SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ અધ્યાય : ૮-સૂત્ર-૧૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૫) આતપ= પોતે શીત હોય છતાં પોતાનો પ્રકાશ ગરમ આપે તે, આ સૂર્યના વિમાનના રત્નોને હોય છે. (૬) ઉદ્યોતક પોતાનો પ્રકાશ ઠંડો હોય તે, આ ચંદ્રના વિમાનના રત્નો આદિને હોય છે. (૭) ઉચ્છવાસન શ્વાસ-ઉચ્છવાસ સારી રીતે લઈ-મૂકી શકે તે. (૮) તીર્થકર નામકર્મ= ત્રણે જગતને પૂજનીય થાય, ચતુર્વિધ સંઘની સ્થાપના કરે તે. હવે ૧૦ પ્રકૃતિ શુભ અને ૧૦ પ્રકૃતિ અશુભ-એમ વીશ પ્રકૃતિ સામસામી જોડકારૂપે છે. તે સમજાવે છે. (૧-૨) પ્રત્યેક-સાધારણ જુદું જુદું શરીર હોય તે પ્રત્યેક, અનંત જીવો વચ્ચે એકજ શરીર મળે તે સાધારણ. (૩-૪) ત્રાસ-સ્થાવર=હાલે ચાલે તે ત્રસ, અને સ્થિર રહે તે સ્થાવર. (પ-૬) સુભગ-દુર્ભગ= લોકો વ્હાલ કરે તે સૌભાગ્ય, લોકો વ્હાલ ન કરે પણ અપ્રીતિ દર્શાવે તે દૌર્ભાગ્ય. (૭-૮) સુસ્વર-દુઃસ્વર= કોયલ જેવો મધુરસ્વર તે સુસ્વર અને કાગડા-ગધેડા જેવો ખરાબ સ્વર તે દુઃસ્વર. (૯-૧૦) શુભ-અશુભ= નાભિથી ઉપરના અવયવો શુભ, નીચેના અવયવો અશુભ છે. હાથ વિગેરે ઉપરના અવયવોના સ્પર્શથી જીવ રાજી થાય, અને પગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy