Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ટિપ્પણ અધ્યયન ૧૪: ઇષકારીય
૧. (વિમાગવાણી)
તેઓ સૌધર્મ દેવલોકના પદ્મગુલ્મ નામે એક જ વિમાનમાં રહેતા હતા, એટલા માટે તેમને “એક વિમાનવાસી' કહેવામાં આવ્યા છે.'
૨. પોતાનાં...પુણ્ય કર્મ બાકી હતાં (સમા )
પુનર્જન્મનાં અનેક કારણોમાં આ પણ એક મુખ્ય કારણ છે. પોતાના કરેલાં કર્મો જ્યાં સુધી બાકી રહે છે ત્યાં સુધી જીવને જન્મ લેવો જ પડે છે. આ છએ વ્યક્તિઓનાં પુણ્ય-કર્મ બાકી હતાં, એટલા માટે તેમનો જન્મ ઉત્તમ કુળમાં થયો.
૩. જન્મ, જરા અને મૃત્યુ (ઝાડુંનરાવ્યું.)
જન્મ, જરા અને મૃત્યુ – ત્રણને ભય માનવામાં આવે છે. ગીતામાં જન્મ, જરા, મૃત્યુ અને દુઃખ–આ ચારેયનો એકી સાથે ઉલ્લેખ મળે છે. આ બધા ભયનાં કારણ પણ છે અને વૈરાગ્યના હેતુ પણ બને છે. રોગ પણ વૈરાગ્યનું કારણ છે. મહાત્મા બુદ્ધને વૃદ્ધ, રોગી અને મૃત વ્યક્તિને જોઈને વૈરાગ્ય થયો હતો. ૪. સંસારચક્ર (સંસારરક્સ)
ચૂર્ણિકારે સંસાર-ચક્રના છ આરા-વિભાગ માન્યા છે—જન્મ, જરા, સુખ, દુ:ખ, જીવન અને મરણ. આ બધાથી આત્મત્તિક છૂટકારો મેળવવો તે જ મોક્ષ છે. તેનું સાધન છે–વિરતિ. ૫. (વહ્રિવિહાર, વામને વિરત્તા)
વહ્રિવિહા—વવિહાર અર્થાત્ મોક્ષ. મોક્ષ સંસારની બહાર છે–તેનાથી ભિન્ન છે, એટલા માટે તેને વદિ-વિહાર કહેવામાં આવેલ છે.*
વામને વિર–શબ્દ વગેરે ઈન્દ્રિયોના વિષયો કામનાઓને ઉત્તેજિત કરે છે, એટલા માટે તે “મ-ગુ' કહેવાય છે.
બીજા શ્લોકમાં બતાવવામાં આવ્યું છે કે તે છએ વ્યક્તિઓ જિનેન્દ્ર-માર્ગનાં શરણમાં ગયા. અહીં ‘વામા-વિરા'ની વ્યાખ્યામાં બતાવવામાં આવ્યું છે કે કામ-ગુણોની વિરક્તિનો અર્થ જ જિનેન્દ્ર-માર્ગનાં શરણમાં જવું છે.'
१. बृहवृत्ति, पत्र ३९६ : एकस्मिन् पद्मगुल्मनाम्नि विमाने
वसन्तीत्येवंशीला एकविमानवासिनः । ૨. નીતા, ૨૪૨૦:
गुणानेतानतीत्य त्रीन् देही समुद्भवान् । जन्ममृत्युजरादुःखैविमुक्तोऽमृतमश्नुते ॥
૩. RETધ્યયન ચૂળ, પૃ. ૨૨૨ : સંસારk , તં નહા
जाती जरा सुहं दुक्खं जीवितं मरणं । ४. बृहद्वृत्ति, पत्र ३९७ : बहिः संसाराद्विहार:-स्थानं बहिविहारः,
स चार्थान्मोक्षः। ૫. એજન, પત્ર ૨૧૭ : ૩ત્ર TETrforma
जिनेन्द्रमार्गप्रतिपत्तिः।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org