SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૬ ૨૬૭ (૧) ક્ષમા ક્રોધ ન કરવો, અપરાધ ગળી જવો, સમતા રાખવી ગુસ્સે ન થવું. (૨) માર્દવ= નમ્રતા, નિરભિમાનતા, નિરહંકારતા. (૩) આર્જવ= સરળતા, નિષ્કપટતા, માયારહિત ચિત્ત. (૪) શૌચ= મનની પવિત્રતા, તથા કાયાની સ્વચ્છતા. (૫) સંયમ= મન-વચન અને કાયાની અશુભચેષ્ટાથી નિવૃત્તિ તથા શુભમાં પ્રવૃત્તિ કરવી તે, આ સંયમ સત્તર પ્રકારે છે. (૬) સત્ય-જીવન સત્ય રાખવું. પ્રામાણિકપણું સાચવવું તે. સાચી નીતિમત્તાવાળું જીવન. તપત્ર તપશ્ચર્યા કરવી, છ બાહ્ય અને છ અત્યંતર તપ કરવો. આહારાદિ પરદ્રવ્યનો ત્યાગ, તથા તે પ્રત્યેની મૂર્છાનો પણ ત્યાગ કરવો તે. (૮) ત્યાગ=વિગઈનો ત્યાગ તથા બાહ્ય ઉપધિનો જે ત્યાગ તે બાહ્યત્યાગ અને શરીર ઉપર મમતાનો ત્યાગ, કષાયોનો ત્યાગ, તે અત્યંતરત્યાગ કહેવાય છે. બીનજરૂરી વસ્તુઓનો પણ ત્યાગ. (૯) આકિંચ = અનિવાર્ય વસ્તુઓ જે વસ્ત્ર-પાત્રાદિ રાખ્યાં હોય તેના ઉપર તથા જ્ઞાન-દર્શન અને ચારિત્રનાં ઉપકરણો ઉપર પણ મમતાનો ત્યાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy