Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
નમિ-પ્રવ્રજ્યા
૨૬૯
અધ્યયન-૯: શ્લોક ૨૪, ૨૬ ટિ ૨૮-૩૧
૨૮. મૂઠ (ય)
ધનુષ્યના મધ્યભાગમાં જે લાકડાની મુઠ હોય છે તેને ‘તન' કહેવામાં આવે છે.
૨૯. વર્ધમાન ગૃહ (વીમાાિળ)
‘વદ્ધમાદન’–ચૂર્ણિ અને ટીકામાં આનો સ્પષ્ટ અર્થ નથી મળતો. મોનિયર મોનિયર-વિલિયમ્સ આનો અર્થ ‘તે ઘર કે જેમાં દક્ષિણ તરફ દ્વાર ન હોય' એવો કર્યો છે. જે મત્સ્યપુરાણનો પણ એ જ મત છે. વાસ્તુસારમાં ઘરના ચોસઠ પ્રકારો બતાવાયા છે, તેમાં ત્રીજો પ્રકાર વર્ધમાન છે. જેની દક્ષિણ દિશામાં મુખવાળી ગૌશાળા હોય તેને વર્ધમાન કહેવામાં આવેલ છે."
ડૉ. હરમન જેકોબીએ વરાહમિહિરની સંહિતા (પ૩૩૬)ના આધારે માન્યું છે કે આ બધા ઘરોમાં સૌથી સુંદર હોય છે.” વર્ધમાનગૃહ ધનપ્રદ હોય છે. ૩૦. ચંદ્રશાળા (વીના પોટ્ટયાગો)
આ દેશી શબ્દ છે. આનો અર્થ ‘વનથી” છે. વર્તમીના અનેક અર્થો છે. અહીં તેનો અર્થ ચંદ્રશાળા કે જલાશયમાં બનાવેલો લધુ પ્રાસાદ છે.’
૩૧. (શ્લોક ૨૬)
- આ શ્લોકમાં રાજર્ષિએ કહ્યું–‘આ ઘર એક પથિકની વિશ્રામશાળા છે. જ્યાં મારે જવું છે તે સ્થાન હજી દૂર છે. પણ મને દઢ વિશ્વાસ છે કે હું ત્યાં પહોંચી જઈશ અને ત્યાં પહોંચીને જ હું મારું ઘર બનાવીશ. જે વ્યક્તિને એવી શંકા હોય છે કે હું પોતાના ઇચ્છિત સ્થાન સુધી પહોંચી શકીશ કે નહિ, તે જ માર્ગમાં ઘર બનાવે છે.”
રાજર્ષિએ કહ્યું–મારે મુક્તિ-સ્થાનમાં જવું છે. ત્યાં પહોંચવાના સાધનો સમ્યક્દર્શન વગેરે મને મળી ચૂક્યાં છે. હું તેમની સહાયથી ગંતવ્ય-સ્થાન તરફ પ્રયાણ કરી ચૂક્યો છું. પછી હું અહીં શા માટે ઘર બનાવું?'
સાય–શાન્તાચાર્યે આનાં સંસ્કૃત રૂપો ‘સ્વાશ્રય’ અને ‘શાશ્વત’ આપ્યાં છે. “સ્વાશ્રય' અર્થાત્ પોતાનું ઘર અને ‘શાશ્વત’ અર્થાત નિત્ય. અહીં આ બંને અર્થ પ્રકરણાનુસારી છે.૧૦
१. बृहद्वृत्ति, पत्र ३११ : केतनं' श्रृङ्गमयधनुर्मध्ये काष्ठमय
मुष्टिकात्मकम्। 2. A Sanskrit English Dictionary, p. 926. 3. मत्स्यपुराण, पृ. २५४ : दक्षिणद्वारहीनं तु वर्धमान
મુવીહૃતમ્ ! ૪. વાસ્તુસાર, ૭૬, પૃ. રૂદ્દા ૫. એજન, ૮૨,૫. રૂટ છે F. Sacred Books of the East, Vol. XLV, The
Uttaradhyayana Sūtra, p. 38, Foot Note 1. ७. वाल्मीकि रामायण, ५।८ । दक्षिणद्वाररहितं वर्धमानं
मुष्टिधनप्रदम्।
૮. (ક) ઉત્તરાધ્યયન વૂળ, પૃ. ૧૮રૂ : વાતા પોતિયા ITI
मूतियाओ, केचिदाहुः-जो आगासतलागस्स मज्झे
खुड्डुलओ पासादो कज्जति।। (५) बृहवृत्ति, पत्र ३१२ : 'वालग्गपोइयातो य'त्ति
देशीपदं वलभीवाचकं, ततो वलभीश्च कारयित्वा, अन्ये त्वाकाशतडागमध्यस्थितं क्षल्लकप्रासादमेव
'वालग्गपोइया य'त्ति देशीपदाभिधेयमाहुः । ૯. સર્વાર્થસિદ્ધિ, પૃ. ૨૦૮, ૨૦૬ ! १०. बृहद्वृत्ति, पत्र ३१२ : स्वस्य-आत्मन आश्रयो-वेश्म
स्वाश्रयस्तं, यद्वा शाश्वतं-नित्यं, प्रक्रमाद्गृहमेव ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org