SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૭-સૂત્ર-૨૩ ૨૧૭ (૨) ઇત્વરપરિગૃહીતાગમનઃ અલ્પકાળ માટે કોઈ અન્ય વ્યક્તિ વડે ભાડાથી રખાયેલી, અથવા મિત્રપણે બીજાએ રાખેલી સ્ત્રીની સાથે આ પરની વિવાહિત સ્ત્રી નથી એમ સમજીને સંસાર વ્યવહાર કરવો. (૩) અપરિગૃહીતાગમન ન પરણેલી એવી વેશ્યા અથવા કુમારિકા સાથે સંસાર વ્યવહાર કરવો. (૪) અનંગક્રીડા= જે અંગો કામક્રીડાનાં નથી, તેવાં અંગોથી કામક્રીડા કરવી. (૫) તીવ્રકામાભિનિવેશ= અતિશય તીવ્ર કામવાસનાનો આવેશ-આસક્તિ રાખવી. આ ચોથા વ્રતના પાંચ અતિચારો સેવવા જોઇએ નહીં. પરદારા વિરમણવ્રત-વાળાને આ પાંચ અતિચારો કહેવાય છે. અને સ્વદારાસતોષવ્રતવાળાને પહેલો ચોથો અને પાંચમો એમ ત્રણ જ અતિચાર છે બાકીના બે અજાચાર કહેવાય છે. પોતાની વિવાહિત પત્નીમાં જ સંતોષ તે સ્વદારાસંતોષ. અને અન્યની સાથે વિવાહિત થયેલી પરપત્નીનો ત્યાગ તે પદારાવિરમણ. કન્યા અને વેશ્યા જેવી પરની સાથે વિવાહિત ન થયેલી સ્ત્રીઓનો વ્યવહાર કરવાથી પરદારાવિરમણવ્રતવાળાને અતિચાર લાગે છે. પરંતુ વ્રતભંગ થતો નથી. અને સ્વદારાસંતોષવાળાને વ્રતભંગ જ થાય છે. ૭-૨૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy