SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૨૩ ૧૮૯ વૈયાવચ્ચ, ૧૦ અરિહંત પ્રભુની ભક્તિ, ૧૧ આચાર્યની ભક્તિ, ૧૨ બહુશ્રુતની ભક્તિ, ૧૩ પ્રવચન ભક્તિ, ૧૪ આવશ્યકાનુષ્ઠાનનો અત્યાગ, ૧૫ મુક્તિમાર્ગની પ્રભાવના અને ૧૬. પ્રવચન પ્રત્યેની વાત્સલ્યતા, આ સોળ તીર્થકરનામકર્મનાં બંધહેતુઓ છે. ૬-૨૩ ભાવાર્થ- નીચેનાં ૧૬ કારણોથી આ જીવ તીર્થંકર નામકર્મ બાંધે છે. (૧) દર્શનવિશુદ્ધિક શંકા-કાંક્ષા આદિ અતિચારો વિનાનું નિર્મળ સમ્યકત્વ. જિનેશ્વર પરમાત્માના ધર્મ ઉપર અત્યન્ત નિર્મળ અને દઢ શ્રદ્ધા-વિશ્વાસ, તથા આત્મા અને દેહના ભેદજ્ઞાનની પરાકાષ્ટા. (૨) વિનયસંપન્નતા= જ્ઞાની, ઉપકારી, વડીલો, ચારિત્રવાનું મુનિઓ તથા દર્શનાદિનાં સાધનો પ્રત્યે ઘણો જ વિનય. હૃદયના ભક્તિભાવ પૂર્વક વિનમ્રવૃત્તિ. (૩) શીલવ્રતોમાં અનતિચાર= શીયળમાં અને શ્રાવકનાં ૧૨ તથા સાધુનાં ૫ વ્રતો પાળવામાં પ્રમાદ-રહિતતા. (૪) સતત જ્ઞાનોપયોગ= નિરંતર જ્ઞાન-ધ્યાન-સ્વાધ્યાયમાં ઓતપ્રોતતા. (૫) સતત સંવેગપરિણામ= સંસારનાં સુખોને જ મહાબંધન સમજી તેના ત્યાગપૂર્વક નિરંતર મોક્ષની જ માત્રા અભિલાષા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy