________________
[૧૩,
પ્રકરણ ૨]. રાક્ષસી જડબા વચ્ચે આ દેહ ભલે જામફળની જેમ ચવાઈ જાઓ, તે પણ પરવા નથી. એમ થશે તે એમાં થનારૂં સમાધિ અને શુભ ધ્યાન સાથેનું મૃત્યુ અનંતા કમસ્કા ના ભુક્કા કરશે ! વાહ વાહ ! કેવી એ ધન્ય ઘડી કે અતિ અલ્પ કાળના સહનમાં અસંખ્ય જનમનાં પાપ કર્મોના ઢેરના હેર ખત્મ થઈ જાય !” ક્યાં મનમાં આ નક્કી કરી રાખ્યું હોય ત્યાં સિંહથી ગભરાટ છે. ચાર મહિના સુધી આમ ખડા છે!
આડાઅવળા ફાંફા માં મારો? અહ-ભક્તિ અને ત૫ સે.
પંચમ કાળની વાત છે આ, હાં? એક રાત નહિ, એક અઠવાડિયું, એક પક્ષ નહિ, એક મહિને નહિ, ચાર મહિના ! આપણને અડધો કલાક કાઉસ્સગ્નમાં ઊભા રહેતાં વિચાર થાય. બસ ! પ્રતિક્રમણમાં જ કાઉસ્સગ્ન કરવા બંધાયેલ નેપછી શી જરૂર? બાકીના ટાઈમે બિનજરૂરી કેમ લાગ્યું? કાઉસ્સગ શી ચીજ એની ખબર કયાં છે? પ્રતિક્રમણ સિવાય પણ કાઉસ્સગ માણસો જ કરતા એમ નહિ; મોટા મોટા રાજા મહારાજાઓ પણ કાઉસ્સગ્ન કરતા! અમસ્તા નહોતા કરતા! મહા લાભ જે હશે ને? રાતમાં જાગી પડયા, તે “કર કાઉસગ્ગ, ઉપદ્રવ આવ્યો તો કર કાઉસ્સગ', રાત્રિ-પૌષધ છે તે રહેવા દે કાઉસ્સગ્ય ધ્યાનમાં. આ ઉદ્યમ હતા. આપત્તિ આવે, કઠિનાઈ આવે, ત્યાં આડાઅવળી ફાંફા મારે છે,