લેાકેા આવતા.
Page #146
--------------------------------------------------------------------------
________________
૯. રુકમીની રાજસભામાં રાજકુમાર
શાલિભદ્રના દાનની સમીક્ષા
રાજકુમારને દર્શનની ઝંખના –
એમાં એક વાર એવું બન્યું કે એક રાજકુમારે રુક્મીની ખ્યાતિ સાંભળી ત્યારે એના મનને આશ્ચર્ય થયું કે “અહે એક બ્રહ્મચારિણી બાઈ રાજા બની આવી જાહેરજલાલીવાળું રાજ્ય ચલાવે છે? રાજ્ય-ખટપટમાં તે કઈ માણસના સંપર્કમાં આવવાનું થાય છતાં આ બાઈ–રાજા નિર્મળ બ્રહ્મચર્યનું પાલન કરે છે ? લેકે વાત કરે છે કેવી અદ્ભુત એની પવિત્રતા ! કેટલું સુંદર બ્રહ્મચર્ય-મર્યાદાનું એનું પાલન!” વાહ ધન્ય છે, ત્યારે આ નારી રત્નને ! એવા બ્રહ્મચારી આત્માનાં દર્શન મળે એ ભાગ્યશાળી !”
રાજકુમાર ધર્માત્મા છે પાછું જિનેક્ત જીવ-અજીવ આદિ નવ તત્વ એણે પિતાના દિલમાં વારંવારની ભાવના-વિચારણાથી ભાવિત કરેલા છે, એ રૂફમીના નિર્મળ બ્રહ્મચર્ય પર ઓવારી જાય છે, એનું દર્શન કરનારને પણ ભાગ્યશાળી માને છે. સ્વયં એ ઈન્દ્રિય પર વિજ્યને પુરુષાથી છે, છતાં ગર્વિષ્ઠ નથી કે જેથી
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૪]
[ રુમી જાતને પામી ગયે માને, અને બીજાને તુચ્છ યા સામાન્ય કે બહુ તે પિતાના જેવા જ ઈન્દ્રિય–વિજેતા માને. ના. એ તે અતિ વિનમ્ર છે, સમજે છે કે “હજી હું તે ઘણે અધુરો છું. મારામાં તેવું કાંઈ વૈશિષ્ટ નથી. મારે તે હજુ ઘણું ઘણું પામવાનું છે, પામવા માટે મથવાનું છે.” આવું સમજવાને લીધે જ્યાં કયાંય જરા ઠીક ગુણ દેખાયે, પછી ભલે પિતાનામાં એ જ રીતસરને ઠીક ગુણ હોય, છતાં સામા તરફ આકર્ષાઈ જાય છે, એના ગુણ પર ઓવારી જાય છે.
અહંભાવથી લપસણું –
આ મહત્વનું છે. અનાદિરૂઢ અહંભાવના લીધે અહીં એક લપસણું ઊભું થાય છે. આપણામાં અનેક ગુણ છે અગર કઈ એક ગુણ વિશેષ વિકસેલે છે એ વખતે બીજાને તે ગુણ સાંભળતાં અહંભાવના લીધે પેલાની સારી ઉપવૃંહણ–પ્રશંસાને પ્રમોદભર્યું આકર્ષણ પ્રગટાવવાને બદલે અહંભાવને લીધે ઠીક છે એમ માનવાના તુચ્છ વલણમાં લપસવાનું બને છે. પછી ત્યાં એ પણ નથી જેવાતું કે પેલે કઈ કક્ષા, ક્યા સગ, કઈ પરિસ્થિતિમાં ગુણને ખપી બને છે.
શાલિભદ્રના દાનગુણની સમીક્ષા બેલે જે, શાલિભદ્રના જીવે પૂર્વ ભવે દાન કેટલું દીધું? એને દાનગુણ કેટલે મોટે? | ઉપલક દૃષ્ટિએ જોશે તો એવું લાગશે કે “માત્ર એક જ વાર એક થાળી ખીર, એટલે કે થોડું જ દાન દીધેલું. એમ તે અમે ઘણીવાર થઈને એના કરતાં ઘણું દીધું છે. અમારા કરતાં એને દાનગુણ નીચેની કક્ષાને.” આવું લાગે; પરંતુ આ
Page #148
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯]
[૧૫ લાગવાનું, વિચારવા જેવું છે કે, વાસ્તવિક ગણાય?
(૧) એની પાસે મૂડી કેટલી હતી? એમાંથી કેટલું દીધું?
(૨) મૂડીમાં તે એ હતું જ નહિ, પણ ભેટ આવેલું તે પણ સીધેસીધું નહિ કિંતુ મા-દીકરાના કરુણ રુદન પર બીજાઓએ એમને અનુકંપાદાન કરેલું !
(૩) આવું જિંદગીમાં કદી જોયેલું નહિ, એ દ્રવ્ય આજ પહેલી જ વાર એ જીવને જોવા મળેલું !
(૪) એમાંથી પણ દીધું કેટલું? પોતાના મનથી બધું જ !
(૫) જિંદગીમાં પતે એ વસ્તુને ભેગવટો કરેલો ખરે? ને, આજે જ એને ખરે અવસર હતો છતાં ભેગવવાનું મજા માણવાનું પડતું મૂકયું, ને દીધું!
(૬) દીધું તે ધીરે ધીરે? કે એકી કલમે? “મારા લખે ૫૦ રૂ, “ના શેઠ ! એટલા જ ન ચાલે.” “સારૂં યે ત્યારે ૫૫ લખે.” “એટલા હોય? તમારા તે રૂ. ૨૦૧ લખવાના છે.” એટલા બધાની ભાવના નથી, બસ ૭૫ લખી લે. હવે બેલ જ નહિ.” આમ ચોળી ચાળીને આપેલા, ને એના બદલે એકી કલમે પહેલી જ વાર ૨૦૧ લખાવેલા, બેમાં ફરક કેટલો ?
(૭) તે પણ સામાએ “કેટલા લખું ? એમ પૂછયા પછી લખાવ્યા, ને સામો પૂછતે જ નથી ને આપણે સામે જઈને લખાવ્યા, બેમાં કેટલે ફેર?
(૮) શાલિભદ્રના જીવે વળી દીધું તે સામાને કરગરાવીને કે પોતે કરગરીને? તમે પાંચ હજાર આપે તે પણ સામાને કરગરાવીને ને ?
Page #149
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
[ રુફમી
(૯) એણે દીધું એ કેટલી હાંશ પૂર્વક અને પહેલાં કઈ ભાવના કરીને ? દેતાં કેવી ભાવના ? દીધા બાદ કઈ?
(૧૦) દીધુ તેમાં કીતિ'ની આકાંક્ષા કેટલી ? સગી માને પણ દ્વીધાનુ` કહેતા નથી. એ દેવાના જશ મળે એનાં મૂલ્ય કરતાં ગુપ્ત દીધેલાનું એ કેટલું. બધું ઊંચું મૂલ્ય ઊંચું મહત્ત્વ આંકે છે ?
(૧૧) દેતી વખતે સાધુ મહારાજ કહે છે ‘ભાઈ બધી ના લેજે, ચાડી રહેવા દેજે, ત્યારે આ કહે છે, ‘બાપજી ! તમે મળ્યા પછી શું... મારે સંસાર થાડા પણુ બાકી રાખવા છે ?” આ શબ્દો પાછળ દાનનું કર્યું ફળ સચાટ સમજી રહ્યો છે?
(૧૨) દાન દેતાં આંખમાં ઝળઝળિયાં, હૃદય ગદ્ગદ, મુખ પર અપૂવ હુ'રેખા, કાયા થનથન નાચે, ખાવાની ઉતાવળ નહિ એટલી દેવાની ઉતાવળ, ‘આહા ! હું રાંક, ને મારા ભાગ્યમાં આ દાન ?” એવી અસંભવિત ઘટનાની ૫નાના હૈયે પારાવાર હુ !આ બધું એનામાં કેવું ?
(૧૩) દીધા પછી ખીર ખાવા મળી, ખાધી તે જિંદગીમાં પહેલી વાર, છતાં એનેા લેશ આનદ નહિ, ને ‘ગુરુએ અનત કૃપા કરી દાન કરાવ્યા’તું જ એક માત્ર સ્મરણ કરી કરીને અથાગ આનંદ કેવા અનુભવ્યા ?
(૧૪) અજીણુ થી એ જ રાતે મરવા પડયા, મૃત્યુ થાય એવું દુઃખ છે,છતાં એનુ વિસ્મરણ અને કરેલ દાન–સુકૃતનું જ સ્મરણ કેવુ'! (૧૫) વર્ષાની પરિચિત વહાલસેાયી માતા એવી મૃત્યુઝુઃખની અવસ્થામાં શરીરે હાથ ફેરવતી રહી ‘ ભઈલા ! બહુ પીડા થાય છે ?” મટી જશે’ એમ ગદ્ગદ આશ્વાસનના શબ્દ ખાલી પ્રેમ વ્યક્ત કરી રહી છે, એને ભૂલા ‘વાહ ! ગુરુ કેવા ઉપકારી
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯]
[ ૧૩૭ મળ્યા કે મને રાંકડા-ગરીબડાને આ દાનની મહા કમાણ કરાવી ? આમ ગુરુને અને ગુરુના ઉપકારને કૃતજ્ઞતા-ભીના હૃદયે યાદ કરે છે, તે કેટલું મહત્વનું?
આ બધું ગણતરીમાં લે, ને પછી તારણ કાઢે કે એણે કેટલું દીધું? એનો દાનગુણ કેટલા મહત્ત્વને ? ને આ બધું જ વિચારવા મગજ ન ચાલતું હોય તે દાનના ફળ પરથી માપ કાઢે કે કેટલું ઊંચું દાન ?
શાલિભદ્રના દાનનું ફળ કેટલું :
કોડપતિ કે લાખપતિને ઘેર જન્મ, એકનો એક પુત્ર સુંદર શાલી ( ડાંગર) ના ખેતરના સ્વપ્ન સાથે આવેલે! ભવ્ય ઠાઠમાઠથી ઊછેર, દેવાંગના જેવી ૩૨ પત્નીએ, પિતા દેવ તરફથી પિતે અને બત્રીશ સ્ત્રીઓ એમ ૩૩ માટે દરેકને ૧ દિવ્ય ખાનપાનની, ૧ વસ્ત્રાદિની, ૧ ઝવેરાત અલંકારની, એમ ૯ પેટીઓ રોજ ભેટ મળે ! વહેવાર–વેપાર-ઘરવહીવટ બધી ખટપટ મા સંભાળે ને આને મહેલના સાતમે મજલે દેગુંદક દેવ જેવા ભેગવિલાસમાં મસ્ત રાખે ! દીકરાને વહુ સહેજ પણ ફરિયાદ વગેરે કરી સંતાપ ન આપે માટે વહુરોને આ સાસુ ફૂલબાઈની જેમ રાખે ! રોજ ને રોજ આજનાં હીરા-માણેક–મેતીનાં જર-ઝવેરાતઘરેણાં કાલે એઠવાડમાં જાય! મા વડે રાજા શ્રેણિક જે એક ન ખરીદે એવી વીસ લાખ સેનિયાની સોળ રત્ન કાંબળે ખરીદાઈ એક જ વાર પગ લૂછી વહુરે ખાળમાં નાખે ! રાજા શ્રેણિકને શાલિભદ્રનાં દર્શનની ઊલટ થાય ! તે જોવા પોતે આના ઘેર આવે ! હજી ય આ બધું તે કાંઈ નહિ, પણ શ્રેણિક માથે રાજા છે ધણી છે એ વાત પર મહાભૈરાગ્ય કેળવી “ધણ તે માત્ર એક
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ]
[ રુમી
મહાવીર, ' એવા અનન્ય અનુપમ અરિહંત-શરણુ સાથે સત્યાગ પૂર્ણાંક ચારિત્ર માર્ગે પ્રયાણુનું અલૌકિક શૂરાતન, આ બધું ફળ લક્ષમાં લે; અને એના પર દાનસુકૃત-દાનગુણુનું મહત્ત્વ વિચારા કે કેટલુ' દીધું ? અને કેટલા ઊંચા દાનગુણુ ?
•
આપણે ગમે તેવા ગુણિયલ છતાં બીજાના ગુણુ પર એવારી જવા માટે એ ગુણુની આગળ-પાછળના સચૈાગ, પરિસ્થિતિ, હૃદયના ભાવ વગેરે કેટલું ય જોવુ ોઈશે. આ શાલિભદ્રના દાનની વિચારણા કરી એના પરથી દાનક્રિયામાં શું શું જોઈએ એનુ માપ કાઢી શકાશે. જીએ મા તારવણી કે,
વિશિષ્ટ દાનધર્મ આરાધવામાં શાલિભદ્રનું દૃષ્ટાન્ત કંઇ કંઈ આવશ્યકતા ખતાવે છે,
(૧) મહા કષ્ટ મળેલી અને કદાચ પૂર્વે કદી નહિ યા કવચિત્ મળેલી વસ્તુનુ ખાસ કરીને દાન.
(૨) આપણા ઉપભાગની મઝાને પણ ધક્કો લગાડે એટલા પ્રમાણમાં દાન.
(૩) વિચાર કરી કરી, તાળી તેાળીને, ટૂકડે ટૂકડે નહિ, પણ એકી કલમે ઉત્સાહભેર દાન.
(૪) સામાને કરગરાવીને કે યાચના કર્યાં કરાવીને નહિ, પણ પાતે કરગરીને દાન.
(૫) દેતાં પહેલાં દાનની ઉત્કટ ઊછળતી હાંશ—અભિલાષા, દેતી વખતે અનહદ ઉછરંગ, અને દીધા ખાદ્ય એવી ભરપૂર અનુમાદના કે ખીજી સ્વાર્થીની ધનપ્રાપ્તિ વગેરે વાત-વસ્તુનાં મહત્ત્વ જ ભૂલાવી દે, મીઠાં સ્મરણુ જ દુખાવી દે.
(૬) દેવામાં કાઈ સારા દેખાવા—કરવાની કે યશ-સન્માનાદ્ધિની
Page #152
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯]
[ ૧૩૯ લેશ પણ કાંક્ષા નહિ. ઉલટું કેઈ ન જાણે તો સારૂં એવી સાવચેતી યશ-કીતિ કરતાં દાનનું એટલું ઊંચું મૂલ્યાંકન.
(૭) દેવામાં દીધા સિવાયનું જે પાસે બાકી રહેવાનું હોય તેટલા પ્રમાણમાં સંસાર કપાયા સિવાયને માથે પડી રહ્યો લાગે.
(૮) બધું જ દેવાની હોંશ જે દેઈ શકાય એમાં પણ હૈયું ગદ્ ગદ, આંખે ઝળઝળિયાં, કાયા થનગન નાચે, મુખ પર અપૂર્વ હર્ષની રેખાઓ ચમકી ઊઠે, મનને થાય “આહાહાહા ! હું રાંક, ને મારા ભાગ્યમાં આવું સુપાત્ર દાનનું મહાસુકૃત !” જાણે અસંખ્ય ભવિત ઘટનાની કલ્પના કરી હૈયે પારાવાર હર્ષ ! | (૯) પાછળથી કોઈ દુઃખના પ્રસંગમાં પણ એ દુઃખ વિસારી. પૂર્વે થઈ ગયેલ દાનાદિ સુકૃતને પરમ આનંદ જીવતે જાગતે.
શાલિભદ્રના પૂર્વના ગમાર જીવના ય દાનમાં આ અદ્ભુત વિશેષતાઓ ભરી પડી હતી. એને સમજીએ તે એનું દાન અતિ ઊંચું લાગે, અથાગ અનુમોદના થાય.
પરદેશી રાજપુત્ર કૃમીના બ્રહ્મચર્યની અનુમોદના કરે છે. અનુમોદના કરીને બેસી નથી રહેતે પણ એના મનને થાય છે કે લાવ આ ભાગ્યવતીના દર્શન કર્યું, જેથી મારે આત્મા પાવન થાય. એમ વિચારીને એ પરદેશી રાજકુમાર રૂફમીરાજાના રાજ્યમાં આવે છે. આ બધા મુદ્દા વિચારવા, કે દૂરથી એ રુકમીના નિર્મળ બ્રહ્મચર્યની અને એના બ્રહ્મતેજથી રાજ્યની સલામતી રહેવાની તથા દુમને દબાઈ જવાની ખ્યાતિ સાંભળીને એના બ્રહ્મચર્ય પર ઓવારી ગયું છે, હૈયે ભારે અનુમોદના અનુભવી રહ્યો છે, અને તેથી એ બ્રહ્મચારી બાઇનાં દર્શનથી જાતને પાવન કરવાની
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪.]
' [ રુફમી એિને તાલાવેલી જાગી છે. જીવનમાં દેવાધિદેવ, તથા તીર્થ, જીવદયાથે જીવ, શાસ્ત્રના અક્ષર, અને આવાં ગુણસંપન્ન ઉત્તમ જીવે સિવાય બીજું દેખવા જેવું છે પણ શું?
રાજકુમાર આવી પહોંચે રુકમીના રાજ્યમાં, એમાં ય ઠેઠ રાજ દરબારમાં જઈ ચડે. દરબાર ભવ્ય ભરાય છે. સામે મધ્યમાં ઊંચા સિંહાસન પર રાજા તરીકે રુફમી બિરાજે છે. માથે છત્ર ધરાયેલું છે, પાછળ પંખાવાળે વીંજણે હલાવી રહ્યો છે, આગળ બંદીવાન ઊભા છે. સભામાં મંત્રીઓ, ખજાનચી, સેનાપતિ, કેટવાળ, બીજા અમલદારો, નગરશેઠ વગેરે શેઠિયાઓ, બ્રાહ્મણ, પંડિત, નગરજને જોગી સંન્યાસીએ, પરદેશી મહેમાને ઈત્યાદિથી રાજદરબાર શોભી રહ્યો છે, ત્યાં પેલે રાજકુમાર પણ આસને ગોઠવાઈ જાય છે, અને રુકમીના દર્શન કરતાં રોમાંચ અનુભવે છે.
એના મનને થાય છે “અહેકે પવિત્ર આત્મા ! કેટલું એનું દુષ્કર વ્રત ! આ સંગમાં વ્રત પાળવાનું એનું પરાક્રમ કેટલું! ધન્ય દિવસ મારે આજને કે મને આ દર્શન મળ્યું !..”
KCG);
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૦ રુક્ષ્મી ભૂલે છે. : નિમિત્તની અસર
કમીને નિમિત્ત મળતાં જાગેલાં કમની વિચિત્રતા –
હજી તે રાજકુમાર અનમેદનામાં આગળ વધ્યે જાય છે, એટલામાં એની આખી વિચારસરણી ફેરવી નાખે એવું ત્યાં બન્યું. રુકમીની દૃષ્ટિ આ નવા આવેલા રાજકુમાર ઉપર પડી. રુકમી પવિત્ર બાઈ છે, વર્ષોને સદ્દભાવનાપૂર્વકના નિર્મળ બ્રહ્મચર્યની અભ્યાસવાળી છે. પરંતુ નિમિત્ત અને કમપરિણતિ-કર્મવિપાકની, વિચિત્રતા શું કામ કરે છે! અનાદિને અભ્યાસ તો ઈન્દ્રિયેના મનગમતા વિષય તરફ ખેંચાઈ જવાને જ છે. આત્મામાં વિતરાગ ન બને ત્યાં સુધી મોહનીય કર્મનાં દળિયાંને એ જ છે કે એ કર્મના ઊભા કરેલા પશમને ચાલુ રાખવાની પૂરી તકેદારી ન હોય તે નિમિત્ત ઊભું થતાં ઝટ એમાંથી કર્મદળિયાં વિપાક-ઉદયમાં આવી જવા તૈયાર છે. બસ. એવું જ અહીં બન્યું. રુકમીએ સાવધાની ગુમાવી, એને દૃષ્ટિ ફેરવતાં રાજકુમારનું દેખાવડું રૂપ જેવારૂપી નિમિત્તિ મળ્યું, એ ભૂલી પડી. - રુકમીના મનને થયું, “કેવું કુટડું રૂપ ! કામદેવને જાણે અવતાર જોઈ લે ! આના મુખ પર કેટલું લાવણ્ય દીપી રહ્યું છે! કેવું અનુપમ સૌંદર્ય છે !..” એના દિલમાં કામ રાગવાળી લાગણીને વિકાર જાગી ગયે. દષ્ટિ વિકારી બની ગઈ.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૨ ]
[ રુમી
પુદ્ગલના ભાવના વિચાર.
વસ્તુનુ દર્શન તે થાય, પરંતુ એમાં જ્યારે વિકાર ભળે છે ત્યારે એ દન મલિન બને છે. એમ તે નિર્વિકાર મહાત્માઓને ય સામે આવી ગયેલ વસ્તુ દેખાઈ તા જાય છે. વીતરાગ સજ્ઞ આત્માને તા જગતભરના ત્રણેય કાળના પદા દેખાય છે. એમાં અતિશય મનેાહર રૂપવાળા પદાર્થ પણ જરૂર દેખાય. છતાં એ માત્ર દૃન જ છે, શુદ્ધદર્શીન, એટલે કે એની સાથે હૃદયના કોઈ રાગ નથી; વીતરાગ–ભાવે દર્શીન છે, નિર્વિકાર દર્શન છે. ‘રૂપ બહુ સરસ !’ એમ એમને કેાઈ આશ્ચય કે આકષ ણુ કરવાનુ નથી. રૂપનુ આકષ ણુ કેમ નહિ ? કારણુ ચ'ચળ પરિવર્તનશીલ રૂપમાં શુ' મેહવાનુ` હતુ` ? એના એ આજે સુદર દેખાતા રૂપ કાલાન્તરે મિલન બની જાય છે. અત્યત મલિન એવા અણુએ મહા સુદર મની બેસે છે. તે આવા પદ્યાતા પુટ્ટુગલ પર કયાં સ્થિર હાશ કરવા જેવુ જ છે ? એમ જડ પુદ્દગલની લીલા પર કયાંય રુચિ કે અરુચિ, આકષ ણુ કે નફરત, હરખ કે ગ્લાનિ કરવા જેવી જ ન લાગવાથી નિર્વિકાર મહાત્માને એનું દર્શન થાય તે શુદ્ધ થાય છે, નિર્વિકાર દન થાય છે. રુમીના આજ સુધીના પ્રયત્ન સાવધાનીના હતા. પરંતુ આજે નિમિત્ત મળતાં અને પેાતાના હૃદય પર કાબુ ન રહેતાં માહનીય કના ઉદય ટપકી પડયા. કામ-વાસનાની વિકારી દૃષ્ટિથી રાજકુમારનું મુખ જોયું.
નિમિત્ત તારે છે; નિમિત્ત મારે છે. માટે જ જ્ઞાની આના આ ઉપદેશ છે કે સારાં આત્મહિત પ્રેરક નિમિત્ત બહુ સેવા, અને અહિતકારી નિમિત્તોથી સદા દૂર રહેા, કદી એના
Page #156
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦ ]
[ ૧૪૩ ભરોસે કરે નહિ. “ના હું તે બહુ મક્કમ છું, સારી ભાવનાવાળ છું, નિમિત્ત મને શું કરનાર હતું? આવા વિશ્વાસે જરાય રહેવા જેવું નથી. કેમકે નિમિત્ત ચીજ એવી છે કે ચાહીને એના સંપર્કમાં જાઓ એટલે દિલની ભાવના ફેરવી નાખે.
અસત નિમિત્તના અવસરે આ ખાસ યાદ જોઈએ, કે, હું હજી વીતરાગ નથી બન્યું. એટલે મારા આત્મામાં મેહનયનાં વિવિધ કમંદળિયાં સાગત પડેલાં જ છે. એના “નિષેક મુજબ, અર્થાત ક્રમસર સમયે સમયે ઉદયમાં આવવાની થયેલી રચનાનુસાર, એ એ ઉદયમાં પણ આવ્યે જ જાય છે. માત્ર મારી સાવધાનીને લીધે એ પિતાને વિપાક દેખાડવાને બદલે એમજ ઉદય પામી આત્મા પરથી છૂટાં થઈ જાય છે. પરંતુ જે અનુકૂળ નિમિત્તા મળ્યું તે સાવધાની ક્ષણભર સૂતી રહેશે અને કમને વિપાકેદય થતાં વાર નહિ લાગે.”
–આ ખ્યાલ જાગતે રહેવું જોઈએ. ખાસ કરીને તેવાં દર્શન કે તેવાં વાંચન, યા શ્રવણ કે સ્મરણ વખતે તે વિશે રાખવાને. એટલે આપણું ચાલે તે એવાં નિમિત્તથી ખસી જઈએ. જ્ઞાનીઓએ બ્રહ્મચર્યની નવ વાડ અમસ્તી સેવવાનું નથી કહ્યું. સમજીને જ કહ્યું છે કે નવ વાડનું પાકું પાલન કરે. બ્રહ્મચર્ય ભાવને ધક્કો લગાડે એવાં એ નિમિત્તોથી દૂર જ રહો.”
આહારની આત્મા પર અસર :
દા. ત. એક વાડ એ કહી કે “પ્રણીત આહાર ન કરે.” પ્રણીત એટલે દૂધ-ઘી-દહીં વગેરેથી લચબચતે. ઉદરમાં એ વિગઈઓ ઠલવાય તે એને ભાવ ભજવ્યા વિના રહેશે? પિટમાં
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૪ ]
રુક્મી
પધરાવેલ' રસ વગેરે થા દ્વારા આત્મપ્રદેશ સાથે એકમેક થાય છે. તા એ મશાલા આત્મા સાથે એકમેક થયેલા વાસનાને કેમ ઉત્તેજિત નહિ કરે ? સમજી જ રાખવુ' જોઇએ કે રસકસ જરૂર અસદ્ વીŕોજન કરશે, એથી ચિત્તાના વિશુદ્ધ ભાવને ધક્કો લગાડશે, વિકારી ભાવને જગાડશે. પછી વ્યવહાર આદિ બંધનથી કદાચ કાયિક તેવું અકૃત્યાચરણ નહિ થાય, તે ય દિલમાં એક પ્રકારનું મધુરૂ' આકષ ણ ઊભું કરશે, કદાચ કયાંય વાણીમાં ય એ ટપકી પડશે, અને સંભવ છે દૃષ્ટિમાં પણ એ ઝેર ઊતરશે.
વિગઇએના સેવનથી પુષ્ટ કરાયેલા આત્મપ્રદેશ થનગનતા બને છે. એને થનગનાટ કામરાગને પાપે છે, જે એક યા બીજા રૂપે મન-વચન કે કાયાના વિકારી ચેાગમાં ઊતરે છે, અર્થાત્ વિકારી વિચાર-વાણી-વર્તાવ પ્રવર્તાવે છે.
આવુ' જ સ્ત્રીનાં અ ગોપાંગદન, વચન–શ્રવણુ, સ્ત્રીકથા, કામકથાશ્રવણ-વાંચન વગેરેમાં પણ થાય છે. અરે પૂર્વની તેવી કામચેષ્ટાનાં સ્મરણમાં પણ બને છે.
હવે વિચારો આજના સચેાગેા. જ્યાં ને ત્યાં રેડિયામાં સ્ત્રીનાં મધુર ગીત ગવાતાં સાંભળવા મળે, જાહેર રસ્તા પર સ્ત્રી એનાં ખુલ્લાં અંગેાપાંગ જોવા મળે, છેકરાઓને છેકરીઓનાં સહશિક્ષણ-સહવાસ મળે, છાપાં-નેવેલ-નવલિકાઓમાં ભરપૂર સ્ત્રીકથા વાંચવા મળે, આજના મર્યાદા બહારના સંસાર-વ્યવહારમાં સ્ત્રીઓ સાથે વાતચીતે મળે, બ્રહ્મચર્ય કે સદાચારની ભાવના સામે આ ખુલ્લા બળવાસમા સંચાગેાના સેવનમાં એ પવિત્ર ભાવ કયાં ઊભા રહી શકે ? પવિત્ર ભાવતું કાસળ જ નીકળી જાય.
....
Page #158
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦]
[૧૫ બ્રહ્મચારીને પાંચ વિષયેથી સાવધ રહેવાનું –
જુઓ તે ખરા કે રુકમીને “આ કેટલું સુંદર રૂપ ?— એવું રૂપનું આકર્ષણ માત્ર થયું છે. એમાં પણ એ વિકારના માર્ગે ચઢી. શાસ્ત્ર કહે છે,
सद्दा रुवा रसा गधा फासाणं पवियारणा।
મેદુરણ વેરાને પણ પુરે અને ' -શબ્દ-રૂપ-રસ–ગંધસ્પર્શની આકર્ષણભરી વિચારણા એ બ્રહ્મચર્યને અતિક્રમ આને પ્રાથમિક ઉલ્લંઘન કહ્યું છે, ષડૂદ્રવ્યની ચિંતામાં પુદ્ગલદ્રવ્યના શબ્દ-રૂપાદિ પયીયે કેવા પલટતા રહે છે, વગેરે તાત્વિક વિચારણું થાય એ ઉલંઘન નહિ. કેમકે એમાં તે શબ્દ–રૂપાદિ પ્રત્યે લેશ પણ આકર્ષવાની કે “સારૂ-સુંદર’ માનવાની વાત નથી. બાકી આકર્ષણવાળો સહેજ પણ શબ્દવિચાર, રૂપવિચાર, રસવિચાર...વગેરે તે સીધે અતિમરૂપ જ થાય. એકલા વિચારનું ય આમ, તે દર્શન અને વિચાર, કે શ્રવણ ને વિચારનું તે પૂછવું જ શું?તપાસી જુઓ જાતમાં કે રૂપાદિનાં દર્શન કે શ્રવણ યા સ્મરણ કેવાં થાય છે? લેશ પણ સારુ યા “ખરાબ” એમ માન્યા વિનાનાં થાય છે? મોટા ભાગે આપણુ દર્શન-શ્રવણ-સ્મરણ એ રાગદ્વેષથી ખરડાયેલાં.
રુકમી ભૂલી પડી, એની દષ્ટિમાં રૂપદર્શન થતાં આકર્ષણ આવ્યું, કામરાગ આવ્યો, નિમિત્તે એને પછાડી. વર્ષોના સારા અભ્યાસની શરમ ત્યાં ન પહોંચી. દૌર્ય ગુમાવ્યું, એટલે વિકાર ચડી બેઠે. માટે કવિ કહે છે.
વિાર-તૌ વિચિત્તે चेतांसि येषां न, त एव धीराः।"
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૬]
–અથાત વિકારનું નિમિત્તે મળ્યું છતાં જેમનું ચિત્ત જેમના વિચાર વિકૃત ન થાય, બગડે નહિ, તે જ ધીર આત્મા છે.
દૌર્ય આ, કે તેવું નિમિત્તા આવી પડતાં મન ન જ બગાડવું, રાગાદિ વિકારને જાગવા જ ન દે. એવા અવસરે તે મન પર મક્કમતા જોઈએ કે, “હું નિર્વિકાર, અજ-અવિનાશી, શુદ્ધ આત્મા. નિમિત્ત ગમે તેવા આવે, મારે શી લેવાદેવા ? મારે વળી લહેવાઈ જવાનું શું ? લાગણ સુંવાળી કરવાની શી? વિકારની સામે તે હું કઠેર પત્થર જે છું. જીવ ઘેલમેલે થાય એ બીજા, હું નહિ.” “નથી ને હું વિકારી થાઉં તે એ નિમિત્તો મને શું પરખાવી દેવાના હતા? કશું જ નહિ, પરખાવે માત્ર વિવળતા, વેવલાપણું, સ્વસ્થતાને નાશ. જિનાજ્ઞારસને બદલે જડ વિષય રસ.... વગેરે વગેરે. આ કેણ વહેરે માથે? નિમિત્ત તે આવ્યું ને જશે, આ વિહવળતા ઊભી રહેશે.
નિમિત્ત પર વિહ્વળ બનવું એ આત્માની નબળી કહી છે. એને લાભ ઊઠાવીને દુશ્મન માથે ચડી બેસે છે. વિહ્વળ બનવાની પુરાણી નબળી કડી મજબૂત થયે, અને આમ ને આમ એનું પણ કર્યો ગયે, કયારે ઊંચા આવવાનું ? એ તે એને અનેક વાર સામનો કર્યો જવાય, ત્યારે જ એ જુગજુની નબળી કડી મળી પડે; ધીમે ધીમે ઘસારો પામે.”
–આવી કઈ દઢ વિચારણું મનમાં રમતી રખાય, અવર નવર એની ભાવના કરાય, એ અંગે જિનવાણીનું શ્રવણ-વાંચન રખાય, તો જ નિમિત્ત આવી પડતાં બચાવ થઈ શકે. નહિતર તે આત્માનું મેત જ સમજે; આત્મના ભાવ પ્રાણરૂપ શુભ અધ્યવસાય ખત્મ !
Page #160
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦]
[૧૪૭ નિમિત આવી પડતાં વિકારથી બચવા માટે, (૧) ભગવાન જિનેશ્વરદેવનું શાસન ઉચ્ચ આલંબન આપે છે,
(૨) કેઈ સતા-સતીઓનાં નિર્મળ ચરિત્ર પણ અદ્દભુત પ્રેરણા આપે છે;
(૩) સંસારની વ્યાપક દુઃખદ સ્થિતિને વિચાર પણ સાવધાની આપે છે.
() શાસ્ત્ર-સ્વાધ્યાય, જિનવાણીનું શ્રવણ અને સત્સંગ બચાવ આપે છે,
(૫) જીવ–અજીવ આદિ નવ તત્વનું ચિંતન, કેઈતાવિક વિચારસરણ.
(૬) કેઈ સિદ્ધગિરિ જેવી ઠેઠ તળેટીથી માંડી ઉપરના બધા દેરાસર અને ભગવાનની યાત્રાનું કમસર સ્મરણ, એવા કોઈ અંજનશલાકા-મહોત્સવ જેવા ધર્મ પ્રસંગનું ક્રમશઃ સમરણ વગેરેમાં પણ મન જોડી દેવાથી આગંતુક નિમિત્ત પર વિચાર જ હટી જાય છે. પછી વિકારને સ્થાન જ કયાં મળે ?
રુમીને વિકારનું નિમિત્તા મળ્યું, પણ જે આવી કોઈ સાવધાની રાખી હોત તો એ બચી જાત. આવા અવસરે સત પુરુષાર્થ ખાસ વિકસાવ પડે.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૧. રાજકુમારને અસર
ત–ભાવિતતાઃ દષ્ટિષના અનર્થ
હવે આ રાજા રુકમીની રાજકુમાર ઉપરની રાગવાળી દૃષ્ટિ રાજકુમારના ખ્યાલમાં તરત આવી ગઈ, ચકર છે ને ? ઉપરાંત પિતે પવિત્ર હૃદયવાળે છે. એટલે એ રુકમીને ભાવ સમજી ગયે. સામાન્ય રીતે વિજાતીયના ભાવ એટલે કે સ્ત્રીને પુરુષને અને પુરુષને સ્ત્રીને ભાવ દૃષ્ટિમાં કેવા તરવરે છે, તે સામાની સમજમાં આવી જાય છે. પછી એ પિતે પણ દુષ્ટ હદયવાળે હોય તે એવી સરાગ દષ્ટિને એવી જ દષ્ટિથી નવાજે એ જુદી વાત. બે ય સરખે સરખા થયા એટલે પતન આગળ વધતાં વાર નહિ. પછી ભલેને કદાચ દષ્ટિના માર્ગે જ પતન ચાલ્યા કરે એમ પણ બને. હવે જુઓ – દષ્ટિ દોષના કેટલા ભયંકર નુકશાન છે?
દષ્ટિ દેષથી આગળ વધીને પાપ ન હોય તે પણ એકલા દષ્ટિ દોષમાં ય દિનપ્રતિદિન હૈયાની કલુષિતતા વધતી જાય છે. એ કલુષિતતા પણ જેવી તેવી ભયંકર નથી હોં. બાહ્ય લેકવ્યવહાર નરકના ભય આદિ કારણે દષ્ટિદોષથી આગળ ન વધી
Page #162
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧]
{ ૧૪૯ શકે એ જુદી વાત. પરંતુ એટલામાં ય થતે ચિત્તસંકલેશ યાને મનની મલિનતા ભારે ખતરનાક બને છે, લેશ્યા કાળી, અધ્યવસાય કુડા, લાગણ લંપટ, વલણ અજુગતું, વિચારધારા પાપવિઠ્ઠી ! પરલેકને ભય ફૂલ!
આજનાં સહશિક્ષણ-સિનેમા-છાપાં-સહસવીસ–જાહેરમાં સ્ત્રીઓએ ભાગ લે, જાહેરમાં કાર્ય કરવાં, વગેરેએ દાટ વાળે છે! એણે આ દષ્ટિદેષ અને એની પાછળના ચિત્તસંકલેશાદિ સુલભ કરી દીધા છે ! હવે એ કાળી લેશ્યા, કૂડા અધ્યવસાય લંપટ વેશ્યા, અજુગતાં વલણ, યાવત્ પાપધિઠ્ઠાઈ ફાલેફૂલે એના ભયંકર નતીજાની ખબર છે?
એક તે ઠેઠ નરકમાં પરમાધામી બે આંખમાં તીર્ણ ભાલા વગેરે ભેકે, તે પણ વારંવાર કોચ કેચ કરે, અને તેવાં ય કષ્ટ અસંખ્ય વર્ષો સુધી! ત્યાંસુધીના પણ દુઃખદાયી ચિકણું કર્મ દષ્ટિદેષથી બંધાઈ શકે છે! બાકી આંખ જ નહિ એવા એકેન્દ્રિય-બેઈન્દ્રિયના-મેઈન્દ્રિયના અવતારનાં કર્મ, યા આંખવાળા અવતારમાં આંખે રેગ પીડા, શૂળ, બળતરા વગેરેનાં ય કર્મ ઊભાં થાય. સાથે જ્ઞાનાવરણ, અશાતા વેદનીય, મોહનીય, નીચ નેત્ર અંતરાય કર્મ. અશુભ અપયશ-દેર્ભાગ્ય-અનાદેય વગેરે નામકર્મ બંધાય એ વધારામાં. પરસ્ત્રી પર એકવાર પણ દષ્ટિ બગાડાય તે ય આ જ મળે છે, તે જેને જિંદગીની આદત જ એવી બની ગઈ છે એની કઈ ભયંકર દુર્દશા ? કેટલાં પાપકર્મોનાં જથ્થાના જથ્થા ! આ પરિણામ સમજ્યા પછી પણ એ કુછંદ ન છોડાવ એમાં દિલ ભયંકર પાપધિહું સમજવું રહ્યું.
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫]
[ રુમી
શું આટલા ઊંચા મનુષ્ય ભવમાંથી આ પરિણામ લઈને જવાનું? ખૂબી તે પાછી એ કે જ્યાં ત્યાં દષ્ટિ ફેકી દષ્ટિ બગાડીને મળવાનું કાંઈ નહિ. ઉલટું, હૃદયદાહ, નિસત્ત્વતા, તામસભાવ, લેકની દષ્ટિએ હલકાઈ, વગેરે પ્રત્યક્ષ નુકશાન વહરવાના થાય તે પછી આ શી લત? પરનું રૂપ ગમે, એટલે પછી ઘરનાં નહિ ગમે. વળી આ દૃષ્ટિચાર રૂપચાર માણસ મેલા વિકલ્પમાં ચઢી માનસિક અને આગળ વધીને કદાચ કાયિક દુરાચારમાં ય ફસવાને સંભવ. આ તે આ લેક અને પરલકનાં પરિણામની વાત થઈ, - હવે પરંપરાના પરિણામ જુઓ. દષ્ટિ બગાડવાને હરામચસ્કો લાગે એટલે પછી વારંવાર એ પાપ ચાલ્યું. એથી કાળી લેશ્યા, કૂડા અધ્યવસાય, વગેરે પિષાવાના. તે પણ પાછું દષ્ટિને વિષય ખસી જવા છતાં મનમાં એના વિચાર ચાલવાના. આ બધાથી આત્મામાં ઘેરા કુસંસ્કાર અને પાપના અનુબંધબીજ મજબૂત થાય છે. એને પટેલે માથે ઊંચકીને પરલક જવું પડે છે. ત્યાં પછી એ કુસંસ્કારે એ પાપાનુબંધ એને ભાવ ભજવે છે. તે એટલે સુધી કે અહીં દેખીતું પાપ તો એક દષ્ટિ બગાડવાનું જ કર્યું હતું, પરંતુ એની પાછળ જે કુડા અધ્યવસાયે અને મલિન વિચારણા કરી હતી એના કુસંસ્કારના ફળરૂપે પરભવે અનેકાનેક પાપ કૃત્યે ફૂટી નીકળે છે. ભવ દુર્ગતિને એટલે ત્યાં એ દુકૃત્યોનીકેઈ અરેરાટી કેઈઅકર્તવ્યબુદ્ધિ, કેઈ પશ્ચાત્તાપ વગેરે રહેતું નથી. તેથી ખુશમિશાલ હિસાબ વિનાનાં પાપાચરણ ચાલે છે. અને એ ચાલે પછી જંગી પાપકર્મોના બંધ, નવી દુર્ગતિનાં સર્જન, અને કાળે કરીને ફરી
Page #164
--------------------------------------------------------------------------
________________
પ્રકર ૧૧]
[૧૫]
દુગતિમાં જઈ પડવાનું, પાછું ત્યાં પાપકૃત્યાનું જ એક જીવન,... એટલે ચાલી એવી પર પરા! અહી. ખધેલા પાપકર્મોના ચે ત્યાં દુઃખ તે અપરંપાર ભોગવવાનાં, છતાં વધારામાં આ પાપાચરણનું જ જીવન ! આ બધું શામાંથી ? પરસ્ત્રી સામે દૃષ્ટિ નાખ્યા કરવામાંથી.
આ તે એમાંથી બંને ય દુષ્ટ હૃદયવાળાની વાત થઈ. હવે એક જ પવિત્ર હાય તે પાતે તે વિકારી દૃષ્ટિ નાખે નહિ, પરંતુ સામી વ્યક્તિ તેવી દૃષ્ટિથી જુએ તા તરત પરખી લે છે કે આની નજર બગડી. આજે સ્ત્રીઓ પર એવી વિકારી દૃષ્ટિ નાખનારા પુરુષા પાછા લેાળા મૂખ હાય છે તે એમને ગમ નથી પડતી કે આ સામે જેના પર દૃષ્ટિ ક્કુ છું એણે મારા ભાવ પરખી લીધા છે, અને મને લખાડ લેખી મારાથી સાવધાન ખની જાય છે. આ સૂઝ નથી પડતી એટલે કેટલીક વાર આગળ વધીને લપુડાવેડા કરવા જાય છે. પણ સ્ત્રીના હાથે ચપલના માર ખાય છે. ‘સ્ત્રીએ કેામળ પરિણામવાળી હાય છે એટલે મૂખ હાય છે' એવું સમજતા નહિ. પુરુષને તા એ દષ્ટિ પરથી પરખી લે છે. હા. પેાતે પવિત્ર દિલવાળી જોઈએ. જો આજના જમાનાવાદમાં ભળેલી હાય તે તે પવિત્રતા કયાંય દૂર રહેવાની.
જમાનાના વેશ સજવા, ઢાંકવાના અંગો ખુલ્લા શખવા,એ શુ સૂચવે છે ? પરપુરુષાને એ દેખાડવાના જ ભાવ કે ખીજું કાંઈ ? એવું દેખાડવાનુ મન કોને થાય ? શ્રાવિકાને કે ગણિકાને ? પવિત્ર શીલવાળાને કે વિકારી હૈયાવાળાને ? કદાચ
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૨ ].
[ રુમી બહારથી ભ્રષ્ટ ન હોય પણ હૃદય કેવું ? ચમકશે નહિ, સદા ચારની ભાવનાના ભંગના અનેક પ્રકાર છે. જેમ રાગદષ્ટિએ બીજાનું અંગપાંગ જોવાનું મન થાય એ સદાચાર–ભાવને ભંગ છે, એમ બીજાને આપણું અંગ દેખાડવાનું મન થાય એ પણ સદાચાર ભાવને ધક્કો લગાડનાર જ કહેવાય. વિચાર તે કરે કે આમાં સ્ત્રીને માત્ર પિતાના જ પવિત્ર ભાવને ભંગ નહિ, કિ-તુ એ જેનાર બીજા કેટલાય પુરુષના પવિત્ર ભાવને ભંગ થાય છે. એ કેટલું ભયાનક? અજ્ઞાન છે દષ્ટિના દેષથી પીડાઈ રહ્યા છે, પરંતુ નિમિત્ત ન મળવાથી દેષ સકિય નથી બનતે, દુષ્કૃત્ય નથી કરાવતે તે તેટલાં કુસંસ્કાર અને પાપકર્મોને ભાર નથી વધારતે. પણ નિમિત્ત મળ્યું એટલે જાણે બેફામ કૂદે છે! પરલેકમાં પાર વિનાની વેદના પામે એવા કર્મોપાર્જક અપકૃત્ય કરે છે! આવું કરાવનારૂં નિમિત્ત આપણે આપવું એટલે કેટલી બધી આપણીનિર્દયતા-નિર્ધતા-ક્રૂરતા! શું ઢાંકવાના અંગ ખુલ્લા મૂકનારી કે ચેષ્ટા કરનારી આવી સામાની કલ્લ થાય તેવી નિર્દયતા નથી કરી રહી?
જી બિચારા પાપની સામગ્રી નથી મળતી તે પાપકૃત્ય અને જાલિમ કર્મબંધથી બચી રહ્યા છે. હવે એને હું એવી સામગ્રી પુરી પાડવાની ક્રૂરતા કાં કરૂં? આવી નીતરતી જીવદયા હેયે સ્કુરાયમાન રહે તે બીજાને પાપનાં નિમિત્ત આપવાથી બચી જવાય. જેવું આપણાં રૂપ-ગાત્રનાં પ્રદર્શનમાં અને ચેષ્ટામાં, તેવું અન્ય અન્ય કામવચન–પાપપદેશ-શાસ્ત્રદાન વગેરેમાં સમજી લેવાનું.
Page #166
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧] "
શત આ છે કે આત્મા પર ઇન્દ્રિયની જ્યાં સુધી દોરવણી છે, ઈન્દ્રિય ધારે એમ આત્માને વિષય તરફ તાણ જવા સમર્થ રાખી છે, ત્યાં સુધી નજીવા પણ નિમિત્ત મળતાં ઈન્દ્રિ દ્વારા આત્મા અસત્ પ્રવૃત્તિ અને અસદુ ભાવમાં ઘસડાઈ જવાને. એ વર્ચસ્વવાળી ઇન્દ્રિયે દુષ્ટ જંગલી ઘડા જેવી છે, અને એના સ્વાર આત્માને કેઈ અશુભ ભાવે, પાપવિચારે, કુવિકલપે, મેલી લેશ્યા-લાગણી, વગેરે અટવીમાં ઉતારી દે છે, પરિણામ? વિરાટ ભવાટવીમાં ભટકતે કરી નાખે છે. રાજકુમારની ભાવિત-તત્ત્વતા –
રુકુમી પરદેશી રાજકુમારના રૂપ-લાવણ્ય પર ભૂલી પડી. રાજકુમારે એની દષ્ટિમાં વિકાર તરત પરખી લીધે. એનાથી સહન થયું નહિ, કેમકે એ ભાવિતતત્વ હતું. જીવ-અજીવ,આ-- શ્રવ-સંવર વગેરે સર્વજ્ઞોક્ત પદાર્થ એણે ભાવિત કરેલા છે. દષ્ટિ જ ભરપૂર શ્રદ્ધા સાથે ટંકશાળી જિનવચનને અનુસાર જેવાની બનાવી દીધી છે. સર્વ કહેલ પદાર્થ-વ્યવસ્થા અણુશુદ્ધ સાચી માન્યા પછી એનું જ્ઞાન મેળવીને વારંવાર એનું ચિંતન મનન-ભાવન કર્યું છે, ભાવિત કરેલ તત્વથી જગતના ભાવેને એ રીતે જ નિહાળવાનું કર્યું છે,
તત્ત્વ ભાવિત એટલે ? આ,
મોટા આરંભ સમારંભના જલસા ઊડ્યા ત્યાં એને સુખના ખૂબ અથી એવા પણ અસંખ્ય સ્થાવરકાય જીને કચ્ચરઘાણ થતે દેખાય. પૈસા આવ્યા ત્યાં લાગે કે આ મેજમજાહને નહિ, પણ અનેકાનેક આશ્ર સેવવાને દરવાજો ખૂલ્યો! દુનિયાની ભારે દોડધામ દેખાય ત્યાં થાય કે “આ કર્મબંધના
Page #167
--------------------------------------------------------------------------
________________
w૪] સિકડાં ઈનામ દે છે.” આપત્તિ-સંપત્તિને કર્મના ચેખા વિપાક કે ખેઆમ જિનેક્ત જીવ-અજીવ આદિ પદાર્થ વ્યવસ્થાને જગતમાં ઘટાવ્યા કરે -એમ કરીને સેય જીવ-અજીવ તત્વમાં ઉદાસીનતા, હેય પાપ-આશ્રવ–બંધ તોમાં ત્યાજ્યતા, તથા ઉપાદેય પુણ્ય-સંવર–નિર્જરા–મેક્ષ તત્વોમાં આદરણીયતાની બુદ્ધિને ભરપૂર અભ્યાસ વારંવાર કરતે જ જાય, કરતે જ જાય. એટલે ચિત્ત હવે જીવાદિ પદાર્થોથી ભાવિત થતું જાય છે.
અહીં ધ્યાન રાખવાનું છે કે પૈસા ટકા-પરિવાર ખાનપાન આદિ સગવડ વગેરેને જગત જે રીતે નિહાળે છે અને નવાજે છે, શી રીતે ? આ જ રીતે કે “આ, બધા ખરી મજ મજાના સાધન છે, એવો ભાવ જાગે છે–એ રીતના ભાવથી નિહાળ્યા-નવાજવાનું નહિ કિન્તુ આ બધું મહાન આશ્રવ કે આશ્રવના સાધન રૂપ છે. આત્માને કર્મબંધનથી બાંધનારું છે, જેના પરિણામ દુઃખદ છે; ભવચક્રમાં બાંધી રાખવા રૂપ છે. એ રીતે નિહાળવા-નવાજવાનું થાય. એને અભ્યાસ કરતાં કરતાં એ દષ્ટિ રાખવાની અને એ રીતે અપનાવવાની ટેવ સિદ્ધ થાય ત્યારે કહેવાય કે આત્મા આશ્રવ પદાર્થને ભાવિત કરનારો બન્યો. એવું જીવ-અજીવ આદિ બધા ય પદાર્થમાં સમજવાનું. એના દર્શન-શ્રવણ-સ્મરણની પિતાના આત્મા પર તેવી તેવી અસર થાય.
રાજકુમાર એ રીતે જીવાદિ પદાર્થોને ભાવિત કરનારે બન્ય છે એટલે સામે રાજા રુકમી સ્ત્રી પોતાના પર મેહિત થઈ જાય. છે, એ પ્રસંગને જુઓ કેવી રીતે એ નિહાળ-નવાજે છે –
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૨. રાજકુમારની ભવ્ય વિચારણું
રાજકુમારના મનમાં થાય છે કે “હા હા હા ! આ રાંકડી શું કરી રહી છે! રાગાભિલાષભરી દષ્ટિ નાખીને તે આ બિચારી. ઘોર અંધકારમય અને અનંત દુઃખની દાયક નરક-પાતાલમાં આ ઊતરી પડી !
પરંતુ એને શું વાંક કાઢું? વાંક મારા રૂપને, મારા શરીરને છે કે એ એને આ ગેઝારે રાગ કરાવી રહ્યું છે. ધિક્કાર પડો મને કે જેનું આ પુદ્ગલના લાચારૂપ શરીર રાગયંત્ર બની રહ્યું છે! તે હવે મારે આવું રાગયંત્ર ધારણ કરી રાખીને શું કામ છે?
રાજકુમારની ભવ્ય ભાવના :“કેણ જાણે કેટલાયને આ શરીરનું રૂ૫ રાગના શસ્ત્રથી હણ્યા જ કરનારૂં બને ! આવી કલેઆમ ચલાવનાર આ જીવતરથી. સર્યું ! હવે તે આ પાપ શરીરને નાશ જ કરી દઉં..પણ ના, એમ અવિધિ મરણમાં એક તે કદાચ દુર્ગતિ થાય, અને બીજું આ જ માનવ કાયાથી સાધ્ય તપ–સંયમ દ્વારા ભાવી જન્મ-મરણ લાવનારાં કર્મોને જે વિધ્વંસ કરી શકાય છે એ કરવાનું રહી જાય. માટે એવા અવિવેકી અવિધિમરણથી સર્યું. એના બદલે
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ]
[ રુફમી
સસાર ત્યાગ કરી ઉગ્ર તિઊગ્ર તપ-સયમ સાધી આ પાપ શરીરને શાષતાં અંતિમ સલેખના અને અનશન સથારે ચડાવી ઈ એના ત્યાગ કરી દઉં. એને કાયમનું વાસિરાવી દઉં. મહાપુરૂષોના વારસાની કદરઃ—
ય
જોજો એની વિચારધારા. આપણને કેવા કેવા મહાન પરાક્રમવાળા ઊત્તમ પુરુષાનાં દિવ્ય ચારિત્રના વારસે મળ્યા છે ! કેવાં આપણાં અહાભાગ્ય છે! એની કદર પણ કરીએ તે ય તે આપ ણને પ્રેરણા-પ્રાત્સાહન આપી એવી આત્મતારક વિચારણા અને વીલ્લાસ જગાડી દે એવાં છે! મેાહની નિદ્રામાં સુષુપ્ત-સુસ્ત આપણા આત્માને ટટાર કરી દે એવાં છે! એ ઉત્તમ શુભ પુરુષાર્થના માર્ગે ચડાવી શકે એમ છે. પરંતુ એમની કદર કરીએ તે મને ને ? સાંભળીને કાન તળે કાઢી નાખવાનું હાય કે ખાલી શાબ્દિક આડંબર દેખાડવા-મનાવવાનેા હાય કે ‘વાહ સરસ વિચારણા કરી !' તે અંદરથી કશુ પાંરુષ નહિ જાગે. કદર કરવી જોઇએ આપણને મળેલા સચ્ચરિત્રોના મહા કિમતી વારસાની. એ જાગૃતિ આપે છે, જોમ આપે છે, બેઠા ત્યાંથી ઉભા કરે છે! મનને ધક્કો લગાડે છે કે ચાલ જીવ ! ઉઠે. જીવન તા કાણા કુંભમાંથી ઢળી રહેલા અમૃતની જેમ ઢળી રહ્યુ છે, જોતજોતામાં બધું જ ખત્મ થઈ જશે. માટે જ્યારે આ મારા ઉત્તમ પૂજોએ આ ભવ્ય વિચારસરણી કરી છે, આ અદ્ભુત આત્મહિતનાં પરાક્રમ કર્યાં છે, તે હું પણ એમના જ પથે ચાલુ.... એ પૂર્વ પુરુષા તા મારા કરતાં કેટલા બધા વધારે બુદ્ધિમાન, વધારે સુખી, અને વધારે ગુણવાન હતા ! તા એમણે કર્યુ એ હું કરૂ એમાં મારે કાંઈ દેશે। રાખવા જેવા છે નહિ. ખસ,
.
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ ]
[ ૧૫૭ એમની માફક કલ્યાણને જ માર્ગ છે, માટે ઝુકાઉં એમની પૂઠે.” ઝાઝું શાસ્ત્રજ્ઞાન ન હોય. તત્ત્વનું તેવું ઊછળતું શ્રદ્ધાબળ ન હોય, તે પણ મહાન બુદ્ધિશાળી અને સુખી આત્માઓ આ કરી ગયા છે એ આલંબને પણ ધર્મનું અને ગુણેનું જોમ પ્રગટે છે.
પ્રસ્તુતમાં આ રાજકુમારની વિચારધારાને અનુસરવા આટલું આલંબન પણ બસ છે કે એવા સુખી અને બુદ્ધિશાળી રાજકુમાર જેવાએ કેવા પ્રસંગમાં કેવી ઉત્તમ દષ્ટિ, વિચારણા, અને પિતાના ઉત્તમ કર્તવ્યને માર્ગ લીધે? તે મારે પણ એવી જ દષ્ટિ વિચારધારા અને કર્તવ્યપંથ મુબારક હો.”
હવે તપાસ એની દષ્ટિ, વિચારણ, અને કર્તવ્યબુદ્ધિ. કેરી કથાના પ્રેમી બનતા નહિ. એમાં તે માત્ર ક્ષણિક આનંદ અને સરવાળે આત્મા કેરે ધાકાર રહેશે, કશું લઈને ઊઠવાની વાત નહિ ! લેવું હોય તે કથાપ્રસંગેના પૃથકકરણ–વિશ્લેષણ કરી રહસ્ય તારવવા જોઈએ.
રાજકુમારે રુકમીની રાગભરી દષ્ટિ પર ખેદ કર્યો એ સૂચવે છે કે એણે સામી તેવી જ નજર ન બનાવી. “ચાલે, આ રૂપલાવણ્ય ભરી રુક્મી આપણું તરફ રાગથી જુએ છે તે આપણે જાતને ભાગ્યશાળી સમજે, અને સામે તેવી દષ્ટિથી જવાબ વાળો.” ના, આવું ન કર્યું, રાગનું નિમિત્ત ઊભું થઈ જવા છતાં એમાં જરા ય તણાયે નહિ, ગિલગિલાં ન અનુભવ્યાં, દષ્ટિ અને હૈયું બગાડયાં નહિ, ઉલટું જે ફમીને એક મહાન આત્મા માની આવ્યું હતું અને હવે રાંકડી તરીકે દેખે છે, અને દૃષ્ટિના
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૮ ]
રુક્મી
દોષમાં એ ઘાર અંધકારમય અને અનંત દુઃખદાયી નરકના માર્ગ લેતી સમજે છે. તેથી એના પર એને દયા આવી જાય છે
સદાચારી પવિત્ર આત્માઓને આવા દૃષ્ટિદોષ જેવા દોષ એ ખતરનાક દોષ લાગે છે, અને એને નરકદાતા સમજે છે. એ શ્રાપ નથી દેતે હૈાં; એનાં હૈયાને આનાદ પાકારી ઊઠે છે કે અરરર ! આ મિચારીએ નરકના રાહ લીધે !’એમાં દ્વેષ પણ નથી કરતા કે આ લુચ્ચી બ્રહ્મચારીની ખ્યાતિ જમા વનારી, એણે આ શેા ધંધા માંડયા ? હરામખાર ! ના, જરાય આવી દ્વેષની વિચારણા નહિ, સામાને ઢાંગી પ્રપોંચી માનવાની વિચારણા નહિ; કિન્તુ માત્ર એની દયાની જ વિચારણા કરે છે. રુકમી ઢાંગી કેમ નહિ ? :
પ્ર૦-રાજકુમાર નવા આવ્યા છે, સાંભળ્યુ છે જુઠ્ઠુ' અને દેખે છે જીદુ, તેા ઢાંગ ન લાગે ?
ઉ—ના એનું કારણ એની તત્ત્વ-સમજ છે. તત્ત્વ આ, કે એક આત્મા અમુક વખતે ખરેખર ગુણિયલ હાય; પણ કર્મીપરિણતિ વિચિત્ર છે તે નિમિત્ત પામીને એના અધમ કના ઉદય જાગી જાય એ સુસંભવિત છે, તેથી એ ગુણુ ગુમાવી દોષના માર્ગે ચડી જાય. એવું બનવા જોગ છે. એટલે ત્યાં ઢાંગ માનવાને કાં રહે ? કોઈ ના જરા દોષ દેખી ઝટ પ્રપ ચીને આરેપ ચઢાવતાં પહેલાં આ ખાસ ધ્યાન પર લેવા જેવું છે. નહિતર અસદ્ અભ્યાખ્યાન, મૃષા વિચારણા, દ્વેષ, અસહિષ્ણુતા વગેરે ઘાર પાપમાં પડવાનું થાય.
એવા એવા પાપથી બચવા માટે આ જ વિચારવાનુ કે 'કર્મીના ઉદય વિચિત્ર છે; તે ન ધારેલું કા દેખાડે
Page #172
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ ]
[ ૧૫૯ એમાં નવાઈ નથી. એવા જીની તે આપણે, શુદ્ધ હૃદયને કાળું કર્યા વિના, શુદ્ધ દયા જ ખાવી રહી, આને પહેલે પ્રત્યક્ષ લાભ આ કે આપણું દિલ ફારૂં રહે, ચિત્ત શાંત સ્વસ્થ રહે, લેહી બળે નહિ, પણ વધે. દ્વેષથી લેહી બળે છે, દયાથી વધે છે.” પિતાને દેષ જોવાની કુશળતા –
હવે આગળ જુઓ. એ વળી ગજબ વિશેષ વાત છે. રુકૂમી ભુલે છે એમાં રાજકુમાર પોતાને દોષ જુએ છે કે “આ મારું રાગના યંત્રરૂપ પાપશરીર કેવું કે એ આ બિચારીને ભયંકર રાગ પૂરો પાડે છે ! ધિક્કાર પડે આ શરીરને !”
દષ્ટિ ક્યાં જાય છે ? કૃમી ભૂલી રહી છે તે એની પિતાની મેહનીય કર્મની પરિણતિને લીધે, પિતાની બિન-સાવ ધાનીના હિસાબે, છતાં આ રાજકુમાર દોષ દે છે પિતાનાં શરીરને!
સજજન માણસે સારી વાતમાં જશ બીજાને આપે છે, ને ખોટી વાતમાં દોષ પોતાના ઉપર લઈ લે છે.
એમાં ય વળી આ તે પોતાના પુણ્ય મળેલા રૂપાળા શરીરને
બળદેવ મુનિને નગરમાં પેસતા જોઈ કૂવાના કાંઠા પરની સ્ત્રી એમનાં રૂપ પર મુગ્ધ બનેલી; તે એ જોવાની લીન તામાં આંખ એમના તરફ ભૂલી પડી, દોરડાને ફાંસે ઘડાને બદલે બાજુમાં બેઠેલા પિતાના બચ્ચાને ગળામાં ઘાલવા જતી હતી. એ અનર્થ જોઈ મુનિએ એને રેકી, અને પિતાના રૂપને ધિકકાર આપતા મુનિ હવેથી ગામ-નગરમાં ગોચરી ન જવાને સંકલ્પ કરી જંગલમાં ચાલી ગયા. “રૂપનું
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૦]
[કુમી નિમિત્ત મ તે સામે જીવ બિચારે ભૂલે ને? માટે જાઓ એ નિમિત્ત આપવાનું બંધ કરે, આ ઘેરણ લેવામાં મન કેટલું બધું ફેરૂં, સ્વસ્થ અને સ્વચ્છ રહે છે? જીવ પર ભાવદયાને ઝરો વહે છે.
- સમરાદિત્ય કેવલી મહર્ષિના જીવ ધન્યમુનિને ચોથા ભવમાં, એમની પત્ની અગ્નિશમને જીવ ધનશ્રી રાતના મુનિ ધ્યાનમાં ખડા છે ત્યારે પૂર્વ ભવના વેરથી એમની આજુબાજુ લાકડાં ગોઠવી સળગાવી મૂકે છે. ત્યાં મુનિ એ વિચારે છે કે “અરેરે ! કેઈ બિચારા જીવને આ મારું શરીર નરક-દુઃખદાયી પાપ બંધાવામાં નિમિત્ત બની રહ્યું છે ! ધન્ય છે તે અશરીરી બનેલા સિદ્ધ ભગવંતેને કે જેમને શરીર જ નથી તે કેઈને પાપમાં નિમિત્ત બનતા નથી ! ધિક્કાર છે મારા શરીરપણને! આવ મારે છે –
જેવા જેવી છે આ તારક વિચારધારા. અહં હેઠું મૂકાઈ જાય તો પછી સામાને કાંક દેષ જેવાને બદલે પોતાની જ કેઈ ખામી જેવાનું મન થાય. માણસને અહંન્દુ જ મારે છે તે વાતવાતમાં બીજાને વાંક દેખ્યા કરે છે. હું ત્યારે જિંદગી આખી ય આ કરવામાં જવાની ? પોતાની કેઈન્યૂનતા જ ધ્યાનમાં નહિ લાવવાની? ન્યૂનતા નજરે જ ન ચઢે તે એને સુધારવાનો વિચાર પણ શાને આવે? અને ઉદ્યમ પણ શાને થાય? બસ ત્યારે આત્મા વીતરાગ જ બની ગયો છે ને? ના, એવું તે કાંઈ નથી, તે પછી વીતરાગ બનવાનું તો છે ને? એ શી રીતે બનશે? જાતમાં ભરેલા અનંતા દેષને કયા સિવાય? એ કાઢવાનું એના પર વિચાર અને ઉપાય યાજ્ય વિના? તે શું આ મહા
Page #174
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨]
[૧દા કિંમતી જિંદગીમાં એ પહેલા નંબરનું કર્તવ્ય નથી કે આપણે આપણુ દોષ, આપણી ન્યૂનતા, આપણી ખામીઓ દૂર કરવાના જ મુખ્ય અને ધરખમ પ્રયત્ન રાત ને દિવસ ચાલુ રાખીએ? દરેકે દરેક પ્રસંગમાં કંઈ ને કંઈ પ્રયત્ન આપણી ખામી ટાળવાને કરીએ?
જેણે આ સ્વદોષ ટાળવાને મુખ્ય વ્યવસાય રાખે હોય એ અહંત્વને તે પહેલે જ ધકે ચડાવી દે, બીજાના દેષ જોવાનું માંડી વાળે. મહાવીર ભગવાનને ચારિત્ર લઈ આ કામ કરવું હતું, તેથી ઘેર ઉપસર્ગ કરનારને પણ લેશમાત્ર દેષ ન દેખે માત્ર પિતાના કર્મની જ ખામી ખ્યાલમાં રાખી, પિતાના મુખ્ય ધંધાથી તદ્દન ઉલટ ધ ધે, બીજાના દોષ બીજાની ખામી જોયા કરવાને અને એના પર બળ્યા કરવાને ધંધે, કર્યો ગયે શિરપાવ કે મળશે? અંતકાળ અને પછીને અનંત કાળ કે દુઃખદ મળવાને ભૂલા ન પડે. આ કિંમતી જિંદગીને સ્વદેષ હટાવવાને અમૂલ્ય સમય વેડફી ન નાખે.
રાજકુમારે રુકમીના દૃષ્ટિદેષ ઉપર પોતાના રૂપાળા શરીરને દોષ આપે; અને એવા પાપશરીરને વિધિસર ઠેઠ અંતિમ સંથારો કરાવી દેવા સુધીનું ધાર્યું. મને થયું કે “શું કામ છે આવા પાપી શરીરને પિષીને ?'
રાજકુમારને શું ઘરે રાજશાહી સુખે ને વૈભવ વિલાસ જોગવવાના મટી ગયા છે? કદાચ રુકમી ભૂલી તે “ચાલે અહીંથી આપણે આપણા ઘરે સારા.” એવું કેમ ન કર્યું?
મહાન આત્માઓની આજ ખૂબી છે કે જીવનમાં બનતા કેઈ તેવા એકાદ પ્રસંગની વ્યાપ્તિ આખા જગત પર લગાવે,
Page #175
--------------------------------------------------------------------------
________________
]િ એ પ્રસંગના આધારે સંસાર ભરના પદાર્થોનું માપ કાઢે, અમે એ પર વૈરાગ્યની વૃદ્ધિ કરે. રાવણની હાર પર વાલી રાજાએ એ કર્યું - સ્થૂલભદ્રજીને રાજાએ મંત્રીમુદ્રિકા આપવા માંડી, ત્યારે એમણે માત્ર એમાં જ પોતાના પિતાના જેવો છે ન દેખે, પણ હવે તે પ્રાણપ્રિય કેશા વેશ્યામાં પણ ધે છે અને ઘરના સંસારમાં પણ દેખે દેખે. પિતાના પ્રાણ લૂંટનારી મંત્રીમુદ્રિકાના આધાર પર જગતના સમસ્ત વૈભવ-વિલાસ અને એનાં સાધનને પરખ્યા; અને જવલંત વૈરાગ્ય એ ઝળહળી ઊઠ કે હવે તે મંત્રીપણું જ શું, કેશો ય ન જોઈએ, ને ઘર પણ નહિ; સંસાર આખે ન જોઈએ.” આ “
પુરું સરવિવારના ર” જે આપણામાં બુદ્ધિ હેવાનો આપણે દાવે છે, તો એનું ફળ આ છે, એની સાર્થકતા કર્યાનું પ્રમાણપત્ર આ છે, કે આપણે તત્વની વિચારણા કરીએ; ઉપસ્થિત થયેલ પ્રસંગનું તત્વ, રહસ્ય, મર્મ વિચારીએ, એને બીજે બધે લાગુ થાય ત્યાં લાગુ કરી જોઈએ.
રાજકુમારે રુકમીના એક પ્રસંગ પર જગતભરના પ્રસંગો નિહાળ્યા, અને સમસ્ત દુઃખનું–કલેશેનું કારણ શરીર જોયું. હવે એટલા જ માટે “આ પાપશરીરને પિષવાનું શું કામ છે ? ક્રમશઃ શેષીને સિરાવી જ દઉં,' એમ વિચારે છે. - રાજકુમારનો ભાવી કાર્યક્રમ :–
તે શું આપઘાત કરવાને વિચાર છે? ના, પૂર્વે રુકમીને આવ્યું તે અવિવેકી વિચાર નથી. એ તે વિચારે છે કે હવે આ શરીરથી તીવ્ર પ્રાયશ્ચિત્ત વહન કરૂં. એ માટે પહેલાં તે
Page #176
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ ] સકલ પાપને દળી નાખનાર, એકાંતે નિષ્પાપ, અહિંસક, તીર્થકર ભગવાને બતાવેલ, ચારિત્ર–માર્ગે ચડી જાઉં. જેથી પહેલું તે જગતના અનંતાનંત છમાંથી એક પણ જીવની હિંસા મારે મનથી, વચનથી, કે કાયાથી કરવાની ઊભી ન રહેવું ન કરાવવાની, કે ન કોઈની પણ હિંસા અનુમોદવાની ઊભી રહે.' . તેમજ સાથે ઘરવાસ ન રહેવાથી ધન-માલ-મિલ્કત, વિષયે, કુટુંબીઓ વગેરેનાં સંબંધ છૂટી જાય, તેથી તેના અંગે કરવાં પડતા રાગદ્વેષ, ક્રોધાદિ કષાયે, કલેશ, કંકાશ, વગેરે પાપસ્થાનકે પણ નહીં કરવાના. ન રાતી પાઈને પરિગ્રહ, કે ન જીવઘાતક આરંભસમારંભ. આનાથી આત્મામાં નવા પાપબંધ અટકી જવાના, અને સાથે તપ-સંયમ-સ્વાધ્યાય, ધ્યાન, સાધુ-સેવા વગેરે સાધનાઓથી જૂનાં પાપકર્મોને વિધ્વંસ થઈ જવાને, એમ કરતાં કરતાં ઘેર લપસ્યાથી અનેક ભવેના જબરદસ્ત અને આમ છૂટવા અત્યંત સુંશ્કેલ પાપબંધનેના થાક ઢીલા કરી દઉં. અને અંતિમ સંથારાઅનશન સ્વીકારી લઉં. બસ ક્યારે આઠેય કર્મોને ભુક્કો કરી, આ પાપ શરીરને હંમેશ માટે ત્યાગ કરી દઉં ! જેથી કોઈને ચ પણ શરીર દ્વારા રાગાદિ કરાવવામાં નિમિત્ત ન બનું, તેમજ ભાવીમાં પણ પાપશરીર મળવાનું મારે સદંતર બંધ થઈ જાય - રાજકુમારે શરીરને સંથારે ચડાવી દઈ, ત્યાગ કરવા આ રીતે ઈછયું, પણ અવિવેકી આપઘાત કરીને નહિ કેમકે વીતશગ ભગવાને કહેલા જીવાદિ પદાર્થો અંતરાત્મામાં ભાવિત કરેલા છે. એથી એ સમજ છે કે,
વિધિપૂર્વક શરીરને ત્યાગ કરવાથી મૃત્યુ વખતે પણ આમામાં અસમાધિ થતી નથી.
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૪]
[કમી મૃત્યુની પીડા તે અપરંપાર હોય છે, કેમકે શરીરપ્રદેશ સાથે એકમેક થઈ ગયેલ આત્મપ્રદેશને છૂટવું છે. એવી ઘેર પીડા વખતે પણ જે એની પૂર્વે એથી ઓછી પીડામાં ય સમાધિ નહિ તે અંતે થવાની વાત જ શી ? વળી વિધિપૂર્વક ત્યાગ કરવા જતા ચારિત્ર ધર્મની અનેકાનેક સાધનાઓ સાથે કઠેર તપ અને ત્યાગની આરાધના થવામાં કેટલાયે કર્મોને ભાંગીને ભુક્કો થઈ જાય. આ કાર્ય કર્યા વિના એમ જ એકાએક આપઘાત કરી દેવામાં સાધના કાંઈ નહિ. તે વિના સાધનાએ કર્મોને વિધ્વંસ કયાંથી થઈ શકે ? તેમ સાધના કરવા સમર્થ આ શરીર એકાએક ગુમાવી દીધાથી ફરી આવું શરીર શું મળે? - " જીવન શા માટે :
માનવ જીવન હાથ પર હોય એની આ મોટી કિંમત છે, કે નિર્મળ તપ-સંયમ-શાસ્ત્રરટણમૈત્રીભાવ આદિ દ્વારા કમશઃ ઉચ્ચ ઉચ્ચતર ગુણસ્થાનકની વૃદ્ધિ થતી જવાથી અધિકાધિક કર્મને ચૂર કરી શકાય છે, અને તેથી આત્માને અતીત અનંતા કાળમાં નહિ સધાયેલ વિશુદ્ધિ અને ઉન્નતિ સધાવી શકાય છે, ભવ-ભ્રમણને એથી ઘણું ઘણું ટુંકાવી શકાય છે. આ બધું જીવનને એકદમ જ આપઘાતથી અંત લાવવામાં ક્યાંથી સધાય ? ત્યારે એ પણ સમજવાનું છે કે આપઘાત નહિ સહી તે પણ જીવનને આહાર, વિષય, પરિગ્રહ-નિદ્રામાં સરાસર વેડફી નાખવાથી પણ એ ક્યાંથી સધાવાનું હતું? એમાં તે વળી આ મહાદુર્લભ જીવન જે ખાસ વસ્તુ સાધવા માટે છે, તે જ રહી જાય, અને પથજીવનનાં ખેલમાં નિષ્ફલ ચાલ્યું જાય.
Page #178
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨]
[૧૬પ વળી જીવન શા માટે :
સાથે આ પણ સમજી રાખવાનું છે કે ક્રોધ-લેભાદિ કષા અને અહં ત્વને જબરદસ્ત સંહાર કરવા માટે પણ આ મનુષ્યજીવન જ સર્વોત્કૃષ્ટ જીવન છે. એમાં ઊંચી ઊંચી ક્ષમા, નિસ્પૃહતા વગેરે આત્મગુણે સિદ્ધ થઈ શકે છે. તે એનું એ કાર્યો ભૂલી, એક જનાવરની જેમ ક્રોધ-લોભાદિના ધમધમાટ કર્યો જવાય, તે આ ઉચ્ચ જીવનની કેવી ભારે વિટંબણા? માટે અહીં પણ પ્રસંગે કષાયોને વિધ્વંસ, કષાયોને નિગ્રહ કરવાનું કામ પણ અતિ મહત્વનું અને અતિ આવશ્યક સમજી રાખવાનું; જેથી એ પ્રમાણે ઉદ્યમ થાય અને કષાયની વૃત્તિ મળી પડતી આકેટલાયે પ્રસંગો કષાય વિના જ પસાર કરી દેવાય; આત્માને સ્વભાવ ગજબને ફેરફાર થઈ ગયે દેખાય, એ સાધના કરતાં કરતાં પણ કષાયને બિલકુલ શાંત કરી દેવાનું મુખ્ય લક્ષ્ય રખાય,–આવા પ્રયત્નમાં રહેવું જોઈએ. . રાજકુમારે આ બધું ખ્યાલમાં લઈને એવી સાધનાની ઉત્કટ અભિલાષા ઉભી કરી. શાના ઉપર? બ્રહ્મચારી રુક્મીના મર્યાદા બહારની દષ્ટિના એક પાપ ઉપર. જોવાની ખૂબી છે કે બીજાની નાની દેખાતી ભૂલ ઉપર પોતે જાતે મહાવૈરાગ્ય પામી જાય છે. - બુદ્ધિશક્તિ-વિચાર-ચિંતન-શક્તિને આ ખરેખર સદુપયોગ છે, કે દુનિયાનાં ગમે તે પ્રસંગ પર પોતાના આત્માનું હિત વધે એવી તત્ત્વદષ્ટિની જ વિચારણા કરાય. - ત્યારે ભગવાન જિનેશ્વદેવનું ઉંચું તત્વજ્ઞાન અને અનન્ય સાક્ષમાર્ગ મળ્યા પછી પણ જે એને ઉપયોગ ન કરી લેવાય, એના
Page #179
--------------------------------------------------------------------------
________________
દ્વારા તત્વદષ્ટિએ જ જેવા વિચારવાનું અને વસ્તુ કે પ્રસંગને મૂલવવાનું ન કરાય, તે એ આ સર્વોત્તમ શાસન-પ્રાપ્તિની કેટલી બધી બેકદર અને પ્રાપ્તિ એળે જતી ગણાય જે વસ્તુનું જે મહત્ત્વ છે એ વસ્તુ મળ્યા પછી એ મહત્ત્વને અનુરૂપ વર્તાવ હોય તો તે એની કદર એનું મૂલ્યાંકન કર્યું લેખાય; પણ એના બદલે ઊંધું જ વર્તન હોય તે તે એની બેકદર કરી, એનું હલકું મૂલ્ય આંક્યું, એની અવગણના કરી કહેવાય. શું તમે ઈચ્છે છે કે એ ઉચ્ચ તત્ત્વજ્ઞાન–મોક્ષમાર્ગની આપણા હાથે અવગણના થાય ? ' રાજકુમારે ફમીના દષ્ટિદોષ પર પોતાના રૂપને, પિતાના શરીરને, પિતાની જાતને જ નિમિત્તરૂપ માની હવે એને સંસારના સર્વ સંબંધથી મુક્ત કરી દેવાનું ધાર્યું, ને તય અને સંયમ દ્વારા ઉગ્ર કસી અંતિમ, અનશન સુધી પહોંચાડવા વિચારી લીધું. કેવી ઉત્તમતા ! જે પ્રસંગ પર અજ્ઞાન જીવે સામાના જ દેષમાં અટવાઈ જઈ ચિત્તસંકલેશમાં પડે છે, એ જ પ્રસંગને પામી આણે પિતાની ત્રુટિ પર મન કેન્દ્રિત કર્યું, અને ચિત્તને પવિત્ર સંસ્કૃતિમય કરી દીધું ! જીવન-ઉત્થાનને રાહ લીધે! બીજાના દેષ પર પોતે બોધ પામ એ બુદ્ધિની વિશેષતા છે.
રાવણ-વાલીનું દૃષ્ટાન્ત :
રાજા રાવણ પોતાની પાસે જ ચંદ્રહાસ ખગ હોવા પર મુસ્તાક બની યુદ્ધમાં, વાલી રાજાની સામે એને મારી નાખવા દે, પરંતુ વાલીએ એને આખે ને આખે ઊંચકી લીધું અને બગલમાં ભીડાવી વિદ્યાબળ જબુદ્વીપને રેણુ લગાવી. પછી લાવીને યુદ્ધભૂમિ પર ખડે કરી દીધો. હવે રાવણની શી મજલ
Page #180
--------------------------------------------------------------------------
________________
પ્રળુ ૧૨]
៤ ឆ
હતી કે માટું ઊંચું કરી શકે ? રાવણને કહે છે કે ‘જો રાવણુ ! જે ચ'દ્રહાસ ખડ્ગ મારી પાસે નહિ અને તારી જ પાસે હાવાના પુણ્ય ઉપર તે ભરેસા રાખ્યું, તેણે જ તને ગે દીધા. તુ શ્રાવક થઈને આમ કેમ લેાભાયે ? આમ કેમ ભૂલા પડયા? પરંતુ તને શું દોષ દઉં ? આ હું જ ભૂલેલા છું કે હુંય મળ અને આયુષ્યના ભરેસે બેસી રહ્યો છું. જગતના પુણ્યના શા ભરાસા રખાય ? તારૂ' જ પુણ્ય છું, મારૂ પણુ પુણ્ય એવું ભરેાસાપાત્ર નથી, માટે હું” એના ભરેસે જીવન ખરખાદ કરવાને બદલે એ પુણ્ય ભાગવવાનુ છેાડી ચારિત્ર લ આ રાજ્ય નાના ભાઇ સુગ્રીવ સંભાળશે અને તે ખુશીથી તારી આજ્ઞામાં રહેશે, કેમકે એ સ્વતંત્ર સલામત રહે એટલે એનુ પુણ્ય નથી;’
શું કર્યું' વાલીએ ? રાવણને હરાવવાનાં પ્રસ*ગ પર અભિમાનમાં ચઢી એને તિરસ્કાર કરવાને બદલે, અને આજ્ઞાંકિત ગુલામ અનાવવાને બદલે, પેાતાની જાત પર વિચારવાનુ` લીધું. રાવણના ઢગારા પુણ્ય પર પોતાના પુણ્યનું માપ કાઢયુ, પુણ્યની અને એની પણ ઠગારી પ્રકૃતિ ઓળખી લઈ પોતાના કબ્યના પથ નક્કી કરી લીધા. કેવા સુ ંદર વિવેક !
હા રાવણની, અને એના પર બૈરાગ્ય ઝળહળી ઉઠે વિજયી વાલીને ! મૂળ અંદરની ષ્ટિ ખૂલી જવી જોઇએ છે. જેની ખૂલે એ સાવધાન બની જાય.
રાજકુમારની દૃષ્ટિ ખૂલી ગઈ છે એટલે રુમીના દૃષ્ટિદોષ ઉપર પેાતાના શરીરની પાપ-નિમિત્તતા નજરમાં લઈ લે છે, અને હવે એને પાષવાનું બંધ કરવા નિર્ધાર કરે છે.
તે! શું રુક્મીના કોઈ વાંક નથી તે કુમારને એના વિચાર
આવે
Page #181
--------------------------------------------------------------------------
________________
[જૂની
વિશેષ મહત્ત્વ જાતના ઢેખે છે. એવા હાય તા પેાતાનુ શરીર
૬૮ ]
સંશ્મિ કરતાં નિશ્ર્ચિતમાં મથા — પરના વાંક તે છે, પણ ઉત્તમ આત્મા આપવા જેવો વાંક પરના નહિ, કિન્તુ પાતાની એટલે જ વાંક સહેલાઈથી સુધારી શકાય તે પડેલા પેાતાના હાવાનુ જુએ છે. બીજાને પાપમાં નિમિત્ત બને છે એ માટી ક્ષતિ છે; અને તે સુધારવી પેાતાના હાથની સરળ વાત છે એ હકીકત છે. ખીજાની ક્ષતિ તે આપણે સુધારી શકીએ કે ન ય શકીએ. તે એવી સટ્ટેહાત્મક અને કષ્ટ-સાધ્ય વસ્તુ પર મનની મથામણ કરવી એના કરતાં નિીત વસ્તુ પર જ કાં પુરુષાથ કામે ન લગાડી દેવા ? આપણી ક્ષતિ આપણે નિશ્ચિત સુધારી શકીએ છીએ. એ કર્તવ્ય છે,
(૧) ખીજાની ભૂલ કરતાં જાતની ભૂલને વધુ મહંત્ત્વ આપે. જેથી એનુ' હવે એવું પાષણ ચાલુ ન રહે. મહત્ત્વ એવુ" જે ન અપાય, તે। ભૂલને ટુજી પણ પાષવાનુ કયાંથી અટકે ? તેમજ જાતનાં અર્હત્વ પણ શે એછા થાય? ખીજાની ભૂલને વધારે મહત્વ આપવામાં તેા જાત શાણી લાગે છે, ને અહુકાર ટટાર રહે છે. એટલે જાતમાં નથી સુધારો કરતા, ને નથી હૈયે લઘુતા નમ્રતા આવતી. એ તેા જાતની ક્ષતિને વધારે મહત્વ અપાય તેા જ સુધારા અને નમ્રભાવ આવે. એ મહત્ત્વ જ નથી આપતા તેથી જાતની ક્ષતીએ સુધરતી નથી.
(૨) પેાતાની ક્ષતિને મહત્ત્વ આપવા સાથે એને સુધારી લેવામાં વમાન પુરુષાથૅ કામે લગાડી દેવાને, પણ વાયદો ન જોઈએ. શક્ય એવા સાધ્યમાં વિલખ કાણુ કરે ?
Page #182
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨]
[૧૬૯ - બસ, ઈતિહાસ જુઓ, વર્તમાન મહાન આત્માના દાખલા તપાસે, તે આ જ દેખાશે કે સૌથી પહેલાં પોતાની સીધી કે આડકતરી ક્ષતિ–સૂટી–ભૂલચૂકને વિશેષ મહત્ત્વની દૃષ્ટિથી જોઈ અને એને સુધારી લેવામાં પિતાના હાથની વાત જોઈ એમાં એમણે પુરુષાર્થ કામે લગાડી દીધે, તેથી આત્મા મહાન બચે. 2 અધમ કટિમાંથી મહાન બનવાનું પરની પંચાયત ફૂટવાથી નથી થઈ શકતું, પણ જાતની ત્રુટિને મહત્વ આપી,એ પર વિશેષ લક્ષ દઈ, એ સુધારવામાં પુરુષાર્થ કામે લગાડી દેવાથી થાય છે. -
જાતના દેષ પર વધારે એકસાઈ રાખવી અને એના સુધારામાં ઉદ્યમી થઈ જવું એ બન્ને ય વસ્તુ આપણા લાભની અને આપણા હાથવેંતની છે તો શા માટે એ ગુમાવીએ? રાજકુમારે એ જ જોયું છે તેથી પિતાના હાથ–વેંતની વસ્તુને ઝટ ઉપાડી લે છે, પણ આ ફમી કેવી? એને કેમ સુધારૂં!' એવી પારકી પંચાત ફૂટવા નથી જતા. અલબત્ જાતનું નક્કી કરી લીધા પછી એને પર વિચાર આવે છે ખરે, પરંતુ તે તે ભાવદયાપૂર્ણ હૃદયે, તાત્વિક સ્વરૂપ-દર્શનના ઘરને. જુઓ એની ભવ્ય વિચારણ
રાજકુમારની ભવ્ય વિચારણું રાજકુમારને મનને એમ થાય છે કે “અહો! ધિકાર છે આ જગતના જીવની કરુણ અવ્યવસ્થિતતાને ! ઇન્દ્રિય-સમૂહની કેવી અસ્વાધીનતા! પરલેકના અનર્થો પ્રત્યે કેવા આંખ-મિંચામણી અરે! કેવી માત્ર આ એક જીવન પર દષ્ટિ કેન્દ્રિત કરી દે છે! હા!હા!હા! કેવી એની કાર્ય–અકાર્યની અનભિજ્ઞતા ! કેવી
Page #183
--------------------------------------------------------------------------
________________
૭]
[[ચણી
મર્યાદા-રહિતતા ! કેવી જાણે હાંસીરૂપતા લાગે એવી પ્રવત માનતા ! કેવીનિલ જજતા ! હા ! હા ! હા ! આવા તત્કાલ પાપ–પ્રદાન કરે ]; એવા આ દેશમાં હવે હું એક ક્ષણ પણ રહી શકે નહિ.” અવ્યવસ્થિતતાના દાખલાઃ—
'
એક રુક્મીના દાખલા પરથી રાજકુમાર સમસ્ત જીવરાશિનુ’સ્વરૂપ દર્શન કરે છે કે કેવી એની અવ્યવસ્થિતતા ! હમણાં કંઈક ધારણા-વિચારણા કરી હોય, ને ઘડી પછી એનાંથી ઉલ્ટી આ કરે! રુમીની પહેલાંની બ્રહ્મચર્યની લાગણી ખાટી-તી નહિ, પણ હમણાં પાછી એ એથી વિરુદ્ધ કામરાની લાગણીમાં જ સીધી ઊતરી પડે છે, એ એની અવ્યવસ્થિતતા છે, ઠેકાણુ નથી. જગતમાં ય ત્યારે શું દેખાય છે ? આ જ કે હમણાં એક ચીજ પર રાગ કર્યાં હાય ને ક્ષણવાર પછી એના પર નફરત કરે !' ઘરાક કહે ‘ તમે તે લુચ્ચાઈ કરે છે. એટલે વેપારી ગુસ્સે થાય છે, પણ તરત પાછા પેલા કહે છે, ‘ ઠીક, લ્યા ત્યારે પાંચ. તાકાકાઢી આપે' એટલે વેપારી ગુસ્સા ભૂલીને પ્રેમ કરવા લાગે છે. લાડુ એક ખાવામાં હર્ષના ઊભરા, પણ બીજાના આગ્રહ થતાં. એના જ પર અરુચિ ! દીકરા ઉદ્ધૃતાઇ દેખાડે ત્યાં મનને ખેદ, પશુ. કમાઇ લાવેલા પૈસાના ઢગલેા કરે એટલે ખુશી ખુશી ! ઘરેથી હાંશભેર દેવદશને નીકળ્યા, પણ રસ્તામાં સ્વાંના રંગ દેખાયે એટલે દશન મુલતવી રાખી પડયા સ્વાર્થના કામે. હાથમાં માળા લઈ હજી હમણાં તે મન લગાવ્યુ. પરમેષ્ઠિ સ્મરણુમાં, પણ એક
એ મિનિટમાં જ પાછુ મનને લઈ ગયા. શરીર કે સંસારની વિચારણામાં ! હમણાં તા કહ્યુ કોઈ ને, કહો શુ કામ છે? પણ. પેલા જ્યાં કહે છે કે શેક તમારી મેટર જસ જોઈએ એટલે
4;
-
Page #184
--------------------------------------------------------------------------
________________
શિકારણે ૧૨ ]
[ વાળી હવે કહે છે કે “એ બનવું મુશ્કેલ છે કેમકે મારે અગત્યના કામે જવું છે....પંક્ચર પડયું છે,.ડ્રાઈવર નથી...” ! આ બધું શું છે? વાણું, વિચાર અને વર્તાવનું કોઈ
ફકસ ઠેકાણું નથી, વ્યવસ્થિતતા નથી. જો વિભિન્ન ભાવમાં કૂદાકૂદ કરે છે..
ઈન્દ્રિયની બાલિશ ગુલામી
રાજકુમાર બીજું એ જુએ છે કે જે પિતાના ઈન્દ્રિય ગણને કે છૂટ્ટો દોર આપી એની પાછળ પોતે ઘસડાય છે?* પિતે એને પિતાને વશ રાખવાની વાત નહિ. પિતાના હિતમાં. જ ઊતરે અહિતમાં ન જાય, એ રીતે જ ઇન્દ્રિયને પ્રવર્તાવવાની. ટેક નહિ, કિન્તુ પિતે એને આધીન! એ ખાડામાં પટકે તો પોતે . પટકાવા તૈયાર ! લેકમાં ભૂ લાગે, પલકનાં દુઃખદ પરિણામ ઊભા થાય એવી ઈન્દ્રિયની વિષય-પ્રવૃત્તિમાં એ આંખ મીંચીને ઘસડાવાનું હોંશે હોંશે કરે છે! કેવી કેવી કારમી ગુલામી! ભાન નથી કે ઈદ્રિયને તે એ વિષયમાં રવછંદ નાચ જોતજોતામાં પતી જશે, પરંતુ આત્માને પિતાને એના દીર્ધકાળગામી કુદ-કુસંરકાર– કર્મબંધ સાથે ઊભા જ રહેવાનું છે. આ કશા ભાન વિના, જન્મે. તે મરે ત્યાં સુધી ઇન્દ્રિયગુલામીનું જ જીવન જીવ્યે જાય છે! કયારેક વ્રત-નિયમથી એના પર અંકુશ મૂક્યા હોય તે ય. પાછો પ્રસંગ આવતાં એને કૂદા કૂદે છે ! રુકમી એમ જ - ભૂલી પડી છે ને?
પરલોક પ્રત્યે આંખ બંધ–
રાજકુમારના દિલને આઘાત છે કે આ જગતના જીવની. પરલોકનાં ભયંકર નુકશાને પ્રત્યે કેવી બેપરવાઈ ! ને માત્ર અ.
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૨] લેક પર જ એક દષ્ટિ? બસ કેમ જાણે અહીંથી પરકમાં જવા જેવી કઈ વસ્તુ જ નથી! શું “આ ભવ મીડા, પરલોક કે દીઠા ના જ ખેલ? જગતમાં નજરે દેખાય છે કે ભિન્ન ભિન્ન ચનિનાં જીવ કેવી કેવી યાતનાઓ વેઠે છે! શું આ એમના પર - એકાએક જ ટપકી પડી? એમાં કેઈને એક, તે બીજાને વળી -બીજી જ જાતની યાતના! કોઈને ઓછી, તે બીજાને જાલિમ
ભારે! આની પાછળ શું એ જીવની કેઈ ભૂલ જ નહોતી ? ગુના વિના ભૂલ વિનાજ દંડ? કારણ વિના કાર્ય બને નહિ, સજા હોય -નહિ. જે આ જનમમાં ભૂલ નથી દેખાતી તે માનવું જ પડે કે
પૂર્વ ભવે ભૂલ કરેલી. ભૂલ તે જરૂર થયેલી. મોટો કરે -જન્મીને નીરોગી તગડે થતો ગયે હતે; હવે નાને જમ્યા -પછી કેમ તરત જ રેગમાં રીબાય છે? અહીં તે કશું એવું -ખાઈ-પી નાખવાની ભૂલ કરી નથી; નિગી માતાનું દૂધ માત્ર -પીએ છે, છતાં રેગીષ્ઠ કેમ ? પરલકની પૂર્વભવની ભૂલ
જીની હિંસા, જિનની આશાતના, ગુરુની અવગણના, જૂઠ - અનીતિ-રી કે ઉભટ–વિષયાંધતા વગેરેમાંના કેઈ પાપની - દુષ્ટ વિચારણ-વાણી-વર્તાવની ભૂલ,-એ વિના અહીં વ્યાધિ
અકસ્માત્ જેવી અશાતા શાની જોગવવી પડે ? - એફખી ન્યાય-નીતિથી પૈસે કમાયા છતાં કયારેક એ પૈસા- માંથી ચેરી કેમ થઈ જાય છે ? એકાએક બેટ કેમ આવે? - જોગવવાના અવસરે માંદા પડી જવાય, પરદેશ જવું પડે, સરકારી કાયદા નડે, એવું કેમ બને છે? પૂર્વ ભવનાં પાપના ઉદય વિના કેણ જવાબદાર છે?
Page #186
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ ]
[૧૭૩ હૈયું ખેલીને જવું હોય તે પરલોક-દર્શન તે ઠામઠામ થાય એવું છે. છતાં એ જેવું નથી અને જે કારણેએ વર્તમાન દુઃખના પોટલાં ઊભા થયાં છે, એ જ કારણે પાછા સેબે જવાં છે! એને તે અર્થ એક જ કે પરલેકના પ્રત્યાઘાત માટે કઈ ચિંતા જ નથી રાખવી.
પરલોકની ચિંતા કેમ ભૂલાય છે? આ જીવનની જ સુખ-સગવડ પર એક માત્ર દૃષ્ટિ છે માટે, અહીં અનીતિ– અપ્રમાણિકતા કરી, તે ભવિષ્યમાં એક બે ભવ નહિ પણ ભવેની પરંપરા કેવી અનીતિમય અને એ કર્મનાં કેવા દારુણ દુઃખવિપાકમય બની જશે એ જેવું નથી. જેવું છે માત્ર આ જીવનમાં પૈસાથી કેવી સુખ-સાહ્યબી રંગરાગ અને લોકસભાન મળે. એટલું જ !
રાત્રિભૂજન કેમ?
પશુપણે તે વિવેક નહોતે, તેથી દહાડે ને રાતે ચગર હતું, પરંતુ મનુષ્યપણું મળવા છતાં ય એ જ કરુણ હાલત ? તે ય જૈન ધર્મ મળ્યા પછી ? કેમ એમ? આ જ કારણ કે પરલોકમાં આ રાત્રિભેજનપાપના ફળમાં ઘુવડ બિલાડી ગિરેલી જેવા દુષ્ટ અવતાર મળવાની કોઈ ચિંતા નથી, ભય નથી, પરવા નથી? કદાચ વિશ્વાસ પણ નથી, તે માત્ર “અહીં બજાર સારા પૈસા આપે છે ને ? રાત્રે ખાવાની મઝા આવે છે ને? ચાર રાત્રિજીમાં શાબાશી મળે છે ને ? બસ, આ જ જીવનની લહેર સગવડ. જેવી છે. ભગવાન શ્રાવક માટે શું કર્તવ્ય કહી ગયા છે ? એ કર્તવ્યના ભંગના કેવા ખતરનાક પરિણામ બતાવી ગયા છે ? એ કશું જોવાનું નહિ? કેટલી દુર્દશા !! કમી કેમ પરપુરુષ
Page #187
--------------------------------------------------------------------------
________________
]
[ મી
પૂર કામરાગથી દૃષ્ટિ નાખી રહી છે ? પરલેાકના વિચાર ભૂલી માત્ર આ જીવનમાં મળતા ચક્ષુના આનંદના જ એકમાત્ર સ્વાદ લેવા લપટ બની છે.
રાજકુમારના મનને થાય છે કે જગતના જીવાની આ કેવી મૂઢ દશા છે કે કાર્યાંકા ના વિચાર'નથી ? કાં તે બિચારાને ગતાગમ જ નથી કે શું કરવા જેવું નહિ, અથવા ગમ પડી છે તે વિષયસુખની સગવડ દેખાતાં એને યાદ કરવું નથી, પરદેશી -રાજકુમાર રુક્મીની આ સ્થિતિ જોઈ લે છે કે એ વિદુષી હાવા છતાં અત્યારે કાર્યાંકાના વિચાર ભૂલી રહી છે, એથી જ અકાય માં પ્રવતી રહી છે.'
સમજનારી ક્ષ્મી હમણાં
ઉ—એમ તા ભૂલી ન પણ હોય એમ બને. ચેાક્કસ ન કહેવાય. સમજદાર માણસ કયારેક અકાય કરવા પ્રેરાય છે ત્યારે સભવ છે એના મનને થતુંય હાય કે આ ખાટુ થઈ રહ્યું છે. એ દૃષ્ટિએ અકાય તરીકેના વિચાર વિસ્તૃત નથી. કિન્તુ અહીં રાગની પ્રબળતા અકાયમાં તાણે છે. એટલે ભૂલવાનું કહેવાય છે તે એ હિસાબે કે કાર્યાંકાના વિવેકને મહત્ત્વ એ અને ઇન્દ્રિયવિષયાસ્વાદને મહત્ત્વ વધારે અપાય ત્યારે ભૂલા પડવાનુ કહેવાય.
પ્ર-શું અત્યાર સુધી કાર્યાકા
એટલામાં ભૂલી જાય?
કાર્યાંકા ના વિચાર એટલે :—
માટે ‘કાય –અકા, સાર–અસાર, હિત—અહિત વગેરેના વિચાર રાખવાના અઆ કે એના વિવેકને મહત્ત્વ વધુ આપવાનું, અકા—અસાર-અહિતના ત્યાગને મહત્ત્વ વધુ આપવું, પણ નહિ કે એના સેવનમાં થતા ક્ષણિક આનન્દને, મનને
Page #188
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨ ] નિર્ધાર જોઈએ કે અકાર્ય સેવન, અસારગ્રહણ અને અહિત પ્રવર્તનમાં તાત્કાલિક ગમે તે લાભ કે હરખ દેખાતે હેય છતાં એ મારે ન જોઈએ, ન જોઈએ, તે નજ જોઈએ. એવા લાભ-હરખની હું કેડીની કિંમત ગણું છું. ઉલટું એમાં તે જીવની અનાદિરઢ રોઝારી વિષય-પરિગ્રહની ખણુજ લષ્ટપુષ્ટ થાય છે, ને ઉન્નતિ દૂર હડસેલાય છે.
“શા સારૂ એ અર્થ–કામની ખણ જે તેડવાના આ એક માત્ર શ્રેષ્ઠ ભવમાં એને હવે મચક જ આપવી જોઈએ? એ તેડવાનું જ કેમ ન કરું ?
શા માટે મારે અર્થ-કામના તુચ્છ આનંદને મહત્વ આપી આત્મસ હણ નાખવું જોઈએ? *“ “શું કામ સમજદારેમાં અંકાયે–અસાર-અહિત આદરી અધમાધમે કટિમાં મૂકાવું? જે બિચારા એન વિવેકને સમજતા નથી ને એ આદરે છે એ અધમ છે, ત્યારે હું સમજવા છતાં આદરૂં એ અધમાધમ છું. ભરત ચક્રવર્તીએ આ જ વિચાર્યું હંતું કે વિષને ભવત-સંસારવૃક્ષનું બીજ નહિ સમજનારા અધમ છે, ત્યારે હું સમજવા છતાં એ વિષને પકડી બેઠેલે અધમાધમ છું.
આત્માની પાયરી વધારવાના આ સુંદર ભવમાં હલકી પાયરીએ ઊતારવાની મૂર્ખાઈ શા માટે?
માટે મારે એવા તુચ્છ આનંદ ન જોઈ એ કૂચા જેવા મનઃસંતેષ જોઈએ નહિ. હું તે અકાર્ય–અસાર–અહિતના ત્યાગને જ વળગી રહીશ. એથી પ્રભુએ આ વિવેક આપવાના
Page #189
--------------------------------------------------------------------------
________________
*
કાર અ
ને
માનસિક
કરેલા ઉપકાર પ્રત્યે કૃતજ્ઞ કદરદાન બન્યા રહેવાશે, અનાદિની અણજ વધુ ઘસારે પડશે, જીવનને એક ખરો સાર હાથમાં આવશે.”
આવા પ્રકારની વિચારસરણી સાથે માનસિક પક્કો નિર્ધાર કરી આત્માને એનાથી ભાવિત કરી રાખ્યું હોય, પાછે એની વાર વાર ભાવના કરી કરી આત્માને એનાથી વિશેષ ભાવિત કરી રાખે હાયતે અવસર આવતાં એ અકાર્ય આદિના ત્યાગને જ પકડી રાખી એના સેવનના તુચ્છ આનંદ જતા કરાય, આ જે ત્યાગને મહત્ત્વ આપવું એને કાર્યકાર્યને “વિચાર રાખે ગણાય; ને. ભેગને મહત્વ આપવું એ વિચાર “ભૂલવાનું ગણાય. આ છ પર ભાવદયા -
રુમી ભૂલી છે, પરપુરુષ પર રાગ-દષ્ટિ નાખી ચક્ષુના. તુચ્છ આનંદને મહત્વ આપી રહી છે. એના પર રાજકુમાર જગતનું, જગતના જીવોનું આ સ્વરૂપદર્શન કરે છે કે “એ બિચારા કાર્ય-અકાર્યના વિચારને સમજતા નથી.” એના આ વિચારમાં છ પર ભાવદયા છે.
. એના મનને એમ થાય છે કે “અરે! જીવેની કેવી નિર્મચંદ પ્રવૃત્તિ! કેટલી અતિ દુઃખદ દુર્દશા કે હાંસી કરવા જેવી એમની પ્રવૃત્તિ! એ વિના લજજા વિનાની બેશરમ ચેષ્ટા હોય? નહિતર આ રુમી ભરી સભામાં પિતાની એક સારા સ્ત્રી–રાજા. તરીકેની મર્યાદા ચૂકે? લજજા ભૂલે ?”
અરે ! પણ મારે હવે, હા ! હા! હા !, અહીં એક ક્ષણ વાર પણ રહેવું ઉચિત નથી. કેમકે એક તે આ બિચારી વધુ પાપ-વિચારમાં સપડાય, અને બીજું એથી ય વિશેષ, મારા માટે પાપનું શીધ્ર આગમન અત્યન્ત દુનિવાર બની જાય.”
Page #190
--------------------------------------------------------------------------
________________
કરણ ૧૨] - સારા રહેવા નરાં નિમિત્ત છેડે – - રાજકુમાર ઠીક જ વિચારી રહ્યો છેસાસ રહેવા ઈચ્છનારે શીધ્ર પાપાગમન જ્યાં અટકાવવું મુશ્કેલ હોય એવા સ્થાનમાં ક્ષણવાર પણ ઊભું ન રહેવું જોઈએ. આત્માને અનાદિ કાળથી બગડવાનું તે સહજ જેવું છે, સુધરવાનું મુશ્કેલ છે. એટલે નરસાં નિમિત્ત મળે એટલી જ વાર ! બગડવાને સ્વાભાવિક રાહ પકડતાં વાર નહિ સારા બનવું સારા રહેવું એ અવાભાવિક જેવું છે, મન પર પાકે અંકુશ રાખીને મુશ્કેલીએ એ અને છે. નરસાં નિમિત્ત દૂર રાખીને એ બને છે. માટે
જોઈએ છીએ શું થાય છે. એવા ખોટા ભરેસે રહી નરસાં નિમિત્તવાળાં સ્થાનમાં ઊભા રહેવાય નહિ. ચોરાશી વીસીમાં સ્થૂલભદ્રજી તે એક કે જે પ્રેમાળ વેશ્યાની સામે અડીખમ નિર્વિકાર બેસી શકે. બાકી તે એમના ગુરુએ પણ એ અખતરો ન કર્યો, કે બીજા કેઈનેય ન કરાવ્યું. ૮૪ ચોવીસીના કાળમાં મુનિએ કેટલી સંખ્યામાં? કરેડો-અબજો-પરાર્થે જ નહિ પણ અસંખ્ય! એમાં એક માત્ર સ્થૂલભદ્રજી અપવાદ ! એ શું સૂચવે છે? એ જ કે મોટા મહર્ષિએાએ પણ હલકાં નિમિત્તમાં ઊભા નહિ રહેવાનું. માટે તે એમને પણ મુકામ કરવાની વસ્તિ-સ્થાન-મકાન સ્ત્રી અને પશુ નપુંસકથી રહિત હોવી જોઈએ છે.
આજના ઉપાશ્ચાં સંયમબાધકા
આજના કેટલાક ઉપાશ્રયે આ ભયંકર ખામીવાળા હોય છે. વાણિયાન્નાઈને શાસ્ત્રને વિચાર નથી, મુનિઓના સંયમને વિચાર નથી કે એ સંયમ કેમ પાળોઈ એમને વિચાર છે માત્ર
Page #191
--------------------------------------------------------------------------
________________
આલીશાન બિલંકી, રસતા પરમેખના મકાનતે. એટલે પછી ઉપાશ્રય ઍવા બંધાવે છે કે જેમાં પહેલું તે સાધુને દેષિત વસતિ વળી ભપકાદાર કુરિંગ (ફરસી) બારી-બારણાં, ઝરુખ-અટારી સેવતાં મુનિને રાગ થવાનો સંભવ રહે. પછી ગામડાના સાદાં મકાન એટલા ગમે નહિ. વળી શ્રાવકે ભલે અજાયે પણ ઉપાશ્રયમાં સ્થાન કેટલીકવાર એવું પકડે છે કે બારી બહાર નજર જતાં સામે જ, ભલું હોય તે, સાધ્વીના ઉપાશ્રયમાં દૃષ્ટિ પડે, અગર ગૃહસ્થના મકાનમાં દૃષ્ટિ પડે અથવા બાજુમાં જ એવી રીતે ઘર હોય કે જ્યાંથી સ્ત્રીઓના અવાજ આવતા હોય, બપોર જેવા અકાળે પુરુષરહિત એકલી સ્ત્રીને વાસ બનતા હેય. આ બધું મુનિના સંયમને બાધક છે.
આજના ઉપાશ્રયમાં જીવરક્ષાનું શું ? –
આ તે બ્રહ્મચર્યની દષ્ટિએ વાત થઈ. બાકી ય જીવરક્ષાની અપેક્ષાએ પણ શું છે? ઉપાશ્રય ભવ્ય હાય, પણ માત્ર પરઠવવાની નિર્દોષ જગાના જ વાંધા! કદાચ નાનકડી જગા રાખી હોય તે એક વાર પરઠવેલા ઉપર ફરી પરઠવવાનું થાય; એટલે પૂર્વનું ન સુકાવાથી એમાં જે અસંખ્ય સંમૂછિમ મનુષ્ય ઉત્પન્ન થઈ ગયા હોય તેને કચ્ચરઘાણ! “, આ જીવરક્ષાર્થે યોજાયેલી પરઠવવાની સમિતિમાં જ કરો ભંગ! કરે જીવહિંસા !” આનું ભાન નહિ એટલે દુકાને કાઢી ભાડા ઉપજાવવાનું આવડે, પણ ધર્મના પાયાભૂત જીવરક્ષાર્થે પરઠવવાની એકળી જગા રાખતાં ન આવડે! ત્યારે કહેવાનું મન થાય કે જરા સ્થાનકવાસીના સ્થાનક જઈ આ વિશાળ જગા ખુલ્લી રાખી કેવી જીવરક્ષા સર્શિવે છેજુઓ
Page #192
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૨]
[ ૧૭૯ અમારો ધર્મ ઊંચારને ગર્વ લઈ ફરવા પાછળ કોઈ માથે ભાર? જ્યાં સાધુને વિચાર નહિ, ત્યાં પછી પિષધવાળાને વિચાર હોય જ શાને? 1 ટી નિમિત્તથી કર્મ જાગે –
અસ્તુ. વાત આ ચાલે છે કે નરસાં નિમિત્તવાળાં સ્થાનમાં પણ ઊભા ન રહેવું. નહિતર તેવા તેવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવનું નિમિત્ત પામી ઉદયમાં આવનારાં કર્મ જાણે કિયાં કરીને બેઠાં હોય છે. નિમિત્ત મળ્યું કે ઝટ ઉદયમાં આવ્યું સમજે વધારે પડતું ખાઈ નાખો, યા ભૂલમાં મરચાંને ફાકડે મેમાં નાખે કે અશાતા વેદનીય કર્મ જાગ્યું ! સિનેમા, વિલાસી નેવેલે, ઉભટ વેશવાળી સ્ત્રીનાં ચિત્ર વગેરે એવાં નિમિત્ત છે કે એ સેવે કે વિકરાળ મહનીય કર્મ ઉદય પામ્યું સમજે. એમ વિજાતીયનું અંગે પાંગ નિરખે કે મેહ જાગતાં વાર નહિ. - રાજકુમાર એજ વિચારે છે કે
“હા!હા! હા! કેવી ધિઠ્ઠ આચારવાળી અધમ આ અષ્ટકર્મ–રાશિ! કેવા ધિક્ શત્રુ! કે જેથી આ બિચારી રાજકુળમાં જન્મેલી બાલિકાને દુષ્ટ પાપશરીરનાં રૂપનાં દર્શનથી આંખમાં રાગાભિલાષ ફુરી આવ્ય! માટે હવે તે આ વિષયે આ દેશ છેડીને પછી ચારિત્ર જ લઈ લઉં, અને વિધિસર તપદ્વારા આ પાપ શરીરથી છૂટું.” • ' બસ, રાજકુમારને તરત ત્યાંથી નીકળી જવું છે એટલે સભાની રજા માગે છે. રજા પણ માગવાની શું, ઉચિત સંબોધન કરી નીકળી
ધુ છે. રજાની રાહ નથી જેવી; કેમકે અકળાઈ ઊઠે છે: આત્માના પરિણામ બગાડે તેવા સંગથી ભડકી ગયો છે. એમાંય
Page #193
--------------------------------------------------------------------------
________________
અસ્થિય તે એ છે કે હવે તે આ જ શું, આ ઘર સારુ પણ નથી જેતે
રાજકુમાર રુફમીના દેષ ઉપર હવે ક્ષણવાર એ દેશમાં શહેવા ચાહતો નથી. તરત જ નીકળી જવું છે, એટલે જતાં પહેલાં સભાની વચમાં કહે છે, કે “શલ્યરહિત બની મન-વચનકાયાએ શુદ્ધપણે આ સમગ્ર રાજસભાને મારી ક્ષમા-ક્ષમાપના હૈ.”
બસ, આટલું કહી ત્યાંથી તરત ચાલી જાય છે.
વિવેકી અને ગંભીર છે. રાજ્યસભામાંથી એકાએક વચમાં ઊઠી ચાલ્યા જવું ઉચિત નથી, છતાં સગવશાત્ જવું પડે છે, તે ક્ષમા માગી લેવી જોઈએ એ વિવેક છે. ગંભીરતા એવી છે કે રુફમીના કારણે જવાનું થાય છે પરંતુ એ કાંઈ બહાર પ્રકાશવાનું નથી, મનમાં જ સમજી રાખવાનું છે. એ ગંભી, રતા છે.
| ઉચ્ચ પાયરીએ ચડવું હોય તે આવા વિવેક ગાંભિર્યાદિ પ્રાથમિક ગુણે ખાસ આવશ્યક છે. આત્માની ઉન્નતિમાં એમ કૂદકે મારીને અર્થાત્ પ્રાથમિક ગુણેની પરવા કર્યા વિના ચડી શકાતું નથી. ધર્મ-ક્રિયા જુદી ચીજ, અને આત્મ-પરિણતિનું ઘડતર એ જુદી ચીજ છે. જે આપણે એમ સમજી મૂકીએ કે જૈન ધર્મની અને વીતરાગ અરિહંત પરમાત્માની શ્રદ્ધા કરી લીધી અમુક અમુક વ્રત લઈ લીધા એટલે ઊંચે ચડી ગયા, પછી ભલે પાયાના ગુણ વિવેક, કૃતજ્ઞતા, અક્ષુદ્રતા, બૈરાગ્ય, દયા વગેરે સાથે હોય તે આ સમજ બેટી છે, કેમકે
તે - બાલ નાની પાછળ આવતર કેરાનું આહવાન
Page #194
--------------------------------------------------------------------------
________________
[ . પરિણમન ઊભું થવું જ જોઈએ. અંતરના ભાવ વિનાની કિયા દ્રવ્યક્રિયા છે. એનું કાંઈ મૂલ્ય નથી.
- આત્માનો ઉદય અંતરના ભાવ ઉપર અવલંબે છે. ભાવ જેમ જેમ ચક્ખા થતા આવે, તેમ તેમ આત્માનું ગુણસ્થાનક વધે છે, એકલી બાહ્ય ક્રિયામાત્રથી એ વધે નહિ. અલબતુ એથી કાંઈ બાહ્ય ક્રિયા નકામી નથી કરતી. કેમકે અંદરના ભાવ જગાવવામાં અને જાગેલા ભાવ વધારવામાં એ ઘણી ઉપયોગી છે. દુનિયામાં દેખાય છે કે, ( બાહ્ય ક્રિયાની અંતરના ભાવ ઉપર અસર પડે છે. છોકરાને રમાડીને કે સારું સારું ખવરાવીને મા રાજી થાય છે. એ ક્રિયામાં અંતરને પ્રેમભાવ વધવાનું લક્ષણ છે. એમ મનમાં ષિ આવ્યો પરંતુ બહાર કાંઈ આવેશનું બોલ્યા નહિ, તે કદાચ
ષ એટલે જ ઊભો રહે છે. પણ જે બહાર જેમ તેમ બેલવા લાગ્યા તે એથી અંતરનો ઠેષભાવ વધતું જાય છે આ દેખાય છે. એ સૂચવે છે કે બહારની ક્રિયાની અંતરના ભાવ ઉપર અસર પડે છે, અને શુભ ભાવ લાવવા તે છે જ, માટે બાહ્ય શુભ ક્રિયાઓ, આચારે, અને ત્યાગ-સંયમના આચરણ અત્યંત આવશ્યક છે. બાકી એ પાછું એટલું જ સાચું છે કે,
બાહ્ય સાધના કરતી વખતે અંતરના ભાવની વિશુદ્ધિ થવા પર ખાસ લક્ષ રાખવું જરૂરી છે. તે જ આત્માની પ્રગતિ થતી આવે. નહિતર વર્ષોના વર્ષો ક્રિયાઓ કરાતી જાય, છતાં “મિંયા ઠેરકા ઠેર” જેવું થાય. અંતરના ભાવની વિશુદ્ધિમાં પ્રાથમિક ગુણેને ખપ કરવાનું ખાસ આવે. માટે જ ચાગ્ય આત્માઓમાં પ્રાથમિક ગુણેને ખપ ખાસ દેખાય
Page #195
--------------------------------------------------------------------------
________________
''
* **
,
** :
'; ,
૧૮૨] છે. યોગ્યતાનું માપ પણ એના પરથી નીકળે છે. આપણામાં ક્ષુદ્રતા, સ્વાથ ધતા, નિભીક વિષયલંપટતા, કૃતજ્ઞતા વગેરે હાય તે ચેતી જવું પડે. ઝટ જાતને ધમી માની લેવાય નહિ. આ દેશે કાઢવા માટે ખાસ પ્રયત્ન કરે પડે પહેલ વહેલું મન કબૂલના થાય તે ય મન મારીને આ દોષને દાબવા ચીવટ ચેકસાઈ શખી અંતરમાં ઝઝુમવાનું, દેષના નિમિત્તથી આવું રહેવાનું. : બીજાની ભૂલ પર વૈરાગ્ય – : - રાજકુમાર એગ્ય છે, ગંભીર છે, વિવેકી છે, જિનશાસન પ્રત્યે કૃતજ્ઞભાવવાળે છે, તેથી બીજાને દોષને પેટમાં સમાવે છે, અને શાસન પ્રત્યે પાકી વફાદારી રાખી અસત્ નિમિત્તમાંથી ખસી જવાનું કરે છે. અરે! પિતે બીજાને પાપમાં નિમિત્ત ન બને એ માટે માત્ર ત્યાંથી ખસી જવાનું જ નહિ, કિન્તુ સંસારના સર્વસંગથી છૂટવાનું ધારી લે છે. રુમીની દયા ખાતાં વિચાર આવે છે કે “આણે બિચારીએ આ મારાં દુષ્ટ પાપી શરીરનાં રૂપના વિષય દર્શનથી એવા કમ ઉદીય કે એની આંખોમાં રાગાભિલાષ ફુરી આવ્યો. તે હવે હું આ રૂપાદિ વિષયે જ સર્વથા ત્યજી દઈ ચારિત્ર લઈ લઉં.'
*
*
*
*
*
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૩. રાજકુમાર સંન્યાસી વેશેઃ અરિહંતની
ચિત્ય શક્તિ પર તેની
ભગવાન કહે છે, હે ગૌતમ ! તે કે ઉત્તમ રાજકુમારે આ વિચાર કરી સભા વચ્ચે કહે છે કે આ મડપમાં રહેલા સમસ્ત રાજકુળ અને નગરના લેાકેાને ત્રિવિધ ત્રિવિધે ( રાગ-દ્વેષ-મેહથી કરવા-કરાવવા–અનુમેાદના રૂપે )મન-વચન-કાયાની અશુદ્ધિ ટી ત્રિકરણશુદ્ધિએ નિ:શલ્યપણે મે ખમ્યા, સહી લીધા,’ આટલુ કહીને ત્યાંથી નીકળી જઈ પેાતાના આવાસે આવે છે. આવીને હવે તે સસારત્યાગની જ તમન્ના છે, એટલે માલ-મિલક્તની કાંઈ પડી નથી. ભાતુ લઈ લે છે, પહેરેલા વસ્ત્રે નીકળી જવુ છે, તે પણ ઠઠારામ'ધ વસ્ત્રો નદ્ધિ. પણ એકના બે ખંડ કરીને એજ પહેરી-એઢી લઈ ને એક સન્યાસી જેવા વેશે નીકળી જવાની વાત છે: જમણા હાથમાં એક સજ્જન પુરુષના હૃદય જેવી સરળ નેતરની સોટીનેા ટૂકડા પકડી લે છે.
અરિહંતની અચિંત્ય શકિત પર વિશ્વાસ રાજકુમારને શુભ કાર્ય માટે ચાલવુ છે તેથી મ’ગળ કરવુ જોઈ એ; એટલે ત્રિભુવનૈકગુરુ જગત્થષ્ઠ ધર્મતીર્થંકર અરિ
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૪] હંત ભગવાનની સ્તુતિ–વંદના કરે છે. કોઈ પણ કાર્ય માટે પિતાની ગમે તેટલી શક્તિ-સામર્થ્ય હેય, સાથે ભલેને કારણ સામગ્રી પણ હય, કિન્તુ કાર્ય આડે જે પિતાના અંતરાય કર્મ નડતા હોય તે શકિત-સામગ્રી શું કરી શકે? માટે વિદન તેડવાં કેઈએ, અને અરિહંત ભગવાનના સ્તવન-નમસ્કારાદિથી એ તૂટી શકે છે. માટે એ મંગળ છે. વિદ્ધનાશક છે, અને એની પ્રારંભ જરૂર છે.
. આપણે આને કેટલે ઉપયોગ રાખીએ છીએ એ વિચારવા જેવું છે. કહે છે “ભૂલી જવાય છે.” . : અહંદુવંદના કેમ ભાઈ! ભૂલી જવાય? એમ કહે. . (૧) પિતાની શક્તિને મદ છે કે આપણી શક્તિથી કાર્ય કેમ સિદ્ધ ન થાય!” તેમ જ મા
(૨) ચેતનને નહિ પણ જડ સામગ્રીને જ અંધવિશ્વાસ છે કે એનાથી જ કાર્યસિદ્ધિ થઈ જાય. વળી . (૩) માત્ર અતીન્દ્રિય તત્વ અંતરાય કમ ઉપર દષ્ટિ નથી, કે એને ક્ષણશમ તે પ્રથમ નંબરે જરૂરી છે. તેમ | (૪) કદાચ એમ પણ ઊંડે ઊંડે લાગતું હશે કે વળી અરિહંતની સ્તુતિ-સ્મૃતિથી એમ તે શી રીતે અંતરાય તૂટતા હશે ?
સવ અંતરાય ક્ષય કરવાનું આલંબન –
આત્માની આંતર-જાચ કરે કે આમાંનું કાંઈ નડે છે કે કેમ ? જો એ ન હોય તે પછી સર્વે કામમાં પ્રારંભે ભગવાનને કેમ ભૂલાય ? આટલી શ્રદ્ધા હોય કે અંતરાય કમ એવાં બળવાન છે કે બધી શક્તિ-સામગ્રીને અંતે નિષ્ફળ કરાવે, અને એ અંતરાયને તેડવાની જબરદસ્ત તાકાત જેમણે સમસ્ત અંતરાય
Page #198
--------------------------------------------------------------------------
________________
.
.
નાશ કરી સર્વ ક્ષાયિક ભાવની લબ્ધિઓ પ્રગટ કરી છે, એવા અરિહંત પરમાત્મામાં છે, તે અરિહંત તે વારે ને વારે યાદ આવે - અરિહંત અહી ભૂલવાનું? –
. જીવની પામરતા કેટલી બધી કે કાર્યમાત્રમાં નડતા અંત-રાય કર્મને તેડી નાખનાર અરિહંત પ્રભુને જ ભૂલે! તેય આ શામસ્તા અહી માનવભવમાં? તે પણ અરિહંત દેવ મળ્યા છે ત્યારે? જગત ઉપર દષ્ટિ તે નાખો કે મનુષ્ય-અવતાર મળવા છતાં ય ક્રોડે અજે જીને અરિહંત પરમાત્માની પ્રાપ્તિ ક્યાં છે? એ ય માત્ર પિતાની શકિત-સામગ્રી પર ઝઝુમે ને તમે પણ એવું જ કરે? અરે! એમાંય આજે એવા મનુષ્ય છે કે અરિ-હંતના સ્વરૂપને જે એક અંશ અચિંત્ય શક્તિ તેટલા જ અંશરૂપે પરમાત્માને કલપી એમના પર અથાગ વિશ્વાસ મૂકે છે, અને એમનું શરણુ પકડી માનવજ્ઞકિતની બહારની કાર્યસિદ્ધિ કરે છે. આજ વિલાયત અમેરિકામાંના એવા દાખલા જાણકા મળે છે.
- અમેરિકનની પ્રાર્થનાનો પ્રભાવ –
: - અમેરિકામાં એક મેટરના કારખાનાવાળાને પગે ભારે તક દલીફ ઊભી થઈ. શકિત-સંપન્ન હતો. એટલે ડાકટરી ઈલાજ કરવામાં બાકી ન રાખી. પણ પરમાત્મશક્તિથી જ તૂટે એવાં કર્મ નડતા હોય ત્યાં હજારો શું લાખ રૂપિયા ખર્ચી નાખે, ને દુનિયાના નામાંકિત ડાકટેરેથી ઈલાજ લે, પણ તેથી શું વળે? પેલે મોટો લાખો કે ક્રોડ ડોલર શ્રીમંત, એને ચ લંગડાતા પગે ચાલવું પડે એમાં તકલીફ અને શરમ નડે છે પણ શું થાય? કેિવી દુર્દશા?
Page #199
--------------------------------------------------------------------------
________________
•
૩. માનવની કેવી પામરતાં ક્યાં લડવા જાય? ઈ. કેરટમાં કેની સામે કેસ માંડી નુકશાની ભરપાઈ કરાવી શકે ? તે એટલું તે નક્કી થયું ને કે પ્રત્યક્ષ દેખાતી જડ સામગ્રીસંપત્તિ છતાં કઈ એવી ચઢિયાતી અદશ્ય ચીજ, જેને કુદરત. કહે, કિસ્મત કહે, ભવિતવ્યતા કહે, પણ એવું કાંક છે કે જે પ્રસંગે આજે રૂપિયાની સંપત્તિ પણ: નાકામિયાબ બનાવી દે છે? એમ હજારે માનવેને નં મળી હોય એવી બુદ્ધિ-વિકતા શરીર-શકિતને પણ અસમર્થ બનાવી દે
ઉંદરડા જેવે ઘમંડન ' હચે આ તગમગતું નથી એટલે જરાક, શ્રીમંતાઈ આવી, બુદ્ધિ મળી, વિદ્વાન બંન્યા ત્યાં એર કૂદી રહ્યા છે, છાતી ફૂલે છે, પગ ધમધમ ચાલે છે, નાકમાં હવામાતી નથી તે નસકાં ફૂલી જાય છે, અવાજમાં મિજાસ હોય છે - કેવી કંગાલિયતતા: શતના ફરવા નીકળેલા ઉંદરને ચેડાં અનાજના દાણા મળે ને. એના પર મસ્તાન બની મગરૂબીથી પાછલા પગે ઊભું થય થન. થન નાચે, પણ પાછળ બિલાડે, તાકીને રહ્યો હોય ત્યારે એ ઉંદરડાની કેવી પામર દશા આપણને લાગે? તે અહીં કાળ, કુદરત અને કર્મરૂપી. બિલાડાથી તકાયેલી આપણી અભિમાની જાત માટે કેમ એવું નથી લાગતું? ખેર! - પેલા મોટર કંપનીના માલિકને બહુ બહુ ઉપાયે કરવા છતાં પગે સારૂં થતું નથી. એવામાં એક વાર એક ભલે માણસ એને ભેટી ગયો અને વાત પર વાત નીકળતાં એણે કહ્યું કે બીજા ફાંફા શા સારૂ મારો?' ઈશ્વરને પ્રાર્થના કરે, પણ સારા થઈ જશે.”
Page #200
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩]
-
-
-
-
-
-
- - - -
[૧૭ * આ હસે છે, “હું હું હું શી વાત કરે ઈશ્વરને પ્રાર્થનાથી આ પગ સારે થાય ? હું તે ઈશ્વરમાં જ માનતો નથી. '
ત્યારે પેલો ભલે માણસ શાંતિથી કહે છે, “નહિ માનતા હિ, પણ ઈશ્વર છે એ હકીક્ત છે, અને એની પ્રાર્થનાથી આજે પણ હજારેનાં વાંછિત ફળ્યા છે. એ ય હકીકત છે.” I : “અરે પણ મેઢેથી પ્રાર્થના બેલી જઈએ એથી શરીરનું અંગશે સાજું થઈ જાય છે * માત્ર મઢેથી બેલવાની આ વાત નથી. હૃદયથી ઈશ્વરને. ખરેખર શરણે જઈ પ્રાર્થના કરવાની છે. એની અચિંત્ય તાકાત છે, કેમકે ઈશ્વરની અચિંત્ય શક્તિ છે. એ એની ગેબી રીતે શરીરના અંગ પરજ શું, કિ તું હજારો માઈલ દૂરની ચીજ પર પણું. ચમત્કારિક અસર કરે છે. માટે હું તમને કહું છું કે તમે બીજા ઉપાયો : તેં લઈ લીધા ને? હવે હારીને તે બેઠા તો છે જ, તે બસ. હવે આ ઉપાય કરો જુઓ એ શે ચમત્કાર કરે છે. તે ?
આને મનમાં લાગ્યું કે હજાને અનુભવ કહે છે ત્યારે જરૂર કાંક ઈશ્વરીય તત્ત્વ જેવું હશે ખરૂં. તે લાવને હું પણું, પ્રગ કરૂં. આમે ય ડાકટરોએ હાથ તે ખંખેરી જ નાખ્યા છે. પછી આ કરવામાં શું જાય પેલાને કહ્યું, “સારૂં ત્યારે કરીશ.” , વિચિત્ર પ્રાર્થના -
કર્યો પ્રયોગ એણે, શ્રદ્ધાથી કર્યો, પણ જુએ એ પ્રાર્થનામાં કેવી વિચિત્ર રજુઆત કરે છે. દિલથી પ્રાર્થના કરતાં એ કહે છે -
એ પ્રભુ! હું તારે શરણે છું; તારે મારો પગ સાજે. કરી જ દેવે જોઈ એ. કેમકે જ્યારે હું મારા કારખાનામાં માટે બનાવી ઘરાકને આપું છું, ને તે લઈ જનાર ઘરાકને જો એમાં કેઇ.
Page #201
--------------------------------------------------------------------------
________________
* કાકા કાકી
અંગ છે
આ મરમનુષ્ય
હતી
તે હવે એ
સંગમાં ખામી આવે અને મારી પાસે લઈ આવે છે તે અંગે હું સાજું કરી દઉં છું; તે પછી આ મારા મનુષ્ય દેહ તારી ફેકટરીમાં બન્યો છે, તે હવે એના કઈ અંશમાં ખસી આવે તો તે તારે ઠીક કરી જ દેવી જોઈએ, બસ તું કરી દેશે જ એવી મને આટલું શ્રદ્ધા છે.”
. • એની રેજના ચક્કસ કરેલા સમયે દિલથી કરાતી પ્રાર્થનાથી પગ સુધરતે ગયે. એના મનને ચમત્કાર તો લાગે જ પણ એથી વિશેષ, ઈશ્વરીય શકિત પર શ્રદ્ધા અળ વધતું ચાલ્યું. શિડા વખતમાં પગ સાજો થઈ ગયે, અને ઈશ્વરને એ પાકે પ્રેમી બની ગયો. આવા કેટલાય દાખલા બને છે. પરરી લોકે પરમાત્માનાં અનંત જ્ઞાન-દર્શનાદિ સ્વરૂપ ભલે નથી જાણતા, પરંતુ એક અચિંત્ય શકિત-યુકતતા ગુણ ચરશ્રદ્ધા મૂકી પ્રાર્થના કરે છે, શરણ સ્વીકારે છે, આભાર માને છે, વગેરે કરે છે, તે પણ કષ્ટ દૂર થાય છે.
અલબત, અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે અચિંત્ય શકિતવાળા પરમાત્મા કાંઈ જંગતનું સર્જન કરવા નથી બેસતા, જગકર્તા નથી, એટલે હિંદુઓની જેમ પરદેશવાળા પણ “બધું ઈશ્વરે બનાવ્યું છે, આપણે દેહ પણ ઈશ્વરે બનાવ્યો છે, એવું જે માને છે. એ વાસ્તવિક યુકિત યુકત નથી, છતાં બીજું બધું મૂકી ભગવાનની અચિંત્ય શકિત-અચિંત્ય પ્રભાવને જે વિશ્વાસ થરે છે, એ વિશ્વાસ અને એની પાછળ એમને શરણ સ્વીકાર કર્યસિદ્ધિમાં અનુકૂળ બની જાય છે. આપણે મુદ્દો આટલે જ છે જે પરમાત્માના અચિંત્ય પ્રભાવ પર અનન્ય વિશ્વાસ અને એને શરાણુસ્વીકાર શું કામ કરે છે! પ્રીત થશે
Page #202
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩]
[ k&s
ન
પ્રતા શુ આપણે વીતરાગ કૃતકૃત્ય અરિહંતના આવે પ્રભાવ માનીએ છીએ
ય
ૐન્હા, પણ આ રીતે, કે ભગવાન સન યાને કા નિર્માણુની કશી ખટપટમાં ઊતતા નથી, એમને સર્જનની કોઈ ક્રિયા કરવાની હાતી નથી, ઇચ્છા સરખીય નહિ. તેમ એ કાંઈ આપવા કરવાની ક્રિયા ય નથી કરતા, કિન્તુ જે કાંઈ જીવનું શુભનિર્માણ થાય છે, એમાં એમનાં જ સ્મરણ, પૂજન યા એમની જ આજ્ઞાનાં પાલનના પ્રધાન પ્રભાવ છે, એના પ્રભાવ એટલે કે એ મરણ-પૂજન-આજ્ઞા દ્વારા મુખ્યપણે એમના જ પ્રભાવ છે. સ્મરણ-પૂજન-આજ્ઞા-પાલન બીજાનાં કર તેા તેવુ ફળ ન મળે, અને અરિહંતના કરે તેા મળે; એ જ સૂચવે છે કે અહિં તના જ એવા કોઇ વિશિષ્ટ પ્રભાવ છે કે એમનાં જ સ્મરણુ—પૂજનાદિ દ્વારા વિશિષ્ટ ફળ મળે.
ખસ, આ રીતે અરિહતના અચિંત્ય ઉપકાર માનવાના છે. આત્માને ઉત્તરાત્તર ચઢિયાતા શુભ ભાવ જાગે એમાં પણ અત્ પ્રભાવ જ મુખ્યપણે કારણભૂત માનવાના છે; કેમકે એ પણુ અરિહંતના આલ અને જ થાય છે. માટે તા ભગવાન ‘અભયદાતા ચક્ષુદાતા, મા દાતા’ વગેરે કહેવાય છે; ‘કલ્યાણ વેલડીના વિશાળ કંદ, લેકનાથ, લાકહિત, ધમ દાતા, ધ સાથિ....’ઈત્યાદિ વિશે થશે! પ્રભુને અપાય છે.
1
તે સવાલ આ છે કે પેલા રાજકુમારે અરિહંતના અચિત્ય પ્રભાવ પરની શ્રદ્ધાથી એમનું સ્તવન–વંદન કર્યું, એમ ભલે.. તમને અરિહંત પર શ્રદ્ધા છે કિન્તુ તમે અહિંતની અનન્ય નચિત્ય શક્તિ ઉપર અનંત શ્રદ્ધા ધરી છે. ખરા ? આપત્તિ
Page #203
--------------------------------------------------------------------------
________________
માત્રમાં અગવડ પ્રતિકૂળતામાં એ દઢ વિશ્વાસ રહે છે ખરે કે અરિહંત દેવને પ્રભાવે સારૂં જ થશે, કેમકે એ સર્વ કલેશસર્વ કષ્ટ-સર્વ દુઃખના નિવારક છે. માટે લાવ એમનું જ શરણ લઉં, એમનું જ સ્મરણ કરૂં, એમના જ સ્તુતિ - ગુણગાન કરું, આ પદ્ધતિ જીવનમાં ચાલુ છે ખરી? હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે, ( “સંપૂરિતાભિનત-લક સમીહિતાનિ જિનરાજપદાનિ'
જિનેન્દ્રદેવનાં ચરણ કેવાં છે? અભિનત–નમેલા લેકના સમીહિત–વાંછિત જેમણે સમ્યફ રીતે પૂર્યા છે એવા. એટલે? આ સાચું કહે છે? જિનચરણ વાંછિત પૂરે? હા. એટલું જેને કે એમની આગળ જે ને તે માગવાનું નથી, માગવાનું તો આત્મહિત જ, પણ અટલ આસ્થા એ રાખવાની છે કે સૌ સારૂં એમના જ પ્રભાવે થાય છે. : ૮ પૈસા પુણ્યના પ્રભાવે મળે એમ તે યાદ છે ને? - પણ પુણ્ય કેણે પમાડયું ?
ધર્મે. એટલે? અરિહંતની આજ્ઞાના પાલને.
એમાં મહત્ત્વ તમારા પાલનનું કે એમની આજ્ઞાનું? અરિહંતની આજ્ઞાન મહત્વમાં ય અરિહંતનું મહત્વ ખરું કે નહિ? જિનની આજ્ઞાને પ્રભાવ ખરે અને જિનને પ્રભાવ નહિ?
જિનને પ્રભાવ ન મનાવાથી દુર્દશા :- . : - ભૂલ અહીં જ થાય છે, બધું સારું થવામાં જિન અરિહં. તને મુખ્ય પ્રભાવ ન મનાવાથી એમના એવા શરણે નથી જવાતું, એ કૃતજ્ઞભાવ નથી જાગત, એ ન જાગવાથી એમની ભક્તિ કરવામાં તૂટી મરવાનું. સારા ઘસાવાનું, સારા લેણ દેવાનું મન
*
*
*
Page #204
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૩]
[ ૧૯૧
નથી થતું, કે રુડું રૂપાળુ મળે, સગવડ-અનુકૂળતા થાય, રાગાદિ આપત્તિ જાય, એમાં અરિહંતના ઉપકાર યાદ નથી આવતા. સારા શેઠ, સારા ઘરાક, સારી ઘરવાળી, સારા ડાકટર વગેરે ખીજા ત્રીજા કોઈના ઉપકાર હજી મનાય છે, મનમાં આવે છે, નથી આવતા -અધાના માખરે અરિહંતના ઉપકાર ! કેવી ને કેટલી દુર્દશા ?
તા વિચારે કે અરિહંતના ઉપકાર એવા પળે પળે પગલે પગલે યાદ આવ્યા વિના, એમનાં શરણે જવાનું, એમને જ એક આધાર ખરેખર માનવાનુ', અને એમની સર્વાં ગીણ સેવાના ઉમળકા અનુભવવાનું કયાંથી ખનવાનુ` હતુ` ?
રાજકુમાર ત્રિભુવન–એકગુરુ, વિશ્વશ્રેષ્ઠ, તીર્થંકર શ્રી અરિહું ત ભગવાનની સ્તુતિ–વદના કરી ત્યાંથી નીકળી ગયા, અને ચાલતાં ચાલતાં દૂર દેશાન્તરમાં હિરણ્યોત્કરટી નામની રાજધા નીમાં આવી ઊભા.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૪, બીજાનું જ જોવામાં જાતનું
- કયારે જોવાનું?
,
,
,
અનંત ઉપકાર કરનાર જગદ્ગુરુ મહાવીર પરમાત્મા રુકમી શજાને પ્રસંગ કહી રહ્યા છે. એમાં ફમીનું ભવ્ય ઉત્થાન કેવા. પ્રકારનું હતું, કેવી સામાન્ય બાબતમાં એનું પતન થાય છે, પછી ઉત્થાન થવા આડે કેવા દીર્ઘ કાળના અંતર પડી જાય છે, ત્યારે બાદ કેટલી અદ્ભુત ઉન્નતિ થાય છે, એને અતિ રોચક શબ્દોમાં ભગવાન વર્ણવી રહ્યા છે. એમાં ય અવાન્તર પ્રસંગેનું પણ બહુ રમ્ય વર્ણન આવે છે. આ ચરિત્ર સાંભળતાં જે જે માત્ર રુકમીને જ પડે ન વાંચતા, મુખ્ય તે જાતનું જ ખાતું જેવાનું છે કે આપણે ક્યાં ઊભા છીએ અને હવે કેવી નિવૃત્તિ પ્રવૃત્તિ કરવી જોઈએ, કરવા માંડીએ આ સાંભળતાં જે આત્મા સંસારની અસારા અને આત્માના માણસામ્રાજ્યની જ એક સારભૂતતાનાં સવા અને સમની વૃદ્ધિ ન કરે તે માનવું પડે કે જીવ કાં દુર્લભ-બોધિ છે, અગર દીર્ઘ સંસારી ભારેકમી છે. બીજાને સર્ટિફિકેટ આપવાની આ વાત નથી, પરંતુ પિતાના આત્માને તેલવાની આ વાત છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪ ]
[૧૯૩
ધ-કથાનું શ્રવણુ છુ, કે શાસ્ત્ર વાંચન છું, યા કોઈ પણ સુકૃત કે ધર્માનુષ્ઠાન શું, એ સ્વાત્માના આંતર નિરીક્ષણ સાથે નિજના ઉત્થાનની પ્રક્રિયાના અમલ--આચરણુ અર્થે કરવાનું છે, બીજાનુ... જોવા કે બીજાને બતાવવા માટે નહિ.
માણસ ઘણીવાર ભુલાવામાં પડી જાય છે, ધમકથા સાંભળે તા એમાં આવતા પાત્રોમાં જ ઊતરી જાય છે, જાણે પેાતાને કોઈ લેવા દેવા જ નથી. ‘રામે સીતાને જં ગલમાં મૂકાવી દીધી ? રામે ભારે ભૂલ કરી ! તે। સીત્તાને ય જંગલમાં મૂકાવુ પડ્યું ? બિચારી ! કેટલુ બધું દુઃખ એને ?” અસ કથા સાંભળતાં આટલે જ અટકી પડવાનુ' ને ? અલ્યા ! તને કાંઈ આમાંનુ' લાગુ થાય છે? રામે દ્રોહ કર્યા એવુ લાગે છે, પણ તે જિંદગીમાં કોઈના દ્રોહ કર્યા છે ખરા ? સીતા ‘બિચારી’ લાગી, પરંતુ તારાથી દ્રોહ પામનારા ‘બિચારા’ લાગે ખરા ? અરે ! તારી જાત કે જેને કમ ફૂટી રહયા છે, એ ‘ખિચારી’ લાગી ? લાગે તે તે શુ ચાનક ન લાગે કે તેા પછી મારે કયાં સુધી આમ કથી ચૂંટાયા કરી ‘બિચારા' બની રહેવું ? ઊઠે જીવ ઊઠે, તીથ કર ભગવાનનું શાસન મળ્યું છે, પછી શા સારૂં ચૂંટાયા કરવું ? શાસનના સહારે જ કને ફૂટી નાખીશ.' આવા કેાઈ વિચાર સ્ફુરે ખરા ? ના, કથા સાંભળી-લખી-વાંચી તે માત્ર પારકી જ વહી સાંભળી, લખી, કે વાંચી, પેાતાને અડે કે આભડે ? ના કશુ’ નહિ. આમાં પેાતાના ઉદ્ધાર શી રીતે થાય ? તે શાસ્ત્રવાંચનમાં પણ હિતની વાત કે અહિત-ત્યાગની વાત જાતમાં ન ગેાઠવતા જાય, તે શું વળે ? ย
92
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૪]
| | | કમી ન પર સામે જેએ શું વળે? -
એમ, કોઈ દાનાદિ સુકૃત સેવે એમાં પણ પરની જ સામે જોયા કરે તે શું વળે ? દાન તે કરે, મહા સુપાત્રદાન કરે, વીતરાગની ભક્તિમાં કાંઈ ખર્ચ, પણ દષ્ટિમાં એ લાવે કે “ફલાણ, કરતા આપણે રંગ સારે આવ્યો, બીજાઓએ પ્રશંસા ઠીક કરી, બીજા શકિતસંપન્નેને આ સૂઝયું નથી, અગર “આ તે ખરચ વધારે થઈ ગયા, ત્યાં જાતમાં જોવાનું કયાં રહ્યું ? અરે મૂરખાં એ જે કે “મારાં અહેભાગ્ય કે નાથના પ્રતાપે મળેલામાંથી થોડું પણ નાથની સેવામાં ગયું ! છતાં હજી મારી કૃપણુતા-સ્વાર્થોધતા કેમ ઓછી નથી થતી? આથી પણ વિશેષ ભક્તિ કયારે કરૂં! પ્રભુની દ્રવ્ય ભકિત તે કરી, પણ એના ફળરૂપે વીતરાગની નજીક કયારે આવીશ ? નજીક આવવા માટે રાગ-તૃષ્ણા, મદ– માયા વગેરે ઓછા કયારે કરીશ? સર્વવિરતિ કયારે પામીશ?” જે આ જેવાય, તે સીધું જાતમાં જ ઊતર્યા ગણાય.
એમ, ધર્માનુષ્ઠાનમાં પણ બીજાના જ સામું જુએ કે આણે ક્રિયા બરાબર ન કરી, આ સૂત્ર બરાબર નથી બોલતે, અહીં ભૂલ તહીં ભૂલ કરે છે, આ કેમ ચાલે? મહારાજ પણ શું જેઈને આવાને આદેશ આપતા હશે?...”આમ મહારાજને ય ભેગા લે, એમાં એ ક્રિયાનું જાતમાં શું લીધું ? જાતમાં લેવા માટે તે પદે પદે પિતાને જ લાગુ કરવું પડે, અતિચારના સૂત્રમાં દેષની સંતાપભર્યા હૃદયે નિંદા-મહાઘણા કરવી રહે,-નમુત્થણ” જેવા સૂત્રોચ્ચારણ વખતે પિતે મનમાં પિતાનું પામરપણું કંગાલ પણું લાવી, અદના સેવકભાવે ગ ગદ થઈને જાતને અર્થે પ્રભુને સ્તવવા પડે, પણ મનમાં શેઠાઈ-હોશિયારી-ઠસ્સો રાખીને નહિ,
Page #208
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪]
[૧ કુશળ બોલનાર–ગાનાર–તરીકે નહિ, કે બીજાને સંભળાવવા યા દેખાડવા અથે નહિ.
તપમાં ભાવના. –
તપ કરવાને, તે ય જાતને જ ચાલુ વિચાર રાખીને કરવાને કે “આજે મારાં અહોભાગ્ય કે દુષ્ટ આહાર-સંજ્ઞાને દબાવવાને સુંદર મેકે મળે ! પાપી પુદ્ગલને પંથ મૂકી પ્રભુના પંથે ચાલવાને અવસર મળ્યો ! હવે મારે ખાવાના દહાડે વિશેષ સાવધાન બનવાનું, ત્યાગવૃત્તિ ને નીરસવૃત્તિ રાખવાની. જીવન ત્યાગ-તપમાં સફળ છે, ખાવા પીવામાં ટેસ્ટ ઉડાવવામાં નહિ. મારે તે શે તપ છે ? ધન્ય છે તે શાલિભદ્ર-ધને– સનકુમાર જેવા મહા મુનિઓને! એમના તપને !...” - આત્મનિરીક્ષણ, આત્માના ઉત્થાનને વિચાર,અને એની પ્રક્રિયાનું ક્રમશઃ અમલીકરણ, એ જ સાધના-આરાધનાને સફળ કરે. ત્યારે પરદષ્ટિ સ્થાનનું સરાસર વિસ્મરણ, જાણે પતે તે પૂર્ણ થઈ ગયો છે એવા રંગઢંગ, બહારમાં જ ગડમથલ, ઈત્યાદિ તો સાધનાને સ્વાત્મામાં સ્પર્શવા જ દેતા નથી. | માટે, આ ફમી રાજાની કથા સાંભળે તેમાં પણ “રુકૂમીએ આ ખોટું કર્યું. રાજકુમાર ડાહ્યો માણસ વગેરેમાં જ ન પડી રહેતાં જાતમાં લગાવતા ચાલે, નહિતર કથા તે વિસ્તારથી પણ સંભળાઈ જશે, છતાં પરિણામ જાતે કાંઈ લઈને ઊઠવાનું
બન્યું છે. સ્થાના પગલા લેવાની
આપણે તે કથાના પદે પદે સ્વાત્મનિરીક્ષણ કરવાનું છે, સ્વાત્માને ઘટતી હિતશિક્ષા લેવાની છે, વાક્ય વાક્ય સ્વકતવ્યના નિર્ધાર કરતા ચાલવાનું છે.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૬]
આ ત્યારે જ બને કે જ્યારે પ્રસંગે પ્રસંગમાં જાતને યોગ્ય પ્રેરણા લેવાય, જાતને વિચાર થાય, એક યા બીજા પ્રકારને શુભ ભાવ કરાય. આ વસ્તુ જરા દષ્ટાન્તથી વિચારીએ.
કથા-પ્રસંગ જાતમાં કેમ ઘટાવાય? –
શ્રીપાલ ચરિત્ર સાંભળવા બેઠા. એમાં આવ્યું કે મયણાસુંદરીએ રાજસભામાં બાપને કહ્યું કે “પુણ્યથી વિનય, વિવેક, સુપ્રસન્ન મન વગેરે મળે.'
ત્યાં ઝટ જાત માટે વિચારવાનું કે ' (૧) “જીવ! તને જે આ વિનય, વિવેક વગેરે અંશે પણ. મળ્યા છે, તે તારું પુણ્ય કેવું જોરદાર! અને જે એ હોય તે પછી બે પૈસા ઓછા મળ્યા છે, અગર ચારમાં માન ઓછું મળે છે, તે મનને દુઃખ લગાડવાનું શું કામ છે ? કેહીનૂર હીરા. મળ્યા પછી કાચ ઓછા મળવા પર ખેદ કેણ કરે ? અથવા,
" (૨) એમ વિચારી શકાય કે વિસા વગેરેનું પુણ્ય હવા પર ગુમાન શું કરે ? એ તે સુરસુંદરીનું મેથેમેટિકસ (ગણિત).. એ ગણિત ટું. સાચું ગણિત, વિનયાદિ વિના પુણ્યશાળીપણું નથી. પ્રસન્ન મનને બદલે ઉકળાટ-ઉન્માદાદિવાળું મન મળ્યું છે, તે તું અભાગિયો છે. માટે હવે સાચે પુણ્યશાળી થવા. વિનય, વિવેક, પ્રશાંત-પ્રસન્ન મન વગેરે કેળવવા લાગી જા.” આવી જાત માટે પ્રેરણું લેવાની.
" એમ સાંભળ્યું કે “મણએ ચાખું કહ્યું કે “જીવને પિતાના શુભાશુભ કર્માનુસાર જ પ્રાપ્તિ થાય છે અને ફળ મળે છે, માબાપ તે એમાં નિમિત્ત માત્ર છે,” આ કહેવા પર એને
Page #210
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૪]
. [૧૯૭ કેઢિયા સાથે પરણવાનો અવસર આવ્યું,” આ સાંભળવા પર મનને એમ થાય કે “ધન્ય એ સિદ્ધાંતવાદી મયણાને કે બાપની બેટી શેહમાં ન તણુઈ, સર્વજ્ઞના સિદ્ધાન્તનું અને પિતાનાં સત્ત્વનું ખૂન ન કર્યું. ઉલટું સિદ્ધાન્તની રક્ષા ખાતર બાપે આણી દીધેલા કેઢિયાને પરણું! પણ એમ ન કહ્યું કે “હું ઉંમર લાયક છું, મારી મરજી હશે એની સાથે લગ્ન કરીશ” ના, ભલેને બાપ કેઢિયા સાથે પરણવે, અંતે તે મારું પુણ્ય-પાપ જ આગળ આવવાનું છે. દુનિયામાં એના ઘણા દાખલા જોવા મળે છે. મારે -જે શુભાશુભ કર્મોનુસાર જ નીપજવાને સિદ્ધાન્ત માન્ય છે, તે
એની જ આ એક ઘટના માની એને વધાવવી જ જોઈએ. ધન્ય ધન્ય મયણ!” આ વિચારી જાતમાં ઘટાવવાનું કે મારામાં આવી સિદ્ધાન્ત-ટેક સત્યની ટેક કયારે આવે !” આવી શુભ વિચારણ સાથે જાત માટે પ્રેરણા લેવાની.
એમ સાંભળ્યું કે “ધવલે શ્રીપાલને દરિયામાં ફેંક્યા, તે એ સાંભળતાં ધવલ ઉપર દ્વેષ નહિ ઉભરાવવાનું કે “માળે કે દુષ્ટ? ના, જાતમાં દયા પ્રગટાવવાની કે “બિચારો ! કે કર્મપીડિત! હીનભાગી કે આવા સજજનને ભયંકર દ્રોહ કરવા સુધી પહોંચે ! તે ધન્ય શ્રીપાલને કે આવા પ્રસંગે પણ ધવલ ઉપર પણ દ્વેષને કે જાત માટે હાયવેયને વિચાર ન લાવતાં “નમે સિદ્ધચક્કસ્સ” “નમે નવ પયાણું કર્યું. ધન્ય એનાં દૌર્યને ! એની સિધચક્ર પરની શ્રદ્ધાને !”
અરે ! મહાવીર પ્રભુ પર સંગમ દેવતાના ઘોર ઉપસર્ગ સાંભળતાં મનને શું થાય છે? “બિચારા ભગવાનને
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૮]
[ રુકમી કેટલું બધું દુખ ! પેલે સંગમ કે પાપિ ” આ જ ને? જેને આવું વિચારતા. એમાં જાતને શું મળ્યું? ભગવાનને
બચારા” બનાવ્યા એ પ્રભુનું અવમૂલ્યાંકન કર્યું અને સંગમ પર દ્વેષને ભાવ કર્યો. ત્યાં આવું કાંઈક વિચારે કે “ધન્ય પ્રભુ?. આપે કેવું અદ્ભુત સહન કર્યું! ધરણે ધ્રુજતી હતી, આપ સ્થિર હતા !” એથી સુકૃતાનુમોદનને લાભ મળે.
બસ, વાત એ છે કે દરેક શ્રવણ-દશનમાંથી જાતને શુભ લાવ, શુભ પ્રેરણા કમાવવાને અભ્યાસ રાખે.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૫ ગુરુની દુર્લભતા ધર્મમાં કક્ષાઓ
રાજકુમારની ગુરુ માટે શોધ:
પેલે રાજકુમાર હિરોત્કરટી નામની એક રાજધાનીમાં આવી પહોંચ્યો છે. હવે તે લક્ષ્ય નક્કી કર્યું છે કે “પાછા ઘરે જવું નથી, તેમ સ્વતન્ત સંસાર પણ માંડ નથીમાત્ર ચારિત્ર લઈ કર્મ ખપાવી બીજાને પાપમાં નિમિત્તભૂત થતા પિતાના શરીરનો ત્યાગ કરે છે !” એટલે એણે ગુણસંપન્ન ધર્માચાર્યની શોધ લગાવી, પરંતુ નગર સારૂં હોવા છતાં એવા ધર્માચાર્ય મળતા નથી. - અહીં ભગવાન કહે છે, “હે ગૌતમ! એ રાજકુમારને શોધ કરતાં વિચાર આવ્યો કે જ્યાં સુધી ગુણવિશિષ્ટ ધર્માચાર્ય મળે નહિ ત્યાં સુધી મારે આ નગરમાં જ રોકાવું. પરંતુ એમાં કદાચ કેટલાક દિવસે પણ લાગે. તે તે દરમિયાન મારે અહીંના રાજાને આશ્રય લે, કેમકે એની કીર્તિ દેશભરમાં વ્યાપેલી છે.” ગુરુની દુલભતા :
જોવા જેવું છે કે એવા મોટા નગસ્માં શું કઈ આચાર્ય મહારાજ નહિ હોય? અગર હશે તો રાજકુમારના ધારવા જેવા
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૦ ] '
[ રુમી નહિ હોય? આ જગતમાં સદ્ગુરુની પ્રાપ્તિ કેટલી મોંઘી છે! તમારે ઘેર બેઠે ગુરુ આવી મળે એટલે એમ લાગતું હશે કે ગુરુ તે સુલભ છે. કેમ ખરું ને ? ને સ્ત્રી-પુત્ર-પરિવાર મળવા કઠિન ? માટે જ ગુરુને સમાગમ રેજ સાધવાનું ભૂલી સ્ત્રીપુત્રાદિના પાકા પરિચયમાં રહેતા હશે ને ? ઊંધે જ રાહ કે બીજું કાંઈ? સદ્દગુરુનાં પડખાં સેવવા માટેના જ આ સુંદર ભવમાં કુટુંબના અને બીજા ત્રીજાના મેહમાં ફસ્યા રહી એની ઉપેક્ષા કરવી એ કેટલી બધી મૂર્ખાઈ છે?
પ્રભુ પાસે બેલ્યાને શિર પર ભાર? –
રાજ પ્રભુ પાસે માગી આવે છે કે “સુહગુરુ ગો તાવયણ-સેવણું શુભ ગુરુને યેગ, એમના વચનને અમલ’, એ માટે માગે છે ? જોઈએ છે માટે? કે શું થાય, સૂત્રમાં એવું દાખલ છે તેથી બાલવું પડે માટે? પૂછો અંદર “ખરેખર એ પામવાની ધગશથી જ માગું છું? ખરેખર મારે એ જોઈએ છે?
ચૈત્યવંદન બેલે, સૂત્ર બેલે, સ્તવન-સ્તુતિ જે કઈ બોલે, એમાં જે પ્રભુના ગુણગાન હોય, તે એની અનમેદના એવી કરવાની કે ત્યાં હૈયું મૂકી પડે, ને બીજું બધું તુચ્છ લાગે; પોતાના દેની ભારોભાર ઘણા થાય, અને એ ગુણે પામવા માટેના ઓરતા-અભખરા થાય. પ્રભુ પાસે બોલ્યાના શિર પર કઈ ભાર ખરા?
ક્યાં શું કરવાનું :- અગર જો એ ચૈત્યવંદન આદિમાં આપણું દેશે ગાતા હોઈએ તે એને દિલમાં ભારે ખેદ-સંતાપ-બળતરા થાય, જાતની પામર
-
૧નું :
Page #214
--------------------------------------------------------------------------
________________
'
'
?
પ્રકરણ ૧૫]
[ ૨૧ કંગાલ દશા લાગે, અને દિલ ઝંખે કે “આવા સમર્થ વિતરાગ પરમાત્માના આલંબને એ દોષને પિતે લાત મારી કાઢી મૂકે.” એટલે બધે એના પર તિરસ્કાર છૂટે, એટલી બધી એની લાજ –શરમ લાગે.
ત્યારે જે ચૈત્યવંદન આદિમાં પ્રભુ પાસે માગણ હેય, તે અંતરમાંથી ગદ્ગદ્ થઈને કાકલુદીભરી પ્રાર્થના નીકળે કે “નાથ! મને આ આપે. મારે ખરેખર આ જોઈએ છે, ખાસ જોઈએ ને તે આપનાથી જ સિદ્ધ થવાનું છે.” '' વાત આ છે કે (૧) ગુણગાન, તે પ્રભુના ગુણ પર આફરીન થઈ જઈને કરાતાં હેય; (૨) સ્વદોષ-નિવેદન તો રડતા રહૃદયે કરાતા હોય; અને ઈષ્ટની (૩) પ્રાર્થના તે “એની પોતાને ખાસ જરૂર છે એ ભાવ કરી, “પ્રભુના બળે જ એ પ્રાપ્ત થશે એવા અટલ ભારે ભાર વિશ્વાસ સાથે કરગરતા દિલ અને -શબ્દથી કરાતી હોય. .' દિલની સ્તુતિને પ્રભાવ અનેરે છે. વારંવાર પ્રભુના ગુણે અને ઉપકાર પર ખરેખર આફરીન થવાય, લુબ્ધ થવાય, સાથે બીજા સમયમાં એની ભાવના કરતા રહેવાય, તે એની આગળ બીજું તુચ્છ લાગે. મોટી રાજ્યસંપત્તિ, ઠકુરાઈ વગેરે ય તુચ્છ લાગે, અને પ્રતિપક્ષી દેષો પર ખરેખરી ધૃણા વરસ્યા કરે, એવું સ્વદેષ કીર્તનમાં એના ઉપર વૃણે વરસ્યા કરે. આ દુકૃતગહ અને સુકૃતાનમેદના એ તે ભવસ્થિતિ પકવવાના અનુપમ ઉપાય છે. સાથે ઉચ્ચ ગેત્રિકમ અને શાતા વેદનીયાદિ પુણ્યને - બંધ કરાવે. વળી દિલના અહંકાર તોડી નાખે, તેથી આત્મામાં શણુનદી વહેતી થાય છે
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૨
[ રુમી
અભિમાન તા એ ગુણનદી રેલાવા આડે માટ પહાડ છે. જ્ઞાનવિમળસૂરિજી મહારાજ સીમંધર ભગવાનની સ્તવનામાં પેાતાના દોષ ગાતાં કહે છે,
૮ ક્રોધ દાવાનળ પ્રખળથીજી, ઊગે ન સમતાવેલ, માનમહીધર આગળેજી, ન ચલે ગુણુનદી-રેલ.... —કૃપાનિધિ ! સુણ મેારી અરદાસ”
-′ હે પ્રભુ ? મારા પ્રમળ ક્રોધ દાવાનળને લીધે સમતાની વેલડી ઊગી શકતી નથી. મારા અભિમાન રૂપી પવતની આને લીધે ગુણનદી અંતરાત્મામાં રેલાતી નથી
•
કેવી સુંદર વાત કરી ! અંતરમાં ગુસ્સા ભભુકતા હાય, દ્વેષ સળગતા હાય, વિરોધી પ્રત્યે પણ અરુચિ ઉદ્દેશ તિરસ્કાર થતા હાય, તે ત્યાં સમતાભાવ, ક્ષમા, શાંતિ-સ્વસ્થતા નહિ આવી શકે,, અર્હત્વ–અભિમાન–માનાકાંક્ષા પ્રવર્તતી હાય તે ત્યાં ગુણપ્રવાહ નહિ વહી શકે. એટલે ખેદ સાથે વિચારવા જેવું છે કે જો આપણે. નિરંતર દ્વેષ-અરુચિ અને અહંકારમાં મરતા હાઈએ તે કેવા સમતા ભાવ અને ગુણ-સમૂહને દૂર ને દૂર રાખનારા મનીએ. છીએ ? જેના માટે એ ગુસ્સા અને ગવ કરીએ છીએ તે ચીજ વિનશ્વર છે, તુચ્છ છે. છતાં અજ્ઞાનના અંધાપામાં ચૂંટાવા જેવી. આ પરિસ્થિતિ કયાં સુધી ચલાવવાની ? અહીં જ અતિ સરળતાથી કમાવવી શક્ય એવી સમતાવેલ અને ગુણસ'પત્તિની એપ-સ્વા રહેશે તા પછી એ કર્યાં. સધાશે ?
અભિમાન કેમ તુટે ? :—
અભિમાન–અહંકાર એ પહાડ છે, એની આને લીધે ગુણાની
Page #216
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૫]
[૨૩ નદી વહી શકતી નથી. એને તેડવા માટે દુષ્કૃતગહ, સુકૃતાનુમદન અને ચાર શરણને સ્વીકાર છે.
વીતરાગના સ્તવનમાં ત્રણે ય છે. પિતાના દેશનાં નિવેદનથી દુષ્કૃતગહ થાય છે, પ્રભુનાં ગુણગાનથી સુકતાનમેદના આવે છે, અને પ્રાર્થના દિલથી કરવામાં એ ભાવ ઊભું થાય છેકે “પ્રભુ! હું તારે શરણે છું” –શરણને સ્વીકાર થાય છે. માત્ર શબ્દમાં નહિ, પણ દિલમાંથી પ્રાર્થના ઊઠે. એને અર્થ એ કે મારે એ પ્રાર્થિત વસ્તુ જોઈએ છે, અને તે વીતરાગ પ્રભુના.. અચિંત્ય પ્રભાવે મળવાની, એ દિલને અવાજ રહે. ' તે આ પ્રશ્ન છે કે રોજ “જય વીયરાયમાં માગીએ છીએ. કે “સુહગુરુ ’–‘શુભ ગુરુને વેગ હેતે શું એ ખરેખર જોઈએ છે? કવિઓનાં શબ્દ બેલી કાઢવા એ એક વસ્તુ છે, અને એને ભાવ આપણે બનાવ એ બીજી વસ્તુ છે. આ બીજી વસ્તુ જ અગત્યની છે, પ્રાર્થના-ભાગના શબ્દ બોલ્ય. જઈએ અને એને ભાવ મનમાં ન ઊભો કરીએ, એમાં દિલની પ્રાર્થના કયાંથી આવે ? પ્રાર્થના પાછળ દિલના ભાવમાં તે. યાચનાને ને પિતાની આવશ્યકતાને ભાવ પણ આવે. તે ભગવાનનાં વિશેષણ બોલીએ “અભયદયાણું ચકખુદયાણું... ધમ્મદયાણું” ત્યાં દિલના ઊંડાણમાં એ બેઠું હોય કે “મારે એ. અભય, ચક્ષુ, માર્ગ, શરણ, બધિ અને ધર્મની જરૂર છે. બધિ” એટલે તવબેધ, અને “ધર્મ એટલે ચારિત્ર ધર્મ, એ શાસ્ત્ર અર્થ કર્યો છે. મારે એની અત્યંત આવશ્યકતા છે, અને દાતા અરિહંત ભગવાન છે.” એમ હોઉ મર્મ તુહ૫ભાવઓ....સુહગુરુ જેગે” માગીએ ત્યાં પણ દિલને શુભ ગુરુના વેગની અ૮િ
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૪]
[ રુકુમી આવશ્યક્તા લાગતી હોય, ને એ અરિહંતને પ્રભાવે મળે છે એ પાક વિશ્વાસ જ હોય. .
પ્ર-શુભ ગુરુને વેગ મળી ગયું પછી પણ રજ અનેક વાર “જય વિયરાયમાં“સુહગુરુજોગો બેલી એ માગવાને અર્થશે? - ઉ૦-આમાં જેગે” એટલે કે ગ–પદાર્થ સમજવા જેવું છે. એ સમજાઈ જાય તે પછી એમ નહિ લાગે કે ફરી ફરી આમાં શું માગવાનું? ઉલટું ખ્યાલ રહેશે કે આ એગ માગી રહ્યો છું. સુહગુરુગે" નો અર્થ : ગુરુષની પરાકાષ્ઠા:
ગ” એટલે પ્રાપ્તિ, સંબંધ. શુભ ગુરુને સંબંધ એમની પ્રાપ્તિ એ માત્ર બાહ્ય પ્રાપ્તિ, બાહ્ય સંબંધ નથી સમજવાને, કિન્તુ આભ્યન્તર પણ લેવાને છે. ગુરુને આત્યંતર યુગ થયે એટલે દિલમાં ગુરુને પૂજ્ય યાને પૂજાપાત્ર અને માર્ગદર્શક તથા આજ્ઞાકારક તરીકે સ્થાપિત કર્યા. આ ગુરુગ સ્થાપિત કરવાનું પણ એટલે સુધી કે એ ગુઢ્યોગમાં ગુરુ સાથે સ્વાત્માને ઠેઠ અભેદભાવ ઊભું થાય, યાવત્ પરમ ગુરુ વીતરાગ પરમાત્માને અભેદાગ નીપજે, અર્થાત્ વીતરાગ બનાય. આ ઉપરથી સમ-જાશે કે પ્રારંભમાં શુભ ગુરુ હૃદયમાં એ રીતે સ્થાપિત થાય કે
એ મારે ખાસ પૂજ્ય છે અને મારા સત્પથ-પ્રદર્શક છે. એમની આજ્ઞા મારે સ્વીકાર્ય છે;” પછી એની કક્ષા વધતે વધતે એટલે કે એમને દિલમાં પ્રધાન અતિ પ્રધાન સ્થાન અપાયે જતે, એમની આજ્ઞા પ્રધાન અતિ પ્રધાન થતી જાય; યાવત્ વીતરાગ ભાવ લાવવાની એમની આજ્ઞા પ્રધાન કરતાં કરતાં ઠેઠ વીતરાગપણ સુધી પહોંચી જવાય. આ ઉત્કૃષ્ટ શુભગુઢ્યોગ કહેવાય. એ -ને આવે ત્યાં સુધી પ્રભુ પાસે ગુરુગ જ માગતા રહેવું જ પડે કેમકે અરિહંતના પ્રભાવે જ એ આવવાને છે. .
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૦૫]
ગુણાની અનેક કક્ષા :
‘જય વીયરાય’માં કરાતી બધી માગણી અંગે આ વસ્તુસ્થિતિ છે કે એમાં માગેલાની ચઢતી ચઢતી અનેક કક્ષાએ છે, તે પરાકાષ્ઠાએ ઠંડ વીતરાગપણા સુધી પહોંચે છે. એ ન આવે ત્યાં સુધી બધી માગણી કર્યાં કરવાની, વીતરાગપણું આવી ગયા પછી માગવાનુ કશું રહેતું નથી, ને ‘જય વીયરાય’ ખેલવાનુ ય રહેતુ નથી.
પ્રકરણ ૧૫]
‘અભયદયાણું, ચક્ખ઼ુદયાણુ....વગેરે મેલીએ ત્યાં પણ આ સમજવાનુ` છે કે અભય ચક્ષુ વગેરેની ઉત્તરાત્તર ચઢતી કક્ષા પ્રાપ્ત કરતાં કરતાં પરાકાષ્ઠાએ વીતરાગપણું મેળવવાનું છે. એ મળ્યા પછી ‘નમ્રુત્યુ ણુ' ભણવાની જરૂર નથી.
તાપ, પ્રાનીય વસ્તુની પેાતાની અનેક કક્ષાએ છે, અને ઉત્તરાત્તર ચઢીયાતી કક્ષાની વસ્તુ મેળવવા માટે પ્રાથનાની જરૂર રહે છે, માટે વારવાર એની પ્રાર્થના કરવાની છે, વારવાર ‘નમ્રુત્યુણ” ‘જયવીયરાય’ વગેરે સૂત્ર ભણવાના છે. આ કક્ષા વસ્તુ ખ્યાલમાં રહે, તે ‘આપણે અત્યારે ગુણની કે ધમની કેટલી કક્ષા સુધી પહાંચ્યા છીએ અને કઈ ઊંચી કક્ષા જોઈએ. છે,’ એના વિચાર રહે. આવે! કાઈ વિચાર ન રહે, તેા માગણી શી કરી, એનું ભાન કયાંથી કહેવાય? ભાન વિનાની ક્રિયા તે. સમૂમિ ક્રિયા બની જાય. ગુણની-ધર્મની પ્રાપ્ત કક્ષા અને પ્રાર્થના દ્વારા પ્રાપ્ત કક્ષાનું ભાન રહે તા ત ́તુ ક્રિયા આવે.
સમૃ િમ ક્રિયાના લાભ, અને લક્ષ્યવાળી તખેતુ-ક્રિયા તથા અમૃત-ક્રિયાના લાભ, એ બંને વચ્ચે આકાશ-પાતાળનું અંતર
Page #219
--------------------------------------------------------------------------
________________
1 [૨મી છે. માટે જ્યારે ધર્મક્રિયા કરીએ જ છીએ તે એને સભાનપણે કરવી જોઈએ; ભાન રહે કે “આ હું શું કરી રહ્યો છું, શું બેલી રહ્યો છું અને મારે એ કરીને–એલીને શું કરવું છે? શું જોઈએ છે? , “સુહગુરુગ” માગીએ ત્યાં શુભ ગુરુને કે યોગ જોઈએ છે? પહેલું તે, ખરેખર એ જોઈએ છે ખરો? શું એના વિના ખૂટતું લાગે છે? શું એના વિના ચેન નથી પડતું? જિંદગી બેકાર લાગે છે? જ્યારે એ મળે એવી ઝંખના રહે છે? મળે તે તરી જાઉં બેડો પાર થઈ જાય –આવું કાંઈ લાગે છે ખરું? એ લાગતું હશે તે પ્રાર્થના દિલની થશે, સાથે એ ખરેખર જોઈએ છે માટે એ મેળવવાની ધગશ અને પ્રયત્ન રહેશે, શુભગુરુગ અંતરમાં અધિક અધિક વિકસ્વર થતું જશે.
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૬. રાજકુમાર રાજાના આશ્રયે: ધર્મરસ
પિલા રાજકુમારને ગુણસંપન્ન ધર્માચાર્યને ખપ લાગ્યો છે તેથી હિરણ્યાકરટી નગરમાં એમની શોધ કરે છે. શોધતાં શોધતાં કેટલાક દિવસ જાય એવું છે, કેમકે એવા ગુણવિશિષ્ટ આચાર્ય મહારાજ નગરમાં પધારતાં કદાચ વાર લાગે. તેથી રાજકુમાર રાજાને આશ્રય લે છે.
પૂર્વના કાળે રાજાઓ વિદ્વાનેપંડિતે, પરદેશી પ્રવાસીઓ. ચિત્રકારસંગીતકાર-શિલ્પકાર વગેરે કળાકારે ઈત્યાદિને આશ્રય -આપતા. અજાણ્યાને આશ્રય આપતા. અજાણ્યાને આશ્રય ? હા, માણસને એના વિનય, વાણું, રીતભાત વગેરેથી સજન-દુર્જન તરીકે પરખી લેવામાં આવતા. એમાં ય પાછળથી કેઈ અગ્ય માલમ પડે તે તેને રુખસદ પણ આપી દેવામાં આવતી. બાકી એ પંડિત વગેરેને રાજ્યને આશ્રય મળવાથી વિદ્યા-કળા વગેરેને પ્રચાર થતે રહેતે, વિકાસ થતે, અને રાજાઓ પણ એમાં રસ લેવાથી મોટા ભાગે આડે માગે નહિ જતા. પ્રજામાં પણ એવું હતું. શુદ્ધ કળા, વિદ્વત્તા. કૌશલ્ય વગેરેને રસ બહુલતયા દુરાચારના માર્ગથી બચાવી લેવામાં સહાય કરે છે. એ કાંઈ જ જે વ્યવસાય હાય નહિ તે માણસ નવરે પડે અને કહે છે ને કે નવરે નખેદ વાળે ?
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૮]
[કુમી પ્ર-તે શું આ રસ ધરાવનારા લેકે દુરાચારના માર્ગે ન જ જાય?
ઉ૦-એ એકાંત નથી, કિન્તુ નવરા પડીને જે અનર્થ જીવનમાં પેસે છે, એમાંથી આ રસ બચાવી શકે છે, પણ તે નિર્ભેળ રસ હોં. પછી તે પૂર્વના સંસ્કારનું પ્રાબલ્ય, તેવું વાતા વરણ, નિમિત્ત, કર્મના વિચિત્ર ઉદય, વગેરે ય પિતાને ભાવ ભજવે છે, કયાંક પાંડિત્ય કળા વગેરેને ય બાજુએ મૂકાવી દે!.
છતાં સામાન્યથી આ વાત છે કે રસ, રસવાળા વ્યવસાય, એ મનને એમાં રોકી રાખે છે, જેથી પાશવી–પિશાચી કૃત્યે. તરફ એ મનને જવા દેતા નથી, પણ તે શુદ્ધ કળા-વિદ્યાને. પ્રેમ છે. એમ તો આજ વિદ્યા-કળાને રસ વર્તવાનું દેખાય. છે. પરંતુ કેટલેક સ્થાને એમાં એના શુદ્ધ પ્રેમ કરતાં વિષયરસ. પોષવા ઇંદ્રિયેનાં તરણ કરવાને મૂળ રસ કામ કરતા હોય છે તેથી જ આજે ભવાડા વધી ગયા છે. દા. ત. સંગીતકળા, નૃત્યકળા વગેરેમાં જુએ તે આ પરિણામ દેખવા મળે છે. એવું પૈસાને રસ પણ જોર કરતા જણાય છે. પછી અર્થ અને કામના આવેશમાં તામસભાવના તાંડવ મચે એમાં નવાઈ નથી. - અથ-કામ-કીર્તિને રસાવેશ છતે ધર્મ પ્રવૃત્તિમાં ય ધમ-* રસ નહિ?
કાળને પ્રભાવ શું કામ કરી રહ્યો છે ! માણસ દેખીતી ધર્મસાધના કરતે હોય, ધર્મનું કામ કરતો હોય, છતાં આ અર્થ-કામને રસ જેર કરી જાય છે. ધર્મક્ષેત્રમાં આવું બને ત્યારે તે હદ થઈ ગઈ ને? પરંતુ ચારે બાજુ ઉમટેલે અર્થ—કામ-કીર્તિના રસને જુવાળ પિતાનું નાટક અહીં પણ ભજવી
Page #222
--------------------------------------------------------------------------
________________
કરણ ૧૬]
[૨૦૯ જાય છે! ધર્મ ખાતામાં પૈસા ખરચી આવશે, પણ કીતિ–નામના -વાહવાહ તરફ મુખ્ય દષ્ટિ રાખશે! માટે તે કીતિ-વિનાનું ધર્મકાર્ય હોય તો એ કરવામાં અખાડા થાય છે. નહિતર બે પાંચ હજાર રૂપિયા ખરચી સ્વામિવાત્સલ્ય જમાડનારે કોઈ દુખી સાધમિકને પાંચ પચાસ રૂપિયાની પણ શું સહાયતા કે સહાનુભૂતિ ન કરી શકે? ગામમાં મુનિના વંદન અર્થે આવતા બે પાંચ સાધમિકને ન જમાડી શકે? પણ કેમ જાણે શુદ્ધ ધર્મને રસ જ નથી; રસ અર્થ-કામ-કીતિને, તે એના ત્રાજવે ખાય એટલું જ કરવું છે !
ત્યારે સ્વામિવાત્સલ્ય જમનારની પણ કઈ દશા છે? દષ્ટિ શું પફવાન ઉડાવવા તરફ છે? કે ધર્મને રસ પોષવા તરફ? ધર્મરસ નહિ, એટલે તે જમવામાં પંદર માણસ અને એજ નિમિત્તની પૂજા ભણતી હોય એમાં પાંચ માણસ હાજર ! બસ, મિષ્ટાન્ન-પૂરીના જ કીડા? શુદ્ધ ધર્મરસ ન હોય ત્યાં બીજું શું હોય? અર્થને રસ, ઇંદ્રિયસુખેને રસ, સત્તા-સન્માનકીતિને રસ; બુદ્ધિની આ વિટંબણા નથી? આ વિટંબણાથી બચવા અર્થ (પસા) વગેરેને રસ તેડે. એ માટે સુંદર ઉપાય ધર્મરસ છે.
અતિ દુર્લભ માનવ જીવનમાં માટીના રસ શા રાખવા’તા? જીવનનું મૂલ્યાંકન કરે,-ઉચ્ચ ધર્મ રસ કેળવવા માટે બીજું કયું જીવન છે? દેવકનું? દેવતા થઈને મહાવિદેહ ક્ષેત્રમાં જઈ સીમંધર ભગવાનની સાક્ષાત્ દેશના સાંભળી શકાશે તેથી સારે ધર્મરસ જાગશે, એ ગણતરીમાં છે ? ભૂલા પડતા નહિ, ત્યાંના ૧૪
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૦]
[કમી વાયદે અહીં ધર્મરસ છોડી અર્થ-કામ-કીતિ આદિના રસમાં ફસાયા રહ્યા, તે દેવલેક મળવાને જ ક્યાંથી ? કદાચ થેડી ધર્મસાધના કરી લીધી, પણ અર્થ-કામ-કીતિના વિચારમાં આયુષ્ય બંધાઈ ગયું તે ય તે દેવકનું કયાંથી બંધાવાનું? કયારેક શુભ ભાવથી દેવ આયુષ્ય બંધાઈ દેવલેક મળે તે ય એ સૂઝવાનું શાનું? જે અહીં ઘૂસ્યા કર્યું તે જ ત્યાં આવડશે. ધમરસ વિના દુર્ગતિ – .
આ ખાસ સમજવા જેવું છે કે હૈિયે શુદ્ધ ધર્મરસ ઝળહળતો નહિ, એટલે પછી ધર્મસાધના કરવા છતાં પરભવનું આયુષ્ય ખરાબ બંધાવાનું જોખમ છે. કાતાલીય ન્યાયે કદાચ કયારેક ધર્મભાવના આવી ગઈ અને એમાં જ સારું આયુષ્યકમ બંધાઈ ગયું, તે એ લેટરી! બાકી તે આયુષ્યકર્મ કયારે બંધાય એનો શે ભરેસે ? જે અર્થ-કામ-કીતિ આદિના ભરપૂર રસથી મોટાભાગે એના જ વિચાર ચાલતા હોય અને તેથી અંતરાત્મામાં રાગ-દ્વેષના સંકલેશ પ્રવર્તતા હોય, તો પછી એમાં કયાંક આયુષ્ય બંધાઈ જતાં એ દુર્ગતિનું બંધાવાનું. પછી દુર્ગતિના ભવમાં પડયા એટલે તે જાણે જ છે ને કે કેવી (૧) પાપબુદ્ધિ (૨) પાપાચરણ અને (૩) દુઃખમાં વિડંબાવાનું થાય ! | માટે જ ધર્મરસનું મહામૂલ્ય છે. એ જાગતે હશે તે માત્ર ધર્મ પ્રવૃત્તિ જ શું, પણ સાંસારિક પ્રવૃત્તિમાં ય શુભ ભાવના હૃદયે રમતી રાખી શકાશે. ત્યારે, આ પણ ધ્યાનમાં રહે કે શુદ્ધ ધર્મરસ જગાડે હોય તો કેવળ આત્મહિતની તમન્ના ઝગમગતી રહેવી જોઈએ.
Page #224
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૧
પ્રકરણ ૧૬]
ધમસ જમાડવાના ઉપાય આત્સહિત–તમન્ના :—
આત્મહિત તરફ દૃષ્ટિ હાય તા જ એના ઉપાયભૂત ધર્મ તરફ ધ્યાન જાય. કાયાનાં હિત, ઇન્દ્રિયાનાં હિત, કુટુંબ-પૈસા— પ્રતિષ્ઠા વગેરેનાં હિત ઘણાં જોયા, ઘણીવાર અનતીવાર જોયા, હવે પેાતાના સનાતન અંતરાત્માનું હિત જોવાય, એના રસ જાગે, તે શુદ્ધ ધર્માંરસ જાગે, તે જ આસ્તિકપણું ગણાય. કેવળ પ્રત્યક્ષ કાયાક્રિક તરફ જ દૃષ્ટિ રહે અને અતીન્દ્રિય સ્વામાના વિચાર જ ન હેાય તે આસ્તિય શુ?
એ તેા નાસ્તિકનું હૃદય કે જેને પ્રત્યક્ષના જ વિચાર હોય છે, અપ્રત્યક્ષ આત્માદિના નહિ. આસ્તિકને તે અપ્રત્યક્ષ આત્મા તરફ મુખ્ય દૃષ્ટિ રહે,કેમકે પ્રત્યક્ષ કાયાદિ વિનશ્વર છે, ત્યારે અપ્રત્યક્ષ આત્મા સનાતન છે. એ સનાતન આત્માના શુભાશુભ કૃત્ય ઉપર જ કાયાદિ ને કાયાદિમાં સારૂ નરસું સા ય છે. મુખ્ય આત્મા છે, કાયાદિ નહિ. એવા આત્માને વિચાર તે પહેલે અને વારવાર કરવાના. એનું હિત પહેલ" જોવાનુ, વારે વારે જોવાનું. એ જોવાય એટલે ધર્મની પહેલી ગરજ જાગે. ધમમાં મુખ્ય રસ રહે.
ખાકી શુદ્ધ ધ ગરજ ધર્માંરસ ન હોય એટલે પૈસા– પ્રતિષ્ઠા-પરિવાર અને ઇન્દ્રિય-સુખા જીવને તાણતા જ રહેવાના. જીવને એની જ ગરજ, એના જ રસ, એની જ ખેાજ રહ્યા કરવાની. પછી એ પૈસા વગેરે ક્યારેક ધ પ્રવૃત્તિથી પેાષાઈ શકવાનું લાગે, તે જીવ ધમ પ્રવૃત્તિ પણ કરવાને, છતાં ત્યાં રસ તે જડ પદાર્થાંના જ હેાવાથી ધમના રસ નહિ.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૨]
[અમી અહીને જડને રસ ભવભવ એનું નાટક રચે છે. આલોક-પરલેકમાં તફાવત – - જીવનભર જડને રસ રાખ્યા કરવાથી સ્વાભાવિક છે કે એના ઘેરા સંસ્કાર આત્મા પર પડતા રહે ને એ પરલેકમાં સાથે આવી ભભવ એનું નાટક બજાવતા રહે, એ પણ સહજ છે. અહીં તે હજી સંસ્કારનું ચણતર ચાલે છે, એમાં દેવગુરુ-શાસનને સગ મળે છે એટલે તેનું પાકું આલંબન રાખ્યા કરી આ કુસંસ્કારને જામવા ન દેવાનું કરવું હોય તે શક્ય છે. પણ પરલેકની સ્થિતિ જુદી છે. પરલેકમાં ગયા પછી તે અહીંના ચણાઈ ગયેલા સંસ્કારે ખડા રહેવાના. વળી અહીં દેવગુરુ-શાસન મળ્યા છતાં એની ગણના નથી કરી એટલે પરલેકમાં દેવ-ગુરુ-શાસનને વેગ ન મળે, પછી એ કુસંસ્કાર એને ભાવ ભજવ્યા જ કરે ને? કદાચ શાસનની પ્રાપ્તિ થાય તે પણ ચણાઈ પાકા થઈ ગયેલા કુસંસ્કારેવશ એને લાભ ઉઠાવવાનું શે બને ? અહીં જ અનુભવ કરે છે ને કે પૂર્વ ભવમાં ૨સ સાથે સેવેલા આહાર-વિષય-પરિગ્રહના અને ક્રોધાદિ કષાચોના સંસ્કાર કેવા નડી રહ્યા છે? કેવા પરવશ કરી રહ્યા છે? હવે એમાં વધારે કરતાં અટકવું નથી, તે પછી પરભવે અને તે પછીને ભવ કઈ દશા?
એટલે જ આ વાત છે કે કોઈ ધર્મ પ્રવૃત્તિવશ અહીંથી કદાચ દેવલેકમાં ગયા, તે પણ અહીંના આહાર-વિષય-પરિગ્રહ -સુખશીલતા તથા ક્રોધાધિ કષાયના રસ રાખી ઊભા કરેલા કુસંસકાર ત્યાં કેવા નડવાના? જીવને કે પાગલ બનાવવાના
Page #226
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬]
[૨૧૩ શુદ્ધ ધર્મ રસ ન રાખ્યાનાં આ બે મેટાં નુકસાન કે સારું ઊભું થવાનું નહિ, ને નરસું ઘણું વધી જવાનું
ચંડલેશિયા-જીવ સાધુએ સહેજ ધર્મરસ ગુમાવ્યો અને જાતવડાઈને રસ રાખે, એમાં નાના સાધુ પર ગુસસે ઊભું કર્યું, તે પછીના ભવેમાં એ ગુસ્સો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કેવો ફાલ્ય ફૂલ્યો ?
બ્રહ્મદત્ત ચક્રીએ પૂર્વ ભવે સાધુપણામાં ધર્મરસ ગુમાવી ચકવર્તીના સુખને રસ ઊભું કર્યું, તે પરભવે કેવું નરકદાયી ચક્રવર્તીપણું મળ્યું?
બાકી પદ્ગલિક આશંસામાં ધર્મરસ તેડી નાખીને દેવલકમાં ગયા, તે ત્યાં સુખ-વૈભવ તો ખરા, પણ ધર્મ બુદ્ધિ નહિ જાગે. ત્યાં નહિ એટલે પછી આગળનું શું પૂછવું ? મહાવીર પ્રભુના જીવ વિશ્વભૂતિએ મુનિપણું પ્રખર વૈરાગ્ય અને પરાક્રમથી લીધું, પાળ્યું પણ સુંદર, તપ અને સંયમમાં આડે આંક વાળે ! તપસ્યાથી શરીર હાડપિંજર-શું કરી નાખ્યું ! પરંતુ પાછળથી પિતરાઈ ભાઈ વિશાખનંદી તરફ ગુસ્સો આવ્ય, બળનું અભિમાન તથા રસ અને લાલસા જાગી, એમાં નિયાણું કર્યું કે “ભવાંતરે આ તપ-સંયમના પ્રભાવે મહાન બળને ધણી થાઉં.” કેવી કરુણ દશા! એમાં ધર્મરસ તેડી નાખે, અને જડ કાયાના બળને અને તેથી દુનિયા પર સત્તા-વર્ચસ્વ-બળપ્રતિષ્ઠાને રસ ઊભું કર્યો. પરિણામ? સંયમના પ્રભાવે દેવલેકમાં તે ગયા, પરંતુ ત્યાં ધર્મરસ શાને ? ત્યાં નહિ તો પછી ચણ શાને?
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૪]
[ રુકમી ત્યાંથી એવી અહીં મહા બળવાન ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. વિચરતા શ્રેયાંસનાથ ભગવાનને ભેટો થયે, પણ તેથી શું ? પેલા જડ પુદ્ગલના સંસ્કાર જામી પડયા છે, એટલે ધર્મરસ જાગવાના ફાંફા ! પૂર્વભવે જબરદસ્ત ચારિત્ર ધર્મને અભ્યાસ છે, અને અહીં વિચરતા તીર્થકર ભગવાનને યોગ મળે, પછી ધર્મમાર્ગે દોડવામાં બાકી રહે ?
હેઈસમવસરણ મંડાયા હેય, જગદગુરુ જિનેશ્વર ભગવંત એના પર બિરાજ્યા હોય, કેટિગમે દેવતાઓ ત્યાં ઊતરી પડ્યા હેય, ઈન્દ્રો પણ પ્રભુની પાસે ચામર લઈને થનથન નાચતા હોય, સિંહ-વાઘ–વરુ જેવાય શાંત બેસી સાંભળતા હાય, રાજા-મહારાજા શેઠ-શાહુકાર પણ પ્રભુની જનગામિની અને પાંત્રીસ અતિશયવાળી વાણુંનું શ્રવણ કરી કરી હૈયાં ભીનાં લચબચ કરતાં હોય, કેઈ મનુષ્યો ચારિત્ર કે શ્રાવકના વ્રત લેતા હોય,–આ બધું જોવા મળે ને તીર્થકર ભગવાનના શ્રીમુખે હૃદયવેધી, મેહભેદિની, સંવેગ-વૈરાગ્યજનક, દિવ્ય રસભરી,
માંચક વાણું સાંભળવા મળે, પછી ધર્મરસ ઊલસવામાં અને ધર્મ માગે ઝુકાવવામાં બાકી રહે? ચમરબંધીઓને વૈભવવિલાસભર્યા સંસારની કાંચળી ફગાવી દેતા જેવાનું મળે, ત્યાં હૈયાં ઊછળાઊછળ કરવા માંડે, એમાં નવાઈ છે?
ધમરસ તેડી નાખતાં થતી દુર્દશા –
પરંતુ ના, પૂર્વે છત ધર્મરસ તેડી નાખ્યો છે, વિષ્ઠા જેવા અસાર વિષયસુખ વહાલા કર્યા છે, ત્યાં હવે રસ એના જ રહે, ધર્મને રસ કયાંથી જાગે? ત્રિપૃષ્ઠ વાસુદેવને આ બધે
Page #228
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬]
[૨૧૫ સંયોગ મળ્યો હતે, છતાં પૂર્વે ધર્મરસ તેડીને આ મેળવ્યું છે, તેથી અહીં આટલા ઉચ્ચ સંયોગની પણ કઈ અસર નથી. ચરિણામ? “પાપ ઘણું કરી સાતમી નરકે ઉપન્યા!” વિષય-કષાયમાં ચકચૂર બની પાપ કરવામાં બાકી ન રાખી. મરીને ઘેર રૌરવ દુઃખભરી ૩૩ સાગરોપમ યાને ૩૩૦ કટાર્કટિ પલ્યોપમની કાળ-મર્યાદાવાળી સાતમી નરકમાં ઉત્પન્ન થયા !
જીવતા જાગતા તીર્થંકરદેવ મળવા છતાં ય આમ? હા, પિતાને વિષયરસ મૂક ન હોય તે ભગવાન શું કરે? પહેલી નરકના પણ દુઃખે એવાં કે સાંભળતાં ય કમકમી ઊપજે, તે સાતમીનાં દુઃખનું પૂછવું શું? એટલું વેઠયા પછી ય છૂટકારો ક્યાં છે? ત્યાંથી ચ્યવીને સિંહ થયા? કેવું કર ઘાતકી જીવન? એના અંતે શું મળે? મરીને જવું પડ્યું જેથી નરકમાં! ત્યાંના ઘેર દુખેમાં રીબાઈ ઍવીને ય છૂટકારે કયાં છે? પછી ય સંસારમાં બહુ ભટક્યા ! આ બધેય ધર્મરસ જાગવાની વાત કયાં? વિચારજે, ધર્મને રસ જાગ્યા પછી ય તેડી નાખવામાં કેટલી દુર્દશા છે? તો ધર્મરસ જગાડવાને જ નહિ ને જીવનભર વિષયરસ તથા મદ-માન આદિના જ રસ પિવે જવામાં કેવી દુર્દશા?
મરીચિએ લેભમાં ધર્મરસ ગુમાવ્ય :
વીર પ્રભુના જીવને પહેલાં પણ આવું બનેલું. મરીચિના ભવમાં ભરત ચક્રવતીના દીકરા, પણ ઋષભદેવ તીર્થકર ભગવાનની સમવસરણાદિ ઋદ્ધિ જઈ “અહો! જે ધર્મનું જ આ અલૌકિક ફળ છે તે મારે ધર્મ જ કરવા જેવું છે. સંસારના
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૬]
[ રુમી
વૈભવ –વિલાસમાં જીવન શુ વેડફી નાખવુ', જે બધે મૂળ પ્રભાવ ધના જ છે ?’ એમ વૈરાગ્ય પામ્યા. ચારિત્ર લીધુ, પાળે છે, ૧૧ અંગ ભણે છે. અહી સુધી ધર્મના રસ કામ કરી રહ્યો છે. પૂના નયસારના ભવમાં ગુરુના ઉપદેશથી ધના રસ ઊભા કરી સમ્યક્ત્વ પામેલા, તેણે અહીં ચારિત્ર સુધી પહેાંચાડયા. પરંતુ પછીથી ઊઘાડા માથે ચાલવાનું, સ્નાન નહિ, ક્ષુદ્ર કપડાં, શુદ્ધ ગેાચરી, વગેરે ચારિત્રનાં કષ્ટથી મુંઝાયા, ચારિધર્માંના રસ કાંક મેળેા પડતા ચાલ્યા, અંતે સાધુપણુ મૂકયું, ને પરિવ્રાજકને વેશ કર્યાં. એમાં એકવાર માંદા પડવાથી શિષ્ય કરવાના રસ જાગ્યો. છતાં હજી પેાતાનાથી પ્રતિબંધ પામે એને ભગવાન પાસે કે ભગવાનના સાધુ પાસે ચારિત્ર લેવા માલે છે, એટલેા ધર્મરસ હજી જાગતા છે. પણ અવિવેકી કપિલ રાજપુત્ર મળ્યા એના નિમિત્તે ભૂલા પડયા, કેમકે પેલાએ અહીં મરીચિ પાસે જ ધમ હાય તા શિષ્ય બનવા તૈયારી બતાવી. કસેટી આવી. મરીચિ ભૂલ્યા, પેાતાની પાસે પણ ધમહાવાના સિક્કો માર્યો. આ શિષ્યલેાલમાં ધર્મરસ ગુમાવ્યેા.
ધર્મારસ એટલે ? સવજ્ઞકથિત શુદ્ધ ધમ જ ધમ, બાકી અધ; શુદ્ધધર્મ જ કલ્યાણકર,'-આવી સચાટ શ્રદ્ધા, સાથે મારે અને બીજાને એ જ જોઇએ એવી લગની, એવુ આકષ ણુ, અ અભિલાષ એ ધર્મરસ.
મરીચિએ એ ધરસ ગુમાગ્યે. પરિણામ ? ભવાના લવે સુધી ગબડયા. સંસારમાં ભમવાનુ' વધારી મૂકયું.
ધર્મીમાં ન ચડે તે તે સંસારમાં ભમત્રાનુ છે જ; પણુ ચચા પછી ય ો ધરસ ગુમાવવાનું થાય તેા ય. ભટકવાનું
Page #230
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૬ ]
[ ર૭ ઊભું થઈ જાય છે. વિન્તરાય કર્મના ઉદયે ધર્મની પ્રવૃત્તિ એટલી જોરમાં ન ચાલી શકતી હોય એ બને, પણ આપણે ધર્મરસ તે જીવંત જાગ્રત, જોઈએ. એ માટે પૌગલિક સુખસાહાબી-સન્માનને તુચ્છ લેખવા પડે; -“ધર્મ આગળ એ કુછ નહિ, માનવું પડે. . જેમ મરીચિ ભાવે તેમ વિશ્વભૂતિના ભવે જડના સુખમાં સુબ્ધ બની. અંધ બન્યા, ધર્મરસ ખેચે, તે ફેર સંસામાં ભમતા થઈ ગયા. એમાં કાળને કાળ વીત્યો! તીર્થકરને
જીવ છે, પણ કમને શરમ નથી; હિસાબ પાકે લે છે. તે કર્મ પણ કયાં એમ જ ચોંટી પડ્યા હતા? તમે ધર્મરસ ગુમાવી અગર પહેલેથી જ દૂર રાખી વિષય-કષાયના રસમાં રાચે એટલે દુઃખદ કર્મ ચુંટયા જ સમજે. પછી એ એની શિરજોરી બતાવે છે. હા, વળી જે ધર્મ રસ ઊભું કરો તો કર્મને ઢીલા થઈ જવું પડે છે. બાકી, વિષય-કષાયના રસમાં તો કર્મની બેલ-બાલા છે.
ગૌતમ મહારાજે પૂછયું “ભયવં! સોઈ દિય-વસણું કઈ કમ્મપગડિઓ બંધઈ?–ભગવન ! એક શ્રોત્ર-ઈન્દ્રિયને ય પરવશ પડે તે કેટલી ક–પ્રકૃતિ બધે? એમ બીજી બીજી ઈન્દ્રિયને કે ક્રોધ કષાયને અગર માન વગેરે એકાદ કષાયને વશ પડે તે ?”
ભગવાને દરેકને ઉત્તરમાં કહ્યું “ગાયમા! આઉવજે સત્ત કમ્મપગડિઓ, ”—અર્થાત્ આયુષ્યકર્મને છેડીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે સાતેય કર્મની પ્રકૃતિ બાંધે. આયુષ્ય તો
જીવનમાં કવચિત કયારેક જ બંધાય છે. તેથી એને ન ગયું. -કાકી સાતે ય કમને મારો ચાલુ !"
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૮ ]
[ રુમી
ભવની કટ્ટી ધરસથી થાય. ઃ—
વિષય-કષાયના, અર્થ-કામના અને સાહ્યખી-સન્માનના સનું આ પરિણામ છે. એમાંથી ખચાવનાર ધર્માંના રસ છે. ચČરસ ઊભા કરવાનું અને પુષ્ટ કરતા જવાનું આ મનુષ્યજીવન છે, એથી ભવની કટ્ટી અને મેાક્ષની દોસ્તી થાય છે. તે રુડુ” જિનશાસન મળ્યા પછી એ કરવામાં શું કામ બાકી રાખીએ ? એ માટે ધમરસ જીવંત રાખી સતત ભાવનામળ રાખવુ જોઈ એ.
પેલા રાજકુમારને ધર્મોના રસ છે. એટલે બ્રહ્મચારી રુક્ મીનાં દર્શનાથે આવ્યા હતા. પરંતુ રુક્મીના દૃષ્ટિ-વિકાર જોઈ ખિન્ન થયા, અને એથી જ વૈરાગ્ય વધી જતાં એના દૃષ્ટિ-વિકારમાં પેાતાનુ શરીર નિમિત્તભૂત બન્યુ. જેઇ, ચારિત્ર સાધવા દ્વારા અંતે શરીરને વેાસિરાવવાના નિણ ય કર્યાં, ને ત્યાંથી નીકળી જઈ હિરણ્યેાત્કરટી નગરમાં આવી પહોંચ્યા. શુદ્ધ ધર્મના રસ છે એટલે તેવા ગુણવિશિષ્ટ આચાય મહારાજની શેાધ કરે છે. દરમિયાન શું કરવુ ? એટલે ત્યાંના પ્રસિદ્ધ રાજાના આશ્રય સીધા છે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૭ રાજસભામાં : આધ્યાત્મિક
ઉપાય પર શ્રદ્ધા
રાજા રાજકુમારને આવકારે છે, પાસે રાખે છે. આ ચારિત્ર લેવું છે માટે ગુણસંપન્ન આચાર્ય મહારાજની તપાસમાં છેપણ હજી એ મળ્યા નથી. એમાં અહીં એક વાર રાજા આ. રાજપુત્રને પૂછે છે,
આ તમારી આંગળીએ વીટી ના નામથી અલકૃત છે? તમે કયા કયા દેશ જોયા?કેની સેવામાં રહ્યા ! અને કયાંય કોઈએ. તમારૂં અપમાન જેવું કરેલું ખરું ?”
રાજપુત્રને રાજાને ખુલાસો –
રાજપુત્ર જે જવાબ આપે છે, એમાં આ મુખ્ય વાત કરે છે કે “અપમાન તે કશું નહિ, પણ ચક્ષુકુશીલનાં દર્શન થયાં. તેથી મારું મન ખૂબ ઉદ્વિગ્ન થઈ ગયું, એટલે અહીં ચાલી આવ્યો.”
રાજા પૂછે છે, “કોણ છે એ ચક્ષુકુશીલ? શું નામ એનું ?'
આ કહે છે, “મહારાજ ! રહેવા દ્યો એનું નામ લેવા જેવું. નથી, નહિતર ખાવાનું ગુમાવવું પડે.”
રાજાને આ સાંભળી ઇંતેજારી વધી; સાથે મનને એમ પણ. થયું કે “હવે નામ લેવામાં તે ખાવાનું ટળતું હશે ?” ત્યારે રાજકુમારને સચોટ શ્રદ્ધા છે કે આવા ચક્ષુકુશીલનું નામ લેવાથી. ખાવા ન મળે.
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૦ ]
[ અફમી બેમાં કેણ સાચું?
રાજાને સાચે કહેવા જતાં તે એટલે પ્રશ્ન નહિ ઊઠે કેમકે ઊપલક દષ્ટિએ તે લાગે કે જરા એવાનું નામ લીધું એમાં શું થઈ ગયું તે એ દિવસે ભેજન ન મળે એવું શાનું બને?
ત્યારે રાજકુમારની વાત વિચારવા જઈએ કે એ સાચી હોય તે પ્રશ્ન થાય કે “ભેજન મળવાનું તે લાભાંતરાય કર્મના ક્ષપશમથી, અને ભજન કરવાનું તે ભેગાંતરાયના ક્ષેપમથી થાય. એમાં ચક્ષુકુશીલનું નામ લેવા સાથે શું સંબંધ
ચક્ષુકુશીલનું નામ લેવાથી ભેજન કેમ ટળે? –
પણ સંબંધ આ છે કે કર્મના ઉદય અને ક્ષાપશw વિચિત્ર છે. અમુક અમુક જાતના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનાં નિમિત્ત મળવાથી એ જાગે છે. તો કેઈ ચક્ષુકુશીલનું નામસ્મરણ કરાય એ ભાવ છે, ને એ ભાવ એવું નિમિત્ત બની જાય કે એ ભેજનના લાભાંતરાય કે ભેગાંતરાયને ઉદયમાં લાવે, એ બનવાજોગ છે. માટે તે તેથી ઉલટું અરિહંત ભગવાન કે ગૌતમસ્વામી આદિનું
સ્મરણ મંગળરૂપ અર્થાત્ લાભાંતરાય–ભેગાંતરાયને ક્ષયપશમ કરનારૂં બને છે. સાધુ ગોચરી જતાં ગૌતમસ્વામીનું નામ યાદ કરીને જાય છે.
આધ્યાત્મિક ઉપાય પર શ્રદ્ધા છે? – .' આપણને આ વાત ઉપર જેટલે સક્રિય વિશ્વાસ નથી
એટલે જાતના ઉદ્યમની વડાઈ અને જગતની જડ ચીજે-જ-નાઓ પર વિશ્વાસ છે. તેથી દિલમાં એના પર ખરી હોંશ-ધગશ
Page #234
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૭]
[૨૨૧ રહે છે, અને પ્રયત્ન એના પર ખરી હોંશ-ધગશથી કરીએ છીએ. ભૌતિક ઉપાયે કરતાં આધ્યાત્મિક ઉપાય પર એાછું લક્ષ કે બેપરવાઈ જ રહે એવા દિલમાં આધ્યાત્મિક પરિબળોની અચિંત્ય શક્તિ ઉપર શ્રદ્ધા કેટલી? શ્રદ્ધા હોય તે શું પહેલું લક્ષ એના પર ન જાય?
બેલે, અરિહંત ઉપર તે શ્રદ્ધા છે, પરંતુ અરિહંતની અચિંત્ય શક્તિ પર શ્રદ્ધા છે ?
આજ વિલાયત-અમેરિકા જેવામાં પણ ઈશ્વરને પ્રાર્થના કરવામાં ઈશ્વરની અચિંત્ય અદ્દભુત શક્તિ પર વિશ્વાસ કરી એને પ્રધાન બનાવવામાં આવે છે અને એનું અદ્ભુત ફળ મેળવાય છે. એના પરના પુસ્તકની લાખે નકલો વેચાઈ ગઈ! અને સેંકડો હજારે માણસોએ પોતાના જીવનમાં એને સુખદ અનુભવ કર્યો. આપણે લેકેર જિનશાસન પામેલા છતાં “ઉવસગ્ગહરં પાર્સ... મંગલકલ્યાણ-આવાસ “એસો પંચ નમુક્કારો. પઢમં હવઈ મંગલ
ગૌતમનામે નવે નિધાન વગેરે માત્ર બેલવામાં રાખીએ પણ તેવી તાકાતની સચોટ શ્રદ્ધા ન કરીએ, એ કેટલું વિચિત્ર માટે તે આ મહામંગળને વિસારીને લેભાદિ કષામાં અને પાપપ્રવૃત્તિઓમાં પૂરપાટ દેડયા જવાનું થાય છે. ખબર નથી કે પુણ્ય વધ્યા વિના સુખ નહિ વધે; અને સારું પુણ્ય દેવ-ગુરુધર્મની નિરવાર્થ સેવા વિના નહિ મળે. અલબત અંતરાયના ક્ષપશમ જ સાધન-સગવડ કરી આપે, પણ એ ક્ષપશમ ધર્મ-સાધનાથી થાય, સર્વઅંતરાયથી મુક્ત અરિહંત પ્રભુની ભક્તિથી થાય, એ કયાં યાદ રહે છે?
અર્થકામના પુરુષાર્થ કસ્તાં ધર્મપુરુષાર્થ પ્રધાન છે, મુખ્ય : છે. અને તે પહેલે યાદ કરે જોઈએ, પહેલો અમલમાં લાવ ,
Page #235
--------------------------------------------------------------------------
________________
-૨૨૨].
[ રુકમી જોઈએ. માટે તે ધર્મ સંગ્રહ શાસ્ત્રમાં લખ્યું છે કે શ્રાવક આજીવિકાની ચિંતા અર્થે ધંધો કરવા જાય તેમાં પહેલાં પંચનમસ્કાદિ મંગળને ધર્મપુરુષાર્થ કરે.
ધર્મ-પુરુષાર્થ મુખ્ય કેમ?—
અલબત આ મંગળ ધનકમાઈ માટે નથી કરવાનું; કિન્તુ ધર્મપુરુષાર્થ સર્વ પુરુષાર્થમાં મુખ્ય છે, સર્વને આધાર છે તેથી -એને તે દરેક પુરુષાર્થની મોખરે રાખવાને. એટલે અને શ્રદ્ધા જરૂર હોય કે ધર્મથી જ સૌ સારૂં થશે.ધર્મ જ ત્રાણ-શરણતારણહાર છે. બાકી પાપપ્રવૃત્તિ તે જીવને મારનારી જ છે, તારનારી નહિ. માટે ધર્મને મુખ્ય કરીને ચાલવાનું. દેવાધિદેવને પ્રાર્થના કરીએ તે પણ તુચ્છ સ્વાર્થ સાધી લેવા માટે નહિ, પણ ચિત્ત-સમાધિ અને અભય-ચક્ષ-માર્ગ-શરણ–બેધિ આદિ અર્થાત્ આત્મસ્વસ્થતાધર્મરુચિ-સરળતા-તવ જિજ્ઞાસા-તત્વબેધ વગેરે આત્મકલ્યાણેની પ્રાપ્તિ માટે કરવાની. પછી જીવનમાં બીજી ત્રીજી આપત્તિ-સંકડામા આવે, ચિત્ત અસમાધિમાં પડે, આકુળ વ્યાકુળ થતું હોય, ત્યાં આ પ્રાર્થનાની અચિંત્ય શક્તિ યાને અરિહંત પ્રભુના અનંત પ્રભાવ પર અથાગ શ્રદ્ધા રખાય અને પ્રાર્થના કરાય કે “પ્રભુ! તારા પ્રભાવે જ મારૂં બધું સારું થવાનું છે. હાઉ મમં તુહ પ્રભાવ • ભયવં!...ઈફલસિદ્ધી,–ભગવન્! તમારા પ્રભાવે મારે ઈષ્ટ ફળની સિદ્ધિ છે; અર્થાત્ માહે સુમનસ્કતા-સ્વસ્થતા-સમાધિનાં બાધક વિન દૂર થાઓ.”
પ્રભુનાં સમરણની બલિહારી છે કે એમાં એવો ઉત્તમ ભાવ છે કે એ અંતરાયકર્મને તેડે છે. એથી ઉલટું ચક્ષુકુશીલનું મરણ -એવો અશુભ ભાવ છે કે એ અંતરાયને ઉદયમાં લાવે, એ બનવાજોગ છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૧૮, ચક્ષુકુશીલ : છતા પુણ્યની બેપરવાઈ,
અછતાનાં રોદણું
ચક્ષુકુશીલ” સમજે છે ને ? “ચક્ષુકુશીલ એટલે દષ્ટિના ખરાબ આચારવાળા, દષ્ટિથી વિજાતીયનાં રૂપના ચેર, એનાં ગાત્ર અંગે પાંગ જેવાના લંપટ. જેમકે પ્રસ્તુતમાં રાજા રુકમી પરદેશથી આવેલા રાજકુમારનું રૂપ લાવણ્ય જોવામાં લંપટ બની એ ચક્ષુકુશીલ. સભા ભરાઈ હોય કે એકાંત હોય ત્યાં પરસ્ત્રી યા પરપુરુષનું મેહક રૂપાળું અંગે પાંગ જોવામાં દષ્ટિ ચેરી– છુપકીથી દોડ્યા કરે. એવા ચક્ષુકુશીલને લોકલજજાની ય પરવા નથી હતી. અને કેઈકને લેકને ડર હોય છે તો સિફત હોશિઆંરી વાપરી દષ્ટિ નાખી આવે છે! કઈ વળી કાળા ચશ્મા પહેરી ફરે છે, જેથી બીજાને ખબર ન પડે કે એની દૃષ્ટિ કયાં ફરી રહી છે! પછી આ ચક્ષુકુશીલતાની કુટેવ જિંદગીભર છૂટવી મુશ્કેલ બને છે. એ તે કઈ પરલેકભય, તત્ત્વદષ્ટિ, સમ્યક શાબેધ, સમ્યગ્દર્શન વગેરેને જબરદસ્ત ધક્કો લાગે અને ચક્ષુકુશીલતા-દષ્ટિદેષ છૂટે તે છૂટે; બાકી દષ્ટિદેષ છૂટ
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૨૪ ]
[ રુક્મી
મુશ્કેલ છે. ત્યારે એ ભૂલવાનુ નથી કે દૃષ્ટિદોષના વિપાક નરકાદિ ગતિમાં અતિ દુ:ખદ આવે છે; દા. ત. નરકગતિમાં તે એ આંખમાં પરમાધામીના ભાલાની ઘેાંચા ધેાંચ સહવી પડે.
સ્પ`કુશીલની પણ ભૂંડી દશા છે. એને ગેારા ગુલાબી અંગે પર સ્પર્શ કરવાની લંપટતા હૈાય છે. એવા સેવા કરવા આવે તા ય સાવધાન રહેવાનું; કેમકે એમાં ય એ પેાતાની સ્પર્શે કુશીલતાનાં ગિલગિલિયાં પૂરાં કરતા હાય છે.
રાજકુમાર રાનને કહી રહ્યો છે કે ‘ મારે જે ચક્ષુકુશીલના અનુભવ થયા છે એનું નામ લેવું રહેવા ઘો, નહિતર ખાવાનું નહિ પામે,’-એ આ તત્ત્વ ઉપર છે કે એવાના નામસ્મરણમાં આ તાકાત આ નિમિત્તતા સભવે છે કે લાભાંતરાય— ભાગાંતરાય કર્મના ઉદય જગાડે. દિલના ભાવનુ નિમિત્ત પામી ક્રમ ને ઉદ્ભય થાય.
રાજાની ઈંતેજારી વધી એટલે એ ચક્ષુકુશીલનુ નામ ઉચ્ચારવા આગ્રહ કરે છે; પણ એ વખતે લેાજન કયુ" નથી એટલે રાજકુમાર કહે છે; ‘હમણાં રહેવા દે. નહિતર કદાચ ભેજન નહિ પામેા.’
રાજા કહે ‘પણ મને જોવા તો દે કે ખરેખર આવું અને છે.” મહારાજ ! માફ કરે. વળી કાઇ જગાએ હું... આ વસ્તુના અનુભવ કરીશ ત્યાર પછી તમને ખાતરી કરી આપીશ.’
6
રાજા કહે ‘ અરે પણ શબ્દ ઉચ્ચારવામાં શું બગડી જાય ? કુમાર કહે છે, ‘ એવા ચક્ષુકુશીલ અધમ જીવનું નામેાચ્ચા ત્રુ પણ જોખમી છે.’
Page #238
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮]
[૨૨૫ નામાભિધાનની શકિતને અખતર –
બસ, રાજાને આતુરતા હવે એવી વધી ગઈ કે એનો તત્કાલ અખતરે કરવાનું મન થયું, એટલે તરત માણસોને હુકમ કર્યો કે ભજન-મંડપમાં જમવાની તૈયારી કરો. જુઓ પરિવાર સાથે જલદી જમવા બેસવાનું છે.”
રાજાને આદેશ એટલે શી વાર? કરો કામે લાગી ગયા. થાળી પાટલા ગોઠવાઈ ગયા. પફવાન મિઠાઈ, ફરસાણ, વગેરે અઢાર જાતની વસ્તુ હાજર કરવામાં આવી. રાજાને ખબર આપતાં રાજ પરિવાર સાથે કુમારને પાસે લઈને જમવા સ્થાને બેસી ગયે. જમવાનું શરૂ કર્યું નથી, ને રાજા કુમારને કહે છે, “હવે પેલા ચક્ષુકુશીલનું નામ બેલ જે.”
કુમાર કહે છે, “મહારાજ ! પહેલાં જમી લે. જમ્યા બાદ નામેચ્ચારણ કરીશ.”
પણ રાજાને તે અખતરે જેવે છે. એટલા માટે તે આ તરત જનનું મંડાણ ગોઠવ્યું છે. એટલે હવે તે જમણા હાથમાં કેળિયે લઈ કુમારને આગ્રહ કરે છે કે “જુઓ આ હવે તો તરત ભેજન થાય એવું છે. એમાં આપણે જેવું છે કે અત્યારે જ એ નામ લેવાથી શું ભેજનમાં કોઈ વિન આવે ખરું? જે આવશે તે મને પણ તમારી જેમ ખાતરી થશે.”
કુમાર ચેતવે છે, “અરે ખાતરી બાપુ! શી કરવી છે ? ઝેરના અખતરા ન હોય. આ હું એવા પાપિષ્ક અને પરલેકપરા મુખ અધમ ચક્ષુકુશીલને જોઈને આખા સંસારથી ઊભગી ગયે છું. મને થયું કે આવા જગ...સિદ્ધ બ્રહ્મચારી જીવને પણ ૧૫
Page #239
--------------------------------------------------------------------------
________________
જે આ ચક્ષુકુશીલતાનું પાપ નડી જાય, એ ય જીવ ઉત્તમ દશામાંથી અધમ દશામાં ફેંકાઈ જાય, તે એવા આ સંસારમાં શે માલ છે? એમાં ય વળી આપણે બીજાનાં પાપમાં નિમિત્ત અજાણ્યું પણ બની જતા હોઈએ, તે બહેતર છે કે એના કરતાં આવા મહા ઉત્તમ મનુષ્ય જીવનને પામી પુણ્ય માર્ગો કેક જબરદસ્ત આત્મહિત સાધી લેવું જોઈએ કે જેથી બીજાને ય પાપમાં અજાણ્યે પણ નિમિત્તભૂત ન બનીએ. અહીં પુણ્યમાગે લગાવવાની એવા આત્મહિતની તાકાત મળી છે તે શા માટે એને એ દિવ્ય ઉપયોગ ન કરી લે? જીવનનો અંત તે એક દિ આવવાને જ છે, અને એ અંત આવવા સાથે આ તાકાત અને એને અજમાવવાની સામગ્રીરૂપ આ વિશિષ્ટ માનવદેહ અને માનવમન એવાઈ જવાનાં છે, તે એ વાતનું પહેલાંજ એને સદુપગ કાં ન કરી લઉં?”
રાજકુમારની વિચારધારા જેવા જેવી છે, મનન કરવા યોગ્ય છે. આપણામાંના કેઈને કેઈ, તે બીજાને બીજી પુણ્યશક્તિ મળેલી તો છે જ. “હવે એને સદુપયોગ ચાલી રહ્યો છે કે દુરુપગ ? આ તપાસવાનું છે.
આપણે જીવન જે જાતનું જીવીએ છીએ એમાં બે જાતની વિંટબણું અનુભવીએ છીએ,
૧. અછતા પુણ્યનાં રેદણ યાને અભાવમુખી દષ્ટિ, ને
૨. છતા પુણ્યની બેપરવાઈ તથા દુર૫ગ, યાને સદ્દભાવમુખી દષ્ટિનો અભાવ.
અભાવમુખી દષ્ટિનાં બે નુકશાનઃ (૧) “અછતા પુણ્યનાં રોદણને અર્થ એ છે કે જીવન
Page #240
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮ ].
[૨૨૭ જીવતાં દષ્ટિ મોટા ભાગે Negative side નિષેધાત્મક બાજુની રહે છે; દા. ત. “મારી પાસે પૈસા નથી, મારું શરીર સારું રહેતું નથી, કુટુંબીઓ લેશકારી મળ્યા છે, મારું કઈ માનતું નથી, પાડોશી વાંકા છે, મોંઘવારી બહુ, અછત ઘણી, જેઈતી વસ્તુ ન મળે....” વગેરે વગેરે. આ નકારાત્મક યાને અભાવમુખી રૂષ્ટિ એક વિટંબણું છે.
આપણે આપણી જાતે આવી અભાવમુખી દષ્ટિના પાપે ચિત્તકલેશ ઊભું કરીએ છીએ, અને બીજું ઘણું ઘણું આપણને અનુકૂળ છતાં એમાંથી ચિત્તશાંતિને અનુભવ ગુમાવીએ છીએ. વળી એથી બીજું કેટલું ય ઊંધું વળે એ જુદું. અંદુ જીવન તપાસવાથી રોજ આવું કેટલુંય કેટલી વાર ચલાવી રહ્યા છીએ એ માલુમ પડશે.
સદ્દભાવમુખી દષ્ટિનો લાભ – - ત્યાં ખરી રીતે જોવાનું તે એ છે કે આનાં બદલે
હકારાત્મક બાજુની દષ્ટિ સદ્ભાવમુખી દષ્ટિ કાં ન રાખવી? એ રખાય તે દેખાશે કે પૈસા ખાવાપીવા જેટલા તે છે જ; કુટુંબીઓ આપણું અમુક સગવડ આમન્યા તે સાચવે જ છે, શરીર હરતું ફરતું અને ચાલુ કામ કરવા જેટલું તે ચાલે જ છે; પાડોશી અમુક રીતે તે સીધો જ છે; મેંઘવારી પણ હજી એવી હદ બહારની નથી કે આપણે કશું જ ખરીદી ન શકવાની સ્થિતિમાં હોઈએ. અછતમાં પણ અમુક અમુક પ્રમાણમાં તે વસ્તુ આપણને મળે જ છે.” આવી સભાવમુખી દષ્ટિ રાખવાનો પહેલો સીધે લાભ આ કે ચિત્ત કલેશમાં નહિ પડે. ને શાંત પ્રફુલ્લિત રહેશે. પછીના લાભમાં કેટલુંય સીધું સૂઝશે, અને એવી સૂઝ
કસુંબીનો
રસ અને ચાલુ થાય , માં
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૮]
( [ રુકમ : પર સુખશાન્તિની રીતરસમ અજમાવાશે. આમ અછતા પુણ્યના
દણની એક વિટંબણામાંથી બચી જવાશે. એથી કેટલાય ક્રોધલેભાદિ કષાય, દુર્ગાન, મલિન વિકલ્પ, દુર્ભાવના, અશુભ કર્મ , વગેરેથી બચવાનું સુલભ રહેશે.
(૨) “ છતા પુણ્યની બેપરવાઈ અને દુરુપયોગ,–એ બીજી: વટંબણા છે. અછતા તરફ નજર રહી એટલે છતું નજરે નથી હતું, મન એના પર નથી જતું, એ જેવા તરફ બેપરવા રહે છે. અલ્યા! એ તે છે કે તારી પાસે વર્તમાન ભારે કપરા કાળમાં પણ અસંખ્ય પશુપંખી કીડાદિને નહિ મળેલ માનવભવ મેજુદ. છે. એ પશુકડાદિ કરતાં ભારે વિશિષ્ટ બુદ્ધિ-શક્તિ તને મળેલી, તારી પાસે હાજર છે; પાંચે ઈન્દ્રિયો કામ આપી રહી છે. આરોગ્ય, પણ કામ કરવા જેટલું તે પહોંચે છેજીવન-નિવહ સાવ અટકી. નથી પડે. વળી કેવા વિશ્વશ્રેષ્ઠ અરિહંત દેવ, મુનિગુરુ ને જૈન ધર્મને સંગ મળ્યો છે! સ્યાદ્વાદમય તત્વ અને સમ્યગ્દર્શન નાદિમય મોક્ષમાર્ગને વિવેચનારાં કેવાં કેવાં વિશ્વશ્રેષ્ઠ શાસ્ત્ર મળ્યાં છે! કેવી પરમેષ્ઠિનમસ્કારાદિ સાધનાને ગ્ય મહાન મન મળ્યું છે!” આવું આવું તે કેટલુંય પુણ્યગે પ્રાપ્ત છે, ને એથી સાધના કરવી હોય તે હાથવેંતમાં છે. એવાં છતા પુણ્ય સામે જેવું નથી, બેપરવા રહેવું છે, તેથી જ એને સદુપયોગ સારે. કરી લેવા તરફ દૃષ્ટિ ન હોઈ એને દુરુપયોગ કરાઈ રહ્યો છે.
ખરૂં કરવાનું આ છે કે નજર આ પ્રાપ્ત વસ્તુઓના છતા પુણ્ય તરફ રાખવી; વિચારવું કે “આ પુણ્ય કાયમ ટકનાર નથી. છેવટે જીવન સમાપ્ત થતાં આ બધું મળેલું ખવાઈ જવાનું તે છે. જ. તે પછી મહા મુશીબતે મળેલ તથા કરોડો-અન્ત-અસંખ્યને
Page #242
--------------------------------------------------------------------------
________________
પ્રિકરણ ૧૮]
[૨૨૯ - નહિ અને મને મળેલ આ છતી સામગ્રીને સદુપયોગ કાં ન - કરી લઉં? નહિતર સામગ્રી ય કયાંય ખેવાઈ હશે અને હું ય વિરાટ ભવચક્રમાં કયાંય એવાઈ જઈશ. એમ બનતાં પહેલાં હવે છે તે હું એને સદુપયોગ, તે ય ભારેમાં ભારે, કરી લઉ. બસ આ વિચારી સદુપયોગ કરી લેવા વિવિધ માગે ઉદ્યમ રાખ.
મળેલ પુણ્યના સદુપયોગના અનેક રસ્તા છે
(૧) પહેલે તે રસ્તે આ, કે મનને સ્વસ્થ અને સ્વચ્છ અનાવતા જઈએ. એને સંસારની વિચિત્ર અને વિટંબણકારી ઘટમાળથી અસ્વસ્થ અશાંત ન બનવા દઈએ; તથા જડ વિષયો અને કક્ષાની આંધીથી મલિન ન થવા દઈએ. સંસારમાં ન લહેવાઈ જવાનું, યા ન અસ્વસ્થ બની જવાનું કે અનુચિત બોલચાલ અને વિષય-કષાયથી મન મેલું કરવાનું નહિ. * આ પહેલે સદુપયોગ ચાલુ કર્યો, પછી તે અનેકાનેક જાતની આત્મકલ્યાણની વૃત્તિઓ અમલમાં આવતી જશે. તેમજ પેલી નિષેધાત્મક દૃષ્ટિનાં રોદણું પણ આ સ્વસ્થ સ્વચ્છ મન પર આવતા અટકી જવાનાં. એ બધાં રોદણની બાબતોને તે સંસારની વિચિત્રતા અને વિટંબણામયતાના ખાતામાં ખતવી નાખતાં
આવડશે. તે આ રીતે – . સંસાર વિચિત્ર ને વિટંબણામય – : મનને લાગશે કે, “હું શાને રેઈ રહ્યો છું? જેને જોઉં છું એ બધું ય સંસારની ઘટનાઓ છે, અને સંસાર તો વિચિત્ર છે એટલે એમાં એવું બધું વિચિત્ર બન્યા જ કરે. સંસાર તે વિટંબમપ જ છે, તેમાં એવી વિટંબણાઓ હેય જ એમાં તાઈ નથી. હું એવા વિચિત્ર અને વિટંબણાભર્યા સંસારને
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૭૦]
[ સની
·
વળગી, એઠા છુ એટલે બધુ સમ–સરખુ અને સગવડભર્યુ મળવાની આશા રાખુ તે જ ખાટુ' છે, ગરમાગરમ પાણીના તપેલામાંથી પવાલુ' પાણી લઈ, એ પીને ગળું તથા પેટ ઠારવાની આશા રાખવી એ ખાટુ', વિટબણા ન જોઈ એ તા સંસાર છેડ, અને ન છેડે ત્યાં સુધી કમમાં કમ દૃષ્ટિ એ રાખ્યા કર કે ‘સાર્ કેટકેટલુ' મળ્યુ છે, અને એના સદુપયેાગ કેમ કર્યાં કરૂ”.પછી એ પ્રમાણે વર્તવા માંડ.”
મનમાં વારવાર આવું આવ્યા કરે, તે ગમે તેવા સચેાગમાં કે પ્રસ’ગમાં પણ એમાંથી સારૂ ઊભુ` કરી લેવા તરફ જ તત્પરતા રહેશે. આમાં મન કેટલુ· સરસ સ્વસ્થ અને સ્વચ્છ!
વાત આ હતી કે પેલા રાજકુમારની વિચારધારાએ ચાલીને વિચારીએ તે આપણને મળેલી બધી પુણ્ય-સામગ્રીમાંથી વધુમાં વધુ સદુપયેાગ ઉપજાવી લેવા તરફ દૃષ્ટિ રહે. બ્રહ્મચારી રાજા રુક્મીના દિષ્ટદોષના ખરાબ પ્રસંગ પર આપણુ' દિલ સોંસારની વિચિત્રતા અને વિટખણામયતા જોઇ સંસારપરથી ઊભગી જાય, અને હવે જીવન-કાળ જરાય ન વેડફાઈ જાય એ માટે છતા તન-મન-ધનથી જેટલું સારું અને તેટલું કરવા તરફ વળી જાય, તા એના ઉદ્યમ ચાલુ થઈ જાય. કેમકે અવશ્ય ખાવાઈ જવાની પુણ્યસામગ્રી દ્વારા કાણુ સુજ્ઞ સારું સારું ન કમાઈ લે? સારુ. ન કમાય એ તે મૂખ ગણાય, મૂખમાં ખપે; અને દુરુપયોગ કરી નરસાનાં પેટલાં ઊભાં કરે તે મહામૂખમાં ખપે.
મુખને શુ' આવડે છે, તે શું નથી આવડતું ? વિચારવા જેવુ છે કે,
-
જેટલા પ્રમાણમાં સગવડ-સામગ્રી મળી છે, ઉપરાંત માનવ દેહ,
Page #244
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૮]
[૨૩૧ માનવ મન અને બુદ્ધિ તથા પુરુષાર્થ-શક્તિ પ્રાપ્ત થઈ છે એ કયાં નખાઈ રહી છે?
(૧) પાપના માર્ગે કે ધર્મના ? - (૨) કાયા, ઇંદ્રિય અને મનને મહલાવવામાં કે આત્માનું કશું ભલું કરવામાં ?
જીવન અને બધી ય પુણ્યસામગ્રી બેઈ નાખશે ત્યારે જ ઊંધાં વેતરતા જપશે ? પણ એ છે ત્યાં સુધી ઊંધાં કર્યો જ જવાના ને ઊંચા સદુપગ નહિ કરવાના, એમ ને? કેટલી સરસ અક્કલ ? કે બેવકૂફી ?
પ્રભાતે ઊઠી શું વિચારવું? સવારે ઊઠયા બરાબર મનમાં એકલા સંસારના કચરા ભૂંસા ઘિાલતાં આવડે છે, પણ અરિહંતાદિ પરમેષ્ઠીનું ચિંતન, સ્વાત્માનો વિચાર, તીર્થવંદના, મહાપુરુષનાં સ્મરણ, અને આજના દિવસે શું શું આત્મહિત સાધીશ એની સંકલના નથી આવડતી !. - સવારે ઊઠયા બાદ માટીના દેહને ચાહ–પાણીમાં અને સંસાર-ઠકરાણીની સેવામાં રગદોળતાં આવડે છે. સામાયિક પ્રતિક્રમણદેવદર્શનાદિમાં જોડતા નથી આવડતું! ઇન્દ્રિયો આંખ-કાન જીભને પાપદર્શન-પાપશ્રવણ–પાપઉચ્ચારણમાં તરબોળ રાખતાં આવડે છે. દેવ-ગુરુ-શાસ્ત્ર-જવદયા વગેરેનાં દર્શન-શ્રવણ-ઉચ્ચારણથી અજવાળતાં નથી આવડતું ! ધન્ય જીવન ? કે અન્ય અભાગિયું જીવન
ત્યારે ધન-માલને કાં તે કેદમાં પુરી રાખતા યા પાપ વેપાર વધારવામાં જોડતાં આવડે છે, અથવા દુષ્ટ ઈન્દ્રિયેના ભેગ-વિલાસ ને અમનચમનિયામાં ઊડાવતાં આવડે છે, પણ સાત ક્ષેત્રમાં જમે કરતાં નથી આવડતું ! - અરે એટલે લાંબે ક્યાં જવું? ટૂંકી વાત જુઓ કે એક કિંમતી વચનગ કયાં કયાં વેડફાઈ રહ્યો છે?—
Page #245
--------------------------------------------------------------------------
________________
ર૩ર.]
[ રુકમી વચનગથી જાતિની વડાઈન શબ્દ બોલી માનકવાયની સેવા-પુષ્ટિ કરતાં આવડે છે, પણ મન રાખી યા જાતની લઘુતા -તુચ્છતા અને દેવ-ગુરુ-ગુણવાનની સ્તવના-પ્રશંસા બેલી શુભ અધ્યવસાયની પુષ્ટિ કરતા નથી આવડતું! એમ પ્રસંગે પ્રસંગે . બીજાની લાગતી ભૂલ પર ગુસ્સાના પિષક વેણ કાઢતાં આવડે છે, પણ સોમ્યતાના શબ્દ નથી આવડતા ! “વચનગની યાને બેસવાની શક્તિ એ પુણ્ય સામગ્રી છે, એને મારે સદુપયોગ જ કર” એવી ધગશ જ કયાં? એવું જ મનની શક્તિમાં વિચાર નથી કે “મળેલી મનની શકિત–સામગ્રી દ્વારા કેનું ઘર મજબૂત કરી રહ્યો છું ? કુસંસ્કારનું કે સુસંસ્કારનું? મેહની પરિણતિનું કે ધર્મ પરિણતિનું ?” આ વિચાર નથી. વિચારણા છે માત્ર પોતાના જ આંતર શત્રુ કષાયેના પગ મજબૂત થાય એવી!
વાત આ છે, જે પુણ્ય પાસે નથી એ પુણ્યથી લભ્ય માલ ન હોવાનાં રોદણાં રોવાં છે! અને જે પુણ્ય પાસે છે એને ધૂમ દુરુપયોગ કરે છે! તો જીવન જીતી જવાશે કે હારી?.
પેલે રાજકુમાર રેગું રુએ છે પણ કેટલું બધું ઊંચું? એના મનને થાય છે કે “અરે! આ રુકમીની દષ્ટિ બગડવામાં કેમ આ મારું શરીર રાગ યંત્ર જેવું નિમિત્ત બની રહ્યું છે? હવે તે એવું કરૂં કે આ શું, કેઈ પણ મારું શરીર કેઈના ય પાપમાં નિમિત્તભૂત ન બને ! અર્થાત્ અશરીરી જ થઈ જાઉં ? રેણું એવું ડહાપણનું કે જેમાંથી તારવણુરૂપે ઉચ્ચ આત્મહિતને પુરુષાર્થ જાગે, ને મળેલી માનવ ભવ આદિ પુણ્ય શક્તિ સામગ્રીને ઊંચે સદુપયેાગ કરી લેવાનું બને. એ પ્રશંસનીય રેણું. . - નિરાશા, નીસા, અફસી થાય તે ય તે એવી હોય કે જેના ફળમાં આત્મકલયાણને પુરુષાર્થ આવીને ઊભો રહે છે
Page #246
--------------------------------------------------------------------------
________________
૧૯. મીના નામે ઉલકાપાત :
મૃત્યુની નિર્ભયતા રાજાને અતિ આગ્રહને નામોચ્ચારણ –
કુમાર રાજાને કહે છે, “મહારાજ ! જેની ચક્ષુકુશીલતા જતાં મારું મન સંસાર પરથી ઊભગી ગયું, જેની આ ખતરનાક -કુશીલતાના સરાસર દુરુપયોગની સામે આ સુંદર માનવભવ આદિ સામગ્રીને જે ઉચ્ચ ઉપગ છે તે કરી લેવા તરફ મનને નિર્ધાર થઈ ગયે, એનું નામ જમવા પહેલાં લેવું રહેવા દ્યો. પહેલાં જમી લે, પછી વાત.” - રાજાને તે ઇંતેજારી વધી ગઈ છે એટલે હાથમાં કેળિયે લઈ કહે છે કે, “જુઓ કુમાર ! હવે તો આ કેળિયા હાથમાં છે, હવે તમે નામ બેલ. એ સાંભળતાં જે કશુંક વિન આવી આ જમવાનું સાચેસાચ ટળે તો વિશ્વાસ તે પડશે કે ખરેખર! કુશીલતા આટલી ખતરનાક હોય છે? અને તે વિશ્વાસથી તે હું પણું તમારી આજ્ઞાનુસાર ધર્મ–આરાધનામાં લાગી જાઉં.”
રાજાને બહુ આગ્રહ જે, એટલે રાજકુમાર કહે છે કે તે આ ઉત્તમ જીવનને નિષ્ફળ કરનાર ચક્ષુકુશીલનું નામ રાજા કિમી છે.' ,
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૪ ]
[ રી
રુક્મીનાં નામેાચ્ચારણ સાથે ઉલ્કાપાત :
ખસ, જ્યાં આ નામનું ઉચ્ચારણ કર્યુ ત્યાંજ જોરદાર કાળાહળના અવાજ આવ્યેા. અવાજ પણ સામાન્ય નહિ કિન્તુ મારા, મારા, કાપા કાપા,' એવેા ભયંકર ! તે ય એકાદ એ માણસના નહિ પણ હજારે....માણસાના ! થયું, કેાળિયા હવે શે માંમાં જાય ?
અન્યું એવું કે કોઈ રાજાના બળવાન ચાદ્ધાઓનુ` માટુ' લશ્કર આ નગરમાં ઘુસી ગયું! સુભટો પણ લડાઇમાં જરાય પાછી યાની ન કરે અને દુશ્મનના લશ્કરમાં હાહાકાર કરાવી મૂકે એવા જખરા જોદ્ધા ! તે પણ હાથમાં ખુલ્લી તલવાર, ભાલા વગેરે ભયાનક શસ્ત્રો રાખીને ઘુસ્યા; અને વિશાળ નગરમાં ‘હણા હશેા’–‘ મારા મારા’ના રાક્ષસી ઘેાષ મચાવતા મચાવતા નગરમાં ફરી વળ્યા છે. અહીં નામેાચારણ થવા ખરાખર એ ધેાત્રના કાળાહળ કાન પર આવી લાગ્યા. રાજાના માણસા પણ દોડતા આવીને કહે છે, મહારાજ ! જુલમ જુલમ દુશ્મનનું લશ્કર ચઢી આવ્યુ છે અને નગર માખામાં ઘુસી ગયુ' છે !'
કહા જાઉં, હવે રાજાએ હાથમાં ઉપાડેલા કાળિયા માંમાં જાય ? કાળિયા તરત નીચા મુકાઈ ગયા ને રાજા ઊભા જ થઈ ગયા. કુમારને કહે છે,
તમારી વાત પર ખરાખર વિશ્વાસ, તમે કહ્યુ તે પ્રત્યક્ષ અનુભવુ છુ.’
ત્રિભુવનપતિ શ્રી મહાવીર પરમાત્મા અહી* ગૌતમસ્વામીતે કહે છેઃ
:
“ુ ગૌતમ ! રાજા બસ હવે વધુ ખેલવા ન પામ્યા.. અને તા હવે સામે નૃત્યનાં દર્શન થવા માંડયા. મરણના ભયથી.
Page #248
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯] વ્યાકુલ થયેલો એ રાજા “રાજ્યનું શું થશે? પ્રજાનું શું થશે? આશ્રિતનું શું? મારે વીરતાથી એનું રક્ષણ કરવું જોઈએ.” ઈિત્યાદિ કશે વિચાર કરવા જરા ય શે નહિ. પિતાના વિખ્યાત કુળમાં આવા પ્રસંગે કે પુરુષાર્થક્રમ ચાલ્યો આવે છે? પિતાનું પરાક્રમ શું ?.એને કાંઈ જ વિચાર ન કરતાં પોતાના પરિવારની સાથે પ્રાણ બચાવવા તરત જ ત્યાંથી નાઠે.”
જીવને મૃત્યુને ભય કે બાવરો કરી મૂકે છે? કુળની યશવી પ્રણાલિકા કે જાતની જવાબદારીને પુરુષાર્થ ન જોતાં એની તરફ મૃત્યુને ભય એ કેવાં આંખ-મિચામણું કરાવે છે ? મરણના ભયની વિવળતા વ્યાકુળતા ચીજ જ એવી છે, માટે તે જીવન જીવતાં આવતાં પહેલેથી જ આવા ભય જીતી લેવા મનબળ. કેળવવું જોઈએ. કેમ કેળવાય એ ?
મરણને ભય જીતવા ભાવના :
એટલું ધ્યાનમાં રાખજે મરણની સામે નિર્ભયતા, ભાવનાથી દીર્ઘકાળ કેળવ્યા વિના દિલમાં એમજ એકાએક આવવી મુશ્કેલ છે.. મરણના ભયની સંજ્ઞા તો અનાદિકાળથી ચાલુ છે, તે શું અકસ્માતને પ્રસંગ કે અસાધ્ય બિમારીને પ્રસંગ આવતાં મરણને ભય નહિ ઊભું કરે? વારંવાર આ વિચાર આવવું જોઈએ કે “મરણ કે મરણન્ત જેવું કષ્ટ પણ શી વિસાતમાં છે ? કુછ નહિ. એ આવનાર હશે ત્યારે અચૂક આવીને ઊભું જ રહેવાનું છે, પછી રઈશ, કકળીશ, માથાં પછાડીશ, પણ એ મેત કે કષ્ટ નહિ. ટળે. માટે એવા સંગ આવતાં પહેલાં કપી લે કે “એ આવીને. સામે ઊભાં છે છતાં પણ મને કોઈ જ ગભરામણ નથી. મારું શું . લઈ જાય છે એ? મારૂં જ્ઞાનધન, મારૂં ધર્મધન, મારૂં શ્રદધા
Page #249
--------------------------------------------------------------------------
________________
+૨૩૬ ]
[ રૂમી
ધન મારી પાસે જ છે, બાકી શરીર તે મારી રહેવાનુ છે જ કયાં? શરીર વિના એકલા આવ્યો હતા, અને ક્રમે આ શરીર મનાવી આપ્યુ....પાછું એ અવશ્ય મૃત્યુ થતાં ખૂંચવાઈ જનાર છે. આ નિર્ધારિત હુકીકત છે.માટે એવા કામચલાઉ ને પાપકારી શરીર પર રાગ રાખવા ખાટા. તેમ કષ્ટની દૃષ્ટિએ જોઉ તા પણ વધારે તે શરીરના અને સુખશીલતાના પાપી રાગને લીધે જે દ્ર્ષ્ટ લાગે છે. એ રાગ જો નથી, તે કષ્ટ પણ જાણે કાંઈ નથી. નરકાદિ ગતિમાં મેં કયાં આછાં કષ્ટો જોયાં છે?
'
‘ત્યારે મહાપુરુષાએ કયાં ઓછાં કષ્ટ જોયાં છે? અરે ! આવી પડેલાં તે શું, પણ જાતે ઊઠીને કષ્ટની સામે જઈને તે વેઠયા છે ! જગદ્ગુરુ મહાવીર પ્રભુ ચાહીને અના દેશમાં વિચર્યાં. એમના સંતાન હું, ક્રમમાં કમ, આવી પડેલા કષ્ટને તા સહુ ગભરામણુ શી ?' જીએ,
મૃત્યુની નિર્ભયતા રાખનારના દૃષ્ટાન્ત:
(૧) રાજા કુમારપાળને દેવીએ ત્રિશૂળ લાંકયુ* ! આખુ' શરીર કાઢરાગથી વ્યાપ્ત થઈ ગયુ` ! સમય વતી ગયા. શાના? એકડાના ભાગ દેવાના નહિ. કિન્તુ ધ'ની નિંદા અટકાવવાના. શું કરવાનું એ માટે ? ચિતામાં જીવતા સળગી જઈ સવાર પડતાં પહેલાં રાખ થઈ જવાનું. જેથી કાઢ સાથે મને જીવતા જોઈ અજ્ઞાન-મૂઢ લેાક નિંદા ન કરે કે 'જોયુ ? એમના દયાધમ પકડી રાખ્યું
એનુ ભયંકર ફળ આ પ્રત્યક્ષ મળ્યું!” કહા, મરણની તે પણુ જીવતા સળગી મરવાની કુમારપાળ રાજાની કેટલી બધી નિ યતા I (૨) કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજના શિષ્ય આચાર્ય શ્રી રામચંદ્રસૂરિજી મહારાજ રાજા અજયપાલને
Page #250
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૯]
[૨૭ ગુરુવચનથી વિરુધ્ધ હુકમ ન માનતાં ધખધખતી લેખંડની. કઢાઈ પર બેસી ખુશીથી શેકાઈ ગયા !
આવા આવા મહાપુરુષોએ મૃત્યુ શી રીતે નિર્ભયપણે વધાવ્યા હશે? જીવન જીવતાં આવો કઈ ખ્યાલ રહ્યા કરે કે “મરણ કઈ ચીજ નથી, કયારે ય પણ મરવું તે પડશે જ; એક જ વાર મરવાનું છે પછી વહેલું કે મેડું, તે પછી ભય છે ? બીવાથી થાડું જ એ ટળે છે? ઉલટું મૃત્યુ વખતે નિર્ભય રહેવાથી આનંદપૂર્વક મરી શકાય છે.”
મરણથી નિર્ભય કેમ બનાય -
એક વાત છે,કઈ પણ પળે મૃત્યુ આવે તે ફિકર નથી એવું મન બનાવવા માટે જીવનમાં ઔચિત્ય, પવિત્ર હૃદય, ક્ષમા, સૌમ્યતાદિ ગુણેને ભરચક અભ્યાસ, અને શકય એટલી ભરપૂર ધાર્મિક ક્રિયા–પરોપકારાદિની પ્રવૃત્તિ વાણી અને વિચારણા રાખવી. જોઈએ. પછી મનને એમ થશે કે “શક્ય એટલું સાધવાનું મેં નિષ્કપટ દિલે સાધ્યું છે, ગુણેને પણ શકય અભ્યાસ કર્યો છે, એટલે આજે મૃત્યુ આવે તે શું થાય એવી કઈ ફિકર નથી. સાધના અને અરિહંતના આલંબને ભાવી પરલોકે સારી ગતિ અને આથી વિશેષ આરાધના મળશે. આમ પરલેક હિતકારી ગુણે અને ધર્મનું સારું બળ ઊભું કરવા પર મૃત્યુની સામે નિર્ભયતા આવે. સારાંશ, મૃત્યુને ભય ટાળવા વારંવાર નિર્ભયતાની ભાવના અને પરલેક-હિતકારી બળ ઊભું કરવું જોઈએ. નહિતર કાંઈ એકાએક એ ઉપરથી ટપકી નહિ પડે.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૦. જડ-ચેતનના ભેદ
અંતે ઈચ્છે તે જીવનમાં ઘાલેઃ અંતે શું જોઈએ? –
એકલી નિયતા જ શું, પણ જીવનના અંતકાળે જે જે સારું લાવવું હોય એની એની ભાવના વારંવાર અભ્યાસમાં રાખવી જોઈએ. નવકારમંત્ર, ચિત્તસમાધિ, સમતાભાવ, પીડામાં સહિગણુતા, સર્વ અને ક્ષમાપના, અરિહંતનું ધ્યાન, પૈસાપરિવાર-કાયા આદિ પર નિમમતા, દાન-પુણ્ય, ઉદારતા, જીવનનાં દુષ્કૃત્યોની ગહ, વગેરે વગેરે બધાને અંતકાળે ખપ પડશે. એ બધું મરણની અસહ્ય પીડા વખતે શું એકાએક ખુરી આવશે? શું એકાએક હૃદયમાં રમતું થઈ જશે? એવા ભરેસે બેસતા નહિ. એ બધાને જીવનકાળ-દરમિયાન સારે અભ્યાસ જોઈશ. અંતે ઈચ્છે તે જીવનમાં ઘાલે; જીવતા જીવે જાણે એ બધી વસ્તુ આત્મસિદધ કરી એવું કરવું પડે. એનાં સુખદ ફળરૂપે અંતકાળે એ સગી થશે, સહેલાઈથી મ્ફરતી રહેશે. મરવા પડેલા બીજાને શિખામણ દે:
એમાં તે પછી બીજાએ આપણું મૃત્યુ વખતે આપણને શું ? શિખામણ આપતા હતા, આપણે બીજાઓને સારું આશ્વાસન '
Page #252
--------------------------------------------------------------------------
________________
A ૨૦]
૨૩૯]
કરવા જેવુ
-શિખામણ આપી શકીએ; કહી શકીએ કે ‘મુ’ઝાશે નહિં. મૃત્યુ તા માત્ર એક વસ્ર બદલવા જેવું છે, સ્થાનાન્તર છે. બાકી આત્માને ને કાયાદિ પુદ્ગલને કાયમના કાયા તા રત્ન વણિકની એક ઘાસની ઝુંપડી છે, સળગવા જેવી લાગી એટલે મૂકી દેવાની, ને ધર્મરત્ન લઇ ચાલતા થઈ જવાનું. જીઓ,—
શા મેળ?
કાયા પર રત્નવણિકની ઝુંપડીનુ' દૃષ્ટાન્તઃ—
એક નગરમાંથી એક ઝવેરી રત્ના કમાવવા અર્થે રત્નદ્વીપ ઉપયેા. ત્યાં પહોંચી એણે જોયું કે ‘અહી ખીજાએ પણ આવે છે તે પાતપેાતાના ઝુંપડા બાંધીને રહે છે. દરિયાના મરજીવાઓ સમુદ્રમાં પડી રત્ના લઈ આવે છે, તેની ખરીી કરી કરી રત્ના ભેગાં કરે છે, એટલે એણે પણ ઝુ'પડી ઊભી કરી અને મડ્યો રત્નાની ખરીદી કરવા. ધીમે ધીમે કરતાં એણે સારા એવા રત્નભડાળ ભેગા કર્યાં.
એક વાર એવું અન્યુ કે ત્યાં કાંક આગ લાગી, તે એના ઝુંપડા પર પણ ભડકા આવ્યા, અને ઝુંપડી સળગવા જેવી થઈ ગઈ, ઝવેરીએ જોયું કે રત્ના ઠીક ઠીક કમાઈ લીધાં છે, તે હવે આ ઝુપડીને બચાવવા કરવાની ખટપટમાં શું પડવું હતુ•? ને વળી ખચાવી બચે એવી પણ લાગતી નથી. માટે મૂક માથા ફાડ, લઈ લે રત્ન પાટલી, અને થા ઘરભેગે !’
ઝુંપડી સળગવા પર ઝવેરી
જરાય રાવા ન બેઠા. એ તા ખુશખુશાલ ઝટ ઊભેા થઈ કમાયેલ રત્નપેાટલી સંભાળી લઈ ચાહ્યા, અને સીધા ઘરભેગા થઇ ગયા. ત્યાં એ ક"મતી રત્ના પર માટા વેપાર કરી સુખી સમૃધ્ધ અની ગયા!'
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૦ ]
[ રુમી!
પેલા મૃત્યુ શય્યામાં પડેલા શ્રાવક હવે આની ઘટના કાયામાં કરી બતાવતાં કુટુ અને કહે છે,કાયા પર ઝુપડીની ઘટનાઃ—
કમર
“ત્યારે આપણા જીવ એ ઝવેરી છે. એ આ મનુષ્યભવરૂપી રત્નદ્વીપમાં જ્ઞાન-દન-ચારિત્રરૂપી રત્ના કમાવવા માટે જ આવ્યા છે. કાયા એ અહી કામચલાઉ રહેવા માટેની ઝુંપડી છે. અને જડ આહારાદિ પુદ્દગલાની સહાયથી એણે એ ઊભી કરી છે. પણ છે તકલાદી. એકાદ કાઈ તેવા રોગની અકસ્માતની ટક્કર લાગતાં તુટી જાય એવી આ કાયામાં રહીને દઈન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્ના જેટલાં કમાવાય એટલાં કમાઈ લેવાના છે. તે યથાશકિત મે માઈ લીધા છે.
'
હવે મન્યુ' છે એવુ કે મરણ-સમયરૂપી આગ આ કાયાને જોરદાર લાગી છે. એમાં હવે. શું કરવુ' ? આગ એવી છે કે રાકીરાકાય એવી નથી. કાયાને મચાવી બેસી રહેવાય એવી નથી. તા હવે જીવે શું કરવું? રાવા એસવું ? ના જરાય નહિ. એ તા અહીથી ઊભા થઈ જવાનું. કમાયેલ ધર્મરત્ના દર્શન-જ્ઞાન— ચારિત્રરત્ના સભાળી લઈ ચાલતી પકડવાની. જ્યાં જવાશે ત્યાં એના પર સુખી સમૃધ્ધ થવાશે. વળી નવા વેપાર થશે. પછી, ચિંતા શી ?
જડ-ચેતનના ભેદ :
માટે તમે કઇ જરાય મુંઝાશે। નહિ. કાયા તે પુદ્ગલની અનેલી છે. એના ગુણધર્મ તદ્દન જુદા અને ચેતન આત્માના ગુણધર્મ જુદા. એ સડન–પડન-વિધ્વંસનશીલ; ત્યારે જીવ અવિનાશી. જડ કાયાની સારસભાળ વગેરે કરવાનું કાયમ પાતાનું ગા
Page #254
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ ]
[૨૧ કર્તવ્યમાર્ગ –
આત્મા, પુદ્ગલના મેહમાં બૂલે છે એટલે તેવું પડે છે, અને પાછું એ રેવાનું કર્યું એ કશું ફળ દેતું નથી. નિરંજન નિરાકાર નિવિકાર આત્માને પુદ્ગલના સંગ હેય નહિ, આ તે વર્તમાનમાં કર્મની વિટંબણું છે એટલું જ. માટે પુદગલના જવા આવવા પર કઈ ખેદ કે હર્ષ કરવા જેવા નથી. આપણે તે આપણું પોતાની જાતને અર્થાત્ આત્માનાં શુદ્ધ સ્વરૂપને વિચાર કરે. પુદ્ગલના સંગ ઓછા કરતા ચાલવું. અશુદ્ધિઓને વીણી વીણીને ખેળી કાઢી એને ધક્કે ચડાવી દેવી.”
મરવા પડેલે માણસ કુટુંબીઓ વગેરેને આવી શિખામણ આપે, એમ જૈનશાસન પાઠ ભણાવે છે. પણ એ કયારે આપી શકે? પહેલાં પોતે મૃત્યુથી નિર્ભય બન્યો હોય ત્યારે જ ને ? એ નિર્ભયતા શી રીતે આવે? જીવનભર એ માટે મથાય તે; જડ –ચેતનના ભેદ અને જડની તુચ્છતા તથા ચેતનની મુખ્યતા હૈ અંક્તિ થઈ જાય છે. એ માટે એવાં શ્રવણ–વાંચન, એવી ભાવના અને એવા જડના ત્યાગ રેજીદા જીવનમાં ઝગમગતા રહે છે. શું સમજ્યા?
આ મનુષ્ય ભવનું મહાન કાર્ય (૧) બેંચે જડ-ચેતનના ભેદ અંકિત કરવાનું છે, ને | (ર) ચેતનની મુખ્યતા અને જડની તુચ્છતા હૈયે સ્પષ્ટ અને સચેટ ઠસાવી દેવાનું કાર્ય છે.
કુટુંબના આત્મા પર રાગ છે? –
Page #255
--------------------------------------------------------------------------
________________
હૃદય સાફ સાફ પોકારે,–“કાયા જડ છે, એમાં પૂરાયેલે હું ચેતન આત્મા તદ્દન નિરાળ વિલક્ષણ છું. ધન-માલ-કુટુંબાદિ અધું જ જડ! બધાય માટીની માયા છે!” કુટુંબ જડ? હા, જે કુંટુંબીઓને જોઈ જોઈ રાગ થાય છે, મમત્વ થાય છે, એ કુટુંબીઓને આત્મા જેઈને નહિ, કાયા જોઈને. કાયા જડ છે. રાગ એના પર છે, એમાં વસેલા આત્મા ઉપર નહિ, નહિતર તે જે એ આત્માઓ પર રાગ હોય ને? તે તે આત્માને સારુ સંસ્કાર, સારા ગુણે અને સારી હિતસાધના કેમ વધે, એમની પુણ્યસંપત્તિ કેમ વધે, તથા એમના પાપકચરા કેમ ઓછા થાય એને જ મુખ્ય વિચાર રહે. પછી જડ કાયાનાં પિષણ થાય તે ય આ માટે. અવસરે ૧૦-૨૦ હજાર રૂપિયાને હીરાને હાર પણ લાવી ઘરવાળાના ગળામાં નાખવાનું કરાય તે એમના દિલમાં પોતાના ઉપરને પ્રેમ-સભાવ-આસ્થા ઊભી કરવા દ્વારા આત્મહિતની વાત એમના ગળે ઉતારી દેવા માટે. રાત પડેયે કહી શકાય – - સગાંને બક્ષીસ પર હિતશિક્ષા –
“જુઓ, આજે પુણે યારી આપી, વેપારમાં બે પૈસાન લાભ થયે છે, ત્યારે મનને થાય કે એમાં તમારાં પણ પુણ્યને હિસ્સો છે, એટલે આ તમારા માટે હીરાને હાર લઈ આવવાનું કર્યું. પણ આપણે એ ધ્યાન રાખવાનું છે કે,
અરિહંતનું આપણું માથે ત્રણ – “આ પુણ્ય અરિહંત ભગવાનની સિફારસથી મળેલું છે, એમના અચિંત્ય પ્રભાવે મળ્યું છે. એમની કાંક આડા હાથે કે સીધા હાથે આપણે સેવા ભક્તિ કરી હશે, અને ભગવાન એવા
Page #256
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦ ]
[૨૪૩ અચિંત્ય પ્રભાવવંતા છે કે એથી આ પુણ્ય ઊભું થયું. આટલું જ શું, આ આખો મનુષ્યભવ, પાંચ ઇન્દ્રિય, આરોગ્ય અને બીજી ખાનપાન-મેજ આદિની પુણ્યાઈ પણ એમના જ પ્રભાવે ઊભી થઈ છે. એટલે ભગવાન અરિહંત દેવના રૂડા પ્રતાપ કે આજે આપણે આ પુણ્યાઈભરી સ્થિતિમાં છીએ. માટે એમની સેવા ભૂલવાની નહિ.
અરિહંતની આપણને કેટલી જરૂર–
બીજુ એ પણ છે કે આ પુણ્યાઈ કાંઈ હંમેશાં કાયમને માટે બેસી રહેવાની નથી. આગળ પર નવી પુણ્યાઈની જરૂર પડવાની. એ નવી પુણ્યાઈ પણ ભગવાન અરિહંતના પ્રતાપે જ મળવાની. માટે પણ એવા તારક દેવાધિદેવનું શરણું જરાય મૂકવાનું નહિ.
“આ દુઃખમય સંસારમાં અરિહંત વિના બીજા કોને આધાર છે? એ જ બેલી છે, એ જ તારણહાર છે, અહીં અને પરલોકમાં શાન્તિ આપનાર ભગવાન અરિહંત જ છે, માટે એમને તે હૈિયાના હાર, મનના મોર, આંખની કીકી અને આત્માના સુકાની બનાવી દઈએ.
“અને જુઓને અરિહંત પ્રભુના આટઆટલા ઉપકાર છતાં એમને મુખ્યપણે યાદ ન રાખીએ એમની સેવા ન કરીએ અને એમને ભુલાવી નાખે એવી કાયામાયાનાં રંગરાગ અને જળેજથામાં પડીએ તે મહામૃતદન બનવાનું થાય કે નહિ? કમમાં કમ કૃતજ્ઞતા તે વિસર્યા જ ગણાઈએ.
કૃતજ્ઞતા તે પાયાનો ગુણ છે, કૃતજ્ઞતા ધર્મ માટેની પહેલી ગ્યતા છે, માટે તે દેખાય છે કે માતા
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૪].
, [ રુક્ષ્મી પિતા, સંસ્કારી ગુરુ, બીજા ઉપકારીઓ અને મહા ઉપકારી દેવ-ગુરુને જે ભૂલે છે એ બિચારા છે હૃદયમાં. શાન્તિ અનુભવી શક્તા નથી કેમકે એમના દિલમાં ધર્મની ફરસના થઈ શકતી નથી, ધર્મ અંતરમાં પરિણામ પામી શકતો નથી, કૃતજ્ઞ નહિ એટલે કે મળતા નહિ, કઠોરતાનું સામ્રાજ્ય. કઠોર દિલમાં ધર્મ કયાંથી ફરસે ?
ધર્મ તે કેમળ દિલમાં ફરસી શકે, કઠેરમાં નહિ. આપણે જ જુઓને કે જે આપણા કરેલા ઉપકાર પર દીકરા-દીકરી આપણી તરફ કૃતજ્ઞ ન બન્યા રહેતાં કૃતધ્ધ બને, તો આપણે એમને કેવા કઠેર નિષ્ફર હૈયાના ગણીએ છીએ? તે પછી આપણને આટલી બધી પુણ્યાઈ કમાવવામાં શ્રેષ્ઠ અને મુખ્ય નિમિત્તભૂત થનાર અરિહંત ભગવાનને જ ભૂલીએ, એમની સેવાને બદલે એમની અવગણના થાય એવી કાયા-માયાની ગણના રાખીએ, તે આપણે પણ કેવા નિષ્ફર હયાવાળા ગણાઈએ ?
“માટે આ હીરાના હાર ઉપર શું, કે બીજી સગવડ– અનુકૂળતા ઉપર શું, બધે જ અરિહંત ભગવાનના અનન્ય અચિંત્ય પ્રભાવને ઉપકારક માનવાનું ભૂલવાનું નહિ. એમને ઉપકાર માનવાને એટલે ખાલી સવાસલે કે વાગાડંબર નહિ કિન્ત મનને એમ થયા કરે કે એ પ્રભુના ઉપકારે તે મને આટલું બધું દીધું, હવે હું આ બધું નહિ તે થેડું તે જરૂર એ. મારા નાથની સેવામાં લગાઉં.
“એવામાં નહિ લગાવું તે આ સંપત્તિ અંતે તે હાથમાંથી જવાની જ છે, પણ અહી હાલ સંપત્તિથી હાથવેંતમાં રહેલ સેવાનો લાભ મેળવવાનું રહી જશે,
Page #258
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦]
[૨૪૫ કૃતજ્ઞતા અદા કરવાનું ગુમાવાશે. માટે વીતરાગની સેવા કરવાનું ન ચૂકું. મનને એમ થાય તેય ઓછું છે કે આ જ હાર પ્રભુના જ ગળે પહેરાવી દઉં.
એમનું દીધેલું એમની શોભામાં જશે તે ખરેખર તે એ પાછું મારા આત્માની જ શોભા વધારશે, ત્યારે મારા ગળામાં ઘાલી રાખી મારી જાતને દેખીતી શોભા વવાની મૂર્ખાઈ કરીશ તે ખરેખર તો મારા આત્મા મેહ અને કર્મથી કદ્દરૂપ થશે.
આપણને આપણું શુદ્ર હૈયાને લીધે લાગે છે કે “હે શું આટલે બધે ૧૦–૧૫ હજારને માલ એકદમ જ દઈ દેવાય?” પરંતુ ખેર ! એટલું નહિ, તે ય રેજના ચાલુ જીવનમાં પ્રભુને આપણું દૂધ-કેશરથી પૂજા તથા વરખ–બદલાની આંગી કરવાનું, ને ફળ-નિવેદ ધરવાનું વગેરે તો કરી શકીએ ને? પ્રભુએ આપણા હિત માટે ફરમાવેલ દાનાદિ-સાધના તો બને ને?
વાત આટલી જ છે, પ્રભુના પ્રતાપે જ મળેલી અને હજી પણ મળનાર વિશિષ્ટ પુણ્યાઈ તરફ નજર રાખી, એ અરિહંત દેવ અને એમની આજ્ઞાની તન-મન-ધનથી સેવા ખૂબ ખૂબ કરીએ. મનથી તે વારંવાર એમના ઉપકાર અને ગુણે યાદ આવી આવી હૈયું ભરાઈ જાય, હૃદય પોકારે, “પ્રભુ તમારે કેટકેટલો આભાર માનું ! તમારાથી જ હું ઊજળું છું, હું પગભર છું, હું અનાથ છું.” આની સાથે એમના શાસનના બધા અંગેની યથાશક્તિ સેવા બજાવવામાં જાગ્રત્ રહેવાનું.”
_ સગાંને આવી શિખામણ દેવાનું કયારે બને? એમની કાયા નહિ પણ એમના આત્મા ઉપર નજર રાખેએ તે જ. એમની
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૬] .
[ રુકૂર્મી રૂપાળી ને સેવાકારી કાયા જોઇ જોઇ એના પર રાગથી મલકાવાનુ નહિ; પરંતુ એમના અનંત અતંત કાળના દુ:ખી કૅવિડ અિત આત્મા પર મુખ્ય દષ્ટિ રાખી, એ ફ્રેમ ઊંચા આવે એ ચિંતા ઊભી રાખવાની.
જો કાયા જ જોઈ જોઈ ખીલવાનુ અને એની જ સુખ-સગવડની ચિંતા કરવાનુ જ રાખ્યુ. તે જડ-ચેતનના ભેદ હૈયે અંતિ નહિ થાય, જડને તુચ્છ અને ચેતનને મુખ્ય માનવાનુ નહિ અને. ત્યારે જો પરના આત્માના નહિ, તા પેાતાના આત્મા માટેને પણુ ખ્યાલ કયાંથી રહેવાના ? એ તેા પેાતાની પણ કાયા જ મનમાં આવ્યા કરવાની, એ ય જડ-ચેતનના ભેદને પ્રકાશવા ન દે.
આ ભેદ કાંઇ જાપની વસ્તુ નથી કે ‘હું જડ કાયાથી ભિન્ન છું ભિન્ન છુ” એમ રટત્યા કરીએ ને ભેદ અંતરમાં ખરેખર સ્કુરાયમાન થઇ જાય. એ માટે જડને તુચ્છ અને આત્માને મુખ્ય કરવા પડે. કાયાનાં હિતને માલ વિનાના અને આત્માના હિતને ખરા કિંમતી આદરણીય માનવા પડે, હૈયે ઠસી ગયા કરવા પડે. એ કરવા માટે
(૧) એને અનુકૂળ સદ્ગુરુ સેવા, ધાર્મિક-આધ્યાત્મિક શ્રવણ-વાંચન, (૨) એની વારંવાર ભાવના, અને (૩) જડેહિતના શકય અનેકવિધ ત્યાગ સહ` કરવા પડે.
કાયા પરતંત્ર, આત્મા સ્ત્રતંત્ર
જડ અને ચેતનના ભેદ જાણવા છે? તે આ વિચારે કે જડ એ જડ, ચેતન એ ચેતન. ચેતનની આગળ જડ પામર છે. જડ કાયાની અણુતા, પર-નિય ંત્રિતતા અને સડન-પડન વિઘ્ન"સ્વિતા ક્યાં ? અને ચૈતન આત્માની સમૃતા, સ્વતંત્રતા
Page #260
--------------------------------------------------------------------------
________________
કરણ ૨૦] ને અવિનાશિના કયાં? નજર વારે વારે કયાં જાય છે? અબુમાં વિનશ્વર બાહો માટીના પૂતળા પર? કે સબુઝ અવિનાશી અંદરના આત્મા પર?
આપણે આપણને મનથી ગળિયા, દબાયેલા અને પરાશ્રિત માનીએ એ જુદી વાત; એ તો આપણું કાયરકંગાળ બની ગયેલ દષ્ટિનો દેશ છે. બાકી ખરેખર દૃષ્ટિ તે એ જોઈએ કે આપણે અનંત શક્તિના ધણી છીએ, સ્વતંત્ર છીએ, અર્થાત્ જડ, કાયા-ઇન્દ્રિયે વગેરેનું જેમ સંચાલન કરવું હોય તેમ કરી શકીએ છીએ. એ પરતંત્ર, આપણે સ્વતંત્ર. તેમ કાયા નાશવંત આપણે અવિનાશી છીએ. જડ કાયામાં સડન-પડન થાય, આત્મામાં નહિ. એ તો અનંતાનંત કાળથી એ જ અસંખ્યપ્રદેશી છે તે છે જ, અને શાશ્વત કાળ માટે રહેશે.
આ જડ-ચેતનનાં ખાતાં જુદા છે. બંનેના ગુણધર્મો અને કાર્ય નિરનિરાળાં છે. આપણે આ બધું સમજનાર અગર સમજવા મથનાર, તે ચેતન છીએ. આપણી આગળ આપણી કાયા કેણુ? રાંકડી બિચારીનું એનું જેવું સંચાલન કરવું હોય તેવું આપણે કરી શકીએ, અલબત્ આપણે વિકસાવેલી. આપણી શક્તિના અનુસારે. પરંતુ એ સંચાલન કરી આત્માના ગુણધર્મનું ખાતું તર કરવાનું છે. એ આપણું “સર્વહક સ્વાધીનને ઉપગ કરીને થાય. કાયાને ભૂખી રાખવી કે ખવરાવવું? અને એાછું ખવરાવવું કે વધુ? એને એદી સુસ્ત ને સુખશીલ રાખવી કે બરાબર કામ કરતી રાખવી? એને જીવોની હિંસા-આરંભ -સમારંભ આદિ કરનારી બનાવવી કે અહિંસક, નિરારંભ,
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૪૮ ]! -
[ રુક્મી
મનાવવી ? એ આપણી મુન્સફીની વાત છે. આપણે સ્વતંત્ર, એ આપણને આધીન, એ વસ્તુસ્થિતિ છે. કાયાને પાપામાં રુલતી રાખવી, કે નિષ્પાપ જીવન જીવતી કરવી, એ આપણા કબજાની વસ્તુ છે. કામાંધ હાશિયાર પણ માણસ જડભરત અબુઝ પત્નીને પરવશ પડી જાય, અને એને નચાવ્યે નાચે; એમ આપણું સજ્ઞાન છતાં વિષયાંધ ખની જડભરત અબુઝ કાયાને પરવશ પડી જવાનું થાય છે. કારણ, માત્ર એ આપણને તુચ્છ સુખ દેખાડે છે માટે ને? તો એવા આપણે સુખના લાલચુ છીએ કે આપણુ. સ્વાતંત્ર્ય અને દીઘ હિત ભૂલી કાયા-ઈંદ્રિયાના નચાવ્યા નાચીએ ? એ તે આપણી ભ્રાન્ત દૃષ્ટિના કારણે છે. બાકી ખરી રીતે આપણે એને નચાવી શકીએ છીએ, અતિના સાગ અંધ કરી હિતના માર્ગે જોડી શકીએ છીએ. કાયાના કષ્ટના વિચાર ન કરતાં આપણાં આત્માના હિતના વિચાર કરીએ, એટલી જ જરૂર છે. જડ-ચેતનના ભેદ હૈયે વસાવી દેવા જોઇએ. ભેદ જ્ઞાનમાં પહેલું જરૂરીઃ—
એ વસાવવા માટે કેવળ ચેતન પક્ષે જીવન જીવનાર મુનિમહાત્માના સ`સગð-પરિચય-સેવા પહેલી જરૂરી છે. એમનાં દર્શનમાત્રથી એમનાં આત્મહિતકારી અને કાયા પર અંકુશવાળા ત્યાગમય તથા નિષ્પાપ જીવનનું પ્રતિબિંબ આપણા મન પર પડે છે. દેખાય છે કે આપણા જ જેવા એ હાથ, એ પગ, મેાં માથાવાળા આ ભવ્યાત્મા પેાતાની કાયાને પેાતાની શુભ ઇચ્છાનુસાર દેરી રહ્યા છે,' ત્યારે હું કાયાના દોરવાયા દોરવાઉં છુ. એ નિષ્પાપ જીવન, સજ્ઞાન જીવન, શાંતિમય જીવન જીવી રહ્યા છે, તે હું કાયામાં મુંઝાયેલા પાપભયું, અજ્ઞાન, અને અશાંતિભર્યુ.
Page #262
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૦]
[૨૪૯ જીવન જીવી રહ્યો છું ! કેવા એ જડ-ચેતનના ભેદ પરખી ચેતનપક્ષે જીવનને જીવનારા! અને હું એ ભેદ નહિ સમજ: નારે કે જડ-ચેતનને શંભુમેળ કરી જડ કાયાને જ મારી જાત માનનારો મૂરખ ! કે કાયાના જ પક્ષે જીવન જીવનારો અબુઝ પામર !”
શ્રવણ-વાંચનમાં ફેર :–
સાધુસમાગમે આ ભાન જાગે છે, એટલે એમના પર એવારી જઈ એમને વિનય, નમસ્કાર, સેવા-ભક્તિ અને એમની પાસેથી આત્મહિતનું શ્રવણ કરવાનું બને છે. વિનયપૂર્વક લીધેલી વિદ્યા ફળે છે, તેમજ મુખના હાવભાવ અને બોલવાના અમુક અમુક accent (ઓછા વધતા ભાર સાથેના શબ્દોચ્ચારણ)ની શ્રોતા પર ઘેરી અસર પડે છે, એટલે શ્રવણ એ શ્રવણ, અને વાંચન એ વાંચન. વાંચનમાં આ લાભ ન મળે. છતાં જ્યાં શ્રવણ ન મળે ત્યાં, તેમજ શ્રવણ મળ્યા પર એને તાજું રાખવું જ છે
ત્યાં પણ ધાર્મિક-આધ્યાત્મિક વાંચન ઉપયોગી બને છે, પણ વાંચન આ હોં, કે જેમાં આત્મહિતની જ વસ્તુ આલેખેલી હાય. મહાપુરુષનાં ચરિત્ર, જીવ-અજીવ આદિ તત્વ, સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગ, માર્ગાનુસારી, આદિધાર્મિક, સમકિતી. શ્રાવક, સાધુ વગેરેનાં આચાર–અનુષ્ઠાન,–આને લગતાં શાસ્ત્રનું વાંચન જોઈએ.
રોજ ને રોજ વંચાયા કરવાથી તેમજ મુનિઓનાં મુખે સંભળાયા કરવાથી આત્માને ખ્યાલ બહુ આવ્યા કરે, અને એ જ જડ-ચેતનના ભેદજ્ઞાનની દિશા ખૂલી કહેવાય. “જડચેતન જુદા છે, જુદા છે..એટલી રટણ માત્રથી કાંઈ ન વળે.
Page #263
--------------------------------------------------------------------------
________________
૫]
[ સારી ભેદજ્ઞાનમાં શું શું બને --
ભેજ્ઞાન તે એવું હોય કે જેમાં (૧) આત્મા તરફને પક્ષપાત વધે, આત્મદષ્ટિએ જોવાનું થાય, ને આત્મહિતની જ મુખ્ય. ચિંતા જાગે; તેમજ (૨) દેહ અને દેહને લગતી વસ્તુ પરની આસ્થા, રાગ મમત્વ, વગેરે ઓછા થાય; જીવન દેહની જળે. જથામાં વેડફાઈ જતું દેખાય. ત્યાં હૈયે એની ભારે બળતરા થયા કરે, ને એ બરબાદી અટકાવવા ચારે બાજુથી શકય આત્મહિતની પ્રવૃત્તિઓ ચાલુ રહે. વળી (૩) પાપને સતત ભય રહે, અને (૪) પરલેકને નિરંતર વિચાર આવ્યા કરે, તેમજ (૫) પરમાત્મા અને ગુરુને અપાર ઉપકાર યાદ આવ્યા કરે; (૬) જીવો પ્રત્યે દયાની જ લાગણું વહે.આ બધાં ભેદજ્ઞાનનાં લક્ષણ છે. ધાર્મિક આધ્યાત્મિક શ્રવણ-વાંચન સતત રાખવાથી આ આવે.
Page #264
--------------------------------------------------------------------------
________________
૨૧. ભાવનાના પ્રભાવ.
પ્ર૦-શ્રવણ-વાંચન તા કરીએ છીએ છતાં કેમ જડ -ચેતનનું ભેદજ્ઞાન અને એ આત્મ-પક્ષપાત વગેરે સ્ફુરી નથી આવતા
ઉ-એનું કારણ, એ શ્રવણ-વાંચન ઉપરાંત ભાવનાને વ્યવસાય જેરદાર નથી એ છે. ભેદજ્ઞાનનાં ત્રણ સાધનમાં એ ખીન્ન નખરનું સાધન કહેવુ જ છે. (૧) ભાવનાથી ધની સગાઈ થાય; (ર) ભાવનાથી ગુણા કમાવવાનું સરળ અને; (૩) ભાવના દ્વારા દાષા આછા થતા આવે.
સાવના એ ધ સગાઇ, ગુણાપાન અને દોષનિવારણ માટે અનિવાય અતિ આવશ્યક સાધન છે. એકવાર ગમે તેવુ સારૂં' શ્રાવણ કે વાંચન કર્યું કે વિચાર્યું પરંતુ એની પાછળ વાર'વાર ભાવના ન કરાય તે એ હવામાં ઊડી જાય. ભાવનાને અભ્યાસ રાખવા પર સંસ્કાર દૃઢ થાય છે. પૈસા કેમ કિ`મતી લાગ્યા છે ? એની વાત કેમ મુખ્ય રહે છે? ભણતા હતા ત્યારથી પૈસાનાં મહત્વના વિચાર બહુ કરેલા માટે, ભણતર વખતે વાતવાતમાં એને અગત્ય આપેલી. એનુ જ નામ ભાવના. એથી
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૨]
[ રુકમી સંસ્કાર દઢ થતા જ ગયા, અને એ પૈસાએ આજે જીવનમાં એક પ્રધાન સ્થાન જમાવી દીધું. એમ ધર્મને જીવનમાં એક પ્રધાન
સ્થાન આપી દેવું હોય, જડ-ચેતનના ભેદજ્ઞાનને સક્રિય બનાવ હેય, તે આત્મા અને આત્મહિતને ઉદ્દેશીને વિચારે વારંવાર આવે; સાંભળેલું વારંવાર યાદ કર્યા કરીએ, એના પર જગતની દુઃખદ કમવિડંબિત ઘટનાએ લઈ ચિંતન કરીએ, અનિત્યતા, અશરણુતા, વગેરેની જે ભાવના લાગુ થાય તેને વિચાર કરીએ આવું બધું થયા કરે તે ભાવના કરી ગણાય. ભાવના પર એનું સુસંસ્કરણ થયા કરે, ને એ જીવનમાં નવી નવી સ્કુતિ લાવે. ભાવના ભવનાશિની,” ભાવના તે આત્મા પરના સંસારને નાશ કરનારી છે, ભવ પાર કરાવનારી છે.
ભાવના ભવનાશની આટલાજ માટે કે ભવનાં કારણભૂત સગદ્વેષાદિને એ નાશ કરે છે. '
પતંજલ યોગદર્શનકાર પણ કહે છે કે પ્રતિપક્ષની ભાવનાથી રાગાદિદોના સંસ્કાર નાશ પામતા આવે છે. પ્રતિપક્ષ એટલે વિપક્ષ વિરોધી. રાગને વિરોધી વૈરાગ્ય, દ્વેષને વિરોધી ઉપશમ, કામને પ્રતિપક્ષ બ્રહ્મચર્ય, ક્રોધને વિપક્ષ ક્ષમા ઈત્યાદિ. એ વૈરાગ્યાદિની વારંવાર ભાવના કરે, વિચાર કરે, હૃદયને એથી ભાવિન કરના ચાલે, એટલે રાગાદિ સંસ્કારે ઘસાતા આવે, અને વૈરાગ્યાદિના સુસંસ્કાર જામવા માંડે. પછી એની પરાકાષ્ઠાએ વીતરાગતા આવે.
સાંભળીને ગયા પછી અસર કેમ નહિ?
આ મહાલાભ કરાવનારી ભાવનાની કેવી સુંદર તક અહીં મળી છે! ખર્ચ પાઈને નહિ, મહેનત જરા હાથ ઊંચા કરવાની
Page #266
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧]
[ ૨૫૦ પણ નહિ. બસ, મનને એમાં પરોવવાનું. માનવમનની કિંમત આના અંગે છે. ઠેઠ વીતરાગતાની પરાકાષ્ઠાએ પહોંચાડે એવી ભાવના કરી શકવા ચોગ્ય મન માત્ર માનવ અવતારે મળે છે.
આપણને મળેલી આવા વિશિષ્ટ મનની બક્ષીસની કદર કરીએ તે એમાં ભાવનાને બદલે કચરા ભૂસા ઘાલવાનું દિલ જ ન થાય; બને તેટલી શુભ ભાવના જ મનમાં રમાડયા કરીએ; જરા સારૂં શ્રવણ મળ્યું યા વાંચન કર્યું, કે તરત એ ભાવનામાં દાખલ કરી દેવાય. પછી સાંભળેલુંવાંચેલું ભૂલાય શાનું? એ તે વારંવારની ભાવના-વિચારણાથી નજર સામે તરવરતું થઈ જાય. આ જે કરવું નથી તે પછી બૂમ માર્યા કરીએ કે અહીંથી ઊઠીને ગયા પછી અસર ભુંસાઈ જાય છે એને કઈ જ અર્થ નથી. અસર ન ભૂંસાય એને ઉપાય કરવો જોઈએ. ઉપાય આ, કે ભાવના શરૂ કરી દો.
ભાવના કેરી કરવી? જડ ચેતનના ભેદ હૈયે અંકિત કરવા છે, તે એનું સાંભળેલું-વાંચેલું ભાવનામાં ઊતારી દેવું જોઈએ, મુખ્ય આત્મદષ્ટિ રાખીને મહાપુરુષોએ કરેલ સાધનાનાં પુરુષાર્થ–પરાક્રમ પર આપણા દિલમાં વારંવાર ભાવના ઊઠયા કરે. દા.ત. મનને એમ ભાવના થાય કે “મહાવીર પ્રભુ અને ધન્નો,શાલિભદ્ર, ધનાજી, મેઘકુમાર વગેરેએ પિતાનું શરીર મહાસુકમળ છતાં કેવી. ઉગ્ર તપસ્યા કરી! કેવા ઉગ્ર પરીસહ વેઠયા ! કાયાને કેવી એમાં ગડી! પછી એમના એકેક સાધના-પ્રસંગ પર ભાવના કરવામાં આવે. “જડ કાયાથી ચેતન આત્મા જુદે છે એ વાત મનમાં
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૪]
[ રુક્મી
ઢસાવવી છે? એ મહાપુરુષાએ કાયાને તુચ્છ ગણી આત્મા ખાતર વુ કેવુ એ કાયાને કચરવાનું જીવન મનાવ્યુ. એની ભાવના કરતા રહેવાથી આપણા મનમાં જડ-ચેતનના ભેની વાત સતી જાય. આ સે એ લેટ્ઠજ્ઞાન. સારાંશ, એથી ભાવના વારવાર કરવાથી એ શકય બને છે.
માંદા સાજાને આશ્વાસન આપેઃ
જીવનભર એ ર્યો કરીને જડ-ચેતનના ભેદજ્ઞાનને અસ્થિ મજ્જા કર્યુ. હાય, પછી મૃત્યુકાળે આ કાયા અને એના સાંચાગિક પદાર્થોં છૂટવાની તૈયારીમાં છે છતાં આપણે નિભ ય હાઇએ. અસાધ્ય રાગમાં પણ આશ્વાસન ખીજાએ આપણને શુ' આપતા હતા ? આપણે એમને તાત્ત્વિક આશ્વાસન આપીએ, એવું આપીએ કે ‘અસાધ્ય રોગ એ તે એક નિર્ધારિત હકીકત છે. એમાં શત્રુ શું ? એક રાગનુ' તા દુઃખ છે જ, એના પર શા સારૂ વળી મનેાદુઃખ વધારવું? આપણી જાતે મનની શાંતિ મનનું સુખ ગુમાવવું એ મૂર્ખાઈ નથી ? વળી મૃત્યુ પણ શાક કરવા જેવી વસ્તુ નથી. માત્ર. કાયાની ઝુંપડી ઊભી છે ત્યાં સુધી એમાં રહીને ધમ રત્ના કમાઈ લેવાનું કરવાનું છે. કાયા પડવા જાય છે કે રત્ના સમાલી લઇ ખુશમિશાલ પલાક ચાલ્યા જઈએ.’
·
=
પાંચ વરસનાં પ્રમુખપદમાં શું કરવાનું?:— પેલા પાંચ વરસના પટ્ટાના પ્રમુખપણાને દાખલે યાદ છે ને ? દરદીને જોઈ ડાકટર સગાંઓને કહે છે હુવે આ ખર્ચ એમ નથી, સાંજ કાઢે તેા ભાગ્યશાળી.’
ત્યારે દર્દી પ્રસન્નતાથી કહે છે 'ના ડાકટર ! સાંજ નહિ; ૨ કલાક ૨૨ મિનિટ થતાં માટે મરવાનું છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૧]
[ ૨૫૫ ડાકટર ચોંકી ઊઠે છે-“અરે! આટલી બધી નિર્ભયતાથી આવા અવસરે રહી શકે છે ?”
એટલે એણે પાંચ વરસના પ્રમુખને દાખલ આપે. પાંચ વર્ષ પછી જ્યાં નિર્જન દ્વીપમાં ધકેલાઈ જ જવાનું છે એવી શરતવાળે અહીં પ્રમુખ બનતાં જ બુદ્ધિમાને અડધે ખજાને ને અડધું લશ્કર મેક્લી એ નિર્જન દ્વીપમાં ધીખતા વેપારની નગરી વસાવી દીધી! પિતાનું સામ્રાજ્ય ઊભું કરી દીધું! પછી ત્યાં ધકેલાઈ જતાં શો ખેદ? એમ,
અહી જમ્યા ત્યાર્થી અજાણ્યા દ્વીપ જેવા પરલોકને સદ્ધર બનાવવાની જ પેરવી શરૂ કરી દીધી, પુણ્યશક્તિરૂપી નાણું એ માટે જ ભરચક ખચ્ચે રાખ્યું. પછી મૃત્યુ વખતે શે ડર? શે ખેદ? બસ એક જ ધૂન,–“શરીર કાયશક્તિ મળી છે તે કરો ભરપૂર ત્યાગ, તપસ્યા, સેવા વગેરે, વચનશકિત મળી છે, તે કરો પ્રભુગુણગાન, શાસ્ત્રાધ્યયન, ધર્મવાર્તા મનશક્તિ મળેલી છે, તો કરો ઉત્તમ ભાવનાઓ, નવકારસ્મરણ વગેરે, હૃદય મળેલું છે તે ભાવે નીતરતી જીવદયા; હદયમાં વસાવે અહપ્રેમ, વ્રતનિયમ, પૈસા મળ્યા છે કરે દાન, સાત ક્ષેત્રે ભક્તિ;.” જીવનભર આવી ને આવી ધૂન મચાવી હોય પછી મૃત્યુ વખતે નિર્ભય.
| દરદીએ ડાકટરને એ જ કહ્યું કે મેં પરમેષ્ઠિ નમસ્કાર વગેરેની આરાધના એવી કરી છે કે હું મૃત્યુ સામે નિર્ભય છું, સ્વસ્થ છું' આ સ્વસ્થતાના બળે એને કઈ એવી કુરણ થઈ ગઈ કે મૃત્યુ સમય વર્તાઈ ગયે, તે ડાકટર જેતે રહ્યો ને બરાબર કહેલા સમયે આનંદપૂર્વક નવકાર-મરતાં પ્રાણ છાક્યા.
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨. ધર્મ દ્રવ્યમાંથી નકે? :
વચનયોગને પ્રભાવ. સુરતના એક મંદિરના વહીવટદાર મહાન શ્રાવક લલ્લુભાઈ એવા પાપભીરુ અને પ્રામાણિક, કે દેવદ્રવ્યની કથળીમાં રોકડ રૂપિયે નાખીને પરચુરણ સોળ આના લેવાની ય વાત નહિ! પછી પિતાની સ્વાર્થ–સગવડ માટે હમણ પાંચ રૂપિયા આમાંથી લઉં છું પછી આમાં નાખી દઈશ, એવું કરવાની તે વાતે ય શી?
સારા ગણાતા શ્રાવક પણ જે આ મર્યાદાને ચુસ્ત ન ષળગી રહ્યા અને ધર્મ ખાતાની સિલકમાં ઘાલમેલ કરી–પછી ભલેને મનમાં એમ પણ રાખ્યું કે આને બજારુ વ્યાજ કરતાં અધિક વ્યાજે પાછા વાળીશ,તે પણ રુલી ગયા, ધર્મદ્રવ્યને નાશ કરવાના ઘોર પાપમાં પડવું પડ્યું. ત્યારે શ્રાદ્ધવિધિ, દ્રવ્યસપ્તતિકા, દર્શનશુદ્ધિ, ઉપદેશપદ વગેરે શાસ્ત્રો જુઓ તે ખબર પડે કે દેવદ્રવ્યની જરાક ઘાલમેલમાં પણ કેટલા ભયંકર ભવમાં દુઃખથી રીબાવું પડે છે!
એક શ્રાવકે મંદિર-નિર્માણને વહીવટ કરતાં મજૂરોને રાજી થાય તે રોકડી ન આપતાં પોતાની દુકાનેથી એને માલ
Page #270
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨] આપવામાં ન ખાશે, તે કેટલે ? માત્ર ૮૦ કારકિર્દીને ની એને ભવાંતરે એ ધર્મદ્રવ્યના ભક્ષણનું પાપ ભયંકર નડધું તમને લાગશે કે આમાં ક્યાં એણે દેવદ્રવ્ય ખાધું? પણ અંતરની પરિણતિને વિચાર કરો કે એની પરિણતિ કેવી હતી?
ધર્મદ્રવ્યમાંથી નકે લેવાની બુદ્ધિ કેવી ? –
એ જાણતો હતો કે “આ દેવદ્રવ્ય છે. મજૂરોને રેકડું આપીશ તે મને શું મળે? માટે માલ આપું તે મને પણ લાભ થાય. આવી લેશ્યાથી એ ધંધે ચલાવ્યો. એને અર્થ જ એ કે ધર્મદ્રવ્ય ખાવાની બુદ્ધિ થઈ ત્યારે આજે એવી વસ્તુને વેપાર કરનારે વિચાર કરવા જેવું છે કે આ વસ્તુનાં વેચાણનાં નાણાં ક્યાંથી આવવાનાં છે? જે ધરાસર પિતાને ખબર છે કે દેવદ્રવ્યમાંથી મંદિરના નિર્માણ કે જીર્ણોદ્ધાર યા રંગરગાનને સામાન સામે ખરીદે છે, કેશર-સુખડ–વરખ વગેરે ખરીદે છે, જ્ઞાનદ્રવ્યમાંથી પુસ્તકપાનું ખરીદે છે, સાધારણ દ્રવ્યમાંથી ચીજવસ્તુની ખરીદી કરે છે, આવી જે ખબર છે, અને છતાં પોતાના માલને નફામાં એવું નાણું સ્વીકારી લે છે, તે એને અર્થ જ એ, કે ધર્મદ્રવ્યમાંથી પિતાને લાભ લેવાનું મન થયું.
જેને અર્પવાનું એનું લેવાનું ?
વિચારવા જેવું છે કે જે ધર્મક્ષેત્ર-ધર્મ ખાતાંને ચરણે તે આપણું દ્રવ્ય સમપ કંઈક કૃતાર્થ થવાનું હોય. કેમકે આપણને મળેલું છે તે ધર્મના અંગોને ઉપકાર છે; એની તે કૃતજ્ઞતા અદા કરવાની હેય; વળી જીવનમાં ચાલી રહેલા સ્વાર્થનાં અને
ધ થવાનું
અને તે
અને
૧૭.
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૫૮],
| [ રુકમી કુટુંબાદિ મેહમાયાનાં પિષણનાં ભરપૂર દુષ્કૃત્યના મારની સામે દેવ-ગુરુ-ધર્મ-શાસ્ત્રની ભક્તિમાં ખરચી સુકૃતરૂપી રક્ષણ ઊભું કરવાનું હોય એના બદલે ઉલટું એ તારક ઉપકારક દેવ-ગુરુધર્મ-શાસ્ત્રનું ખાવાનું મન થાય એ કેટલી કનિષ્ઠ પાપિઠ અધમાધમ બુદ્ધિ! ધમખાતાનું ખાવાની વેશ્યા પરલોકમાં દુઃખદ -
આ ધર્મ ખાતાનું ખુશમિશાલ ખાવાની વેશ્યા એ એટલે બધા ભયંકર સંસ્કાર આત્મામાં નાખે છે, એને એવો ઊંડે પાયે રોપાય છે, કે અહીં અને પરલોકમાં તે વિશેષરૂપે બીજા અનેક પાપની વૃત્તિઓ તરવરતી રહે છે. એ કુસંસ્કાર ભુલા મુશ્કેલ. ભંસા મુશ્કેલ બની જાય છે. ભવેના ભવે કર્મના માર ખાય પછી એ મેળ પડવા જે થાય. આમાંથી બચે, ટૂંકે પતે, જલદી ઊંચે આવે, એ તે કેક જૂજ અપવાદ બાકી પ્રાયઃ દીર્ઘ દુર્ગતિ-ભ્રમણ !
પાપમાં ધિઈ ભયંકર – - ધર્મનું નાણું કેટલું ખાધું એ પ્રશ્ન કરતાં એની પાછળ કામ કરી રહેલી વેશ્યા-આત્મપરિણતિ-ધૃષ્ટતા-નિષ્ફરતાનું મહત્વ છે. ચક્રવતી દીક્ષા લઈ સ્વર્ગ કે મેક્ષે જાય છે! કેમ વારૂ હદયમાં મોટા પણ પાપની ધિઠ્ઠાઈ નહિ, નઠેરતા નહિ. એક ભિખારી ભીખ માગવાના ચપ્પણિયા પર નરકે જઈ શકે છે. કેમ એમ? નાના પણ પાપની નિષ્ફરતાને લીધે ને રૌદ્રધાનને લીધે નરકગતિ ય સુલભ બને છે.
માટે જ જીવન જીવતાં આ ખૂબ ખ્યાલમાં રાખે કે કયાંય નિષ્ફર બુદ્ધિ, કઠેર વેશ્યા, ધિઠ્ઠા પરિણામ ન થાય. પાપ ભલે
Page #272
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨ ]
[૨૫૯ કદાચ નાનું દેખાતું હશે, પણ આ નિષ્ઠુર રૌદ્ર પરિણામ એને મહાપાપ બનાવી દેશે. જાણું જોઈને ધર્મદ્રવ્ય ખાવાની બુદ્ધિ એવી વેશ્યા ઘડે છે. મનને એમ થવું જોઈએ કે “શ્રાવકના અવતારે આવી આજીવિકા કમાઈ પેટ ભરવા કરતાં પાપી પેટ
સિરાવવું સારું, અર્થાત્ ભૂખે મરવું બહેતર! મજુરી કરું, પણ ધમંદ્રવ્યની એક રાતી પાઈ ન ખાઉં. મજુરી પણ ધર્મખાતાનાં નાણાં મળે એવી નહિ, જેમાં એવી પાપિષ્ઠ બુદ્ધિ જાગવા સંભવ રહે કે “વધુ મળે તે સારૂ. “આ જીવન તે આમ પૂરું થઈ જશે, પણ આ પાપથી દુઃખમય ભવમાં ભટકવું પડશે !”—મનને આવી ભાવના જાગ્રત્ જોઈએ, જેથી કયારે ય કયાંય લેશ પણ ધર્મદ્રવ્ય ખાવાનું મન ન થાય.
પેલા લલ્લુભાઈ શ્રાવક ખૂબ શ્રદ્ધાળુ, ખૂબ ચેસ, તે ધર્મદ્રવ્યને અણીશુદ્ધ વહીવટ કરતા. સાથે શ્રાવકજીવનને શોભાવે એવી દેવભક્તિ-ગુરુભક્તિ-વ્રતનિયમ-સામાયિક વગેરે પ્રવૃત્તિને પણ જીવનમાં પ્રધાન સ્થાન આપતા. “પ્રધાન સમજે ને ? સાંસારિક પ્રવૃત્તિમાં આઘું પાછું થાય તો ચાલે, પણ ધર્મપ્રવૃત્તિમાં આઘું પાછું નહિ. એ તે બરાબર સાચવવાની. વર્ષોના આવા ધર્મપ્રધાન જીવનનું પરિણામ એ આવ્યું કે જીવનના છેલ્લા દિવસે સવારે ઊઠીને કુટુંબને કહી દીધું કે “જુઓ આજે હું જવાને છું. મારું આયુષ્ય પૂરું થાય છે. પણ તમે ચિંતા ન કરશે.”
શું? કુટુંબને આ સાંભળીને અવિશ્વાસ ન આવે? કે આઘાત ન થાય ?
Page #273
--------------------------------------------------------------------------
________________
, ૨૬૦]
[કુમી - ના, બેમાંથી એકે ય નહિ; કેમકે
(૧) અવિશ્વાસ એટલા માટે નહિ કે જીવન જ એવું જીવેલા કે જૂઠા કે મફતિયા બોલ યા આવેશના બેલ કાઢવાની કુટેવ જ નહિ. જે બેસવાનું તે સાચું ઉપયોગી અને સ્વસ્થતાભર્યું જ બલવાનું. એટલે કુટુંબ પર એની સુંદર છાયા; તેથી આજે જ્યારે શ્રાવક આમ બેલે છે તે જરૂર એની પાછળ તથ્થાંશ છે એ કુટુંબને વિશ્વાસ.
માણસ પોતાના બેલને વજનદાર કેમ નથી બનાવી શો? વિશ્વાસપાત્ર કેમ નથી કરી શકો?
આટલા જ કારણે, કે (૧) કાં તે જૂઠું બોલવાની કુટેવ છે,
(૨) અગર બિન જરૂરી નિરુપયેગી બહુ બોલબોલ કરવાની કુટેવ છે,
(૩) અથવા કેટલીક વાર આવેશને બેલ બોલી કાઢે છે, પછી ભલે પસ્તાતે હોય.
- આવું બોલવામાં ભલે તાત્કાલિક આનંદ કે શુદ્ર લાભ દેખાતે હોય પરંતુ વચનનું વજન ગુમાવવામાં કિંમત ઘટે છે, અને નુકશાન મોટું થાય છે. માટે,
બોલવું તે (૧) સાચું જ બોલવું,
(૨) ઉપયેગી જ બોલવું, ' અને (૩) આવેશમાં આવ્યા વિના મુલાયમ ભાષાએ જ બેલવું; પણ સામાનું હૈયું ભાંગી નાખે એવી કર્કશ ભાષામાં નહિ.
આ ત્રણેય મુદ્દા બહુ સાચવવા જેવા છે, મહાન લાભ કરનારા છે. એટલું ધ્યાનમાં રહે કે,
Page #274
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨]
[૨૧ વચનોગમાં બે ખાસિયત છે,–
(૧) એક તો એ પ્રાયઃ હૈયાની વૃત્તિ અનુસાર કરાય છે એ સૌ સમજે છે. તેથી તે આપણું વચન પરથી એ આપણા હૃદયને ભાવ કલ્પી લે છે. આવેશનું બોલીએ તે માને છે કે આપણા હૈયામાં ગુસ્સે છે; અને મુલાયમ બોલ કાઢીએ તો આપણી શાંતતા-સ્વસ્થતા સમજે છે. અલબત, હૈયામાં ગુસ્સો હોય છતાં માયાવી બહારથી મીઠું બોલે છે, પરંતુ એને એ અર્થ નથી કે આપણે હૈયામાં આવેશ હોય તે તડ ને ફડ સુણાવી દેવું. એકાદિ વાર દિલમાં ગુસ્સો આવી પણ ગયો, છતાં સામાને કષાય-અસભાવાદિ ન થાઓ એવી ભાવ-દયાથી પ્રેરાઈને પણ ભાષા મુલાયમ બેલવી જરૂરી છે. આમાં સામાની ભાવદયાને આશય શુદ્ધ છે; તેથી માયા ન કહેવાય. વસ્તુનું માપ એના પરિણામ પરથી મપાય છે. એટલા માટે તે,
સાચું પણ તે છે કે જે સામાના અને આપણું હિતમાં હેય. પાપને ઉપદેશ, આરંભસભારંભને ઉપદેશ, એ દેખીતે સાચો હોય છતાં વાસ્તવિક સ્થિતિએ સત્ય નથી. પારધી કે કસાઈને પશુનું સાચું સ્થાન કહી દેવું એ શું સત્ય વચન છે? ના, જરાય નહિ. એ તો ઘેર મૃષા કહેવાય. એમ બીજાને હિંસા કરવા કહેવું, અગર એવું કહેવું કે જેનાં નિમિત્તે પેલે સીધે હિંસા કરવા જાય; એમ જૂઠ બોલવાનું કહેવું, કોધ-માન વગેરે કષાય કરવાની સલાહ આપવી, આ બધું કાંઈ સત્ય વચનમાં ન આવે. નિષ્પાપ સાચું એ સાચું. એમ શુભ આશયનું મુલાયમ વચન એ માયા વિનાનું હોય તે જ સાચું ગણાય.
ત્યારે ઉપયોગી જ બોલવું, બિનજરૂરી એક પણ ઉગારે
Page #275
--------------------------------------------------------------------------
________________
..
૨૬૨ ]
( [ રુકમી ન કાઢવો એમાં પણ લાભ અનુપમ. બહુ બેલબોલ કરવામાં તે જૂઠ આવતાં વાર નથી લાગતી. જેને અસત્યને ડર છે, અસત્યથી બચવું છે, એણે બોલવા પર પાક અંકુશ રાખવું જ જોઈએ. બોલવું તે વિચારીને કે નિશ્ચિત સાચું જ છે ને ? તેમજ જોખીને બોલ કાઢવા, પરિમિત બોલવું, કે જેથી અજાયે પણ જૂઠ ન આવી જાય.
બહુ બલવાનાં ૪ કારણું –
બાકી બહુ બોલનાર લેકમાં પણ સારા પ્રૌઢમાં નથી ગણતે. બિનજરૂરી બાયે રાખે એ પિતાની કિંમત ઓછી કરે છે. બહુ બોલે એ તણખલાને તેલે કહેવત છે ને? (૧) હૃદય છીછરું, યા (૨) તુચ્છ આનંદમાં રાચનારું, (૩) શંકા-અવિશ્વાસ ભર્યું, કે (૪) આપ બડાઈથી ભરેલું હોય, ત્યારે બોલબોલ કરવાનું થાય છે. એ આપણું વચનગ પર આપણું હદયનું આ માપ નીકળે છે. માણસને કાં તે આવિશ્વાસ હય, ભયભીતતા હોય, પિતાની બડાઈ દેખાડવી હોય, કે બીજાની ઈર્ષ્યા–અસૂયા હોય ત્યારે બહુ બલવાની જરૂર પડે છે. એ બધા દોષથી બચવું હોય તે પહેલો વચનગ કાબુમાં લેવું જોઈએ.
(૨) વચનગની બીજી ખાસિયત એ છે કે એ હદયમાં નવી શુભ કે અશુભ વૃત્તિ ઘડે છે. હૈયામાં કદાચ સારા સારા ભાવ ન પણ હોય, છતાં જે બોલવાનું સારૂં રખાય તે એથી સારા ભાવ જાગવાને અવકાશ રહે છે. એમ સારા ભાવ છતાં બોલવાનું હલકું નરસું નિંદાજેવું કરાય તે સારા ભાવ નષ્ટ થઇ નરસા ભાવ જાગે છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨]
[૨૬૩ મંદિરમાં અનુભવ છે કે સારૂં ભાવવાહી સ્તવન બોલતાં બોલતાં દિલમાં સંવેગ–બૈરાગ્ય-પ્રભુભક્તિને ઉલ્લાસ જાગે છે. શું થયું એ? શુભ વચનગથી શુભ વૃત્તિ જાગી.
એમ કેઈની આગળ સારી ધર્મકથા કરતા હો, મહાપુરુષનું ચરિત્ર કહેતા હે, તે એથી પણ દિલમાં સારાં ભાવ જાગવાનું બને છે. સાચી સલાહ આપતા હોઈએ, તે ય એવું થાય છે. બીજાના ગુણની અનુમોદના કરતા હોઈએ ત્યાં પણ શુભભાવ જાગે છે. અરે, અંતરમાં ગુસ્સો આવ્યો છે પણ પ્રેમભર્યા શબ્દથી શિખામણ આપતા જે સામે પીગળી જાય તે આપણે ગુસ્સે શાંત થઈ વાત્સલ્ય ઊભરાય છે.
સારા-નરસા વચનગ –
આથી ઉલટું વિકથા, કુથલી, પરનિંદા, આત્મશ્લાઘા, પાપપદેશ, આવેશના બેલ, અર્થ—કામકથા, વગેરે અશુભ વચન
ગમાં પડતાં હયાના ભાવ વધુ બગડે છે. માટે (i) જીવન સુધારવા (i) અનાદિના કુસંસ્કાર સુધારવા, અને (i) ચિકણું કર્મ. બંધથી બચવા, ધર્મકથા-સચ્ચરિત્રપ્રસંગ પરગુણાનુ મેદના, સ્વદોષ નિંદા-ધર્મ સલાહ-હિતેપદેશ–પ્રભુગુણગાન-સારાં સ્તવન સઝાય સ્તત્ર વગેરેના શુભ વચનગને જ ખપ કરવો જરૂરી છે.
પેલા સુશ્રાવક લલ્લુભાઈ કહે છે “આજ મારું જીવન પૂરું થાય છે,” એ વચન પર કુટુંબીઓ અવિશ્વાસ નથી કરતા. કેમકે એમની જીવનસરણી સાચી, ઉપયોગી અને મુલાયમ વાણું પર ચાલી છે. ત્યારે બીજો પ્રશ્ન એ થયો કે તે પણ કુટુંબને આઘાત ન લાગે ?
Page #277
--------------------------------------------------------------------------
________________
- [ મી ' લાગે તે ખરે, પણ એટલે નહિ. એનું કારણ, શ્રાવકજી પોતે એ આગાહી કહેવા સાથે જ કુટુંબને કહે છે -
શ્રાવકનું અંતકાળ પર ભાષણઃ જન્મ એ મહાન ગુને –
જુઓ, આ વસ્તુ પર જરાય દુઃખ લગાડતા નહિ. જમ્યા પછી મૃત્યુ થાય એ તે કુદરતી ઘટના છે. બજારમાં ગયા પછી સાંજ પડયે પાછું જવાનું હોય છે, એમાં રાજ કેણ દુઃખ કરવા બેસે છે કે આ પાછું કયાં જવાનું આવ્યું ? એ તે રોજની ઘટમાળ, બજારમાં ગયે રાખ્યું ને પાછા ફર્યો ગયા. એમ અહીં પણ અનંત અનંત કાળ વીત્યે, જનમ પામતા જ ગયા, અને મરતા ગયા. ત્યાં મરવાનો ખેદ છે? ખેદ થાય તે હજી જનમવાને થ જોઈએ કે “આ મારે કેમ જનમ લે પડ્યો કે જે એક મોટા ગુનારૂપ બની ઠેઠ મૃત્યુના દંડની સજા આપે છે! જનમવાને ખેદ હોય તે જેમ મરવાના ભયવાળા કેઈ જાતની દવાઓ ખાય છે, એમ જનમવાના ભયથી જનમ રેકાય એવી ઊંચી સત્ સાધનામાં જોડાઈ જવાય.
બીજાનું મૃત્યુ જોતાં પિતાની મૃત્યુ દશા ચિંતા –
પેલા શ્રાવક મૃત્યુની આગાહી થવાથી એને નિશ્ચિત જાણી કુટુંબને આગાહી કહેવા બાદ કહે છે “જુઓ તમે મારા મૃત્યુ પર શોક જરીકે કરતા નહિ; પોતાની મૃત્યુવશ દશા વિચાર, જેથી કાળ કેબિયે કરી જાય તે પહેલાં (i) શક્ય એટલે ધર્મ સાધી લેવા, (ii) રાગદ્વેષાદિ કષાયે ખરા મંદ કરી નાખવા, અને (i) ભાવી જનમના સારા જીવન માટે અહીં પાપ ઓછા કરી સારું સંસ્કરણ કરી લેવા નિરંતર ગરજ રખાય. મૃત્યુ પહેલાં જ શક્ય
Page #278
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૨]
[૨૫
છેને આ? કે મૃત્યુ પછી ? જે મૃત્યુ નિર્ધારિત આવવાનુ જ છે, તે પણ નેટિસ વિના અણુધારી જ ક્ષણે, તેા પછી ધમ સેવવાનુ કાના વાયદે રખાય ! એ તા જેટલા રોકડા કરી લીધેા એટલા ફાવ્યા. જીવન એવું સારૂ' જીવાશે તે મૃત્યુ આવી લાગતાં કાઈ જ શાક નહિ થાય; આનંદપૂર્વક સમાધિ જાળવીને મૃત્યુ પામી શકાશે.
મૃત્યુ એટલે જીનાં કપડાં છેડવાનાં:--
“માટે મારી તમને ખાસ ભલામણ છે કે મારા મૃત્યુ પર મારા કરતાં તમારા આત્માના ખાસ વિચાર કરી શકય વધુ ધમ સુકૃત સાધી લેવાનેા પુરુષા ધખાવો; અને મૃત્યુ તે એક જીનાં કપડાં ઉતારી નવાં કપડાં પહેરી લેવાના પ્રસ`ગમાત્ર સમજજો. સમાં એટલે જ કશનની ગાડીઓ :—
‘‘જીએ આપણા સંબંધ તૂટવા પર બહુ ચિંતામાં પડવા જેવુ' નથી . આ વિશાળ જગતમાં ઠામ ઠામ ભટકતા જીવને વળી સંખ’ધેાની શી નવાઈ છે ? કેઈ સાંધ્યા ને કેઇ તાડયા. આ તે અહીં જકશન સ્ટેશને આપણી ગાડીએ મન્યા જેવું છે. મૃત્યુ ખાદ દરેક દરેકની ગાડી એની એની દિશામાં ચાલી જવાની છે. જેવી કરણી તેવી પાર ઊતરણી' થવાની. માટે સંબંધમાં મુ ંઝાયા કરતાં સારી કરણીની જ ચિ'તા નિર'તર રાખવી અતિ જરૂરી છે. એના શકય પુરુષાર્થ કરી લેવા ખાસ જરૂરી છે.
અરિહંતની પાકી હું་–
ત્યારે મારા માટે તા કાઈ ફિકર કરતા નહિ. ભગવાનના ધમ સાધ્યા છે એ ભાતુ સાથે હાય અરિહંતદેવ હૈયામાં સ્થિર કરી દીધા
*
પછી ચિંતા શી ? ભગવાન પછી હુક મળે છે. એમના
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૬ ]
[ રુમી.
મળે જગ જીતી જઈએ છીએ. માટે આજે બધા વિશેષ ધર્મધ્યાનમાં રહેજો....:'
કેવુ... મૃત્યુ પામવું ? —
લલ્લુભાઈ શ્રાવકે માથા પર મૃત્યુના જાણે કેાઈ જ ભાર નહિ એ રીતે શાંતિથી સમજાવ્યું. હવે કુટુંબને અહુ આઘાત શાના લગાડવાના હાય ? એ દિવસે શ્રાવકપણાની નિત્ય કરણી ઉપરાંત મદિર અને એના દ્રવ્યની ભર–ભલામણ કરી દીધી, સામાયિક, નવકાર–સ્મરણુ, તત્ત્વચિંતન વગેરેમાં દિવસ પસાર થયેા. સાંજ પડી ગયે સામાયિકમાં એઠા અને એમાં જ અવસર આન્યા જાણી અધુ વાસિરાવ્યુ', બધાને ક્ષમાપના કરી, પરમેષ્ઠીનાં ધ્યાનમાં દેહુ છેડી ગયા. કેાઈ હાય નહિ, વાય નહિ, ચિત્તની અસમાધિ-અસ્વસ્થતા નહિ, સમાધિ-મરણના વિજયડ'કો વગાડી દીધા.
શ્રાવકનાં મૃત્યુ કેવાં થાય ? જસંયોગેાને કેડીના ગણી આત્મા-પરમાત્માના જ વિચારમાં રમતા રમતા અંતકાળને ભેટ, એવાં, ‘હાય ? જિં’ઢગી ગુમાવી ! કશું સાધ્યુ" નહિ !' એવા માત્ર રાદણાં નહિ, કિન્તુ દેવ-ગુરુ-ધર્મ મળ્યાની પાકી અનુમેાદના આશ્વાસન સાથે, દેવ-ગુરુ મારા દિલમાં છે ને ? કઈ ફ઼િર રાખેલી નથી ને?–આ હૈયાધારણ હાય એવું મૃત્યુ પામે. શ્રાવકપણાનુ જીવન જ એવુ' હાય કે મૃત્યુના કોઈ ભય નહિ. મરવા પડેલા એને આશ્વાસન બીજા શુ' આપતા હતા ? એ પેાતે મીજાને આશ્વાસન આપે. પેલે હિરણ્યકરટી નગરીને રાજા તા ભયના માર્યાં ભાગી જ ગયા, કેમકે દુશ્મનસેના અચાનક ઘુસી આવી. પરંતુ સન્યાસીના કપડે આવેલા પરદેશી રાજકુ માર શુ કરે ? એ હુવે જોઈએ.
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૩. રાજકુમાર વિમાસણમાં મૈત્રીને દયા
અહીં મહાવીર ભગવાન ગૌતમસ્વામીને કહે છે,-હે. ગૌતમ ! એ રાજકુમાર વિચાર કરે છે કે “આ રાજા તે ભાગી ગયે, પણ મારાથી એમ કેમ ભાગી જવાય ? અમારી કુળપરં. પરાથી એ વિરુદ્ધ છે. તેમ મારાથી મારકૂટ કરતાં ય ન નીકળી. જવાય, કેમકે મારે પહેલા વ્રતમાં સ્થૂલ પ્રાણાતિપાતને ત્યાગ છે, અને જીવની હિંસા કરવી એ ઉચિત પણ નથી. તે મારે. શું કરવું ?”
રાજકુમાર વિચારમાં પડયે, સામે “હણ હણું ના ભયંકર. નાદ ગાજે છે. એવા કે ભલભલાના છકકા છૂટી જાય ! જુએ. રાજા પણ ભાગ્યે ને ? છતાં આ રાજકુમાર આવા જીવન-મરણના પ્રસંગ વખતે પણ પોતાના કુળની ખાનદાની અને નિયમ યાદ કરે છે કે મારાથી એમ ભાગી ન જવાય, તેમ મારકૂટ. કરતાંય ન નીકળી જવાય.
શાસ્ત્રકારોએ સુકુળ-જન્મને પણ એક ગુણ ગ. છે, અને એનું સમર્થન કરતાં આ લાભ બતાવે છે કે સારા કુળમાં જન્મ પામ્યાને માથે ભાર હેય તે અવસરે અપકૃત્યથી.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૬૮]
[ રુકમી બચી જવાય છે. મનને એમ થાય કે “આવા ઉત્તમ કુળમાં જનમેલે હું આ અપકૃત્ય કરું ? એથી તે મારા કુળને કલંક લગાડનારો થાઉં. બહેતર છે કે દુન્યવી મોટો લાભ જતો કરી થાવત્ પ્રાણને પણ ત્યાગ કરૂં; કિન્તુ કુળને કલંક તે ન જ લગાડું. કેમકે દુન્યવી લાભ તે ચંચળ છે. એ માત્ર આ જીવ નને જ પ્રશ્ન છે, ત્યારે અપકૃત્ય-નિવારણની સુકુળ-પરંપરાની રક્ષા કરવી એ સુકૃત અમર છે. અને પ્રાણ તે વળી શી ચીજ છે? એકવાર મારવાનું તે છે જ. એના ડરથી કલંકિત કૃત્યનું આચ રણ કરવા જઈએ તે એ ભવની પરંપરા બગાડી નાખે.” આ સમજથી જે સુકુળજન્મ પર અપકૃત્યથી બચાય એને ગુણ કેમ ન કહેવાય? આપણે આપણા આ ગુણની કદર કરીએ, અનુ. મેદન કરીએ, તે આપણામાં એવું જોમ આવે કે હલકા બેલ, અધમ કૃત્ય અને કચરાપટ્ટી વિચારોથી બચી જઈએ. દિલને એમ થાય કે “હું? મને તે આ મનુષ્ય ભવમાં આવું સુંદર કુળ મળ્યું ? તે જરૂર હું એને બટ્ટો ન લગાડું.” માટે જ રાજકુમાર એમજ ભાગી જવા તૈયાર નથી.
ત્યારે શું, લડતાં લડતાં અને મારતાં મારતાં નીકળી જવું? ના, પહેલું વ્રત ભાંગે. વળી કેઈને જરા પણ દુઃખ ન અપાય, તો હિંસા તે કેમ જ થાય ?
દયાભાવ કેમ દુર્લભ બન્યા છે ? –
કેટલાય કટોકટીના મામલામાં પણ રાજકુમારની વિચારસરણી અને હૃદય કેવા વિવેક અને જાગૃતિભર્યા છે એ જોવા જેવું છે. લડવાની તાકાત છે, આવડત છે, પણ લડવું નથી. કેમકે લડવા -જવામાં તે દુમનના ઘાથી માત્ર બચવાનું જ કરાય છે એમ
Page #282
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩]
[૨૬ નહિ, કિન્તુ અવસરે એના પર ઘા કરવાનું ય બને છે. તે કઈ પણ જીવને કેમ મરાય ? આ સંકેચ રાજકુમારને છે. વગર યુધે, વગર આવા વિષમ પ્રસંગે, ચાલુ જીવનમાંય જે આ અહિંસક ભાવ અને જીવો પ્રત્યે દયાભાવ ન પળાય તે પછી તેવા વિષમ પ્રસંગમાં તે એ કયાંથી જાળવી શકાવાને? જરાક કેક વાંકું બોલ્યું–ચાલ્યું, કે ઝટ એના દિલને આઘાત પહોંચે એવા આવેશ દેખાડાય છે, મર્મવચન બેલાય છે; પણ,
એ બિચારે કર્મ પીડિત છે, એની કષાયથી કલ થઈ રહી છે. તે એને વધારે કષાય કરાવવાની ક્રૂરતા હું કાં કરૂં ? વધુ કષાયમાં તે એની વધુ કલ્લ!”
-એવી દયાની લાગણું સ્કુરતી નથી. આપણને જરાક-શા. અનિષ્ટમાં ય આ નહિ, તો મેટા ભારે અનિષ્ટમાં તે નીતરતા દયાભાવને સ્થાન જ કયાં? એનું સ્વનુંય શાનું?
સ્વપ્નમાં પણ “જેવા સામે તેવા” થવાની જ વાત ! આવેશમારકૂટદબડાવવાની જ સ્વપન-સૃષ્ટિ !
એમ આરંભ-સમારંભ કરી જલસા ઉડાવવાને યા ઘરસંસાર મસ્ત ચલાવવાને જ રસ રહે પણ એમાં થતા પૃથ્વીકાયાદિ અસંખ્ય જીના સંહારને વિચાર પણ નહિ, એ જ પ્રત્યે દયાભાવ નહિ.
એમ વેપાર-રોજગારીમાં બીજા વેપારીઓ-દલાલે પિક મૂકે, નહાઈ નાખે, એનો વિચાર જ ન હોય, તે હૈયે દયાભાવ કયાં
રેજંદા સંસાર-વ્યવહારમાં યેનકેન પ્રકારે પોતાને જ એકડે ઘુંટવાને અને તેથી સામાના દિલને આઘાત પહોંચે એની
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૭૦]
[ફમી પરવા જ નહિ કરવાને આગ્રહ હોય, એવા દિલમાં જીવદયાનું વહેણ ક્યાંથી વહેતું હોય? - જરાકશું કોઈથી પિતાનું વાંકું થતું દેખાયું, કે પિતાના સ્વાર્થને અગવડરૂપ લાગ્યું, કે ઝટ દિલમાં એના પ્રત્યે દ્વેષની લાગણી ઊભરાવવા જોઈતી હોય, કૂતરૂ ઘરમાં પેઠું કે દ્વેષ, રાતના ભસતું હોય કે દ્વેષ, કરો કે નેકર જરા ભૂલ્યા કે દ્વેષ, ઘરમાં કીડીઓ નીકળી કે દ્વેષ, મેંઢા પર માખીઓ ફરી ફરી આવી કે દ્વેષ, આમ નજીવી બાબતમાં પણ જ્યાં ને ત્યાં હાલતાં ચાલતાં દ્વેષ કરવા જોઈતા હોય, ત્યાં દયાની લાગણીને અભ્યાસ ક્યાંથી પડવાને ?
દયાને અભ્યાસ તે જ પડે કે જે તેવા તેવા પ્રસંગમાં કેમળ અને ભીના હૃદયે વિચાર આવે કે -
દયાની વિવિધ ભાવના –
બિચારે છવ કર્મ પીડિત, તે ભૂલે છે ! એના પર દ્વેષની આગ વરસાવનારા તે અનેકાનેક છે પણ દયાનાં અમૃત આધાસન કેણ આપે ? મને વિશ્વદયાળુ વીતરાગ ભગવાનનું શાસન અને એમની ઓથ મળી છે, તે, મારૂં કર્તવ્ય માત્ર દયા જ વહેવડાવવાનું છે. ભલે મારે જરા સ્વાર્થ બગડતે હેય, પણ તે મારા અશુભ કર્મને હિસાબ છે. સામે જીવ તે શુદ્ધ દયાનું પાત્ર છે. એવા જીવ પર પણ જે દયા જ કરવાની હોય, દ્વેષ નહિ. તે મારા ઉપકારીઓ, મારા પૂજ્ય, અને ગુણિયલ આત્માએ પ્રત્યે તે શ્રેષ કરાય જ કેમ? ત્યાં તે હૃદયમાં-ભક્તિ-બહુમાન-પ્રેમ જ વહે.
Page #284
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩]
[ ૨૭૧ માનવ જીવનના આ ઘેરા કાળમાં એ દયાભકિત-પ્રેમને જેટલે અભ્યાસ વધશે એ જ અહીં પાછલી વયમાં, અંતકાળે, અને પરલોકમાં સુંદર જવાબ આપશે; એના પર જ બીજા ગુણેને સંચય થશે; અનંતા હલકા નાં પરિભ્રમણ બાદ માંડ મળેલા આ માન. વભવની સાર્થકતા થશે. વિચારવું જોઈએ છે કે
“ષની આગ સળગાવ્યા કરવાથી તે વાઘ-વરુના અવતારના જ અભ્યાસ દઢ થશે. માનવભવે આ કરૂ ? નહિ, જરાય નહિ, બધું વેઠી લઈશ, પણ જીવો પ્રત્યે દ્વેષ ન જ ખપે, દયા જ ખપે.
“મારા વહાલા વીર ભગવાને જ્યારે છ-છ માસ સુધી ભયંકર ઉપસર્ગની ઝડી વરસાવનાર સંગમ દેવતા ઉપર પણ હૃદયમાં એટલી બધી દયા ઊભરાવી કે આંખ આંસુથી ભીની થઈ ગઈ, તે મેં એ પ્રભુને માથે નાથ તરીકે ધર્યા પછી તે કમમાં કામ મામુલી પ્રસંગમાં તે જીવો પર મારે દયાને અખંડ સ્ત્રોત વહેતે રાખો જ જોઈએ.
વળી તીર્થકર ભગવાને તે ઠેઠ પૃથ્વીકાય-અપકાય વગેરે પણ જીવેની ઓળખ આપી છે. તે પણ એકેક કણ એકેક ટીપામાં અસંખ્ય છ ! એની દયા ભાવ પણ વારંવાર વિચારું. ઘર-સંસારના પ્રસંગમાં એ જીવોની વિરાધના કરવાકરાવવાનું આવે ત્યાં મનમાં એ ભાવું કે “અરે ! આ મારી કેવી મેહમાયા કે આ મારા નિરપરાધી જીવન મારે કચ્ચરઘાણ કરવું પડે છે ! એમણે બિચારાએ મારું શું બગાડયું છે? તો કયારે એ બધાને મારા તરફથી સંપૂર્ણ અભયદાન દઈ દઉં ! કયારે હિંસામય ઘરવાસ મૂકી અહિંસા-સંયમ–તપના મુનિ
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭]
( [ સફઝી મા લાગી જાઉં! બિચારા આ છે મારાથી કેટલી ક્રર પીડા પામી રહ્યા છે ! આ દયાનો ભાવ વારંવાર લાવ્યા કરું જેથી નાના-મોટા જી પ્રત્યે સહેજે દયાભાવ જાગતે રહે.
કર્મની વિટંબણા ભેગવતા જીવમાત્ર દયાપાત્ર છે. કદાચ કઈ જીવે મારે અપરાધ કર્યો તે એને બિચારાને તેમાંય એના પૂર્વ કર્મની વિટંબણું છે ! અને અસત્ આચરણથી એ બિચારે નવી કર્મ-વિટંબણાની તૈયારી કરી રહ્યો છે ! આમ કર્મને બેવડો માર ખાઈ રહેલ એના પર મારે દ્વેષ શું કરે ? ઉલટું દયા જ ચિંતવવી જોઈએ કે બિચારે કર્મવિટંબણાથી મુકાઓ, ને મારા ઠેષ આદિ નિમિત્ત પામી અધિક કર્મ બંધનમાં ન પડે.”
કેરી ફરિયાદ નકામી –
આવી દયાની ભાવના વારંવાર કરતા રહેવાય તે અવસરે તેવા પ્રસંગમાં દયાભાવ આવીને ઊભું રહે. વારંવાર આ ભાવના કરતા રહેવું નથી, ને ફરિયાદ કરવી છે કે “પ્રસંગ બનતાં કેમ અમને આવેશમાં આવી જાય છે. એ કેમ ચાલે? ફરિયાદ ટાળવાને ઉપાય કરે નથી ને ફરિયાદનું રેણું મરતાં સુધી ચલાવવું છે! એથી શું વળશે? પરલેકમાં કેવા સંસ્કારની ફેજ લઈને જવાનું થશે? પહેલે ઉપાય આ જ કરવું જોઈએ કે દયાની ભાવના, દિલમાં સતત ચાલ્યા કરે, શું સ્થાવર જીવ, કે શું ત્રસ, બધાની ઉપર દયાનું વહેણ વહેતું રહે. આરંભ સમારંભ ધંધાધાપાના કાળે તે ખરું જ, પણ તે વિના પણ ખરૂં. અનંતા ભવો શ્રેષની આગ સળગાવ્યા કરી છે તે શું નાયગ્રાના ધોધની જેમ સતત દયાભાવનાના ધ વરસાવ્યા વિના જ બુઝાઈ જશે?
'
'
.
.
૬
'
.
Page #286
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩]
[૨૭૩ દયાભાવને આલંબનભૂત શ્લોક :–
નાના મોટા જી પ્રત્યે દિલમાં વારંવારની ભાવના દ્વારા દયાને ધોધ વરસતે રાખવાની બલિહારી છે. દિલ એથી એટલું બધું સ્વચ્છ અને ફોરું રહે છે કે જે વાતવાતમાં ઠેષ-અરુચિ -અભિમાન વગેરે કેટલાક દોષ ભભુકતા રહેતા, તે કચરા હવે દેખાતા નથી, જાણે અડતા જ નથી. ભાવના સુકાઈ જાય તે દયાની ઝરણું ય ટકવી મુશ્કેલ, અલેપ જ સમજો. આ દયા ભાવના ઊલસતી રાખવા માટે શાસ્ત્ર સારાં આલંબન આપેલાં છે એને ઉપયોગ કરતા રહેવું જોઈએ. દા. ત. આ એક ગાથા,
“સ છવા કશ્મવસ ચઉદહ રાજ ભમત; તે મે સ વ ખમાવિઅ, મુઝ વિ તેહ ખમંત.
ક્ષમાપના :. આને ભાવ એ છે કે “સઘળા જીવો બિચારા કર્મને પરાધીન રહ્યા ચૌદ રાજલકમાં ભટકે છે; એમાં એ મારા વડે પણ વિરાધના-દુઃખ પામ્યા છે, તેથી હું તેઓને અપરાધી હોઈ તેમને ખાવું છું, તેમની ક્ષમા માગું છું, અને તે પણ મને ક્ષમા આપો.'
આ ભાવનાને પહોળી કરીએ એટલે વિચારી શકાય કે અનંતાનંત ભૂતકાળમાં વ્યવહાર–રાશિમાં રહેલા બધા જીવને આપણા સ્વાર્થના રસમાં ફેંસી નાખ્યા છે, હિંસા હિંસા પહોંચાડી છે. અરે હિંસા કરતાં પોતાના હૈયાને તે કંર બનાવ્યું, પણ એ જીવોને બિચારાને ય અપરંપાર ચિત્તકલેશ–સંકલેશ ૧૮
Page #287
--------------------------------------------------------------------------
________________
ર૭૪ ]
( [ કમી કરાવી તીવ્ર નરકાદિગ્ય કર્મ બંધાવ્યા છે. કઈ દશા એની કરી અહીં તે આપણી હિંસક પ્રવૃત્તિથી એને કારમી રીબામણ ખરી જ, પરંતુ પછી આગળ વળી એ ચિત્તસંકલેશથી બંધાયેલા કર્મને લીધે નરકાદિ ગતિઓના ભયંકર ત્રાસ! આ બધામાં પહેલું નિમિત્ત મારી હિંસક પ્રવૃત્તિ. એમ બીજાઓને કષાય રાગ-દ્વેષ–મેહ, કામ-ક્રોધ-લેજ, ભય-હર્ષ-ઉદ્વેગ વગેરે જગાવીને પણ એની બિચારાની પરકમાં એવી જ દુઃખમય સ્થિતિ કરી ! આ મારા અપરાધ જેવા તેવા છે? મેં એમને શત્રુ થઇને, કે દુનિયાના સ્વાર્થી હાંધ સગાસ્નેહી બનીને, યા એમની પ્રત્યે શત્રુ-મિત્રતાના કેઈ ભાવ વિના તુચ્છ જડસ્વાર્થમાં એમના જીવત્વ તરફ બેદરકાર બનીને બહુ દુઃખ આપ્યાં છે; તે હવે મારા એ ઘેર અપરાધની હું ક્ષમા યાચું છું. ખમ, ખમે, હે જીવબંધુઓ ! મારા અપરાધ ખમે, મને ક્ષમા આપે, મારાં એ દુષ્કૃત્ય મિથ્યા થાઓ, મિચ્છા મિ દુક્કડં. મને એ દુષ્કૃત્યની અને દુષ્કૃત્ય કરનાર મારા આત્માની બહુ ઘણુ-જુગુસા થાય છે. કે હું મૂઢ-અબુઝ-અધમ, કે જે પીડાને લેશ પણ મને ન ગમે, એવી પીડાના મેટા પોટલા મેં બીજા અને પહોંચાડયા ! મારા જીવની જેમ જીવમાત્ર સુખનાજ ચાહક છે. એમને દુઃખ તો લેશ પણ ગમતું નથી. એમનાં જીવવા વગેરેનાં સુખને નાશ કરી ઠેઠ મૃત્યુ સુધીનાં કે હૃદયમર્મવેધી તીક્ષ્ણ શબ્દબાણનાં દુઃખ પમાડનાર હું કે ક્રૂર-ઘાતકી-નિર્દય ! હવે તે હું ખમાવું છું, ક્ષમા યાચું છું, સૌ મારા મિત્ર છે, સૌની પ્રત્યે મારે મિત્રતા છે, કોઈના ય પ્રત્યે વૈર-વિરોધ નહિ. મારા મિત્ર એવા એમનું ભલું થાઓ.’
Page #288
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩]
[ ૨૦૧
સાચા મત્રી કેમ આવે?—
આવી આવી ભાવના ઊલસતી રહેવી જોઇએ. કઠાર હાંને કૂશું કરવું છે ? જાતની શેખાઈ ઘમંડ અને સ્વા–પટુતાની અધમાધમ લાગણી વોસિરાવવી છે ? તેા દયાની ભરપૂર ભાવના ભાગ્યે જ છૂટકા છે. એવી ભાવના ભાવતાં જ સ’સાર-મધનના ચૈાગે જ્યાં આર’ભાદ્ધિપ્રવૃત્તિમાં ખીજા જીવને દુ:ખ પહોંચાડવાનુ અનતું હશે, ત્યાં દિલમાં એને કાળા કકળાટ રહેશે, અને એ જીવા પ્રત્યે યાભાવની આર્દ્રતા ઊઠવા પામશે, ત્યાં સાચા મૈત્રીભાવ આવશે.
બાકી જેને જેને આપણે સાક્ષાત્ કે આડકતરી રીતે દુઃખ પહોંચાડીએ છીએ, એની ક્ષમાપનાના ભાવ જ હૈયામાં ન આવે, હૈયું એ વિરાધનાના ખેદ ન અનુભવે, અરે ! વિરાધના કરવા પૂર્વે એ કરવી પડશે એની ગ્લાનિ ન અનુભવે, અને ભાવના કરાય કે, ‘સવ જીવાનુ ભલું થાઓ, સૌ સુખી થાઓ,’ એને
અથશે ? દયાભાવ વિનાની મૈત્રી ભાવના એ તેા એક વાણીના વિલાસ જેવું થાય છે, બિચારા બૌદ્ધ ધર્મવાળા આવી આભાસપ મૈત્રી ભાવનામાં અટવાઇ રહે છે. વિશ્વનું હિત થાઓ, સૌ સુખી થાઓ એમ ખેલવાનુ ખરૂ, પરંતુ પેાતાના સ્વા ભાગમાં જેના કચ્ચરઘાણ કાઢી રહ્યો છે, એવા એકેન્દ્રિય શું, પચેન્દ્રિય જીવાની દયાના ભાવ પણ એને કયાં છે?
આંધળુ અનુકરણ ઃ—
પ્રશ્ન-પણ બૌદ્ધોને એકેન્દ્રિય જીવેાની તેા ઓળખ જ નથી ને ?
Page #289
--------------------------------------------------------------------------
________________
ઉ૦-તે એને બચાવ મળશે? અને જેને ઓળખ છે એ પણ શું પેલાની માફક માત્ર “સૌનું ભલું થાઓ' એવી રટણ કરતે જ બેસી રહે? કે પહેલાં તે જેને એ દંડી રહ્યો છે. ખાસ પતે એને મરણઃ કષ્ટ આપી રહ્યો છે, એને ખેદ પશ્ચાત્તાપ. કરે? એ કશું કર્યા વિના મૈત્રીની ભાવના દેખાડે છે તે જાણે બૌદ્ધોનું એક આંધળું અનુકરણ કરવા જેવું થાય છે.
- જૈન શાસન ખામેમિ સવ જીવે પહેલું આગળ કરે છે., સંસારમાં ભમતાં ભમતાં જે હિંસાઓ કરી બીજાને દુઃખ દીધાં છે, એ દુષ્કૃતને સંતાપ-પશ્ચાત્તાપ તે પહેલે લાવવું જોઈએ.. ને વિનમ્ર બની એ જીની ક્ષમાયાચના પહેલી કરવી જોઈએ. દુકૃતગર્તા, એ તે ભવસ્થિતિ પકવવા માટે પહેલાં જરૂરી ત્રણ સાધન ચારશરણુ–સ્વીકાર, દુકૃતગહ, સુકૃતાનમેદનમાંનું એક છે. વિરાધેલા છે અને વર્તમાનમાં હજી પણ વિરાધાઈ રહેલા
પ્રત્યે દિલમાં નીતરતે દયાભાવ ન ઊઠે, ન વહે ત્યાં સુધી એનું શું ભલું ઈછયું ગણાય? કઈ જીવ બહારના બીજાથી પીડાઈ રહ્યો હોય તે એની એ પીડા અટકાવવાનું કરાય. એ ન બની શકે તે ય કમમાં કમ એની એ પીડા પ્રત્યે દિલમાં આદ્રતા તે આવવી જ જોઈએ; તે પછી જેને આપણે પોતે જ પીડા આપી છે, શું એને પ્રત્યે આપણું દિલ ભીનું ન થાય? એ થયા વિના આપણે એનું ભલું ચાહનારા બની શકીએ?
ખામેમિ” ના પાયા પર “મિત્તી – વિવેક કરવાની જરૂર છે. સર્વજ્ઞના શાસનની આરાધનાઓ અને અજ્ઞાનીઓનાં દર્શનેમાં બતાવેલી આરાધનાઓ વચ્ચેના આકાશ-પાતાલીય અંતર તપાસવાની જરૂર છે. જીવોની વિસ્તૃત
Page #290
--------------------------------------------------------------------------
________________
એકરણ ૨૩]
[ ર૭૭. ઓળખાણ કયાં છે અને કયાં નથી? જીવની પરિણતિ કયાં શુદ્ધ થાય છે, કયાં ચોર બને છે? કયાં મૂળ પાયા પર વિકસે છે, ને કયાં પાયા વિના એમજ આંધળા અનુકરણમાં ઘસડાય છે? એની ઓળખ કરવા જેવી છે. નહિતર ઠગાવાનું થશે.
ખામેમિ સવવ જીવે” ને પાયે નાખીને “મિત્તી મે સવ ભૂસુનું ચણતર કરવાનું એકમાત્ર જિનશાસનમાં કહેવામાં આવે છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ પણ ક્ષમાયામિ સવન સત્તાન–સર્વ જીવોને હું નમાવું છું' કહીને પછી મૈત્રી એ સર્વભૂતેષુ” “સર્વ જીવ ઉપર મારે મૈત્રી હે” એમ કહે છે. આ મૈત્રી ભાવમાં પણ મુખ્ય ઉપશમભાવ છે. આવશ્યક ચૂર્ણકાર “મિત્તી એ સવભૂસુની વ્યાખ્યા કરતાં મિત્તીને અર્થ ઉપશમભાવ કરે છે. અર્થાત્ “ચિત્તમાં સર્વ જી પ્રત્યેને ઐર-વિરોધ–ઈર્ષ્યા વગેરે કષાયભાવ શાન્ત થઈ જાઓ એ ભાવના છે. ' ઉપશમભાવ લાવવા માટે જ પ્રત્યે સ્નેહભાવ લાવવાને,
એ પણ મૈત્રીભાવ છે. શાસ્ત્રવાર્તાની ટીકામાં એ અર્થ કર્યો છે. ' ઉપશમ અને સ્નેહ પહેલા જરૂરી છે. એ હશે તે પછી જ્યાં આપણા સ્વાર્થના કામમાં બીજાને દુખ પહોંચે છે ત્યાં એ છો પરના નેહ અને ઉપશમ ભાવને લીધે એ જીવેને દુઃખ દેતાં હૈયું થડકશે, ખેદ થશે. “ક્યાં હું બધાનું ભલું ઈચ્છનારે આ જીવની વિરાધના કરી રહ્યો છું ?”-કલેજુ કંપશે, ચિત્ત પીગળશે. આ કશું લાવવું કરવું નથી પછી “સૌનું ભલું થાઓ સૌનું ભલું થાએ, એવી રટણ કેટલી કારગત થઈ શકે? પોપટપાઠ જેવું જ
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૮]
મૈત્રીભાવ સાથે ભરપુર હિંસા કેમ? :
બૌદ્ધ ધર્મવાળા એ કેન્દ્રિય જીને નથી ઓળખતા એથી એમને એની દયાને વિચાર ન આવે, પણ વિકસેન્દ્રિય જીવ-જંતુ અને પંચેંદ્રિય જીવનું તે ભાન એમને છે ને ? છતાં કેમ એમનામાં એ જીની છૂટથી હિંસા અને માંસાહાર ચાલે છે? સર્વ જીની મૈત્રીભાવના કરી સૌનું ભલું ઈચ્છનારા શા માટે એમનું આટલું બધું ભૂંડું કરી રહ્યા છે? એના જવાબમાં કહેવું જ પડશે કે મૈત્રીને મુખ્ય ભાવ, “જી પ્રત્યે પિતાનાથી થતા અને થયેલા અપરાધ બદલ ક્ષમાયાચના-પૂર્વક ઉપશમભાવ તથા સ્નેહભાવ.” જે જાગતો કરે જોઈએ તે એ સમજતા નથી, અને માત્ર ઉપરથી સર્વે સુખી થાઓ, સૌનું ભલું થાઓ.” એટલી જ મૈત્રીભાવના સમજે છે. શું વીતરાગ અરિહંત પરમાત્માનું શાસન પામેલા પણ આ જ સ્થિતિમાં હોય?
જૈન શાસ્ત્રવચને શું કહે છે? –
ઉવસમસાર ખુ સામણું “ધમ્મસ્સ....ઉવસમપભવસ સવે જવા કમ્મરસ ચઉદહ રાજ ભમંત; તે મે સવવ ખમાવિએ.” “હેણ વા સવ જીવેસ..જે કિંચિ વિતહમાયરિય... મિચ્છા મિ દુક્કડં'-આવાં બધાં શાસ્ત્ર વચને જૈન ધર્મમાં મુખ્યતા ઉપશમની સૂચવે છે; સર્વ જીવોને ખમાવવાની અને જીવહિંસાનાં દુષ્કૃત્યના પશ્ચાત્તાપની મુખ્યતા સૂચવે છે. પાયામાં એ મૈત્રીભાવ ન હોય અને ખાલી “સૌનું ભલું થાઓ” એવી મૈત્રી ભાવના બેલવા માત્રની હોય તે સ્વાર્થ માટેની જીવહિંસા ખુશમિશાલ ચાલુ રહેશે અને સાથે “સૌનું ભલું થાઓ' રટાતું રહેશે. બૌદ્ધોની એ દશા છે. શું જેના પાસે મૂળભૂત પાયાની
Page #292
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૩]
[૨૭૯ ચીજ નથી તે એમ જ બૌદ્ધોનું અજ્ઞાન અનુકરણ અને રટણ કર્યા કરે? આજના કેઈક સાક્ષર મૈત્રી કરુણની વાત બૌદ્ધોમાંથી જેનોમાં આવી એમ કહે છે! કેમ જાણે જેને પહેલાં એ સમજતા જ નહતા ! પરંતુ એ સાક્ષરોને “મિત્તી મે સવભૂસુ” સમ્યક્ત્વનું ચોથું લક્ષણ અનુકંપા વગેરેની કયાં ખબર છે? બેઢીને આ મૈત્રીક-રુણની ગમજ ક્યાં છે?
પાયામાં સ્વકૃત જીવહિંસાને પશ્ચાત્તાપ અને જીવો પ્રત્યે દયા જોઈશે એના પર જ સાચો મૈત્રીભાવ પ્રગટી શકશે. દુઃખીના દુઃખ જોઈ હૈયું પીગળે નહિ, એમાં ય બીજાને પોતે દીધેલા દુઃખ માટે સંતાપ-પશ્ચાત્તાપ થાય નહિ, ત્યાં હૃદય કઠેર છે, કમળ નહિ; અને કઈ પણ ગુણ પ્રગટવાની ભૂમિકારૂપ છે કોમળ હૃદય; એ કમળતાના અભાવે એ હૃદયમાં ગુણે શી રીતે વસી શકે? તેમ, વારંવાર દયાની ભાવના કર્યા વિના પ્રસંગે પ્રસંગે દયાની લાગણી શી રીતે પ્રગટે? આ સ્થિતિ ન હોવાના લીધે જ, પિતાને સ્વાર્થ ઘવાયે લાગતાં, કે પિતાના મન વિરુદ્ધ બન્યું દેખતાં, ઝટ બીજા પર દ્વેષ ઊભરાઈ આવે છે. દિવસમાં કેણ જાણે કેટલીય વાર આ ઠેષ થયા કરતા હશે ? ત્યાં દયાને કયાં જગા રહે ? માટે જે પાયાની દયાને ખપ હોય, તે વારંવાર પૂર્વે બતાવ્યા પ્રમાણે જીવાહિંસાને પશ્ચાત્તાપ અને દયાની ભાવના વારંવાર કરવી જોઈએ.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૪, અનશનનું મહત્ત્વ
પેલે રાજકુમાર, હિરણ્યકરટી નગરના ઉપર દુશ્મનની ફેજ તૂટી પડવા પ્રસંગે રાજાના ભાગી જવા છતાં, પોતે હિંમતથી ઊભે છે. નગર બહાર જવું છે ખરું, પરંતુ કેઈને ય માર્યા વિના; વગર લડાઈએ સીધા નગર વચ્ચેથી ચાલીને જવું છે. એટલે એને વિચાર આવે છે કે “અહિંસા ધર્મને સમજનાર એવા મારે કેઈને પ્રહાર કરે નથી, તે શું કરવું? શું ત્યારે હું સાગાર અનશન જ કરી અહીં ધ્યાનમાં ઊભે રહી જઉં ?
પાપને ભીરુ છે અને પાપ વિનાને માર્ગ કાઢે છે તેથી ચારે આહારને ત્યાગ કરીને ત્યાં જ ઊભા રહી જવાને વિચાર કરે છે, પરંતુ આ અનશન સાગાર યાને શરતીય; શરત આ કે
જ્યાં સુધી પ્રસ્તુત ઉપદ્રવમાંથી મુકત ન થવાય ત્યાંસુધી ચારે આહાર ત્યાગ, અનશન. ઉપદ્રવમાં કાળ કરી જાય કે ઉપદ્રવથી મુક્ત થાય એટલે અનશન પૂર્ણ. હવે અહીં સામે ભય તે મોટો છે, કદાચ મૃત્યુ પણ થઈ જાય! એટલે સમજીને જ ચાલવું પડે કે મરણેય આવી જાય. તે શી ફિકર? મૃત્યુ અનશનમાં થાય એ ઉત્તમ મરણ કહેવાય, અલબત્ ચિત્તની સમાધિ જાળવવી પડે. પણ પુદગલની મમતાને પ્રતિજ્ઞા સાથે છેડી એટલે સમાધિને સારે અવકાશ મળે, મમતા ઊભી રાખી હોય તે સમાધિ મુશ્કેલ પડે. બાકી અનશનથી મૃત્યુ સુધરે છે. માટે તે સાગાર
Page #294
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪]
ડિ૨૯૧ અનશન કરીને નાવમાં બેસવાની વિધિ બાંધી. કેમ વારૂ ? નથી ને કદાચ અચાનક નાવ ઊથલી પડીને મૃત્યુ સામે આવીને ઊભું, તે અનશનમાં જ કરવાનું થાય, ને ઉત્તમ સદગતિદાયી મરણ થાય.
સાગાર અનશન-મુઠ્ઠિસહિય” પચ્ચકખાણું – | શ્રાવકે પણ અંત વખતે આ ધ્યાન રાખવાનું છે કે સાગાર અનશન ઉચ્ચારી લેવાય. પછી ભલે “અહીં જીવતાં બે કલાક માટે અગર પથારીમાંથી બેઠે ન થાઉં ત્યાં સુધી” ઈત્યાદિ કેઈરૂપે અનશન કરાય, અનશનને મહિમા ઘણે છે. મહાત્માઓ ઉપસર્ગ આવી લાગતાં, પહેલું કામ અનશનનું કરે છે; કેમકે એમાં સગતિનું પ્રયાણ નક્કી થાય છે. વિચારજો સગતિને સુલભ કરી આપે એવા અનશનને પ્રભાવ કેટલો ? આ પ્રભાવ જે ધ્યાનમાં રહે તે જૈનશાસને જ ખાસ બતાવેલ આ જરૂર કરાય કે મુસિહિયં પચ્ચખાણુનો રેજીદો પ્રવેગ જીવનમાં ચાલુ જ રહે. એમાં ત્યાગનું કષ્ટ કેટલું? કશું ય નહિ. જ્યારે તમે ખાતા પીતા નથી એટલે સમય એમ ને એમ જવા દેવાને બદલે મુઠ્ઠિસહિયં પચ્ચખાણમાં પસાર થવા દેવાને. કરવાનું શું ? ખાઈ પી લીધું એટલે તરત “મુહિસહિયં પચ્ચક્ખામિ અન્નત્થણાભેગેણુ સહસાગારેણું મહત્તરાગારેણું સવસમાહિ-વત્તિયાગારેણું વિસિરામિ આ પચ્ચકખાણ અર્થાત્ મૂઠી વાળીને નવકાર ન ગણું ત્યાં સુધી મારે આ પચ્ચક્ખાણ કે અશન-પાન ખાદિમસ્વાદિમને સિરાવું છું એટલે કે મેંમાં ન ઘાલું, સિવાય કે અનાગ (અજાણપણું), સહસાકાર, અતિ મેટું કારણ, અને સર્વ સમાધિના નિમિત્તે મેંમાં પડવાનું અને -આવું પચ્ચકખાણુ
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૨ ]
[ કુમી
કરવાનું. પચ્ચક્ખાણ ખેલતાં ન આવડે ત્યાંસુધી નવકાર ગણી ‘મારે મુર્ફિંસહિય‘પચ્ચક્ખાણ' એમ હાથ જોડીને યા મૂડી વાળીને ધારી શકાય.
ખસ, હવે પચ્ચક્ખાણુમાં આવ્યા એટલે મહાન કનિજ રા અને પુણ્યેાપાનના પ્રવાહ ચાલુ થયા. કેવી સુંદર સાધના ! હાથ જોડચા કે કાર્ય ચાલુ થઈ ગયું. આવા મુર્ત્તિસહિય પચ્ચક્ખાણુમાં શું કાંઇ બહુ મોટો ત્યાગ કરવાના છે કે ન મને ! જ્યારે પાછું ખાવું કે પીવુ' હેાય ત્યારે મૂઠી વાળીને નવકાર ગણી પચ્ચક્ખાણ પારી શકાય છે. એમાં સમયનુ` માપ નથી કે એ પચ્ચક્ખાણ કર્યાં પછી કલાકે જ પરાય, પણ પહેલાં નહિ, ના એવુ કશુ' જ નહિ. જ્યારે ઈચ્છા થાય ત્યારે પારી શકાય છે, માટે આને ‘સંકેત ' પચ્ચક્ખાણુ કહે છે. નવકારશી—પેારિસી વગેરેને ‘ અદ્ધા ’ પચ્ચક્ખાણ કહેવાય. અદ્ધા એટલે કાળ; આમાં કાળમાન છે; મુøિસહિય' વગેરેમાં નહિ. છ કલાક સુધી ન પારી તા છએ કલાક પચ્ચક્ખાણુમાં, એટલે કે અનશનમાં ગણા. કાંઈ કઠિન ત્યાગ કે મહેનત કશી નથી, ને મે।ક્ષના અણુાહારી પદને અભ્યાસ મળે છે, સસ્તુ ભાડું ને સિદ્ધપુરીની ટિકિટ. અહી કેટલાકને ડર લાગે છે કે
,
પ્ર—સસ્તું તેા ખરૂ, પણ પારવાનું ભૂલી જવાય તે ઈંડ આવે ને?
ઉ૦-એટલે દંડના ભયથી મેાટી કમાણીના વેપાર જ નહિં કરવાના ? ‘કલાકોના કલાકેા અનશનના લાભ મળે એ કેટલે બધે લખલૂંટ લાભ છે ?’ એની કલ્પના નથી, એનુ ભાન નથી, એટલે
+
;
Page #296
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૪]
[૨૮૩ જ “ભૂલી જવાય તે? એ હાઉ સામે રાખી રાખીને મહા લાભથી વંચિત રહેવાય છે. પાછું એનું દુખ પણ નથી થતું કે હું કાયર આ કેટલે ગજબનો લાભ અને વ્રતનો અભ્યાસ ગુમાવી રહ્યો છું ? આવું દુઃખ પણ જે વારંવાર થાય તે હિંમત આવે કે લાવ ને ત્યારે અભ્યાસ કરવા માંડું. બે ચાર વાર ભૂલાશે તે દંડ ભરીશ. પણ દંડ ભરતાં પછી ટેવ પડી જશે એટલે ભૂલવાનું બંધ.
ભૂલી જવાય તે ? એવા ડરથી મહા લાભના કારણભૂત મુદ્ધિસહિયં પચ્ચખાણને છેડાય? એનાથી આઘા રહેવાય ? દાદર ઊતરતાં પગથિયું ભૂલાશે તે નીચે પડી હાડકાં ખરાં થશે માટે દાદર ઊતરવાનું માંડી વાળો છો ? એમ વેપારમાં ખોટ જાય છે? એવા ભયથી વેપાર નથી કરતા ? મહાન આત્મકલ્યાણની વસ્તુ માટે જ ડર રાખવાને ? કહે કે આત્મ-કલ્યાણની તેવી ભૂખ. નથી. નહિતર તે રસ્તે બધે ય છે. પહેલા પહેલાં ભલે પચખાણ ન કરવું કે ન ધારવું, કિંતુ એ અભ્યાસ પાડી શકાય કે, ખાવું પીવું હોય ત્યારે પહેલાં મૂઠી વાળીને નવકાર ગણી લે, અને એ જે ભૂલાય તે પછી યાદ આવે ત્યારે દસ નવકાર ગણી. લેવા. બસ આ રીતે પહેલાં ટેવ પાડવા માંડે, પછી ટેવ પડી ગઈ એટલે રીતસર પચ્ચક્ખાણ કરવાનું શરૂ કરી શકાય.
ખાવાની લત કેમ ભયંકર
અનશનનો લાભ સમજે-વિચારે, એટલે આવા કામચલાઉ અનશનમાં રહેવાની તમન્ના રહેશે. જીવને અનાદિ કાળથી આહારની માયા લાગેલી છે. માટે તે નાનું બાળક હાથમાં જે
Page #297
--------------------------------------------------------------------------
________________
૩૮૪]
રુમી
આવે તેને માંમાં ચૂસવા મથે છે. કયાંથી શીખ્યુ એ ? અનાદિના અભ્યાસ છે. સમસ્ત જીવરાશિ જુએ, ખાવાની લતમાં પડેલ છે. એમાં નથી ને જીવ ને શિકારી પશુ થયા તા એને જીવતા પચેન્દ્રિય પ્રાણીએ જ ખાવા જોઈ એ છે ! આવી ભયંકર ખાવાની લત શે છૂટવાની ? અનશનના અભ્યાસ એ લતની ઉપર કાપ પાડી શકે છે. એવા અભ્યાસ મુÎિસહિય' પચ્ચક્ખાણુમાં સહેલાઈથી પડે. ખાકી તા એયાસણ, એકાસણુ, ઉપવાસ, વગેરે તપસ્યા દ્વારા પણ અનશનના અભ્યાસ પાડતા રહેવુ જોઈએ. એ તપ કરતાં આ ખુશી માનવાની કે ‘ચાલે આજે ઠીક થયું, અમુક પ્રમાણમાં અનશનના લાભ મળ્યા.’
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૫. રાજકુમારની શોલપરીક્ષા : કુશીલ કેટલા ?
રાજકુમાર એ વિચારી રહ્યો છે કે ‘ત્યારે હું સાગાર અન શન કરી દઉ ? પરંતુ પાછુ મનને એમ થાય છે કે ‘ઊભે રહે, અત્યારથી અનશન અને મૃત્યુ શા માટે, જો ચારિત્ર જીવન પામી અનેકાનેક સાધનાઓથી કર્માંના ગજના ગંજ ખાળીને ભસ્મ કરી શકાય એમ છે? તે એવા જ કેાઈ માર્ગ કાઢવા કે જેથી આ ઉપદ્રવમાંથી અખંડ ક્ષેમકુશળ બહાર નીકળી શકાય.’ એ સમજે' છે કે સયમની અલિહારી છે.
સયંમ જીવનનું મહત્વઃ-સંયમ જીવનમાં એવી અનેક પ્રકારની રાજની સાધનાઓ છે, તેમજ એવા મનારમ સ્વાધ્યાય ધ્યાન છે કે જીવ એમાં કાયાની પણુ મૂર્છા મૂકી મનને એક તાન કરી શકે છે, અને એથી અસંખ્ય જનમનાં સ`ચિત કર્માંનાં ઝુંડ ખરી પડે છે. જ્ઞાન અને ક્રિયાયેાગની સાધનામાંતન-મન લયલીન બન્યાવિના મેનિા વિશિષ્ટવિશ્ર્વ'સ થવા અશક્ય છે. આ સાધના પણ દીર્ઘ કાળની સાધના જોઇએ. રાજકુમાર એને વિચાર કરીને એકદમ જ સાગાર અનશન કરી દેતાં અચકાય છે, એટલે બીજો ઉપાય શેાધે છે.
શીલની પરીક્ષાના સફે૯૫ ઃ—
એના વિચાર બતાવતાં ભગવાન મહાવીર પરમાત્મા ગૌતમ. ગણધરને કહે છે,
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૬]
[કમી હે ગૌતમ? એ રાજકુમાર વિચારે છે કે જ્યારે દષ્ટિમાત્રથી કુશીલ બનેલ આત્માનું નામ લેવામાં આટલું મોટું તેફાન જોયું છે, તે પછી હવે અહી સમ્યફ શીલની પણ પરીક્ષા કરું.' આમ વિચાર કરીને હે ગૌતમ ! તે કુમાર બેલવા લાગ્યું કે,
જે હું વચનથી પણ કુશીલ બને હોઉં, તે હું આ રાજધાનીમાંથી ક્ષેમકુશળ અણહણ ન નીકળું. પણ જે હું મન વચન-કાયાથી સર્વ પ્રકારે શીલસંપન્ન હાઉં, તે મારા પર આ અતિ તીક્ષણ અને પ્રાણઘાતક પણ ભયંકર શસ્ત્ર-સમૂહ ઘા ન કર.”
બસ, આટલું બોલી રાજમહેલના દરવાજેથી “નમે અરિહંતાણું” કહેતેક બહાર નીકળે. .
ઉપાય કેટલે સરસ શોધી કાઢયો? પણ એ મહાન ધમત્મા અને અટલ શ્રદ્ધા–સંપન્ન જ કરી શકે. કુમારને પોતાના શીલ પર શ્રદ્ધા કેટલી હશે ત્યારે આ સાહસ કરી શકે છે? એ શ્રદ્ધા પાછળ એણે શીલનું પાલન કેવું અત્યંત નિર્મળ કર્યું હશે? એ પાલન પણ મનથી વચનથી અને કાયાથી. તે જ આટલી શ્રદ્ધા ધરી શકે ને ? પાછું એમાં એ પણ તૈયારી છે કે કદાચ કયાંક કયારેક સ્કૂલના થઈ હોય તે ભલે શસ્ત્રના ઘા વડે મરી જવાનું થાય, વાંધો નથી. કુશીલથી જીવવા કરતાં મરવું સારૂં” એમ એને લાગે છે.
કાયાથી કુશીલ નહિ એટલે? –
અહીં જરા સમજવા જેવું છે કે કાયાથી લેશમાત્ર કુશીલ નહિ એટલે શું? એ જ કે પરસ્ત્રી-વિધવા–વેશ્યા કે કુમારિકા
Page #300
--------------------------------------------------------------------------
________________
--
--
પ્રકરણ ૨૫ ]
[ ૨૭ પર કામની દૃષ્ટિ પણ ન પડે. એનાં ગુપ્તાંગ તે શું, પણ ઉઘાડા અંગ અરે ! પગના એક આંગળા ઉપર પણ રાગભારી નજર પણ નહિ નાખવાની. જ્યારે દષ્ટિ ય નહિ, તે અડવાની તે વાતે ય શી? આજ મોટર બસ પર ચડતાં ચાલે છે ને ? Siteer lift!” પણ જે જે “Mother lift” નહિ. યુવતીને અસ ઉપર ચડાવવા હાથને ટેકે અપાય છે, બુદ્ધીને નહિ. શું છે આ! કામનો ચાળે, સ્પર્શની કુશીલતા. મુંબઈ-સુરત-અમદાવાદ જેવા શહેરોમાં આજે યુવકે ચક્ષુકુશીલતામાં કેટલા ય મરી રહ્યા છે! જ્યાં ને ત્યાં પરનારી પર દષ્ટિ નાખવા જોઈએ છે. એમાં વળી જૈસે કે ઐસા મિલા જે ઘાટ છે. કુમારિકા અને યુવતીઓ ને અરે ! હવે તે પ્રૌઢ સ્ત્રીઓને પણ પોતાનાં રૂપમાં પોતાનાં અંગોપાંગનાં દર્શન કરાવવા જોઈએ છે, એ એમનાં વેશપરિધાન, ઉઘાડાં માથાં, લટકતા કેશલ્લાપ, અર્ધ ખુલ્લી છાતીએ વગેરે ચાળા પરથી સમજી શકાય છે. નહિતર આ ચાળે શાને કરવાને હોય? અંતરમાં એક બાજુ કામવા-સના અને બીજી બાજુ સામા જીવેની કેવી ભારે કતલ થશે એ તરફ સરાસર બેપરવાઈ અને કઠોરતા રમી રહી હોય એટલે ઉદુભટ વેશ, ઉદભટ ચાલ અને મર્યાદાહીન આચરણ ચાલી પડે છે.
કાયકુશીલમાં આજે વળી તેવાં ચિત્રપટ-દર્શન, એવી બિભત્સ નોવેલ-નવલિકા-વાંચન, એવાં રેડિયેનાં ગીતશ્રવણ, એવાં પત્રલેખન, એવાં લેખનાં આલેખન, વગેરે પણ ગણાવી શકાય. આ બધાં કાયાની કુશીલતાનાં તોફાન છે.
કાયાથી કુશીલ સેવન ન જ ખપતું હોય એણે આ બધાથી દેઢ ગાઉ દૂર રહેવું જોઈએ. આજના- મેહઘેલા સંસારમાં
Page #301
--------------------------------------------------------------------------
________________
૮]
[ફી:
અહુ સાવધાન અને ગંભીર રહેવા જેવુ છે. આંખના કામવિકાર રાકવા વિજાતીય પ્રત્યે કટાક્ષ પણ ન કરાય; કે હાથના એક ચાળે! પણ એવા ન ખતાવાય. એ ખતાવનાર પણ કાય—કુશીલ ગણાય. વિજાતીય એટલે સ્ત્રીને માટે પરપુરુષ, ને પુરુષને માટે પરસ્ત્રી, એની સામે આંખ કે હાથના ચાળા ન કરાય.
મનને સમજાવી દેવુ જોઈએ હવે એ કરવાના દિવસે અયા. આ તે આ મનુષ્ય-જીવન છે. એમાં પશુચેષ્ટા કે અનાય માનવચેષ્ટા ન હેાય. શુ'. સસરે છેકરાની વહુ સામે એવુ' કરે ? શાણા તે। ન જ કરે. મનને એણે સમજી મૂકયું હાય છે કે ‘હુ વડેરા ગણા, મને એવું કરવુ' ન છાજે.’અરે ! પેાતાની પત્ની સામે પણ પુત્રવધુના દેખતાં એવું ન કરે તે પુત્રવધુની સામે તા કરવાની વાતે ય શી ? અમને એક ગૃહસ્થ મળેલા. તે કહેતા હતા કે કે ‘ગુરુજી ! માણસ જો આ હિંસામ માંડી રાખે કે જગતની મેાટી ઉંમરની સ્રીઓ એ પેાતાની માતા, સમાન મરવાળી એ સગી મેનેા અને નાની ઉંમરની પુત્રવધૂઓ, તથા કુમારિકાઓ એ દીકરીઓ, તેા પછી એમાંથી કેાની તરફ અને કામવિકારી દૃષ્ટિ નાખવાનું મન થાય ? હું તે આ ગણતરીએ અણુ છુ.'
લક્ષ્મણજીના વ્યવહાર ઃ—
પરસ્ત્રી સાથે હાસ્ય, હાહા—હીહી એ પણ કાયકુશીલતામાં તાણી જાય છે. શું માનો છે, લક્ષ્મણજી અને સીતાજીનો પરસ્પર વ્યવહાર કેવેક હશે ? ચૌદ ચૌદ વરસ વનવાસમાં ગાળ્યા,
Page #302
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫]
[૨૮ પણ કઈ દિ એવા ગિલગિલિયાં જ નહિ. રામ બહાર ગયા હોય અને સીતા-લક્ષ્મણ એકલા રહ્યા હોય ત્યાં સીતા ઝુંપડીમાં અને લક્ષ્મણ બહાર છતાં સીતાને મન એ એકાંતવાસને મુંઝા નહિ કે દિયરિયા સાથે મીઠી વાતો યા હાસ્યમજાક જેવું ય કરવાનું દિલ થાય. તેમ લક્ષ્મણજીને ય લેશ પણ એવી કઈ પાશવી ખણજ જ નહિ. સીતા એટલે જાણે સગી મા. માટે તે સાંભળીએ છીએ ને કે સીતાને રાવણ ઊઠાવી ગયા પછી રામ-લક્ષમણ એને શેધવા નીકળે છે ત્યાં રસ્તામાં પડેલું કુંડળ બતાવી રામ લક્ષ્મણને પૂછે છે કે “જે ભાઈ આ કુંડળ તારી ભાભીનું હોય ત્યારે લક્ષ્મણ કહે છે,
कुंडले नव जानामि न च जानामि कड़-कणे । . नुपूरे त्वभिजानामि नित्यं पादाब्जवंदनात् ॥
–હું સીતાદેવીના કુંડળને ઓળખતે નથી; (કેમકે એમના મેં સામે કદી જોયું નથી.) તેમ હું એમના કંકણને પણ પિછાણુતે નથી, (કેમકે એમના હાથ પણ ધારીને નિરખ્યા નથી.) હા, એમના પગનાં ઝાંઝરને તે ઓળખું છું, કેમકે એમના ચરણકમળે રેજ પ્રણામ કરતો. (તેથી એ દેખાઈ જતા.)
કેવું જીવન ! ત્યારે શું સીતાજીએ દિવ્ય કર્યું તે ભડભડતી ૩૦૦ હાથની અગ્નિની ખાઈ ત્રિકરણશુદ્ધ શીલના પ્રભાવ વિના એમજ તક્ષણ જળવાવડી બની ગઈ હશે ! કેવા શીલના પ્રભાવે એ ચમત્કાર ? ફાસકુસિયા શીલના પ્રભાવે કે કડક શીલના..?
અનાદિ વાસનાવશ એવી કુશીલની ખણજો મનમાં ઊઠે, પણ એકને ય બહાર કાયા, ઈન્દ્રિય, હાથપગ કે વાણીમાં નહિ ૧૯
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૯૦]
[કમી ઊતરવા દેવાની. કુશીલની ખણુજ પર એ સખ્તમાં સખ્ત પ્રતિબંધ અંકુશ રાખે જઈએ ત્યારે દીર્ઘ કાળે એ ખણ ને વાસનાઓ ઘસારે પડે છે.
સહેલું કામ નથી હૈ. ગંભીર, તૃપ્ત, અને સૌમ્ય બનવા માટે સેંકડે હજાર વાર પ્રલેભનો સામે ઝઝુમવું પડે છે, કુટિલ પણને ગુંગળાવી નાખવી જોઈએ છે, અનુચિત આતુરતાઓ અને આવેશેને દાબવા-અટકાવવા અને નિષ્ફળ કરવા પડે છે. ત્યારે ગાંભીર્ય, તૃપ્તિ અને સૌમ્યતા સિદ્ધ થાય છે. પછી કેઈ પૂર્વજન્મમાં એ જહેમત ઉઠાવીને આવ્યા હોય તે એને અહીં બાળપણથી એ ત્રિપુટી સહજ જેવી બની જાય એ જુદી વાત. બાકી જે આપણે આપણી જાતમાં દેખતા હોઈએ કે ગંભીરતા નથી, પણ તુચ્છતા-છીછરાપણું–ઉછાંછળાપણું છે, તૃપ્તતા નથી પણ અધીરાઈ-ભૂખારવાપણું-અસંતોષ રહ્યા કરે છે, સૌમ્યતા નથી, કિન્તુ ઉકળાટ-વિહવળતા-વ્યાકુળતા વગેરે છે, તે એને ડારવા-દબાવવા માટે હજાર વાર પેલી નાલાયક તુચ્છતા-ખણભૂખ-આતુરતા-આવેશ વગેરેને નિષ્ફળ કરવા જોઈએ છે. એ ખણ જેને વિચારણામાં, કાયિક વિકાર–ચેષ્ટા-પ્રવૃત્તિમાં કે વાણીમાં ઊતરવા જ નહિ દેવાના. મનમાં ને મનમાં જ એવા શમાવી દેવાના કે બહારનાને ખબર જ ન પડે કે આને કોઈ એ ભાવ ઊઠતે હશે; તેમ પિતાની વિચાર ધારામાં ય એ ભાવ ન ચાલે.
વચનની કુશીલતા ટાળવા આ કરવાનું છે કે કામવિકારી વચન ન બલવા, એવી સ્ત્રીકથા ન કરાય છે જેમાં સ્વ કે પરને ઉન્માદ જાગે, વાસના સમસમે. એમ, વિકારપષક હાસ્ય-મજાકઠાનાં વેણ ન ઉચ્ચારાય. અરે ! પરસ્ત્રીને વેણથી એટલું પણ
Page #304
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫]
[૨૯
કહેવું કે “અમને તમારા ઉપર પ્રેમ થાય છે, એ પણ વચનકુશીલતામાં જાય. બાકી “અમુક સ્ત્રી આવી ગેરી ગુલાબી, એની આંખે કામણગારી, વગેરે બેલવું એ પણ કુશીલતાને પિષનારૂં બને છે.
વિચાર આજની રીતરસમે. મેટી ઉંમરના થયેલા છેકરા છોકરી પરસ્પર હસા-મશ્કરી કરે, સિનેમા-એકટર-એકટ્રેસની વાતો કરે, પ્રેમનાં ટાયલાં કરે, એ બધું કેવું વચનકુરશીલતામાં જાય? સાથે ભણતા હોય, એક બીજાને ત્યાં લેસનની નેટ લેવા કરવાના બહાને જાય, કેટલે દિ ઉઠાડે? આવી ને આવી કુશીલતા પિષતાં જૈનની કરી ખિસ્તીને પરણી જાય છે ને ? કે ઈતર ધમીને પણ પરણી બેસે છે ને ? આ બધું જાણવા છતાં એમજ ચલાવ્યે રાખે છે ને ? કેઈ ઊંડે વિચાર ખરો ? જોતાં દુઃખ થાય એવું છે કે નખરાં કરતા અને યુરોપિયન ફેશન સજતા કરા-છોકરી આજના મા-બાપને ગમે છે ! બહુ વિચારવા જેવું છે. ભાવી સંઘ કે તૈયાર કરશે એની કલ્પના આવે છે? પૂર્વ પુરુષેએ તમારા સુધી પહોંચાડેલું શાસન આવી પ્રજાના પનારે મૂકી નિસ્તેજ, સંકૂચિત અને કરમાયેલું થવા દેશે કે બીજું કાંઈ?
વચન-કુશીલતાને રોકવા માટે પહેલો અંકુશ પોતાની જાત પર અને બીજો અંકુશ પિતાની પ્રજા પર રાખવો જોઈશે. સમજવું અને સમજાવવું જોઈશે કે
માતાને વેશ્યા ન કરાય :
વાણુની અદ્ભુત શક્તિ મળી છે. એ વાણી તે માતા સરસ્વતી છે. એને કામઘેલા વિકારી ઉન્માદપષક વિષયથી
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૨]
[કમી અભડાવાય નહિ. પોતાની માને વેશ્યા કેણ કરે? આપણી વાણીના માલિક તે જે પરમાત્મા જ રહે તે એ સતી; અને એમના બદલે જેને તેને માલિક કરીએ, જે તે વિષયે એને ભેગવે, તે એ વેશ્યા બની જાય. બસ, મનમાં આ જડી રાખે, આ વારંવાર ભાવનામાં લાવે કે, “મારી મા વાણીને મલિન વિષયથી વેશ્યા નહિ બનાવું. એના માલિક તે પરમાત્માને જ રાખીશ, એને સંબંધ પરમાત્માની સાથે જ રાખીશ. કેવું બેલિવું ? –
આ જે ટેક બરાબર પળાય અને વચનપ્રગમાં (૧) પવિત્ર જ વાણું બેલાય, (૨) વિવેકી શબ્દ જ ઉચ્ચારાય, (૩) ઔચિત્યભર્યા જ વેણ કઢાય,
() સૌમ્ય શૈલીથી જ અને સામાના હૃદયને ગુણમાં પ્રેત્સાહન કરે એવું જ બોલવાનું રખાય,
તે એની આપણું પોતાના મન પર પણ સારી અસર પડે છે. એ વિચારે ઉમદા રખાવે છે. શબ્દોની વિચારણું પર અસર :
માનસશાસ્ત્રીએ ય કહે છે કે શબ્દની વિચારણા પર અસર પડે છે. અલબત્ વિચાર તેવી વાણું નીકળે; યાને વિચારની વાણુ પર અસર પડે છે. પરંતુ વાતચીત જેવા ઢંગથી જેવો શબ્દોમાં કરાશે તે પ્રમાણે નવા વિચાર સ્ફરશે અને મન તેવું ઘડાશે. એ હિસાબે શબ્દની વિચાર પર અસર છે. શબ્દો નિરાશાત્મક બલવાથી વિચારણા નિરાશાભરી બને છે. એમ માત્ર કષાયપષક કે કુશીલપોષક શબ્દોથી પોતાની અને સામાની પણ વિચારણા બગડે એ સહજ છે. એ બગડ
Page #306
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫]
[૨૯૪ વાથી મનમાં બગાડે ઊભો થવાને. એવું ને એવું ચાલુ રહેવાથી,પછી આત્માનું વલણ પણ તેવું બગાડાભર્યું બને એ સહજ છે.માટે વચનની કુશીલતા રોકવાને પણ ધરખમ પ્રયત્ન જરૂરી છે. સ્ત્રીઓના રૂપરંગ, હાવભાવ, રીતિનીતિ વગેરેની વાતમાં નહિ પડવું જોઈએ. શૃંગાર અને વિલાસના પ્રકારની વાત પણ નહિ કરવી. ટૂંકામાં વાસનાવિકારને સહેજ પણ ઉદીરે, ઉત્તેજે, એવું વચન નહિ કાઢવું. આ વચનકુશીલતા અટકાવવાની વાત ચાલે છે. બાકી તે ધર્માત્મા બનવું હોય એણે રાજકથા-દેશકથા-સ્ત્રીકથા-ભેજનકથા કે પૈસાટકાની બહુ વાતેમાં ય નહિ પડવું જોઈએ.
મનની કુશીલતામાં પરસ્ત્રી પ્રત્યેના કામેન્માદના વિચાર આવે, કામવાસનાના પોષણની યેજનાનું ચિંતન આવે. પરસ્ત્રીના રૂપરંગના વિચાર, હાવભાવનું ચિંતન, એની સાથેના ભેગવિલાસના વિચાર, આ બધું મનની કુશીલતામાં ગણાય. મનની કુશીલતા થવા ઉપર પ્રસંગે વાણીમાં કુશીલતા અને કાયામાં કુશીલતા આવી જાય છે.
મનને બહુ સાચવવા જેવું છે. કાયા અને વચન પર અંકુશ રાખવાથી મને રક્ષા સારી થાય છે. એમાં કાયાથી તેવાં શંગારી વિલાસી ચિત્ર, પ્રસંગ, વગેરે જેવા નહિ, તેમ શૃંગારી વિલાસી વાંચન ન કરવાં, શ્રવણ નહિ કરવાં,... ઈત્યાદિ પાકે અંકુશ રાખવાથી મન ઘણું પ્રમાણમાં બચી શકે છે. આમ છતાં માનસિક વિચારણાનું એક સ્વતંત્ર ખાતું છે. એટલે એના પર પણ ખાસ અંકુશની જરૂર છે. મનમાં બેઠે ચા વાળે, સ્ત્રીઓના ગાત્ર, વાણું, ગાયનગીત, પ્રેમાલાપ, હાવભાવ વગેરે યાદ કરે, વિચારે, તે મવની વિચારણા બગડે છે, મન કુશીલ થાય છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
૪]
[ સ્કુમી કુશીલ વિચારથી કેમ બચાય ? :
કુશીલ વિચાર ખતરનાક છે. મનને એથી બચાવી લેવા માટે બીજી જ લાઈનની સારી વિચારસરણ રાખ્યા કરવી જોઈએ. એની સારી ટેવ જ પડી હશે તે જ મન એમાં રોકાયું કુશીલા વિચારથી બચશે. સારી વિચારણામાં (૧) તીર્થોનાં તીર્થયાત્રાનાં
મરણ, (૨) તીર્થકરદે ને મહાપુરુષોનાં જીવનપ્રસંગેનાં સ્મરણ -ચિંતન, (૩) નવ તત્વની કે કર્મ-સિદ્ધાન્તની વિચારણ, (૪) ૧૨ ભાવના, (૫) નવકાર જા૫; વગેરે ચિત્તથી ચાલુ રખાય. અલબત્ મન ભારે ચંચળ છે, એટલે આમાંથી ખસવા જાય, પરંતુ આત્માના દઢ સંકલ્પ સાથે આને વારંવાર પ્રયત્ન મનની સ્થિરતા વધારે છે. આને ઉદ્યોગ ચાલુ રહેવું જોઈએ, અને આની અત્યંત જરૂર પણ છે, કેમકે કુશીલ વિચારોથી મનને બચાવવું છે. નહિતર સમજી રાખવું કે મનની કુશીલતાની સીધી અસર કર્મબંધ પર પડે છે, અને તે ભારે અશુભ કર્મના જ બંધ પડવાના. કહે છે ને કે–
મનને પાપે રે મત્સ્ય તંદુલિયે, જુઓ મરી સાતમી (નરકે) જાય, ચતુર નર !
–શ્રી જિનવાણું હે ભવિયણ ચિત્ત ધરે.” રૂપસેન બિચારે રાજા પુત્રી સુનંદામાં લેભા, વળ્યું કાંઈ નહિ, મનની કુશીલતામાં મરીને એના જ પાપે પછીના ભવે હલકા અવતાર અને કમેત મૃત્યુ પામતે ગયે ! એક મનુષ્ય ભવમાં પિષેલી મનની કુશીલતાને કેટલે ભયંકર અંજામ !
ચિત્ત અને સંભૂતિ મુનિમાંથી સંભૂતિમુનિ, નમસ્કાર કરતી ચકવતની પટ્ટરાણીના કેશને કલાપે જરાક પગે સ્પ એમાં,
Page #308
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૫]
[ રહ્યું મનની જરાક કુશીલતામાં પડયા, તે સંયમ–ભાવના ગુમાવી ! નિયાણું કર્યું ! બ્રહ્મદત્ત ચક્રવતી થઈ અતિશય ભેગલુબ્ધ બની સાતમી નરકે ગયા ! કુશીલતા એક ચેપી રેગી જેવી છે.
એમાં ય મનની કુશીલતા ભારે ચેપ છે. જરાક એને મચક આપો એટલે પછી એનું લાંબું પૂછડું ચાલ્યું જ સમજે. એમાં વળવાનું કાંઈ નહિ, ને માર ભારે ખાવાને.
કવિ પ્રભુ આગળ ગાય છે... - નરભવ દોહિલે રે, પામી હવશ પડિયે. પરસ્ત્રી દેખીને રે મુજ મન તિહાં જઈ અડિયો. કાજ ન કે સર્યા રે, પાપે પિંડ મેં ભરિયે, શુધ બુધ નવિ રહી છે, તેણે નવિ આતમ તરિયે.”
કુશીલતામાં ઘોર પાપ પાર્જન તે ખરાં જ; ઉપરાંત એના કુસંસ્કાર લઈ હલકા ભવોમાં જવાનું, ત્યાં કુશીલતાનું પાપ કેટે વળગવાનું ! આ દારુણ અંજામ છે.
પેલે રાજકુમાર પોતાના શીલની પરીક્ષા કરે છે. દુશ્મન સુભટોના “કાપો કાપો, મારે મારો’ના નાદની વચ્ચે સંકલ્પ કરે છે કે “જે વચનથી પણ કુશીલ સેવ્યું હોય તે દુશ્મનનાં શસ્ત્ર મને હણી નાખજે; અને મનવચન-કાયાથી લેશ પણ કુશીલ ન સેવ્યું હોય તે શત્રુના શસ્ત્રને લેશ પણ ઘા મને પડશે નહિ.”
પોતાને ખાતરી છે કે પોતે જીવન વિશુદ્ધ જીવ્યે છે, મન, વચન અને કાયાથી જરાય અપવિત્ર ભાવ સે નથી, એટલે આ સંકલ્પ કરે છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૬ માનવની વિશિષ્ટ બુદ્ધિની
વિશિષ્ટતા શી?
પ્ર–પિતાની ખાતરીમાં ભૂલ ન થતી હોય ?
ઉ –ભૂલ થતી હોય તે જીવવાની જરૂર પણ નથી લાગતી. જીવન તે પવિત્ર જ કામનું, એમ એ કુમાર સમજે છે. આવા સુંદર બુદ્ધિ-શક્તિવાળા ઉચ્ચ જીવનમાં જે પવિત્રતા ન જળવાય તે પછી ક્યાં જળવાવાની? બુદ્ધિથી વિચારતાં જે એમાં અપવિત્રતા આચરાય તે પછી મૂઢ જનાવરના અવતાર કરતાં શી વિશેષતા ? તિર્યંચ કરતાં લાગુણ તેજસ્વી બુદ્ધિશક્તિ મળી એને શે ઉપગ? આહાર, વિષય-પરિગ્રહ-નિદ્રાની સંજ્ઞાની ચાલુ બુદ્ધિ તે પશુ પાસે અને કીડા પાસે પણ છે. માનવની બુદ્ધિ વિશિષ્ટ કેટિની છે, તે માત્ર એ સંજ્ઞાઓમાં અટવાઈ રહે વિશિષ્ટ ન ગણાય. એ તે દાન-શીલ-તપ-ભાવનાની પ્રજ્ઞામાં જોડાય, પ્રજ્ઞાને પકડી રાખે, એ દાન-શીલાદિની જ તરફેણ કરનારી અને તે જ વિશિષ્ટ કેટિમાં જાય. - આર્ય સંસ્કૃતિની આ વિશેષતા છે કે આર્યદાનાદિની પ્રજ્ઞાને મુખ્ય કરે છે. આર્યોનાં જીવન જ એવાં કે જેમાં બચ્ચાને પણ જન્મથી આવું જેવાનું મળે. એ મળે એમાં એના પૂર્વના સારા tવંસ્કાર તાજા થાય છે, અને નવાં સંસ્કારને ઉમેરે થાય છે. પછી દાનાદિની પ્રજ્ઞા ખીલે એમાં નવાઈ નથી. બચ્ચાના બાપે
Page #310
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬]
૨૯૭] બાપા બનતાં પહેલાં આ ધ્યાન રાખવાનું છે કે પોતાનાં જીવનમાં દાન–શીલ-તપ-ભાવનાની પ્રવૃત્તિ ભરચક ચાલતી હોય; એ પ્રવૃત્તિ જ મુખ્ય કરાતી હાય, એની જ તરફેણ કરાતી હોય, તે જ બચ્ચાને વારંવાર એ જોવા મળશે ને તેથી એ સંસ્કારી બનતું જશે. બાપમાં એના બદલે આહાર-વિષય-પરિગ્રહ નિદ્રાના જ ખેલ ખેલાતા હશે, તે બચ્ચાને એ જ જોવા મળવાથી એનામાં બીજું કયાંથી આવવાનું હતું? અનાર્ય કે ઢેડ ભંગીના છોકરાની જેમ એ પણ આહારદિને જ રસિયા બનવાને. માટે કહેવાને સાર આ છે કે માનવપણાની વિશિષ્ટ બુદ્ધિને ઉપગ આહારાદિની સંજ્ઞાને દબાવી દબાવી દાનાદિની પ્રજ્ઞાને જીવંત રાખવામાં છે. એમાં સહેજે શીલની પવિત્રતા પણ જીવવાનું બનશે.
રાજકુમાર સમજે છે કે પવિત્ર જીવન જીવાતું હોય તે જીવ્યા કામનું નહિતર મરી જવાય તે વાંધો નથી. એટલે સંકલપ કરીને હવે “નમો અરિહંતાણું” કહી બહાર નીકળે છે.
અહંન નમસ્કાર શા માટે –
જીવનની પવિત્રતા પર બચાશે એ માન્યતા ખરી, છતાં પગલું ઉપાડતાં અરિહંતને નમસ્કાર મંગળરૂપે અવશ્ય કરવાને. શું મંગળ ન કરે તે બચાવ ન મળે ? ઇષ્ટ સિદ્ધિ ન થાય ? થાય ને ન પણ થાય, પણ જે બીજા વિદ્ધ નડતા હોય તે મંગળથી દૂર થાય. અહીં ખરી વાત તે એ છે કે ધર્મના શ્રદ્ધાળુ જીવને ધર્મપુરુષાર્થ જ મુખ્ય લાગે છે, એટલે બીજા બધા પુરુષાર્થ કરતાં ધમ–પુરુષાર્થને મેખરે રાખે છે. માટે ઉત્તમ ધર્મ–પુરુષાર્થ રૂપે અરિહંતને નમસ્કાર પહેલે કરે છે.
ધર્મ–પ્રવૃત્તિ કરતાં ચિત્તને મલિન ભાવ વિનાનું નિરાશંસ ભાવનું બનાવવા કે અન્ય રાખવા માં એક સુંદર મુદ્દો છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૮]
-[રુમી કઈ પૂછે “કેમ નવકાર ગણે છે ?”
તે ઉત્તર આ કે “મનુષ્ય જીવનમાં ધર્મ-પુરુષાર્થ જ મુખ્ય છે, વળી પવિત્ર મન માટે ધર્મ એ જ સાચી ચીજ છે અને પરમેષ્ઠિ નમસ્કાર એ પહેલા નંબરને સુંદર ધર્મ–પુરુષાર્થ છે માટે.
આપણું મનમાં પણ આ જ લાવવાનું કે “ચાલે નવકાર ગણ્યા એટલો એટલે ધર્મમાં સમય ગયે, તેથી જીવન એટલું સફલ થયું. અહીં મળેલી વિશિષ્ટ કાયા વાણું અને બુદ્ધિ, ધર્મમાં જોડાઈ એટલી જ લેખે લાગી.
કુમાર બહાર પડે છે –
કુમાર પિતે સંકલ્પ કરીને જે સપાટાબંધ દરવાજાની. બહાર નીકળે અને થોડા ડગલાં આગળ વધ્યો કે તરત ભયંકર અને જાનથી ખાલસ કરે એવા દુશ્મનના જબરા જોદ્ધાએ એને સંન્યાસીને વેશમાં જુએ છે, તેથી કેલાહલ કરી મૂકે છે કે
અલ્યા ! આ તે અહીંને રાજા સંન્યાસીને વેશ કરી છૂપી રીતે ભાગી જવા માગે છે. માટે મારે મારો એને.” એમ કહેતાંક ખુલ્લી તલવાર વગેરે શસ્ત્રોથી ધસી આવે છે.
રાજકુમારે તે નિર્ધાર કરી લીધું છે એટલે એને ડર નથી. પેલા તીણ શસ્ત્ર ઉગામી ધસી આવે છે, પણ આ નિશ્ચિત. છે! શીલભંગ હશે તે ભલે મરૂં અને શીલ અખંડ હશે તે કશું થવાનું નથી,” બે ય રીતે ચિંતા નથી, ત્રાસ નથી, લેશ પણ મનમાં દીનતા કે રાંકડાગીરી નથી. એ બધા ભયભીતતાનાં લક્ષણ છે. ભય જીત્યો એને “હાય !” શાનું?
જડ-કાયા અને ચેતન-આત્મા વચ્ચેના ભેદને આત્મસાત કરનાર મહાત્માઓ એવા નીડર બની પૃથ્વીતલ પર ગમે ત્યાં વિચરે
Page #312
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬]
[૨૯ છે, અને ઘેર ઉપસર્ગમાં પણ અ–દીન અડગ રહે છે. કાયા-પુદ્ગલ ભાડુતી છે, સાચવ્યું રહેવાનું નથી. એના મેહ શા? એ કપાઈ જાય તો ય આત્મા છેદ્ય રહે છે, પછી એની ચિંતા શી? દુશમનેને કુમારના બેલ –
અહીં ત્રિભુવનગુરુ મહાવીર પરમાત્મા ફરમાવે છે, કે હે ગૌતમ! કુમાર ત્યાં એ કોને કહે છે, “હે દ્વેષભર્યા લેકે ! મારા પર તમે આટલો બધો તામસભાવ રાખી ધસી આવે છે; પણ તમે સમજી રાખે કે મારી પાસે અનેક વારના શુભ અધ્યવસાયથી સંચિત પુણ્યને મહાન સમૂહ છે. એજ હું તમારે પ્રતિશત્રુ અમુક રાજા આ તમારી સામે ઊભું છું એમ સમજી લે. એવું કહેતા નહિ કે અમારા ભયથી બિચારો એમ જ ભાગી ગ! ના, આ હું ઊભે, તમારી તાકાત હોય તે કરો ઘા.
વાણીને વિવેક જોવા જેવો છે. “પોતે જરાય ગભરાતે નથી” એ દેખાડવા જેસીલી ભાષામાં બોલે છે, અને એમાં એમના અને પિતાના હૃદયનું સ્પષ્ટ અંતર ખુલ્લું કરે છે; પેલા અધમ તામસ ભાવમાં સબડી રહ્યા છે, આ માત્ર હમણાં જ નહિ, પણ આખુંય જીવન જીવતાં શુભ અધ્યવસાય અને ઉમદા સાત્વિક ભાવમાં રમી રહ્યો છે. આટલા હલ્લાની સામે પણ બચાવ અથે ય મારવાને વિચાર સરખે નથી. કેટલી બધી ઊંચી પરિણતિ !
કારણ?
અને મન અહિંસાવ્રતનું પાલન એ જ માટે બચાવ લાગે છે,
જડ-ચેતનને વિવેક –
જડ-ચેતનને વિવેક કર્યા પછી જડ કાયાના બચાવ કરતાં ચેતન આત્માનો બચાવ મહા કિંમતી લાગે એમાં નવાઈ નથી.
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૦૦]
[કમી આત્માનો બચાવ અવગણને કાયાના બચાવની જ ચિંતા રાખવી, પછી ભલે એમાં આત્માનું સાવ વટાઈ જાય, એ તે ફેર ભવને ફેરા ઊભા કરવાને ધંધે છે. જરાક માંદા પડ્યા કે ઝટ અભક્ષ્ય દવા–વસ્તુઓ ખાવી, બજાર મેડા છે માટે રાત્રે ખાવું, એક જ ધૂન “બસ કાયાને બચાવી લે, રૂપિયા ભેગા કરી લે,” પિતાનાજ આત્માનાં હિતને નાશ કરે એ સંસારયાત્રા વધારવાને નહિ તે બીજા શાને ચાળે છે? શું બચાવેલી કાયા બચે છે ? અમર થશે? કાયા અને ધન શું મૃત્યુને રેકશે? શું પરલક પ્રમાણે સાથે આવશે? શું પુણ્ય આપી પરલોકે સદ્ગતિ દેશે?
જિન નાથ પામ્યાનું ગૌરવ :–
શી એવી કાયા અને લક્ષ્મીની ગેઝારી માયા કે એમાં તણાયા ઊંધા હિસાબ માંડવા અને શ્રાવકપણુંના રુડા આચાર નેવે મૂકવા? અનાર્યો અને અધમીએ જેમ અભક્ષ્યભક્ષણ, રાત્રિ ભેજન, ધર્મ પ્રવૃત્તિબાધક સુખશીલિયાપણું અને ધંધાધાપા કરે, એમ જ શું શ્રાવક પણ કરે? મહાવીર પ્રભુ જેવા માથે નાથ મન્યા, એમનાં તારક શાસનરૂપી પ્રજાને મળ્યો, શું એનું કઈ દિલ પર ગૌરવ નહિ કે “હું જિનને સેવક તે કાયામાયાને એ ગુલામ શાને થાઉં કે જેમાં મારા આત્માનું જ વટાઈ જાય અને જિનના સેવપણને બટ્ટો લાગે ? મારે મન આત્મા જ ખરી ચીજ, કાયા નહિ. આત્માને બચાવ મારે પહેલે જેવાને.” હે? છે આવું કેઈ ગૌરવ અને તકેદારી? એ જે હશે. તે નજર સામે હિસાબ આજ તરવર્યા કરશે કે આત્માના બચાવ માટે તે રુડા દાન–શીલ -તપ છે, કૂડા આહાર-વિષય-પરિગ્રહ નહિ.
જીવનમાં કેવા ગંદવાડે? – કહો તે ખરા કે આત્માને પાવાવ શાનાથી થાય એ નકકી
Page #314
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૬]
[ ૩૦૧ કરી રાખ્યું છે કે જીવન જીવે છે તે જડની પાછળ એક આંધળિયા દેટ? તે ય દુર્ગુણ-ગંદવાડ સાથે?
મામુલી વાતમાં ય મૃષા ભાષણને અનાર્ય ખેલ કરતાં આંચકે કેમ નથી ? “
અનીતિ-અન્યાયને સ્ટેડિયે એક વિચાર પણ મગજમાં કેમ ઘલાય છે?
બીજાની ઈર્ષ્યાના દાવાનળથી કેમ બળે છે ? ગંદી નિંદાને મેંમાં કે કાનમાં કેમ ઘાલે છે? વાતવાતમાં કિંમતી મનને કેમ ક્રોધ–ચંડાળથી અભડાવે છે? રાત ને દિવસ અહંકાર-અભિમાનને તાવ કેમ ચડ્યો રહે છે?
સ્ત્રીઓના રૂપ-રંગ-ગાત્ર પર આંખ ભટકાવી ભટકાવી મનને કેમ રાગના કાળા કૂચડાથી રંગે છે?
કુટિલ લક્ષ્મીનું દેવ-ગુરુ-ધર્મ કરતાં વિશેષ મહત્વ આંકવાની પાગલગીરી કેમ છેડાતી નથી?
આ બધું તમારા આત્માના બચાવમાં ઊતરશે એમ માને છે? આત્માને બચાવ શાથી?
પણ કહો, સત્ય-ન્યાય-નીતિ,પ્રમોદ ભાવના,પરગુણ-પ્રશંસા, ક્ષમા-નમ્રતા, દાન-નિસ્પૃહતા, શીલ-સદાચાર, વગેરે આત્માને બચાવ કરશે એ નજર સામે તરવરતું નથી, અગર આત્માને બચાવ કરવાની તમન્ના જ નથી. “આ ભવ મીઠા પરલોક કેણે દીઠા એ હૈયે વસી ગયું છે, એટલે કાયાના બચાવ, ધનના સંગ્રહ, અને કાયા-માયાની બોલબાલામાં જ જીવ અટવાઈ ગયા છે. પછી કાળના નામે, જમાનાના ઓઠા હેઠળ, તામસભાવની ચેષ્ઠાઓમાં જ રમતા રહી જીવન પૂર્ણવિરામે પહોંચે તે ય શી ચિંતા હોય?
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૭ અગમલાલનું દૃષ્ટાન્તઃ ધમ મફતિયા?
આપેલા અગમલાલ જેવું છે. અગમલાલ ગ શ્રીમત વેપારી. માબાપે એનુ' નામ તેા એવું શેાધેલું કે એને શાંતિથી બેસી પેાતાના નામ ઉપર વિચાર આવે તે આત્મા યાદ આવે, હું એટલે કેાણુ એ સમજાય, ‘હુ’ એટલે દેખાય છે એ આ કાયા નહિ, પણ એમાં ન સમજી—દેખી શકાય એવા કે પૂરાયેલ અગમ અગેાચર સિદ્ધ આત્મા,’ અથવા ‘હુ અગમલાલ અગમ અ-ગેાચર ભગવાનને લાલ, લાડકવાયા, કાયા-માયાના લાલ નહિ,” નામ તા આ ઉદ્દેશનું હતું, પણ ભાઈનાં લક્ષણ એવાં કે અગમ એટલે કે લેાકેાને ગમ ન પડે કે શેઠના દિલમાં શું ભર્યુ` છે. એના ચાવવા—ખતાવવાના દાંત જુદા, ખેલે મીઠું મીઠું ને પેટમાં પાપ; બીજાને ખબર જ ન પડે. એવા એ અગમલાલ ! માયા-પ્રપંચ અનીતિ તે હાલતાં ને ચાલતાં કરવા જોઈએ. અવસરે રાફ અને રાષ પણ એવા ! લક્ષ્મીના લાભના પાર નહિ. સુકૃત તેા શીખ્યુ જ કાણુ છે? પાછા મેાટા શેઠ, એટલે રૂપાળી બાયડીએ સામે નજર નાખે એમાં કાણુ એમને અટકાવે ? બિચારી કોઈ ભાળીને સાવે પણ ખરા.
પરંતુ અગમવાલની પત્ની સુશીલ અને ધાર્મિક વૃત્તિની હતી. એવુ તે પાપાથી દિલ બળીને ખાખ થઈ જાય છે, એ કહે પણ ખરી કે ‘તમે આ શુ કરેા છે ? પરલીકના કોઈ ડર
Page #316
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭]
[૩૦૩ નથી? આ લેકનાં સજજનેની દષ્ટએ પણ શરમ નથી? કેટલાં કાળ માટે આ? કેટલું જીવવાનું છે? ઊઠીને બધું મૂકી હાલ્યા જવું પડશે. આ માટીનું બેળિયું ય અહીં રહેશે, સાથે નહિ આવે! માટે આ પાપ છેડે....”
પત્ની ઘણું ય કહેતી, પણ શેઠને મન એની કશી કિંમત નહિ. એ તે હસી કાઢતા, કહેતા કે “એસ વેવલી થા મા. જીવીએ છીએ તે આનંદ કરવા, કૂચે મરવા નહિ. આ તારી વાતો કૂચે મારનારી છે. પોલીસીથી વેપાર ન કરીએ તે પૈસા કયાંથી આવે ? લેક વચ્ચે પોલીસીથી ન રહીએ તે કૂટાઈ જ મરીએ....”
“પણ આ તમે પારકી બાયડીઓ સામે નજર નાખે છે એ સારું કરે છે?
અરે ઘેલી રે ઘેલી ! એમાં શું? જગતમાં સારૂં જવાનું મન ન થાય?” કે આ જવાબ “કૂતરા-ગધેડાની મનેદશાને જ જવાબ ને? ળિયે માનવ, પણ હૃદય શિયાળિયા-કૂતરાનું, તે પ્રપંચ-દુરાચારની સૂગ પણ નહિ. પાપાનુબંધી પુણ્યના નતીજા છે આ. જેવા આંખ મળી એ પુણ્ય, પરંતુ એનાથી હવે પાપ બંધાવનાર પરસ્ત્રીદર્શન કરવાં છે, એથી એ પુણ્ય પાપાનુંબંધી.
" આપણને મળેલ સગવડ–સામગ્રી પર ચિત્ત ધમ બાજુ જાય છે કે પાપ તરફ, એના પર માપ નીકળે કે એ સગવડનું પુણ્ય પુણ્યાનુબંધી છે કે પાપાનુબંધી ?
એક વાર એવું બન્યું કે ગામમાં એક સાધુ પધાર્યા. અગમલાલને તે મહાત્માના સંગ જ શાના? પણ એમની પત્ની દશનાર્થે ગઈ. મહાત્માની ધર્મવાણી સાંભળી એનું દિલ ગદુ
Page #317
--------------------------------------------------------------------------
________________
૩૦૪]
[ રુમી ગદ્ થઈ ગયું. મને થયું કે “આ અધમી પતિના પનારે કાં પડી ? પણ હવે એ આ મહાત્માથી જરા બેધ પામે તે સારૂં.' એમ વિચારીને મુનિમહાત્માને પોતાની કરુણ કથની કહે છે, અને વિનંતિ કરે છે કે “કૃપા કરીને એમને કંઈક બંધ પમાડે.” | મુનિ મહાત્માએ કહ્યું “ઠીક, મેકલજે એમને. પણ જુઓ ધર્મનું નામ લેતા નહિ, નહિતર એ નહિ આવે. તમે તમારે એમને કહેજે કે બહારથી એક સાધુ આવ્યા છે. એમને કાંક દેવું છે તે જરા મળી આવજે.'
બાઈ ઘરે આવી અગમલાલને એ પ્રમાણે કહે છે. ત્યારે પેલે પહેલાં તે જરા આનાકાની કરે છે, પણ વાણિયો પાછો લેભમાં પડે છે કે “કેને ખબર, સાધુ આત્મા છે, કંઈક જંતર મંતર જાણતા હોય તે મને આપ હશે. એ મળે તે તે બંદા ન્યાલ જ થઈ જાય, માટે જવું તો ખરું જ. જવામાં શું જાય ? જોઈશું.'
બસ અગમલાલ ઉપડ્યા મહાત્મા પાસે. જઈને પ્રણામ કરીને બેઠા, પિતાની ઓળખ આપી. મહાત્માજી કહે છે. “સારું મેં તમારું નામ સાંભળેલું, તમારી કીર્તિ સાંભળેલી, મને થયું કે આવા ભાગ્યશાળીને એક મંત્ર સાધી આપું, તે વળી એ ધાર્યા પૈસાના ઢેર વધવાથી કેટલાયનું ભલું કરશે.”
વાણિયો કહે, “હા બાપજી! ખરી વાત, આપ જેવાની પ્રસાદી મળે અને ધાર્યા નાણાં આવ્યું જતા હોય તે તે એને પપકારમાં ખૂબ ઉછાળું. આ તે વેપારમાં ધાર્યું નથી મળતું એટલે જરાક હાથ પાછો પડે છે.”
છે ને ઉદારતા? પરોપકાર જાણે છે તે વસી ગયો છે, પણ બિચારાને પૈસાની પહોંચ નથી એટલે જ કામ અટકયું
Page #318
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭]
[૩૦૫
છે! ! કેવી તાલ ખજી ! વેપારના સાહસ ખેડવામાં પૈસા પહાંચે છે, દુરાચારના પંથે પૈસા વેરવા પડેાંચે છે, ભાવી ભયની શંકાથી હજારા રૂપિયાનુ' સેાનું ધરતીમાં દાટી રાખવા પહોંચે છે, ઘરના મંગલા બનાવવા, મેટરગાડી ફેરવવા, મેાજમજાહુ ઉડાડવા પૈસા પહેચ છે; માત્ર નથી પહેાંચતા ધમ કરવા, પરાપકાર કરવા! આ કેવી ઠગમાજી અને નાસ્તિકતા ? આ એની જ દશા કે તમારી પણ ખરી !
ભગવાનના કેવા સેવક ? —
કહા જો મંગલા હાઈફ્લાસ બનાવ્યા પછી એ વિચાર આવે છે ખરી કે આ મારા બંગલા આટલા શાનદાર, મ મારા ભગવાનનું મંદિર કે એમની આજુબાજુની એક ભી'ત માત્ર કાળી ભંગાર જેવી કે જૂની ખખડી ગયેલી કેમ ? લાવ એને હાઈલાસ અનાવરાવું.' ના, પૈસા પહાંચતા નથી એ જ જવાબ છે ને ? જાતે રેશમી બુટ્ટા કે સરખતી મલમલના મુલાયમ વસ્ત્ર પહેરી દહેરે જાઓ, ત્યાં ભગવાનનાં જાડા ખદ્રના ઝાંખા અને બરછટ થઈ ગયેલા અંગલૂણા જોતાં કાંઈ શરમ લાગે ? અટ વહેલી તકે ઘરે દોડી જઇ સરમતી મલમલના મુલાયમ મુલાયમ મેાટા ટૂકડા લઇ આવા ખરા ? ‘ના પૈસા પહેાંચતા નથી” એજ જવામ, કેમ ખરૂ' ને ? તમે ભગવાનના લાછુ સેવક ? કે નિ`જ સેવક ? ભગવાન પાસેથી લૂંટણિયા યા સાદાકા સેવક ? કે ભગવાનના ચરણે નિઃસ્વાર્થ ભાવે ઢગલા કરનારા સેવક ? ભગવાનના અનંત ઉપકારની કૃતજ્ઞતા અદા કરવા માટે તલપાપડ થનારા સેવક ખરા ? કે ભગવાન પાસેથી ક્રોડાનું પુણ્ય આંચવું છે માટે ગુપ્ત રીતે ૨-૪ રૂ. ભંડારમાં પધરાવનાર સેવક ?
૨૦
Page #319
--------------------------------------------------------------------------
________________
૩૦૬]
[ રુક્મી પણુ જીવનમાં ધમ, કૃતજ્ઞતાપાલન અને પરોપકાર એ જ સાચે પુરુષાર્થ લાગે તે ને? તે તો એના માટે પૈસા પહોંચે છે, ભેગવિલાસ માટે નહિ” એમ લાગે.
પેલા વાણિયાને હૈયે ધર્મ હતું નહિ, તેથી વેપાર સાહસદુરાચાર અમનચમન વગેરે માટે તે પૈસા પહોંચતા હતા, પણ પરોપકાર માટે નહિ. હવે મહાત્માજી પાસેથી મંત્ર મળે એવું લાગે છે, એટલે સવાસ કરે છે-“મહારાજ ! આ વેપારમાં ધાર્યું મળે નહિ એટલે જ પરોપકારથી હાથ પાછો પડે છે, બાકી તે મહારાજ! આપની કૃપાથી જે પૈસા ધાર્યા પ્રમાણે મળે જ જાય, તે તે લેકેનું ઘણું જ ભલું કરું?
મહાત્મા આ સવાસલાને ઓળખી શકે ખરા કે નહિ? ના સમજે છે એટલે તે મહારાજની આગળ ગેળા ગબડાવી જાણે મહારાજને બનાવવાની વાત કરે છે. મહાત્મા તે બધું સમજે છે, પણ પેલાને ઠેકાણે લાવ છે એટલે એને કહે છે “ખરી વાત, ખરી વાત. હવે તમે જરાય ફિકર ન કરતા. બેલે સાધના
ક્યારથી શરૂ કરીએ? ચાર દિવસનું કામ છે.” - વાણિયે શું કામ આમાં વિલંબ કરે? કહે છે, “બાપજી! કાલથી જ. પણ આમાં પૈસા તે નહિ ખર્ચવા પડે ને?” - મહાત્માજી એને ભાવ સમજીને એને તાણવા માટે કહે છે, “ખરચ હોય? દેવતા થોડા કાંઈ પૈસાના ભૂખ્યા હોય. પૈસાને ભોગ આપ્યા વિના પણ તમારા ભાવ સલામત છે તે ઘણું ઘણું. પૈસા તે ભલે ને તમારી તિજોરીમાં રહે.” ભેગ આપ્યા વિના ભાવ સલામત? ધર્મનું બધું મફત?
Page #320
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭]
[૩૦૭ શું? પૈસાને ભેગ આપ્યા વિના પણ ભાવ સલામત હાઈ શકે ને? ઘરે આવેલા મેમાનને પવાલું પાણું ય ન ધરે, છતાં એના દિલમાં તમારે ભાવ જમે કરાવી શકો ને? ભાવ શાને કહેતા હશે? આ ઠીક શેાધી કાઢયું કે પૈસા મારા મારી પાસે સલામત, અને મને તમારા પર બહુ ભાવ થાય છે !” દેવાર્શન તે મફત ! ગુરુદર્શન તો મફત ! જિનવાણું-શ્રવણ તે મત 1 કેઈના સારામાં સારા સુકૃતની અનુમોદના તે મફત ! મંદિર– ઉપાશ્રયમાં પુણ્ય-કમાઈ તે મફત ! “બસ, ધર્મખાતાનું બધું મફત જોઈએ, પૈસો એક ન ખરચ પડે, અને અમારા ભાવથી બધા લાભ મફતમાં મળે.” આ જ જોઈએ છે ને?
સારા વ્યાખ્યાનની શી કદર કરે? –
જો કેઈની આગળ પ્રશંસા કરે કે “મહારાજનું વ્યાખ્યાન બહુ સરસ !” ત્યાં સામે કદાચ પૂછે કે “હૈ ? વ્યાખ્યાન બહુ સરસ ? કે તમારા પૈસા બહુ સરસ ? તે શું કહે ? એ જ ને કે “એની સાથે પૈસાને શે સંબંધ? કેમ આમ કહેવાનું? એટલા જ માટે ને કે “રખેને અમારા પૈસા પર કઈ ધાડ ન આવે.” વ્યાખ્યાન સરસ ખરું. પણ પૈસા આગળ વધુ સરસ નહિ; કેમ? એ વ્યાખ્યાન મળવા પાછળ કિંમત આપવાને મેખ નથી. કહે , તે ખરા કે કદી એમ મનમાં થયું કે “આવી લાખ રૂપિયાની જિનવાણી સાંભળવા મળી તે લાવ હું એની કદર રૂપે બે પૈસા જ્ઞાનખાતાની પેટીમાં નાખું? મહારાજને પૂછું “સાહેબ ! આવી ઉમદા દેશના આપવાને મહાન ઉપકાર આપે અમારા ઉપર કર્યો, તે અમે તે બહુ આભારી બન્યા છીએ. માટે મારા યોગ્ય કઈ એવું
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૮ ]
[ રુઝૂમી
સારૂં' સુકૃત કરવાનું સ્થળ બતાવે, એમાં પૈસા મારા ખર્ચાશે તા કૃતજ્ઞતા અદા થશે, આપના બહુ ઉપકાર માનીશ.'–આવું કોઈ વારે ય કહેલું* ખરૂ...?
ના, ધર્માંના ભાવ તા ભાગ આપ્યા વિના જ મફતમાં ઊભા થઈ શકે છે,' એવુ હૈયે સજ્જડ કોતરી રાખ્યુ` છે. એટલે એના માટે કોઇ કિમત આપવાનુ` સ્વપ્ને ય મનમાં આવતું નથી. ઈતર દર્શના પણ કહે છે કે !
'रिक्तपाणि पश्येद्धि दैवत सदगुरुं तथा । " અર્થાત્ ખાલી હાથે દેવ-ગુરુનું દર્શન ન કરવું. કેમ આમ કહેવાય છે? એટલા જ માટે કે કંઇ પણ ભાગ આપે ત્યારે દેવ-ગુરુનાં દનની કિંમત સમજાય છે, ને ભાવ ઊભા થાય છે. બાકી મફતિયાં દર્શન એળે જાય.
મતિયા ચાપડી લઈ જાએ તે ઘરે જઈ એકવાર આમતેમ ઉથલાવ્યા પછી ગમે ત્યાં રખડતી મૂકી દેવાય છે; પણ 'મત આપીને લઈ ગયા હૈા તા કાળજીથી ઊંચે મૂકાય છે. મનને થાય છે કે પૈસા ખર્ચ્યા છે.' શું થયુ? પૈસાના ખરચે 'મત સમજાણી અને આટલા ભાવ ઊભા કર્યાં.
ભગવાનની પહેલી પૂજા એમ ને એમ કરવાની મળે ત્યાં અને ઉછામણી મેલીને કરવા મળે ત્યાં પૂજાના ભાવમાં ફરક પડે છે એવા અનુભવ છે ને? એમાં ય વધારે મેટી ઊછામણી ખેાલીને કરવા મળે ત્યાં વધારે ભાવના રંગ ચડે છે. એ સૂચવે છે કે પૈસાના ભેગ આપવાથી ભાવ ઊભા થાય છે.
ઘરે આચાર્ય મહારાજનાં પગલાં કરાવ્યાં ને એ નિમિત્તે હજાર રૂપિયાનું સુકૃત કરે, તા વર્ષોં સુધી ભાવભરી
Page #322
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭]
. [ ૩૦૯ યાદગીરી થાય છે કે આચાર્ય મહારાજનાં પગલાંથી પાવન થયા હતા.
પ્રતિષ્ઠા ઉપધાનમાળ વગેરે સારી ઉછામણથી લીધા હોય તે ઊંચા ભાવ સાથે એની અનુમોદના થયા કરે છે. મફતમાં લીધું હેત તે એ થાત?
આ વાત આ છે કે ધર્મનાં કાર્ય ભોગ આપીને, કંઈક ઘસાઈને, કર્યા હોય તે એમાં અનેરો ભાવ જાગે છે. એક કૃતજ્ઞતારૂપે પણ શું આ ન બને ? શું મનને આટલું ય ન થાય કે
જ્યારે ધર્મ મને અઢળક પુણ્ય આપે છે કે જેનાં ફળ રૂપે પરલેકમાં ભારે સુખ સગવડ અને સદ્ગતિ મળવાની છે, તે હું એની કૃતજ્ઞતા રૂપે અહીં થોડો પણ ભંગ ન આપું? થોડે પણ પૈસે ન ઘસાઉં ?”—આ કૃતજ્ઞતાને વિચાર જે રહેતે હેત તે આજે સાધારણ ખાતામાં તોટાની બૂમ ન રહે, કેમકે મંદિરઉપાશ્રય જ્યારે અઢળક પુણ્ય આપે છે, તે એની કૃતજ્ઞતા રૂપે એકે એક જણ પિતાની શક્તિ ખર્ચીને પૈસા આપે જ જતા હેત. દુનિયાની ચીજભાવ મેળવવા પાછળ રોજીંદા ખાસા ખર્ચ હોય છે, તે આત્માને ગુણ અને પુણ્ય મેળવવા પાછળ રેજીદા ખર્ચ ન હોય ? દુનિયાને માલ મફતમાં મળતું નથી, ને ધર્મ પુણ્ય વગેરે તે મફતમાં આંચકી શકીએ છીએ, એમ? કઈ અક્કલ પર આ ડિંડવાણું ચાલી પડયું છે?
પેલે અગમલાલ વાણિયે મહાત્મા પાસેથી મંતર જંતર ઝંખે છે, પણ મફતમાં ! છતાં મહાત્માને તે એને કાંક પમાડવું છે એટલે કહે છે, “કશે ખર્ચ નહિ કરે પડે. તમારા ભાવ છે તે ઘણું છે. માત્ર એક એફખું તાંબાનું નાનકડું પતરું
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૧૦]
[ ક્ષમ લાવજે. એમાં વિધિ કરીને મંત્ર આલેખી આપવાને છે. પછી એ તમારે ઘરે જઈ પૂજીને એના પર મનવાંછિત લાભ મેળવવાને.
જાપમાં ડપકે –
બસ, વાણિયે ખુશ ખુશ થઈ ઘરે ગયે, બીજા દિવસે પતરા સાથે હાજર ! મહાત્માએ વિદ્યામંત્રને પટ બેલી સામે બેસાડી પોતે જાપ કર્યો, ને પેલાને પણ કરાવ્યું. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ થયા, એટલે હવે મહાત્મા એને કહે છે –
જુએ અગમલાલ, હવે આ મંત્ર કાલે સિદ્ધ થઈ જવાને. એ હું આ પતરા પર આલેખી આપીશ. પણ તમારે એક વાત નકકી કરવી પડશે.”
પેલે કહે બેલે મહારાજ શી વાત? ખુશીથી હું નકકી
કરીશ.”
લાકડી પરલોકમાં પહોંચાડવાની –
વાત તે જાણે એ છે કે “આ મારી નાની લાકડી પણ જે મંત્રેલી છે, તે તમારે મને પહેલેકમાં હું મારું ત્યારે દેવાની અને આ પતરું તે તમને અહીં ને અહીં જ હું આપી દઈશ, જે તમને મનમાન્યા પૈસા આપશે. આ મંત્ર એ છે કે સાધક અને ઉત્તરસાધક બેન વાંછિત પરે; પણ બેને મેળ ખાય તે જ. તે મારે અહીં તે કંઈ જોઈતું નથી, પરંતુ પરલેકમાં આ મંત્રેલી લાકડી કામ આપે એવી છે, માટે તમારે મને એ પહચાડવી પડે, ત્યારે દેવા આવવું પડે.”
અગમલાલ તો સાંભળીને સજજડ થઈ ગયે. કહે છે, મહારાજ ! એ તે કેમ બને ?”
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭]
[૩૧ મહાત્મા કહે, “અરે! એમાં શું છે? તમારી આટલી બધી સંપત્તિ જ્યારે સાથે લઈ જશે તે એના ભેગે શું મારી આટલી નાની લાકડીને ભાર વધી પડશે?”
“અરે બાપજી ! ભાર તે કાંઈ નહિ પણ મારી ય સંપત્તિ હું કયાં પરલેક લઈ જઈ શકું એમ છું?” જોર પરિશ્રમની લક્ષ્મી પડતી મૂકી મારવાનું ?
શી વાત કરે છે? તે પછી આ મંત્રથી ધનના ઢગલા કરવાના તે ય એમજ અહીં પડતા મૂકીને જવા માટે ?
ત્યારે બાપજી ! એમ ઈચ્છું તે ય શું એક રાતી પાઈ પણ સાથે લઈ જઈ શકું એમ છું? કશું જ નહિ. આપ તે જાણે જ છે કે બધું અહીંનું અહીંજ પડયું રહે, ને જીવને ખાલી જવું પડે. પછી કેમ આમ પૂછે છે?
મહારાજને ભવ્ય ઉપદેશ
“હું આંખ ઊઘાડવા પૂછું છું કે જે પૈસા અહીં મૂકીને જવું પડશે, એની શું એટલી બધી વેઠ ને ઘેલછા કરવાની કે એ અહીં પડયા રહેવા છતાં એનાં પાપને માટે જ ઉપાડી લઈ જ પડે ?
“જાણે છે ને કે પૈસા આપણને છેડે છે, પણ પાપ આપણને નથી છોડતા ? કઈ અક્કલથી આ પૈસાટકા અને મેજમજાહ પાછળ આંધળા થઈ મંડી પડ્યા છે ? કાંઈ જ ભાનબાન નથી? સરાસર મૂર્ખતા ? જનાવર–કીડામકેડા વગેરેના ત્રાસ નજરે નિહાળે છે ને ? શાસ્ત્રથી નરકનાં કારમાં દુઃખ સંન્યાં છે ને ?
પાપ અને પાછળ રાતા
Page #325
--------------------------------------------------------------------------
________________
કાર]
: [૨મી નરકનાં કારમાં સુખ- “જનમતાં જ કુંભમાં ઉત્પન્ન થાય તે લાંબી સાંકડી નળીમાંથી એને બહાર કાઢવા માટે પરમાધામી તીક્ષણ સાણસાથી ટૂિકડે ટૂકડે કાપી કાપીને બહાર ખેંચી કાઢે છે ! કાઢવ્યા પછી તલવાર-ભાલાથી એના ટૂકડે ટૂકડા કરે છે. પાછું કર્મ એવું ચીકણું કે શરીર આખું પારાની જેમ સંધાઈ જાય છે. ત્યાં પરમાધામી એને ટાંગાથી પકડી શિલા પર ધેતિયું કૂટવાની જેમ પછાડી કૂટે છે. પાછે એને યંત્રમાં ઘાલી શેરડીને રસ કાઢવાની જેમ પીલે છે. વળી મકાઈ ડોડાની જેમ એને પગેથી ઝાલી ધખધખતી આગની ભઠ્ઠીમાં ઘાલી ફેરવી ફેરવીને શેકે છે ! પાછો બહાર કાઢી જમીન પર સુવાડી તીર્ણ ભાલાઓ આખા શરીરના ભાગમાં ભેંક બેંક કરે છે! એક પરમાધામી એવા દારુણ જુલ્મ કરીને જાય ત્યાં બીજે પરમાધામી આવી વળી નવી જાતને જુલ્મ વરસાવે છે. આવાં માં જઈ પડવું પડયું ત્યાં કેણ બચાવવા આવશે ? આ પૈસા? આ મોજમજાહ? શું સમજીને એની પેઠે પડયા છે? ભાન નથી?”
અગમલાલ સ્તબ્ધ થઈ ગયે. એની આંખ સામે જગતના જીનાં દુઃખ તરી આવ્યાં, “હાય ! એ દુઃખ મને આવે તે કેમ સહ્યા જાય?' એ પ્રાસકો પડે. “જીવન આખું ય ઘેર પાપની રમત કરી છે તે મારું શું થશે ? એ સજજડ આંચકે લાગ્યું. આંખમાં પાણી આવી ગયાં, કહે છે
આ “મહારાજ ! મહારાજ ! આજે તમે મારી આંખ ખોલી નાખી. મારા પાપી જીવન પર મને તિરસ્કાર છૂટે છે, મારું શું
Page #326
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૭ ]
--
-
---
- [૩૧૩ થશે? મારે તે કોઈ પરભવે બચાવ જ દેખાતું નથી. આ મારી ઘરવાળા કહેતા હતા કે આ શું લઈ બેઠા છે? પણ હું માનતે નહોતે. બાપજી! મારું શું થશે? - '': મહાત્મા આશ્વાસન આપે છે. - “મુંઝાશે નહિ, જીવતા છે ત્યાં સુધી હજી પાપ દેવાને તક છે. મરી ગયા પછી તક ગઈ. પહેલે શ્રેષ્ઠ ઉપાય તે સંસાર છોડી ચારિત્ર લે.” . “એ તે બાપજી! એકદમ કેમ બને?”
મહાત્મા કહે, તે પછી નથી ને કદાચ એકદમ નરક-તિર્યંચ ગતિમાં જવાનું થયું તે એકદમ જ ઘેર ત્રાસ વેઠવાનું બની શકશે ને ? ખેર ! એમ કરો જેટલી હોંશથી પૈસા ભેગા કરવાનું કર્યું છે, એનાથી બેવડી, ચારગુણ, દસગુણી હોંશ સાથે પપકાર કર, સુકૃત કરે, વ્રત-નિયમમાં આવે, ત્યાગ-તપસ્યા કરે. કહે, આ તે બનશે ને ?
“હા મહારાજ ! એ તે જરૂર કરીશ, એ કરતાં કરતાં મને બળ પણ કેળવીશ. હવે જરાક કહું? આ મંત્ર પૂરે કરી આપે તે એનાથી જે વધારે નાણું મળશે, એનાથી વધારે પુણ્ય-દાન કરી શકીશ.”
પુણ્ય કરતાં માયાની લપ સાથે લાગે એ ભયંકર –
મહાત્મા સમજાવે છે, “અરે ભલા માણસ! એ પૈસાના દાનથી પુણ્ય તે સાથે આવશે, પણ પૈસાની માયાની લપ તમારી સાથે લાગશે એનું શું? એ ભારે પડી જશે. શું અહીં જ નથી અનુભવ્યું કે ધનની મોહમાયામાં કેટલાં કાળાં કર્યા છે? દેવગુરુ-ધર્મને કેવા ભૂલ્યા છે? એ ધનતૃષ્ણની લપ પાછી ઊભી
Page #327
--------------------------------------------------------------------------
________________
[ અમી સખવી છે? આત્માને બચાવ નહિ મળે એથી. સુકૃત તે હેય એમાંથી કરે. બાકી અનેકવિધ મૂચ્છત્યાગને મેટ ધર્મ કરવાને છે. તે સિવાય, શાસ્ત્રાધ્યયન,અહંદુભક્તિ...વગેરે કેટલી ય ધર્મપ્રવૃત્તિ કરવાની છે. બસ, હવે તે તમારા પિતાના આત્માના બચાવ માટે એમાં જ લાગી જાઓ. પિતાને આત્મા જ પ્રાણપ્યાર કરે તે એને બચાવી લેવા એ બધું કરવું સહેલું થશે.”
મહાત્માની વેધક વાણુથી અગમલાલનું જીવન સુધરી ગયું. આત્માના બચાવની ચીજ મુખ્ય કરી દીધી; શક્ય મૂછત્યાગ અને દાનાદિ ધર્મથી જીવન ઝગમગતું કરી દીધું.
-
NSSSS
'
.
r((
/સી
'હF Sws
&
S
Page #328
--------------------------------------------------------------------------
________________
૨૮. રાજકુમારને અવધિજ્ઞાન
પેલા રાજકુમારની દૃષ્ટિ પેાતાના આત્માના બચાવ તરફ છે, એટલે અહી' અહિંસા-વ્રતનુ પાલન એણે સચાટપણે કરવાનુ રાખ્યુ છે. તેથી એણે દુશ્મનના સુલટાને પડકાર ફેકયા, ચલાવા તમારી તાકાત હાય તા શસ્ર. તામસ ભાવમાં રાચતા તમને એ જ આવડે છે. પણ હું જરાય ગભરાતા નથી; એટલે જ તમને અજાણુમાં રાખી ચારી છૂપકીથી મારે ભાગી જવું નથી; પણ અહીં મારે એ જોવું છે કે કયું તમારૂ' એકે ય શસ્ત્ર ચાલી શકે છે.'
કુમારને પેાતાના ત્રિકરણશુદ્ધ શીલ પર અટલ વિશ્વાસ છે. પેાતાના શુભ્ર અધ્યવસાયાથી ભરચક-ભર્યાં જીવનમાં સારી રીતે વધી રહેલા પુણ્યપ્રાગ્મારની એને ખાતરી છે. એનું હૃદય ખૂબ જ ફોરૂ' અને સ્વચ્છ બની ગયુ છે, તેથી એને ભારે સ્વસ્થતા છે. કોણ સુખી અને સમૃદ્ધ ? ત્રિકરણ શુદ્ધ શીલમાં રમનારા ગરીબ પણ સુખી અને સમૃદ્ધ ? કે મેટો શેઠિયા છતાં મન-વચન કાયાથી દુઃશીલ-કુશીલતા આચારનારા સુખી અને સમૃદ્ધ ? ગરીબી છતાં મોટા ભાગે શુભ અધ્યવસાયમાં ઝીલનારે ? કે શ્રીમંત યા સમ્રાટ છતાં અશુભ વિકલ્પ-વિચારી લાગણીઓમાં તણાનારા ? કણુ સુખી ?
ખરી ગરીબી કઈઃ—
ગરીબીથી મનને ઓછું આવે છે ને ? મનને શા સારૂ ઓછુ લગાડા છે? જૈનધર્મ મળ્યા છે તેા ગરીમીનુ તત્ત્વ સમજો..
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૬]
[ રુમી ખરી ગરીબી તે શુભ અધ્યવસાય, શુભ વિકલ્પ ને શુભ લાગણીઓ ન હોય એ છે. એ રેવા જેવી છે, કેમકે આ શુભ ભાવે એ એવી એક સુંદર મૂડી છે કે જેનાથી અહીં પણ સુખ-શાંતિ અનુભવી શકીએ છીએ, અને ભવાંતરે તે અપરંપાર સુખને ભગવટે મળે જ છે.
શુભ અધ્યવસાય એક જબરદસ્ત સુડી –
શુભ અધ્યવસાય સતત રાખે જ જઈએ એ એક નાણું ભેગું થતું જાય છે. એથી અહીંના બાહ્ય ગમે તેવા સંયોગમાં આત્મા હૃદય સ્વસ્થ અને મસ્ત રાખી શકાય છે; એનું કારણ કે હૃદય એવું ટેવાઈ ગયું છે. ત્યારે માટીના કૂકા તે ઘણું ય હોય પણ હૃદય સ્વસ્થ ન હોય, અસ્વસ્થતા, ચિંતા, સંતાપ સળગતા હાય, તે સુખ શાનું? ચેકકસાઈ ચીવટ અને પુરુષાર્થ રાખી ચિત્તના વિકલ્પ અધ્યવસાય બગડવા ન દેવાનું જ ને શુભ રાખ્યા કરવાનું કરાતું હોય, તે દિવસો, મહિનાઓ કે વર્ષોના અભ્યાસ પછી એની ટેવ પડવા માંડે છે. પછી સહેજે સ્વસ્થતા રાખી એમાં રમવાનું બને છે. એજ મેટું સુખ છે. કહે છે ને કે,
“જ્ઞાનસમું કઈ ધન નહિ,
સમતાસમ નહિ સુખ” સમતા, સ્વસ્થતા જેવું જગતમાં કેઈસુખ નથી. તેમ અયવસાય શુભ એટલે સાચું જ્ઞાન; એના સમાન કેઈ ધન નથી. શાસ્ત્રબંધ તે ઘણે મેળવ્યું હોય, પણ એને ઉપયોગ શુભ અધ્યવસાય રાખવામાં આવડે નહિ, તે અશુભ અધ્યવસાય રહેવાના. ત્યાં એ બેય જ્ઞાનરૂપ ન બને. જ્ઞાન તે દીવે છે, હુદયમાં અજવાળું કરે.
Page #330
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮]
[૩૧૭
શુભ અધ્યવસાય એ અજવાળુ, અને અનુભ અધ્યવસાય એ અધકારપટ, અજવાળુંન કરે એ જ્ઞાન શાનું? એ દીવેા શાને ? શાસ્રમેય પ્રકાશ કરે તેા દીવારૂપ મને, જ્ઞાનરૂપ અને, જે અલ્પ પણ મેધ શુભ અધ્યવસાયમાં કામ લાગત હાય તે દીવા છે, જ્ઞાનરૂપ છે. એનાથી પ્રાપ્ત થતી સમતા, સ્વસ્થતા એ સુખ છે. જીવનભર એ ભાગવી શકાય. માસતુષ મુનિ એવા દીવાવાળા હતા, ભલે જ્ઞાન અલ્પ હતું.
ત્યારે પરલેાક દૃષ્ટિએ શુભ અધ્યવસાયાથી (૧) એક માજી શુભ કમ ના જથા એકત્રિત થયેલા તે પરભવે સારી સદ્ગતિ-સગવડ-સામગ્રી આપે છે; ને
(૨) ખીજી માજી ઊભા થયેલ રકમમધ સુસંસ્કાર અહી’ ચિત્તને સફ્લેશ થવા દેતા નથી. એ ભાગ તા ઊંચા ભાગવતા હાય પણ અસલિફ્ટ લેગ; અર્થાત્ જેમાં કેાઈ સફ્લેશ નહિ, તીવ્ર રાગ-દ્વેષના પરિણામ-અધ્યવસાય નહિ. તેથી જ ભેાગવટા બાદશાહી ! સ`ક્િલષ્ટ ચિત્તવાળાને તા સલેશના ચાળે ગરીમ ડાપણું-દીનતા-આવેશ વગેરે હાય છે. ખાકી જે ભાગમાં સફ્લેશ નહિ એ પૂર્વ જીવનમાં અભ્યાસ કરેલા શુભ અધ્યવસાયનાં ફળ રૂપે હાવા સહજ બની જાય છે.
સારાંશ, ચિત્તના અધ્યવસાય જરાય ન બગડવા દેવા એ એક મહાન આશીર્વાદ રૂપ જબરદસ્ત સુંદર પુરુષાર્થ છે. અધ્યવસાય ન બગડે એના ઉપાય ઃ— પ્ર૦-જીવનમાં-વિષમસયાગે અનેક આવે ત્યાં અધ્યવસાય
કેમ ન બગડે?
ઉ–જુએ એના કેટલાક ઉપાય છે; દા. ત;
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૧૮ ]
[ કુમી
(૧) સામાન્ય રીતે આપણને નિષેધાત્મક અભાવમુખી દૃષ્ટિથી જ જોતાં આવડે છે આ ફલાણુ* ખરાખર નથી. અમુકનુ ઠેકાણુ નથી. અમુક બગડી ગયુ` છે. પેલા ખરાબ ને એલ્યા ખરા.....' આપણા મનને આવું આવું જ જોતાં આવડે છે. હવે એમાં સુધારા કરી વિધેયાત્મક દૃષ્ટિથી યાને સદ્ભાવમુખી દૃષ્ટિથી જ જોવાનુ` કરવું. અર્થાત્ જ્યાં ઠેકાણું લાગતું નથી ત્યાંય સારૂં શુ છે? ખગડી ગયેલામાં ય હજી નહિ ખગડેલુ કેટલું ? જેની પાસે તદ્દન અનુકૂળતા નથી એના કરતાં હજી પણ આપણી પાસે અનુકૂળતા કેટલી ઊભી છે? પ્રતિકૂળ લાગતું પણ કઈ ખીજી દૃષ્ટિએ લાભમાં છે ? અન્તતઃ તત્ત્વદર્શક તીર્થંકર કેવા મળ્યા છે ! ઇત્યાદિ જોવુ'. (ર) સુખદુ:ખ કાયમના ટકતાં નથી, એ સિદ્ધાન્ત ઉપર વ માન આપત્તિ પણ એક દિ જશે, એ આશ્વાસન રાખવુ.
(૩) જેને વિષમ સંચાગ કહીએ છીએ તેા તે અમુક દૃષ્ટિએ, અર્થાત્ આપણા તુચ્છ સ્વાના ભંગ થવાની દૃષ્ટિએ. પરંતુ એ સિવાય મીજી કાઈ મહાન દૃષ્ટિ છે કે નહિ ? આધ્યાત્મિક દૃષ્ટિએ જોવાનુ' ખરૂ' કે નહિ ? ક્રમમાં કમ આપણેા Resisting Power યાને આપત્તિની સામે સ્વસ્થ-અવિકૃત રહેવાની શક્તિ માપવા અગર કેળવવાની તક મળી, એ એક વિષમ નહિ પણ સમ સચૈાગ છે.
(૪) એમ ક્ષમા, સમતા, ત્યાગવૃત્તિ, અહુ કારના નિગ્રહ, વગેરે આત્માહારક મહાન ગુણા કેળવવાની તક મળી એ પણ સુખકારી સચૈાગ મળ્યો કહેવાય. શે। વિષમ સંયોગ છે ? સામાના ક્રોધિલા સ્વભાવમાં આપણને ક્ષમા-સમતાની તક મળી. સામે અપમાન અવગણના કરે છે તેા આપણા અહંકારને દુખાવાની
Page #332
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮]
[૧૯ તક મળી, ત્યારે સારાસારીમાં વળી શી ક્ષમા-નમ્રતા કેળવાય? લખી રાખે, ક્ષમાની કમાઈક્રોધના બજારમાં, ક્રોધના વાતાવરણમાં થાય છે. - એમ વિષમ સંગ તરીકે માલની અછત–મેંઘવારીમાં ત્યાગવૃત્તિ કેળવવાની તક મળે છે. ચઢી જાઓ ત્યાગ પર. એમ એ ઈચ્છાનિધિ-તૃષ્ણાનિગ્રહની તક મળે છે. - શરીરની બિમારીમાં આરંભ-આશ્ર-રોકવાની, અને અશુભ વેદનીય કર્મ ઓછા થવાની તક મળે છે, ને ભયંકર આપદાઓ વેઠેલ નળ-દમયંતી, પાંડે, રામ-સીતા વગેરે, તેમ જ ભયંકર ઉપસર્ગ વેઠેલ મહાવીર પરમાત્મા વગેરે મહાપુરુષને ખરેખરા યાદ કરવાની તક મળે છે. આ તકને ઉપયોગ એ કોઈ નાનેસૂને લાભ નથી.
(૫) વિષમ સંયોગોમાં પણ મળેલ માનવભવ અને જિનશાસનની હાજરાહજુરતા એ મહાન સમસંગ છે. એનાં આલંબને બાહા-આભ્યન્તર કેટલીય તારક આરાધના કરી શકીએ છીએ. એને મહાન સંતેષ મૂકી બાહ્ય વિષમતાને શું રેયા કરવી ?
[૬) ભવિતવ્યતા એવી જ હશે, યા કર્મને નિર્ધારિત ઉદય એ જ હશે, કે આમ જ બને. તે નિર્ધારિત વાતમાં મન શું બગાડવું? ખાઈએ એટલે શરીરમાં મળ ઊભું થાય જ, અને એને નિકાલ કરવા પાયખાને કે જંગલમાં જવું જ પડે, અશુચિ પિતાના હાથેથી જ સાફ કરવી પડે, જે આ બધું નિર્ધારિત સમજી મૂકયું છે, તે એમાં મન ક્યાં બગડે છે? “એ તો એમજ ચાલે એમ મન સાબૂત છે. બસ, એવું વિષમ સંગમાં બનાવવાનું, પછી અધ્યવસાય શું કામ અશુભ થાય ? શું કામ બગડે ?
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૨૦ ૦ ]
[ રુક્મી.
(૭) એક મહાન ઉપાય આ છે કે એ નક્કી કરવુ' જોઈએ કે આપણે આ જિનશાસન સાથેના મનુષ્ય ભવમાં કાને પરણ્યા છીએ ? અર્થાત્ કાની સાથે હૈયાને મુખ્ય સબંધ ધરાવીએ છીએ ? ત્રિલેાકનાથ ભગવાન અરિહંત ધ્રુવ અને એમણે આપેલ માક્ષ-ઉપાયે સાથે ? કે જડ કાયા–માયા અને ચિત્તના દોષ। મદ્ય-તૃષ્ણા વગેરે ચ'ડાળ–ટાળકી સાથે ? કાની સાથે હૈયાને મુખ્ય સબંધ છે ? જો પહેલા સાથે તેા ખીજાના આધા–પાછામાં મન મગાડવાનું' કામ નથી,સીતા રાજ્ય કે લક્ષ્મીને નહિ પણ રામને પરણી હતી, એને રામ સાથે મુખ્ય સમધ હતા. તેા વનવાસમાં એમની સાથે જવામાં જરા પણ એને આંચકા ન આવ્યે; મનને એછુ ન આવ્યુ', કેમકે એની પાસે રામ સલામત હતા. એમ આપણી પાસે પરમાત્મા અને શાસન સલામત છે, પછી શુ' કામ મનને એ' લાવી અવ્યવસાય ખગાડીએ ? જો મગાવું છે તે એમ કહા કે ભગવાન અને એમના શાસનને નહિ પણ બહારની દુનિયાને પરણ્યા છીએ.'
<
પ્ર−પણ મહારના વિના જીવનનું ગાડું ક્યાં ચાલે છે ? સાધુ મહારાજને ય કાયા સ'ભાળવી પડે છે.
ઉ−અરે ! બહારના વિના ચાલતુ' નથી પણ એ મહારનુ તમારા હાથમાં છે કયાં ? ઊંચાનીચા થાએ એમાં એ સુધરી જાય ? એ તેા પુણ્યની નાણાં-કેાથની મુજબ જ મળે છે. રહે છે. અને ભાગવાય છે. બહારના વિના ચાલતું નથી એની કયાં માંડા છે? એમાં તે વલખાં મારા એટલુ જ ખાકી એ સરાસર નિષ્ફળ છે. કાંઈ ઊપજવાનુ' નથી વલખાનુ', કે નથી ઊપજવાનુ` મલિન અધ્યવસાયાતુ પુણ્યની જેવી ચિઠ્ઠિ ફાટશે એટલુ' જ પામવાનું છે.
Page #334
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮]
[૩૨૧ માટે જયાં આપણું ઊપજે નહિ, જે આપણું કહ્યામાં નહિ, જે આપણી ઇચ્છાનુસાર ચાલે નહિ, એવા સાથે હૈયાને મુખ્ય સંબંધ રાખવાની મુખઈ કરવા કરતાં,
જ્યાં આપણું ઊપજે છે, આપણી ઈચ્છા ખરેખર પૂરાય છે, એવા પરમામા, અને એમનાં શાસન, ને એમના ધર્મ સાથે જ મુખ્ય સંબંધ કાં ન જોડી રાખીએ?
માનેલા વિષમ સંગમાં પણ આવા એક યા અનેક ઉપાય. વિચારી ચિત્ત બગડતું અટકાવી શકીએ છીએ, ને શુભ અધ્યવસાય કેળવી ટકાવી શકાય છે. બીજું કાંઈ ન જડે ત્યાં પણ આ એક જબરદસ્ત ઉપાય છે કે,
(૮) મન બગડવાનું લાગતાં ઝટ મનમાં “અરિહંતા મે સરણું, સિદ્ધા કે સરણું, સાહુ મે સરણું, કેવલિનત્તો ધમે મે સરણું, એ રટના ચાલુ કરી દઈએ, તે પણ ગદ્દગદ દિલે, એમ સમજીને કે “હે પ્રભુ! આ વિકલ્પકારી પ્રસંગમાં મને કાંઈ સમજ પડતી નથી. મારે કઈ આધાર–આશરે નથી, મારું કઈ જ નથી; મારે તમારે જ આધાર છે, આશરો છે, હું તમારા શરણે છું. નાથ ! કમમાં કામ મારું મન ન બગડે એવી કૃપા કરજે, ચિત્તસમાધિ આપજે, તમે મારા મનમાં જ વસી રહેજે. મને પક્કી શ્રદ્ધા છે કે જરૂર તમારા શરણે મારૂં ચિત્ત સ્વસ્થ રહેશે.”
અભ્યાસ કરે પડશે, આ ઉપાયેની વારંવાર ભાવના કરવી ઈશે. તે જ અવસરે વિષમતામાં પણ એ શુભ અધ્યવસાય શખવાનું બળ આવશે.
આ ભાવનાને વારંવાર અભ્યાસ નથી કર,કિંમતી મનથી કિંમતી કામ નથી લેવું, ને દણુને વારંવાર અભ્યાસ રાખવે
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૨૨]
[ રુકમી છે, અરે! કિંમતી મનથી કચરા કામ લેવું છે, તો કશું વળશે નહિ; લખી રાખે.
રાજકુમાર શીલ અને શુભ અધ્યવસાયના બળ ઉપર મુસ્તાક છે, નિશ્ચિત્ત છે, દુશમન સુભટોના તામસ ભાવથી જરાય ગભરાતે નથી; પડકાર કરે છે, “તમારી તાકાત હોય તો ભલે શસ્ત્ર અજ. મા !” ખાતરી છે એને કે પિતાના શીલ અને શુભ અધ્યવસાયના બળ પર કશું થાય નહિ; ને પૂર્વના તેવાં કેઈ નિકાચિત પ્રબળ કર્મના ઉદયે કદાચ ઘા પડે, તે ‘પાસે શુભ અધ્યવસાયનું બળ અખંડિત રહેવાનું હોઈ, ઘા પડવામાં પણ કશું બગડવાનું નથી, એ પણ વિશ્વાસ છે. - સુભટો ઑભિત –
બસ, કુમારના શીલના મજબૂત પાયા ઉપરના પડકાર પર તિક્ષણ તલવાર–ભાલા વગેરે શસ્ત્રોના ઘા કરવા જતાં સુભટ એમજ શિલાના પત્થર જેવા પાકા ખંભિત થઈ ગયા ! ન હાલી શકે, ન ચાલી શકે, ન ઘા લગાવી શકે ! ઘણુંય મચ્યા હાલવા ને પ્રહાર કરવા, પણ શીલના પ્રખર પ્રભાવે એમને જરાય ચસકવા દીધા નહિ. બિચારા ડેળા ફાડીને કુમાર સામે જોઈ રહ્યા, શું કરે? ગમ પડતી નથી કે આમ કેમ બની રહ્યું છે. વાત પણ સાચી, કે.
તામસ ભાવમાં રમનારને આધ્યાત્મિક અચિંત્ય શક્તિ અને એનાં અદૂભુત ફળને ખ્યાલ ન આવે.
સુખ-સંપત્તિ શેનાથી મળે – બેલો, “પ્રભુ નામે આનંદ, સુખસંપત્તિ કહીએ આવી જાથ શાળાનના નામની ચાદૂભુવા શક્તિ ઉચે ચારાબર શ્વસી ગઈ
-
-
- -
-
-
Page #336
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮]
કિ૨૩ છે? “» હી વર્ણ જડી કરી, જપીએ પારસનામ, વિષ અમિત થઈ પરગમે આ “ હીં પાર્શ્વનાથાય નમ:ના જાપને પ્રભાવ હેયે જચી ગયે છે? ના, તે શું કારણ છે? આ જ, કે આનંદ કે સુખ-સંપત્તિ તે બજાર વગેરે કરવાથી જ મળે, એનાં સાચાં સાધન એ જ', એવા તામસભાવની રમણતા છે. ઝેર તે. દવા–એસિડિયાથી જ નાબુદ થાય એ તામસભાવ હૈિયે વસેલે છે. પછી ત્યાં પિલ્લી આધ્યાત્મિક શક્તિ હૈયામાં ક્યાંથી ઠસે ? અને ઠસે જ નહિ તે એનું જ મુખ્ય આલંબન કરવાનું કયાંથી સૂઝે!
આધ્યાત્મિક બળ સાધો.
આધ્યાત્મિક પરિબળે મળે છતે ય જીવન એને સિદ્ધ-સફળ. કરવા સિવાય એમજ વેડફી નાખશે? અલબત તુચ્છ લાલચ માટે એ આધ્યાત્મિક બળ સિદ્ધ નથી કરવાનાં, પરંતુ નિરાશંસ ભાવે તે સિદ્ધ કરવા જોઈએ ને ? શું એના પર એ વિશ્વાસ લઈ ન ધરીએ કે કદાચ ક્યાંક અવસર આવી લાગે તે હું મારી નવકાર-સિદ્ધિ વગેરે પર સામાનું ઝેર ઉતારી દઉં? સામાની કોઈ તેવી ભયંકર પીડા શમાવી શકું?” આ બની શકે, પણ પહેલાં આપણે દિલના અથાગ ઉછળતા વિશ્વાસ અને સમર્પણથી અરિહંતાદિ પરમેષ્ઠિ–નમસ્કાર, પાર્શ્વનાથ ભગવાનનું સ્મરણ, તેવા કેઈ સ્તોત્ર વગેરેને સિદ્ધ કરીએ. આધ્યાત્મિક ઉપાય જે અંતરાયકર્મને નાશ કરીને કાર્યસિદ્ધિ સરળ સુલભ બનાવી શકે, એ. તાકાત બાહા ભૌતિક ઉપાયમાં ક્યાંથી હોઈ શકે?
કુમારને મૂછ –
હવે અહીં કુમારની વાણી ઉપર હુમનના સુલતે નિશ્ચલ બની ગયા, કિન્તુ એ આશ્ચર્ય એ થયું કે કમાણ પતે ભૂતિ
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૨૪]
[૨મી અની બસ કરતાં ધરણું પર ઢળી પડે છે !
કેમ મૂચ્છ? કેમ ઢળી પડવાનું? કેઈ ડર તે હતું નહિ, ને હવે તે ઉલટું સામે સુભટો નિશ્ચલ સ્થિર શિલા જેવા થંભી ગયા છે, પછી ડરવાનું ગભરાવાનું હોય જ શાનું? ત્યારે કોઈને એણે માર્યા નથી યા એના નિમિત્તે કઈને એમજ મરવાકરવાનું બન્યું નથી કે જેથી એને આ દયાભર્યા દિલને આઘાત લાગી ગયો હોય. તે પછી મૂચ્છનું શું કારણ? કારણ અદ્ભુત છે,
કુમારને અવધિજ્ઞાન :–
સુભટો નિશ્ચલ થઈ થંભી ગયા એ આ કુમારે પિતાના શીલને જાગતે પ્રભાવ જે, ત્રિકરણશુદ્ધ શીલની ખાતરી ય થઈ એના પર શુભ અધ્યવસાયની ધારા એવી વધતી ચાલી કે એથી એને અવધિજ્ઞાનાવરણ કર્મને કુરચા ઉડયા ! કર્મને પશમ થયે અને અવધિજ્ઞાન પ્રગટ થયું ! તે પણ ભવેના ભવ સાક્ષાત્ જોઈ શકે એવું ! એમાં એણે જે પિતાની દુઃખદ સ્થિતિ જોઈ અહીંની અને પૂર્વ ભવની આરાધનાની સામે પોતાની બહુ પૂર્વના ભવમાં જે જાલિમ દુર્દશા નિહાળી, એના પર એ એ -ચકી ઊઠે કે મગજ ઘુમ થઈ ગયું, ભાન ચાલ્યું ગયું, અને
મૂચ્છિત થઈ ગયે ! બસ પડયે ધરતી પર ! - આપણે ખુશમિશાલ કેમ કરી શકીએ છીએ? પૂર્વની ભયંકર દુર્દશા, નરક–તિર્યંચ ગતિનાં કારમાં દુઃખત્રાસ-રિબામણ વગેરે નજર સામે નથી માટે. શાસ્ત્રવચનથી જે એ પ્રત્યક્ષવત નજરમાં આવ્યા કરે તે અહીંના બધાય તુચ્છ અસાર હર્ષકલેલ અને લાલચેન સુકાઈ જાય. મનને થાય કે એવા લાખ કરોડે ભમાં
Page #338
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮]
[ ૩૨૫
દુઃખનાં ડુંગરા, અપમાન–તિરસ્કાર-અવગણના, કચરામણ-જ્જુદામણુ-પીસામણ, ભૂખ-તરસ, રાગ-શાક વગેરે ભાગવી આવેલા હું' મૂઢ અહીં' અલ્પ કાળના અને અતિ અલ્પ પ્રમાણમાં માનસન્માન કે ખાનપાનમાં શું જોઈને રાચી રહ્યો .છું ? કૂતરાને આખા દિવસ હડધૂત-મારપીટ મળતી હાય ને ક્ષણવાર કાઈ પંપાળે, ખીલાવે, કે ટૂકડા રોટલાને દેખાડે, એમાં એ પૂછડી પટપટાવે, પગ આગળ પડી આળેટી. આનંદૅ ઉલ્લાસ ખતાવે, એ કેવા લાગે ? અલ્યા પૂના દીવ્ર દુઃખ તા જજે, અને હમણાં પછી તે પાછુ હડધૂત અને અપમાન મળવાનાં છે,તેા શે। અત્યારે રાચે-નાચે ? એમ કહેવાનું મન થાય ને? કુતરા માટે તા એમ વિચાર આવે, પણ આપણી જાત માટે ? કુતરાને થતા ત્રાસ-અપમાન તા વિસાતમાં નથી, પણ આપણે તે એથી અનતગુણા ત્રાસ– અપમાન યુગેાના યુગા વેઠી આવ્યા છીએ, અને હજી પણ સખણા નહિ ચાલીએ તે ભાવી એ દુશા આપણને વધાવવા ડાકિયાં કરી રહી છે ! પછી કઈ બુદ્ધિ પર અહીંના અસાર તુચ્છ અને અત્ય૫ વિષયસુખ અને ગમારનાં સન્માન પર હર્ષઘેલા અને ગૉન્મત્ત મનીએ ?
‘સાધવઃ શાસ્ત્રચક્ષુષઃ' સજ્જન પુરુષા શાસ્રરૂપી આંખે જોનારા હાય, શાસ્ત્રથી જાણ્યુ. તે જાણે પ્રત્યક્ષ આંખેથી દેખ્યુ ! એનું નામ શાઅશ્રદ્ધા બેાલવુ છે ‘હું શાસ્ત્ર માનું છું”, ને શાસ્ત્રની વિગતા પ્રત્યક્ષવત્ નજર સામે હુબહુ તરવરતી રાખવી નથી, એ શાસ્ત્રમાન્યતા કેવી પાકળ એ શ્રદ્ધા શાની? ઝેર મારે' એ વચન પર શ્રદ્ધા કેવી થાય છે ? જાતે સ્વ કે પરમાં
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૬ ]
[ રુમી
કદી એના પ્રયાગ જોયે નથી, છતાં અટલ વિશ્વાસ રહે છે કે ઝેર તા કાતિલ, સીધુ' મેાત જ પમાડે!' એટલે તે કયાંક ખારામાં ઝેર પડયુ' સાંભળતાં એના સ્પર્શે કે દર્શન પણ કર્યાં વિના આઘા ભગાય છે. તે! અહી' કેમ આમ ? પછી કદાચ કહા કે “જો પ્રત્યક્ષ જોવા મળે, જાતિસ્મરણ થઈ જાય, તા તા ઝટ એઠા ત્યાંથી ઊભા થઈ જઈ એ, તેા એ ય ખાલી સમજાવવાની વાતે, ખરેખર તેમ અને તાય પછી ખીજા ત્રીજા મહાનાં કાઢી છટકવાતું જ થાય. નિદાન આ લાગે છે કે હૈયાં નહેર ડાય ત્યાં પેલા કૂતરાના દૃષ્ટાન્તથી વર્તમાનનાં તુચ્છ આનંદની લ'પટતામાં અતીત કે આગામી દુઃખ-ત્રાસ-વિટ ખણાનું સ્મરણ મનને ક્ષેાલ આધાત ન લગાડે.
કુમારને અવધિજ્ઞાન થતાં પેાતાના પૂર્વ ભવાની દુ:ખમય અને અજ્ઞાનતાભરી દુશા નજર સામે આવતાં ભારે આઘાત લાવ્યો, અને સૂચ્છિત થઈ ગયો, વિશિષ્ટ શુભ ચિતનની ધારા કેવા સંયોગમાં કેવી જખ્ખર ઉછળી કે એક ગૃહસ્થ છતાં અવધિજ્ઞાન પ્રગટ થઈ ગયું !
સહેજ સૂઝના દાખલા
આજે પણ ચિ’તન કરતાં કરતાં ઈન્ટયુઝન INTUTION જ્ઞાન (સહેજ સૂઝ) થયાના દાખલા મળે છે. થોડા વરસ પહેલાં આવું કાંઈક સાંભળેલું કે દિલ્હિમાં બેઠેલા આવી સૂઝવાળા એક માણસ ને એક ભાઇ મુંબઇમાં બેઠેલા પેાતાના સ્નેહી અંગે પૂછવા ગયા, ત્યારે પેલાએ કહ્યુ' અત્યારે એ અમુક સ્થિતિમાં છે તે અમુક કાર્ય કરી રહેલ છે.' એ સાંભળીને પછી એણે તપાસ
Page #340
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૨૮]
[૩ર૭ કરી તે બરાબર એ સ્થિતિ માલમ પી. આ સૂઝ જ્ઞાન છે, અવધિજ્ઞાન નહિ હ. અવધિજ્ઞાનમાં તે હુબહ સામે હોય એની જેમ પ્રત્યક્ષ દેખાય. આ તે મતિજ્ઞાનને એક પ્રકાર છે, ચિંતનમાં ભાસ થાય એટલું જ. અમેરિકામાં પ્રેસીડન્ટ કેનેડીની હત્યા થઈ તે અગાઉ આવા એક જ્ઞાનવાળાએ સચોટ કહેલું કે કેનેડીની મને અમુક સમયે હત્યા થવી ભાસે છે, પણ બ્રિચારાનું આ કહેવું મનાયું નહિ, છતાં બરાબર એમજ બન્યું,
ચિંતનમાં પણ છે આમ મતિજ્ઞાનાવરણને અસ હટી જવાથી ચિંતનથી સચોટ ભાસ થાય, તો પછી ઉત્કટ બ્રહ્મચર્ય તપ-સંયમ આદિના બળ સાથે તન્મય વિશિષ્ટ શુભ ચિંતનથી અવધિજ્ઞાનાવરણને અંશ હટી જઈ અવધિજ્ઞાન થાય એમાં નવાઈ નથી. અહીં પરદેશી રાજકુમારને એ બન્યું છે. જીવનકર્તવ્ય –
આ ઉપરથી એ સમજાશે કે માત્ર પુસ્તકનું જ્ઞાન મેળવી રીધ્રાથી ગંભીર અને વિસ્તૃત તથા રહસ્ય ભલે વિશિષ્ટ બાધ થઈ જાય એ નિયમ નથી. ત્યારે ગુરૂ વિનય-બહુમાન આદિ પવિત્ર જ્ઞાન–દશનાચાર અને શીલ વ્રત-નિયમ તસ્મા જિનભક્તિ આદિના જોરદાર પરિબળો સાથે માર્થાનુસારી વસ્ત્રાનુસારી. ચિંતનથી એ વિશિષ્ટ બંધ થયાના દાખલા મળે છે. તે પછી આ ચિજીવન માસી કેવાં ઉગ્ન કર્તવ્ય કāા રહે છે એ વિચારી જુએ.
કમનસીબી છે કે આજે સલથી માંડીને મોટી મોટી કોલેજ સુધી આ પવિત્ર જ્ઞાનાચાર દર્શનાચાર આદિ, ને શીલ વ્રત નિયમ
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૨૮]
[ મી વગેરે કશું શીખવાડવામાં આવતું નથી. તેથી આજના છોકરા એના ભણતરના ઢંગ દેખે છે. મુનિ બન્યા પછી પણ આ કક આચારોનું પાલન, ઈદ્રિયદમન, વ્રત નિયંમ સંયમન ચિંતન વગેરેમાં હાસ થતો હોય, તે તરવાનું કયાં?
રાજકુમારમાં ઉત્કટ બ્રહ્મચર્યનું બળ હતું, સંયમ હતું, દયા હતી, પાપની ભારોભાર ઘણા હતી એમાં બ્રહ્મચર્યને પ્રભાવ જોઈ “ઓહ! આ શું?” એમ મન માર્ગનુસારી અને તત્ત્વાનુ સારી ચિંતનમાં ચડ્યું. એમાં અવધિજ્ઞાન પ્રગટ થઈ ગયું. જ્ઞાનમાં ગજબની દશા જોતાં મૂરછી આવી ગઈ - રુકુમી રાજપુત્રી વિધવા બની ઉત્તમ શીલ બ્રહ્મચર્યઆચારે પાળનારી બની, પણ પરદેશી રાજકુમાર પર દષ્ટિ ટેકાવી, “પરપુરૂષ ઉપર દષ્ટિ નહિ ટકાવવી” એ આચાર ભૂલી, તે વિષયરાગમાં એનું પતન થયું. એ જોતાં ઉદાસ-દુખિત વિરક્ત બની ગયેલે રાજકુમાર ત્યાંથી નીકળી સંયમની ભાવનાએ બીજા રાજ્યમાં આવ્યું. રાજાને આશ્રય લીધે, રાજાના આગ્રહ રુકમી નામ બોલતાં ભેજનમાં અંતરાય આ, પરરાજાનું સૈન્ય ધસી આવ્યું, રાજા ભૂગર્ભ–સુરંગમાં નાઠે રાજકુમાર-મારા બ્રહ્મચર્યને પ્રભાવ હોય તે મને શત્રુના ઘા ન લાગ” એમ સંકલ્પ કરી બહાર પડતાં દુશ્મન સિપાઈઓના શસ થંભી ગયા. એના પર શુભ ચિંતને કુમારને અવધિજ્ઞાન થયું ને મૂર્છા આવી ગઈ.
સમાપ્ત
Page #342
--------------------------------------------------------------------------
_