SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ અધ્યાય : ૨-સૂત્ર-૪૪ તત્ત્વાર્થાધિગમસૂત્ર બન્ને શરીરો અનાદિકાલથી જીવની સાથે સંબંધવાળાં છે. ક્યારેય પણ આ જીવ ભૂતકાળમાં તૈજસ-કાશ્મણ વિનાનો ન હતો. તથા આ બન્ને શરીરો સર્વ સંસારી જીવોને હોય જ છે. કારણ કે આ બે શરીરો જ સંસારનું મૂલ છે. માટે અનાદિકાલથી સર્વજીવોને આ બે શરીરો છે જ. ૨-૪૦-૪૧-૪૨-૪૩. તવાહિનિ માન્યાનિ યુપિસ્થીવતુર્થ. ૨-૪૪ તદાદીનિ ભાજ્યાનિ યુગપદેકસ્યાચતુર્ભુઃ ર-૪૪ તઆદીનિ ભાજ્યાનિ યુગપ એકસ્ય આચતુર્ભ ર-૪૪ સૂત્રાર્થ-તે તૈજસકાર્પણ શરીરોને આદિમાં ગણીને એકી સાથે એક જીવને વધુમાં વધુ ચાર સુધીનાં શરીરો ભજનાએ હોય છે. ર-૪૪. ભાવાર્થ - જો કે શરીરોનો ક્રમ ૩૭ સૂત્ર પ્રમાણે ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ છે. તો પણ તૈજસ-કાશ્મણ શરીર આદિમાં ગણીને ૪૪મું સૂત્ર લગાડવું. એટલે કે તૈજસ, કાર્મણ, ઔદારિક, વૈક્રિય અને આહારક એવો ક્રમ લેવો. આ પ્રમાણેના નવા ક્રમમાંથી એક જીવને એકી સાથે બે, ત્રણ અને વધુમાં વધુ ચાર શરીરો હોય છે. જો બે હોય તો તૈજસ-કાશ્મણ (વિગ્રહગતિમાં), જો ત્રણ હોય તો તૈજસ-કાર્પણ અને દારિક, (મનુષ્ય-તિર્યંચોને) અથવા તેજસ-કાર્પણ અને વૈક્રિય (દેવ-નારકીને). જો ચાર હોય તો તૈજસ-કાશ્મણ-દારિક-વૈક્રિય (વૈક્રિયની લબ્ધિવાળાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy