SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ અધ્યાય : ૬-સૂત્ર-૬ અવ્રત-૫, પ્રાણાતિપાત,મૃષાવાદ,અદત્તાદાન,મૈથુન,અનેપરિગ્રહ. કષાયો-૪, ક્રોધ, માન, માયા, લોભ અથવા અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજ્વલન. ઇન્દ્રિયો-૫, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, અને શ્રોત્રેન્દ્રિય, ક્રિયા-૨૫, છે. તે ક્રમશઃ આ પ્રમાણે છે (૧) સમ્યક્ત્વક્રિયા- સમ્યક્ત્વયુક્ત દેવ-ગુરુની સેવા-ભક્તિનમસ્કાર વિનય-વૈયાવચ્ચ કરવા વાળી જે ધર્મ ક્રિયા તે શુભ હોવાથી પુણ્યનો આશ્રવ છે. તત્ત્વાર્થાધિગમસૂત્ર (૨) મિથ્યાત્વક્રિયા- મિથ્યાર્દષ્ટિ જીવની ઉત્તમ દેવ-ગુરુ-ધર્મ તથા તત્ત્વની અશ્રદ્ધા અને તપૂર્વક ક્રિયા એ પાપનો આશ્રવ કરાવનાર છે. વિરુદ્ધ જે કોઇ પ્રવૃત્તિ તે અશુભ હોવાથી પાપનો આશ્રવ કરે છે. (૩) પ્રયોગક્રિયા-મન-વચન-કાયાની કષાયયુક્ત જે શુભ અશુભ ચેષ્ટાઓ. (૪) સમાદાનક્રિયા- લોકો ભેગા થાય તેવી ક્રિયા, સીનેમા, સરઘસ, નાટક ચલાવવાં, કપડાં-દાગીના દેખાડવાં, લોકો ભેગા કરવા, હાથી-ઘોડા, મોટર-લાવીને લોકોને દેખાડવાં, આ બધી વસ્તુઓ જોઇ લોકો પ્રશંસા કરે તો રાગ થાય, અને લોકો નિંદા કરે તો દ્વેષ થાય. (૫) ઇર્યાપથક્રિયા-કષાય વિનાની મન-વચન-કાયાની પ્રવૃત્તિ. (૬) કાયિકીક્રિયા-જીવોની હિંસા થાય, જયણા ન પળાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy