________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૬-સૂત્ર-૧૩ ૧૮૧ બાલત૫, શુભયોગ, ક્ષમા અને શૌચ આ સર્વે સાતાવેદનીયના બંધહેતુઓ છે. ૬-૧૩
ભાવાર્થ : નીચે જણાવેલાં કારણોથી આ આત્મા સાતવેદનીયકર્મ બાંધે છે. (૧) ભૂતાનુકંપા દીન-દુઃખી-ગરીબ માણસો ઉપર દયા કરવી.
વસ્ત્રો, આપવાં. ખાવાનું-પીવાનું આપવું, રહેઠાણ આપવું વ. (૨) વ્રતીદાનં=સંસારના ત્યાગી સાધુ-સંતોને વસ્ત્ર-આહાર-પાણી
તથા જ્ઞાનાદિનાં સાધનો આપી ભક્તિ કરવી. સેવા કરવી.
વ્રતધારી શ્રાવક-શ્રાવિકાની પણ સેવા ભક્તિ કરવી. (૩) સરાગસંયમ= દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે તથા સંયમાંદિ ગુણ
પ્રત્યે ખૂબ જ અનુરાગ રાખવાપૂર્વક સંયમ પાળવો. (૪) સંયમસંયમ= દેશવિરતિ પાળવી, શ્રાવકનાં વ્રતો પાળવા
પૂર્વક ધર્મક્રિયા કરવી. તથા ઃિ શબ્દથી. (૫) અકામનિર્જરા= અનિચ્છાએ, પરવશપણે દુ:ખ સહન
કરવું. પીડા સહવી. (૬) બાલતપ= અજ્ઞાન અવસ્થામાં રહી ઉગ્ર તપ કરવો. (૭) યોગકલોક અભિમત એવાં નિર્દોષ ધર્માનુષ્ઠાનનું સેવન. (૭) ક્ષમા ક્રોધાદિના પ્રસંગો હોય તો પણ માફ કરવું,
શાન્તિ રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org