SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૩ ૧૯૭ માગવું તે સમાનસાધર્મિક અવગ્રહયાચન ૪, વિધિપૂર્વક ગુરુની આજ્ઞાનુસાર આહાર-પાણી લાવી, તેઓને દેખાડીને તેઓની આજ્ઞા પ્રમાણે ઉપયોગ કરવો તે અનુજ્ઞાપિત પાન ભોજન ૫, આ ત્રીજાવ્રતની પાંચ ભાવના જાણવી. વિજાતીય વ્યક્તિ વડે સેવાયેલાં તથા પશુ અને નપુંસક વડે સેવાયેલાં આસન-શયન અને વસતિનો ત્યાગ કરવો તે સ્ત્રીપશુ પંડકસેવિત શયનાસનવર્જન ૧, કામવાસના વર્ધક વાર્તાઓ ન કરવી તે રાગયુક્તસ્ત્રી-કથાવર્જન ૨, વિજાતીય વ્યક્તિનાં કામ-વાસના ઉત્તેજક અંગો ન જોવાં તે મનોહરેન્દ્રિયાલોકવર્જન ૩, ભૂતકાળમાં ભોગવેલા ભોગો ફરીથી યાદ ન કરવા તે પૂર્વરતિક્રીડાસ્મરણવર્જન ૪, કામવાસનાવર્ધક અને વિકાર ઉત્તેજક એવી ખાણી-પીણીનો ત્યાગ કરવો તે પ્રણિતરસભોજન વર્જન ૫, આ પાંચ ચોથાવ્રતની ભાવના જાણવી. ઇષ્ટાનિષ્ટ એવા રૂપ-રસ-ગંધ-સ્પર્શ અને શબ્દોની પ્રાપ્તિ થાય તો પણ હર્ષ-શોક, પ્રીતિ-અપ્રીતિ, તથા આનંદ અને ગુસ્સો ન કરવો તે મનોજ્ઞામનોજ્ઞરૂપ સમભાવ ૧, ઇત્યાદિ ક્રમશ: રૂપના સ્થાને રસાદિના નામવાળી પાંચ ભાવના પાંચમાં વ્રતની જાણવી. જેમ કે મનોજ્ઞામનોજ્ઞ રસ સમભાવ વિગેરે. ઉપરોક્ત રપ ભાવનાઓ ભાવવાથી હિંસા આદિ પાપોથી મન વિરામ પામે છે. અને વતામાં આ આત્મા વધારેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy