Book Title: Tattvarthadhigama sutra Tika
Author(s): Umaswati, Umaswami, Dhirajlal D Mehta
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/001095/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજી વિરચિત GGGIBLE] [0] ડફવર જી. (સંક્ષિપ્ત ગુજરાતી વિવેચન) 6. વાય. ગાગરમાં. સાગર વિવેચક૩૦ લીલાલ ડાહ્યાલાલ મહેતા Page #2 -------------------------------------------------------------------------- ________________ ।। શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષસૂરિ સદ્ગુરુભ્યો નમઃ વાચકપ્રવર શ્રીમદ્ ઉમાસ્વાતિજી મ.પ્રણીત શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર (સંક્ષિપ્ત ગુજરાતી વિવેચન) : પ્રેરક આશિષ : પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા : વિવેચક : ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા : પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ - મુંબઇ વીર સંવત ૨૫૨૮ વિક્રમ સંવત ૨૦૫૮ કિંમત રૂા. ૬૦ Page #3 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમ સૂત્રના પ્રકાશનમાં દ્રવ્ય સહાયક ૧૦,૦૦૦-૦૦ સાધ્વીજી શ્રી હંસકલાશ્રીજી મ.સા. (વાગડ સમુદાય)ના ઉપદેશથી... ૫,૦૦૦-૦૦ શ્રી ઉમેટા જૈન શ્વેતા. મૂ. સંઘ જિલ્લો આણંદ (પ્રેરક - મુનિશ્રી મનોબળવિજયજી) ૫,૦૦૦-૦૦ વાડજ જૈન શ્વેતા. મૂર્તિ સંઘ અમદાવાદ. (પ્રેરક - મુનિશ્રી કુમુદવિજયજી મ.સા.) ૫,૦૦૦-૦૦ અ.સૌ. મુરબાઇ ધનજીભાઇ પદ્મશીભાઇ દંડ ભરૂડીયા-હાલાર-હાલ ભાયખલા (પ્રેરક - મુનિશ્રી યશકલ્યાણવિજયજી મ.) : પ્રાપ્તિસ્થાન : ૧. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ શોપ નં.૫, બદ્રિકેશ્વર સોસાયટી, મરીનડ્રાઇવ ‘‘ઇ’’ રોડ. મુંબઇ-૨. ફોન ઃ ૨૮૧૮૩૯૦ ૨. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ૬/બી અશોકા કોમ્પ્લેક્ષ, રેલ્વે ગરનાળા પાસે, પાટણ (ઉ. ગુ.) • કંપોઝ-પ્રિન્ટીંગ-બાઇન્ડીંગ : ભરત ગ્રાફિક્સ : ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફરોડ, અમદાવાદ-૧. ફોન : ૨૧૩૪૧૭૬, ૨૧૨૪૭૨૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ “તત્ત્વાર્થાધિગમસૂત્ર' એટલે જૈનદર્શનના સિદ્ધાન્તોને સમજાવનારો “મૌલિક” ગ્રંથ. નવતત્ત્વો, છ દ્રવ્યો, રત્નત્રયી, કર્મસાહિત્ય, પાંચ ભાવો, જીવનું પરભવગમન, જંબૂદીપ આદિ દ્વીપ-સમુદ્રો, ચારે નિકાયના દેવો, ત્રિપદી, દ્રવ્ય-ગુણ અને પર્યાય, બારવ્રતો, તેના અતિચારો, દરેક કર્મોના જુદા જુદા આશ્રવો, પ્રકૃતિબંધાદિ ચાર પ્રકારના બંધો, ઈત્યાદિ જૈનદર્શનને સમ્મત લગભગ ઘણાખરા મૌલિક વિષયોનું વર્ણન આ ગ્રંથમાં ગ્રંથકારશ્રીએ કરેલું છે. સામાન્યથી સર્વ વિષયોને આવરી લેતો આ ગ્રંથ છે. આ ગ્રંથ શબ્દથી લઘુ છે. (સૂત્રથી લગભગ ૩૪૪ સૂત્ર પ્રમાણ છે.) પરંતુ અર્થથી અત્યન્ત વિશાળ છે. દરેક સૂત્રો વિષયને સૂચના રૂપે સૂચવતાં હોય તેમ નાનાં નાનાં સૂત્રો ઘણું ઘણું કહી જતાં હોય તેમ લાગે છે. તેના સૂક્ષ્મ અર્થોમાં જો ઉતરીએ તો પાર જ ન આવે તેવા વિશાળ અર્થો છે. આ એક ગ્રંથ એવો છે કે જે ગ્રંથને શ્વેતાંબર આમ્નાય અને દિગંબર આમ્નાય એમ બન્ને પરંપરાઓ માન્ય રાખે છે. માત્ર કોઈ કોઈ સૂત્રોમાં રચનાભેદ છે. અને કોઈ કોઈ સૂત્ર એક આમ્નાયમાં છે તે બીજી આમ્નાયમાં નથી. અને બીજી આમ્નાયમાં છે તે પહેલી આમ્નાયમાં નથી. બન્ને સંપ્રદાયો, તત્ત્વાર્થાધિગમના કર્તા વિષે નામભેદ ધરાવે છે. દિગંબર સંપ્રદાય ઉમાસ્વામિજી કહે છે. જ્યારે શ્વેતાંબર સંપ્રદાય ઉમાસ્વાતિજી કહે છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ વાચકવર શ્રી ઉમાસ્વાતિજી દિગંબરપરંપરામાં થયા કે શ્વેતાંબર પરંપરામાં થયા, તે વિષે વિદ્વાનપુરુષોમાં ઘણા મતભેદો પ્રવર્તે છે. આ ગ્રંથકર્તા પૂ. ઉમાસ્વાતિજી શ્વેતાંબર પરંપરાના હતા તેવું વિધાન કરનારા પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ., પૂ. આત્મારામજી મ. પૂ. સાગરાનંદસૂરિજી મ. સા. તથા પૂ. રાજશેખરસૂરિજી મ. છે તથા ગુજરાતી વિવેચન લખનારા વિદ્વાન પુરુષોમાં પંડિતશ્રી સુખલાલભાઈ સંઘવી, પંડિતશ્રી પ્રભુદાસ બેચરદાસભાઈ, પંડિતશ્રી દલસુખ માલવણીયા વિગેરે પંડિતપુરુષ ગ્રંથકર્તાને શ્વેતામ્બર પરંપરાના કહેવામાં અગ્રેસર છે. તથા દિગમ્બર સંપ્રદાયના કહેનારાઓમાં પંડિત ફૂલચંદજી શાસ્ત્રી તથા પંડિત શ્રી કૈલાસચંદ્રજી છે. તથા નાથુરામ પ્રેમી વિગેરે કેટલાક વિદ્વાનો ગ્રંથકારને “પાપનીય” સંઘના હતા એમ માને છે. વિદ્વધર્યોના ઉપરોક્ત મતભેદો હોવા છતાં પણ ગ્રંથકારશ્રી શ્વેતાંબર પરંપરાના હતા તેના ઘણા પુરાવા છે. અને સંક્ષેપમાં તે પુરાવા આ પ્રમાણે છે. (૧) શષ્ટિપદ્રવિત્પા: પન્નપર્યન્તા (૪-૩) સૂત્રમાં બાર દેવલોકનું જે વિધાન છે. તે શ્વેતાંબરના જણાવે છે. (૨) શિ નિને (-૨૨) સૂત્રમાં વેદનીયના ઉદયથી કેવલી ભગવન્તોને ૧૧ પરિષહોના વિધાનમાં ક્ષુધા પરિષહ અને પિપાસાપરિષદનું વિધાન કેવલીભુક્તિ માનનારા શ્વેતાંબરપણાને સિદ્ધ કરે છે. (૩) નવા ધર્માધાપુતા: (૧-૨) સૂત્ર તથા ત્રિશેયે (પ-૩૮) સૂત્ર દિગમ્બર માન્યતાથી વિરુદ્ધ હોવાના કારણે શ્વેતાંબર સંપ્રદાયપણાની સિદ્ધિ કરે છે. દિગમ્બર સંપ્રદાય કાળને (કાલાણુ) દ્રવ્ય માને છે. જો ગ્રંથકર્તા દિગંબર હોત તો સૂત્ર પ-૧માં અજીવકાયના ચાર ભેદને બદલે કાલદ્રવ્ય સહિત પાંચ ભેદનું વિધાન કરત. તથા સૂત્ર ૫-૩૮માં અન્ય આચાર્યો કાળને દ્રવ્ય માને છે એમ ન લખત. (૪) આ જ ગ્રંથકર્તાના બનાવેલા “પ્રશમરતિ” નામના ગ્રંથમાં મુનિના વસ્ત્ર-પાત્રનું જે વ્યવસ્થિત નિરૂપણ છે તે ગ્રંથકર્તાની શ્વેતાંબરીયતાને નિર્વિવાદે જણાવે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ (૫) સ્વોપજ્ઞભાષ્યને અંતે પ્રાપ્ત થતી પ્રશસ્તિમાં ગ્રંથકર્તાને - ઉચ્ચનાગર શાખાના હતા એવું જે વિધાન તે પણ શ્વેતામ્બરીયતાને જણાવે છે. કારણ કે ઉચ્ચનાગર શાખાનું કથન શ્વેતામ્બર પટ્ટાવલીમાં छे. (६) तत्वार्थसूत्र ७५२ २यायेद "स्वोपशमध्य" । (भाष्य स्प३५ ટીકા (વિવેચન) જોતાં પણ તે શ્વેતાંબરીય હતા એમ જણાય છે. ઉપરોક્ત મુદાઓ ગ્રંથકર્તા શ્રી ઉમાસ્વાતિજીને શ્વેતાંબરીય હતા . એમ સિદ્ધ કરવામાં પ્રબળ પુરાવા સ્વરૂપ છે. • ગ્રંથકર્તાનો યત્કિંચિત્પરિચય स्वोस माध्यन अंते. पाय-छ लोयाणी ४ "प्रशस्ति" ગ્રંથકારે આપી છે. તેમાંથી તેઓશ્રીનો અલ્પ પરિચય મેળવી શકાય છે. તે શ્લોકો તથા સારભૂત અર્થ આ પ્રમાણે છે. वाचकमुख्यस्य शिवश्रियः प्रकाशयशसः प्रशिष्येण । शिष्येण घोषनन्दि क्षमाश्रमणस्यैकादशाङ्गविदः ॥ १ ॥ वाचनया च महावाचक क्षमणमुण्डपादशिष्यस्य ।। शिष्येण वाचकाचार्यमूलनाम्नः प्रथितकीर्तेः ॥ २ ॥ न्यग्रोधिकाप्रसूतेन विहरता पुरवरे कुसुमनाम्नि । कौभीषणिना स्वातितनयेन वात्सीसूतेनाय॑म् ॥ ३ ॥ अर्हद्वचनं सम्यग्गुरुक्रमेणागतं समुपधार्य । दुःखार्तं च दुरागमविहतमतिं लोकमवलोक्य ॥ ४ ॥ इदमुच्चै गरवाचकेन सत्त्वानुकम्पया दृब्धम् । तत्त्वार्थाधिगमाख्यं स्पष्टमुमास्वातिना शास्त्रम् ॥ ५ ॥ यस्तत्त्वार्थाधिगमाख्यं ज्ञास्यति च करिष्यते च तत्रोक्तम् । सोऽव्याबाधसुखाख्यं प्राप्स्यत्यचिरेण परमार्थम् ॥ ६ ॥ Page #7 -------------------------------------------------------------------------- ________________ વાચકમુખ્ય (ઉપાધ્યાયોમાં પ્રધાન) અને પ્રકાશયુક્ત છે યશ જેમનો એવા શિવશ્રી (નામના પ્રગુરુ)ના પ્રશિષ્ય તથા અગિયાર અંગના ધારક એવા ઘોષનંદી (નામના ગુરુજી) ના શિષ્ય એવા. / ૧ // વાચના આપવા દ્વારા (ભણાવવાની અપેક્ષાએ) મહાવાચક એવા “મુંડપાદ” શ્રમણ નામના પ્રગુરુના પ્રશિષ્ય, તથા પ્રસિદ્ધકીર્તિવાળા વાચનાચાર્ય એવા “મૂલ” નામના વિદ્યાગુરુના શિષ્ય એવા | ૩ | “ન્યગ્રોધિક” નામના નગરમાં જન્મેલાં, કુસુમપુર (પાટલીપુત્ર-પટણા-બિહાર) નામના નગરમાં વિચરતા, કૌભિષણિ ગોત્રવાળા, સ્વાતિ નામના પિતાના પુત્ર અને વાત્સી નામની માતાના ઉદરે જન્મેલા એવા ઉમાસ્વાતિજી વડે || ૩ || પૂજનીય એવા અને સમ્યગ્ન પ્રકારે ગુરુગમથી આવેલા એવા અરિહંત પરમાત્માના વચનને અવધારીને તથા દુઃખથી પીડાયેલા અને મિથ્યાશાસ્ત્રોના (વારંવાર) અધ્યયનથી હણાયેલી મતિવાળા આ લોકને જોઈને || ૪ || ઉચ્ચનાગર શાખાવાળા અને વાચકમુખ્ય એવા ઉમાસ્વાતિ વડે પ્રાણીઓ ઉપરની અનુકંપાના કારણે આ તત્ત્વાર્થાધિગમસૂત્ર નામનું સ્પષ્ટ સૂત્ર બનાવાયું છે ૫ || જે આત્મા આ તત્ત્વાર્થાધિગમસૂત્રને ભણશે અને તેમાં કહેલું આચરશે તે આત્મા અવ્યાબાધ સુખ નામના પરમાર્થને અલ્પકાળમાં જ પામશે. • ઉપરોક્ત શ્લોકોથી નીચેના મુદા જણાય છે. (૧) ગ્રંથકર્તાના ધર્મગુરુના પણ ગુરુ (દાદાગુરુ) શિવશ્રી હતા. (૨) ગ્રંથકર્તાના ધર્મગુરુ ૧૧ અંગના ધારક ઘોષનદી હતા. Page #8 -------------------------------------------------------------------------- ________________ (૩) ગ્રંથકર્તાના વિદ્યાગુરુના પણ ગુરુ (દાદાગુરુ) મુંડરાદ હતા. (૪) ગ્રંથકર્તાના ભણાવનારા વિદ્યાગુરુ “મૂલ” નામના વાચનાચાર્ય હતા. (૫) ગ્રંથકર્તાનું જન્મસ્થળ “ન્યગ્રોધિકા” નામનું ગામ હતું. (૬) ગ્રંથકર્તાએ આ ગ્રંથ કુસુમપુરમાં (પટણામાં) બનાવ્યો. (૭) ગ્રંથકર્તા કૌભિષણી ગોત્રવાળા હતા. (૮) ગ્રંથકર્તાના પિતાનું નામ સ્વાતિ હતું. (૯) ગ્રંથકર્તાની માતાનું નામ વાત્સી હતું. (૧૦) ગ્રંથકર્તાની ઉચ્ચનાગર શાખા હતી. આટલો જ પરિચય લભ્ય છે. • ગ્રંથકર્તાના સમયવિષે - આ ગ્રંથના કર્તા શ્રી ઉમાસ્વાતિજી ક્યારે થયા ? તે વિષે નિશ્ચિતપણે કહેવું અશક્ય છે. કારણ કે એવો વ્યવસ્થિત નિયામક પુરાવો કોઈ મળતો નથી. તથા બન્ને સંપ્રદાયોમાં પણ ગ્રંથકર્તાના સમય વિષે ભિન્ન ભિન્ન દૃષ્ટિકોણ પ્રવર્તે છે. પરંતુ ઉપરોક્ત પ્રશસ્તિમાં પૂજ્ય ઉમાસ્વાતિ ઉચ્ચનાગરી શાખાના છે. એમ જણાવ્યું છે. અને કલ્પસૂત્રમાં આર્યશાન્નિશ્રેણિકથી આ શાખા શરૂ થયાનો ઉલ્લેખ મળે छ. थेरेहिंतो णं अजसंतिसेणिएहिंतो माढरसगुत्तेहिंतो एत्थ णं उच्चनागरी સાદા નિયી | (કલ્પસૂત્રવિરાવલી). * આર્યસુહસ્તિજીના શિષ્ય સુસ્થિતાચાર્ય, તેમના શિષ્ય ઈદ્રદિત્રાચાર્ય, તેમના શિષ્ય દિત્રાચાર્ય અને તેમના શિષ્ય શાન્તિશ્રેણીક હતા. તેમનાથી ઉચ્ચ નાગરિક શાખા નીકળી. આર્ય સુહસ્તિસૂરિજી વીરભગવાનના નિર્વાણ પછી ૨૯૧મા વર્ષે સ્વર્ગવાસ પામેલા છે. તેમનાથી ચોથી પેઢીએ આ શાખા નીકળેલી છે. આ શાખા નીકળ્યા પછી તે શાખામાં પૂજ્ય ઉમાસ્વાતિજી થયા છે. એટલે ચોક્કસ સમય તો નથી કહી શકાતો પરંતુ વીરભગવાનના નિર્વાણથી પાંચસો વર્ષ Page #9 -------------------------------------------------------------------------- ________________ પછી એટલે કે વિક્રમના પહેલા સૈકામાં અથવા બીજા સૈકામાં થયા હોવા જોઈએ છતાં આ બાબત પૂર્ણપણે નિશ્ચિત જાણી શકાતી નથી તથા દિગંબર સંપ્રદાયમાં પૂજ્યપાદ સ્વામિની બનાવેલી તત્ત્વાર્થ ઉપરની સર્વાર્થસિદ્ધિ નામની ટીકા વિક્રમની પાંચમી-છઠ્ઠી શતાબ્દિમાં બની છે એમ વિદ્વાનોનું કહેવું છે. એટલે તે સૈકાથી પૂર્વે આ ગ્રંથકર્તા થયા છે એમ અનુમાન કરાય છે. ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર લખાયેલ સાહિત્ય આ ગ્રંથ ઉપર અનેક આચાર્ય ભગવંતોએ યથાશક્તિ ટીકાગ્રંથો બનાવ્યા છે. પૂજ્યગ્રંથકર્તાએ અત્યન્ત સંક્ષિપ્ત એવું સ્વપજ્ઞ-ભાષ્ય પોતે જ બનાવ્યું છે. સૌથી પ્રથમ આ ટીકા છે. ત્યારબાદ બન્ને સંપ્રદાયોમાં ઘણી ટીકાઓ તથા ગુજરાતી હિન્દી અને અંગ્રેજી વિવેચનો પ્રકાશિત થયાં છે. તેની સંક્ષિપ્ત નોંધ આ પ્રમાણે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં મૂલસૂત્રો ઉપર ગ્રંથકર્તાએ પોતે જ સ્વપજ્ઞભાષ્ય બનાવ્યું છે. અને બાકીની લગભગ બધી જ ટીકાઓ ભાષ્ય ઉપર રચાયેલી છે. જયારે દિગંબર સંપ્રદાય તત્ત્વાર્થભાષ્યને સ્વપજ્ઞ માનતા નથી. અર્થાત્ મૂલસૂત્રકાર અને ભાગ્યકાર જુદા જુદા છે એમ માને છે. તેથી જ દિગંબરીય સર્વે ટીકાઓ મૂલસૂત્ર ઉપર જ રચાયેલી છે. ભાષ્ય ઉપર નહીં. • શ્વેતાંબરીય ટીકાગ્રંથો (૧) પૂ. ઉમાસ્વાતિજી કૃત (૨) શ્રી સિદ્ધસેનગણિકૃત (૩) શ્રી હરિભદ્રસૂરિજી કૃત સ્વપજ્ઞભાષ્ય ભાષ્યાનુસારિણી વિસ્તૃત ટીકા ભાષ્યાનુસારિણી સાડા પાંચ અધ્યાયની ટીકા Page #10 -------------------------------------------------------------------------- ________________ (૪) શ્રી યશોભદ્રસૂરિજી કૃત ભાષ્યાનુસારિણી શેષ અધ્યાયોની ટીકા (૫) પૂ. 3. શ્રી યશોવિજયજી કૃત ભાષ્યાનુસારિણી પ્રથમાધ્યાયની ટીકા (૬) પૂ. મલયગિરિજી કૃત ભાષ્યાનુસારિણી ટીકા (અનુપલબ્ધ) (૭) પૂ. દર્શનસૂરિજી કૃત અતિવિસ્તૃત ટીકા (૮) પૂ. દેવગુપ્તસૂરિજી કૃત માત્ર કારિકાકૃત ટીકા • દિગંબરીય ટીકાગ્રંથો (૧) પૂજ્યપાદ સ્વામિ કૃત સર્વાર્થસિદ્ધિ ટીકા (૨) અકલંકાચાર્ય કૃત તત્ત્વાર્થવાર્તિકાલંકાર (૩) આ. વિદ્યાનંદજી કૃત શ્લોકવાર્તિક (૪) આ. શ્રુતસાગર કૃત સંસ્કૃત ટીકા (૫) પૂ. આ. સમતભદ્રાચાર્યત ગંધહસ્તી ટીકા • ગુજરાતી આદિ ભાષાઓમાં વિવેચન (૧) પંડિતજી શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખકૃત વિવેચન (૨) પંડિતજી શ્રી સુખલાલભાઈ સંઘવી કૃત વિવેચન (૩) પૂ. આ. ભ. શ્રી રાજશેખરસૂરિજી મ. કૃત વિવેચન (૪) પંડિત ઠાકુર પ્રસાદ કૃત હિન્દી વિવેચન ઉપરાંત બીજા પણ ઘણા શ્વેતાંબર દિગંબર વિદ્વાનોએ આ ગ્રંથ ઉપર કર્ણાટક, તામિલ હિન્દી અને અંગ્રેજી ભાષામાં વિવેચન લખ્યાં છે. અત્યારે પૂ. સાધુ સાધ્વીજી મ. સાહેબો તથા શ્રાવક-શ્રાવિકાઓમાં અને વિદેશોમાં તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર અધ્યયન-અધ્યાપન કાર્ય ઘણું Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ વિશેષ થયું છે અને થાય છે. તેથી “પાઠ્યપુસ્તક રૂપે” એક સંક્ષિપ્ત વિવેચન લખવાની અને અધ્યયન કરનારાઓને સંક્ષેપમાં ગ્રંથમાત્રના વાચ્ય અર્થનો બોધ થાય એવા આશયથી સૂત્રની સાથે સંબંધિત અર્થમાત્રને સમજાવનારું આ સંક્ષિપ્ત વિવેચન તૈયાર કર્યુ છે. જે ભણનારને વધુ ઉપયોગી થશે એમ આશા રાખું છું. કોઈ પણ મૂલસૂત્ર ત્રણ વાર લખવામાં આવ્યું છે. (૧) સંસ્કૃત ટાઈપમાં, (૨) ગુજરાતી ટાઈપમાં અને (૩) સંધિ છુટી પાડીને ગુજરાતી ટાઈપમાં. આમ કરવાથી દેશ-વિદેશમાં રહીને આ, સૂત્રનું અધ્યયન કરનારા જીવો સૂત્રનું સુખે ઉચ્ચારણ કરી શકે તથા સંધિ છૂટી પાડેલી જોઈને મૂલસૂત્ર બરાબર બેસાડતાં અશુદ્ધિ ન આવે તે આશયથી એક સૂત્ર ત્રણ વાર આપેલ છે. આ ગ્રંથનું વિવેચન તૈયાર કરી પ્રકાશિત કરવામાં પ્રથમથી જ પ00 કોપીઓ આગળથી નોંધાવી ગ્રંથ પ્રકાશનમાં સહયોગ આપી મને ઉત્સાહિત કરનાર (પ. પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા., ગણિવર્યશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ તથા પૂ. આ. ભ. શ્રી નેમિસૂરીશ્વરજી મ. સાહેબના સમુદાયવર્તી, પૂ. સાધ્વી શ્રી શશીપ્રભાશ્રીજી મ.સા.નો આ સમયે હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું. આ વિવેચનમાં જાણતાં-અજાણતાં છદ્મસ્થતાના કારણે અનુપયોગદશાથી જે કંઈ જ્ઞાનીની વાણી વિરૂદ્ધ લખાઈ ગયું હોય તેની ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું. એ જ. લિ, ૭૦૨, રામસા ટાવર, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૯. ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩ ધીરજલાલ ડાહ્યાભાઈ મહેતા Page #12 -------------------------------------------------------------------------- ________________ ક્રમ પુસ્તકનું નામ ૧. યોગવિંશિકા ૨. યોગશતક ૩. શ્રી જૈનધર્મના મૌલિક સિદ્ધાન્ત ૪. શ્રી જૈન તત્ત્વ પ્રકાશ ૫. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ૬. જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોશ ૭. જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માળા ૮. કર્મવિપાક (પ્રથમ કર્મગ્રંથ) ૯. કસ્તવ (દ્વિતીય કર્મગ્રંથ) | પંડિત શ્રી ૧૦. બંધસ્વામિત્વ (તૃતીય કર્મગ્રંથ) ધીરભાઇનાં ૧૧. પડશીતિ (ચતુર્થ કર્મગ્રંથ) ૧૨. પૂજાસંગ્રહ સાર્થ લખાયેલા ૧૩. સ્નાત્રપૂજા સાથે પુસ્તકો ૧૪. સમ્યક્તની સઝાય ૧૫. નવસ્મરણ-ઈંગ્લીશ સાથે ૧૬. રત્નાકરાવતારિકા (ભાગ-૧) ૧૭. રત્નાકરાવતારિકા (ભાગ-૨) ૧૮. શ્રી યોગદષ્ટિ સમુચ્ચય ૧૯. આઠદષ્ટિની સઝાયના અર્થ ૨૦. બંધશતક (પંચમ કર્મગ્રંથ) ૨૧. તત્ત્વાર્થાધિગમ સૂત્ર (સંક્ષિપ્ત વિવેચન) ૨૨. વાસ્તુપૂજા સાથે (પૂ. બુદ્ધિસાગરસૂરિજી કૃત) ૨૩. શ્રાવકનાં બાર વ્રત Page #13 -------------------------------------------------------------------------- ________________ નમો નમઃ શ્રીગુરુમસૂર in -: દિવ્યકૃપા :સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા - -: દિવ્યાશીષ :૬ વર્ધમાન તપોનિધિ ગચ્છાપતિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ છેવિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા -: પુણ્યપ્રભાવ :૫. પૂ. સમતાસાગર સ્વ. પંન્યાસજી શ્રી પદ્મવિજય ગણિવર્યશ્રી -: શુભાશીષ – સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજા H: પ્રેરણા-માર્ગદર્શન : | પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્ છે વિજયહેમચંદ્રસૂરિ મહારાજા trademarks daar Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસમુદ્ધારક શ્રુતસેવાના કાર્યમાં સદાના સાથીઓ ૧) ભાણબાઈ નાનજી ગડા, મુંબઈ. (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયભુવનભાનુસૂરિ મ. સા.ના ઉપદેશથી) ૨) શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. ૩) શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. પ. પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૪) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (૫ પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ. સા.ની દિવ્યકૃપા તથા પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સ્. મ. સા.ની પ્રેરણાથી) ૫) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૬) નયનબાળા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનિષ, કલ્પનેશ (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૭) કેશરબેન રતનચંદ કોઠારી હાલ. લલિતભાઈ (પ. પૂ. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) ૮) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ. ૯) શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ મુંબઇ, (આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વર મ. સા.ની પ્રેરણાથી) ૧૦) શ્રી શાંતાક્રુઝ શ્વેતા. મૂર્તિ, તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ, મુંબઈ, (આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૧૧) શ્રીદેવકરણ મૂળજીભાઈ જૈનદેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મું. ૧૨) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. (પૂજ્ય સાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂજ્ય સાધ્વી શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ.ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે) ૧૩) બાબુ અમીચંદ પનાલાલ આદિશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૧૪) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. (પૂ. મુનિશ્રી હેમદર્શન વિ.મ. તથા પૂ. મુનિશ્રી રમ્યઘોષ વિ.મ.ની પ્રેરણાથી) ૧૫) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળ પારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (પ. પૂ. આચાર્યદેવ શ્રીરૂચમચંદ્રસૂરિ મ.ની પ્રેરણાથી) Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ૧૬) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર, (વેસ્ટ) મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી). ૧૭) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ.ની પ્રેરણાથી) ૧૮). શ્રી કલ્યાણજી સૌભાગચંદ જૈન પેઢી, પિંડવાડા. (સિદ્ધાંતમહોદધિ સ્વ. આ. શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા.ના સંયમની અનુમોદનાર્થે) ૧૯) શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (વૈરાગ્યદેશનાદક્ષ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૨૦) શ્રી આંબાવાડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ, - (પૂજ્ય મુનિ શ્રી કલ્યાણબોધિ વિજયજી મ.ની પ્રેરણાથી) ૨૧) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, વાસણા, અમદાવાદ. (પૂ. આચાર્યશ્રી નરરત્નસૂરિ મ.ના સંયમજીવનની અનુમોદનાર્થે પૂજ્ય તપસ્વીરત્ન આચાર્ય શ્રી હિમાંશુસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી) ૨૨) શ્રી પ્રેમવર્ધક આરાધક સમિતિ, ધરણિધર દેરાસર, પાલડી, અમદાવાદ. (પૂ. ગણિવર્ય શ્રીઅક્ષયબોધિવિજયજી મ.ની પ્રેરણાથી). Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૨૩) શ્રી મહાવીર જૈન શ્વેતા. મૂર્તિપૂજક સંઘ, પાલડી, અમદાવાદ. શેઠ કેશવલાલ મૂળચંદ જૈન ઉપાશ્રય. (પ. પૂ. આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિ મહારાજ સા.ની પ્રેરણાથી) ૨૪) શ્રી માટુંગા જૈન શ્વેતા. મૂર્તિપૂજક તપગચ્છ સંઘ એન્ડ ચેરિટીઝ, માટુંગા, મુંબઈ. ૨૫) શ્રી જીવીત મહાવીરસ્વામી જૈન સંઘ, નાદિયા. (રાજસ્થાન) (પૂ. ગણિવર્ય શ્રી અક્ષયબોધિવિજયજી મ. સા. તથા મુનિશ્રી મહાબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ર૬) શ્રી વિશા ઓશવાળ તપગચ્છ જૈન સંઘ, ખંભાત. (વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આચાર્યદેવશ્રી હેમચંદ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૨૭) શ્રી વિમલ સોસાયટી આરાધક જૈન સંઘ, બાણગંગા, વાલકેશ્વર મુંબઇ-૪૦૦ ૦૦૬. ૨૮) શ્રી પાલિતાણા ચાતુર્માસ આરાધના સમિતિ. (પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના સં-૨૦૧૩ના પાલિતાણા મધ્યે ચાતુર્માસ પ્રસંગે) ૨૯) શ્રી સીમંધર જિન આરાધક ટ્રસ્ટ, એમરલ્ડ એપાર્ટમેન્ટ, અંધેરી (ઈ), મું. (મુનિશ્રી નેત્રાનંદવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૦) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ. (પરમ પૂજય મુનિરાજશ્રી સંયમબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૧) શ્રીકૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સૈજપુર, અમદા. (પ. પૂ. આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના Page #18 -------------------------------------------------------------------------- ________________ કૃષ્ણનગર મધ્યે સંવત ૨૦૫રના ચાતુર્માસ નિમિત્તે પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) કર) શ્રી બાબુભાઈ સી. જરીવાળા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા-૨. ૩) શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પુના. (પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયઘોષસૂરીશ્વરજી મ. સા. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિવિજયજી મ.સા.ની પ્રેરણાથી) ૩૪) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, ભવાની પેઠ, પુના. (પૂ. મુનિરાજ શ્રી અનંતબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૫) શ્રી રાંદેર રોડ જૈન સંઘ, સુરત. (પૂ. શ્રી અક્ષયબોધિ વિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૬) શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ દાદર જૈન પૌષધશાળા ટ્રસ્ટ, આરાધના ભુવન, દાદર, મુંબઈ. (મુનિશ્રી અપરાજિતવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૩૭) શ્રી જવાહરનગર જૈન શ્વેતા. મૂર્તિ, સંઘ, ગોરેગામ, મુંબઈ. (. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ. સા.ની પ્રેરણાથી) ૩૮) શ્રી કન્યાશાળા જૈન ઉપાશ્રય, ખંભાત, (પ.પૂ. સા. શ્રી રંજનશ્રીજી મ. સા. પૂ. પ્ર. સા. શ્રી ઇદ્રશ્રીજી મ. સા.ના સંયમજીવનની અનુમોદનાર્થે પ. પૂ. સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ. સા., પ. પૂ. સા.શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. તથી સાધ્વીજી શ્રી સ્વયપ્રભાશ્રીજી મ. સા.ની પ્રેરણાથી) ૩૯) શ્રી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છક સંઘ એન્ડ ચેરીટીઝ, માટુંગા, મુંબઈ. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૪૦) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ૬૦ ફુટ રોડ, ઘાટકોપર (ઇ.) (પૂ. પં. શ્રી વરબોધિવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૧) શ્રી આદિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નવસારી. (પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિ મ.ના શિષ્ય પૂ. પંન્યાસજી શ્રી પુણ્યરત્નવિજયજી ગણિવર્યની તથા પૂ. પ. યશોરત્નવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) ૪૨) શ્રીકોઇમ્બતુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, કોઇમ્બતુર. ૪૩) શ્રી પંકજ સોસાયટી જૈન સંઘ ટ્રસ્ટ, પાલડી, અમદાવાદ. (પ. પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિ મ. સા.ની ગુરુમૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે થયેલ આચાર્ય-પંન્યાસ-ગણિ પદારોહણ, દીક્ષા વગેરે નિમિત્તે થયેલ જ્ઞાનનિધિમાંથી.) ૪૪) શ્રી મહાવીરસ્વામી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક દેરાસર, પાવાપુરી, ખેતવાડી, મુંબઇ. (પૂ.મુનિશ્રી રાજપાલવિજયજી મ. સા. તથા પૂજ્ય પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ. સા.ની પ્રેરણાથી) ૪૫) શ્રી હીરસૂરીશ્વરજી જગદ્ગુરુ શ્વેતાંબરમૂર્તિપૂજક જૈન સંઘ ટ્રસ્ટ, મલાડ (પૂર્વ), મુંબઇ. ૪૬) શ્રી પાર્શ્વનાથ શ્વેતાં. મૂર્તિ પૂ. જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઇ. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ૭) શ્રી ધર્મનાથ પોપટલાલ હેમચંદ જૈન શ્વેતાં. મૂર્તિપૂજક સંઘ, જૈનનગર, અમદાવાદ (પૂજ્ય મુનિશ્રી સત્યસુંદર વિ.ની પ્રેરણાથી ચાતુર્માસમાં થયેલ જ્ઞાનનિધિમાંથી) ૮) રતનબેન વેલજી ગાલા પરિવાર, મુલુંડ મુંબઈ. (પ્રેરક : પૂ. મુનિશ્રી રત્નબોધિવિજયજી મ. સા.) ૯) શ્રી મરીન ડ્રાઇવ જૈન આરાધક ટ્રસ્ટ મુંબઈ. ૧૦) શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ જૈન દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ, બાબુલનાથ, મુંબઈ (પ્રેરક-મુનિશ્રી સર્વભૂષણવિજયજી મ.) ૧૧) શ્રી ગોવાલીયા ટંક જૈન સંઘ મુંબઈ. (પ્રેરક : ગણિવર્યશ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.) પર) શ્રી વિમલનાથ જૈન દેરાસર ટ્રસ્ટ, બાણગંગા, મુંબઈ, (પ્રેરક પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ. સા.) ૧૩) શ્રી વાડિલાલ સારાભાઈ દેરાસર ટ્રસ્ટ પ્રાર્થના સમાજ, મું. (પ્રેરક : મુનિશ્રી રાજપાલવિજયજી તથા પંન્યાસજી શ્રીઅક્ષયબોધિવિજયજી ગણિવર.) ૫૪) શ્રી પ્રિન્સેસ સ્ટ્રીટ, લુહારચાલ જૈનસંઘ. (પ્રેરક : ગણિવર્ય શ્રી કલ્યાણબોધિ વિજયજી મ. સા.) Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ-મુંબઈ દ્વારા પ્રકાશિત થયેલા ગ્રંથોની સૂચિ ૧ ર ૩ ૪ ૫ 9 ८ જીવવિચાર પ્રકરણ સટીક | ૨૩ ત્રિષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર દંડક પ્રકરણ સટીક કાર્યસ્થિતિ સ્તોત્રાભિધાન સટીક. ન્યાયસંગ્રહ સટીક ધર્મસંગ્રહ સટીકભાગ-૧ ધર્મસંગ્રહ સટીક ભાગ-૧ ધર્મસંગ્રહ સટીક ભાગ-૨ જીવસમાસ ટીકાનુવાદ જંબુદ્રીપ સંગ્રહણી સટીક સ્યાદ્વાદમંજરી સાનુવાદ સંક્ષેપ સમરાદિત્ય કેવળી ચરિત્ર ૧૦ બૃહત્સેત્રસમાસ સટીક બૃહત્ સંગ્રહણી સટીક ૧૨ બૃહત્ સંગ્રહણી સટીક ૧૧ ૧૩ ચેઇયવંદણ મહાભાસ ૧૪ નયોપદેશ સટીક ૧૫ પુષ્પમાળા (મૂળ અનુવાદ) ૧૬ મહાવીરચરિયું ૧૭ મલ્લિનાથ ચરિત્ર ૧૮ વાસુપૂજ્ય ચરિત્ર ૧૯ શાંતસુધારસ સટીક ૨૦ શ્રાદ્ધગુણ વિવરણ તત્ત્વજ્ઞાન તરંગિણી ૨૧ ૨૨ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર પર્વ ૩/૪ પર્વ ૫/૬ ૨૪ અષ્ટસહસ્રી તાત્પર્ય વિવરણ ૨૫ મુક્તિપ્રબોધ ૨૬ વિશેષણવતીવંદન પ્રતિક્રમણ અવચૂરી ૨૭ પ્રવ્રજ્યા વિધાન કુલક સટીક ૨૮ ચૈત્યવંદન ભાષ્ય (સંઘાચાર ભાષ્ય સટીક) ૨૯ ૩૦ વર્ધમાનદેશના પદ્ય (ભાગ-૧ છાયા સાથે) વર્ધમાનદેશના પદ્ય (ભાગ-૨ છાયા સાથે) ૩૧ વ્યવહાર શુદ્ધિ પ્રકાશ ૩૨ અનેકાન્ત વ્યવસ્થા પ્રકરણ પ્રકરણ સંદોહ ૩૩ ૩૪ ૩૫ ઉત્પાદાદિસિદ્ધિ પ્રકરણ સટીક અભિધાન વ્યુપત્તિ પ્રક્રિયા કોશ ભાગ-૧ (ચિંતામણિ ટીકાનું અકારાદિ ક્રમે સંકલન) ૩૬ અભિધાન વ્યુત્પત્તિ પ્રક્રિયા કોશ ભાગ-૨ (ચિંતામણિ ૩૭ ૩૮ ટીકાનું અકારાદિ ક્રમે સંકલન) પ્રશ્નોત્તર રત્નાકર (સેનપ્રશ્ન) સંબોધસતિ સટીક Page #22 -------------------------------------------------------------------------- ________________ દ૯ નેમિનાથ મહાકાવ્ય ૯૭ સવાસો દોઢસો ગાથા સ્તવનો ૭૦ પાંડવ ચરિત્ર ભાગ-૧ ૯૮ કાત્રિશત્કાત્રિશિકા ૭૧ પાંડવ ચરિત્ર ભાગ-૨ ૯૯ કથાકોષ ૭૨ પાર્શ્વનાથ ચરિત્ર ગદ્ય | ૧૦૦ જૈન તીર્થ દર્શન ૭૩ હીર પ્રશ્નોત્તરાણિ ૧૦૧ જૈન કથા સંગ્રહ ભાગ-૧ ૭૪ ધર્મવિધિ પ્રકરણ ૧૦૨ જૈન કથા સંગ્રહ ભાગ-૨ ૭૫ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૧ |૧૦૩ જૈન કથા સંગ્રહ ભાગ-૩ ૭૬ દેવધર્મ પરીક્ષાદિ ગ્રંથો | |૧૦૪ રયણસેહર નિવકહા સટીક ૭૭ સુપાર્શ્વનાથ ચરિત્ર ભાગ-૨-૩ | ૧૦૫ આરંભસિદ્ધિ ૭૮ પ્રકરણત્રયી ૧૦૬ નેમિનાથ ચરિત્ર ગદ્ય ૭૯ સમતાશતક (સાનુવાદ) ૧૦૭ મોહોબ્યુલનમ્ (વાદસ્થાનમ્) ૮૦ ઉપદેશમાળા-પુષ્પમાળા ૧૦૮ શ્રી ભુવનભાનુ કેવળી ચરિત્ર ૮૧ પૃથ્વીચંદ્ર ચરિત્ર (અનુવાદ) ૮૨ ઉપદેશમાળા ૧૦૯ શ્રી ચંદ્રપ્રભવસ્વામી કેવળી ૮૩ પાઈયલચ્છી નામમાલા ચરિત્ર (અનુવાદ) ૮૪ દોઢસો સવાસો ગાથાના સ્તવનો ૧૧૦ આપણા જ્ઞાનમંદિરો ૮૫ દ્વિવર્ણ રત્નમાલા ૧૧૧ પ્રમાલક્ષણ ૮૬ શાલિભદ્ર ચરિત્ર ૧૧૨ આચાર પ્રદીપ ૮૭ અનંતનાથ ચરિત્ર પૂજાષ્ટક ૧૧૩ વિવિધ પ્રશ્નોત્તર ૮૮ કર્મગ્રંથ અવચૂરી ૧૧૪ આચારોપદેશ અનુવાદ ૮૯ ઉપમિતિ ભવપ્રપંચ કથા ભા.-૧|૧૧૫ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૧ ૯૦ ધર્મબિંદુ સટીક ૧૧૬ પટ્ટાવલી સમુચ્ચય ભાગ-૨ ૯૧ પ્રશમરતિ સટીક ૧૧૭ રત્નાકરાવતારિકા સાનુવાદ ૯૨ માર્ગણોદ્વાર વિવરણ ભાગ-૧ ૯૩ કર્મસિદ્ધિ ૧૧૮ રત્નાકરાવતારિકા સાનુવાદ ૯૪ જંબુસ્વામી ચરિત્ર અનુવાદ ભાગ-૨ ૯૫ ચૈત્યવંદન ભાષ્ય સાનુવાદ ૧૧૯ ચૈત્યવંદન ચોવીસી તથા ૯૬ ગુણવર્મા ચરિત્ર સાનુવાદ પ્રશ્નોત્તર ચિંતામણી Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ નિરયાવલિસૂત્ર ૧૪૦ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા ૧૨૧ કલ્યાણ મંદિર-લઘુશાંતિસટીક (સાનુવાદ) ભાગ-૨ ૧૨૨ ઉપદેશ સપ્તતિકા (ટીકાનુવાદ) ૧૪૧ શ્રીમોક્ષપદ સોપાન (ચૌદગુણપુસ્તક સ્થાનકનું સ્વરૂપ) ૧૨૩ પ્રતિક્રમણ હેતુ (પુસ્તક) ૧૪૨ રનશેખર રત્નાવતી કથા ૧૨૪ જૈન કુમારસંભવ મહાકાવ્ય | (પર્વતિથિ માહાભ્ય પર) ૧૨૫ દેવચંદ્ર સ્તવનાવલિ | |૧૪૩ ષષ્ઠિશતકમ્ (સાનુવાદ) ૧૨૬ આનંદકાવ્ય મહોદધિ ભાગ-૧ ૧૪૪ નમસ્કાર મહામંત્ર (નિબંધ) ૧૨૭ શ્રી પર્યત આરાધના સૂત્ર ૧૪૫ જૈન ગોત્ર સંગ્રહ (પ્રાચીન જૈન (અવચૂરી અનુવાદ સાથે) | ઇતિહાસ સહિત) ૧૨૮ જિનવાણી (તુલનાત્મકશન ૧૪૬ નયમાર્ગદર્શક યાને સાતનયનું વિચાર) સ્વરૂપ ૧૨૯ પ્રશ્નોત્તર પ્રદીપ ગ્રંથ ૧૪૭ મહોપાધ્યાયશ્રી વીરવિજયજી ૧૩૦ પ્રાચીન કોણ શ્વેતાંબર કે મહારાજા ચરિત્ર દિગંબર (ગુજરાતી) ૧૩૧ જંબૂદ્વીપ સમાસ (અનુવાદ) !' ૧૪૮ મુક્તિ માર્ગદર્શન યાને ધર્મ પ્રાપ્તિના હેતુઓ ૧૩૨ સુમતિ ચરિત્ર (અનુવાદ) ૧૪૯ ચતદૂતમ્ ૧૩૩ તસ્વામૃત (અનુવાદ) ૧૩૪ ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર ૧૫૦ મૂર્તિમંડન પ્રશ્નોત્તર પર્વનર ૧૫૧ પિંડેવિશુદ્ધિ અનુવાદ ૧૩૫ ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર ૧૫ર નંદિસૂત્ર (મૂળ) પર્વ-૧ ૧૫૩ નંદિસૂત્ર સટીક બીજી આવૃત્તિ ૧૩૬ જૈન કથા સંગ્રહ ભાગ-૪ ૧૫૪ નંદિસૂત્ર ચૂર્ણિ સટીક (પ્રતાકાર સંસ્કૃત) ૧૫૫ અનુયોગ દ્વાર સટીક ૧૩૭ જૈન કથા સંગ્રહ ભાગ-૫ ૧૫૬ દશવૈકાલિક સટીક ૧૩૮ જૈન કથા સંગ્રહ ભાગ-૬ ૧૫૭ દશવૈકાલિક સટીક ૧૩૯ જૈન ધર્મ ભક્તિ કંચનમાળા ૧૫૮ ઓઘનિર્યુક્તિ સટીક (સાનુવાદ) ભાગ-૧ ૧૫૯ પિંડનિર્યુક્તિ સટીક Page #24 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ૧૬૦ આવશ્યક સૂત્રની ટીકા ભાગ૧ ૧૮૮ ૧૬૧ આવશ્યક સૂત્રની ટીકા ભાગ૨ ૧૮૯ ૧૬૨ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૯૦ ૧૬૩ આવશ્યક સૂત્રની ટીકાભાગ-૪ ૧૯૧ ૧૬૪ આવશ્યક સૂત્રનીટીકાભાગ-૧ ૧૯૨ ૧૬૫ આવશ્યક સૂત્રનીટીકા ભાગ-૨ ૧૯૩ ૧૬૬ આવશ્યક સૂત્રની ટીકા ભાગ-૩ ૧૯૪ ૧૬૭ આવશ્યક સૂત્રની દીપીકાભા.૧ ૧૯૫ ૧૬૮ આવશ્યક સૂત્રનીદીપીકા ભા.૨ ૧૯૬ ૧૬૯ આવશ્યક સૂત્રનીદીપીકા ભા.૩ ૧૯૭ ૨૦૧ ૧૭૦ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૧ ૧૭૧ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૨ ૧૭૨ ઉત્તરાધ્યયન સટીક ભાગ-૩ ૧૭૩ જંબુઢ્ઢીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૧ ૧૭૪ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ ભાગ-૨ ૨૦૨ ૧૭૫ જીવાજીવાભિગમ સૂત્ર ભા.-૧ ૨૦૩ ૧૭૬ જીવાજીવાભિગમ સૂત્ર ભા.-૨ ૨૦૪ ૧૭૭ રાજપ્રશ્નીય ૧૭૮ આચારાંગ દીપિકા ૧૭૯ ભગવતી સૂત્ર ભાગ-૧ ૧૮૦ ભગવતી સૂત્ર ભાગ-૨ ૧૮૧ - ભગવતી સૂત્ર ભાગ-૩ ૧૮૨ પક્ષવણા સૂત્ર ભાગ-૧ ૧૮૩ પક્ષવણા સૂત્ર ભાગ-૨ ૧૮૪ ઋષિભાષિતસૂત્ર ૧૮૫ હારિભદ્રીયઆવશ્યકટીપ્પણક ૨૧૨ જૈન જ્યોતિગ્રંથ સંગ્રહ ૧૮૬ સૂર્યપ્રજ્ઞપ્તિ સટીક ૧૮૭ આચારાંગ દીપિકા ભાગ-૧ સૂત્રકૃતાંગ દીપિકા ઠાણાંગ સટીક ભાગ-૧ ઠાણાંગ સટીક ભાગ-૨ અનુયોગદ્વાર મૂળ સમવાયાંગ સટીક આચારાંગ દીપિકા ભાગ-૧ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૧ સૂત્રકૃતાંગ સટીક ભાગ-૨ ભગવતી સૂત્ર કલ્પસૂત્ર પ્રદીપિકા કલ્પસૂત્ર કૌમુદિ ૧૯૮ ૧૯૯ આનંદ કાવ્ય મહોદધિ ભા.૩ ૨૦૦ શ્રી શ્રુતજ્ઞાન અમીધારા ઉત્તરાધ્યયન સૂત્ર-મૂળ ઉપધાન વિધિ પ્રેરક વિધિ હીરસ્વાધ્યાય ભાગ-૧ હીરસ્વાધ્યાય ભાગ-૨ ૨૦૫ ચૈત્યવંદનાદિ ભાષ્યત્રયી (વિવેચન) ૨૦૬ ભોજપ્રબંધ ૨૦૭ શ્રી વસ્તુપાલ ચરિત્ર ભાષાન્તર ૨૦૮ શ્રી યોગબિંદુ સટીક ૨૦૯ ગુરુ ગુણરત્નાકર કાવ્યમ્ ૨૧૦ જગદ્ગુરુ કાવ્યમ્ ૨૧૧ યોગદૃષ્ટિસમુચ્ચય (અનુવાદ) ૨૧૭ પ્રમાણ પરિભાષા ૨૧૪ પ્રમેય રત્નકોષ : Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨ ૪ ૨૧૫ જૈન સ્તોત્ર સંગ્રહ ભાગ-૨ | ૨૩ વિચારસાર (દેવચંદ્રજી) ૨૧૬ શ્રી યોગ દૃષ્ટિસમુચ્ચય પર ૨૪ શ્રીપર્યુષણ પર્વાદિક પર્વોની (ભાવાનુવાદ) કથાઓ ૨૧૭ નવસ્મરણ (ઇગ્લીશ સાથ રે ૨૫ વિમળ મંત્રીનો રાસ સાનુવાદ) રર૬ બૃહત્ સંગ્રહણી અંતર્ગત ૨૧૮ આઠ દૃષ્ટિની સઝાય | યંત્રોનો સંગ્રહ ૨૧૯ આગમસાર (દેવચંદ્રજી) ૨૨૦ નયચક્રસાર (દેવચંદ્રજી) પર ૨૭ દમયંતી ચરિત્ર ૨૨૧ ગુરુ ગુણષત્રિશિકા દેવચંદ્રજી ૨૮ બૃહત્સંગ્રહણી યંત્ર ૨૨૨ પંચકર્મગ્રંથ (દેવચંદ્રજી) ૨૯ જૈન સ્તોત્ર સંગ્રહ Page #26 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૧ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ: ઉપાધ્યાય શ્રી ઉમાસ્વાતિજી વિરચિત તત્વાર્થાધિગમ સૂત્ર અધ્યાય પહેલો છે અગનજ્ઞાનિરિત્રાાિ મોક્ષમાર્ગ: ૧-૧ સમ્યગ્દર્શનશાનચારિત્રાણિ મોક્ષમાર્ગઃ ૧-૧ સમ્યગ્ર-દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ ૧-૧ સૂત્રાર્થ : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમચારિત્ર આ ત્રણ ગુણોની પ્રાપ્તિ એ મુક્તિનો માર્ગ છે. ૧-૧. | ભાવાર્થ : સર્વ કર્મોના ક્ષયથી આત્માના શુદ્ધ અવિચલિત સ્વરૂપની પ્રાપ્તિ થવી તે મુક્તિ કહેવાય છે. આવી મુક્તિ પ્રાપ્ત કરવા માટેનો ધોરીમાર્ગ તે છે કે ઉપરોક્ત ત્રણ ગુણોની પ્રાપ્તિ થવી. આ ત્રણ ગુણો રત્નતુલ્ય હોવાથી તે ત્રણ ગુણને “રત્નત્રયી” કહેવાય છે. (૧) વીતરાગ સર્વજ્ઞ એવા તીર્થકર ભગવન્તોએ બતાવેલા તત્ત્વો ઉપર રુચિ-પ્રીતિ-વિશ્વાસ કરવો. તે જ સંપૂર્ણ સત્ય છે. એમ માનવું તે સમ્યગ્દર્શન કહેવાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ઃ ૧-સૂત્ર-૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) તેઓએ બતાવેલા જીવ-અજીવ આદિ તત્ત્વોનું શ્રદ્ધાપૂર્વક યથાર્થ જે જ્ઞાન કરવું, તે સમ્યજ્ઞાન કહેવાય છે. (૩) તેઓના વચનોને અનુસારે હેય વસ્તુના ત્યાગપૂર્વક અને આત્માને હિતકારી અને ઉપાદેય વસ્તુના સ્વીકારપૂર્વક જીવન પવિત્ર બનાવવું તે અર્થાત્ ભોગોને અસાર સમજી વૈરાગ્યપૂર્વક તેનો ત્યાગ કરવો તે સમ્યક્ચારિત્ર કહેવાય છે. આ ત્રણ આત્માના ગુણો છે. તે ગુણો કર્મોથી ઢંકાયેલા છે. કર્મોનો ઉપશમ-ક્ષયોપશમ અને ક્ષય કરવા દ્વારા તે ગુણોની પ્રાપ્તિ કરવી એ જ સાચો મુક્તિનો માર્ગ છે. મોક્ષે જવાનો રાજમાર્ગ છે. માટે આવા ગુણો મેળવવા પ્રયત્ન કરવો. ૧-૧. ૧-૨ तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્ ૧-૨ તત્ત્વ-અર્થ-શ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્ ૧-૨ સૂત્રાર્થ- તત્ત્વભૂત અર્થો (પદાર્થો) ઉપરની જે શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. ૧-૨. ભાવાર્થ - આ સંસારમાં જાણવાલાયક વાસ્તવિક જે પદાર્થો છે, તેને “તત્ત્વ' કહેવાય છે. આવા પ્રકારના તત્ત્વભૂત એવા જીવ-પુદ્ગલ આદિ જે જે પદાર્થો છે. અને તે પદાર્થોનું વાસ્તવિક જે સ્વરૂપ છે. તે જાણીને તેના ઉપર રુચિ ક૨વી. પ્રીતિ કરવી. અર્થાત્ વિશ્વાસ કરવો. અથવા જાણકારી ન હોય તો પણ જાણકારની નિશ્રાએ રુચિ-પ્રીતિ-વિશ્વાસ થવો તે Page #28 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૩ સમ્યગ્દર્શન કહેવાય છે. દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમાદિ રૂપ આન્તરિકકારણથી અને સત્સંગ, સ્વાધ્યાય, પ્રભુભક્તિ, આદિ બાહ્યકારણોથી આ સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે. ૧-૨. तन्निसर्गादधिगमाद् वा १-3 તગ્નિસર્ગાદધિગમા વા ૧-૩ તનિસર્ગી અધિગમાદ્ વા ૧-૩ સૂત્રાર્થ - તે સમ્યગ્દર્શન ગુણ નિસર્ગથી અથવા અધિગમથી પ્રાપ્ત થાય છે. ૧-૩. ભાવાર્થ - આવા પ્રકારનું આ સમ્યગ્દર્શન અનાદિકાલથી આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવને (૧) નિસર્ગથી પણ થાય છે. અને (૨) અધિગમથી પણ થાય છે. સમ્યગ્દર્શનને સમ્યકત્વ અને સમકિત પણ કહેવાય છે. આ સમ્યગ્દર્શન એ મુક્તિપ્રાપ્તિનું પરમબીજ છે આ સમ્યકત્વ આવવાથી સંસાર વધુમાં વધુ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન માત્ર જ બાકી રહે છે. એટલે કે પરિમિત થઈ જાય છે અને મુક્તિપ્રાપ્તિ નિશ્ચિત થઈ જાય છે. આવા પ્રકારના સમ્યગ્દર્શનની પ્રાપ્તિનાં મુખ્યત્વે બે કારણો છે. (૧) નિસર્ગ અને (૨) અધિગમ. નિસર્ગ- એટલે જેમાં ગુરુનો ઉપદેશ કે પ્રતિમાનાં દર્શનાદિ જેવાં બાહ્ય કારણો-નિમિત્ત ન હોય. પરંતુ આત્માની પોતાની અંદરની જાગૃતિ વિશેષ જ કારણ હોય તે નિસર્ગ. અધિગમ- એટલે બાહ્ય નિમિત્ત. જેમાં ગુરુનો ઉપદેશ Page #29 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૧-સૂત્ર-૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર અથવા પ્રતિમાદિનાં દર્શન આદિ બાહ્યનિમિત્તો કારણ છે. આવાં બાહ્યનિમિત્તોથી જે સમ્યગ્દર્શન થાય છે. તે અધિગમ. સ્વયંબુદ્ધ કે પ્રત્યેકબુદ્ધ જેવા મહાત્મા પુરુષોને આ સમ્યગ્દર્શન નિસર્ગથી થાય છે. અને બુદ્ધબોધિત જીવોને આ સમ્યગ્દર્શન અધિગમથી થાય છે. ૧-૩. ૪ ૧-૪ जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् જીવાજીવાશ્રવબન્ધ સંવર નિર્જરા મોક્ષાસ્તત્ત્વમ્ ૧-૪ જીવ-અજીવ-આશ્રવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષાઃતત્ત્વમ્૧-૪ સૂત્રાર્થ - આ સંસારમાં જીવ-અજીવ-આશ્રવ-બંધસંવર-નિર્જરા અને મોક્ષ એમ કુલ સાત તત્ત્વો છે. ૧-૪. ભાવાર્થ-જાણવા યોગ્ય જે ભાવો તેને તત્ત્વ કહેવાય છે. તત્ત્વ એટલે જ્ઞેયસ્વરૂપે સારભૂત પદાર્થ. આ સંસારમાં પારમાર્થિક-પણે બે જ તત્ત્વ છે. (૧) જીવ અને (૨) અજીવ. ચૈતન્ય (ચેતના) ગુણ જેમાં છે તે જીવ. અને ચૈતન્ય ગુણ જેમાં નથી તે અજીવ. અર્થાત્ ચેતન અને જડ. આ બે પ્રકારના પદાર્થોથી જ આ જગત ભરેલું છે. બાકીનાં આશ્રવ વગેરે પાંચ તત્ત્વો એ જીવનું બાધક-સાધક તથા સાધ્ય સ્વરૂપ છે. આશ્રવ અને બંધ એ બાધકસ્વરૂપ છે. સંવર-નિર્જરા એ સાધકસ્વરૂપ છે. અને મોક્ષ એ સાધ્ય સ્વરૂપ છે. અન્ય શાસ્ત્રોમાં પુણ્ય અને પાપ સાથે કુલ નવ તત્ત્વો પણ આવે છે. પરંતુ તે પુણ્ય-પાપનો આશ્રવમાં સમાવેશ કરવાથી અહીં સાત તત્ત્વો કહેલ છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૫ આશ્રવ = આત્મામાં જેનાથી કર્મો આવે છે. અર્થાત્ કર્મો આવવાનાં જે દ્વાર. તે આશ્રવ. બંધ = આશ્રવ દ્વારા આવેલાં કર્મપુદ્ગલોનો આત્મા સાથે એકમેક ભાવે જે સંબંધ થવો તે બંધ. સંવર = આત્મામાં પ્રતિસમયે નવાં નવાં આવતાં કર્મોનું જે રોકવું તે સંવર. નિર્જરા = જુનાં બંધાયેલાં કર્મોનું આત્માથી વિખેરાવું તે નિર્જરા. મોક્ષ = સર્વકર્મોનો ક્ષય થવો. કર્મોના બંધનમાંથી આત્માનો છુટકારો થવો તે મોક્ષ. ૧-૪. નામ-સ્થાપના-દ્રવ્ય-મવિતતન્યા: ૧-૫ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવતરૂશ્વાસઃ ૧-૫ નામ-સ્થાપના-દ્રવ્ય-ભાવતઃ તય્યાસઃ ૧-૫ સૂત્રાર્થ - નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ આ ચાર પ્રકારના નિક્ષેપાઓથી જીવ-અજીવ આદિ તે સાતે તત્ત્વોનો વાસ થાય છે. ૧-૫. ભાવાર્થ - જીવ-અજીવ આદિ સાતે તત્ત્વોને વધારે સૂક્ષ્મ રીતે જાણવા માટે, તેનું બારીકાઈથી જ્ઞાન મેળવવા માટે નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપા જૈનશાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તેનાથી સાત તત્ત્વોનું જ્ઞાન પ્રાપ્ત કરવા જેવું છે. નામ - વસ્તુને ઓળખવા માટે તેનું પ્રવર્તતું જે નામ તે. સ્થાપના- વસ્તુને બરાબર જાણવા તેનો આકાર, તેનું ચિત્ર તે. Page #31 -------------------------------------------------------------------------- ________________ ૬ દ્રવ્ય ભાવ - - વસ્તુની વાસ્તવિક અવસ્થા. આ ચાર નિક્ષેપા (વસ્તુને જાણવાના ઉપાયરૂપ) પ્રકારો છે. કોઈ પણ વસ્તુમાં ઉપરોક્ત ચાર નિક્ષેપા (પ્રકારો) હોય જ છે. આ ચાર નિક્ષેપાથી વસ્તુનું સ્વરૂપ વધારે વધારે સ્પષ્ટ જણાય છે. તીર્થંકર ભગવાન ઉપર આ ચાર નિક્ષેપાનો આપણે વિચાર કરીએ- (૧) કોઈ પણ પરમાત્માનું ઋષભદેવ. અજિતનાથ ઈત્યાદિ ઓળખવા રૂપે પાડેલું નામ તે નામનિક્ષેપ. (૨) તે ઋષભદેવાદિની પ્રતિમા, ચિત્ર કે આકૃતિ વગેરે તે સ્થાપનાનિક્ષેપ. (૩) ઋષભદેવાદિ તીર્થંકર ભગવંતોની કેવલી અવસ્થાની પૂર્વેની છદ્મસ્થાવસ્થા અથવા પાછળની સિદ્ધાવસ્થા તે દ્રવ્યનિક્ષેપ અને (૪) તેઓની કેવલીઅવસ્થા તે ભાવનિક્ષેપ. આ પ્રમાણે જીવ - અજીવ આદિ સાત તત્ત્વો પણ નામસ્થાપના આદિ ચારે નિક્ષેપે વિચારવાં. નિક્ષેપા એટલે વસ્તુને જાણવાના ઉપાય-પ્રકા૨. ૧-૫. અધ્યાય ઃ ૧-સૂત્ર-૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર વસ્તુની વાસ્તવિક સ્થિતિથી પૂર્વાવસ્થા અને પશ્ચાદવસ્થા, આગળ-પાછળની અવસ્થા. प्रमाणनयैरधिगमः ૧-૬ પ્રમાણનવૈરધિગમઃ ૧-૬ પ્રમાણ- નયૈઃ- અધિગમઃ ૧-૬ સૂત્રાર્થ - જીવ-અજીવ આદિ સાતે તત્ત્વોનો પ્રમાણ અને નયો વડે અભ્યાસ કરી શકાય છે. ૧-૬. Page #32 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય :૧ -સૂત્ર-૬ ભાવાર્થ –જગતમાં રહેલા સર્વે પદાર્થોનું સ્થૂલ (ઉપરછલ્લું) અને સૂક્ષ્મ(ઊંડું) જ્ઞાન પ્રમાણ અને નયો દ્વારા થાય છે. પ્રમાણ અને નય એ પણ એક પ્રકારનું જ્ઞાન જ છે. પ્રમાણ અને નયાત્મકજ્ઞાન એ વસ્તુતત્ત્વના જ્ઞાનના ઉપાય રૂપ છે. વસ્તુને જાણવાની-સમજવાની અને ચિંતન-મનન કરવાની એક પ્રકારની આ સૃષ્ટિ છે. દૃષ્ટિને જ નય અને પ્રમાણ કહેવાય છે. (૧) વસ્તુતત્ત્વને સર્વ ધર્મથી જાણવાની જે દૃષ્ટિ તે દૃષ્ટિને પ્રમાણ કહેવાય છે અને વસ્તુતત્ત્વને કોઈ પણ એક ધર્મથી (ઉ૫કા૨ક ધર્મથી) જાણવાની જે દૃષ્ટિ અને તેમાં બીજા ધર્મો હોવા છતાં પણ તે ધર્મોની ત્યાં ઉપકારકતા ન હોવાથી તેને ગૌણ કરવાવાળી જે દૃષ્ટિ તે નય કહેવાય છે. દા. ત. આ આત્મા નિત્યાનિત્ય છે એમ જાણવું તે પ્રમાણ, અને દ્રવ્યદૃષ્ટિએ નિત્ય છે. તથા પર્યાયદષ્ટિએ અનિત્ય છે. એમ ક્રમશઃ જાણવું તે નય, આ રીતે નયો તે પ્રમાણના અંશો-અવયવો રૂપ છે. પ્રમાણના બે ભેદ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ. ઈન્દ્રિયાદિ બાહ્ય આલંબન વિના આત્માને જે સાક્ષાત્ જ્ઞાન થાય તે પ્રત્યક્ષ. અને ઈન્દ્રિયાદિ બાહ્યઆલંબનથી જે જ્ઞાન થાય તે પરોક્ષ. પ્રત્યક્ષ પ્રમાણમાં અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ ત્રણ જ્ઞાનો આવે છે. અને પરોક્ષ પ્રમાણમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે જ્ઞાનો આવે છે. નયોના પણ બે ભેદો છે. દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય. દ્રવ્ય તરફની દૃષ્ટિ પ્રધાન હોય તે દ્રવ્યાર્થિકનય. અને પર્યાય તરફની દૃષ્ટિ પ્રધાન હોય તે પર્યાયાર્થિકનય. ૧-૬. Page #33 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૧-સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર निर्देशस्वामित्वसाधनाधिकरणस्थितिविधानतः નિર્દેશસ્વામિત્વસાધનાધિકરણસ્થિતિવિધાનતઃ ૧-૭ નિર્દેશ-સ્વામિત્વ-સાધન-અધિકરણ-સ્થિતિ-વિધાનતઃ ૧-૭ સૂત્રાર્થ - નિર્દેશ-સ્વામિત્વ-સાધન-અધિકરણ-સ્થિતિ અને વિધાન એમ ૬ ધારોથી સમ્યગ્દર્શન જાણવા જેવું છે. ૧-૭. ભાવાર્થ - સમ્યગ્દર્શનાદિ ત્રણ ગુણો એ મુક્તિનો માર્ગ છે. એમ પ્રથમ સૂત્રમાં કહ્યું છે. ત્યાં સમ્યગ્દર્શન નામના પ્રથમ ગુણને વધારે સ્પષ્ટ સમજાવવા માટે આ સૂત્રમાં છ દ્વારો (વસ્તુ સ્થિતિ સમજવા માટેના છ પ્રકારો) જણાવ્યાં છે. (૧) નિર્દેશ એટલે વસ્તુનું સ્વરૂપ, જે વસ્તુ જેવી હોય તે વસ્તુને તેવી જાણવી. અહીં સમ્યગ્દર્શનનું સ્વરૂપ રુચિપ્રીતિ-વિશ્વાસ છે. વીતરાગ પરમાત્માનાં વચનો નિર્દોષ અને પરમ હિતકારક હોવાથી તેના ઉપર પ્રીતિ કરવી. વિશ્વાસ કરવો તે જ સાચાં છે એવી રુચિ કરવી તે. (૨) સ્વામિત્વ એટલે માલિકી. આ સમ્યગ્દર્શનનો માલિક જીવ જ હોય છે. જીવને જ આ સમ્યગ્દર્શન થાય છે અજીવને થતું નથી માટે જીવ જ તેનો સ્વામી છે. (૩) સાધન- એટલે નિમિત્ત. તે બે પ્રકારે છે બાહ્ય અને અભ્યન્તર. ગુરુનો ઉપદેશ, સત્સંગ, અને પ્રતિમાનાં દર્શનાદિ તે બાહ્યનિમિત્ત. અને દર્શનમોહનીયકર્મનો ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ તે અભ્યત્તર નિમિત્ત. Page #34 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૮ (૪) અધિકરણ- એટલે આધાર, પ્રાપ્ત થયેલું આ સમ્યગ્દર્શન ક્યાં વર્તે? સમ્યગ્દર્શનનો આધાર કોણ? સમ્યગ્દર્શનનો આધાર સમ્યગ્દષ્ટિ આત્મા જ હોય છે. ગુણનો આધાર ગુણી જ હોય છે. પ્રગટ થયેલું સમ્યગ્દર્શન જીવમાં જ વર્તે છે. (૫) સ્થિતિ - એટલે કાલમાન. પ્રાપ્ત થયેલું સમ્યક્ત્વ કેટલો કાળ રહે? જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ક્ષાયોપશમિકની સાધિક છાસઠ સાગરોપમ પ્રમાણ સ્થિતિ જાણવી. ક્ષાયિકની સ્થિતિ સાદિ અનંત જાણવી. અને ઔપથમિકની સ્થિતિ અંતર્મુહૂર્ત જાણવી. (૬) વિધાન એટલે ભેદ, સમ્યકત્વના ૩ ભેદ છે. (૧) ઔપથમિક, (૨) ક્ષાયોપથમિક અને (૩) ક્ષાયિક. આ પ્રમાણે સમ્યકત્વ ઉપર છ દ્વારા સંક્ષેપથી સમજાવ્યાં. ૧-૭. सत्संख्याक्षेत्रस्पर्शनकालान्तरभावाल्पबहुत्वैश्च १-८ સત્સંખ્યાક્ષેત્ર સ્પર્શનકાલાન્તર ભાવા~બહુવૈશ્ચ ૧૮ સ-સંખ્યા-ક્ષેત્ર-સ્પર્શન-કાલ-અન્તર-ભાવ-અલ્પબહુચ સૂત્રાર્થ-સમ્યકત્વ ઉપર સ–સંખ્યા આદિ બીજાં પણ આઠ દ્વારા જાણવા જેવાં છે. ૧-૮. ભાવાર્થ - સમ્યકત્વ ગુણને સારી રીતે સમજવા માટે સત્સંખ્યા વગેરે નીચે મુજબ બીજાં આઠ દ્વારા પણ જાણવા જેવાં છે. આ આઠ દ્વારોથી સમ્યકત્વ સારી રીતે સમજાય છે. (૧) સત્ - એટલે હોવું. અર્થાત્ વિદ્યમાન, સમ્યકત્વગુણ Page #35 -------------------------------------------------------------------------- ________________ 9 ) અધ્યાય : -સૂત્ર-૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર સંસારમાં છે કે નહીં ? અને જો છે તો મનુષ્યગતિ આદિ ચારે ગતિઓમાં ક્યાં ક્યાં છે? ઈત્યાદિ વિચારવું. સમ્યત્વ એ આત્માનો ગુણ હોવાથી જગતમાં છે જ. અને તે ચારે ગતિમાં થઈ શકે છે. ફક્ત ક્ષાયિક સમ્યકત્વ (પ્રારંભની દૃષ્ટિએ) મનુષ્યગતિમાં જ પ્રાપ્ત કરી શકાય છે. આ રીતે જાતિ આદિ બીજી માર્ગણાઓમાં પણ વિચારવું. (૨) સંખ્યા - આ સંસારમાં સમ્યગ્દર્શની જીવોની સંખ્યા કેટલી? તે વિચારવું. ઉપશમ સમ્યકત્વી જીવો સંખ્યાતા અને ક્ષયોપશમ સમ્યકત્વી જીવો અસંખ્યાતા, અને ક્ષાયિક સમ્યકત્વી જીવો (સિદ્ધ ભગવંતોને સાથે ગણતાં) અનંતા હોય છે. (૩) ક્ષેત્ર- સમ્યકત્વી જીવોને રહેવાનું ક્ષેત્ર કેટલું? ચૌદ રાજલોક સ્વરૂપ લોકાકાશનો અસંખ્યાતમો ભાગ ક્ષેત્ર હોય છે. સમ્યક્ત્વી જીવો વાળું સર્વક્ષેત્ર ગણીએ તો પણ (સમુદ્યાત વિના) સંપૂર્ણ લોકનો અસંવભાગ જ થાય છે. (૪) સ્પર્શન - સ્પર્શના એ ક્ષેત્ર કરતાં કંઈક અધિક હોય છે. જ્યાં વસ્તુ અવગાહીને રહે તે ક્ષેત્ર, અને તે તથા તેની આજુબાજુના ક્ષેત્રનો સ્પર્શ તે સ્પર્શન. (૫) કાલ-સમય, સમ્યકત્વ પ્રાપ્ત કર્યા પછી જીવ તેમાં કેટલો કાલ વર્ત? જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક છાસઠ સાગરોપમ અને ક્ષાયિકને આશ્રયી સાદિઅનંતકાલ માપજાણવું. (૬) અત્તર - વિરહ, આવેલું સમ્યકત્વ ચાલ્યું જાય તો તે Page #36 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૯ ૧૧ ફરીથી ક્યારે પ્રાપ્ત થાય? એટલે કે સમ્યકત્વનો વિરહ કેટલો? જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોનઅર્ધ પુદ્ગલ પરાવર્તન. આટલા કાલ પછી જીવ અવશ્ય ફરીથી સમ્યકત્વ પામે જ છે. (૭) ભાવ- ઉપશમાદિ પાંચ ભાવોમાંથી કયા ભાવે જીવને સમ્યકત્વ પ્રગટ થાય? ઉપશમ - ક્ષયોપશમ અને ક્ષાયિક એમ ત્રણ ભાવે જ સમ્યકત્વ થાય છે. ઔદાયિક અને પારિણામિક ભાવે સમ્યકત્વ થતું નથી (૮) અલ્પબદુત્વ - ઉપરના ત્રણ સમ્યકત્વોમાંથી જીવો ક્યાં થોડા હોય અને ક્યાં વધારે હોય? ઉપશમમાં સૌથી થોડા હોય, તેનાથી ક્ષયોપશમમાં અધિક હોય, અને તેનાથી ક્ષાયિકમાં અધિક હોય છે. આ પ્રમાણે સમ્યકત્વ ઉપર આઠ દ્વારા સમજાવ્યાં. ૧-૮. સમ્યગ્દર્શન સમજાવીને હવે સમ્યજ્ઞાન સમજાવે છેमतिश्रुतावधिमनःपर्यायकेवलानि જ્ઞાનમ્ ૧-૯ મતિકૃતાવધિમન:પર્યાયકેવલાનિ જ્ઞાનમ્ ૧-૯ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યાય-કેવલાનિ જ્ઞાનમ્ ૧-૯ સૂત્રાર્થ-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ પાંચ પ્રકારનું જ્ઞાન છે. ૧-૯. ભાવાર્થ- વસ્તુતત્ત્વનો જે વિશેષ બોધ-સમજ તે જ્ઞાન કહેવાય છે. તે જ્ઞાનના પાંચ ભેદો છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ અધ્યાય : ૧-સૂત્ર-૧૦-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧) ઈન્દ્રિયો અને મન દ્વારા જે વસ્તુતત્ત્વનો બોધ થાય તે મતિજ્ઞાન. (૨) ગુરુજી પાસે ભણવાથી અથવા શાસ્ત્રો સાંભળવાથી જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન. (૩) ઈન્દ્રિયોની સહાય વિના આત્મસાક્ષીએ રૂપી દ્રવ્યોનું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. (૪) અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવો જાણવાની આત્માની જે શક્તિ તે મન:પર્યવજ્ઞાન. અને (૫) લોકાલોકના સર્વદ્રવ્યોના સર્વપર્યાયોનું જે જ્ઞાન તે કેવલજ્ઞાન. હવે તે પાંચ જ્ઞાનો કેટલા અને કયા પ્રમાણસ્વરૂપ છે? તે સમજાવે છે. ૧-૯, તમાને તત્રમાણે તત્ પ્રમાણે ૧-૧૦ મા પક્ષન્ આદ્ય પરોક્ષમ્ આદ્ય પરોક્ષમ્ ૧-૧૧ પ્રત્યક્ષ ચિત્ પ્રત્યક્ષમન્ય પ્રત્યક્ષમ્ અન્યત્ ૧-૧ર સૂત્રાર્થ-તે પાંચ જ્ઞાનો બે પ્રમાણ સ્વરૂપ છે. પ્રથમનાં બે જ્ઞાનો પરોક્ષ છે. અને બાકીનાં ત્રણ જ્ઞાનો પ્રત્યક્ષ છે. ૧-૧૦, ૧૧, ૧૨. ભાવાર્થ – જૈનદર્શનકારો “જ્ઞાન”ને જ પ્રમાણ જણાવે છે. કારણ કે જ્ઞાન જ આ જીવને ઈનિષ્ટમાં પ્રવર્તક-નિવર્તક છે. આ આમ્રફળ છે એવું જ્ઞાન થાય તો જીવ પ્રવૃત્તિ કરે છે. અને આ સર્પ છે એવું જ્ઞાન થાય તો જીવ નિવૃત્તિ કરે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૧૩ ૧૩ માટે જ્ઞાન જ હિતાહિતમાં પ્રવર્તક-નિવર્તક હોવાથી પ્રમાણ કહેવાય છે. પ્રમીયતે વસ્તુતત્ત્વનેનેતિ પ્રમાણમ્ | તે પાંચ જ્ઞાનો બે પ્રમાણમાં સમાઈ જાય છે. પ્રથમનાં બે જ્ઞાનો (મતિ અને કૃત) ઈન્દ્રિય સાપેક્ષ હોવાથી પરોક્ષ છે. અને છેલ્લાં ત્રણ જ્ઞાનો (અવધિ-મન:પર્યવ અને કેવલ) ઈન્દ્રિય નિરપેક્ષ હોવાથી પ્રત્યક્ષ છે. ઈતરદર્શનકારો (નૈયાયિક-વૈશેષિકો) ઈન્દ્રિયસગ્નિકર્ષને પણ પ્રમાણ માને છે. પરંતુ અજ્ઞાત વસ્તુને ચાખવામાં, સુંઘવામાં અને જોવામાં ઈન્દ્રિયસમિકર્ષ હોવા છતાં પણ જ્ઞાન થાય જ એવો નિયમ નથી. તેથી જ્યારે જ્ઞાન ન થાય ત્યારે ઈષ્ટાનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ થતી નથી. માટે ઈન્દ્રિયસકિર્યો તે અસાધારણ કારણ ન હોવાથી પ્રમાણ નથી. પરંતુ જ્ઞાન જ પ્રમાણ કહેવાય છે. હવે પાંચ જ્ઞાનમાંથી પ્રથમ મતિજ્ઞાન સમજાવે છે. ૧-૧૦-૧૧-૧૨. પ્રતિકૃતિસંજ્ઞાન્તિામિનિબોધ રૂત્યુનત્તરમ્ ૧-૧૩ મતિમૃતિસંજ્ઞાચિન્તાભિનિબોધ ઈત્યનર્થાન્તરમ્ ૧-૧૩ મતિ-સ્મૃતિ-સંજ્ઞા-ચિત્તા-અભિનિબોધ ઈતિ અનર્થાન્તરમ્ સૂત્રાર્થ- મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિત્તા, અભિનિબોધ આ બધા શબ્દો એક જ અર્થવાળા છે. ૧-૧૩. ભાવાર્થ- હવે મતિજ્ઞાનને સમજાવવા તેના પર્યાયવાચી શબ્દો જણાવે છે. મતિ-સ્મૃતિ-સંજ્ઞા-ચિંતા અને અભિનિબોધ આ બધા શબ્દો એકજ અર્થવાળા છે. મનન કરવું તે મતિ, યાદ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અધ્યાયઃ ૧-સૂત્ર-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર કરવું તે સ્મૃતિ, વર્તમાનની વિચારણા કરવી તે સંજ્ઞા, ભાવિની વિચારણા કરવી તે ચિત્તા, ઈન્દ્રિયો દ્વારા જે બોધ થાય તે અભિનિબોધ, આ સર્વે શબ્દો મતિજ્ઞાનના જ વાચક છે. સામાન્યથી આ બધા જ શબ્દો ઈન્દ્રિયજન્ય બોધના વાચક છે માટે એકાર્થક છે. પરંતુ સૂક્ષ્મવિચારણા કરીએ તો સ્મૃતિ ભૂતકાળના વિષયનો બોધ કરાવે છે. ચિંતા ભાવિના વિષયની બોધ કરાવે છે. સંજ્ઞા વર્તમાનકાળના વિષયનો બોધ કરાવે છે. મતિ એ મનન-ચિંતન સ્વરૂપ છે. એમ સૂક્ષ્મ રીતે કંઈક કંઈક ભિન્ન ભિન્ન અર્થના પણ વાચક છે. છતાં સામાન્યથી મતિજ્ઞાનના જ પર્યાયવાચક છે. ૧-૧૩. तदिन्द्रियानिन्द्रियनिमित्तम् ૧-૧૪ તદિન્દ્રિયાનિદ્રિયનિમિત્તમ્ ૧-૧૪ તદ્ ઈન્દ્રિય-અનિદ્રિય-નિમિત્તમ્ ૧-૧૪ સૂત્રાર્થ તે મતિજ્ઞાન ઈન્દ્રિય અને અનિદ્રિયના નિમિત્તવાળું છે. ૧-૧૪. ભાવાર્થ- તે મતિજ્ઞાન શરીરમાં રહેલી પાંચ ઈન્દ્રિયો અને અનિદ્રિય એટલે મન એમ છ ના નિમિત્તથી થાય છે. શરીરના જે જે અવયવોથી જીવને જ્ઞાન થાય છે. તે તે અવયવોને ઈન્દ્રિય કહેવાય છે. શરીરમાં પાંચ જ અવયવો જ્ઞાન પ્રાપ્તિમાં નિમિત્તભૂત છે. (૧) સ્પર્શનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) ઘ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરિન્દ્રિય, (૫) શ્રોત્રેન્દ્રિય. આ પાંચે ઈન્દ્રિયો શરીરમાં બહારના Page #40 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૧૫ ૧૫ ભાગમાં છે માટે તેને બાલ્વેન્દ્રિય કહેવાય છે. અને મન શરીરની અંદર છે. એટલે અભ્યન્તરેન્દ્રિય કહેવાય છે અથવા મન એ સ્પર્શનેન્દ્રિયાદિની જેવી બાહ્યઇન્દ્રિયરૂપ નથી. માટે અનિન્દ્રિય કહેવાય છે. આ છ ઈન્દ્રિયોથી જુદા-જુદા એક-એક વિષયનું જ માત્ર જ્ઞાન થાય છે. (૧) સ્પર્શનેન્દ્રિય દ્વારા સ્પર્શનું જ્ઞાન થાય છે. તે સ્પાર્શન પ્રત્યક્ષ. (૨) રસનેન્દ્રિય દ્વારા રસનું જ્ઞાન થાય છે તે રાસન પ્રત્યક્ષ. (૩) ધ્રાણેન્દ્રિય દ્વારા ગંધનું જ્ઞાન થાય છે તે ધ્રાણજ પ્રત્યક્ષ. (૪) ચક્ષુરિન્દ્રિય દ્વારા રૂપનું જ્ઞાન થાય છે તે ચાક્ષુષ પ્રત્યક્ષ. (૫) શ્રોત્રેન્દ્રિય દ્વારા શબ્દનું જ્ઞાન થાય છે. તે શ્રોત્રજ પ્રત્યક્ષ. (૬) મન દ્વારા ઉપરોક્ત પાંચ વિષયનું જ્ઞાન થાય છે. તે માનસ પ્રત્યક્ષ. ૧-૧૪. अवग्रहेहापायधारणाः ૧-૧૫ અવગ્રહેહાપાયધારણાઃ ૧-૧૫ અવગ્રહ ઈહા-અપાય-ધારણાઃ ૧-૧૫ સૂત્રાર્થ - ઉપરોક્ત ઈન્દ્રિયોથી અને મનથી થતું તે મતિજ્ઞાન ક્રમશઃ થનારા અવગ્રહ-ઈહા-અપાય અને ધારણાના ભેદથી ચાર ચાર પ્રકારે છે. ૧-૧૫. ભાવાર્થ - બાહ્ય પાંચ અને અભ્યત્તર એક એમ કુલ છ ઈન્દ્રિયોથી થનારું આ મતિજ્ઞાન અવગ્રહ-ઈહા-અપાય અને ધારણારૂપે ચાર ચાર ભેદોવાળું છે. આ ચારે ભેદો ક્રમશઃ બોધની વૃદ્ધિવાળા અંશો છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અધ્યાય : ૧-સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર અવગ્રહ – એટલે “આ કંઈક છે” એવું વસ્તુના અભિધાનાદિ વિશેષ નિર્દેશ વિનાનું સામાન્ય જ્ઞાન. ઈહા - એટલે “શું આ સર્પ હશે કે દોરડું ?” અથવા “સ્થાણુ હશે કે પુરુષ ?” એવું વિકલ્પોવાળું જે જ્ઞાન. અપાય - એટલે “આ સર્પ જ છે” ઈત્યાદિ નિર્ણયાત્મક જે જ્ઞાન. ધારણા - એટલે નિર્ણયાત્મક થયેલા જ્ઞાનને દીર્ઘકાળ સુધી ધારી રાખવું તે. ધારણાના ત્રણ પેટા ભેદો છે. આ પ્રમાણે છે ઈન્દ્રિયોથી ચાર ચાર ભેદોવાળું મતિજ્ઞાન થાય છે માટે ૬૮૪=૧૪ ભેદો મતિજ્ઞાનના થાય છે. ૧-૧૫. बहुबहुविधक्षिप्रानिश्रितासंदिग्धधुवाणां सेतराणाम्१-१६ બહુબહુવિધક્ષિપ્રાનિશ્રિતાસંદિગ્ધધ્રુવાણાં સંતરાણા...૧-૧૬ બહુ બહુવિધ-ક્ષિપ્ર-અનિશ્ચિત-અસંદિગ્ધ-ધ્રુવાણાં સંતરાણામ્ - સૂત્રાર્થ - બહુ-બહુવિધ-પ્રિ-અનિશ્ચિત-અસંદિગ્ધ અને ધ્રુવ એ છ ભેદો તથા તે છ ભેદોના પ્રતિપક્ષી(વિરોધી) એવા બીજા છ ભેદ એમ કુલ બાર ભેદોના ઉપરોક્ત અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા થાય છે. ૧-૧૬. ભાવાર્થ-પંદરમા સૂત્રમાં કહેલા મતિજ્ઞાનના છ ઈન્દ્રિય આશ્રયી અવગ્રહ-ઈહા-અપાય અને ધારણાના (૬૪૪=)૨૪ ભેદોમાં એકેક ભેદ બહુ-બહુવિધ-પ્રિ આદિ બાર બાર ભેદવાળો થાય છે. મતિજ્ઞાન ક્ષયોપશમ ભાવનું છે. અને ક્ષયોપશમભાવ ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારનો હોય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૧૬ ૧૭ (૧) બહુગ્રાહી – ઈન્દ્રિય-ગોચર વિષયમાં જ્યાં દ્રવ્યનો ભેદ જણાય તે બહુગ્રાહી. જેમ કે વાજાં વાગતાં સાંભળીને તેના શબ્દને અનુસારે શરણાઈ, ઢોલ, નગારા-પડઘમ અને ઝાલરને ભિન્ન-ભિન્ન વાજિંત્ર રૂપે જાણી શકે તે. (૨) અબદુગ્રાહી-ઉપરોક્ત દ્રવ્યભેદ ન જાણે. પરંતુ માત્ર વાજાં વાગે છે એટલું જ જાણે, વધારે ન જાણે તે અબહુગ્રાહી. (૩) બહુવિધગ્રાહી - દ્રવ્યના પર્યાયનો પણ ભેદ જાણે તે બહુવિધગ્રાહી. જેમ કે- આ શરણાઈ તાલમાં વાગે છે. આ બીન તાલમાં વાગે છે. આ ઢોલ સારું લાગે છે. આ ઢોલ ખોખરૂં વાગે છે. ઈત્યાદિ (૪) અબહુવિધગ્રાહી-દ્રવ્યના એક-બે પર્યાયને જાણે પરંતુ વધારે પર્યાયને ન જાણે તે. (૫) ક્ષિપગ્રાહી – ઈન્દ્રિય અને વિષયનો યોગ થતાં વિષયને તુરત જ જાણી શકે. વિલંબ ન લગાડે તે ક્ષિપ્રગ્રાહી. (૬) અક્ષિપ્રગ્રાહી - ઈન્દ્રિય અને વિષયનો યોગ થયે છતે જે વિષયને ધીમેધીમે જાણે. પરંતુ તુરત ન જાણી શકે છે. (૭) અનિશ્રિતગ્રાહી – બાહ્ય કોઈપણ પ્રકારના લિંગ વિના અનુભવબળે જાણે તે. (૮) નિશ્રિતગ્રાહી - બાહ્ય કોઈપણ પ્રકારના લિંગ(ચિહ્ન)ના આધારે જાણે છે. જેમ કે ધજા દેખીને આ મંદિર છે એમ જાણવું તે. (૯) અસંદિગ્ધગ્રાહી - જે કંઈ જાણે તેમાં સંદેહ ન હોય. નિર્ણયાત્મકભાવે જાણે તે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અધ્યાય : ૧-સૂત્ર-૧૭ થી ૧૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧૦) સંદિગ્ધગ્રાહી - જે કંઈ જાણે તેમાં સંદેહ હોય. મને લાગે છે કે પેલું જે કાળું કાળું દેખાય છે તે સર્પ જ હોવો જોઇએ. પછી તો ભગવાન જાણે. (૧૧) ધ્રુવગ્રાહી – જે કંઈ જાણ્યું તે લાંબો કાળ યાદ રહે તે. (૧૨) અધૃવગ્રાહી - જે કંઈ જાણ્યું તે લાંબો કાળ યાદ ન રહે જાણ્યા પછી તુરત ભૂલી જવાય તે. આ પ્રમાણે મતિજ્ઞાનના એક એક ભેદમાં આવી સૂક્ષ્મતા અને હાનિ-વૃદ્ધિવાળો બોધ હોય છે. ૧-૧૬. अर्थस्य ૧-૧૭ અર્થસ્ય અર્થસ્ય ૧-૧૭ ૧-૧૭ व्यञ्जनस्यावग्रहः વ્યંજનસ્થાવગ્રહઃ વ્યંજનસ્ય અવગ્રહ: ૧-૧૮ ૧-૧૮ ૧-૧૮ ક્ષનિક્રિયાખ્યા ૧૧૯ ન ચક્ષુરનિન્દ્રિયાભ્યામ્ ૧-૧૯ ન ચક્ષુ-અનિન્દ્રિયાભ્યામ્ ૧-૧૯ સૂત્રાર્થ - અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા આ ચારે ભેદો અર્થના હોય છે. તથા અવગ્રહ તો વ્યંજનનો પણ હોય છે. એટલે કે અર્થનો અને વ્યંજનનો એમ બન્નેનો હોય Page #44 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૧૭-૧૯ ૧૯ છે. ફક્ત ચહ્યું અને મનનો વ્યંજનવાળો અવગ્રહ હોતો નથી. ૧-૧૭-૧૮-૧૯. ભાવાર્થ - પંદરમા સૂત્રમાં જે અવગ્રહ, ઈહા, અપાય અને ધારણા એમ મતિજ્ઞાનના ચાર ભેદો કહ્યા છે, તે અર્થના થાય છે. તેમાંનો પ્રથમ ભેદ જે અવગ્રહ છે. તે વ્યંજનનો પણ થાય છે. છતાં તે વ્યંજનનો અવગ્રહ ચક્ષુ તથા મન ઈન્દ્રિયનો થતો નથી. વ્યંજન એટલે ઇન્દ્રિય અને વિષયનો સંબંધ માત્ર. આ વ્યંજનાગ્રહમાં “આ કંઇક છે” એવો સામાન્ય અર્થ બોધ પણ હોતો નથી. આ કંઈક છે” “આ શું હશે? સર્પ હશે કે રજુ”? ના, આ સર્પ નથી પરંતુ રજુ જ છે. ઈત્યાદિ અર્થનું ચિંતનમનનવિચારણા જેમાં થાય છે, તેવા બોધને અર્થનો બોધ કહેવાય છે. તેથી અવગ્રહાદિ ચારે આવા ચિંતનાત્મક હોવાથી મનનાત્મક હોવાથી, અર્થ બોધ રૂપ હોવાથી અર્થાત્મક છે. પરંતુ તેમાંનો પ્રથમભેદ જે અવગ્રહ છે. તે અર્થનો પણ હોય છે. અને વ્યંજનનો પણ હોય છે. આવા ચિંતન-મનન વિના માત્ર ઈન્દ્રિયની સાથે વિષયનું જોડાણ તે વ્યંજન કહેવાય છે. નિદ્રાધીન માણસને ૮/૧૦ બુમો પાડી. છતાં જ્યાં સુધી તે માણસ જાગે નહીં ત્યાં સુધી શ્રોત્રેન્દ્રિય અને શબ્દ આ બન્નેનો સંબંધમાત્ર જ જે થાય છે. ચિંતન થતું નથી તે વ્યંજનનો (વિષયનો) અવગ્રહ કહેવાય છે. આવા પ્રકારનો વિષયસંબંધી ઇન્દ્રિય અને વિષયના સંબંધ માત્ર રૂપ અવગ્રહ સ્પર્શન- રસના- ઘાણ અને શ્રોત્ર એમ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૦ અધ્યાય : ૧-સૂત્ર-૧૭-૧૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર ચાર જ ઈન્દ્રિયોમાં હોય છે. ચહ્યું અને મનનો વ્યંજનાવગ્રહ સંભવતો નથી. કારણ કે તે બન્ને ઈન્દ્રિયો વિષયની સાથે જોડાયા વિના જ વિષયબોધ કરે છે. ચક્ષુ અને મન અપ્રાપ્યકારી છે. જાણવા લાયક વિષય સાથે જોડાતી નથી. ચક્ષુથી અગ્નિ જોતાં દાહ થતો નથી. સર્પ જોતાં ડંખ થતો નથી. માટે તે બેમાં વ્યંજનાવગ્રહ નથી. મારૂ મન શત્રુંજયના દર્શનમાં વર્તે છે એમ જે કહેવાય છે તે ઉપચારમાત્ર છે. પરંતુ વાસ્તવિકપણે મન ત્યાં જતું નથી. આ પ્રમાણે મતિજ્ઞાનના ભેદો નીચે મુજબ થાય છે. મતિજ્ઞાન અવગ્રહ ઈહા અપાય ધારણા વ્યંજન અર્થ અર્થ જ અર્થ જ અર્થ જ સ્પર્શનાદિ સ્પર્શનાદિ સ્પર્શનાદિ સ્પર્શનાદિ સ્પર્શનાદિ ૪ ઈન્દ્રિયો ૬ ઈન્દ્રિયો ૬ ઈન્દ્રિયો ૬ ઈન્દ્રિયો ૬ ઈન્દ્રિયો બહુ વગેરે બહુ વગેરે બહુ વગેરે બહુ વગેરે બહુ વગેરે ૧૨ ભેદો ૧૨ ભેદો ૧૨ ભેદો ૧૨ ભેદો ૧૨ ભેદો ૪૮ ૭૨ ૭૨ ૭૨ ૭૨=૩૩૬ આ પ્રમાણે મતિજ્ઞાનના ભેદ-પ્રભેદો ગણતાં કુલ ૩૩૬ ભેદો મૃતનિશ્રિત મતિજ્ઞાનના થાય છે. તેમાં અશ્રુતનિશ્રિતના ભેદરૂપ ઔત્પાતિકી વૈનાયિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિ Page #46 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૨૦ ૨૧ મેળવતાં મતિજ્ઞાનના ૩૪૦ ભેદો થાય છે. પૂર્વે સાંભળેલું હોય, પરંતુ પ્રયોગકાળે શ્રુતનું અનુસરણ ન હોય તે ધૃતનિશ્રિત અને પૂર્વે સાંભળેલું જ ન હોય પરંતુ પોતાના બુદ્ધિબળમાત્રથી જ જે જાણે તે અશ્રુતનિશ્રિત. ત્પાતિકી, વૈનયિકી કાર્મિકી અને પરિણામિકી એમ ચાર બુદ્ધિ અશ્રુતનિશ્રિત છે. અકસ્માત્ (અચાનક) બુદ્ધિ થાય તે ઔપાતિકી, ગુરુજીનો વિનય કરવાથી જે બુદ્ધિ આવે તે વનયિકી, કામકાજ કરતાં કરતાં કળામાં જે પ્રવીણતા લાવે તે કાર્મિકી, અને ઉંમરના પરિપાકથી (વિશાળ અનુભવથી) જે બુદ્ધિ થાય તે પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. ૧-૧૭-૧૮-૧૯. શ્રત અતિપૂર્વ વિજેતા મેમ્૧-૨૦ શ્રત અતિપૂર્વ ચકકાદશભેદમ્ ૧-૨૦ શ્રુત મતિપૂર્વ દ્વિ-અનેક-દ્વાદશ-ભેદ ૧-૨૦ સૂત્રાર્થ - શ્રુતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે. તેના બે ભેદ છે. બન્ને ભેદોના અનુક્રમે અનેક અને બાર ભેદો છે. ૧-૨૦. ભાવાર્થ - મતિજ્ઞાન સમજાવીને હવે શ્રુતજ્ઞાન સમજાવે છે. ગુરુ પાસે ભણવાથી અથવા શાસ્ત્રોના શ્રવણ-મનનથી જે જ્ઞાન થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાન હંમેશાં મતિજ્ઞાન પૂર્વક જ થાય છે. પહેલાં ઈન્દ્રિયોથી જે શબ્દાદિ સંભળાય છે તે મતિજ્ઞાન છે. ત્યારબાદ તેનો જે ભાવાર્થ જણાય Page #47 -------------------------------------------------------------------------- ________________ ૨૨ અધ્યાયઃ ૧-સૂત્ર-૨૧-૨૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર છે. તે શ્રુતજ્ઞાન છે. મતિ જેને થાય તેને શ્રુત થાય જ એવો નિયમ નથી. પરંતુ જેને શ્રુત થાય તેને પૂર્વકાળમાં યતિ થાય જ છે. માટે શ્રુત એ મતિપૂર્વક જ થાય છે. તે શ્રુતજ્ઞાનના બે ભેદ છે. (૧) અંગબાહ્ય, (૨) અંગપ્રવિષ્ટ. પરમાત્મા શ્રી વીતરાગદેવની ત્રિપદી સાંભળી અગાધજ્ઞાનના સ્વામી શ્રીગણધરભગવંતો જે શાસ્ત્રારચના કરે છે તે આચારાંગ આદિ બાર પ્રકારનાં જે શાસ્ત્રો તે અંગપ્રવિષ્ટ. તેના આચારાંગ-સૂત્રકૃતાંગ વગેરે ૧૨ ભેદો છે. તથા તે ૧૨ અંગના આધારે પૂર્વાચાર્યો નવા નવા ભિન્ન-ભિન્ન વિષય ઉપર જે નવાં નવાં શાસ્ત્રો બનાવે છે તે અંગબાહ્ય. તેના અનેક ભેદો છે. ૧-૨૦. द्विविधोऽवधिः ૧-૨૧ દ્વિવિધોવધિઃ ૧-૨૧ કિવિધ અવધિઃ ૧-૨૧ ભવપ્રત્યયો તારવવાનામ્ ૧-૨૨ ભવપ્રત્યયો નારકદેવાનામ્ ૧-૨૨ ભવપ્રત્યયઃ નારકદેવાનામ્ ૧-૨૨ સુત્રાર્થ- અવધિજ્ઞાન બે પ્રકારનું છે, તેમાં નારકી અને દેવોને ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. ૧-૨૧-૨૨. ભાવાર્થ – ઈન્દ્રિયોની મદદ વિના આત્મ-સાક્ષાત્ પણે રૂપી પદાર્થોનું જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન. તેના બે ભેદ છે. ૧ - Page #48 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય ઃ ૧-સૂત્ર-૨૩ ભવપ્રત્યયિક અને ૨. ગુણપ્રત્યયિક. જે અવધિજ્ઞાનની ઉત્પત્તિમાં ભવ એ નિમિત્ત છે તે ભવપ્રત્યયિક. અને જે જ્ઞાનની ઉત્પત્તિમાં ગુણ એ નિમિત્ત છે તે ગુણપ્રત્યયિક. તે બન્ને ભેદોમાંથી જે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન છે તે દેવ-નારકીને જ હોય છે. અને દેવ-નારકીને ભવપ્રત્યયિક જ હોય છે. તેથી દેવ-નારકીનો ભવ પ્રાપ્ત થતાં જ સમ્યગ્દષ્ટિ જીવ હોય કે મિથ્યાર્દષ્ટિ જીવ હોય પરંતુ આ અવધિજ્ઞાન પ્રાપ્ત થાય જ છે. માછલાને જેમ તરવાની કલા, પક્ષીને જેમ ઉડવાની કલા જન્મથી જ હોય છે તેમ દેવ-નારકીને આ અવધિજ્ઞાન જન્મથી જ થાય છે. આ અવધિજ્ઞાનને પ્રાપ્ત કરનાર જીવ સમ્યગ્દષ્ટિ હોય તો અવધિજ્ઞાન કહેવાય છે અને મિથ્યાર્દષ્ટિ હોય તો વિભંગજ્ઞાન કહેવાય છે. ૧-૨૧-૨૨. यथोक्तनिमित्तः ષવિત્વ: શેષાળામ્ ૧-૨૩ ષડ્વિકલ્પઃશેષાણામ્ ૧-૨૩ યથોક્તનિમિત્તઃ યથા ઉક્ત-નિમિત્તઃ ષડ્વિકલ્પ શેષાણામ્ ૧-૨૩ સૂત્રાર્થ- બાકીના તિર્યંચ-મનુષ્યોને ઉપરોક્ત નિમિત્તવાળું (ક્ષયોપશમ સ્વરૂપ ગુણના નિમિત્તવાળું) અવધિજ્ઞાન હોય છે. અને તે છ ભેદવાળું છે. ૧-૨૩. ૨૩ ભાવાર્થ - બાકીના જીવોને એટલે કે મનુષ્ય-તિર્યંચોને જે અવધિજ્ઞાન થાય છે, તે ક્ષયોપશમ સ્વરૂપ ગુણના નિમિત્તે થાય છે. માટે ગુણપ્રત્યયિક કહેવાય છે. અવધિજ્ઞાનાવરણીય નામનું જે કર્મ છે, તે કર્મના ક્ષયોપશમથી જ આ બન્ને પ્રકારનાં અવધિજ્ઞાને પ્રગટ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ અધ્યાય : ૧-સૂત્ર-૨૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર થાય છે. પરંતુ ભવ અને ગુણની પ્રધાનતા હોવાથી ભવ પ્રત્યયિક અને ગુણ પ્રત્યયિક કહેવાય છે. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન જેમ સર્વે દેવ-નારકીને અવશ્ય હોય જ છે, તેમ ગુણપ્રચયિક અવધિજ્ઞાન સર્વ તિર્યચ-મનુષ્યોને અવશ્ય હોતું નથી. પરંતુ કોઈકને જ હોય છે. તે ગુણપ્રત્યયિકના છ ભેદો આ પ્રમાણે છે. (૧) જે અવધિજ્ઞાન જેને થયું હોય તેની સાથે ચક્ષુની જેમ સર્વત્ર રહે તે અનુગામી. (૨) સાંકળે બાંધેલા દીપકની જેમ જે અવધિજ્ઞાન જેને થયું હોય તેની સાથે સર્વત્ર ન જાય. પરંતુ નિયત સ્થાને આવે ત્યારે જ બોધ કરાવે તે અનનુગામી. (૩) પ્રગટ થયેલું જે અવધિજ્ઞાન દિન-પ્રતિદિન વધતું જાય તે વર્ધમાન. (૪) પ્રગટ થયેલું જે અવધિજ્ઞાન દિન-પ્રતિદિન ઘટતું જાય તે હીયમાન. (૫) પ્રગટ થયેલું જે અવધિજ્ઞાન સર્વથા ચાલ્યું જાય તે પ્રતિપાતી. (૬) પ્રગટ થયેલું જે અવધિજ્ઞાન સર્વથા ચાલ્યું ન જાય. પરંતુ કેવલજ્ઞાન સુધી અથવા મરણપર્યત જે અવશ્ય રહે જ તે અપ્રતિપાતી. ૧-૨૩. વિપુતો મન:પર્યાયઃ ૧-૨૪ ઋજુવિપુલમતી મન:પર્યાયઃ ૧-૨૪ ઋજુ -વિપુલમતી મન:પર્યાયઃ ૧-૨૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ - ઋજુમતિ વિપુલતિ એમ મનઃપયોય, જ્ઞાનના બે ભેદ છે. ૧-૨૪. ભાવાર્થ-અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગૃહીત મનોવર્ગણામાં રહેલા મનોગત ભાવો જેના દ્વારા જણાય તે મન:પર્યાય (મન:પર્યવ કે મન:પર્યય) જ્ઞાન કહેવાય છે. મનના પર્યાયોને (ભાવોને) જાણવા તે મન:પર્યાય જ્ઞાન. તેના બે ભેદ છે. (૧) ઋજુમતિ. (૨) વિપુલમતિ. વિપુલમતિ કરતાં કંઈક સામાન્યથી સરળપણે જે જાણે તે ઋજામતિ અને વધારે વિશેષથી જાણે તે વિપુલમતિ. આ બન્ને ભેદોમાં બહુ તફાવત નથી. પ્રથમ ભેટવાળા મન:પર્યવજ્ઞાન કરતાં બીજા ભેદવાળું મન:પર્યવજ્ઞાન કંઈક વધારે (અઢી.અંગુલ વધારે ક્ષેત્રાદિજાણે છે. અને વધારે સ્પષ્ટ જાણે છે. વસ્તુતઃ બન્ને ભેદો મનના બહુ ભાવોને વિશેષપણે જ જાણનારા છે. તેથી તેમાં દર્શન-નામનો ભેદ નથી. ૧-૨૪. વિશુદ્ધચપ્રતિપાતામ્યાં તકિશોષ: ૧-૨૫ વિશુદ્ધપ્રતિપાતાભ્યાં તવિશેષઃ ૧-૨૫ 'વિશુદ્ધિ-અપ્રતિપાતાભ્યાં તદ્વિશેષઃ ૧-૨પ સૂત્રાર્થ-ઋજુમતિ અને વિપુલમતિ એમ બન્ને મનઃપર્યવજ્ઞાનની વચ્ચે વિશુદ્ધિ દ્વારા અને અપ્રતિપાત દ્વારા એમ બે પ્રકારે વિશેષતા (ભેદ) છે. ૧-૨૫. ભાવાર્થ-ચોવીસમા સૂત્રમાં મન:પર્યવજ્ઞાનના જે બે ભેદો કહ્યા છે તે બન્ને ભેદોની વચ્ચે વિશુદ્ધિ દ્વારા અને અપ્રતિ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ અધ્યાય : ૧-સૂત્ર-૨૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર પાત દ્વારા વિશેષતા (ભદ) છે. ઋજુમતિ કરતાં વિપુલમતિ વધારે વિશુદ્ધ છે. અને ઋજુમતિ આવેલું હોય તો ચાલ્યું પણ જાય છે માટે પ્રતિપાતી છે. જ્યારે વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન પ્રગટ થયું હોય તો પ્રાપ્ત થયા પછી જતું નથી માટે અપ્રતિપાતી છે. બન્ને ભેદોમાં આટલો તફાવત છે. ૧-૨૫. વિશદ્ધિક્ષેત્રવાભિવિષોવથમન:પર્યાયઃ ૧-૨૬ વિશુદ્ધિક્ષેત્રસ્વામિવિષયેભ્યોવધિમન:પર્યાયયોઃ ૧-૨૬ વિશુદ્ધિ-ક્ષેત્ર-સ્વામિ-વિષયેભ્ય અવધિ-મના પર્યાયયોઃ ૧-૨૬ સુત્રાર્થ-અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનની વચ્ચે વિશુદ્ધિ દ્વારા, ક્ષેત્ર દ્વારા, સ્વામિ. દ્વારા, અને વિષય દ્વારા તફાવત છે. ૧-૨૬. ભાવાર્થ-ત્રીજા અવધિજ્ઞાન અને ચોથા મન:પર્યવજ્ઞાનની વચ્ચે નીચે મુજબની ચાર પ્રક્રિયાથી તફાવત છે. (૧) વિશુદ્ધિ - અવધિજ્ઞાન કરતાં મન:પર્યાય જ્ઞાન વધારે વિશુદ્ધ છે. અવધિજ્ઞાન પોતાના વિષયને જેવો જોઈ શકે છે, તેના કરતાં મન:પર્યવજ્ઞાનવાળા જીવો મન:પર્યવ-જ્ઞાનથી પોતાના વિષયને વધારે સ્પષ્ટ દેખે છે. કારણક કે ઋજુમતિ અને વિપુલમતિવાળા આત્માની નિર્મળતા વધારે હોય છે. (૨) ક્ષેત્ર - અવધિજ્ઞાનથી જાણવા લાયક ક્ષેત્ર (ક્ષેત્રગત રૂપી પદાર્થો) ચૌદ રાજલોક છે. અને અલોકમાં પણ લોક પ્રમાણ અસંખ્યાત ખંડુક જોવાની શક્તિ છે. જ્યારે Page #52 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૨૭ ૨૭ મન:પર્યાય જ્ઞાનથી તો માત્ર અઢીદ્વીપ પ્રમાણ જ ક્ષેત્ર (તગત સંજ્ઞી પં. જીવોના મનોગતભાવો) દેખાય છે. (૩) સ્વામીઃ- અવધિજ્ઞાન ચારેગતિના સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને થઈ શકે છે. જ્યારે મન:પર્યાયજ્ઞાન તો માત્ર ગર્ભજ મનુષ્યને જ થાય છે અને તે પણ સંયમી આત્માઓને અને તેમાં પણ કોઇક મહાત્મા મુનિને જ થાય છે. (૪) વિષયઃ- અવધિજ્ઞાનનો વિષય સર્વરૂપી દ્રવ્યો છે. જ્યારે મન:પર્યાય જ્ઞાનનો વિષય માત્ર મનોવર્ગણા જ છે અને તે પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગૃહીત થઈ મનસ્વરૂપે પરિણમાવેલી જ વર્ગણા. આ પ્રમાણે આ બન્ને શાનો વચ્ચે ચાર પ્રકારે તફાવત છે. ૧-૨૬. ૧-૨૭ मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्व पर्यायेषु મતિશ્રુતયોર્નિબન્ધઃ સર્વદ્રવ્યસર્વપર્યાયેષુ મતિ-શ્રુતયોઃ નિબન્ધઃ સર્વદ્રવ્યેષુ અસર્વપર્યાયેષુ ૧-૨૭ ૧-૨૭ સૂત્રાર્થ - મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો છે. પરંતુ પર્યાયો અસર્વ (કેટલાક) જ જાણે છે. ૧-૨૭. ભાવાર્થ - મતિજ્ઞાનાદિ પાંચે જ્ઞાનોથી કેટલું કેટલું જાણી શકાય ? એમ હવે તેઓનો (પાંચે જ્ઞાનોનો) વિષય જણાવે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી કેવલી ભાષિત આગમોના આધારે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અધ્યાય : ૧-સૂત્ર-૨૮-૨૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર સર્વદ્રવ્યો જાણી શકાય છે. પરંતુ તેના સર્વપર્યાયો જાણી શકાતા નથી. કારણ કે આ બન્ને જ્ઞાનો ક્ષયોપશમ ભાવનાં છે. અને ક્ષયોપશમ ભાવ તે તે કર્મના ઉદય સાપેક્ષ હોવાથી કેટલુંક મતિ-શ્રુતજ્ઞાન અવરાયેલું પણ હોય જ છે. તેથી સર્વપર્યાયો જાણી શકાતા નથી. રૂપિષ્યવઃ ૧-૨૮ રૂપિષ્યવધેઃ ૧-૨૮ રૂપિષ અવધઃ ૧-૨૮ તનિત્તમ મન:પર્યાયર્ચ ૧-૨૯ તદનન્તભાગે મન:પર્યાયસ્ય ૧-૨૯ તઅનન્તભાગે મન:પર્યાયસ્ય ૧-૨૯ સૂત્રાર્થ-અવધિજ્ઞાનનો વિષય રૂપિદ્રવ્યો છે. અને મન:પર્યાય જ્ઞાનનો વિષય તેનાથી અનતમો ભાગ છે. ૧-૨૮-૨૯. ભાવાર્થ-વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ જેમાં હોય તેને રૂપી કહેવાય છે. પતિ થી સ રૂતિ રૂપી અવધિજ્ઞાનથી જ્યારે ઉત્કૃષ્ટ હોય ત્યારે) સમસ્ત રૂપી દ્રવ્યો જાણી શકાય છે. પુદ્ગલાસ્તિકાય એ રૂપી દ્રવ્ય છે. તેથી તે સમસ્ત પુદ્ગલ દ્રવ્ય જાણી શકાય છે. ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનનો આ વિષય છે. મન:પર્યવજ્ઞાનથી માત્ર મનોવર્ગણા જ જાણી શકાય છે. અને તે Page #54 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૩૦-૩૧ ૨૯ પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગૃહીત અને મનપણે પરિણમાવેલ હોય તે જ. આ કારણે જ મન:પર્યવજ્ઞાનનો વિષય અવધિજ્ઞાનના વિષય કરતાં અનંતમા ભાગે છે. છતાં વિશુદ્ધિમાં અધિક હોવાથી તેનો નંબર અવધિજ્ઞાન કરતાં આગળ છે. ૧-૨૮-૨૯. સર્વદ્રવ્યપષ વચ્ચે ૧-૩૦ સર્વદ્રવ્યપર્યાયેષુ કેવલણ્ય ૧-૩૦ સર્વ-દ્રવ્ય-પર્યાયેષુ કેવલભ્ય ૧-૩૦ સૂત્રાર્થ-કેવલજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને સર્વપર્યાયો છે. ૧-૩૦. ભાવાર્થ- ધર્માસ્તિકાયાદિ સમસ્ત દ્રવ્યો, લોક-અલોક સ્વરૂપ સમસ્ત ક્ષેત્ર, ભૂત-ભાવિ અને વર્તમાન એમ અનાદિ અનંતરૂપે સર્વકાલ, અને સર્વે દ્રવ્યોના સર્વપર્યાયો કેવલજ્ઞાની મહાત્માઓ કેવલજ્ઞાનથી જાણે છે. તેથી કેવલજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો અને સર્વ પર્યાયો કહેવાય છે. ૧-૩). વિનિ માં ખ્યાનિ યુવાપભ્રમિનારનુષ્ય ૧-૩૧ એકાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્મિન્નાચતુર્ભઃ ૧-૩૧ એકાદીનિ ભાજ્યાનિ યુગપદ્ધ એકસ્મિન્ આચતુર્ભઃ૧-૩૧ સૂત્રાર્થ-એક જીવમાં એકી સાથે એકથી પ્રારંભીને વધુમાં વધુ ચાર સુધીનાં જ્ઞાનો ભજનાએ હોય છે. ૧-૩૧. ભાવાર્થ-એક જીવમાં એકી સાથે કેટલાં જ્ઞાન હોય ? તે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦. અધ્યાય : ૧-સૂત્ર-૩૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર જણાવે છે. એક-બે-ત્રણ અને વધુમાં વધુ ચાર જ્ઞાન હોય છે. એક હોય તો કેવલજ્ઞાન હોય છે. કારણ કે કેવલજ્ઞાન થાય ત્યારે છાબસ્થિક જ્ઞાનો નાશ પામે છે. અર્થાત્ તે ચાર જ્ઞાન હોતાં નથી. જો બે જ્ઞાનો હોય તો મતિ અને શ્રત એમ બે હોય છે. જો ત્રણ જ્ઞાનો હોય તો મતિ-શ્રુત-અવધિ, અથવા મતિ-શ્રુત-મન:પર્યાય એમ ત્રણ જ્ઞાનો હોય છે. અને જો ચાર જ્ઞાનો હોય તો કેવલજ્ઞાન વિનાનાં શેષ ચાર જ્ઞાનો એકી સાથે એક જીવમાં હોય છે. પરંતુ એક જીવમાં એકી સાથે પાંચ જ્ઞાનો હોતાં નથી. કારણ કે લાયોપથમિક જ્ઞાન અને ક્ષાયિક જ્ઞાન સાથે હોતાં નથી. ૧-૩૧. તિશ્રતાવો વિપર્યય ૧-૩૨ મતિયુતાવધયો વિપર્યયશ્ચ ૧-૩૨ મતિ-શ્રુત-અવધયઃ વિપર્યયઃ ચ ૧-૩૨ સૂત્રાર્થ-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એમ ત્રણ જ્ઞાનો વિપરીત પણ હોય છે. ૧-૩૨. ભાવાર્થ-મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન આ ત્રણ જ્ઞાનો સમ્યગ્દષ્ટિને પણ થાય છે. અને મિથ્યાદષ્ટિને પણ થાય છે. જો સમ્યગ્દષ્ટિને થાય તો તે સમ્યજ્ઞાન કહેવાય છે અને મિથ્યાષ્ટિને થાય તો મિથ્યાજ્ઞાન (અર્થાત્ વિપર્યયવાળું જ્ઞાન) કહેવાય છે. પરંતુ મન:પર્યાયજ્ઞાન અને કેવલજ્ઞાન તો ફક્ત સમ્યગ્દષ્ટિ જીવોને જ થાય છે. માટે તે બે જ્ઞાનોમાં વિપર્યયતા સંભવતી નથી. આવા પ્રકારનાં ઉચ્ચકોટિનાં જ્ઞાન તેઓને જ માત્ર થાય છે કે જેઓમાં સમ્યકત્વગુણ અવશ્ય આવેલો છે. ૧-૩૨. Page #56 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૩૩ ૩૧ सदसतोरविशेषाद् यदृच्छोपलब्धेरुन्मत्तवत् १-33 સદસતોરવિશેષા યોપલબ્ધરુન્મત્તવત્ - ૧-૩૩ સ–અસતો અવિશેષાદ્યદેચ્છા-ઉપલબ્ધઃ ઉન્મત્તવત્ ૧-૩૩ સૂત્રાર્થ - મિથ્યાષ્ટિ જીવોને સત્ અને અસત્ની અવિશેષતા હોવાથી તથા પોતાની ઈચ્છા મુજબ શાસ્ત્રોનો અર્થબોધ કરતા હોવાથી ઉન્માદી અથવા ગાંડા માણસની જેમ તે જીવોનું જ્ઞાન તે અજ્ઞાન છે. ૧-૩૩. ભાવાર્થ - મિથ્યાદષ્ટિ જીવો એકાન્તવાદી હોય છે. જગતના તમામ પદાર્થો સ્વ-સ્વરૂપે સત્(અસ્તિ) હોય છે અને પરસ્વરૂપે અસત્ (નાસ્તિ) હોય છે. જેમ કે ઘટ એ ઘટરૂપે સત્ છે અને પટરૂપે અસત્ છે. છતાં મિથ્યાષ્ટિ જીવો એકલું સત્ જ અથવા એકલું અસત્ જ માનતા હોવાથી તેમનું જ્ઞાન એ અજ્ઞાન છે. આ સર્વથા ઘટમાત્ર જ છે. એમ માનવાથી ઇતર એવા પટાદિના નાસ્તિત્વનો તથા મૃત્વ, પુદ્ગલત્વ વગેરે બીજા અન્વય ધર્મોનો ઉચ્છેદ થઈ જાય છે. માટે તેઓનું જ્ઞાન તે અજ્ઞાન છે. તથા દરેક શાસ્ત્રોના અર્થ તેમને પોતાને અનુકૂલ પડે તે રીતે કરતા હોવાથી પણ તેમનું જ્ઞાન અજ્ઞાન છે. જેમ ગાંડા માણસનું જાણેલું અને બોલાયેલું વાક્ય મિથ્યા હોય છે. તેમ મિથ્યાદષ્ટિ જીવોનું જ્ઞાન એકાન્ત હોવાથી, સત્-અસત્ના વિવેક વિનાનું હોવાથી અને ઈચ્છા મુજબ અર્થબોધ કરતા હોવાથી અજ્ઞાન કહેવાય છે. ૧-૩૩. Page #57 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૧-સૂત્ર-૩૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર नैगमसंग्रहव्यवहारर्जुसूत्रशब्दा नयाः ૧-૩૪ નૈગમસંગ્રહવ્યવહારર્જુસૂત્રશબ્દા નયાઃ ૧-૩૪ નગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર-શબ્દા: નયાઃ ૧-૩૪ સૂત્રાર્થ-નૈગમ-સંગ્રહ-વ્યવહાર-ઋજુસૂત્ર અને શબ્દ આ પાંચ નયો છે. ૧-૩૪. ભાવાર્થ - નય એટલે દૃષ્ટિ, નય એટલે અપેક્ષા, વસ્તુતત્ત્વ સમજવા માટે જુદી જુદી દૃષ્ટિઓથી વસ્તુઓનું સ્વરૂપ જોવામાં આવે છે. તેને નય કહેવાય છે. દ્રવ્યની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ તે દ્રવ્યાર્થિક નય, અને પર્યાયની પ્રધાનતા વાળી જે દૃષ્ટિ તે પર્યાયાર્થિક નય. દ્રવ્યદૃષ્ટિએ સર્વે વસ્તુઓ અનાદિથી છે. અને અનંતકાળ રહેવાવાળી છે. માટે ધ્રુવ છે. જ્યારે પર્યાયાર્થિક નયની દૃષ્ટિએ સર્વે વસ્તુઓ પ્રતિસમયે નવા નવા પર્યાયને પામતી પરિવર્તનવાળી છે. માટે ઉત્પાદ-વ્યયવાળી છે. તે બન્ને નયોના થઇને કુલ પાંચ પેટાભેદો છે. તથા પાંચના સાત ભેદ પણ થાય છે. પાંચ ભેદ આ પ્રમાણે - (૧) નૈગમનય - જ્યાં વસ્તુનું સ્વરૂપ હોય નહી. પરંતુ ભાવિમાં આવવાનું હોય અથવા દૂર પણ કારણ બનતું હોય, અથવા સદશતા હોય એટલે ઉપચાર કરવામાં આવે છે. જેમકે મરીચિના ભવમાં મરીચિને ભગવાન્ મહાવીર કહેવા. વરસાદ વરસતો હોય તેને સોનું વરસે છે એમ કહેવું. તોફાને થયેલી નદીને “સમુદ્ર” Page #58 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૩૪ ૩૩ થયો છે એમ કહેવું. “આ રસ્તો ક્યાં જાય છે?” એમ કહેવું. આ બધાં વાક્યોમાં ઉપચારની પ્રધાનતા હોવાથી નૈગમ નય કહેવાય છે. ઉપચાર પ્રધાનદૃષ્ટિ તે નૈગમનય. (૨) સંગ્રહનય - અનેક વસ્તુઓમાં એકીકરણની જે દૃષ્ટિ તે સંગ્રહાય. ત્રસ અને સ્થાવર જીવોને આ સર્વે જીવમાત્ર છે એમ જાણવું. સોના-રૂપા અને તાંબાના ઘટને આ સર્વે ઘટમાત્ર છે એમ જાણવું તે. (૩) વ્યવહારનય-પૃથક્કરણ કરવાની જે દૃષ્ટિ તે વ્યવહાર નય. વિશેષ ધર્મ ગ્રહણ કરવાની જે દૃષ્ટિ તે વ્યવહારનય. નિકટના ભૂત-ભાવિ-વર્તમાન એમ ત્રણે કાળને ગ્રહણ કરનારની જે દૃષ્ટિ તે વ્યવહારનય. જેમ કે જીવોના બે ભેદ છે. ત્રસ અને સ્થાવર. સાકર મીઠી હોય છે, ગુલાબ સુગંધી હોય છે. શેઠના છોકરાને શેઠ કહેવો. રાજાના છોકરાને રોજા કહેવો ઈત્યાદિ. (૪) ઋજુસૂત્રનય - વર્તમાનકાળને સ્વીકારે છે અથવા પોતાની વસ્તુને જ વસ્તુ માને તે ઋાસૂત્ર નય. જેમ કે ભૂતકાળમાં કોઈ માણસ ધનવાન હોય પરંતુ વર્તમાનકાળે તે ધનરહિત હોય તો તેને ધનરહિત જ માનવો. તથા પોતાના ધનથી જ જીવને ધનવાન માનવો. પિતા કે પુત્રના ધનથી અથવા ભાઈના ધનથી પોતાને ધનવાન ન માનવો. તે ઋજુસૂત્ર નય. (૫) શબ્દનય- શબ્દને પકડીને વાત કરે, બોલાયેલા શબ્દોની જેમાં પ્રધાનતા હોય તે શબ્દનય. જેમ કે શાન્તિ જેના Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અધ્યાય : ૧-સૂત્ર-૩૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર જીવનમાં હોય તેને શાન્તિલાલ કહેવાય. જેના જીવનમાં સમતા વસેલી હોય તેને જ સમતાબેન કહેવાય તે શબ્દનય. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર આ ત્રણ નયો દ્રવ્યાર્થિકનયના ભેદરૂપ છે. અને ઋજુસૂત્ર તથા શબ્દનય પર્યાયાર્થિકનયના ભેદરૂપ છે. આ પ્રમાણે બે નયના મુખ્યત્વે પાંચ નયો છે. ૧-૩૪. માદશાબ્દી દ્વિત્રિમેલી ૧-૩૫ આદ્યશબ્દ દ્વિત્રિભેદ ૧-૩૫ આદ્ય-શબ્દ દ્વિ- ત્રિભેદ ૧-૩૫ સૂત્રાર્થ-પ્રથમનય (નૈગમનય)ના બે ભેદ છે અને છેલ્લા શબ્દ નયના ત્રણ ભેદ છે. ૧-૩૫. - ભાવાર્થ-પ્રથમનય જે નૈગમનય, તેના બે ભેદ છે. સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી, જ્યારે ઘણા વિશાલભાગોનું એકીકરણ કરવા દ્વારા ઉપચાર કરવામાં આવે છે ત્યારે તે સામાન્યગ્રાહી નૈગમનય કહેવાય છે. જેમ કે “હું હિન્દુસ્તાનમાં રહું છું” અહીં પોતાનો વસવાટ હિન્દુસ્તાનના એક ગામમાં અને એક ઘરમાં હોવા છતાં પણ આખા હિન્દુસ્તાનમાં વિચાર્યો તે સામાન્યગ્રાહી નૈગમનય. અને મર્યાદિત ભાગમાં જ્યારે ઉપચાર કરાય ત્યારે વિશેષગ્રાહી નૈગમનય. જેમકે હું અમુક ગામમાં કે અમુક પોળમાં રહું છું એવું જે વિચારવું તે વિશેષગ્રાહી નૈગમનય. Page #60 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૩૫ ૩૫ શબ્દનયના પણ ત્રણ ભેદો છે. ૧. સાંપ્રત, ૨. સમભિરૂઢ અને ૩. એવંભૂત. (૧) સાંપ્રતશબ્દનય-પ્રત્યેક શબ્દોમાં લિંગભેદ, વચનભેદ અને કાલભેદે અર્થનો ભેદ કરે તે સાંપ્રતશબ્દનય. જેમ કે ઘટ અને ઘટીનો તથા તટ અને તટીનો અર્થ જુદો કરે. (૨) સમભિરૂઢનય-પ્રત્યેક શબ્દોનો વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ કરે તે. જેમકે વૃન્ પાતીતિ નૃપ:, મુવં પાતીતિ ધૂપ:, મનુષ્યોનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું રક્ષણ કરે તે ભૂપ. (૩) એવંભૂતનય-જે શબ્દનો જેવો અર્થ થતો હોય તેવો ક્રિયાકાલ હોય ત્યારે જ તે શબ્દનો પ્રયોગ કરે તે. જેમ કે રાજા જ્યારે લડાઈમાં ઉતર્યો હોય અને દેશ તથા મનુષ્યોનું રક્ષણ કરતો હોય તે કાળે જ નૃપ કે ભૂપ કહેવો તે. નય એટલે વસ્તુને જાણવા-સમજવા માટેની આપેક્ષિક દૃષ્ટિ. જેમ કે એક જ પુરુષને તેના પિતા તેને પુત્ર તરીકે દેખે છે. તેનો પુત્ર તેને પિતા તરીકે દેખે છે. તેના મામા તેને ભાણેજ તરીકે, તેનો ભાણેજ તેને મામા તરીકે અને તેના સસરા તેને જમાઇ તરીકે દેખે છે. વાસ્તવિકપણે બધાજ ધર્મો તે પુરુષમાં છે. પરંતુ તે તે વ્યક્તિની અપેક્ષાએ જ છે. તેવી જ રીતે બાલ્ય, યુવા અને વૃદ્ધ અવસ્થા બદલાવા છતાં અને તે સ્વરૂપે ઉત્પાદ વ્યય હોવા છતાં પણ માનવ પણે ધ્રુવ છે. તથા જલપ્રવાહવાળી નદી જેમ નદી છે. તેમ નદીના કાંઠાને પણ નદી જ કહેવાય છે. છતાં નદીમાં જેવાં સ્નાન-પાન-વસ્ત્ર Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ અધ્યાયઃ ૧-સૂત્ર-૩૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર ધોવણ આદિ કાર્યો થાય છે. તેવાં કાર્યો કાંઠા સ્વરૂપ નદીમાં થતાં નથી. તેથી એક ઉપચરિત નદી છે અને એક વાસ્તવિક નદી છે. આ બધી દષ્ટિઓ તે જ નય કહેવાય છે. ઉપચારની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ તે નૈગમ, એકીકરણની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ તે સંગ્રહ, પૃથક્કરણની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ તે વ્યવહાર, વર્તમાનકાળની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ તે ઋજુસૂત્ર અને શબ્દના આગ્રહની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ તે શબ્દનય કહેવાય છે. આ પ્રમાણે મૂલનય ૨, પેટાભેદ ૫ અને પેટાભેદના ભેદ ૭ થાય છે. ૧-૩૫. નય. દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક નૈગમ સંગ્રહ વ્યવહાર ઋજાસૂત્ર શબ્દ વિશેષ- સાંપ્રત સમભિરૂઢ એવંભૂત સામાન્યગ્રાહી ગ્રાહી પ્રથમ અધ્યાય સમાપ્ત Page #62 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૧ ૩૭. | અધ્યાય બીજો સૌપશક્ષિાવિ ભાવી નિશ્રગીવી દ્વતત્ત્વમૌયિશ્નપરિમિશ્ન ૨ ૨-૧ ઔપથમિકક્ષાયિક ભાવી મિશ્રશ્ચજીવસ્ય સ્વતત્ત્વમૌદયિકારિણામિકૌ ચ ૨-૧ ઔપથમિક-ક્ષાયિક ભાવ મિશ્રઃ ચ જીવસ્ય સ્વતત્ત્વમ્ ઔદયિક-પારિણામિકૌ ચ ૨-૧ સૂત્રાર્થ - ઔપશમિક - ક્ષાયિક- અને મિશ્ર આ ત્રણ ભાવો જીવના સ્વરૂપાત્મક છે. અને બાકીના બે ઔદયિક અને પારિણામિક ભાવો જીવ-અજીવ બન્નેને હોય છે. ર-૧. ભાવાર્થ ભાવ એટલે વસ્તુનું સ્વરૂપ. આ સ્વરૂપ પાંચ પ્રકારે હોય છે તેથી ભાવોના પાંચ ભેદ છે. તેમાં પ્રથમ ત્રણ ભાવો માત્ર જીવને જ હોય છે. અને તે ત્રણ ભાવોથી જીવના આવૃત ગુણો પણ અનાવૃત બને છે માટે તે ત્રણ ભાવો જીવસ્વરૂપ છે. અને બાકીના બે ભાવો જીવને પણ હોય છે અને અજીવને પણ હોય છે. માટે જીવના સ્વરૂપાત્મક નથી. તે પાંચે ભાવોના અર્થ આ પ્રમાણે છે : (૧) ઔપથમિકભાવ - મોહનીયકર્મને દબાવવાથી જીવને જે ગુણ પ્રાપ્ત થાય તે. Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ અધ્યાય : ૨-સૂત્ર-૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) ક્ષાયિકભાવ - ચાર ઘાતીકર્મોના નાશથી જીવને જે ગુણ પ્રાપ્ત થાય તે. – (૩) ક્ષાયોપશમિક ભાવ (મિશ્ર) - ચાર ઘાતીકર્મોના ઉદયગત રસની તીવ્રતાને હણીને મંદ કરીને ભોગવવો. અને અનુદયાવસ્થાવાળા રસને એવો દબાવવો કે જેથી ઉદીરણા અને અપવર્તના આદિ કરણોથી પણ ઉદયમાં ન આવે તે. (૪) ઔદિયકભાવ પૂર્વબદ્ધ કર્મના ઉદયથી જીવને જે જે અવસ્થા પ્રાપ્ત થાય તે. (૫) પારિણામિકભાવ- વસ્તુમાં રહેલું વસ્તુનું સ્વાભાવિક સ્વરૂપ. નિમિત્ત વિનાનું સહજ સ્વરૂપ તે. ચોથો ઔયિકભાવ પ્રધાનતાએ જીવને જ હોય છે. કારણ કે જીવે જ પૂર્વકાળમાં કર્મો બાંધેલાં છે. અજીવે બાંધ્યાં નથી. પરંતુ જીવના સંયોગે અજીવ એવા ઔદારિકાદિશરીરોને પણ ઔદિયકભાવ ઘટે છે. ચોથા કર્મગ્રંથમાં કહ્યું છે કે, ભાવે સંધા કરૂણ વિ (ગાથા ૬૯) તથા પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી જીવનું સ્વરૂપ આવૃત્ત થાય છે પણ પ્રગટ થતું નથી માટે ઔદિયકભાવ એ જીવનું સ્વરૂપ નથી. આ પાંચે ભાવોના ભેદ-પ્રતિભેદો તથા તેના તે ભેદોના અર્થો હવે આવે જ છે. द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् ૨-૨ Page #64 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૨-૩ દ્વિનવાષ્ટાદશકવિંશતિત્રિભેદા યથાક્રમમ્ ૨-૨ દ્વિ-નવ-અષ્ટાદશ-એકવિંશતિ-ત્રિભેદા યથાક્રમ ર-ર સૂત્રાર્થ - ઉપરોક્ત પાંચ ભાવોના અનુક્રમે ૨-૯-૧૮૨૧- અને ૩ ભેદો છે. ર-૨. ભાવાર્થ - ઔપશમિકભાવના ૨, ક્ષાયિકભાવના ૯, ક્ષાયોપથમિકભાવના ૧૮, ઔદયિકભાવના ૨૧, અને પારિણામિકભાવના ૩ એમ અનુક્રમે ભેદો છે. આ સૂત્રમાં પાંચે ભાવોના ભેદની સંખ્યા માત્ર કહી છે. તે ભેદો કયા કયા છે? આ વાત હવે પછીના સૂત્રોમાં સમજાવાય જ છે. ૨-૨. સમ્પર્વવારિત્રે ૨-૩ સમ્યકત્વચારિત્રે ૨-૩ સમ્યત્વ-ચારિત્રે ૨-૩ સૂત્રાર્થ-(૧) સમ્યકત્વ અને (૨) ચારિત્ર એમ ઔપશમિકભાવના બે ભેદો છે. ર-૩. ભાવાર્થ - સમ્યકત્વ ગુણને ઢાંકનાર મિથ્યાત્વને અથવા દર્શનમોહનીયકર્મ ૩, અને અનંતાનુબંધી કષાય ૪ એમ કુલ સાત કર્મપ્રકૃતિઓને ઉપશમાવવાથી આ આત્મામાં જે સમ્યકત્વગુણનો પ્રાદુર્ભાવ થાય છે. તે ઔપશામિક સમ્યકત્વ કહેવાય છે. અને ચારિત્ર મોહનીયકર્મની બાકીની ૨૧ પ્રકૃતિઓનો ઉપશમ કરવાથી આત્મામાં જે ગુણ પ્રગટ થાય છે તે ઔપથમિક ચારિત્ર. આ ઔપશમિકભાવ મોહનીયકર્મ માત્રનો જ હોય છે. મોહનીયકર્મના Page #65 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૨-સૂત્ર-૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૭ ભેદો ઉપશમાવવાથી સમ્યક્ત્વ આવે છે. અને મોહનીયકર્મના બાકીના ૨૧ ભેદો ઉપશમાવવાથી ચારિત્ર આવે છે. ४० ઉપશમસમ્યક્ત્વ - ૪થી૧૧ સુધી હોય છે. અને ઉપશમચારિત્ર ૯થી૧૧માં હોય છે. ૨-૩. ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ૨-૪ જ્ઞાનદર્શનદાનલાભભોગોપભોગવીર્યાણિ ચ જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્યાણિ ચ ૨-૪ ૨-૪ સૂત્રાર્થ- જ્ઞાન-દર્શન-દાન-લાભ-ભોગ-ઉપભોગ-વીર્ય અને સમ્યક્ત્વ તથા ચારિત્ર એમ ક્ષાયિકભાવના કુલ નવ ભેદો છે. ૨-૪. ભાવાર્થ - ચાર ઘાતીકર્મોનો સર્વથા ક્ષય થવાથી આત્મામાં જે ગુણ પ્રગટ થાય છે. તેને ક્ષાયિક ભાવ કહેવાય છે. તેના નવ ભેદો છે. આ નવભેદો ચાર ઘાતીકર્મોના ક્ષયથી પ્રગટ થાય છે. તે આ પ્રમાણે (૧) કેવલજ્ઞાન - જ્ઞાનાવરણીયકર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. (૨) કેવલદર્શન - દર્શનાવરણીયકર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. (૩) દાનાદિ પાંચલબ્ધિ - અંતરાયકર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. (૮) ક્ષાયિકસમ્યક્ત્વ-મિથ્યાત્વમોહનીયાદિ દર્શન સપ્તકના ક્ષયથી આ સમ્યક્ત્વ પ્રગટ થાય છે. (૯) ક્ષાયિકચારિત્ર-ચારિત્રમોહનીયકર્મના ક્ષયથી ક્ષાયિકભાવનું ચારિત્ર આવે છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ર-સૂત્ર-૫ મૂલસૂત્રમાં સાતગુણોનો શબ્દથી ઉલ્લેખ કર્યો છે અને છેલ્લા બે ગુણો વ શબ્દની ઉપરના સૂત્રમાંથી આકર્ષવાના છે. આ પ્રમાણે ક્ષાયિકભાવના કુલ-૯ ભેદ છે. ૨-૪. ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रित्रिपञ्चभेदाः सम्यक्त्वचारित्रसंयमासंयमाश्च જ્ઞાનાજ્ઞાનદર્શનદાનાદિલબ્ધયશ્ચતુસ્ત્રિત્રિપંચભેદાઃ સમ્યકત્વચારિત્રસંયમસંયમાશ્ચ ૨-૫ જ્ઞાન-અજ્ઞાન-દર્શન-દાનાદિલબ્ધયઃ ચતુઃત્રિત્રિપંચ ભેદાઃ-સમ્યકત્વ-ચારિત્ર-સંયમસંયમા ચ -૫ સૂત્રાર્થ - જ્ઞાન ચાર ભેદે, અજ્ઞાન ત્રણ ભેદે, દર્શન ત્રણ ભેદે અને દાનાદિ લબ્ધિઓ પાંચ ભેદે ક્ષયોપશમભાવની છે તથા સમ્યકત્વ, ચારિત્ર અને સંયમસંયમ એમ કુલ ૧૮ ભેદો ક્ષયોપશમ ભાવના છે. ૨-૫. ભાવાર્થ - ક્ષાયોપથમિક ભાવ ચાર ઘાતકર્મોનો જ હોય છે. આ ચાર કર્મોનો જ ઉદિત એવો તીવ્ર રસ મંદ કરીને ઉદય સ્વરૂપે ભોગવીને આ જીવ ક્ષય કરે છે તથા અનુદિત રસને ઉપશમાવે છે (કે જે કર્મોનો રસ ઉદીરણાદિના બળે ઉદયમાં આવીને ગુણોને ઢાંકે તેવો હતો તેને ઉપશમાવે છે એટલે કે ઉદયમાં ન આવે તેવો કરે છે.) તેથી તરતમભાવે ગુણો પ્રગટ થાય છે. તેને ક્ષાયોપથમિક ભાવજન્ય ગુણો કહેવાય છે તેના ૧૮ ભેદો છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ અધ્યાય : ૨-સૂત્ર-પ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧. ૪ જ્ઞાન અને ૩ અજ્ઞાન જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવજ્ઞાન. આ ચારે જ્ઞાનો સમ્યગ્દષ્ટિમાં પ્રગટ થયા હોય તો ચારે જ્ઞાની કહેવાય છે અને મિથ્યાત્વના ઉદયવાળો જીવ જો હોય તો આ ચારમાંથી પ્રથમનાં ત્રણ જ જ્ઞાનો થાય છે. અને તે પણ મિથ્યાત્વના ઉદય સહકૃત હોવાથી મિથ્યાજ્ઞાન અથવા અજ્ઞાન કહેવાય છે. મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન. ૨. ૩ દર્શન દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમથી ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન એમ ત્રણ દર્શનગુણ પ્રગટ થાય છે. ૩. સમ્યક્ત્વ-સંયમાસંયમ અને સંયમ = આ ત્રણ ગુણો મોહનીયકર્મના ક્ષયોપશમથી થાય છે. ત્યાં મોહનીયકર્મમાં દર્શનસપ્તકના (મિથ્યાત્વ-મિશ્ર-સમ્યકત્વ મોહનીય તથા અનંતાનુબંધી ૪ એમ સાતના) ક્ષયોપશમથી સમ્યકત્વ ગુણ પ્રગટે છે. અપ્રત્યાખ્યાનીય ચારકષાયના ક્ષયોપશમથી દેશવિરતિ (સંયમસંયમ) ગુણ પ્રગટે છે. અને શેષ ૧૭ ચારિત્રમોહનીયકર્મની પ્રકૃતિઓના ક્ષયોપશમથી અને તેમાં મુખ્યત્વે પ્રત્યાખ્યાનાવરણ ક્ષાયના ક્ષયોપશમથી સર્વવિરતિ ચારિત્ર ગુણ પ્રગટ થાય છે. ૪. ૫ લબ્ધિઓ અંતરાય કર્મના ક્ષયોપશમથી દાનાદિ પાંચ લબ્ધિઓ પ્રગટ થાય છે. આ પ્રમાણે ચાર ઘાતી કર્મોના યોપશમથી કુલ ૧૮ ગુણો જીવમાં પ્રગટ થાય છે. ૨-૫. Page #68 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૬ गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतुश्चतुस्त्र्येकैकैकैकषड्भेदाः ૨-૬ ગતિકષાયલિંગમિથ્યાદર્શનાજ્ઞાનાસંયતાસિદ્ધત્વલેશ્યાશ્ચતુતુત્યેકેકકૈકષભેદાઃ ૨- ગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શન-અજ્ઞાન-અસંયતઅસિદ્ધત્વલેશ્યાઃ ચતુચતુઃત્રિ એક એક એક એકષભેદાઃ સૂત્રાર્થઔદયિકભાવના ૨૧ ભેદો છે. તે આ પ્રમાણેગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શન-અજ્ઞાન-અસંયમ-અસિદ્ધત્વ અને લેશ્યાના અનુક્રમે ૪+૪+૩+૧+૧+૧+૧+૬= કુલ ૨૧ ભેદો છે. ર-૬. ભાવાર્થ - આ ઔદયિક ભાવ આઠે કર્મોનો હોય છે. તેથી તેના ૧૫૮ ભેદ પણ કહી શકાય છે. પરંતુ પૂર્વાચાર્યોએ પ્રસિદ્ધ એવા ૨૧ ભેદોનો જ પૂર્વશાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલો છે. તેથી અહીં પણ ગ્રંથકારે ૨૧ ભેદો કહ્યા છે. તે આ પ્રમાણે મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એમ ચાર ગતિ, ક્રોધ, માન, માયા, લોભ એમ ચાર કષાય. સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ લિંગ. મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ, અને કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પદ્મ, શુક્લ એમ ૬ પ્રકારની વેશ્યા. આ પ્રમાણે ૨૧ ભેદો છે. ચાર ગતિ એ ગતિનામકર્મના ઉદયથી થાય છે. ક્રોધાદિ ચારકષાયો મોહનીયકર્મના ઉદયથી થાય છે. ત્રણ લિંગ એ ત્રણ વેદ નામના નોકષાય મોહનીયના Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અધ્યાય : ૨-સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉદયથી થાય છે. મિથ્યાદર્શન એ મિથ્યાત્વમોહનીયના ઉદયથી થાય છે. અજ્ઞાન એ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી થાય છે. અસંયતપણું એ ચારિત્રમોહનીયકર્મના ઉદયથી થાય છે. અસિદ્ધત્વ એ આઠે કર્મોના ઉદયથી થાય છે. તથા છ લેશ્યાઓ એ મોહનીય સહષ્કૃત નામકર્મના ઉદયજન્ય છે. આ બધા ભાવો કર્મોના ઉદયજન્ય છે. માટે ઔદયિકભાવ કહેવાય છે. આ પ્રમાણે કર્મોના ઉદયથી આત્મામાં જે જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. તે સર્વે ઔયિકભાવ કહેવાય છે. આ ઔદિયકભાવ પૂર્વે બાંધેલા આઠે કર્મોમાંથી યથાયોગ્ય તે તે કર્મના ઉદયથી થાય છે. અને આ કર્મો બાંધનાર જીવ છે તેથી આ ઔદાયિક ભાવના ભેદો જીવને જ હોઇ શકે છે. પરંતુ જીવના સહયોગથી અજીવને પણ ઔદિયકભાવ કહેવાય છે. એમ શાસ્ત્રકાર પુરુષો કહે છે. જેમ કૃષ્ણવર્ણ નામકર્મ બાંધ્યુ હોય છે જીવે, પરંતુ તેના ઉદયથી કાળા રંગ રૂપે પરિણામ પામવાપણું પુદ્ગલમાં અનુભવાય છે. આ રીતે અજીવને પણ ઔદિયકભાવ ઘટે છે. ચોથા કર્મગ્રંથમાં કહ્યું છે કે ભાવે સુંધી ૩૫ વિ. ૨-૬. जीवभव्याभव्यत्वादीनि च ૨-૭ ૨-૭ જીવભવ્યાભવ્યત્વાદીનિ ચ જીવ-ભવ્ય-અભવ્યત્વ-આદીનિ ચ ૨-૭ સૂત્રાર્થ-જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ વગેરે ભાવો પારિણામિક ભાવના ભેદો છે. ૨-૭. Page #70 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૮-૯ ૪પ ભાવાર્થ - કર્મોની અપેક્ષા વિનાની વસ્તુમાં રહેલો છે સહજસ્વભાવ તે પારિણામિકભાવ. જો કે આ પરિણામિકભાવ સર્વ દ્રવ્યોમાં છે. કારણ કે તે તે દ્રવ્યોમાં તેવો તેવો સહજસ્વભાવ છે જ. છતાં પૂર્વશાસ્ત્રોમાં કહ્યા પ્રમાણે અહીં જીવને આશ્રયી મુખ્યત્વે ત્રણ ભેદો કહેવાય છે. જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. ચૈતન્યભાવવાળાપણું તે જીવત્વ, મુક્તિગમનની યોગ્યતાવાળાપણું તે ભવ્યત્વ, અને મુક્તિ-ગમનની અયોગ્યતાવાળાપણું તે અભવ્યત્વ. એમ મુખ્યત્વે પારિણામિકભાવના ત્રણ ભેદ છે છતાં સૂત્રમાં કહેલા આદિ શબ્દથી બીજા પણ પરિણામિકભાવના ઘણા ભેદો સમજી લેવા. જેમ કે અસંખ્યપ્રદેશિત્વ પર્યાયિત્વ, અસ્તિત્વ તથા અજીવમાં અજીવત્વ, રૂપિત્વ, જડત્વ, પર્યાયવત્ત્વ અને દ્રવ્યત્વ વગેરે પારિણામિક ભાવના ઘણા ભેદો છે. એવી જ રીતે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોમાં પણ અસંખ્યપ્રદેશિત્વ, લોકાકાશવ્યાપિત્વ વગેરે પરિણામિક ભાવના ભેદો જાણવા. ૧-૭. ૨-૮ उपयोगो लक्षणम् ઉપયોગો લક્ષણમ્ ઉપયોગઃ લક્ષણમ્ ૨-૮ ૨-૮ ૨-૯ स द्विविधोष्टचतुर्भेदः સ દ્વિવિધાષ્ટચતુર્ભેદઃ ૨-૯ સઃ દ્વિવિધ અષ્ટ ચતુઃ ભેદઃ ૨-૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ ४६ અધ્યાય : ર-સૂત્ર-૧૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ-ઉપયોગ એ જીવનું લક્ષણ છે. તે ઉપયોગ બે ભેદવાળો છે. પ્રથમ ભેદના આઠ અને દ્વિતીયભેદના ચાર પ્રભેદો છે. ર-૮, ૯. ભાવાર્થ - આત્માનું જે લક્ષણ છે. તે આ સૂત્રમાં સમજાવે છે. ચૈતન્યશક્તિનો જે વપરાશ તેને ઉપયોગ કહેવાય છે. આ ઉપયોગ એ જીવનું લક્ષણ છે. કારણ કે આ ચૈતન્ય શક્તિ જીવદ્રવ્ય માત્રામાં જ છે. તે ઉપયોગના બે ભેદ છે. વસ્તુને સામાન્યથી જાણવી તે સામાન્યોપયોગ. અને વસ્તુને વિશેષે જાણવી તે વિશેષોપયોગ. વિશેષપયોગને સાકારોપયોગ અથવા જ્ઞાનોપયોગ પણ કહેવાય છે. અને સામાન્યોપયોગને અનાકારોપયોગ અથવા દર્શનોપયોગ પણ કહેવાય છે. વિશેષોપયોગના આઠ ભેદ છે. અને સામાન્યોપયોગના ચાર ભેદ છે. પાંચજ્ઞાન અને ત્રણ અજ્ઞાન એમ આઠ ભેદ વિશેષપયોગના છે. ચાર દર્શન એ સામાન્યોપયોગના ભેદ છે. ચૈતન્યશક્તિ જીવમાં જ હોય છે. ધર્માસ્તિકાયાદિ અજીવ દ્રવ્યોમાં હોતી નથી. તેથી ચૈતન્યશક્તિનું હોવું અને તેનો પ્રયોગ કરવો એ જીવનું લક્ષણ છે. ૧-૮-૯. સંકળિો મુવાશ્ચ ૨-૧૦ સંસારિણો મુક્તાશ્ચ ૨-૧૦ સંસારિણઃ મુક્તાઃ ચ ૨-૧૦ Page #72 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૧૧-૧૨ ૪૭ સમક્ઝામનt: ૨-૧૧ સમનસ્કામનસ્કા: ૨-૧૧ સમનસ્ક-અમનસ્કાઃ ૨-૧૧ સૂત્રાર્થ-જીવોના બે ભેદ છે સંસારી અને મુક્ત. અથવા સમનસ્ક અને અમનસ્ક. ૨-૧૦, ૧૧. ભાવાર્થ-ચૈતન્યગુણ જેમાં હોય તેને જીવ કહેવાય છે. તે જીવદ્રવ્યના મુખ્યત્વે બે ભેદ છે. સંસારી અને મુક્ત. જન્મમરણવાળા જે જીવો એટલે કે કર્મવાળા જે જીવો તે સંસારી. અને જન્મમરણ વિનાના એટલે કે કર્મ વિનાના જે જીવો તે મુક્ત જીવ કહેવાય છે. અથવા ભૂત-ભાવિના વિચારો કરવાની મન સંજ્ઞાવાળા જ જીવો તે સમનસ્ક (સંજ્ઞી) અને વિચારક શક્તિ (મન) વિનાના જે જીવો તે અમનસ્ક જીવો કહેવાય છે. સારાંશ કે જીવોના સંસારી અને મુક્ત અથવા સમનસ્ક અને અમનસ્ક એમ બે રીતે બે બે ભેદો છે. ૨-૧૦-૧૧. સંસારિરિસ્થાવરી: ૨-૧ર સંસારિણસ્ત્રસસ્થાવરાઃ ૨-૧૨ સંસારિણ: ત્રાસ-સ્થાવરાઃ ૨-૧૨ સૂત્રાર્થ - સંસારી જીવોના બે ભેદ છે. ત્રસ અને સ્થાવર. ૨-૧૨. ભાવાર્થ - જન્મ-મરણવાળા સંસારી જીવોના બે ભેદ છે. ત્રસ અને સ્થાવર. સુખ અને દુઃખના ઈષ્ટ-અનિષ્ટ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૮ અધ્યાય :૨ -સૂત્ર-૧૩-૧૪ તત્વાર્થાધિગમસૂત્ર સંજોગોમાં પોતાની ઈચ્છા પ્રમાણે જે જીવ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરી શકે તે ત્રસ કહેવાય છે. અને તેવા સંજોગોમાં પોતાની ઈચ્છા પ્રમાણે જે જીવો પ્રવૃત્તિ-નિવૃત્તિ ન કરી શકે અને સ્થિર જ રહે તે સ્થાવર કહેવાય છે. ર-૧૨. पृथ्व्यब्वनस्पतयः स्थावराः ૨-૧૩ પૃથ્યન્વનસ્પતયઃ સ્થાવરાઃ ૨-૧૩ પૃથ્વી-અપ્ર-વનસ્પતયઃ સ્થાવરાઃ ૨-૧૩ . સૂત્રાર્થ-પૃથ્વીકાય-અપ્લાય અને વનસ્પતિકાય એમ ત્રણ પ્રકારે સ્થાવર જીવો છે. ૨-૧૩. - ભાવાર્થ-પૃથ્વીપણે જેનું શરીર છે તે પૃથ્વીકાય, પાણીરૂપે જેનું શરીર છે તે અપ્લાય, અને વનસ્પતિરૂપે જેનું શરીર છે તે વનસ્પતિકાય. આ ત્રણ પ્રકારના જીવો સુખ દુ:ખના સંજોગો આવવા છતાં પોતપોતાના સ્થાને સ્થિર રહેતા હોવાથી સ્થાવર કહેવાય છે. ૨-૧૩. તેનોવાયૂ કન્દ્રિયાતિયશ ત્રી: ૨-૧૪ તેજોવાયું દ્વીન્દ્રિયોદયશ્ચ ત્રસાઃ ૨-૧૪ તેજો-વાયૂ દ્વિ-ઈન્દ્રિયોદય: ચ ત્રસાઃ ૨-૧૪ સૂત્રાર્થ - તેઉકાય, વાઉકાય અને બેઈન્દ્રિયાદિ જીવો એ ત્રસ કહેવાય છે. ૨-૧૪. Page #74 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૧૪ ૪૯ ભાવાર્થ - અગ્નિ રૂપે જેનું શરીર છે તે અગ્નિકાય (તેઉકાય) અને પવનરૂપે જેનું શરીર છે તે વાયુકાય, તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ બધા જીવો ત્રસજીવ કહેવાય છે. સામાન્યથી જૈનશાસ્ત્રોમાં પૃથ્વી-અપ-તેઉ-વાયુ અને વનસ્પતિ આ પાંચને સ્થાવર કહ્યા છે. અને બેઇન્દ્રિયાદિને જ માત્ર ત્રસ કહ્યા છે. જ્યારે અહીં તેઉકાય અને વાઉકાયને સ્થાવરમાં ન કહેતાં ત્રસમાં કહ્યા છે. તેનું કારણ એ છે કે તેઉકાય અને વાયુકાય સ્વયં (બીજાની પ્રેરણા વિના પણ) ગતિશીલ છે. ગમન કરવાના સ્વભાવવાળા છે. ગમનાગમન કરનારા છે. માટે ત્રસ કહ્યા છે. પરમાર્થથી તો તેઉકાય અને વાઉકાયજીવ સ્થાવર નામકર્મના જ ઉદયવાળા હોવાથી સ્થાવર જ છે. સારાંશ કે તેઉકાય એટલે અગ્નિ આજુબાજુના ઝાડ આદિ દાહ્યપદાર્થોને પકડતી પકડતી ગતિ કરનાર હોવાથી અને વાઉકાય એક દિશામાંથી બીજીદિશામાં વાતો હોવાથી ગમન-આગમન શીલ છે. તેથી ગતિમાન છે. એમ સમજી ગતિત્રસ કહ્યા છે. પરંતુ ઇચ્છાપૂર્વકની પ્રવૃત્તિ-નિવૃત્તિ ન હોવાથી તથા સ્થાવર નામકર્મનો ઉદય હોવાથી પરમાર્થથી સ્થાવર જ છે. જો કે અપ્લાય પણ ગતિ કરે છે. પરંતુ તે ભૂમિના ઢાળના આધારે ગતિ કરે છે. સ્વયં ગતિ કરતો નથી વૃક્ષોની શાખાઓ પણ ગતિ કરે છે પરંતુ પવનના સહયોગથી ગતિ કરે છે. સ્વયં ગતિ કરતી નથી ઈત્યાદિ યુક્તિઓ સમજવી. અહીં વિવફાભેદ માત્ર કારણ છે. પરંતુ મતભેદ કે મતાન્તર નથી. ૨-૧૪. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૦ અધ્યાય : -સૂત્ર-૧૫-૧૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર પ્રક્રિયાનિ પંચેન્દ્રિયાણિ પંચ ઈન્દ્રિયાણિ ૨-૧૫ - વિધાનિ દ્વિવિધાનિ દ્વિવિધાનિ ૨-૧૬ સૂત્રાર્થ ઈન્દ્રિયો પાંચ છે. અને તે દરેક બે પ્રકારની છે. ૨-૧૬. ભાવાર્થ - જેનાથી જ્ઞાન થાય તેને ઈન્દ્રિય કહેવાય છે. આ શરીરમાં જીવ જીવે છે એમ જીવને ઓળખવાની જે નિશાની તે ઈન્દ્રિય, આ શરીરમાં એવા કુલ પાંચ અવયવો છે કે જેનાથી રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દનું જ્ઞાન થાય છે માટે શરીરમાં પાંચ જ ઈન્દ્રિયો છે. તેના દરેકના બે બે ભેદ છે. દ્રવ્યન્દ્રિય અને ભાવેન્દ્રિય, પુદ્ગંધની બનેલી જે ઈન્દ્રિય, પુદ્ગલોની રચના સ્વરૂપ જે ઈન્દ્રિય તે દ્રવ્યન્દ્રિય, અને આત્મામાં રહેલી વિષય જાણવાની જે શક્તિ તે ભાવેન્દ્રિયહવે દ્રવ્યન્દ્રિયના અને ભાવેન્દ્રિયના બે બે ભેદો છે તે જણાવે છે. ર-૧૫-૧૬. નિવૃત્યુપર દ્રિયમ્ ૨-૧૭ નિવૃત્ત્વપકરણે દ્રવ્યેન્દ્રિયમ્ ૧ર-૧૭ નિવૃત્તિ-ઉપકરણે દ્રવ્યેન્દ્રિયમ્ ૨-૧૭ નથુપયો માવેન્દ્રિયમ્ ૨-૧૮ લષ્ણુપયોગ ભાવેન્દ્રિયમ્ ૨-૧૮ લબ્ધિ-ઉપયોગી ભાવેદ્રિયમ્ ૨-૧૮ Page #76 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૫૧ સૂત્રાર્થ-નિવૃત્તિ અને ઉપકરણ એ દ્રવ્યન્દ્રિયના બે ભેદ છે. તથા લબ્ધિ અને ઉપયોગ એ ભાવેન્દ્રિયના બે ભેદ છે. ૨-૧૭, ૧૮. ભાવાર્થ- જે પુદગલોની બનેલી ઈન્દ્રિય છે તે દ્રવ્યન્દ્રિય છે. તેના નિવૃત્તિ અને ઉપકરણ એમ બે ભેદ છે. જે પુદ્ગલોની રચના છે. પુદ્ગલોથી બનેલી આકૃતિ છે. તે નિવૃત્તિ કહેવાય છે. નિવૃત્તિ=રચના, આકાર. તેના પણ બે ભેદ છે. બાહ્ય અને અત્યંતર. જે બહાર આકારો દેખાય છે તે બાહ્યનિવૃત્તિ, તે મ્યાન સમાન છે. જેમ મ્યાન તરવારનું રક્ષણ કરે છે પરંતુ છેદન ક્રિયા કરતું નથી તેમ બાહ્યનિવૃત્તિ તે અત્યંતર નિવૃત્તિનું રક્ષણ કરે છે. પરંતુ વિષયનો બોધ કરતી નથી. તથા શરીરની અંદર કદંબપુષ્પાદિના આકારની અંગુલના અસંખ્યાતમા ભાગની જે ઈન્દ્રિય છે કે જે જીવને વિષય બોધ કરાવવામાં નિમિત્ત છે. તે અભ્યત્તરનિવૃત્તિ ઈન્દ્રિય. તે તરવાર સમાન છે. તથા અભ્યત્તર નિવૃત્તિ જે ઈન્દ્રિય છે તેમાં આત્માને વિષય જણાવવામાં સહાયક થવાની જે શક્તિ છે તે શક્તિને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. આ ઈન્દ્રિય તરવારમાં રહેલી ધારની સમાન છે. આ પ્રમાણે મ્યાન, તરવાર, અને ધારની સમાનતા આ બધી પુદ્ગલની બનેલી ઈન્દ્રિયોમાં હોવાથી તે સર્વે દ્રવ્યન્દ્રિય કહેવાય છે. આત્મામાં વિષય જાણવાની જે જ્ઞાન શક્તિ છે તે લબ્ધિભાવેન્દ્રિય છે. તે તરવાર ચલાવવાની આવડત સમાન છે. અને તે શક્તિનો જે વપરાશ કરવો તે ઉપયોગભાવેન્દ્રિય છે. જે તરવાર ચલાવવાની આવડતનો વપરાશ કરવા તુલ્ય છે. આ રીતે દ્રવ્યન્દ્રિય તથા ભાવેન્દ્રિય જાણવી. તે સર્વેનું ચિત્ર આ પ્રમાણે છે. ૨-૧૮. Page #77 -------------------------------------------------------------------------- ________________ ૫૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૧૯-૨૦ ઈન્દ્રિય દ્રવ્યન્દ્રિય ભાવેન્દ્રિય નિવૃત્તિ ઉપકરણ લબ્ધિ ઉપયોગ કલાનો વપરાશ કરવા સમાન ધારસભાનું તરવાર બાહ્ય અભ્યત્તર ચલાવવાની મ્યાન સમાન તરવાર સમાન કલા સમાન ૩પ સ્પષિ ૨-૧૯ ઉપયોગઃ સ્પર્ધાદિષ ૨-૧૯ ઉપયોગઃ સ્પર્શાદિષ ૨-૧૯ સૂત્રાર્થ-આ પાંચે ઈન્દ્રિયોનો સ્પર્શાદિ વિષયો જાણવામાં ઉપયોગ થાય છે. ૨-૧૯. ભાવાર્થ - પાંચ ઈન્દ્રિયોનો વપરાશ સ્પર્શ વગેરે વિષયો જાણવામાં પ્રવર્તે છે. આ બાબત ગ્રન્થકારશ્રી પોતે જ હવે પછીના બે સૂત્રોમાં જણાવે છે. स्पर्शनरसनघ्राणचक्षुःश्रोत्राणि સ્પર્શનરસનઘાણચક્ષુઃશ્રોત્રાણિ સ્પર્શન-રસન-ધ્રાણ-ચક્ષુ:-શ્રોત્રાણિ ૨-૨૦ ૨-૨૦ ર-૨૦ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫૩ स्तिवामथा: તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ર-સૂત્ર-૨૧ स्पर्शरसगन्धवर्णशब्दास्तेषामर्थाः ૨-૨૧ સ્પર્શરસગંધવર્ણશબ્દાસ્તષામર્થા ૨-૨૧ સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દાઃ તેષામ્ અર્થા: ૨-૨૧ સૂત્રાર્થ- સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઈન્દ્રિયો છે. અને સ્પર્શ-રસ-ગંધ-વર્ણ અને શબ્દ આ પાંચ તેઓના વિષયો છે. ર-૨૧, ૨૧. ભાવાર્થ-સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય એમ પાંચ ઈન્દ્રિયો છે. અને તેનાથી અનુક્રમે સ્પર્શ-રસ-ગંધ-વર્ણ અને શબ્દ આ પાંચ વિષયો જાણી શકાય છે. કોઈપણ એક ઈન્દ્રિય પોતાના પ્રતિનિયત ફક્ત ૧ વિષયને જ જાણવામાં સહાયક છે. બાકીના વિષયો તે ઈન્દ્રિય દ્વારા જાણી શકાતા નથી પરંતુ અનુમાન દ્વારા બીજા વિષયને આત્મા જાણે છે. જેમ કે ચક્ષુથી કેરીનું રૂપ જ દેખાય છે. પરંતુ વિશિષ્ટ રૂપ દેખવાથી આત્મા તે કેરીમાં મધુર રસનું અને સારી ગંધનું અનુમાન કરે છે. તેવી રીતે પ્રાણથી કેરીની ગંધ જ જણાય છે. પરંતુ અમુક પ્રકારની સુગંધ જાણવાથી આત્મા રસનું અનુમાન કરે છે. આ પ્રમાણે પાંચ ઇન્દ્રિયો પોતપોતાના પ્રતિનિયત વિષયને જ જાણવામાં સહાયક છે. પ્રતિનિયત વિષય જાણ્યા પછી બીજા ભાવો આત્મા અનુમાનથી જાણે છે. આ રીતે પાંચ ઇન્દ્રિયોથી ક્રમશઃ રૂપાદિ પાંચે ગુણો જ જણાય છે. દ્રવ્ય જણાતું નથી. પરંતુ ગુણો દ્રવ્યથી અભિન્ન છે. તેથી ગુણો જણાયે છતે દ્રવ્ય જણાયું જ કહેવાય છે. માટે દ્રવ્ય પાંચ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ અધ્યાય : ર-સૂત્ર-૨૨-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર છે. અને ગુણોથી દ્રવ્ય કથંચિત્ ભિન્ન હોવાથી જો ભિન્ન માનીએ તો દ્રવ્ય અતીન્દ્રિય છે. પરંતુ તૈયાયિક-વૈશેષિકોએ માનેલું કીન્દ્રિયગ્રાહ્યપણું સાચું નથી. ર-૨૦-૨૧. શ્રતિનિક્રિયી ૨-૨૨ શ્રુતમનિદ્રિયસ્ય ૨-૨૨ શ્રુતમ્ અનિન્દ્રિયસ્ય ૨-૨૨ સૂત્રાર્થ શ્રુતજ્ઞાન એ અનિદ્રિયનો (મનનો) વિષય છે. ૨-૨૨. ભાવાર્થ - શ્રુતજ્ઞાન એ ચિંતન-મનન કે વિચારણા સ્વરૂપ છે. જેથી તે મન દ્વારા થાય છે. કોઇપણ બાધેન્દ્રિયથી વિષયગ્રહણ કરાયા પછી ચિંતન-મનન અને વિચારણા આદિ કરવા વડે મન દ્વારા ગુરૂગમના આધારે શાસ્ત્રાનુસારી વાચ્ય વાચક ભાવપૂર્વકનો જે બોધ થાય છે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. અને તે મનનો વિષય છે. ર-૨૨. વદ્વત્તાનામેન્ ૨-૨૩ વાધ્વન્તાનામકમ્ ૨-૨૩ વાયુ-અન્તાનામ્ એકમ્ ૨-૨૩ સૂત્રાર્થ - વાયુ સુધીના જીવોને એક જ ઈન્દ્રિય હોય છે. ૨-૨૩. ભાવાર્થ-તત્ત્વાર્થાધિગમના આ જ બીજા અધ્યાયના Page #80 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ર-સૂત્ર-૨૪ ૫ ૫ ૧૩ અને ૧૪ મા સૂત્રમાં જીવોના જે ભેદો જણાવ્યા છે. તેમાં વાયુ સુધીના જે જીવો છે તેને ફક્ત એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે. તેરમા સૂત્રમાં કહેલા પૃથ્વી-અપ-અને વનસ્પતિ તથા ચૌદમા સૂત્રમાં કહેલા તેજો અને વાયુ એમ કુલ પાંચ પ્રકારના જીવોને એક સ્પર્શનેન્દ્રિય જ હોય છે. અને તેથી તે એકેન્દ્રિય કહેવાય છે. જો કે પૃથ્વી-અરૂ-તેજી-વાયુ અને વનસ્પતિ એમ પાંચનો ક્રમ પ્રસિદ્ધ છે. એટલે સૂત્રકારના આશયને ન સમજનારને વનસ્પતિકાય રહી ગયા એમ લાગે, પરંતુ તેમ નથી કારણ કે અહીં સૂત્ર-૧૩-૧૪ના ક્રમે કથન હોવાથી વનસ્પતિકાય વચમાં જ આવી જાય છે. ૨-૨૩. મિપિપત્નિ ધમમનુષ્યાવીનાવવૃદ્ધાનિ ૨-૨૪ કૃમિપિપીલિકાભ્રમરમનુષ્યાદીનામેકંકવૃદ્ધાનિ ર-૨૪ કૃમિ-પિપીલિકા-ભ્રમર-મનુષ્યાદીનામ્ એક-એક-વૃદ્ધાનિ સૂત્રાર્થ - કૃમિ, કીડી, ભ્રમર અને મનુષ્યાદિ જીવોને એક એક ઈન્દ્રિય વધારે વધારે હોય છે. ૨-૨૪. ભાવાર્થ-પૃથ્વીકાય-અષ્કાય-તેઉકાય-વાઉકાય અને વનસ્પતિકાય એમ પાંચ પ્રકારના જીવોને એક સ્પર્શનેન્દ્રિય હોય છે. તથા કૃમિ (કરમીયા-શંખ-કોડાઅળસીયા અને પોરા) વગેરે જીવોને સ્પર્શનેન્દ્રિય અને રસનેન્દ્રિય એમ બે ઈન્દ્રિયો હોય છે. તથા કીડી-જુ-લીખ-મકોડા-માંકડ-કાનખજુરા વગેરે જીવોને સ્પર્શન-રસન અને ધ્રાણ એમ ત્રણ ઈન્દ્રિયો હોય છે. તથા Page #81 -------------------------------------------------------------------------- ________________ પ૬ અધ્યાય : ૨-સૂત્ર-૨૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભમરા-ભમરી-બગાઈ-વીંછી-તીડ-અને માખી વગેરે જીવોને ચક્ષુ સાથે ચાર ઈન્દ્રિયો હોય છે. તથા મનુષ્ય-તિર્યંચ-દેવ અને નારકજીવોને શ્રોત્ર સાથે કુલ પાંચે પાંચ ઈન્દ્રિયો હોય છે. મૂલસૂત્રમાં ઉદાહરણ તરીકે ફક્ત એક-એકનો ઉલ્લેખ છે. તથા આંધળા, બહેરા, બોબડા વગેરે વિક્લાંગ જીવોને પણ પંચેન્દ્રિય જ સમજવા. માત્ર દ્રવ્યેન્દ્રિયની ખામી જાણવી. ૨-૨૪. સંનિ: સંમના : ૨-૨પ સંશિનઃ સમનસ્કા: ૨-૨૫ સંઝિનઃ સમનસ્કાઃ ૨-૨૫ સૂત્રાર્થ -સંજ્ઞી પંચેન્દ્રિય જીવો મનસહિત હોય છે. અથવા મનસહિત જે જીવો તે સંજ્ઞી કહેવાય છે. ર-૨૫. - ભાવાર્થ-ભૂત-ભાવિના અનુભવોના આધારે જે દીર્ઘકાલની વિચારણા કરવાની શક્તિ તે દીર્ધકાલિકી સંજ્ઞા કહેવાય છે. આવી સંજ્ઞા જે જીવોને હોય છે તે સંજ્ઞી કહેવાય છે. આવા સંજ્ઞી જીવો હંમેશાં મનવાળા હોય છે. કારણ કે મન દ્વારા દીર્ઘકાળની ચિંતવણા-વિચારણા થાય છે. તેમાં પણ દેવ-નારકી અને ગર્ભજમનુષ્ય અને ગર્ભજ તિર્યંચોને જ સંજ્ઞી કહેવાય છે. બાકીના જીવો સંજ્ઞારહિત (મન વિનાના) હોવાથી અસંજ્ઞી કહેવાય છે. અસંજ્ઞી જીવો સંમૂર્ણિમ જ હોય છે અને સંમૂર્ણિમ જીવો અસંજ્ઞી જ હોય છે. ગર્ભજ તથા ઉપપાત જન્મવાળા જીવો જ સંજ્ઞી હોય છે. અને આ બે જન્મવાળા જીવો સંજ્ઞી જ હોય છે. ર-૨૫. Page #82 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ર-સૂત્ર-૨૬-૨૭ પ૭ વિપ્રદતિ વર્મચો : ૨-૨૬ વિગ્રહગતિ કર્મયોગઃ ૧-૨૬ વિગ્રહગતી કર્મયોગઃ ૨-૨૬ મનુાિતિઃ ૨-૨૭ અનુશ્રેણિગતિઃ ૨-૨૭ અનુશ્રેણિ ગતિઃ ૨-૨૭ સૂત્રાર્થ - વિગ્રહગતિમાં, કાર્મણ કાયયોગ હોય છે. અને પરભવમાં જતા જીવની ગતિ આકાશપ્રદેશોની પંક્તિ પ્રમાણે થાય છે. ૨-૨૬, ૨૭. | ભાવાર્થ - એક ભવથી બીજા ભવમાં જતા જીવની જે ગતિ તે વિગ્રહગતિ કહેવાય છે. વચગાળાની જે ગતિ તે વિગ્રહગતિ. જ્યારે આ જીવ વિગ્રહગતિમાં વર્તતો હોય છે. ત્યારે તેને કાશ્મણકાયયોગ માત્ર જ હોય છે. મન-વચન અને કાયાના યોગ કુલ ૧૫ પ્રકારના છે. મનના ચાર, વચનના ચાર અને કાયાના સાત એમ કુલ ૧૫ યોગમાંથી એક કાર્પણ કાયયોગ જ વિગ્રહ ગતિમાં હોય છે. કારણ કે ત્યાં પૂર્વભવનું શરીર છુટી ગયું છે, નવા ભવનું શરીર હજુ પ્રાપ્ત થયું નથી. તેથી શરીર સંબંધી ઔદારિક-વૈક્રિય અને આહારક યોગો સંભવતા નથી. તથા મનવચન ત્યાં ન હોવાથી તે સંબંધી યોગો પણ હોતા નથી. તથા આકાશ પ્રદેશોની પંક્તિના અનુસાર લાઈનસર ગતિ થાય છે. પરંતુ આડા-અવળી ગતિ થતી નથી. મૃત્યુ પછી જે દિશામાં ઉત્પન્ન થવાનું આયુષ્ય બાંધ્યું હોય તે દિશા તરફ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૮ અધ્યાય : ર-સૂત્ર-૨૮-૨૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર આકાશપ્રદેશોની પંક્તિ પ્રમાણે જ જીવ ગમન કરે છે. મૃત્યુ બાદ ચારદિશા અને ઉપર, નીચે એમ છ દિશામાંથી કોઈપણ એક દિશામાં બાંધેલા આયુષ્યના આધારે જીવનું ગમન થાય છે. ઘણા લોકો એમ સમજે છે કે જીવ મૃત્યુ પામે એવો તુરત જ એકવાર ઉપર જાય, અને પછી બાંધેલા આયુષ્ય પ્રમાણે જાય. પરંતુ આ વાત બરાબર નથી. કારણ કે કર્મોના બંધન વિનાનો જીવ નિયમા ઉર્ધ્વગતિ જ કરે છે. બાકીના જીવો કર્મોના બંધનને વશ હોવાથી આયુષ્યના આધારે ગતિ કરે છે. અન્યથા છઠ્ઠા કર્મગ્રંથના ભાંગાઓની પણ સંગતિ થતી નથી.ર-૨૬-૨૭. વિપ્ર ગીવર્ય ૨-૨૮ અવિગ્રહા જીવસ્ય ૨-૨૮ અવિગ્રહ જીવસ્ય ૨-૨૮ વિઘવતી સ્ત્ર સંસારિ: પ્રાણ વાગ્યેઃ ૨-૨૯ વિગ્રહવતી ચ સંસારિણઃ પ્રાક ચતુર્ભઃ ૨-૨૯ વિગ્રહવતી ચ સંસારિણઃ પ્રાર્ક ચતુર્ભુઃ ૨-૨૯ સૂત્રાર્થ - મુક્તિગામી જીવની ગતિ વક્રા વિનાની હોય છે. અને સંસારી જીવની ગતિ વક્રાવાળી અને વક્રા વિનાની એમ બન્ને જાતની હોય છે. અને વધુમાં વધુ ચારની પૂર્વે એટલે ત્રણ વક્રાવાળી ગતિ હોય છે. ર-૨૮-૨૯. ભાવાર્થ-જ્યારે આ આત્મા સંસાર સમાપ્ત કરી, સર્વ કર્મ ક્ષય કરી શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર થયો છતો મુક્તિગામી થાય છે. ત્યારે જ્યાં દેહત્યાગ કરે છે. તેના જ બરાબર લેવલમાં Page #84 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : -સૂત્ર-૩૦-૩૧ ૫૯ ઉપર જાય છે. એક આકાશપ્રદેશ જેટલો પણ વાંકો થતો નથી. વક્રા કરતો નથી. એટલે અવિગ્રહ જ ગતિ હોય છે અને નિયમો ઊર્ધ્વગતિ જ હોય છે. પરંતુ સંસારી જીવ જ્યારે એક ભવ પૂર્ણ કરી બીજા ભવમાં ઉત્પન્ન થવા જાય છે, ત્યારે સીધો પણ જાય છે અને વળાંક લઈને (વક્રા કરીને) પણ જાય છે. કારણ કે પરભવના બાંધેલા આયુષ્ય પ્રમાણે તે જીવની ગતિ થાય છે. ઉત્પત્તિસ્થાન જે રીતે હોય તે રીતે ઋજુ અથવા વક્રાગતિ થાય છે. અને જો વક્રા કરે તો પણ એક-બે અને વધુમાં વધુ ત્રણ વક્રા કરે છે. ઉત્પત્તિસ્થાન બરાબર લાઈનમાં હોય તો વક્રા વિના સીધો જ જાય છે. અને એક-બે કે ત્રણ વક્રાથી ઉત્પત્તિસ્થાન આવતું હોય તો તે રીતે એક-બે- અને ત્રણ વક્રા કરે છે. ત્રણ વક્રાવાળી ગતિ ફક્ત એકેન્દ્રિય જીવોની જ હોય છે. બૃહસંગ્રહણી આદિ ગ્રંથોમાં ચાર વક્રાવાળી ગતિ પણ કહેલી છે. તે નીચે ત્રસનાડીની બહાર વિદિશામાં મારી ઉપર ત્રસનાડીની બહાર વિદિશામાં જન્મનાર એકેન્દ્રિયને આશ્રયી સંભવે છે.૨-૨૮-૨૯. સિમયોવિપ્રઃ ૨-૩૦ એકસમયોવિગ્રહઃ ૨-૩૦ એક સમયઃ અવિગ્રહઃ ૨-૩૦ િદ વાનાહારઃ ૨-૩૧ એક દ્રૌ વાનાહારક: ૨-૩૧ એક દ્રૌ વા અનાહારક: ૨-૩૧ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૦ અધ્યાય : ૨-સૂત્ર-૩૦-૩૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર - સૂત્રાર્થ- અવિગ્રહગતિ હંમેશાં એક સમયના કાળવાળી જ હોય છે. અને વિગ્રહગતિમાં જીવ એક અથવા બે સમય અણાહારી હોય છે. ૨-૩૧. ભાવાર્થ - જ્યારે જીવ મોક્ષે જાય છે ત્યારે વા વિનાની જ ગતિ હોય છે અને તેમાં ફક્ત ૧ સમય જ કાળ થાય છે. સાતરાજ જેટલું ક્ષેત્ર કાપીને જતા આ જીવને માત્ર ૧ સમય જ કાળ લાગે છે. વાસ્તવિકપણે તો જે સમયે નિર્વાણ પામે છે તે સમયે જ સાત રાજ ક્ષેત્ર કાપીને લોકોને પહોંચી જાય છે. એટલે સમયાન્તરને અણસ્પર્યા જાય છે. એમ જાણવું. અને સમશ્રેણીએ ઉપર જઇને વસે છે. તથા સંસારમાં પણ જ્યારે એક ભવથી બીજા ભવમાં ઉત્પન્ન થતા જીવને જન્મમરણનું સ્થાન જો એક જ પંક્તિમાં આવતું હોય તો અવિગ્રહગતિ અને ૧ સમય જ કાળ લાગે છે. પરંતુ જો વક્રા કરવી પડે તો ૧ વક્રા કરવી પડે ત્યાં ર સમય, ૨ વક્રા કરવી પડે ત્યાં ૩ સમય, અને ૩ વક્રા કરવી પડે ત્યાં જ સમય કાળ લાગે છે. તેમાં મૃત્યુ પામીને નીકળે તે સમયે પૂર્વભવના શરીરથી આ જીવ આહાર લે છે અને છેલ્લા સમયે પરભવમાં પહોંચે ત્યારે તે ભવના શરીરથી આહાર લે છે. પરંતુ વચ્ચેના સમયોમાં આ જીવને ઔદારિકાદિ શરીર ન હોવાથી આહાર ગ્રહણ સંભવતું નથી. માટે અણાહારી હોય છે. તેથી અવિગ્રહગતિમાં કે ૧ વક્રાવાળી ગતિમાં જીવ આહારી જ છે. પરંતુ બે વક્રાવાળી ગતિમાં વચ્ચેનો ૧ સમય અણાહારી છે અને ત્રણ વક્રાવાળી ગતિમાં વચ્ચે ના ર સમય આ જીવ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૬૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૩૨ અણાહારી હોય છે. સંસારમાં જે આવી માન્યતાઓ પ્રવર્તે છે કે મૃત્યુ પામેલા જીવો અવગતિએ જાય છે. જ્યાં ત્યાં ભટકે છે. લોકો બારમું -તેરમું કરે ત્યારે ખાઈ-પીને જાય છે. ત્યાં સુધી ભૂતાત્માની જેમ ઘરોમાં છુપાઈ રહે છે. ઇત્યાદિ લોકવાયકાઓ ઉપરોક્ત શાસ્ત્રકથનથી મિથ્યા છે. એમ જાણવું. ૨-૩૦-૩૧. કાલમાપ. | વક્રા અણાહારી | અવિગ્રહગતિમાં | ૧. સમય ૧ વક્રાવાળી ગતિમાં | ૨ સમય ર વક્રાવાળી ગતિમાં | ૩ સમય ૧ સમય ૩ વક્રાવાળી ગતિમાં ૪ સમય ૨ સમય सम्मूर्च्छनगर्भोपपाता जन्म ૨-૩૨ સમૂચ્છનગર્ભોપપાતા જન્મ ૨-૩૨ સમૂર્ચ્યુન-ગર્ભ-ઉપપાતાઃ જન્મ ૨-૩૨ સૂત્રાર્થ - સમૂચ્છન, ગર્ભજ, અને ઉપપાત એમ જન્મ ત્રણ પ્રકારના છે. ૨-૩૨. ભાવાર્થ-આ જીવ એક ભવથી મૃત્યુ પામી જ્યારે બીજા ભવમાં પહોંચે છે ત્યારે તેનો તે બીજાભવમાં જે પ્રવેશ તે જન્મ કહેવાય છે. અન્ય ભવરૂપે જે ઉત્પત્તિ તે જ જન્મ સમજવો. તે જન્મના ત્રણ પ્રકારો છે. સમૂઈન, ગર્ભજ અને ઉપપાત. (૧) જે જન્મમાં માત-પિતાના સાંસારિક સંબંધની અપેક્ષા ન હોય, પરંતુ Page #87 -------------------------------------------------------------------------- ________________ ૬૨ અધ્યાય : ર-સૂત્ર-૩૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર તેવા પ્રકારના વર્ણ-ગંધાદિ બદલાવા દ્વારા ઉત્પત્તિસ્થાન (યોનિસ્થાન) બનતાં જીવો ઉત્પન્ન થાય તે સમૂર્ણન. જેમ કે દીવાની ચારે બાજુ ઉત્પન્ન થતાં પતંગીયાં. (૨) જે જન્મમાં માતપિતાના સંસારિક સંબંધની અપેક્ષા અવશ્ય હોય જ છે. તેના દ્વારા જ (ધિર અને શુક્રના મિશ્રણથી) જીવનો જે જન્મ થાય તે ગર્ભજ જન્મ. જેમ કે મનુષ્ય-પશુ વગેરે. (૩) જેના જન્મમાં સાંસારિક સંબંધ કારણ નથી. તથા અનિયતપણે ગમે ત્યાં જે જન્મતા પણ નથી. પરંતુ પોતાના ક્ષેત્રમાં નિયત સ્થાને (ફૂલની શયામાં અને કુંભમાં) જે જન્મે છે. તે ઉપપાત જન્મ. આ જન્મ દેવ-નારકોને જ હોય છે. ર-૩૨ सचित्तशीतसंवृताः सेतरा मिश्राश्चैकशस्तद्योनयः २-33 સચિત્તશીતસંવૃતઃ સંતરા મિશ્રાદ્ઘકશસ્તોનયઃ ૨-૩૩ સચિત્ત-શીત-સંવૃતાઃ સેતરાઃ મિશ્રાઃ ચ એકશઃ તદ્યોનયઃ સૂત્રાર્થ- સચિત્ત- શીત અને સંવૃત. આ ત્રણ તથા તેની પ્રતિપક્ષી ત્રણ, અને મિશ્ર ત્રણ એમ તે યોનિઓ એકેક ત્રણત્રણ પ્રકારની છે. કુલ નવ પ્રકારની છે. ૨-૩૩. ભાવાર્થ-જીવોને ઉત્પન્ન થવાનું જે સ્થાન તે યોનિ કહેવાય છે. તે એકેક યોનિના ત્રણ-ત્રણ ભેદ હોય છે. સચિત્ત, શીત, સંવૃત. તેના પ્રતિપક્ષી ત્રણ અચિત્ત, ઉષ્ણ, વિવૃત. અને મિશ્ર પણ ત્રણ સચિત્તાચિત્ત. શીતોષ્ણ, સંવૃતવિવૃત. એમ ત્રણે યોનિઓ ત્રણ ત્રણ પ્રકારે છે. કુલ નવ પ્રકાર છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૩૪-૩૫ ૬૩ (૧) જે ઉત્પત્તિસ્થાન જીવોવાળું હોય તે સચિત્ત, (૨) જીવો વિનાનું ઉત્પત્તિસ્થાન હોય તે અચિત્ત, અને (૩) જીવ-અજીવ એમ ઉભયવાળું ઉત્પત્તિ સ્થાન હોય તે મિશ્ર. (૪) જે ઉત્પત્તિસ્થાન શીતળતાવાળું હોય તે શીત, (૫) ઉષ્ણતાવાળું હોય તે ઉષ્ણ અને (૬) શીતળતા-ઉષ્ણતા એમ બન્નેવાળું હોય તે મિશ્ર. (૭) જે ઉત્પત્તિસ્થાન ઢાંકેલું હોય તે સંવૃત, (૮) ખુલ્લું હોય તે વિવૃત. (૯) અને ગુપ્ત હોવા છતાં ઉદરવૃદ્ધિ આદિસ્વરૂપે જે જણાય તે મિશ્ર. એમ ત્રણના ત્રણ ત્રણ પ્રકાર જાણવા. ૨-૩૩. નરસ્લિપકુપતનાનાં વર્ષ ૨-૩૪ જરાધ્વગ્ડપોતાનાં ગર્ભઃ ૨-૩૪ જરાયુ-અંડ-પોતાનાં ગર્ભઃ ૨-૩૪ नारकदेवानामुपपातः ૨-૩૫ નારકદેવાનામુપપાતઃ ૨-૩૫ નારક-દેવાનામ્ ઉપપાતઃ ર-૩૫ સૂત્રાર્થ જરાયુજ, અંડજ, અને પોતજ એમ ત્રણ પ્રકારના જીવોનો જે જન્મે છે. તે ગર્ભજ કહેવાય છે. નારકી અને દેવોનો જન્મ ઉપપાત હોય છે. ર-૩૪-૩૫. ભાવાર્થ-હવે ગર્ભજ-ઉપપાત અને સમૂઈને જન્મ કોનો કોનો હોય છે? તે સમજાવે છે. જન્મ થતાં જે મલીન Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અધ્યાય : ૨-સૂત્ર-૩૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર પદાર્થ સાથે હોય છે કે જેમાં વીંટળાઈને આ જીવ જન્મે છે તેને ગુજરાતીમાં ઓર અને શાસ્ત્રમાં જરાયુ કહેવાય છે. તે જરાયુમાં વીંટળાયેલો જન્મ જેનો છે તે જરાયુજ. ઈડા સ્વરૂપે જન્મ જેનો છે તે અંડજ. અને શુદ્ધ બચ્ચા સ્વરૂપે જન્મ જેનો છે તે પોતજ. આ ત્રણે પ્રકારના જન્મ ગર્ભજ કહેવાય છે. મનુષ્યો-ગાય-ભેંસ-બકરા આદિનો જન્મ જરાયુજ છે. ચકલી, મોર, પોપટ વગેરે પક્ષીઓનો જન્મ અંડજ છે. અને હાથીસસલા વગેરેનો જન્મ પોતજ છે. આ ત્રણે પ્રકારો ગર્ભ જન્મના છે. કારણ કે આ ત્રણે પ્રકારના જન્મમાં સ્ત્રીપુરુષના સંબંધની અવશ્ય અપેક્ષા હોય છે. નારકી અને દેવોનો જન્મ ઉપપાત જ હોય છે. અને આ ઉપપાત જન્મ નારકી-દેવોનો જ હોય છે. ઉત્પત્તિના ક્ષેત્રે નિયત સ્થાન તેઓનું જ છે. ૨-૩૪-૩૫. શેષા સમૂઈનમ્ ૨-૩૬ શેષાણાં સમૂઈનમ્ ર-૩૬ શેષાણાં સમૂઈનમ્ ૨-૩૬ સૂત્રાર્થ - બાકીના જીવોનો સમૂછન જન્મ હોય છે. ૨-૩૬. ભાવાર્થ-ગર્ભજ અને ઉપપાત જન્મ જેનો નથી એવા બાકીના સર્વે જીવોનો સમૂર્ઝન જન્મ છે. તેથી એકેન્દ્રિય વિકસેન્દ્રિય. અસંજ્ઞી પંચેન્દ્રિય જીવોનો જન્મ સમૂઈન જ Page #90 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૩૭-૩૮ ૬૫ કહેવાય છે. આ જીવો સ્ત્રી-પુરુષના સંસર્ગ વિના જ ઉત્પન્ન થાય છે. ૨-૩૬. औदारिकवैक्रियाहारकतैजसकार्मणानि शरीराणि २-३७ ઔદારિકવૈક્રિયાહારકતૈજસકાર્યણાનિ શરીરાણિ ૨-૩૭ ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ-કાર્યણાનિ શરીરાણિ ૩૭ સૂત્રાર્થ- ઔદારિક-વૈક્રિય-આહારક-તૈજસ અને કાર્પણ એમ કુલ ૫ શરીરો છે. ૨-૩૭. ભાવાર્થ-કોઈપણ જીવ પરભવમાં ઉત્પન્ન થયા પછી સૌથી પ્રથમ આહાર ગ્રહણ કરે છે. અને તે આહારમાંથી જીવન જીવવાના આધારભૂત શરીર બનાવે છે. શરીર એટલે શીયંતે યક્ તવ્ શરીર= જે નાશ પામે તે શરીર. તેના પાંચ ભેદ છે. હાડકાં-માંસ-ચરબી-રુધીર-આદિ સાત ધાતુઓનું બનેલું જે શરીર તે ઔદારિકશરીર. જે નાનું-મોટું થાય. પાણીમાં અને ભૂમિ ઉપર ચાલનારૂં બને, તથા દૃશ્ય-અદૃશ્ય થાય તે વૈક્રિયશરી૨. ચૌદપૂર્વધર મહાપુરુષો તીર્થંકર પરમાત્માની ઋદ્ધિ આદિ જોવા માટે જે શરીર બનાવે તે આહારક શરીર. ભુક્ત આહારને પકાવનારૂં જે શરીર તે તૈજસશરીર. અને કર્મસ્વરૂપે જે શરીર તે કાર્મણશરીંર. એમ શરીર પાંચ પ્રકારનું છે. ૨-૩૭. परं परं सूक्ष्मम् પરં પરં સૂક્ષ્મસ્ પરં પરં સૂક્ષ્મસ્ ૨-૩૮ ૨-૩૮ ૨૩૮ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૬ અધ્યાયઃ ૨-સૂત્ર-૩૯-૪૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર પ્રવેશતોયTUાં પ્રાલ્ફ તૈનાત્ ૨-૩૯ પ્રદેશતોસંખ્ય ગુણ પ્રાળુ તૈજસાત્ ૨-૩૯ પ્રદેશતઃ અસંખ્ય ગુણ પ્રાફ તૈજસાત્ ૨-૩૯ સૂત્રાર્થ-પછી પછીનું શરીર સૂક્ષ્મ છે. અને પાંચ શરીરોમાં તૈજસની પૂર્વેનાં ત્રણ શરીરો પ્રદેશની અપેક્ષાએ અસંખ્યયગુણાં છે. ૨-૩૮, ૩૯. ભાવાર્થ-દારિક શરીરની અપેક્ષાએ વૈક્રિય સૂક્ષ્મ છે. એ પ્રમાણે વૈક્રિયશરીર કરતાં આહારક, આહારક શરીર કરતાં તૈજસ, અને તૈજસ કરતાં કામણશરીર અત્યન્ત સૂક્ષ્મ છે. પ્રથમનાં ત્રણ શરીર ચક્ષુથી દશ્ય છે પાછળનાં બે અદેશ્ય છે. પછી પછીનાં શરીરોની અવગાહના સૂક્ષ્મ હોવા છતાં પણ તૈજસની પહેલાનાં એટલે કે આહારક સુધીનાં ત્રણ શરીરો પ્રદેશોની અપેક્ષાએ અસંખ્યગુણા પ્રદેશોવાળાં છે. ઔદારિક શરીર કરતાં વૈક્રિયશરીરના પ્રદેશો અને વૈક્રિયશરીર કરતાં આહારક શરીરના પ્રદેશો અસંખ્યગુણા છે. પ્રદેશો વધારે વધારે છે. અને અવગાહના ઓછી ઓછી છે. તેનું કારણ એ છે કે તે તે શરીરના પુદ્ગલોના પિંડો વધારે વધારે ઘનીભૂત થતા જાય છે. જેથી પ્રદેશો વધારે વધારે હોવા છતાં પણ અવગાહના અલ્પ અલ્પ થાય છે. આમાં સ્કંધોની ઘનીભૂતતા એ જ કારણ છે. ર-૩૮-૩૯. મનન્તા પરે ૨-૪૦ અનન્તગુણે પરે ર-૪૦ અનન્તગુણે પરે ૨-૪૦ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૪૧-૪૨-૪૩ अप्रतिघाते ૨-૪૧ અપ્રતિઘાતે ૨-૪૧ અપ્રતિઘાતે ર-૪૧ એનાસિક્વન્થ a ૨-૪૨ અનાદિસમ્બન્ધ ચ ૨-૪૨ અનાદિસમ્બન્ધ ચ ૨-૪૨ सर्वस्य ૨-૪૩ સર્વસ્ય ૨-૪૩ સર્વસ્ય ૨-૪૩ સૂત્રાર્થ-પાછળનાં બે શરીરો અનંતગુણા પ્રદેશોવાળાં, અપ્રતિઘાતી, અનાદિ-સંબંધવાળાં છે. અને સર્વ જીવોને હોય છે. ૨-૪૦-૪૧-૪૨-૪૩. ભાવાર્થ-પરે શબ્દ નપુંસકલિંગ દ્વિવચન હોવાથી પરે એટલે પાછળનાં બે શરીરો તૈજસ અને કાર્પણ અનંતગુણા પ્રદેશવાળાં છે. એટલે આહારક શરીરના પ્રદેશો કરતાં તેજસના અને તેજસશરીર કરતાં કાર્મણ શરીરના પ્રદેશો અસંખ્યાતગુણા નથી. પરંતુ અનંતગુણા છે. તથા આ બન્ને શરીરો અપ્રતિઘાતી છે. ગમે તેવા પર્વત-નદી કે કઠણ પૃથ્વીમાંથી પસાર થવા છતાં આ બે શરીરોને કોઈ પણ જાતનો પ્રતિઘાત થતો નથી. (અથડામણ થતી નથી) તેમાંથી પસાર થઈ જાય છે. તથા આ Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૮ અધ્યાય : ૨-સૂત્ર-૪૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર બન્ને શરીરો અનાદિકાલથી જીવની સાથે સંબંધવાળાં છે. ક્યારેય પણ આ જીવ ભૂતકાળમાં તૈજસ-કાશ્મણ વિનાનો ન હતો. તથા આ બન્ને શરીરો સર્વ સંસારી જીવોને હોય જ છે. કારણ કે આ બે શરીરો જ સંસારનું મૂલ છે. માટે અનાદિકાલથી સર્વજીવોને આ બે શરીરો છે જ. ૨-૪૦-૪૧-૪૨-૪૩. તવાહિનિ માન્યાનિ યુપિસ્થીવતુર્થ. ૨-૪૪ તદાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્યાચતુર્ભુઃ ર-૪૪ તઆદીનિ ભાજ્યાનિ યુગપ એકસ્ય આચતુર્ભ ર-૪૪ સૂત્રાર્થ-તે તૈજસકાર્પણ શરીરોને આદિમાં ગણીને એકી સાથે એક જીવને વધુમાં વધુ ચાર સુધીનાં શરીરો ભજનાએ હોય છે. ર-૪૪. ભાવાર્થ - જો કે શરીરોનો ક્રમ ૩૭ સૂત્ર પ્રમાણે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ છે. તો પણ તૈજસ-કાશ્મણ શરીર આદિમાં ગણીને ૪૪મું સૂત્ર લગાડવું. એટલે કે તૈજસ, કાર્મણ, ઔદારિક, વૈક્રિય અને આહારક એવો ક્રમ લેવો. આ પ્રમાણેના નવા ક્રમમાંથી એક જીવને એકી સાથે બે, ત્રણ અને વધુમાં વધુ ચાર શરીરો હોય છે. જો બે હોય તો તૈજસ-કાશ્મણ (વિગ્રહગતિમાં), જો ત્રણ હોય તો તૈજસ-કાર્પણ અને દારિક, (મનુષ્ય-તિર્યંચોને) અથવા તેજસ-કાર્પણ અને વૈક્રિય (દેવ-નારકીને). જો ચાર હોય તો તૈજસ-કાશ્મણ-દારિક-વૈક્રિય (વૈક્રિયની લબ્ધિવાળાને Page #94 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાયઃ ૨-સૂત્ર-૪૫-૪૬ ૬૯ વિકુર્વણાના કાળે) અથવા તૈજસ-કાશ્મણ દારિક અને આહારક (આહારક લબ્ધિવાળાને આહારકની વિદુર્વણાના કાળે), એમ એકી સાથે એક જીવને ૨-૩-૪ શરીરો હોય છે. પરંતુ એકી સાથે પાંચ શરીરો હોતાં નથી. કારણ કે વૈક્રિય શરીર તથા આહારક શરીરની રચના એક જીવમાં એક કાળે થતી નથી. ૨-૪૪. निरुपभोगमन्त्यम् ૨-૪૫ નિરુપભોગમજ્યમ્ ૨-૪૫ નિરુપભોગ... અજ્યમ્ ૨-૪૫ गर्भसम्मूर्छनजमाद्यम् २-४६ ગર્ભસમૂછનજમાદ્યમ્ ૨-૪૬ ગર્ભસમૂઈનજ... આદ્યમ્ ૨-૪૬ સૂત્રાર્થ- અન્ય કાર્મણશરીર નિરુપભોગ હોય છે. પ્રથમ ઔદારિકશરીર ગર્ભજ અને સમૂછન જન્મવાળાને હોય છે. ૨-૪૫-૪૬. ભાવાર્થ-ઔદારિક-વૈક્રિય અને આહારક શરીરોથી કવલાહાર દ્વારા અથવા લોમાકાર દ્વારા આહાર-પાણી લઈ શકાય છે. ગમનાગમન કરી શકાય છે. સુખ અને દુઃખનો ઉપભોગ કરી શકાય છે તેવો ઉપભોગ કાર્મણ શરીરથી કરી શકાતો નથી. તથા તૈજસ શરીરથી કોઈ બીજા મનુષ્ય ઉપર તેજલેશ્યા અને શીતલેશ્યા મુકી શકાય છે. અને ભોજન Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૦ અધ્યાય : ૨-સૂત્ર-૪૭-૪૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર કરેલા આહારનું પાચન પણ તૈજસ શરીરથી થાય છે. તે રીતે તેનો પણ ઉપભોગ કરી શકાય છે. તેવો ઉપભોગ કાર્પણ શરીરથી થઈ શકતો નથી. માટે અન્ય જે કાર્મણ શરીર છે, તે સાંસારિક સુખ-દુઃખ ભોગવવામાં નિરુપભોગ છે. અને બાકીનાં ચારે શરીરો ઉપર સમજાવ્યા મુજબ કોઈને કોઈ રીતિએ ઉપભોગ યોગ્ય છે. હવે આ પાંચે શરીરો કોને કોને હોય છે. તે સમજાવાય છે. (૧) ઔદારિક શરીર ગર્ભજ જન્મવાળા તિર્યંચ અને મનુષ્યોને હોય છે. તથા સમૂછન જન્મવાળા એકેન્દ્રિયાદિ જીવોને પણ આ ઔદારિકશરીર જ હોય છે. એટલે એકેન્દ્રિયવિક્લન્દ્રિય અને પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્યોને સર્વને આ ઔદારિક શરીર હોય છે. એમ જાણવું. ર-૪૫-૪૬. વૈદિચનૌપપાતિમ્ ૨-૪૭ વૈક્રિયમપપાતિકમ્ ર-૪૭ વૈક્રિયમ્ ઔપપાતિકમ્ ર-૪૭ लब्धिप्रत्ययं च ૨-૪૮ લબ્ધિપ્રત્યય ચ ર-૪૮ લબ્ધિપ્રત્યય ચા ૨-૪૮ સૂત્રાર્થ-ઉપપાત જન્મવાળા દેવો અને નારકીને વૈક્રિયશરીર હોય છે તથા લબ્ધિપ્રત્યયિક વૈક્રિયશરીર તિર્યંચમનુષ્યોને હોય છે. ર-૪૭-૪૮. Page #96 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાયઃ ૨-સૂત્ર-૪૯ ૭૧ ભાવાર્થ - ઉપપાત જન્મવાળા દેવો તથા નારકીના સર્વે જીવોને વૈક્રિય શરીર હોય છે. જન્મથી મરણ પર્યન્ત વૈક્રિય શરીર જ હોય છે. તથા તિર્યંચ પંચેન્દ્રિયમાં અને ગર્ભજ મનુષ્યોમાં લબ્ધિના નિમિત્તવાળું (વિશિષ્ટ શ્રુત-ચારિત્ર અને તપોબલવાળા ૫. તિર્યંચ અને મનુષ્યના જીવોને લબ્ધિપ્રત્યયિક) વૈક્રિય શરીર હોય છે. લબ્ધિ વિનાના તિર્યંચ-મનુષ્યોને વૈક્રિય શરીર હોતું નથી. દેવ-નારકીને આ વૈક્રિયશરીર ભવપ્રત્યયિક છે. અને પં. તિર્યંચ મનુષ્યોને આ શરીર લબ્ધિપ્રત્યયિક છે. વાયુકાયને જે વૈક્રિય શરીર છે. તે લબ્ધિપ્રત્યયિક જાણવું. કારણ કે ભવપ્રત્યયિક હોય તો સર્વે વાઉકાયને હોવું જોઇએ. અને દારિકનો અભાવ જ જોઈએ પરંતુ તેમ નથી. માટે લબ્ધિપ્રત્યયિક જ છે. ૨-૪૭-૪૮. शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दशपूर्वधरस्यैव ४८ શુભ વિશુદ્ધમવ્યાઘાતિ ચાહારક ચતુર્દશપૂર્વધરસ્થવ ૨-૪૯ શુભ વિશુદ્ધ અવ્યાઘાતિ ચ આહારક ચતુર્દશપૂર્વધરસ્ય એવા સૂત્રાર્થ આહારક શરીર શુભ છે. વિશુદ્ધ છે. અવ્યાઘાતી છે અને ચૌદપૂર્વધર મુનિને જ હોય છે. ર-૪૯. ભાવાર્થ-આહારક શરીર અત્યન્ત શુભ છે. કારણ કે હાડ-માંસ ચરબી-રુધિર આદિ ધાતુઓથી રહિત છે. અને ઉત્તમ વર્ણાદિ વાળા પુદ્ગલોનું બનેલું છે. માટે શુભ છે. દર્શન કરવાં અથવા ઋદ્ધિ જોવી ઈત્યાદિ ઉત્તમ આશયથી બનાવેલું છે. અને નિરવદ્ય છે. માટે વિશુદ્ધ છે. તથા ગમે તેટલી વેગવાળી ગતિથી Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭ર અધ્યાય : ૨-સૂત્ર-૫૦-૫૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર મહાવિદેહમાં જાય અને આવે પરંતુ માર્ગમાં ક્યાંય વ્યાઘાત પામતું નથી. તેથી અવ્યાઘાતિ છે. તથા આ શરીર ચૌદ પૂર્વધર મુનિ મહાત્માઓને જ હોય છે. તેવા પૂર્વધર વિનાના સામાન્ય મુનિ આદિને (સાધ્વીજીને, શ્રાવકને, શ્રાવિકાઓને તથા તિર્યંચાદિ જીવોને) હોતું નથી.૨-૪૯. નારશ્નમૂછિને નપુંસાનિ ૨૫૦ નારકસમૂછિનો નપુંસકાનિ ર૫૦ નારકસમૂર્થિનઃ નપુંસકાનિ ૨-૫૦ 7 તેવા ૨-૫૧ ન દેવાઃ ૨-૫૧ ન દેવાઃ ૨-૫૧ સૂત્રાર્થ-નારકી અને સમૂર્ણિમ જીવો નપુંસક વેદવાળા હોય છે. અને દેવો નપુંસકવેદવાણા નથી. ૨-૫૦-૫૧. ભાવાર્થ - શરીર પાંચ પ્રકારનાં વિસ્તારથી સમજાવ્યાં. શરીરની રચના થાય એટલે સ્ત્રી આકાર, પુરુષ આકાર કે ઉભય આકાર રૂપ ત્રણ પ્રકારના વેદોમાંથી કોઈને કોઈ આકારની રચનાનો પણ સંભવ થાય જ. માટે હવે આ બે સૂત્રોમાં વેદો જણાવે છે. સાતે નારકીના જીવો તથા એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય સ્વરૂપ સમૂર્ણિમ સર્વે જીવો માત્ર એક નપુંસકદવાળા જ હોય છે. એટલે ત્યાં સ્ત્રી-પુરુષ હોતા નથી. તથા દેવોમાં નપુંસકવેદ હોતો નથી, એટલે કે દેવ અને દેવી એમ સ્ત્રી અને પુરુષ એવા બે જ વેદ હોય છે. બાકીના ગર્ભજ મનુષ્ય તથા ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચોને ત્રણે વેદો હોય છે. આ પ્રમાણે વેદો કહ્યા. હવે શરીર ધારણ કરવાથી Page #98 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૫૨ ૭૩ તે તે ભવ શરૂ થાય છે. તેથી ભવમાં પ્રતિબંધ કરવા રૂપે પ્રાપ્ત થતું આયુષ્ય કેવું હોય છે? તે હવે સમજાવે છે. ૨-૫૦-૫૧. औपपातिकचरमदेहोत्तमपुरुषासङ्ख्येयवर्षायुषोनपवर्त्यायुषः ઔપપાતિકચરમદેહોત્તમપુરુષાસંખ્યયવર્ષાયુષોનપવર્ષાયુષઃ ઔપપાતિક-ચરમદેહ-ઉત્તમપુરુષ-અસંખ્યેયવર્ષાયુષઃ અનપવર્ષાયુષઃ ૨-૫૨ સૂત્રાર્થ- ઉપપાતજન્મવાળા, ચરમશરીરી, ઉત્તમપુરુષ, અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જીવો અનપવર્તનીય આયુષ્યવાળા જ હોય છે. ૨-૫૨. ભાવાર્થ-કોઈપણ ભવનું જીવન આયુષ્યકર્મના આધારે જ હોય છે. આયુષ્યકર્મ એ ભવના આધારભૂત સ્તંભસમાન છે. તે આયુષ્ય બે પ્રકારનું છે. અપવર્તનીય અને અનપવર્તનીય. બાંધેલું જે આયુષ્ય નિમિત્તોના કારણે ટુકું થાય. ઘટાડો થાય. દોરડાના વાળેલા ગુંચળાની જેમ ભેગું થઈ જાય અને સાથે ભોગવાઈ જાય તે અપવર્તનીય. અને બાંધેલા આયુષ્યમાં આવા કોઈપણ ફેરફારો ન થાય. જેવું બાંધ્યું હોય તેવું જ ભોગવાય તે અનપવર્તનીય કહેવાય છે. નીચેના જીવોનું આયુષ્ય નિયમા અનપવર્તનીય જ હોય છે. (૧) ઉપપાત જન્મવાળા સર્વે દેવો અને સર્વે નારકીના જીવો. (૨) ચરમશરીરી. તે જ ભવે મોક્ષે જનારા. અન્તિમ શરીરવાળા. તદ્ભવ મોક્ષગામી જીવો. (૩) ઉત્તમપુરુષ. એટલે ત્રેસઠ શલાકાપુરુષો. (૨૪ તીર્થંકર Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૪ 9૪ અધ્યાય : ર-સૂત્ર-પર તત્ત્વાર્થાધિગમસૂત્ર ભગવન્તો-૧૨ ચક્રવર્તીઓ, ૯ વાસુદેવો, ૯ બળદેવો, અને ૯ પ્રતિવાસુદેવો) (૪) અસંખ્યયવર્ષાયુષ-અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક તિર્યંચો અને યુગલિક મનુષ્યો. આ ચાર પ્રકારના જીવોનું આયુષ્ય નિયમો અનાવર્તનીય જ હોય છે. ગમે તેવા મરણાન્ત કષ્ટોથી પણ તુટતું નથી. શેષ જીવોનું આયુષ્ય કોઈનું અપવર્તનીય અને કોઈનું અનાવર્તનીય હોય છે. પરંતુ બહુધા અપવર્તનીય વધારે હોય છે. જે અનપર્વતનીય આયુષ્ય હોય છે તે નિરૂપક્રમ (મૃત્યકાળે નિમિત્ત મળ્યા વિના સહજપણે પૂર્ણ થાય તેવું. જેમ કે તીર્થંકરાદિનું આયુષ્ય) તથા સોપક્રમ (મૃત્યુકાળે નિમિત્ત મળે તેવું, જેમ કે ગજસુકુમાલ અને ખંધકમુનિના શિષ્યોનું આયુષ્ય) એમ બે પ્રકારનું હોય છે. અને અપર્વતનીય આયુષ્ય નિયમા સોપક્રમ જ હોય છે. ર-પર. આયુષ્ય અપવર્તનીય અનપવર્તનીય સોપક્રમ જ સોપક્રમ નિરુપક્રમ દ્વિતીય અધ્યાય સમાપ્ત Page #100 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૩-સૂત્ર-૧ ૭૫ S અધ્યાય ત્રીજો છે रत्लशर्करावालुकापङ्कधूमतमोमहातमःप्रभा भूमयो બનાવુવાતાશપ્રતિષ્ઠા: સપ્તાથોથઃ પૃથતા: ૩-૧ રત્નશર્કરાવાલુકા પંક ધૂમતમોમહાતમઃ પ્રભા ભૂમયો ઘનાબુવાતાકાશ પ્રતિષ્ઠાઃ સપ્તાધોધઃ પૃથુતરાઃ ૩-૧ રત્ન-શર્કરા-વાલુકા-પંક-ધૂમ-તમો-મહાતમ પ્રભાઃ ભૂમયઃ ઘન-અબુ-વાત-આકાશ-પ્રતિષ્ઠાઃ સપ્ત અધઃ અધઃ પૃથુતરાઃ સૂત્રાર્થ-રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, મહાતમપ્રભા એમ કુલ સાત નરકપૃથ્વીઓ છે. તે ઘનોદધિ, વાયુ અને આકાશના આધારે રહેલી છે. તથા નીચે નીચે વધારે વધારે પહોળી પહોળી છે. ૩-૧. ભાવાર્થ-ચૌદ રાજલોક પ્રમાણ એવા આ લોકમાં નીચેના અધોલોકમાં કુલ સાત નારકપૃથ્વીઓ છે તેમાં પ્રથમ રત્નપ્રભા, બીજી શર્કરા પ્રભા, ત્રીજી વાલુકાપ્રભા, ચોથી પંકપ્રભા, પાંચમી ધૂમપ્રભા, છઠ્ઠી ત:પ્રભા, અને સાતમી મહાતમ:પ્રભા એવા નામવાળી છે. આ એકેક નારકીની નીચે ઘનોદધિ (બરફની પાટ જેવું થીજું-જામેલું પાણી),ઘનવાત (ઘાટો બાદરવાયુ),તનવાત (પાતળો સૂક્ષ્મ વાયુ), અને આકાશ આવેલાં છે. નારકીના જીવોને રહેવા માટેનું માટી Page #101 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૩-સૂત્ર-૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર પત્થર આદિનું બનેલું આ પ્રથમ નારકીનું દળ અને ઘનોદધિ આ બન્ને પદાર્થો વજનદાર હોવાથી નીચે બેસી જવાના સ્વભાવવાળાં છે. પરંતુ તેની નીચે રહેલો ઘનવાત અને તનવાત ઉછળવાના સ્વભાવવાળો હોવાથી તથા લોકાનુભાવથી આ જગત સ્થિર છે. ઉપર રહેલું પૃથ્વીનું દળ અને ઘનોદધિ બેસી જવાના સ્વભાવવાળાં હોવા છતાં નીચેના વાયુના પ્રેસરથી બેસી જતાં નથી તથા નીચે રહેલો વાયુ ઉછળવાના સ્વભાવવાળો હોવાછતાં પૃથ્વી અને ઘનોદધિના પ્રેસરથી ઉપર આવી શકતો નથી, તેથી તથાજગસ્વભાવે અને મહાત્માઓના પુણ્યપ્રભાવે જગત્ આ રીતે સ્થિર છે. આ સાતે નારકીઓ નીચે નીચે પહોળી પહોળી છે. પહેલી નારકી ૧ રાજ પહોળી, બીજી નારકી બે રાજ પહોળી, ત્રીજી નારકી ત્રણ રાજ પહોળી એમ સાતમી નારકી સાતરાજ પહોળી છે. અસંખ્યાતા યોજનાનો ૧ રાજ થાય છે. અને ચાર ગાઉનો ૧ યોજન થાય છે. પરંતુ આ પ્રમાણાંગુલના માપે માપ લેવાનું છે. અને પ્રમાણાંગુલ ઉત્સધાંગુલથી ૪૦૦ ગણું મોટું હોય છે. તેથી ઉત્સધાંગુલના માપવાળા ૧૬૦૦ ગાઉ અર્થાત્ ૩૨૦૦ માઇલનો ૧ યોજન અહીં ગણાય છે. ૩-૧. તી, નરવેશ: ૭-૨ તાસુ નરકાઃ ૩-૨ તાસુ નરકાઃ ૩-૨ સૂત્રાર્થ- તે સાતે નારકમાં નરકના જીવો રહે છે. ૩-૨. Page #102 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૩-સૂત્ર-૩ ભાવાર્થ- રત્નપ્રભા-શર્કરામભા વગેરે નામવાળી નીચેની આ સાતે નારકીઓમાં જે જીવો વસે છે તેને નરક કહેવાય છે. અતિશય પાપ કરનારા પાપી જીવો પાપફલ ભોગવવા માટે જ જાણે ત્યાં ગયા હોય તેમ તેઓને નરક કહેવાય છે. પાપનોપમોનાર્થ નિરીન્ યન્તીતિ કરા:, નર શબ્દના ઉપલક્ષણથી તિર્યંચો પણ સમજી લેવા. ૩-૨. नित्याशुभतरलेश्यापरिणामदेहवेदनाविक्रियाः 3-3 નિત્યાશુભતરલેશ્યાપરિણામદેહવેદનાવિક્રિયાઃ ૩-૩ નિત્ય-અશુભતર-લેશ્યા-પરિણામ-દેહ-વેદના-વિક્રિયાઃ ૩ સૂત્રાર્થ-આ નારકી જીવો હંમેશાં અશુભતર લેશ્યાપરિણામ-દેહ-વેદના અને વિક્રિયાવાળા હોય છે. ૩-૩. ભાવાર્થ - સાતે નરકમાં રહેનારા નારકી જીવો હંમેશાં અશુભતર લેશ્યાવાળા છે. પહેલી-બીજી નારકીમાં કાપોતલેશ્યા, ત્રીજી નારકીમાં કાપીત અને નીલ વેશ્યા, ચોથી નારકીમાં નીલલેશ્યા, પાંચમી નારકીમાં નીલ અને કૃષ્ણલેશ્યા તથા છઠ્ઠી-સાતમી નારકીમાં કૃષ્ણલેશ્યા હોય છે. તથા વધારે વધારે અશુભ વિચારવાળા આ જીવો હોય છે. લોમાહારથી લેવાતા આહારાદિ પણ અધિક અધિક અશુભરૂપે પરિણામ પામે છે. શરીર પણ વધારે વધારે દુર્ગંધવાળુ અને વધારે અશુચિમય હોય છે. શારીરિક આદિ પીડાઓ પણ વધારે વધારે હોય છે. તથા શરીરની રચનાદિ પણ વધારે વધારે વિકૃત-બીભત્સ-જોવી પણ ન ગમે તેવી હોય છે. ૩-૩. Page #103 -------------------------------------------------------------------------- ________________ છ૮ અધ્યાયઃ ૩-સૂત્ર-૪-૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર પરસ્પરોવરિત ૩-૪ પરસ્પરોટીરિતદુઃખાઃ ૩-૪ પરસ્પર-ઉદીરિત-દુઃખાઃ ૩-૪ સૂત્રાર્થ-પરસ્પર ઉદીરણા કરાયેલા દુઃખોવાળા આ નારકી જીવો છે. ૩-૪. - ભાવાર્થ - હવે નારકીના જીવોને દુ:ખ (પીડા) કેટલા પ્રકારની હોય છે ? તે સમજાવે છે. કોઈપણ નારકીનો એક જીવ બીજા જીવને અરસપરસ પીડા કરનારો હોય છે. એકબીજા અંદરોઅંદર ઘણું જ લડનારા હોય છે. તેઓ શસ્ત્રોથી પણ લડે છે અને વિના શસ્ત્રથી પણ લડે છે. તેથી પ્રહરણકૃત અને અપહરણકૃત એમ બે પ્રકારની આ પરસ્પરકત વેદના હોય છે. હલકી કોમના માનવની જેમ અત્યંત લડવાના સ્વભાવવાળા આ જીવો હોય છે. ૩-૪. संक्लिष्टासुरोदीरितदुःखाश्च प्राक् चतुर्थ्याः ૩-૫ સંક્લિષ્ટાસુરોટીરિતદુઃખાશ્ચ પ્રાચતુર્થ્યઃ ૩-૫ સંક્લિષ્ટ-અસુર-ઉદીરિત-દુઃખા ચ પ્રાક્ ચતુર્થ્યઃ ૩-૫ સૂત્રાર્થ- સંકિલષ્ટ પરિણામી એવા અસુરો (પરમાધામી દેવો) વડે ઉદીરણા કરાયેલા દુઃખોવાળા જીવો ચોથી નારકીની પૂર્વે (ત્રીજી નારકી સુધીના જીવો) હોય છે. ૩-૫. Page #104 -------------------------------------------------------------------------- ________________ - - - - - - તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૩-સૂત્ર-૬ ૭૯ ભાવાર્થ હંમેશાં બીજા જીવોને દુઃખ આપવામાં જ મસ્ત રહેનારા, સંલિષ્ટ પરિણામવાળા, કષાયના આવેશોથી જ ભરેલા એવા જે દેવો છે તે પરમાધામી (પરમ અધર્મી) દેવો કહેવાય છે. તેઓ નારકીના જીવોને સતત દુઃખ જ આપતા હોય છે. ઘાણીમાં પીલવા દ્વારા, આકાશમાં ઉછાળવા દ્વારા, ભાલા આદિ શસ્ત્રોથી વિંધવા દ્વારા, આગમાં શેકવા દ્વારા એમ અનેક રીતે આ દેવો નારકીને દુઃખ આપે છે. પરંતુ આ પરમાધામી દેવો પ્રથમની ત્રણ નારકીના જીવોને જ પીડા કરવા જાય છે. ત્યારબાદ ચોથીપાંચમી વગેરે નારકીઓનાં ક્ષત્રો અત્યન્ત દુર્ગધમય પદાર્થોથી ભરપૂર હોય છે. તેથી અત્યન્ત અસહ્ય વાતાવરણના કારણે દેવો ત્યાં જતા નથી. આ પરમાધામી દેવકૃત વેદના કહેવાય છે. આ પરમાધામી દેવકૃત વેદના પ્રથમની ત્રણ નરક સુધી જ છે. તેથી ચોથી આદિ નરકમાં ઓછુ દુઃખ છે. એમ ન સમજવું. પરંતુ ત્યાં પરસ્પરકૃતિ અને ક્ષેત્રકૃત વેદના અતિશય વધુ ભયંકર હોય છે. એમ સમજવું. તથા સાતે નારકીમાં ક્ષેત્રકૃત વેદના ઘણી હોય છે. કાંટાવાળી ભૂમિની જેમ ત્યાંની ભૂમિ પણ દુઃખદાયી હોય છે. તથા શીતળતા-ઉષ્ણતા આદિ ભાવો પણ ક્ષેત્રનિમિત્તે વધુને વધુ દુઃખદાયી જ હોય છે. આ પ્રમાણે નારકીઓમાં કુલ ત્રણ પ્રકારની વેદના હોય છે. ૩-૫. तेष्वेकत्रिसप्तदशसप्तदशद्वाविंशतित्रयस्त्रिंशत्सागरोपमाः सत्त्वानांपरा स्थितिः ૩-૬ Page #105 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૩-સૂત્ર-૬ ૩-૬ તેષ્વકત્રિસપ્તદશસસદશદ્ધાવિંશતિત્રયત્રિંશત્સાગરોપમાઃ સત્ત્વાનાં પરા સ્થિતિઃ તેષુ એક-ત્રિ-સપ્ત-દશ-સપ્તદશ-દ્દાવિંશતિત્રયત્રિંશત્-સાગરોપમાઃ સત્ત્વાનાં પરા સ્થિતિઃ સૂત્રાર્થ - તે સાતે નારકીમાં જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અનુક્રમે ૧-૩-૭-૧૦-૧૭-૨૨ અને ૩૩ સાગરોપમનું હોય છે. ૩-૬. ८० નારકીનું નામ ૧ રત્નપ્રભા ૨ શર્કરપ્રભા ભાવાર્થ-રત્નપ્રભા નારકીથી સાતે નારકીના જીવોનું ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) આયુષ્ય નીચે મુજબ હોય છે. તથા જઘન્ય આયુષ્યનું માપ જો કે ચોથા અધ્યાયના ૪૩-૪૪ સૂત્રમાં આવવાનું છે. તો પણ આયુષ્યનો પ્રસંગ હોવાથી અમે અહીં લખીએ છીએ. ૩ વાલુકાપ્રભા ૪ પંકપ્રભા ૫ ધૂમપ્રભા ૬ તમપ્રભા ૭ મહાતમ પ્રભા ઉત્કૃષ્ટાયુષ્ય ૧ સાગરોપમ ૩ સાગરોપમ ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૧૭ સાગરોપમ ૨૨ સાગરોપમ ૩૩ સાગરોપમ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૩-૬ જઘન્યાયુષ્ય દશ હજાર વર્ષ ૧ સાગરોપમ ૩ સાગરોપમ ૭ સાગરોપમ ૧૦ સાગરોપમ ૧૭ સાગરોપમ ૨૨ સાગરોપમ Page #106 -------------------------------------------------------------------------- ________________ - - તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાયઃ ૩-સૂત્ર-૭-૮ ૮૧ આ પ્રમાણે અધોલોકવર્તી નારકજીવોનું વર્ણન અહીં પૂર્ણ થાય છે. હવે મધ્યલોકવર્તી મનુષ્ય-તિર્યંચોનું વર્ણન કરે છે. તેમાં પ્રથમ મનુષ્યોનું વર્ણન સમજાવે છે. ૩-૬. जम्बूद्वीपलवणादयः शुभनामानो द्वीपसमुद्राः 3-७ द्विर्द्विर्विष्कम्भाः पूर्वपूर्वपरिक्षेपिणो वलयाकृतयः 3-८ જંબૂઢીપલવણાદયઃ શુભનામાનો દ્વીપસમુદ્રાઃ ૩-૭ કિર્દિર્વિષ્કન્માઃ પૂર્વપૂર્વપરિક્ષેપિણી વલયાકૃતયઃ ૩-૮ જંબૂદ્વીપ-લવણાદયઃ શુભનામાનઃ દ્વીપસમુદ્રાઃ ૩-૭ દ્વિઃ દ્વિઃ વિષ્કસ્માઃ પૂર્વ-પૂર્વ-પરિક્ષેપિણઃ વલયાકૃતયઃ૩-૮ સૂત્રાર્થ-જંબૂઢીપ અને લવણસમુદ્ર વગેરે શુભ નામોવાળા અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. તે બધા ડબલ ડબલ વિસ્તારવાળા છે. અને પૂર્વ પૂર્વના દ્વીપ-સમુદ્રને વીંટળાઈને રહેલા છે. અને વલયના જેવી (ચૂડી જેવી) ગોળ આકૃતિવાળા છે. ૩-૭-૮. ભાવાર્થ-જંબૂદ્વીપ, લવણસમુદ્ર. ધાતકીખંડ. કાલોદધિ સમુદ્ર, પુષ્કરવરદ્વીપ વગેરે નામવાળા જંબૂદ્વીપ અસંખ્ય દ્વીપો અને અસંખ્ય સમુદ્રો છે. આ સંસારમાં વસ્તુઓનાં સારાં સારાં જેટલાં જેટલાં નામો છે. તે સર્વે નામવાળા આ દ્વીપ-સમુદ્રો છે. ધાતકી લવણ, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૨ અધ્યાય : ૩-સૂત્ર-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર એક પછી એક દ્વીપ-સમુદ્રને ગોળ ગોળ વીંટળાઈને આ દ્વીપસમુદ્રો આવેલા છે. તેથી જ પ્રથમ જંબૂઢીપ નામના દ્વીપને છોડીને બાકીના બધા જ દ્વીપ-સમુદ્રો બંગડીના જેવા ગોળ આકારના છે એટલે કે વલયાકૃતિવાળા છે. અને બમણા-બમણા વિસ્તારવાળા છે. દ્વિીપને વીંટળાઈને સમુદ્ર છે. અને સમુદ્રને વીંટળાઈને દ્વીપ છે. એમ એક પછી એક દીપ-સમુદ્ર છે. સૌથી પ્રથમ જંબૂદ્વીપ છે ત્યારપછી અનુક્રમે લવણસમુદ્ર, ધાતકીખંડ, કાલોદધિસમુદ્ર, પુષ્કરવરફ્લીપ એમ જુદા જુદા નામવાળા અસંખ્ય દ્વીપ-સમુદ્રો છે. અને સૌથી અન્તિમ સ્વયંભૂરમણસમુદ્ર છે. ૩-૭-૮. तन्मध्ये मेरुनाभिर्वत्तो योजनशतसहस्त्रविष्कम्भो जम्बूद्वीप: તન્મથે મેરુનાભિવૃત્ત યોજનશતસહસ્ત્રવિષ્કલ્મો જમ્બુદ્વીપ: તમથેમેરુનાભિઃવૃત્ત યોજનશતસહસ્ત્રવિષ્કસ્મઃ જંબુદ્વીપ ૩-૯ સૂત્રાર્થ-મેરૂપર્વત છે નાભિ-ભાગે જેને એવો, થાળી જેવો ગોળ,એકલાખયોજનની લંબાઈ પહોળાઈવાળો જંબૂદ્વીપ નામનો દ્વિીપ છે.અને તે અસંખ્યદ્વીપસમુદ્રોની બરાબર મધ્યભાગે છે. ૩-૯. ભાવાર્થ – તે અસંખ્યદ્વીપ ( મેરૂ સમુદ્રોની બરાબર મધ્યે સૌથી પ્રથમ જંબૂદ્વીપ નામનો દ્વીપ છે. તે જ ૧,૦૦,૦૦૦ યોજન / જંબૂદ્વીપમાં આપણે બધા છીએ. તે વિસ્તાર જંબુદ્વીપ કેવો છે? તે સમજાવે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૩-સૂત્ર-૧૦ ૮૩ (૧) જેની બરાબર નાભિભાગમાં (એટલે કે જે જંબૂદ્વીપના બરાબર વચ્ચે) મેરૂપર્વત આવેલો છે. (૨) તે જંબૂદ્વીપ થાળી જેવો ગોળ છે. (૩) અને એકલાખ યોજનની લંબાઈ-પહોળાઈવાળા વિસ્તારયુક્ત છે. આવો જંબૂદ્વીપ છે. જેનું ચિત્ર ૮૨મા પાને નીચે આપેલું છે. ૩-૯. तत्र भरतहैमवतहरिविदेहरम्यक्हैरण्यवतैरावतवर्षाः क्षेत्राणि ૩-૧૦ તત્ર ભરતહૈિમવતહરિવિદેહરમ્યહૈરણ્યવતૈરાવતવર્ષાઃ ક્ષેત્રાણિ ૩-૧૦ તત્ર ભરત-હૈમવત-હરિ-વિદેહ-રમ્યહૈરણ્યવત-ઐરાવતવર્ષા ક્ષેત્રાણિ ૩-૧૦ સૂત્રાર્થ-તે જંબૂદ્વીપમાં ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્ય, હૈરણ્યવત અને ઐરાવત એ નામવાળાં તિર્યંચ-મનુષ્યોને રહેવાનાં સાત ક્ષેત્રો છે. ૩-૧૦. ભાવાર્થ-અસંખ્ય દ્વીપ, સમુદ્રોની બરાબર મધ્યે આવેલા આ જંબૂદ્વીપમાં દક્ષિણબાજુથી પહેલું ભરત, બીજું હૈમવત, ત્રીજું હરિવર્ષ, ચોથું મહાવિદેહ, પાંચમું રમ્ય, છઠ્ઠ હૈરણ્યવત અને સાતમું ઐરાવત એમ કુલ સાત ક્ષેત્રો છે, કે જેમાં મનુષ્યતિર્યંચો વસે છે. તે સાત ક્ષેત્રોની વચ્ચે વચ્ચે બે ક્ષેત્રોને છુટા પાડનારા એવા છ પર્વતો આવેલા છે તેને વર્ષધરપર્વત કહેવાય છે. જેનું વર્ણન હવે પછીના સૂત્રમાં આવે છે. ૩-૧૦. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ અધ્યાય : ૩-સૂત્ર-૧૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર तद्विभाजिनः पूर्वापरायता हिमवन्महाहिमवन्निषधनीलरुक्मिशिखरिणो वर्षधरपर्वता. ૩-૧૧ તદ્વિભાજિનઃ પૂર્વાપરાયતા હિમવન્મહાહિમવત્રિષધનીલરુકિમ-શિખરિણો વર્ષધરપક્વતા: ૩-૧૧ ત–વિભાજિનઃપૂર્વાપરાયતા:હિમવ-મહાહિમવ-નિષધ -નીલ-રુકિમ-શિખરિણઃ વર્ષધરપર્વતાઃ ૫ કિમ7 3ય. સૂત્રાર્થ-તે સાતે ક્ષેત્રોનો વિભાગ પાડનાર, પૂર્વ-પશ્ચિમ લાંબા, એવા હિમવંત, મહાહિમવંત, નિષધ, નીલવંત, રુક્તિ અને શિખરી એમ છ વર્ષધર પર્વતો છે. ૩-૧૧. પર્વતો ક્ષેત્ર ભાવાર્થ- ૬ શિખરી ૪૭ ઐરાવત જંબૂલીપમાં ( ૬ હૈરયવંત મનુષ્યોને રહેવાનાં ૪ નીલવંત-- જે સાત ક્ષેત્રો દસમા ૪ મહાવિદેહ ૩ નિષધ –– સૂત્રમાં કહ્યાં છે, તે ૨ મહાહિમવંત ૩ હરિવર્ષ ૧ હિમવંત- સાતે ક્ષેત્રોને જુદાં ૨ હિમવંત ૧ ભરત / પાડનારા સાતે ક્ષેત્રોની જ બરાબર સીમાને અડીને રહેનારા છ પર્વતો છે. આ છએ પર્વતો સાતે ક્ષેત્રોની વર્ષને (સીમાને) ધારણ કરે છે માટે વર્ષધર કહેવાય છે. અને સાત ક્ષેત્રો મનુષ્યોના વસવાટને યોગ્ય હોવાથી વાસક્ષેત્ર કહેવાય છે. એક-બીજા ક્ષેત્રની વચ્ચે વચ્ચે એક એક પર્વત આવેલો છે. તે ક્ષેત્રો તથા પર્વતોનાં દક્ષિણ દિશાથી ઉત્તર Page #110 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૩-સૂત્ર-૧૨-૧૪ ૮૫ દિશા તરફ જવાના ક્રમે આ નામો બતાવ્યાં છે. તથા તે બધાં ક્ષેત્રો તથા પર્વતો મહાવિદેહક્ષેત્ર સુધી બમણા બમણા વિસ્તારવાળા હોય છે અને મહાવિદેહ પછી અર્ધ અર્ધ વિસ્તારવાળાં હોય છે. અને લંબાઈમાં અનિયત માપવાળા હોય છે. ભારતથી ડબલ વિસ્તાર હિમવંત-પર્વતનો છે. તેનાથી ડબલ વિસ્તાર હિમવંતક્ષેત્રનો છે તેનાથી ડબલ વિસ્તાર મહાહિમવંતપર્વતનો છે. તેનાથી ડબલ વિસ્તાર હરિવર્ષક્ષેત્રનો છે એમ આગળ આગળ જાણવું. ક્ષેત્રો અને પર્વતોના અસ્તિત્વ માટે ૮૪મા પાના ઉપરનું ચિત્ર જાઓ. ૩-૧૧. દ્વિતીરવડે ૩-૧૨ દ્વિર્ધાતકીખડે ૩-૧૨ ઃિ ધાતકીખડે ૩-૧૨ પુશ્નાર્થે ૨ પુષ્કરાર્ધ ચ પુષ્કરાર્ધ ચ ૩-૧૩ ૩-૧૩ ૩-૧૩ પ્રમાનુષોત્તરનનુષ્યા: ૩-૧૪ પ્રામાનુષોત્તરાન્મનુષ્યાઃ ૩-૧૪ પ્રાગૂ માનુષોત્તરાત્ મનુષ્યાઃ ૩-૧૪ સૂત્રાર્થ- ધાતકીખંડમાં તથા પુષ્કરાર્ધમાં ડબલ ડબલ સંખ્યાવાળા આ દ્વીપ-સમુદ્રો હોય છે. તથા મનુષ્યો માનુષોત્તર પર્વતથી પૂર્વે જ (અંદરના ભાગમાં) હોય છે. ૩-૧૨.૧૩,૧૪. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૨ એરાવત ઐરાવત ૨મ્ય હિરણ્યવંત હરણ્યવંત રમ્ય જંબૂ, હરિવર્ષ હિમવંત હરિવર્ષ (હિમવંત ભરત ભરત , અધ્યાય : ૩-સૂત્ર-૧૨-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ધાતકી ખંડ ભાવાર્થજંબૂદ્વીપમાં ૬ વર્ષધર પર્વતો અને ૭ વાસક્ષેત્રો આવેલાં છે. એમ સૂત્ર ૧૦-૧૧માં લવણ કહ્યું. તેવી જ રીતે વર્ષધર મહાવિદેહ મહાવિદેહ | પર્વતો ને વાસક્ષેત્રો ધાતકી ખંડમાં અને પુષ્કરાઈમાં પણ આવેલાં છે પરંતુ તે બમણી સંખ્યામાં છે. ધાતકી-ખંડ તથા પુષ્કરાઈમાં દક્ષિણઉત્તર દિશામાં બે બે ઈષકાર પર્વતો આવેલા છે. તે બે ઈષકારપર્વતોથી ધાતકીખંડના તથા પુષ્કરાઈના પૂર્વ-પશ્ચિમ એવા બે બે ભાગ પડેલા છે. તે બન્ને બાજુના બે બે ભાગોમાં સાત ક્ષેત્રો અને છ પર્વતો હોવાથી જંબૂઢીપ કરતાં ધાતકીખંડમાં ડબલ પર્વતો અને ડબલ વાસક્ષેત્રો થાય છે. તથા પુષ્કરામાં પણ જંબૂદ્વીપ કરતાં ડબલ અને ધાતકીખંડની સાથે સમાન વાસક્ષેત્રો અને પર્વતો થાય છે. આ પ્રમાણે ધાતકી ખંડમાં ૧૪ વાસક્ષેત્રો અને ૧૨ વર્ષધરપર્વતો હોય છે એ જ પ્રમાણે પુષ્કરાર્ધમાં પણ સમજી લેવું. તથા પુષ્કરવારદ્વીપમાં બરાબર અર્ધા ભાગ પછી ગામને ફરતા કોટની જેમ ચારે બાજુથી ગોળ વીંટળાયેલો ૧ પર્વત છે. તે પર્વતનું નામ માનુષોત્તર પર્વત છે. તેની પૂર્વે એટલે તેની અંદરના ભાગમાં જ મનુષ્યોની વસતિ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય ૩-સૂત્ર-૧૫-૧૬ ૮૭ બહારના અર્ધા ભાગમાં મનુષ્યોની વસતિ નથી. તેથી ૧ જંબૂદ્વીપ, ૨ ધાતકીખંડ, ૩ અર્ધપુષ્કરવરદ્વીપ એમ આ અઢીદ્વિીપને મનુષ્યક્ષેત્ર કહેવાય છે. તથા આ જ ક્ષેત્રોમાં ચંદ્રસૂર્ય ગતિમાન હોવાથી તેનાથી થયેલા કાળને લીધે. આ જ અઢી દ્વીપને સમયક્ષેત્ર પણ કહેવાય છે. ૩-૧૨-૧૩-૧૪. માર્યા ને છાશ ૩-૧૫ આર્યા સ્વેચ્છાશ્ચ ૩-૧૫ આર્યાઃ મ્લેચ્છા: ચ ૩-૧૫ સૂત્રાર્થ-મનુષ્યો બે પ્રકારના છે. (૧) આર્ય અને (૨) સ્વેચ્છ. ૩-૧૫. ભાવાર્થ-મનુષ્યોના મુખ્યત્વે બે ભેદ છે. જે સંસ્કારવાળા છે. પૂર્વભવ-પરભવ-આત્મા-સ્વર્ગ-નરક-ઈશ્વરમુક્તિ વગેરે પદાર્થોને માનવા વાળા છે. દયા-માનવતા-વિનય-વિવેક આદિના સંસ્કારયુક્ત છે. કૌટુંબિક-સામાજિક-શૈક્ષણિક આદિ સંસ્કારવાળા છે. તે આર્ય કહેવાય છે. અને આવા સંસ્કાર વિનાના જે હોય છે, તે મ્લેચ્છ કહેવાય છે. અથવા આર્ય અને અનાર્ય એમ પણ બે ભેદ છે. તેના જ બ્રાહ્મણ-ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રાદિ બીજા અનેક પેટાભેદો પણ છે. ૩-૧૫. भरतैरावतविदेहाः कर्मभूमयोऽन्यत्र देवकुरूत्तरकुरुभ्यः ૩-૧૬ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પત્ર અધ્યાય : ૩-સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભરતૈરાવતવિદેહા કર્મભૂમયોન્યત્ર દેવકુરૂત્તરકુરુભ્યઃ ૩-૧૬ ભરત-ઐરાવત-વિદેહાઃ કર્મભૂમયઃ અન્યત્ર દેવકુરુ-ઉત્તરકુરુભ્યઃ ૩-૧૬ સૂત્રાર્થ ભરતક્ષેત્ર, ઐરાવતક્ષેત્ર તથા દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રને છોડીને બાકીનો મહાવિદેહક્ષેત્રનો ભાગ કર્મભૂમિ છે. ૩-૧૬. ભાવાર્થ-જંબૂદ્વીપના બરાબર મધ્યભાગમાં મહાવિદેહક્ષેત્ર છે. તે મહાવિદેહની બરાબર મધ્યમાં મેરુપર્વત છે. તે મેરુપર્વતની દક્ષિણ દિશામાં અને ઉત્તર દિશામાં દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્ર આવેલાં છે. તે દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્ર વિનાના બાકીના મહાવિદેહક્ષેત્રને તથા ભરત-ઐરાવત ક્ષેત્રને કર્મભૂમિ કહેવાય છે. શેષક્ષેત્રોને અકર્મભૂમિ કહેવાય છે. - અસિ (છેદવાનાં સાધનો, મસિ (લખવાનાં સાધન), અને કૃષિ (ખેતીનાં સાધન), જ્યાં હોય તે કર્મભૂમિ અને આ ત્રણ જ્યાં ન હોય તે અકર્મભૂમિ જાણવી. કર્મભૂમિમાં ધર્મ કરવાનાં કાર્યો કરનારા અને વધુ કર્મ બાંધવાનાં કાર્યો કરનારા જીવો હોય છે. તેથી ત્યાંથી જ (કર્મભૂમિમાંથી જ) ત્રીજા આદિ દેવલોકમાં, મુક્તિમાં અને સાત નરકમાં જવાય છે. અકર્મભૂમિના જીવો ધર્મ કરનારા પણ નથી અને વધુ કર્મ બાંધનારા પણ નથી. માટે બે દેવલોક સુધી જ જાય છે. અને મરીને નિયમા દેવલોકમાં જ જાય છે. ૩-૧૬. Page #114 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૩-સૂત્ર-૧૭-૧૮ ૩-૧૭ नृस्थिती परापरे त्रिपल्योपमान्तर्मुहूर्ते નૃસ્થિતી પરાપરે ત્રિપલ્યોપમાન્તર્મુહૂર્વે ૩-૧૭ નૃસ્થિતી પરાપરે ત્રિપલ્યોપમ-અન્તર્મુહૂર્તે ૩-૧૭ ૩-૧૮ तिर्यग्योनीनां च તિર્યગ્યોનીનાં ચ ૩-૧૮ તિયગ્યોનીનાં ચ ૩-૧૮ સૂત્રાર્થ-મનુષ્ય તથા તિર્યંચોની ઉત્કૃષ્ટસ્થિતિ ત્રણ પલ્યોપમ અને જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્ત હોય છે. ૧૭-૧૮. ૮૯ ભાવાર્થ - મનુષ્ય અને તિર્યંચોનું વધુમાં વધુ આયુષ્ય ત્રણ પલ્યોપમ હોય છે અને ઓછામાં ઓછુ આયુષ્ય અંતર્મુહૂર્ત હોય છે. આ બન્ને સૂત્રોમાં સૂચના માત્ર સ્વરૂપે આયુષ્ય જણાવ્યું છે. તેને અનુસારે ક્ષેત્રવાર અને આરા પ્રમાણે આયુષ્ય સ્વયં શાસ્ત્રાન્તરોથી જાણી લેવું. દેવકુરુ અને ઉત્તરકુરુક્ષેત્રમાં હંમેશાં પહેલાઆરાજેવોકાળહોય છે. તેથી ૩ પલ્યોપમનું આયુષ્ય અને ત્રણ ગાઉનું શરીર હોય છે. હરિવર્ષ અને રમ્યક્ષેત્રમાં હંમેશાં બીજા આરા જેવો કાળ હોય છે. તેથી ૨ પલ્યોપમનું આયુષ્ય અને બે ગાઉનું શરીર હોય છે. હિમવંત અને હૈરણ્યવંતમાં હંમેશાં ત્રીજા આરા જેવો કાળ છે. તેથી ૧ પલ્યોપમનું આયુષ્ય અને એક ગાઉનું શરીર હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં સદા ચોથા આરા જેવો કાળ હોય છે. તેથી ૧ પૂર્વક્રોડ વર્ષનું આયુષ્ય અને ૫૦૦ ધનુષ્યનું શરીર હોય છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ વર્ષ ૯૦ અધ્યાય : ૩-સૂત્ર-૧૭-૧૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભરત ઐરાવતમાં છએ આરા હોય છે તેમાં ૧ થી આરામાં ઉપર લખ્યા મુજબ આયુષ્ય અને શરીરનું પ્રમાણ હોય છે. તથા પાંચમા આરામાં ૧૩૦ વર્ષનું આયુષ્ય તથા ૭ હાથનું શરીર અને છઠ્ઠા આરામાં ૨૦ વર્ષનું આયુષ્ય તથા ર હાથનું શરીર હોય છે. આ બધું ઉત્કૃષ્ટ (વધુમાં વધુ) આયુષ્ય હોય છે. એમ જાણવું. | નામ | આયુષ્ય | નામ | ગર્ભજ | સમૂર્ણિમ | | પૃથ્વીકાયનું | ૨૨૦00 | જલચર | પૂર્વક્રોડ પૂર્વક્રોડ વર્ષ આયુષ્ય વર્ષ અપ્લાયનું ૭૦૦૦ | ચતુષ્પદ | ૩ પલ્યોપમ| ૮૪000 આયુષ્ય વર્ષ તેઉકાયનું Gઅહોરાત્રી ઉરપરિસર્પ, પૂર્વક્રોડ વર્ષ | પ૩000 વાઉકાયનું ભૂજપરિ- | પૂર્વોડ ૪૨OOO આયુષ્ય વર્ષ | સર્પ | વર્ષ વનસ્પતિકાયનું ૧૦૦૦૦ ખેચર | પલ્યો.નો | ૭૨૦૦૦ આયુષ્ય 1 વર્ષ અસં. ભાગ | વર્ષ બેઇન્દ્રિયનું ૧૨ વર્ષ, તે ઇન્દ્રિયનું ૪૯ દિવસ અને ચઉરિન્દ્રિયનું ૬ માસનું આયુષ્ય છે. ઉપર જણાવેલું તમામ આયુષ્ય ઉત્કૃષ્ટ જાણવું. જઘન્ય આયુષ્ય સર્વ ઠેકાણે અત્તર્મુહૂર્ત જાણવું. મનુષ્યતિર્યંચોનું આયુષ્ય અપવર્તનીય (ઘટીને નાનું થઈ જાય તેવું) પણ હોય છે. અને અનપવર્તનીય (ઘટીને નાનું ન થાય Oo Page #116 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૩-સૂત્ર-૧૭-૧૮ ૯૧ તેવું) પણ હોય છે દેવ-નારકીનું તથા તદ્ભવ-મોક્ષગામી જીવોનું, ૬૩ શલાકાપુરુષોનું અને યુગલિક-તિર્યંચ-મનુષ્યોનું આયુષ્ય નિયમો અનપવર્તનીય જ હોય છે. મનુષ્યોનું જન્મ-મરણ ફક્ત રા દ્વીપમાં જ થાય છે. તેથી તે રા દ્વીપને નરક્ષેત્ર (મનુષ્યક્ષેત્ર) પણ કહેવાય છે. પરંતુ તિર્યંચોનું જન્મ-મરણ રા દ્વીપની અંદર પણ હોય છે અને અઢી ટીપની બહાર પણ હોય છે. તિર્યંચો સર્વ દ્વીપસમુદ્રમાં સર્વત્ર હોય છે. તથા વિદ્યાધર મનુષ્યો અને લબ્ધિધારી મનુષ્યો અઢીદ્વીપની બહાર પણ ગમનાગમન કરે છે. પરંતુ તેઓનો જન્મ અને તેઓનું મરણ તો અઢીદ્વીપમાં જ થાય છે. આવા પ્રકારના એક એકને વીંટળાયેલા, ડબલ ડબલ માપવાળા, (જંબૂદ્વીપ વિનાના શેષ) બંગડીના જેવા આકારના અસંખ્ય દ્વીપસમુદ્રો છે. તેમાં આઠમો જે દ્વીપ છે તે નંદીશ્વરદ્વીપ છે. કે જેમાં ચારે દિશામાં ૧૩+૧૩ પર્વતો છે : અને દરેક પર્વત ઉપર તીર્થંકર પરમાત્માનું એક એક જિનભવન છે એટલે કુલ પર જિનાલયો છે. તથા છેલ્લો સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણસમુદ્ર છે. તેની પછી અલોક શરૂ થાય છે. આ પ્રમાણે આ અધ્યાયમાં પ્રથમ નારકીનું અને પછી તિર્યંચ-મનુષ્યોનું વર્ણન પૂર્ણ કર્યું, હવે ચોથા અધ્યાયમાં દેવોનું વર્ણન સમજાવીશું. ૩-૧૭-૧૮. તૃતીય અધ્યાય સમાપ્ત : WWW.jainelibrary.org Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૨ અધ્યાય : ૪-સૂત્ર-૧-૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર - - - - - - - - - - - - - - - અધ્યાય ચોથો. સેવાશ્ચતુર્નિયા: ૪-૧ દેવાચતુર્નિકાયાઃ ૪-૧ દેવા ચતુર્નિકાયાઃ ૪-૧ તૃતીયઃ પતનૈશ્ય: ૪-૨ તૃતીય: પીતલેશ્ય: ૪-૨ તૃતીયઃ પીતલેશ્યઃ ૪-૨ સૂત્રાર્થ દેવો ચાર પ્રકારના હોય છે. ત્રીજી નિકાયના દેવો પીત વેશ્યાવાળા હોય છે. ૪-૧. ભાવાર્થ-દેવો સાંસારિક સુખે બીજી ગતિઓના જીવો કરતાં વધારે સુખી છે. અવધિજ્ઞાન અને વૈક્રિયશરીરની લબ્ધિવાળા છે. અને દૈવિક ચમત્કૃતિવાળા છે. તેથી તેઓને દેવ કહેવાય છે. જૈનશાસ્ત્રોમાં તેવા પ્રકારના દેવોના ચાર ભેદ છે. તેને ચાર નિકાય કહેવાય છે. (૧) ભવનપતિ, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક, અને (૪) વૈમાનિક. આ ચારે નિકાયના દેવોનું વર્ણન ગ્રંથકાર પોતે જ આગળ સમજાવે છે. આ ચાર નિકાયમાંથી ત્રીજી નિકાયના જે દેવો છે કે જેને જયોતિષુદેવો કહેવાય છે. તે દેવો છ લશ્યામાંથી Page #118 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૩-૪ તેજોલેશ્યાવાળા હોય છે. આ દ્રવ્યલેશ્યા જાણવી. ભાવલેશ્યા અનિયત હોય છે. બાકીના દેવોની લેશ્યાનું વર્ણન સૂત્ર ૭, તથા ૨૩માં આવશે. ૪-૧, ૨. ૪-૩ दशाष्टपञ्चद्वादशविकल्पाः कल्पोपपन्नपर्यन्ताः દશાષ્ટ-પંચદ્વાદશ-વિકલ્પાઃ કલ્પોપપન્નપર્યન્તાઃ દશ-અષ્ટ-પંચ-દ્વાદશ-વિકલ્પાઃ કલ્પોપપન્ન પર્યન્તાઃ ૪-૩ ૪-૩ સૂત્રાર્થ - કલ્પોપપન્ન સુધીના દેવોના અનુક્રમે દશઆઠ-પાંચ અને બાર ભેદો છે. એમ જાણવું. ૪-૨. ૯૩ ભાવાર્થ - સ્વામી-સેવક ભાવ, રાજા-પ્રજાપણું, ઈન્દ્રપબ્લીકપણું, એમ નાના-મોટાનો વિવેક વગેરે આચારો જ્યાં હોય અર્થાત્ જ્યાં સામાજિક બધી વ્યવસ્થા હોય છે. તે કલ્પ કહેવાય છે. આવા કલ્પ (આચાર)વાળા જે દેવો તે કલ્પોપપન્ન કહેવાય છે અને આવી વ્યવસ્થા વિનાના, બધા જ સમાન અર્થાત્ સમાનતાવાળા દેવો જે તે કલ્પાતીત કહેવાય છે. કલ્પોપપન્ન સુધીના ચારે નિકાયના દેવોના અનુક્રમે ૧૦-૮-૫૧૨ ભેદો છે. ભવનપતિના ૧૦, વ્યંતરોના ૮, જ્યોતિના ૫, અને વૈમાનિકના ૧૨ ભેદો છે. તેનું વર્ણન હવે પછીના ૧૧મા સૂત્રથી ૨૦મા સૂત્ર સુધીનાં સૂત્રોમાં આવે જ છે. ૪-૩. રૂન્દ્ર-સામાનિજ-ત્રાયશ્રિંશ-પારિષદ્યાત્મરક્ષતોજपालानीकप्रकीर्णकाभियोग्यकिल्बिषिका चैकशः ૪-૪ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૪ અધ્યાયઃ ૪-સૂત્ર-૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ઈન્દ્રસામાનિકત્રાયશ્ચિંશ પરિષદ્યાત્મરક્ષકલોકપાલાનીક-પ્રકીર્ણકાભિયોગ્ય-કિલ્બિષિકાર્ચકશઃ ૪-૪ ઈન્દ્ર-સામાનિક-ત્રાયશ્ચિંશ-પારિષદ્ય-આત્મરક્ષક-લોકપાલ-અનીક-પ્રકીર્ણક-આભિયોગ્ય-કિલ્બિષિકા ચએકશઃ૪-૪ સૂત્રાર્થ-એકે એક નિકાયમાં દશ પ્રકારની સામાજિક વ્યવસ્થાવાળા દેવો હોય છે. (૧) ઈન્દ્ર, (૨) સામાનિક, (૩) ત્રાયશ્ચિંશ, (૪) પારિષદ્ય, (૫) આત્મરક્ષક, (૬) લોકપાલ, (૭) અનીક, (૮) પ્રકીર્ણક, (૯) આભિયોગ્ય, (૧૦) કિલ્બિષિક. ૪-૪. ભાવાર્થ - ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક અને વૈમાનિક એમ ચાર નિકાયના દેવોમાં સામાજિક વ્યવસ્થા હોવાથી રાજાપ્રજાની જેમ નીચે મુજબ ૧૦ પ્રકારની વ્યવસ્થા વાળા દેવો હોય છે. સ્વામી-સેવક-નોકર-ચાકર ઇત્યાદિ સામાજિક વ્યવસ્થા મનુષ્યોની જેમ ત્યાં પણ છે. તે સામાજિક વ્યવસ્થાવાળા ૧૦ પ્રકારના દેવોનાં નામો તથા અર્થો આ પ્રમાણે છે. (૧) ઈન્દ્ર-સર્વે દેવોનો જે રાજાદેવ, મહારાજા, જેની આજ્ઞા બધા માને છે. (૨) સામાનિક - ઈન્દ્રની સમાન ઋદ્ધિ-સમૃદ્ધિ હોય. પરંતુ 'ઈન્દ્રની પદવી ન હોય. (૩) રાયસિાંશ-ઈન્દ્રને સલાહ આપનારા, મંત્રી સરખા. ગુરુસ્થાનીય. Page #120 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૫ ૯૫ (૪) પારિષદ્ય-પર્ષદાના દેવો, ઈન્દ્રની સભામાં બેસનારા,સભ્યદેવો. (૫) આત્મરક્ષક - ઈન્દ્રના શરીરની રક્ષા કરનારા, કવચ અને શસ્ત્રધારી. (૬) લોકપાલદેવ - ચારે દિશાઓનું રક્ષણ કરનારા સોમ યમ, વરુણ-કુબેર. (૭) અનીકદેવ - સૈન્યના દેવો, લડાઈનો સમય આવે તો યુદ્ધસજ્જ થનારા (૮) પ્રકીર્ણકદેવ - પબ્લીક દેવો, પ્રજારૂપે રહેનારા દેવો. (૯) આભિયોગિક દેવ- નોકરરૂપે કામ કરનારા, સ્વામીના વાહનરૂપે ચાલનારા. (૧૦)કિલ્બિષિકદેવો - અત્યન્ત હલકું કામ કરનારા તુચ્છ . દેવો. ૪-૪ ત્રાસ્વિંશોન્નપાત્ર વ્યક્તરોતિ ૪-૫ ત્રાયશ્ચિંશલોકપાલવર્યા વ્યત્તરજ્યોતિષ્ઠાઃ ૪-૫ ત્રાયશ્ચિંશ-લોકપાલ-વર્ષા વ્યત્તરજ્યોતિષ્ઠાઃ ૪-૫ સૂત્રાર્થ-વ્યંતર અને જ્યોતિષ્ઠદેવોમાં ત્રાયશ્ચિંશ અને લોકપાલ દેવો સિવાયના બાકીના આઠ જાતિના દેવો સામાજિક વ્યવસ્થા રૂપે હોય છે. ૪-૫. ભાવાર્થ-દેવોની મુખ્યત્વે ચાર નિકાય છે. ભવનપતિવ્યંતર-જ્યોતિષ્ક અને વૈમાનિક. આ ચાર નિકાયમાંથી પહેલી ભવનપતિ નિકાય અને છેલ્લી વૈમાનિક નિકાય, આ બે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૬ અધ્યાય : ૪-સૂત્ર-૬-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર નિકાયમાં ઈન્દ્ર-સામાનિક વગેરે દશે જાતના દેવો હોય છે. પરંતુ બીજી વ્યંતર નિકાય અને ત્રીજી જ્યોતિષ્ક નિકાયમાં ત્રાયશ્ચિંશ અને લોકપાલ વિનાના ઈન્દ્ર-સામાનિક આદિ આઠ પ્રકારના દેવો હોય છે. ત્યાં ત્રાયશ્ચિંશ દેવો પણ નથી તથા લોકપાલ દેવો પણ નથી. ૪-૫. પૂર્વયોર્કી દ્રા: ૪-૬ પૂર્વયોર્કીન્દ્રાઃ ૪-૬ પૂર્વયોઃ દ્વિ-ઈન્દ્રાઃ ૪-૬ પીતાન્તનૈશ્યા: ૪-૭ પીતાન્તલેશ્યા ૪-૭ પીત-અન્ત-લેશ્યાઃ ૪-૭ સૂત્રાર્થ-પ્રથમની બે નિકાયમાં બે બે ઈન્દ્રો છે. તથા તે પ્રથમની બે નિકાયમાં તેજ સુધીની ચાર લેશ્યાઓ હોય છે. ૪-૬, ૭. ભાવાર્થ-ભવનપતિ અને વ્યન્તર એ દેવોની પ્રથમની બે નિકાય કહેવાય છે. ભવનપતિના ૧૦ અને વ્યંતરના ૮ ભેદો છે. જે હમણાં સૂત્ર ૧૧-૧રમાં આવશે. તે દરેકમાં બે બે ઈન્દ્રો (રાજા દેવો) હોય છે. એક ઈન્દ્ર દક્ષિણદિશાના રાજ્યનો સ્વામી હોય છે. જ્યારે બીજો ઈન્દ્ર ઉત્તર દિશાના રાજ્યનો સ્વામી હોય છે. ભવનપતિ દેવો ૧૦ પ્રકારના છે. તેથી તે નિકાયમાં ૧૦૪૨=૨૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૮ ૯૭ ઈન્દ્રો છે. વ્યંતર નિકાયમાં વ્યંતર અને વાણવ્યંતર એમ બે ભેદ છે. બન્નેના આઠ-આઠ ભેદ છે. તે દરેકમાં બે બે ઈન્દ્રો છે. એટલે ૮+૮=૧૬૪=૩૨ ઈન્દ્રો બંતરનિકામાં છે. તથા જ્યોતિષ્કમાં ૨, અને વૈમાનિકમાં ૧૦ ઇદ્રો હોય છે. સર્વે મળીને ૨૦+૩+૨+૧૦=૬૪ ઈદ્રો કહેવાય છે. જે ગામમાં, ઘરમાં, શૂન્યગૃહમાં અને ચોક આદિ નાગરિક સ્થાનોમાં રહેવાની પ્રીતિવાળા હોય તે વ્યંતર, અને જે જંગલમાં રહેવાની પ્રીતિવાળા હોય તે વાણવ્યંતર દેવો કહેવાય છે. ગાય, ભેંસ, ઘોડા, ગધેડાં, વાઘ, સિંહ, વરુ આ બધાં પશુ હોવા છતાં પ્રથમનાં ચાર ગામમાં રહેવાવાળાં છે અને પછીનાં અરણ્યમાં રહેવાવાળાં છે. તેમ અહીં જાણવું. - તથા આ બન્ને નિકાયોમાં (એટલે ૧૦ ભવનપતિદેવોમાં અને ૮ વ્યંતર-વાણવ્યંતર દેવોમાં કૃષ્ણ-નીલ-કાપોત અને તેજો સુધીની કુલ ચાર લેશ્યાઓ હોય છે. પદ્મ અને શુક્લ જેવી ઉજ્વલલેશ્યા આ દેવોમાં હોતી નથી. ૪-૬, ૭. कायप्रवीचारा आ-ऐशानात् ४-८ કાયપ્રવીચારા આ-ઐશાના ૪-૮ કાયપ્રવીચારાઃ આ-ઐશાનાત્ ૪-૮ સૂત્રાર્થ ઈશાન સુધીના દેવલોકના દેવો કાયાથી સંસારસુખ સેવનારા હોય છે.૪-૮. ભાવાર્થ-ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક નિકાયના સર્વે દેવો તથા સૌધર્મ અને ઈશાન દેવલોક સુધીના સર્વે દેવો તિર્યંચ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૮ અધ્યાય : ૪-સૂત્ર-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર મનુષ્યની જેમ જ કાયાથી સંસારસુખ માણનારા હોય છે. તેઓને કાયસેવી કહેવાય છે. ઇશાન સુધીના આ સર્વે દેવો દેવીઓની સાથે અને દેવીઓ દેવોની સાથે શરીરના સર્વ અંગોથી સ્પર્શ કરવા દ્વારા ભોગજન્ય સુખને અનુભવવા વડે પ્રીતિને પામનારા હોય છે. મનુષ્યોની જેમ કામક્રીડા કરનારા હોય છે. ૪-૮. शेषाः स्पर्शरूपशब्दमनःप्रवीचारा द्वयोर्द्वयोः ४-८ શેષાઃ સ્પર્શરૂપશબ્દમનઃપ્રવીચારા દ્રયોદ્ધયોઃ ૪-૯ શેષાઃ સ્પર્શ-રૂપ-શબ્દ-મનઃપ્રવીચારા: દ્રયો દ્વયોઃ ૪-૯ સૂત્રાર્થ- બાકીના દેવલોકના દેવોમાં બે બે દેવલોકના દેવો અનુક્રમે સ્પર્શસેવી, રૂપસેવી, શબ્દસેવી અને મનસેવી હોય છે. ૪-૯. - ભાવાર્થ-ત્રીજા દેવલોકથી ઉપરના સર્વે દેવોમાં બે બે દેવલોકના દેવો અનુક્રમે સ્પર્શ આદિ દ્વારા મૈથુનસુખ ભોગવનારા હોય છે. એટલે કે ત્રીજા-ચોથા દેવલોકના દેવો દેવીઓના શરીરના સ્પર્શમાત્રથી શાન્તવાસનાવાળા થાય છે. પાંચમા-છઠ્ઠા દેવલોકના દેવો સ્ત્રીના શરીરનું રૂપમાત્ર જોવાથી શાન્તવાસનાવાળા થાય છે. સાતમા-આઠમા દેવલોકના દેવો સ્ત્રીના શરીરથી કરાતાં સંગીતાદિ સાંભળવાથી જ સંતોષ પામનાર બને છે. નવથી બાર દેવલોકના દેવો મનમાં સ્ત્રીનું ચિન્તનમાત્ર કરવાથી શાન્તવાસનાવાળા થાય છે. આ પ્રમાણે ઉપર-ઉપરના દેવો વિષયસુખની ઓછી ઓછી વાસનાવાળા હોય છે. ૪-૯. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૧૦ પરેડyવીવાર: ૪-૧૦ પરેડપ્રવીચારાઃ ૪-૧૦ પરે અપ્રવીચારાઃ ૪-૧૦ સૂત્રાર્થ-બારમા દેવલોકથી ઉપરના દેવો અપ્રવીચારી હોય છે. ૪-૧૦. ભાવાર્થ-બારમા દેવલોક પછીના દેવો એટલે કે રૈવેયક અને અનુત્તરવાસી દેવો સદા વિષયવાસના વિનાના હોય છે. અર્થાત્ સ્ત્રીની સાથે શરીરથી કે સ્પર્શાદિથી પણ વિષયસુખ ભોગવનારા હોતા નથી. દેવલોકમાં દેવો સર્વત્ર હોય છે. પરંતુ દેવીઓ સર્વત્ર હોતી નથી. માત્ર ભવનપતિ-વ્યંતર-જ્યોતિષ્ક અને પ્રથમના બે દેવલોકમાં જ દેવીઓની ઉત્પત્તિ હોય છે. પ્રથમના બે દેવલોકમાં જે દેવીઓ છે તે બે પ્રકારની હોય છે. પરિગૃહીતા (નિયત પુરુષવાળી) અને અપરિગૃહીતા (અનિયત પુરુષવાળી). ત્યાં જે પ્રથમ દેવલોકમાં અપરિગૃહીતા દેવીઓ છે. તેની સાથે સંસારસુખ ત્રીજા-પાંચમા-સાતમા-નવમા અને અગિયારમા દેવલોકના દેવો ભોગવે છે. એવી જ રીતે બીજા દેવલોકમાં જે અપરિગૃહીતા દેવીઓ છે તેની સાથે ચોથા-છઠ્ઠા-આઠમા-દસમા અને બારમા દેવલોકના દેવો સંસારસુખ ભોગવે છે. જે દેવીઓનું આયુષ્ય વધારે વધારે છે તે દેવીઓની સાથે ઉપર ઉપરના દેવો સંસારસુખ માટેનો વ્યવહાર કરે છે. Page #125 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૪-સૂત્ર-૧૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર દેવીઓ ઉપરના સ્નેહથી જો દેવીઓને દેવો ઉપરના દેવલોકમાં લઈ જાય તો આઠમા દેવલોક સુધી જ લઇ જાય છે. તેથી ત્યાં સુધી જ દેવીઓનું ગમનાગમન હોય છે અને મિત્રભાવના કારણે દેવોને જો ઉપરના દેવલોકમાં દેવો લઈ જાય તો બારમા દેવલોક સુધી લઇ જાય છે. તેથી દેવોનું ગમનાગમન બારમા દેવલોક સુધી હોય છે. પરંતુ દેવીઓની ઉત્પત્તિ તો ફક્ત બે દેવલોક સુધી જ હોય છે. ૪-૧૦. ૧૦૦ भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्नि वातस्तनितोदधिद्वीपदिक्कुमाराः ભવનવાસિનોઽસુરનાગવિદ્યુત્સુપર્ણાગ્નિ વાતસ્તનિતોદધિદ્વીપદિમારાઃ ભવનવાસિનઃ અસુર-નાગ-વિદ્યુત-સુપર્ણ-અગ્નિ વાત-સ્તનિત-ઉદધિ-દ્વીપ-દિક્-કુમારાઃ ૪-૧૧ સૂત્રાર્થ ભવનપતિ દેવોના ૧૦ ભેદ છે તેઓનાં નામ આ પ્રમાણે છે. (૧) અસુરકુમાર, (૨) નાગકુમાર, (૩) વિદ્યુત્સુમાર, (૪) સુપર્ણકુમાર, (૫) અગ્નિકુમાર, (૬) વાયુકુમાર, (૭) નિતકુમાર, (૮) ઉદધિકુમાર, (૯) દ્વીપકુમાર અને (૧૦) દિકુમાર. ૪-૧૧. - ૪-૧૧ ભાવાર્થ-ભવનપતિ દેવોના ઉપરોક્ત ૧૦ ભેદો છે. દરેક ભેદમાં બે બે ઈન્દ્રો છે. એક દક્ષિણ દિશાના રાજ્યનો સ્વામી છે અને બીજો ઉત્તર દિશાના રાજ્યનો સ્વામી છે. આ ૪-૧૧ Page #126 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૧૨-૧૩ ૧૦૧ દેવો રાજકુમારની જેમ રમતીયાળ આનંદી, અને હાસ્ય-વિનોદ યુક્ત છે.તેથી તેઓને કુમાર કહેવાય છે. ૪-૧૧. व्यन्तराः किन्नरकिम्पुरुषमहोरगન્થિર્વચક્ષરાક્ષસમૂતપિશાવાદ ૪-૧૨ વ્યત્તરાઃ કિન્નરકિપુરુષમહોરગગન્ધર્વયક્ષરાક્ષસ-ભૂતપિશાચાઃ ૪-૧૨ વ્યન્તરાઃ કિન્નર-કિંપુરુષ-મહોરગગન્ધર્વ-યક્ષ-રાક્ષસ-ભૂત-પિશાચાઃ ૪-૧૨ સૂત્રાર્થ - વ્યત્તરદેવોના ૮ ભેદ છે. તેઓનાં નામ આ પ્રમાણે છે. (૧) કિન્નર, (૨) કિમ્બુરુષ, (૩) મહોરગ, (૪) ગન્ધર્વ, (૫) યક્ષ, (૬) રાક્ષસ, (૭) ભૂત અને (૮) પિશાચ. ૪-૧૨. ભાવાર્થ-વ્યત્તરદેવોના ૮ ભેદ છે. જેઓનાં નામ ઉપર પ્રમાણે છે. તેઓના બે બે ઈન્દ્રો છે. એક દક્ષિણદિશાના રાજ્યનો અને બીજો ઉત્તર દિશાના રાજ્યનો સ્વામી છે. આવી જ રીતે અણપણી પણપણી ઇસીવાદી ભૂતવાદી વગેરે વાણવ્યંતરદેવો પણ આઠ પ્રકારના છે. તથા તે દરેકના પણ બે બે ઈન્દ્રો છે. તેઓનાં નામો બૃહત્સંગ્રહણીમાં છે. ૪-૧૨. ज्योतिष्काः सूर्याश्चन्द्रमसो ग्रहनक्षत्रप्रकीर्णतारकाश्च જ્યોતિષ્ઠાઃ સૂર્યાશ્ચન્દ્રમસો ગ્રહનક્ષત્રપ્રકીર્ણતારકાશ્ચ Page #127 -------------------------------------------------------------------------- ________________ - - ૧૦૨ અધ્યાય : ૪-સૂત્ર-૧૩-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર જ્યોતિષ્કાઃ સૂર્યાઃ ચન્દ્રમસઃ ગ્રહ-નક્ષત્ર-પ્રકીર્ણતારકાઃ ચ ૪-૧૩ સૂત્રાર્થ-જ્યોતિષ્ક દેવોના પાંચ ભેદો છે. (૧) સૂર્ય, (૨) ચંદ્ર, (૩) ગ્રહ, (૪) નક્ષત્રો અને (૫) છુટા-છવાયા અનેક તારાઓ. ૪-૧૩. ભાવાર્થ-જ્યોતિષ્કદેવોના પણ ઉપર કહ્યા મુજબ પાંચ ભેદો છે. તેમાં સૂર્ય અને ચંદ્ર આ બે ઈન્દ્રો છે. શેષ દેવો તઓની પ્રજાસ્વરૂપ છે. જો કે મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્રોમાં અસંખ્ય સૂર્ય અને અસંખ્ય ચંદ્રો છે. તો પણ જાતિની વિવક્ષાથી એક સૂર્ય અને એક ચંદ્રને ઈન્દ્ર તરીકે ગણવામાં આવ્યા છે. ૪-૧૩. પ્રિક્ષUT નિત્યતિયો –નો ૪-૧૪ મેપ્રદક્ષિણા નિત્યગતયોઃ નૃલોકે ૪-૧૪ મેપ્રદક્ષિણાઃ નિત્યગતયઃ નૃલોકે ૪-૧૪ સૂત્રાર્થ ઉપરોક્ત પાંચે જ્યોતિષ્ક દેવો મેરુપર્વતને પ્રદક્ષિણા કરતા છતા હંમેશાં ગતિક્રિયા કરનારા છે. આ પ્રમાણે અઢીદ્વીપના જ્યોતિષ્ઠદેવો ચલ (ગતિમાન) છે. ૪-૧૪. ભાવાર્થ- અઢીદ્વીપમાં જે સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર અને તારાઓ છે તે જંબૂદ્વીપમાં રહેલા મેરૂ પર્વતની ચારે બાજુ પ્રદક્ષિણાના આકારે સદા ગતિશીલ છે. જંબૂદ્વીપમાં ૨ સૂર્ય અને ૨ ચંદ્ર છે. લવણસમુદ્રમાં ૪ સૂર્ય અને ૪ ચંદ્ર છે. ધાતકીખંડમાં Page #128 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૧૪ ૧૦૩ ૧૨ સૂર્ય અને ૧૨ ચંદ્ર છે. કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય અને ૪૨ ચંદ્ર છે. અને અર્ધપુષ્કરવરદ્વીપમાં ૭૨ સૂર્ય અને ૭૨ ચંદ્રો છે. એમ કુલ ર+૪+૧૨+૪ર૭૨=૧૩૨, એકસો બત્રીસ સૂર્યો અને ૧૩ર ચંદ્રો છે. તે ૬૬-૬૬ની બે પંક્તિબદ્ધ રહ્યા છતા જંબૂદ્વીપના મેરુપર્વતને પ્રદક્ષિણાકારે ફરતા સદા ગતિમાન છે. જંબૂઢીપના સૂર્ય-ચંદ્રો અન્ય સૂર્ય-ચંદ્ર કરતાં ધીમા ચાલે છે. અને પછી પછીના સૂર્ય-ચંદ્રો વેગથી ચાલે છે. પુષ્કરના સૂર્યચંદ્રો અતિશય વેગથી ચાલે છે. ૪-૧૪. પુષ્પરાધી કાલોદધિ ધાતકી લવણ જંબ ૨૪ ૩૬/ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ અધ્યાય : ૪-સૂત્ર-૧૫ તત:ાવિભાગ: ૪-૧૫ તત્કૃતઃ કાલવિભાગઃ ૪-૧૫ તત્કૃતઃ કાલવિભાગઃ ૪-૧૫ સૂત્રાર્થ-તે સૂર્ય અને ચંદ્રની ગતિક્રિયા દ્વારા જ અઢીદ્વીપમાં કાલનો વિભાગ કરાયેલો છે. ૪-૧૫. તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાવાર્થ અઢીદ્વીપમાં રહેલા સર્વે સૂર્યો અને સર્વે ચંદ્રો જંબુદ્વીપના મેરુપર્વતની ચારે તરફ પ્રદક્ષિણાના આકારે સતત ચાલ્યા જ કરે છે, તેથી જ્યાં જ્યાં સૂર્યનું આગમન હોય ત્યાં ત્યાં પ્રકાશ થવાથી દિવસ થાય છે. અને જ્યાં જ્યાં સૂર્યનો અભાવ હોય છે ત્યાં ત્યાં ચંદ્ર હોય તો પણ અને ચંદ્ર ન હોય તો પણ રાત્રિ થાય છે. દિવસ-રાત્રિનો વ્યવહાર સૂર્યના હોવા અને ન હોવાથી થાય છે. અને એકમ-બીજ-ત્રીજ આદિ તિથિઓનો વ્યવહાર ચંદ્રથી થાય છે. રાત્રિ-દિવસના કારણે પંદર દિવસનું પખવાડીયું. ત્રીસ દિવસનો માસ ઈત્યાદિ કાવિભાગ બને છે. જો સૂર્ય-ચંદ્ર સ્થિર જ હોત તો આ કાવિભાગ ન બનત. માટે સૂર્ય-ચંદ્રાદિ અઢીદ્વીપની અંદર ચલિત સ્થિતિવાળા છે અને આ જ કારણે અઢીદ્વીપના અંદર જ રાત્રિ-દિવસવાળો કાળવિભાગ છે. આજે કેટલાક વૈજ્ઞાનિકાદિ લોકો ચંદ્ર-સૂર્ય સ્થિર છે અને પૃથ્વી ફરે છે. એમ માને છે. પરંતુ સૂત્રકારના આ વિધાનથી તે માન્યતા મિથ્યા છે. એમ સિદ્ધ થાય છે. ૪-૧૫. - Page #130 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૧૬ ૧૦૫ વહિવસ્થિતા: ૪-૧૬ બહિરવસ્થિતાઃ ૪-૧૬ બહિઃ અવસ્થિતાઃ ૪-૧૬ સૂત્રાર્થ-અઢીદ્વીપની બહાર સૂર્ય-ચંદ્રાદિ સર્વે જ્યોતિષ્ઠદેવો સ્થિર છે. ૪-૧૬. ભાવાર્થ-અઢીદ્વીપની બહાર આ સર્વે જ્યોતિષ્ક દેવો સ્થિર માત્ર જ છે. તેથી રાત્રિ-દિવસ ઈત્યાદિ કાલવિભાગ નથી. સૂર્ય અતિશય તાપવાન નથી. ચંદ્ર અતિશય શીતલ નથી. પચાસ પચાસ હજાર યોજના અંતરે સૂર્ય-ચંદ્ર સ્થિરપણે ગોઠવાયેલા છે. એક સૂર્યથી પચાસ હજાર યોજન દૂર ચંદ્ર છે. તે ચંદ્રથી બીજા પચાસ હજાર યોજનને આંતરે સૂર્ય છે. એમ સર્વત્ર જાણવું. સૂર્યના પ્રકાશનું હોવું અને ન હોવું, તેના કારણે જ દિવસ-રાત્રિનો વ્યવહાર છે પરંતુ દિવસ-રાત-માસ-પક્ષ આદિ નામનું છઠ્ઠું જુદું કાલદ્રવ્ય નથી. તેથી જ આ જ ગ્રંથના પાંચમા અધ્યાયના પ્રથમસૂત્રમાં અજીવદ્રવ્યના ચાર જ ભેદ કહ્યા છે. કાલનો ભેદ કહ્યો નથી. તેથી કાલ એ જીવ અને અજીવનો વર્તના રૂપ પર્યાય માત્ર છે. સ્વતંત્ર દ્રવ્ય નથી, પર્યાયમાં દ્રવ્યનો ઉપચાર કરીને ઔપચારિક દ્રવ્ય કહેવાય છે. આવી માન્યતા શ્વેતાંબર આમ્નાયની છે. દિગંબરાસ્નાયમાં કાલાણ નામનું છઠું સ્વતંત્ર કાલદ્રવ્ય માનેલું છે. ૪-૧૬. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪ સૂત્ર-૧૭-૧૮-૧૯ વૈમાનિ: ૪-૧૭ વૈમાનિકાઃ ૪-૧૭ વૈમાનિકાઃ ૪-૧૭ ન્યોપાના: વન્યાતીતાશ ૪-૧૮ કલ્પોપપન્ના: કલ્પાતીતાશ્ચ ૪-૧૮ કલ્પ-ઉપપન્નાઃ કલ્પ-અતીતાઃ ચ ૪-૧૮ સુત્રાર્થ - હવે વૈમાન્તિક દેવોનું સ્વરૂપ સમજાવાય છે. તેના બે ભેદ છે. એક કલ્પપપન્ન અને બીજો ભેદ કલ્પાતીત. ૪-૧૭, ૧૮. ભાવાર્થ-ઊર્ધ્વલોકમાં રહેનારા જે દેવો છે. તે વૈમાનિક કહેવાય છે. વિમાનના જેવા આકારવાળા ઘરો હોવાથી પણ તે વૈમાનિક કહેવાય છે. તેના મુખ્યત્વે બે ભેદ છે. સ્વામી-સેવક, રાજા-પ્રજા, શેઠ-નોકર ઈત્યાદિ સામાજિક વ્યવસ્થા જ્યાં છે તે કલ્પોપપન્ન દેવો કહેવાય છે. બાર દેવલોક સુધીના દેવો કલ્પોપપન્ન કહેવાય છે. આવી સામાજિક વ્યવસ્થા વિનાના જે દેવો તે કલ્પાતીત કહેવાય છે. રૈવેયક અને અનુત્તરવાસી દેવો કલ્પાતીત છે. ૪-૧૭, ૧૮. ૩પવુંપરિ ૪-૧૯ ઉપર્યપરિ ૪-૧૯ ઉપરિ-ઉપરિ ૪-૧૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૨૦ सौधर्मैशानसनत्कुमारमाहेन्द्रब्रह्मलोकलान्तकमहाशुक्रसहस्त्रारेष्वानतप्राणतयोरारणाच्युतयोर्नवसु ग्रैवेयकेषु વિનયવૈનયન્તનયન્તાપરાનિતેષુ સર્વાર્થસિદ્ધે ૨-૪-૨૦ સૌધર્મેશાનસનત્કુમારમાહેન્દ્ર બ્રહ્મલોક લાન્તક મહાશુક્ર સહસ્રારેાનત પ્રાણતયોરારણાચ્યુતયોર્નવસુ ત્રૈવેયકેષુ વિજય વૈજ્યન્ત જયન્તાપરાજિતેષુ સર્વાર્થસિદ્ધે ચ ૪-૨૦ સૌધર્મ ઐશાન સનત્યુમાર માહેન્દ્ર બ્રહ્મલોક લાન્તક મહાશુક્ર સહસ્રારેપુ આનતપ્રાણતયોઃ આરણાચ્યુતયોઃ નવસુ ત્રૈવેયકેષુ વિજય ચૈજયન્ત જયન્ત અપરાજિતેષુ સર્વાર્થસિદ્ધે ચ૪-૨૦ સૂત્રાર્થ- નીચે મુજબના નામવાળા દેવલોકો ઉપર ઉપર આવેલા છે. (૧) સૌધર્મ, (૨) ઐશાન, (૩) સનકુમાર, (૪) માહેન્દ્ર, (૫) બ્રહ્મલોક, (૬) લાન્તક, (૭) મહાશુક્ર, (૮) સહસ્રાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણ, (૧૨) અચ્યુત, તથા નવ પ્રૈવેયક તથા વિજય, વૈજયન્ત, જયન્ત, અપરાજિત તથા સર્વાર્થસિદ્ધ નામના વિમાનોમાં વૈમાનિકદેવો વસે છે. ૪-૨૦. ૧૦૭ - ભાવાર્થ – વૈમાનિક દેવલોકમાં ૧૨ દેવલોક વગેરે છે. તે સર્વે ઉપર ઉપર આવેલા છે. પ્રથમ સૌધર્મ દેવલોક દક્ષિણ દિશામાં છે. બીજો ઐશાન દેવલોક ઉત્તર દિશામાં છે. એટલે સામસામા છે. ત્રીજો દેવલોક પહેલા દેવલોકની ઉપર દક્ષિણ દિશામાં છે ચોથો દેવલોક બીજા દેવલોકની ઉપર ઉત્તરમાં આવેલ છે. પાંચમો Page #133 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર બ્રહ્મદેવલોક, છઠ્ઠો લાન્તક, સાતમો મહાશુક્ર, અને આઠમો સહસ્રાર એમ પથી૮ સુધીના ચાર દેવલોક ઉપર ઉપર આવેલા છે.નવમો આનત દક્ષિણમાં અને દસમો પ્રાણત ઉત્તરમાં આવેલ છે. અગિયારમો આરણ દક્ષિણમાં અને બારમો અચ્યુત ઉત્તરમાં આવેલ છે. તેની ઉપર નવગૈવેયક ઉપરાઉપર આવેલ છે. તેની ઉપર વિજય, વિજયંત, જયંત અને અપરાજિત આ ચાર T વિમાનો ચારે દિશામાં આવેલાં છે અને સર્વાર્થસિદ્ધ બરાબર વચ્ચે આવેલ છે. તેનું ચિત્ર ઉપર દર્શાવ્યા પ્રમાણે છે. દિગંબરામ્નાય ૧૨ દેવલોકને બદલે ૧૬ દેવલોક છે. એમ માને છે. તેથી સૂત્રરચના પણ ૧૬ દેવલોકને જણાવનારી કરે છે. ૪-૨૦, ૧૦૮ ૧૧ શ્રી ઉ અધ્યાય : ૪-સૂત્ર-૨૧ Ou ૭ અનુત્તર ૯ ગ્રુવૈયક ૧૨ ૧૦ स्थितिप्रभावसुखद्युतिलेश्याविशुद्धीन्द्रियावधिविषयतो ऽधिकाः સ્થિતિ-પ્રભાવ-સુખવ્રુતિલેશ્યાવિશુદ્ધી ન્દ્રિયાવધિવિષયતોધિકાઃ સ્થિતિ-પ્રભાવ-સુખ-શ્રુતિ-લેશ્યા-વિશુદ્ધિઈન્દ્રિય-અવધિવિષયતઃ અધિકાઃ ૪-૨૧ ૪-૨૧ ૪-૨૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૨૨ ૧૦૯ સૂત્રાર્થ-ઉપર ઉપરના દેવલોકના દેવો સ્થિતિ-પ્રભાવ સુખકાન્તિ-લેશ્યા-વિશુદ્ધિ ઇન્દ્રિયનો વિષય અને અવધિના વિષય દ્વારા અધિક-અધિક છે. ૪-૨૧. ભાવાર્થ-વૈમાનિક દેવલોકમાં ઉપર-ઉપરના દેવલોકના દેવી સ્થિતિ એટલે આયુષ્ય દ્વારા અધિક અધિક છે. પછી પછીના દેવલોકના દેવોનું આયુષ્ય વધારે વધારે છે. જે હમણાં જ સૂત્ર ૨૯થી૪૨ સુધીમાં સમજાવવામાં આવશે. તથા પ્રભાવ પણ વધારે વધારે છે. એવી જ રીતે સાંસારિક સુખ તથા સુખનાં સાધનો, શારીરિક કાન્તિ, મનના અધ્યવસાય રૂપ લેશ્યા, જ્ઞાનાદિ ગુણો દ્વારા અને મોહની મંદતા દ્વારા આત્માની વિશુદ્ધિ, પાંચ ઈન્દ્રિયો દ્વારા જાણવાની જ્ઞાન શક્તિ, અને અવધિજ્ઞાનનો વિષય આ બધું ઉપર ઉપરના દેવલોકોમાં અધિક-અધિક હોય છે. સારાંશ કે શ્રેષ્ઠભાવો અધિક અધિક છે. ૪-૨૧. ગતિશરિપરિક્રમાનતો હીના ૪-૨૨ ગતિ-શરીર-પરિગ્રહાભિમાનતો હીનાઃ ૪-૨૨ ગતિ-શરીર-પરિગ્રહ-અભિમાનતઃ હીનાઃ ૪-૨૨ સૂત્રાર્થ – ઉપર-ઉપરના દેવલોકના દેવો ગતિ-શરીરપરિગ્રહ અને અભિમાનની અપેક્ષાએ હીનતાવાળા (ઓછાશ વાળા) હોય છે. ૪-૨૨. ભાવાર્થ-ઉપર-ઉપરના દેવલોકના દેવો જેમ સ્થિતિપ્રભાવથી વધારે વધારે હોય છે. તેમ ગતિ-શરીરાદિને આશ્રયી Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ અધ્યાય : ૪-સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર હીન-હીનતર હોય છે. ગમનાગમન ઓછું ઓછું કરનારા છે. શરીરની લંબાઈ (અવગાહના) ઓછી ઓછી છે. પરિગ્રહ (મમતામૂછ) હીન હીન છે અને અભિમાન મોટાઈ વગેરે કષાયોની માત્રા પણ ઓછી ઓછી છે. કનિષ્ટભાવો હીન-હીનતર છે. ૪-૨૨. પતાિશકર્તાને દ્વિત્રિવેષ ૪-૨૩ પીતપદ્મશુક્લલેશ્યા દ્વિત્રિશેષ ૪-૨૩ પિત-પા-શુક્લલેશ્યાઃ દ્વિ-ત્રિ-શેષેષ ૪-૨૩ સૂત્રાર્થ-બે દેવલોકમાં તેજલેશ્યા, ત્રણ દેવલોકમાં પાલેશ્યા, અને બાકીના સર્વ દેવલોકમાં શુક્લલેશ્યા હોય છે. ૪-૨૩. ભાવાર્થ-સૌધર્મ અને ઈશાન નામના પ્રથમ બે દેવલોકમાં ફક્ત ૧ તેજલેશ્યા હોય છે. સનસ્કુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોક નામના ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં પદ્મવેશ્યા હોય છે. અને લાન્તકાદિ છઠ્ઠા દેવલોકથી ઉપરના તમામ દેવલોકોમાં માત્ર એક શુક્લલેશ્યા જ હોય છે. આ બધી દ્રવ્યલેશ્યા જાણવી. ભાવલેશ્યા અનિયત છે. તેથી જ સંગમદેવ વૈમાનિક હોવાથી દ્રવ્યથી તેજોલેક્ષા વાળો હોવા છતાં ભાવથી કૃષ્ણાદિ લેશ્યાના કારણે ભગવાનને ઉપસર્ગ કરનાર બને છે અને સાતમી નારકીના જીવો દ્રવ્યથી કૃષ્ણલેશ્યાવાળા હોવા છતાં ભાવથી શુભ લેશ્યાવાળા બનવાથી સમ્યત્વ પામનાર બને છે. માટે દેવ-નારકીમાં દ્રવ્યલેશ્યા નિયત છે અને ભાવલેશ્યા અનિયત છે. ૪-૨૩. Page #136 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૨૪-૨૫ ૧૧૧ પ્ર ખ્ય ન્યા: ૪-૨૪ પ્રારૈવેયકેભ્યઃ કલ્પાઃ ૪-૨૪ પ્રાગૂ રૈવેયકેભ્યઃ કલ્પાઃ ૪-૨૪ સૂત્રાર્થ - રૈવેયક નામના દેવોની પૂર્વેના સર્વે દેવો કલ્પવાળા કહેવાય છે. ૪-૨૪. ભાવાર્થ-દેવોના કલ્પપપન્ન અને કલ્પાતીત એમ બે ભેદ કહેવાય છે. તેમાં રૈવેયકની પૂર્વેના સમસ્ત દેવો કલ્પવાળા એટલે સ્વામી-સેવકની મર્યાદાવાળા કહેવાય છે. ભવનપતિબંતર-જ્યોતિષ્ક દેવો અને પહેલા દેવલોકથી બાર દેવલોક સુધીના વૈમાનિક દેવો કલ્પપપન્ન છે અને બાકીના રૈવેયક તથા અનુત્તરવાસી દેવો કલ્પાતીત કહેવાય છે. એટલે ત્યાં સ્વામી-સેવકભાવ રૂપ સામાજિક વ્યવસ્થા નથી. પરંતુ ત્યાં સર્વે દેવો અહમિન્દ્ર સમાન મોભાવાળા છે. આવા ઉંચાસ્થાનોમાં જન્મ અને પછી ત્યાં કચરો જ વાળવો પડે કે ઘરઘાટીનું જ કામ કરવું પડે તે ઉચિત નથી. માટે ત્યાં કચરા આદિ હોતા નથી તેથી આવી વ્યવસ્થા નથી. ૪-૨૪. બ્રહ્મક્ષત્રિયા નોતિષ: ૪-૨૫ બ્રહ્મલોકાલયા લોકાન્તિકા: ૪-૨૫ બ્રહ્મલોક-આલયાઃ લોકાન્તિકા: ૪-૨૫ સુત્રાર્થ- લોકાન્તિકદેવો બ્રહ્મલોકની પાસે જ (એટલે બ્રહ્મલોકની અંતે-છેવાડે) રહેનાર છે. ૪-૨૫. Page #137 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૪-સૂત્ર-૨૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાવાર્થ-નવ પ્રકારના લોકાન્તિક દેવો છે. જેને ફક્ત ૧ ભવ (૧ લોક) જ બાકી છે તે લોકાન્તિક કહેવાય છે. આ દેવો બ્રહ્મલોક નામના પાંચમા દેવલોકને છેડે રહેનારા છે. જો કે એક જ ભવ માત્ર બાકી હોવાથી ઘણા ઉચ્ચકોટિના આ દેવો છે. તેથી તેઓનું સ્થાન ઉપર સર્વાર્થસિદ્ધ પાસે હોવું જોઇએ, પરંતુ તેઓનું શરીર-આયુષ્ય-બળ-અવધિજ્ઞાન વગેરે દૈવિક ભાવો પાંચમા દેવલોકની તુલ્ય છે. તેથી તેમનું સ્થાન પાંચમા દેવલોકની પાસે છે. ૪-૨૫. ૧૧૨ सारस्वतादित्यवह्न्यरुणगर्दतोय तुषिताव्याबाधमरुतोऽरिष्टाश्च સારસ્વતાદિત્યવલચરુણગર્દતોય તુષિતાવ્યાબાધમરુતોરિષ્ટાશ્ચ સારસ્વત-આદિત્ય-વલિ-અરુણ-ગર્દતોયતુષિત-અવ્યાબાધ-મરુતઃ-અરિષ્ટાઃ ચ ૪-૨૬ સૂત્રાર્થ-તે નવ લોકાન્તિક દેવોનાં નામો આ પ્રમાણે છે-સારસ્વત-આદિત્ય-વહ્નિ-અરુણ-ગર્દતોય-તુષિત-અવ્યાબાધ, મરુત અને અરિષ્ટ. ૪-૨૬. ૪-૨૬ ભાવાર્થ-બ્રહ્મલોકની બાજુમાં વસનારા નવ પ્રકારના આ નવ લોકાન્તિક દેવોનાં સારસ્વત વગેરે અનુક્રમે નવ નામો સૂત્રમાં કહ્યાં છે. તેઓમાં રહેનારા દેવો એકાવતારી અને પરમપવિત્ર હોય છે. તથા તીર્થંકર ભગવન્તોને જ્યારે જ્યારે ૪-૨૬ Page #138 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય - ૪-સૂત્ર-૨૭ ૧૧૩ દીક્ષા લેવાનો અવસર થાય છે અને તીર્થકર ભગવંતો દીક્ષા લેવાનો સંકલ્પ કરે છે. ત્યારે ત્યારે આ જ દેવો આવીને પરમાત્માને નમસ્કાર કરીને વિનંતિ કરે છે કે હે ભગવાન! આપ પ્રવ્રયા ગ્રહણ કરો અને શાસન પ્રવર્તાવો. આવી વિનંતિ કરવાનો આચાર આ દેવોનો છે અહીં સારસ્વત ઇશાનમાં, આદિત્ય પૂર્વમાં, વદ્વિ અગ્નિખૂણામાં, એમ આઠ જાતના દેવો ક્રમશઃ ચારદિશા અને ચાર વિદિશામાં છે. અને અરિષ્ટ નામના નવમા પ્રકારના દેવો મધ્યમાં છે. ૪-૨૬. વિનયવિપુ વિરમ: ૪-૨૭ વિજયાદિષુ દ્વિચરમા: ૪-૨૭ વિજયાદિષ વિચરમાઃ ૪-૨૭ સૂત્રાર્થ-વિજયાદિમાં જન્મ પામનારા દેવો દ્વિચરમાવતારી હોય છે. ૪-૨૭. ભાવાર્થ-વિજય-વિજયંત-જયંત અને અપરાજિતમાં જન્મનારા દેવો બે ભવ માત્ર કરનારા હોય છે. એટલે કે વિજયાદિ ચારમાંથી ગમે તે એક વિમાનમાં જન્મ પામેલા દેવો ત્યાંથી ચ્યવી મનુષ્યભવ-વિજયાદિભવ-મનુષ્યભવ એમ વિજયાદિથી અન્તરિત એવા મનુષ્યના બે ભવ કરી સિદ્ધિપદ પામે છે. અને સર્વાર્થસિદ્ધના દેવો મનુષ્યનો એક ભવ કરી સિદ્ધિપદ પામે છે. ૪-૨૭. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ અધ્યાય : ૪-સૂત્ર-૨૮ તત્વાર્થાધિગમસૂત્ર ૌuપાતિક્રમનુષ્ય: શેષાતિર્થોન: ૪-૨૮ ઔપપાતિકમનુષ્યભ્યઃ શેષાતિર્યગ્યાનય: ૪-૨૮ ઔપપાતિક-મનુષ્યભ્યઃ શેષાઃ તિર્યંગ્યોનયઃ ૪-૨૮ સૂત્રાર્થ – ઉપપાત જન્મવાળા (દેવ-નારકીના) જીવો તથા મનુષ્યોથી જે શેષ જીવો સંસારમાં છે તે સર્વે તિયંગ્યનિવાળા (તિર્યંચો) કહેવાય છે. ૪-૨૮. ભાવાર્થ-પતિ-ઉપપાત જન્મવાળા એવો જે શબ્દ છે તેનાથી દેવ-નારકી સમજવા. મનુષ્યષ્યઃ એવો જે શબ્દ છે તેનાથી મનુષ્યો સમજવા. એટલે દેવ-નારકી અને મનુષ્યોથી જેટલા જીવો આ સંસારમાં શેષ છે તે સર્વે જીવોને તિર્યંચયોનિ વાળા અર્થાત્ તિર્યંચ કહેવાય છે. એટલે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો તો સર્વે તિર્યંચ જ કહેવાય છે. તથા સંજ્ઞી પંચેન્દ્રિયમાં પણ સર્વે પક્ષીઓ (ખેચર) અને મત્સાદિ જલચર અને ગાય, ભેંસ, ઘોડા, હાથી, સર્પ, વાનર વગેરે સ્થલચર જીવો તિર્યંચ કહેવાય છે આ પ્રમાણે ત્રીજા અધ્યાયના ૧થી૬ સૂત્રોમાં નરકગતિ, ૭થી૧૮ સૂત્રોમાં મનુષ્યગતિ, ચોથા અધ્યાયના ૧ સૂત્રથી ૨૭ સૂત્રોમાં દેવગતિ અને આ ૨૮મા સૂત્રમાં તિર્યંચગતિ એમ સંસારની આ ચાર ગતિ સમજાવી. (એટલે ચારગતિમાં રહેનારા જીવોનું વર્ણન સમજાવ્યું કારણ કે આ જીવતત્ત્વ ચાલે છે.) ૪-૨૮. Page #140 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૨૯-૩૨ ૧૧૫ સ્થિતિ: ૪-૨૯ સ્થિતિઃ ૪-૨૯ સ્થિતિઃ ૪-૨૯ સૂત્રાર્થ-હવે સર્વે દેવોનું આયુષ્ય જણાવાય છે. ૪-૨૯. भवनेषु दक्षिणार्धाधिपतीनां पल्योपममध्यर्धम् ४-30 ભવનેષુ દક્ષિણાર્ધાધિપતીનાં પલ્યોપમમધ્યર્ધમ્ ૪-૩૦ ભવનેષુ દક્ષિણ-અર્ધ-અધિપતીનાં પલ્યોપમન્ અધ્યર્ધમ્ ષાણાં પાવોને ૪-૩૧ શેષાણાં પાદોને ૪-૩૧ શેષાણાં પાદ-ઉને ૪-૩૧ મ : સીપોપમ = ૪-૩૨ અસુરેન્દ્રયોઃ સાગરોપમ મલિકે ચ ૪-૩૨ અસુરેન્દ્રયોઃ સાગરોપમન્ અધિક ચ ૪-૩૨ સૂત્રાર્થ ભવનપતિ દેવોમાં દક્ષિણદિશાના ઈન્દ્રોનું આયુષ્ય દોઢ પલ્યોપમ છે. શેષ (ઉત્તરદિશાના) ઈન્દ્રોનું આયુષ્ય પોણા બે પલ્યોપમ છે. અસુરકુમારના દક્ષિણઉત્તર દિશાના ઈન્દ્રનું આયુષ્ય અનુક્રમે એક સાગરોપમ અને એકસાગરોપમથી અધિક છે. ૪-૩૦, ૩૧, ૩૨. ભાવાર્થ- અસુરકુમાર આદિ દશ ભવનપતિ દેવો છે. તેમાં પ્રથમ નિકાયના અસુરકુમારને છોડીને બાકીના નાગકુમારાદિ નવ નિકાયના દક્ષિણ દિશાના ભવનપતિ ઈન્દ્રોનું આયુષ્ય ૧ાા Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અધ્યાય : ૪-સૂત્ર-૩૩-૩૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર (દોઢ) પલ્યોપમ છે. અને ઉત્તર દિશાના ઈન્દ્રોનું ૧પ (પોણા બે) પલ્યોપમ છે. જ્યારે પ્રથમ નિકાયના અસુરકુમારના દક્ષિણેન્દ્રનું આયુષ્ય ૧ સાગરોપમ અને ઉત્તરેન્દ્રનું આયુષ્ય ૧ સાગરોપમથી કંઈક અધિક છે. ત્રીસમા સૂત્રમાં મધ્યર્થમ્ જે શબ્દ છે તેનો અર્થ અર્ધ પલ્યોપમથી અધિક એવું એક પલ્યોપમ. એમ અર્થ થવાથી દોઢ પલ્યોપમ સમજવું. તથા એકત્રીસમા સૂત્રમાં પાને જે પદ છે. તેનો અર્થ પાદ (એટલે ૧ પલ્યોપમનો ચોથો ભાગ અર્થાત્ Oા પલ્યોપમ) ન્યૂન એવાં બે પલ્યોપમ. એટલે પોણા બે પલ્યોપમ એવો અર્થ થાય છે. પ૮ + ને આ પાઠમાં ઊને શબ્દ દ્વિવચનવાળો હોવાથી બે પલ્યોપમ સમજવાં. તેમાં ચોથો ભાગ ઓછો. ૪-૩૦, ૩૧, ૩૨. सौधर्मादिषु यथाक्रमम् ४-33 સૌધર્માદિષુ યથાક્રમમ્ ૪-૩૩ સૌધર્માદિષુ યથાક્રમમ્ ૪-૩૩ સાપને ૪-૩૪ સાગરોપમે ૪-૩૪ સાગરોપમે ૪-૩૪ મથ% ૪-૩૫ અધિકે ચ ૪-૩૫ અધિકે ચ ૪-૩૫ સૂત્રાર્થ- સૌધર્મ આદિ દેવલોકમાં હવે અનુક્રમે આયુષ્ય કહે છે સૌધર્મમાં બે સાગરોપમ અને ઈશાન દેવલોકમાં બે સાગરોપમથી અધિક આયુષ્ય હોય છે. ૪-૩૩, ૩૪, ૩૫. Page #142 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૩૬-૩૭ ૧૧૭ ભાવાર્થ-સૌધર્મ વગેરે ૧૨ દેવલોક અને નવ રૈવેયક તથા પાંચ અનુત્તરવાસી દેવોનું આયુષ્ય અનુક્રમે હવે કહીએ છીએ. ત્યાં સૌ પ્રથમ સૌધર્મ નામના પ્રથમ દેવલોકનું આયુષ્ય બે સાગરોપમ છે અને ઈશાન નામના બીજા દેવલોકનું આયુષ્ય બે સાગરોપમથી કંઈક અધિક છે. અહીં સાગરોપને શબ્દ તથા ય શબ્દ સંસ્કૃત ભાષામાં દ્વિવચનવાળો છે તેથી બે સાગરોપમ અને તેથી અધિક એવો અર્થ થઈ શકે છે. ૪-૩૩, ૩૪, ૩૫. सप्त सनत्कुमारे ४-36 સપ્ત સનકુમારે ૪-૩૬ સપ્ત સનકુમારે ૪-૩૬ સૂત્રાર્થ- સનસ્કુમાર નામના ત્રીજા દેવલોકમાં સાત સાગરોપમનું આયુષ્ય હોય છે.૪-૩૬. ભાવાર્થ-સુગમ છે. સનસ્કુમાર નામના ત્રીજા દેવલોકમાં રહેનારા દેવોનું આયુષ્ય સાત સાગરોપમ છે. અત્યારે સર્વ ઠેકાણે આ ઉત્કૃષ્ટ આયુષ્ય કહેવાય છે. ૪-૩૬. विशेषत्रिसप्तदशैकादशत्रयोदशपञ्चदशभिरधिकानि च ૪-૩૭ વિશેષત્રિસદ્ધદશૈકાદશત્રયોદશપંચદશભિરધિકાનિ ચ ૪-૩૭ વિશેષ-ત્રિ-સપ્ત-દશ-એકાદશ-ત્રયોદશપંચદશભિઃ અધિકાનિ ચ Page #143 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૪-સૂત્ર-૩૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ - સનત્યુમારના આયુષ્યમાં વિશેષાધિક-ત્રણસાત-દશ-અગિયાર તેર અને પંદર ઉમેરવાથી બાકીના દેવલોકોના દેવોનું આયુષ્ય આવે છે. ૪-૩૭. ૧૧૮ ભાવાર્થ - સનત્કુમાર નામના ત્રીજા દેવલોકનું આયુષ્ય સાત સાગરોપમ છે તેમાં આ સૂત્રમાં કહેલી સંખ્યા ઉમેરવાથી ચોથા-પાંચમા આદિ દેવલોકનું આયુષ્ય થાય છે. ત્રીજા દેવલોકનું આયુષ્ય ૭ સાગરોપમ છે. ચોથા દેવલોકનું આયુ પાંચમા દેવલોકનું આયુ૦ છઠ્ઠા દેવલોકનું આયુ સાતમા દેવલોકનું આયુ૦ આઠમા દેવલોકનું આયુ૦ નવ-દશ દેવલોકનું અગિયારમા-બારમા દેવલોકનું આયુ ૭ સાથી ૭ સાથી ત્રિ ૭ સાથી સત્ત= ૭ સાથી વ= ૭ સાથી પાવા=૧૧ ૭ સાથી ત્રયોગ- ૧૩ ૭ સાથી પદ્મા= ૧૫ આયુષ્ય જાણવું. ૪-૩૭. ૩ અધિક અધિક ૧૦ અધિક અધિક અધિક અધિક હો વિશેષાધિક ૧૦ સાથે = ૧૪ સાર = ૧૭ સા૦ ૧૮ સા૦ આ પ્રમાણે બાર દેવલોક સુધીના દેવોનું આ ઉત્કૃષ્ટ ૨૦ સા ૨૨ સાર आरणाच्युतादूर्ध्वमेकैकेन नवसु ग्रैवेयकेषु विजयादिषु सर्वार्थसिद्धे च ४-३८ આરણાચ્યુતાદૂમેકૈકેન નવસુ ત્રૈવેયકેષુ વિજયાદિષુ સર્વાર્થસિદ્ધે ચ ૪-૩૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૩૮-૪૧ ૧૧૯ આરણ-અય્યતા ઊર્ધ્વમ્ એકેકેન નવસુ રૈવેયકેષુ વિજયાદિષુ સર્વાર્થસિદ્ધ ચ ૪-૩૮ સૂત્રાર્થ-આરણ અને અશ્રુતથી ઉપર નવ રૈવેયકોમાં, વિજયાદિ ચારમાં અને સર્વાર્થસિદ્ધમાં એક-એક સાગરોપમની વૃદ્ધિ જાણવી. ૪-૩૮. ભાવાર્થ-ઉપરના સૂત્ર પ્રમાણે અગિયારમાં - બારમાં, આરણ અને અશ્રુત નામના દેવલોકમાં અનુક્રમે ૨૨ સાગરોપમનું આયુષ્ય છે. ત્યારબાદ નવ વેયકમાં, વિજયાદિ ચારમાં અને સર્વાર્થસિદ્ધમાં એક-એક સાગરોપમ વધારે વધારે આયુષ્ય જાણવું. પહેલી રૈવેયકમાં ૨૩ સાગરોપમ, બીજી રૈવેયકમાં ૨૪ સાગરોપમ, ત્રીજી રૈવેયકમાં ૨૫ સાગરોપમ એમ નવમી રૈવેયકમાં ૩૧ સાગરોપમ, વિજ્યાદિ ચાર વિમાનમાં ૩૨ સાગરોપમ, અને સર્વાર્થસિદ્ધ વિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય છે. સર્વાર્થસિદ્ધનું આ આયુષ્ય અજઘન્યોત્કૃષ્ટ હોય છે. ૪-૩૮. ૩મપર પોપમધિરુંત્ર ૪-૩૯ અપરા પલ્યોપમધિક ચ ૪-૩૯ અપરા પલ્યોપમ અધિક ચ ૪-૩૯ सागरोपमे ४-४० સાગરોપમે ૪-૪૦ સાગરોપમે ૪-૪૦ કિ અધિકે ચ અધિકે ચ ૪-૪૧ ૪-૪૧ ૪-૪૧ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ અધ્યાય - ૪-સૂત્ર-૪૧-૪૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ-હવે બાર દેવલોકનું જઘન્ય આયુષ્ય કહે છે. પલ્યોપમ, તથા પલ્યોપમથી અધિક, બે સાગરોપમ તથા બે સાગરોપમથી અધિક આયુષ્ય છે. ૪-૩૯, ૪૦, ૪૧. ભાવાર્થ-વૈમાનિક દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહીને હવે જઘન્ય આયુષ્ય સમજાવે છે. સૌધર્મ નામના પ્રથમ દેવલોકનું જઘન્ય આયુષ્ય ૧ પલ્યોપમ છે. ઈશાન નામના બીજા દેવલોકનું જધન્ય આયુષ્ય ૧ પલ્યોપમથી અધિક છે સનસ્કુમાર નામના ત્રીજા દેવલોકનું જઘન્ય આયુષ્ય બે સાગરોપમ છે. અને મહેન્દ્ર નામના ચોથા દેવલોકનું જઘન્ય આયુષ્ય બે સાગરોપમથી અધિક છે. આ જઘન્ય આયુષ્ય જાણવું આ પ્રમાણે ૧થી૪ દેવલોકનું જઘન્ય આયુષ્ય કહ્યું. ૪-૩૯, ૪૦, ૪૧. परत: परतः पूर्वापूर्वानन्तरा ૪-૪૨ પરતઃ પરતઃ પૂર્વાપૂર્વનન્તરા ૪-૪૨ પરતઃ પરતઃ પૂર્વા પૂર્વા અનન્તરા ૪-૪૨ સૂત્રાર્થ-પછી પછીના દેવલોકની જઘન્યસ્થિતિ અનન્તર અનન્તર પૂર્વપૂર્વ દેવલોકની ઉત્કૃષ્ટસ્થિતિ પ્રમાણે જાણવી. ૪-૪૨. ભાવાર્થ-ચોથા દેવલોકનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તે જ પાંચમા દેવલોકનું જઘન્ય આયુષ્ય છે. પાંચમા દેવલોકનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જ છઠ્ઠા દેવલોકનું જઘન્ય આયુ૦ છે. એમ આગળઆગળ જાણવું. આ પ્રમાણે જઘન્ય આયુષ્ય હોવાથી Page #146 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૪૩ ૧૨૧ ૬ઠ્ઠા ૮માં પમાં દેવલોકનું જઘન્ય આયુષ્ય | ૭ સા૦થી અધિક દેવલોકનું | જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમ ૭મા | દેવલોકનું | જઘન્ય આયુષ્ય | ૧૪ સાગરોપમ દેવલોકનું | જઘન્ય આયુષ્ય | ૧૭ સાગરોપમ ૯-૧૦મા | દેવલોકનું | જઘન્ય આયુષ્ય | ૧૦ સાગરોપમ * ૧૧-૧૨મા દેવલોકનું | જઘન્ય આયુષ્ય | ૨૧ સાગરોપમાં રૈવેયકનું | જઘન્ય આયુષ્ય ૨૨થી૩૦ સાગરોપમ વિજ્યાદિનું | જઘન્ય આયુ0 | ૩૧ સાઈ. નવા ૪-૪ ૨. नारकाणां च द्वितीयादिषु ४-४३ નારકાણાં ચ દ્વિતીયાદિષ ૪-૪૩ નારકાણાં ચ દ્વિતીયાદિષ ૪-૪૩ સૂત્રાર્થ- નારકીઓના જઘન્ય આયુષ્યની રીત ઉપર મુજબ બીજી આદિ નરકથી જાણવી. ૪-૪૩. ભાવાર્થ - ત્રીજા અધ્યાયના છઠ્ઠા સૂત્રમાં સાત નારકી જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યું છે. પરંતુ જઘન્ય આયુષ્ય ત્યાં કહ્યું નથી. અહીં અત્યારે જઘન્ય આયુષ્યનો પ્રસંગ ચાલે છે. તેથી સાત નારકીનું પણ જઘન્ય આયુષ્ય જણાવે છે કે નારકીઓમાં પૂર્વ-પૂર્વ નારકીનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જ તેની અનન્તર પછી, પછીની નારકીનું જઘન્ય આયુષ્ય જાણવું. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ અધ્યાય : ૪-સૂત્ર-૪૪-૪૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર પહેલી નારકીનું જે ૧ સાગરોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તે જ બીજી નારકીનું જઘન્ય આયુષ્ય છે. બીજી નારકીનું જે ત્રણ સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તે જ ત્રીજી નારકીનું જઘન્ય આયુષ્ય જાણવું. એમ સર્વઠેકાણે સમજવું. માત્ર પહેલી નારકીનું જઘન્ય આયુષ્ય બાકી રહે છે. તે હવે પછીના આગળના સૂત્રમાં સમજાવવામાં આવશે. ૪-૪૩. दशवर्षसहस्राणि प्रथमायाम् ४-४४ દશવર્ષસહસ્ત્રાણિ પ્રથમાયામ્ ૪-૪૪ દશવર્ષસહસ્ત્રાણિ પ્રથમાયામ્ ૪-૪૪ સૂત્રાર્થપ્રથમ નારકીનું જઘન્ય આયુષ્ય દશહજાર , સુગમ હોવાથી ભાવાર્થ નથી. ૪-૪૪. મિનેષુ = ૪-૪૫ ભવનેષુ ચ ૪-૪૫ ભવનેષુ ચ ૪-૪૫ व्यन्तराणाञ्च ४-४६ વ્યન્તરાણાં ચ ૪-૪૬ વ્યન્તરાણાં ચ ૪-૪૬ परा पल्योपमम् ४-४७ પરા પલ્યોપમન્ ૪-૪૭ પરા પલ્યોપમન્ ૪-૪૭ સૂત્રાર્થ - દશે પ્રકારના ભવનપતિ દેવોનું તથા આઠે પ્રકારના વ્યન્તરદેવોનું જઘન્ય આયુષ્ય દશ હજાર વર્ષ છે. આઠે પ્રકારના વ્યંતરનિકાય દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમ છે. ૪-૪૫, ૪૬, ૪૭. Page #148 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૪-સૂત્ર-૪૮-૫૩ ज्योतिष्काणामधिकम् ४-४८ જ્યોતિષ્માણામધિકમ્ ૪-૪૮ જ્યોતિષ્કાણાં અધિકમ્ ૪-૪૮ પ્રજ્ઞાળામેમ્ ૪-૪૯ ગ્રહાણામેકમ્ ૪-૪૯ ગ્રહાણાં એકમ્ ૪-૪૯ તારક્કામાં ચતુર્ભાગઃ ૪-૫૧ તારકાણાં ચતુર્ભાગઃ ૪-૫૧ તારકાણાં ચતુર્ભાગઃ ૪-૫૧ जधन्या त्वष्टभागः નક્ષત્રાગામર્થ્યમ્ ૪-૫૦ નક્ષત્રાણામર્ધમ્ ૪-૫૦ નક્ષત્રાણાં અર્ધમ્ ૪-૫૦ ૪-૫૨ ૪-૫૨ જધન્યાત્વષ્ટમાગઃ જધન્યા તુ અષ્ટભાગઃ ૪-૫૨ चतुर्भागः शेषाणाम् ૪-૫૩ ચતુર્ભાગઃ શેષાણામ્ ૪૫૩ ચતુર્ભાગઃ શેષાણામ્ ૪-૫૩ ૧૨૩ સૂત્રાર્થ-જ્યોતિષ્ઠદેવાનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમથી કંઈક અધિક હોય છે. પરંતુ ગ્રહોનું એક પલ્યોપમ, નક્ષત્રોનું અર્ધપલ્યોપમ, અને તારાઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય પલ્યોપમનો ચોથો ભાગ જાણવું. તથા તે તારાઓનું Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અધ્યાય : ૪-સૂત્ર-૪૮-પ૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર જઘન્ય આયુષ્ય પલ્યોપમનો આઠમો ભાગ હોય છે બાકીના જ્યોતિષ્કોનું જઘન્ય આયુષ્ય પલ્યોપમનો ચોથો ભાગ હોય છે. ૪-૪૮, ૪૯, ૫૦, ૫૧, પર, ૫૩. ભાવાર્થ-આ છ સૂત્રોમાં જ્યોતિષ્કદેવોનું જઘન્ય તથા ઉત્કૃષ્ટ આયુષ્ય જણાવેલું છે. જે નીચેના ચિત્રથી જ સારી રીતે સમજાઈ જાય છે. ૪-૪૮, ૪૯, ૫૦, ૫૧, પર, ૫૩. જ્યોતિષ્કદેવોનું આયુષ્ય દેવનું નામ ' ઉત્કૃષ્ટાયુષ્ય જઘન્યાયુષ્ય સૂર્યદેવ |૧ પલ્યોપમ ૧ લાખ વર્ષ પલ્યોપમનો ચોથો ભાગ | ચંદ્ર દેવ {૧ પલ્યોપમ ૧ હજાર વર્ષ પલ્યોપમનો ચોથો ભાગ | ગ્રહો | પલ્યોપમ પલ્યોપમનો ચોથો ભાગ ! નક્ષત્રો વિા પલ્યોપમાં પલ્યોપમનો ચોથો ભાગ તારાઓ વા પલ્યોપમ પલ્યોપમનો આઠમો ભાગ આ પ્રમાણે ચોથા અધ્યાયમાં દેવોનું વર્ણન પૂર્ણ થયું. અહીં બીજા-ત્રીજા અને ચોથા અધ્યાયમાં જીવતત્વ સમજાવ્યું. હવે પાંચમા અધ્યાયમાં અજીવતત્ત્વ સમજાવાશે. ચતુર્થ અધ્યાય સમાપ્ત Page #150 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૫-સૂત્ર-૧ અધ્યાય પાંચમો ૫-૧ ૫-૧ अजीवकाया धर्माधर्माकाशपुद्गलाः અજીવકાયા ધર્માધર્માકાશપુદ્ગલાઃ અજીવકાયાઃ ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલાઃ ૫-૧ સૂત્રાર્થ - ધર્મ, અધર્મ, આકાશ અને પુદ્ગલ એમ કુલ ચાર અજીવકાય છે. ૫-૧. ૧૨૫ ભાવાર્થ-જેનામાં ચૈતન્ય (જ્ઞાન) ન હોય તે અજીવકાય કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અને પુદ્ગલાસ્તિકાય એમ કુલ ચાર અજીવકાય છે. અસ્તિ એટલે પ્રદેશોનો (અંશોનો) હ્રાય એટલે સમૂહ, આ ચારે દ્રવ્યો પ્રદેશોના સમૂહાત્મક છે. ધર્માસ્તિકાય અને અધાર્મસ્તિકાયના અસંખ્ય પ્રદેશો છે. આકાશાસ્તિકાયના અનંત પ્રદેશો છે. અને પુદ્ગલાસ્તિકાયના સંખ્યાત-અસંખ્યાત-અને અનંત પ્રદેશો હોય છે. આ પ્રમાણે પ્રદેશોનો સમૂહ હોવાથી આ ચાર દ્રવ્યોને અસ્તિકાય કહેવાય છે. દિગંબરાસ્નાયમાં “પ્રદેશપ્રચય” પણ કહેવાય છે. અને ચૈતન્ય ન હોવાથી અજીવ કહેવાય છે. કાળ એ જીવાદિ પાંચે દ્રવ્યોના વર્તના સ્વરૂપ પર્યાયાત્મક હોવાથી દ્રવ્ય તરીકે ગણેલ નથી. કોઇપણ પર્યાયમાં જીવ અને અજીવનું જે વર્તવું. તે વર્તના પર્યાય જ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ અધ્યાય : પ-સૂત્ર-૨-૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર ગણનાત્મક હોવાથી કાળ કહેવાય છે. પરંતુ કાળ નામનું સ્વતંત્ર છઠ્ઠ દ્રવ્ય શ્વેતાંબરાસ્નાયમાં નથી. પ-૧. દ્રવ્યાનિ ગીવા પર દ્રવ્યાણિ જીવાશ્ચ ૫-૨ દ્રવ્યાણિ જીવાઃ ચ પ-૨ સૂત્રાર્થ- ઉપરોક્ત ચાર અજીવકાય તથા જીવદ્રવ્ય એમ કુલ પાંચ દ્રવ્યો છે. પ-૨. ભાવાર્થ-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, તથા પુદ્ગલાસ્તિકાય આ ચાર અજીવદ્રવ્યો (ચૈતન્યરહિત દ્રવ્યો) છે અને પાંચમું જીવદ્રવ્ય ચૈતન્યવાળું દ્રવ્ય છે. એમ આ સંસારમાં કુલ પાંચ દ્રવ્યો છે. “દ્રવ્ય” એ સામાન્યજાતિ છે. અને ધર્મ-અધર્મ-આકાશ આદિ તેની વિશેષ જાતિ છે. જેમ “વૃક્ષ' એ સામાન્યજાતિ છે. અને આંબો-લીંબડોબાવળ ઇત્યાદિ વિશેષજાતિ છે કુલ પાંચ દ્રવ્યો છે. દ્રવત અપૂર્વાપૂર્વપર્યાયાન પ્રાપ્નોતીતિ દ્રવ્યમ-જે નવા નવા પર્યાયોને પામે તે અનુસ્મૃત (અંદર વણાયેલા મૂલભૂત) પદાર્થને દ્રવ્ય કહેવાય છે. પ-૨. નિત્યવસ્થિતીન્યરૂપfણ ૫-૩ નિત્યાવસ્થિતાન્યરૂપાણિ ૫-૩ નિત્ય-અવસ્થિતાનિ-અરૂપાણિ ૫-૩ Page #152 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૫-સૂત્ર-૪ ૧૨૭ સૂત્રાર્થ- ઉપરોક્ત પાંચે દ્રવ્યો નિત્ય છે. અવસ્થિત છે અને અરૂપી છે. ૫-૩. ભાવાર્થ- ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો નિત્ય છે. જે દ્રવ્યોની આદિ નથી. અને અંત પણ નથી. જેઓનો કોઇ કર્તા કે સંહર્તા નથી. તેથી તે નિત્ય છે અર્થાત્ અનાદિ અનંત છે. તે દ્રવ્યો સદાકાળથી છે અને સદાકાળ રહેવાનાં જ છે તેથી તેને નિત્ય કહેવાય છે. તથા આ પાંચે દ્રવ્યો અવસ્થિત છે એટલે કે બીજા દ્રવ્યોની સાથે એકમેક થઇને રહે છે છતાં પણ તે બીજા દ્રવ્યરૂપે બની જતાં નથી. પોતાના દ્રવ્યપણામાં જ અવસ્થિત-સદા રહેનારાં છે. તેને અવસ્થિત કહેવાય છે તથા અરૂપી છે. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ વિનાનાં છે. જો કે અરૂપીનું વિધાન સામાન્યપણે હોવાથી પાંચે દ્રવ્યો જેમ નિત્ય અને અવસ્થિત છે તેમ પાંચે દ્રવ્યો અરૂપી છે એમ અર્થ સમજાય છે. તો પણ ચોથા સૂત્રમાં પુદ્ગલાસ્તિકાયને રૂપી કહેવાનો છે. તેથી પુદ્ગલાસ્તિકાય વિના બાકીનાં ચાર જ દ્રવ્યો અરૂપી છે. એમ સમજવું. ૫-૩. પિન: પુાતા: ૫-૪ રૂપિણઃ પુદ્ગલા ૫-૪ રૂપિણઃ પુદ્ગલાઃ ૫-૪ સૂત્રાર્થ-પુદ્ગલાસ્તિકાય સમસ્ત રૂપી હોય છે. ૫-૪. ભાવાર્થ-વર્ણ-ગંધ-૨સ અને સ્પર્શવાળાપણું એ જ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ અધ્યાય : પ-સૂત્ર-પ-૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર પગલાસ્તિકાયનું લક્ષણ છે. અને વર્ણાદિ જેને હોય તેને જ રૂપી કહેવાય છે. માટે પરમાણુથી માંડીને સમસ્ત પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય વર્ણાદિવાળો છે તેથી રૂપી છે. વર્ણાદિવાળું જે દ્રવ્ય હોય તે રૂપી અને વર્ણાદિ રહિત જે દ્રવ્ય હોય તે અરૂપી આ વ્યાખ્યા નિશ્ચયનયથી છે. પરંતુ વ્યવહાર નયથી ચક્ષુર્ગોચર હોય તે રૂપી અને ચક્ષુથી અગ્રાહ્ય હોય તે અરૂપી એવી વ્યાખ્યા પણ છે. તેથી જ દ્રવ્યગુણ પર્યાયના રાસની ઢાળ ૧૧/૧૨માં પુદ્ગલાસ્તિકાયમાં અમૂર્તતા (અરૂપિતા) પણ કહી છે. પરમાણુ-યણુક ચણક આદિ પુદ્ગલદ્રવ્ય ભલે ચક્ષુથી અગોચર હોય એટલે વ્યવહારથી અરૂપી હોય. તો પણ વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળું છે. માટે અહીં રૂપી કહેલ છે. પ-૪. આદિવ્યાખ ૫-૫ આકાશાદેકદ્રવ્યાણિ ૫-૫ આ આકાશાત્ એક દ્રવ્યાણિ પ-૫ નિક્રિયાનિ ચ પ-૬ નિષ્ક્રિયાણિ ચ પ-૬ નિષ્ક્રિયાણિ ચ પ-૬ સૂત્રાર્થ-આકાશાસ્તિકાય સુધીનાં ત્રણ દ્રવ્યો એક-એક છે અને નિષ્ક્રિય છે. પ-૫, ૬. ભાવાર્થ-પાંચમા અધ્યાયના પ્રથમ સૂત્રમાં કુલ ચાર અજીવદ્રવ્યો કહ્યાં છે. અને બીજા સૂત્રમાં કહેલ જીવદ્રવ્ય ઉમેરતાં Page #154 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૫-સૂત્ર-પ-૬ ૧૨૯ કુલ પાંચ દ્રવ્યો થાય છે તે પાંચ દ્રવ્યોમાં પ્રથમનાં ત્રણ દ્રવ્યો (ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણ દ્રવ્યો) આ સંસારમાં એક એક જ છે અર્થાત્ આ ત્રણ દ્રવ્યોમાંથી કોઈ પણ દ્રવ્ય એકથી અધિક નથી. ધર્મ-અધર્મ આ બે દ્રવ્યો સમસ્ત ચૌદ રાજલોકવ્યાપી, અસંખ્ય પ્રદેશોના પિંડાત્મક, ગતિસ્થિતિમાં સહાયક એક-એક અખંડ દ્રવ્ય છે, અને આકાશાસ્તિકાય લોક અને અલોકમાં સર્વત્ર વ્યાપકપણે એક દ્રવ્ય છે. તે લોકાલોકવ્યાપી હોવાથી અનંતપ્રદેશી છે અને અવગાહસહાયક છે. આ ત્રણ દ્રવ્યો સંખ્યામાં એક છે એમ કહેવાથી બાકીનાં બે દ્રવ્યો (પુદ્ગલ અને જીવ આ બે દ્રવ્યો) અનંત-અનંત છે. એમ સ્વયં સમજી લેવું. શ્વેતાંબર આમ્નાય પ્રમાણે કાળ એ જીવ અને અજીવના પર્યાયાત્મક છે પરંતુ દ્રવ્યસ્વરૂપ નથી. અને દિગમ્બરાનાય પ્રમાણે કાળાણુ નામનું દ્રવ્ય છે અને તે લોકાકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્ય છે માત્ર ડબ્બામાં ભરેલા રાઇના દાણા સમાન છે. એટલે પિંડાત્મક નથી. તેથી અસ્તિકાય નથી. તથા આ ત્રણે દ્રવ્યો નિષ્ક્રિય છે. ગમનાગમન ક્રિયા વિનાનાં છે. જેમ પુદ્ગલ અને જીવ એક સ્થાનથી બીજા સ્થાને ગમનાગમન ક્રિયા કરે છે, તેવી ક્રિયા આ ત્રણ દ્રવ્યોમાં નથી. માટે નિષ્ક્રિય છે પરંતુ ગતિસહાયકતા, સ્થિતિસહાયકતા અને અવગાહ સહાયકતાની ક્રિયા તો અવશ્ય કરે જ છે. તેથી ગમનાગમન આદિ લોકગમ્ય સ્થૂલ ક્રિયાની અપેક્ષાએ જ નિષ્ક્રિય છે એમ જાણવું. ૫-૫, ૬. 2 Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩) અધ્યાય : પ-સૂત્ર-૭-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર મસ૬૨Àયા: પ્રવેશ થથર્મયો: ૫- અસંખ્યયાઃ પ્રદેશ ધર્માધર્મયોઃ પ-૭ અસંખ્યયા પ્રદેશાઃ ધર્મ-અધર્મયોઃ પ-૭ સુત્રાર્થ ધર્મ અને અધર્મના પ્રદેશો અસંખ્ય છે. પ-૭. ભાવાર્થ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય આ બે દ્રવ્યો સમસ્ત લોકવ્યાપી છે. દ્રવ્યનો નાનામાં નાનો ભાગ કે જે ભાગના કેવલી ભગવાનના જ્ઞાનથી પણ બે અંશ ન થાય તે પ્રદેશ કહેવાય છે. આખી વસ્તુથી આ પ્રદેશ જો છુટો પડે તો તેને જ પરમાણુ કહેવાય છે. પરંતુ ધર્મ, અધર્મ, આકાશ અને જીવ આ ચાર દ્રવ્યોમાંથી કોઈ પણ દ્રવ્યનો એક પણ પ્રદેશ કદાપિ છુટો પડ્યો નથી, છુટો પડતો નથી અને છુટો પડશે પણ નહીં. માત્ર પુદ્ગલાંતિકાયમાં જ પ્રદેશો છુટા પડે છે. તેથી તેમાં જ * પરમાણુ નામનો ચોથો ભેદ સંભવે છે. ધર્મ, અધર્મ આ બે દ્રવ્યોના આવા નિરંશ (નિર્વિભાજ્ય) પ્રદેશો અસંખ્ય છે. પ-૭. નીવચ a પ-૮ માઋાશાસ્થાનના: પ-૯ જીવસ્ય ચ પ-૮ આકાશસ્યાનન્તા: -૯ જીવસ્ય ચ ૫-૮ આકાશસ્ય અનન્તાઃ ૫-૯ સૂત્રાર્થ-એક જીવદ્રવ્યના પણ પ્રદેશો અસંખ્ય છે. અને આકાશના પ્રદેશો અનંતા છે. ૫-૮-૯. Page #156 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૧૦ ૧૩૧ ભાવાર્થ-સંસારમાં કુલ જીવો અનંતા છે. પરંતુ એક એક જીવના પ્રદેશો અસંખ્ય જ છે. ધર્મ-અધર્મ-લોકાકાશ અને એક જીવદ્રવ્ય એમ કુલ આ ચાર દ્રવ્યોના અસંખ્ય પ્રદેશો છે અને માંહોમાંહે સમાન છે. કોઈના પણ પ્રદેશો ઓછા વધારે નથી. તેથી જ કેવલીભગવાન જ્યારે કેવલી સમુદ્યાત કરે છે. ત્યારે તે ભગવાનના એક જ આત્માનો એક એક આત્મપ્રદેશ એક એક આકાશ પ્રદેશમાં વ્યાપ્ત થાય છે. જેથી કેવલી ભગવાનનો આત્મા સમસ્ત લોકવ્યાપી બને છે. આકાશાસ્તિકાય લોક-અલોક એમ બન્નેમાં વ્યાપ્ત છે. તેથી તેના પ્રદેશો અનંતા છે. લોકવ્યાપી આકાશના પ્રદેશો અસંખ્ય છે. પરંતુ અલોક અનંત હોવાથી અલોકવ્યાપી આકાશના પ્રદેશો અનંતા છે માટે લોકાલોકવ્યાપી આકાશના પ્રદેશો નિયમા અનંતા છે. હકીકતથી વિચારીએ તો આકાશદ્રવ્ય એક જ છે. લોકાકાશ કે અલોકાકાશ જેવા કોઈ ભાગો જ નથી. પરંતુ ધર્માસ્તિકાય આદિ શેષ ચાર દ્રવ્યોના સંયોગવાળા આકાશને લોક અને શેષ આકાશને અલોક કહેવાય છે એમ પર દ્રવ્યના સંયોગ-અસંયોગને લીધે એક જ આકાશ દ્રવ્ય બે ભેદે છે. પ-૮, ૯. સન્યાસયેશ પુરીનાનામ્ પ-૧૦ સંખ્યયાસંખ્યયાશ્ચ પગલાનામ્ પ-૧૦ સંખ્યય-અસંખ્યયાઃ ચ પુદ્ગલાનામ્ પ-૧૦ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સૂત્રાર્થ અસંખ્યાતા અને અનંતા (પણ) છે. ૫-૧૦. અધ્યાય : ૫-સૂત્ર-૧૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર પુદ્ગલાસ્તિકાયના પ્રદેશો સંખ્યાતા નાળો: ૫-૧૧ - ભાવાર્થ-પુદ્ગલાસ્તિકાય એક એવું દ્રવ્ય છે કે જેમાં પ્રદેશો જોડાય પણ છે અને વિખેરાય પણ છે. એટલે પ્રદેશો વિખેરાતા જાય, છુટા પડતા જાય તો ઓછામાં ઓછા ૧ સ્કંધમાં બે પ્રદેશો પણ હોય છે જેને ચણુક કહેવાય છે. ત્રણ પ્રદેશો હોય તેને ઋણુક કહેવાય છે. ચાર પ્રદેશો હોય તેને ચતુરણુક કહેવાય છે. એમ સંખ્યાતા પ્રદેશોના પણ સ્કંધો હોય છે. અસંખ્યાતા પ્રદેશોના પણ સ્કંધો હોય છે. અને અનંતા તથા અનંતાનંત પ્રદેશોના સ્કંધો પણ હોય છે ચક્ષુથી ગોચર જે કંધો છે તે નિયમા અનંતાનંત પ્રદેશોવાળા જ હોય છે. મૂલસૂત્રમાં સંખ્યાત-અસંખ્યાત લખ્યું છે. અને ચ શબ્દથી અનંતા ઉપરના સૂત્રમાંથી લાવવાનું છે. તથા વિખેરાતાં વિખેરાતાં જ્યારે એક એક પ્રદેશ છૂટો પડી જાય છે. ત્યારે તે જ પ્રદેશને “પરમાણુ’ કહેવાય છે. પ્રદેશ કહેવાતો નથી. કારણ કે મોટાની સાથે હોય તો નાનાને નાનો કહેવાય છે. પરંતુ નાનો ભાગ પણ જો જુદો રહે તો તે સ્વતંત્ર દ્રવ્ય થવાથી નાનો ભાગ કહેવાતો નથી. અને પ્રદેશ એટલે અત્યન્ત નાનો ભાગ. ૫-૧૦, નાણોઃ ૫-૧૧ ન અણોઃ ૫-૧૧ સૂત્રાર્થ-માત્ર પરમાણુને પ્રદેશો હોતા નથી. ૫-૧૧. ભાવાર્થ-“પરમાણુ” એટલે પરમ અણુ. અત્યન્ત Page #158 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૧૨ ૧૩૩ છેલ્લી કોટીનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે અણુ તે પરમાણ. આ છેલ્લો અણુ હોવાથી તેને પ્રદેશ સંભવતા નથી. જો તેને પણ પ્રદેશો હોય છે એમ માનીએ તો આ પરમાણુને પ્રદેશો હોવાથી સ્કંધ જ માનવો પડે. માટે આ અન્તિમ પરમાણુ એ પરમાણુ જ માત્ર છે. તેને પ્રદેશો નથી. ૫-૧૧. નોક્રશ્ચિાડવII: ૫-૧૨ લોકાકાશે અવગાહઃ ૫-૧૨ લોક-આકાશે અવગાહ: ૫-૧૨ સૂત્રાર્થ-ઉપરોક્ત સર્વ દ્રવ્યો લોકાકાશમાં જ અવગાહીને રહ્યાં છે. પ-૧૨. ભાવાર્થ-ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ અને જીવ એમ કુલ જે પાંચ દ્રવ્યો છે તેમાંથી આકાશ વિના શેષ ચાર દ્રવ્યો ફક્ત લોકાકાશમાં જ અવગાહીને રહ્યાં છે. અને જે આકાશદ્રવ્ય છે તે લોક-અલોક એમ ઉભયમાં વ્યાપ્ત છે. અલોકાકાશમાં કોઈપણ જીવ પૂગલ કે ધર્મ-અધર્મ દ્રવ્ય નથી. તેથી જ મોક્ષ પામેલા જીવો પણ સિદ્ધશિલાથી એક યોજન ઉપર લોકને છેડે પરંતુ લોકની અંદરના ક્ષેત્રમાં જ હોય છે. ધર્મ-અધર્મ દ્રવ્યની સહાયકતા ન હોવાથી ઉપર અલોકમાં જતા નથી. બીજા કોઈપણ દ્રવ્યનો એક પણ પ્રદેશ અલોકમાં વર્તતો નથી. પ-૧૨. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ અધ્યાય : પ-સૂત્ર-૧૩-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર થHધર્મયો: ઉન્ને પ-૧૩ ધર્મધર્મયોઃ કૃત્ન પ-૧૩ ધર્મ - અધર્મયોઃ કૃત્ને પ-૧૩ સૂત્રાર્થ-ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સમસ્ત ચૌદ રાજલોકમાં વ્યાપ્ત છે. પ-૧૩. ભાવાર્થ-ધર્મ-અધર્મ-જીવ અને પુદ્ગલ આ ચાર દ્રવ્યો લોકમાં જ માત્ર છે. અલોકમાં નથી એમ ઉપર બારમા સૂત્રમાં સમજાવવામાં આવ્યું છે. પરંતુ લોકમાં પણ સર્વત્ર છે કે લોકના એક ભાગમાં? તે વાત અહીં સ્પષ્ટ કરે છે કે ધર્મ-અધર્મ આ બે દ્રવ્યો સમસ્ત ચૌદ રાજલોકમાં આકાશના પ્રદેશ પ્રદેશ રહેલ છે. લોકાકાશનો કોઈપણ ભાગ એવો નથી કે જ્યાં આ બે દ્રવ્યો ન હોય. માટે સમસ્તલોકવ્યાપી છે. અન્ય એવાં જીવ અને પુદ્ગલ દ્રવ્યોમાં સમસ્ત લોકવ્યાપીપણાની ભજન જાણવી. જે હવે પછીના સૂત્રોમાં સમજાવાય છે. પ-૧૩. પ્રશરિપુ ભાગ્ય: પુનિનામ્ પ-૧૪ એકપ્રદેશાદિષુ ભાજ્યઃ પુદ્ગલાનામ્ પ-૧૪ એક-પ્રદેશ-આદિપુ ભાયઃ પુદ્ગલાનામ્ પ-૧૪ સૂત્રાર્થ-૫ગલોની અવગાહના એક આકાશપ્રદેશ વગેરેમાં ભજનાએ હોય છે. પ-૧૪. Page #160 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૫-સૂત્ર-૧૫ ૧૩૫ ભાવાર્થ-પુદ્ગલાસ્તિકાયમાં એક એક પરમાણુ પણ હોય છે અને દૃયુશુક-ત્ર્યશુક-ચતુરણુક વગેરે કંધો પણ હોય છે. ત્યાં ૧ પરમાણુસ્વરૂપ જે પુદ્ગલદ્રવ્ય છે. તે અત્યન્ત સૂક્ષ્મ હોવાથી એક જ આકાશપ્રદેશમાં વર્તે છે. તેના વસવાટ માટે બે આકાશપ્રદેશોની જરૂરિયાત નથી. હ્રયણુકસ્કંધ એક આકાશપ્રદેશમાં પણ રહી શકે છે અને બે આકાશપ્રદેશમાં પણ રહી શકે છે. ઋણુકસ્કંધ એક આકાશપ્રદેશમાં, બે આકાશપ્રદેશમાં . અને ત્રણ આકાશપ્રદેશમાં પણ રહે છે. એવી રીતે સંખ્યાતપ્રદેશી કંધો એકપ્રદેશથી યાવત સંખ્યાત પ્રદેશોમાં વર્તે છે. અસંખ્યાતપ્રદેશી કંધો એક આકાશપ્રદેશથી અસંખ્યાત આકાશપ્રદેશમાં વર્તે છે. પરંતુ અનંતપ્રદેશી કંધો કે અનંતાનંતપ્રદેશી સ્કંધો એક આકાશપ્રદેશમાં, બે આકાશપ્રદેશમાં એમ વધુમાં વધુ અસંખ્યાત આકાશપ્રદેશમાં જ વર્તે છે. પરંતુ અનંત આકાશપ્રદેશમાં વર્તતા નથી. કારણ કે સમસ્ત ચૌદરાજલોકના આકાશપ્રદેશો અસંખ્યાતા જ છે. અનંતા નથી. અને તેમાં જ સમસ્ત પુદ્ગલદ્રવ્ય સમાયેલુ છે. ૫-૧૪. ૫-૧૫ असङख्येयभागादिषु जीवानाम् અસંખ્યયભાગાદિષુ જીવાનામ્ ૫-૧૫ અસંખ્યેય ભાગ આદિષુ જીવાનામ્ ૫-૧૫ સૂત્રાર્થ-જીવોની અવગાહના લોકના અસંખ્યાતમા ભાગ આદિમાં હોય છે. ૫-૧૫. 2 Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ અધ્યાય : પ-સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાવાર્થ-સર્વે જીવોની સાથે મળીને અવગાહના ચૌદે રાજલોકમાં છે. કારણ કે ચૌદ રાજલોકમાં જીવો ઠાંસી ઠાંસીને ભરેલા છે. પરંતુ એકેક જીવની અવગાહના કેટલી ? તે અહીં લખે છે. કોઈપણ એક જીવની જઘન્ય અવગાહના લોકના અસંખ્યાતમા ભાગની છે. કારણ કે અતિશય નાની અવગાહના સૂક્ષ્મ નિગોદીયા જીવની હોય છે અને તે અંગુલના અસંખ્યાતમાં ભાગની છે. કારણ કે નાનામાં નાનું શરીર આટલું જ હોય છે. આ જે અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના કહી છે તે લોકનો પણ અસંખ્યાતમો ભાગ જ કહેવાય છે. તેનાથી આગળ શરીરની અવગાહના જેમ જેમ મોટી હોય તેમ તેમ તે તે જીવની અવગાહના પણ વધારે વધારે હોય છે. એમ કરતાં કેવલી સમુઘાતકાલે એક જીવની અવગાહના સમસ્ત લોકવ્યાપી પણ હોય છે. જીવ દીપકના પ્રકાશની જેમ સંકોચ અને વિસ્તાર પામતો હોવાથી નાની અને મોટી એમ બન્ને જાતની અવગાહના ઘટે છે. તેથી લોકના અસંખ્યાતમા ભાગથી માંડીને સમસ્ત લોક સુધીની ચિત્ર વિચિત્ર અવગાહના એક જીવની હોય છે. પ-૧૫. પ્રસંહાર-વિસfખ્યાં પ્રાપવત્ ૫-૧૬ પ્રદેશસંહાર-વિસર્ગાભ્યાં પ્રદીપવત્ ૫-૧૬ પ્રદેશ સંહાર વિસર્ગાભ્યાં પ્રદીપવત્ પ-૧૬ સૂત્રાર્થ-આત્માના પ્રદેશોનો સંહાર (સંકોચ) અને વિસર્ગ (વિસ્તાર) દીપકના પ્રકાશની જેમ થાય છે. પ-૧૬. Page #162 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૫-સૂત્ર-૧૭ ૧૩૭ ભાવાર્થ-આત્માના પ્રદેશો સંકોચ અને વિસ્તાર પામવાના સ્વભાવવાળા છે. તેથી જેમ દીપકનો પ્રકાશ નાના ઓરડામાં હોય તો ત્યાં જ વ્યાપે છે. મોટા ઓરડામાં હોય તો ત્યાં જ વ્યાપે છે. અને ચોકમાં હોય તો ચોકમાં વ્યાપે છે. તેમ આ આત્માના પ્રદેશો પણ આવા જ પ્રકારે સંકોચ અને વિસ્તાર પામવાના સ્વભાવવાળા છે. તેથી કીડીનો આત્મા મૃત્યુ પામી હાથીમાં જન્મે તો હાથીની કાયા જેટલો વિસ્તૃત પણ થાય . છે. અને હાથીનો આત્મા મૃત્યુ પામી કીડીમાં જન્મે તો કીડીની કાયા જેટલો સંકોચ થવાના સ્વભાવવાળો પણ છે. નિગોદમાં જાય ત્યારે જે અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહે છે તે જ જીવ માનવ થઇને કેવલી સમુદ્દાત કરે ત્યારે સમસ્ત લોકવ્યાપી પણ થાય છે. કોઇપણ બાળક જન્મે ત્યારે સામાન્યથી એક ફુટ પ્રમાણ શરીર હોવાથી આત્માની અવગાહના પણ તેટલી જ હોય છે. પરંતુ જ્યારે તે યુવાન બને છે અને ૬/૭ ફુટની કાયા બને છે ત્યારે આત્મા પણ તેટલા જ વિસ્તારવાળો બને છે. ૫-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૫-૧૭ गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः ગતિસ્થિત્યુપગ્રહો ધર્માધર્મયોરુપકારઃ ગતિ-સ્થિતિ-ઉપગ્રહઃ ધર્મ-અધર્મયોઃ ઉપકારઃ ૫-૧૭ ૫-૧૭ સૂત્રાર્થ-ગતિમાં અને સ્થિતિમાં સહાયકતા એ જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો ઉપકાર છે. ૫-૧૭. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ અધ્યાય : ૫-સૂત્ર-૧૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાવાર્થ-ચૌદ રાજલોકમાં રહેલો ધર્માસ્તિકાય સ્વયં પોતાના ભાવે ગતિ પરિણામ પામેલા જીવ-પુદ્ગલને ગતિમાં સહાયક છે. જેમ માછલાને તરવામાં પાણી, પંખીને ઉડવામાં આકાશ (હવા) સહાયક છે તેવી રીતે સ્વયં ગતિભાવે પરિણામ પામેલા એવા જીવ-પુદ્ગલોને ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિમાં અપેક્ષાકારણ રૂપે સહાયક છે. તથા રસ્તે ચાલતા મુસાફર લોકોને રસ્તાની બન્ને બાજુના વૃક્ષોની છાયા સ્વયં પોતાની ઊભા રહેવાની ઈચ્છા હોય તો જેમ ઉભા રાખવામાં સહાયક છે. તેમ સ્વયં સ્થિતિ પરિણામ પામેલા જીવ-પુદ્ગલ દ્રવ્યોને અધર્માસ્તિકાય સ્થિતિમાં અપેક્ષાકારણ છે. પરંતુ સ્વયં ગતિસ્થિતિ પર્યાયને ન પામેલા જીવ પુદ્ગલને આ ધર્મ-અધર્મ દ્રવ્યો બળાત્કાર ગતિ સ્થિતિ કરાવતા નથી. પ-૧૭. માજા થાવ. પ-૧૮ આકાશસ્સાવગાહ: પ-૧૮ આકાશસ્ય અવગાહઃ ૫-૧૮ સુત્રાર્થ-અવગાહ આપવો એ આકાશાસ્તિકાયનો ઉપકાર છે. પ-૧૮. ભાવાર્થ-અવગાહ (જગ્યા-) લેવાની વૃત્તિવાળા જીવપુદ્ગલોને અવગાહ(જગ્યા) આપવાનું કામ, તેમાં સહાયક થવાનું કામ કરવામાં આકાશાસ્તિકાય અપેક્ષા કારણ છે. આકાશાસ્તિકાય બધાં દ્રવ્યોને અવગાહ આપે છે અને બધાં Page #164 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૫-સૂત્ર-૧૯ ૧૩૯ દ્રવ્યો તેમાં અવગાહીને રહે છે. તેથી આકાશ એ આધાર દ્રવ્ય છે. અને શેષ ચારે આધેય દ્રવ્યો છે. ૫-૧૮. ૫-૧૯ शरीरवाङ्मनःप्राणापानाः पुद्गलानाम् શરીરવાડ્મનઃપ્રાણાપાનાઃ પુદ્ગલાનામ્ શરીર-વાડ્-મનઃ-પ્રાણ-અપાનાઃ પુદ્ગલાનામ્ ૫-૧૯ ૫-૧૯ સૂત્રાર્થ-શરીર-વાચા-મન-પ્રાણ અને અપાન એ પુદ્ગલાસ્તિકાયનો ઉપકાર છે.૫-૧૯. ભાવાર્થ-જીવોને પ્રાપ્ત થતી ઔદારિકાદિ શરીરની રચના એ પુદ્ગલોનો ઉપકાર છે. વાચા રૂપે (ભાષા રૂપે) મન રૂપે અને શ્વાસઉચ્છ્વાસ રૂપે આ જીવ પુદ્ગલોનું ગ્રહણ-મોચન જે કરે છે. તે સર્વે પુદ્ગલાસ્તિકાયનો ઉપકાર છે. જો પુદ્ગલોની આવી સહાય ન હોત તો આ જીવ સંસારીજીવન જીવી શક્ત જ નહીં. કારણ કે પુદ્ગલોની સહાય દ્વારા જ આ સર્વે કાર્યો થાય છે. શરીર, ઇન્દ્રિયો, ભાષા, મન, અને શ્વાસોચ્છ્વાસ આ સર્વ સામગ્રી પુદ્ગલસ્વરૂપ છે. અને તેની સહાયતાથી જ સંસારી જીવન જીવાય છે. કોઈપણ કાર્ય કરવામાં બે જાતનાં કારણો હોય છે. ઉપાદાનકારણ અને નિમિત્તકારણ. જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણામ પામે તે ઉપાદાનકારણ. જેમ કે ઘટ બનાવવામાં માટી. અને જે કારણો કાર્ય કરીને નિવૃત્તિ પામે તે નિમિત્તકારણ. જેમ કે ઘટ બનાવવામાં દંડ, ચક્ર, કુલાલાદિ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અધ્યાય : પ-સૂત્ર-૨૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર અહીં શરીર-ભાષા-મન-પ્રાણ-અપાન વગેરરૂપે જે પુદ્ગલોની સહાય આ જીવને છે. તે સર્વે નિમિત્ત કારણો છે. પ-૧૯. સુરવદનીવિત રોપ પ-૨૦ સુખદુઃખજીવિતમરણોપગ્રહાશ્ચ ૫-૨૦ સુખ-દુઃખ-જીવિત-મરણ-ઉપગ્રહાઃ ચ પ-૨૦ સૂત્રાર્થ- સુખ-દુઃખ-જીવન-અને મરણમાં પણ પુગલો નિમિત્ત બને છે. પ-૨૦. ભાવાર્થ- સાંસારિક સુખ-દુ:ખ-જીવન અને મરણાદિ કાર્યોમાં પણ પુદ્ગલોની જ સહાયકતા છે. સંસારી સારું-નરસું તમામ જીવન પુદ્ગલોની સહાય ઉપર જ ગોઠવાયેલું છે. ગાડી-વાડી-બંગલા-મેવા-મીઠાઈ-અલંકારો-વસ્ત્રો ઈત્યાદિ પુદ્ગલો સુખમાં સહાયક છે. પત્થર વાગવો, ઠેસ વાગવી, ગાડી વગેરેની સાથે અથડામણ થવી, અપથ્ય ભોજન ઈત્યાદિ પુગલો દુઃખમાં સહાયક છે. જીવન જીવવામાં આહાર-પાણીવસ્ત્ર-પાત્ર ઈત્યાદિ પુદ્ગલ દ્રવ્યો સહાયક છે. ઝેર પીવું અથવા દુષ્ટ વ્યસનો એ મૃત્યુમાં સહાયક છે. આ રીતે જીવને સુખદુઃખમાં પુદ્ગલોની ઉપકારકતા છે. ઓગણીસમા સૂત્રમાં કહેલી પુદ્ગલોની ઉપકારકતા આત્મપ્રદેશોની સાથે એકમેક થઈને છે. અને વીસમા સૂરમાં કહેલી પુગલોની ઉપકારકતા આત્મપ્રદેશોથી ભિન્ન રહીને છે. એક ઉપકારકતા અભેદરૂપ છે જ્યારે બીજી ઉપકારકતા ભેદરૂપ છે. તેથી જ પુદ્ગલાસ્તિકાયની ઉપકારકતા માટે ગ્રંથકારે બે સૂત્રો જુદાં કર્યા છે. પ-૨૦. Page #166 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૫-સૂત્ર-૨૧-૨૨ ૧૪૧ પરસ્પરોપગ્રહો નીવાનામ્ પ-૨૧ પરસ્પરોપગ્રહો જીવાનામ્ પ-૨૧ પરસ્પર-ઉપગ્રહ: જીવાનામ્ પ-૨૧ સૂત્રાર્થ-એક જીવને બીજા જીવો પરસ્પર ઉપગ્રહ (દુઃખ-સુખમાં નિમિત્તભૂત) થનાર છે. પ-૨૧. ભાવાર્થ-જીવો એક-બીજાને પરસ્પર ઉપકારક-સહાયક છે. પિતા પોતે પુત્રાદિ પરિવારનું પાલન-પોષણ કરવા રૂપે ઉપકારક છે. અને પુત્રાદિ પરિવાર પિતાદિનું વિનયપૂર્વક સેવા-ભક્તિ કામકાજ કરવા દ્વારા ઉપકાર કરે છે. શેઠ પોતે સેવકોને પગાર આપવા દ્વારા ઉપકાર કરે છે. અને સેવકો શેઠનું કામકાજ કરવા દ્વારા ઉપકાર કરે છે. આ જ રીતે મિત્રમંડલીમાં, ગુરુશિષ્યમાં, સગાંસ્નેહીઓમાં તથા સાંસારિક તમામ સંબંધોમાં પરસ્પર ઉપકારકતા જાણવી. પ-૨૧. વર્તિનાપરિક્રિયાપરવાપરત્વે ર નિર્ચ પ-૨૨ વર્તનાપરિણામક્રિયા-પરવાપરત્વે ચ કાલસ્ય પ-ર વર્તના-પરિણામ-ક્રિયા-પરત્વ-અપરત્વે ચ કાલચ પ-૨૨ સૂત્રાર્થ- વર્તના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ આ સર્વે કાલદ્રવ્યનો ઉપકાર છે. પ-૨ ૨. ભાવાર્થ-ગ્રંથકારશ્રીનો આશય એવો છે કે ધર્મ-અધર્મજીવ-પુદ્ગલ અને આકાશ એ પાંચ જ દ્રવ્યો છે કાલ એ દ્રવ્ય Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ અધ્યાય : ૫-સૂત્ર-૨૧-૨૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર નથી. કાલ એ તો જીવ, પુદ્ગલોના પર્યાયરૂપ છે. દ્રવ્યો તો માત્ર પાંચ જ છે. પરંતુ બીજા કેટલાક આચાર્યો કાલને પણ દ્રવ્ય માને છે. જે આગળ આડત્રીસમા સૂત્રમાં કહેવામાં આવશે. તેથી ઔપચારિક એવા કાલદ્રવ્યનો પણ ઉપકાર આ પ્રસંગે સમજાવે છે. વર્તના-પરિણામ-ક્રિયા ઈત્યાદિ ભાવોમાં ઔપચારિક કાલદ્રવ્યની ઉપકારકતા છે. વર્તન-વર્તવું. કોઈ પણ દ્રવ્ય વિવક્ષિત પર્યાયમાં વર્તે છે. એમ જે કહેવાય છે. તે કાલની સહાયકતા છે. જેમ કે અમે મનુષ્ય છીએ” એટલે કે “મનુષ્યપણાની વર્તના” એ કાલથી જ મપાય છે. “હું સામાયિકમાં છું.” સમતાભાવનો પર્યાય એ પણ ૪૮ મીનીટમાં કાલથી જ મપાય છે. આ રીતે કોઇપણ પર્યાયમાં વર્તવા સ્વરૂપ વર્તના બતાવવી એ કાલદ્રવ્યની ઉપકારકતા જાણવી. પરિણામ-પર્યાય, પરિવર્તન, દરેક દ્રવ્યોનાં પરિવર્તનો થવામાં પણ કાલ એ ઉપકારક છે. ઠંડી શીયાળામાં જ પડે, ગરમી ઉનાળામાં જ પડે, આંબા ગરમીમાં જ પાકે, વરસાદ ચોમાસામાં જ આવે. આ બધા જગતના ભાવોના પરિવર્તન સ્વરૂપ પરિણામોમાં કાલદ્રવ્યનો ઉપકાર છે. ક્રિયા-ગમનાગમનાદિ કોઈપણ ક્રિયા કરવામાં જેટલો સમય જાય છે. તે કાલની સહાયતા છે. પરવાપરત્વ-નાના-મોટાપણું એ પણ કાલની અપેક્ષાએ કહેવાય છે. પંદર વર્ષની ઉંમરવાળા કરતાં ૨૦ વર્ષની Page #168 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૨૩ ૧૪૩ ઉંમરવાળો મોટો છે. અને ૨૦ વર્ષની ઉંમરવાળા કરતાં ૧૫ વર્ષની ઉંમરવાળો નાનો છે. એવી જ રીતે આ વસ્તુ જુની છે અને આ વસ્તુ નવી છે ઈત્યાદિમાં કાલની અપેક્ષા રહેલી છે. આ પ્રમાણે ક્ષેત્રકૃત અને પ્રશંસાકૃત પરત્વ-અપરત્વ છોડીને શેષ પરત્વાપરત્વમાં કાલ દ્રવ્યની ઉપકારક્તા જાણવી. આ રીતે મૂલ પાંચ દ્રવ્યોની તથા છઠ્ઠા ઉપચરિત કાલદ્રવ્યની ઉપકારકતા સમજાવી. પ-૨૨. પરસાન્શિવવન્તઃ પુના: પ-૨૩, સ્પર્શરસગર્ધવર્ણવન્તઃ પગલાઃ ૫-૨૩ સ્પર્શ-રસ-ગધ-વર્ણવન્તઃ પગલાઃ પ-૨૩ સૂત્રાર્થ-પગલો વર્ણ-ગંધરસ અને સ્પર્શવાળાં છે. પ-૨૩. ભાવાર્થ-કોઈ પણ પુદ્ગલ દ્રવ્યમાત્ર વર્ણ-ગંધ-રસ અને સ્પર્શવાળું જ હોય છે. પરમાણુથી માંડીને અનંતાનંતપ્રદેશી ઢંધો સુધીનું સમસ્ત પુદ્ગલ દ્રવ્ય આ ચાર ગુણો યુક્ત જ છે. તેથી પુદ્ગલદ્રવ્ય રૂપી છે. આ વર્ણાદિવાળાપણું પરમાણુએ પરમાણુએ હોવાથી સ્વાભાવિક લક્ષણ છે. કોઈપણ પુદ્ગલ દ્રવ્ય એવું નથી કે જેમાં વર્ણાદિ ચાર ગુણો ન હોય. તથા વર્ણાદિ ગુણો પણ પુગલદ્રવ્યમાં જ હોય છે. અન્ય દ્રવ્યોમાં વર્ણાદિ ગુણો હોતા નથી. એમ અન્વય-વ્યતિરેકથી આ લક્ષણ જાણવું. જેથી તે સ્વાભાવિક લક્ષણ કહેવાય છે. પરંતુ નિયાયિક આદિ દર્શનકારો વાયુમાં ફક્ત એક ૧ સ્પર્શ, તેજમાં રૂપ અને સ્પર્શ એમ ૨, Page #169 -------------------------------------------------------------------------- ________________ - - ૧૪૪ અધ્યાય : ૫-સૂત્ર-૨૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર જળમાં રૂપ, રસ અને સ્પર્શ એમ ૩ અને પૃથ્વીમાં રૂપાદિ ૪, ગુણો માને છે તે બરાબર નથી. પ-૨૩. શબ્દ-વન્ધ-સૌરાસ્થૌસંસ્થાનभेदतमश्छायातपोद्योतवन्तश्च પ-૨૪ શબ્દબંધસૌમ્યસ્થૌલ્યસંસ્થાનભેદતમછાયાતપોદ્યોતવન્તશ્ય ૫-૨૪ શબ્દ-બંધ-સૌમ્ય-સ્થૌલ્ય-સંસ્થાનભેદ-તમઃ-છાયા-આતપ-ઉદ્યોતવન્ત:ચ ૫-૨૪ સૂત્રાર્થ- શબ્દ-બંધ-સૌમ્ય-સ્થૌલ્ય-સંસ્થાન-ભેદઅંધકાર-છાયા-આતપ અને ઉદ્યોતધર્મવાળાં પણ પુગલો જ હોય છે. પ-૨૪. ભાવાર્થ-પગલાસ્તિકાય દ્રવ્ય શબ્દાદિ પરિણામવાળું છે. જે શબ્દ, બંધ, સૂક્ષ્મતા અને સ્કૂલતા વગેરે પરિણામો દેખાય છે તે પરિણામો પુદ્ગલદ્રવ્યમાં જ હોય છે. પુદ્ગલદ્રવ્ય જ તે તે ભાવે પરિણામ પામે છે. આ વૈભાવિક લક્ષણ છે કારણ કે કોઈક પુદ્ગલસ્કંધો શબ્દરૂપે, કોઈક પુદ્ગલસ્કંધો સૂક્ષ્મરૂપે, અને કોઈક પુગલસ્કંધો સ્થૂલરૂપે પરિણામ પામે છે. અને તે પણ અમુક કાલ સુધી જ તે રૂપે હોય છે. સદા તે રૂપે હોતા નથી. આ રીતે સર્વપુદ્ગલ દ્રવ્યોમાં વ્યાપ્ત ન હોવાથી અને સર્વકાલવર્તી ન હોવાથી આ વૈભાવિક લક્ષણ છે. ૨૩મા સૂત્રમાં સ્વાભાવિક લક્ષણ છે. અને ૨૪મા સૂત્રમાં વૈભાવિક લક્ષણ છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૨૪ શબ્દ- ભાષારૂપે બોલાતાં પુગલો. વાજીંત્રનો અવાજ, ગર્જારવ ઈત્યાદિ પુદ્ગલનો ધર્મ છે. પરંતુ કેટલાક આકાશનો ગુણ માને છે. તે બરાબર નથી. તે શબ્દ તત, વિતત, ઘન, શુષિર, સંઘર્ષ અને ભાષા એમ છ પ્રકારે હોય છે. બંધ - પરસ્પર ચોંટી જવું, જોડાવું, બંધાઈ જવું, એકમેક થઈને પિંડરૂપે બનવું. જેમ કે રોટલીનો બાંધેલો લોટ, લાડવો. ઈત્યાદિ. પ્રયોગજન્ય, વિશ્રસા અને મિશ્ર એમ આ બંધ ત્રણ પ્રકારે છે. સૌમ્ય - સૂક્ષ્મપણું-નાનાપણું - એ પણ પુદ્ગલધર્મ છે. જેમ કે માટલી કરતાં ઘટ નાનો, ઘટ કરતાં લોટો નાનો, લોટા કરતાં ગ્લાસ, ગ્લાસ કરતાં બોર અને બોર કરતાં રજકણ નાનો છે. આ નાનાપણું પુદ્ગલનો ધર્મ છે. આ સૂક્ષ્મતા અન્ય અને અપેક્ષિત એમ બે પ્રકારની છે. અન્યસૂક્ષ્મતા પરમાણમાં અને આપેક્ષિકસૂક્ષ્મતા ચણકાદિમાં હોય છે. સ્થૌલ્ય -મોટાપણું એ પણ પુગલનો ધર્મ છે. ઉપરનું જ દૃષ્ટાન્ત ઉલટી રીતે જોડવાથી મોટાપણું સમજાય છે. આવી સૂક્ષ્મતા અને સ્થૂલતા પુદ્ગલ દ્રવ્યમાં જ હોય છે. સ્થૂલતા પણ ઉપર મુજબ અન્ય અને આપેક્ષિક એમ બે પ્રકારની છે. સંસ્થાન- આકાર- ગોળ-ત્રિકોણ -ચતુષ્કોણ ઈત્યાદિ આકારો ૧૦. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ અધ્યાય : ૫-સૂત્ર-૨૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર પણ પુદ્ગલમાં જ હોય છે. અને તે અનેક પ્રકારના હોય છે. તુટવું, ભાંગવું, ચિરા થવા, વિખેરાઈ જવું આ પણ પુલમાં જ બને છે. તે ઔત્કારિક, ચૌર્ણિક, ખંડ, પ્રતર અને અનુતટ એમ પાંચ પ્રકારે છે. અંધકાર- અંધારું એ પણ કૃષ્ણવર્ણવાળાં પુદ્ગલો જ છે. " પરંતુ તેજના અભાવ માત્ર રૂપ આ અંધકાર નથી. છાયા - પડછાયો-પ્રતિબિંબ-ફોટો એ પણ પુદ્ગલદ્રવ્ય જ છે. આતપ - સૂર્યનો પ્રકાશ. તેજ-તડકો એ પણ પુદ્ગલનો ધર્મ છે. ઉદ્યોત - ચંદ્રનો પ્રકાશ. ચાંદની કે જે આલ્હાદજનક અને શીતળ છે. એ પણ પુદ્ગલપરિણામ છે. ઉપરોક્ત સર્વે ભાવો પુદ્ગલદ્રવ્યના જ છે. પુદ્ગલદ્રવ્ય જ તે તે ભાવે પરિણામ પામે છે. ત્રેવીસમા સૂત્રમાં કહેલા સ્પર્ધાદિ ગુણો પરમાણુઓમાં અને કંધોમાં એમ બન્નેમાં હોય છે. અને સદા સ્વતઃ જ હોય છે. એટલે પારિણામિક ભાવવાળા છે. જ્યારે ચોવીસમા સૂત્રમાં કહેલા શબ્દાદિ ભાવો સ્કંધોમાં જ હોય છે. અનિયતકાળે હોય છે. અને અનેક નિમિત્તોથી બને છે, માટે નૈમિત્તિકભાવવાળા છે. પ-૨૪. માવ: ન્યાશ ૫-૨૫ અણવઃ સ્કન્ધાશ્ચ પ-૨૫ અણવઃ સ્કન્ધાઃ ચ પ-૨પ Page #172 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૨૬-૨૭ ૧૪૭ સૂત્રાર્થ-અણુઓ અને સ્કલ્પો એમ પુદ્ગલદ્રવ્યના બે ભેદ છે. પ-૨૫. ભાવાર્થ-પુદ્ગલાસ્તિકાય દ્રવ્યના મુખ્યત્વે બે ભેદ છે. અણુ અને અંધ. છેલ્લામાં છેલ્લો જે નિરંશ એવો અંશ. છેલ્લો અણુ, કે જેના બે ટુકડા જ ન થાય તે પરમાણુ કહેવાય છે. બાકીના સર્વે ચણક- aણુક-ચતુરણુક ઈત્યાદિ સ્કંધો કહેવાય છે. ઘણા પ્રદેશોનો પિંડ તે અંધ કહેવાય છે. પરમાણુ સિવાયના બાકીના શેષ સર્વે નાના-મોટા સ્કંધો જાણવા. નવતત્ત્વાદિ પ્રાકરણિક ગ્રંથોમાં સ્કંધ-દેશ-પ્રદેશ અને પરમાણુ એમ જે ચાર ભેદ આવે છે. તેમાં દેશ તથા પ્રદેશ નામના જે બે ભેદો છે તે માત્ર અપેક્ષાકૃત છે. વાસ્તવિક નથી. સ્કંધની સાથે રહેલો સવિભાજ્ય ભાગ તે દેશ અને નિર્વિભાજ્ય ભાગ તે પ્રદેશ કહેવાય છે. પ-૨૫. સંધાતમ્યઃ ૩ત્પન્ને. પ-૨૬ સંઘાતભેદેભ્યઃ ઉત્પધત્તે ૫-૨૬ સંઘાત-ભેદેભ્યઃ ઉત્પદ્યન્ત પ-૨૬ ભદાદણઃ પ-૨૭ ભેદા અણુઃ પ-૨૭ સૂત્રાર્થ-પુગલોના સ્કંધો સંઘાત, ભેદ, તથા સંઘાત અને ભેદથી થાય છે. પરંતુ અણુઓ તો માત્ર ભેદથી જ થાય છે. પ-ર૬, ૨૭. Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ અધ્યાય : પ-સૂત્ર-૨૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાવાર્થ-પુદ્ગલાસ્તિકાય દ્રવ્યમાં જે જે સ્કંધો બને છે. તે તે પ્રદેશના મીલનથી પણ થાય છે. અને પ્રદેશોના છુટા પડવાથી પણ થાય છે બે પરમાણુઓ ભેગા થઈને જે કયણુક બને તે સંઘાતથી સ્કંધ બન્યો કહેવાય. અને મોટા સ્કંધો વિખરાઈને જે નાના નાના સ્કંધો બને તે ભેદથી સ્કંધો બન્યા કહેવાય. જેમ કે અનેક સ્પેરપાર્ટી જોડવાથી ગાડી બને તે સંઘાત. હાથમાંથી કાચનો ગ્લાસ પડી જવાથી કાચના નાના નાના ટુકડા થાય તે ભેદ. અને મૂલસૂત્રમાં બહુવચન હોવાથી સંઘાત-ભેદ બન્ને સાથે પણ હોય, જેમ કે એક ટેબલ બનાવ્યું તેમાં સ્પેરપાર્ટ જોડ્યા તે સંઘાત અને લાકડુ છોલીને કે કાપીને જુદું પાડ્યું તે ભેદ. એમ ઉભયક્રિયા પણ હોય છે. એટલે (૧) સંઘાતથી, (૨) ભેદથી, અને (૩) સંઘાત-ભેદ એમ ઉભયથી આ રીતે ત્રણ પ્રકારે સ્કંધો બને છે. એમ ત્રિવિધતા જણાવવા માટે મૂલસૂત્રમાં બહુવચન છે. પરંતુ અણુઓ તો હંમેશાં મોટા સ્કંધમાંથી વિખેરાવાથી જ બને છે. જોડાવાથી બનતા નથી. કારણ કે અણુથી નાના અણુ નથી કે જેના જોડાવાથી પરમાણુ બને. નૈયાયિક-વૈશેષિકો કેવળ સંઘાતથી જ સ્કંધની ઉત્પત્તિ માને છે. તે બરાબર નથી. પ-૨૬, ૨૭. મેવાંધાતામ્યાં સાક્ષષા પ-૨૮ ભેદસંઘાતાભ્યાં ચાક્ષુષાઃ ૫-૨૮ ભેદ - સંઘાતાવ્યાં ચાક્ષુષાઃ પ-૨૮ Page #174 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉભયવડે જ બને છે. ૫-૨૮, અધ્યાય : ૫-સૂત્ર-૨૯ ૧૪૯ સૂત્રાર્થ-ચાક્ષુષ સ્કંધો ભેદ અને સંધાત એમ ભાવાર્થ-આ અધ્યાયના ૨૬મા સૂત્રમાં પુદ્ગલાસ્તિકાયના કોઈ સ્કંધો ભેદથી, કોઈ સ્કંધો સંઘાતથી અને કોઈ સ્કંધો ઉભયથી થાય છે. એમ ત્રણ પ્રકારે સંધો થાય છે. એવું કહ્યું છે. તેમાં વિશેષતા અહીં સમજાવે છે કે જે જે ચક્ષુર્ગોચર સ્કંધો છે તે તે સ્કંધો ભેદ અને સંઘાત એમ બન્ને વડે જ બને છે. એકલા ભેદથી કે એકલા સંઘાતથી બનતા નથી. કારણ કે ચાક્ષુષ સ્કંધો બાદરપરિણામી જ હોવાથી અનંતાનંત પ્રદેશોના જ બનેલા છે. તેથી કોઈ પ્રદેશોનો ભેદ અને કોઈ પ્રદેશોનો સંઘાત પ્રતિસમયે થયા જ કરે છે. તેથી ચાક્ષુષ સ્કંધો નિયમા ઉભયનિષ્પન્ન જ હોય છે. ૫-૨૮. उत्पादव्ययधौव्ययुक्तं सत् ૫-૨૯ ઉત્પાદવ્યયધ્રૌવ્યયુક્ત સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય-યુક્ત સત્૫-૨૯ ૫-૨૯ સૂત્રાર્થ-જે ઉત્પત્તિ, વ્યય અને ધ્રૌવ્ય ધર્મથી યુક્ત હોય છે તે સત્ કહેવાય છે. ૫-૨૯. ભાવાર્થ-જગતના સર્વ પદાર્થો દ્રવ્યથી અનાદિ કાળથી છે અને અનંતકાળ રહેવાવાળા જ છે. કોઈપણ દ્રવ્યનો ક્યારે પણ નાશ નથી અને ક્યારે પણ ઉત્પત્તિ નથી માટે દ્રવ્યની અપેક્ષાએ સર્વે દ્રવ્યો અનાદિ અનંત છે. અર્થાત્ ધ્રૌવ્ય છે. જેમ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ અધ્યાય : પ-સૂત્ર-૩૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર કે આ જીવદ્રવ્ય દેવ-મનુષ્ય-તિર્યંચ અને નારકી આદિ પર્યાયો ભલે પામે. પરંતુ તેમાં રહેલું જીવદ્રવ્ય કદાપિ ઉત્પન્ન થયું પણ નથી અને કદાપિ નાશ પામનાર પણ નથી. અનાદિ-અનંત-ધ્રુવ છે. છતાં તે કુટસ્થ નિત્ય નથી. અર્થાત્ એકાન્ત નિત્ય નથી. કારણ કે નવા નવા પર્યાયો પામે જ છે. જુના પર્યાયોને ત્યજે જ છે. જેમ કે એક બાલક બાલ્ય ભાવને ત્યજીને યુવાભાવને પામે છે. યુવાભાવને ત્યજીને વૃદ્ધભાવને પામે છે. સોનાનો એક હાર ભંગાવી કુંડલ બનાવતાં તે સુવર્ણ હારભાવને ત્યજે છે અને કુંડલભાવે ઉત્પન્ન થાય છે. છતાં સુવર્ણ પણે ધ્રુવ પણ રહે છે. આ પ્રમાણે પ્રતિસમયે પ્રત્યેક દ્રવ્યોમાં જુના પર્યાયરૂપે નાશ, નવા પર્યાયરૂપે ઉત્પાદ અને દ્રવ્યપણે ધ્રૌવ્ય વર્તે છે. જે આવા ત્રણ ધર્મયુક્ત હોય છે તે જ સત્ છે. અને જે સત્ છે તે ઉપરોક્ત ત્રણે ધર્મોથી અવશ્ય યુક્ત જ હોય છે. એકાન્ત એકલું નિત્ય કે એકાન્ત એકલું અનિત્ય કોઈ જ દ્રવ્ય નથી. ૫-૨૯. तद्भावाव्ययं नित्यम् ५-30 તભાવાવ્યયં નિત્યમ્ પ-૩૦ તભાવ-અવ્યય નિત્યમ્ પ-૩૦ સૂત્રાર્થ-તેવા સત્ ભાવથી યુક્ત જે છે તે નિત્ય છે. પ-૩૦. ભાવાર્થ- ન્યાય-વૈશેષિક અને સાંખ્યાદિ અન્ય દર્શનકારો આત્મા આદિ પદાર્થોને એકાન્ત નિત્ય, એટલે કે Page #176 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૩૧ ૧૫૧ કુટસ્થ નિત્ય માને છે. પરંતુ જગતુ પરિવર્તનશીલ પણ છે જ. માટે તેઓની તે માન્યતાની સામે જૈનદર્શનકાર નિત્યની વ્યાખ્યા સમજાવે છે કે ઉત્પત્તિ, વ્યય અને ધ્રૌવ્ય, આ ત્રણે ધર્મથી યુક્ત જે પદાર્થ હોય છે તે સત્ કહેવાય છે. અને આવા પ્રકારનો સપણાનો ભાવ જેમાં છે એટલે કે સત્ પણાના ભાવથી જે વ્યુત થતું નથી, વ્યય પામતું નથી તે જ નિત્ય કહેવાય છે. પૂર્વપર્યાયથી વ્યય, ઉત્તરપર્યાયથી ઉત્પાદ અને દ્રવ્યપણે ધ્રૌવ્ય આ ત્રણે ગુણવત્તાવાળું સત્પણું જેમાં છે તે નિત્ય કહેવાય છે. એમ સમજવું પરંતુ ઉત્પત્તિ અને વિનાશ વિનાનું સર્વથા સ્થિર=એક રૂપવાળું જે હોય તે નિત્ય કહેવાય છે. એમ ન સમજવું. ૫-૩૦. મર્પિતાની સિદ્ધિ પ-૩૧ અર્પિતાનર્પિતસિદ્ધઃ ૫-૩૧ અર્પિત-અનર્પિત-સિદ્ધઃ પ-૩૧ સૂત્રાર્થપ્રધાનતા અને ગૌણતાની વિવક્ષાથી ઉત્પાદાદિ ત્રણે ધર્મોની સિદ્ધિ થાય છે. પ-૩૧. ભાવાર્થ-ઉત્પત્તિ અને વ્યય એ પરિવર્તનાત્મક છે. અને ધ્રૌવ્ય એ સ્થિરતાત્મક છે. એટલે બન્ને પરસ્પર વિરોધી ધર્મો છે. તથા ઉત્પાદ અને વ્યય પણ પરસ્પર વિરોધી ધર્મો છે. તેથી એક જ દ્રવ્યમાં પ્રતિસમયે વિરોધી એવા આ ત્રણ ધર્મો કેમ ઘટી શકે ? તેનો ઉત્તર આ સૂત્રમાં છે કે જ્યારે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ અધ્યાય : પ-સૂત્ર-૩૨-૩૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર પર્યાયની અર્પણા (પ્રધાનતા-વિવક્ષા) કરવામાં આવે છે અને દ્રવ્યની અનર્પણા (ગૌણતા-અવિવક્ષા) કરવામાં આવે છે ત્યારે તે સર્વે દ્રવ્યો ઉત્પાદ-વ્યય વાળાં જ દેખાય છે. અને જ્યારે દ્રવ્યની અર્પણા (વિવક્ષા-પ્રધાનતા) કરવામાં આવે છે અને પર્યાયોની અનર્પણા (ગૌણતા-અવિવક્ષા) કરવામાં આવે છે ત્યારે તે પ્રત્યેક દ્રવ્યો ધ્રૌવ્ય જ દેખાય છે. અર્પણા અને અનપણાથી આ વાત સ્પષ્ટ સમજાય તેવી છે. સુવર્ણ દ્રવ્યનું બનાવેલું કડું ભાંગીને પુનઃ કુંડલ બનાવીએ તેમાં કડાકુંડલપણે જોઇએ તો ઉત્પાદ-વ્યય છે અને સુવર્ણપણે જોઈએ તો ધ્રૌવ્ય છે. અને આ સમસ્ત સંસારમાં સર્વે દ્રવ્યો ઉપરોક્ત સ્વરૂપવાળાં જ છે. પ-૩૧. નિરક્ષવા વન્થઃ પ-૩૨ સ્નિગ્ધરુક્ષત્પાદુ બન્ધઃ ૫-૩૨ સ્નિગ્ધ-રુક્ષત્વા બંધઃ ૫-૩૨ ન કથાપાનામ્ પ-૩૩ ન જઘન્યગુણાનામ્ પ-૩૩ ન જઘન્ય-ગુણાનામ્ પ-૩૩ સૂત્રાર્થ- સ્નિગ્ધતા અને રુક્ષતાથી પુદ્ગલોનો પરસ્પર બંધ થાય છે. પરંતુ જઘન્યગુણવાળા પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. પ-૩૨, ૩૩. * ભાવાર્થ- કોઈપણ પ્રકારનાં પુદ્ગલો બીજા પુગલોની Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૩૨-૩૩ સાથે પરસ્પર જે જોડાય છે તેને બંધ કહેવાય છે. જેમ કે રોટલીનો લોટ કે પુરીનો લોટ પિંડરૂપે જે બને છે તેને બંધ કહેવાય છે. તે બંધ થવામાં સ્નિગ્ધતા અને રુક્ષતા કારણ છે. પુદ્ગલોમાં રહેલી સ્નિગ્ધતા અને રુક્ષતાના કારણે તેઓનો પરસ્પર સંબંધ થાય છે. અને સ્કંધો બને છે. આ સ્નિગ્ધતા અને રુક્ષતા દરેક યુગલ પરમાણુઓમાં ઓછી-વધતી હોય છે. અર્થાત્ હીનાધિકપણે તરતમતાવાળી હોય છે. જેમકે (૧) પાણી, (૨) બકરીનું દૂધ, અને (૩) ભેંસનું દૂધ અધિક અધિક સ્નિગ્ધતાવાળું છે. એવી જ રીતે ધૂળ-ફોતરાં અને રેતીમાં અધિક અધિક રુક્ષતા હોય છે. આ પ્રમાણે સર્વ પુદ્ગલોમાં જાણવું. ઓછામાં ઓછી સ્નિગ્ધતાને જઘન્યસ્નિગ્ધતા કહેવાય છે. અર્થાત્ એકગુણ-સ્નિગ્ધતા પણ કહેવાય છે. એવી જ રીતે ઓછામાં ઓછી રુક્ષતાને જઘન્યરુક્ષતા કહેવાય છે. અર્થાત્ એકગુણરુક્ષતા કહેવાય છે. આવા પ્રકારની જઘન્ય સ્નિગ્ધતા અને જઘન્યરુક્ષતા ગુણવાળાં પુગલોનો કોઈ પણ પુગલો સાથે બંધ થતો નથી. કારણ કે બંધ થવામાં જેટલી સ્નિગ્ધતા અને જેટલી રુક્ષતા જોઈએ તેટલી તેમાં નથી. માટે જઘન્ય સ્નિગ્ધતા અને જઘન્યરુક્ષતા ગુણવાળાં પુદ્ગલોનો કોઇની પણ સાથે બંધ થતો નથી. પરંતુ અધિક સ્નિગ્ધતા અને અધિક રુક્ષતાવાળા પુદ્ગલોનો જ પરસ્પર બંધ થાય છે. પ-૩૨, ૩૩. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૫-સૂત્ર-૩૪-૩૫ गुणसाम्ये सदृशानाम् ગુણસાગ્યે સદેશાનામ્. ગુણ-સામે સદશાનામ્ ૫-૩૪ ૫-૩૪ ૫-૩૪ િિાવિાઈIનાં તુ પ-૩૫ ત્યધિકાદિગુણાનાં તુ પ-૩૫ | દ્વિ-અધિક-આદિ-ગુણાનાં તુ પ-૩૫ સૂત્રાર્થ - સમાન ગુણ હોતે છતે સદેશ પુદ્ગલોનો બંધ થતો નથી પરંતુ સદશપુદ્ગલોમાં બે અધિક આદિમાં બંધ થાય છે. પ-૩૪-૩૫. ભાવાર્થ- સ્નિગ્ધતા ગુણ કે રુક્ષતા ગુણની સામ્યતા (સમાનતા) હોતે છતે સદેશ યુગલોનો પરસ્પર બંધ થતો નથી. જે પગલોમાં જેટલી સ્નિગ્ધતા હોય તેટલી જ સ્નિગ્ધતાવાળાં પુદ્ગલો જો સામે આવે તો તે બન્ને સમાન સ્નિગ્ધતાવાળાં પુદ્ગલોનો પરસ્પર બંધ થતો નથી. એવી જ રીતે સમાનરુક્ષતા ગુણવાળા પુદ્ગલોનો સમાનરુક્ષતા ગુણવાળા પુદ્ગલો સાથે બંધ થતો નથી. જેમકે ૧૦ ગુણ સ્નિગ્ધતા ગુણવાળા પુદ્ગલોનો ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલોની સાથે બંધ થતો નથી. એવી જ રીતે રુક્ષપુદ્ગલોનો સમાન રુક્ષતાવાળા પુદ્ગલો સાથે બંધ થતો નથી. પરંતુ ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળા પુદ્ગલોનો ૧૦ ગુણ રુક્ષતાવાળા પુદ્ગલોની સાથે ગુણની સામ્યતા હોવા છતાં પણ સદશપુદ્ગલો ન હોવાથી અર્થાત્ વિજાતીય હોવાથી બંધ થાય જ છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૩૪-૩૫ ૧૫૫ એવી જ રીતે સદશપુદ્ગલોમાં બે અધિક આદિ ગુણોવાળાં પુદ્ગલો હોય તો અવશ્ય બંધ થાય છે. જે પુદ્ગલોમાં ગુણ સંદશતા (રુક્ષની સામે રુક્ષ, અને સ્નિગ્ધની સામે સ્નિગ્ધ પુદ્ગલો) છે. ત્યાં બે ગુણથી અધિક હોય તો જ બંધ થાય છે. એક ગુણ અધિક હોય કે સમાનતા હોય તો બંધ થતો નથી. એટલે કે સમાન હોય તો બંધ થતો નથી એ વાત ૩૪મા સૂત્રમાં કહી જ છે પરંતુ એક ગુણ અધિક હોય તો પણ બંધ થતો નથી એ વાત આ ઉપમા સૂત્રમાંથી નીકળે છે. બે-ત્રણ-ચાર-પાંચ અધિક હોય તો જ બંધ થાય છે. જેમકે ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળાનો ૧૦ ગુણ સ્નિગ્ધતાવાળા સાથે કે ૧૧-૯ ગુણ સ્નિગ્ધતાવાળા સાથે બંધ થતો નથી. પણ ૧૨ ગુણ અધિક, ૧૩ ગુણ અધિક, ૧૪ ગુણ અધિક સ્નિગ્ધતાવાળા સાથે બંધ થાય છે. એવી જ રીતે ૧૦ ગુણ રુક્ષતાવાળા પુગલોનો ૧૦ ગુણ કે ૧૧ ગુણ કે ૯ ગુણ રુક્ષતાવાળા પુદ્ગલો સાથે બંધ થતો નથી. પરંતુ ૧૨-૧૩-૧૪-૧૫ આદિ ગુણ રુક્ષતાવાળા પુદ્ગલો સાથે જ બંધ થાય છે. આ રીતે સમાનમાં અને એકાધિકમાં બંધ ન થાય પરંતુ બે-ત્રણ-ચાર અધિકમાં બંધ થાય છે. પરંતુ આ નિયમ સદેશ પુદ્ગલોમાં જ લાગે છે. પરંતુ વિજાતીય પુદ્ગલો હોય ત્યાં આ નિયમ લાગુ પડતો નથી. એટલે રુક્ષની સામે સ્નિગ્ધ અને સ્નિગ્ધની સામે રુક્ષ પુદ્ગલો જો હોય તો ૧૦ ગુણવાળાનો ૧૦ ગુણવાળા સાથે પણ બંધ થાય અને ૧૦ ગુણવાળાનો ૧૧ ગુણવાળા સાથે પણ બંધ થાય છે. માટે ઉપરના નિયમો સદશમાં જ સમજવા. સદશાનામ્ આ શબ્દની અનુવૃત્તિ ૩પમા સૂત્રમાં પણ લઈ જવી પ-૩૪, ૩૫. Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧પ૬ અધ્યાય : ૫-સૂત્ર-૩૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર વચ્ચે સમાધૌ પરિમિ ૫-૩૬ બધે સમાધિક પારિણામિક પ-૩૬ બધે સમ-અધિકૌ પારિણામિક ૫-૩૬ સૂત્રાર્થ-પુદ્ગલોનો પરસ્પર બંધ થયે છતે સમાન અથવા જે અધિક પરિણામ હોય તે ગુણ વ્યાપ્ત બને છે. પ-૩૬. ભાવાર્થ-પુદ્ગલોનો પરસ્પર બંધ થયા પછી આખા સ્કંધમાં સમાન અથવા અધિક જે ગુણ હોય તે ગુણનો પરિણામ વ્યાપ્ત બને છે. જેમકે એક સ્કંધ ત્રિગુણસ્નિગ્ધતાવાળો હોય અને બીજો સ્કંધ પંચગુણ ષગુણ-સતગુણ સ્નિગ્ધતાવાળો હોય તો બંધ થયા પછી આખા સ્કંધમાં પંચગુણ-પગુણ-સગુણ સ્નિગ્ધતા વ્યાપે છે. એટલે કે સમાન ગુણમાં (સ્નિગ્ધની સામે સ્નિગ્ધમાં અને રુક્ષની સામે રુક્ષમાં) જે અધિક ગુણ હોય છે તે જ ગુણ હીનસ્નિગ્ધતાવાળામાં અને હીનરુક્ષતા વાળામાં પણ વ્યાપે છે. એવી જ રીતે ત્રિગુણરુક્ષતા વાળાનો બંધ પંચ-પત્ ગુણાદિવાળા રુક્ષની સાથે થાય તો આખા સ્કંધમાં પંચપગુણવાળી રુક્ષતા વ્યાપે છે. હવે સ્નિગ્ધનો રુક્ષની સાથે અને રુક્ષનો નિગ્ધની સાથે એમ જો બંધ થાય તો જે અધિક હોય તે પરિણામ થાય છે. જો રુક્ષતા અધિક હોય તો. સ્નિગ્ધગુણવાળા પરમાણુઓ રુક્ષતાવાળા બને છે અને સ્નિગ્ધતા જો અધિક હોય તો રુક્ષગુણવાળા પરમાણુઓ સ્નિગ્ધગુણવાળા બને છે. આ પ્રમાણે Page #182 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૩૭-૩૮ ૧૫૭ પુદ્ગલોના બંધનું સ્વરૂપ સમજાવ્યું. રપમાં સૂત્રમાં અણુ અને સ્કંધ કહ્યા છે. તેથી અણુઓના મીલનથી અંધ બને છે. તેમાં સ્નિગ્ધતા અને રુક્ષતા કારણ છે. તેથી સ્નિગ્ધતા અને રુક્ષતાનું આ વર્ણન કર્યું છે. એમ જાણવું. પ-૩૬. TUપર્યાયવત્ દ્રવ્યમ્ ૫-૩૭ ગુણપર્યાયવ દ્રવ્યમ્ ૫-૩૭ ગુણ-પર્યાયવ દ્રવ્યમ્ પ-૩૭ સૂત્રાર્થ-ગુણ અને પર્યાયવાળો જે પદાર્થ છે. તે દ્રવ્ય કહેવાય છે. પ-૩૭. ભાવાર્થ- દ્રવ્યની સાથે સદા રહે તે ગુણ, અને દ્રવ્યમાં આવે અને જાય તે પર્યાય. એટલે કે સહવર્તી ધર્મ તે ગુણ અને ક્રમવર્તી ધર્મ તે પર્યાય. સહભાવિત્વ એ ગુણનું અને ક્રમભાવિત્વ એ પર્યાયનું લક્ષણ છે. જેમ કે જ્ઞાન-દર્શનચારિત્રાદિ જે છે તે ગુણ. અને દેવ-નરક-તિર્યંચાદિ જે અવસ્થા છે તે પર્યાય. આ જીવના ગુણપર્યાય કહ્યા. એવી જ રીતે વર્ણગંધ-રસ અને સ્પર્શ એ પુદ્ગલના ગુણ. અને પૂરણ – ગલન અથવા ઘટ-પટ અવસ્થા તે પર્યાય સમજવા. આ ગુણ અને પર્યાયો જેમાં વર્તે છે તે દ્રવ્ય કહેવાય છે. ગુણ અને પર્યાયોનો જે આધાર છે તે ધર્માદિ પાંચ દ્રવ્ય કહેવાય છે. પ-૩૭. कालश्चेत्येके કાલÀત્યેકે પ-૩૮ ૫-૩૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧પ૮ અધ્યાય : ૫-સૂત્ર-૩૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર કાલઃ ચ ઇતિ એકે પ-૩૮ સૂત્રાર્થ-કાલ એ પણ દ્રવ્ય છે. એમ કેટલાક આચાર્યો માને છે. પ-૩૮. ભાવાર્થ-ગુણ અને પર્યાયવાળો જે પદાર્થ, અર્થાત્ તે બન્નેના આધારભૂત જે પદાર્થ તે જ દ્રવ્ય કહેવાય છે. આવું દ્રવ્યનું લક્ષણ ૩૭મા સૂત્રમાં કરવામાં આવ્યું છે. તે લક્ષણ ધર્મઅધર્મ-આકાશ-જીવ અને પુદ્ગલ એમ પાંચ દ્રવ્યમાં લાગુ પડે છે. પરંતુ કાળ દ્રવ્યમાં આ લક્ષણ લાગુ પડતું નથી માટે કાલ નામનું દ્રવ્ય નથી. તેથી ગ્રંથકાર શ્રી જણાવે છે કે કાલ એ પણ દ્રવ્ય છે એમ બીજા કેટલાક આચાર્યો માને છે. શાસ્ત્રોમાં છ દ્રવ્યો કહ્યાં છે તે સંખ્યાની પૂર્તિ અર્થે અન્ય આચાર્યો કાલને પણ દ્રવ્ય માને છે. વાસ્તવિકપણે જીવ અને અજીવના વર્તના આદિ જે પર્યાયો છે તે કાલ છે. જેમ કે જીવનું “મનુષ્યપણે વર્તવું” તે વર્તનને કાલ કહેવાય છે. તે વર્તનાને માપવા માટે સૂર્ય-ચંદ્રની ગતિજન્ય રાત્રિ-દિવસ એ સાધન માત્ર છે. જીવઅજીવના પર્યાય સ્વરૂપ કાલમાં દ્રવ્યનો ઉપચાર કરવામાં આવે છે. તેથી કાલ એ ઉપચરિત દ્રવ્ય છે. પારમાર્થિક સ્વતંત્ર દ્રવ્ય નથી. આવો ગ્રંથકારશ્રીનો અભિપ્રાય છે. આ સૂટ-રચના શ્વેતામ્બર આમ્નાયતા સિદ્ધ કરે છે. પ-૩૮. સોગનન્તસમય: સોનત્તસમય: ૫-૩૯ ૫-૩૯ Page #184 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૩૯-૪૦ ૧૫૯ સઃ અનન્તસમયઃ પ-૩૯ સૂત્રાર્થ-તે કાલદ્રવ્ય અનત્તસમય પ્રમાણ છે. પ-૩૯. ભાવાર્થ- ભૂતકાલ અનન્તો ગયો છે. ભવિષ્યકાલ અનન્તો આવવાનો છે તે તમામ કાલના જો અવિભાજ્ય અંશો કરવામાં આવે તો અનન્તા થાય છે. તે અનંતા અવિભાજ્ય અંશોને જ સમય કહેવાય છે. આંખના એક પલકારામાં પણ આવા અસંખ્ય સમય પસાર થાય છે. તો ત્રણે કાલના મળીને અનંતા સમયો થાય તેમાં શું આશ્ચર્ય? ભાલાથી સો કમલને વિંધવાના દૃષ્ટાંતથી, વસ્ત્રને તુરત ફાડવામાં તન્તને તુટવાના દૃષ્ટાંતથી, અને પ્લેનની ૧ ફૂટ અને વાંચની ગતિના ઉદાહરણથી કાલના (એક સેકંડના) પણ ઘણા ભાગો થાય છે તે આપણે સ્વયં સમજી શકીએ તેમ છીએ. પ-૩૯. દ્રવ્યથા નિW TUTI: ૫-૪૦ દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણાઃ ૫-૪૦ દ્રવ્ય-આશ્રયાઃ નિર્ગુણાઃ ગુણાઃ પ-૪૦ સૂત્રાર્થ-દ્રવ્યના આશ્રયે જે રહે અને સ્વયં પોતે નિર્ગુણ હોય તે ગુણ કહેવાય છે. પ-૪૦. ભાવાર્થ-સૂત્ર-૩૭માં દ્રવ્યનું લક્ષણ કરીને હવે આ ૪૦માં સૂત્રમાં ગુણનું અને ૪૧મા સૂત્રમાં પર્યાયનું લક્ષણ કહે છે. ગુણો હંમેશાં દ્રવ્યોમાં જ વર્તે છે. દ્રવ્ય વિના Page #185 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૫-સૂત્ર-૪૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર નિરાધા૨૫ણે સ્વયં એકલા ગુણો કદાપિ હોતા નથી. જેમ કે ઘટદ્રવ્યમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ગુણો છે. આત્મદ્રવ્યમાં જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણો છે. આ પ્રમાણે દ્રવ્યના આશ્રયે જે રહે તે ગુણ કહેવાય છે. તથા દ્રવ્યમાં જેમ ગુણો છે. તેમ ગુણમાં ગુણો વર્તતા નથી. એટલે ગુણો પોતે ગુણસ્વરૂપ અવશ્ય છે. પરંતુ ગુણોમાં ગુણો આધેય રૂપે રહેતા ન હોવાથી નિર્ગુણ કહેવાય છે. આ પ્રમાણે દ્રવ્યાશ્રયત્વ અને નિર્ગુણત્વ એ ગુણનું લક્ષણ છે. ૫-૪૦. ૧૬૦ તદ્ભાવઃ પરિખામ: ૫-૪૧ તદ્ભાવઃ પરિણામઃ ૫-૪૧ તદ્ભાવઃ પરિણામઃ ૫-૪૧ સૂત્રાર્થ-તે દ્રવ્ય અને ગુણોનો જે વિકાર (જે ઉત્પાદ અને વ્યય.) તેને પર્યાય કહેવાય છે. ૫-૪૧. ભાવાર્થ-દ્રવ્યોમાં સમયે સમયે જે પરિવર્તન થાય છે. તેને પર્યાય કહેવાય છે. જેમ કે જીવદ્રવ્યમાં દેવનારકાદિ અવસ્થા, બાલ્ય-યુવા-વૃદ્ધાવસ્થા, અજીવમાં નવાજુનાપણું આ સર્વે પરિવર્તનોને પર્યાય કહેવાય છે. એવી જ રીતે દ્રવ્યના આશ્રયે ગુણોમાં જે હાનિ-વૃદ્ધિ થાય છે તે પણ પર્યાય કહેવાય છે. જેમકે જીવ દ્રવ્યમાં મતિ-શ્રુતજ્ઞાનની હાનિ-વૃદ્ધિ થાય. ઘટ-પટમાં રૂપ-રસાદિની હાનિ-વૃદ્ધિ થાય તે સર્વે પર્યાયો છે. ન્યાય, વૈશેષિક અને સાંખ્યદર્શન દ્રવ્યને Page #186 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૪૨ ૧૬૧ એકાન્ત નિત્ય માને છે. બૌદ્ધદર્શન દ્રવ્યને એકાન્ત અનિત્ય (ક્ષણિક) માને છે. જ્યારે જૈનદર્શનકાર દ્રવ્યને નિત્યાનિત્ય કહે છે. જેમકે સોનું દ્રવ્ય પોતાનું દ્રવ્યપણે કાયમ રાખીને કડા-કુંડલ રૂપે પરિવર્તન પામે છે. માટે સર્વે દ્રવ્યો નિત્યાનિત્ય છે. એટલે કે સર્વે દ્રવ્યો પર્યાયવાળાં છે. અને પર્યાયને આશ્રયી દ્રવ્યો અનિત્ય પણ છે. પ-૪૧. अनादिरादिमांश्च પ-૪૨ અનાદિરાદિમાં% પ-૪૨ અનાદિઃ આદિમાન્ ચ પ-૪૨ સૂત્રાર્થ-આ પર્યાયો અનાદિ પણ હોય છે. અને આદિવાળા (સાદિ) પણ હોય છે. પ-૪ર. ભાવાર્થઃ પર્યાયો અનાદિ અને સાદિ એમ બે પ્રકારના હોય છે. જેમકે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યની લોકાકાશપ્રમાણ જે આકૃતિ છે. તેવા પર્યાયો અનાદિ છે. મેરૂપર્વત. શાશ્વતચૈત્યો તથા શાશ્વત વિમાનો આદિ પર્યાયો હોવા છતાં પણ અનાદિ છે અને ઘટ, પટ આદિ પર્યાયો સાદિ છે. જીવમાં પણ જ્ઞાનાદિગુણ-વાળાપણું અસંખ્યાતપ્રદેશ-વાળાપણું તે અનાદિ છે. પરંતુ જ્ઞાનાદિગુણોમાં જે હાનિ-વૃદ્ધિ થાય છે તે સાદિ છે. જો કે પર્યાય પરિવર્તનાત્મક હોવાથી સાદિ જ હોય છે. તો પણ વિવફાવશથી અનાદિ અને સાદિ એમ બન્ને પ્રકારના કહેવાય છે. પ-૪૨. ૧૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ અધ્યાય : ૫-સૂત્ર-૪૩-૪૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર रूपिष्वादिमान् ५-४3 રૂપિધ્વાદિમાન્ પ-૪૩ રૂપિષ આદિમાન્ પ-૪૩ સૂત્રાર્થનરૂપી એવા પુદ્ગલાસ્તિકાય દ્રવ્યોમાં આ પર્યાયો આદિવાળા છે. પ-૪૩. ભાવાર્થ-રૂપી એવા પુદ્ગલાસ્તિકાયમાં પર્યાયો સાદિ છે. ઘટ-પટ ટેબલ-ખુરશી-ગાડી આવી પૂલ પૌત્રલિક વસ્તુઓ ઉત્પન્ન થતી અને નાશ પામતી નજરે દેખાય છે. માટે તે સર્વે પર્યાયો સાદિવાળા છે. જો કે સર્વે દ્રવ્યોના સર્વે પર્યાયો પરિવર્તનાત્મક હોવાથી સાદિ જ છે. તો પણ સ્કૂલ વ્યવહારનયથી જેના પર્યાયો આવા અનુભવાતા નથી. પ્રતિસમયમાં થતું પૂરણ-ગલન દૃષ્ટિમાં આવતું નથી. તેથી તેવા પર્યાયોને અનાદિ કહ્યા છે. જેમ કે મેરૂપર્વતની આકૃતિમાં પણ પૂરણ-ગલન હોવાથી પરિવર્તન છે. તો પણ તે પરિવર્તન વ્યવહારથી અનુભવગોચર નથી માટે અનાદિ કહેવાય છે. અને જે પુદ્ગલાસ્તિકાયના સ્કંધોમાં સઘાત અને ભેદ થતો દેખાય છે. તે પર્યાયો સાદિ કહ્યા છે. પ-૪૩. યોનોપોનો નીષ પ-૪૪ યોગોપયોગી જીવેષ પ-૪૪ યોગ-ઉપયોગી જીવેષ પ-૪૪ = Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૪૪ સૂત્રાર્થ-જીવોમાં યોગ અને ઉપયોગને આશ્રયી જે જે પર્યાયો થાય છે. તે તે પર્યાયો આદિમાન્ છે. પ-૪૪. ભાવાર્થ-મન-વચન અને કાયા એ પુદ્ગલદ્રવ્ય હોવાથી આત્માથી પરદ્રવ્ય છે. તેના નિમિત્તથી આત્મામાં પ્રદેશોનું જે હલન-ચલન થાય છે. તેને યોગ કહેવાય છે. આ યોગ પ્રતિસમયે બદલાય છે. તેથી યોગજન્ય પર્યાયો આદિમાન્ છે. અને પરદ્રવ્યાશ્રિત છે. જ્યારે જ્ઞાન-દર્શન રૂપ ચૈતન્યશક્તિનો જે વપરાશ છે. તેને ઉપયોગ કહેવાય છે. તે શક્તિની જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષયોપશમને અનુસાર પ્રતિસમયે જે હાનિ-વૃદ્ધિ થાય છે તે ઉપયોગજન્ય પર્યાયો છે અને તે પણ આદિમાન્ છે તથા સ્વદ્રવ્યાશ્રિત છે આ પ્રમાણે જીવદ્રવ્યમાં યોગજન્ય (પદ્રવ્યાશ્રિતો અને ઉપયોગજન્ય (સ્વદ્રવ્યાશ્રિત) પર્યાયો આદિમાનું છે. પ-૪૪. પાંચમો અધ્યાય સમાપ્ત Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ અધ્યાય : ૬-સૂત્ર-૧-૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર - - -- - અધ્યાય -વી-નવ યોન: ૬-૧ કાય-વા-મન કર્મ યોગઃ ૬-૧ કાય-વા-મન-કર્મ યોગઃ ૬-૧ સૂત્રાર્થ- કાયા, વચન, અને મનથી થનારી જે શુભાશુભ ક્રિયા છે. તે જ યોગ કહેવાય છે. ૬-૧. ભાવાર્થ- કાયાની (શરીરની), વાચાની (વચનની) અને મનની જે ક્રિયા (પ્રવૃત્તિ) તે યોગ કહેવાય છે. કાયાથી થતું ગમનાગમન તે કાયયોગ, વચનથી બોલાતી ભાષા તે વચનયોગ, અને મનથી થતા વિચારો તે મનોયોગ, એમ યોગ ત્રણ પ્રકારનો છે. કર્મગ્રંથાદિમાં તેના ઉત્તર ભેદો ૧૫ જણાવ્યા છે. ૬-૧. સ આશ્રd: સ આશ્રવ: સ: આશ્રવ: ૬-૨ ૬-૨ ૬-૨ शुभः पुण्यस्य 8-3 શુભઃ પુણ્યસ્ય ૬-૩ શુભઃ પુણ્યસ્ય ૬-૩ Page #190 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૪ અણુમ: પાપસ્ય ૬-૪ અશુભઃ પાપસ્ય ૬-૪ અશુભઃ પાપસ્ય ૬-૪ સૂત્રાર્થ- શુભાશુભ એવો જે યોગ છે. તેને જ આશ્રવ કહેવાય છે શુભયોગ એ પુણ્યનો આશ્રવ છે. અને અશુભયોગ એ પાપનો આશ્રવ છે. ૬-૨,૩,૪. ૧૬૫ ભાવાર્થ- તે મન-વચન અને કાયાના યોગને જ આશ્રવ કહેવાય છે. કારણ કે તે ત્રણે પ્રકારની યોગાત્મક પ્રવૃત્તિઓથી આ જીવમાં કર્મો આવે છે. જેનાથી કર્મો આવે તે આશ્રવ કહેવાય. મન-વચન અને કાયાનો જે શુભયોગ છે. તે પુણ્યનો આશ્રવ છે. અને જે અશુભયોગ છે. તે પાપનો આશ્રવ છે. જેમ મનથી સારા વિચારો કરવા, સ્વાધ્યાય કરવો, તત્ત્વચિંતન કરવું, સ્વ અને પરનું હિત વિચારવું તે મનનો શુભયોગ. સારૂં બોલવું, કોઇને તત્ત્વ સમજાવવું, કષાયોથી અટકાવવા હિતશિખામણ આપવી, તે વચનનો શુભયોગ અને કાયાથી પરનું હિત કરવું, દેવ-ગુરુ-ધર્મની પૂજા-સેવા-ભક્તિ કરવી, માંદા માણસોની વૈયાવચ્ચ કરવી, તીર્થ યાત્રાદિ શુભ કાર્યો કરવાં તે કાયાનો શુભયોગ, આ ત્રણે શુભયોગોથી ૪૨ પ્રકારે પુણ્યનો આશ્રવ થાય છે. તથા મનમાં બીજાનું અશુભ વિચારવું, વચનથી મેણાંવ્યંગ, કટાક્ષ, અને આવેશવાળાં વચનો બોલવાં, તથા કાયાથી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ અધ્યાય : ૬-સૂત્ર-૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર મારામારી કરવી, ચોરી કરવી, દૂરાચાર સેવવા, આ ત્રણે અશુભ યોગો છે અને તેનાથી પાપનો આશ્રવ થાય છે. શુભયોગ એ પુણ્યનો અને અશુભયોગ એ પાપનો આશ્રવ છે. ૬-૨,૩,૪. સષા#િષાયોઃ સાપરીયશ્નપથયો. ૬-૫ સકષાયાકષાયયોઃ સામ્પરાયિકેર્યાપથયોઃ ૬-૫ સકષાય-અકષાયયોઃ સામ્પરાયિક-ઈર્યાપથયોઃ ૬-૫ સૂત્રાર્થ-સકષાય (કષાયવાળા) જીવોનો જે આશ્રવ તે સામ્પરાયિક આશ્રવ કહેવાય છે. અને અકષાય (કષાય વિનાના) જીવોનો જે આશ્રવ તે ઇર્યાપથિક આશ્રવ કહેવાય છે. ૬-૫. ભાવાર્થ:- ૧થી૧૦ ગુણસ્થાનકવાળા જીવોનો મનવચન-કાયાનો જે યોગ છે તે સકષાય (કષાયવાળો) યોગ છે એટલે તેનાથી થતા આશ્રવને સામ્પરાયિક આશ્રવ કહેવાય છે. કારણ કે સંપરાય એટલે કષાય, તે વાળો જે આશ્રવ તે સામ્પરાયિક આશ્રવ સમજવો. સાપરાયિક આશ્રવમાં પ્રકૃતિસ્થિતિ-રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારનો કર્મ બંધ થાય છે. અને ઇર્યાપથિક આશ્રવમાં માત્ર પ્રકૃતિ અને પ્રદેશ એમ બે જ પ્રકારનો કર્મ બંધ થાય છે. તથા ૧૧-૧૨ અને ૧૩માં ગુણઠાણાવર્તી જે જીવો છે. તે કષાય વિનાના છે, એટલે અકષાયી કહેવાય છે. તે જીવોની મન-વચન અને કાયાની જે પ્રવૃત્તિ તે અકષાયી Page #192 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૬૭ યોગ છે તેથી તે આશ્રવને ઇર્યાથિક આશ્રવ કહેવાય છે. ઇર્યા એટલે ચાલવું, પથ એટલે માર્ગ. સંયમમાર્ગમાં ત્રિવિધ યોગ માત્ર જન્ય જે આશ્રવ થાય તે ઇર્યાપથિક આશ્રવ. એમ આશ્રવ બે જાતનો છે. અધ્યાય : ૬-સૂત્ર-૬ કષાયવાળો જે આશ્રવ તે સામ્પરાયિક. કષાયવિનાનો જે આશ્રવ તે ઇર્યાથિક. ૬-૫ અવ્રત-ષાયેન્દ્રિય-ક્રિયા: પન્ન-વતુ:पञ्च पञ्चविंशतिसंख्या: पूर्वस्य भेदाः અવ્રત-કષાયેંદ્રિય-ક્રિયાઃ પંચ-ચતુઃપંચ-પંચવિંશતિસંખ્યાઃ પૂર્વસ્ય ભેદાઃ અવ્રત-કષાય-ઇંદ્રિય-ક્રિયાઃપંચ-ચતુઃપંચ-પંચવિંશતિસંખ્યાઃ પૂર્વસ્ય ભેદાઃ ૬-૬ સૂત્રાર્થ-અવ્રત, કષાય, ઇંદ્રિયો અને ક્રિયાઓન અનુક્રમે પાંચ, ચાર, પાંચ, અને પચ્ચીસ ભેદો છે. એમ કુલ ૩૯ ભેદો (સાંપરાયિક નામના) પ્રથમ આશ્રવના છે. ૬-૬. ૬-૬ ભાવાર્થ-અવ્રત પાંચ, કષાયો ચાર, ઇન્દ્રિય પાંચ, અને ક્રિયાઓ ૨૫, એમ કુલ ૫+૪+૫+૨૫=૩૯ ભેદો પહેલા સામ્પરાયિક આશ્રવના છે. પાંચમા સૂત્રમાં (૧) સામ્પરાયિક અને (૨) ઇર્યાથિક એમ બે પ્રકારના આશ્રવો બતાવ્યા છે. તેમાંથી સામ્પરાયિક નામનો જે પહેલો આશ્રવ છે તેના ૩૯ ભેદો છે. ૬-૬ Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ અધ્યાય : ૬-સૂત્ર-૬ અવ્રત-૫, પ્રાણાતિપાત,મૃષાવાદ,અદત્તાદાન,મૈથુન,અનેપરિગ્રહ. કષાયો-૪, ક્રોધ, માન, માયા, લોભ અથવા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન. ઇન્દ્રિયો-૫, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અને શ્રોત્રેન્દ્રિય, ક્રિયા-૨૫, છે. તે ક્રમશઃ આ પ્રમાણે છે (૧) સમ્યક્ત્વક્રિયા- સમ્યક્ત્વયુક્ત દેવ-ગુરુની સેવા-ભક્તિનમસ્કાર વિનય-વૈયાવચ્ચ કરવા વાળી જે ધર્મ ક્રિયા તે શુભ હોવાથી પુણ્યનો આશ્રવ છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) મિથ્યાત્વક્રિયા- મિથ્યાર્દષ્ટિ જીવની ઉત્તમ દેવ-ગુરુ-ધર્મ તથા તત્ત્વની અશ્રદ્ધા અને તપૂર્વક ક્રિયા એ પાપનો આશ્રવ કરાવનાર છે. વિરુદ્ધ જે કોઇ પ્રવૃત્તિ તે અશુભ હોવાથી પાપનો આશ્રવ કરે છે. (૩) પ્રયોગક્રિયા-મન-વચન-કાયાની કષાયયુક્ત જે શુભ અશુભ ચેષ્ટાઓ. (૪) સમાદાનક્રિયા- લોકો ભેગા થાય તેવી ક્રિયા, સીનેમા, સરઘસ, નાટક ચલાવવાં, કપડાં-દાગીના દેખાડવાં, લોકો ભેગા કરવા, હાથી-ઘોડા, મોટર-લાવીને લોકોને દેખાડવાં, આ બધી વસ્તુઓ જોઇ લોકો પ્રશંસા કરે તો રાગ થાય, અને લોકો નિંદા કરે તો દ્વેષ થાય. (૫) ઇર્યાપથક્રિયા-કષાય વિનાની મન-વચન-કાયાની પ્રવૃત્તિ. (૬) કાયિકીક્રિયા-જીવોની હિંસા થાય, જયણા ન પળાય Page #194 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૬ તેવી રીતે કાયાનો ઉપયોગ કરવો, લડાઇ, મારામારી, તથા પથ્થરબાજી જેવી ક્રિયા કરવી તે. ૧૬૯ (૭) અધિકરણિકીક્રિયા-હિંસાનાં સાધનો ચપ્પુ, છરી, ભાલા, તરવાર, બંદુક, વ.બનાવવાં, સુધારવાં, ખરીદવાં અને વેચવાં. (૮) પ્રાદોષિકીક્રિયા-અણગમતી વસ્તુ આવે અથવા દેખાય ત્યારે દ્વેષ કરવો, દાઝ કરવી વગેરે. (૯) પારિતાપનિકીક્રિયા- પોતાના મનને અથવા બીજાના મનને સંતાપ (ત્રાસ-ચિંતા) ઉત્પન્ન થાય તેવી પ્રવૃત્તિ કરવી. (૧૦) પ્રાણાતિપાતિકીક્રિયા-પોતાનો કે પ૨નો વિનાશ થાય તેવી પ્રવૃત્તિ કરવી તે. જેમ કે કીડી, ઉંદર, મકોડાના દરો ઉપર ચાલવું, ઘાસ ખૂંદવું, સાપ, વિંછી ઉપર પગ મૂકવો, પાણીમાં ચાલવું વગેરે. (૧૧) દર્શનક્રિયા- સ્ત્રી-ઘર-કપડાં તથા અલંકારાદિને રાગથી જોવાં, બહુ સારાં-સારાં છે એમ વખાણવાં, જોઇ જોઇને અતિશય રાજી થવું તે. (૧૨) સ્પર્શનક્રિયાઃ- સ્ત્રી-ધર-કપડાં-દાગીના-બાળકો આદિને રાગથી સ્પર્શ કરવો, રમાડવું, રમવું. તેઓને આલિંગન કરવું, પ્રેમપૂર્વક ભેટવું ઇત્યાદિ. (૧૩) પ્રત્યયક્રિયા પૂર્વે ન થયેલાં પોતાની બુદ્ધિથી નવાં નવાં શસ્ત્રો બનાવવાં જેમ કે એટમબોંબ, અણુબોંબ, દારૂગોળો વગેરે. Page #195 -------------------------------------------------------------------------- ________________ • ૩૬. ૧૭) અધ્યાય : ૬-સૂત્ર-૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧૪) સામત્તાનુપાતિકીક્રિયા- જ્યાં લોકોની દૃષ્ટિ પડતી હોય, લોકોની અવર-જવર હોય તેવા માર્ગમાં મળમૂત્ર કરવાં, અશુચિ નાખવી, લોકોને દુર્ગછા ઉપજે તેવું કાર્ય કરવું વગેરે. (૧૫) અનાભોગક્રિયા-વસ્તુને નાખતાં નીચેની ભૂમિ ન જોવી. અને - તે ભૂમિની પ્રમાર્જના ન કરવી. (૧૬) સ્વહસ્તક્રિયા- અન્યનું કામ અભિમાનથી પોતાના હાથે કરવું. પોતાના હાથે બીજાનો વિનાશ, અહિત, ખોટું કરવું અને તેનું માન કરવું. (૧૭) નિસર્ગક્રિયા-પાપનાં કાર્યો કરવાની બીજાને સમ્મતિ આપવી. જીવોની હિંસા થાય તેવી રીતેં ઉંદરાદિના દરો ઉપર ગરમ ગરમ પાણી વગેરે પરઠવવું. તે (૧૮) વિદારણક્રિયા-લાકડાં ફાડવાં, કપડાં ચીરવાં, તથા અન્યલોકનાં ગુપ્ત પાપો જાણ્યાં હોય તો તે જગતમાં પ્રકાશિત કરવાં. (૧૯) આનયનિકીક્રિયા-શાસ્ત્રોમાં જે આજ્ઞા છે તેનાથી વિરૂદ્ધ પ્રરૂપણા કરવી. પોતે ન પાલી શકે એટલે પોતાના બચાવ માટે અને પોતાના દોષોને ઢાંકવા માટે ગમે તેમ બોલવું. (૨૦) અનવકાંક્ષક્રિયા-જિનેશ્વર ભગવાને બતાવેલી વિધિનો પ્રમાદથી અનાદર કરવો. ઉપેક્ષા કરવી. વિધિ ન સાચવવી. Page #196 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૧૭૧ (૨૧) આરંભિકીક્રિયા-પૃથ્વીકાયાદિનો આરંભ-સમારંભ થાય, તેવાં કામો કરવાં. અધ્યાય : ૬-સૂત્ર-૬ (૨૨) પારિગ્રહિકીક્રિયા-લોભથી ઘણું ધન મેળવવું, ધન મેળવી તેના ઉપર ઘણી જ મૂર્છા-મમતા કરવી. (૨૩) માયાપ્રત્યયિકી ક્રિયા-ધર્મક્રિયાઓ કરતાં માયા-કપટજૂઠ-છળ-પ્રપંચો કરવા તે. (૨૪) મિથ્યાદર્શનક્રિયા-આ લોક તથા પરલોકના સુખોની ઇચ્છાથી સાંસારિક દેવ-દેવીઓની સાધના કરવી તે. મિથ્યાત્વભાવની પુષ્ટિ થાય તેવાં કાર્યો કરવાં. તથા મિથ્યાત્વવાળી ક્રિયા કરનારાની પ્રશંસા કરવી. તેમાં તેને દૃઢ કરવો. ઇત્યાદિ. (૨૫) અપ્રત્યાખ્યાનિકીક્રિયા-જે પાપો જીવનમાં ન જ કરવાનાં હોય, છતાં તેનો મન-વચન અને કાયાથી જો ત્યાગ ન કર્યો હોય, તો તેના પ્રત્યેની પાપ કરવાની ભાવના અટકી નથી માટે આશ્રવ. અહીં ઇર્યાપથ નામની પાંચમી ક્રિયા વિના શેષ ૨૪ ક્રિયાઓ કષાયયુક્ત હોવાથી સાંપ૨ાયિકબંધના હેતુભૂત છે. ઇર્યાપથને જે આમાં લીધી છે. તે ક્રિયા માત્રપણું સમાન હોવાથી બહુલતાથી લીધી છે. તેમ જાણવું. તથા પાંચ ઇન્દ્રિયો દ્વારા વિષયોનો ઉપયોગ કરવો, તેમાં જે મોહાસક્તિ કરવી તે આશ્રવ છે. એમ જાણવું. ૬-૬. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ અધ્યાય : ૬-સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર तीव्रमन्दज्ञाताज्ञातभाव-वीर्याधिकरणविशेषेभ्यस्तविशेषः તીવ્રમન્દજ્ઞાતાજ્ઞાતભાવ-વર્યાધિકરણવિશેષેભ્યસ્તવિશેષ: ૬-૭ તીવ્ર-મન્દ-જ્ઞાત-અજ્ઞાતભાવ-વીર્યઅધિકરણ-વિશેષેભ્યઃ તવિશેષ: ૬-૭ સૂત્રાર્થ-તીવ્રભાવે અને મન્દભાવે, જાણી બુઝીને અથવા અજાણતાં, વધારે તાકાતથી કે હીન તાકાતથી, તથા તીક્ષ્ણશસ્ત્રથી અને સામાન્યશસ્ત્રથી કરાયેલાં પાપોમાં તરતમતા (હીનાધિકતા) હોય છે. ૬-૭. ભાવાર્થ- (૧) તીવ્ર ભાવ, (૨) મન્દભાવ, (૩) જ્ઞાતભાવ, (૪) અજ્ઞાતભાવ, () વીર્યવિશેષ અને (૬) અધિકરણ વિશેષ આ છના ભેદથી કર્મબંધમાં તફાવત થાય છે. (૧) તીવ્રભાવઃ જે પાપો કરતાં મનમાં તીવ્રતા હોય, જુસ્સો હોય, પાવર હોય, આવેશ ઘણો હોય, તો કર્મ ચીકણું બંધાય છે. (૨) મંદભાવ= જે પાપો કરતાં મનમાં મંદભાવ હોય, ન છૂટકે કરવું પડે, દીલ દુભાતું હોય, તો કર્મ મંદ બંધાય છે. (૩) જ્ઞાતભાવઃ જે પાપ જાણીબુઝીને કરીએ, પાપ થાય છે એમ જાણવા છતાં તેનો અનાદર કરીને હોંશથી રાચીમાચીને પાપ કરીએ તો તે ચીકણું કર્મ બંધાય છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૭ ૧૭૩ (૪) અજ્ઞાતભાવ= અજાણતાં જે પાપો થઈ જાય, અણસમજમાં ભૂલથી-અજ્ઞાનથી જે પાપો થઇ જાય, તેમાં મંદકર્મ બંધાય છે. (૫) વીર્ય= શારીરિક શક્તિ, જેમ જેમ શરીરમાં વધારે શક્તિ હોય, પ્રથમસંઘયણ હોય તેમ તેમ જીવ ઘણું વધારે પાપ અને ઘણું વધારે પુણ્ય કરી શકે છે. તથા શરીરમાં શક્તિ મંદ-મંદ હોય તેમ તેમ ઓછું ઓછું પાપ-પુણ્ય કરી શકે છે. છઠ્ઠા સંઘયણવાળો ઓછું પાપ-પુણ્ય કરી શકે છે તેથી નીચે ર નરક સુધી. અને ઉપર ૪ દેવલોક સુધી જ જાય છે. પ્રથમસંઘયણવાળો જીવ ઉપર અનુત્તર અને મોક્ષ સુધી અને નીચે સાતમી નરક સુધી એમ બધે જ જાય (૬) અધિકરણ= શસ્ત્ર, ભિન્ન-ભિન્ન શસ્ત્રોથી થતી હિંસા આદિની ક્રિયામાં પરિણામ જુદા-જુદા આવવાથી પાપ ઓછું-વધતું બંધાય છે. જેમ કોઈ એક માણસ બીજાને મુઠી મારે, કોઈ લાકડી મારે, કોઈ ચપ્પ મારે, અને કોઇ તલવાર મારે, તેમાં પરિણામની તીવ્રતા વધારે વધારે હોય છે. ઉપરોક્ત છ પ્રકારે પાપ-પુણ્યના આશ્રવો તીવ્રમંદાદિપણે અનેક પ્રકારે થાય છે. ૬-૭. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ અધ્યાય : ૬-સૂત્ર-૮-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધિ%BUi ગીવાળવા. ૬-૮ અધિકારણે જીવાજીવાઃ ૬-૮ અધિકરણે જીવ-અજીવાઃ ૬-૮ સૂત્રાર્થ- અધિકરણ બે પ્રકારે છે. એક જીવાધિકરણ અને બીજું અજવાધિકરણ. ૬-૮. ભાવાર્થ-અધિકરણ એટલે પાપ-પુણ્યકર્મોને કરનારો જીવ અથવા તેના સાધનભૂત જીવ-અજીવાદિ પદાર્થો. જીવ અને અજીવ આ બન્ને પાપ-પુણ્યકર્મોને બાંધવામાં અધિકરણ છે. જીવ એ કર્મોનો કર્તા છે અને અજીવ એ કર્મો કરવામાં સહાયક તરીકે સાધન છે. અજીવ વિનાનો એકલો જીવ કર્મોનો કર્તા નથી અને જીવ વિનાનું એકલું અજીવ કર્મો કરવામાં સહાયક નથી. એટલે જીવ એ કર્તા અધિકરણ છે અને અજીવ એ સાધનભૂત અધિકરણ છે. સાધન, ઉપકરણ, નિમિત્ત, શસ્ત્ર અથવા અધિકરણ તે બધા શબ્દો એનાર્થક છે. જીવ દ્રવ્ય અને અજીવ દ્રવ્ય તે દ્રવ્યાધિકરણ છે અને જીવમાં રહેલો કાષાયિક પરિણામ અને અજીવમાં રહેલી તીક્ષ્ણતા એ ભાવાધિકરણ છે. ૬-૮. માદ્ય સંર-સમાર મારામ-યો-ત-ઋપિતાનુતઋષીવિષેત્રિન્નિત્રિશ્ચતુર્થશ: ૬-૯ આદ્ય સંરંભ-સમારંભારંભ યોગ-કૃત-કારિતાનુમતકષાય-વિશેષંસ્ત્રિટ્યિસ્ત્રિશ્ચતુર્થકશઃ ૬-૯ Page #200 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૯ ૧૭૫ આદ્ય સંરંભ-સમારંભ-આરંભ-યોગ-કૃત-કારિતઅનુમત-કપાય-વિશેષે -ત્રિ-ત્રિ-ત્રિ-ચતુચ એકશઃ ૬-૯ સૂત્રાર્થ- સંરંભ, સમારંભ, અને આરંભ, એમ ૩ ભેદ, તેના ત્રણયોગ આશ્રયી ૯ ભેદ, તેના કરવું, કરાવવું અને અનુમોદવું આશ્રયી ર૭ ભેદ, તેના ક્રોધાદિ ચારકષાયો વડે ૧૦૮ ભેદ પ્રથમ અધિકરણના થાય છે. ૬-૯. ભાવાર્થ - જીવ અને અજીવ એમ બે પ્રકારના અધિકરણમાં પ્રથમ જીવ અધિકરણ છે. તેના ૧૦૮ ભેદો થાય છે. (૧) સંરંભ પાપાદિ કર્મો કરવાનો મનમાં સંકલ્પ કરવો. (૨) સમારંભ=પાપાદિ કર્મો કરવાની સાધનસામગ્રી મેળવવી, તૈયારી કરવી અને (૩) આરંભ=પાપાદિ કર્મો કરવાં. આ ત્રણે મનથી-વચનથી અને કાયાથી થાય છે. ૩*૩=૯ તથા કરવું, કરાવવું અને અનુમોદવું. એમ-૩ પ્રકારો હોવાથી ૯*૩=૨૭ તથા ક્રોધ-માન-માયા-લોભ એમ ચાર કષાય પ્રેરિત ચાર પ્રકાર હોવાથી ર૭૮૪=૧૦૮ ભેદો થાય છે. સંરંભાદિ ૩, મનોયોગાદિ ૩, કરવું વગેરે ૩, અને ક્રોધાદિ કષાયો ૪, પરસ્પર ગુણવાથી ૩૮૩૪૩૪=૧૦૮ ભેદો છે આ ૧૦૮ ભેદો પ્રથમપણે કહેલા જીવાધિકરણના જાણવા. કારણ કે જીવમાં જ આ બધા ભાવો થાય છે. ૧. ક્રોધકૃત કાયસંરંભ, ૨. ક્રોધકૃત કાયસમારંભ ઇત્યાદિ રીતે ૧૦૮ ભેદો જાણવા. ૬-૯. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ અધ્યાય : ૬-સૂત્ર-૧૦. निर्वर्तना- निक्षेप संयोग-निसर्गा દ્વિ-ચતુ-દ્વિ-ત્રિમેવાઃ પરમ્ નિર્વર્તના-નિક્ષેપ-સંયોગ-નિસર્ગા દ્વિ-ચતુ-દ્ધિ-ત્રિભેદાઃ પરમ્ નિર્વર્તના-નિક્ષેપ-સંયોગ-નિસર્ગાઃ દ્વિ-ચતુઃ-દ્વિ-ત્રિભેદાઃ પરમ્ સૂત્રાર્થ- બીજા અજીવાધિકરણના નિર્વર્તના, નિક્ષેપ, સંયોગ અને નિસર્ગ એમ ચાર ભેદ છે. તેના અનુક્રમે બે, ચાર, બે અને ત્રણ ભેદો છે. ૬-૧૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર ૬-૧૦ ૬-૧૦ ભાવાર્થ:- બીજું જે અજીવ અધિકરણ છે તેના મુખ્યત્વે ચાર ભેદો છે. ૬-૧૦ (૧) નિર્વર્તના-એટલે રચના, બનાવટ, આકૃતિ, શરીર-હાથપગ-મુખ આદિ જે અજીવ છે તે આત્માની સાથે એકમેક રૂપે રચાયાં છે પાપાદિ કરવામાં તે મૂલસાધન છે. તેથી તે અભ્યન્તર નિર્વર્તના અને ચપ્પુ, તલવાર છરી એ બાહ્યનિર્વર્તના કહેવાય છે. (૨) નિક્ષેપ- એટલે વસ્તુને મુકવી, સ્થાપવી, તેના ચાર ભેદો છે. નીચેની ભૂમિ જોયા વિના વસ્તુઓ મુકવી તે અપ્રત્યવેક્ષિત ૧, નીચેની ભૂમિ જોવા છતાં તેને પૂંજવી નહીં અથવા જેમ તેમ પૂંજવી તે દુષ્પ્રમાર્જિત ૨, અપ્રત્યવેક્ષિત અને દુષ્યમાર્જિત ભૂમિ ઉપર ઉતાવળે ઉતાવળે Page #202 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૧૦ ૧૭૭ વસ્તુ મુકવી તે સહસા ૩, અને વિચાર્યા વિના ઉપયોગ રહિતપણે ગમે તેમ વસ્તુઓ ભૂમિ જોયા વિના મુકવી તે અનાભોગ ૪, એમ નિક્ષેપના ચાર ભેદ છે. (૩) સંયોગ-વસ્તુઓનો સંયોગ કરવો, બે-ત્રણ વસ્તુ ભેગી કરવી તે સંયોગ. તેના ૨ ભેદ છે. (૧) ભક્તપાન અને (૨) ઉપકરણ. (૧) ભક્તપાન-ભોજન અને પાણી, ભોજનને સ્વાદિષ્ટ કરવા બે વસ્તુ ભેગી કરવી, જેમ રોટલી સાથે ગોળમુરંબ્બો, શાક અને દાળ વગેરે, તથા ભાત સાથે દાળશાક-ચટણી વગેરે નાખી વધુ સ્વાદવાળું કરવું તે. (૨) ઉપકરણ- વસ્ત્રો વગેરે, ઉપર-નીચેના વસ્ત્રોનું મેચીંગ કરવું તે, એક વસ્ત્ર નવું પહેર્યું હોય તો બીજું પણ નવું જ પહેરવું, એક જે કલરનું પહેર્યું હોય ત્યાં બીજું પણ તે જ કલરનું પહેરવું વગેરે. (૪) નિસર્ગ-છોડવું-મુકવું-ત્યજી દેવું. તેના ૩ ભેદો છે (૧) મનોનિસર્ગ-મનમાં શાસ્ત્રથી વિરુદ્ધ વિચારો કરવા. (૨) વચનનિસર્ગ-વચનદ્વારા શાસ્ત્ર વિરુદ્ધ બોલવું. ખોટી શિખામણ આપવી, કોઈ માણસને ખોટે રસ્તે ચડાવવો. (૩) કાયનિસર્ગ-કાયાને દુરાચારમાં નાખવી, અગ્નિસ્નાન કરવું. જલમાં ડૂબી મરવું, ગળે ફાંસો ખાવો, આપઘાત કરવો વગેરે. આ ૧૧ ભેદો બીજા નંબરના અજીવાધિકરણના ભેદો છે. ૧ ૨ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ અધ્યાય : ૬-સૂત્ર-૧૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર આ પ્રમાણે જીવ અધિકરણના ૧૦૮ અને અજીવ અધિકરણના મૂલથી ૪ ભેદો છે તેના ઉત્તરભેદો ૨+૪+૨+૩=૧૧ છે. તેના દ્વારા આ જીવ પાપકર્મો કરે છે. માટે જીવ કર્મોનો કર્યા છે અને અજીવ પાપો કરવામાં સહાયક-મદદગાર છે. એ રીતે બન્ને અધિકરણરૂપ છે. ૬-૧૦. ૬-૧૧ तत्प्रदोष-निह्नव-मात्सर्यान्तरायासादनोपघाताज्ञानदर्शनावरणयोः ૬-૧૧ ત~દોષ-નિતંવ-માત્સર્યાન્તરાયાસાદનોપઘાતાજ્ઞાનદર્શનાવરણયોઃ ૬-૧૧ તસ્ત્રદોષ-નિલવ-માત્સર્ય-અન્તરાય-આસાદનઉપઘાતાઃ જ્ઞાનદર્શનાવરણયોઃ સૂત્રાર્થ-તે (જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો) ઉપર (૧) અત્યન્ત દ્વેષ, (૨) નિહ્મવ, (૩) માત્સર્ય, (૪) અંતરાય, (૫) આસાદન, અને (૬) ઉપઘાત કરવો. એ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આશ્રવો છે. ૬-૧૧. ભાવાર્થ- જ્ઞાનાવરણીય આદિ એકેક કર્મો શું શું કરવાથી બંધાય છે? તે હવે સમજાવે છે. આ સૂત્રમાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયકર્મના આશ્રવ સમજાવે છે. જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનનાં સાધનો ઉપર (૧) ઘણો દ્વેષ કરવાથી, (૨) તેમનું નામ છુપાવવાથી, (૩) તેમના પ્રત્યે ઈર્ષા, દોઝ અને અદેખાઈ રાખવાથી, (૪) વચ્ચે વચ્ચે વિપ્નો ઉભા કરવાથી, (પ) તેમના પ્રત્યે અનાદરભાવ Page #204 -------------------------------------------------------------------------- ________________ -- - તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૧૨ ૧૭૯ કરવાથી, (૬) અને તેમનો વિનાશ કરવાથી, મારામારી અને ભાંગફોડ કરવાથી એમ ૬ રીતે જ્ઞાનાવરણીયકર્મ બંધાય છે. એ જ પ્રમાણે દર્શન-દર્શનગુણી આત્મા અને દર્શનનાં સાધનો પ્રત્યે પણ ઉપરોક્ત છ પ્રકારે વર્તન કરવાથી તથા આળસ, સ્વપન શીલતા, નિદ્રા અને પ્રાણાતિપાત આદિ કરવાથી દર્શનાવરણીયકર્મ બંધાય છે. ૬-૧૧. दुःख-शोक-तापाक्रन्दन-वधपरिदेवनान्यात्मपरोभयस्था-न्यसद्वेद्यस्य ૬-૧ ૨. દુઃખ-શોક-તાપાર્કન્દન-વધ-પરિદેવનાન્યાત્મપરોભયસ્થા-જસદ્યસ્ય ૬-૧ ૨ દુઃખ-શોક-તાપ-આક્રન્દન-વધ-પરિદેવનાનિઆત્મ-પર-ઉભયસ્થાનિ અસદ્યસ્ય ૬-૧૨ સૂત્રાર્થ-પોતાનામાં, પરમાં, અને ઉભયમાં દુઃખ, શોક, તાપ, આક્રન્દન, વધ, અને પરિદેવનનાં કાર્યો કરવાં તે અસતાવેદનીયના આશ્રવો છે. ૬-૧૨. ભાવાર્થ- અસાતાવેદનીયકર્મ શાનાથી બંધાય? તે જણાવે છે. (૧) દુઃખ= મનમાં વારંવાર ઇષ્ટવિયોગ અને અનિષ્ટ સંયોગાદિથી દુ:ખ ધરવું, ઓછું આવવું. (૨) શોક= ગ્લાનિ થવી, રડવું, શોક કરવો, મનમાં માઠા વિચારો કરવા. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ અધ્યાય : ૬-સૂત્ર-૧૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૩) તાપ= કઠોર વચન સાંભળવાથી, ઠપકાથી, પરાભવથી મનમાં બળ્યા કરવું. (૪) આક્રંદન= હૃદયમાં અતિબળતરા, છાતી કુટવી, હાથપગ પછાડવા, માથું પછાડવું, ઘણું જોરથી રૂદન કરવું વગેરે. (૫) વધ= લાકડી અને શસ્ત્રાદિથી માર મારવો, હત્યા કરવી, આપઘાત કરવો વગેરે. (૬) પરિદેવન= પતિ-પત્ની અથવા પુત્ર-ધનાદિના વિયોગમાં અતિશય લાચાર-દીન બની જવું. આકુળ-વ્યાકુળ-હાંફળાફાંફળા બની જવું તે. ઉપરના છએ પ્રકારો પોતાનામાં કરવાથી, બીજામાં કરવા-કરાવવાથી, અને સ્વ-પર એમ ઉભયમાં દુઃખાદિ કરવાકરાવવાથી આ જીવ અસાતાવેદનીયકર્મ બાંધે છે. ૬-૧૨. भूत-व्रत्यनुकम्पादानं सरागसंयमादियोगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्य ૬-૧૩ ભૂત-પ્રત્યનુકંપાદાને સરાગસંયમાદિયોગઃ શાન્તિઃ શૌચમિતિ સદ્દસ્ય ૬-૧૩ ભૂત-વ્રત-અનુકંપા દાન સરાગ-સંયમ-આદિ-યોગ: ક્ષાન્તિઃ શૌચમ્ ઇતિ સદ્યસ્થ સૂત્રાર્થ : પ્રાણીઓની દયા, વ્રતધારીઓની ભક્તિ, સરાગસંયમ, માઃિ શબ્દથી સંયમસંયમ, અકામનિર્જરા, Page #206 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૧૩ ૧૮૧ બાલત૫, શુભયોગ, ક્ષમા અને શૌચ આ સર્વે સાતાવેદનીયના બંધહેતુઓ છે. ૬-૧૩ ભાવાર્થ : નીચે જણાવેલાં કારણોથી આ આત્મા સાતવેદનીયકર્મ બાંધે છે. (૧) ભૂતાનુકંપા દીન-દુઃખી-ગરીબ માણસો ઉપર દયા કરવી. વસ્ત્રો, આપવાં. ખાવાનું-પીવાનું આપવું, રહેઠાણ આપવું વ. (૨) વ્રતીદાનં=સંસારના ત્યાગી સાધુ-સંતોને વસ્ત્ર-આહાર-પાણી તથા જ્ઞાનાદિનાં સાધનો આપી ભક્તિ કરવી. સેવા કરવી. વ્રતધારી શ્રાવક-શ્રાવિકાની પણ સેવા ભક્તિ કરવી. (૩) સરાગસંયમ= દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે તથા સંયમાંદિ ગુણ પ્રત્યે ખૂબ જ અનુરાગ રાખવાપૂર્વક સંયમ પાળવો. (૪) સંયમસંયમ= દેશવિરતિ પાળવી, શ્રાવકનાં વ્રતો પાળવા પૂર્વક ધર્મક્રિયા કરવી. તથા ઃિ શબ્દથી. (૫) અકામનિર્જરા= અનિચ્છાએ, પરવશપણે દુ:ખ સહન કરવું. પીડા સહવી. (૬) બાલતપ= અજ્ઞાન અવસ્થામાં રહી ઉગ્ર તપ કરવો. (૭) યોગકલોક અભિમત એવાં નિર્દોષ ધર્માનુષ્ઠાનનું સેવન. (૭) ક્ષમા ક્રોધાદિના પ્રસંગો હોય તો પણ માફ કરવું, શાન્તિ રાખવી. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨ અધ્યાય : ૬-સૂત્ર-૧૪-૧૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૮) શૌચ= શરીર સ્વચ્છ રાખવું. તથા મન પવિત્ર રાખવું. સંતોષ રાખવો. તદુપરાંત-ધર્મરાગ, તપનું સેવન, માંદાની માવજત, દેવ-ગુરુની ભક્તિ અને માતા-પિતાદિ વડીલોની સેવાચાકરીથી પણ સાતાવેદનીય કર્મ બંધાય છે. ૬-૧૩. વત્નિ-શ્રુત-સફથવાવવાનો રનનોદચ ૬-૧૪ કેવલિ-શ્રુત-સંઘ-ધર્મદેવાવર્ણવાદો દર્શનમોહસ્ય ૬-૧૪ કેવલિ-શ્રુત-સંઘ-ધર્મ-દેવ-અવર્ણવાદઃ દર્શનમોહસ્ય ૬-૧૪ સૂત્રાર્થ : કેવલજ્ઞાની, શ્રુતજ્ઞાન, ચતુર્વિધ સંઘ, જૈનધર્મ, વૈમાનિકાદિ દેવોની નિંદા-ટીકા એ દર્શનમોહનીયના બંધહેતુ છે. ૬-૧૪. ભાવાર્થ- કેવલજ્ઞાની ભગવંતો, શ્રુતજ્ઞાન, સાધુ-સાધ્વી આદિ ચતુર્વિધ સંઘ, જિનેશ્વર ભગવન્તોનો ધર્મ, વૈમાનિકાદિ ચાર નિકાયના દેવો, ઇત્યાદિની નિંદા કુથલી-ટીકા કરવી. ખોટા ખોટા દોષો કાઢવા તે દર્શનમોહના આશ્રવ છે. ૬-૧૪. # ષાત્ તીવ્રામપરિણામશરિત્રમોદી ૬-૧૫ કષાયોદયાત્ તીવ્રાત્મપરિણામશ્ચારિત્રમોહસ્ય ૬-૧૫ કષાય-ઉદયાત્ તીવ્ર-આત્મપરિણામઃ ચારિત્ર મોહસ્ય ૧૫ સૂત્રાર્થ : પૂર્વબદ્ધ કષાયોના ઉદયથી આત્માનો તીવ્ર Page #208 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય ઃ ૬-સૂત્ર-૧૬-૧૭ ૧૮૩ એવો જે કાષાયિક પરિણામ તે ચારિત્રમોહનીયના બંધનો હેતુ છે. ૬-૧૫ ભાવાર્થઃ- સમ્યક્ત્વ-સંયમ-ત્યાગ આદિ ગુણોવાળા મહાત્મા પુરુષોની કષાયપૂર્વક નિંદા-ટીકા કરવાથી, ખોટા આક્ષેપો કરવાથી, તેમની સાધનામાં વિઘ્નો ઉભાં કરવાથી, સ્વયં પોતે ક્રોધ-માન-માયા-લોભાદિ કષાયો કરવાથી અને બીજાને ક્રોધાદિ થાય તેવું બોલવાથી તથા તેવા પ્રકારના હાવ-ભાવ કરવાથી, તથા મનમાં અત્યંત કઠોર પરિણામ લાવવાથી આ જીવ ચારિત્રમોહનીયકર્મ બાંધે છે. ૬-૧૫. ૬-૧૬ बहारम्भ-परिग्रहत्वं च नारकस्यायुषः બહારંભ-પરિગ્રહત્વ ચ નારકસ્યાયુષઃ બહુ-આરંભ-પરિગ્રહત્વ ચ નારકસ્ય આયુષઃ ૬-૧૬ ૬-૧૬ સૂત્રાર્થ : ઘણા આરંભ-સમારંભ અને અતિશય પરિગ્રહપણું આ બંન્ને નરકના આયુષ્યના બંધહેતુ છે. ૬-૧૬ ભાવાર્થ:- ઘણા મોટા આરંભ-સમારંભ એટલે કે ઘણી જ હિંસા, મોટાં જુઠાણાં, મોટી ભયંકર ચોરીઓ ક૨વાથી તથા ઘણી જ મમતા, મૂર્છા-ધનસંગ્રહ આદિ કરવાથી તથા અતિશય તીવ્ર કષાયના ઉદયવાળા પરિણામો કરવાથી આ જીવ નરકગતિનું આયુષ્યકર્મ બાંધે છે. ૬-૧૬. माया तैर्यग्योनस्य ૬-૧૭ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ અધ્યાય : ૬-સૂત્ર-૧૭-૧૮-૧૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર માયા તૈર્યગ્યોનસ્ય ૬-૧૭ માયા તૈયંગ્યોનસ્ય ૬-૧૭ સૂત્રાર્થ : માયા (પટ) એ તિર્યંચાયુષ્યના બંધનો હેતુ છે. ૬-૧૭ ભાવાર્થ-માયા-કપટ-છળ-પ્રપંચ-છેતરપિંડી-જુઠ-હૈયામાં ઝેર અને મુખમાં મધ રાખવાથી આ જીવ તિર્યંચાયુષ્ય બાંધે છે. ૬-૧૭. अल्पारम्भपरिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य १८ અલ્પારંભપરિગ્રહવં સ્વભાવમાર્દવાર્જવં ચ માનુષસ્ય ૧૮ અલ્પ-આરંભ-પરિગ્રહત્વ સ્વભાવમાર્દવ-આર્જવં ચ માનુષસ્ય ૬-૧૮ સૂત્રાર્થ : અલ્પ આરંભ, અલ્પ પરિગ્રહ, સ્વભાવની માર્દવતા (નમ્રતા) અને આર્જવતા (સરળતા) એ મનુષ્પાયુષ્યના બંધહેતુ છે. ૬-૧૮ - ભાવાર્થ-અલ્પઆરંભ-સમારંભ કરવાથી, એટલે કે બની શકે તેટલી હિંસામાં અલ્પતા કરવાથી તથા અલ્પ મમતા-મૂછ અને ધનસંગ્રહ કરવાથી, સ્વભાવે નમ્રતા, કોમળતા અને સરળતા રાખવાથી આ જીવ મનુષ્યનું આયુષ્ય બાંધે છે. ૬-૧૮. નિઃશત્ર-વ્રતવિં ચ સર્વેક્ષા ૬-૧૯ Page #210 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૧૯-૨૦ નિઃશીલવ્રતત્વ ચ સર્વેષામ્ ૬-૧૯ નિઃશીલ-વ્રતદ્વં ચ સર્વેષામ્ ૬-૧૯ સૂત્રાર્થ : નિઃશીલતા (વાસનાની અધિકતા) અને વ્રતરહિતતા (અવિરતિ) એ સર્વે (ત્રણે) આયુષ્યના બંધહેતુ છે. ૬-૧૯ ૧૮૫ ભાવાર્થ:- શીયલ વિનાનું અને વ્રતો વિનાનું જીવન નરક-તિર્યંચ અને મનુષ્ય એમ ત્રણે પ્રકારના આયુષ્યના બંધનું કારણ બને છે. કારણ કે વાસના અને અવિરતિ આ બન્ને દુષ્ટ પરિણામો છે. તે વધારેમાં વધારે હોય તો નરકના આયુષ્યના બંધનું કારણ બને છે અને તેનાથી ઓછી-ઓછી હોય તો તિર્યંચ તથા મનુષ્યના આયુષ્યના બંધનું કારણ બને છે. આ પ્રમાણે વાસનાની પરવશતા અને અવિરત ભાવની વૃત્તિ આ નરકાદિ ત્રણે આયુષ્યોના બંધનું કારણ બને છે. ૬-૧૯. सरागसंयम-संयमासंयमाकामनिर्जरा- बालतपांसि दैवस्य સરાગસંયમ-સંયમાસંયમાકામનિર્જરા-બાલતપાંસિ દૈવસ્ય સરાગસંયમ-સંયમાસંયમ-અકામ નિર્જરા-બાલતપાંસિ દૈવસ્ય ૬-૨૦ સૂત્રાર્થ : સરાગસંયમ, સંયમાસંયમ, અકામનિર્જરા અને બાલતપ આ ચાર દેવાયુષ્યના બંધહેતુ છે. ૬-૨૦ ભાવાર્થ:- દેવ-ગુરુ અને ધર્મ ઉપરના રાગવાળું સંયમ, Page #211 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૬-સૂત્ર-૨૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર દેશવિરતિસંયમ, અનિચ્છાએ કરાતી નિર્જરા, અને અજ્ઞાનતપ, આ ચારે દેવભવના આયુષ્યબંધનાં કારણો છે. ૧૮૬ (૧) સરાગસંયમ=દેવ-ગુરુ-ધર્મ ઉપરના અતિશય રાગપૂર્વકનો તથા ચારિત્ર અને ચારિત્રવાનું મહાત્મા ઉપરના રાગવાળો સંયમ. (૨) દેશવિરતિસંયમ=શ્રાવકપણું. અલ્પ વિરતિ અને અલ્પ અવિરતિ. આંશિક વિરતિવાળું સંયમ. (૩) અકામનિર્જરા=પોતાની ઇચ્છા વિના બીજાના પરવશપણે દુઃખ સહન કરી નિર્જરા કરવી તે. સંસારના સુખોની લાલસાથી તથા અન્યના દબાણથી ધર્મનાં કાર્યો કરવાં તે. (૪) બાલતપ=મિથ્યાત્વ અવસ્થામાં કરાતો તપ, સંસારસુખની ઇચ્છાવાળો તપ. અગ્નિશર્માની જેમ કષાયપૂર્વક કરાતો તપ, રીસ અને રાગથી કરાતો તપ. અહીં સરાગસંયમ અને સંયમાસંયમ એ જ્યોતિષ્ઠદેવ અને વૈમાનિકદેવના આયુષ્યના બંધનાં કારણો છે. અને અકામનિર્જરા તથા બાલતપ એ ભવનપતિ અને વ્યંતર દેવના આયુષ્યના બંધનાં કારણો છે. ૬-૨૦. ૬-૨૧ योगवक्रता विसंवादनं चाशुभस्य नाम्नः યોગવક્રતા વિસંવાદનું ચાશુભસ્ય નામ્નઃ યોગવક્રતા વિસંવાદનં ચ અશુભસ્ય નામ્નઃ ૬-૨૧ ૬-૨૧ Page #212 -------------------------------------------------------------------------- ________________ * ** તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય - ૬-સૂત્ર-૨૨ ૧૮૭ સૂત્રાર્થ : યોગોની વક્રતા અને વિસંવાદન એ અશુભનામકર્મના બંધહેતુ છે. ૬-૨૧ ભાવાર્થ - મન-વચન અને કાયાના યોગોની જે વક્રતાકુટિલતા-અંદર હોય જુદા ભાવ, અને બહાર દેખાડવા જુદા ભાવ તે વક્રતા, તથા વિસંવાદન એટલે સ્વીકાર કરેલા નિયમોમાં કાલાન્તરે મરજી મુજબ ફેરફારો કરવા, ઇચ્છા મુજબ છૂટ લઈ લેવી, તે બન્ને અશુભનામકર્મ બંધાવે છે. વ્યંગ વચનો, મેણાં, ટોણાં, તથા કટાક્ષ વચનો બોલવાં તે, તથા વિનયરત્નની જેમ પાપ કાર્યો કરવા માટે ધર્મનાં કાર્યોનો આશ્રય લેવો તે બધી યોગ વક્રતા જાણવી તથા પૂર્વાપર વિરૂદ્ધ વચન અને પૂર્વાપર વિરૂદ્ધ વર્તન તે વિસંવાદન કહેવાય છે. ૬-૨૧. વિપરીત શમી ૬-૨૨ તવિપરીત શુભસ્ય ૬-૨૨ તવિપરીત શુભસ્ય ૬-૨૨ સૂત્રાર્થ : તેનાથી વિપરીત એટલે યોગોની અવક્રતા અને અવિસંવાદન એ શુભનામકર્મના બંધહેતુ છે. ૬-૨૨ ભાવાર્થ- ઉપરોક્ત હકીકતથી સર્વથા વિપરીત એવું જે જીવન તે શુભનામકર્મના આશ્રવ છે. એટલે મન-વચન અને કાયાની સાચી પ્રવૃત્તિ, જયાં બનાવટ નથી, તથા લીધેલા નિયમોમાં ઇચ્છામુજબ ફેરફારો જ્યાં નથી એટલે કે Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ અધ્યાય : ૬-સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર યોગોની અવક્રતા અને અવિસંવાદન તે શુભનામકર્મના આશ્રવો છે. ૬-૨૨. दर्शनविशुद्धिविनयसंपन्नता शीलवतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्त्याग-तपसी संघसाधुसमाधिवैयावृत्य-करणमर्हदाचार्य-बहुश्रुतप्रवचनभक्तिरावश्यकापरिहाणिर्मार्ग-प्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ૬-૨૩ દર્શનવિશુદ્ધિર્વિનયસંપન્નતા શીલવ્રતધ્વનતિચારોભીર્ણ જ્ઞાનોપયોગસંવેગૌ, શક્તિતત્યાગ-તપસી સંઘ-સાધુ સમાધિ-વૈયાવૃન્યકરણમઈદાચાર્યબહુશ્રુતપ્રવચનભક્તિ રાવશ્યકાપરિયાણિ મંગપ્રભાવના પ્રવચનવત્સલત્વમિતિતીર્થકૃત્ત્વસ્ય ૬-૨૩ દર્શનવિશુદ્ધિ, વિનયસંપન્નતા, શીલવ્રતેષ અનતિચાર, અભીર્ણ જ્ઞાનોપયોગસંવેગૌ, શક્તિતઃ ત્યાગતપસી, સંઘસાધુ-સમાધિ-વૈયાવૃત્ય-કરણમ્, અહંદાચાર્ય-બહુશ્રુતપ્રવચનભક્તિ, આવશ્યક-અપરિહાણિક, માર્ગ-પ્રભાવના, પ્રવચનવત્સલત્વમ્ ઇતિ તીર્થકqસ્ય ( ૬-૨૩ સૂત્રાર્થ : ૧ દર્શનશુદ્ધિ, ૨ વિનયસંપન્નતા, ૩ શીલ-વ્રતોમાં નિરતિચારતા, ૪ નિરંતર જ્ઞાનોપયોગલીનતા, ૫ નિરંતર સંવેગ પરિણામ, ૬ યથાશકિત ત્યાગ, ૭ યથાશક્તિ તપ, ૮ સંઘ-સાધુને સમાધિ, ૯ સંઘ-સાધુની Page #214 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૨૩ ૧૮૯ વૈયાવચ્ચ, ૧૦ અરિહંત પ્રભુની ભક્તિ, ૧૧ આચાર્યની ભક્તિ, ૧૨ બહુશ્રુતની ભક્તિ, ૧૩ પ્રવચન ભક્તિ, ૧૪ આવશ્યકાનુષ્ઠાનનો અત્યાગ, ૧૫ મુક્તિમાર્ગની પ્રભાવના અને ૧૬. પ્રવચન પ્રત્યેની વાત્સલ્યતા, આ સોળ તીર્થકરનામકર્મનાં બંધહેતુઓ છે. ૬-૨૩ ભાવાર્થ- નીચેનાં ૧૬ કારણોથી આ જીવ તીર્થંકર નામકર્મ બાંધે છે. (૧) દર્શનવિશુદ્ધિક શંકા-કાંક્ષા આદિ અતિચારો વિનાનું નિર્મળ સમ્યકત્વ. જિનેશ્વર પરમાત્માના ધર્મ ઉપર અત્યન્ત નિર્મળ અને દઢ શ્રદ્ધા-વિશ્વાસ, તથા આત્મા અને દેહના ભેદજ્ઞાનની પરાકાષ્ટા. (૨) વિનયસંપન્નતા= જ્ઞાની, ઉપકારી, વડીલો, ચારિત્રવાનું મુનિઓ તથા દર્શનાદિનાં સાધનો પ્રત્યે ઘણો જ વિનય. હૃદયના ભક્તિભાવ પૂર્વક વિનમ્રવૃત્તિ. (૩) શીલવ્રતોમાં અનતિચાર= શીયળમાં અને શ્રાવકનાં ૧૨ તથા સાધુનાં ૫ વ્રતો પાળવામાં પ્રમાદ-રહિતતા. (૪) સતત જ્ઞાનોપયોગ= નિરંતર જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયમાં ઓતપ્રોતતા. (૫) સતત સંવેગપરિણામ= સંસારનાં સુખોને જ મહાબંધન સમજી તેના ત્યાગપૂર્વક નિરંતર મોક્ષની જ માત્રા અભિલાષા. Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ---- - ----- અધ્યાય : ૬-સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૬) શક્તિતઃ ત્યાગ= ન્યાયપૂર્વક મેળવેલા ધનથી વસ્ત્ર પાત્રાદિનું દાન કરવું. યથાશક્તિ ભોગોનો ત્યાગ. (૭) શક્તિતઃ તપ= શરીર અને મનની શક્તિ પ્રમાણે વૈરાગ્યભાવ સાચવવાપૂર્વક તપશ્ચર્યા કરવી. (૮) સંઘ-સાધુ-સમાધિ= ચતુર્વિધ સંઘ (સમાજ) તથા સાધુ સંતોમાં શાન્તિ રહે તેવું વર્તન કરવું. નિરુપદ્રવતા કરવી. (૯) સંઘ-સાધુ-વેયાવચ્ચ= ચતુર્વિધ સંઘ (સમાજ) તથા - સાધુસંતોની સેવાભક્તિ કરવી. વૈયાવચ્ચ કરવી. (૧૦) અરિહંતભક્તિ= તીર્થંકર પરમાત્માની પૂજા-ભક્તિ-સેવા કરવી. તેમની આજ્ઞાને અનુસરવું. (૧૧) આચાર્યભક્તિ= પંચાચારાદિને પાળનારા આચાર્યોની સેવા-ભક્તિ કરવી. તથા તેમની આજ્ઞાને અનુસરવું. (૧૨) બહુશ્રુતભકિત= ઘણાં શાસ્ત્રો ભણેલા અનુભવી મહાત્માઓની તથા શાસ્ત્રોની સેવા-ભક્તિ કરવી. (૧૩) પ્રવચનભક્તિ= આગમ શાસ્ત્રો ભણવા-ભણાવવા લખવાં-લખાવવાં-પ્રભાવના કરવી. વાચના આપવી. (૧૪) આવશ્યકાપરિહાણિ= સામાયિકાદિ છ આવશ્યકોને સદા આચરવાં. તેમાં હાનિ ન કરવી. (૧૫) મોક્ષમાર્ગપ્રભાવના બીજા જીવો રત્નત્રયી પામે તેવું વર્તન કરવું. અન્ય જીવોને મોક્ષમાર્ગ સમજાવવો. Page #216 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૨૪ ૧૯૧ (૧૬) પ્રવચનવાત્સલ્ય=જિનેશ્વરની વાણી ઉપર અનહદ પ્રેમ રાખવો. અને પ્રેમ વધે તેવાં કાર્યો કરવાં. તથા અન્યજીવોને પણ શાસનનો પ્રેમ વધે તેવા વ્યવહારો કરવા. ઉપરોક્ત ૧૬ પ્રકારના ઉત્તમ આચરણથી આ આત્મા તીર્થંકરનામકર્મ બાંધે છે. ૬-૨૩. परात्मनिंदाप्रशंसेसदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य પરાત્મનિંદાપ્રશંસેસદસદ્ગુણાચ્છાદનોદ્ભાવને ચ નીચૈર્ગોત્રસ્ય પર-આત્મ-નિંદા-પ્રશંસેસદ્-અસદ્ગુણઆચ્છાદન-ઉદ્ભાવને ચ નીચૈર્ગોત્રસ્ય ૬-૨૪ સૂત્રાર્થ : પારકાની નિંદા, પોતાની પ્રશંસા, પરના છતા ગુણો ઢાંકવા, પોતાના અછતા ગુણો ગાવા, આ સર્વે નીચગોત્રના બંધહેતુ છે. ૬-૨૪ ભાવાર્થ:- નીચેનાં ૪ કારણોથી આ જીવ નીચગોત્રકર્મ બાંધે છે. (૧) પરિનંદા= પારકાની નિંદા-કુથલી-ટીકા-તિરસ્કારઅપમાન કરવાથી. અને પારકાનાં કાર્યોને વખોડવાથી. (૨) આત્મપ્રશંસા= પોતાની પ્રશંસા-વખાણ-મોટાઇ-આડંબર કરવાથી. અને બડાઇ મારવાથી. ૬-૨૪ ૬-૨૪ Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ અધ્યાય : ૬-સૂત્ર-૨૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૩) સદ્ગુણાચ્છાદન= બીજાના છતા ગુણોને ઢાંકવાછુપાવવાથી. અને મોટા ગુણો નાના કરી દેખાડવાથી. (૪) અસદ્ગુણોાવન= પોતાનામાં જે ગુણો ન હોય તેને પણ છે એમ ગાવાથી. તથા નાના ગુણો હોય તેને મેરૂ જેવડા કરીને ગાવાથી. બીજાના નાના દોષને મોટો કરવો અને મોટો ગુણ નાનો કરવો. પોતાનો નાનો ગુણ મોટો કરવો અને મોટો દોષ નાનો કરવો. તથા પોતાના છતા દોષને ઢાંકવા અને બીજાના અછતા દોષો ગાવા. આમ કરવાથી પણ આ જીવ નીચગોત્ર કર્મ બાંધ છે. ૬-૨૪. ૬-૨૫ तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेकौ चोत्तरस्य તદ્વિપર્યયો નીચૈવ્રુત્ત્વનુન્સેકૌ ચોત્તરસ્ય તદ્ વિપર્યયઃ નીચેઃ વૃત્તિ-અનુન્સેકૌ ચ ઉત્તરસ્ય ૬-૨૫ ૬-૨૫ ભાવાર્થ:- તેનાથી વિપરીત એટલે પરપ્રશંસા, આત્મનિંદા, પોતાના છતા ગુણો ઢાંકવા, અને પરના અછતા ગુણો ગાવા, તથા નમ્ર-સ્વભાવ અને નિરભિમાનતા એ સર્વે ઉચ્ચગોત્રના બંધહેતુ છે. ૬-૨૫. ભાવાર્થ:- ઉપરોક્ત હકીકતથી જે વિપરીત આચરણ છે તે ઉચ્ચગોત્રકર્મ બંધાવે છે. (૧) પર પ્રશંસા, (૨) આત્મનિંદા, (૩) પોતાના ગુણોનું આચ્છાદન, (૪) અને બીજાના ગુણોનું Page #218 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૨૬ ૧૯૩ ઉલ્કાવન, તથા બીજાના મોટા દોષને નાનો કરવો, બીજાનો નાનો ગુણ મોટો કરવો, પોતાનો નાનો દોષ મોટો કરવો અને મોટો ગુણ નાનો કરવો, ઈત્યાદિથી આ જીવ ઉચ્ચગોત્રકર્મ બાંધે છે. તથા નમ્રસ્વભાવ અને નિરભિમાનતાથી પણ આ જીવ ઉચ્ચગોત્રકર્મ બાંધે છે. ૬-૨૫. વિનર મન્તરય ૬-૨૬ વિનકરણમજોરાયસ્ય ૬-૨૬ વિનકરણમજોરાયસ્ય ૬-૨૬ સૂત્રાર્થ : અન્યને દાનાદિ કાર્યો કરતાં રોકવા તે અંતરાય કર્મના બંધહેતુ છે. ૬-ર૬ ભાવાર્થ- બીજા આત્માઓ દાન આપતા હોય, અથવા તેઓને લાભ મળતો હોય, તેઓ કોઈપણ વસ્તુનો ભોગ-ઉપભોગ કરતા હોય, તેમાં વિઘ્ન કરવાથી આ જીવ અંતરાયકર્મ બાંધે છે. બીજાને આહાર-પાણી આદિનો વિરહ કરવાથી, શરીરે દુર્બળ બનાવવાથી વીર્યાન્તરાયકર્મ બંધાય છે. તથા પોતાની શરીરની શક્તિ હોવા છતાં ધર્મકાર્યમાં એ શક્તિ ન વાપરવાથી પણ અંતરાયકર્મ બંધાય છે. ૬-૨૬, છઠ્ઠો અધ્યાય સમાપ્ત -- Sો Jain Elation International Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ અધ્યાય : ૭-સૂત્ર-૧-૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય સાતમો ) ૭-૧ हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिव्रतम् હિંસાવૃતસ્તેયાબ્રહ્મપરિગ્રહેભ્યો વિરતિદ્ગતમ્ ૭-૧ હિંસા-અમૃત-સ્તેય-અબ્રહ્મ-પરિગ્રહેભ્યઃ વિરતિ વ્રતમ્૭-૧ સૂત્રાર્થ : હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહથી અટકવું-વિરામ પામવો તે વ્રત કહેવાય છે. ૭-૧ ભાવાર્થ- (૧) હિંસાથી, (ર) અમૃત (અસત્ય)થી, (ર) સ્તેય (ચોરી)થી, (૪) અબ્રહ્મ(મૈથુન)થી, અને (૫) પરિગ્રહ (મૂછ-મમતા)થી અટકવું. વિરામ પામવો તેને વ્રત કહેવાય છે. આ પ્રમાણે હિંસાથી અટકવું તે પ્રાણાતિપાતવિરમણ, અમૃતથી અટકવું તે મૃષાવાદવિરમણ, ચોરીથી અટકવું તે અદત્તાદાનવિરમણ, મૈથુનથી અટકવું તે મૈથુનવિરમણ, અને પરિગ્રહથી અટકવું તે પરિગ્રહવિરમણ એમ કુલ પાંચવતો છે. જૈનશાસનમાં આ પાંચ વ્રતો આશ્રવને રોકનારાં કહ્યાં છે. ૭-૧. देशसर्वतोऽणुमहती ७-२ દેશસર્વતણમહતી ૭-૨ દેશસર્વતો અણુ-મહતી ૭-૨ Page #220 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-3 ૧૯૫ સૂત્રાર્થ : દેશથી અને સર્વથી વિરતિ તે અનુક્રમે અણુવ્રત અને મહાવ્રત કહેવાય છે. ૭-૨ આ હિંસાદિ પાંચે પાપોથી અટકવાનું કાર્ય બે પ્રકારે હોય છે. (૧) એક દેશથી-અંશથી તે અણુવ્રત કહેવાય છે. અને (૨) બીજું સર્વથા અટકવું તે મહાવ્રત કહેવાય છે. એટલે અણુવ્રત અને મહાવ્રત એમ વ્રતના બે પ્રકાર છે. ૭-૨. અણુવ્રતધારી જીવોને શ્રાવક અને શ્રાવિકા કહેવાય છે. તથા મહાવ્રતધારી જીવોને સાધુ અને સાધ્વીજી કહેવાય છે. આવા વ્રતધારી સમ્યગ્દષ્ટિ જીવોને જ ચતુર્વિધ સંઘ કહેવાય છે. तत्स्थैर्यार्थं भावनाः पञ्च पञ्च તસ્મૈર્યાર્થ ભાવના; પંચ પંચ તસ્મૈયાર્થ ભાવનાઃ પંચ પંચ 9-3 ૭-૩ ૭-૩ સૂત્રાર્થ : તે વ્રતોની સ્થિરતા માટે પાંચ પાંચ ભાવનાઓ ભાવવા જેવી છે. ૭-૩ ભાવાર્થ:- તે પાંચે અણુવ્રતો અને મહાવ્રતોમાં સ્થિર થવા માટે દરેક વ્રતોની પાંચ પાંચ એમ કુલ-૨૫ ભાવનાઓ હંમેશાં ભાવવી જોઇએ. આ ભાવનાઓ ભાવવાથી જીવ વ્રતોમાં સ્થિર અને વધારે સ્થિર થાય છે. વ્રતોના નિર્દોષ પાલન માટે પચીસ ભાવનાઓ હંમેશાં ભાવવી આવશ્યક છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ અધ્યાય : ૭-સૂત્ર-૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર પોતાને અને પરને દુ:ખ અથવા ક્લેશ ન થાય તે પ્રમાણે જયણાપૂર્વક ચાલવું તે ઇયાસમિતિ ૧, મનને માઠા વિચારોથી રોકીને શુભવિચારમાં જોડવું તે મનોગુપ્તિ ૨, દોષો ન લાગે તે રીતે જરૂરિયાતવાળી વસ્તુઓ શોધવી, લેવી અને વાપરવી તે એષણાસમિતિ ૩, જરૂરિયાતવાળી વસ્તુઓને લેતાં મુક્ત ભૂમિ આદિનું અવલોકન અને પ્રમાર્જન આદિ કરવું તે આદાનભંડમત્તનિક્ષેપણાસમિતિ ૪, આહાર પાણીની વસ્તુને બરાબર જોઈ તપાસીને જ લેવી અને પછી પણ પૂરેપૂરી ચકાસીને જ વાપરવી તે આલોકિતપનભોજન પ. આ પહેલા વ્રતની પાંચ ભાવના છે. વિચાર કરીને ઉચિત, પરિમિત અને આવશ્યક હોય તેટલું જ બોલવું તે અનુવાચિભાષણ ૧, આવેશ-ગુસ્સો ત્યજીને બોલવું તે ક્રોધપ્રત્યાખ્યાન ર, આસક્તિ-મૂછ ત્યજીને બોલવું તે લોભપ્રત્યાખ્યાન ૩, ભય-ડરપોક્તા ત્યજીને બોલવું તે ભયપ્રત્યાખ્યાન ૪, હાંસી-ઠકો-મશ્કરી ત્યજીને બોલવું તે હાસ્યપ્રત્યાખ્યાન ૫, આ બીજા વ્રતની પાંચ ભાવના છે. વિચારી કરીને જરૂરિયાત પ્રમાણે વિનયપૂર્વક સ્થાનની માંગણી કરવી તે અનુવાચિઅવગ્રહયાચન ૧, રહેવા માટેનું સ્થાન માગેલું હોવા છતાં વધારે સમય માટે જરૂરિયાત હોય તો વારંવાર માગવું તે અભિષ્ણઅવગ્રહયાચન ૨, સ્થાનનું પરિમાણ ધારવું તે અવગ્રહાલધારણ ૩, સમાન ધર્મવાળાએ પ્રથમ જે સ્થાન માગી લીધું હોય, અને તેની આપણને આવશ્યક્તા હોય તો તે સ્થાન તે સાધર્મિક પાસેથી આપણે Page #222 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૩ ૧૯૭ માગવું તે સમાનસાધર્મિક અવગ્રહયાચન ૪, વિધિપૂર્વક ગુરુની આજ્ઞાનુસાર આહાર-પાણી લાવી, તેઓને દેખાડીને તેઓની આજ્ઞા પ્રમાણે ઉપયોગ કરવો તે અનુજ્ઞાપિત પાન ભોજન ૫, આ ત્રીજાવ્રતની પાંચ ભાવના જાણવી. વિજાતીય વ્યક્તિ વડે સેવાયેલાં તથા પશુ અને નપુંસક વડે સેવાયેલાં આસન-શયન અને વસતિનો ત્યાગ કરવો તે સ્ત્રીપશુ પંડકસેવિત શયનાસનવર્જન ૧, કામવાસના વર્ધક વાર્તાઓ ન કરવી તે રાગયુક્તસ્ત્રી-કથાવર્જન ૨, વિજાતીય વ્યક્તિનાં કામ-વાસના ઉત્તેજક અંગો ન જોવાં તે મનોહરેન્દ્રિયાલોકવર્જન ૩, ભૂતકાળમાં ભોગવેલા ભોગો ફરીથી યાદ ન કરવા તે પૂર્વરતિક્રીડાસ્મરણવર્જન ૪, કામવાસનાવર્ધક અને વિકાર ઉત્તેજક એવી ખાણી-પીણીનો ત્યાગ કરવો તે પ્રણિતરસભોજન વર્જન ૫, આ પાંચ ચોથાવ્રતની ભાવના જાણવી. ઇષ્ટાનિષ્ટ એવા રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દોની પ્રાપ્તિ થાય તો પણ હર્ષ-શોક, પ્રીતિ-અપ્રીતિ, તથા આનંદ અને ગુસ્સો ન કરવો તે મનોજ્ઞામનોજ્ઞરૂપ સમભાવ ૧, ઇત્યાદિ ક્રમશ: રૂપના સ્થાને રસાદિના નામવાળી પાંચ ભાવના પાંચમાં વ્રતની જાણવી. જેમ કે મનોજ્ઞામનોજ્ઞ રસ સમભાવ વિગેરે. ઉપરોક્ત રપ ભાવનાઓ ભાવવાથી હિંસા આદિ પાપોથી મન વિરામ પામે છે. અને વતામાં આ આત્મા વધારેને Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ અધ્યાય : ૭-સૂત્ર-૪-૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર વધારે સ્થિર થાય છે. વ્રત પાલનમાં આત્માની સ્થિરતા વધે તેટલા માટે આ ભાવનાઓ ભાવવી અત્યંત જરૂરી છે. ૭-૩. हिंसादिष्विहामुत्र चापायावद्यदर्शनम् ૭-૪ હિંસાદિદ્ધિહામુત્ર ચાપાયાવદ્યદર્શનમ્ ૭-૪ હિંસાદિષુ ઇહ અમુત્ર ચ અપાય-અવદ્યદર્શનમ્ ૭-૪ દરવમેવ વા ૭-૫ દુઃખમેવ વા ૭-૫ દુઃખમ્ એવ વા ૭-૫ સૂત્રાર્થ ઃ હિંસા આદિ પાંચે પાપોમાં વર્તવાથી આ ભવ અને પરભવમાં પીડાની પરંપરા, અને કડવાં ફળોની પ્રાપ્તિનું દર્શન કરવું. હિંસાદિ પાપોમાં પરિણામે દુઃખ જ આવે છે. -એમ વિચારવું. ૭-૪ ૭-૫ ભાવાર્થ- હિંસા આદિ પાંચ પ્રકારના પાપોમાં વર્તવાથી આ લોકમાં દુઃખોની (અનર્થોની) પરંપરા વધે છે અને પરભવમાં કડવા વિપાકો ભોગવવા પડે છે. એમ વિચારવું. અથવા આ મહાવ્રત-અણુવ્રત ન પાળવાથી અને હિંસાદિમાં રચ્યા-પચ્યા રહેવાથી આ ભવમાં તથા પરભવમાં * દુઃખ જ દુઃખ હોય છે. એમ વિચારવું. હિંસા, જુઠ, ચોરી, વ્યભિચાર અને પરિગ્રહ આ પાંચે Page #224 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૬ ૧૯૯ પાપો આચરવામાં આ ભવમાં દંડ, સજા, કારાવાસ, લોકનિંદા, પ્રતિષ્ઠાતાનિ ઇત્યાદિ અપાયો (દુઃખો) જ છે. એવું દેખવાથી, જાણવાથી, ચિંતવવાથી, આવા અપાય દર્શનથી આ જીવ હિંસાદિ પાપોથી વિરામ પામે, તથા પરભવમાં નરક-નિગોદના ભવાની પ્રાપ્તિજનક (અવદ્ય) પાપ જ બંધાય આમ વિચારવાથી પણ જીવ આવા પાપોથી વિરામ પામે. આ પ્રમાણે હિંસા-જુઠ આદિ પાપનાં કાર્યોમાં પ્રવૃત્તિ કરવાથી આ ભવમાં અને પરભવમાં દુઃખ જ આવે છે એમ વિચારવું. તેવી વિચારણાઓથી આ જીવ વ્રતોમાં વધારે સ્થિર થાય છે. ૭-૪,૫. मैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यानि सत्त्व-गुणाधिक-क्लिश्यमानाविनेयेषु ७-६ મૈત્રી-પ્રમોદ-કારુણ્ય-માધ્યય્યાનિ સત્ત્વ-ગુણાધિક-ફિલશ્યમાનાવિનેયેષ મૈત્રી-પ્રમોદ-કારુણ્ય-માધ્યય્યાનિ સત્ત્વ-ગુણ-અધિક-કિલશ્યમાન-અવિનેયેષુ ૭-૬ સૂત્રાર્થ : સર્વ જીવો ઉપર મૈત્રી, ગુણાધિક ઉપર પ્રમોદ, પીડિત જીવો ઉપર કરુણા અને અવિનીત (પાપી) જીવો ઉપર મધ્યસ્થતા આવા પ્રકારની ચાર ભાવના ભાવવી જોઈએ. ૭-૬ ભાવાર્થ- સર્વે જીવોની સાથે મૈત્રી, ગુણાધિક ઉપર Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ અધ્યાય : ૭-સૂત્ર-૭ તત્વાર્થાધિગમસૂત્ર પ્રમોદ, ફિલશ્યમાન જીવો ઉપર કરુણા, અને અવિનીત જીવો ઉપર માધ્યશ્મભાવના ભાવવી. એટલે કે સર્વે જીવો ઉપર મિત્રતા રાખવી, કોઈ પણ જીવ ઉપર વૈર-દ્વેષભાવ ન રાખવો. આપણાથી જે જે ગુણાધિક હોય, વડીલ હોય, ઉપકારી હોય તેના ઉપર પ્રમોદભાવ-હર્ષ રાખવો, દુ:ખી જીવો ઉપર કરુણા દયા લાગણી કરવી. અને પાપી જીવો ઉપર મધ્યસ્થતાઉદાસીનતા રાખવી. કારણ કે પાપી જીવો ઉપર ક્રોધ, આવેશ, તિરસ્કાર કે નિંદા કરવાથી તે જીવો કંઈ પાપ છોડી દેવાના નથી. અને આપણા જીવને નિરર્થક સંક્લેશ માત્ર જ થાય છે. માટે મધ્યસ્થતા રાખવી એ જ ઉપકારક છે. આ ચારે ભાવનાઓ પણ ગ્રહણ કરેલા વ્રતોને ટકાવવાના શ્રેષ્ઠ ઉપાયો જ છે. ૭-૬. जगत्कायस्वभावौ च संवेगवैराग्यार्थम् ७-७ જગત્કાયસ્વભાવ ચ સંવેગવૈરાગ્યાર્થમ્ ૭-૭ જગત્કાયસ્વભાવ ચ સંવેગ-વૈરાગ્યાર્થમ્ ૭-૭ સૂત્રાર્થ : સંવેગ અને વૈરાગ્ય માટે જગતનો સ્વભાવ અને કાયાનો સ્વભાવ વિચારવો. ૭-૭ ભાવાર્થઆત્મામાં સંવેગ (મોક્ષની અભિલાષા)ના પરિણામ તથા વૈરાગ્યના પરિણામ વૃદ્ધિ પામે એટલા માટે જગનો સ્વભાવ અને કાયાનો સ્વભાવ હંમેશાં વિચારવો. Page #226 -------------------------------------------------------------------------- ________________ તાથધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૮ ૨૦૧ જન્મ તે અવશ્ય કરે જ છે. સંયોગ હોય ત્યાં અવશ્ય કાળાન્તરે વિયોગ થાય જ છે. જે ઉગે છે તે આથમે જ છે. જે ચઢે છે. તે લગભગ પડે જ છે. એવી રીતે સુખ-દુ:ખ, ચંડતીપડતી થવી એ આ સંસારનો સહજ સ્વભાવ જ છે. એમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. આ પ્રમાણે જગસ્વભાવ વિચારવો, જેથી હર્ષ-શોક અને રાગ-દ્વેષ ન થાય. તથા શરીરના પ્રત્યેક છિદ્રોમાંથી અશુચિ જ બહાર આવે છે. ગમે તેવું શણગારેલું શરીર પણ મળ-મૂત્રથી ભરેલો કોથળો જ છે. જેના સ્પર્શમાત્રથી પણ સુગંધી વસ્તુ (વસ્ત્રાદિ) દુર્ગધવાળાં બને છે. ખાવા લાયક મોદકાદિ પણ સુગ ચડે તેવા થઇ જાય છે. આવો શરીરસ્વભાવ છે. માટે તે આત્મા! તું એમાં મોહ ન કર. આવું પ્રતિદિન વિચારવું કે જેથી સંવેગ અને વૈરાગ્યની વૃદ્ધિ થાય. આ પણ વ્રતોની સ્થિરતાના ઉત્તમ ઉપાયો જ છે. ૭-૭. प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा ७-८ પ્રમત્તયોગાત્ પ્રાણવ્યપરોપણે હિંસા ૭-૮ પ્રમત્તયોગાત્ પ્રાણ-વ્યપરોપણે હિંસા ૭-૮ સૂત્રાર્થ પ્રમાદયોગથી પ્રાણોનો વધ કરવો તે હિંસા. ૭-૮ ભાવાર્થ- પ્રમાદના કારણે બીજા આત્માના પ્રાણોનો વિયોગ કરવો (કરાવવો) તે હિંસા કહેવાય છે. જીવોની રક્ષાનો પરિણામ ન રાખીએ અને પ્રાણોનો વિનાશ કરીએ તો હિંસા કહેવાય છે. મનથી હિંસા, વચનથી હિંસા તથા કાયાથી હિંસા, દ્રવ્ય-હિંસા Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ અધ્યાય : ૭-સૂત્ર-૯-૧૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર અને ભાવહિંસા એમ હિંસાના અનેક પ્રકારો શાસ્ત્રાન્તરથી જાણવા, બંગવચન, કટાક્ષ વચન, મેણાં, ટોણાં કોઇનું પણ મન દુભાવવું. વગેરે પણ હિંસાના જ પ્રકારો જાણવા. ૭-૮. असदभिधानमनृतम् ७-८ અસદભિધાનમનૃતમ્ ૭ -૯ અસદભિધાનમનૃતમ્ ૭-૯ સૂત્રાર્થ : જૂઠું બોલવું તે અમૃત. ૭-૯ ભાવાર્થ- જુઠું બોલવું. ખોટા આક્ષેપ કરવા, દોષારોપણ કરવું તે અમૃત છે. ખોટી વકીલાત કરવી. કોઈપણ વ્યક્તિનો ખોટો પક્ષ લેવો. કોઈના ઉપર આક્ષેપ કરવો. કલંક આપવાં. ખોટી વાતને મારી મચડીને સાચી કરવી તે બધુ અમૃત સમજવું. ૭-૯, મત્તાવાને તૈયમ્ ૭-૧૦ અદત્તાદાન સ્તયમ્ ૭-૧૦ અદત્ત-આદાન સ્તયમ્ ૭-૧૦ સૂત્રાર્થ : ન આપેલું લેવું તે તેય. ૭-૧૦ ભાવાર્થ- કોઇનું પણ ન આપેલું લેવું તે ચોરી કહેવાય છે. જે વસ્તુ જે માલીકની હોય તેની રજા વિના તે વસ્તુ લેવી. માલિક ન હોય તો પણ પારકી વસ્તુ ઉઠાવવી જોઇએ નહીં અને જો ઉઠાવીએ તો તે ચોરી અર્થાત્ તેય કહેવાય છે. ૭-૧૦. Page #228 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૧૧-૧૨ ૨૦૩ મૈથુનમબ્રહ્મ ૭-૧૧ મૈથુનમબ્રહ્મ ૭-૧૧ મૈથુન અબ્રહ્મ ૭-૧૧ સૂત્રાર્થ : મિથુનની (યુગલની) જે સાંસારિક ક્રિયા તે મૈથુન. ૭-૧૧ ભાવાર્થ- સ્ત્રી-પુરુષનું જે જોડકું તે મિથુન કહેવાય છે. તે બન્નેની જે સાંસારિક ક્રિયા તે મૈથુન, મૈથુનને અબ્રહ્મ કહેવાય છે. એવી જ રીતે આલિંગન, કામવર્ધક ઇસારા, કામોત્તેજક વાક્યો તથા વાસના વર્ધક ચિત્રદર્શન વગેરે પણ મૈથુનનું કારણ હોવાથી મૈથુન કહેવાય છે. ૭-૧૧. મૂચ્છ પરિપ્રદ: ૭-૧૨ મૂચ્છ પરિગ્રહઃ ૭-૧૨ મૂચ્છ પરિગ્રહઃ ૭-૧૨ સૂત્રાર્થ મૂચ્છ-મમતા તે પરિગ્રહ કહેવાય છે. ૭-૧૨ ભાવાર્થ:- મૂછ-મમતા-વાચ્છા, સ્પૃહા-ઝંખનાઆસક્તિ-આ મારું છે. મારું છે એવો જે પરિણામ તે મૂઈ કહેવાય છે. વસ્તુના સંગ્રહને જેમ પરિગ્રહ કહેવાય છે તેમ વસ્તુઓ વિના તેની મમતાને પણ પરિગ્રહ કહેવાય છે. નિશ્ચયનયથી તો વસ્તુઓ હોય કે ન હોય. પરંતુ તે વસ્તુઓની મમતા એ જ પરિગ્રહ છે. તેથી જ ભિખારી લોકો વસ્તુ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ અધ્યાય : ૭-સૂત્ર-૧૩-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર વિનાના હોવા છતાં પણ સપરિગ્રહી છે. અને તીર્થકર પરમાત્માઓ ૩૪ અતિશયોની સમૃદ્ધિવાળા હોવા છતાં પણ અપરિગ્રહી છે. પરંતુ વ્યવહારનયથી વિભૂતિ (સંપત્તિ) એ મમતાનું કારણ હોવાથી સંપત્તિને પરિગ્રહ કહેવાય છે. સંપત્તિવાળો સપરિગ્રહી અને સંપત્તિ વિનાનો અપરિગ્રહી કહેવાય છે. ૭-૧૨. નિઃશન્યો વ્રતી ૭-૧૩ નિઃશલ્યો વ્રતી ૭-૧૩ નિઃશલ્યઃ વ્રતી ૭-૧૩ સૂત્રાર્થ : માયાદિ શલ્ય વિનાનો વ્રતધારી તે જ સાચો વ્રતી છે. ૭-૧૩ ભાવાર્થ:- જેના જીવનમાં શલ્ય નથી, કપટ નથી, માયા નથી અને હિંસાવિરમણ આદિ વ્રતો છે. તે જ આત્મા સાચો વ્રતી છે. શલ્ય ત્રણ પ્રકારનાં છે. (૧) માયાશલ્ય, (૨) નિયાણા શલ્ય, (૩) મિથ્યાત્વશલ્ય. જુઠ, કપટ એ માયાશલ્ય, ધર્મના બદલામાં સંસાર સુખની માગણી કરવી તે નિયાણા શલ્ય, અને ધર્મ પ્રત્યેની અરુચિ અને અધર્મ પ્રત્યેની રુચિ તે મિથ્યાત્વશલ્ય કહેવાય છે. શલ્ય હોય તો વ્રત એ (ફળદાયક ન હોવાથી) વ્રત કહેવાતું નથી. ૭-૧૩. अगार्यणगारश्च ૭-૧૪ Page #230 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૧૪-૧૫ ૨૦૫ અગાર્યણગારશ્ચ ૭-૧૪ અગારી-અણગારઃ ચ ૭-૧૪ - સૂત્રાર્થ : અગારી અને અણગાર એમ બે પ્રકારના વ્રતી છે. ૭-૧૪ ભાવાર્થ - વ્રતવાળા આત્માઓ બે પ્રકારના હોય છે. (૧) અગારી અને (૨) અણગાર, અહીં અગાર શબ્દનો અર્થ ઘર થાય છે. એટલે ઘરવાળા, અણુવ્રતવાળા તે અગારી, અને ઘર વિનાના મહાવ્રતવાળા જે મુનિઓ તે અણગાર કહેવાય છે. મારા શબ્દથી મનુબર્થમાં રૂનું પ્રત્યય લાગવાથી મારી શબ્દ બને છે. અને મUTIFર શબ્દમાં તે જ મનુબ પ્રત્યયનો અર્થ બદ્વીહિસમાસથી આવી જાય છે. માટે રૂ પ્રત્યય લાગતો ન્યી. નાતિ માં થી સ: મUTI: ૭-૧૪. વ્રત્તોડનાર ૭-૧૫ અણુવ્રતોગારી ૭-૧૫ અણુવ્રત: અગારી ૭-૧૫ સૂત્રાર્થ અણુવ્રતધારી જીવો અગારી કહેવાય છે. ૭-૧૫ ભાવાર્થ - અણુવ્રતવાળા શ્રાવક-શ્રાવિકા કે જેઓ ઘરવાળા છે તેઓ અગારી કહેવાય છે. તેમને પાંચ અણુવ્રત ઉપરાંત ૩ ગુણવ્રત તથા ૪ શિક્ષાવ્રત એમ ૭ વ્રત બીજાં પણ હોય છે. શ્રાવક-શ્રાવિકાના મૂલગુણભૂત પાંચ અણુવ્રતોને જે ગુણ કરે, Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ અધ્યાય : ૭-સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર લાભ કરે, ફાયદો કરે તે ગુણવ્રત, અને સાધુના જીવન જેવી શિક્ષા-શિક્ષણ-અનુકરણ જેમાં મળે તે શિક્ષાવ્રત. આ ૩+૪=૭ વ્રતો પાંચ અણુવ્રતની પુષ્ટિ કરનારાં છે. રક્ષા કરનારાં છે. વૃદ્ધિ કરનારાં છે. તેથી પાંચ અણુવ્રત એ ધાન્યની જેમ મૂડીરૂપ છે. અને આ ૭ વ્રતો તેની રક્ષારૂપ કાંટાની વાડ તુલ્ય છે. મારે એટલે ઘર, મુરતિ ય=ઘર છે જેને તે. આવો ભાવ હોવાથી મનુબર્થમાં રૂનું પ્રત્યય થવાથી સારી શબ્દ બને છે. અને “નતિ મગરમચ્છઅહીં બહુવતિ સમાસ બનવાથી જ મતુબર્થ આવી જ જાય છે. તેથી રૂન પ્રત્યય લાગતો નથી. માટે મUTIR શબ્દ બને છે. મારી શબ્દ બનતો નથી. ૭-૧૫. दिग्देशानर्थदण्डविरति-सामायिक-पौषधोपवासोपभोगપરિપરિમા તિથિવિમા દ્વતિસંપન્ન ૭-૧૬ દિશાનર્થદંડવિરતિ-સામાયિક-પૌષધોપવાસોપભોગ પરિભોગપરિમાણતિથિસંવિભાગવ્રતસંપન્નશ્ચ ૭-૧૬ દિગ્દશ-અનર્થદંડવિરતિ-સામાયિક-પૌષધોપવાસઉપભોગ-પરિભોગ-પરિમાણ-અતિથિસંવિભાગવ્રતસંપન્નઃ ચ ૭-૧૬ સૂત્રાર્થ : ૧ દિશાની વિરતિ, ર દેશની વિરતિ, ૩ અનર્થદંડની વિરતિ, ૪ સામાયિક, ૫ પૌષધોપવાસ, ૬ ઉપભોગ પરિભોગ પરિમાણ અને ૭ અતિથિસંભિાગ વ્રત. એમ બીજાં સાત વ્રતોથી યુક્ત અગારી જીવ હોય છે. ૭-૧૬ Page #232 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૧૬ ૨૦૭ ભાવાર્થ- પાંચ અણુવ્રતો ઉપરાંત તે અણુવ્રતોની રક્ષા કરનારાં નીચે મુજબ શ્રાવકનાં બીજાં ૭ વ્રતો પણ છે. (૧) દિવિરતિ=જીવન પર્યંત ચારે દિશા-વિદિશામાં તથા ઉપર-નીચે એમ દસે દિશાઓમાં જવા-આવવાની કરેલ મર્યાદાથી વધારે દૂર જવું આવવું નહીં. આવા પ્રકારનો દિશાઓમાં જવા-આવવાના પ્રમાણનો નિયમ કરવો તે. (૨) દેશવિરતિક(દેશાવકાશિક) તે તે દિશામાં પણ અત્યંત સંક્ષેપ કરવો, ધારેલી દિશાના માપથી બહાર વસ્તુ લાવવી-મોકલવી નહીં. ધારેલી દિશાથી બહારની દિશામાં રહેલી કોઈપણ સજીવ-નિર્જીવ વસ્તુનો વ્યવહાર ન કરવો તે. (૩) અનર્થદંડવિરતિ= જરૂરીયાત વિનાનાં પાપોથી અટકવું, બીનજરૂરી નિરર્થક પાપોનું આચરણ ન કરવું તે. (૪) સામાયિકવ્રત= સમતાભાવની પ્રાપ્તિ. કષાયોનો ત્યાગ તે સામાયિક-વર્ષમાં અમુક સામાયિક અવશ્ય કરવાં. (૫) પૌષધોપવાસવ્રત= એક દિવસ પણ ઘરના સર્વ વ્યવસાયો ત્યજીને ત્યાગી બની સાધુ જેવું જીવન જીવવું તે પૌષધ, તેમાં ઉપવાસ કરવો. તે પૌષધોપવાસ, વર્ષમાં અમુક પૌષધ તો અવશ્ય કરવા જ એવો નિયમ કરવો તે. (૬) ઉપભોગ-પરિભોગ પરિમાણવ્રત= એકવાર વપરાય તેવી વસ્તુઓ તે ઉપભોગ અને વારંવાર વપરાય એવી Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ અધ્યાય : ૭-સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર વસ્તુઓ તે પરિભોગ, જીવન પર્યન્ત અમુક-અમુક સંખ્યામાં જ વસ્તુઓનો ઉપભોગ-પરિભોગ કરવો તેનાથી વધારે વસ્તુઓનો ઉપભોગ પરિભોગ ન કરવાનો જે નિયમ તે. (૭) અતિથિસંવિભાગ વ્રત-પૌષધ કરવા પૂર્વક ઉપવાસ કરીને પારણામાં સાધુ મહાત્માની અથવા વિશિષ્ટ અતિથિની ભક્તિ કરીને પછી જ જમવું તે અતિથિસંવિભાગ વ્રત. (સંવિભાગ=ભક્તિ). જે વસ્તુથી અતિથિની ભક્તિ થઈ હોય તે જ વસ્તુનો ઉપયોગ કરવો. પરંતુ જે વસ્તુથી અતિથિની ભક્તિનો લાભ ન મળ્યો હોય, તે વસ્તુનો વ્યવહાર ન કરવો તે. અહીં દેશાવકાશિકમાં વર્તમાનકાળે ૮૧૦ સામાયિક કરવાનો વ્યવહાર છે. પરંતુ પરમાર્થથી લીધેલા નિયમોનો અતિશય સંક્ષેપ કરી અતિશય ત્યાગી થઈ સાધુ જેવું જીવન જીવવું તે દેશાવકાશિક છે. આ જ અધ્યાયના ર૬મા સૂત્રમાં કહેલા આનયનપ્રયોગાદિ અતિચારો જોતાં આ વાત સમજાય તેવી છે. આ અતિશય સંક્ષેપવાળા દિશાના નિયમને પાળવા માટે અર્થાત્ આ નિયમને સાચવવા માટે વર્તમાન કાળે વ્યવહારથી વાડની જેમ ૮/૧૦ સામાયિકનું આચરણ કરાય છે. આ પ્રમાણે શ્રાવકનાં કુલ ૫+૭=૧૨ વ્રતો છે. ૭-૧૬. Page #234 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૧૭-૧૮ ૨૦૯ મારાન્તિ અંક્લેરનાં નોષિતા ૭-૧૭ મારણાન્તિકી સંલેખનાં જોષિતા ૭-૧૭ મારણ-અન્તિકી સંલેખનાં જોષિતા ૭-૧૭ સૂત્રાર્થ : મરણના અકાલે અગારીએ અને અણગારે સંલેખના કરવી જોઈએ. (એટલે કે વ્રતોમાંની) છુટોનો સંક્ષેપ કરવો અથવા અનશન કરવું તે. ૭-૧૭ ભાવાર્થ- સાધુએ અથવા ગૃહસ્થ મરણ નજીક આવે ત્યારે બની શકે ત્યાં સુધી અવશ્ય અનશન કરવું. ઈચ્છાપૂર્વક આહારનો ત્યાગ કરીને શરીરને વોસિરાવવું તે અનશન કહેવાય છે. અનશન એ જ સંલેખના કહેવાય છે. અથવા ઇચ્છાઓને રોકવી તે સંખના-આ ભવ અને પરભવના સુખની ઈચ્છાઓ રોકવી. ઇચ્છાઓને ટૂંકાવવાથી રાગ-દ્વેષ અને ક્લેશ ઓછા થાય છે. આર્ત-રૌદ્રધ્યાન પણ હીન થાય છે. માટે મૃત્યુ નજીક આવે ત્યારે અવશ્ય સંલેખના કરવી જોઇએ. મૃત્યુના અંત્યકાળ સંખનાને સેવનારો આત્મા ઉત્તમાર્થનો આરાધક બને છે. ૭-૧૭. शङ्का-काङ्क्षा-विचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवाः सम्यग्दृष्टेरतिचाराः ૭-૧૮ શંકા-કાંક્ષા-વિચિકિત્સા-અન્યદૃષ્ટિપ્રશંસાસંસ્તવાઃ સમ્યગ્દષ્ટ રતિચારાઃ ૭-૧૮ ૧૪ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ અધ્યાય : ૭-સૂત્ર-૧૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર શંકા-કાંક્ષા-વિચિકિત્સા-અન્યદૃષ્ટિપ્રશંસાસંતવાઃ સમ્યગ્દષ્ટઃ અતિચારા: ૭-૧૮ સૂત્રાર્થ : શંકા, આકાંક્ષા, વિચિકિત્સા, અન્ય દૃષ્ટિની પ્રશંસા અને અન્ય દૃષ્ટિનો પરિચય આ સમ્યકત્વવ્રતના પાંચ અતિચારો છે. ૭-૧૮ ભાવાર્થ-હવે સમ્યકત્વના તથા ૧૨ વ્રતોના અતિચારો જણાવે છે :- વીતરાગ અને સર્વજ્ઞ એવા જે પરમાત્મા તે જ સાચા જિનેશ્વર પ્રભુ છે. તેમનાં વચનો સંપૂર્ણપણે સત્ય છે એમ જે માનવું તે સમ્યક્ત. આવા સમ્યત્વવાળા જીવને “સમ્યગ્દષ્ટિ”-સાચી દૃષ્ટિવાળો જીવ કહેવાય છે. આવા પ્રકારનું મુક્તિના બીજભૂત સમ્યકત્વ પામ્યા પછી નીચે મુજબના પાંચ દોષો સેવવા જોઇએ નહી, તે દોષી સમ્યકત્વને મલીન કરે છે. સમ્યકત્વથી પતન થવા તરફ લઈ જાય છે. માટે અતિચાર કહેવાય છે. આવા અતિચારો સેવવા યોગ્ય નથી. ત્યજવા યોગ્ય છે. (૧) શંકા-જિનેશ્વર પ્રભુના વચનોમાં શંકા કરવી તે. (૨) કાંક્ષા= ચમત્કારાદિ દેખીને બીજા ધર્મોની ઇચ્છા કરવી તે. (૩) વિચિકિત્સા તત્ત્વાતત્ત્વના વિચાર શૂન્ય આ પણ ઠીક છે અને આ પણ ઠીક છે એવા અસ્થિરબુદ્ધિ અથવા સાધુસાધ્વીનાં મલીન શરીર-વસ્ત્રાદિ દેખી ધૃણા કરવી તે. Page #236 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૧૯ ૨૧૧ (૪) અન્યદૃષ્ટિપ્રશંસાઃ અન્યધર્મીઓમાં કદાચ કોઈ ગુણ દેખાય તો પણ તેની સભા સમક્ષ પ્રશંસા ન કરવી જોઇએ. કારણ કે તેના ખોટા મતને ટેકો મળે. તેથી પ્રશંસા કરવી તે અતિચાર. (૫) અન્યદષ્ટિસંસ્તવ= સંસ્તવ એટલે પરિચય, અન્યધર્મીઓનો પરિચય કરવો, તેની સોબત કરવી. તેઓની સાથે સવિશેષ સંબંધ કરવો તે અતિચાર. ઉપરોક્ત પાંચે દોષ સમ્યકત્વને કલુષિત કરનારા છે. માટે અતિચારો છે. તેથી તેને જીવનમાંથી ત્યજવા જેવા છે. ૭-૧૮. વ્રત-શીભેષ પ પ યથાશ્ચમમ્ ૭-૧૯ વ્રત-શીલેષ પંચ પંચ યથાક્રમમ્ ૭-૧૯ વ્રત-શીલેષ પંચ પંચ યથાક્રમમ્ ૭-૧૯ સૂત્રાર્થ : પાંચ અણુવ્રતોમાં અને સાત શીલવ્રતોમાં અનુક્રમે પાંચ પાંચ અતિચારો છે. ૭-૧૯ ભાવાર્થ- પાંચ અણુવ્રતો અને સાત શીલવ્રતોમાં એમ કુલ ૧૨ વ્રતોમાં પાંચ પાંચ અતિચારો છે કુલ ૧૨૪૫૦૬૦ અતિચારો છે. પ+૩+૪=૧૨ પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બારે વ્રતના સાઠ અતિચારો અનુક્રમે આ પ્રમાણે છે. ૭-૧૯. For Private & PerSOI Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ અધ્યાય : ૭-સૂત્ર-૨૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર વલ્થ-વધ-વિછાતિમારા પાપાનિરોથા: ૭-૨૦ બધ-વધ-છવિચ્છેદાતિભારારોપણાન્નપાનનિરોધાઃ ૭-૨૦ બધ-વધ-છવિચ્છેદ-અતિભારારોપણ-અન્નપાનનિરોધાઃ સૂત્રાર્થ : બંધ, વધ, ચામડીનો છેદ, અતિશય ભારનું આરોપણ અને અન્ન-પાનનો નિરોધ (અટકાવવું). આ પાંચ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતના અતિચારો છે. ૭-૨૦ ભાવાર્થ:- સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રત નામના પ્રથમ વ્રત (હાલતા-ચાલતા નિરપરાધી ત્રસજીવોની મારે હિંસા કરવી નહીં એવા પ્રથમ વ્રત)ના ૫ અતિચારો આ પ્રમાણે છે. (૧) બંધ= પશુઓને, અને અવિનયવાળા પુત્ર-પૌત્ર-નોકરાદિને દોરડાથી અથવા સાંકળથી બાંધવા, પંખીઓને પાંજરામાં પૂરવા, કોઈ માણસોને રૂમમાં પૂરી રાખવા. ઇત્યાદિ. (૨) વધ= એટલે પશુને, પંખીને અને અવિનયવાળા જીવોને માર માર્યો હોય, લાકડી-ચાબુક-કે પત્થર માર્યા હોય, કદાચ કોઈ સંજોગોમાં મારવું જ પડે તો પણ હૃદયની અંદરના આવેશ પૂર્વક ન મારવું જોઇએ, તેને બદલે તેવા આવેશવાળો માર મારવો તે અતિચાર. (૩) છવિચ્છેદ= છવિ એટલે ચામડી, તેનો છેદ કરવો, કોઈ પશુ-પંખી કે માણસના હાથ-પગ-પીંછાં વગેરે કાપવાં, કાન-નાક-વિંધવા, ડામ દેવા, ચામડી ખેંચવી. ઇત્યાદિ. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૦-૨૧ (૪) અતિભાર આરોપણ= બળદ-પાડા તથા મજુરાદિ માણસો સામાન્યથી સુખે સુખે જેટલો ભાર ઉંચકી શકે તેમ હોય, તેનાથી લોભને વશ વધારે ભાર ઉંચકાવવો. માણસો પાસે વગર પગારે કામ લેવું. ઓછો પગાર આપી વધુ કામ કરાવવું. (૫) અન્નપાનનિરોધ= નોકર-ચાકર-પશુ-પક્ષી આદિ આપણા આશ્રિતોને અનાજ-પાણી ન આપ્યું હોય, કોઇ આપતું હોય તેને આપણે રોક્યા હોય, તેને ભૂખ્યા રાખી આપણે જમવું તે અન્નપાનનિરોધ અતિચાર. પહેલા વ્રતના આ પાંચ અતિચારો પ્રથમવ્રતને દોષિત કરનાર છે. તેથી સેવવા જોઇએ નહીં. આ અતિચારોનો ત્યાગ કરવો જોઇએ. ૭-૨૦ मिथ्योपदेश - रहस्याभ्याख्यान - कूटलेखक्रिया - न्यासापहार - साकारमन्त्रभेदाः મિથ્યોપદેશ-રહસ્યાભ્યાખ્યાન-ફૂટલેખક્રિયા-ન્યાસાપહાર-સાકારમન્ત્રભેદાઃ મિથ્યા-ઉપદેશ-રહસ્ય-અભ્યાખ્યાન-ફૂટલેખક્રિયા-ન્યાસ-અપહાર-સાકાર મન્ત્ર ભેદાઃ ૭-૨૧ ૭-૨૧ સૂત્રાર્થ: મિથ્યા ઉપદેશ, રહસ્યાભ્યાખ્યાન, ફુટલેખક્રિયા, ન્યાસાપહાર અને સાકારમંત્ર ભેદ આ પાંચ સ્થૂલમૃષાવાદવિરમણ વ્રતના પાંચ અતિચારો છે. ૭-૨૧ ૭-૨૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ અધ્યાય : ૭-સૂત્ર-૨૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાવાર્થ- સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત નામના (“મોટું જુઠું બોલવું નહીં”) એવા શ્રાવકના બીજા વ્રતના પણ પાંચ અતિચારો છે. (૧) મિથ્થોપદેશ= ખોટો ઉપદેશ આપવો, ખોટી શિખામણ આપવી, ખોટી સલાહ આપવી. (૨) રહસ્યાભ્યાખ્યાન= એકાન્તમાં થયેલી વાતો જાહેર કરવી, મિત્ર-મિત્ર વચ્ચે, પતિ-પત્ની વચ્ચે, કુટુંબની અંદર, થયેલી વાતો જાહેર કરવી. ગુપ્ત વાત પ્રગટ કરવી. (૩) કૂટલેખક્રિયા= કૂડા લેખ લખવા, ખોટાં કાગળીયાં કરવાં, ખોટી વકીલાત કરવી. ખોટી સહી કરવી. બીજાના લખેલાનો ઉતારો કરી પોતાના નામે છપાવવું. (૪) ન્યાસાપહાર= કોઈની જમા થાપણ (રકમ) પચાવી પાડવી. (૫) સાકારમ–ભેદ=બીજાની ગુપ્ત વાતો તેના આકારોથી હાવભાવથી જાણીને બીજાને કહેવી. રાજ્યની ગુપ્ત વાતો તથા પતિ-પત્ની વચ્ચેની ગુપ્ત વાત જાહેર કરવી ઇત્યાદિ. આ બીજા વ્રતના પાંચ અતિચારો છે તે સેવવા જોઇએ નહીં. ૭-૨૧. स्तेनप्रयोग-तदाहृतादान-विरुद्धराज्यातिक्रमहीनाधिकमानोन्मान-प्रतिरूपकव्यवहारा: ૭-૨ ૨ Page #240 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૨ ૨૧૫ સ્તનપ્રયોગ-તદાઢતાદાન-વિરુદ્ધરાજ્યાતિક્રમહિનાધિકમાનોન્માન-પ્રતિરૂપકવ્યવહારાઃ ૭-૨૨ સ્તનપ્રયોગ-તદાહત-આદાન-વિરુદ્ધ રાજ્ય-અતિક્રમહીન-અધિક-માન-ઉન્માન-પ્રતિરૂપકવ્યવહારાઃ ૭-૨૨ સૂત્રાર્થ : સ્તનપ્રયોગ, તેનાહતાદાન, વિરુદ્ધ રાજ્યાતિક્રમ, હીનાધિક માનોન્માન અને પ્રતિરૂપકવ્યવહાર આ પાંચ સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતના અતિચારો છે. ૭-૨૨ ભાવાર્થ:- સ્થૂલ અદત્તાદાન વિરમણવ્રત નામના (“મોટી ચોરી કરવી નહી”) આવા પ્રકારના ત્રીજા વ્રતના પાંચ અતિચારો છે. (૧) સ્તનપ્રયોગ= ચોરને ચોરી કરવામાં સહાય કરવી. પરંપરાએ મદદ આપવી. ચોરીનું કાર્ય કરવામાં અનુકૂળતા કરી આપવી. (૨) તદાહતાદાન= તેણે લાવેલો માલ ખરીદવો. (૩) વિરુદ્ધરાજ્યાતિક્રમ = રાજયવિરુદ્ધ વર્તન કરવું. તેના નિયમો ન પાળવા. (૪) હીનાધિકમાનોન્માન = લેવા-દેવાનાં બાટ (કાટલાં) જુદાં રાખવાં. (૫) પ્રતિરૂપકવ્યવહાર= સારી-ખોટી વસ્તુની ભેળસેળ કરવી. સારી વસ્તુ દેખાડી, ગ્રાહકનો ઓર્ડર લઇ ખોટી વસ્તુ ભેળવીને આપવી. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ અધ્યાય : ૭-સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર જેનાથી સંસારમાં આપણે ચોર કહેવાઇએ, ફોજદારી ગુહ્નો લાગુ પડે, એવી ચોરી તે મોટી ચોરી કહેવાય છે. તેનો ત્યાગ તે ત્રીજું વ્રત છે. તે ત્રીજા વ્રતના આ પાંચ અતિચારો સેવવા જોઈએ નહીં. ૭-૨૨. परविवाहकरणेत्वरपरिगृहीतापरिगृहीतागमनानङ्गक्रीडा-तीव्रकामाभिनिवेशाः ૭-૨૩ પરવિવાહકરણેત્રપરિગૃહીતાપરિગૃહીતાગમનાનિંગક્રીડા-તીવ્રકામાભિનિવેશાઃ ૭-૨૩ પરવિવાહકરણ-ઈવરપરિગૃહીત-અપરિગૃહીતાગમનઅનંગક્રીડા-તીવ્રકામાભિનિવેશ: ૭-૨૩ સૂત્રાર્થ : પરવિવાહકરણ, ઇત્રપરિગૃહીતાગમન, અપરિગૃહીતાગમન, અનંગક્રીડા અને તીવ્રકામાભિનિવેશ આ પાંચ ચોથાવ્રતના અતિચારો છે. ૭-૨૩ ભાવાર્થ- સ્વદારાસંતોષ અથવા પરાદારાવિરમણ વ્રત. પુરુષે પોતાની પત્નીની સાથે અને પત્નીએ પોતાના પતિની સાથે વિષયસુખમાં સંતોષ માનવો, અન્યની ઇચ્છા ન કરવી, તે ચોથું સ્વદારાસંતોષવ્રત છે. -તેના પાંચ અતિચારો છોડવા જેવા છે. (૧) પરવિવાહકરણ= પ્રયોજન વિના પારકાના છોકરા છોકરીઓના વિવાહ કરવા-કરાવવામાં ભાગ લેવો, અતિશય રસ ધરાવવો. તેઓનાં સગપણો અને લગ્ન જોડવામાં જ રસ ધરાવવો. Page #242 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૩ ૨૧૭ (૨) ઇત્વરપરિગૃહીતાગમનઃ અલ્પકાળ માટે કોઈ અન્ય વ્યક્તિ વડે ભાડાથી રખાયેલી, અથવા મિત્રપણે બીજાએ રાખેલી સ્ત્રીની સાથે આ પરની વિવાહિત સ્ત્રી નથી એમ સમજીને સંસાર વ્યવહાર કરવો. (૩) અપરિગૃહીતાગમન ન પરણેલી એવી વેશ્યા અથવા કુમારિકા સાથે સંસાર વ્યવહાર કરવો. (૪) અનંગક્રીડા= જે અંગો કામક્રીડાનાં નથી, તેવાં અંગોથી કામક્રીડા કરવી. (૫) તીવ્રકામાભિનિવેશ= અતિશય તીવ્ર કામવાસનાનો આવેશ-આસક્તિ રાખવી. આ ચોથા વ્રતના પાંચ અતિચારો સેવવા જોઇએ નહીં. પરદારા વિરમણવ્રત-વાળાને આ પાંચ અતિચારો કહેવાય છે. અને સ્વદારાસતોષવ્રતવાળાને પહેલો ચોથો અને પાંચમો એમ ત્રણ જ અતિચાર છે બાકીના બે અજાચાર કહેવાય છે. પોતાની વિવાહિત પત્નીમાં જ સંતોષ તે સ્વદારાસંતોષ. અને અન્યની સાથે વિવાહિત થયેલી પરપત્નીનો ત્યાગ તે પદારાવિરમણ. કન્યા અને વેશ્યા જેવી પરની સાથે વિવાહિત ન થયેલી સ્ત્રીઓનો વ્યવહાર કરવાથી પરદારાવિરમણવ્રતવાળાને અતિચાર લાગે છે. પરંતુ વ્રતભંગ થતો નથી. અને સ્વદારાસંતોષવાળાને વ્રતભંગ જ થાય છે. ૭-૨૩. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ અધ્યાય : ૭-સૂત્ર-૨૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર क्षेत्रवास्तु-हिरण्यसुवर्ण-धनधान्यવાપીવાસ-પ્રાાતિમા: ૭-૨૪ ક્ષેત્રવાસ્તુ-હિરણ્યસુવર્ણ-ધનધાન્યદાસીદાસ-કુપ્યપ્રમાણાતિક્રમાઃ ૭-૨૪ ક્ષેત્રવાસ્તુ-હિરણ્યસુવર્ણ-ધનધાન્યદાસીદાસ-કુખ્યપ્રમાણાતિક્રમાઃ ૭-૨૪ સૂત્રાર્થ : ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય, દાસી-દાસ અને કુષ્યના પ્રમાણનું ઉલ્લંઘન કરવું તે પરિગ્રહપરિમાણ વ્રતના અતિચારો છે. ૭-૨૪ | ભાવાર્થ - પરિગ્રહ પરિમાણ વ્રત= ધન-ધાન્યાદિનું માપ ધારવું તે પાંચમું વ્રત, તેના પાંચ અતિચારો છે. (૧) ક્ષેત્ર વાસ્તુ પ્રમાણાતિક્રમ= ખુલ્લી જગ્યા, પ્લૉટ, ખેતર તે ક્ષેત્ર, અને બાંધેલાં મકાન-દુકાનો તે વાસ્તુ, તેનું માપ ધારવું, માપ ધાર્યા પછી તેનાથી વધારે રાખવું તે અતિચાર. (૨) હિરણ્યસુવર્ણ પ્રમાણતિક્રમ= હીરા-માણેક-મોતી, તથા સોનું રૂપું. તેનું માપ ધારવું, તેનાથી જો વધારે રાખીએ તો અતિચાર. (૩) ધન-ધાન્ય પ્રમાણતિક્રમ= રોકડ નાણું, બેંક બેલેન્સ, શેરી, ડીપોઝીટો એ સઘળું ધન, અને જુદી જુદી જાતનાં અનાજો Page #244 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૫ ૨૧૯ તે ધાન્ય. તેનું માપ ધાર્યા પછી વધારે રાખવું તે અતિચાર. (૪) દાસીદાસપ્રમાણાતિક્રમના ઘરમાં કે દુકાનમાં નોકર-ચાકર રાખવાનું માપ ધારવું, તેનાથી વધારે જો રાખીએ તો અતિચાર. (૫) કુષ્ણપ્રમાણાતિક્રમ= ઘરનું ફરનીચર, રાચરચીલું, તમામ ઘરવખરી રાખવાનું માપ ધારવું, તેનાથી વધારે જો રાખીએ તો અતિચાર. પાંચમા વ્રતના આ પાંચ અતિચારો ત્યજી દેવા જોઈએ. ૭-ર૪. áથતિર્થવ્યતિક્રમ-ક્ષેત્રદ્ધિ-નૃત્યન્તનાનિ9-૨૫ ઊર્ધ્વધતિર્થવ્યતિક્રમ-ક્ષેત્રવૃદ્ધિ-ઋત્યન્તર્ધાનાનિ ૭-૨૫ ઊર્ધ્વ-અધઃ-તિર્યગૂ-વ્યતિક્રમ-ક્ષેત્રવૃદ્ધિ-સ્મૃતિ-અન્તર્ધાનાનિ સૂત્રાર્થઃ ઊર્ધ્વદિશા, અધોદિશા, તિર્યન્દિશાના માપનું ઉલ્લંઘન કરવું, ક્ષેત્રવૃદ્ધિ કરવી, ધારેલું માપ ભૂલી જવું આ સર્વે દિશાવિરમણવ્રતના અતિચારો છે. ૭-૨૫ ભાવાર્થ - દિક્પરિમાણ વ્રત - ચાર દિશા ચાર વિદિશા અને ઉપર-નીચે એમ દશે દિશાઓમાં અમુક જ માઇલ જવું એવો નિયમ ધારવો તે છઠું દિશાપરિમાણવ્રત. તેના પાંચ અતિચારો છે. (૧) ઊર્ધ્વદિશાવ્યતિક્રમ= ઉપરની દિશામાં ધારેલા માપ કરતાં વધારે જવું. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ અધ્યાય : ૭-સૂત્ર-૨૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) અધોદિશાવ્યતિક્રમ= નીચેની દિશામાં ધારેલા માપ કરતાં વધારે જવું. (૩) તિર્યદિશાવ્યતિક્રમ= ઉપર અને નીચેની દિશા વિના બાકીની ચારે દિશામાં તથા ચારે વિદિશામાં ધારેલા માપ કરતાં વધુ જવું તે. (૪) ક્ષેત્રવૃદ્ધિ= એક દિશાનું ધારેલું માપ બીજી દિશામાં ઉમેરવું. અને તેથી અધિક જવું. (૫) સ્મૃતિ અન્તર્ધાન=કઈ દિશામાં કેટલું જવું? તેનું ધારેલું માપ ભૂલી જવું. ભૂલકણો આ સ્વભાવ ધારેલા દિશાના માપનું ઉલ્લંઘન કરાવે છે. તેથી અતિચાર કહેવાય છે. દિશાપરિમાણ નામના છઠ્ઠા વ્રતના આ પાંચ અતિચારો વર્જી દેવા જોઈએ. ૭-૧૫. ગાયન-ધ્યપ્રયોગ-શબ્દ-રૂપાનુપાત- પુત્રક્ષેપ: ૭-૨૬ આનયન-પ્રખ્યપ્રયોગ-શબ્દ-રૂપાનુપાત-પુગલક્ષેપાઃ૭-૨૬ આનયન-પ્રેષ્યપ્રયોગ-શબ્દ-રૂપ-અનુપાત-પુદ્ગલક્ષપાઃ ૨૬ સૂત્રાર્થ : આનયન, પ્રેષ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત, અને પુગલપ્રક્ષેપ આ પાંચ દેશાવગાસિકવ્રતના અતિચારો છે. ૭-ર૬ ભાવાર્થ- દેશાવકાશિક વ્રત - ધારેલા ક્ષેત્રના પ્રમાણથી બહાર જવું નહીં” આવું જે વ્રત તે દેશાવકાશિકવ્રત, દિશાના માપને અત્યન્ત સંક્ષેપવું તે દેશાવકાશિક. જેમ કે આજનો દિવસ Page #246 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૬ ૨૨૧ ઘરની ભૂમિ બહાર જવું નહીં. અથવા પોળ (ગલી-શેરી) બહાર જવું નહીં. આવા દિશાના અત્યન્તસંક્ષેપને આ વ્રત કહેવાય છે. તેથી જ નીચેના પાંચ અતિચારો તેમાં સંભવે છે. આ નિયમ લીધા પછી તેને પાળવા માટે ૮/૧૦ સામાયિક કરાય છે. પરંતુ સામાયિક માત્ર કરવાં તે આ વ્રત નથી. સામાયિક કરવાનો વ્યવહાર આ નિયમના પાલનનો ઉપાય માત્ર છે. તેવું વ્રત લીધા પછી નીચેના પાંચ અતિચારો લગાડવા જોઇએ નહીં. (૧) આનયનપ્રયોગ= ધારેલા ક્ષેત્રના પ્રમાણની બહારથી કંઈપણ મંગાવવું. (૨) પ્રેધ્યપ્રયોગ= ધારેલા ક્ષેત્રના પ્રમાણથી બહાર કોઈપણ ચીજ મોકલવી. (૩) શબ્દાનુપાતઃખોંખારો, ઉધરસ, છીંક ખાઈને અથવા કોઈપણ પ્રકારનો શબ્દ કરીને પોતાના તરફ બહારનાનું ધ્યાન દોરવું. (૪) રૂપાનુપાત= બારીમાંથી, અગાસીમાંથી મોટું દેખાડી પોતાના તરફ બહારનાનું ધ્યાન દોરવું. (૫) પુદ્ગલપ્રક્ષેપત્ર બહાર ઉભેલી વ્યક્તિ ઉપર કાંકરો, પત્થરાદિ કોઈ વસ્તુ નાખી પોતાના તરફ તેનું ધ્યાન દોરવું, કાચવડે સૂર્યનો પ્રકાશ નાખવો વગેરે. આ દેશાવકાસિક નામના સાતમા વ્રતના પાંચ અતિચારો વર્જવા. ૭-૨૬. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ અધ્યાય : ૭-સૂત્ર-૨૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર कन्दर्प-कौकुच्य-मौखर्यासमीक्ष्याधिकरणोपभोगाधिकत्वानि ७-२७ કન્દર્પ-કૌમુચ્ય-મૌખર્યાસમીક્ષ્યાધિકરણોપભોગાધિકત્વાનિ કન્દર્પ-કૌમુશ્ય-મૌખર્ય-અસમીક્ષ્ય અધિકરણ ઉપભોગ-અધિકત્વાનિ ૭-૨૭ સૂત્રાર્થ : કન્દર્પ, કૌકુચ્ય, મૌખર્ય, અસમીક્ષ્યાધિકરણ અને ઉપભોગાધિકત્વ આ પાંચ અનર્થદંડવિરમણવ્રતના અતિચારો છે. ૭-૨૭ ભાવાર્થ- અનર્થ દંડ વિરમણ વ્રત એટલે “જરૂર વિનાનાં પાપો કરવાં નહીં” એ અનર્થ દંડ વિરમણવ્રત, તેના પણ પાંચ અતિચારો વર્જી દેવા જોઇએ આ આઠમું વ્રત છે. (૧) કન્દપ= કામવાસના ઉત્તેજક વચનો બોલવાં, વાસનાવાળી મશ્કરી કરવી. (૨) કૌત્કચ્યકામવાસના ઉત્તેજક આંખ-મુખ અને શરીરના હાવભાવ કરવા. આંખ મેળવવી, ચુંબન કરવું, ટીકી ટીકીને મુખ અને અંગો જોવાં. (૩) મૌખર્ય= વાચાળપણે ઘણું ઘણું બેફામ બોલવું. કોઈની પટ્ટી પાડવી. બોલવામાં વિવેક વિનાના બનવું. (૪) અસમીક્ષ્યાધિકરણ= વગર વિચારે છરી, ચપ્પ, ખાંડણીયો Page #248 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૮ ૨૨૩ વગેરે દળવા, ખાંડવા અને મારવાનાં શસ્ત્રો ભેગાં કરવાં. આવશ્યક્તા કરતાં અધિક રાખવાં. (૫) ઉપભોગાધિકત્વ=શરીરની ટાપટીપ-શણગારનાં ઘણાં સાધનો રાખવાં. બાથરૂમમાં શણગાર માટે ઘણી જાતની ચીજો રાખવી વગેરે. આ આઠમા અનર્થદંડ વિરમણ વ્રતના પાંચ અતિચારો વર્જવા. ૭-૨૭. योगदुष्प्रणिधानानादरस्मृत्यनुपस्थापनानि ૭-૨૮ યોગદુષ્પણિધાનાનાદરઋત્યનુપસ્થાપનાનિ ૭-૨૮ યોગ-દુષ્પણિધાન-અનાદર-સ્મૃતિ-અનુપસ્થાપનાનિ ૭-૨૮ સૂત્રાર્થ : મન, વચન અને કાયાના યોગોનો દુરુપયોગ તથા અનાદર અને મૃત્યનુપસ્થાપન આ પાંચ સામાયિકવ્રતના અતિચારો છે. ૭-૨૮ ભાવાર્થ :- સામાયિક વ્રત એટલે “મહીનામાં અમુક સામાયિક કરવાં” એવું નવમું સામાયિકવ્રત. તેના નીચે મુજબ પાંચ અતિચારો વર્જવા જોઇએ. (૧-૨-૩) યોગદુપ્પણિધાન= મન-વચન-અને કાયા એમ ત્રણે પ્રકારના યોગોમાં ખોટા વિચારો કરવા, અસભ્યભાષણ કરવું, કાયાનું કલુષિતપણું રાખવું વગેરે. આ રીતે મન, વચન અને કાયાના યોગોનો દુરુપયોગ કરવો તે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ અધ્યાય : ૭-સૂત્ર-૨૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૪) અનાદર= સામાયિકમાં ગુરુ આદિનો અનાદર કરવો, ઉંચા આસને બેસવું, લાંબા પગ રાખવા, પગ ઉપર પગ ચડાવવા, અપ્રીતિ રાખવી વગેરે. (૫) મૃત્યનુપસ્થાપન= સામાયિકનો ટાઇમ યાદ ન રાખવો, ભૂલી જવો. નવમા સામાયિકવ્રતના આ પાંચ અતિચારો વર્જવા જોઇએ. ૭-૨૮. अप्रत्यवेक्षिताप्रमार्जितोत्सर्गादान - निक्षेपसंस्तारोपक्रमणानादरस्मृत्यनुपस्थापनानि અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિતોત્સર્ગાદાન-નિક્ષેપ સંસ્તારોપક્રમણાનાદરસ્મૃત્યનુપસ્થાપનાનિ અપ્રત્યવેક્ષિત-અપ્રમાર્જિત-ઉત્સર્ગ-આદાન-નિક્ષેપ સંસ્તાર-ઉપક્રમણ-અનાદર-સ્મૃતિ-અનુપસ્થાપનાનિ૭-૨૯ સૂત્રાર્થઃ અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત ઉત્સર્ગ, અપ્રત્યવેક્ષિતા પ્રમાર્જિત આદાનનિક્ષેપ, અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત સંસ્થારોપક્રમણ, અનાદર, તથા સ્મૃત્યનુપસ્થાપન આ પાંચ પૌષધોપવાસ વ્રતના અતિચારો છે. ૭-૨૯ ૭-૨૯ ભાવાર્થઃ-પૌષધવત એટલે “આખો દિવસ સંસાર છોડીને સાધુ જેવું જ જીવન જીવવું” તે પૌષધવ્રત દસમું છે. તેના પાંચ અતિચારો વર્જવા જોઇએ. ૭-૨૯ Page #250 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૩૦ ૨૨૫ (૧) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત-ઉત્સર્ગક વસતિ (ભૂમિ) જોયા વિના, તથા પંજયા વિના સંડાસ-બાથરૂમ કરવાં, (જીવાત હોય તે મરી જાય.) લઘુનીતિ, વડી નીતિ કરવી. (૨) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત-આદાનનિક્ષેપ-જોયા વિના અને પૂજ્યાવિના ગમેત્યાં વસ્તુઓ(વાસણો-વસ્ત્રો)લેવાઅનેમૂકવાં. (૩) અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત-સંસ્તાર-ઉપક્રમણકભૂમિ બરાબર જોયા વિના અને પંજયા વિના સંથારો પાથરવો, આસન-શયન-બેઠક જમાવવી. (૪) અનાદર= પૌષધમાં દેવ-ગુરુ આદિનો અનાદર કરવો. આદર બહુમાન ન કરવાં તે. (૫) ઋત્યનુપસ્થાપન= પૌષધ મોડો લેવો, વહેલો પાળવો, પૌષધ લીધો હોય તેનો સમય ભૂલી જવો. દસમા પૌષધવ્રતના આ પાંચ અતિચારો જાણવા. ૭-૨૯. सचित्त-सम्बद्ध-संमिश्राभिषव-दुष्पक्वाहारा: ७-30 સચિત્ત-સંબદ્ધ-સંમિશ્રાભિષવ-દુષ્પકુવાહારાઃ ૭-૩૦ સચિત્ત-સંબદ્ધ-સંમિશ્ર-અભિષવ-દુષ્પક્વ-આહારાઃ ૭-૩૦ સૂત્રાર્થ : સચિત્તાહાર, સચિત્તસંબદ્ધાહાર, સચિત્તસંમિશ્રાહાર, અભિષવાહાર, દુષ્પક્વાહાર આ પાંચ ઉપભોગપરિભોગ વ્રતના અતિચારો છે. ૭-૩૦ ૧૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ અધ્યાય : ૭-સૂત્ર-૩૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાવાર્થ - ઉપભોગ પરિભોગ પરિમાણ વ્રત - એકવાર વપરાય તે ઉપભોગ, અને વારંવાર વપરાય તે પરિભોગ, તેનું માપ ધારવું તે અગિયારમું વ્રત. તેના પણ પાંચ અતિચારો વર્જવા. (૧) સચિત્ત આહાર= જીવવાળી જે વસ્તુ તેને સચિત્ત કહેવાય. તેનો આહાર કરવો. જેમકે દાડમ, લીંબુ, કેરી, કાચું મીઠું, પપૈયું, કાચું પાણી વગેરે. (૨) સચિત્ત સંબદ્ધ આહાર= સચિત્તની સાથે સંબંધવાળું ખાવું. જેમ બોર વગેરે. (૩) સચિત્ત સંમિશ્ર આહાર= સચિત્ત વસ્તુથી મિશ્ર થયેલ આહાર વાપરવો જેમ લીંબુના રસવાળું શાક વાપરવું વગેરે. (૪) અભિષવ આહાર= વાસી આહાર ખાવો, બોળ, અથાણું ખાવું, અથવા મદિરા આદિ માદક આહાર લેવો. (૫) દુષ્પક્વ આહાર= બરાબર નહીં રંધાયેલો કાચો-પાકો જે આહાર હોય તે ખાવો. ઉપભોગ પરિભોગ પરિમાણ નામના અગિયારમા વ્રતના આ પાંચ અતિચારો વર્જનીય છે. ૭-૩૦. सचित्तनिक्षेप-पिधान-परव्यपदेश-मात्सर्य-कालातिक्रमाः સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલાતિક્રમાઃ ૩૧ સચિત્તનિક્ષેપ-પિધાન-પરવ્યપદેશ-માત્સર્ય-કાલ-અતિક્રમા Page #252 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૩૧ ૨૨૭ સૂત્રાર્થ : સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ આ પાંચ અતિથિસંવિભાગ વ્રતના અતિચારો છે. ૭-૩૧ ભાવાર્થ- અતિથિ સંવિભાગવત :- એક રાત્રિદિવસનો પૌષધ કરીને પારણામાં એકાસણું કરવું. તેમાં અતિથિને વહોરાવીને અથવા કોઈ મહાત્મા પુરુષને જમાડીને તે જ વસ્તુથી પછી જમવું. તે અતિથિસંવિભાગ નામનું બારણું વ્રત છે. વહોરાવતી વખતે અને જમાડતી વખતે પાંચ અતિચારો વર્જવા જોઇએ. (૧) સચિત્તનિક્ષેપક વહોરાવવા યોગ્ય અચિત્ત વસ્તુ ન આપવાની બુદ્ધિથી સચિત્ત વસ્તુ ઉપર મૂકી દેવી. જેમ કે દૂધની તપેલી સગડી ઉપર કે ચાલુ ગેસના ચૂલા ઉપર મુકવી. (૨) સચિત્તપિધાન=વહોરાવવા યોગ્ય વસ્તુને સચિત્તવસ્તુથી ઢાંકી દેવી. જેમ કે દૂધની તપેલી ઉપર લીંબુ વિગેરે મૂકવું. (૩) પરવ્યપદેશ= પોતાની વસ્તુને પારકી કહી ન વહોરાવવી, અને પારકી વસ્તુને વહોરાવવા માટે પોતાની કહીને આપી દેવી, આવો પરવ્યપદેશ કરવો. (૪) માત્સર્ય=ઈર્ષ્યા, મનમાં દાઝ, અન્તર્વેષ રાખીને દુઃખાતા મને આપવું. (૫) કાલાતિક્રમ= વહોરાવવાનો કાળ વીતિ ગયા પછી બોલાવવા જવું વગેરે. બારમા અતિથિ સંવિભાગ વ્રતના આ પાંચ અતિચારો ટાળવા. ૭-૩૧. Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ અધ્યાય : ૭-સૂત્ર-૩૨ जीवित-मरणाशंसा-मित्रानुरागसुखानुबंध- निदानकरणानि જીવિત-મરણાશંસા-મિત્રાનુરાગસુખાનુબંધ-નિદાનકરણાનિ જીવિત-મરણ-આશંસા-મિત્ર-અનુરાગસુખ-અનુબંધ-નિદાનકરણાનિ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૭-૩૨ ૭-૩૨ સૂત્રાર્થ : જીવિતાશંસા, મરણાશંસા, મિત્રાનુરાગ, સુખાનુબંધ અને નિદાનકરણ આ પાંચ સંલેખના વ્રતના અતિચારો છે. ૭-૩૨ ૭-૩૨ ભાવાર્થઃ- સંલેષણાવ્રતઃ- ઇચ્છાઓને ટૂંકાવવી, રોકવી તે સંલેખના, બારવ્રત ઉપરાંત આ સંલેખના પણ કરવી જોઇએ, તેના પાંચ અતિચાર વર્જવા જોઇએ. (૧) જીવિતઆશંસા= સાંસારિક સુખ હોય ત્યારે લાંબું લાંબું જીવવાની ઇચ્છા કરવી. (૨) મરણાશંસા= પ્રતિકૂળતાઓ આવે ત્યારે આપઘાતની કે મૃત્યુની ઇચ્છા કરવી. (૩) મિત્રાનુરાગ= સ્નેહી, સ્વજનો, મિત્રો અને કુટુંબ ઉ૫૨ ઘણું મમત્વ રાખવું. (૪) સુખાનુબંધ= પૂર્વે અનુભવેલાં સુખો યાદ કરવાં. (૫) નિદાનકરણ=કરેલા ધર્મના બદલામાં સાંસારિક સુખ ઇચ્છવું. પરભવમાં રાજા-ચક્રવર્તી-ઇન્દ્ર થવાની માગણી કરવી તે. સંલેખનાવ્રતના આ પાંચ અતિચારો વર્જવા જોઇએ. ૭-૩૨. Page #254 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૩૩-૩૪ ૨૨૯ अनुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ७-33 અનુગ્રહાર્થ સ્વસ્યાતિસંગ દાનમ્ ૭-૩૩ અનુગ્રહાર્થ સ્વસ્ય-અતિસર્ગઃ દાનમ્ ૭-૩૩ સૂત્રાર્થ : પરના ઉપકાર માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન કહેવાય. ૭-૩૩ ભાવાર્થ-બીજાના ઉપકાર માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવો તે દાન કહેવાય છે. આ દાન આપતી વખતે “પરના અનુગ્રહની” (પરના ઉપકારની) બુદ્ધિ અવશ્ય હોવી જોઇએ. તો જ આ દાન તે દાનગુણ કહેવાય છે. તથા પોતાની માલિકીની જે વસ્તુ હોય તેનો ત્યાગ કરવો તેને જ દાન કહેવાય છે. એટલે પારકાની પાસેથી લાવીને પારકાને આપવામાં દાન કહેવાતું નથી. તેથી પોતાની વસ્તુને પરના ઉપકાર માટે ત્યાગ કરવો તે જ દાન છે. ૭-૩૩. विधिद्रव्यदातृपात्रविशेषाच्च तद्विशेषः ७-३४ વિધિદ્રવ્યદાતૃપાત્રવિશેષાચ્ચ તદ્ધિશેષ: ૭-૩૪ વિધિ-દ્રવ્ય-દાતૃ-પાત્રવિશેષાત્ ચ ત વિશેષઃ ૭-૩૪ સૂત્રાર્થ : વિધિપૂર્વકતા, વિશિષ્ટદ્રવ્ય, વિશિષ્ટદાતા અને વિશિષ્ટ લેનાર પાત્રના ભેદથી દાનના ફળમાં વિશેષતા હોય છે. ૭-૩૪ ભાવાર્થ:- કોઇપણ પ્રકારના દાનમાં નીચેના ૪ કારણોથી ફળમાં તરતમતા થાય છે. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩) અધ્યાય : ૭-સૂત્ર-૩૩-૩૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧) વિધિપૂર્વકનું દાન, અને વિધિવિનાનું દાન (૨) ઉત્તમદ્રવ્ય આપવું અને તુચ્છદ્રવ્ય આપવું, (૩) આપનાર દાતાના સારા-નરસા પરિણામો અને (૪) લેનાર ભિક હોય, સાધુ હોય કે તીર્થંકર પ્રભુ હોય એમ પાત્ર વિશેષ આ પ્રમાણે ઉપરના ચાર કારણોથી ફળમાં તફાવત છે. (૧) વિધિપૂર્વક (યોગ્ય કાળે અપાય, બહુમાનીય વ્યક્તિ ઉપર બહુમાનપૂર્વક, અનુકંપ્ય વ્યક્તિ ઉપર અનુકંપાપૂર્વક, તથા જેને યોગ્ય જે હોય તે વ્યક્તિને તે વસ્તુ ઇત્યાદિ વિવેકપૂર્વક) દાન આપવામાં આવે તો અધિક ફળ, અને આવી વિધિ વિના જેમ તેમ દાન આપવામાં આવે તો સામાન્ય ફળ જાણવું. (૨) મેવા-મીઠાઈ અને પાક જેવું ઉત્તમદ્રવ્ય દાનમાં અપાય તો શ્રેષ્ઠ ફળ જાણવું અને વધેલું, એઠું જુઠું અથવા ખીચડા ખીચડી જેવું સામાન્ય દ્રવ્ય અપાય તો સામાન્ય ફળ જાણવું. (૩) દાન આપનાર દાતાના પરિણામ જીર્ણશેઠની જેમ ચઢતા હોય તો ઉત્તમફળ સમજવું. અને કપિલા દાસીના જેવા પરિણામ હોય તો સામાન્યફળ જાણવું. (૪) દાન લેનાર પાત્ર ભિક્ષુકાદિ અનુકંપ્ય હોય, સાધર્મિક શ્રાવકાદિ હોય, સર્વવિરતિધર સાધુ આદિ હોય, અથવા ગણધર ભગવંત કે તીર્થકર ભગવંત હોય તો ક્રમશ: અધિક અધિક ફળ જાણવું. ૭-૩૪. સાતમો અધ્યાય સમાપ્ત Page #256 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧ ૨૩૧ અધ્યાય આઠમો ) मिथ्यादर्शनाविरति-प्रमाद-कषाय-योगा बन्धहेतवः ८-१ મિથ્યાદર્શનાવિરતિ-પ્રમાદ-કષાય-યોગા બધહેતવઃ ૮-૧ મિથ્યાદર્શન-અવિરતિ-પ્રમાદ-કષાય-યોગાઃ બન્ધહેતવઃ૮-૧ સૂત્રાર્થ : મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ આ પાંચ કર્મબંધના હેતુઓ છે. ૮-૧ ભાવાર્થ- મિથ્યાદર્શન, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ કર્મબંધના હેતુઓ છે. આ પાંચ કારણોથી આ જીવને કર્મ બંધાય છે. કર્મગ્રંથોમાં પ્રમાદને કષાયની અંતર્ગત ગણીને ચાર કારણો કહ્યાં છે. (૧) મિથ્યાદર્શન= સુદેવ-સુગુરુ-અને સુધર્મ ઉપર અરુચિ કરવી. અને કુદેવાદિ ઉપર રુચિ કરવી. ઉલ્ટા માર્ગની પ્રીતિ કરવી. હેય ને ઉપાદેય જાણવું અને ઉપાદેયને હેય જાણવું. આત્મતત્ત્વાદિને ન જાણવું. અથવા જેવું સ્વરૂપ છે, તેનાથી વિપરીત જાણવું. (૨) અવિરતિ ભોગોનો ત્યાગ ન કરવો. (૩) પ્રમાદ= ભૂલો કરવી, ધર્મનાં અનુષ્ઠાનોમાં આળસ કરવી. મદિરા પાન કરવું. વિષયોમાં ડૂબી જવું. નિંદા-વિકથા કરવી. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩ર અધ્યાય : ૮-સૂત્ર-૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૪) કષાય= ક્રોધ-માન-માયા અને લોભને વશ થવું. સંક્લેશ કરવો. રાગાદિને વશ થવું. આવેશમાં આવવું. (૫) યોગ= મન-વચન-કાયાની શુભ-અશુભ પ્રવૃત્તિ. આ પાંચ કારણોથી (બંધહેતુઓથી) જીવ કર્મ બાંધે છે. આ પાંચ કારણોમાં મિથ્યાદર્શન પહેલા ગુણઠાણા સુધી, અવિરતિ ચોથા ગુણઠાણા સુધી, પ્રમાદ છઠ્ઠા ગુણઠાણા સુધી, કષાય દશમાં ગુણઠાણા સુધી, અને યોગ તેરમા ગુણઠાણા સુધી બંધહેતુ હોય છે. ક્રમશઃ અધિક અધિક ગુણસ્થાનક સુધી છે. તેથી જ સૂત્રમાં આ ક્રમ જણાવ્યો છે. ૮-૧. सकषायत्वाज्जीवः कर्मणो योग्यान् पुद्गलानादत्ते ८-२ સકષાયવાજીવ: કર્મણો યોગ્યાનું પગલાનાદત્તે ૮-૨ સકષાયતાત્ જીવઃ કર્મણ યોગ્યાનું પુગલાન્ આદતે ૮-૨ સૂત્રાર્થ : સંસારી જીવ કષાયવાળો હોવાથી કર્મને યોગ્ય પગલોને ગ્રહણ કરે છે. ૮-૨ ભાવાર્થ- આ જીવ કષાયવાળો હોવાથી કર્મોને યોગ્ય પગલોને ગ્રહણ કરે છે. કષાય એ જ કર્મબંધનું મુખ્ય કારણ છે. તેનાથી આ જીવ કાર્મણવર્ગણાને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી તેને જ કર્મરૂપે પરિણમાવે છે. અને કષાયને અનુસારે તેમાં સ્થિતિ તથા રસનો અનુબંધ કરે છે. તેથી કષાય એ બંધનો મુખ્ય હેતુ છે. ૮-૨. Page #258 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૩-૪ ૨૩૩ સ વન્ય: ૮-૩ સ બન્ધઃ ૮-૩ સઃ બન્ધઃ ૮-૩ સૂત્રાર્થ ? તેને જ બંધ કહેવાય છે. ૮-૩ ભાવાર્થ:- તે જ કર્મબંધ કહેવાય છે. કષાયોની તીવ્રતા અને મંદતાના આધારે આ જીવ કર્મોમાં તીવ્ર અને મંદ સ્થિતિ-રસનો બંધ કરે છે. કર્મબંધનો મુખ્ય હેતુ સંક્લેશ જ છે. તેની તીવ્રતા અને મંદતા પ્રમાણે આ જીવ કર્મને યોગ્ય કાર્મણવર્ગણા ગ્રહણ કરીને તેમાં તીવ્ર-મંદપણે સ્થિતિરસનો બંધ કરે છે. ૮-૩. प्रकृति-स्थित्यनुभाव-प्रदेशास्तविधयः ८-४ પ્રકૃતિ-સ્થિત્યનુભાવ-પ્રદેશાસ્તવિધયઃ ૮-૪ પ્રકૃતિ-સ્થિતિ-અનુભાવ-પ્રદેશઃ તવિધયઃ ૮-૪ સૂત્રાર્થ : પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાવબંધ અને પ્રદેશબંધ એમ બંધના ચાર પ્રકારો છે. ૮-૪ ભાવાર્થ- આ કર્મબંધના મુખ્યત્વે ચાર ભેદો છે. એક જ સમયમાં બંધાતા કર્મોમાં આ જીવ એક સાથે ચારે પ્રકારનો બંધ કરે છે. (૧) પ્રકૃતિબંધ= બંધાતા કર્મોમાં ફળ આપવાનો સ્વભાવ નક્કી થવો તે. જેમકે જ્ઞાનને ઢાંકે તે જ્ઞાનાવરણીય, દર્શનને ઢાંકે તે દર્શનાવરણીય ઇત્યાદિ. Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ અધ્યાય : ૮-સૂત્ર-પ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) સ્થિતિબંધક બંધાતું આ કર્મ આત્મા સાથે જ્યાં સુધી રહેશે? તેવા કાલ-માનનું નક્કી થવું તે. જઘન્યથી અંત ર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી કોડાકોડી સાગરોપમ. વગેરે. (૩) અનુભાવબંધ= રસબંધ, બંધાતા કર્મની તીવ્રતા અને મંદતા, કર્મોનો જુસ્સો-પાવર કેટલો? એવું નક્કી થવું તે. એક ઠાણીયો રસ, બે ઠાણીયો રસ વગેરે. (૪) પ્રદેશબંધ= કર્મોમાં કાર્મણવર્ગણાના અંશોનું-દલિકોનું નક્કી થવું તે. મોદક (લાડવા)ના દૃષ્ટાન્ત કર્મનો બંધ ચાર પ્રકારનો છે. બંધાતા એવા કર્મમાં તે જ સમયે ઉપરોક્ત એવા ચારે પ્રકારના ભાવો એકી સાથે જ નક્કી થાય છે. ૮-૪. आद्यो ज्ञान-दर्शनावरण-वेदनीयमोहनीयायुष्क-नाम-गोत्रान्तरायाः ૮-૫ આદ્ય જ્ઞાન-દર્શનાવરણ-વેદનીયમોહનીયાયુષ્ક-નામ-ગોત્રાન્તરાયાઃ આદ્ય જ્ઞાન-દર્શનાવરણ-વેદનીયમોહનીય-આયુષ્ઠ-નામ-ગોત્ર-અન્તરાયાઃ ૮-૫ સૂત્રાર્થ : પ્રથમ એવો પ્રતિબંધ આઠ પ્રકારે છે. ૧ જ્ઞાનાવરણીય, ર દર્શનાવરણીય, ૩ વેદનીય, ૪ મોહનીય, ૫ આયુષ્ય, ૬ નામકર્મ, ૭ ગોત્રકર્મ અને ૮ અંતરાયકર્મ. ૮-૫ Page #260 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૫ ૨૩૫ ભાવાર્થ- તે ચાર પ્રકારના બંધમાંથી બાઈ=પ્રથમબંધ જે પ્રકૃતિબંધ છે તે ૮ પ્રકારનો છે. તે આઠ પ્રકારો હવે સમજાવે છે. (૧) જ્ઞાનાવરણીય= આત્માના જ્ઞાનગુણને ઢાંકનારૂં કર્મ. (૨) દર્શનાવરણીય= આત્માના દર્શનગુણને ઢાંકનારૂં કર્મ. (૩) વેદનીયકર્મ= આત્મા વડે સુખ-દુઃખ રૂપે જે વેદાય ભોગવાય છે. આત્માને સુખ-દુઃખ આપનારૂં કર્મ. (૪) મોહનીયકર્મ= આત્માને સંસારમાં જે મુંઝવે. હિતકારી વસ્તુઓ પ્રત્યે ઉપેક્ષા કરાવે અને અહિતકારી ભાવો પ્રત્યે પ્રેમ કરાવે. ઉલટી બુદ્ધિ અને ઉલટું આચરણ કરાવનારૂં જે કર્મ તે. (૫) આયુષ્કકર્મ= જીવને એકભવમાં જીવાડે, પકડી રાખે, નીકળવા ન દે તે. (૬) નામકર્મ= જીવને સાંસારિક જીવન જીવવામાં સહાયક થાય એવાં શરીર-અંગ-ઉપાંગ- ઇત્યાદિ રૂપ પૌગલિક સામગ્રી આપે છે. (૭) ગોત્રકર્મ = જીવને ઉંચા-સંસ્કારી, અને નીચા-હલકા કુળમાં જન્મ અપાવે તે (૮) અંતરાયકર્મ= દાન-લાભાદિ કરતા આત્માને વિધ્વરૂપે આડું આવે છે. Page #261 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૮-સૂત્ર-૬-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર આ આઠે કર્મ અનુક્રમે (૧) આંખના પાટા જેવું, (૨) દ્વારપાલ જેવું, (૩) મધથી લેપાયેલી તલવારની ધાર ચાટવા જેવું, (૪) મિંદરા જેવું, (૫) બેડી જેવું, (૬) ચિતારા જેવું, (૭) કુંભાર જેવું અને (૮) ભંડારી જેવું છે. તે આઠે કર્મોના પેટાભેદો નીચે મુજબ છે. ૮-૫. ૨૩૬ પદ્મ-નવ-ચાવિંશતિ-ચતુદ્ધિવાર્મિંગવ્द्वि-पञ्चभेदा यथाक्रमम् પંચ-નવ-ચષ્ટાવિંશતિ-ચતુર્દિચત્વાદિંશદ્ દ્વિપંચભેદા યથાક્રમમ્ પંચ-નવ-દ્વિ-અષ્ટાવિંશતિ-ચતુઃ-દ્વિચત્વાદિંશદ્ દ્વિ-પંચ-ભેદાઃ યથાક્રમમ્ ૮-૬ સૂત્રાર્થ : ઉપરોક્ત આઠે કર્મોના અનુક્રમે પાંચ, નવ, બે, અઠ્ઠાવીસ, ચાર, બેંતાલીસ, બે અને પાંચ ભેદો છે. ૮-૬ ભાવાર્થ:- જ્ઞાનાવરણીયના ૫, દર્શનાવરણીયના ૯, વેદનીયના ૨, મોહનીયના ૨૮ આયુષ્યના ૪, નામકર્મના ૪૨, ગોત્રકર્મના ૨, અને અંતરાય કર્મના ૫ ભેદો છે. તે સર્વે ભેદોનું વર્ણન ક્રમશઃ આવે જ છે. નામકર્મના જે ૪૨ ભેદ કહ્યા, તેના પ્રતિભેદો ૬૭-૯૩ અને ૧૦૩ પણ થાય છે. ૮-૬. मत्यादीनाम् ८-७ મત્યાદીનામ્ ૮-૭ ૮-૬ ૮-૬ Page #262 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૭ ૨૩૭ મત્યાદીનામ્ ૮-૭ સૂત્રાર્થ : મતિ આદિ પાંચ જ્ઞાનોનાં જે આવરણ તે પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ જાણવું. ૮-૭ ભાવાર્થ - મતિજ્ઞાન આદિ જ્ઞાન પાંચ પ્રકારનાં છે. તેથી તેઓનું આવરણ-આચ્છાદન કરનાર કર્મ પણ પાંચ પ્રકારનું છે. (૧) મતિજ્ઞાનાવરણ, (૨) શ્રુતજ્ઞાનાવરણ, (૩) અવધિજ્ઞાનાવરણ, (૪) મન:પર્યવજ્ઞાનાવરણ, (૫) કેવલજ્ઞાનાવરણ. (૧) મતિજ્ઞાનાવરણ-ઇન્દ્રિયો અને મન દ્વારા પ્રતિનિયત ક્ષેત્રમાં પ્રગટ થતું જે જ્ઞાન તે મતિજ્ઞાન. તેનું આચ્છાદન કરનારું જે કર્મ તે. (૨) શ્રુતજ્ઞાનાવરણ- ગુરુ ગમ દ્વારા અથવા આગમો અને શાસ્ત્રો દ્વારા જે જ્ઞાન થાય તે શ્રુતજ્ઞાન, તેને આચ્છાદન કરનારૂં જે કર્મ તે. (૩) અવધિજ્ઞાનાવરણ- મર્યાદામાં રહેલા રૂપી દ્રવ્યોનું ઇન્દ્રિયોની સહાય વિના આત્મસાક્ષીએ જે જ્ઞાન થાય તે અવધિજ્ઞાન, તેને આચ્છાદન કરનારું જે કર્મ તે. (૪) મન:પર્યવજ્ઞાનાવરણ- અઢીદ્વીપમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનોગતભાવોને જાણવાની આત્માની જે શક્તિ તે મન:પર્યવજ્ઞાન, અને તેને આચ્છાદન કરનારૂં જે કર્મ તે મન:પર્યવજ્ઞાનાવરણ. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ અધ્યાય : ૮-સૂત્ર-૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૫) કેવલજ્ઞાનાવરણ- ત્રણે લોકમાં રહેલા સર્વે દ્રવ્યોના ત્રણે કાળના સર્વ પર્યાયોને જાણવા તે કેવળજ્ઞાન, તેને આચ્છાદન કરનારું જે કર્મ તે કેવલજ્ઞાનાવરણ. આ પ્રમાણે પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ જાણવું. ૮-૭. चक्षुरचक्षुरवधिकेवलानां निद्रा-निद्रानिद्राप्रचला-प्रचलाप्रचला-स्त्यानर्द्धिवेदनीयानि च ८-८ ચક્ષુરચક્ષુરવધિકેવલાનાં નિદ્રા-નિદ્રાનિદ્રાપ્રચલા-પ્રચલાપ્રચલા-સ્યાનદ્ધિવેદનીયાનિ ચ ૮-૮ ચક્ષુ -અચક્ષુ -અવધિ-કેવલાનાં નિદ્રા-નિદ્રાનિદ્રાપ્રચલા-પ્રચલાપ્રચલા-સ્યાનર્વિવેદનીયાનિ ચ ૮-૮ સૂત્રાર્થ : ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન, કેવલદર્શન, નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, મ્યાનધેિ, એમ નવ પ્રકારનું દર્શનાવરણીય કર્મ છે. ૮-૮ ભાવાર્થ- દર્શનાવરણીયકર્મના ૯ ભેદો છે. (૧) ચક્ષુદર્શનાવરણીય-ચક્ષુદ્વારા સામાન્ય જોવાની શક્તિને ઢાંકનારૂં જે કર્મ તે. (૨) અચક્ષુદર્શનાવરણીય-ચક્ષુ વિનાની બીજી ઇન્દ્રિયો અને મનથી સામાન્ય જાણવાની જે શક્તિ છે. તેને આવનારૂં Page #264 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૯ - ૨૩૯ જે કર્મ તે. (૩) અવધિદર્શનાવરણીય=અવધિદર્શન દ્વારા જગતના રૂપી ભાવોને સામાન્યથી જાણવાની આત્માની જે શક્તિ છે તેને આવરનારૂં જે કર્મ. (૪) કેવલદર્શનાવરણીય= લોકાલોકના ત્રણે કાળના સર્વે ભાવોને સામાન્યથી જાણવાની આત્માની જે શક્તિ છે. તેને આવરનારૂં કર્મ. (૫) નિદ્રા= અલ્પ Cઘ, ચપટી વગાડવા માત્રથી જાગી જવાય તેવી. (શ્વાનનિદ્રાતુલ્ય), સુખે જાગૃત થવાય તેવી નિદ્રા. (૬) નિદ્રાનિદ્રા= ભારે ઉંઘ, ઢંઢોળવા છતાં જે જાગે નહીં, ઉઠાડવાના ઉપાયો કરવા પડે તે. (૭) પ્રચલા= બેઠાં બેઠાં, અને ઉભાં ઉભાં ઉંઘ આવે તે. (૮) પ્રચલાપ્રચલા= ચાલતાં ચાલતાં ઉંઘ આવે તે. (૯) સ્યાનગૃદ્ધિ થિણદ્ધિ-દિવસે વિચારી રાખેલું આવેશવાળું કામકાજ ઉઘમાં ઉઠીને કરે, પરંતુ ખબર ન પડે તેવી ગાઢ ઊંઘ તે સ્થાનદ્ધિ આ નિદ્રાને સ્થાનગૃદ્ધિ પણ કહેવાય છે. આ નવ પ્રકારનું દર્શનાવરણીયકર્મ જાણવું. ૮-૮. सदसवेद्ये ८-८ સદસધે ૮-૯ સાસ-વેધે ૮-૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ અધ્યાય : ૮-સૂત્ર-૧૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ : સાતા-અસાતા એ બે વેદનીયના ભેદ છે. ૮-૯ ભાવાર્થ- સાનુકૂળતા-સુખનો અનુભવ તે સાતવેદનીય, અને પ્રતિકૂળતા-દુઃખનો અનુભવ તે અસતાવેદનીય એમ વેદનીયકર્મ બે પ્રકારે જાણવું. સુખ અને દુઃખની સામગ્રી મળવી, તથા સાધનોનો યોગ થવો અને તેના દ્વારા સુખ તથા પીડાનો જે અનુભવ થવો તે સાતા-અસાતા વેદનીયકર્મ છે પરંતુ તેમાં સુખબુદ્ધિ થવી કે દુઃખબુદ્ધિ થવી તે મોહનીયકર્મ છે. ૮-૯. दर्शन-चारित्रमोहनीय-कषाय-नोकषाय-वेदनीयाख्यास्त्रिद्विषोडशनवभेदाः, सम्यक्त्वमिथ्यात्वतदुभयानि, कषायनोकषायावनन्तानुबन्ध्यप्रत्याख्यानप्रत्याख्यानावरण-संज्वलनविकल्पाश्चैकशः, क्रोध-मानमाया-लोभा, हास्यरत्यरतिशोकभयजुगुप्सास्त्रीपुंनપુસવાવેલા. ૮-૧૦ દર્શન-ચારિત્રમોહનીય-કષાય-નોકષાયવેદનીયાખ્યાત્રુિદ્ધિષોડશ-નવભેદાઃ સમ્યકત્વ-મિથ્યાત્વતદુભયાનિ, કષાય-નોકષાયાવનન્તાનુબધ્યપ્રત્યાખ્યાનપ્રત્યાખ્યાનાવરણ-સંજ્વલનવિકલ્પાશ્ચકશઃ ક્રોધ-માન-માયાલોભા હાસ્યરત્યરતિ-શોકભય-જુગુપ્સા-સ્ત્રી-પુ. નપુંસકવેદાઃ ૮-૧૦ દર્શન-ચારિત્રમોહનીય-કષાય-નોકષાયવેદનીયાખ્યાઃ Page #266 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૦ ૨૪૧ ત્રિ-દ્વિ-ષોડશ-નવભેદા , સમ્યકત્વ-મિથ્યાત્વ-તદુભયાનિ, કષાયનોકષાયૌ અનન્તાનુબંધી-અપ્રત્યાખ્યાન-પ્રત્યાખાનાવરણ-સંજ્વલન-વિકલ્પાઃ ચ એકશઃ ક્રોધ-માન-માયાલોભા, હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય-જુગુપ્સા-સ્ત્રી-પુંનપુંસકવેદાઃ ૮-૧૦ સૂત્રાર્થ : દર્શનમોહનીય, ચારિત્રમોહનીય, કષાયમોહનીય અને નોકષાય મોહનીયના અનુક્રમે ૩, ૨, ૧૬, ૯ ભેદો છે. સમ્યક્વ, મિશ્ર અને મિથ્યાત્વ આ ત્રણ દર્શનમોહનીયના ભેદ છે. કષાય અને નોકષાય એ બે ચારિત્ર મોહનીયના ભેદ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલન આ ચારના ક્રોધ, માન, માયા અને લોભ એમ ૧૬ ભેદો કષાયમોહનીયના છે. તથા હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ આ નવ નોકષાયમોહનીયના ભેદ છે. ૮-૧૦ ભાવાર્થ - હવે આ સૂત્રમાં મોહનીયકર્મના ભેદપ્રતિભેદ જણાવે છે. મોહનીયકર્મના દર્શનમોહનીય, અને ચારિત્રમોહનીય, એમ પ્રથમ ૨ ભેદ છે. બીજા ચારિત્ર મોહનીયના કષાય અને નોકષાયમોહનીય એમ ૨ ભેદ છે. તે ચારેના અનુક્રમે ૩-૨-૧૬ અને ૯ ભેદો છે. ૧૬ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૦ મોહનીયકર્મ દર્શનમોહનીય ચારિત્રમોહનીય કષાયમોહનીય ૧૬ નોકષાયમોહનીય ૯ = ૨૮ (૧) દર્શનમોહનીયના ૩ ભેદો છે. (૧) સમ્યત્વમોહનીય, (૨) મિશ્રમોહનીય અને (૩) મિથ્યાત્વમોહનીય. (૨) ચારિત્રમોહનીયના ૨ ભેદો છે. (૧) કષાયમોહનીય અને (૨) નોકષાય મોહનીય. (૩) કષાયમોહનીયના ૧૬ ભેદો છે. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન એમ ચારના ક્રોધાદિ ચાર કુલ ૪૮૪=૧૬. (૪) નોકષાયમોહનીયના ૯ ભેદો છે. (૧) હાસ્ય, (૨) રતિ, (૩) અરતિ, (૪) શોક, (૫) ભય, (૬) જુગુપ્સા, (૭) સ્ત્રીવેદ, (૮) પુરુષવેદ, (૯) નપુંસકવેદ. સમ્યકત્વમાં મુંઝવે તે દર્શનમોહનીય, આચરણમાં મલીનતા-કલુષિતતા લાવે તે ચારિત્રમોહનીય, ક્રોધાદિના Page #268 -------------------------------------------------------------------------- ________________ 'તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૧ ૨૪૩ આવેશો તે કષાયમોહનીય, અને ક્રોધાદિના પ્રેરક એવા હાસ્યાદિના આવેશો તે નોકષાયમોહનીય. જૈનધર્મમાં કહેલા યથાર્થ તત્ત્વો ઉપર અરુચિ તે મિથ્યાત્વ, યથાર્થતત્ત્વ ઉપર ન રુચિ અને ન અરુચિ તે મિશ્રમોહનીય, અને યથાર્થતત્ત્વ ઉપર રુચિ હોવા છતાં પણ ડામાડોળ સ્થિતિ તે સમ્યકત્વમોહનીય. અનંતા સંસારને વધારે એવો તીવ્ર કષાય તે અનંતાનુબંધી, સંસારના ભોગોની અલ્પ પણ વિરમણવૃત્તિ ન થવા દે તેવો કષાય તે અપ્રત્યાખ્યાનીય. સંસારના ભોગોની સર્વથા વિરમણવૃત્તિ ન થવા દે તેવો કષાય તે પ્રત્યાખ્યાનાવરણ. અને ચારિત્ર આવવા છતાં આત્માને કંઈક કલુષિત કરે તે સંજવલનકષાય. હાસ્યાદિ નવ નોકષાયો સુપ્રસિદ્ધ છે. આ પ્રમાણે મોહનીયકર્મના કુલ ૩+૧૬+૯=૨૮ ભેદો થાય છે. ૮-૧૦. નાર-તૈર્યન-માનુષ-વાન ૮-૧૧ નારક-તૈયેગ્યોન-માનુષ-દૈવાનિ ૮-૧૧ નારક-તૈયંગ્યોન-માનુષ-દૈવાનિ ૮-૧૧ સૂત્રાર્થ : નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવાયુષ્ય આ ચાર આયુષ્યકર્મના ભેદ છે. ૮-૧૧ ભાવાર્થ- આયુષ્યકર્મના ૪ ભેદો છે. (૧) નરકાયુષ્ય, Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ અધ્યાય : ૮-સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) તિર્યંચાયુષ્ય, (૩) મનુષ્યનું આયુષ્ય અને (૪) દેવનું આયુષ્ય. તે તે ભવોમાં આ આયુષ્યકર્મ જીવાડે છે. નીકળવાની ઇચ્છા હોવા છતાં નીકળવા દેતું નથી. આ આયુષ્ય કર્મ બેડી જેવું છે. બાંધ્યા પછી તે ભવમાં જવું જ પડે છે. અને અલ્પ પણ આયુષ્ય બાકી હોતે છતે મૃત્યુ થતું નથી. ૮-૧૧. ગતિ-જ્ઞાતિ-રીરાપા-નિમ-વન્ધન-સંપતિसंस्थान-संहनन-स्पर्श-रस-गन्ध-वर्णानुपूर्व्यगुरुलघूपघातपराघातातपोद्योतोच्छासविहायोगतयः प्रत्येकशरीर-त्रससुभग-सुस्वर-शुभ-सूक्ष्म-पर्याप्त-स्थिरादेय-यशांसि સંતરા-તીર્થક્વં ૮-૧૨ ગતિ-જાતિ-શરીરાંગોપાંગ-નિર્માણ-બંધન-સંઘાતસંસ્થાન-સંહનન-સ્પર્શ-રસ-ગંધ-વર્ણાનુપૂર્થગુરુલઘૂપઘાતપરાઘાતાપોદ્યોતોચ્છવાસ-વિહાયોગતયઃ પ્રત્યેકશરીરત્રસસુભગ સુસ્વર-શુભ-સૂક્ષ્મ-પર્યાપ્તસ્થિરાદેય-યશાંસિ સંતરાણિ તીર્થકૃત્ત્વ ચ ૮-૧૨ ગતિ-જાતિ-શરીર-અંગોપાંગ-નિર્માણ-બંધન-સંઘાતસંસ્થાન-સંહનન-સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-આનુપૂર્વી-અગુરુલઘુઉપઘાત-પરાઘાત-આતપ-ઉદ્યોત-ઉચ્છવાસ-વિહાયોગતયઃ પ્રત્યેકશરીર-ત્રણ-સુભગ-સુસ્વર-શુભ-સૂક્ષ્મ-પર્યાપ્ત-સ્થિરઆદેય-યશાંસિ સેતરાણિ તીર્થકર્ઘ ચ ૮-૧૨ Page #270 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૨ ૨૪૫ સૂત્રાર્થ : ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ, નિર્માણ, બંધન, સંઘાતન, સંસ્થાન, સંઘયણ, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આનુપૂર્વી, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, આતપ, ઉદ્યોત, ઉચ્છવાસ, વિહાયોગતિ, પ્રત્યેકશરીર, ત્રસ, સુભગ, સુસ્વર, શુભ, સૂક્ષ્મ, પર્યાપ્ત, સ્થિર, આદેય, યશ, તથા આ દશ પ્રકૃતિની પ્રતિપક્ષી સ્થાવરાદિ દશ પ્રકૃતિઓ અને તીર્થકર નામકર્મ એમ કુલ ૪ર નામકર્મના ભેદ છે. ૮-૧૨ ભાવાર્થ- આ સૂત્રમાં નામકર્મના ૪૨ ભેદો છે, તેમાં ૧૪ પિંડપ્રકૃતિ છે અને ૮+૨૦=૨૮ પ્રત્યેક પ્રકૃતિ છે. જેના ૨-૩-૪ આદિ પેટા ભેદો હોય તે પિંડપ્રકૃતિ કહેવાય છે. અને જેના પેટાભેદો ન હોય, એકેક જ ભેદ હોય તે પ્રત્યેક પ્રકૃતિઓ કહેવાય છે. પિંડપ્રકૃતિ ૧૪ છે. તે આ પ્રમાણે(૧) ગતિ= તે તે ભવમાં જવું, તે તે ભવની પ્રાપ્તિ થવી, તેને ગતિ કહેવાય છે. તે ચાર પ્રકારે છે. (૧) દેવ, (૨) નરક, (૩) તિર્યંચ, (૪) મનુષ્ય. (૨) જાતિ= એક, બે, ત્રણ આદિ ઇન્દ્રિયોવાળા ભવની પ્રાપ્તિ થવી તે જાતિ. તે પાંચ પ્રકારે છે. (૧) એકેન્દ્રિય, (૨) બેઇન્દ્રિય, (૩) તે ઇન્દ્રિય, (૪) ચઉરિન્દ્રિય અને (૫) પંચેન્દ્રિય. (૩) શરીર= નાશ પામે તે શરીર, પાંચ પ્રકારે છે. (૧) દારિક, (૨) વૈક્રિય, (૩) આહારક તૈજસ કાર્પણ. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ અધ્યાય : ૮-સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૪) અંગોપાંગ= શરીરમાં અંગ અને પેટા અંગોની પ્રાપ્તિ થવી તે. તેના ત્રણ પ્રકાર છે. ઔદારિકાંગોપાંગ, વૈક્રિયાંગોપાંગ, આહારકાંગોપાંગ. (૫) બંધન= શરીરમાં જુના અને નવા પુદ્ગલોનું જોડાવું. એકમેક થવું તે. તેના પાંચ અથવા પંદર પ્રકારો છે. શરીર પ્રમાણે પાંચ, અને બે-ત્રણ શરીરોના મિશ્રણથી પંદર. (૬) સંઘાતન= શરીરને યોગ્ય પુદ્ગલોની રાશિ કરવી તે. તે પાંચ પ્રકારે છે. ઔદારિક, વૈક્રિય, આહારક વગેરે શરીરની જેમ. (૭) સંસ્થાન= આકાર, ૬ પ્રકારે છે. સમચતુર, ન્યગ્રોધ પરિમંડળ સાદિ, વામન, કુમ્ભ અને હૂંડક. સંહનન= સંઘયણ, હાડકાંની રચના, ૬ પ્રકારે છે. વજૂઋષભનારાય, વગેરે. (૯) સ્પર્શ= ૮ પ્રકારે છે. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, ગુરુ, લઘુ, મૃદુ, કર્કશ. (૧૦) રસ= પાંચ પ્રકારે છે. કડવો, તીખો, તુરો, ખાટો, મીઠો, (તિક્ત, કટુ, કષાય, આમ્લ, મધુર). (૧૧) ગંધ= ૨ પ્રકારે છે. સુરભિગંધ અને દુરભિગંધ. (૧૨) વર્ણ= પાંચ પ્રકારે છે. કાળો, નીલો, લાલ, પીળો ધોળો. (કૃષ્ણ-નીલ-રક્ત-પીત-શ્વેત). Page #272 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૨ ૨૪૭ (૧૩) આનુપૂર્વી= એકભવથી બીજાભવમાં જતા જીવને વક્રા કરવાના કાળે વક્રા કરાવવા દ્વારા યોગ્ય સ્થાને લઈ જાય તેવું કર્મ, ગતિની માફક જ પ્રકારે છે. દેવાનુપૂર્વી, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી. (૧૪) વિહાયોગતિ= પગની ચાલ, બે પ્રકારે છે. શુભ-અશુભ. હંસ અને હાથી જેવી ચાલ તે શુભ અને ગધેડા તથા ઊંટના જેવી ચાલ તે અશુભ. આ ચૌદે પિંડ પ્રકૃતિમાં ૨૩-૪ આદિ પેટાભેદો છે. માટે જ તે પિંડ-સમૂહ કહેવાય છે. તે ૧૪ પિંડપ્રકૃતિના પટાભેદો અનુક્રમે ૪, ૫, ૫, ૩, ૫, (૧૫) ૫, ૬, ૬, ૮, ૫, ૨, ૫, ૪, ૨ છે. તેથી કુલ ૬૫ (૭૫) ભેદો થાય છે. - હવે જેના પેટાભેદ નથી એવી ૮૨૦=૨૮ પ્રકૃતિઓ સમજાવાય છે. (૧) નિર્માણ= શરીરના અવયવોને પોત-પોતાના સ્થાને ગોઠવે તે. (૨) અગુરુલઘુત્ર પોતાનું શરીર પોતાને ન ભારે લાગે. અને ન હલકું લાગે છે. (૩) ઉપઘાત= પોતાના અવયવોથી જ પોતે દુઃખી થાય છે, જેમ રસોળી, ખુંધ વગેરે. (૪) પરાઘાત= સામે બળવાનું માણસ હોય તો પણ જેને જોઇને દબાઈ જાય તે. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ અધ્યાય : ૮-સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૫) આતપ= પોતે શીત હોય છતાં પોતાનો પ્રકાશ ગરમ આપે તે, આ સૂર્યના વિમાનના રત્નોને હોય છે. (૬) ઉદ્યોતક પોતાનો પ્રકાશ ઠંડો હોય તે, આ ચંદ્રના વિમાનના રત્નો આદિને હોય છે. (૭) ઉચ્છવાસન શ્વાસ-ઉચ્છવાસ સારી રીતે લઈ-મૂકી શકે તે. (૮) તીર્થકર નામકર્મ= ત્રણે જગતને પૂજનીય થાય, ચતુર્વિધ સંઘની સ્થાપના કરે તે. હવે ૧૦ પ્રકૃતિ શુભ અને ૧૦ પ્રકૃતિ અશુભ-એમ વીશ પ્રકૃતિ સામસામી જોડકારૂપે છે. તે સમજાવે છે. (૧-૨) પ્રત્યેક-સાધારણ જુદું જુદું શરીર હોય તે પ્રત્યેક, અનંત જીવો વચ્ચે એકજ શરીર મળે તે સાધારણ. (૩-૪) ત્રાસ-સ્થાવર=હાલે ચાલે તે ત્રસ, અને સ્થિર રહે તે સ્થાવર. (પ-૬) સુભગ-દુર્ભગ= લોકો વ્હાલ કરે તે સૌભાગ્ય, લોકો વ્હાલ ન કરે પણ અપ્રીતિ દર્શાવે તે દૌર્ભાગ્ય. (૭-૮) સુસ્વર-દુઃસ્વર= કોયલ જેવો મધુરસ્વર તે સુસ્વર અને કાગડા-ગધેડા જેવો ખરાબ સ્વર તે દુઃસ્વર. (૯-૧૦) શુભ-અશુભ= નાભિથી ઉપરના અવયવો શુભ, નીચેના અવયવો અશુભ છે. હાથ વિગેરે ઉપરના અવયવોના સ્પર્શથી જીવ રાજી થાય, અને પગ Page #274 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૨ ૨૪૯ વગેરે નીચેના અવયવોના સ્પર્શથી જીવ નારાજ થાય, તે અનુક્રમે શુભ અને અશુભ. (૧૧-૧૨) બાદર-સૂક્ષ્મ= સ્કૂલ એનું શરીર તે બાદર, ન દેખી શકાય તેવું શરીર તે સૂક્ષ્મ. (૧૩-૧૪) પર્યાપ્ત-અપર્યાપ્ત= આહારાદિ પર્યાયિઓ પૂર્ણ કરી શકે તે પર્યાપ્ત, અને અપૂર્ણ રાખે તે અપર્યાપ્ત. (૧૫-૧૬) સ્થિર-અસ્થિર= હાડકાં-દાંત સ્વસ્થાને સ્થિર છે તે સ્થિરનામકર્મ અને જીભ વગેરે અસ્થિર છે તે અસ્થિરનામકર્મ. (૧૭-૧૮) આદેય-અનાદેય લોકો વચન માન્ય રાખે તે આદેય, લોકો વચન માન્ય ન રાખે તે અનાય. (૧૯-૨૦) યશ-અપયશ= પ્રશંસા-કીર્તિ તે યશ અને નિંદા અપકીર્તિ તે અપયશ. આ પ્રમાણે ૧૪+૪+૨૦=કુલ ૪૨ નામકર્મના ભેદો છે. અને ૧૪ પિંડપ્રકૃતિના પેટાભેદો જો ગણીએ તો ૧૪ના પટાભેદો ૬પ થાય છે. તેમાં ઉપરોક્ત ૮૧૨૦=૨૮ ઉમેરીએ તો ૯૩ થાય છે. બંધન પાંચને બદલે પંદર પણ ગણાય છે. તેમ કરીએ તો ૧૦૩ થાય છે. અને બંધન-સંઘાતન શરીરમાં ગણીએ અને વર્ણ-ગંધ-રેસ-સ્પર્શ સામાન્યથી ગણીએ તો ૬૭ ભેદ પણ થાય છે. એમ નામકર્મના પેટા ભેદો ૪૨-૯૩-૧૦૩ અને ૬૭ એમ ચાર પ્રકારે છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫) અધ્યાય : ૮-સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર - , 1 + + + | પિંડપ્રકૃતિ૧૪ ] - ૬૫ ૩૯ પ્રત્યેકપ્રકૃતિ + ૮ | + ૮ + ૮ +૮ ત્રણ-સ્થાવરદશક | + ૨૦ +૨૦ +૨૦ - ૪૨ ૧૦૩ [ ૬૭ પંદર બંધન જાણવાનો ઉપાય આ પ્રમાણે છે. (૧) ઔદારિકની સાથે ૪= (૧) ઔદારિક ઔદારિક, (૨) ઔદારિક તૈજસ. (૩) ઔદારિક કાર્મણ, (૪) ઔદારિકતૈજસકાર્પણ. (૨) વૈક્રિયની સાથે પણ ૪= (૧) વૈક્રિય વૈક્રિય, (૨) વૈ. તૈ. (૩) વૈ. કા. (૪) વૈ. તૈ. કા. (૩) આહારકની સાથે પણ ૪= (૧) આહા. આહા. (૨) આ. તૈ. (૩) આ. કા. (૪) આ. તે. કા. (૪) તૈજસની સાથે ર= (૧) તૈજસ તૈજસ, (૨) તૈજસ કાર્પણ. (૫) કાર્પણની સાથે ૧= (૧) કાર્પણ કાર્પણ. કુલ ૧૫ આ પ્રમાણે નામકર્મના જુદી જુદી રીતે વિવિધ ભેદો થાય છે. મૂળ સૂત્રમાં પિંડપ્રકૃતિઓની વચ્ચે નિર્માણ જે લખ્યું છે, તે શરીરની સાથે સંબંધવાળી આ પ્રકૃતિ હોવાથી આવી રચના કરેલ છે. તથા વિહાયોગતિ એ પિંડપ્રકૃતિ હોવા છતાં અંતે જે લખેલ છે. તેનું કારણ દ્વન્દ્રસમાસમાં અલ્પસ્વરી શબ્દો આગળ આવે છે. અને બહુસ્વરી શબ્દો પાછળ આવે છે તે છે. આ પ્રમાણે નામકર્મના ભેદો સમજાવ્યા. ૮-૧૨. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૩-૧૪ ૩ઐઐ ૮-૧૩ ઉચ્ચનીચેશ્ચ ૮-૧૩ ઉચ્ચઃ નીચેઃ ચ ૮-૧૩ સૂત્રાર્થ : ઉચ્ચગોત્ર અને નીચગોત્ર એમ ગોત્રકર્મના બે ભેદ છે. ૮-૧૩ ભાવાર્થ-ગોત્રકર્મના ફક્ત ૨ જ ભેદો છે. સારાસંસ્કારી-ઉંચા ઘરોમાં જન્મ થવો તે ઉચ્ચગોત્ર, અને તુચ્છઅસંસ્કારી ઘરોમાં જન્મ થવો તે નીચગોત્ર. ૮-૧૩. વનતિના ૮-૧૪ દાનાદીનામ્ ૮-૧૪ દાનાદીનામ્ ૮-૧૪ સૂત્રાર્થ : દાનાદિ પાંચ લબ્ધિઓનો અંતરાય તે અંતરાયકર્મ પાંચ પ્રકારે છે. ૮-૧૪ ભાવાર્થ ઃ દાન-લાભ-ભોગ-ઉપભોગ અને વીર્ય એમ પાંચ પ્રકારની લબ્ધિઓ છે. તેને જે રોકે વિપ્ન કરે તે અંતરાયકર્મ પણ પાંચ પ્રકારે છે. ૮-૧૪. આ પ્રમાણે જ્ઞાનાવરણીય આદિ આઠ મૂલ કર્મોના પ્રકૃતિભેદો સમજાવ્યા એટલે સૂત્ર ૮-૪માં જણાવેલા ચાર પ્રકારના બંધમાંથી પ્રકૃતિબંધ પૂર્ણ થયો. હવે સ્થિતિબંધ સમજાવે છે. બાંધેલું કર્મ આત્મા સાથે વધુમાં વધુ કેટલો કાલ રહે તે ઉત્કૃષ્ટસ્થિતિબંધ, અને ઓછામાં ઓછું કેટલો કાળ રહે તે જઘન્યસ્થિતિબંધ. Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨પર અધ્યાય : ૮-સૂત્ર-૧૫-૧૬-૧૭-૧૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર आदितस्तिसृणामन्तरायस्य च ત્રિશલ્લા રોપવોટશોટ્સ પર સ્થિતિઃ ૮-૧૫ આદિતતિસૃણામન્તરાયસ્ય ચ ત્રિશત્સાગરોપમ કોટી કોટ્ય: પરા સ્થિતિઃ ૮-૧૫ આદિતઃ તિરૃણા -અન્તરાયસ્ય ચ ત્રિશત્સાગરોપમકોટીકોટ્યઃ પરા સ્થિતિઃ ૮-૧૫ ક્ષતિદનીયી ૮-૧૬ સપ્તતિર્મોહનીયસ્ય ૮-૧૬ સપ્તતિઃ મોહનીયસ્ય ૮-૧૬ नामगोत्रयोविंशतिः ८-१७ નામ ગોત્રયોવિંશતિઃ ૮-૧૭ નામગોત્રયો: વિંશતિઃ ૮-૧૭ त्रयस्त्रिंशत्सागरोपमाण्यायुष्कस्य ८-१८ ત્રયન્ટિંશત્સાગરોપમાણ્યા આયુષ્કચ ૮-૧૮ ત્રયન્ટિંશત્સાગરોપમાણિઆયુષ્કસ્ય ૮-૧૮ સૂત્રાર્થ : પ્રથમની ત્રણ કર્મપ્રકૃતિઓની તથા અંતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. ૮-૧૫ Page #278 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૫-૧૬-૧૭-૧૮ ૨૫૩ સૂત્રાર્થ ઃ મોહનીયકર્મની ઉત્કૃષ્ટસ્થિતિ ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. ૮-૧૬ સૂત્રાર્થ : નામકર્મ અને ગોત્રકર્મની ઉપસ્થિતિ ૨૦ . કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. ૮-૧૭ સૂત્રાર્થ આયુષ્યકર્મની . સ્થિતિ ૩૩ સાગરોપમ છે. ૮-૧૮ ભાવાર્થ - આદિનાં ત્રણ કર્મો (જ્ઞાનાવરણીયદર્શનાવરણીય, અને વેદનીય) તથા અંતરાયકર્મ એમ કુલ-૪ કર્મોની ઉત્કૃષ્ટસ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે. ક્રોડને ક્રોડે ગુણવાથી જે આવે તે કોડાકોડી કહેવાય છે. મોહનીયકર્મની ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ, નામગોત્રકર્મની ૨૦ કોડાકોડી સાગરોપમપ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિ છે. અને આયુષ્યકર્મની વધુમાં વધુ ૩૩ સાગરોપમની સ્થિતિ છે. આ ઉત્કૃષ્ટસ્થિતિ જે કહી છે. તે અબાધાકાળ અને ભોગ્યકાળ એમ બન્ને સાથે મળીને કહી છે. જે કર્મની જેટલા કોડાકોડી સાગરોપમની સ્થિતિ બંધાય છે. તેટલા સો વર્ષનો અબાધાકાળ તે કર્મનો જાણવો. અને શેષ ભોગ્યકાળ જાણવો. જ્ઞાનાવરણીયાદિનો ઉત્કૃષ્ટ અબાધાકાળ ૩૦૦૦ વર્ષનો, મોહનીયનો ૭000 વર્ષનો નામ-ગોત્ર કર્મનો ૨૦૦૦ વર્ષનો ઉOઅબાધાકાળ હોય છે. આ સાતે કર્મોનો જઘન્ય અબાધાકાળ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ અધ્યાય : ૮-સૂત્ર-૧૯-૨૦-૨૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર અંતર્મુહૂર્ત હોય છે. આયુષ્યકર્મમાં વર્તમાન ભવનું જેટલું આયુષ્ય શેષ હોય તેટલો અબાધાકાળ જાણવો. બંધાતા કર્મની જ્યાં દલિક રચના ન હોય તે અબાધા કાળ અને જ્યાં દલિક રચના હોય તે ભોગ્યકાળ. બાંધેલું કર્મ પોતાનો ફળવિપાક ન બતાવે તે અબાધાકાળ અને પોતાનો ફળવિપાક બતાવે તે ભોગ્યકાળ. ૮-૧૫,૧૬,૧૭,૧૮. મારા દ્વારા મુહૂર્તા વેતનથી ૮-૧૯ અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯ અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯ નામનોત્રી ૮-૨૦ નામગોત્રયોર ૮-૨૦ નામગોત્રયોઃ અષ્ટો ૮-૧૦ શેષામિન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ શેષાણામન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ શેષાણામૂ-અન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ સૂત્રાર્થ વેદનીયકર્મની જઘન્યસ્થિતિ ૧૨ મુહૂર્ત છે. ૮-૧૯ સૂત્રાર્થ : નામ અને ગોત્ર કર્મની જઘન્યસ્થિતિ ૮ મુહૂર્ત છે. ૮-૨૦ સૂત્રાર્થ ? બાકીનાં પાંચ કર્મોની જઘન્યસ્થિતિ અંતર્મુહૂર્તની છે. ૮-૨૧ Page #280 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૯-૨૦-૨૧ ૨૫૫ ભાવાર્થ- હવે જઘન્યસ્થિતિ સમજાવે છે. વેદનીયકર્મની ૧૨ મુહૂર્ત છે. નામ અને ગોત્રકર્મની ૮ મુહૂર્ત છે. અને બાકીના કર્મોની અંતર્મુહૂર્ત છે. જઘન્ય એટલે ઓછામાં ઓછી સ્થિતિ. તેનું ચિત્ર આ પ્રમાણે છે. ૮-૧૯-૨૦-૨૧. જઘન્ય અબાધાકાળ સર્વત્ર અંતર્મુહૂર્ત જાણવો. સર્વે કર્મોમાં ઉસ્થિતિ બંધાય ત્યારે ઉત્કૃષ્ટ અબાધા હોય, અને જઘન્યસ્થિતિ બંધાય ત્યારે જઘન્ય અબાધા હોય. પરંતુ આયુષ્યકર્મમાં તેમ નથી. આયુષ્યકર્મમાં ચાલુભવની જેટલી શેષસ્થિતિ હોય છે. તે જ પરભવના આયુષ્યનો અબાધાકાળ જાણવો. ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડનો ત્રીજો ભાગ અને જઘન્યથી અંતર્મુહૂર્ત અબાધાકાળ આયુષ્યકર્મનો જાણવો. | ને.. કર્મનું નામ | ઉત્કૃષ્ટસ્થિતિ | જઘન્યસ્થિતિ | ૧ | જ્ઞાનાવરણીયકર્મ (૩) કોડાકોડી સાગરો. અંતર્મુહૂર્ત ૨ | દર્શનાવરણીયકર્મ 130 કોડાકોડી સાગરો. ૩ | વેદનીયકર્મ ૩૦ કોડાકોડી સાગરો. ૧૨ મુહૂર્ત ૪ | મોહનીયકર્મ ૭૦ કોડાકોડી સાગરો. | અંતર્મુહૂર્ત પ આયુષ્યકર્મ ૩૩ સાગરોપમ માત્ર || અંતર્મુહૂર્ત ૬ | નામકર્મ ૨૦ કોડાકોડી સાગરો. | ૮ મુહૂર્ત ૭ |ગોત્રકર્મ ૨૦ કોડાકોડી સાગરો. | ૮ મ્હૂર્ત ૮ | અંતરાયકર્મ ૩૦ કોડાકોડી સાગરો. | અંતર્મુહૂર્ત Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ અધ્યાય : ૮-સૂત્ર-૨૨-૨૩ ૮-૨૨ विपाकोनुभावः વિપાકોનુભાવઃ વિપાકઃ અનુભાવઃ ૮-૨૨ ૮-૨૨ સૂત્રાર્થ : કર્મોનો જે વિપાક (ફળપ્રદાન) તે અનુભાવબંધ કહેવાય છે. (તેને જ રસબંધ અથવા અનુભાગબંધ પણ કહેવાય છે.) ૮-૨૨ ભાવાર્થ:- સ્થિતિબંધ સમજાવીને હવે રસબંધ સમજાવે છે. બાંધેલા કર્મોનો જે વિપાક એટલે ફળપ્રાપ્તિ છે. તેને જ અનુભાવ અથવા રસબંધ કહેવાય છે. જે જે કર્મો બાંધેલાં છે તે તે કર્મો પોતપોતાનું નક્કી કરેલું ફળ આત્માને જે બતાવે, જણાવે, આપે તે અનુભાવબંધ અથવા રસબંધ જાણવો. બાંધેલાં કર્મો જે જુસ્સાથી પોતાનો ફળ વિપાક જણાવે તે રસબંધ જાણવો. ૮-૨૨. છે. ૮-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર સ યથાનામ ૮-૨૩ સ યથાનામ ૮-૨૩ સ યથાનામ ૮-૨૩ સૂત્રાર્થ : જે કર્મોનું જેવું નામ છે તેવો વિપાક હોય ભાવાર્થ:- જે કર્મનું જેવું જેવું નામ છે તેવું તેવું - Page #282 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૨૪ ૨૫૭ વિપાક ફળ આપવું એવા સ્વભાવવાળો તે રસબંધ છે. જેમકે જ્ઞાનાવરણીયકર્મનો વિપાક જ્ઞાનને ઢાંકવાનો છે. વેદનીયકર્મનો વિપાક સાતા-અસાતા રૂપે વેદાવાનો છે. એમ જે કર્મનું એવું નામ છે. તેવું તેનું ફળ છે. આ રસની તરતમતા (ઓછા-વધતાપણું) જણાવવા માટે તેના ચાર પ્રકારો શાસ્ત્રોમાં પાડ્યા છે. (૧) એક ઠાણીયો રસ, (૨) બેઠાણીયો રસ, (૩) ત્રણ ઠાણીયો રસ, (૪) ચાર ઠાણીયો રસ. પુણ્યપ્રકૃતિઓનો રસ શુભ છે શેરડીના રસ જેવો છે. અને પાપ પ્રકૃતિઓનો રસ અશુભ છે લીંબડાના રસ જેવો છે. તેને ઉકાળવાથી જેમ મીઠાશ અને કડવાશ વધે છે તેમ શુભ અને અશુભ કર્મપ્રકૃતિઓના આ ઠાણીયા રસોમાં પણ સમજવું. ૮-૨૩. તત નિર્નર ૮-૨૪ તતશ્ચ નિર્જરા ૮-૨૪ તતઃ ચ નિર્જરા ૮-૨૪ સૂત્રાર્થ તે વિપાકનુભાવથી પૂર્વબદ્ધકર્મોની નિર્જરા થાય છે. ૮-૨૪ ભાવાર્થ-તે તે કર્મોના વિપાકને (ફળ) ભોગવી લેવાથી પૂર્વે બાંધેલાં તે તે કર્મો આત્માથી વિખુટાં પડે છે અર્થાત્ નિર્જરા થાય છે. કારણ કે જે કર્મ જે ફળ આપવા માટે બંધાયું હતું તે કર્મ પોતાનું તે ફળ આપી રહે એટલે પુનઃ કાશ્મણ વર્ગણા રૂપે જ બની જાય છે. આત્માથી છૂટું થઈ મૂળ વર્ગણા રૂપે થઈ જાય ૧૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ અધ્યાય : ૮-સૂત્ર-૨૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર છે. તેથી તેને નિર્જરા કહેવાય છે. આ વિપાકોદયજન્ય નિર્જચે કહેવાય છે. કર્મો ભોગવ્યા વિના અપવર્તના આદિ દ્વારા પણ નિર્જરા થાય છે. તે વિપાકોદય વિના ગુણજન્યનિર્જરા કહેવાય છે. અને તે જ નિર્જરા શ્રેષ્ઠ છે. મુક્તિ હેતુ છે. ૮-૨૪. नामप्रत्ययाः सर्वतो योगविशेषात् सूक्ष्मैकक्षेत्रावगाढस्थिताः सर्वात्मप्रदेशेष्वनन्तानन्तप्रदेशा: ૮-૨૫ નામપ્રત્યયાઃ સર્વતો યોગવિશેષાત્ સૂક્ષ્મકક્ષેત્રાવગાઢસ્થિતાઃ સર્વાત્મપ્રદેશેષ્વનન્તાનન્તપ્રદેશાઃ નામપ્રત્યયાઃ સર્વતઃ યોગવિશેષાત્ સૂક્ષ્મ-એકક્ષેત્ર-અવગાઢસ્થિતાઃ સર્વ-આત્મપ્રદેશેષ અનન્ત-અનન્તપ્રદેશાઃ ૮-૨૫ સૂત્રાર્થ : સૂક્ષ્મ એવાં, આત્માની સાથે એક ક્ષેત્રમાં અવગાહીને રહેલાં, આત્માના સર્વ પ્રદેશોમાં રહેલાં અને અનન્તાનંત પ્રદેશોવાળાં કાર્યણવર્ગણાનાં પુદ્ગલોને આ જીવ પોતાના સર્વ આત્મપ્રદેશોથી મન-વચન-કાયાના યોગને અનુસારે તે તે કર્મોના નામ પ્રમાણે ગ્રહણ કરે છે. ૮-૨૫ ૮-૨૫ ભાવાર્થ:- આ સૂત્રમાં હવે પ્રદેશબંધ સમજાવે છે. જે સમયે આપણો આત્મા કર્મ બાંધે છે તે બંધાતા કર્મના પ્રદેશો (અણુઓ) કેવા કેવા અને કેવી રીતે બંધાય છે ? તે સમજાવવા માટે આ સૂત્રમાં ૮ ઉત્તરો આપેલા છે. પ્રકૃતિ, સ્થિતિ અને રસબંધ સમજાવ્યા પછી હવે પ્રદેશબંધ સમજાવવાનો અવસર છે. ગ્રંથકારશ્રી આઠ પ્રશ્નોત્તરથી તે સમજ આપે છે. Page #284 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૨૫ ૨૫૯ (૧) નામપ્રત્યયાઃ = બંધાતા કર્મ પરમાણુઓ પોતપોતાના નામનું કારણ બને છે. જ્ઞાનાવરણીયકર્મ જેનું નામ છે. તે પ્રદેશો જ્ઞાનને ઢાંકવાનું કાર્ય કરે છે. દર્શનાવરણીયકર્મ જેનું નામ છે. તે પ્રદેશો દર્શનને ઢાંકવાનું કાર્ય કરે છે. આ પ્રમાણે જે જે કર્મનું જે જે નામ છે. તે તે કર્મ તે તે કાર્ય કરવાનું કારણ બને છે. (૨) સર્વતો= આ આત્મા જ્યારે જ્યારે કર્મ બાંધે છે. ત્યારે ત્યારે ચારે દિશા, ચારે વિદિશા અને ઊર્ધ્વ-અધો એમ દશે દિશાઓમાંથી કર્મગ્રહણ કરે છે. કોઇ માણસને હાથથી તમાચો માર્યો હોય તો હાથવાળા ક્ષેત્રમાંથી જ કાર્મણવર્ગણા બંધાય છે, એમ નહીં, પરંતુ ઘીમાં તળાતા માલપુઆની જેમ તથા તેલમાં તળાતા પુડલાની જેમ સર્વ બાજુથી આત્માની અવગાહનાવાળા સમસ્ત ક્ષેત્રમાં રહેલી કાર્મણ વર્ગણા આ જીવ ગ્રહણ કરે છે. (૩) યોગવિશેષા= મન-વચન અને કાયાના યોગો વધારે હોય ત્યારે વધારે, અને ઓછા હોય ત્યારે ઓછા કર્મપ્રદેશો આ જીવ ગ્રહણ કરે છે. યોગ પ્રમાણે જધન્યમધ્યમ અને ઉત્કૃષ્ટ પ્રદેશો ગ્રહણ થાય છે. (૪) સૂક્ષ્મ= આંખોથી ન દેખી શકાય તેવા અતિશય બારીક, અને કર્મને યોગ્ય એવા જ પ્રદેશો આ જીવ કર્મ માટે Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ અધ્યાય : ૮-સૂત્ર-૨૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર ગ્રહણ કરે છે, પરંતુ બાદર કે સ્થૂલ પ્રદેશો કર્મબંધ માટે ગ્રહણ કરતો નથી. આ પ્રદેશોને કામણવર્ગણા કહેવાય છે. (૫) એકક્ષેત્રાવગાઢ= આત્મા જે ક્ષેત્રમાં અવગાહીને રહેલો છે, તે જ ક્ષેત્રમાં જે કામણવર્ગણા રહેલી છે. તેને જ આ આત્મા કર્મરૂપે ગ્રહણ કરે છે. દૂર-દૂર રહેલી કાર્મણવર્ગણાને આ જીવ કર્મરૂપે બાંધતો નથી. (૬) સ્થિતાઃ = રહેલા, સ્થિર રહેલા, આત્માની સાથે અવગાહનામાં સાથે રહેલા કાર્મણવર્ગણાનાં પુદ્ગલો આ જીવ ગ્રહણ કરે છે. પરંતુ ચલિત થઇને દૂર ગયેલા કાર્મણવર્ગણાના પુદ્ગલોને આ જીવ બાંધતો નથી. (૭) સર્વાત્મપ્રદેશેષ= આ આત્મા જ્યારે જ્યારે કર્મ બાંધે છે ત્યારે ત્યારે પોતાના સર્વ આત્મપ્રદેશોમાં બાંધે છે. કોઈ એક ભાગમાં બાંધતો નથી. તમાચો મારે ત્યારે પણ માત્ર હાથવાળા ભાગમાં કર્મ બાંધતો નથી પરંતુ સર્વ આત્મપ્રદેશોમાં બાંધે છે. કારણ કે તમાચો મારવાની પાછળ આવેશ સર્વ આત્મપ્રદેશોમાં છે. કોઇપણ કર્મ પ્રદેશોને ગ્રહણ કરવામાં આત્માના સર્વપ્રદેશોનું વીર્ય વપરાય છે. (૮) અનન્તાનન્ત પ્રદેશો : આ આત્મા જે કર્મ બાંધે છે. તે કર્મ સંખ્યાત-અસંખ્યાત કે અનંત કર્મ પ્રદેશોવાનું નથી. પરંતુ અનંતાનંત પ્રદેશોવાળા સ્કંધોને જ ગ્રહણ કરે છે. ઓછા પ્રદેશોવાળાને ગ્રહણ કરતો નથી. Page #286 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૨૬ ૨૬૧ આ પ્રમાણે પ્રકૃતિબંધ-સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ એમ ચારે પ્રકારે કર્મના બંધને સમજાવ્યો છે. ૮-૨૫. सवेद्य-सम्यक्त्व-हास्य-रति-पुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम् ૮-૨૬ સર્વેદ્ય-સમ્યકત્વ-હાસ્ય-રતિ-પુરુષવેદશુભાયુનંમગોત્રાણિ પુણ્યમ્ ૮-૨૬ સર્વધ-સભ્યત્વ-હાસ્ય-રતિ-પુરુષવદ શુભાયુ -નામ ગોત્રાણિ પુણ્યમ્ ૮-૨૬ સૂત્રાર્થ : સાતવેદનીય, સમ્યકત્વમોહનીય, હાસ્ય, રતિ, પુરુષવેદ, શુભાયુષ્ય, શુભનામકર્મ અને શુભગોત્રકર્મ આ બધી પુણ્યપ્રકૃતિઓ કહેવાય છે. (બાકીની બધી પાપપ્રકૃતિઓ છે.) ૮-૨૬ ભાવાર્થ- આ કર્મોમાં કેટલાંક કર્મો જીવને સાંસારિક સુખ આપનારાં છે તેથી તેને વ્યવહારથી શુભકર્મો કહેવાય છે. અને કેટલાંક કર્મો જીવને દુ:ખ આપનારાં છે તેથી તેને વ્યવહારથી અશુભકર્મો કહેવાય છે. નિશ્ચયનયથી તો સર્વે કર્મો અશુભ છે. (૧) સતાવેદનીય, (૨) સમ્યકત્વમોહનીય, (૩) હાસ્ય, (૪) રતિમોહનીય, (૫) પુરુષવેદ, (૬) દેવમનુષ્યાદિ શુભ આયુષ્ય, (૭) નામકર્મમાં સૌભાગ્ય-આદેયસુસ્વર વગેરે. અને ઉચ્ચગોત્ર આ પુણ્યપ્રકૃતિઓ છે. બાકીની બધી પાપ પ્રકૃતિઓ છે. આ વ્યવહારનયથી સમજવું. Page #287 -------------------------------------------------------------------------- ________________ ૦ ૦ ૦ = ૨૬૨ અધ્યાય : ૮-સૂત્ર-૨૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર નવતત્ત્વ તથા કર્મગ્રંથાદિમાં જે ૪૨ પુણ્યપ્રકૃતિઓ આવે છે તે જ ૪૨ પુણ્યપ્રકૃતિઓ અહીં મૂળસૂત્રમાં કહી છે. પરંતુ ૪ પ્રકૃતિઓ વધારે કહી છે. તે આ પ્રમાણે સર્વેદ્ય- સાતવેદનીય સમ્યત્વ- સમ્યકત્વમોહનીય હાસ્ય-રતિ- હાસ્ય અને રતિ પુરુષવેદ- પુરુષવેદ શુભાયુ દેવ-મનુષ્ય અને તિર્યંચાયુષ્ય શુભનામ- દેવગતિ-મનુષ્યગતિ આદિ ૩૭ શુભગોત્ર- ઉચ્ચગોત્ર ૪૨ + ૪ = ૪૬ અહીં ૧ સમ્યકત્વમોહનીય, ૨ હાસ્ય, ૩ રતિ, અને ૪ પુરુષવેદ આ ચાર કર્મો મોહનીયનાં હોવાથી પાપપ્રકૃતિ છે તો પણ તેના કરતાં વધુ તીવ્રભાવવાળી બીજી પાપ પ્રકૃતિઓની અપેક્ષાએ આ સુખ આપનારી છે એવી વિવક્ષા કરીને પુણ્યમાં ગયાં છે. જેમ કે મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય કરતાં સમ્યકત્વમોહનીય સારી છે. એવી જ રીતે અરતિ-શોક કરતાં હાસ્ય રતિ સારી છે. તથા સ્ત્રીવેદ અને નપુંસકવેદ કરતાં પુરુષવેદ સારો છે. એમ નવતત્ત્વાદિ ગ્રંથોથી ભિન્ન કથન કરવામાં વિવફા ભેદ માત્ર કારણ છે. એમ જાણવું. ૮-૨૬. | અષ્ટમ અધ્યાય સમાપ્ત Page #288 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૧-૨ ૨૬૩ આ અધ્યાય નવમો છે માવનિરોધ સંવર: ૯-૧ આશ્રવનિરોધઃ સંવરઃ ૯-૧ આશ્રવ-નિરોધઃ સંવરઃ ૯-૧ સુત્રાર્થ : આશ્રવનો જે નિરોધ તે સંવર કહેવાય છે. ૯-૧ ભાવાર્થ:- આશ્રવને અટકાવવો તે સંવર, જેનાથી આત્મામાં કર્મો આવે છે તે આશ્રવ છે. તે આશ્રવ જેનાથી રોકાય તે સંવર કહેવાય છે. છઠ્ઠા અધ્યાયના પહેલા અને છઠ્ઠાસૂત્રમાં ત્રણ પ્રકારે અને ઓગણચાલીસ પ્રકારે આશ્રવ કહેલો છે. તેનો નિરોધ કરવો તે સંવર કહેવાય છે. ૯-૧. તે મુક્તિ-સમિતિ-થોક્ષ-પરીષદષય-ચારિત્રે ૯-૨ સ ગુપ્તિ-સમિતિ-ધર્માનુપ્રેક્ષા-પરીષહજય-ચારિત્રેઃ ૯-૨ સઃ ગુતિ-સમિતિ-ધર્મ-અનુપ્રેક્ષા-પરીષહજય-ચારિત્રે ૯-૨ સૂત્રાર્થ તે સંવર ગુપ્તિ-સમિતિ-યતિધર્મ-અનુપ્રેક્ષા (ભાવના) પરીષહજય અને ચારિત્ર વડે પ૭ ભેદવાળો છે. ૯-૨ For Private Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ અધ્યાયઃ ૯-સૂત્ર-૩-૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાવાર્થ:- તે સંવરના ગુપ્તિ-સમિતિ-યતિધર્મ-અનુપ્રેક્ષા અને પરીષહનો વિજય તથા ચારિત્ર એમ છ જાતના ભેદો છે. ગુપ્તિ-સમિતિ વગેરે શબ્દોના અર્થો આગળ મૂળ સૂત્રમાં જ સમજાવવામાં આવશે. તે છએના અનુક્રમે ૩-૫-૧૦-૧૨-૨૨ અને પ એમ કુલ સત્તાવન ભેદો સંવરના થાય છે. ૯-૨. તપસી નિર્જરા ય ૯-૩ તપસા નિર્જરા ચ ૯-૩ તપસા નિર્જરા ચ ૯-૩ સૂત્રાર્થ : તપ વડે સંવર અને નિર્જરા બને થાય છે. ૯-૩ તપ કરવાથી પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા પણ થાય છે અને નવાં આવતાં કર્મો વિરામ પણ પામે છે. એટલે કે સંવર અને નિર્જરા એમ બને પણ થાય છે. આ ગુણજન્ય નિર્જરા છે. તે ગુણજન્ય નિર્જરા જ કેવલજ્ઞાનાદિ ભાવોની પ્રાપ્તિનું કારણ બને છે. ૯-૩. સોનિપ્રદો મુસિ. ૯-૪ સમ્યયોગનિગ્રહો ગુપ્તિઃ ૯-૪ સમ્યગ્યોગનિગ્રહઃ ગુમિઃ ૯-૪ સૂત્રાર્થ : સમ્યક્ઝકારે મન-વચન અને કાયાના યોગનો નિગ્રહ કરવો તે ગુપ્તિ કહેવાય છે. ૯-૪ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૬૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૫ ભાવાર્થ - મન-વચન અને કાયાની પ્રવૃતિ તે યોગ કહેવાય છે. સમ્યગૂ જ્ઞાન અને સમ્યગ્દર્શનપૂર્વક (મન-વચનકાયાની શુભમાં પ્રવૃત્તિ થવી અને) અશુભથી નિવૃત્તિ થવી તે યોગનિગ્રહ કહેવાય છે. તે જ ગુપ્તિ છે. આત્માના હિતની અપેક્ષા વિના લાંઘણ, પાણી ઉપર બગલાની સ્થિરતા તથા તાપસની પંચાગ્નિ તપની ક્રિયા એ યોગનિગ્રહ કહેવાતો નથી. કારણ કે કષાયોને જીતવા માટે જ જે શુભમાં પ્રવૃત્તિ અને અશુભથી નિવૃત્તિ કરવા સ્વરૂપ યોગ નિગ્રહ છે. તે જ ગુપ્તિ કહેવાય છે. ૯-૪. -ભાષUાનનિક્ષેપોત્સ: મિતાઃ ૯-૫ ઈર્યા-ભાષેષણાદાનનિક્ષેપોત્સર્ગાઃ સમિતયઃ ૯-૫ ઇર્યા-ભાષા-એષણા-આદાનનિક્ષેપ-ઉત્સર્ગી સમિતયઃ ૯-૫ સૂત્રાર્થ : ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણા સમિતિ, આદાનનિક્ષેપસમિતિ અને ઉત્સર્ગસમિતિ એમ પાંચ સમિતિ જાણવી. ૯-૫ ભાવાર્થ:- સમિતિ એટલે આત્માના હિતને કરનારાં કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. ગુપ્તિમાં અહિતથી નિવૃત્તિ મુખ્ય છે. અને સમિતિમાં હિતની પ્રવૃત્તિ મુખ્ય છે. તેના પાંચ ભેદો છે. (૧) ઇર્યાસમિતિ= જયણા પાળવાના આશયથી નીચે જોઈને ચાલવું. જેથી સ્વ-પરની હિંસા ન થાય. પોતાના શરીરની લંબાઈ જેટલી ભૂમિ જોતાં જોતાં ચાલવું તે. Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ અધ્યાય : ૯-સૂત્ર-૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) ભાષાસમિતિ= પ્રિય, હિતકારી, સત્ય અને પરિમિત વચન બોલવું. (૩) એષણાસમિતિ= દોષરહિત આહાર લાવવો. અને દોષરહિતપણે વાપરવો. (૪) આદાનનિક્ષેપસમિતિ= વસ્ત્રો-પાત્રો જોઇ-પુંજી-પ્રમાર્જીને લેવાં-મૂકવાં અને વાપરવાં. (૫) ઉત્સર્ગસમિતિ=ભૂમિજોઇ-પૂંજીનેમળ-મૂત્રપરઠવવાં.૯-૫. ઉત્તમ: ક્ષમા-માવાનવ-શૌન-સત્ય-સંયમतपस्त्यागाकिञ्चन्य - ब्रह्मचर्याणि धर्मः ઉત્તમઃ ક્ષમા-માર્દવાર્જવ-શૌચ-સત્ય-સંયમતપસ્યાગાકિ ચન્ય-બ્રહ્મચર્યાણિ ધર્મઃ ઉત્તમઃ ક્ષમા-માર્દવ-આર્જવ-શૌચ-સત્ય-સંયમ ૯-૬ તપઃ-ત્યાગ-આકિચન્ય-બ્રહ્મચર્યાણિ ધર્મ: ૯-૬ સૂત્રાર્થ : ક્ષમા, માર્દવતા, આર્જવતા, શૌચ સત્ય, સંયમ, તપ, ત્યાગ, આર્કિચન્ય અને બ્રહ્મચર્ય એમ ૧૦ પ્રકારના યતિધર્મ છે. ૯-૬ ૯-૬ ભાવાર્થ:- નીચે જણાવાતા દશ યતિધર્મો પાળવા જેવા છે. જે પાળવાથી નવાં બંધાતાં અનેકવિધ કર્મો રોકી શકાય છે. અને તે ઉત્તમ ધર્મો છે. આત્માના ગુણો છે. કર્મોને રોકવાના પરમ ઉપાયો છે. દિગંબરાસ્નાયમાં આ દશગુણોને જ દશલક્ષણા કહેવાય છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૬ ૨૬૭ (૧) ક્ષમા ક્રોધ ન કરવો, અપરાધ ગળી જવો, સમતા રાખવી ગુસ્સે ન થવું. (૨) માર્દવ= નમ્રતા, નિરભિમાનતા, નિરહંકારતા. (૩) આર્જવ= સરળતા, નિષ્કપટતા, માયારહિત ચિત્ત. (૪) શૌચ= મનની પવિત્રતા, તથા કાયાની સ્વચ્છતા. (૫) સંયમ= મન-વચન અને કાયાની અશુભચેષ્ટાથી નિવૃત્તિ તથા શુભમાં પ્રવૃત્તિ કરવી તે, આ સંયમ સત્તર પ્રકારે છે. (૬) સત્ય-જીવન સત્ય રાખવું. પ્રામાણિકપણું સાચવવું તે. સાચી નીતિમત્તાવાળું જીવન. તપત્ર તપશ્ચર્યા કરવી, છ બાહ્ય અને છ અત્યંતર તપ કરવો. આહારાદિ પરદ્રવ્યનો ત્યાગ, તથા તે પ્રત્યેની મૂર્છાનો પણ ત્યાગ કરવો તે. (૮) ત્યાગ=વિગઈનો ત્યાગ તથા બાહ્ય ઉપધિનો જે ત્યાગ તે બાહ્યત્યાગ અને શરીર ઉપર મમતાનો ત્યાગ, કષાયોનો ત્યાગ, તે અત્યંતરત્યાગ કહેવાય છે. બીનજરૂરી વસ્તુઓનો પણ ત્યાગ. (૯) આકિંચ = અનિવાર્ય વસ્તુઓ જે વસ્ત્ર-પાત્રાદિ રાખ્યાં હોય તેના ઉપર તથા જ્ઞાન-દર્શન અને ચારિત્રનાં ઉપકરણો ઉપર પણ મમતાનો ત્યાગ. Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ અધ્યાય : ૯-સૂત્ર-૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧૦) બ્રહ્મચર્ય= મન-વચન-કાયાથી મૈથુન ક્રીડાનો ત્યાગ કરવો તથા ગુરુકુલવાસમાં જ રહેવું. ગુરુની નિશ્રાએ જ વર્તવું. સ્વાધ્યાયમાં જ લીન થવું તે. આ દશ પ્રકારના યતિધર્મોનું જીવનમાં યથાર્થ પાલન કરવું. તે સંવર છે. ૯-૬. अनित्याशरण-संसारैकत्वान्यत्वाशुचित्वाश्रव-संवर-निर्जरा-लोक-बोधिदुर्लभधर्मस्वाख्यातत्त्वानु-चिन्तनमनुप्रेक्षाः ५-७ અનિત્યાશરણ-સંસારૈકત્વાન્યતાશુચિતાશ્રવ- સંવર-નિર્જરા-લોક-બોધિદુર્લભધર્મસ્વાખ્યાતત્ત્વાનુ-ચિન્તનમનુપ્રેક્ષાઃ ૯-૭ અનિત્ય-અશરણ-સંસાર-એકત્વ-અન્યત્વ-અશુચિત્વઆશ્રવ-સંવર-નિર્જરા-લોક-બોધિદુર્લભધર્મસ્યાખ્યાતત્ત્વ-અનુચિંતનમ્ અનુપ્રેક્ષાઃ ૯-૭ સૂત્રાર્થ : ૧ અનિત્ય, ૨ અશરણ ૩ સંસાર, ૪ એકત્વ, ૫ અન્યત્વ, ૬ અશુચિત્વ, ૭ આશ્રવ, ૮ સંવર, ૯ નિર્જરા, ૧૦ લોકસ્વભાવ, ૧૧ બોધિદુર્લભ, ૧૨ ધર્મસ્વાખ્યાતત્ત્વનું અનુચિંતન કરવું ધર્મ એમ ૧૨ ભાવના જાણવી. ૯-૭ ભાવાર્થ- પ્રતિદિન નીચે મુજબ ૧૨ ભાવનાઓ અવશ્ય ભાવવી. આ ભાવનાઓથી સંસારનો રાગ ઘટે છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૭ ૨૬૯ (૧) અનિત્યભાવના= શરીર-ધન-યશ-પ્રતિષ્ઠા-બધું નાશવંત છે. સદા રહેનાર નથી, કાળાન્તરે અવશ્ય વિનાશી જ છે. એમ વિચારવું તે. (૨) અશરણભાવના= દુઃખ વખતે માતા-પિતા, પતિ-પત્ની કે પુત્રાદિ કોઇનું શરણ નથી. કોઈ દુઃખ લઈ શકતા નથી. ધર્મ જ શરણ છે. (૩) સંસારભાવના= આ સંસાર અસાર છે. માતા મરીને પત્ની બન્ને છે. શત્રા મરીને પુત્ર બને છે. મિત્ર મરીને શત્રુ બને છે. તથા અનેક ઉપાધિઓ અને દુઃખોની ખાણ છે. માટે અસાર છે. (૪) એકત્વભાવના= આ જીવ એકલો જ આવ્યો છે. એકલો જ જવાનો છે. કર્મોનો કર્તા એકલો જ છે. ભોક્તા પણ એકલો જ છે. (૫) અન્યત્વભાવના= આત્મા દેહથી અન્ય છે. દેહ જડ છે. આત્મા ચેતન છે. શરીર વિનાશી છે. આત્મા અવિનાશી છે. દેહ અહીં જ રહેવાનો છે. આત્મા ભવાન્તરગામી છે. ઇત્યાદિ (૬) અશુચિત ભાવના= શરીર અપવિત્ર છે. અશુચિઓથી ભરેલું છે. શરીરના એકેક છિદ્રથી અશુચિ જ નીકળ્યા કરે છે. મળ-મૂત્ર અને વિષ્ણદિનો ભરેલો કોથળો જ છે. (૭) આશ્રવભાવના આ આત્મામાં પ્રતિસમયે કર્મોનું આગમન ચાલુ જ રહે છે. જો આ રીતે કર્મો આવ્યા જ કરશે તો તારી નાવ ડૂબી જશે માટે હે આત્મા! તું કંઇક સમજ. Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ અધ્યાય : ૯-સૂત્ર-૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૮) સંવરભાવના= સંવરના સત્તાવન ભેદોથી હે આત્મા! તું કર્મોને રોક. સત્તાવને ભેદોનો વિચાર કરવો તે. (૯) નિર્જરાભાવના= છ બાહ્ય અને છ અત્યંતર તપનું તું સેવન કર. જેથી કર્મોની નિર્જરા થાય. (૧૦) લોકસ્વભાવ ભાવના= ચૌદ રાજલોક, નારકી-દેવો તથા જંબૂઢીપાદિના સ્વરૂપનું વર્ણન વિચારવું. (૧૧) બોધિદુર્લભભાવના= આ અસાર સંસારમાં સમ્યકત્વ પ્રાપ્તિ અતિદુર્લભ છે. તેની વિચારણા કરવી. (૧૨) ધર્મસ્યાખ્યાતત્ત્વ ભાવના= ધર્મ સમજાવનારા અરિહંત પ્રભુ તથા સાધુ સંતો અને સાચા ધર્મગુરુઓ મળવા અતિશય દુષ્કર છે. એમ વિચારવું તે. ઉપરોક્ત ૧૨ ભાવનાઓ દરરોજ વિચારવી. ૯-૭ मार्गाच्यवननिर्जरार्थं परिषोढव्याः परीषहाः -८ માર્ગાચ્યવનનિર્જરાર્થ પરિષોઢવ્યાઃ પરીષહાઃ ૯-૮ માર્ગ-અચ્યવન-નિર્જરાર્થ પરિષોઢવ્યાઃ પરીષહાઃ ૯-૮ સૂત્રાર્થ જૈનશાસનની પ્રાપ્તિરૂપ માર્ગથી પતિત ના થઈ જવાય તેટલા માટે તથા પૂર્વબદ્ધકર્મોની નિર્જરા માટે પરીષહો સહન કરવા યોગ્ય છે. ૯-૮ ભાવાર્થ:- પ્રાપ્ત થયેલા જૈનશાસનના માર્ગથી પતિત ન થઈ જવાય તેટલા માટે તથા પૂર્વબદ્ધ કર્મોના ક્ષય માટે નીચે મુજબ Page #296 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૯ ૨૭૧ રર પરિષદો સહન કરવા જોઇએ. આ રર પરિષદો સહન કરવાથી અને તેમાં રાખેલી સમતાના કારણે પૂર્વબદ્ધ કર્મો ક્ષય પામે છે. આ બાવીસ પ્રકારના પરિષહોના કાળે જે દુઃખની સહનશીલતા છે. એ ઉપચારે નિર્જરાનું કારણ છે. પરંતુ તેમાં રાખેલો “શમભાવ” એ વાસ્તવિકપણે નિર્જરાનું કારણ છે. ૯-૮. क्षुत्-पिपासा-शीतोष्ण-दंशमशक-नाग्न्यारति-स्त्री-चर्याનિષા-શાશ-વધ-ચાવનાના-ર-7/સ્પર્શमल-सत्कारपुरस्कार-प्रज्ञाज्ञानादर्शनानि ૯-૯ સુ-પિપાસા-શીતોષ્ણ-દંશમશક-નાચારતિ-સ્ત્રી-ચર્યાનિષદ્યા-શધ્યાક્રોશ-વધ-વાચનાલાભ-રોગ-તૃણસ્પર્શ-મલસત્કારપુરસ્કાર-પ્રજ્ઞાજ્ઞાનાદર્શનાનિ ૯-૯ સુ-પિપાસા-શીત-ઉષ્ણ-દંશમશક-નાજ-અરતિ-સ્ત્રી-ચર્યાનિષદ્યા-પચ્યા-આક્રોશ-વધવાચના-લાભ-રોગ-તૃણસ્પર્શમલ-સત્કારપુરસ્કાર-પ્રજ્ઞા-અજ્ઞાન-અદર્શનાનિ ૯-૯ સૂત્રાર્થ : ૧ ક્ષુધા, રપિપાસા, ૩ શીત, ૪ ઉષ્ણ, પ દંશમશક, ૬ નાન્ય, ૭ અરતિ, ૮ સ્ત્રી, ૯ ચર્યા, ૧૦ નિષદ્યા, ૧૧ શય્યા, ૧૨ આક્રોશ, ૧૩ વધ, ૧૪ યાચના, ૧૫ અલાભ, ૧૬ રોગ, ૧૭ તૃણસ્પર્શ, ૧૮ મલ, ૧૯ સત્કાર પુરસ્કાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧ અજ્ઞાન અને ૨૨ અદર્શન પરીષહ એમ કુલ ૨૨ પરીષહો છે. ૯-૯ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૭ર અધ્યાય : ૯-સૂત્ર-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર - કુદરતી આપત્તિઓ આવે ત્યારે સહનશીલ થવું તે પરિષહ. અને દેવ-માનવ તથા તિર્યંચો તરફથી આવેલી આપત્તિઓના કાળે સહનશીલ થવું તે ઉપસર્ગ કહેવાય છે. પરિષહ અને ઉપસર્ગમાં આટલો તફાવત છે. (૧) સુધા= ક્ષુધા લાગી હોય, યોગ્ય આહાર ન મળે. તો સુધા સહન કરવી. પરંતુ દોષિત આહાર ન લેવો તે. (૨) પિપાસાપરિષહ-તૃષા લાગી હોય, યોગ્ય નિર્દોષ પાણી ન મળતું હોય તો તૃષા સહન કરવી. પરંતુ દોષિત પાણી ન પીવું. (૩) શીતપરીષહ= ઠંડી સહન કરવી. પરંતુ અયોગ્ય અને અનુચિત સાધનોની ઇચ્છા ન કરવી. (૪) ઉષ્ણપરીષહ= ગરમી સહન કરવી. પરંતુ અયોગ્ય અને અનુચિત સાધનોની ઇચ્છા ન કરવી. (૫) દંશમશકર ડાંસ-મચ્છર-માંકડના ઉપદ્રવો હોય તો સહન કરવા, પરંતુ તેનો વિનાશ ન કરવો. (૬) નાન્યપરીષહ= શાસ્ત્રોક્ત વિધિ મુજબ જીર્ણ-અલ્પ મૂલ્યવાળાં વસ્ત્રો પહેરવાં, પરંતુ રંગીન કે ભપકાવાળાં વસ્ત્રો ન પહેરવાં તથા જિનકલ્પ સ્વીકારતાં નગ્નતા રાખવી. પરંતુ લજ્જા ન રાખવી તે. (૭) અરતિપરીષહર સંયમમાં ઉગ (કંટાળો) આવે તેવા પ્રસંગો આવે તો પણ કંટાળવું નહીં. પરંતુ સ્થિર રહેવું. Page #298 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૯ ૨૭૩ (૮) સ્ત્રી પરીષહ = સ્ત્રી સંયમમાં બાધક છે. (સ્ત્રીને આશ્રયી પુરુષ એ સંયમમાં બાધક છે.) તેથી તેના હાવભાવ તથા શરીરના અંગો તરફ નજર ન નાખવી. તેની સાથે ભોગાદિની પ્રાર્થના ન કરવી અને ન સ્વીકારવી. ભોગબુદ્ધિનો ત્યાગ કરવો. (૯) ચર્યાપરીષહ= વિહાર કરતાં કરતાં કાંટા-કાંકરા આવે તે સહન કરવા, પરંતુ કંટાળવું નહીં. વિહારમાં તકલીફો પણ આવે. છતાં પણ સુખશીલતા ઇચ્છવી નહીં. તથા સંયમમાં ઉફ્લેગ કરવો નહીં. (૧૦) નિષદ્યાપરિષહ= ઉપાશ્રય આદિમાં ધર્મસાધના કરતાં ઠંડી-ગરમી, હવા-અંધકારની અનુકૂળતા-પ્રતિકૂળતા આવે તો પણ સહન કરવી. (૧૧) શધ્યાપરિષહ= અનુકૂળ-પ્રતિકૂળ શયા-સંથારો મળે તો પણ ચલાવી લેવું. ઉંચી-નીચી ભૂમિ હોય તો પણ મનમાં દુઃખ ન કરવું. તૃણના સંથારામાં તૃણની અણીઓનાં ડંખ સહન કરવા, પરંતુ ઉગ ખેદ ન ધરવો. (૧૨) આક્રોશપરિષહર કોઈ અજ્ઞાની આત્મા આપણી ઉપર ગુસ્સો કરે, માર મારે, તો પણ શમભાવે સહન કરવો તે. (૧૩) વધપરિષહ= કોઈ અજ્ઞાની આત્મા આપણા ઉપર પ્રહાર કરી હત્યા કરે, વધ કરે, મારી નાખે તો પણ શમભાવ રાખવો તે. ૧૮. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ અધ્યાય : ૯-સૂત્ર-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧૪) યાચનાપરિષહ= સાધુ થયા પછી ગોચરી ચર્યા ફરવામાં તથા અનિવાર્ય વસ્તુની યાચનામાં જરા પણ લજ્જા ન પામવી કે શરમ ન રાખવી તે. (૧૫) અલાભપરિષહ= નિર્દોષ આહાર ન મળે તો પણ શમભાવ રાખવો, પરંતુ ઉગ કરવો નહીં. કંટાળવું નહીં. કે નારાજ થવું નહીં. (૧૬) રોગપરિષહર શરીરમાં રોગ આવે તો નિર્દોષ ચિકિત્સા કરાવવી, પરંતુ શમભાવ રાખવો, આકુળ-વ્યાકુળતા ન કરવી. રોગ મટે તો હર્ષ નહીં. અને ન મટે તો શોક નહીં (૧૭) તૃણસ્પર્શપરિષહર ઘાસ ઉપર સંથારો કરતાં ઘાસની અણીઓ શરીરને વાગે તો પણ શમભાવ રાખવો. (૧૮) મનપરિષહ= શરીર ઉપર મેલ જામ્યા હોય તો પણ સ્નાનની કે શરીરના શણગારની ઇચ્છા ન કરવી તે. (૧૯) સત્કારપુરસ્કાર પરિષહ= જગતમાં વધારે સત્કાર સન્માન હોય તો પણ તેમાં હર્ષ ન કરવો. આનંદ અભિમાન ન કરવું. (૨૦) અજ્ઞાનપરિષહ= જ્ઞાન આવડે નહિ, ત્યારે લોકો અપમાન કરે, માનહાનિ થાય, તો પણ શમભાવે સહન કરવું. (૨૧) પ્રજ્ઞાપરિષહ= વિશિષ્ટ બુદ્ધિ હોય તો પણ ગર્વ ન કરવો. Page #300 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૧૦-૧૧-૧૨ ૨૭૫ (૨૨) અદર્શનપરિષહર શાસ્ત્રોના ભાવાર્થો ન સમજાય, પરદર્શનમાં ચમત્કારો દેખાય તો પણ જૈનશાસનથી ચલિત ન થવું. તથા અન્યધર્મની ઇચ્છા ન કરવી તે. આ બાવીસ પરિષદોમાંથી ક્યા ગુણઠાણે કેટલા કેટલા પરિષહ હોય? અને કયા કયા હોય? તે સમજાવે છે. ૯-૯, सूक्ष्मसंपराय-छद्मस्थवीतरागयोश्चतुर्दश ८-१० સૂક્ષ્મસંપરામ-છપ્રસ્થવીતરાગયોશ્ચતુર્દશ ૯-૧૦ સૂક્ષ્મસંપરા-છાસ્થવીતરાગયોઃ ચતુર્દશ ૯-૧૦ વિશ નિને ૯-૧૧ એકાદશ જિને ૯-૧૧ એકાદશ જિને ૯-૧૧ વાવલંપર સર્વે ૯-૧૨ બાદરસપરાયે સર્વે ૯-૧૨ બાદરસપરાયે સર્વે ૯-૧૨ સૂત્રાર્થ : સૂમસંપરાય ગુણસ્થાનકે તથા છઘ0 વીતરાગ (૧૧-૧૨માં ગુણસ્થાનકવાળા) જીવોને ૧૪ પરીષહો હોય છે. ૯-૧૦ સૂત્રાર્થ : જિનેશ્વર ભગવાનને (૧૩-૧૪ ગુણસ્થાનકવાળા જીવોને) ૧૧ પરીષહો હોય છે. ૯-૧૧. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ અધ્યાય : ૯-સૂત્ર-૧૦-૧૧-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ ઃ બાદર સંપરાય કષાયવાળાને સર્વે (૨૨) પરીષહો હોય છે. ૯-૧૨ ભાવાર્થ-સૂક્ષ્મ સંપરાયગુણસ્થાનકે તથા ઉપશાન્તમોહ અને ક્ષીણમોહ ગુણસ્થાનકે ૧૪ પરિષહો હોય છે. દશમા ગુણસ્થાનકનું નામ સૂક્ષ્મસંપરાય, અગિયારમાનું નામ ઉપશાન્તમોહ, અને બારમાનું નામ ક્ષીણમોહ, આ ત્રણે ગુણસ્થાનકોમાં મોહનીયકર્મના ઉદયવાળા ૮ પરિષહ વિના બાકીના ૧૪ પરિષહો હોય છે. આ ત્રણ ગુણસ્થાનકોમાં મોહનીય કર્મનો ઉદય હોતો નથી તેથી તજજન્ય ૮ પરિષદો સંભવતા નથી. છબસ્થ વીતરાગ એટલે ઉપશાન્ત મોહ અને ક્ષીણમોહ ગુણસ્થાનક સમજવાં. (૧) અદર્શન, (૨) નાન્ય, (૩) અરતિ, (૪) સ્ત્રી, (૫) નિષદ્યા, (૬) આક્રોશ, (૭) યાચના, અને (૮) સત્કારપુરસ્કાર એ આઠ પરિષહો મોહનીયના ઉદયથી આવે છે. ૧૩-૧૪ આ બે ગુણસ્થાનકોમાં ૧૧ પરિષહો હોય છે મોહનીયકર્મના ઉદયવાળા ઉપર કહેલા ૮ તથા જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી ૧ અજ્ઞાનપરિષહ, જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી પ્રજ્ઞાપરિષહ ૧ અને અંતરાયના ઉદયથી ૧ અલાભપરિષહ એમ કુલ ૧૧ વર્જીને બાકીના ૧૧ પરિષહો હોય છે. કે જે વેદનીયકર્મના ઉદયજન્ય છે તે ૧૧ પરિષહ ૧૩-૧૪મા ગુણઠાણે કેવલી ભગવાનને હોય છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૧૩-૧૪-૧૫-૧૬ ૨૦૭ બાદર કષાયના ઉદયવાળાં એટલે કે ૧ થી ૯ ગુણસ્થાનકોમાં બાવીસે બાવીસ પરિષહો હોય છે. કારણ કે ત્યાં સર્વે કર્મોનો ઉદય છે. ૯-૧૦-૧૧-૧૨. ૯-૧૩ ज्ञानावरणे प्रज्ञाज्ञाने જ્ઞાનાવરણે પ્રજ્ઞાજ્ઞાને જ્ઞાનાવરણે પ્રજ્ઞા-અજ્ઞાને ૯-૧૩ ૯-૧૩ दर्शनमोहान्तराययोरदर्शनाला भौ દર્શનમોહાન્તરાયયોરદર્શનાલાભૌ ૯-૧૪ ૯-૧૪ દર્શનમોહ-અન્તરાયયોઃ અદર્શન-અલાભૌ ૯-૧૪ ચારિત્રમોહે નાખ્યારતિ-સ્ત્રી-નિષદ્યા જોશ-યાચના-મારપુરારા: ચારિત્રમોહે નાગ્યારતિ-સ્ત્રી-નિષદ્યા ક્રોશ-યાચના-સત્કારપુરસ્કારા: ચારિત્રમોહે નાગ્ય-અરતિ-સ્ત્રી-નિષદ્યા આક્રોશ-યાચના-સત્કારપુરસ્કારાઃ વેનીયે શેષા: ૯-૧૬ વેદનીયે શેષાઃ ૯-૧૬ વેદનીયે શેષાઃ ૯-૧૬ ૯-૧૫ ૯-૧૫ ૯-૧૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૯-સૂત્ર-૧૩-૧૪-૧૫-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ : પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ જ્ઞાનાવરણીય કર્મ હોતે છતે આવે છે. (એટલે કે જ્ઞાનાવરણીય કર્મના અનુક્રમે ક્ષયોપશમયથી અને ઉદયથી આવે છે.) ૯-૧૩ ૨૦૮ સૂત્રાર્થ : દર્શનમોહનીયના ઉદયથી અદર્શન પરીષહ અને અંતરાયકર્મના ઉદયથી અલાભપરીષહ આવે છે. ૯-૧૪ સૂત્રાર્થ : ચારિત્રમોહનીયના ઉદયથી ના૨, અરિત, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કાર પુરસ્કાર એમ કુલ ૭ પરીષહો આવે છે. ૯-૧૫ સૂત્રાર્થ બાકીના ૧૧ પરીષહો વેદનીયકર્મના ઉદયથી આવે છે. ૯-૧૬ આ ૨૨ પરિષહો કયા કયા કર્મના ઉદયથી આવે છે તે સમજાવે છે. (૧) પ્રજ્ઞાપરિષહ= જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી આવે છે. (૨) અજ્ઞાનપરિષહ= જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી આવે છે. (૩) અદર્શનપરિષહ= દર્શનમોહનીયના ઉદયથી આવે છે. (૪) અલાભપરિષહ= અન્તરાયકર્મના ઉદયથી આવે છે. (પથી૧૧) નાપરિષહથી સત્કારપુરસ્કાર= સુધીના ૭ પરિષહો ચારિત્રમોહનીયકર્મના ઉદયથી આવે છે. (૧૨થી૨૨)બાકીના ૧૧ પરિષહ= વેદનીયકર્મના ઉદયથી આવે છે. ૯-૧૩-૧૪-૧૫-૧૬. Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૧૭ બાવીસે પરિષહોમાં ક્યા ક્યા પરિષહ કયા કયા ગુણસ્થાનકે હોય અને કયા કયા કર્મના ઉદયથી હોય તે આ સૂત્ર-૧૦થી૧૬માં સમજાવ્યું. હવે એકીસાથે એક જીવને કેટલા પરિષહ હોય ? તે સમજાવે છે. alો માન્યા યુરાપોનવંશઃ ૯-૧૭ એકાદયો ભાજ્યા યુગપદેકોવિંશતઃ ૯-૧૭ એકાદઃ ભાજ્યાઃ યુગપ એકોવિંશતઃ ૯-૧૭ સૂત્રાર્થ એક જીવને એક કાલમાં એકી સાથે એકથી પ્રારંભીને વધારેમાં વધારે ૧૯ સુધીના પરીષહો હોય છે. ૯-૧૭ ભાવાર્થઃ- એક જીવને ૧-૨-૩ એમ વધુમાં વધુ ૧૯ પરિષહો એકી સાથે હોઈ શકે છે. શીત અને ઉષ્ણ આ બે પરિષહો પરસ્પર અતિશય વિરોધી હોવાથી એકી સાથે હોતા નથી તેથી આ બેમાંથી એક જ પરિષહ હોય છે. અને બીજો હોતો નથી. કારણ કે શીત પરિષહ શીતળતાને સહન કરવા રૂપ છે. અને ઉષ્ણપરિષહ ઉષ્ણતા સહન કરવા રૂપ છે. તથા શમ્યા-નિષદ્યા-અને ચર્યા આ ત્રણ પરિષહો પણ પરસ્પર વિરોધી હોવાથી આ ત્રણમાંથી એક જ હોય છે. પરંતુ બાકીના બે હોતા નથી એટલે કુલ ૧૯ પરિષહો જ એકી સાથે હોય છે. શયાત્રઉંઘવું, નિષદ્યા=બેસવું, અને ચર્યા–ચાલવું આ ટાણે ક્રિયા પરસ્પરવિરોધી છે. જેથી એકકાલે એક હોય છે. બાકીની બે સંભવતી નથી. ૯-૧૭. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ અધ્યાય : ૯-સૂત્ર-૧૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર सामायिक-छेदोपस्थाप्य-परिहारविशुद्धिसूक्ष्मसंपराय-यथाख्यातानि चारित्रम् -१८ સામાયિક-છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિસૂક્ષ્મસંપરાય-યથાખ્યાતાનિ ચારિત્રમ્ ૯-૧૮ સામાયિક-ચ્છેદોપસ્થાપ્ય-પરિહારવિશુદ્ધિસૂક્ષ્મસંપરાય-યથાખ્યાતાનિ ચારિત્રમ્ ૯-૧૮ સૂત્રાર્થ : સામાયિક, છેદોપસ્થાપ્ય, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એમ કુલ પાંચ ચારિત્ર છે. ૯-૧૮ ભાવાર્થ- સંવરના ૫૭ ભેદોમાં હવે છેલ્લા ચારિત્ર ગુણના ૫ ભેદો સમજાવે છે. (૧) સામાયિકચારિત્ર= સમતાભાવની પ્રાપ્તિ. અનુકૂળ-પ્રતિકૂળ સંજોગો આવે તો પણ કષાય કરવો નહીં. ક્ષમા રાખવી તે. સંસારના સર્વ સંજોગોનો ત્યાગ કરવો. સાધુ જીવન જીવવું. પ્રથમ અને ચરમ તીર્થંકર પ્રભુના શાસનમાં જે લઘુ દીક્ષા અપાય છે. તે ઇતરકથિત સામાયિક. તથા શેષ તીર્થકરોના શાસનમાં પ્રથમથી જ જીવનપર્યન્તનું જે ચારિત્ર અપાય છે તે યાવત્કથિત સામાયિક. (૨) છેદોપસ્થાપ્યચારિત્ર= એકવાર ચારિત્ર આપ્યા પછી નવું ચારિત્ર આરોપણ કરાય તે, ઋષભદેવપ્રભુ અને મહાવીરસ્વામી પ્રભુના શાસનમાં (અર્થાત્ પહેલા-છેલ્લા તીર્થંકર પ્રભુના શાસનમાં) આ ચારિત્ર હોય છે. તે કાલે Page #306 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૧૮ ૨૮૧ જીવો અને જડ, તથા વક્ર અને જડ હોવાથી પ્રાથમિક દીક્ષા આપ્યા પછી યોગ્યતા જણાય તો જ વડીદીક્ષા અપાય છે. તેથી વડીદીક્ષા આપ્યા પછીનું જે ચારિત્ર તે છેદોપસ્થાપનીય. (૩) પરિહારવિશુદ્ધિચારિત્ર=પરિહાર એટલે તપવિશેષ, તેનાથી થનારી જે શુદ્ધિવિશેષ તે પરિહાર વિશુદ્ધિ, આ ચારિત્ર ૯ વ્યક્તિઓ એક સાથે સ્વીકારે છે. જેમાં ૧ ગુરુ બને છે. ૪ તપવિશેષ કરે છે અને ૪ વ્યક્તિઓ તપસ્વિઓની સેવાભક્તિ કરે છે. છ મહીને વારો બદલે છે. તપ કરનાર સેવા કરે છે અને સેવા ક૨ના૨ તપ કરે છે. ત્રીજા છ મહીને ફરીથી વારો બદલે છે. ગુરુ પોતે તપ કરે છે અને શેષ ૮માંથી ૧ ગુરુ બને છે. અને ૭ સેવા કરે છે. કુલ ૧૮ મહીને આ ચારિત્ર પૂર્ણ થાય છે. (૪) સૂક્ષ્મસંપરાયચારિત્ર= ઝીણો-ઝીણો કષાય જ જ્યાં માત્ર બાકી છે. બીજા કષાયો ઉપશમાવ્યા છે, અથવા વિનાશ કર્યો છે. પરંતુ માત્ર સૂક્ષ્મ લોભ જેને બાકી છે. તે અવસ્થાનું જે ચારિત્ર તે. (૫) યથાખ્યાતચારિત્ર= સંપૂર્ણપણે કષાય વિનાનું વીતરાગ અવસ્થાવાળું જે ચારિત્ર. જેવું ભગવાને કહ્યું છે તેવું જે ચારિત્ર તે. ઉપરોક્ત સંવરતત્ત્વના ૫૭ ભેદોથી આ આત્મા નવાં બંધાતાં કર્મોને રોકી શકે છે. તેથી તેને સંવર કહેવાય છે. Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ૨ અધ્યાય ૯-સૂત્ર-૧૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર આ પ્રમાણે ૫ સમિતિ, ૩ ગુપ્તિ, ૧૦ યતિધર્મો, ૧૨ ભાવના, રર પરિષદો અને પ ચારિત્રો એમ પ૭ ભેદો સમજાવ્યા સંવરતત્ત્વ સમજાવ્યું. હવે નિર્જરાતત્ત્વ સમજાવે છે. ૯-૧૮. अनशनावमौदर्य-वृत्तिपरिसंख्यान-रसपरित्यागવિવિજ્ઞશાસન-યન્ત્રશા વાદ તા ૯-૧૯ અનશનાવમૌદર્યનવૃત્તિપરિસંખ્યાન-રસપરિત્યાગવિવિક્તશય્યાસન-કાયલેશ બાહ્ય તપ: ૯-૧૯ અનશન-અવમૌદર્યનવૃત્તિપરિસંખ્યાન-રસારિત્યાગવિવિક્તશય્યા-આસન-કાયકલેશા:બાહ્ય તપઃ ૯-૧૯ સૂત્રાર્થ : અનશન, અવમૌદર્ય, વૃત્તિપરિસંખ્યાન, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન, કાયક્લેશ એમ છ પ્રકારનો બાહ્યતપ છે. ૯-૧૯ ભાવાર્થ - પૂર્વે બાંધેલાં કર્મો જેનાથી ધીમે ધીમે નાશ પામે તે નિર્જરા, તેના ૧૨ ભેદો છે. છ બાહ્યતા અને છે અત્યંતરતા. જેનાથી શરીર તપે, જે તપ લોકો સમજી શકે, જે તપનાં લોકો માન-બહુમાન કરે, જે તપ બહારથી જણાઈ આવે તે બાહ્યતપ આ બાહ્યતામાં પગલદ્રવ્યના ત્યાગની પ્રધાનતા છે. અને અત્યંતરતપમાં કષાયોના ત્યાગની પ્રધાનતા છે. આ બાહ્યતપના છ ભેદો છે. તે એકેક ભેદો આ પ્રમાણે છે. Page #308 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાયઃ ૯-સૂત્ર-૧૯ ૨૮૩ (૧) અનશન=આહારનો ત્યાગ. ઉપવાસ-એકાસણું, આયંબીલ છઠ્ઠ, અઠ્ઠમ-અટ્ટાઇ આદિ તપ વિશેષ કરવો તે. અશન એટલે આહાર, તેનો ત્યાગ તે અનશન. આહારના ૪ પ્રકારો છે. અશન-પાન-ખાદિમ-સ્વાદિમ. (૨) ઉણોદરી-ઓછા કોળીયા ભોજન કરવું. ભૂખ કરતાં ઓછું ખાવું. તેનાથી આળસ ન આવે, ઉંઘ ન આવે, પ્રમાદ ન વધે. તે અવમૌદર્ય એટલે ઉણોદરી. (૩) વૃત્તિપરિસંખ્યાનવૃત્તિ એટલે ઇચ્છાઓ, તેને રોકવી, કંટ્રોલ કરવો, ભોગ-પરિભોગ ઓછા કરવા તે. ઓછા દ્રવ્યોનો ઉપયોગ કરવો, ઇચ્છાઓને અટકાવવી અથવા પરિમિત કરવી તે. (૪) રસપરિત્યાગ= રસવાળી વસ્તુનો (વિગઇ વિગેરેનો) ત્યાગ કરવો. મીઠાઇ-કેરી, શીખંડ-દૂધપાક જેવી માદક વસ્તુઓનો ત્યાગ કરવો તે. જે જે વસ્તુઓ વધારે વિકારક હોય તેનો ત્યાગ કરવો તે. (૫) વિવિક્તશય્યાસનવિવિક્ત એટલે એકાન્ત, નિર્જનાવસ્થા, જ્યાં લોકોની અવર-જવર ન હોય, ત્યાં શયા-આસનબેઠક રાખવી. જેથી જ્ઞાન-ધ્યાનની આરાધનામાં સ્કૂલના ન થાય તે. (૬) કાયકલેશ= કાયાને થોડીક કષ્ટમાં રાખવી. અતિશય સુખશૈલ સ્વભાવવાળી ન બનાવવી. અવસરે તકલીફો પણ વેઠી લેવી. યથાશક્તિ ઉપસર્ગો અને પરીષહો સહન કરવા. Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ અધ્યાય : ૯-સૂત્ર-૨૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપરોક્ત છ પ્રકારનો તપ શરીરને તપાવે છે. શોષે છે. અત્યંતર તપનું કારણ બને છે. તેનાથી શમભાવ દ્વારા જુનાં કર્મો નાશ પામે છે. આહાર આદિનાં પુદ્ગલો ઉપર રાગ-દ્વેષ ત્યજી શમભાવ કરવા દ્વારા આ તપ નિર્જરાહેતુ બને છે. ૯-૧૯. ૯-૨૦ प्रायश्चित्त-विनय-वैयावृत्त्य-स्वाध्यायव्युत्सर्ग-ध्यानान्युत्तरम् ૯-૨૦ પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવૃજ્ય-સ્વાધ્યાયવ્યુત્સર્ગ-ધ્યાનાક્યુત્તરમ્ પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવૃત્ય-સ્વાધ્યાયવ્યુત્સર્ગ-ધ્યાનાનિ-ઉત્તરમ્ ૯-૨૦ સૂત્રાર્થ : પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એમ ૬ પ્રકારનો (બીજો તપ) એટલે અત્યંતરતા જાણવો. ૯-૨૦ ભાવાર્થ : જે તપ લોકો દેખી ન શકે, જેનાં માન-બહુમાન ન હોય, જે તપ શરીરને અસર ન કરે, આત્માને તપાવે તે અભ્યત્તર તપ. આ તપ અંદરના કષાયોના ત્યાગસ્વરૂપ છે. તેથી લોકગ્રાહ્ય નથી. માટે અભ્યત્તર તપ કહેવાય છે. (૧) પ્રાયશ્ચિત્તક કરેલી ભૂલ કબૂલ કરવી, ફરીથી આવી ભૂલ ન થાય તેના માટે સજાગ રહેવું. કરેલી ભૂલ બદલ શિક્ષા સ્વીકારવી. હૃદયમાં પશ્ચાત્તાપ કરવો, આલોચના લેવી. માફી માગવી. દંડ સ્વીકારી શુદ્ધ થવું તે. Page #310 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૨૦ ૨૮૫ (૨) વિનય= વડીલોની સેવા કરવી. નમ્ર સ્વભાવ રાખવો, પ્રેમપૂર્વક બોલવું. મોટાઓને માન આપવું. મોટાનાં કામકાજ કરવાં. (૩) વૈયાવાન તપસ્વીઓની સેવા કરવી. માંદાની માવજત કરવી. સેવા-ભક્તિમાં ઉપેક્ષા ન કરવી. મહાત્માઓના કામકાજમાં ઉદાસીન ન બનવું. શારીરિક પરિશ્રમને ગૌણ કરીને પણ ગુણવન્તોની સેવા-ભક્તિ કરવી. (૪) સ્વાધ્યાય= આત્મચિંતન કરવું, જ્ઞાન ભણવું. અધ્યાત્મશાસ્ત્રો વાંચવા-વંચાવવાં. વૈરાગ્યવાહી પુસ્તકોનું દોહન કરવું. આત્મતત્વનો ઉઘાડ થાય તેવું અધ્યયન કરવું. (૫) વ્યુત્સર્ગક ત્યાગ, આત્મસાધનામાં બીનજરૂરી વસ્તુઓનો ત્યાગ કરવો, વધારાની ઉપધિ, અને કષાયોનો ત્યાગ કરવો. (૬) ધ્યાન વિવિધ વિષયમાં ભટકતા ચિત્તને આત્મા સાધનાના કોઇપણ એક વિષયમાં સ્થિર કરવું. લીન કરવું. તે વિષયમાં ઓતપ્રોત બની જવું. હિતકારી ભાવોમાં લીન થઈએ તે ધર્મધ્યાન અને શુકલધ્યાન. તથા અહિતકારીભાવોમાં લીન થઇએ તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કહેવાય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને છોડીને બાકીના ઉપરોક્ત છ પ્રકારના અત્યંતર તપો કર્મોની નિર્જરા કરાવે છે. ૯-૨૦. Page #311 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૯-સૂત્ર-૨૧-૨૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર નવ-ચતુર્દશ-પદ્મ-દ્વિમેનું યથામં પ્રાધ્યાનાત્૯-૨૧ ૯-૨૧ નવ-ચતુર્દશ-પંચ-દ્ધિભેદું યથાક્રમં પ્રાધ્યાનાત્ નવ-ચતુર્દશ-પંચ-ક્રિભેદું યથાક્રમં પ્રાગ્-ધ્યાનાત્ ૯-૨૧ ૨૮૬ સૂત્રાર્થ : તેઓના અનુક્રમે ૯, ૪, ૧૦, ૫ અને ૨ ભેદો છે. આ ભેદો ધ્યાન નામના અન્તિમ તપને મૂકીને પૂર્વના પાંચના ભેદ જાણવા. ૯-૨૧ ભાવાર્થ:- અત્યંતર-તપના ઉપરોક્ત જે છ ભેદો છે. તેમાંથી છેલ્લા એક ધ્યાન-ભેદને છોડીને બાકીના પૂર્વોક્ત પાંચે ભેદોના પેટાભેદો અનુક્રમે આ પ્રમાણે છે. (૧) પ્રાયશ્ચિત્તના-૯ (૩) વૈયાવચ્ચના-૧૦ (૫) વ્યુત્સર્ગના-૨ (૨) વિનયના-૪ (૪) સ્વાધ્યાયના-૫ (૬) ધ્યાનના ભેદો (સૂત્ર ૯-૨૯માં કહેવાશે.) આ સર્વે પેટાભેદોનાં નામો તથા તેના અર્થો આગળ મૂલ સૂત્રોમાં ગ્રંથકારશ્રી પોતે જ આપે છે. ૯-૨૧. આતોષન-પ્રતિમળ-તદ્રુમય-વિવેળव्युत्सर्गतपश्छेद- परिहारोपस्थापनानि આલોચન-પ્રતિક્રમણ-તદુભય-વિવેકવ્યુત્સર્ગતપચ્છેદ-પરિહારોપસ્થાપનાનિ ૯-૨૨ ૯-૨૨ Page #312 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૨૨ આલોચન-પ્રતિક્રમણ-તદુભય-વિવેકવ્યુત્સર્ગ-તપચ્છેદ-પરિહાર-ઉપસ્થાપનાનિ ૯-૨૨ સૂત્રાર્થ : આલોચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એમ કુલ ૯ ભેદો પ્રાયશ્ચિત્ત તપના જાણવા. ૯-૨૨ ૨૮૭ ભાવાર્થ:- છ પ્રકારના અભ્યન્તર તપનો પ્રથમભેદ જે પ્રાયશ્ચિત્ત છે તે પ્રાયશ્ચિત્તના ૯ ભેદો આ સૂત્રમાં સમજાવે છે. (૧) આલોચન= લાગેલા દોષો ગુરુ સમક્ષ માયા વગર કહેવા. (૨) પ્રતિક્રમણ= લાગેલા દોષોનું મિચ્છામિ દુક્કડં કહેવું. અને ફરીથી આવી ભૂલ નહીં થાય એમ નિર્ણય કરવો. (૩) તદુભય= લાગેલા દોષો ગુરુ સમક્ષ કહેવા, અને મિચ્છામિ દુક્કડં પણ આપવું. બન્ને પ્રક્રિયા સાથે. (૪) વિવેક= અકલ્પનીય આહાર આવી જાય તો તેનો વિવેકપૂર્વક ત્યાગ કરવો, પરઠવવું. (૫) વ્યુત્સર્ગ= વિવેકપૂર્વક મન-વચન-કાયાની ચેષ્ટા રોકવી. કાઉસ્સગ્ગ કરવો. (૬) તપ= કરેલી ભૂલથી થયેલા દોષના નાશ માટે તપ કરવો. (૭) છેદ= કરેલી ભૂલોની શુદ્ધિ માટે ચારિત્રપર્યાય છેદવો. (૮) પરિહાર=ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત ન થાય ત્યાં સુધી તે દોષિત મુનિની સાથે વંદન વ્યવહાર તથા આહારગ્રહણનો ત્યાગ કરવો. Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ અધ્યાય : ૯-સૂત્ર-૨૩ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૯) ઉપસ્થાપન=દોષોના ત્યાગ માટે ફરીથી દીક્ષા આપવી તે. ૯-૨૨. જ્ઞાન-ન-ચારિત્રોપવાઃ ૯-૨૩ જ્ઞાન-દર્શન-ચારિત્રોપચારાઃ ૯-૨૩ જ્ઞાન-દર્શન-ચારિત્ર-ઉપચારાઃ ૯-૨૩ સૂત્રાર્થ ? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને ઉપચાર એમ વિનયના ચાર પ્રકાર છે. ૯-૨૩ ભાવાર્થ- આ સૂત્રમાં વિનય નામના બીજા અત્યંતરતપના ૪ પ્રકારો સમજાવ્યા છે. (૧) જ્ઞાન-જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોનો વિનય કરવો, ભક્તિ બહુમાન કરવું. ઉંચા આસને સ્થાપવું. તેની સાર-સંભાળ કરવી તે જ્ઞાનવિનય. (૨) સમ્યગ્દર્શન, સમ્યગ્દષ્ટિ, અને સમ્યગ્દર્શનનાં સાધનો- જે પ્રભુની મૂર્તિ-મંદિર-ઉપાશ્રયાદિ સાધનોની સેવા-ભક્તિબહુમાન કરવું. તેમના પ્રત્યે પૂજ્યભાવ-અહોભાવ રાખવો તે દર્શનવિનય. (૩) ચારિત્રગુણ, ચારિત્રવાનું સાધુ-સંતો અને ચારિત્રનાં સાધનો ઘો-મુહપત્તિ, પાત્રો-સાધુવેશ આદિની ભક્તિ-સેવાબહુમાન કરવું. અવર્ણવાદ ન બોલવા. પ્રશંસા કરવી. આહાર-ઔષધાદિ આપવાં તે ચારિત્રવિનય. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૨૪ (૪) કોઇપણ વડીલ-ઉપકારી અથવા માનનીય વ્યક્તિ આવે ત્યારે ઉભા થવું. સામા જવું. તેમનું આસન પાથરવું. તે બેઠા પછી બેસવું. તે જાય ત્યારે વોળાવવા જવું. બેઠા હોય ત્યારે શરીર સેવા કરવી. ઇત્યાદિ કાર્ય કરવું તે ઉપચારવિનય છે. ૯-૨૩. आचार्योपाध्याय-तपस्वि-शैक्षक-ग्लानગા-ન-સંપ-સાધુ-સમનોજ્ઞાનામ્ ૯-૨૪ આચાર્યોપાધ્યાય-તપસ્વિ-શક્ષક-ગ્લાનગણ-કુલ-સંઘ-સાધુ-સમનોજ્ઞાનામ્ ૯-૨૪ આચાર્ય-પાધ્યાય-તપસ્વિ-શૈક્ષક-ગ્લાનગણ-કુલ-સંઘ-સાધુ-સમનોજ્ઞાનામ્ ૯-૨૪ સૂત્રાર્થ : આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષક, ગ્લાન, ગણ, કુલ, સંઘ, સાધુ અને સમનોજ્ઞ જીવોની વૈયાવચ્ચે એમ કુલ ૧૦ ભેદો વૈયાવચ્ચના જાણવા. ૯-૨૪ ભાવાર્થ- નીચેના દશપ્રકારના મહાત્મા પુરુષોની સેવા-ભક્તિ વૈયાવચ્ચ કરવી. ખબર-અંતર રાખવી. આહારઔષધ લાવી આપવાં તે ૧૦ પ્રકારની વૈયાવચ્ચ જાણવી. (૧) આચાર્ય= સાધુ સમુદાયના નાયક, પાંચ આચાર પાલનાર અને પળાવનાર. ચતુર્વિધ સંઘના નાયક. સૂરિમંત્રના આરાધક. ૧૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ અધ્યાય : ૯-સૂત્ર-૨૪-૨૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) ઉપાધ્યાય= સાધુ સમુદાયને ભણાવે-શ્રુતજ્ઞાનનું દાન કરે તે. (૩) તપસ્વીક વિશિષ્ટ તપશ્ચર્યા કરનારા, શરીરની મમતા જીતનારા. (૪) શૈક્ષક= જેને ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા આપવાની છે તે અર્થાત્ નવદીક્ષિત આત્માઓ. (૫) ગ્લાન=માંદા સાધુ, રોગી સાધુ, તાવ આદિથી પીડાતા સાધુ. (૬) ગણ= એક આચાર્યનો પરિવાર. (૭) કુલ= અનેક ગચ્છોનો (ગણોનો) સમુદાય. (૮) સંઘ= સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘ. (૯) સાધુ= મોક્ષની સાધના કરનારા, પંચમહાવ્રતધારી સંસારના ત્યાગી સંવેગનિર્વેદ-પરિણામી મુનિમહાત્માઓ. (૧૦)સમનોજ્ઞ= જેમને આહાર-પાણી સાથે કરવાનો પરસ્પર વ્યવહાર હોય તે. આ દશ પ્રકારના મહાત્મા પુરુષોની સેવા-ભક્તિ અને વૈયાવચ્ચ કરવી તે વૈયાવચ્ચ તપના ૧૦ પ્રકારો છે. ૯-૨૪. વાચન-પૃચ્છનાક્ષાના-થર્વશઃ ૯-૨૫ વાચના-પૃચ્છનાનુપ્રેક્ષાસ્નાય-ધર્મોપદેશાઃ ૯-૨૫ વાચના-પૃચ્છના-અનુપ્રેક્ષા-આમ્નાય-ધર્મોપદેશાઃ ૯-૨૫ સૂત્રાર્થ : વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમ્નાય, અને ધર્મોપદેશ એમ ૫ પ્રકારનો સ્વાધ્યાય જાણવો. ૯-૨૫ Page #316 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૨૬ ૨૯૧ ભાવાર્થ- સ્વાધ્યાય નામના ત્રીજા અત્યંતર તપના પાંચ પ્રકારો છે. (૧) વાચના= ગુરુજી પાસે વિનયપૂર્વક આગમો ભણવાં. તથા શાસ્ત્રો ભણવાં-અધ્યયન કરવું. (૨) પૃચ્છના= સૂત્ર અને અર્થ સંબંધી ન સમજાતા પ્રશ્નો પૂછવા. (૩) અનુપ્રેક્ષા= ભણેલા વિષયનું મનમાં મનન-ચિંતન કરવું. સૂક્ષ્મ વિચારણા કરવી. સૂત્ર અને અર્થ કંઠસ્થ કરવાં. (૪) આમ્નાય= કંઠસ્થ કરેલું શ્રુત વારંવાર બોલી જવું. અથવા - પૂર્વે ભણેલા શ્રુતનો નવા કૃતની સાથે સમન્વય કરવો. (૫) ધર્મોપદેશ= ભણેલું શ્રુત બીજાને ભણાવવું. તથા પોતાની શક્તિ અનુસાર પરને ધર્મનો ઉપદેશ આપવો. ૯-૨૫. વાહષ્યન્ત પોઃ ૯-૨૬ બાહ્યાભ્યન્તરોપધ્ધોઃ ૯-૨૬ બાહ્ય-અભ્યત્તર-ઉપથ્થોઃ ૯-૨૬ સૂત્રાર્થ : બાહ્ય અને અભ્યત્તર ઉપધિનો ત્યાગ કરવો એમ બે પ્રકારનો વ્યુત્સર્ગ જાણવો. ૯-૨૬ ભાવાર્થ - વ્યુત્સર્ગ નામના ચોથા અત્યંતર તપના ૨ પ્રકાર સમજાવે છે. (૧) બાહ્યોપબિઉત્સર્ગ= સાધુજીવનમાં બાધા ઉપજાવે તેવી Page #317 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય : ૯-સૂત્ર-૨૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર અકલ્પ્ય ઉપધિનો તથા આહાર-વસ્ત્ર-પાત્રનો ત્યાગ કરવો તે. અનાવશ્યક વસ્તુઓનો ત્યાગ કરવો તે. (૨) અભ્યન્તરોપધિઉત્સર્ગ= રોગાદિના કારણે સંયમ ઘણા દોષયુક્ત બને તેમ હોય ત્યારે અથવા મરણકાલ નજીક આવે ત્યારે, વિધિપૂર્વક કાયાનો ત્યાગ કરવો. તથા અંદરના કષાયોનો ત્યાગ કરવો તે. ૯-૨૬. ૨૯૨ उत्तमसंहननस्यैकाग्रचिन्तानिरोधो ध्यानम् ઉત્તમસંહનનઐકાગ્રચિન્હાનિરોધો ધ્યાનમ્ ઉત્તમસંહનનસ્ય એકાગ્રચિત્તા-નિરોધો ધ્યાનમ્ સૂત્રાર્થ : ઉત્તમ સંઘયણવાળાને કોઇપણ એક આલંબનના વિષયમાં જે એકાગ્રતા તે ધ્યાન, તથા ચિંતાનો (મનના વ્યાપારનો) નિરોધ તે પણ ધ્યાન કહેવાય છે. ૯-૨૭. ૯-૨૭ ૯-૨૭ ૯-૨૭ ભાવાર્થ:- ચંચળચિત્તને કોઇપણ એકવિષયમાં સ્થિર કરવું તે ધ્યાન-આ ધ્યાન ઉત્તમ સંઘયણવાળાને હોય છે. સ્વોપજ્ઞ ભાષ્યમાં પ્રથમનાં ચાર સંઘયણને ઉત્તમ સંઘયણ ગણેલ છે. કોઇપણ એક વિષયમાં ચિત્તને સ્થિર કરવા માટે માનસિક બળ જરૂરી છે. અને માનસિક બળ માટે શારીરિક બળ પણ જરૂરી છે. તેથી ઉત્તમસંઘયણવાળાને જ એટલે પ્રથમનાં ચાર સંઘયણ વાળાને જ ચિત્તની એકાગ્રતા રૂપ ધ્યાન સંભવી શકે છે. પાંચમા છઠ્ઠા સંઘયણવાળાને ચિત્તની સ્થિરતા અર્થવાળું ધ્યાન અલ્પમાત્રાએ હોય છે પરંતુ તેની માત્રા અત્યંત અલ્પ હોવાથી નિર્ણનું નારે નાતની જેમ ધ્યાન નથી એમ શાસ્ત્રકારો કહે છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૨૮-૨૯ ૨૯૩ આ વ્યાખ્યા ધર્મધ્યાન અને શુક્લધ્યાનને આશ્રયી છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ અશુભધ્યાન હોવાથી ધ્યાન હોવા છતાં પણ નિર્જરાના કારણભૂત ધ્યાન ગણાય નહીં તથા આત્મપ્રદેશોની અસ્થિરતાનો નિરોધ કરવો તે પણ ધ્યાન કહેવાય છે. આ વ્યાખ્યા શુક્લધ્યાનના છેલ્લા બે પાયાને આશ્રયી છે. ૯-૨૭. આમુહૂર્તોત્૯-૨૮ આમુહૂર્ત્યાત્ ૯-૨૮ આમુહૂર્તોત્ ૯-૨૮ સૂત્રાર્થ : આ ધ્યાન અંતર્મુહૂર્ત માત્ર રહે છે. ૯-૨૮ સૂક્ષ્મદૃષ્ટિએ ચંચલચિત્તની સ્થિરતા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ હોય છે. જો કે સ્થૂલદષ્ટિએ કલાકો અને વર્ષો સુધી એક સરખું ધ્યાન રહે એમ કહી શકાય. જેમકે બાહુબલીજી. પરંતુ તેમાં પણ સૂક્ષ્મદૃષ્ટિએ આલંબનીય વિષયોના અનુસારે અંતર્મુહૂર્વે અંતર્મુહૂર્તે પરાવર્તન થાય છે. તેથી કોઇપણ એકવિષયના આલંબનવાળા ધ્યાનનો કાળ ઉત્કૃષ્ટથી માત્ર અંતર્મુહૂર્ત જ હોઇ શકે છે. ૯-૨૮. આર્ત-રૌદ્ર-ધર્મ-જીવજ્ઞાનિ ૯-૨૯ આર્ટ-રૌદ્ર-ધર્મ-શુક્લાનિ ૯-૨૯ આર્ય-રૌદ્ર-ધર્મ-શુક્લાનિ ૯-૨૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ અધ્યાય : ૯-સૂત્ર-૩૦-૩૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ : ધ્યાનના ચાર ભેદો છે. આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ. ૯-૨૯ ધ્યાનના ચાર પ્રકાર છે. (૧) આર્તધ્યાન, (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્મધ્યાન અને (૪) શુકલધ્યાન. આ ચાર પ્રકારના ધ્યાનમાં પ્રથમનાં ધ્યાનો અશુભ ધ્યાન છે અને પછીનાં ૨ ધ્યાનો શુભધ્યાન છે. પ્રથમનાં બે ધ્યાન આશ્રવનાં કારણ છે, અને પાછળનાં બે ધ્યાન નિર્જરાનાં કારણ છે. ૯-૨૯. परे मोक्षहेतू -30 પરે મોક્ષહેતુ ૯-૩૦ પરે મોક્ષહેતુ ૯-૩૦ સૂત્રાર્થ : પાછલાં બે ધ્યાનો (ધર્મ અને શુક્લ) મોક્ષનો હેતુ છે. ૯-૩૦ ભાવાર્થ - પરે શબ્દ દ્વિવચનવાળો હોવાથી પરે એટલે પાછળનાં બે ધ્યાનો મોક્ષનું કારણ છે. એટલે પ્રથમનાં બે ધ્યાનો સંસારનું કારણ છે, એમ સ્વયં સમજી લેવું. આર્તધ્યાન આદિ ચારે ધ્યાનોના ચાર-ચાર એમ કુલ ૪૪૪=૧૬ ભેદો છે. તેમાં પ્રથમ આર્તધ્યાનના ચાર ભેદો સમજાવે છે. ૯-૩૦. आर्तममनोज्ञानां सम्प्रयोगे तद्विप्रयोगाय स्मृतिसमन्वाहारः ૯-૩૧ Page #320 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૩૧-૩૨ ૨૯૫ આર્તમમનોજ્ઞાનાં સંપ્રયોગ તવિપ્રયોગાય સ્મૃતિસમન્વાહારઃ ૯-૩૧ આર્તમ્ અમનોજ્ઞાનાં સમ્પ્રયોગ તવિપ્રયોગાય સ્મૃતિસમન્વાહારઃ ૯-૩૧ સૂત્રાર્થ : અનિષ્ટ વસ્તુઓનો સંયોગ થયે છતે તેના વિયોગ માટે કરાતી વિચારણા તે પ્રથમ આર્તધ્યાન. ૯-૩૧ ભાવાર્થ- અમનોજ્ઞ (અણગમતી) વસ્તુઓનો સંયોગ થયે છતે તેનો વિયોગ કેમ થાય? તે માટેની ચિંતા-વિચારણાકરવી તે એટલે કે મનને ન ગમે તેવા કૌટુંબિક, સમાજિક, રાજકીય કે સગાં વહાલાંના પ્રસંગો આવે ત્યારે તથા અણગમતી જડ વસ્તુઓની પ્રાપ્તિ થાય ત્યારે તેને દૂર કરવા માટેની જે ચિંતા-વિચારણા થાય તે પ્રથમ આર્તધ્યાન. ૯-૩૧. વેનાથી ૯-૩૨ વેદનાયાશ્ચ ૯-૩૨ વેદનાયાઃ ચ ૯-૩૨ સૂત્રાર્થ : શારીરિક વેદના થયે છતે તેના વિયોગ માટેની જે વિચારણા કરવી તે બીજું આર્તધ્યાન,. ૯-૩૨ ભાવાર્થ:- શારીરિક રોગોથી થતી પીડા કેમ દૂર થાય? તેની વિચારણા કરવી એ આર્તધ્યાનને બીજો પ્રકાર છે. જો કે આ બીજો પ્રકાર પ્રથમ ભેદમાં અંતર્ગત આવી Page #321 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ 'અધ્યાય : ૯-સૂત્ર-૩૩-૩૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર જાય છે. તો પણ બીજી પ્રતિકૂળતાઓ કરતાં શરીરની વેદના વધારે પ્રતિકૂળ અને દુઃસહ હોય છે. તેથી શરીરની પીડાનો પ્રકાર જુદો કરેલ છે. ૯-૩૨. विपरीतं मनोज्ञानाम् -33 વિપરીત મનોજ્ઞાનામ્ ૯-૩૩ વિપરીત મનોજ્ઞાનાં ૯-૩૩ સૂત્રાર્થ ઃ મનોજ્ઞભાવોમાં વિપરીત સમજવું. એટલે કે ઈષ્ટ ભાવોનો વિયોગ થયે છતે તેના સંયોગ માટે જે વિચારણા કરવી તે તથા પ્રાપ્ત ઈષ્ટ સંજોગો સદા રહે તેવી વિચારણા કરવી તે ત્રીજું આર્તધ્યાન. ૯-૩૩ ભાવાર્થ - મનગમતી વસ્તુઓનો વિયોગ થયો હોય ત્યારે તેનો સંયોગ કેમ થાય? તે સંબંધી વિચારણા કરવી તે એટલે કે વિયોગ પામેલી મનગમતી વસ્તુઓનો સંયોગ કેમ થાય? થયેલો સંયોગ લાંબો સમય કેમ રહે? વિયોગ કેમ જલ્દી દૂર થાય. ઇત્યાદિ વિચારણા કરવી તે આર્તધ્યાનનો ત્રીજો પ્રકાર છે. ૯-૩૩. નિદ્દાને ર ૯-૩૪ નિદાન ચ ૯-૩૪ નિદાન ચ ૯-૩૪ સૂત્રાર્થ : નિયાણું કરવું તે ચોથું આર્તધ્યાન. ૯-૩૪ Page #322 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય ૯-સૂત્ર-૩૫-૩૬ ૨૯૭ ભાવાર્થ - નિયાણું કરવું તે આર્તધ્યાનનો ચોથો પ્રકાર છે. આ મનુષ્ય જીવનમાં જે કંઈ ધર્મારાધન કર્યું હોય તેના ફળસ્વરૂપે પરભવમાં સંસારસુખની માગણી કરવી તે નિયાણું કહેવાય છે. આ પ્રમાણે સૂત્ર ૩૧/૩૨/૩૩/૩૪માં જણાવેલા ચારે પ્રકારો આર્તધ્યાનના ચારભેદ છે. અને આર્તધ્યાનના તે જ ચાર ભેદો છે. ૯-૩૪. તવિરત-વિરત-પ્રમત્ત સંતાનામ્ ૯-૩૫ તદવિરત-દેશવિરત-પ્રમત્તસંયતાનામ્ ૯-૩૫ ત-અવિરત-દેશવિરત-પ્રમત્તસંયતાનામ્ ૯-૩૫ સૂત્રાર્થ : તે આર્તધ્યાન અવિરતવાળા, દેશવિરતિવાળા અને પ્રમત્તસંયતિ મુનિઓને હોય છે. ૯-૩૫ ભાવાર્થ:- તે આર્તધ્યાન અવિરતજીવોને, દેશવિરત જીવોને અને પ્રમત્તસાધુને હોય છે. અવિરતજીવો એટલે ૧થી૪ ગુણસ્થાનકવર્તી, દેશવિરત એટલે પંચમગુણસ્થાનકવર્તી, અને પ્રમત્તસાધુ એટલે છઠ્ઠા ગુણસ્થાનકવર્તી-તેથી ૧થી૬ ગુણસ્થાનકમાં આ આર્તધ્યાન હોય છે. સાતમા ગુણસ્થાનકથી અપ્રમાદ દશા હોવાથી આર્તધ્યાન હોતું નથી. ૯-૩૫. हिंसानृतस्तेयविषयसंरक्षणेभ्यो रौद्रमविरतदेशविरतयोः ૯-૩૬ ૨૦ Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ અધ્યાય : ૯-સૂત્ર-૩૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર હિંસાનૃતસ્તેયવિષયસંરક્ષણેભ્યો રૌદ્રમવિરતદેશવિરતયોઃ ૯-૩૬ હિંસા-અમૃત-સ્તેય-વિષયસંરક્ષણેભ્યઃ રૌદ્રમ્ અવિરતદેશવિરતયોઃ ૯-૩૬ સૂત્રાર્થ : હિંસા-જુઠ-ચોરી અને વિષયસંરક્ષણ આ ચાર માટે જે વિચારો કરાય તે રૌદ્રધ્યાન ચાર પ્રકારે છે અને અવિરતિવાળા તથા દેશવિરતિવાળા જીવોને હોય છે. ૯-૩૬ ભાવાર્થઃ- હિંસાસંબંધી, જુઠસંબંધી, ચોરીસંબંધી, અને ધન-ધાન્યાદિ ઈષ્ટવિષયોના સંરક્ષણ સંબંધી જે વિચારો તે અનુક્રમે ચાર પ્રકારનું રૌદ્રધ્યાન છે. ચિત્તને હિંસાદિ ચારે પાપોની વિચારણામાં એકલીન કરવું તે રૌદ્રધ્યાન. આ ધ્યાન અવિરત અને દેશવિરત જીવોને હોય છે. અર્થાત્ ૧થી૫ ગુણસ્થાનક સુધી જ હોય છે. સાધુ મહાત્માઓને આ ધ્યાન હોતું નથી. હિંસા-જુઠ-ચોરી અને ઇષ્ટવિષયોની સુરક્ષાના સતત વિચારોમાં વર્તતાં પાપો તરફનો ભય ચાલ્યો જાય છે. પાપો કરવામાં હૃદય વધારે કઠણ અને ક્રૂર બને છે. અને અધિક અધિક પાપો કરવા પ્રેરાય છે. તથા આ જીવ નિર્ભયપણે ક્રૂરતાથી પાપો કરે છે. તેથી આ ચારે પ્રકારના વિચારોને રૌદ્રધ્યાન (ભયંકર વિચારોવાળું ધ્યાન) કહેવાય છે. તે ચારેનાં શાસ્ત્રાનુસાર નામો હિંસાનુબંધી, અમૃતાનુબંધી (મૃષાનુબંધી) તેયાનુબંધી અને વિષયસંરક્ષણાનુબંધી રોદ્રધ્યાન કહેવાય છે. ચારે પ્રકારનું આ Page #324 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૩૭-૩૮ ૨૯૯ રૌદ્રધ્યાન અવિરત જીવોને અને દેશવિરત જીવોને (એટલે કે ૧ થી ૫ ગુણસ્થાનકવર્તી જીવોને) હોય છે. સાધુ મહાત્માને હિંસાદિ પાપોની આવી તીવ્રતા સંભવતી નથી. ૯-૩૬. आज्ञापायविपाकसंस्थानविचयाय धर्ममप्रमत्तसंयतस्य 39 આજ્ઞાપાયવિપાકસંસ્થાનવિચયાય ધર્મમપ્રમત્તસંયતસ્ય ૩૭ આજ્ઞા-અપાય-વિપાક-સંસ્થાનવિચયાય ધર્મમ્ અપ્રમત્તસંવતસ્ય ૯-૩૭ સૂત્રાર્થ : આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય એમ ચાર પ્રકારે ધર્મધ્યાન છે. આ ધ્યાન અપ્રમત્ત મુનિને હોય છે. ૯-૩૭ ભાવાર્થ- ધર્મધ્યાનના ચાર ભેદો છે અને આ ધ્યાન અપ્રમત્તમુનિને હોય છે. જો કે ચોથા ગુણસ્થાનકથી ધર્મધ્યાન અંશતઃ સંભવી શકે છે તથાપિ ૪-૫ અને ૬ આ ત્રણ ગુણસ્થાનકોમાં તે ધર્મધ્યાનની માત્રા અતિશય અલ્પ હોવાથી વ્યવહારને ગોચર (વ્યવહારનો વિષય બને) એવું શ્રેષ્ઠ આ ધર્મધ્યાન નથી. તેથી પારમાર્થિક પણે ધર્મધ્યાન ફક્ત સાતમાથી બારમાં ગુણસ્થાનક સુધીના અપ્રમત્ત મુનિઓને જ હોય છે. દિગંબર સંપ્રદાય આ ધ્યાન ૪થી૭માં પણ માને છે. उपशान्त-क्षीणकषाययोश्च ઉપશાન્ત-ક્ષણિકષાયયોશ્ચ -3८ ૯-૩૮ Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ અધ્યાય : ૯-સૂત્ર-૩૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપશાન્ત-ક્ષણિકષાયયોઃ ચ ૯-૩૮ સૂત્રાર્થ : તથા આ ધર્મધ્યાન ઉપશાન્તમોહ અને ક્ષીણમોહવાળા જીવને પણ હોય છે. ૯-૩૮ ભાવાર્થ- વળી આ ધર્મધ્યાન ઉપશાન્તમોહ અને ક્ષીણમોહગુણઠાણે પણ હોય છે. અહીં ઉપશાન્તમોહ લખવાથી ફક્ત અગિયારમું ગુણસ્થાનક ન સમજતાં આખી ઉપશમશ્રેણી સમજવી. તેવી જ રીતે ક્ષીણમોહ શબ્દથી ફક્ત ૧૨મું ગુણસ્થાનક ન સમજતાં ક્ષપકશ્રેણી સમજવી તેથી પૂર્વસૂત્રમાં અપ્રમત્તમુનિ-અને આ સૂત્રમાં બે શ્રેણી લખવાથી ૭ થી ૧૪ ગુણસ્થાનકો સુધી ધર્મધ્યાન હોય છે. પ્રશ્ન :- ધર્મધ્યાનના સ્વામી કહેવામાં અપ્રમત્તસંયત સાડત્રીસમા સૂરામાં અને ઉપશાન્તમોહ તથા ક્ષીણમોહ આડત્રીસમા સૂત્રમાં એમ જુદા શા માટે કહ્યા ? બન્નેને એક જ સૂત્રમાં કેમ ન કહ્યા ? ઉત્તર :- ઉપશાન્તમોહ અને ક્ષીણમોહ શબ્દની અનુવૃત્તિ ૩૯ સૂત્રમાં લઈ જવી છે માટે બે સૂત્રોમાં સ્વામી જુદા કહ્યા છે. ધર્મધ્યાનના ચારભેદો છે. તેનો અર્થ આ પ્રમાણે છે (૧) આજ્ઞાવિચય= જિનેશ્વર ભગવાનની આજ્ઞા સર્વજીવોનું કલ્યાણ કરનારી છે. તેથી તેનો જ સતત વિચાર કરવો તે. (૨) અપાયરિચયઆ સંસાર જન્મ-જરા-મૃત્યુ-રોગ-શોક આદિ દુઃખોથી ભરેલો છે, દુઃખ જ દુઃખ છે એમ વિચારવું તે. Page #326 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૩૯ ૩૦૧ (૩) વિપાકવિચય = પૂર્વે બાંધેલા કર્મોના વિપાકો અતિશય ભયંકર છે. દુઃખદાયી છે. નરક-નિગોદમાં રખડાવનારા છે. સંસારમાં ફરી મનુષ્ય જન્મની પ્રાપ્તિ અતિશય દુષ્કર છે ઇત્યાદિ વિચારવું તે. (૪) સંસ્થાનવિચય= ચૌદ રાજલોકાત્મક સમસ્ત જગતનું સ્વરૂપ વિચારવું. ધર્માસ્તિકાયાદિ છ દ્રવ્યોનું અને નવ તત્ત્વોનું સ્વરૂપ વિચારવું તે. ૯-૩૮. શુક્લે રાધે પૂર્વવિદ્દ ૯-૩૯ શુકલે ચાદ્ય પૂર્વવિદ: ૯-૩૯ શુલે ચ આદ્ય પૂર્વવિદઃ ૯-૩૯ સૂત્રાર્થ : શુક્લધ્યાનના પ્રથમના બે ભેદો પૂર્વધર એવા ઉપશાન્તમોહ અને ક્ષીણમોહને હોય છે. ૯-૩૯ ભાવાર્થ - શુકલધ્યાનના કુલ ૪ ભેદો છે. તેમાંના પ્રથમના બે ભેદો પૂર્વધરને જ હોય છે. સામાન્ય મુનિઓને આ ભેદ હોતા નથી. ઉપશાતમોહ અને ક્ષીણમોહ એમ બે ગુણસ્થાનકોમાં વર્તતા મુનિ મહાત્મા જો પૂર્વધર હોય તો શુકલધ્યાનના પ્રથમના બે ભેદ અને અપૂર્વધર હોય તો ધર્મધ્યાન હોય છે. સારાંશ કે શુકુલધ્યાન પૂર્વધરને જ હોય છે. ૧. સ્વોપજ્ઞભાષ્યમાં પૂર્વવિઃ સૂત્ર ૯-૪૦ પૃથક્ કર્યું છે. અને વિઘ દિલીયમ્ સૂત્ર ૯-૪૪ કર્યું નથી અને તેનો ૯-૪૩ની ટીકામાં જ ઉલ્લેખ કર્યો છે, જેથી સૂત્ર સંખ્યા સરખી છે. Page #327 -------------------------------------------------------------------------- ________________ - - ૩૦૨ અધ્યાય : ૯-સૂત્ર-૪૦-૪૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર परे केवलिनः ४-४० પરે કેવલિનઃ ૯-૪૦ પરે કેવલિનઃ ૯-૪૦ સૂત્રાર્થ : શુકલધ્યાનના પાછલા બે ભેદો કેવલીને હોય છે. ૯-૪૦ ભાવાર્થ:- શુકલધ્યાનના પાછળના બે ભેદો કેવલી પરમાત્માને જ હોય છે. છબસ્થજીવોને ૧થી૧૨ ગુણસ્થાનકોમાં હોતા નથી. તેમાં પણ શુકલધ્યાનનો ત્રીજો ભેદ તેરમા ગુણસ્થાનકના અંતે કાયયોગનો નિરોધ કરતી વખતે જ હોય છે અને ચોથો ભેદ ચૌદમે હોય છે. તે શુકલધ્યાનના ચારે ભેદોનું વર્ણન આ પ્રમાણે છે. ૯-૪૦. पृथक्त्वैकत्ववितर्क-सूक्ष्मक्रियाप्रतिपातिव्युपरतक्रियानिवृत्तीनि ૯-૪૧ પૃથāકત્વવિતર્ક-સૂક્ષ્મક્રિયાપ્રતિપાતિ-બુપરતક્રિયાનિવૃત્તીનિ ૯-૪૧ પૃથકત્વ એકત્વ વિતર્ક-સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ-બુપરત ક્રિયા અનિવૃત્તીનિ ૯-૪૧ સૂત્રાર્થ પૃથક્વેવિતર્કસવિચાર, એકત્વવિતર્કઅવિચાર, સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ અને વ્યુપરતક્રિયા નિવૃત્તિ એમ શુક્લધ્યાનના ચાર ભેદો છે. ૯-૪૧ Page #328 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૦-૪૧ ૩૦૩ ભાવાર્થઃ- (૧) પૃથક ત્વવિતર્કસવિચાર, (૨) એકત્વવિતર્કઅવિચાર, (૩) સૂમક્રિયા અપ્રતિપાતી, અને (૪) સુપરતક્રિયાનિવૃત્તિ. એમ શુકુલધ્યાનના કુલ ચાર ભેદો છે. આ ચાર ભેદોના અર્થો સમજતાં પહેલાં તેમાં આવતા પારિભાષિક શબ્દોના અર્થો વિચારી લઈએ. પૃથકત્વ= દ્રવ્ય-ગુણ અને પર્યાયના ભેદની પ્રધાનતાવાળી વિચારણા. એકત્વ= દ્રવ્ય-ગુણ અને પર્યાયના અભેદની પ્રધાનતાવાળી વિચારણા. વિતર્ક= ચૌદ પૂર્વોમાં રહેલા વિષયો સંબંધી શ્રુતજ્ઞાનના આધારે વિચારણા કરવી તે. સવિચારક દ્રવ્ય-ગુણ-પર્યાયનું પરિવર્તન. દ્રવ્ય-ગુણ અને પર્યાયના વિષયવાળા અર્થ સંબંધી તથા શબ્દસંબંધી પરિવર્તન યુક્ત વિચારો કરવા તે અને એક્યોગમાંથી બીજા યોગમાં પરાવર્તન થવું તે સવિચાર. એકેક શબ્દોના અર્થો જાણીને હવે આપણે ચારે ભેદોના અર્થ વિચારીએ. (૧) પૃથકૃત્વવિતર્કસવિચાર= જે ધ્યાનમાં (વિતર્ક=) ચૌદ પૂર્વમાં જણાવેલા શ્રુતજ્ઞાનના આધારે (સવિચાર=) આત્માદિ દ્રવ્યોના ઉત્પાદ-વ્યય અને ધ્રુવ ઇત્યાદિ પર્યાયોની પરાવૃત્તિયુક્ત (પૃથકત્વ=) ભેદની પ્રધાનતાવાળું એકાગ્રતાપૂર્વક ચિંતન-મનન કરાય તેને પ્રથમ શુકુલધ્યાન કહેવાય છે. Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ અધ્યાય : ૯-સૂત્ર-૪૦-૪૧ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) એકત્વવિતર્કઅવિચાર= જે ધ્યાનમાં (વિતર્ક ) પૂર્વોમાં કહેલા શ્રુતજ્ઞાનના આધારે (અવિચાર=) આત્માદિ દ્રવ્યોના ઉત્પાદાદિ પર્યાયોમાંથી અન્ય કોઇપણ વિષયમાં પરાવૃત્તિ પામ્યા વિના વિવલિત એવા એક જ વિષયમાં (એકત્વ=) અભેદની પ્રધાનતાવાળું એકાગ્રતાપૂર્વક ચિંતનમનન કરાય છે. શુકલધ્યાનનો બીજો પાયો કહેવાય છે. આ બે ધ્યાન પૂર્વધરને જ હોય છે. (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતી-કેવળજ્ઞાની મહાપુરુષો તેરમા ગુણઠાણાના અંતે યોગનિરોધ કરતી વખતે મનયોગવચનયોગનો વિરોધ કરી બાદરકાયયોગનો પણ વિરોધ કરી કેવળ સૂકાયયોગનો જ્યારે વિરોધ કરતા હોય ત્યારે તે સૂક્ષ્મકાયનો જે નિરોધ તે આ ત્રીજું શુકલધ્યાન છે. અહીં ધ્યાન શબ્દનો અર્થ ચિંતન-મનન નથી. પરંતુ ધ્યાનનો અર્થ આત્માની સ્થિરતા, આત્મપ્રદેશોમાંથી યોગને અટકાવવો અને આત્મપ્રદેશોની યોગ રહિત સ્થિરાઅવસ્થા તે અર્થ છે. (૪) સુપરક્રિયા અનિવૃત્તિ= આ ધ્યાન ચૌદમા ગુણઠાણે જ હોય છે. જ્યાં મન-વચન અને કાયાના સમસ્ત (ક્રિયા=) યોગો (થુપરત=) વિરામ પામ્યા છે. અને જ્યાંથી હવે કદાપિ (અનિવૃત્તિ=) પતન થવાનું નથી જ. તે આ ધ્યાન છે. યોગનો સર્વથા નિરોધ. સંપૂર્ણ સ્થિરતા. ૯-૪૧. Page #330 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૨-૪૩ ૩૦૫ तत्त्र्येककाययोगायोगानाम् ૯-૪૨ તત્ ચેકકાયયોગાયોગાનામ્ ૯-૪૨ ત, ત્રિ-એક-કાયયોગ-અયોગાનામ્ ૯-૪૨ સૂત્રાર્થ : તે શુક્લધ્યાનના ચારે ભેદો અનુક્રમે ૧. ત્રણ યોગવાળાને, ૨. એક યોગવાળાને, ૩. કાયયોગવાળાને અને ૪. અયોગી આત્માઓને હોય છે. ૯-૪૨ ભાવાર્થ:- શુકલધ્યાનના ઉપર કહેલા આ ચારે ભેદોમાંથી અનુક્રમે પહેલો પાયો ત્રણ યોગવાળા પૂર્વધરને, બીજો પાયો એકયોગવાળા પૂર્વધરને, ત્રીજો પાયો કાયયોગવાળા કેવલી મહાત્માને, અને ચોથો પાયો અયોગી કેવલી મહાત્માને હોય છે. ૯-૪૨. एकाश्रये सवितर्के पूर्वे ४-४३ એકાશ્રયે સવિતર્ક પૂવે ૯-૪૩ એક-આશ્રયે સવિતર્ક પૂવે ૯-૪૩ સૂત્રાર્થ : શુક્લધ્યાનના પ્રથમના બે ભેદો એકદ્રવ્યના આલંબનવાના છે અને વિતર્ક સહિત છે. ૯-૪૩ ભાવાર્થ- શુકુલધ્યાનના પ્રથમના જે બે ભેદો છે તે બે ભેદો એકાશ્રય છે એટલે કોઈપણ એક દ્રવ્ય-ગુણ-પર્યાયના આલંબનવાળા છે. અને તે જ બે ભેદો સવિતર્ક છે એટલે કે Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ અધ્યાય : ૯-સૂત્ર-૪૪-૪૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર પૂર્વોમાં લખેલા શ્રુતના આલંબનવાળા છે. કારણ કે આ બે ભેદોના સ્વામી પૂર્વધર જ હોવાથી પૂર્વ સંબંધી શ્રુતજ્ઞાનના આલંબનયુક્ત આ બે ભેદો હોય છે. તથા તે બે ભેદોમાં પ્રથમ ભેદ સવિચાર (પરિવર્તન યુક્ત) છે. અને બીજો ભેદ અવિચાર (પરિવર્તન રહિત) છે. અર્થની, વ્યંજનની અને યોગની સંક્રાન્તિને પરિવર્તન (વિચાર) કહેવાય છે. ૯-૪૩. अविचारं द्वितीयम् ४-४४ અવિચાર દ્વિતીયમ્ ૯-૪૪ અવિચાર દ્વિતીયમ્ ૯-૪૪ સૂત્રાર્થ : શુક્લધ્યાનનો બીજો ભેદ વિચાર રહિત છે. ૯-૪૪ ભાવાર્થ- શુકુલધ્યાનનો બીજો પાયો વિચાર વિનાનો છે. તેથી સમજી લેવું કે પહેલો પાયો વિચારવાળો છે. અહીં વિચારનો અર્થ શું લેવો તે આગળ ૪૬મા સૂત્રોમાં સમજાવાશે. પહેલો ભેદ સવિચાર અને બીજો ભેદ અવિચાર છે. એટલે કે પ્રથમભેદમાં અર્થની વ્યંજનની અને યોગની સંક્રાન્તિ છે. બીજામાં આવી સંક્રાન્તિ નથી. ૯-૪૪. વિત કૃતમ્ ૯-૪૫ વિતર્કઃ શ્રુતમ્ ૯-૪૫ વિતર્કઃ શ્રુતમ્ ૯-૪૫ Page #332 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૬ ૩૦૭ સૂત્રાર્થ વિતર્ક એટલે શ્રુતજ્ઞાન, શાસ્ત્રાનુસારી જ્ઞાન.૯-૪૫ ભાવાર્થ : અહીં વિતર્ક શબ્દનો અર્થ શ્રુતજ્ઞાન લેવું અને તે પણ ચૌદપૂર્વમાં રહેલું જે શ્રુતજ્ઞાન છે. તે જાણવું. જો કે વિતર્કનો અર્થ વિકલ્પ પણ થાય છે તો પણ અહીં આવો વિશિષ્ટ અર્થ સમજવો. એટલે ચૌદપૂર્વમાં રહેલા શ્રુતજ્ઞાનના આધારે થતી જે વિચારણા તે વિતર્ક કહેવાય છે. ૯-૪૫. विचारोर्थ-व्यञ्जन-योगसंक्रान्तिः ८-४६ વિચારોર્થવ્યંજનયોગસંક્રાન્તિઃ ૯-૪૬ વિચારઃ અર્થ-વ્યંજન-યોગસંક્રાન્તિઃ ૯-૪૬ સૂત્રાર્થ : અર્થનો સંક્રમ, વ્યંજનનો સંક્રમ અને યોગનો સંક્રમ =અદલો બદલો થવો તેને વિચાર કહેવાય છે. ૯-૪૬ ભાવાર્થ : વિચાર શબ્દનો અર્થ એ છે કે એક અર્થમાંથી બીજા અર્થમાં, એક વ્યંજન એટલે સૂત્રોમાંથી (શબ્દમાંથી) બીજા સૂત્રમાં, (શબ્દમાં) અને મન-વચન-કાયાના એક્યોગમાંથી બીજાયોગમાં આત્માનો જે સંક્રમ થવો, પરિવર્તન થવું, આત્માનું વિષયાન્તર થવું તે વિચાર કહેવાય છે. અર્થસંબંધી સંક્રમ, સૂત્ર સંબંધી સંક્રમ અને યોગ સંબંધી સંક્રમ એમ ત્રણ પ્રકારે સંક્રમ થવો એટલે કે પરાવૃત્તિ થવી તે વિચાર. અર્થાત્ સંક્રમ થવો-વિષયાન્તર થવું. તે વિચાર કહેવાય છે અને તે ત્રણ પ્રકારે હોય છે. ૯-૪૬. Page #333 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ઃ ૯-સૂત્ર-૪૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર सम्यग्दृष्टि - श्रावक - विरतानन्तवियोजक- दर्शनमोहक्षपकोपशमकोपशान्तमोह क्षपक-क्षीणमोह-जिना: क्रमशोऽसंख्येयगुणनिर्जराः ૩૦૮ ક્રમશોસંખ્યયગુણનિર્જરાઃ સમ્યગ્દષ્ટિ-શ્રાવક-વિરતાનન્તવિયોજક-દર્શનમોહક્ષપકોપશમકોપશાન્તમોહક્ષપક-ક્ષીણમોહ-જિનાઃ - ૯-૪૭ સમ્યગ્દષ્ટિ-શ્રાવક-વિરત-અનન્તવિયોજક-દર્શનમોહક્ષપકઉપશમક-ઉપશાન્તમોહ-ક્ષપક-ક્ષીણમોહ-જિનાઃ ક્રમશઃ ૯-૪૭ ૯-૪૭ અસંખ્યયગુણનિર્જરાઃ સૂત્રાર્થ : કર્મ ખપાવવા માટેની ૧૦ ગુણશ્રેણીઓ છે. ૧. સમ્યગ્દષ્ટિ, ૨. શ્રાવક (દેશવિરતિ), ૩. વિરત (સર્વવિરતિધર), ૪. અનંતાનુબંધીના વિયોજક, ૫. દર્શનમોહના ક્ષપક, ૬. ચારિત્રમોહના ઉપશમક, ૭. ઉપશાન્તમોહ, ૮. ચારિત્રમોહનો ક્ષપક, ૯. ક્ષીણમોહ અને ૧૦. સયોગી જિન તથા અયોગી જિન. આ ગુણવાળા જીવો અનુક્રમે અસંખ્યગુણી નિર્જરાવાળા હોય છે. ૯-૪૭ ભાવાર્થ:- આ સૂત્રમાં કર્મોને ખપાવવા માટેની ૧૦ ગુણશ્રેણીઓ બતાવી છે. આ દશે આત્માના ગુણો છે. તેમાં અસંખ્યાતગુણાં કર્મો તૂટે છે. પહેલી ગુણશ્રેણી કરતાં બીજી ગુણશ્રેણીમાં કાળ ઓછો લાગે છે. અને કર્મો વધા૨ે તૂટે છે. દશે ગુણશ્રેણીઓનો કાળ અંતર્મુહૂર્ત છે. પરંતુ એક Page #334 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૭ ૩૦૯ પછી એક ગુણશ્રેણીનો કાળ નાનું નાનું અંતર્મુહૂર્ત છે. અને વધારે વધારે કર્મોની નિર્જરા થાય છે. (૧) સમ્યદૃષ્ટિ= દેશવિરતિ કે સર્વવિરતિ વિના માત્ર સમ્ય ત્વની જે પ્રાપ્તિ થાય છે. અર્થાત્ ચોથા ગુણસ્થાનકની પ્રાપ્તિ. આ પ્રથમ ગુણશ્રેણી છે. અને તે ગુણશ્રેણી સમ્યકત્વ પ્રાપ્ત કરતી વેળાએ પ્રથમ ગુણસ્થાનકે થાય છે. (૨) શ્રાવક= સમ્યકત્વ સહિત દેશવિરતિ ધર્મની પ્રાપ્તિ જ્યારે થાય ત્યારે તે બીજી ગુણશ્રેણી. (૩) વિરતઃ સમ્યકત્વ સહિત મહાવ્રતોવાળી સર્વવિરતિની . પ્રાપ્તિ તે ત્રીજી ગુણશ્રેણી (૪) અનાવિયોજક= અનંતાનુબંધી ચાર કષાયોની વિસંયોજના કરવી. એટલે ત્રણ દર્શનમોહનીય સત્તામાં બાકી રહે અને પ્રથમ ચાર અનંતાનુબંધી માત્રનો નાશ કરીને અટકી જવું તે ચોથી ગુણશ્રેણી. (૫) દર્શનમોહક્ષપક= ચાર અનંતાનુબંધી નાશ કર્યા પછી અટકવું નહીં, પરંતુ ત્રણદર્શન મોહનીયકર્મનો પણ નાશ કરી ક્ષાયિક પામવું તે પાંચમી ગુણશ્રેણી. (૬) મોહોપશમક= ચારિત્ર મોહનીયની ૨૧ પ્રકૃતિનો જીવ ઉપશમ કરતો હોય તે કાળે અર્થાત્ ઉપશમશ્રેણીમાં ૮થી૧૦ ગુણસ્થાનકોના કાળે જે શ્રેણી તે છઠ્ઠી ગુણશ્રેણી. Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ - - અધ્યાય : ૯-સૂત્ર-૪૮ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૭) ઉપશાન્તમોહ= મોહનીયકર્મની ૭+૨૧=૨૮ પ્રકૃતિઓ સર્વથા ઉપશમી ગઈ હોય એવી અવસ્થા. અગિયારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ કાળે જે ગુણશ્રેણી તે સાતમી ગુણશ્રેણી. મોહક્ષપક= ચારિત્રમોહનીયની ૨૧ પ્રકૃતિઓનો જીવ જ્યારે ક્ષય કરતો હોય ત્યારે જે અવસ્થા છે. તે ક્ષપકશ્રેણીમાં ૮થી૧૦ ગુણસ્થાનકોની પ્રાપ્તિ કાળે જે ગુણશ્રેણી તે આઠમી ગુણશ્રેણી. (૯) ક્ષીણમોહ= સર્વથા મોહનીયકર્મ જેમણે વિનષ્ટ કર્યું છે તે ૧૨મું ગુણસ્થાનક. તે કાળે જે ગુણશ્રેણી તે નવમી ગુણશ્રેણી. (૧૦)જિન=તેરમા-ચૌદમા ગુણસ્થાનકવાળા કેવલી ભગવાન. અઘાતી કર્મો ખપાવવાની જે ગુણશ્રેણી રચે, તે દસમી ગુણશ્રેણી. ઉપરોક્ત દશે ગુણશ્રેણીઓમાં સયોગી-અયોગી એમ બે ગુણશ્રેણીઓને સાથે ગણીને જિન તરીકેની એક ગુણશ્રેણી કલ્પીને સૂત્રમાં ૧૦ ગુણશ્રેણી જણાવી છે. કર્મગ્રંથોમાં ૧૧ ગુણશ્રેણી વર્ણવેલી છે. ૯-૪૭. पुलाक-बकुश-कुशील-निर्ग्रन्थ-स्नातका-निर्ग्रन्थाः ४८ પુલાક-બકુશ-કુશીલ-નિર્ઝન્થ-સ્નાતકા નિર્ઝન્થાઃ ૯-૪૮ પુલાક-બકુશ-કુશીલ-નિર્ઝન્થ-સ્નાતકાઃ નિર્ઝન્થાઃ ૯-૪૮ Page #336 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૮ ૩૧૧ સૂત્રાર્થ : પુલાક-બકુશ, કુશીલ-નિર્ઝન્થ અને સ્નાતક એમ મુનિઓ પાંચ પ્રકારના હોય છે. ૯-૪૮ ભાવાર્થ ઃ નિર્ઝન્થ એટલે સાધુ. તેના પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે(૧) મુલાક= જે સાધુ શિથિલ હોય. ચારિત્રમાં ઢીલા હોય, જ્ઞાન દર્શન અને ચારિત્રનાં સાધનો પાસે રાખે, પરંતુ સેવે નહીં. કેવળ આડંબર માત્ર રાખે. જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિમાં પ્રસાદી હોય તે. (૨) બકુશ= ચિત્ર-વિચિત્ર, અર્થાત્ બ્રહ્મચર્ય આદિ પાળે, પરંતુ હાથ-પગ ધોવે, શરીર ઉપરથી મેલ ઉતારે, મોઢું ધોવે, દાંત સાફ કરે. વાળ ઓળે, શરીરની ટાપટીપ કરે ઇત્યાદિ. તથા વસ્ત્ર ઉજળાં રાખે, દાંડો-પાત્રો વગેરે ઉપકરણો રંગવામાં અને ચમકવાળાં રાખવામાં જેનું ચિત્ત ઓતપ્રોત હોય તે. (૩) કુશીલ= શય્યાતરપિંડ, રાજ્યપિંડ, નિત્યપિંડ, અને અગ્રપિંડ ઇત્યાદિ દોષો સેવે, ચારિત્રમાં હોવા છતાં કંઈક બહાનું મેળવીને કષાયો વધારે કરે. જ્ઞાનાદિ ગુણોને કલંકિત કરે, અતિચારો સેવે છે. કુશીલના બે ભેદો છે એક કષાયકુશલ અને બીજા પ્રતિસેવનાકુશીલ. કષાયો, આવેશ અને આસક્તિવાળો સ્વભાવ હોય તે કષાય કુશીલ અને અપવાદો વધારે સેવવાની પ્રકૃતિ હોય તે પ્રતિસેવના કુશીલ જાણવા. Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ અધ્યાય : ૯-સૂત્ર-૪૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૪) નિÁë= ગ્રંથ એટલે રાગ અને દ્વેષની ગાંઠ, આ ગાંઠ જેઓની ચાલી ગઇ છે. તેવા ૧૧-૧૨મા ગુણઠાણાવાળા મુનિઓ. જેઓએ મોહ સર્વથા દબાવ્યો છે અથવા ખપાવ્યો છે તેવા મુનિઓ. તે નિર્પ્રન્થ. (૫) સ્નાતક=આત્માના રાગાદિ જે મલો છે તેને પોતાનામાંથી જેણે સર્વથા દૂર કરી નાખ્યા છે અને બીજાના દૂર કરે છે તેવા જ્ઞાની મહાત્માઓ ૧૩-૧૪મા ગુણસ્થાનકવર્તી આત્માઓ. આ પ્રમાણે પાંચ પ્રકારના સાધુઓ (નિર્ગન્થો) હોય છે. અર્થાત્ નિર્પ્રન્થ (મુનિઓ)ના આ પાંચ પ્રકાર છે. ૯-૪૮. સંયમ-શ્રુત-પ્રતિખેવના-તીર્થ-નિક लेश्योपपात - स्थानविकल्पतः साध्याः ૯-૪૯ સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીર્થ-લિંગ લેશ્યોપપાત-સ્થાનવિકલ્પતઃ સાધ્યાઃ ૯-૪૯ સંયમ-શ્રુત-પ્રતિસેવના-તીર્થ-લિંગ લેશ્યા-ઉપપાત-સ્થાનવિકલ્પતઃ સાધ્યાઃ ૯-૪૯ સૂત્રાર્થ : સંયમ, શ્રુત, પ્રતિસેવના, તીર્થ, લિંગ, લેશ્યા, ઉપપાત, અને સ્થાન એમ આઠ દ્વારોની વિચારણાથી તે મુનિઓ જાણવા જેવા છે. ૯-૪૯ ભાવાર્થ : ઉપર જણાવેલા પાંચે મુનિઓમાં નીચેનાં Page #338 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૯ ૩૧૩ આઠ દ્વારા ખાસ વિચારવા જેવા છે. કયા કયા મુનિઓને શું શું હોય છે? અને શું શું નથી સંભવતું? (૧) સંયમદ્વાર= કયા કયા મુનિઓને ક્યું કયું સંયમ હોય? તે. પુલાક-બકુશ-અને પ્રતિસેવના કુશીલ એમ ત્રણ જાતના મુનિઓને સામાયિક અને છેદો પસ્થાપનીય એમ બે ચારિત્ર હોય છે. કષાયકુશીલને સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મસંપરાય એમ કુલ ચાર ચારિત્રો હોય છે. અને નિગ્રંથ તથા સ્નાતકમુનિઓને માત્ર એક યથાખ્યાત ચારિત્ર જ હોય છે. શ્રુત= કયા મુનિઓને કેટલું કેટલું શ્રુતજ્ઞાન હોય તે. પુલાક-બકુશ-અને પ્રતિસેવના કુશીલને વધુમાં વધુ સંપૂર્ણ ૧૦ પૂર્વનું. કષાય કુશીલને ચૌદપૂર્વનું, નિગ્રંથને પણ ચૌદપૂર્વનું અને સ્નાતક કેવલી હોવાથી શ્રુતજ્ઞાનથી રહિત હોય છે. પ્રતિસેવના= કયા મુનિઓ કેવા કેવા અપવાદો સેવે? પુલાક મુનિઓ બીજાના દબાણથી અહિંસાદિવ્રતોનું ખંડન કરે, પરંતુ પોતાની ઇચ્છાથી નહીં. બકુશ મુનિઓ શરીર અને ઉપકરણોની સરભરામાં જ રચ્યા-પચ્યા રહે, કષાયકુશીલ-ચારિત્રનો મૂળગુણ ન ભાંગે. પરંતુ ઉત્તરગુણોમાં દૂષણ લગાડે. નિગ્રંથ અને સ્નાતક વીતરાગ હોવાથી દોષ વિનાના હોય છે. ૨૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ અધ્યાય : ૯-સૂત્ર-૪૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૪) તીર્થ= તીર્થકર ભગવાન્ તીર્થની સ્થાપના કરે ત્યારથી તે તીર્થ જ્યાં સુધી રહે ત્યાં સુધીના કાળમાં જે થાય તે તીર્થમાં થયેલી કહેવાય. અને તીર્થ વિના પણ એટલે કે તીર્થની સ્થાપના પૂર્વે પણ થાય તે અતીર્થ કહેવાય છે. પાંચ પ્રકારના મુનિઓ તીર્થમાં જ થાય છે. પરંતુ અપવાદે મરુદેવી માતાની જેમ નિગ્રંથ અને સ્નાતક મુનિઓ અતીર્થમાં પણ થાય છે. (૫) લિંગ= રજોહરણ-મુહપત્તી-વસ્ત્રાદિ સાધુનો જે બાહ્યવેશ છે. તે દ્રવ્યલિંગ, અને જ્ઞાનાદિ રત્નત્રયીની પ્રાપ્તિ તે ભાવલિંગ. પાંચ પ્રકારના મુનિઓને ભાવલિંગ હોય છે. પરંતુ દ્રવ્યલિંગ કોઈને હોય અને કોઈને ન પણ હોય જેમ કે જિનકલ્પાદિમાં રહેલા મુનિઓને ન પણ હોય. અને શેષ મુનિઓને સામાન્યથી હોય. તથા દિગંબરાસ્નાયમાં વસ્ત્ર પાત્રાદિ ન ભલે હોય પરંતુ મોર પીછી અને કમંડળ હોય. એટલે દ્રવ્યલિંગ હોય છે. (૬) લેશ્યા= કયા ક્યા મુનિઓને કઈ કઈ વેશ્યા હોય તે (૧) પુલાક મુનિને પાછલી (શુભ) ત્રણ લેશ્યા હોય છે (૨) બકુશ મુનિને છએ લેશ્યા હોય છે. (૩) કષાયકુશીલને પાછલી (શુભ) ત્રણ લેશ્યા હોય છે પરંતુ પ્રતિસેવના કુશીલને છએ વેશ્યા હોય છે. (૪) નિગ્રંથ મુનિઓને માત્ર શુક્લલેશ્યા હોય છે. (૫) સ્નાતક-સયોગીકેવલીને શુકુલલેશ્યા, અને અયોગ કેવલીભગવાન્ અલેશી હોય છે. Page #340 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૯ ૩૧૫ (૭) ઉપપાત= આ પાંચ પ્રકારના મુનિઓ મૃત્યુ પામી ક્યાં ઉત્પન્ન થાય ? (૧) મુલાકમુનિઓ-૮મા સહસ્ત્રાર દેવલોક સુધી જન્મે છે. (૨) બકુશમુનિઓ-૧રમાં અશ્રુત દેવલોક સુધી જન્મે છે. (૩) પ્રતિસેવનાકુશીલ-૧રમા અશ્રુત દેવલોક સુધી જન્મ છે. કષાયકુશીલ-સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે. (૪) નિગ્રંથમુનિઓ-(૧૧મા વાળા) સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે. (૧૨મા વાળા મૃત્યુ પામતા નથી). (૫) સ્નાતકમુનિઓ-કેવલજ્ઞાની નિર્વાણ પામીને મોક્ષે જાય છે. સ્નાતક સિવાયના શેષ ચારે પ્રકારના મુનિઓ જઘન્યથી પણ પલ્યોપમ પૃથકત્વની સ્થિતિવાળા સૌધર્મમાં જાય છે. (૮) સ્થાન= અધ્યવસાયસ્થાનો, તે તે મુનિઓમાં પરિણામની તરતમતા. પુલાક-બકુશ કષાયકુશીલ અને પ્રતિસેવના કુશીલ એમ આ ચાર પ્રકારના મુનિઓમાં કષાય-નિમિત્તક અને યોગનિમિત્તક એમ બન્ને રીતે અસંખ્ય-અસંખ્ય પ્રકારનાં અધ્યવસાય-સ્થાનો (સંયમસ્થાનો) હોય છે. અને નિગ્રંથ મુનિઓમાં માત્ર યોગનિમિત્તક જ અસંખ્ય સંયમસ્થાનો હોય છે. પરંતુ સ્નાતકમુનિઓ કેવલી હોવાથી એક જ સંયમસ્થાન હોય છે. (જુઓ ભાષ્ય ઉપરની ટીકા) નવમો અધ્યાય પૂર્ણ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ અધ્યાય : ૧૦-સૂત્ર-૧-૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર | અધ્યાય દશમો मोहक्षयाद् ज्ञान-दर्शनावरणान्तरायक्षयाच्च केवलम् १ મોહક્ષયા જ્ઞાન-દર્શનાવરણાન્તરાયક્ષયાચ્ચ કેવલમ્ ૧ મોહhયા જ્ઞાન-દર્શનાવરણ-અન્તરાયક્ષયાચ્ચ કેવલમ્ ૧ સૂત્રાર્થ : મોહનીયકર્મના ક્ષયથી અને ત્યારબાદ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તથા અંતરાયના ક્ષયથી જીવને કેવલજ્ઞાન થાય છે. ૧૦-૧ ભાવાર્થઃ- ૮-૯-૧૦ આ ત્રણ ગુણસ્થાનકોમાં ક્ષપકશ્રેણીની અંદર સૌથી પ્રથમ મોહનીયકર્મનો ક્ષય થાય છે. ત્યારબાદ બારમાં ગુણઠાણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મનો નાશ થવાથી આ આત્માને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે મોક્ષનું અસાધારણ કારણ છે. મોહનો ક્ષય થવાથી શેષ ત્રણ કર્મોનો નાશ થાય છે. અને ત્યારબાદ તુરત જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૦-૧. વન્યત્વભાવ-નિર્નાર્ ૧૦-૨ બન્ધહેત્વભાવ-નિર્જરાભ્યામ્ ૧૦-૨ બન્ધહેતુ-અભાવ-નિર્જરાભ્યામ્ ૧૦-૨ Page #342 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧૦-સૂત્ર-૩ ૩૧૭ સૂત્રાર્થ : બંધના હેતુઓનો અભાવ થવાથી અને જુના કર્મોની નિર્જરા થવાથી કર્મોનો ક્ષય થાય છે. ૧૦-૨ ભાવાર્થ:- કર્મબંધના હેતુભૂત મિથ્યાત્વ-અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ રૂપ જે પાંચ બંધ હેતુઓ છે, તેઓનો અભાવ થવાથી હવે નવાં કર્મો બંધાતાં નથી. એટલે કે ક્રમશઃ સર્વ સંવરભાવ આવે છે. તથા જુનાં બાંધેલાં આ ચારે ઘાતીકર્મોનો ક્ષય થયેલ હોવાથી નિર્જરા થઇ કહેવાય છે. ત્યારબાદ તે કેવલીભગવાન્ આયુષ્યકર્મના સંસ્કારના વશથી શેષ અઘાતી કર્મોની પણ નિર્જરા કરતા છતા વિચરે છે. અન્ને બંધના હેતુભૂત યોગદશાનો પણ નિરોધ ક૨વા સ્વરૂપ સર્વ સંવરભાવ વડે અને ચાર અઘાતીકર્મોનો સર્વથા અભાવ કરવા સ્વરૂપ પૂર્વબદ્ધ કર્મોની સર્વથા નિર્જરા કરવા વડે કરીને આ જીવ મુક્તિ પદને પ્રાપ્ત થાય છે. અને તે અનંતકાળ સુધી રહે છે. ૧૦-૨ નર્મક્ષયો મોક્ષ: ૧૦-૩ કૃત્સ્નકર્મક્ષયો મોક્ષઃ કૃત્સ્ન-કર્મ-ક્ષયઃ મોક્ષઃ ૧૦-૩ ૧૦-૩ સૂત્રાર્થ : સર્વ કર્મોનો ક્ષય તે મોક્ષ કહેવાય છે. ૧૦-૩ ભાવાર્થ:- કૃત્સ્ન એટલે સર્વ, બધાં જ કર્મોનો સંપૂર્ણપણે જે ક્ષય તે જ મોક્ષ કહેવાય છે. સર્વ કર્મોનો ક્ષય થવાથી આ Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ અધ્યાય : ૧૦-સૂત્ર-૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર આત્મા શુદ્ધ-બુદ્ધ-નિરંજન-નિરાકાર એવો અને સ્ફટિક જેવો અતિશય નિર્મળ બને છે. કર્મો નાશ થવાથી ફરીથી જન્મમરણ રૂપ સંસાર આવતો નથી. જેમ બીજ બળી જવાથી અંકુરા ઉગતા નથી. તેમ બંધહેતુ ન હોવાથી બંધ થતો નથી અને પૂર્વબદ્ધ સર્વ કર્મોની નિર્જરા થયેલી હોવાથી સર્વથા કર્મરહિત થયેલ આ આત્માને ફરી સંસાર આવતો નથી. ૧૦-૩. औपशमिकादि-भव्यत्वाभावाच्चान्यत्र केवलसम्यक्त्व-ज्ञान-दर्शनसिद्धत्वेभ्यः ૧૦-૪ ઔપશમિકાદિ-ભવ્યત્વાભાવાસ્યાખ્યત્ર કેવલ સમ્યકત્વ-જ્ઞાન-દર્શન-સિદ્ધત્વેભ્યઃ ૧૦-૪ ઔપથમિક-આદિ-ભવ્યત્વ-અભાવાત્ ચ અન્યત્ર કેવલ-સમ્યકત્વ-જ્ઞાન-દર્શન-સિદ્ધત્વેભ્યઃ ૧૦-૪ સૂત્રાર્થ : ઔપશમિકાદિ ભાવોનો (ઔપથમિક, ક્ષાયોપશમિક, ઔદયિક ભાવોનો તથા ભવ્યત્વનો અભાવ થવાથી, અને ફક્ત ક્ષાયિકસમ્યક્ત કેવલજ્ઞાન, કેવલદર્શન તથા સિદ્ધત્વ સિવાયના ક્ષાયિકભાવોનો પણ અભાવ થવાથી મોક્ષ થાય છે. ૧૦-૪ ભાવાર્થ- આ આત્મા જ્યારે મોક્ષે જાય છે ત્યારે ઔપથમિક-ક્ષાયિક-ક્ષાયોપથમિક-ઔદયિક અને પારિણામિક આ પાંચ ભાવોમાંથી કેટલા ભાવો રહે અને કેટલા ભાવોને અભાવ થાય તે આ સૂત્રમાં જણાવે છે Page #344 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧૦-સૂત્ર-૪ ૩૧૯ (૧) ઔપથમિકભાવ, (૨) ક્ષાયોપથમિકભાવ, અને (૩) ઔદયિકભાવ આ ત્રણ ભાવો કર્મોની અપેક્ષાવાળા હોવાથી અને આ મહાત્માને સર્વથા કર્મો ન હોવાથી આ ત્રણ ભાવો બીલકુલ હોતા જ નથી. આ ત્રણ ભાવોના સર્વે પેટા ભેદો (ર-૧૮-૨૧) પણ હોતા નથી. બાકી રહેલા પારિણામિક અને ક્ષાયિક એ બે જ ભાવો હોય છે. તે બેમાંથી પ્રથમ પારિણામિકભાવ વિચારીએ. પારિણામિકભાવના ભવ્યત્વ-અભવ્યત્વ અને જીવ7 એમ ત્રણ ભેદો છે. તેમાંથી મોક્ષે જતા આ જીવમાં અભવ્યત્વ તો હતું જ નથી. ફક્ત ભવ્યત્વ અને જીવત્વ એમ બે ભેદોનો સંભવ હોઈ શકે છે. પરંતુ તેમાંથી ભવ્યત્વનો પણ હવે અભાવ થાય છે. ફક્ત જીવત્વ રહે છે. એટલે સંપૂર્ણપણે પરિણામિકભાવ ચાલ્યો જતો નથી. અંશથી રહે છે. માટે મૂલસૂત્રમાં “ઔપશમિકાદિ”માં આદિ શબ્દ લખીને ત્રણભાવોનો અભાવ લખીને ભવ્યત્વનો અભાવ જુદો લખ્યો છે. તથા ભવ્યત્વનો અભાવ લખીને પારિણામિક ભાવના ભવ્યત્વ, અભવ્યત્વ અને જીવ7 એમ ત્રણ જ ભેદ છે. એમ નહીં પરંતુ અસ્તિત્વ, ગુણવત્વ, અનાદિત્વ, અસંખ્યપ્રદેશિત્વ અને નિત્યત્વ વિગેરે ઘણા ભેદો છે. તેમાંથી ફક્ત ભવ્યત્વનો જ અભાવ હોય છે. (અભવ્યત્વ તો છે જ નહીં. શેષ પારિણામિક ભાવો હોય છે.) એમ જાણવું. પ્રશ્ન - મોક્ષગત જીવોમાં જો ભવ્યત્વ ન હોય તો શું તે અભવ્ય બની જાય ? Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ અધ્યાય : ૧૦-સૂત્ર-પ તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉત્તર :- ના, ભવ્યત્વ એટલે યોગ્યતા, અને અભવ્યત્વ એટલે અયોગ્યતા, જ્યાં સુધી વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ યોગ્યતા અને અયોગ્યતાનો વ્યવહાર થાય. વસ્તુની પ્રાપ્તિ પછી યોગ્યતા-અયોગ્યતા કહેવાતી નથી. જેમ દીક્ષા ગ્રહણ ન કરેલી હોય તે જ જીવ દીક્ષાને માટે યોગ્ય અથવા અયોગ્ય કહેવાય છે. પરંતુ દીક્ષા લીધા પછી યોગ્ય કે અયોગ્ય કહેવાતા નથી. તેમ સિદ્ધના આત્માઓ નોભવ્ય અને નોઅભવ્ય કહેવાય છે. હવે ક્ષાયિકભાવના ચાર ભેદો તેઓમાં હોય છે. (૧) કેવળજ્ઞાન (૨) કેવળદર્શન અને (૩) ક્ષાયિકસમ્યત્વ. તથા (૪) સિદ્ધત્વ. આ ચાર ભેદો ક્ષાવિકભાવના સિદ્ધાવસ્થામાં વિદ્યમાન છે. કારણ કે તે આત્માના ગુણ રૂપ છે. દાનાન્તરાયાદિ પાંચ અંતરાયનો ક્ષય થયેલ છે. તેથી તે દાનાદિ પાંચ લબ્ધિ પણ તેઓને છે જ. પરંતુ પુદ્ગલોનું આદાન-પ્રદાન નથી. માટે આ પાંચ લબ્ધિઓનો ઉલ્લેખ અહીં કરેલ નથી. ૧૦-૪. તદનન્તરપૂર્ણ છત્રિોન્તાત્ ૧૦-૫ તદનન્તરમૂર્ધ્વ ગચ્છત્યાલોકાત્તાત્ ૧૦-૫ તદ્ અનન્તરમ્ ઊર્ધ્વ ગચ્છતિ આલોકાત્તાત્ ૧૦-૫ સૂત્રાર્થ : ત્યારબાદ તે જીવ લોકના છેડા સુધી ઉપર જાય છે. ૧૦-૫ ત્યારબાદ એટલે કે સર્વકર્મોનો ક્ષય થયા પછી ૧૪ રાજ પ્રમાણ જે આ લોક છે. તેના અન્ત સુધી તે જીવ જાય Page #346 -------------------------------------------------------------------------- ________________ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧૦-સૂત્ર-૬ ૩૨૧ છે. એટલે સિદ્ધશિલા ઉપર સ્થાન ગ્રહણ કરવા સ્વરૂપે ત્યાં રહેતા નથી. પરંતુ સિદ્ધશિલાની ઉપર એક યોજનના ૨૪ ભાગ કરીએ તેવા ૨૩ ભાગ જઇને. ત્યારબાદ સિદ્ધશિલાથી ઉપર સિદ્ધો વસે છે. તે સિદ્ધશિલા લોકાત્તથી એક યોજન નીચે છે અને સિદ્ધભગવંતો લોકના અન્ત સુધી જાય છે. સિદ્ધાત્માની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષ્ય હોય છે. જે ગાઉનો છઠ્ઠો ભાગ અને યોજનાનો ચોવીસમો ભાગ થાય છે. ૧૦-૫. पूर्वप्रयोगादसङ्गत्वाद् बन्धच्छेदात् તથાતિપરિણામર્થ તતિ: ૧૦-૬ પૂર્વપ્રયોગાદસંગવા બધચ્છદાત્ તથાગતિપરિણામોચ્ચ તગતિઃ ૧૦-૬, પૂર્વપ્રયોગાઅસંગ–ાબંધચ્છદાતથાગતિપરિણામોત્ ચ તદ્ગતિ ૧૦- સૂત્રાર્થ : પૂર્વપ્રયોગ, અસંગત, બંધચ્છેદ તથા ગતિપરિણામ એમ ચાર કારણોથી મુક્તિગામી જીવોની મુક્તિ તરફ ગતિ થાય છે. ૧૦-૬ ભાવાર્થ- સર્વકર્મ રહિત થયેલા આ મહાત્માઓ મનુષ્યલોકમાંથી નિર્વાણ પામ્યા પછી સાતરાજ ઉપર જે જાય છે તે ગતિ કોના આધારે કરે છે? કારણ કે ગતિ કરાવનારૂં કર્મ તો હવે નથી. તેનો ખુલાશો ગ્રંથકારશ્રી કરે છે. Page #347 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ અધ્યાય ૧૦ -સૂત્ર-૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર મોક્ષે જતા જીવોને મોક્ષે જવામાં ગતિ કરવાનાં નીચે મુજબ ૪ કારણો છે. (૧) પૂર્વપ્રયોગઃ પૂર્વકાળમાં આ જીવ યોગદશાથી ઘણું ચાલેલો છે, તેથી અત્યારે યોગદશા ન હોવા છતાં પણ પૂર્વકાળના ચાલવાના સંસ્કારના બળે અલ્પ કાળ ચાલે છે. જેમ હિંચકો ઘણીવાર ચલાવ્યા પછી પગના પ્રયત્ન વિના પણ થોડો કાળ ચાલે છે. (ર) અસંગત= ઘડા ઉપર જામેલો માટીનો લેપ પાણી વડે ઓગળી જવાથી જેમ ઘટ પાણીની ઉપર આવે છે. તેવી જ રીતે આ આત્મા ઉપર લાગેલો કર્મોનો લેપ ઓગળી જવાથી કર્મોનો સંગ દૂર થવાથી આ આત્મા ઊર્ધ્વગતિ કરે છે. (૩) બધચ્છદ= જેમ જેલના બંધનમાંથી છૂટતો ચોર ભાગે છે. પાંજરાના બંધનમાંથી છૂટતો વાઘ છલાંગ મારી દૂર જાય છે. કોશમાં (જીંડવામાં) રહેલું એરંડબીજ કોશ તુટતાં જ ઉડીને ઉપર જાય છે. તેમ કર્મોના બંધનોનો વિચ્છેદ થવાથી આ આત્મા સાત રાજ સુધી ઊર્ધ્વગતિ કરે છે. (૪) તથાગતિપરિણામ= જેમ ઘટ-પટ આદિ અજીવદ્રવ્યોનો નીચે બેસવાનો સ્વભાવ છે. તેમ બંધન મુક્ત એવા આ જીવનો ઉપર જવાનો સ્વભાવ છે. જેમ દીપકની જ્યોત ઊર્ધ્વગામી, પવન તિર્થો ગતિવાળો સ્વભાવથી જ છે. તેમ આ આત્મા સ્વભાવથી જ ઊર્ધ્વગતિ સ્વભાવવાળો છે. ઉપરોક્ત ચાર કારણોથી આ આત્મા ઊર્ધ્વગતિ કરે છે. ૧૦-૬ Page #348 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય ૧૦ -સૂત્ર-૭ ૩૨૩ ક્ષેત્ર-તિ-જાતિ-નિ-તીર્થ-ચરિત્ર-પ્રત્યેવૃદ્ધોધિતજ્ઞાનાવાદિનાન્તર-સંસ્થાપવહુવત: સાધ્યો: ૧૦-૭ ક્ષેત્ર-કાલ-ગતિ-લિંગ-તીર્થ-ચારિત્ર-પ્રત્યેકબુદ્ધબોધિતજ્ઞાનાવગાહનાન્તર-સંખ્યાલ્પબદુત્વતઃ સાધ્યાઃ ૧૦-૭ ક્ષેત્ર-કાલ-ગતિ-લિંગ-તીર્થ-ચારિત્ર પ્રત્યેકબુદ્ધબોધિતજ્ઞાન-અવગાહના-અન્તર-સંખ્યા-અલ્પબદુત્વતઃ સાધ્યાઃ ૭ સૂત્રાર્થ : ક્ષેત્ર, કાલ, ગતિ, લિંગ, તીર્થ, ચારિત્ર, પ્રત્યેકબુદ્ધબોધિત, જ્ઞાન, અવગાહના, અત્તર, સંખ્યા અને અલ્પબદુત્વ એમ કુલ ૧૨ દ્વારો વડે આ સિદ્ધના જીવોનું સ્વરૂપ જાણવા જેવું છે. ૧૦-૭ ભાવાર્થ- અઢી દ્વીપ પ્રમાણ મનુષ્યલોકમાંથી મોક્ષે જતા આત્માઓમાં નીચે મુજબ ૧૨ દ્વારો વિચારવા જેવાં છે. આવા પ્રકારનાં આ બાર દ્વારની વિચારણા કરવાથી સિદ્ધ પરમાત્માઓ સંબંધી ઘણું સ્વરૂપ જાણવા મળે છે. બોધવિશેષ થાય છે. વિશાળ જ્ઞાન માટે આ બાર દ્વારા જાણવાં જરૂરી છે. (૧) ક્ષેત્રદ્વાર= કયા કયા ક્ષેત્રોમાંથી જીવ મોક્ષે જાય છે? તેની વિચારણા. જન્મની અપેક્ષાએ ૫ ભરત, ૫ ઐરાવત, અને પ મહાવિદેહક્ષેત્ર એમ ૧૫ કર્મભૂમિમાં જન્મેલા હોય તે જ જીવો મોક્ષે જાય છે. સંહરણની અપેક્ષાએ ૪૫ લાખ યોજનવાળા રી દીપપ્રમાણ મનુષ્યલોકમાંથી સર્વત્ર મોક્ષે જાય છે. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ અધ્યાય : ૧૦-સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) કાલદ્વાર= કયા ક્યા કાલે જીવ મોક્ષે જાય છે? ભારત ઐરાવતક્ષેત્રમાં અવસર્પિણી કાળના ત્રીજા આરાના અન્તિમ ભાગમાં મોક્ષમાં જાય છે તથા ચોથા આરામાં જન્મેલા જીવો ચોથા આરામાં તથા પાંચમા આરાના પ્રારંભમાં મોક્ષે જાય છે. પરંતુ પહેલા-બીજા અને ત્રીજા આરાનો બહુભાગ જાય ત્યાં સુધીના કાળમાં જન્મેલા જીવો કોઈ મોક્ષે જતા નથી. તથા પાંચમા-છઠ્ઠા આરામાં જન્મેલા પણ કોઈ મોક્ષે જતા નથી. ઉત્સર્પિણીકાળમાં તેનાથી ઉલટું છે. પહેલા-બીજા આરામાં કોઈ મોક્ષે જતું નથી. ત્રીજા આરામાં તથા ચોથા આરાના પ્રારંભમાં મોક્ષે જવાય છે. ત્યાર પછીના ચોથા આરામાં તથા પાંચમાછઠ્ઠા આરાના સર્વકાળમાં મોક્ષે જવાતું નથી. મહાવિદેહક્ષેત્રમાં નોઉત્સર્પિણીનો અવસર્પિણી કાળ હોય છે. ત્યાં સદાકાળ મોક્ષે જવાય છે. તથા અકર્મભૂમિ, હિમવંતાદિ પર્વતીય ભાગ, તથા લવણાદિ સમુદ્રવાળા સ્થાનોમાંથી સંહરણથી ગયેલા જીવો અથવા નંદીશ્વરાદિ તરફ ગમનાગમન કરતા જીવો અઢી દ્વીપ ઉપર હોય ત્યારે વિશુદ્ધ પરિણામથી મોક્ષે જાય છે. (૩) ગતિદ્વાર= ચાર ગતિઓમાંથી કઈ કઈ ગતિઓમાંથી મોક્ષે જવાય છે? માત્ર મનુષ્યગતિમાંથી જ મોક્ષે જવાય છે. પરંતુ પૂર્વભવની અપેક્ષાએ ચારે ગતિમાંથી નીકળેલા જીવો મનુષ્યભવમાં આવી મોક્ષે જઇ શકે છે. Page #350 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧૦-સૂત્ર-૭ ૩૨૫ (૪) લિંગદ્વાર= કયા કયા લિંગ (વેદમાં અથવા વેશમાં) મોક્ષે જાય? સ્ત્રીલિંગ, પુરુષલિંગ, અને નપુંસકલિંગ, એમ ત્રણે લિંગે જીવો મોક્ષે જાય છે એમ શ્વેતાંબર સંપ્રદાય માને છે. અને સ્ત્રીલિંગ વિના શેષ ૨ લિંગે જીવો મોક્ષે જાય છે. એમ દિગંબર સંપ્રદાય માને છે. વેશને આશ્રયી દ્રવ્યથી સ્વલિંગ, અન્યલિંગ અને ગૃહસ્થલિંગ એમ ત્રણે લિંગે જીવ મોક્ષે જાય છે. (૫) તીર્થદ્વાર= ભગવાનનું તીર્થ સ્થપાયું હોય ત્યારપછી મોક્ષે જવાય કે તેની પહેલાં પણ મોક્ષે જવાય? તીર્થ સ્થપાયા પછી મોક્ષે જાય એ રાજમાર્ગ છે. ઘણા જીવો આ રીતે મોક્ષે જાય છે. પરંતુ અપવાદરૂપે મરુદેવા માતાની જેમ ક્વચિત્ તીર્થ સ્થપાયા પહેલાં પણ કોઇ જીવો મોક્ષે જાય છે. (૬) ચારિત્રદ્વાર= સામાયિકાદિ પાંચ પ્રકારના ચારિત્રોમાંથી ક્યા ક્યા ચારિત્રોમાંથી મોક્ષે જવાય છે? ૧૧-૧૨-૧૩-૧૪માં ગુણઠાણે નિયમા યથાખ્યાત ચારિત્ર જ હોય છે. અને ચૌદમા ગુણસ્થાનક પછી જ મોક્ષ થાય છે. તેથી ફક્ત એક યથાખ્યાત ચારિત્રમાંથી જ મોક્ષે જવાય છે. પરંતુ યથાખ્યાત પામતાં પહેલાં પૂર્વકાળને આશ્રયી સામાયિક, સૂક્ષ્મસંપરાય અને યથાવાત એમ ૩, અથવા છેદોપસ્થાપનીય સાથે ૪, અથવા પરિહારવિશુદ્ધિ સાથે Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૬ અધ્યાય : ૧૦-સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર ૫, ચારિત્રોવાળા થઈને પણ મોક્ષે જવાય છે. પરંતુ અત્તે તો યથાવાત ચારિત્રમાંથી જ મોક્ષે જવાય છે. (૭) પ્રત્યેકબુદ્ધબોધિતધાર= સ્વયં પોતાની મેળે બોધ પામીને મોક્ષે જાય? કે અન્યના ઉપદેશને સાંભળીને જીવો મોક્ષે જાય? તેની વિચારણા. કેટલાક જીવો સ્વયં પોતાની મેળે પ્રતિબોધ પામીને મોક્ષે જાય છે. તેઓને સ્વયંબુદ્ધ કહેવાય છે. જેમકે તીર્થકર ભગવંતો, કેટલાક સંધ્યાના પલટાતા રંગતરંગો, મૃતકદેહ ઇત્યાદિ નિમિત્તો જોઈને સ્વયં વૈરાગ્યવાહી થઈ મોક્ષે જાય છે તે પ્રત્યેકબુદ્ધ, જેમકે કરકંડુ ઋષિ વગેરે. અને ઘણા જીવો ગુરુનો ઉપદેશ સાંભળીને વૈરાગ્યવાહી બની મોક્ષે જાય છે, તે બુદ્ધબોધિત કહેવાય છે. જેમકે ગૌતમસ્વામી આદિ. આ બુદ્ધબોધિતના પણ બે ભેદો છે. જે બીજાને ઉપદેશ આપીને મોક્ષે જાય તે પરબોધક બુદ્ધ બોધિત. અને આયુષ્ય અલ્પ હોવા આદિના કારણે બીજાને બોધ આપ્યા વિના જ મોક્ષે જાય તેઓ સ્વેકારિ બુદ્ધબોધિત કહેવાય છે. (૮) જ્ઞાનદ્વાર= મતિજ્ઞાન આદિ પાંચ જ્ઞાનોમાંથી કયા કયા જ્ઞાનોવાળા થઈને મોક્ષે જઈ શકાય છે? તો માત્ર કેવલજ્ઞાનમાંથી મોક્ષે જવાય. પરંતુ કેવળજ્ઞાનની પૂર્વે મતિ-શ્રુત એમ ૨ પણ હોય, મતિ-શ્રુત-અવધિ અથવા મતિ-શ્રુત-મન:પર્યવ એમ ૩ પણ હોય, અથવા મતિ Page #352 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય :૧૦ -સૂત્ર-૭ ૩૨૭ આદિ ચાર પણ હોઈ શકે છે. પરંતુ અન્ત તો કેવળજ્ઞાન જ હોય છે. (૯) અવગાહના= શરીરની ઉંચાઇ, કેટલી ઉંચાઇવાળા જીવો મોક્ષે જાય? ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્ય ઉપર ધનુષ્ય પૃથત્વ અધિક અવગાહના યુક્ત કાયાવાળા જીવો મોક્ષે જાય છે અને જઘન્યથી ૨ હાથની કાયાવાળા મોક્ષે જાય છે. અને મધ્યમથી ૨ હાથથી કંઈક અધિકથી સાધિક ૫૦૦ ધનુષ્ય સુધીની તમામ અવગાહનાવાળા જીવો મોક્ષે જઈ શકે છે. પરંતુ તીર્થકર ભગવંતોની જઘન્ય અવગાહના સાત હાથ હોય છે. શરીરની જેટલી અવગાહના હોય તેના કરતાં બે તૃતીયાંશ ભાગની અવગાહના મોક્ષે જતાં આત્માની હોય છે. (૧૦) અંતરદ્વાર= મોક્ષે જવામાં અંતર-વિરહ હોય કે ન હોય? સતત પણ મોક્ષે જાય છે. અને આંતરું (વિરહ) પણ પડે છે. જો સતત મોક્ષે જાય તો ૧થી૮ સમય સુધી મોક્ષ જવાય છે. અને જો વિરહ પડે તો જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ માસનો વિરહ હોઈ શકે છે. મુક્તિમાં ગયેલા સિદ્ધોની વચ્ચે ક્ષેત્રનું અંતર હોતું નથી. (૧૧) સંખ્યાદ્વાર= એક સમયમાં એકી સાથે કેટલા જીવો મોક્ષે જાય? ઓછામાં ઓછો ૧ જીવ મોક્ષે જાય છે. અને વધુમાં Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ અધ્યાય : ૧૦-સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર વધુ ૧૦૮ જીવો મોક્ષે જાય છે. એકી સાથે પુરુષો ૧૦૮, સ્ત્રીઓ ૨૦ અને નપુંસકો ૧૦ ઉત્કૃષ્ટથી મોક્ષે જાય છે. જઘન્યથી સર્વત્ર ૧ મોક્ષે જાય છે. (૧૨) અલ્પબહુવૈદ્વાર= થોડા જીવો ક્યાં મોક્ષે જાય અને વધારે જીવો કયાં મોક્ષે જાય? તે ક્ષેત્રાદિથી વિચારવું. જેમકે ભરત-ઐરાવતક્ષેત્રમાં થોડા મોક્ષે જાય અને મહાવિદેહક્ષેત્રમાંથી તેના કરતાં સંખ્યાતગણા મોક્ષ જાય છે. તે જ રીતે કાળથી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં થોડા મોક્ષે જાય છે. પરંતુ નોઉત્સર્પિણી નોઅવસર્પિણી-કાળમાં તેના કરતાં સંખ્યાત ગુણો મોક્ષે જાય છે. તથા લિંગ આશ્રયી નપુંસકલિંગે થોડા મોક્ષે જાય, તેનાથી સ્ત્રીલિંગ અને તેનાથી પુરુષલિંગે વધારે મોક્ષે જાય છે. ઇત્યાદિ વિચારવું. આ પ્રમાણે તત્ત્વાર્થાધિગમ સૂત્રના સંક્ષેપમાં સૂત્રો અને તેના અર્થો પૂર્ણ થયા. દશમો અધ્યાય સમાપ્ત Page #354 -------------------------------------------------------------------------- ________________ સ્વર ની ઉમર / ૬. વાવ હવાતિજી (આ તત્ત્વાધિગમ સૂગ એ એક મહાન અલૌકિક ગ્રંથ છે. જૈન દર્શનના બધા જ ફિકાઓને માન્ય આ ગ્રંથ છે. આ ગ્રંથ ઉપર દિગમ્બર અને શ્વેતામ્બર એમ બન્ને સંપ્રદાયોમાં અનેક સંસ્કૃત ટીકાઓ મહામાં પુરુષોએ બનાવી છે ઘણા જ વિદ્વાન પુરુષોએ આ ગ્રંથ ઉપર ગુજરાતી હિન્દી અને ઈંગ્લીશ વિવેચન | લખ્યું છે. એટલે આ ગ્રંથ અત્યન્ત | મનનીય, ચિંતનીય અને પઠનીય છે એd પાઠ્ય પુરનાકીન પે મૂત્રની સાથે સંબંધવાળો સંક્ષિપ્ત અર્થ દર્શાવતું આ| પુરતક તૈયાર કરી છે તે - ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા Bharat Graphics, A'bad. Ph. : (079) 2134176, 2124723