SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' ? પ્રકરણ ૧૫] [ ૨૧ કંગાલ દશા લાગે, અને દિલ ઝંખે કે “આવા સમર્થ વિતરાગ પરમાત્માના આલંબને એ દોષને પિતે લાત મારી કાઢી મૂકે.” એટલે બધે એના પર તિરસ્કાર છૂટે, એટલી બધી એની લાજ –શરમ લાગે. ત્યારે જે ચૈત્યવંદન આદિમાં પ્રભુ પાસે માગણ હેય, તે અંતરમાંથી ગદ્ગદ્ થઈને કાકલુદીભરી પ્રાર્થના નીકળે કે “નાથ! મને આ આપે. મારે ખરેખર આ જોઈએ છે, ખાસ જોઈએ ને તે આપનાથી જ સિદ્ધ થવાનું છે.” '' વાત આ છે કે (૧) ગુણગાન, તે પ્રભુના ગુણ પર આફરીન થઈ જઈને કરાતાં હેય; (૨) સ્વદોષ-નિવેદન તો રડતા રહૃદયે કરાતા હોય; અને ઈષ્ટની (૩) પ્રાર્થના તે “એની પોતાને ખાસ જરૂર છે એ ભાવ કરી, “પ્રભુના બળે જ એ પ્રાપ્ત થશે એવા અટલ ભારે ભાર વિશ્વાસ સાથે કરગરતા દિલ અને -શબ્દથી કરાતી હોય. .' દિલની સ્તુતિને પ્રભાવ અનેરે છે. વારંવાર પ્રભુના ગુણે અને ઉપકાર પર ખરેખર આફરીન થવાય, લુબ્ધ થવાય, સાથે બીજા સમયમાં એની ભાવના કરતા રહેવાય, તે એની આગળ બીજું તુચ્છ લાગે. મોટી રાજ્યસંપત્તિ, ઠકુરાઈ વગેરે ય તુચ્છ લાગે, અને પ્રતિપક્ષી દેષો પર ખરેખરી ધૃણા વરસ્યા કરે, એવું સ્વદેષ કીર્તનમાં એના ઉપર વૃણે વરસ્યા કરે. આ દુકૃતગહ અને સુકૃતાનમેદના એ તે ભવસ્થિતિ પકવવાના અનુપમ ઉપાય છે. સાથે ઉચ્ચ ગેત્રિકમ અને શાતા વેદનીયાદિ પુણ્યને - બંધ કરાવે. વળી દિલના અહંકાર તોડી નાખે, તેથી આત્મામાં શણુનદી વહેતી થાય છે
SR No.023023
Book TitleRukmi Rajanu Patan Ane Utthan Part 01
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year1973
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy