SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ અધ્યાય : ૧-સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર અવગ્રહ – એટલે “આ કંઈક છે” એવું વસ્તુના અભિધાનાદિ વિશેષ નિર્દેશ વિનાનું સામાન્ય જ્ઞાન. ઈહા - એટલે “શું આ સર્પ હશે કે દોરડું ?” અથવા “સ્થાણુ હશે કે પુરુષ ?” એવું વિકલ્પોવાળું જે જ્ઞાન. અપાય - એટલે “આ સર્પ જ છે” ઈત્યાદિ નિર્ણયાત્મક જે જ્ઞાન. ધારણા - એટલે નિર્ણયાત્મક થયેલા જ્ઞાનને દીર્ઘકાળ સુધી ધારી રાખવું તે. ધારણાના ત્રણ પેટા ભેદો છે. આ પ્રમાણે છે ઈન્દ્રિયોથી ચાર ચાર ભેદોવાળું મતિજ્ઞાન થાય છે માટે ૬૮૪=૧૪ ભેદો મતિજ્ઞાનના થાય છે. ૧-૧૫. बहुबहुविधक्षिप्रानिश्रितासंदिग्धधुवाणां सेतराणाम्१-१६ બહુબહુવિધક્ષિપ્રાનિશ્રિતાસંદિગ્ધધ્રુવાણાં સંતરાણા...૧-૧૬ બહુ બહુવિધ-ક્ષિપ્ર-અનિશ્ચિત-અસંદિગ્ધ-ધ્રુવાણાં સંતરાણામ્ - સૂત્રાર્થ - બહુ-બહુવિધ-પ્રિ-અનિશ્ચિત-અસંદિગ્ધ અને ધ્રુવ એ છ ભેદો તથા તે છ ભેદોના પ્રતિપક્ષી(વિરોધી) એવા બીજા છ ભેદ એમ કુલ બાર ભેદોના ઉપરોક્ત અવગ્રહ-ઈહા-અપાય અને ધારણા થાય છે. ૧-૧૬. ભાવાર્થ-પંદરમા સૂત્રમાં કહેલા મતિજ્ઞાનના છ ઈન્દ્રિય આશ્રયી અવગ્રહ-ઈહા-અપાય અને ધારણાના (૬૪૪=)૨૪ ભેદોમાં એકેક ભેદ બહુ-બહુવિધ-પ્રિ આદિ બાર બાર ભેદવાળો થાય છે. મતિજ્ઞાન ક્ષયોપશમ ભાવનું છે. અને ક્ષયોપશમભાવ ચિત્ર-વિચિત્ર અનેક પ્રકારનો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy