SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ અધ્યાય : ૬-સૂત્ર-૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર મારામારી કરવી, ચોરી કરવી, દૂરાચાર સેવવા, આ ત્રણે અશુભ યોગો છે અને તેનાથી પાપનો આશ્રવ થાય છે. શુભયોગ એ પુણ્યનો અને અશુભયોગ એ પાપનો આશ્રવ છે. ૬-૨,૩,૪. સષા#િષાયોઃ સાપરીયશ્નપથયો. ૬-૫ સકષાયાકષાયયોઃ સામ્પરાયિકેર્યાપથયોઃ ૬-૫ સકષાય-અકષાયયોઃ સામ્પરાયિક-ઈર્યાપથયોઃ ૬-૫ સૂત્રાર્થ-સકષાય (કષાયવાળા) જીવોનો જે આશ્રવ તે સામ્પરાયિક આશ્રવ કહેવાય છે. અને અકષાય (કષાય વિનાના) જીવોનો જે આશ્રવ તે ઇર્યાપથિક આશ્રવ કહેવાય છે. ૬-૫. ભાવાર્થ:- ૧થી૧૦ ગુણસ્થાનકવાળા જીવોનો મનવચન-કાયાનો જે યોગ છે તે સકષાય (કષાયવાળો) યોગ છે એટલે તેનાથી થતા આશ્રવને સામ્પરાયિક આશ્રવ કહેવાય છે. કારણ કે સંપરાય એટલે કષાય, તે વાળો જે આશ્રવ તે સામ્પરાયિક આશ્રવ સમજવો. સાપરાયિક આશ્રવમાં પ્રકૃતિસ્થિતિ-રસ અને પ્રદેશ એમ ચાર પ્રકારનો કર્મ બંધ થાય છે. અને ઇર્યાપથિક આશ્રવમાં માત્ર પ્રકૃતિ અને પ્રદેશ એમ બે જ પ્રકારનો કર્મ બંધ થાય છે. તથા ૧૧-૧૨ અને ૧૩માં ગુણઠાણાવર્તી જે જીવો છે. તે કષાય વિનાના છે, એટલે અકષાયી કહેવાય છે. તે જીવોની મન-વચન અને કાયાની જે પ્રવૃત્તિ તે અકષાયી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy