________________
પ્રકરણ ૭] બ્રહ્મચર્ય કે સદાચારના ખપીએ વિજાતીયના પરિચય જ નહિ રાખવા જોઈએ, પછી એની સાથે બોલચાલના લપડાવેડાની વાતે ય શી? તે જ મન સ્વચ્છ નિર્મળ પવિત્ર રહી શકે. નહિતર જો એ પાપ મનમાં પેઠું, તે ધર્મ–ભાવનાનું આવી બન્યું ! વિષય–સંકલિષ્ટ મનમાં ધમની ભાવના, ધાર્મિક ભાવ ચાલો મુશ્કેલ. કદાચ ચલાવવા માંડે તો ય તરત વચમાં પેલે દુષ્ટ ભાવ દુષ્ટ વિચાર કુરી આવવાને. તે ય એ લાંબો ચાલશે કે ધર્મભાવને ત્યાં ઝગમગવું ભારે કઠિન !
ત્યારે વિષયલંપટ જીવનાં ઓજસ પણ હણાઈ જાય છે; એમ, ધારણાઓ નિષ્ફળ થાય છે. યવિજયજી મહારાજ કહે છે, “અબ્રહ્મચારીનું ચિંતવ્યું, કદીય સફળ ન થાય, પાપસ્થાનક ચેાથું વરજીએ.” વિજાતીયની પાછળ દિવાને બનેલે માણસ શરીરના રાજા વીર્યને નષ્ટ કરે છે, આ બધા ઉપરાંત જીવનને અંતકાળ અતિશય દુઃખદ અને પરલોક ભયંકર સર્જાય છે. '
રુકમી બ્રહ્મચર્યમાં પકવ બનતી જાય છે, ને એની છાયા બીજાઓ ઉપર ઘેરી પડે છે. મોટા દિવાને-મંત્રીએ પણ એને બહુ સન્માનની દષ્ટિએ જુએ છે. - રાજાના મૃત્યુ બાદ -
આનું પરિણામ એ આવ્યું કે જ્યારે રાજાનું આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ થયું, ત્યારે એને પુત્ર તે હતું નહિ, એટલે મંત્રીઓ વિચાર કરવા લાગ્યા કે રાજગાદી કેને સેંપવી ? વિચારણાના અંતે એમણે નકકી કર્યું કે રુમીને જ રાજ્યા. ભિષેક કરવો.
મંત્રીઓ ફમીને કહે છે,