SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : પ-સૂત્ર-૧૨ ૧૩૩ છેલ્લી કોટીનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે અણુ તે પરમાણ. આ છેલ્લો અણુ હોવાથી તેને પ્રદેશ સંભવતા નથી. જો તેને પણ પ્રદેશો હોય છે એમ માનીએ તો આ પરમાણુને પ્રદેશો હોવાથી સ્કંધ જ માનવો પડે. માટે આ અન્તિમ પરમાણુ એ પરમાણુ જ માત્ર છે. તેને પ્રદેશો નથી. ૫-૧૧. નોક્રશ્ચિાડવII: ૫-૧૨ લોકાકાશે અવગાહઃ ૫-૧૨ લોક-આકાશે અવગાહ: ૫-૧૨ સૂત્રાર્થ-ઉપરોક્ત સર્વ દ્રવ્યો લોકાકાશમાં જ અવગાહીને રહ્યાં છે. પ-૧૨. ભાવાર્થ-ધર્મ-અધર્મ-આકાશ-પુદ્ગલ અને જીવ એમ કુલ જે પાંચ દ્રવ્યો છે તેમાંથી આકાશ વિના શેષ ચાર દ્રવ્યો ફક્ત લોકાકાશમાં જ અવગાહીને રહ્યાં છે. અને જે આકાશદ્રવ્ય છે તે લોક-અલોક એમ ઉભયમાં વ્યાપ્ત છે. અલોકાકાશમાં કોઈપણ જીવ પૂગલ કે ધર્મ-અધર્મ દ્રવ્ય નથી. તેથી જ મોક્ષ પામેલા જીવો પણ સિદ્ધશિલાથી એક યોજન ઉપર લોકને છેડે પરંતુ લોકની અંદરના ક્ષેત્રમાં જ હોય છે. ધર્મ-અધર્મ દ્રવ્યની સહાયકતા ન હોવાથી ઉપર અલોકમાં જતા નથી. બીજા કોઈપણ દ્રવ્યનો એક પણ પ્રદેશ અલોકમાં વર્તતો નથી. પ-૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy