SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૭ ૧૭૩ (૪) અજ્ઞાતભાવ= અજાણતાં જે પાપો થઈ જાય, અણસમજમાં ભૂલથી-અજ્ઞાનથી જે પાપો થઇ જાય, તેમાં મંદકર્મ બંધાય છે. (૫) વીર્ય= શારીરિક શક્તિ, જેમ જેમ શરીરમાં વધારે શક્તિ હોય, પ્રથમસંઘયણ હોય તેમ તેમ જીવ ઘણું વધારે પાપ અને ઘણું વધારે પુણ્ય કરી શકે છે. તથા શરીરમાં શક્તિ મંદ-મંદ હોય તેમ તેમ ઓછું ઓછું પાપ-પુણ્ય કરી શકે છે. છઠ્ઠા સંઘયણવાળો ઓછું પાપ-પુણ્ય કરી શકે છે તેથી નીચે ર નરક સુધી. અને ઉપર ૪ દેવલોક સુધી જ જાય છે. પ્રથમસંઘયણવાળો જીવ ઉપર અનુત્તર અને મોક્ષ સુધી અને નીચે સાતમી નરક સુધી એમ બધે જ જાય (૬) અધિકરણ= શસ્ત્ર, ભિન્ન-ભિન્ન શસ્ત્રોથી થતી હિંસા આદિની ક્રિયામાં પરિણામ જુદા-જુદા આવવાથી પાપ ઓછું-વધતું બંધાય છે. જેમ કોઈ એક માણસ બીજાને મુઠી મારે, કોઈ લાકડી મારે, કોઈ ચપ્પ મારે, અને કોઇ તલવાર મારે, તેમાં પરિણામની તીવ્રતા વધારે વધારે હોય છે. ઉપરોક્ત છ પ્રકારે પાપ-પુણ્યના આશ્રવો તીવ્રમંદાદિપણે અનેક પ્રકારે થાય છે. ૬-૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy