SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૨૨ આલોચન-પ્રતિક્રમણ-તદુભય-વિવેકવ્યુત્સર્ગ-તપચ્છેદ-પરિહાર-ઉપસ્થાપનાનિ ૯-૨૨ સૂત્રાર્થ : આલોચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, પરિહાર અને ઉપસ્થાપન એમ કુલ ૯ ભેદો પ્રાયશ્ચિત્ત તપના જાણવા. ૯-૨૨ ૨૮૭ ભાવાર્થ:- છ પ્રકારના અભ્યન્તર તપનો પ્રથમભેદ જે પ્રાયશ્ચિત્ત છે તે પ્રાયશ્ચિત્તના ૯ ભેદો આ સૂત્રમાં સમજાવે છે. (૧) આલોચન= લાગેલા દોષો ગુરુ સમક્ષ માયા વગર કહેવા. (૨) પ્રતિક્રમણ= લાગેલા દોષોનું મિચ્છામિ દુક્કડં કહેવું. અને ફરીથી આવી ભૂલ નહીં થાય એમ નિર્ણય કરવો. (૩) તદુભય= લાગેલા દોષો ગુરુ સમક્ષ કહેવા, અને મિચ્છામિ દુક્કડં પણ આપવું. બન્ને પ્રક્રિયા સાથે. (૪) વિવેક= અકલ્પનીય આહાર આવી જાય તો તેનો વિવેકપૂર્વક ત્યાગ કરવો, પરઠવવું. (૫) વ્યુત્સર્ગ= વિવેકપૂર્વક મન-વચન-કાયાની ચેષ્ટા રોકવી. કાઉસ્સગ્ગ કરવો. (૬) તપ= કરેલી ભૂલથી થયેલા દોષના નાશ માટે તપ કરવો. (૭) છેદ= કરેલી ભૂલોની શુદ્ધિ માટે ચારિત્રપર્યાય છેદવો. (૮) પરિહાર=ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત ન થાય ત્યાં સુધી તે દોષિત મુનિની સાથે વંદન વ્યવહાર તથા આહારગ્રહણનો ત્યાગ કરવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy