SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૨૭ ૨૭ મન:પર્યાય જ્ઞાનથી તો માત્ર અઢીદ્વીપ પ્રમાણ જ ક્ષેત્ર (તગત સંજ્ઞી પં. જીવોના મનોગતભાવો) દેખાય છે. (૩) સ્વામીઃ- અવધિજ્ઞાન ચારેગતિના સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને થઈ શકે છે. જ્યારે મન:પર્યાયજ્ઞાન તો માત્ર ગર્ભજ મનુષ્યને જ થાય છે અને તે પણ સંયમી આત્માઓને અને તેમાં પણ કોઇક મહાત્મા મુનિને જ થાય છે. (૪) વિષયઃ- અવધિજ્ઞાનનો વિષય સર્વરૂપી દ્રવ્યો છે. જ્યારે મન:પર્યાય જ્ઞાનનો વિષય માત્ર મનોવર્ગણા જ છે અને તે પણ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો વડે ગૃહીત થઈ મનસ્વરૂપે પરિણમાવેલી જ વર્ગણા. આ પ્રમાણે આ બન્ને શાનો વચ્ચે ચાર પ્રકારે તફાવત છે. ૧-૨૬. ૧-૨૭ मतिश्रुतयोर्निबन्धः सर्वद्रव्येष्वसर्व पर्यायेषु મતિશ્રુતયોર્નિબન્ધઃ સર્વદ્રવ્યસર્વપર્યાયેષુ મતિ-શ્રુતયોઃ નિબન્ધઃ સર્વદ્રવ્યેષુ અસર્વપર્યાયેષુ ૧-૨૭ ૧-૨૭ સૂત્રાર્થ - મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો વિષય સર્વદ્રવ્યો છે. પરંતુ પર્યાયો અસર્વ (કેટલાક) જ જાણે છે. ૧-૨૭. ભાવાર્થ - મતિજ્ઞાનાદિ પાંચે જ્ઞાનોથી કેટલું કેટલું જાણી શકાય ? એમ હવે તેઓનો (પાંચે જ્ઞાનોનો) વિષય જણાવે છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી કેવલી ભાષિત આગમોના આધારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy