________________
યુવાન ભીનો ભીનો થઈ ગયો. ચોધાર આંસુએ રડતો રડતો તે કોર્ટના પગથિયા ઉતરી ઘરે ગયો. • ગુણદષ્ટિ કેળવો કલેશ નહીં થાય.... * ગિરિરાજ ઉપરના પગથિયા પણ ઉપકારી બને છે ત્યારે દાદાના દર્શન થાય છે. * રસ્તાનું માર્ગદર્શન આપતા લાકડાના બોર્ડ પણ ઉપકારી બને છે.
જડ વસ્તુઓ પણ ઉપકારી થઈ શકે તો આ ચેતન ઉપકારી ન બને એમાં શું આશ્ચર્ય!
મરીન લાઈન્સનો દરિયો ભરતી આવે ત્યારે કાંઠા સુધી પાણી ઉછાળે એ એની સાચી પૂર્ણતા નથી. ઓટ આવે ત્યારે પાણી ઉતરી જાય છે. એકવાર પૂર્ણ બન્યા પછી આત્મા ક્યારેય અપૂર્ણ બનતો નથી.
બાહ્ય પૂર્ણતા તો પુણ્ય પરવારતા ચાલી જવાની. પાપનો ઉદય આવતા ચશ્મા આવશે, હાથમાં લાકડી આવશે, બે શબ્દો બોલતા હાંફી જવાશે....
બાહ્ય પૂર્ણતામાં ક્યાંય મોહાવાનું નથી. આત્યંત ગુણો ખિલવવા એક પણ તક ચૂકવા જેવી નથી. * દૂધનું તત્ત્વ મલાઈ છે, જ્યારે જીવનનું તત્ત્વ ભલાઈ છે એ ન ભૂલશો. * પુણ્ય ભેટથી મળ્યું છે, એના પર માલિકીભાવ લાવતા નહિ....
પ્રહાર અને ઉપહાર બંનેમાંથી કયું વલણ તમને ફાવે? લૂંટવાનું નહિ આપવાનું... તૂટી પડવાનું નહિ ઝૂકી જવાનું... ગરમ નહિ નરમ દ્વેષ નહિ પ્રેમસભર બનજો. ફાવી જશો.