SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૯ ૨૭૩ (૮) સ્ત્રી પરીષહ = સ્ત્રી સંયમમાં બાધક છે. (સ્ત્રીને આશ્રયી પુરુષ એ સંયમમાં બાધક છે.) તેથી તેના હાવભાવ તથા શરીરના અંગો તરફ નજર ન નાખવી. તેની સાથે ભોગાદિની પ્રાર્થના ન કરવી અને ન સ્વીકારવી. ભોગબુદ્ધિનો ત્યાગ કરવો. (૯) ચર્યાપરીષહ= વિહાર કરતાં કરતાં કાંટા-કાંકરા આવે તે સહન કરવા, પરંતુ કંટાળવું નહીં. વિહારમાં તકલીફો પણ આવે. છતાં પણ સુખશીલતા ઇચ્છવી નહીં. તથા સંયમમાં ઉફ્લેગ કરવો નહીં. (૧૦) નિષદ્યાપરિષહ= ઉપાશ્રય આદિમાં ધર્મસાધના કરતાં ઠંડી-ગરમી, હવા-અંધકારની અનુકૂળતા-પ્રતિકૂળતા આવે તો પણ સહન કરવી. (૧૧) શધ્યાપરિષહ= અનુકૂળ-પ્રતિકૂળ શયા-સંથારો મળે તો પણ ચલાવી લેવું. ઉંચી-નીચી ભૂમિ હોય તો પણ મનમાં દુઃખ ન કરવું. તૃણના સંથારામાં તૃણની અણીઓનાં ડંખ સહન કરવા, પરંતુ ઉગ ખેદ ન ધરવો. (૧૨) આક્રોશપરિષહર કોઈ અજ્ઞાની આત્મા આપણી ઉપર ગુસ્સો કરે, માર મારે, તો પણ શમભાવે સહન કરવો તે. (૧૩) વધપરિષહ= કોઈ અજ્ઞાની આત્મા આપણા ઉપર પ્રહાર કરી હત્યા કરે, વધ કરે, મારી નાખે તો પણ શમભાવ રાખવો તે. ૧૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy