SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ અધ્યાય : ૭-સૂત્ર-૧૬ તત્ત્વાર્થાધિગમસૂત્ર વસ્તુઓ તે પરિભોગ, જીવન પર્યન્ત અમુક-અમુક સંખ્યામાં જ વસ્તુઓનો ઉપભોગ-પરિભોગ કરવો તેનાથી વધારે વસ્તુઓનો ઉપભોગ પરિભોગ ન કરવાનો જે નિયમ તે. (૭) અતિથિસંવિભાગ વ્રત-પૌષધ કરવા પૂર્વક ઉપવાસ કરીને પારણામાં સાધુ મહાત્માની અથવા વિશિષ્ટ અતિથિની ભક્તિ કરીને પછી જ જમવું તે અતિથિસંવિભાગ વ્રત. (સંવિભાગ=ભક્તિ). જે વસ્તુથી અતિથિની ભક્તિ થઈ હોય તે જ વસ્તુનો ઉપયોગ કરવો. પરંતુ જે વસ્તુથી અતિથિની ભક્તિનો લાભ ન મળ્યો હોય, તે વસ્તુનો વ્યવહાર ન કરવો તે. અહીં દેશાવકાશિકમાં વર્તમાનકાળે ૮૧૦ સામાયિક કરવાનો વ્યવહાર છે. પરંતુ પરમાર્થથી લીધેલા નિયમોનો અતિશય સંક્ષેપ કરી અતિશય ત્યાગી થઈ સાધુ જેવું જીવન જીવવું તે દેશાવકાશિક છે. આ જ અધ્યાયના ર૬મા સૂત્રમાં કહેલા આનયનપ્રયોગાદિ અતિચારો જોતાં આ વાત સમજાય તેવી છે. આ અતિશય સંક્ષેપવાળા દિશાના નિયમને પાળવા માટે અર્થાત્ આ નિયમને સાચવવા માટે વર્તમાન કાળે વ્યવહારથી વાડની જેમ ૮/૧૦ સામાયિકનું આચરણ કરાય છે. આ પ્રમાણે શ્રાવકનાં કુલ ૫+૭=૧૨ વ્રતો છે. ૭-૧૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy