SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ અધ્યાય : ૫-સૂત્ર-૨૧-૨૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર નથી. કાલ એ તો જીવ, પુદ્ગલોના પર્યાયરૂપ છે. દ્રવ્યો તો માત્ર પાંચ જ છે. પરંતુ બીજા કેટલાક આચાર્યો કાલને પણ દ્રવ્ય માને છે. જે આગળ આડત્રીસમા સૂત્રમાં કહેવામાં આવશે. તેથી ઔપચારિક એવા કાલદ્રવ્યનો પણ ઉપકાર આ પ્રસંગે સમજાવે છે. વર્તના-પરિણામ-ક્રિયા ઈત્યાદિ ભાવોમાં ઔપચારિક કાલદ્રવ્યની ઉપકારકતા છે. વર્તન-વર્તવું. કોઈ પણ દ્રવ્ય વિવક્ષિત પર્યાયમાં વર્તે છે. એમ જે કહેવાય છે. તે કાલની સહાયકતા છે. જેમ કે અમે મનુષ્ય છીએ” એટલે કે “મનુષ્યપણાની વર્તના” એ કાલથી જ મપાય છે. “હું સામાયિકમાં છું.” સમતાભાવનો પર્યાય એ પણ ૪૮ મીનીટમાં કાલથી જ મપાય છે. આ રીતે કોઇપણ પર્યાયમાં વર્તવા સ્વરૂપ વર્તના બતાવવી એ કાલદ્રવ્યની ઉપકારકતા જાણવી. પરિણામ-પર્યાય, પરિવર્તન, દરેક દ્રવ્યોનાં પરિવર્તનો થવામાં પણ કાલ એ ઉપકારક છે. ઠંડી શીયાળામાં જ પડે, ગરમી ઉનાળામાં જ પડે, આંબા ગરમીમાં જ પાકે, વરસાદ ચોમાસામાં જ આવે. આ બધા જગતના ભાવોના પરિવર્તન સ્વરૂપ પરિણામોમાં કાલદ્રવ્યનો ઉપકાર છે. ક્રિયા-ગમનાગમનાદિ કોઈપણ ક્રિયા કરવામાં જેટલો સમય જાય છે. તે કાલની સહાયતા છે. પરવાપરત્વ-નાના-મોટાપણું એ પણ કાલની અપેક્ષાએ કહેવાય છે. પંદર વર્ષની ઉંમરવાળા કરતાં ૨૦ વર્ષની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy