Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Uttarajjhayanani Terapanth
Author(s): Tulsi Acharya, Mahapragna Acharya
Publisher: Jain Vishva Bharati
View full book text
________________
ટિપ્પણ અધ્યયન ૬: ક્ષુલ્લક-નિગ્રંથીય
૧. અવિદ્યાવાન (વિજ્ઞા)
અવિદ્યા શબ્દના અનેક અર્થ છે–આધ્યાત્મિક અજ્ઞાન, ભ્રાંતિ કે માયા, અજ્ઞાન, મિથ્યાદર્શન, તત્ત્વજ્ઞાનનો અભાવ વગેરે.
પ્રસ્તુત પ્રકરણમાં ચૂર્ણિકારે તેના બે અર્થ આપ્યા છે–અજ્ઞાન અને મિથ્યાદર્શન, શાજ્યાચાર્ય અનુસાર તેના બે અર્થ આ પ્રમાણે છે–ત્તત્ત્વજ્ઞાનથી શુન્ય, પર્યાપ્ત જ્ઞાનથી રહિત, જેનામાં તત્ત્વજ્ઞાનાત્મિકા વિદ્યા ન હોય તેને ‘અવિદ્ય' કહેવામાં આવે છે. અવિદ્યનો અર્થ સર્વથા અજ્ઞાની નહિ, પરંતુ અતત્ત્વજ્ઞ છે. જીવ સર્વથા જ્ઞાનશુન્ય હોતો જ નથી. જો એમ હોય તો પછી જીવ અને અજીવમાં કોઈ ભેદ જ ન રહે.
અહીં ‘અવિઘા'નો અર્થ મિથ્યાદર્શન હોવો જોઈએ. પતંજલિ અનુસાર અનિત્ય વગેરેમાં નિત્ય વગેરેની અનુભૂતિ ‘અવિદ્યા’
૨. તે સર્વ દુઃખને ઉત્પન્ન કરનાર છે (ત્રે તે યુવમાંખવા) બધા અવિદ્યાવાન પુરુષો દુઃખ ઉત્પન્ન કરનારા છે. ચૂર્ણિકારે અહીં એક પ્રાચીન શ્લોક ઉદ્ધત કર્યો છે –
नात: परतरं मन्ये, जगतो दुःखकारणम् ।
यथाऽज्ञानमहारोगं, सर्वरोगप्रणायकम् ॥ શાન્તાચાર્યે દુઃખનો અર્થ–પાપ કર્મ એવો કર્યો છે."
અજ્ઞાનથી થનારા દુઃખોને સમજાવવા માટે વ્યાખ્યાકારોએ એક ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે–એક આળસુ માણસ ગરીબીથી હેરાન-પરેશાન થઈને ધન કમાવા માટે ઘરેથી નીકળી પડ્યો. તે બધા નગરો અને ગામોમાં ફરી વળ્યો. તેને ક્યાંય કંઈ ન મળ્યું. તેણે પાછું ઘર તરફ પ્રસ્થાન કર્યું. રસ્તામાં તે એક દેવમંદિરમાં ઊતર્યો. તે ગામ ચાંડાલોનું હતું. રાતમાં તેણે જોયું, એક ચાંડાલ મંદિરમાં આવ્યો છે. તેના હાથમાં એક વિચિત્ર ઘડો છે. તેણે ઘડો એક બાજુ મૂક્યો અને કહ્યું–‘મારા માટે ઘર, પથારી અને સ્ત્રીની વ્યવસ્થા કરો.” જોતાં જોતાં ત્યાં બધું હાજર થઈ ગયું. તે ચાંડાલે સ્ત્રી સાથે ભોગ ભોગવ્યો. પ્રભાત થતાં થતાં વિદ્યા પાછી ખેંચી લીધી અને ફરી બધું પૂર્વવત થઈ ગયું.
તે આળસુનું મન લલચાયું. તેણે વિચાર્યું, વ્યર્થ પરિભ્રમણથી શું લાભ? હું આ ચાંડાલની સેવા કરી ઘડો મેળવી લઉં તો બધું મળી જશે. તે પેલા ચાંડાલની સેવા કરવા લાગ્યો. કેટલાક દિવસો વીત્યા. એક દિવસ ચાંડાલે પૂછ્યું – તું શું ઇચ્છે છે?” તે બોલ્યો-આપ જેવું જીવન જીવી રહ્યા છો, હું પણ તેવું જ જીવન જીવવા માગું છું.' ચાંડાલ બોલ્યો-“ઘડો લઈશ કે વિદ્યા?” १. उत्तराध्ययन चूर्णि पृ.१४७,१४८ : विद्यत इति विद्या, नैषां न हि सर्वथा श्रुताभावः जीवस्य, अन्यथा अजीवत्वप्राप्तेः વિદ મસ્તીતિ વિદ્યા....વિદ્યા(ના) fપથ્થાન
૩ દિમિચર્થ:.
सव्वजीवाणंपि य णं अक्खरस्सऽणंतभागो णिच्चुघाडितो। २. बृहद्वृत्ति, पत्र २६२ : वेदनं विद्या-तत्त्वज्ञानात्मिका, न जदि सोवि आवरिज्जेज्ज तो णं जीवो अजीवत्तणं पावेज्जा ।। विद्या अविद्या-मिथ्यात्वोपहतकुत्सितज्ञानात्मिका, ૩. જુઓ–આ જ અધ્યયનનું આમુખ तत्प्रधानाः पुरुषा: अविद्यापुरुषाः, अविद्यमाना वा विद्या ૪. ઉત્તરાધ્યયન ચૂળ, પૃષ્ઠ ૨૪૮૫ येषां ते अविद्यापुरुषाः । इहच विद्या शब्देन प्रभूतश्रुतमुच्यते, ૫. વૃત્તિ , પત્ર રદર: ૩:૩યતતિ તુ:ણું–પાપ વM :
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org