SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ અધ્યાય : ૯-સૂત્ર-૯ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૧૪) યાચનાપરિષહ= સાધુ થયા પછી ગોચરી ચર્યા ફરવામાં તથા અનિવાર્ય વસ્તુની યાચનામાં જરા પણ લજ્જા ન પામવી કે શરમ ન રાખવી તે. (૧૫) અલાભપરિષહ= નિર્દોષ આહાર ન મળે તો પણ શમભાવ રાખવો, પરંતુ ઉગ કરવો નહીં. કંટાળવું નહીં. કે નારાજ થવું નહીં. (૧૬) રોગપરિષહર શરીરમાં રોગ આવે તો નિર્દોષ ચિકિત્સા કરાવવી, પરંતુ શમભાવ રાખવો, આકુળ-વ્યાકુળતા ન કરવી. રોગ મટે તો હર્ષ નહીં. અને ન મટે તો શોક નહીં (૧૭) તૃણસ્પર્શપરિષહર ઘાસ ઉપર સંથારો કરતાં ઘાસની અણીઓ શરીરને વાગે તો પણ શમભાવ રાખવો. (૧૮) મનપરિષહ= શરીર ઉપર મેલ જામ્યા હોય તો પણ સ્નાનની કે શરીરના શણગારની ઇચ્છા ન કરવી તે. (૧૯) સત્કારપુરસ્કાર પરિષહ= જગતમાં વધારે સત્કાર સન્માન હોય તો પણ તેમાં હર્ષ ન કરવો. આનંદ અભિમાન ન કરવું. (૨૦) અજ્ઞાનપરિષહ= જ્ઞાન આવડે નહિ, ત્યારે લોકો અપમાન કરે, માનહાનિ થાય, તો પણ શમભાવે સહન કરવું. (૨૧) પ્રજ્ઞાપરિષહ= વિશિષ્ટ બુદ્ધિ હોય તો પણ ગર્વ ન કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy