Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ઉત્તરઝયણાણિ
૩૧૨
અધ્યયન ૧૧ શ્લોક ૧૫-૧૬ ટિ ૨૪-૨૫
૬. દુષ્મધર્ષ-બહુશ્રુત સિંહની માફક દુષ્યધર્ષ–અનાક્રમણીય હોય છે. અન્ય દર્શનવાળો તેના પર વૈચારિક આક્રમણ નથી કરી શકતો. પ્રશ્નવ્યાકરણમાં મુનિ માટે પણ આ જ ઉપમાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.'
૭. અપરાજેય–બહુશ્રુત વાસુદેવની માફક અપરાજેય હોય છે. ૮. લબ્ધિસંપન્ન-જેવી રીતે ચક્રવર્તી ઋદ્ધિસંપન્ન હોય છે, તેવી જ રીતે બહુશ્રુત પણ યોગજનિત વિભૂતિઓથી સંપન્ન હોય
૯. આધિપત્ય કે સ્વામિત્વ જેવી રીતે ઈન્દ્ર દેવોના અધિપતિ હોય છે, તેવી જ રીતે બહુશ્રુત પણ દિવ્ય શક્તિઓનો અધિપતિ હોય છે.
૧૦. તેજસ્વી–બહુશ્રુત સૂર્યની માફક તેજથી દીપ્ત હોય છે. પ્રશ્નવ્યાકરણમાં મુનિનું એક વિશેષણ છે–સૂર્યની માફક તેજસ્વી.
૧૧. કળાઓથી પરિપૂર્ણ અને સૌમ્યદર્શન–બહુશ્રુત પૂર્ણિમાના ચંદ્રની માફક સમસ્ત કળાઓથી પરિપૂર્ણ હોય છે. તેનું દર્શન સૌમ્યભાવયુક્ત હોય છે. પ્રશ્નવ્યાકરણમાં મુનિનું એક વિશેષણ છે–ચંદ્રમાની માફક સૌમ્ય .
૧૨. શ્રુતસંપન્ન–બહુશ્રુત કોઠારની માફક શ્રુતથી ભરપૂર હોય છે.
૧૩. આદર્શ—બહુશ્રુત જંબૂ વૃક્ષની માફક શ્રેષ્ઠ હોય છે, આદર્શ હોય છે. તેનું જ્ઞાન સંજીવનીનું કામ કરે છે, જેવી રીતે જંબૂ વૃક્ષનું ફળ.
૧૪. જ્ઞાનની નિર્મળતા–બહુશ્રત નિર્મળ જળવાળી શીતા નદીની માફક નિર્મળ જ્ઞાનથી યુક્ત હોય છે.
૧૫. અડગ અને દીપ્તિમાન–જેવી રીતે મંદર પર્વત અડગ અને વિવિધ પ્રકારની વનસ્પતિઓથી દીપ્ત હોય છે, તેવી જ રીતે બહુશ્રુત જ્ઞાન વડે અત્યંત સ્થિર અને જ્ઞાનના પ્રકાશથી દીપ્ત હોય છે. પ્રશ્નવ્યાકરણમાં મુનિનું એક વિશેષણ છે ગિરિશ્રેષ્ઠ મંદર પર્વતની માફક અચળ.
૧૬. અક્ષયકોષ–બહુશ્રુત સમુદ્રની માફક અક્ષયજ્ઞાન અને અતિશયો વડે સંપન્ન હોય છે. પ્રશ્નવ્યાકરણમાં મુનિનું એક વિશેષણ છે–અક્ષુબ્ધ સાગરની માફક શાંત". ૨૪. ધર્મ, કીર્તિ અને શ્રુત (ધમો વિત્તી તહીં સુઈ)
ચૂર્ણિકારે આ ચરણનો અર્થ બે રીતે કર્યો છે–યોગ્ય વ્યક્તિને જ્ઞાન આપનાર બહુશ્રુતને ધર્મ થાય છે, કીર્તિ મળે છે અને તેનું જ્ઞાન અબાધિત રહે છે. બીજી રીતે આનો અર્થ છે–બહુશ્રુત ભિક્ષુમાં ધર્મ, કીર્તિ અને શ્રત અબાધિત રહે છે.”
૨૫. (વયાપ, સારૂ વંથU) વિયાનં–કંબોજ (પ્રાચીન જનપદ, જે હાલ અફઘાનિસ્તાનનો ભાગ છે)માં પેદા થયેલ અશ્વ “કાંબોજ' કહેવાય છે.
૧. પ્રણનારા, ૨૦ ૨૧ : સીદૈ ....હોતિ સુધરે. ૨. એજન, મૂળે વ્ર ઉત્તેજીત ૩. એજન, ચં વ્ર સોમાવાઈ ૪. એજન, પ્રવર્તે નદ મંfrવિશે . ૫. એજન, જે સામાને ત્ર થિfમU
उत्तराध्ययन चूर्णि, पृ. १९८ : भायणे देंतस्स धम्मो भवति कित्ती वा, सो तहा सुत्तं अबाधितं भवति, अपत्ते देंतस्स
असुतमेव भवति, अथवा इहलोगे परलोगे जसो भवति पत्तदाई (त्ति), अहवा एवंगुणजातीए भिक्खू बहुस्सुते
भवति, धम्मो कित्ती जसो भवति, सुर्य व से भवति । ૭. (ક) ૩ત્તરાધ્યયન ચૂf, પૃ. ૨૨૮: વોને મવા વોના:,
अश्वा इति वाक्यशेषः। (ખ) વૃત્તિ , પત્ર રૂ૪૮: ‘વ વોનાનાં' વગરેનો દ્વ
वानां प्रक्रमादश्वानाम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org