SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ વાચકમુખ્ય (ઉપાધ્યાયોમાં પ્રધાન) અને પ્રકાશયુક્ત છે યશ જેમનો એવા શિવશ્રી (નામના પ્રગુરુ)ના પ્રશિષ્ય તથા અગિયાર અંગના ધારક એવા ઘોષનંદી (નામના ગુરુજી) ના શિષ્ય એવા. / ૧ // વાચના આપવા દ્વારા (ભણાવવાની અપેક્ષાએ) મહાવાચક એવા “મુંડપાદ” શ્રમણ નામના પ્રગુરુના પ્રશિષ્ય, તથા પ્રસિદ્ધકીર્તિવાળા વાચનાચાર્ય એવા “મૂલ” નામના વિદ્યાગુરુના શિષ્ય એવા | ૩ | “ન્યગ્રોધિક” નામના નગરમાં જન્મેલાં, કુસુમપુર (પાટલીપુત્ર-પટણા-બિહાર) નામના નગરમાં વિચરતા, કૌભિષણિ ગોત્રવાળા, સ્વાતિ નામના પિતાના પુત્ર અને વાત્સી નામની માતાના ઉદરે જન્મેલા એવા ઉમાસ્વાતિજી વડે || ૩ || પૂજનીય એવા અને સમ્યગ્ન પ્રકારે ગુરુગમથી આવેલા એવા અરિહંત પરમાત્માના વચનને અવધારીને તથા દુઃખથી પીડાયેલા અને મિથ્યાશાસ્ત્રોના (વારંવાર) અધ્યયનથી હણાયેલી મતિવાળા આ લોકને જોઈને || ૪ || ઉચ્ચનાગર શાખાવાળા અને વાચકમુખ્ય એવા ઉમાસ્વાતિ વડે પ્રાણીઓ ઉપરની અનુકંપાના કારણે આ તત્ત્વાર્થાધિગમસૂત્ર નામનું સ્પષ્ટ સૂત્ર બનાવાયું છે ૫ || જે આત્મા આ તત્ત્વાર્થાધિગમસૂત્રને ભણશે અને તેમાં કહેલું આચરશે તે આત્મા અવ્યાબાધ સુખ નામના પરમાર્થને અલ્પકાળમાં જ પામશે. • ઉપરોક્ત શ્લોકોથી નીચેના મુદા જણાય છે. (૧) ગ્રંથકર્તાના ધર્મગુરુના પણ ગુરુ (દાદાગુરુ) શિવશ્રી હતા. (૨) ગ્રંથકર્તાના ધર્મગુરુ ૧૧ અંગના ધારક ઘોષનદી હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy