SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૧૮ ૨૮૧ જીવો અને જડ, તથા વક્ર અને જડ હોવાથી પ્રાથમિક દીક્ષા આપ્યા પછી યોગ્યતા જણાય તો જ વડીદીક્ષા અપાય છે. તેથી વડીદીક્ષા આપ્યા પછીનું જે ચારિત્ર તે છેદોપસ્થાપનીય. (૩) પરિહારવિશુદ્ધિચારિત્ર=પરિહાર એટલે તપવિશેષ, તેનાથી થનારી જે શુદ્ધિવિશેષ તે પરિહાર વિશુદ્ધિ, આ ચારિત્ર ૯ વ્યક્તિઓ એક સાથે સ્વીકારે છે. જેમાં ૧ ગુરુ બને છે. ૪ તપવિશેષ કરે છે અને ૪ વ્યક્તિઓ તપસ્વિઓની સેવાભક્તિ કરે છે. છ મહીને વારો બદલે છે. તપ કરનાર સેવા કરે છે અને સેવા ક૨ના૨ તપ કરે છે. ત્રીજા છ મહીને ફરીથી વારો બદલે છે. ગુરુ પોતે તપ કરે છે અને શેષ ૮માંથી ૧ ગુરુ બને છે. અને ૭ સેવા કરે છે. કુલ ૧૮ મહીને આ ચારિત્ર પૂર્ણ થાય છે. (૪) સૂક્ષ્મસંપરાયચારિત્ર= ઝીણો-ઝીણો કષાય જ જ્યાં માત્ર બાકી છે. બીજા કષાયો ઉપશમાવ્યા છે, અથવા વિનાશ કર્યો છે. પરંતુ માત્ર સૂક્ષ્મ લોભ જેને બાકી છે. તે અવસ્થાનું જે ચારિત્ર તે. (૫) યથાખ્યાતચારિત્ર= સંપૂર્ણપણે કષાય વિનાનું વીતરાગ અવસ્થાવાળું જે ચારિત્ર. જેવું ભગવાને કહ્યું છે તેવું જે ચારિત્ર તે. ઉપરોક્ત સંવરતત્ત્વના ૫૭ ભેદોથી આ આત્મા નવાં બંધાતાં કર્મોને રોકી શકે છે. તેથી તેને સંવર કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy