SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૪૯ ૩૧૫ (૭) ઉપપાત= આ પાંચ પ્રકારના મુનિઓ મૃત્યુ પામી ક્યાં ઉત્પન્ન થાય ? (૧) મુલાકમુનિઓ-૮મા સહસ્ત્રાર દેવલોક સુધી જન્મે છે. (૨) બકુશમુનિઓ-૧રમાં અશ્રુત દેવલોક સુધી જન્મે છે. (૩) પ્રતિસેવનાકુશીલ-૧રમા અશ્રુત દેવલોક સુધી જન્મ છે. કષાયકુશીલ-સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે. (૪) નિગ્રંથમુનિઓ-(૧૧મા વાળા) સર્વાર્થસિદ્ધ સુધી ઉત્પન્ન થાય છે. (૧૨મા વાળા મૃત્યુ પામતા નથી). (૫) સ્નાતકમુનિઓ-કેવલજ્ઞાની નિર્વાણ પામીને મોક્ષે જાય છે. સ્નાતક સિવાયના શેષ ચારે પ્રકારના મુનિઓ જઘન્યથી પણ પલ્યોપમ પૃથકત્વની સ્થિતિવાળા સૌધર્મમાં જાય છે. (૮) સ્થાન= અધ્યવસાયસ્થાનો, તે તે મુનિઓમાં પરિણામની તરતમતા. પુલાક-બકુશ કષાયકુશીલ અને પ્રતિસેવના કુશીલ એમ આ ચાર પ્રકારના મુનિઓમાં કષાય-નિમિત્તક અને યોગનિમિત્તક એમ બન્ને રીતે અસંખ્ય-અસંખ્ય પ્રકારનાં અધ્યવસાય-સ્થાનો (સંયમસ્થાનો) હોય છે. અને નિગ્રંથ મુનિઓમાં માત્ર યોગનિમિત્તક જ અસંખ્ય સંયમસ્થાનો હોય છે. પરંતુ સ્નાતકમુનિઓ કેવલી હોવાથી એક જ સંયમસ્થાન હોય છે. (જુઓ ભાષ્ય ઉપરની ટીકા) નવમો અધ્યાય પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy