SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય ઃ ૬-સૂત્ર-૧૬-૧૭ ૧૮૩ એવો જે કાષાયિક પરિણામ તે ચારિત્રમોહનીયના બંધનો હેતુ છે. ૬-૧૫ ભાવાર્થઃ- સમ્યક્ત્વ-સંયમ-ત્યાગ આદિ ગુણોવાળા મહાત્મા પુરુષોની કષાયપૂર્વક નિંદા-ટીકા કરવાથી, ખોટા આક્ષેપો કરવાથી, તેમની સાધનામાં વિઘ્નો ઉભાં કરવાથી, સ્વયં પોતે ક્રોધ-માન-માયા-લોભાદિ કષાયો કરવાથી અને બીજાને ક્રોધાદિ થાય તેવું બોલવાથી તથા તેવા પ્રકારના હાવ-ભાવ કરવાથી, તથા મનમાં અત્યંત કઠોર પરિણામ લાવવાથી આ જીવ ચારિત્રમોહનીયકર્મ બાંધે છે. ૬-૧૫. ૬-૧૬ बहारम्भ-परिग्रहत्वं च नारकस्यायुषः બહારંભ-પરિગ્રહત્વ ચ નારકસ્યાયુષઃ બહુ-આરંભ-પરિગ્રહત્વ ચ નારકસ્ય આયુષઃ ૬-૧૬ ૬-૧૬ સૂત્રાર્થ : ઘણા આરંભ-સમારંભ અને અતિશય પરિગ્રહપણું આ બંન્ને નરકના આયુષ્યના બંધહેતુ છે. ૬-૧૬ ભાવાર્થ:- ઘણા મોટા આરંભ-સમારંભ એટલે કે ઘણી જ હિંસા, મોટાં જુઠાણાં, મોટી ભયંકર ચોરીઓ ક૨વાથી તથા ઘણી જ મમતા, મૂર્છા-ધનસંગ્રહ આદિ કરવાથી તથા અતિશય તીવ્ર કષાયના ઉદયવાળા પરિણામો કરવાથી આ જીવ નરકગતિનું આયુષ્યકર્મ બાંધે છે. ૬-૧૬. माया तैर्यग्योनस्य Jain Education International ૬-૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy