________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી, યુવરાજ્ય પણ નથી ને રાજા પણ નથી, માટે અસતને વ્યવહાર કેમ કરવું જોઈએ? રાજાએ કહ્યું કે પુત્ર! આવી ગાંડી ગાંડી વાતે ન કર, તું હવે યુવરાજપદવીની શોભાને સારી રીતે વધાર! કે, જેથી આગળ ઉપર તું રાજાનો રાજા બનવાને માટે યોગ્ય અધિકારી બની શકે. રાજાનાં ઉપર્યુક્ત વચનો સાંભળીને યુવરાજ બોલ્યો કે હે રાજન્ ! તમે અસત્ માયાને સત માનીને ગાંડી ગાંડી વાતો કરે છે. જે વતુજ નથી તેને સત્ માનીને મૂર્ખ બનો છે, અર્થાત્ તેથી તમો ભ્રાન્ત થઈ ગયા છે. ત્રહાલયં મિથ્યા નેહનાનાતિ વિજ્ઞાન આ શ્રુતિનું જ્ઞાન હોત તો તમે અસતનું સંરક્ષણ કરવાનું મને કહેતજ નહિ. આ અવસરહીન અને પ્રસ્તુત વિષયપર અરૂચિકર અને ક્રોધ કરનારાં તેનાં વચન સાંભળીને રાજાના મનમાં ઘણું લાગી આવ્યું. રાજાએ ક્રોધ કરીને સેવકને આજ્ઞા કરી કે, ભદ્રક યુવરાજે મારું અપમાન કર્યું છે માટે તેને દરરોજ પાંચ ખાસડાં મારવાં. પિતાના હુકમ પ્રમાણે ભદ્રકને દરરોજ માર ખાવે પડતો હતો. સુમતિ દરરેજ ભદ્રકની આવી અવસ્થા દેખીને શેક કરવા લાગી. એક દિવસ રાજપુત્રી સુમતિ પેલા મહામાની પાસે બ્રહ્મજ્ઞાનની ચર્ચા કરતી હતી, તેવામાં રાજપુત્ર ભદ્રક પણ મહાત્માની પાસે આવ્યો અને નમસ્કાર કરીને બ્રહ્મચર્ચા કરવા લાગ્યો. બ્રહ્મજ્ઞાનની ચર્ચાથી ભદ્રકને ઘણે આનન્દ મળતો હતો. સુમતિ મનમાં કંઈક વિચાર કરીને મહાત્માને વિનવવા લાગી કે, હે મહાત્મન્ ! આપનો શિષ્ય રાજપુત્ર ભદ્રક, આપના આપેલા બ્રહ્મજ્ઞાન ઉપદેશથી દરરોજ પાંચ ખાસડાને માર ખાય છે માટે કૃપા કરીને હવે મારા બધુનું દુ:ખ ટાળે. આપ જ્ઞાની છે, આપની કૃપાથી મારા, ભાઈનું દુઃખ ટળી જશે એમ આશા રાખું છું. લોકોમાં આપના શિષ્યની હેલના થાય છે તે આપની થાય છે એમ હું માનું છું, માટે હવે ગમે તે ઉપાય કરીને મારા ભાઈને ખાસડાંને માર પડે છે તે બધુ કરાવો. રાજપુત્રી સુમતિનાં એ તાદુક વચને શ્રવણું કરીને મહાત્મા બેલ્યા કે, હે સુમતિ! “તેરા ભ્રાતા પંચજુત્તેકા માર ખાતા હૈ સે ન્યાયકી બાત હૈ, જે મનુષ્ય યારેકી બાત ગમારેમ કરતા હૈ ઉસકું પંચજુતિકા માર પડના ચાહિયે; બ્રહ્મજ્ઞાનકી બાત બ્રહ્મજ્ઞાનકે અધિકારી કે લિયે હૈ તેરા બધુ બ્રહ્મસાનકી બાત વ્યવહાર-કાર્યોને કરતા હૈ ઈસ લિયે ઉસકે વ્યવહાર અકુશલતાસે પંચજુતકા માર પડતા હૈ વહ બરાબર
ન્યાયકી બાત હૈ. રાજપુત્રી તુમ લડકી હૈ કિન્તુ યાર કી બાત ગમારોર્મ નહિ કરતી હૈ ઈસ લિયે તું બ્રહ્મજ્ઞાનકા આનન્દ પાતી હૈ, ફિર વ્યવહારદશાભી તિરસ્કાર નહિ પાતી હૈ.” મહાત્માનાં ઉપરનાં વચન
For Private And Personal Use Only