SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ અધ્યાય : ૭-સૂત્ર-૧૩-૧૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર વિનાના હોવા છતાં પણ સપરિગ્રહી છે. અને તીર્થકર પરમાત્માઓ ૩૪ અતિશયોની સમૃદ્ધિવાળા હોવા છતાં પણ અપરિગ્રહી છે. પરંતુ વ્યવહારનયથી વિભૂતિ (સંપત્તિ) એ મમતાનું કારણ હોવાથી સંપત્તિને પરિગ્રહ કહેવાય છે. સંપત્તિવાળો સપરિગ્રહી અને સંપત્તિ વિનાનો અપરિગ્રહી કહેવાય છે. ૭-૧૨. નિઃશન્યો વ્રતી ૭-૧૩ નિઃશલ્યો વ્રતી ૭-૧૩ નિઃશલ્યઃ વ્રતી ૭-૧૩ સૂત્રાર્થ : માયાદિ શલ્ય વિનાનો વ્રતધારી તે જ સાચો વ્રતી છે. ૭-૧૩ ભાવાર્થ:- જેના જીવનમાં શલ્ય નથી, કપટ નથી, માયા નથી અને હિંસાવિરમણ આદિ વ્રતો છે. તે જ આત્મા સાચો વ્રતી છે. શલ્ય ત્રણ પ્રકારનાં છે. (૧) માયાશલ્ય, (૨) નિયાણા શલ્ય, (૩) મિથ્યાત્વશલ્ય. જુઠ, કપટ એ માયાશલ્ય, ધર્મના બદલામાં સંસાર સુખની માગણી કરવી તે નિયાણા શલ્ય, અને ધર્મ પ્રત્યેની અરુચિ અને અધર્મ પ્રત્યેની રુચિ તે મિથ્યાત્વશલ્ય કહેવાય છે. શલ્ય હોય તો વ્રત એ (ફળદાયક ન હોવાથી) વ્રત કહેવાતું નથી. ૭-૧૩. अगार्यणगारश्च ૭-૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy