________________
હતા. નાના મોટા બધાં અસ્વસ્થ થયાં, પરંતુ તેના અભાવનું દુઃખ જણાવી દીધું નથી. બાળકોની સફળતા અને સંપન્નતા જોઈને એક-બે વાર કહ્યું હશે કે, “તે કેવળ તંગી જોઈને ચાલી ગઈ. સુખ જોઈ શકી નહીં.'
તેઓ આવી વિપરિત સ્થિતિમાં આટલા અચલ કેવી રીતે રહ્યા? મૃત્યુને કદાચ ઊંડાણતી જાણતા હતા. આથી કેવળ પત્નીનું જ નહીં પરંતુ કોઈ પણ મૃત્યુ તેમને હલાવી શક્યું નથી.
સને ૧૯૬૫માં પત્નીનો વિયોગ થયો. ૨૦૦૧ સુધી કોઈ અકાળ અકારણ ઘટના બની નહિ પાછો ભૂકંપ આવ્યો. પૌત્રી શુભાના લગ્નના માત્ર સાત દિવસ પહેલાં સૌથી મોટો પુત્ર માણેક, જે તેમના હૃદયનો માણેક હતો, દવાઓની મિશ્ર પ્રતિક્રિયાથી ગંભીર રીતે બિમાર થઈ ગયો. તે ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં હતો ત્યારે જેમ તેમ કરી પૌત્રીના લગ્ન પતાવ્યાં.
૫ ફેબ્રુઆરી ૨૦૦૧, સવારે ૮-૩૦ વાગે હું ઘેર આવ્યો. તેઓ પોતાના નિત્યક્રમમાં વ્યસ્ત હતાં. થોડીવારમાં નિત્યક્રમ પરવારીને આવ્યા. મેં કહ્યું બેસી જાવ.” “બોલ બેટા'. મેં કહ્યું, “ભાઈસાહેબ હવે રહ્યાં નથી. તેમનો ચહેરો ગંભીર બની ગયો. શરીર સ્તબ્ધ થઈ ગયું. સ્થિતિ વિકટ થવા લાગી. પછી અચાનક બોલ્યા, મને એક મિનિટ આપ.” આંખો બંધ થઈ ગઈ ને જાણે ક્યાંક ખોવાઈ ગયા. ૧૫-૨૦ સેકન્ડ બાદ ફરી સ્વસ્થ થઈ ગયા. થોડી વાર પછી બોલ્યા, “જે થાય છે તે સારા માટે પર વર્ષનો યુવાન દીકરો અકસ્માત અકારણ મૃત્યુ પામ્યો. એવો પુત્ર જેણે ૧૬ વર્ષની ઉંમરે ઘરમાં માતાનું સ્થાન સંભાળ્યું હતું. પોતાના ગાઢ પ્રેમથી, સાહસ અને સમજથી પોતાના પરિવાર અને અગણિત લોકોને પ્રેમથી રહેવાનું શીખવ્યું અને રસ્તો બતાવ્યો. માણક ભાઈસાહેબે ભેંશાલી પરિવારમાં સંસ્કાર, સમૃદ્ધિ અને વિકાસ ત્રણેના પાયા નાંખ્યા હતા અને તેના વશમાં ચાર ચાંદ લગાડ્યા હતા. માણક પિતાના તો શ્રવણ જ હતા. જીવનમાં માણેક દ્વારા જેટલું સુખ અને સન્માન મળ્યું હતું તેટલું કોઈનાથી મળ્યું ન હતું. એવો પુત્ર અચાનક ચાલ્યો જાય અને તેઓ કહે, “જે થાય છે તે સારા માટે સંસારી માટે આ માનવું કે જાણવું અત્યંત અઘરું છે. ફરી પાછી તે જ અટલતા, એક શબ્દ નહીં, એક આંસુ નહીં, જીવન પૂર્વવત્.
દરેક વખતે તે મૃત્યુને અંગૂઠો દેખાડતા. દરેક પરિસ્થિતિમાં તેઓ કાંઈખ ને કાંઈક સારું જ જોતા હતા. પુત્રીઓ ગઈ તો કહ્યું, જુઓ દુઃખ જોયું નહીં