SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ અધ્યાય : ૨-સૂત્ર-૭ તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉદયથી થાય છે. મિથ્યાદર્શન એ મિથ્યાત્વમોહનીયના ઉદયથી થાય છે. અજ્ઞાન એ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી થાય છે. અસંયતપણું એ ચારિત્રમોહનીયકર્મના ઉદયથી થાય છે. અસિદ્ધત્વ એ આઠે કર્મોના ઉદયથી થાય છે. તથા છ લેશ્યાઓ એ મોહનીય સહષ્કૃત નામકર્મના ઉદયજન્ય છે. આ બધા ભાવો કર્મોના ઉદયજન્ય છે. માટે ઔદયિકભાવ કહેવાય છે. આ પ્રમાણે કર્મોના ઉદયથી આત્મામાં જે જે પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે. તે સર્વે ઔયિકભાવ કહેવાય છે. આ ઔદિયકભાવ પૂર્વે બાંધેલા આઠે કર્મોમાંથી યથાયોગ્ય તે તે કર્મના ઉદયથી થાય છે. અને આ કર્મો બાંધનાર જીવ છે તેથી આ ઔદાયિક ભાવના ભેદો જીવને જ હોઇ શકે છે. પરંતુ જીવના સહયોગથી અજીવને પણ ઔદિયકભાવ કહેવાય છે. એમ શાસ્ત્રકાર પુરુષો કહે છે. જેમ કૃષ્ણવર્ણ નામકર્મ બાંધ્યુ હોય છે જીવે, પરંતુ તેના ઉદયથી કાળા રંગ રૂપે પરિણામ પામવાપણું પુદ્ગલમાં અનુભવાય છે. આ રીતે અજીવને પણ ઔદિયકભાવ ઘટે છે. ચોથા કર્મગ્રંથમાં કહ્યું છે કે ભાવે સુંધી ૩૫ વિ. ૨-૬. जीवभव्याभव्यत्वादीनि च ૨-૭ ૨-૭ જીવભવ્યાભવ્યત્વાદીનિ ચ જીવ-ભવ્ય-અભવ્યત્વ-આદીનિ ચ ૨-૭ સૂત્રાર્થ-જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ વગેરે ભાવો પારિણામિક ભાવના ભેદો છે. ૨-૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy