SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ અધ્યાય - ૪-સૂત્ર-૪૧-૪૨ તત્ત્વાર્થાધિગમસૂત્ર સૂત્રાર્થ-હવે બાર દેવલોકનું જઘન્ય આયુષ્ય કહે છે. પલ્યોપમ, તથા પલ્યોપમથી અધિક, બે સાગરોપમ તથા બે સાગરોપમથી અધિક આયુષ્ય છે. ૪-૩૯, ૪૦, ૪૧. ભાવાર્થ-વૈમાનિક દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહીને હવે જઘન્ય આયુષ્ય સમજાવે છે. સૌધર્મ નામના પ્રથમ દેવલોકનું જઘન્ય આયુષ્ય ૧ પલ્યોપમ છે. ઈશાન નામના બીજા દેવલોકનું જધન્ય આયુષ્ય ૧ પલ્યોપમથી અધિક છે સનસ્કુમાર નામના ત્રીજા દેવલોકનું જઘન્ય આયુષ્ય બે સાગરોપમ છે. અને મહેન્દ્ર નામના ચોથા દેવલોકનું જઘન્ય આયુષ્ય બે સાગરોપમથી અધિક છે. આ જઘન્ય આયુષ્ય જાણવું આ પ્રમાણે ૧થી૪ દેવલોકનું જઘન્ય આયુષ્ય કહ્યું. ૪-૩૯, ૪૦, ૪૧. परत: परतः पूर्वापूर्वानन्तरा ૪-૪૨ પરતઃ પરતઃ પૂર્વાપૂર્વનન્તરા ૪-૪૨ પરતઃ પરતઃ પૂર્વા પૂર્વા અનન્તરા ૪-૪૨ સૂત્રાર્થ-પછી પછીના દેવલોકની જઘન્યસ્થિતિ અનન્તર અનન્તર પૂર્વપૂર્વ દેવલોકની ઉત્કૃષ્ટસ્થિતિ પ્રમાણે જાણવી. ૪-૪૨. ભાવાર્થ-ચોથા દેવલોકનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે. તે જ પાંચમા દેવલોકનું જઘન્ય આયુષ્ય છે. પાંચમા દેવલોકનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તે જ છઠ્ઠા દેવલોકનું જઘન્ય આયુ૦ છે. એમ આગળઆગળ જાણવું. આ પ્રમાણે જઘન્ય આયુષ્ય હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy