SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૬ गतिकषायलिङ्गमिथ्यादर्शनाज्ञानासंयतासिद्धत्वलेश्याश्चतुश्चतुस्त्र्येकैकैकैकषड्भेदाः ૨-૬ ગતિકષાયલિંગમિથ્યાદર્શનાજ્ઞાનાસંયતાસિદ્ધત્વલેશ્યાશ્ચતુતુત્યેકેકકૈકષભેદાઃ ૨- ગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શન-અજ્ઞાન-અસંયતઅસિદ્ધત્વલેશ્યાઃ ચતુચતુઃત્રિ એક એક એક એકષભેદાઃ સૂત્રાર્થઔદયિકભાવના ૨૧ ભેદો છે. તે આ પ્રમાણેગતિ-કષાય-લિંગ-મિથ્યાદર્શન-અજ્ઞાન-અસંયમ-અસિદ્ધત્વ અને લેશ્યાના અનુક્રમે ૪+૪+૩+૧+૧+૧+૧+૬= કુલ ૨૧ ભેદો છે. ર-૬. ભાવાર્થ - આ ઔદયિક ભાવ આઠે કર્મોનો હોય છે. તેથી તેના ૧૫૮ ભેદ પણ કહી શકાય છે. પરંતુ પૂર્વાચાર્યોએ પ્રસિદ્ધ એવા ૨૧ ભેદોનો જ પૂર્વશાસ્ત્રોમાં ઉલ્લેખ કરેલો છે. તેથી અહીં પણ ગ્રંથકારે ૨૧ ભેદો કહ્યા છે. તે આ પ્રમાણે મનુષ્ય, તિર્યંચ, દેવ અને નારકી એમ ચાર ગતિ, ક્રોધ, માન, માયા, લોભ એમ ચાર કષાય. સ્ત્રી, પુરુષ અને નપુંસક એ ત્રણ લિંગ. મિથ્યાદર્શન, અજ્ઞાન, અસંયમ, અસિદ્ધત્વ, અને કૃષ્ણ, નીલ, કપોત, તેજો, પદ્મ, શુક્લ એમ ૬ પ્રકારની વેશ્યા. આ પ્રમાણે ૨૧ ભેદો છે. ચાર ગતિ એ ગતિનામકર્મના ઉદયથી થાય છે. ક્રોધાદિ ચારકષાયો મોહનીયકર્મના ઉદયથી થાય છે. ત્રણ લિંગ એ ત્રણ વેદ નામના નોકષાય મોહનીયના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy