SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ અધ્યાય : ૭-સૂત્ર-૨૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) અધોદિશાવ્યતિક્રમ= નીચેની દિશામાં ધારેલા માપ કરતાં વધારે જવું. (૩) તિર્યદિશાવ્યતિક્રમ= ઉપર અને નીચેની દિશા વિના બાકીની ચારે દિશામાં તથા ચારે વિદિશામાં ધારેલા માપ કરતાં વધુ જવું તે. (૪) ક્ષેત્રવૃદ્ધિ= એક દિશાનું ધારેલું માપ બીજી દિશામાં ઉમેરવું. અને તેથી અધિક જવું. (૫) સ્મૃતિ અન્તર્ધાન=કઈ દિશામાં કેટલું જવું? તેનું ધારેલું માપ ભૂલી જવું. ભૂલકણો આ સ્વભાવ ધારેલા દિશાના માપનું ઉલ્લંઘન કરાવે છે. તેથી અતિચાર કહેવાય છે. દિશાપરિમાણ નામના છઠ્ઠા વ્રતના આ પાંચ અતિચારો વર્જી દેવા જોઈએ. ૭-૧૫. ગાયન-ધ્યપ્રયોગ-શબ્દ-રૂપાનુપાત- પુત્રક્ષેપ: ૭-૨૬ આનયન-પ્રખ્યપ્રયોગ-શબ્દ-રૂપાનુપાત-પુગલક્ષેપાઃ૭-૨૬ આનયન-પ્રેષ્યપ્રયોગ-શબ્દ-રૂપ-અનુપાત-પુદ્ગલક્ષપાઃ ૨૬ સૂત્રાર્થ : આનયન, પ્રેષ્યપ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત, અને પુગલપ્રક્ષેપ આ પાંચ દેશાવગાસિકવ્રતના અતિચારો છે. ૭-ર૬ ભાવાર્થ- દેશાવકાશિક વ્રત - ધારેલા ક્ષેત્રના પ્રમાણથી બહાર જવું નહીં” આવું જે વ્રત તે દેશાવકાશિકવ્રત, દિશાના માપને અત્યન્ત સંક્ષેપવું તે દેશાવકાશિક. જેમ કે આજનો દિવસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy