SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૧૬ ૧૭ (૧) બહુગ્રાહી – ઈન્દ્રિય-ગોચર વિષયમાં જ્યાં દ્રવ્યનો ભેદ જણાય તે બહુગ્રાહી. જેમ કે વાજાં વાગતાં સાંભળીને તેના શબ્દને અનુસારે શરણાઈ, ઢોલ, નગારા-પડઘમ અને ઝાલરને ભિન્ન-ભિન્ન વાજિંત્ર રૂપે જાણી શકે તે. (૨) અબદુગ્રાહી-ઉપરોક્ત દ્રવ્યભેદ ન જાણે. પરંતુ માત્ર વાજાં વાગે છે એટલું જ જાણે, વધારે ન જાણે તે અબહુગ્રાહી. (૩) બહુવિધગ્રાહી - દ્રવ્યના પર્યાયનો પણ ભેદ જાણે તે બહુવિધગ્રાહી. જેમ કે- આ શરણાઈ તાલમાં વાગે છે. આ બીન તાલમાં વાગે છે. આ ઢોલ સારું લાગે છે. આ ઢોલ ખોખરૂં વાગે છે. ઈત્યાદિ (૪) અબહુવિધગ્રાહી-દ્રવ્યના એક-બે પર્યાયને જાણે પરંતુ વધારે પર્યાયને ન જાણે તે. (૫) ક્ષિપગ્રાહી – ઈન્દ્રિય અને વિષયનો યોગ થતાં વિષયને તુરત જ જાણી શકે. વિલંબ ન લગાડે તે ક્ષિપ્રગ્રાહી. (૬) અક્ષિપ્રગ્રાહી - ઈન્દ્રિય અને વિષયનો યોગ થયે છતે જે વિષયને ધીમેધીમે જાણે. પરંતુ તુરત ન જાણી શકે છે. (૭) અનિશ્રિતગ્રાહી – બાહ્ય કોઈપણ પ્રકારના લિંગ વિના અનુભવબળે જાણે તે. (૮) નિશ્રિતગ્રાહી - બાહ્ય કોઈપણ પ્રકારના લિંગ(ચિહ્ન)ના આધારે જાણે છે. જેમ કે ધજા દેખીને આ મંદિર છે એમ જાણવું તે. (૯) અસંદિગ્ધગ્રાહી - જે કંઈ જાણે તેમાં સંદેહ ન હોય. નિર્ણયાત્મકભાવે જાણે તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy