SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૮-સૂત્ર-૧૨ ૨૪૯ વગેરે નીચેના અવયવોના સ્પર્શથી જીવ નારાજ થાય, તે અનુક્રમે શુભ અને અશુભ. (૧૧-૧૨) બાદર-સૂક્ષ્મ= સ્કૂલ એનું શરીર તે બાદર, ન દેખી શકાય તેવું શરીર તે સૂક્ષ્મ. (૧૩-૧૪) પર્યાપ્ત-અપર્યાપ્ત= આહારાદિ પર્યાયિઓ પૂર્ણ કરી શકે તે પર્યાપ્ત, અને અપૂર્ણ રાખે તે અપર્યાપ્ત. (૧૫-૧૬) સ્થિર-અસ્થિર= હાડકાં-દાંત સ્વસ્થાને સ્થિર છે તે સ્થિરનામકર્મ અને જીભ વગેરે અસ્થિર છે તે અસ્થિરનામકર્મ. (૧૭-૧૮) આદેય-અનાદેય લોકો વચન માન્ય રાખે તે આદેય, લોકો વચન માન્ય ન રાખે તે અનાય. (૧૯-૨૦) યશ-અપયશ= પ્રશંસા-કીર્તિ તે યશ અને નિંદા અપકીર્તિ તે અપયશ. આ પ્રમાણે ૧૪+૪+૨૦=કુલ ૪૨ નામકર્મના ભેદો છે. અને ૧૪ પિંડપ્રકૃતિના પેટાભેદો જો ગણીએ તો ૧૪ના પટાભેદો ૬પ થાય છે. તેમાં ઉપરોક્ત ૮૧૨૦=૨૮ ઉમેરીએ તો ૯૩ થાય છે. બંધન પાંચને બદલે પંદર પણ ગણાય છે. તેમ કરીએ તો ૧૦૩ થાય છે. અને બંધન-સંઘાતન શરીરમાં ગણીએ અને વર્ણ-ગંધ-રેસ-સ્પર્શ સામાન્યથી ગણીએ તો ૬૭ ભેદ પણ થાય છે. એમ નામકર્મના પેટા ભેદો ૪૨-૯૩-૧૦૩ અને ૬૭ એમ ચાર પ્રકારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy