Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati

View full book text
Previous | Next

Page 578
________________ મહા-નિર્ચન્થીય ૫૧૫ અધ્યયન ૨૦ઃ શ્લોક ૧૦, ૧૪ ટિ૭-૮ (૨) ભિક્ષુ, બહુશ્રુત, શ્રતધર, શ્રુત-સંચયવાન હોય છે. જે તે ધર્મ આદિ-કલ્યાણ, મધ્ય-કલ્યાણ, પર્યવસાન-કલ્યાણ, સાર્થક = સવ્યંજન છે, જેને) કેવલ, પરિપૂર્ણ, પરિશુદ્ધ બ્રહ્મચર્ય કહે છે, એવા ધર્મો, (ભિક્ષુ)એ ઘણા સાંભળેલાં, ગ્રહણ કરેલાં, વાણી દ્વારા પરિચિત, મન વડે અનપેક્ષિત, દષ્ટિ વડે સુપ્રતિબદ્ધ (= અંતઃસ્તલ સુધી જોયેલાં) હોય છે; આ પણ ધર્મ નાથ-કરણ હોય છે. (૩) ભિક્ષુ કલ્યાણ-મિત્ર = કલ્યાણ-સહાય = કલ્યાણ-સંપ્રયંક હોય છે. જે આ ભિક્ષુ કલ્યાણ-મિત્ર હોય છે, આ પણ.. (૪) ભિક્ષુ સુવચ, સૌવચસ્ય = મધુરભાષિત)વાળા ધર્મોથી યુક્ત હોય છે. અનુશાસની (= ધર્મ-ઉપદેશ)માં પ્રદક્ષિણગ્રાહી = સમર્થ (= ક્ષમ) (હોય છે), આ પણ (૫) ભિક્ષુ સબ્રહ્મચારીઓનાં જે વિવિધ પ્રકારનાં કર્તવ્યો હોય છે તેમાં દક્ષ = આળસ-રહિત હોય છે, તેમાં ઉપાય = વિમર્શયુક્ત, કરવામાં સમર્થ = વિધાનમાં સમર્થ હોય છે. આ પણ.. (૬) ભિક્ષુ અભિધર્મ (= સૂત્રમાં), અનિ-વિનય (= ભિક્ષુ-નિયમોમાં), ધર્મ-કામ = ધર્મેચ્છ), પ્રિય-સમુદામાર (= બીજાના ઉપદેશને સન્માનપૂર્વક સાંભળનાર, પોતે ઉપદેશ કરવામાં ઉત્સાહી, ખૂબ પ્રમુદિત હોય છે, આ પણ . (૭) ભિલુ જેવાં તેવાં ચીવર, પિંડપાત, શયનાસન, ગ્લાન-પ્રત્યય-ભૈષજય-પરિષ્કાર વડે સંતુષ્ટ હોય છે. (૮) ભિક્ષુ અકુશળ-ધર્મોના વિનાશને માટે, કુશળ-ધર્મોની પ્રાપ્તિ માટે ઉદ્યોગી (= આરબ્ધ-વીય), સ્થામવાન= દેઢપરાક્રમ હોય છે. કુશળ-ધર્મોમાં અનિશ્ચિત-ધુર (= ન ભાગનારો) હોય છે. (૯) ભિક્ષુ સ્મૃતિમાન, અત્યુત્તમ સ્મૃતિ-પરિપાક યુક્ત હોય છે; ઘણાં સમય પહેલાં કરેલાં, ઘણાં પુરાણા ભાષણનું પણ સ્મરણ કરનાર, અનુસ્મરણ કરનાર હોય છે. (૧૦) ભિક્ષુ પ્રજ્ઞાવાન ઉદય-અસ્ત-ગામિની, આર્ય નિર્વેધિક = અન્તસ્તલ સુધી પહોંચનાર), સમ્યફ-દુઃખક્ષય-ગામિની પ્રજ્ઞા યુક્ત હોય છે.' ૭. ( નાદો વિM) શ્રેણિકે અનાથિ મુનિને કહ્યું–‘આપનો વર્ણ અને આકાર વિસ્મયકારી છે. આવી સંપદાયુક્ત હોવા છતાં પણ આપનો કોઈ નાથ નથી, એ કેમ બને ? કેમ કે આવો લૌકિક પ્રવાદ છે–ત્રાકૃતિda TTI: વન્ત' જ્યાં આકૃતિ છે ત્યાં ગુણોનો નિવાસ છે. આપ પ્રશસ્ત આકૃતિ ધરાવો છો, એટલા માટે આપ ગુણોના આકર છો અને બીજું પણ કહેવાયું છે–‘કુળવંત ધને તત: શ્રી શ્રીમત્યાજ્ઞા તતો રાતિ ’—ગુણવાન તરફ ધન આવે છે. તેનાથી તેની શ્રી–શોભા વધે છે. તેનામાં આદેશ આપવાની ક્ષમતા વધે છે અને અંતે જતાં તે રાજા બને છે.” ૮. આજ્ઞા અને ઐશ્વર્ય (ફિરિય) આજ્ઞાનો અર્થ છે–અસ્મલિત અનુશાસન. એવી આજ્ઞા જેનું ઉલ્લંઘન કરવાનું કોઈ સાહસ ન કરી શકે. ઐશ્વર્યનો અર્થ છે –અપાર સંપદા, અમાપ સમૃદ્ધિ, તેનો બીજો અર્થ છે–પ્રભુત્વ. ૧. સીનિવાપ રૂા ૨૧, પૃ. ૩૨૨-૩૪૩ ા ૨. વૃવૃત્તિ, પત્ર ૪૭રૂ I ૩. એજન, પત્ર ૪૭૪ : નાજ્ઞા કૃત્રિતશ/સનાભિ, एश्वर्यं च द्रव्यादिसमृद्धिः, यद्वा आज्ञया ऐश्वर्य - प्रभुत्वं आज्ञैश्वर्यम्। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600