Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
વિનયશ્રુત
૨૯
અધ્યયન-૧: શ્લોક ૨૫-૨૬ ટિ ૪૨-૪૫
અસત્ય ભાષણ, સાવદ્યનું અનુમોદન કરતી વાણી, પાપકારી ભાષા, ક્રોધ-માન-માયા અને લોભને વશીભૂત થઈને બોલાતી ભાષા-આ બધી ભાષાઓ સદોષ છે.
૪૨. બંનેના પ્રયોજન માટે અથવા અકારણ જ (૩માળ)
ટીકાઓમાં આનો અર્થ છે—બંને પોતાના અને પારકા)ના પ્રયોજન માટે અથવા પ્રયોજન વિના.' ચૂર્ણિમાં આનો અર્થ બે અથવા વધુ વ્યક્તિઓની વચ્ચે બોલવું–કરવામાં આવ્યો છે. જે ૪૩. નિરર્થક (નિર) સુખબોધા ટીકામાં આ શબ્દની વ્યાખ્યામાં એક પ્રાચીન શ્લોક ઉદ્ધત કરવામાં આવ્યો છે
'एष वन्ध्यासुतो याति, खपुष्पकृतशेखरः ।
मृगतृष्णाम्भसि स्नातः शशश्रृंगधनुर्धरः ।। –જુઓ, આ વાંઝણીનો દીકરો જઈ રહ્યો છે. તેણે આકાશ-કુસુમની મસ્તકમાળા બાંધી છે, મૃગતૃષ્ણાના જળમાં સ્નાન કરીને હાથમાં સસલાના શીંગડાનું ધનુષ્ય લીધું છે. ૪૪. મર્મભેદી વચન (૫૫)
ચૂર્ણિ અનુસાર “મની નિયુક્તિ છે“પ્રિયતે ન તન મ–જેનાથી વ્યક્તિ મૃત્યુ પામે છે, તે છે મર્મ. જેવી રીતે કોઈને કહેવું કે તું તારી પત્નીનો દાસ છો– ‘થારી ભવાન'–આ મર્મવચન છે.'
મર્મ શબ્દના અનેક અર્થ થાય છે–રહસ્યમય, કડવું, પીડાકારક. વૃત્તિકારે અહીં તેની વ્યાખ્યા કડવા વચનનાં રૂપમાં કરી છે. કાણાને કાણો. નપુંસકને નપુંસક, રોગીને રોગી અને ચોરને ચોર કહેવો–મર્મભેદી વચન છે. તે યથાર્થ હોવા છતાં પણ મર્મને ભેટે છે. આ અતિ સંક્લેશકારી હોય છે.
ચૂર્ણિકારે એક શ્લોકના માધ્યમ વડે દર્શાવ્યું છે કે જેવી રીતે મર્મભેદી વચન પીડાકારક હોય છે તેવી જ રીતે જન્મસંબંધી અને કાર્યસંબંધી વચન પણ મર્મભેદી વચનની શ્રેણીમાં જ આવે છે. કોઈના જન્મનો ઉલ્લેખ કરતાં કંઈ કહેવું, આજીવિકાના સંબંધમાં કંઈ કહેવું વ્યક્તિના મર્મને સ્પર્શનાર હોય છે. મુનિ આ ત્રણેનો ત્યાગ કરે, કેમકે મર્મવિદ્ધ વ્યક્તિ પોતે જ આત્મહત્યા કરી શકે છે અથવા મર્મકારી વચન બોલનારની હત્યા કરી શકે છે–
'मम्मं जम्मं कम्म, तिन्नि वि एयाई परिहरिज्जासि । मा जम्म-मम्मविद्धे, मरेज्ज मारेज्ज वा किंचि ॥
૪૫. (સમજુ માણુ સચી)
સમરેહુચૂર્ણિકાર અનુસાર આનો અર્થ લુહારની કોઢ થાય છે. શાત્ત્વાચાર્યો આનો અર્થ હજામની દુકાન, લુહારની કોઢ
૧. (વા) વૃત્તિ :, પત્ર ૭ : ‘મ ' ત્તિ આત્મનઃ પર
च, प्रयोजनमिति गम्यते 'अन्तरेण व' त्ति विना वा
प्रयोजनमित्युपस्कारः। (૬) સુવવધા, પત્ર ૧૦ | ૨. ઉત્તરાધ્યયન ચૂળ, પૃ. ૨૬, રૂા.
૩. સુવવધા, પત્ર ૨૦ | ૪. ઉત્તરાધ્યયન વૂળ, g૦ રૂ . પ. એજન, પૃ૩૬ ૬. એજન, ૫૦ રૂ૭ : નામ ગલ્થ ટ્રા નદયારા
कम्मं करेंति।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org